________________
૧૯૦
શ્રાવક કવિ ઋષભદાસકૃત
એહવાં પુણ્ય હોઈ જગ જેહ, હીર ગુરુનો મહિમા તેહ,
મહોરમ દિન માસ જ પાલવો, પોસોફીનો દહાડો ટાળવો. ૧૬૫૫ સર્વ થઈ હુઆ છમ્માસ, વરસિં અમારિ પાલિ તે ખાસ;
અઢું ફરમાન કરાવીઉં તહીં, બીજું જીજીઆનું તે સહી. ૧૬૫૬ નથુ મેવડો લેઈ કરી, શાંતિચંદ આવ્યો પરવરી;
સિદ્ધપુરી નગરી છે જ્યાંહિ, હરને આવી મળીઆ ત્યાહિ. ૧૬૫૭ હિર તણો મહિમા જગ એહ, અનેક અસુર બુઝવી તેહ;
ખટ દરસણ પ્રસિદ્ધ જ નામ, હીર તણા ગુણ બોલે ગામ. ૧૯૫૮ સંઘજી પ્રમુખ સાત જણ ત્યાંહિ, દીક્ષા દીધી પાટણ માંહી;
સોય કથા સુણજો નરનારિ, હીરવચન અમૃત સમ ધારિ. ૧૯૫૯
હીરની વાણી સાકર સમી છે, તે સુધર્માસ્વામીની એંધાણીરૂપ છે. (સુધર્માસ્વામીની વાણીથી) ગુણની ખાણ સમા જંબૂસ્વામી બોધ પામ્યા. પાછળ આઠ પત્નીઓને પણ (સંયમમાગે) લાવ્યા. જંબૂસ્વામીની વાણીથી પાંચસો ચોર પણ કરી ગયા. માતા-પિતા, સાસુ-સસરાએ ભોગવિલાસ છોડ્યા. ક્ષીરસમુદ્રનાં નીર સમી ભગવાન મહાવીરની વાણીથી મેઘકુમાર બોધ પામ્યો, ને શરીરની માયા ઉતારી દીધી. એવી જ હીરવિજયની મીઠી વાણીથી સંઘજી શાહ બોધ પામ્યો. તે સુંદર વસ્ત્રોથી વિભૂષિત, રૂપે કામદેવનો અવતાર, બત્રીસ વર્ષનો નવયુવાન, પ્રબળ જિગીષાવાળો હતો. ઘેર સુંદર, મૃગનયણી મોહનગારી સ્ત્રી, જે પુરુષને અનુસરનારી હતી તે સુંદર રસોઈ બનાવે. નીચી નમી પતિને જમાડે, ઊભી ઊભી વીંઝણો ઢોળે, તે પતિના ગુણ ગાનારી, વિનયી, કષાય વિનાની, જિનધર્મની રાગી, સત્ય-શીલ-દાનવતી હતી. તે શોભીતા શણગાર કરે, જાણે ઈંદ્રાણીનો અવતાર. તેણે સુંદર બાળકને જન્મ આપ્યો, જાણે રાજાના કુંવર જ. સંઘજીની આવી સ્ત્રી બહુ પ્રકારે ભક્તિ કરે છે. અને સંઘજી શ્રાવક રોજ હીરની વાણી સાંભળે છે. એકવાર હીરસૂરિએ ટંકશાળી વચનો કહ્યાં. પુરુષ પાપ કરવામાં પાછું વાળીને જોતો નથી. અનેક જીવોને સંતાપે છે. ધન અને રમણીનો મોહ લાગતાં ધર્મધ્યાનમાંથી પાછો ભાગે છે. આયુષ્ય અલ્પ છે ને પાપકર્મ ઘણું છે. તો પરભવનું સુખ કેમ મળે ? ચારેય ગતિમાં જીવ ફરતો રહે છે ને હંમેશાં પાપકર્મ કરતો રહે છે. મનુષ્યજન્મ તો ક્યારેય પ્રાપ્ત થાય. પુણ્યકર્મ કર્યા વિના આ (દુર્લભ) મનુષ્યજન્મ હારી જવાય છે. પુણ્યનો યોગ દુર્લભ છે. તેમાંય નીરોગી કાયા, પંચેદ્રિયના ભોગ, સુખશાતાનો સંયોગ, અને તેમાંય શુદ્ધ ગુરુ જગમાં ક્યાંથી મળે ? એમાંયે એમની વાણી સાંભળવાનો યોગ ભાગ્યે જ. મળે. તે સાંભળ્યા પછી પણ જે એને આદરતો નથી તે મનુષ્યભવ ખૂએ છે. જે શુદ્ધ વિચાર ધારણ કરે તેવા સુલભબોધિ જીવો વિરલ હોય છે. તેઓ વિચારે કે આ આયુષ્ય એળે જાય છે. આત્મકલ્યાણ ક્યારે કરીશું ? ઉત્તમ પુરુષ મનમાં આવું આણી સંસાર કડવો છે એમ જાણે છે.
આવી હીરની દેશના સાંભળીને સંઘજી પ્રતિબોધ પામ્યો. મનમાં કશી રીસ વિના જ ઘેર આવ્યો. બત્રીસ હજાર મહિમુંદી કાઢી પત્નીને આપે છે ને કહે છે જૈનધર્મની