Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સંપાદનના સહયોગમાં
પૂજ્ય આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ ઉપા. યશોવિજયજી મહારાજના સાહિત્ય-ઉદ્યાનના એવા તો ભ્રમર જીવ છે કે એમના દાર્શનિક ગ્રંથો અને કાવ્યરચનાઓનું રસપાન કરતાં એમને કદી ધરવ થયો નથી.
ઉપાધ્યાયજીની જન્મભૂમિ કનોડાનો એમને હાથે થયેલો પુનરુદ્ધાર, ઉપાધ્યાયજીના જીવન-કવન વિશે એમની નિશ્રામાં થયેલા પરિસંવાદો, ઉપાધ્યાયજી વિશેની એમની પ્રવચનમાળા, “ઉપાયશોવિજય સ્વાધ્યાય ગ્રંથ', “યશોવાણી' અને “સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈનાં સંપાદનો વગેરે એમના આ લગાવના બોલતા પુરાવા છે.
પૂજય મહારાજશ્રીનાં આવાં કેટલાંક કામોમાં સહયોગી તરીકે જોતરીને આ દિશામાં આગળ વધવા ઘણા રુચિવંત શિક્ષિતોને એમણે પ્રોત્સાહિત કર્યા છે. પૂજયશ્રીએ ચીંધ્યા માર્ગે, નિવૃત્તિકાળમાં મારો પણ વિદ્યાવ્યાસંગ ચાલતો રહ્યો છે જેણે મારે માટે સ્વાધ્યાય-તપનો એક ઉમદા વિકલ્પ પૂરો પાડ્યો છે.
ઉપા. યશોવિજયજીના “ગૂર્જર સાહિત્ય સંગ્રહના પુનઃસંપાદનનું કામ આ. પ્રદ્યુમ્નસૂરિજી દ્વારા ચાલતું હતું તે દરમિયાન જ શ્રી સીમંધર જિન વિજ્ઞપ્તિ રૂપ ૩૫૦ ગાથાના સ્તવન પર પં. શ્રી પદ્મવિજયજી મ.ના સં. ૧૮૩૦માં રચાયેલા બાલાવબોધની સં. ૧૮૯૨નું લેખન વર્ષ ધરાવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org