Book Title: Jain Mahabharat Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 112
________________ એક સંન્યાસી કોઈને પણ પોતાનો શિષ્ય કરે ત્યારે અચાનક તેની જીભ ઉપર સાકરનો પાઉડર મુકાવે, મો બંધ કરાવે, બે મિનિટ બાદ તેવા જ સ્વરૂપમાં તે પાઉડર અકબંધ પાછો માંગે. જો કોઈ મુમુક્ષુ તેમ કરી શકે તો જ તેને પોતાનો શિષ્ય બનાવે. તે માનતા હતા કે સાધુ થવાની પાત્રતા તેનામાં જ છે જે રસના ઉપર ભારે કાબૂ ધરાવે છે. દ્રોણાચાર્યની મહર્ષિ-પરંપરાચુસ્તતા દ્રોણાચાર્યને કેટલાક ક્ષત્રિયોમાં જ ધનુર્વિદ્યાની પાત્રતા જણાતી હતી. ‘ભીલ એ માટે યોગ્ય નહિ' એમ તેઓ માનતા હતા. જો કે પોતાની આ માન્યતાની વિરુદ્ધ પણ તેઓ બીજા પ્રસંગોમાં ગયા છે, પણ તેથી કાંઈ તેમની પાત્રતાવિચાર ખોટો સાબિત થઈ શકે નહિ.) એ વાત કબૂલ છે કે કોઈ અપવાદરૂપ પાત્રતા પણ જોવા મળી શકે છે, છતાં તે પ્રમાણે અમલ કરવો એ વાજબી નથી, કેમકે તેથી અનુકરણ થવા લાગે, અને તેમ થતાં અપાત્રને પણ વસ્તુ આપી દેવાનું બને. એ વખતે પાત્ર દ્વારા જે લાભો થાય તેના કરતાં લાખોગણાં નુકસાનો તે અપાત્રો કરી બેસે. આ આપત્તિમાંથી બચવા માટે અપવાદરૂપ કિસ્સામાં મક્કમ રહીને મૂળભૂત પરંપરાને વળગી રહેવું એ જ ઓછામાં ઓછા નુકસાનનો વિકલ્પ લાગે છે. ક્ષત્રિયોમાં ય કેટલાક અપાત્ર હોઈ શકે. આથી શિવાજીએ પોતાના જ દીકરા શંભાજીને કુપાત્ર જાણીને સદા માટે ઉપેક્ષ્યો હતો અને ભીલોમાં ય કોઈ પાત્ર-કદાચ એકલવ્ય જ-હોઈ શકે, પરંતુ તેથી લલચાઈ જઈને મૂળભૂત સિદ્ધાન્તને ગૌણ કરી ન શકાય. આ હતી દ્રોણાચાર્યની મહર્ષિપરંપરાથી પ્રાપ્ત થયેલી વિદ્યાશૈલી. તેમાં તેમને “અન્યાયી” કહેવા તે જ અન્યાય છે. સમાનતાના વિચારનો અતિરેક આવો અન્યાય કરાવી દેતો હોય છે. અસ્તુ. હવે મૂળ વાત ઉપર આવીએ. કાદવમાં કમળ જેવો એકલવ્ય આ વિચારને કારણે જ દ્રોણાચાર્ય એકલવ્યને આ વિદ્યામાં આગળ વધતો રોકવા ઈચ્છતા હતા. ના, “અર્જુન જ અજોડ ધનુર્ધર બને એ વિચાર તેમના હૈયે પ્રધાન ન હતો. બેશક, ગૌણરૂપે તે વિચાર પણ એના પ્રત્યેના વધુ પડતા સ્નેહને કારણે હોઈ શકે, પરંતુ મુખ્ય તો પાત્રાપાત્ર-વિચાર હતો અને તે માટે જ તેમણે ન છૂટકે, હૈયું ખુબ જ કઠિન કરીને પોતાની ફરજ બજાવવી પડી. તેમણે એકલવ્યને કહ્યું કે, “વત્સ ! જો તું મને જ ગુરુ માનતો હોય તો તારે મને ગુરુદક્ષિણા તો આપવી જોઈએ ને ?” આ સાંભળીને હર્ષથી પાગલ જેવા બની ગયેલા એકલવ્યે કહ્યું, “જરૂર જરૂર... ગુરુદેવ ! આપ કહો તે આપી દઉં. કહો, ગુરુદેવ ! મારું માથું કાપીને આપી દઉં ?” એકલવ્યનું આ સમર્પણ જોઈને દ્રોણાચાર્ય સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ હું એકલવ્યને અંગૂઠો માંગી લઈને ધનુર્વિદ્યાના વિષયમાં સવાયો અર્જુન નહિ બનવા દઉં પરંતુ ગુરુ-સમર્પણના વિષયમાં તો તેને સવાયો અર્જુન બનતો કોઈ પણ ઉપાયે હું રોકી શકું તેમ નથી. કાદવમાં કીડા જ પેદા થતાં નથી, કમળ પણ તેમાં જ પેદા થાય છે. ભીલ જેવા આદમીમાં ગુરુ પ્રત્યેનો ત્યાં સુધીનો સમર્પણભાવ કે જેમાં માથું કાપીને આપી દેવામાં કોઈ હિચકિચાટ નહિ તે ઉચ્ચ કુળોના લોહીમાં પણ બધે જોવા ન મળે. શક્તિઓનું પાચક ચૂર્ણ : દેવગુરુભક્તિ જૈન મહાભારત ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192