________________
૨૪૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત
આવ્યો. ઇદ્રસભા જોઈ રાજી થયો ને બે હાથ જોડી ઊભો રહ્યો. તેણે પણ ચોથા વ્રતનો સ્વીકાર કર્યો. એ જોઈ ત્રેપન જણાએ આ વ્રત લીધું. આમ હીરની કીર્તિ જગમાં પ્રસરી.
શ્રાવકોએ હીરનું પૂજન અગિયાર હજાર ભરૂચની ઉછામણથી કર્યું. અન્યનું આખા જન્મારાનું જે પુણ્ય હોય એનાથી શ્રી હીરનું એક ઘડીનું પુણ્ય ચડી જાય.
આમ, હીરસૂરિ ઋષભદેવને ચરણે પ્રણમીને, નીચે ઊતરી પાલીતાણામાં આવે છે. ત્યાં મોટો ઉત્સવ થયો. સ્ત્રીઓ ગીતો ગાવા લાગી. એક વાર હીરસૂરિ ઠંડિલ કાજે ગયા ત્યારે તેમણે અશોભતો વ્યવહાર જોયો. કેટલાક દર્શનાર્થીઓ પાલો રાંધીને જમતા હતા તે હીરસૂરિને ગમ્યું નહીં. એમણે સોમવિજયજીને આ વાત કહી. સોમવિજયજીએ તેજપાલને કહ્યું. તેજપાલે સાંગદેને કહ્યું. પછી (તેજપાલ અને સાંગ) બન્નેએ મળી આ અંગે વિચાર કરી દર્શનાર્થીઓને તેડ્યા. આ બધાને ચાર રોટલી ને ચાર કડછી અન્ન, પાશેર ઘી, બે શાક, થોડી સુખડી આપી. તેઓ ખુશ થયા. હીરની કીર્તિ આકાશે પહોંચી, હીર જેવો કોઈ સાધુ નથી.”
હીરસૂરિના વચનથી સૌ દર્શનાર્થીઓ શતા પામ્યા. બધા તપાગચ્છની પ્રશંસા કરે છે. તેમની દોલત દિવસે દિવસે ઘણી વધવા લાગી.
ઉદયકરણ શેઠ ગચ્છપતિને ખંભાત આવવા વિનંતી કરે છે. દીવનો સંઘ પણ ખૂબ આદર કરે છે. મેઘજી પારેખ ખોળા પાથરે છે. દામો પારેખ અને રાવજી રાતદિવસ વિનંતી કરે છે. (દીવનાં) લાડકી બાઈ વિનંતી કરતાં કહે છે, “હીરવિજયરૂપી સૂર્ય સઘળે પ્રકાશ પાથરે છે પણ ભોંયરામાં કદી નહીં. અમે (દીવવાસીઓ) તો ભોંયરાવાસી જેવાં છીએ ત્યાં અજવાળું કરો.”
(ઢાળ ૮૫ – કડખાની. રાગ આસાવરી.) આયો સંઘ સિદ્ધાચલેં દેશપરદેશનો, વંક નફેરીઓ બહુત વાજે;
ગાજતી ગોહરિ ગગન લર્નેગુંજતી, શબ્દ સુણતાં સુરાભંભલાજે. આયો ૨૧૬૩ શબ્દ શરણાઈઓ શબ્દ બહુ શંખના, સારવાણી સકલ લોક બોલે;
સોવન ફુલે સિદ્ધાચલ વધાવીઓ, નહીં કોતીરથ શેત્રુજતોલે. આયો૦ ૨૧૬૪ ચઢતો શેત્રુંજોગિરિ ઉપર પરવરી, મદનભેર રણદૂર વાજે,
- ઉલટ્યો સંઘ મુખઋષભનું નીરખવા,પાપનાં પડલતે દૂરિભાછે. આયો૦ ૨૧૬૫ તાલ કંસાલ કરિ કસી વાજતી, યંતર વણારવ તે ત્યહાં થાય,
એહશેત્રજાગિરિ ઉપરિઓછવ,મેરૂ મહોછવપરિત્યહાં થાય. આયો૦ ૨૧૬૬ પંચશબ્દાં બહુસી કરી આગલું, ખૂંદગ મોટાં વાઈ પુરુષ કોઈ; ચિહું દિશી પરવર્યા પુરુષ નારિ બહુ,
જાણીયે ઋષભનો જન્મ હોય. આયો ૨૧૬૭ ટિ. ૨૧૬૩.૨ સુરાભંભ = દેવદુંદુભિ ૨૧૬૭.૧ પંચશબ્દ = પાંચ વાદ્યોનો મંગલસૂચક ધ્વનિ.