________________
૧૦૨
નહપાન
સાહિત્યિક અને પુરાવસ્તુકીય એમ ઉભય પ્રકારનાં સાધનો ક્ષહરાત વંશના બીજા રાજા અને પ્રાયઃ છેલ્લા રાજા તેમ જ ભૂમકના ઉત્તરાધિકારી શાસક અને ચાષ્ટનના પુરોગામી રાજા નહપાનની રાજકીય અને સમકાલીન સંસ્કૃતિ વિશે કેટલીક ઉપાદેયી સામગ્રી સંપડાવી આપે છે. સાહિત્યિક સાધનોમાં આવશ્યસૂત્રનિર્યુત્તિ, તિતોયપત્તિ, હરિવંશ પુરાણ (જિનસેન) વિચારશ્રી (મેરુતુંગાચાર્ય), વાયુપુરાળ, પેરિપ્લસ અને આઇ-ને-અકબરીનો સમાવેશ થાય છે૫. આવશ્ય-મૂત્રનિર્મુત્તિમાંની કથાનુસાર, વાળ તે નહપાન અને સાતવાહન તે સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિ હોવાનું ઘણા ઇતિહાસકારો સ્વીકારે છે. આ કથામાંની અન્ય વિગતો
છોડી દઈએ તોય નહપાન અને સાતવાહન રાજા સમકાલીન હતા તથા સાતવાહન રાજાએ નહપાનને હરાવેલો એ બે વિગતો ઐતિહાસિક જણાય છે.
ક્ષત્રપકાલીન ગુજરાત
બીજા એક જૈન ગ્રંથ તિલોયપત્તિમાં મહાવીરના નિર્વાણ સમયે પાલકનો રાજ્યાભિષેક થયો, તેણે ૬૦ વર્ષ રાજ્ય કર્યું. પછી ૧૫૫ વર્ષ વિજયવંશી રાજાઓએ, ૪૦ વર્ષ મુરુણ્ડવંશીઓએ, ૩૦ વર્ષ પુષ્પમિત્રે, ૬૦ વર્ષ વસુમિત્ર-અગ્નિમિત્રે, ૧૦૦ વર્ષ ગંધર્વ રાજાઓએ અને ૪૦ વર્ષ નરવાહને રાજ્ય કર્યું એવી માહિતી આપણે મેળવીએ છીએ. આમ, આ ગ્રંથમાંય પરવાળ(નરવાહન-નહપાન)નો ઉલ્લેખ છે. પેરિપ્લસમાં નામ્બુનસ રાજાનો નિર્દેશ છે૧. આ નામ્બુનસ તે નહપાન છે એવું ઘણાખરા વિદ્વાનો માને છે.
પુરાવસ્તુકીય સાધનોમાં નહપાને પડાવેલા સિક્કાઓ અને એના સમયના આઠ ગુફાલેખોનો સમાવેશ થાય છે. સિક્કાઓથી નહપાન વિશે, એના રાજ્યવિસ્તાર વિશે અને સમકાલીન સાતવાહન રાજા વિશે માહિતી પ્રાપ્ય થાય છે; તો એના સત્તાકાલ વિશે ગુફાલેખો ઉપકારક માહિતી સંપડાવી આપે છે. તત્કાલીન કેટલીક સાંસ્કૃતિક માહિતી પણ અભિલેખોથી સંપ્રાપ્ત થાય છે. સિક્કાઓ એના વંશ અને ગુફાલેખો એની જાતિ તેમ જ વંશ વિશે માહિતી આપે છે.
એનાં બિરુદ
એના ચાંદીના સિક્કાલેખોમાં, ગ્રીક, બ્રાહ્મી અને ખરોષ્ઠી એ ત્રણેયમાં, એના માટે રાનાનું વિશેષણ પ્રયોજાયું છે; ક્ષત્રપ કે મહાક્ષત્રપનું બિરુદ એના એકેય પ્રકારના સિક્કામાં અભિવ્યક્ત થયેલું નથી. પરંતુ એના જમાઈના નાસિક અને કાર્લાના ગુફાલેખોમાં રાનાના વિશેષણ સાથે ક્ષત્રપનું વિશેષ બિરુદ વપરાયું છે. એના અમાત્ય અયમના જુન્નરના ગુફાલેખમાં રાનાની સાથે વધારામાં બે બિરુદ મહાક્ષત્રપ અને સ્વામી પ્રયોજાયેલાં છે. આમ, રાજા, ક્ષત્રપ, મહાક્ષત્રપ અને સ્વામી એમ ચાર બિરુદ નહપાન માટે પ્રયોજાયાં હોવાનું સ્પષ્ટ થાય છે.
સિક્કાઓ એને માત્ર રાના તરીકે ઓળખાવે છે તેમ એના જમાઈ અને અમાત્યના
શિલાલેખોમાંય રાનાનું બિરુદ છે; પરંતુ શિલાલેખોમાં આ બિરુદ ઉપરાંત ક્ષત્રપ, મહાક્ષત્રપ અને સ્વામી બિરુદ પ્રયોજાયાં હોઈ એવું અનુમાન થઈ શકે કે આ ચારેય બિરુદ એના કોઈ ચોક્કસ અર્થમાં નહિ પણ શિથિલ રીતે વપરાયાં હોવાનું વધુ સંભવિત જણાય છે. ઉષવદાત્ત એનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org