________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૯૩
એક સોનું અને બીજી સુંદરી આ બે પુણ્યના અધિકારવાળાં છે. પરમપુરુષને પૂજ્યા વિના કોઈને તે મળે નહીં.
પુણ્યથી જ શિયળવંતી, ગુણવંતી અને રૂપવંતી એવી પદ્મિની નારી મળે છે. અશ્વના અને હંસના જેવી ગતિવાળી અને હરણના જેવા નેત્રવાળી અને કોકિલના જેવા કંઠવાળી અપાર અને ચતુર એવી નારીઓ સિંધુ, સોરઠ, મુલતાન, મગધ અને માલવ વગેરે અનેક દેશથી તે લાવ્યો હતો.
પદ્મિની, હસ્તિની, ચિત્રિણી અને શંખિની – આ ચાર પ્રકારની નારીનાં લક્ષણ બતાવે છે. એક પહોર નિદ્રા લે તે પદ્મિની, બે પહોર નિદ્રા લે તે હસ્તિની, ત્રણ પહોર નિદ્રા લે તે ચિત્રિણી અને અઘોરીની જેમ ઊંધ્યા કરે તે શંખિની..
પાશેર ખાય તે પદ્મિની, અડધો શેર ખાય તે હસ્તિની, શેર ખાય તે ચિત્રિણી, બધું જ ખાય તે શંખિની. પાતળા વાળવાળી પદ્મિની, ભમરા જેવા કેશવાળી હસ્તિની, લાંબા વાળવાળી ચિત્રિણી, ટૂંકા વાળવાળી શંખિની. પુષ્પના જેવી ગંધવાળી પદ્મિની, વેલના જેવી ગંધવાળી હસ્તિની, ચંપાના જેવી ગંધવાળી ચિત્રિણી, મત્સ્યના જેવી ગંધવાળી શંખિની. દીવો મંદ પડતો જોઈને પ્રભાત જાણે તે પવિની, કમળના વિકાસને જોઈને પ્રભાત જાણે તે હસ્તિની, ગોરસની ગંધથી પ્રભાત જાણે તે ચિત્રિણી, પૂછીને તથી કામવાસણના અવાજથી પ્રભાત જાણે તે શંખિની. અકબરના જનાનખાનામાં ત્રણ જાતની એટલે પદ્મિની, હસ્તિની અને ચિત્રિણી સ્ત્રીઓ હતી પણ એકેય શંખિની હતી નહીં.
એ અકબર કામભોગમાં નિરંતર મશગૂલ હોય છે. તો તે આપણને મળશે કઈ રીતે ? અને મળ્યા વગર કામ થાય નહીં. કારણ આખા દેશમાં તેનું રાજ છે.
તે વખતે મોટા ઉપાધ્યાય વિમલહર્ષ તેજ ધરીને કહે છે, “બીજી બધી વાત એક બાજુએ રહી, પણ હીરગુરુએ અકબરને મળવું તો ખરું.' ત્યારે મોટા શ્રાવકે પણ હીરગુરુને કહ્યું કે “ગુરુમહારાજ, તમે શું વિચાર કરો છો ? તેને બૂઝવીને પગે લગાવો. જેમ આગળ કેશી આચાર્ય મહારાજે પ્રદેશી રાજાને હેમચન્દ્રાચાર્યે કુમારપાળ રાજાને અને બપ્પભટ્ટિસૂરિએ અંબરાજાને પ્રતિબોધ કર્યો હતો તેમ કરો.”
એ વચન સાંભળીને સૂરિજી હર્ષ પામ્યા અને બોલ્યા, “હવે આજે પાછા પડવું નથી. ત્યાં જઈને જિનશાસન/સાધુની લાજ વધારું.”
ત્યાંની પ્રતિષ્ઠા વિમલહર્ષને ભળાવીને કહ્યું કે “તમે પ્રતિષ્ઠા કરીને જલદીથી વિહાર કરી અમારી આગળ થઈ જજો.”
આ રીતે બધું નક્કી થયું. ત્યાં જગમાલ આવ્યો. તે કહે, “મને ગચ્છમાં લઈ લો અથવા અકબરને જવાબ આપો. એ વખતે બધાએ વિચાર કર્યો કે આવાને છંછેડવાનું કામ નથી. હવે કોઈ જગ્યાએ ફ્લેશ-ઝઘડો કરતો નહીં એમ કહી ભેગો લીધો.
- સારું મુહૂર્ત જોઈને ગંધારથી વિહાર કર્યો. જમણી બાજુએથી ગર્જના કરતો હાથી આવ્યો. જાણે તે કહી રહ્યો છે – “તમારો મહિમા જગતમાં ગાજશે. મારા શરીરની જેમ તમારો યશ વધશે. હાથી જેમ બધે પુજાય છે તેમ તમારી બધે પૂજા થશે.' નોળિયો પણ જમણી બાજુએ ત્યાંથી નીકળે છે. જાણે તે કહી રહ્યો છે – ‘મારાથી