Page #1
--------------------------------------------------------------------------
________________
૮LLY 31 (EJA : 92 ભશાપકાલીન ગુજરાત !
ઇતિહાસ અને સંસ્કૃતિ
L. D. Series : 144 પ્રકાશક જિતેન્દ્ર બી. શાહ
લેખક રસેશ જમીનદાર
'લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિધામંદિર
અમદાવાદ
Tી
Jelin Education international
For Personal & Private Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
KSATRAPAKĀLĪNA GUJARĀTA :
ITIHĀSA ANE SANSKRTI
(History and Culture of Gujarat During Western Kshatrapas)
L. D. Series : 144 General Editor Jitendra B. Shah
Author Rasesh Jamindar
आईभारी
ढलपतमा
तिविधीमा
L. D. INSTITUTE OF INDOLOGY AHMEDABAD-9
1167777
€
Tag 219
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
L. D. Series: 144
KSATRAPAKĀLĪNA GUJARĀTA :
ITIHĀSA ANE SANSKRTI
Rasesh Jamindar
Published by Jitendra B. Shah
Director L. D. Institute of Indology
Ahmedabad
© L. D. Institute of Indology
First Edition : 2006
ISBN 81 - 85857-26-1
Copies : 500
Price : Rs. 500/
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
प्रज्वालितो ज्ञानमयः प्रदीपः ક્ષત્રપકાલીન ગુજરાત : ઇતિહાસ અને સંસ્કૃતિ
રસેશ જમીનદાર
भारतीय
हलपतभा
सस्कृति
विधामा
अहमदा
વાત
લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
અમદાવાદ
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
લા. દ. શ્રેણી : ૧૪૪
ક્ષત્રપકાલીન ગુજરાત : ઈતિહાસ અને સંસ્કૃતિ
રસેશ જમીનદાર
પ્રકાશક જિતેન્દ્ર બી. શાહ
| નિયામક લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
અમદાવાદ
© લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
પ્રથમ પ્રકાશન વિ. સં. ૨૦૬ ૨
પ્રત : ૫૦૦
ISBN ૮૧-૮૫૮૫૭-૨૬-૧
કિંમત : રૂ. ૫૦૦/
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
“ક્ષત્રપકાલીન ગુજરાત : ઇતિહાસ અને સંસ્કૃતિ' ગ્રંથ પ્રકાશિત કરતા અને આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથમાં ગુજરાતના પૂર્વકાલના શાસક ક્ષત્રપોનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. ગુજરાતના દીર્ઘકાલીન ઇતિહાસ યુગમાં ક્ષત્રપકાળ, મૈત્રકકાળ અને સોલંકીકાળ જેવા ત્રણ લાંબા ઇતિહાસકાળ નોંધનીય છે. તેમાંય ક્ષત્રપોનું શાસન તો ચાર શતકના દીર્ઘકાળ સુધી પથરાયેલું છે. તેથી ગુજરાતના સાંસ્કૃતિક વિકાસનાં અધ્યયનમાં ક્ષત્રપોના શાસનકાળનું અધ્યયન અત્યાવશ્યક છે. આ વિષય પરત્વે પૂર્વે ભગવાનલાલ ઇંદ્રજી આદિ વિદ્વાનોએ કાર્ય કર્યું હતું. પણ તે કાર્ય સીમિત સાધનોના આધારે થયું હતું. ત્યારપછીના ચાર દાયકામાં અનેક નવી સાધન-સામગ્રી પ્રાપ્ત થઈ છે. તેનો ઉપયોગ કરી નવેસરથી અધ્યયન થાય તે આવશ્યક હતું. આ આવશ્યકતાને ધ્યાનમાં લઈ પ્રાપ્ત અનેક નવી સામગ્રીનો ઉપયોગ કરી ગહન ચિંતન-મનન કરી ડૉ. જમીનદારે પ્રસ્તુત ગ્રંથ તૈયાર કર્યો છે. ગ્રંથમાં ક્ષત્રપોનો સમયનિર્ણય, ક્ષત્રપકાલીન ભારતીય સમાજ, ક્ષત્રપોનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ જેવા વિષયોનું સોદાહરણ પ્રમાણભૂત વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથના આલેખનમાં પુરાવસ્તુકીય ઉત્પનન, મહત્ત્વના શિલાલેખો, સ્થાપત્ય, સિક્કા આદિ અનેક સામગ્રી એવી છે જેનો આ ગ્રંથમાં સર્વપ્રથમ ઉપયોગ થવા પામ્યો છે અને તેને આધારે ગ્રંથ તૈયાર થયો હોવાથી પ્રમાણભૂત બન્યો છે.
