________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બોલ,
૧૧
સનને ભેજરાજા રાજદરબારમાં લઈ ગયા, અને રાજસભામાં પિતાના સિંહાસનને સ્થાને ગોઠવ્યું. રાજસભા ભરી પતે એ સિંહાસન ઉપર હડવા જાય છે હાં એ પૂતળીઓએ ભેજરાજાને વાર્યા, અને કહ્યું કે વિક્રમાદિત્ય જેવા પરદુઃખભંજન રાજવી જ આ સિંહાસનને યોગ્ય છે. પછી પુરપતિના પૂછવાથી તે બત્રીશે પૂતળીઓએ પરદુઃખભંજન મહારાજ વિકમાદિત્યની અભૂત વાર્તાઓ કહી સંભળાવી. કેવા તે રાત્રિએ નગરચર્ચા જેવા નીકળતા, કેવા તે પ્રજાહિતને જ જીવનધર્મ જાણુતા, કેવા તે અન્ધારપછેડે ઓઢી અણધાર્થે સમયે ને અણધાર્યો સ્થલે જઈ આવી, નજરે વસ્તુસ્થિતિ નિરખી લઈ, લેકનાં સંકટ હરતાઃ એ બધી અજબ પ્રજાસેવાની કથાઓ આપણા મહાકવિ સામળે ગાયેલી છે. એવી લેકસેવાથી જ વિક્રમાદિત્ય પરદુઃખભંજન કહેવાયા, એવા પ્રજાપ્રેમથી જ તે પુણ્યશાલી થયા, એવા વિરલ સન્તપણાને લીધે જ તેમના નામને શક પ્રવર્યો, એવા અનુકર@ીચ દૈવી ગુણ થકી જ આ બે હજાર વર્ષ પછી પણ આપણે અહીં જ માત્ર નહીં પણ ભરતખંડમાંના કરેડ જન એમને સ્નેહથી-પૂજ્યતાથી સંભારે છે. એનું નામ તે ભૂપાલ કે નૃપાલ, કે જેમણે પૃથ્વીને, માનવીને પિતાનાં ગણી પિતાનાંની પેઠે પાળ્યાં. પોવાર સત વિમૂતાઃ એ વચન વિક્રમરાયના જીવનસૂત્ર રૂપ હતું. આજ એમના ઉત્સવને ધન્ય દિવસ છે. બે હજાર વર્ષ ઉપર થઈ ગયેલા રાજષિના સદ્ગુણ સંભારી આજ આપણે ઉત્સવ પાળીએ છીએ. વનવાસીને મહેલવાસી કરી પ્રજાએ એમને માથે મુગટ ધરા એ મંગલ તિથિની આજ ૧૫ મી સંવત્સરી છે. બહેને! એમને અને એમના જેવાઓને સહ આશીર્વાદ આપો !
આવા આપણા રાજા હતા, અને આવા સહુ રાજા થાય એમ પ્રભુ પાસે પ્રાથ લઈએ છીએ. પણ આંખડી અન્તરમાં વાળે, ને નિહાળે કે આપણું શું? બે હજાર વર્ષ દમિયાન આપણામાં કર્તવ્યદક્ષતા કેટલી વધી ? આપણામાં સુજનતા કેટલી
For Private and Personal Use Only