________________
> અહીં કેટલા કાળ સુધી પ્રાણીઓ સિદ્ધિપદ પામશે ? > આ સ્થાનમાં કેટલા ઉદ્ધારો થયા અને થશે ?
હે દયાનિધાન સ્વામી ! આ સર્વ પ્રશ્નોના ઉત્તર તેમજ બીજું જાણવા યોગ્ય, આપ કૃપા કરીને કહો.
આ રીતે સૌધર્મેન્દ્રના પ્રશ્નો સાંભળી, તીર્થના પ્રભાવની વૃદ્ધિ માટે અને ભવ્યજીવોના બોધ માટે તથા શ્રોતાજનોના પાપોનો નાશ કરવા ગંભીર વાણીથી દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુએ શ્રી શત્રુંજય તીર્થના માહાભ્યનું વર્ણન શરુ કર્યું. • પ્રભુવીર દ્વારા શત્રુંજય તીર્થના માહાભ્યનું વર્ણન :
“હે સુરરાજ ! સર્વે તીર્થોના અધિરાજ આ શત્રુંજયગિરિનું માહાભ્ય કહેનાર અને સાંભળનાર બંનેને પુણ્યનું કારણ થાય છે. માટે તેને તું એકાગ્રતાપૂર્વક સાંભળ.”
સંપૂર્ણ ચંદ્ર જેવો ગોળ અને લાખ યોજનના વિસ્તારવાળો આ જંબૂઢીપ નામનો દ્વીપ છે. તેની મધ્યમાં શાશ્વત જંબૂવૃક્ષ રહેલું છે. આ દ્વીપમાં ભરત, હૈમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યફ, હિરણ્યવંત અને ઐરાવત નામે સાત ક્ષેત્રો છે. તે ક્ષેત્રોની વચ્ચે હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રૂક્ષ્મી અને શિખરી નામના છ વર્ષધર પર્વતો છે. તે પર્વતો પૂર્વ અને પશ્ચિમે લવણ સમુદ્ર સુધી લાંબા તથા શાશ્વત ચૈત્યોથી વિભૂષિત છે.
મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં લાખો શિખરોથી અલંકૃત સોનાનો મેરૂ પર્વત છે. તે એક લાખ યોજન ઉંચો છે. ઉપવનો, શાશ્વત ચૈત્યો, ચૂલિકાઓ તથા તેજસ્વી રત્નોના કિરણોથી તે ઘણો સુંદર લાગે છે. ત્યાં કલ્પવૃક્ષો છે તથા પરમાત્માનો જન્માભિષેક આ પર્વત ઉપર થાય છે.
જંબૂદ્વીપના સાત ક્ષેત્રોમાંથી ભરતક્ષેત્ર પુન્યથી ભરેલો છે. કારણ કે ત્યાં હમણા દુષમકાળ વર્તતો હોવા છતાં પ્રાણીઓ પુન્ય કરે છે.
સૌરાષ્ટ્ર દેશની વિશેષતા આ ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ભાગના મધ્યખંડમાં સર્વ દેશોમાં શ્રેષ્ઠ સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર) નામનો દેશ છે.
આ દેશમાં અલ્પ પાણીથી ધાન્ય પેદા થાય છે. અલ્પ પુન્યથી અધિક સત્કલ પમાય છે. અલ્પ પ્રયત્નથી કષાયોનો સંપૂર્ણ નાશ થાય છે.
અહીં સર્વ જલાશયોનાં નીર નિર્મળ છે. પર્વતો પવિત્ર છે. પૃથ્વી રસાત્ય અને સર્વ ધાતુમય છે. સ્થાને સ્થાને સર્વ પાપ હરનારા તીર્થો છે. પવિત્ર જલવાળી નદીઓ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૨