Book Title: Jain Mahabharat Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 161
________________ થયો. આજે જ્યાં જુઓ ત્યાં બધા યુધિષ્ઠિરો જ દેખાય છે, જેઓ પોતાની જાતને ખોઈ બેઠા છે. હિંસા, દુરાચાર અને નાસ્તિકતાનું આજે કેવું તાંડવ ચાલ્યું છે? કોને ઊંચી કોમ કહેવી? કોને ખાનદાન કહેવો ? એ જાણે સવાલ થઈ પડ્યો છે. દારૂનો દૈત્ય ચારેબાજુ જોર મારતો ધખી રહ્યો છે, તો દુરાચારના ઘોડાપૂરો ચોફેર ફરી વળીને મોટા રૂસ્તમ જેવા વડલાઓને પણ ધરતી ઉપર ઢાળી રહ્યા છે. મોક્ષનું લક્ષ અને ધર્મનો પક્ષ આર્ય પ્રજામાંથી ખોવાઈ જતાં આ બરબાદી સર્જાઈ છે. હવે એ લક્ષ અને પક્ષ શું પ્રજાના હૈયે પાછા સ્થાપિત કરવા તે મોટો સવાલ થઈ પડ્યો છે. લગભગ અશક્ય બની ગયેલી આ બીના લાગે છે. દેવી પરિબળોનો સહકાર મળ્યા વિના માનવજાતે ગુમાવેલો “માણસ” પાછો લાવવાનું મને તો શક્ય જણાતું નથી. | દુર્યોધન, શકુનિ, કર્ણ, દુઃશાસન વગેરે ખૂબ આનંદમાં આવી ગયા. તે આનંદના અતિરેકમાં તેઓ ભાન ભૂલીને અઘટિત બનાવો સર્જવા લાગ્યા. દુર્યોધને પાંડવોને કહ્યું, “તમારા મૂલ્યવાન કપડાં અને આભૂષણો ઉતારી નાંખો અને જીર્ણ વસ્ત્રો પહેરી લો.” પાંડવોએ તેમ જ કર્યું. એ દૃશ્ય જોઈને અનેક લોકો ચીસ નાંખીને ધરતી ઉપર પટકાઈ જઈને બેભાન થઈ ગયા. દુર્યોધને દુઃશાસનને કહ્યું, “દ્રૌપદીને અહીં બોલાવી લાવ.” ધ્રુસકે રડતી દ્રોપદી દુ:શાસન દ્રૌપદીને બોલાવવા ગયો. તે રજ:સ્વલા હતી, એથી જ એકવસ્ત્રી હતી. આથી જાહેરમાં આવવાની અને વડીલજનો સામે ઊભા રહેવાની તેણે સાફ ના પાડી. ઉશ્કેરાયેલા દુઃશાસને તેને ચોટલેથી પકડી અને જોરથી ખેંચીને તે સભામાં લઈ આવ્યો. દ્રૌપદી જોરથી રડતી હતી. “કોઈ મારી લાજ બચાવો’ એમ ચીસો પાડીને બોલતી હતી. તે વખતનું દશ્ય એટલું બધું કરુણ બની ગયું કે ભીષ્મ પોતાના મોં ઉપર બે હાથ દાબી દીધા ! પાંડવો માં નીચું નાંખી દઈને ઊભા રહી ગયા. તે વખતે દ્રૌપદી પ્રત્યે નિર્ભય બની દુર્યોધને તેને કહ્યું, “તું હારી ગઈ છે. હવે તું મારી છે. આવ, આપણે મોજ કરશું. જો, આ મારી જાંઘ ઉપર બેસ.” આમ કહીને તે દુષ્ટ માણસે જાંઘ ઉપરથી વસ્ત્ર દૂર ખસેડ્યું. આ વખતે ઉપસ્થિત લોકોમાં હાહાકાર વ્યાપી ગયો. અનેક લોકો ચક્કર ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યા. દ્રિૌપદીએ પિયરના સ્વજનોને યાદ કર્યા કે જો તેઓ હોત તો મારી આ દશા ન થાત. ભીમની ભીષ્મ પ્રતિજ્ઞા આ શબ્દો સાંભળીને ભીમ અત્યન્ત ઉશ્કેરાયો. તેણે ત્યાં જ પ્રતિજ્ઞા લીધી કે, “દ્રૌપદીના ચોટલાને ઝાલનારાનો તે હાથ હું તોડીને જ જંપીશ અને દુર્યોધનની તે જાંઘ ઉપર ગદા મારીને ધરતીને રક્તરંગી કરીને જ રહીશ. જો આમ ન કરું તો હું ક્ષત્રિયાણી કુન્તીના પેટે જન્મેલો ભીમ જૈન મહાભારત ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192