________________ શ્રી હીરવિજયસૂરિરાસ - 99 99 મૂક્યાં મોતી મણિ ને હમ, હિર ન ધરતો તિહાં કણિ પ્રેમ; ખાન કહે એ લ્યો તુમ ઋષિ, ચઢવા લ્યો ગજ રથ પાલખી. 837 રોક રૂપૈયે લિયો હજાર, પડે ખરચી જોઈએ આહાર; ભેજું આદમી પંડિ સહી, ભેટો દિલ્હીપતિનિ જઈ. 838 પૂરવિ મેં બુરાઈ કરી, તે તુમ હવિ મ જોજો ફરી; કછુ ભલાઈ કરજો તુમે, બોહોત ફિરી કયા કહીએ અમે. 839 મેઘ પરિ કરજો ઉપગાર, ચંદન સરિખા હોજો સાર; જે કુઠાર કાપી ઢગ કરે, તેહનો મુખ ગંધાતો શરે. 840 હર કહે જે હોય ફકીર, તેહનિ સરીખા ચંદન તીરે; ખમે ગાળી ફરી નવિ દેય, મારે તેહ જ સાધ ખમેય. 841 ખંધુકસૂરિના શિષ્ય પાંચસે, ઘાણિ પીલ્યા મન ઉલ્હસે; ખંધક તણી ઉતારી ખાલ, સુકોશલ શિરિ વાઘિણિ ફાળ. 842 | મેતારયનું વીંટું શીશ, દ્રઢપ્રહાર મારે નહિં રીસ; પુત્ર ચિલાતી તન ચાલણી, અર્જુનમાલિ સમતા ઘણી. 843 રોગઈ હાસે સનતકુમાર, ભૂખે ઢંઢણ સમતા સાર; ગયસુકમાલ શિરિ અંગાર, પણિ નવિ કીધો કોપ લગાર. 844 કુરડ અનિ અતિ કુરડહ જોઈ, કોપી નગરમાં પુછતા દોઈ; સૂધો રાહ રાખે નર જેહ, પરનિ દુખ નવિ દેતો તેહ. 845 સાધ કરે જગિ પર ઉપગાર, જિમ તરૂ ફલ્યો અંબ સુસાર; છાયા ફળે દેઈ સુખી કરેહ, એહવો રાહ અમારો એહ. 846 અમારો માર્ગ જગતમાં દુષ્કર છે. એમાં પરપ્રાણીનો ઘાત કરવાનો નહીં. સંયમ, તપ તથા ચાર ભેદે ધર્મ આદર્યો પણ તે ધર્મ શરીર વિના થાય નહીં. અને શરીર અન્ન વિના સ્થિર રહે નહીં. એટલે આહાર તો લેવો પડે પણ જેવી રીતે ભમરો પુષ્પમાંથી રસ લે છે પણ કિલામણા કરતો નથી, તેવી રીતે અમે પણ ગૃહસ્થોને ત્યાંથી ગોચરી લઈને શરીરનું પોષણ કરીએ છીએ. અમારી ગોચરી છે પણ ખરચરી નથી. રાગથી આહાર કરવાનું કલ્યું નહિ. રક્તપણું એટલે રાગ પણ દોષ ટાળવા માટે કરવાનો છે. એમ સંસારનો પાર પામીએ. અનેક પ્રકારે વિષયનો રાગ જે ધરે તેને દીક્ષા પણ શું કરે ? જગતમાં કામભોગની જે ઈચ્છા કરે તેનો સંયમ જતો રહે છે. જિનેશ્વરે સારા સોભાગી જગતમાં તેને કહ્યા છે જેની પાસે ઋદ્ધિ ઘણી છે અને એવી ઋદ્ધિ છોડીને પણ જે સંયમ સ્વીકારે છે. એમનો વિવેક મોટો છે. વ્રતને ગ્રહણ કરીને જે ઇન્દ્રિયનો ભોગ ઈચ્છે છે અને નારી ઉપર પ્રેમ રાખે છે તે જગતમાં રહનેમિની જેમ ઘણો માનભ્રષ્ટ થાય છે. રાજિમતીએ રહનેમિને ટોક્યા. પા. 838.1 પહિડે 838.2 ભેજું તુમ પુંઠિ આવું સહી 846.2 ફળ ટિ. 838.1 પડે = માર્ગમાં