Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
નિવ ચલે કહેતાં ખસે નહિ. એતલે શુદ્ધ નયની ભાવના થિર તો થાય જો વ્યવહાર યુક્ત હોય. અન્યથા ‘ખિણ તોલો, ખિણ માસો' થાય. ગુરુ યોગિ કહેતાં ગુરુનિ સંયોગિ
શુદ્ધ વ્યવહાર કહેતાં નિર્મલ વ્યવહાર હોય. પરિણતપણું કહેતાં પરિપક્વપણું હોય. એતલે શુદ્ધ નયમાં પરિપક્વ હોય એતલે શુદ્ધ વ્યવહારવંત હોય તેહ શુદ્ધ નયમાં પક્ડો થાય. અન્યથા શુદ્ધ વ્યવહાર વિના શુદ્ધ નય કરી ન શકે.
તેહ વિષ્ણુ કહેતાં તે ગુરુ જોગે શુદ્ધ વ્યવહાર વિના શુદ્ધ નયમાં કહેતાં આધ્યાત્મમાં
નહીં તે ઘણું કહેતાં તે જે પરિણતપણું, તે ઘણું ન હોય. એતલે એ અર્થ : ગુરુકુલવાસે શુદ્ધ વ્યવહાર, શુદ્ધ વ્યવહારે પરિપક્વપણું, નિશ્ચયમાં નિશ્ચલપણું હોય. ઇતિ. એતલે શુદ્ધ નયમાં ઘણું પરિપક્વતા તો હોય, જો ગુરુજોગિ વ્યવહાર શુદ્ધ હોય, ઇતિ ભાવ.
ઢાળના બંધારણ પ્રમાણે ઉપાધ્યાયજી શબ્દો ખપમાં લે. એ કાવ્યાત્મક પંક્તિઓમાં સમાયેલા અર્થને વાચક સમક્ષ અનાવૃત કરવા અર્થે પદ્મવિજયજી મહારાજે કેટલી કાળજી રાખી છે તે અહીં મુખર રૂપે છતી થઇ છે. એક વાત ત્રણ વાર લખવી પડી તો લખી. ગ્રન્થ અને ગ્રન્થકાર પ્રત્યે અંતરંગ બહુમાન જ આટલો શ્રમ લેવા પ્રેરી શકે.
બાલાવબોધની ભાષા જૂની ગુજરાતી છે. તેનું વ્યાકરણ તથા શબ્દોના ઉચ્ચારો થોડા સમજી લેવાય તો તેનું વાચન સુગમ અને રસપ્રદ બની શકે. જે માટિં / જે માઇિં કારણ કે. કહેતાં એટલે. પામીઇં પામીએ. કહીઇં કહીએ. છઇં = છે. પણિ / પિણિ = પણ. તિવા = ત્યારે. દિસઇ = દેખાય. ગોચરીઇ – ગોચરીમાં. ઇચ્છાઇ – ઇચ્છાથી.
-
-
--
Jain Education International
ગાથા ૪/૧૭ના બાલાવબોધમાંનું એક વાક્ય “એહ પણ જૂઠું બોલે છે, જે માટઇં તે મુનિ શુભમતિને ઇચ્છે છે.” આજની ગુજરાતીમાં આ વાક્ય આમ વંચાય : “એ પણ જૂઠું બોલે છે કારણ કે તે મુનિ શુભમતિને ઇચ્છે છે.”
=
For Private & Personal Use Only
www.jainelibrary.org