ગ્રંથના લેખક શ્રી રમેશ જમીનદાર જાણીતા ઇતિહાસવિદ્ છે. તેમણે આ ગ્રંથ તૈયાર કરવા ચાર દાયકા જેટલા દીર્ઘકાળ સુધી સતત અધ્યયન-સંશોધન કર્યું છે. તેથી જ તેમના દ્વારા પૂર્વે પ્રકાશિત થયેલ ક્ષત્રપકાળનું ગુજરાત અહીં નવસર્જન પામ્યું છે. પૂર્વે પ્રકાશિત થયેલ ગ્રંથ કરતાં આ ગ્રંથમાં અનેક નવાં ઐતિહાસિક તથ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી ગ્રંથ મૂલ્યવાન બન્યો છે. ગ્રંથનું પ્રકાશન સંસ્થા દ્વારા થાય તે માટે સંમતિ આપવા બદલ લેખક મહોદયનો સંસ્થા વતી અત્યંત આભાર વ્યક્ત કરું છું.
આ ગ્રંથ ગુજરાતના ઇતિહાસ પ્રેમીઓ અને જિજ્ઞાસુઓ માટે તો ઉપયોગી છે જ. પરંતુ ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુઓ માટે પણ એટલો જ ઉપયોગી સિદ્ધ થશે તેવી અમને શ્રદ્ધા છે. ૨૦૦૬ , અમદાવાદ
જિતેન્દ્ર બી. શાહ
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
અમ્મદીયમ્
ઇતિહાસ એ જ્ઞાનનું વિજ્ઞાન છે. જ્ઞાન એ માનવીએ અતીતમાં અંકે થયેલો અનુભવ છે. તેથી ભૂતકાળમાં ઘટેલી ઘટના એ જ્ઞય છે. એ ઘટનાને જાણવાની ઇચ્છા ધરાવનાર જિજ્ઞાસુ તે જ્ઞાતા છે. આથી, વ્યક્તિ જે વિચારો અભિવ્યક્ત કરે છે તેમાં જ્ઞાન નિહિત છે. આમ, ઇતિહાસનાં અધ્યયન એટલે જ્ઞાનની સાધના. આવી સાધના સામાન્યતઃ અને વિશેષતઃ સ્થળ અને કાળના સંદર્ભમાં શક્ય બને છે.
આપણે આ ગ્રંથમાં આવા જ એક સ્થળ (ગુજરાત) અને કાળ (ઈસ્વીની પ્રથમ ચાર સદી)ના સંદર્ભે ઇતિહાસ અને સંસ્કૃતિનાં સર્વગ્રાહી પાસાંઓનાં અવેષિત અર્થઘટન પ્રસ્તુત કરવાનું મુનાસિબ ગયું છે. ત્યારના પશ્ચિમ ભારતના ઘણાબધા પ્રદેશોનાં અને વર્તમાને ખાસ કરીને ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના ઘડતરમાં પશ્ચિમી ક્ષત્રપોથી ઓળખાતા શક જાતિના વિદેશી શાસકોએ સંપૂર્ણ ભારતીય પરિવેશમાં ઊજાગર થઈને જે યોગદાન પ્રસ્તુત કર્યું હતું તે મિષે આછું અને ઓછું આલેખન થયું હોઈ, અને તેય મુખ્યત્વે તો આંગ્લ ભાષામાં; તે બાબતને ધ્યાનાર્ડ ગણીને ૧૯૬૧માં જયારે વિદ્યાવાચસ્પતિની પદવ્યર્થે વિષય-પસંદગી અન્વેષણનિબંધ કાજે નિર્ણિત કરવાની થઈ ત્યારે ગુરુવર્ય પ્રાધ્યાપક હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીના સૂચનથી ગુજરાતમાં શાસનસ્થ રહેલા ક્ષત્રપો વિશે શોધસંધાન કરવાનું ઉચિત ગણેલું. ૧૯૬૬માં શોધનિબંધ ગુજરાત યુનિવર્સિટીને, માતૃસંસ્થા શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન સંસ્થા મારફતે, સુપરત કરેલો અને જેનું પરિણામ ૧૯૬૭માં પ્રાપ્ત થયેલું.
સ્વભાવ મુજબ તે પછી આ બાબતે હું ચિંતન અને મનન કરતો રહ્યો હતો અને તત્સંબંધિત ઘણા કોયડા વિશે શોધકાર્ય થતાં રહેતાં હતાં. ૧૯૭૨માં રાષ્ટ્રકક્ષાએ ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑવ હિસ્ટોરિકલ રિસર્ચ'ની સ્થાપના થતાં અને એણે પ્રથમ તબક્કે સ્વીકારેલ નવ શોધનિબંધને પ્રકાશનઅનુદાન આપવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે મારા શોધનિબંધનો તેમાં સમાવેશ થયેલો. ગૂજરાત વિદ્યાપીઠે આ અનુદાનના સંદર્ભે ૧૯૭૫માં “ક્ષત્રપકાલનું ગુજરાત' ગ્રંથ પ્રકાશિત કરેલો ત્યારે તે પ્રકાશન મહાનિબંધનું કેવળ યથાતથ મુદ્રિકરણ ન હતું પણ નવેસરથી આલેખાયેલો શોધિત આકાર હતો. રજૂઆત, અભિગમ, અધ્યાય-વિભાજન, અર્થઘટન એમ બધી રીતે તેમાં ઘણાં અભિનવ પાસાં પ્રસ્તુત થયાં હતાં.
