________________
પ્રકરણ સાત
૧૨૭
લાગ્યા છે : વર્ષ ૧૫૪ અને ૧૫૫ના એના અગ્રજ રુદ્રસેનના પુત્ર દામજદશ્રીના અને વર્ષ ૧૫થી ૧૬૦ સુધીના એના પોતાના પુત્ર વીરદામાનાપર. આથી, અનુમાની શકાય કે દામજદશ્રી મહાક્ષત્રપપદના હોદ્દા સુધી પહોંચતા પૂર્વે જ અવસાન પામ્યો હોય. તેથી દામસેનના જયેષ્ઠ પુત્ર દામજદશ્રીનો પિતરાઈ ભાઈ વીરદામા ક્ષત્રપ પ્રાપ્ત કરી ચૂકેલો એ હકીકત એના સિક્કાઓથી સ્પષ્ટ થાય છે. ક્ષત્રપપદે વીરદામાં વર્ષ ૧૬૦ સુધી સત્તાધીશ રહેલો સંભવે છે. દરમિયાન એના પિતા વર્ષ ૧૫૯-૬૦ સુધીમાં અવસાન પામ્યા હોવાનું જણાય છે. એટલે સ્વાભાવિક જ વીરદામાં આ સમયે મહાક્ષત્રપપદે પહોંચવો જોઈએ. પરંતુ એના મહાક્ષત્રપકાલના સિક્કા ઉપલબ્ધ નથી, જ્યારે એના અનુજ યશોદામાના વર્ષ ૧૬૦ના મહાક્ષત્રપ તરીકેના સિક્કા મળી આવ્યા છે. આથી, એવું અનુમાની શકાય કે દામસેન વર્ષ ૧૬૦ સુધી વિદ્યમાન હોવો જોઈએ અને એ જ વર્ષે ક્ષત્રપ તરીકેના હોદ્દા દરમ્યાન વીરદામા મૃત્યુ પામ્યો હોય. એટલે દામસેને મૃત્યુ પૂર્વે એના બીજા પુત્ર યશોદામાની એ જ વર્ષે અર્થાત્ વર્ષ ૧૬૦માં ક્ષત્રપ તરીકે નિયુક્તિ કરી હોવી જોઈએ. પરંતુ દામસેન એ જ વર્ષે મૃત્યુ પામ્યો હોય એમ એના પુત્ર અને અનુગામી યશોદામાના વર્ષ ૧૬૦ના મહાક્ષત્રપ તરીકેના સિક્કાથી સ્પષ્ટ થાય છે. યશોદામા ૧લો
આ રાજવીના વર્ષ ૧૬૦ના ક્ષત્રપપ૮ અને મહાક્ષત્રપદ્રના એમ ઉભય પ્રકારના સિક્કા ઉપલબ્ધ થયા હોઈ એવું અનુમાની શકાય કે તે વર્ષ ૧૬૦ના પૂર્વભાગે ક્ષત્રપ તરીકે સત્તાધીશ થયો હોય અને ઉત્તરભાગે મહાક્ષત્રપટ્ટે સત્તારૂઢ થયો હોય. એના અનુજ વિજયસેનના વર્ષ ૧૬૦ના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ આનું સમર્થન કરે છે. યશોદામાના મહાક્ષત્રપના સિક્કા વર્ષ ૧૬૦ અને ૧૬૧ એમ બે જ વર્ષના હાથ લાગ્યા છે. આથી યશોદામાં વર્ષ ૧૬૧માં અકાળે અવસાન પામ્યો હોવાનું સૂચિત થાય છે; કેમ કે એના અનુગામી વિજયસેનના એ જ વર્ષના મહાક્ષત્રપાલના સિક્કાથી એને પુષ્ટિ પ્રાપ્ત થાય છે. એટલે કે યશોદામાએ માત્ર બે વર્ષથીય ઓછા સમય સુધી રાજગાદી ભોગવી હોવી જોઈએ.
આમ, વર્ષ ૧૬૦-૬૧નાં બે વર્ષ દરમ્યાન દામસેન, એનો પુત્ર વીરદામા અને એનો બીજો પુત્ર યશોદામા સત્તાધીશ બને છે અને સત્તાકાળ દરમ્યાન જ મૃત્યુ પામે છે. આથી, એનો ત્રીજો પુત્ર વિજયસેન વર્ષ ૧૬૧માં મહાક્ષત્રપ પદે આરૂઢ થાય છે અને દીર્ઘકાલ સુધી શાસનસ્થ રહે છે. વિજયસેન
" આપણે અગાઉ અવલોક્યું કે વિજયસેન એક જ વર્ષ ક્ષત્રપપદે રહ્યો અને બીજે જ વર્ષે મહાક્ષત્રપ તરીકે સત્તારૂઢ થયો. એના મહાક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૧૬૧થી ૧૭૨ સુધીના પ્રત્યેક વર્ષના પ્રાપ્ત થયા છે, જે સારી સ્થિતિમાં સચવાયેલા છે. રેપ્સન ૫ એવી નોંધ કરે છે કે ક્ષત્રપકુળમાં આ રાજાના સિક્કાઓ શ્રેણી, મિતિ, પ્રકાર, કોતરણી વગેરેને કારણે ધ્યાનાર્હ છે. આ પછી આ બાબતોમાં સિક્કા તૈયાર કરવાની કારીગીરીમાં પડતી જોવા મળે છે.
એના અનુગામીના સિક્કા વર્ષ ૧૭૨થી શરૂ થાય છે. આથી એણે અગિયારેક વર્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org