________________
૨૨૪
-
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
વળી ત્રીજે કે એથે આરે હોવા છતાં પણ મેક્ષપ્રાપ્તિ તે ભવ્ય જીવજ કરી શકે. અભવ્ય ન કરી શકે. કારણ કે જેમ તંતુમાં ઘડે થવાને સ્વભાવ નહિં હોતાં ઘડ બનવાને સ્વભાવ તે માટીમાં જ છે. તેમ જીવમાં પણ ભવ્યત્ય સ્વભાવવાળે જ મોક્ષ પામી શકે. અભવ્યત્વ સ્વભાવી તે મેક્ષ ન પામે.
આ જીવે સંસારમાં અનંત પુદ્ગલપરાવર્તન કાળ વ્યતીત કર્યો અને કરશે. તેમાં જે પુગલપરાવર્તનમાં જે જીવની મુકિત, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં નિયત છે, તે પુદ્ગલપરાવર્તનને તે જીવને ચરમાવર્ત કાળ કહેવાય છે. જીવન ચરમાવર્તકાળને નિયતિ યા ભવસ્થિતિ પરિપકવ કાળ કહેવાય છે. ત્રીજે અગર આર વર્તતે હોય,
જીવપણું ભવ્યસ્વભાવી હોય, પરંતુ જીવ તે ચરમાવર્તકાળને પામ્યો ન હોય તે પણ તેને મેક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી. ચરમાવર્તકાળ પહેલાંની અવસ્થાને જ્ઞાનીઓએ બાળકાળ કહ્યો છે. અને ચરમાવર્તકાળને યૌવનકાળ કહ્યો છે. પૂ. ઉ. શ્રી માનવિજયજી મહારાજે શ્રી અજીતનાથ ભગવાન. ના સ્તવનમાં ગાયું છે કેઃ
બાળકાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગે; યૌવનકાળે તે રસ ચાખે, તું સમરથ પ્રભુ માગે,
પ્રભુજી મહેર કરીને આજ, કાજ અમારાં સારે. શ્રી મોહનવિજયજી મહારાજે પણ શ્રી રૂષભદેવ ભગવાનના સ્તવનમાં ગાયું છે કેઃ