________________
૫૬૬
અકલ્પષક આ પરાભિપ્રાપ્રાયની આશંકા કરીને એનું સમાધાન આપે છે કે –
ગાથાર્થ - નગ્ન, મુંડ, દીર્ઘરોમનખવાળા, મૈથુનથી ઉપશાંત સાધુને વિભૂષાવડે શું છે? (૬/૬૪)
ટીકાર્ય - નગ્ન બે રીતે ગણાય. જે જીર્ણ-મલિન-અલ્પમૂલ્યવાળા વસ્ત્રોને ધારણ કરે, એ કુચેલવાળો કહેવાય, આવો સાધુ કુચેલવાળો હોવા છતાં ઉપચારથી નગ્ન ગણાય. જ્યારે ઉપચાર વિના, ખરેખર નગ્ન તરીકે જિનકલ્પિક લેવાય. આ પ્રમાણે આ સૂત્ર સ્થવિરકલ્પી અને જિનકલ્પી બંને માટે સામાન્યસૂત્ર છે. (માત્ર જિનકલ્પી વગેરેને જ લાગુ પડતું સૂત્ર ન સમજવું.)
મુંડ પણ બે રીતે - દ્રવ્યથી અને ભાવથી. (કેશાદિલુંચનથી દ્રવ્યમુંડ અને કષાયનિરોધથી ભાવમુંડ...).
દીર્ઘરોમનખવાળો – બગલવગેરેમાં મોટી રૂંવાટીવાળો અને હાથ વગેરેમાં મોટા નખવાળો...આવો જિનકલ્પિક જ હોય. સ્થવિરકલ્પિકને તો પ્રમાણસર જ નખો હોય. નખો એટલા જ માપના હોય કે જેથી અંધકારમાં પણ અન્ય સાધુના શરીર ઉપર ન લાગે. (સાધુ અંધકારમાં કશું ન દેખાવાથી હાથ લંબાવી એના દ્વારા ધીમે ધીમે આગળ વધે. હવે જો હાથમાં મોટા નખ હોય અને આગળ સાધુ ઊભો હોય તો અંધારામાં એ હાથના નખ સાધુના શરીરને વાગી જાય. આવું ન થાય એ માટે સ્થવિરકલ્પી પ્રમાણસર નખ રાખે કે જે આ રીતે પણ સાધુને વાગે નહિ..દીર્ઘરોમમાટે ભેદ નથી પાડ્યો એટલે કક્ષાદિમાં દીર્ઘરોમ બંનેને સંભવી શકે એમ લાગે છે.)
તથા મૈથુનથી અટકી ચૂકેલા સાધુને વિભૂષાવડે શું કામ છે? કંઈ જ કામ નથી. (૬/૬૪) (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણહંસવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ આ અકલ્પ વગેરે છને વર્જે છે. આમ છત્રીસ ગુણોરૂપી કિરણોવાળા ગુરુ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરો. (૧૩)
આમ બારમી છત્રીસી પૂર્ણ થઈ.
+ यद्यस्मादत्यसम्भाव्यं कदापि स्यात्ततोऽपि तत् ।
पश्य पण्याङ्गना कोशा मुनि मार्गे न्यवेशयत् ॥ જે વાત જેના થકી જરાય સંભવતી ન હોય ક્યારેક તેનાથી તે વાત થઈ જાય. જુઓ કોશા વેશ્યાએ મુનિને માર્ગમાં સ્થાપિત કર્યા.