________________
લાલનપાલન કરવા માટે કંસને સોંપશે.
અરે ! લાલનપાલન માટે કે ખૂન માટે ?
ધર્મના નામે ઘોર અધર્મ
ધર્મના વાઘામાં કેવો અધર્મ !
અપેક્ષાએ એમ કહી શકાય કે અધર્મનું આચરણ કરવામાં ધર્મનો આડંબર જેટલો સફળ નીવડે છે તેટલું બીજું કોઈ સફળ થતું નથી.
ધર્મના વાધામાં આચરાતો અધર્મ જ્યારે પકડાઈ જાય છે ત્યારે ધર્મ પ્રત્યે નફરત થતાં જરાય વાર લાગતી નથી. આજની નવી પેઢીમાં અધર્મનો વ્યાપ થવામાં આ પણ એક કારણ હોઈ શકે.
કેટલાક વડીલો ખૂબ ધર્મ કરતા હોય અને એ ધાર્મિકતાના દેખાવ નીચે જ પોતાના વેપા૨
રોજગાર વગેરેમાં ન કરવા જેવા કામ કરી લેતા હોય. એ જાણીને નવી પેઢીના સંતાનોના હૈયેથી ધિક્કારની સેર વછૂટી જાય છે. તેમને ધર્મ તરફ જ ધિક્કાર પેદા થઈ જાય છે. ખરેખર તો તેમને તેવી વ્યક્તિઓ પ્રત્યે નફરત થવી જોઈએ પરન્તુ તેવો વિવેક તેમનામાં હોતો નથી. કદાચ તેવી વિવેકબુદ્ધિ હોય તો પણ તેનો ઉપયોગ તેઓ કરવા માંગતા નથી, કેમકે તેમના ભોગરસોના પોષણમાં દાન, શીલ, તપ, સંયમ વગેરે ધર્મો જ આડા આવતા હોવાથી.
આમેય તેઓ ધર્મને ચાહતા હોતા તો નથી જ, એમાં વળી ધાર્મિક દેખાતા વડીલોની ભીતરી દુનિયા તેમની નજરમાં આવી જાય પછી પૂછવું જ શું ! તેઓ બધો દોષ ધર્મ ઉપર નાંખી દઈને જાહેર કરે છે કે, “આવા ધર્મીઓ કરતાં તો અમે ધરમ નહિ કરનારા ઘણા સારા છીએ.”
તપસ્વિની માતાનો ક્રોધ જોઈને ક્રોધને જ તિરસ્કારવો જોઈએ કે તેના તપને ધિક્કારી દેવાય ? ધર્મિષ્ઠ પિતાની વેપારમાં કાતીલ અનીતિ જોવા મળે ત્યારે તે અનીતિ જ વખોડવાલાયક છે કે તેમનો ધર્મ ?
આ તો માખીને ઉડાડવાને બદલે રાજાને જ મારી નાંખવા જેવું થયું. ખુલ્લી તલવાર લઈને સૂતેલા રાજા પાસે બેઠેલા અબૂઝ છોકરાએ તલવારથી માખી ઉડાડવા છતાં વારંવાર રાજાની છાતી ઉપર બેસવા લાગી એટલે ગુસ્સે ભરાઈને તે છોકરાએ માખી ઉપર તલવાર ઝીંકી. માખી ઊડી ગઈ અને રાજા કપાઈ ગયો.
આવું જ કંઈક આજની નવી પેઢી કરી રહી નથી શું ?
બાળકોના લાલન-પાલનના સુંવાળા નામે કંસે વસુદેવ પાસેથી દેવકીના પહેલાં સાત સંતાનો આપવાનું વચન મેળવી લીધું. બિચારા ભોળા વસુદેવ !
મૃત્યુનો ભય ઃ કારમું દુઃખ
મોતનો ભય કેવો કાતીલ હોય છે !
જેણે એશિયાની ધરતી ઉપર જ એશિયનોને પરસ્પર લડાવી મારીને ખતમ કરી દેવાની ક્રૂર યોજના જાહેર કરી હતી તે ડલેસને જ્યારે કૅન્સર થયું ત્યારે સાવ ‘બિચારો’ બની ગયો હતો. કૅન્સર મટાડનારને એક લાખ ડૉલરના ઇનામની જાહેરાત કરી હતી.
રૂપગર્વિતા મેરેલિન મનરો પોતાના જીવનના ચોથા જ દસકામાંથી હજી તો પસાર થતી હતી ત્યાં તેણે ગાલ ઉપરની ચામડીમાં સહેજ કરચલી વળેલી જોઈ અને તે તેમાં મૃત્યુના ઓળા દેખવા લાગી. તેને આઘાત લાગી ગયો !
હિન્દુસ્તાનની ધરતી ઉપર ધસી આવીને આંધળી લૂંટો ચલાવી ચૂકેલા મહમદને જ્યારે મોત
જૈન મહાભારત ભાગ-૧