Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 365
________________ ૭૬૨ સોળ પ્રકારના વચનો ઉપનય (ગુણોક્તિ સ્તુતિ)-અપનય (દોષ કથન-નિન્દા) વચન ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે છે – ૧૨. ઉપનય અપનય વચનઃ આ સ્ત્રી રૂપવાન છે, પણ દુરાચારી છે. ૧૩. ઉપનય ઉપનય વચન:- આ સ્ત્રી રૂપવાન અને સદાચારી (શીલવતી) છે. ૧૪. અપનય ઉપનય વચન - આ સ્ત્રી કદ્દરૂપી છે, પણ શીલવતી છે. ૧૫. અપનય અપનય વચનઃ આ સ્ત્રી કદ્દરૂપી અને દુરાચારી છે. ૧૬. અધ્યાત્મવચન : બીજાને ઠગવાની બુદ્ધિથી મનમાં બીજું રાખી વચન વડે બીજું કહેવાની ઇચ્છાવાળો અચાનક જે મનમાં હોય તે જ બોલી જાય તે અધ્યાત્મ વચન (૮૯૬)” (સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.) ગુરુ વચનના આ સોળ પ્રકારોને સારી રીતે જાણે છે. સંયમ એટલે પાપમાં પ્રવૃત્ત થયેલા આત્માનું નિયત્રણ. તે સત્તર પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ પૃથ્વીકાયસંયમ, ૨ અપકાયસંયમ, ૩ તેજસ્કાયસંયમ, ૪ વાયુકાયસંયમ, ૫ વનસ્પતિકાયસંયમ, ૬ બેઈન્દ્રિયસંયમ, ૭ તે ઇન્દ્રિયસંયમ, ૮ ચઉરિન્દ્રિયસંયમ, ૯ પંચેન્દ્રિયસંયમ, ૧૦અજીવસંયમ, ૧૧ પ્રેક્ષાસંયમ, ૧૨ ઉપેક્ષાસંયમ, ૧૩પ્રમાર્જનાસંયમ, ૧૪પરિઝાપનાસંયમ, ૧૫ મનસંયમ, ૧૬ વચનસંયમ અને ૧૭ કાયસંયમ. દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - “હવે સંયમનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે - ગાથાર્થ - પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જન, પરિઝાપન, મન, વચન, કાયા આ ૧૭ પ્રકારના સંયમ છે. (૪૬). ટીકાર્થ - (૧) પૃથ્વીથી માંડીને પંચેન્દ્રિય સુધીના જે નવ જીવભેદો છે, તેઓનો મન, વચન, કાયા એ ત્રણ કરણના યોગ વડે સંઘટ્ટો વગેરે ન કરવો એ સંયમ છે. (૨) જે ગ્રહણ કરાયેલા અજીવો વડે અહીં અસંયમ કહેવાયેલો છે જેમકે પુસ્તકપંચક, વસ્ત્રપંચક, તૃણપંચક, ચર્મપંચક...(એ બધાનો ત્યાગ એ અજીવસંયમ છે.) (૩) ગંડી, કચ્છી, મુષ્ટી, સંપુટફલક તથા સૃપાટિકા..વીતરાગો વડે એ પુસ્તકપંચક

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410