________________
વણિકના પુત્રોને બીજમાં જ વેપાર કરવાનું કૌશલ મળી જતું એટલે દેશના વેપાર-ધંધાઓને ખૂબ જીવંત અને અત્યંત સમૃદ્ધ બનાવતા.
તેમજ શૂદ્રોના પુત્રો શેષ કાર્યો બજાવતા અને પોતાની રોટી મેળવી લેતા.
અહીં ક્યાંય ભેદભાવ હતો જ નહિ. બેશક ‘ભેદ જરૂર હતો, પરંતુ તે ભેદ વ્યવસ્થા પૂરતો હતો. આજે પણ વ્યવસ્થાઓ માટે “ભેદ અનિવાર્ય મનાય જ છે. નિશાળોમાં વર્ગો એ શું ભેદ નથી ? મજૂર- મંડળોમાં વર્ગો નથી ? રાજા-પ્રજાનો ભેદ જીવંત નથી ? વડાપ્રધાન, પંતપ્રધાન, સીનિયર પ્રધાન, નાયબ પ્રધાન, ઓફિસર, ક્લાર્ક, કારકુન, પટાવાળો... એ બધા ભેદોથી વિશ્વ આખું ધમધમતું નથી ?
સ્ત્રી અને પુરુષમાં ભેદ છે જ, અને તે સદા રહેશે. સાધુ અને સંસારીમાં ભેદ છે જ, અને તે સદા રહેશે. ભેદ છતાં ભેદભાવ ન હોવો જોઈએ એ અત્યંત માન્ય છે.
પ્રજાના હજારો સમાજોને જિવાડતી વર્ણભેદની વ્યવસ્થામાં ભેદભાવ તો ક્યારેય ન જ હતો, ધિક્કાર-તિરસ્કારની વાત કદી ન હતી.
એ બધું તો ગોરા લોકોએ પ્રજાને પરસ્પર લડાવી મારવા માટે પ્રચારેલું હડહડતું જૂઠ હતું. પણ કમનસીબે ભારતની ભોળી પ્રજા એના છલમાં ફસાણી ! હવે એના કટુતમ ફળો એને જ ખાવાના આવ્યા છે !
બલિદાન સર્વને માટે આવશ્યક શૂદ્રોની સાફસૂફીના કામની વાત ભેદભાવ તરીકે ગણાય છે. ઓહ! આ લોકો “શૂદ્ર કોણ? તે ય હજી સમજ્યા નથી.
વળી જો સાફસૂફીના કાર્ય દ્વારા અપાતા બલિદાનને કારણે તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવ્યો હોવાની વાત થતી હોય તો તે પણ પ્રજાને અવળે રસ્તે દોરવતી રજૂઆત છે, કેમકે આર્યપ્રજામાં કોના માથે બલિદાન'નું કાર્ય નથી એ જ પ્રશ્ન છે.
ક્ષત્રિયોને તોપના મોંએ ચડી જઈને ય સળગતા રાષ્ટ્રના સીમાડાઓની રક્ષા કરવાના કર્તવ્યમાં બલિદાન કેવું ખીચોખીચ ભર્યું છે એ તો જુઓ ?
બ્રાહ્મણોને માથે નંખાયેલી સંસ્કૃતિના પ્રાથમિક અધ્યયનાદિની જવાબદારીમાં કેટલા ભોગવૈભવોને તિલાંજલિ દેવારૂપ બલિદાન પડેલું છે એ તો જુઓ ?
ભેજાનું દહીં કરીને ધનપ્રાપ્તિ કરવાની અને રાષ્ટ્રના હિત માટે જ્યારે જરૂર પડે ત્યારે એ ધનના ભંડારો રાજકોષમાં ઠાલવી દેવાની વૈશ્યોની નૈતિક ફરજમાં શું બલિદાનનું દર્શન જ થતું નથી?
કોને માથે બલિદાનની જવાબદારી નથી? રે ! સ્ત્રીએ શીલરક્ષા કાજે બલિદાન દેવાનું છે તો પુરુષે સમસ્ત કૌટુંબિક સંસાર સાંસ્કૃતિક રીતે નભાવવા પાછળ કેટલો શક્તિવ્યય કરવો પડે છે.
સ્ત્રી તો હજી ઘરની રાણી છે ! અને પુરુષ? બિચારો મજૂર ! આખો દિ' ઢોર-મજૂરી કરે ત્યારે કમાય !
સમાજવ્યવસ્થાને નષ્ટ ન કરો જેનાતેના પક્ષે બેસી જઈને જેનાતેના દુ:ખોની વાતો કરનારા કહેવાતા બુદ્ધિજીવી હિતૈષીઓએ ભારતીય સમાજવ્યવસ્થાને હતપ્રત કરી નાંખી છે. એથી બધા જ લોભલાલચે ફસાઈને જૈન મહાભારત ભાગ-૧