ત્રણ દાયકા દરમ્યાન આ વિષય પરત્વે શોધસામગ્રી સમયે સમયે હાથવગી થતી રહી; તેમ મેં પ્રસ્થાપિત કરેલા અને સ્વીકારેલા પ્રસ્થાપિત સિદ્ધાન્તમાં પુનર્વિચારણા જરૂરી જણાઈ. પરિણામે મારાં લખાણમાં ઘણાબધા સુધારા-વધારાનો અવકાશ જણાયો અને ઘણા કોયડાને અભિવ્યક્તિ આપ્યા વિના આ વિશાળ વિસ્તારના (ઉત્તરે પુષ્કરતીર્થથી દક્ષિણમાં નાસિકતીર્થ પર્યત અને પૂર્વમાં ઉજ્જયિનીતીર્થથી પશ્ચિમમાં નારાયણ સરોવરતીર્થ સુધીના) સાંસ્કૃતિક ઘડતરનો અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાનનો વિચાર કરવો અશક્ય નહીં તો દૂરસ્થ બની રહે. શક જાતિના પશ્ચિમી ક્ષત્રપોથી ઓળખાતા આ ગુર્જર શાસકોએ આ મહાભૂભાગનાં સંસ્કાર, સંસ્કૃતિ, ઇતિહાસ,
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
કલા સ્થાપત્ય, સિક્કાવિજ્ઞાન, સાહિત્ય, ધર્મ–શિક્ષણના વિકાસમાં વજલેપી અસર છોડી છે અને તેથી તે વિશે નવસેરથી નિરૂપણની અત્યાવશ્યકતા મનમાં ઝંકૃત થયા કરતી હતી.
તેવા સમયે મારા સન્મિત્ર મધુસૂદન ઢાંકીની પ્રેરણાથી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના અધ્યક્ષ ડૉ. જિતેન્દ્ર શાહે મારા ગ્રંથને નવા રૂપરંગે પ્રકાશિત કરવાની ઇચ્છા પ્રદર્શિત કરી અને તેનાં પરિણામ તે આ ગ્રંથ. ત્રીસ વર્ષના દીર્ઘકાલ દરમ્યાન મારા મનોકાશમાં જે જ્ઞાનઝબકારા થતા રહેતા હતા તે બધાને છેલ્લામાં છેલ્લી ઉપલબ્ધ અને જ્ઞાત સામગ્રીના સંદર્ભે અદ્યતન અને અભિનવ આકારથી મઢવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. હા, મૂળગ્રંથની આ બીજી આવૃત્તિ નથી જ નથી. બધી રીતે,–અભિગમ, રજૂઆત, પ્રકરણવિભાજન, અર્થઘટન વગેરે-આ ગ્રંથ નવેસરથી નિરૂપાયેલો આ વિષય વાસ્તુનો અભિનવ ગ્રંથ છે.
| ગુજરાતનો ઇતિહાસયુગ દીર્ઘકાલીન છે; એમાંય એનો પૂર્વકાલ વિસ્તૃત સમયપટ ઉપર પથરાયેલો છે. અને તેમાં ક્ષત્રપકાલ(ઈસ્વી ર૩થી ૪૧૫), મૈત્રકકાલ (ઈસ્વી ૪૭૦થી ૭૮૮) અને સોલંકીકાલ (૯૪૨થી ૧૩૦૪) જેવા ત્રણ લાંબા ઉજ્જવળકાલ ધ્યાનાર્ય છે. આ ત્રણેયમાં ક્ષેત્રપાલે સહુથી વધુ સમય અંકે કર્યો છે. માત્ર ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિમાં જ નહીં પરંતુ ભારતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના પૂર્વકાલમાંય ક્ષત્રપોનું શાસન એક માત્ર દીર્ઘકાલીન શાસનનું સન્માન ધરાવે છે. આમ તો ગુજરાતના ઇતિહાસનો પૂર્વકાલ ઇસ્વીપૂર્વે ૩૦૦થી આરંભી ઇસ્વીસન ૧૩૦૦ સુધીના સોળ શતકનો વિસ્તાર ધરાવે છે. તેમાં ચાર શતક સુધી શાસન કરવાનો યશ માત્ર ક્ષત્રપ શાસકોને ફાળે જાય છે એ બાબત ધ્યાનાર્હ રહેવી જોઈએ. આ દષ્ટિએ આપણા આ ગ્રંથનું સ્થાન મૂલ્ય મહત્ત્વ ધારણ કરે છે, અને તેથી આ ગ્રંથનું આલેખન પણ ધ્યાનયોગ્ય ગણી શકાય. ભૌગોલિક લાક્ષણિકતાઓ અને માનવસંસ્કૃતિની વિશેષતાઓને કારણે ગુજરાતનો પૂર્વકાલીન ઇતિહાસ ભારતના પૂર્વકાલીન ઇતિહાસની લઘુઆવૃત્તિ સમાન છે.
