Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૪િ૬] ) શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
વેળુ રેતીનું આયુષ્ય ઉ. ચૌદ હજાર વર્ષનું, મણસીલનું આયુષ્ય ઉ. સોળ હજાર વર્ષનું કાંકરાનું આયુષ્ય છે. અઢાર હજાર વર્ષનું,
વજ હીરા તથા ધાતુનું આયુષ્ય ઉ. બાવીસ હજાર વર્ષનું છે. કુળ ૧૨ લાખ ક્રોડ છે. તેનું સંસ્થાન (આકાર) મસુરની દાળ જેવું છે. વર્ણ પીળો છે. તેની દયા પાળીએ તો મોક્ષના અનંતા સુખ પામીએ.
| ઇતિ પૃથ્વીકાયના ભેદ. - બીજો અપકાયનો વિસ્તાર અપકાય (પાણી) ના બે ભેદ -- સૂક્ષ્મ અને બાદર. તે બન્નેનાં ૧. અપર્યાપ્તા અને ૨. પર્યાપ્તા અમ કુલ ચાર ભેદ,
બાદર પાણીનાં ૧૭ ભેદ છે તેના નામ – ૧ ઠારનું પાણી, ૨ હિમનું પાણી, ૩ ધૂયરનું પાણી, ૪ મેઘ રવાનું પાણી, ૫ તૃણ ઉપર જામે તે પાણી, દ કરાનું પાણી, ૭ આકાશનું પાણી, ૮ ટાઢું પાણી, ૯ ઉનું પાણી, ૧૦ ખારું પાણી, ૧૧ ખાટું પાણી, ૧૨ લવણ સમુદ્રનું પાણી, ૧૩ મધુર રસ સરખું પાણી, ૧૪ દૂધ સરખું પાણી, ૧૫ ઘી સરખું પાણી, ૧૬ શેરડીના રસ સરખું પાણી, ૧૭ સર્વ રસદ સરખું પાણી. એ ઉપરાંત અપકાયના ઘણા ભેદ છે. તે પાણીના એક બિંદુમાં અસંખ્યાતા જીવ શ્રી ભગવંતે કહ્યાં છે. તેમાંથી એક એક જીવ નીકળીને સરસવના દાણા જેવડી કાયા કરે તો એક લાખ યોજનનો જંબુદ્વીપ છે તેમાં તે જીવો સમાય નહિ. એક પર્યાયની નેશ્રા અસંખ્યાતા અપર્યાપ્ત છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ 9000 વર્ષનું છે. તેનાં કુળ ૭ લાખ ક્રોડ છે. તેનું સંસ્થાન પાણીનાં પરપોટા જેવું છે. વર્ણ સફેદ છે. તેની દયા પાળીએ તો મોક્ષના અનંતા સુખ પામીએ. ઇતિ અપકાયનો વિસ્તાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org