________________ શ્રી હીરવિજયસૂરિરાસ 101 15. ગૃહસ્થને કુશળ સમાચાર પૂછે નહીં, 16. સોગઠાબાજી રમે નહીં. 17. માથા ઉપર છત્ર રાખે નહીં. 18. પગમાં પગરખાં પહેરે નહીં. 19. અગ્નિનો આરંભ કરે નહીં. 20. શય્યા તરનો પિંડ લે નહીં. 21. પલંગ-ખાટમાં બેસે નહીં. 22. ઘરમાં બધાના દેખતાં આહાર કરે નહીં. 23. શરીરે સુગંધી પદાર્થોનો લેપ (ઉદ્વર્તન) ન કરે. 24. ગૃહસ્થનું વૈયાવચ્ચ ન કરે. 25. પોતાની જાતિ જણાવીને આહાર ન લે. 26. અપ્પોલ - સચિત્તમિશ્રિત કાચી વસ્તુ અને દુખોલ - કાચું પાકું ખાદ્ય જમે નહીં. ર૭. રોગથી પીડાય તોય પોતાનાં સગાંવહાલાંનું શરણ ન ઈચ્છે. 28. મૂળા, આદુ, કંદ ખાય નહીં. 29. શેરડીના કકડા ન લે. 30. સચિત્ત ફળ-બીજ-મૂળ વગેરે ન લે. 31. સચિત્ત મીઠું-સંચળ ન લે. 32. સિંધવ-ખારો ન લે. 33. વસ્ત્ર ધૂએ નહીં. 34. આંખે અંજન આંજે નહીં. 35. શરીરને પુષ્ટ કરવા આહાર ન કરે. 36. રેચ લે નહીં. 37. શરીરના ટાચકા ફોડે નહીં. 38. શરીરનો શણગાર-શોભા કરે નહીં. 39. લઘુભૂત થઈ વિહાર કરે, પણ અધિક ઉપધિ ન રાખે. 40-44 પાંચ આશ્રવનો ત્યાગ કરે. 45-47. ત્રણ ગુપ્તિથી ગુપ્ત રહે. 48. છ કાયની રક્ષા કરનારો હોય. 49. ગ્રીષ્મ ઋતુમાં આતાપના લેનારો હોય. 50. શિયાળામાં વસ્ત્રનો ત્યાગ કરે - પહેરે નહીં. 51. ચોમાસામાં પૃથ્વી ઉપર ફરે નહીં. પ૨. બાવીસ પરીષહ સહન કરે. આવા જે સાધુ હોય તે દેવતા જ ગણાય. આ નિયમોનું પાલન કરી કેટલાયે મોક્ષે ગયા અને જશે અને કેટલાકને સુરપદવી પ્રાપ્ત થશે. દશવૈકાલિકના ત્રીજા અધ્યયનમાં આ અધિકાર બતાવવામાં આવ્યો છે. આવો અમારો માર્ગ છે. બીજાને દુઃખ દેવાથી અમે પાછા વળીએ છીએ. બીજાને સુખ થાય તો કરવાનું, નહીં તો આપણા રસ્તે ચાલ્યા જવાનું પણ કોઈને દુઃખ આપવાનું નહીં.” આવાં વચનોથી સાહિબખાન ઘણો ખુશ થયો. એણે બાદશાહનો ફરમાન (કાગળ) લખ્યો. એમાં લખ્યું કે હીરવિજયસૂરિ તો બહુ મોટા ફકીર છે અને એમની વાતો પણ મોટી છે. પૈસાને અને સ્ત્રીને તો એ અડતા પણ નથી. એમની ફકીરી બહુ મોટી છે. એમની વાત કહી શકાય એવી નથી. વિકટ માર્ગ લઈને તેઓ ચાલે છે. આપ જ્યારે એમને મળશો ત્યારે આપને ખબર પડશે. આવું ફરમાન લખીને મોકલે છે. અમદાવાદમાં સ્થિરતા દરમ્યાન ઘણા માણસો એમને મળ્યા. શાસનની ઉન્નતિ થઈ. ઢોલનગારાં અને વાજિંત્રો વાગ્યાં અને ગંધર્વોએ ગીત ગાયાં. ત્યાંથી સારા શુકન જોઈને તે પ્રયાણ કરે છે. ઉસમાનપુર, સોલા, હાજીપુરા, બોરીસણા, કડી, વિસનગર થઈને, વચમાં વામજ મૂકી દઈને, જલદી સીધા પાટણ આવ્યા. ત્યાં પંચાસરા પાર્શ્વનાથને જુહાર્યા. પ્રેમે હાથ જોડ્યા. બીજા પણ ઘણાં મંદિરો ત્યાં છે. તેમાંનાં બે લાખ બિંબોને જુહાર્યા. પાટણ ધર્મક્ષેત્ર કહેવાય છે. વિમલહર્ષ મોટા ઉપાધ્યાય છે. તેઓ શ્રીમાલ ગુજ્જર કહેવાય છે. પડછંદ અને ચંપકવર્તી તેમની કાયા છે. મોટા જ્ઞાની છે, લોકોના મનને આકર્ષણ કરનારા છે. ૩પ સાધુઓની સાથે સેનાપતિની જેમ તેઓ આગળ વિહાર કરે છે. શ્રી હીરગુરુ પાટણથી સિદ્ધપુર આવ્યા. અહીંથી વિજયસેનસૂરિ પાછા વળ્યા.