________________
૧૨૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
જેણેિ કહ્યું માવસ સાધ રે, તસ ઘર નવિ જવું;
પ્રતીત નહી તસ ઘર તજે એ. ૧૦૪૧ એ છે સાધનનો પંથરે, જીવ યતન કરે;
સાચું બોલે સદા લગે એ. ૧૦૪૨ અણદીધું નહિ લેહ રે, સ્ત્રીથી વેગળો; કોડી એક ન રાખીએ એ.
૧૦૪૩ : નિશિભોજન નહિં સાધ રે, પરસુખ દીજીએ;
મા ક્રોધ ન કીજીએ એ. ૧૦૪૪ એહ સાધ આચાર રે, જે કો આદરે;
મુગતિ પંથ પામે સહી એ. ૧૦૪૫ હીરગુરની દેશના સાંભળી જાણે નવનિધાન મળી ગયાં હોય તેમ સુલતાન રાજી થયો. તે બોલ્યો કે આવો ધર્મ તો મેં કદી સાંભળ્યો નથી. તે વખતે બ્રાહ્મણ વગેરે લેવાઈ ગયા – ખિન્ન થયા.
સુલતાન કહે છે કે, “આવો સારો માર્ગ મેં ક્યાંય મેળવ્યો નથી. હીરગુરુએ મને આજે ભલો – સારો ધર્મ કહ્યો. મેં તો આજ સુધી કોઈ જાતનો ધર્મ કર્યો નથી, બલ્ક પાપ કરીને આત્માને ભારે કર્યો છે. હું હવે મદિરાપાન કરીશ નહીં. શિકાર કરીશ નહીં. માંસ ખાઈશ નહીં. પરસ્ત્રીને ત્યજીશ અને સાધુપુરુષને પ્રેમથી ભજીશ.”
આ રીતે લાભ મેળવીને હીરગર સાદડી આવ્યા. આ બાજુ વરાડથી કલ્યાણવિજયે પણ આવીને હરિગુરુને વાંદ્યા. ત્યાંથી ગુરુજી રાણકપુર આવ્યા. ત્યાં ઋષભદેવને જુહાર્યા જ્યાં ધરણાશાહ પોરવાડે નલિની ગુલ્મ વિમાન – ચૈત્ય ઘણું દ્રવ્ય ખર્ચે બનાવ્યું છે. ત્યાંથી મેડતા આવ્યા. ત્યાં ઉલ્લાસથી જિનમંદિર જુહાર્યા. ત્યાં સાહિબ સુલતાન વંદન કરવા આવ્યા. ત્યાં મોટો ઉત્સવ થયો. ત્યાંથી ફલોધિ આવી ફલવર્ધિ પાર્શ્વનાથ પ્રભુ જુહાર્યા. ત્યાંથી સાંગાનેર ગયા.
આ બાજુ આગળ વિહાર કરીને નીકળેલા વિમલહર્ષ ઉપાધ્યાય ફત્તેહપુરશીકરી પહોંચ્યા. ત્યાં ઉપાશ્રયે આવીને ઊતર્યા. શ્રાવકો સૌ વંદન કરે છે. ઉપાધ્યાયજી જિનશાસનનો જયજયકાર થાય એટલા માટે બાદશાહને મળવાનું મન કરે છે. ત્યારે ત્યાંના ઠરેલ શ્રાવકો થાનસંઘ, માનુકલ્યાણ વગેરે કહે છે કે આ બાદશાહ ભારે દુર્જય છે. એને પહેલાં મળીને શું કરવું છે ?
તે સાંભળી પૈર્ય રાખી ઉપાધ્યાયજી કહે છે કે પહેલાં એમને મળીએ તો એમની પ્રકૃતિ-વ્યવહાર વગેરેની ખબર પડે અને કદાચ કાંઈ માઠું કરે તો ખબર પડી જતાં હીરગુરુ તો ઊગરી જશે.
કવિ કહે છે કે પોતાના ગુરુ-આચાર્ય ઉપર આવો રાગ તો કોઈકને જ હોય છે. પા. ૧૦૪૨.૧ સાધનો ૧૦૪૫.૧ એક પંથ છે સાધ રે ટિ, ૧૦૪૧.૧ માવીસ = પ્રવેશો નહીં