________________
પરિશિષ્ટ અગિયાર
૩૪3
વાસણો સાથે ગ્રીસ-રોમના પુરાવશેષો પણ પ્રાપ્ત થયા છે". આથી, આ ત્રણેય વિદ્વાનોના અનુમાનને સમર્થન સાંપડે છે.
સફાઈદાર બનાવટ અને સુંદર કુમાશ આ વાસણોનાં મુખ્ય લક્ષણ સૂચવી શકાય. એમની બાહ્ય સપાટી અત્યંત લીસી અને સુંદર તથા ચળકાયુક્ત છે. અમરેલી, સોમનાથ, વડોદરા, કામરેજ, ટીંબરવા, નગરા જેવાં સ્થળેથી આ વાસણોના વિવિધ આકારયુક્ત સુંદર નમૂના હાથ લાગ્યા છે. (જુઓ ચિત્ર ૧૮ અને ૧૯).
| મુખ્ય પ્રકાર : રાતાં અને ચકચકિત વાસણોમાં સહુથી પ્રચલિત પ્રકાર છે ઊંચી ડોક અને સાંકડા મોઢાંવાળાં વાસણોનો (જે સામાન્યતઃ sprinklerથી ઓળખાય છે), આ પ્રકારના નમૂના અમરેલી, સોમનાથ, વડોદરા, કારવણ, વડનગર જેવા સ્થળેથી હાથ લાગ્યાં છે. (જુઓ ચિત્ર ૧૮ અને ૧૯ તથા નકશા-આલેખ-ચિત્ર-સૂચી).
બીજા પ્રકારનાં વાસણોની ડોક લાંબી (ઊંચી) છે, પણ મોઢાં મણકાદાર કાનાવાળાં હોય છે. આવાં વાસણો અમરેલી, સોમનાથ, વડોદરા અને વડનગરમાંથી હાથ લાગ્યાં છે (જુઓ એજન ચિત્રસૂચિ).
ત્રીજા પ્રકારમાં નાનાં વાસણોનો સમાવેશ થાય છે, જે બહુ મોટી સંખ્યામાં મળી આવ્યાં છે. આ વાસણોનાં મોઢાં કાં તો મણકાદાર કાનાવાળાં કાં તો ચાંચદાર કાનાવાળાં છે. આ વાસણોની ગરદન ટૂંકી છે.
સોમનાથમાંથી સંપ્રાપ્ત વાસણો સાદાં અને ચિત્રિત છે, જે ચોથા પ્રકારમાં સમાવી શકાય. આ ચિત્રિત મૃભાન્ડ ઉપર માત્ર આડી જાડી રેખાઓ વચ્ચે ઊભા પાતળા પટ્ટા સફેદ અને જાંબુડિયા રંગમાં આલેખિત છે.
ટીંબરવાનાં ઉખનનમાંથી રાતાં-ચકચક્તિ વાસણોનો માત્ર એક નમૂનો હાથ લાગ્યો છે, જેનો આકાર છીછરી રકાબી જેવો છે. એનો કાનો અંદરના ભાગે વાળેલો છે. અહીંથી પણ ચિત્રિત મૃભાષ્ઠનો એક ખંડિત નમૂનો મળ્યો છે.
અન્ય વસ્તુઓ : માટીનાં ગૃહોપયોગી નાનાંમોટાં વાસણો ઉપરાંત માટીમાંથી નિર્માણ પામેલી અન્ય ચીજવસ્તુઓય ઉખનનોમાંથી હાથ લાગી છે, જેમાં મણકા, બંગડી, મૂર્તિઓ, રોમીય કોઠીઓ, ઓપ ચડાવેલાં વાસણો, રમકડાં ઇત્યાદિનો સમાવેશ થાય છે. વડોદરામાંથી સોપારીના આકાર જેવા પકવેલી માટીના થોડા મણકા મળ્યા છે. આ બધા મણકામાં ઘાટનો ફેર વત્તાઓછા પ્રમાણમાં છે. ટીંબરવામાંથી પણ સોપારીના આકારના રાતા અને કાળા રંગના તથા biotical અને spherical આકારના મણકા હાથ લાગ્યા છે. વડોદરમાંથી પકવેલી માટીમાંથી તૈયાર કરેલાં રમકડાં પણ મળ્યાં છે, જેમાં મગર, કુકડો, ઘોડો, ખૂંધયુક્ત વૃષભ, સ્ત્રીનું ઉત્તરાંગ જેવા નમૂનાનો સમાવેશ થાય છે. અકોટામાંથી માટીનાં મુદ્રાંક મળ્યાં છે.
દેવની મોરી, બોરિયા, ઈંટવા ઇત્યાદિ સ્થળેથી પ્રાપ્ત થયેલા ઈંટરી સ્તૂપ અને વિશિષ્ટ કદની ઈંટોના આધારે આ સમયની કુંભારકળાનો-કુંભારી હુન્નરનો પર્યાપ્ત ખ્યાલ મળે છે. અહીંથી પ્રાપ્ત ઈંટો બે પ્રકારની છે : સાદી અને સુશોભિત. આ સમયે નળિયાં પણ તૈયાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org