________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૫૯
જંગલમાં મને ઉપકારી ગુરુ ભગવંતનાં દર્શન થયાં. પધારો અને મને સુપાત્ર દાનનો અવસ૨ આપો.
આચાર્ય આથી વધુ ગભરાયા. છતાંય સ્વસ્થતાથી કહ્યું : ‘નહિ રાજન્ ! આજ મારે ઉપવાસ છે' રાજાએ પુનઃ વિનંતી કરી : ‘ભલે આપ ન વાપરશો. આપના શિષ્યો માટે કંઈ વહોરી જાવ.' આમ રકઝક કરતાં અને ઝડપથી ચાલવા જતાં ઘરેણાંના ભારથી પાતરાં ભરેલી ઝોળી ફાટી ગઈ. ઘરેણાં બધાં ભોંય પડી ગયાં. એ જોઈને રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તે બોલ્યો : “અરે ઓ દુષ્ટ ! હત્યારા ! તેં મારા છ એ છ પુત્રોની હત્યા કરી નાંખી ! તું સાધુ છે કે હત્યારો ! હવે હું જ તારી હત્યા કરી નાંખું છું.”
અષાઢાચાર્ય ઉઘાડી તલવાર જોઈને ભયથી થરથર ધ્રૂજવા લાગ્યા અને મનોમન વિચારવા લાગ્યા : ‘અરેરે ! લોભવશ થઈને મેં આ કેવું અધમ કૃત્ય કર્યું ! હું તો યોગ અને ભોગ બન્નેથી ભ્રષ્ટ થયો. ઓહ ! હવે મારી કઈ ગતિ થશે ? હિંસાના પાપથી હવે મારો કયે ભવે છુટકારો થશે ?'
દેવભવ પામેલો શિષ્ય આ તકની જ રાહ જોતો હતો. પોતાના પૂર્વભવના ગુરુને પશ્ચાત્તાપ કરતા જોઈને તેણે પોતાની બધી માયા સંકેલી લીધી અને વિનયથી પ્રણામ કરીને બોલ્યો.
‘હે પરમોપકારી પૂજ્યવ૨ ! અંતિમ સમયે મેં આપને વચન આપ્યું હતું. તેનું મેં પાલન કર્યું છે. આ તમે જે નાટક જોયું, હત્યાઓ કરી, એ બધી મેં રચેલી માયાજાળ હતી. તમે નિઃશંક થાવ. તત્ત્વમાં પૂર્ણ શ્રદ્ધાવાન બની રહો. સ્વર્ગ-નરક બધું જ છે.
સામે દેવને જોઈને અષાઢાચાર્યની શંકા નિર્મૂળ થઈ અને જિનેશ્વરના વચનમાં શંકા કરવા માટે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા અને એ પાપની આલોયણા કરી ઉગ્ર તપ કર્યું અને કાળક્રમે સદ્ગતિ પામ્યા.
સાર : વીતરાગની વાણી અને વચનમાં શંકા ન કરવી. શંકા થવાથી મન પાપી થઈ જાય છે. પછી ન કરવાનાં પાપ જીવાત્મા કરે છે. એ સંભવિત પાપોમાંથી બચવા માટે નિઃશંક મને વીતરાગ વચનમાં શ્રદ્ધા રાખવી અને તે પ્રમાણેનું શુદ્ધ ચિત્તે તેનું આરાધન કરવું.
*O
૨૫૩
મિથ્યાત્વના ભેદો
"
एकधा द्विविधा नूनं चतुर्धा त्रिविधा मतम् । दशधा पञ्चधा चैव, मिथ्यात्वं बहुधा स्मृतम् ॥