Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 16
________________ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ परे आचार्या आचारादीन् ग्रन्थान् जगुः, तैराचाराद्यभिधानादिति भावः ।। ६।। एतैः प्रज्ञापित: श्रोता चित्रस्थ इव जायते । दिव्यास्त्रवन्न हि क्वापि मोघाः स्युः सुधियां गिरः ।। ७ ।। સૈરિતિ । વ્યક્તઃ ।।૭ || विद्या क्रिया तपो वीर्यं तथा समितिगुप्तयः । २४७ आक्षेपणीकल्पवल्ल्या मकरन्द उदाहृतः ।। ८॥ विद्येति । विद्या ज्ञानमत्यन्तापकारिभावतमोभेदकं क्रिया = चारित्रं तपोऽनशनादि वीर्यं = कर्मशत्रुविजयानुकूलः માગે છે, રૂક્ષતાથી કે કઠોરતાથી જવાબ આપે છે’ વગેરે, તો સંદેહનું સમાધાન થવા છતાં વક્તાપ્રત્યે સદ્ભાવ પેદા ન થવાથી ધર્માભિમુખતા થતી નથી. અને એ જો ન થાય તો ‘કથા’ એ ધર્મકથા બનતી નથી, અજૈનોને જૈનધર્મપ્રત્યે આકર્ષે અને જૈનોને જ્ઞાન-ક્રિયાત્મક માર્ગપ્રત્યે વધુ ઉલ્લસિત કરે એવી કથા એ જ ધર્મકથા છે. તેથી મધુરઆલાપ જરૂરી છે. પ્રભુવીરે ‘હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! તમે સુખપૂર્વક આવ્યા ?’ એમ મધુરઆલાપ કર્યો હતો ને ! શ્રીદશવૈકાલિકવગેરે સૂત્રમાં ‘આયુષ્યમન્ !” એવા સંબોધનદ્વારા શ્રોતામાં આદર-પ્રીતિનું આધાન કર્યું જ છે ને ! વસ્તુતઃ મધુરઆલાપપૂર્વક કથન માત્ર આ ત્રીજાપ્રકારમાં જ નહીં, ચારે પ્રકારમાં જરૂરી છે... અરે ! માત્ર આક્ષેપણીધર્મકથામાં જ નહીં, ચારે પ્રકારની ધર્મકથામાં... ને એનાથી આગળ વધીએ તો ચારે પ્રકારની કથામાં એ જરૂરી છે, કેમકે છેવટે દરેક કથાના અંતિમ પરિણામતરીકે શ્રોતાની ધર્માભિમુખતા અભિપ્રેત છે. આચારઆક્ષેપણીકથા વગેરેમાં આચારવગેરે કહેવાના હોય છે, એનું આચારાંગ વગેરેમાં મુખ્યતયા વર્ણન છે. માટે અન્યવિદ્વાનો આચારાંગવગેરે ગ્રન્થોની વાતો ક૨વી એને જ આચારઆક્ષેપણીકથા વગેરે કહે છે. વળી આ ગ્રન્થોમાં આચારાંગ, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદ... આ ક્રમ છે, માટે આ ચાર કથાઓને આ ક્રમે કહી છે. નહીંતર બાળાદિજીવોના ક્રમે આચાર, વ્યવહાર, દૃષ્ટિવાદ એમ ત્રણકથા કહીને પછી બધાનો સંદેહ દૂર કરનારી પ્રજ્ઞપ્તિઆક્ષેપણીકથાને ચોથી કહી હોત. ॥૬॥ ગાથાર્થ : શ્રોતાની ભૂમિકાને ઉચિત આક્ષેપણીકથા કરવાથી પ્રતિબોધ પામેલો શ્રોતા જાણે કે ચિત્રમાં દોરેલો ન હોય ! એવો આશ્ચર્યમુગ્ધ થઈ જાય છે. અર્થાત્ સ્તબ્ધ-આવર્જિત થઈને વક્તાપ્રત્યે અને ધર્મપ્રત્યે અત્યંત અહોભાવ-આદરયુક્ત બની જાય છે. જેમ દિવ્ય અસ્ત્ર ક્યાંય નિષ્ફળ જતું નથી, એમ પ્રશાશીલ ધર્મકથીની વાણી ક્યાંય નિષ્ફળ જતી નથી. IIII ગાથાર્થ : વિદ્યા, ક્રિયા, તપ, વીર્ય, તથા સમિતિ-ગુપ્તિ એ આક્ષેપણીકથારૂપી કલ્પવેલીનો મકરંદ કહેવાયો છે. વિવેચન ઃ આક્ષેપણી ધર્મકથારૂપ કલ્પલતાના વિદ્યા, ક્રિયા, તપ, વીર્ય વગેરે મકરંદ=સારરૂપે કહેવાયા છે. આમાં, અત્યંત અપકારી એવા ભાવઅંધકારરૂપ અજ્ઞાનને ભેદી નાખતું જ્ઞાન એ વિદ્યા છે. ચારિત્ર એ ક્રિયા છે. અનશન વગેરે તપ છે. કર્મરૂપી શત્રુ પર વિજય અપાવી શકે એવું પરાક્રમ એ વીર્ય છે. આ બધા પ્રત્યે શ્રદ્ધા

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 314