આ ગ્રંથને પૂર્વસૂરિઓનાં યોગદાનનો સારો લાભ સંપ્રાપ્ત થયો છે. ક્ષત્રપોના રાજકીય ઇતિહાસનું શ્રદ્ધેય નિરૂપણ પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ આપણને સંપડાવી આપ્યું છે, તો સિક્કાઓની સમીક્ષા અંગ્રેજ વિદ્વાન એડવર્ડ જેમ્સ રેપ્સને પ્રસ્તુત કરી છે અને લલિતકલાનાં આલેખન વિશે બસનું પ્રદાન હાથવગું છે. આ પછી ક્ષત્રપો વિશે આવાં અધિકૃત નિરૂપણ વિગતે થયાં નથી તેમ જ તે પછીના એક સૈકા દરમ્યાન આ વિષયને ઉપયોગી ઘણી સાધનસામગ્રી હાથવગી થતી રહી છે. ઉપર્યુક્ત ત્રણ બાબતોને બાદ કરતાં આ અંગેના અન્ય મુદ્દાઓ આવૃત રહેલા, જેને અનાવૃત કરવાની તાતી જરૂર હતી. આથી, આ ગ્રંથલેખકે છેલ્લા સાડા ચાર દાયકા દરમ્યાન આ વિશે જે મનન–ચિંતન-મથામણ–અર્થઘટન કર્યા તેના પરિણામ પ્રસ્તુત ગ્રંથમાં છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વાચાર્યોનાં અન્વેષિતકાર્યોની સક્ષમ પીઠિકા ઉપર આ ગ્રંથની ઇમારત નિર્માણ પામી છે. ઇતિહાસાલેખનમાં વર્ણનપ્રધાન શૈલીને સ્થાને ચિંતનપ્રધાન નિરૂપણ અને અર્થઘટિત આલેખન ઉપર વધારે ઝોક હોવો જરૂરી છે તે બાબતને આ ગ્રંથની રજૂઆતમાં જાગતિક રીતે ધ્યાનમાં લીધી છે. વિશેષ તો મૂલગત સાધનોનો વિનિયોગ કરીને ક્ષત્રપ સમયના ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનાં સર્વાગી નિરૂપણથી આ ગ્રંથનું કાઠું મૂઠી ઊંચેરું બની શક્યું છે તેવી નમ્રભાવે ભાવાભિવ્યક્તિ કરવાની રજા લઉં છું. હા, આ ગ્રંથ અંતિમ શોધકાર્ય છે એવું ખસૂસ કહી શકાય નહીં, સમયાંતરે એમાં સુધારા
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
વધારાને અવકાશ છે.
ઇતિહાસની ક્ષિતિજો, આપણે અભિજ્ઞ છીએ તેમ, સદાય અને સતત વિસ્તરતી રહે છે અને પરિવર્તિત થતી રહે છે. એની ગતિવિધિઓ સમય અને સ્થળ પરત્વે વ્યાપક બનતી રહે છે. મુખ્યત્વે તો સમયે સમયે સંપ્રાપ્ત થતાં રહેતાં સાધનોથી ઇતિહાસના પુનર્લેખન સમયાંતરે થતાં રહેવાં જોઈએ. ઇતિહાસવિદ્યામાં જેમ જેમ ખેડાણ સૂક્ષ્મ થતું જાય તેમ તેમ તેના ગ્રંથમાં તેનાં પ્રતિબિંબ પથરાતાં રહેતાં હોવાં જોઈએ. આ પરિપ્રેક્ષ્યમાં મારા આ ગ્રંથને અવલોકવા નમ્ર અરજ છે.
