________________
षड्दर्शन समुचय भाग
* 32
न च यदेव पक्षधर्मस्य सपक्ष एव सत्त्वं तदेव विपक्षात्सर्वतो व्यावृत्तत्वमिति वाच्यं, अन्वयव्यतिरेकयोर्भावाभावरुपयोः सर्वथा तादात्म्यायोगात् ।
(અહીં ન અને કૃતિ વાવયં ની વચ્ચે પૂર્વપક્ષકારની વાત કે ઉપર જણાવેલી બાબતો પૈકી કોઈક એકની રજુઆત હોય છે. ‘કૃતિ ન વાવ્યું’ આ શબ્દો ઉત્ત૨૫ક્ષકારના હોય છે. અર્થાત્ પૂર્વપક્ષકારે આ પ્રમાણે ન કહેવું જોઈએ. ત્યારબાદ તેનું નિરાક૨ણ બતાવતા હોય છે. કારણનિર્દેશક પંક્તિના અંતે પંચમી વિભક્તિનો પ્રયોગ થાય છે.)
નોંધ :
(૧) કેટલીકવાર ટીકાકારો ‘કૃતિ ન વા—મ્’ ના સ્થાને ‘કૃતિ ન વવ્યમ્' કે ‘કૃતિ ન દુનીયમ્’ શબ્દોનો પ્રયોગ કરતા પણ જોવા મળે છે.
(૨) શંકાકારને પ્રાયઃ શંકા ન કરવાની નમ્ર ભલામણ કરવાની હોય ત્યારે સમાધાનકાર= ઉત્ત૨૫ક્ષકા૨ ‘ન દુનીયમ્' આવા શબ્દોનું ઉચ્ચારણ કરતા જોવા મળે છે.
(૨૩) કેટલીકવાર શંકાની સમાપ્તિસૂચક ‘કૃતિ શ્વેત્' શબ્દ જોવા મળતો નથી. ત્યારે નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે.
ननु कृतकत्वेन कथमनादित्वं बन्धस्य श्रद्धातुमुचितम् ? सत्यम्, अतीतकालसाधर्म्याद् અતિાન્તાસાદશ્યેન । (યોગબિંદુ-ગાથા-૧૧)
જ્યારે શંકાકા૨ની શંકાની ઉપસ્થિતિનું કારણ સાચું હોય ત્યારે ટીકાકારો શંકાને અંતે ‘સત્યમ્’ પદ મૂકે છે અર્થાત્ તમને જે શંકા થઈ છે તે સત્ય છે - થઈ શકે છે. છતાં પણ આ યુક્તિથી અમારી વાત પણ યોગ્ય છે - એમ કહી યુક્તિ આપતા હોય છે.
પંક્તિનો ભાવાર્થ :
શંકા :- બંધ મૃતક=જન્ય હોવાના કારણે કેવી રીતે અનાદિ તરીકે શ્રદ્ધા ક૨વા માટે ઉચિત બને ?
સમાધાન :- તમારી વાત સાચી છે. જે જન્ય હોય તે અનાદિ ન હોઈ શકે. પરંતુ તેવો એકાંતે કોઈ નિયમ નથી. જેમ અતીતકાલ જન્ય હોવા છતાં પણ અનાદિ તરીકે આગમમાં કહેવાયેલો જ છે. અર્થાત્ જેમ અતીતકાલ જન્ય હોવા છતાં આગમમાં તેને અનાદિ કહેવાયો છે, તેમ બંધ જન્મ હોવા છતાં પણ અતીતકાલની જેમ અનાદિ કહેવામાં દોષ નથી.
(૨૪) વિકલ્પો બતાવવાના હોય ત્યારે ટીકાકારો પૂર્વે તઘા (=તે આ પ્રમાણે છે.) આ શબ્દનો પ્રયોગ કરતા હોય છે.