________________
૫૬૪
અકલ્પષક - સાધુઓને આહાર, શવ્યા, વસ્ત્ર, પાત્ર એ જે ચાર વસ્તુ સંયમને અપકારી હોવાથી અકથ્ય છે તેને વિધિથી ત્યાગતો સાધુ ૧૭ પ્રકારના સંયમને પાળે. જો તે ચારનો ત્યાગ ન કરે તો સંયમનો અભાવ થાય, માટે તેનો ત્યાગ કરે. (૪ર દોષવાળા આહારાદિ અકલ્પ છે, નિર્દોષ કથ્ય છે.) (૬/૪૬)
આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે –
ગાથાર્થ - પિંડ, શવ્યાવસ્ત્ર અને ચોથા પાત્રા. અકથ્ય એવા આ ચારની ઇચ્છા ન કરવી અને કલવ્ય એવા આ ચારને ગ્રહણ કરવા. (૬/૪૭)
ટીકાર્ય - પિંડ વગેરેનું સ્વરૂપ પ્રગટ અર્થવાળું છે. આ બધાં અકથ્ય ન લેવા, કચ્છ લેવા. (૬/૪૮).
અકલ્પ કહેવાયો. તેના કથનથી તેરમા સ્થાનની વિધિ કહેવાઈ. હવે ૧૪મા સ્થાનની વિધિ કહે છે -
ગાથાર્થ - કાંસાઓમાં, કાંસાનાં પાત્રાઓમાં કે કુંડમોદોમાં અશનપાનાદિ ભોગવતો સાધુ આચારથી ભ્રષ્ટ થાય. (૬/૫૦)
ટીકાર્થ - કંસ = કરોટિકા વગેરે. (કાંસાની નાની નાની વાટકીઓ વગેરે.) કંસપાત્ર = તિલક વગેરે. (તે નામવાળા કાંસાના વિશેષ પ્રકારના વાસણો)
કુંડમોદ = હાથીના પગના જેવા આકારવાળા માટીના બનેલા કે અન્ય ધાતુના બનેલા વગેરે.
આ બધામાં તદન્યદોષરહિત એવા પણ અશન, પાનાદિ વાપરતો સાધુ સાધુસંબંધી આચારથી ભ્રષ્ટ થાય છે.
(તદન્યદોષરહિત - તત્ = એ કાંસાદિના વાસણો રૂપી દોષ, તેનાથી અન્ય દોષો આધાકર્માદિ. એ અશનાદિ તદન્યદોષરહિત છે, પણ તત્ દોષવાળા છે. આવા અશનાદિ માટે વાત છે.)
ગૃહિભાજનનો દોષ કહેવાયો. તેના કથનથી ચૌદમા સ્થાનની વિધિ કહેવાઈ. હવે ૧૫મા સ્થાનની વિધિ કહે છે.
ગાથાર્થ - આસંદી, પલ્ચક, મંચ, આસાલકમાં બેસવું કે ઊંઘવું આર્યોને અનાચરિત છે. (૬/૫૩)