આ ગ્રંથમાં કુલ પાંચ વિભાગ છે અને કુલ બાવીસ પ્રકરણ તેમ બાર પરિશિષ્ટ આમેજ છે. શક પ્રજાનાં ભારતમાં આગમનની પ્રક્રિયા અને આપણા દેશમાં એમની પ્રારંભિક રાજકીય કારકીર્દિ પ્રથમ વખત અહીં વિગતે પ્રસ્તુત કર્યા છે. કણિષ્કનો સમય આમ તો બીજાંકુર ન્યાયની જેમ પૃથકૃત થતો રહ્યો છે. પશ્ચિમી ક્ષત્રપોના સાથે એનો સમયનિર્ણય નિર્ણિત કરવો જરૂરી હોઈ એની ચર્ચા અહીં પ્રથમવાર રજૂ કરી છે. દક્ષિણના સાતવાહન શાસકો સાથે પશ્ચિમી ક્ષત્રપોને રાજકીય દુશ્મનાવટ અને સામાજિક સમન્વિત સંબંધો પરત્વેના યક્ષપ્રશ્ન ચર્ચય રહ્યા છે. અહીં તે વિશે પહેલપ્રથમ વખત સાધકબાધક નિરૂપણ સોદાહરણ અભિવ્યક્ત થયું છે. ક્ષત્રપોના સંદર્ભે થયેલાં પુરાતત્ત્વીય ઉત્પનનોનો સમાવેશ પણ અભિનવ રજૂઆત પામ્યો છે. ક્ષત્રપોના મહત્ત્વના શિલાલેખોની જરૂરી ચર્ચા અહીં ખાસ રજૂઆત પામી છે અને તેમાંના ઘણાના મૂળ પાઠ પહેલી વખત પ્રસ્તુત કર્યા છે. રાજકીય અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં ગુજરાતના ક્ષત્રપોના પ્રદાનને વિગતે વ્યક્ત કર્યો છે. સોમનાથનું મંદિર પહેલપ્રથમ ક્ષત્રપોના સમયે નિર્માણ પામ્યું હોવાની સસંદર્ભ ચર્ચા પ્રસ્તુત કરી છે. કેટલાંક પ્રકીર્ણ સ્થાપત્યકીય અવશેષો અહીં પ્રથમવાર રજૂઆત પામ્યા છે. હુન્નરકલાનાં પરિણામોને પરિશિષ્ટરૂપે ખાસ અભિવ્યક્ત કર્યા છે. સિક્કાઓ ક્ષત્રપકાલીન ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિને આલેખવાનાં બુનિયાદી સાધન હોઈ કાલાનુક્રમે ક્ષત્રપ સિક્કાઓની સૂચિનો સમાવેશ પહેલીવાર થયો છે. તેમ જ તે સિક્કાઓ ઉપરનાં લખાણ સંસ્કૃત અને બ્રાહ્મી લિપિમાં અહીં પહેલપ્રથમ રજૂ થયાં છે.
હમણાં પ્રસ્તુત કરેલાં મુખ્ય મુખ્ય યોગદાનની માહિતીથી, કહો કે અભિગમી અભિપ્રાયોથી એવું અભિપ્રેત સંભવતઃ થઈ શકે કે પ્રસ્તુત ગ્રંથ અગાઉના આ વિશેના મારા પૂર્વાચાર્યોના અને મારાય ધ્રુવપદીય પ્રદાનથી અભિનવ ચીલો ચાતરે છે એવું અનુભવાય. પરંતુ મારે સ્પષ્ટ કરવું રહ્યું કે આથી મારે કોઈ નવો સિદ્ધાંત પ્રસ્થાપવાની અપેક્ષા નથી. હકીકતમાં વર્તમાને હાથવગાં થયેલાં નવ્ય સાધનો અને અગાઉની વિદ્યમાન સામગ્રીનું અભિનવ મૂલ્યાંકન અહીં પ્રસ્તુત છે તો સાથોસાથ ઉપલબ્ધ પુરાવાઓ પરત્વે નવાં અર્થઘટન અને પુનઃઅર્થઘટન હેતુમૂલક પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કર્યા હોઈ આવું અનુભવવાનો સંભવ નકારી શકાય નહીં. આશા રાખીએ છીએ કે જિજ્ઞાસુઓને અને પૂર્વગ્રહાતીત સુજ્ઞ વાચકોને આ ગ્રંથમાં ઘણા અભિનવ સંવાદ-વિવાદ હાથવગા થશે અને પ્રસ્તુત થયેલી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઇમારત રસપ્રદ અને વાચનક્ષમ નીવડશે તો પુરુષાર્થ ફળશે એવી ઉમીદ છે. ધવંતરિ ત્રયોદશી ૨૦૧૧
રસેશ જમીનદાર બી/૧૦, વસુ એપાર્ટમેન્ટ્સ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આ ગ્રંથ આપના કરકમળમાં જ્યારે અમે મૂકીએ છીએ ત્યારે અમે અમારા એવા પૂર્વસૂરિઓને અમારી શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ ભાવપૂર્વક સમર્પિત કરીએ છીએ કે જેમનાં લખાણોએ અને યોગદાને અમને ઘણાં પ્રેરણા અને સહાય અંકે કરવામાં પરોક્ષ રીતે મદદ કરી છે. આવા પૂર્વાચાર્યો છે : પંડિત ભગવાનલાલ ઇંદ્રજી, એડવર્ડ જેમ્સ રેપ્સન, જેમ્સ બર્જેસ, રામકૃષ્ણ ગોપાલકૃષ્ણ ભાંડારકર, દત્તાત્રેય રામકૃષ્ણ ભાંડારકર, વાસુદેવ વિષ્ણુ મિરાશી, દિનેશચંદ્ર સરકાર, સુધાકર ચટ્ટોપાધ્યાય, સત્યશ્રાવ વગેરે. જેમણે પ્રત્યક્ષ રીતે સહાય પૂરી પાડી છે તેવા પણ હવે વિદ્યમાન નથી એવા પ્રેરણાદાયી ગુરુઓ પ્રત્યે પણ આદરભરી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ : પંડિત સુખલાલજી, આચાર્ય પુણ્યવિજયજી, આચાર્ય જિનવજિયજી, હસમુખ ધીરજલાલ સાંકળિયા પરમેશ્વરીલાલ ગુપ્ત, રામલાલ પરીખ, સદાશંકર શુક્લ, રમણલાલ નાગરજી મહેતા, મનુભાઈ ભટ્ટ, ઉમાકાન્ત શાહ ઇત્યાદિ.
