Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
અતિ જરૂરી છે. અહીં અવસરપ્રાપ્ત સસૂત્ર-ઉત્સરનું સ્વરૂપ આદિ નીચે આપીએ છીએ. ઉસૂત્ર પ્રરૂપણા વિષ છે.
ઉસૂત્ર પ્રરૂપણા કરવાથી યાવત્ અનંતસંસાર થાય છે. આથી સંબોધ સપ્તતિકા ગ્રંથમાં કહ્યું છે કે,
"कट्ठे करंति अप्पं, दमंति अत्थं चयंति धम्मत्थी।
इक्कं न चयइ उस्सुत्तविसलवं जेण बुभुति ॥४८॥" - ધર્માર્થી આત્માઓ કષ્ટ વેઠે છે, આત્માનું દમન કરે છે અને ધનનો ત્યાગ કરે છે, પરંતુ (મિથ્યાત્વ નામના ભયંકર દોષને વશ બની) ઉસૂત્રરૂપ ઝેરના લેશને જતા નથી, તેના કારણે સંસારમાં ડૂબે છે.
સસૂત્ર પ્રરૂપણા અમૃત છે. અમૃતના સિંચનથી આત્મગુણો ખીલી ઉઠે છે. ઉસૂત્ર પ્રરૂપણા વિષ છે. આ વિષના સંપર્કથી આત્મગુણો નાશ પામે છે, ફિલષ્ટ કર્મબંધ થાય છે અને અકુશલ અનુબંધોનું ખૂબ સિંચન થાય છે. તેના યોગે આત્મા યાવત્ અનંતસંસારી થાય છે. આથી જ અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે, “ છૂમાલ, વોહીનાનો મviત સંસાર .
पाणच्चए वि धीरा, उस्सूत्तं न भासंति ॥" – ઉસૂત્ર ભાષણ કરનારાઓનાં બોધિનો નાશ થાય છે અને અનંત સંસાર થાય છે. આથી ધીર પુરુષો પ્રાણાતે પણ = પ્રાણત્યાગનો પ્રસંગે ઉપસ્થિત થવા છતાં પણ ઉત્સુત્ર બોલતા નથી. ઉસૂત્રભાષણથી પ્રાપ્ત સમ્યગ્દર્શન નાશ પામે છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાની ઉભી થયેલી સંભાવના પણ ખતમ થઈ જાય છે અને મિથ્યાત્વનો ઉદય થતાં મિથ્યાત્વના સંશ્લેષથી બધા જ ગુણો અસાર બની જાય છે અને આત્મામાં દોષો વધી જાય છે અને દોષોના બળ નીચે જીવો અનેક પ્રકારનાં પાપાનુબંધી પાપો કરીને અનંત સંસારી બની જાય છે. બાહ્ય ધર્મના સંયોગો-ધર્મના વાતાવરણમાં અને અંતરંગ શુદ્ધિ કરનારા ગુણોની