Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૨.
વિદ્યાલયની વિકાસકથા આત્મારામજી મહારાજના સાન્નિધ્યમાં અને એમના હાથે જ મુનિ વલ્લભવિજયજી આ માટે સજજ થઈ રહ્યા હતા.
આમ જોઈએ તો મુનિ વલ્લભવિજયજી આત્મારામજી મહારાજના શિષ્ય મુનિ લક્ષમીવિજયજીના શિષ્ય મુનિ હર્ષવિજયજીના શિષ્ય હતા. પણ અંતરને સ્નેહતંતુ ક્યારેક નજીકના કે દૂરના સગપણની ખેવના કરતો નથી; અંતર આપમેળે જ પિતાના સ્નેહભાજનને શોધી લે છે. વડદાદાગુરુ શ્રી આત્મારામજી મહારાજની અવિરત સેવા કરીને મુનિ વલ્લભવિજયજી એમના અપાર વાત્સલ્યના અધિકારી બની ગયા હતા.
આવા મહાન યુગદ્રષ્ટા તિર્ધરની સેવા કરવાનો અને એમના સાનિધ્યમાં રહેવાને લાભ મુનિ વલ્લભવિજયને માત્ર ૮-૯ વર્ષ જ મળ્યો હતો; પણ જાણે એ બે આત્માઓ જુગજુગજૂની ધસગાઈની પવિત્ર ગાંઠે બંધાયેલા હોય એવી એકરૂપતા એમની વચ્ચે પ્રવર્તતી હતી. આત્મારામજી મહારાજને મનિ વલલભવિજયજીની કાર્યશક્તિ, કાર્યનિષ્ઠા શાસનભક્તિ, સૂઝ અને શાણપણમાં પૂર્ણ શ્રદ્ધા હતી; તેથી જ તે એમણે પંજાબની ધર્મભક્તિનું જતન કરવાનું અને ઠેર ઠેર સરસ્વતી મંદિરની સ્થાપના કરવાનું યુગકર્તવ્ય એમને ભળાવ્યું હતું–જાણે એમને પિતાના સંદેશવાહક કે ધર્મ પ્રતિનિધિ જ નીમ્યા હતા. | મુનિ વલ્લભવિજયજીએ પણ પિતાના શિરછત્રે પિતાના શિરે નાખેલી આ જવાબ દારીને સવાઈરીતે પૂરી કરી બતાવીને પોતાના જીવનને કૃતાર્થ બનાવ્યું હતું અને શાસનની તેમ જ સમાજની શોભા અને શક્તિમાં ઘણું વધારે કરી બતાવ્યું હોં.
આચાર્ય શ્રી વિજયવલલભસૂરીશ્વરજીની જીવનગાથા વાંચનાર સૌ કોઈએ કબૂલ કરશે કે, ગુરુ વલ્લભે પંજાબની ધર્મભાવનાનું પૂરેપૂરું જતન કર્યું હતું એટલું જ નહીં, પંજાબવાસીઓની ધર્મભાવનાની ફૂલવેલને ખૂબ વિકસાવી હતી. પંજાબ જૈન સંઘની પ્રત્યેક વ્યક્તિના અંતરમાં આજે પણ ગુરુ વલ્લભ પ્રત્યે અપાર ભક્તિની ગંગા વહી રહી છે.
વળી, આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીએ ઠેર ઠેર સરસ્વતી-મંદિરો ઊભાં કરીને જેન સંઘમાં વિદ્યાની ગંગા વહાવવાને જે ભગીરથ પ્રયત્ન કર્યો છે, તે વીસ વીસરાય એ નથી. અને જૈન ધર્મ અને સંઘના આધારરૂપ શ્રાવક-શ્રાવિકાઓના ઉત્કર્ષ માટે સતત ચિંતા સેવીને અને પ્રેરણા આપીને એમણે જે કાર્ય કરી બતાવ્યું તેથી તે તેઓ જૈન સંઘના સુખદુઃખના શાથી એવા સાચા અને આદર્શ ધર્મગુરુ બની શક્યા હતા ? એમના રોમરોમમાં જાણે “મારે શ્રાવક-શ્રાવિકાને સંઘ સુખી હાય”—એ મમતાને અખૂટ ઝરે વહ્યા કરતો હતો, અને એમના ભલા માટે, ઊંઘ અને આરામને વેગળાં મૂકીને, કાર્ય કરવાની એમને પ્રેરણા આપ્યા કરતો હતો. તેઓ પણ જૈન સંઘના એક સમર્થ યુગપુરુષ જ હતા.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના એ યુગદ્રષ્ટા શ્રી આત્મારામજી મહારાજના આ સમર્થ અને યુગવીર સંદેશવાહકની પ્રેરણાનું જ ફળ છે
જ આચાર્ય શ્રી વિજ્યવલ્લભસુરીશ્વરજીને પરિચય આ ગ્રંથમાં અન્યત્ર આપેલ હોઈ અહીં એમના જીવનની વિગતો આપવામાં આવી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org