આ ગ્રંથનાં નિરૂપણ અને આલેખન વાતે જેઓએ પ્રત્યક્ષ રીતે અનેકવિધ સહાય અમને કરી છે તે સહુ સન્મિત્રો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત ના કરું તો નગુણો જ કહેવાઉને વિદ્યાવાચસ્પતિના શોધકાર્યમાં અથેતિ માર્ગદર્શન આપનાર ગુરુવર્ય મુરબ્બી હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી; શોધકાર્યના પ્રત્યેક તબક્કે સક્રિય મદદ કરનાર સર્વશ્રી છોટુભાઈ અત્રિ, મુકુંદ રાવલ, જયેન્દ્ર નાણાવટી(હવે સંગત), સૂર્યકાન્ત ચૌધરી; આ ગ્રંથને આ સ્વરૂપે પ્રકાશિત કરવાની પ્રેરણા આપનાર સન્મિત્ર મધુસૂદન ઢાંકી, ગ્રંથને ઝડપથી પ્રકાશમાન બનાવનાર પ્રિય મિત્ર જિતેન્દ્ર શાહ, ગ્રંથોને સુલભ કરી આપનાર અને વારનવાર સૂચન કરનાર ગુરુભગિની ભારતીબહેન શેલત, એવા જ બીજા ગુરુબંધુ મિત્ર પ્રવીણભાઈ પરીખ, ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવનના ગ્રંથાલયના સહુ સેવકો, ભૂજ સંગ્રહાલયમાં સુરક્ષિત ક્ષત્રપ શિલાલેખોના ફોટોગ્રાફસ સંપડાવી આપનાર નરેશ અંતાણી, દેવની મોરીના ફોટાઓ ટૂંકા સમયમાં ઉપલબ્ધ કરાવી આપનાર મ. સ. યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગના વર્તમાન અધ્યક્ષ કુલદીપ ભાણ, ક્ષત્રપ સિક્કાના મહત્ત્વના ફોટોગ્રાફસ સંપડાવી આપનાર સિક્કાવિદ મિત્ર ડૉ. દિલીપ રાજગોર, આ ગ્રંથને નવસેરથી પ્રકાશિત કરવાની પરવાનગી આપવા કાજે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અરુણભાઈ દવે, કુલસચિવ રાજેન્દ્ર ખિમાણી, વિકાસાધિકારી પિયુષભાઈ શાહ અને જરૂરી ગ્રંથસહાય પૂરી પાડનાર ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગનાં મારાં પૂર્વસાથી ડૉ. બિંદુવાસિની જોશી, તથા આ ગ્રંથને સુઘડ રીતે પ્રકાશનક્ષમ બનાવવામાં સક્રિય એવા શારદાબહેન ચિમનલાલ શોધ સંસ્થાનના સહુ મિત્રો, આ સહુનો અંતરથી આભાર માનું છું.
