________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
આશ્ચર્ય છે? અથવા આર્થના કરાયેલા ઉદ્યોગમાં શું ન પ્રાપ્ત થાય ?=સર્વ કળાઓ અવશ્ય પ્રાપ્ત થાય. કુમાર ધન્ય છે જેને તમારા જેવા ગુરુ મળ્યા, બુદ્ધિસમુદ્ર એવા કલાચાર્ય વડે કહેવાયું – દેવ, આ પ્રમાણે ન કહો, ન કહો. આમાં કુમારના કલા-ગ્રહણમાં અમે શું ? તમારો જ આ અનુભાવ છે. પિતા વડે કહેવાયું – હે આર્ય, આ ઉપચારવચન વડે શું?=તમારો શ્રમ હોવા છતાં મારો અનુભવ છે એ પ્રકારના ઉપચાર વચત વડે શું ? તમારા પ્રસાદથી જ અમારા આનંદના સંદર્ભ દેનારી સકલગુણ ભાજનતાને કુમાર સંપ્રાપ્ત થયો છે. બુદ્ધિસમુદ્ર વડે કહેવાયું – જો આ પ્રમાણે છે તો તે દેવ, કર્તવ્યમાં નિયુક્ત એવા અનુચરો વડે સ્વામીને ઠગવા જોઈએ નહીં એ પ્રકારના પર્યાલોચનથી કંઈક દેવને કહેવા ઇચ્છું છું. અને તે મુક્ત કે અયુક્તને દેવ ક્ષમા કરવા યોગ્ય છે. જે કારણથી યથાર્થ હોય અને મનોહર હોય એવું વચન દુર્લભ છે. તાત વડે કહેવાયું – હે આર્ય ! કહો ? યથાવસ્થિત વચનમાં અક્ષમાનો અવસર કયાં છે?—ગુસ્સો કરવાનો અવસર કયાં છે? બુદ્ધિસમુદ્ર વડે કહેવાયું – જો આ પ્રમાણે છેઃયથાવસ્થિત વચન કહેવું ઉચિત છે એ પ્રમાણે છે, તો દેવ વડે જે આદિષ્ટ છે, જે પ્રમાણે કુમાર સકલગુણની ભાજનતાને પ્રાપ્ત થયો તે પ્રમાણે જ કુમારના સ્વાભાવિક સ્વરૂપને આશ્રયીને એ કથનમાં સંદેહ નથી. પરંતુ કુમારનો સકલ પણ ગુણનો સમૂહ કલંક વડે ચંદ્રની જેમ, કંટક વડે તામરસની જેમ, કાર્પષ્યથી ધનના સમૂહની જેમ, નિર્લજ્જપણાથી સ્ત્રીજતની જેમ, ભીરુપણાથી પુરુષવર્ગની જેમ, પરોપતાપથી ઘર્મની જેમ, વૈશ્વાનરના સંપર્કથી દૂષિત હું જાણું છું. જે કારણથી સકલ પણ કલાના સમૂહલા કૌશલનું પ્રથમ અલંકાર છે. વળી, આ વૈશ્વાનર પાપમિત્રપણાથી સંનિહિત છતોત્રકુમારની પાસે રહેલો છતો, પોતાના સામર્થથી=વૈશ્વાનર પોતાના સ્વભાવથી, કુમારના તે પ્રશમનો નાશ કરે છે. વળી, કુમાર મહામોહતા વશથી અત્યંત મૂઢતાના વશથી પરમાર્થ વરી પણ આ વૈશ્વાનરને પરમ ઉપકારી જાણે છે અર્થાત્ પોતાના ચંડસ્વભાવને સર્વકાર્યનું સાધન જાણે છે. તે કારણથી આવા પ્રકારના પાપમિત્ર દ્વારા કુમારને ચંડસ્વભાવવાળો કરે તે પ્રકારના પાપમિત્ર દ્વારા, જેનું જ્ઞાનના સાર એવું પ્રશમરૂપી અમૃત હણાયું છે તે કુમારનો ગુણનો સમૂહ=અનેક કળાઓનું જ્ઞાન, નિષ્ફળ છે.
वैश्वानरमैत्रीत्यागोद्यमः ततस्तदाकर्ण्य तातो वज्राहत इव गृहीतो महादुःखेन, ततस्तातेनाभिहितं-भद्र! वेदक! परित्यजेदं चन्दनरससेकशीतलं तालवृन्तं, न मामेष बहिस्तापो बाधते । गच्छ, समाह्वय कुमारं, येनापनयामि तस्य पापमित्रसंसर्गवारणेन दुःसहमात्मनोऽन्तस्तापमिति । ततो विमुच्य तालवृन्तं क्षितिनिहितजानुकरमस्तकेन वेदकेनाभिहितं-यदाज्ञापयति देवः, किन्तु महाप्रयोजनमपेक्ष्य भविष्याम्यहमस्थापितमहत्तमः, ततो न तत्र देवेन कोपः करणीयः । तातेनाभिहितं-भद्र! हितभाषिणि कः कोपावसरः? वदतु विवक्षितं भद्रः, वेदकेनाभिहितं-देव! यद्येवं ततः कुमारपरिचयादेवावधारितमिदं मया, यदुत