________________
પરિશિષ્ટ પાંચ
૧૪૯
ઑલ્ડનબર્જની દલીલ
શક સંવત કણિક્કે પ્રવર્તાવેલો એવી દલીલ ફર્ગ્યુસનની સાથોસાથ ઑલ્ડનબર્જ પણ વિસ્તારથી કરી છે. એમના મતનો મુખ્ય આધાર બ્રિટિશ સંગ્રહાલયમાંના કણિષ્કના એક સિક્કા ઉપરનો ત્રીજો શબ્દ છે. આ સિક્કો પહેલપ્રથમ પર્સી ગાર્ડનેરે ૯ પ્રસિદ્ધ કર્યો અને એ સિક્કા ઉપરનો ત્રીજો શબ્દ એ છે એ પ્રકારનું વાંચન પ્રસ્તુત કર્યું. અને આ વાંચનને આધારે ઑલ્ડનબર્જ એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે કષ્કિ શક જાતિનો હતો. તેઓ બીજી દલીલ એ કરે છે કે કણિષ્કના સિક્કાઓ ઉપરથી પુરવાર થાય છે કે એણે ઈસુની પહેલી સદીના અંતિમ ભાગે રાજય કર્યું હતું; એટલું જ નહીં આ સમયે બીજો કોઈ સમકાલીન ભારતીય સમ્રાટ કણિષ્કના જેટલો પ્રભાવશાળી ન હતો. આથી એણે શક સંવત પ્રવર્તાવેલો એવી દલીલ ઑલ્ડનબર્જ કરે છે. પરંતુ પર્સી ગાર્ડનરે જે સિક્કા ઉપર શક શબ્દ અંકિત થયેલો હોવાનું સૂચવ્યું હતું તે સિક્કાને કનિંગહમે ખૂબ ઝીણવટપૂર્વક તપાસીને અસંદિગ્ધપણે પુરવાર કર્યું કે કણિષ્કના પ્રસ્તુત સિક્કા ઉપરનો ત્રીજો શબ્દ શ નથી પણ સાવ છે. આ કારણે ઑલ્ડનબર્જે જેના આધારે નિર્ણય કર્યો કે કણિષ્ક શક જાતિનો હતો તે દલીલ નિરાધાર ઠરે છે. આથી કણિષ્ક શક સંવતનો પ્રવર્તક છે એવો ઑલ્ડનબર્જનો મત પણ સ્વીકાર્ય રહેતો નથી.
છતાં પણ, અત્યારે લગભગ બધા જ વિદ્વાનોનો એવો મત છે કે કુષાણ સમ્રાટ કણિષ્ક જ શક સંવતનો પ્રારંભક છે. પણ આ સિદ્ધાંતના સમર્થનમાં એકેય સીધો દાર્શનિક પુરાવો પ્રાપ્ત થયો નથી. ફક્ત સામાન્ય ઐતિહાસિક અટકળો ઉપર જ આ સિદ્ધાંત આધારિત રહ્યો છે. બીજી બાબત એ છે કે જે પ્રદેશમાં આ સંવત ખૂબ જ પ્રચારમાં હતો (એટલે પશ્ચિમ ભારત, ખાસ કરીને હાલના ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારો) તે પ્રદેશો ઉપર એનું આધિપત્ય હોવાની કોઈ જ સબળ માહિતી હાથવગી થઈ નથી. ત્રીજી હકીકત એ છે કે અને આપણે અગાઉ અવલોકયું પણ કે કણિષ્ક શક જાતિનો નહીં પણ તુરુષ્ક જાતિનો હતો. વળી કુષાણ વંશનો તે ત્રીજો રાજા હતો. આ વિગતો પણ પ્રચલિત મંતવ્યની વિરુદ્ધ જાય છે. ચોથી મહત્ત્વની બાબત એ છે કે તે એક અત્યંત શક્તિશાળી સમ્રાટ હતો. સાહિત્યમાં આ બાબતનો ઉલ્લેખ અવારનવાર જોવા મળે છે. આથી જો કણિષ્ક કોઈ સંવતનો પ્રવર્તક હોય તો કાં તો તે કુષાણ સંવત તરીકે, કાં તો તે તુરુષ્ક સંવત તરીકે ઓળખાયો હોવો જોઈએ. આ બધી વિગતોને આધારે એટલું તો સ્પષ્ટ છે કે પ્રશ્નાર્થ સંવત શક સંવત નામની જ ઓળખાવાયો છે. અને તેથી સ્પષ્ટતઃ કણિક્કે તે ચલાવ્યો હોવાનો અતિ પ્રતિષ્ઠિત મત સ્વીકાર્ય બનતો નથી. પાંચમી દલીલ એ છે કે પશ્ચિમ ક્ષત્રપો, જેઓ કણિષ્કના સૂબા હતા, જેમણે પ્રયોજેલાં વર્ષ ચાર સદી સુધી ઉપયોગમાં લેવાયાં હતાં. અને તેથી સ્વાભાવિક જ, પછીના સમયે, આ વર્ષો પશ્ચિમ ક્ષત્રપો શક જાતિના હોવાથી શક સંવતના નામે ઓળખાયાં, પરંતુ આ દલીલ હવે કોઈ પણ રીતે સ્વીકારી શકાય તેમ નથી.
અત્યાર સુધીની સાધકબાધક ચર્ચા ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય જ છે કે ન તો વોનોનસ કે ન તો નહપાન કે ન તો કણિષ્ક આ સંવતના પ્રવર્તાવનાર હતા. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ પ્રશ્નાર્થ સંવતને પ્રસ્થાપિત કોણે કર્યો ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org