જેમણે અખંડ સક્રિય, સહકાર અને સહાય આપ્યાં છે તેમ જ સમયની સુવિધા કરી આપી છે તે મારાં જીવનસખી અ. સૌ. મીના જમીનદારનો અને અમારા પરિવારનો હૃદયતાથી આભાર માનું છું. બી૧૦, વસુ એપાર્ટમેન્ટ્સ
રસેશ જમીનદાર શ્રીજી પેલેસ સામે, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
આમુખ
અમદીયમ્ ૩. ઋણસ્વીકાર
ડૉ. જિતેન્દ્ર શાહ ડૉ. રસેશ જમીનદાર ડૉ. રસેશ જમીનદાર
વિભાગ એક પ્રાવેશિક અને જ્ઞાપકો પ્રકરણ એક : વિષય-પ્રવેશ પ્રકરણ બે : સાધન-સામગ્રી, પરિશિષ્ટ એક : ક્ષત્રપ સમયના અભિલેખ પરિશિષ્ટ છે : કાલાનુક્રમે ક્ષત્રપ સિક્કાઓની સૂચિ પરિશિષ્ટ ત્રણ : સિક્કાનિધિ અને અપ્રાપ્ય વર્ષ પ્રકરણ ત્રણ : શક પ્રજા : ભારતમાં આગમનની ભૂમિકા પ્રકરણ ચાર .: શક પ્રજા : ભારતમાં પ્રારંભિક કારકિર્દી
૧થી ૭૦
૩-૫ ૬-૧૧ ૧૨-૧૬ ૧૭-૩૯ ૪૦-૪૫ ૪૬-૫૪ પપ-૭)
વિભાગ બે રાજકીય ઇતિહાસ પ્રકરણ પાંચ : પશ્ચિમી ક્ષત્રપો : રાજવંશો અને સમયનિર્ણય પરિશિષ્ટ ચાર : કથિક : રાજાઓ અને સંવત
: ક્ષહરાતવંશ : આરંભ, અભ્યદય અને અંત પ્રકરણ સાત : ચાખનવંશ : અભ્યદય અને અંત પ્રકરણ આઠ : અન્ય પશ્ચિમી ક્ષત્રપકુળ પરિશિષ્ટ પાંચ : ચાણન : શક સંવતનો પ્રવર્તક પરિશિષ્ટ છે : જૂનાગઢના શૈલલેખમાં નિર્દિષ્ટ શાતકર્ણિ પરિશિષ્ટ સાત : ગિરિનગરના શૈલલેખોનું સાંસ્કૃતિક મહત્ત્વ પરિશિષ્ટ આઠ : આભીર ઈશ્વરદત્તનો સમયનિર્ણય
૭૧થી ૧૬૮
૭૩-૮૮ ૮૯-૯૮ ૯૯-૧૭૨ ૧૩૩-૧૩૪ ૧૩૫-૧૪૫ ૧૪૬-૧૫૩ ૧૫૪-૧પ૬ ૧૫૭-૧૬૩ ૧૬૪-૧૬૮
વિભાગ ત્રણ
ક્ષત્રપ રાજય : સંબધ, વિસ્તાર અને વહીવટ પ્રકરણ નવ : કણિષ્કનો સમયનિર્ણય પ્રકરણ દશ : પશ્ચિમ ભારતના બે પ્રમુખ રાજવંશ : કેટલાક યક્ષપ્રશ્ન પ્રકરણ અગિયાર : વિસ્તાર અને વહીવટ
૧૬૯થી ૨૦૦
૧૭૧-૧૭૯ ૧૮૦-૧૮૮ ૧૮૯-૨OO.
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
પુરાવશેષો અને અભિલેખો : વિશ્લેષણ
પ્રકરણ બાર
:
પ્રકરણ તેર
પરિશિષ્ટ નવ પ્રકરણ ચૌદ
પરિશિષ્ટ દશ
સાંસ્કૃતિક ઇતિહાસ પ્રકરણ પંદર
પ્રકરણ સોળ
પ્રકરણ સત્તર
પ્રકરણ અઢારે
પ્રકરણ ઓગણીસ
પરિશિષ્ટ અગિયાર
:
:
: સિક્કા ઉપરનાં લખાણ : બ્રાહ્મીમાં અને દેવનાગરીમાં
કેટલાક અભિલેખોનું વિશ્લેષણ
કેટલાક અભિલેખોના પાઠ
:
:
:
:
પ્રકરણ વીસ
પરિશિષ્ટ બાર પ્રકરણ એકવીસ
પ્રકરણ બાવીસ
સંક્ષેપસૂચિ
ગ્રંથ-સંદર્ભસૂચિ વિશેષ-નામ-સૂચિ નકશા-આલેખ-ચિત્ર-સૂચિ
:
:
:
૧૨
વિભાગ ચાર
મહત્ત્વના પુરાવશેષોનાં અવલોકન સિક્કાઓની સર્વગ્રાહી સમીક્ષા
:
વિભાગ પાંચ
સાહિત્યિક પ્રવૃત્તિ : પ્રકાર, કૃતિઓ અને વાચના
શિક્ષણપદ્ધતિ અને ભાષાલિપિ
ધર્મપરંપરા
લલિતકલા-૧: શૈલોત્કીર્ણ સ્થાપત્ય લલિતકલા-૨ : ઈંટેરી સ્થાપત્ય પ્રકીર્ણ સ્થાપત્ય
