________________
સાતનયથી જીવસ્વરૂપ
૧૫૫.
પરિણામના પરિવર્તનમાં પણ ચાલુ બાહ્યાચારમાં પ્રવૃતક આત્મા, આરાધક જ છે. એવી અનંત બાહ્યાચાર-કિયાએ તે ક્ષપશમ અને ક્ષાયિકભાવને ઉત્પન્ન કરનાર છે.
- ઉપરોક્ત બાહ્યાચાર–ક્રિયામાં પ્રવૃત્તિ માત્રથી આરાધકપણું નહિં સ્વીકારતાં, તે આચાર અંગે આત્મામાં વર્તતી ચિત્તની ચંચલતા, અરૂચિ અને પરિશ્રમથી થતે ઉદ્વેગ, એ ત્રણના અભાવ રૂપ, આત્મપરિણામના અસ્તિત્વમાં જ, જૂસૂત્ર નયે કરીને આરાધકપણું છે. આ નયની માન્યતા, વ્યવહાર નયની માન્યતાથી વિધ ભાષક છે. પરંતુ તેથી કરીને વ્યવહાર નયની માન્યતાને અસત્ય નહિં કહેતાં તે નયાનુસાર થતી બાહ્યપ્રવૃત્તિમાં ઉપયોગ શૂન્ય નહિં રહેવાનું આ ત્રાજૂસૂત્ર નયનું લક્ષ્ય છે.
પિતાના અનંત જ્ઞાનાદિ ચતુષ્ક આત્મ ગુણોને અનાદિ કાળથી આચ્છાદિત કરી રાખનાર ચાર ઘાતકમને ક્ષય પશમ જ, સ્વરૂપની પ્રાપ્તિનું કારણ છે. એ ચારે કર્મોને જેટલે જેટલું વધુ ક્ષયપશમ, અને મુખ્યત્વે તે દર્શન મેહનીય કર્મને વધુ ક્ષયોપશમ, તેટલી તેટલી સ્વસ્વરૂપની પ્રાપ્તિ નજીક છે. આ નય, વ્યવહારનય અને અજૂસૂત્ર. નય એ બને નાની પ્રવૃત્તિરૂપ કારણને કાર્યનું ભાન કરાવે છે. મુક્તતા પ્રાપ્ત કરવામાં થાપશમ તથા ક્ષાયિક ભાવની. જ આવશ્યકતા છે. જેમ જેમ એ ભાવની પ્રાપ્તિ તેમ. તેમ વ્યવહાર તથા ત્રાજૂસૂત્ર નયની સફલતા સમજવી.