________________
૧૧૨
શ્રાવક કવિ દષભદાસકૃત
શેવ તીર્થ હોય ત્યાં જૈન તીર્થની સ્થાપના કરવામાં આવે તો આ પાપથી છુટકારો થાય. અર્બુદાચલ ગિરિનો મહિમા ઘણો મોટો કહેવાયો છે. ત્યાં તાપસ શૈવ ઘણા રહે છે. તેને જેન ભૂમિ કરો.” ' ધર્મઘોષસૂરિજીના ચરણે નમીને વિમલ રાજા અર્બુદાચલ આવ્યો. ત્યાં તેણે અઠ્ઠમ કર્યો. તેનાથી અંબિકાદેવી પ્રસન્ન થઈ. તેની પાસે વિમલ રાજાએ બે વરદાન માંગ્યાં. એક જિનપ્રાસાદમાં સહાય અને બીજું પુત્રપ્રાપ્તિ.
દેવીએ કહ્યું, “રાજા, બેમાંથી એક વરદાન માગો. કાં પ્રાસાદ કાં પુત્ર.”
તેણે ઘેર જઈ પત્નીને પૂછ્યું ત્યારે પત્ની કહે છે કે “જે સંસારમાં પાડે એવા પુત્રને માગીને શું કરવું છે? આપણે જિનપ્રાસાદ જ માગીએ જે મુક્તિપુરીનો ગઢ બને.”
આ સાંભળી ખુશ થયેલો રાજા વિમલ ત્યાં આવી પ્રાસાદનો વર માંગે છે. દેવી કહે છે “અબુદાચલ સુંદર સ્થાન છે. ત્યાં મંદિર કરાવો.” વિમલ રાજા ગઢ ઉપર આવ્યા અને જમીન જોવા લાગ્યા. ત્યાં અગિયાર હજાર ભરડા (બ્રાહ્મણ) તેને મળ્યા.* તેઓ પોકાર કરવા લાગ્યા કે આ બધી જગા શંકર મહાદેવની છે. બળજબરીથી જો તમે લઈ લેશો તો અમે અમારા પ્રાણ આપીશું.
વિમલ વિચાર કરે છે, “આ ધર્મનું કામ છે. આને માટે આવો ઘાત યોગ્ય નથી.” એટલે તે અંબિકાદેવી પાસે આવ્યો અને બધી વાત કહી. અંબિકા કહે, “ઉપર ચઢી ભરડાઓથી વાદ કરો ને કહો કે જો અહીં જિનપ્રતિમા નીકળે તો જિનપ્રાસાદ કરાવવો.” વિમલરાય ઉપર આવી ભરડાઓને મળ્યા અને વિચારેલી વાત કરી. તેઓ કબૂલ થયા. પછી માતાના મંદિર આગળ જમીન ખોદતાં તેમાંથી અગિયાર લાખ વર્ષ પુરાણું પરમાત્માનું બિંબ પ્રગટ થયું. ત્યાં પ્રાસાદનું મંડાણ કર્યું. ભરડા બધા લડવા લાગ્યા. જમીન વેચાતી લેવાનું નક્કી થયું. પણ પૈસા વિના તો કેમ લેવાય ? પછી પ્રવેશદ્વારથી પ્રાસાદની ભીંત સુધીની જમીન પર સોનું પાથરવાનું નક્કી થયું. સોનું મંગાવવામાં આવ્યું. ગોળાકાર ચાર સોનામહોર અને વચ્ચે જે જગા રહે તેના ઉપર વળી એક સોનામહોર એમ ગોઠવીને દ્રવ્ય આપ્યું. બધા લોકો ખુશ થયા.
(ઢાળ ૪૧ - ગિરજા દેવીને વનવું રે એ દેશી) રાય વિમલ સુખ ભોગવે રે, એક દિન સુપન લોય; ગયવર કાને તે ઝાલીઓ રે, જઈ ગુરુ સોય કહેય. સુણતો વિમલ તે રાજીઓ રે.
૯૪૮ શ્રી ગુરુ કહ્યું નૃપ સાંભળો રે, કહે સંતાન સુસાર;
કે કાંઈ કામ કરો વડું રે, કે તીરથઉદ્ધાર. સુણતો. ૯૪૯ સુણતાં હરખીઓ નરપતી રે, ભાખે ધર્મકથાય;
ગુણ એકવીસ હોય જેહમાં રે, સાધે મુગતિઉપાય. સુ. ૯૫૦ તત્ત્વ ત્રણ સૂધાં ધારીએ રે, ધરીએ વરત સુબાર;
ચઉદે નિયમ સંભારીએ રે, મ કરો અભખ્ય જ આહાર. સુ. ૯૫૧ પા. ૯૪૯.૧ કહે ૯૫૦.૨ જેહવા રે