લલિતકલા-૩ : શિલ્પસમૃદ્ધિ
હુન્નરકળા
લોકજીવન (પ્રાકૃતિક, આર્થિક અને સામાજિક)
રાષ્ટ્રીય વિરાસતમાં યોગદાન
For Personal & Private Use Only
૨૦૧થી૨૫૧
૨૦૩-૨૧૬
૨૧૭-૨૩૧
૨૩૨-૨૩૬
૨૩૭-૨૪૬
૨૪૭-૨૫૨
૨૫૩થી ૨૬૪
૨૫૫-૨૭૨
૨૭૩-૨૮૨
૨૮૩-૨૯૩
૨૯૪-૩૧૪
૩૧૫-૩૨૨
૩૨૩-૩૨૬
૩૨૭-૩૪૧
૩૪૨-૩૪૫
૩૪૬-૩૫૮
૩૫૯-૩૬૪
૩૬૫-૩૬૬
૩૬૭-૩૭૮
૩૭૯-૪૦૨ ૪૦૩-૪૦૫
Page #14
--------------------------------------------------------------------------
________________
વિભાગ એક પ્રાવેશિક અને જ્ઞાપકો
પ્રકરણ એક : વિષય-પ્રવેશ પ્રકરણ બે : સાધન-સામગ્રી પ્રકરણ ત્રણ : શક પ્રજા : ભારતમાં આગમનની ભૂમિકા પ્રકરણ ચાર : શક પ્રજા : ભારતમાં પ્રારંભિક કારકિર્દી
પરિશિષ્ટ એક : ક્ષત્રપ સમયના અભિલેખ પરિશિષ્ટ બે : કાલાનુક્રમે ક્ષત્રપ સિક્કાઓની સૂચિ પરિશિષ્ટ ત્રણ : સિક્કાનિધિઓ અને અપ્રાપ્ય વર્ષો
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ એક
વિષયપ્રવેશ “ગુજરાત' નામનો પ્રારંભ
અત્યારે આપણે જે ભૂભાગને “ગુજરાત નામથી ઓળખીએ છીએ, તે સમગ્ર પ્રદેશ આજથી આઠસો વર્ષ પહેલાંના કાળમાં “ગુજરાત' નામથી ઓળખાતો ન હતો. આમ તો, આ પ્રદેશની ભૂમિ હજારો વર્ષ જેટલી પૂર્વકાલીન છે. વેદ સાહિત્યમાં ગુજરાત વિશે કોઈ નિર્દેશ નથી, પણ વેદાંગ સાહિત્યમાં વ્યાકરણના ગ્રંથોમાં આપણા પ્રદેશનાં કેટલાંક સ્થળોનો ઉલ્લેખ ઉપલબ્ધ છે : પાણિનિના “અષ્ટાધ્યાયી' ગ્રંથમાં કચ્છનો, સમુદ્રકાંઠે આવેલા ફળદ્રુપ પ્રદેશ તરીકે, નિર્દેશ છે. ઉપરાંત આ ગ્રંથના ગણપાઠમાં આનર્તદેશ, વલભીનગરી અને મહી નદીનો ઉલ્લેખ છે. સૂત્રગ્રંથોમાં સૌરાષ્ટ્રની પ્રજાનો પણ નિર્દેશ છે.
તેરમી સદી ઈસ્વી પૂર્વેના કાળમાં આપણા પ્રદેશ સારુ ભિન્ન ભિન્ન સમયે “આનર્ત', ‘લાટ', “સુરાષ્ટ્ર અને “ગુર્જરદેશ' જેવાં વિભિન્ન નામ પ્રયોજાતાં હતાં અને આ નામ જુદે જુદે સમયે વિવિધ અર્થ ધરાવતા હતા. આથી, પૂર્વકાલના આ પ્રદેશના સમગ્ર ઇતિહાસ વાતે આમાંનું એકેય નામ પ્રયોજવું ઉચિત નથી. આથી કાલાતિક્રમનો દોષ વહોરીને પણ સગવડ ખાતર ઇતિહાસના સમગ્ર કાલ કાજે તેનું વર્તમાન નામ વાપરવાનો રિવાજ પ્રતિષ્ઠિત થયો છે. તેથી આ પુસ્તકમાં પણ આ લેખકે આ નામનો, એટલે કે નિરાંત નામનો, વિનિયોગ કર્યો છે.
આપણા પ્રદેશ સારુ પુનરાંત નામનો પ્રારંભ સોલંકીકાલથી થયો. સંસ્કૃતમાં તેને ચૌલુક્યકાલ કહેવાય છે. ગુજરાત નામનો પહેલપ્રથમ જ્ઞાત ઉલ્લેખ ઈસ્વી ૧૨૩૩માં લખાયેલા આબૂરાસ'માં જોવો પ્રાપ્ત થાય છે. અગાઉના ઉલ્લેખોમાં “ગુર્જરદેશ', “ગુર્જર મંડલ', ગુજ્જરત્તા', “ગુર્જરત્રા”, “ગુર્જરત્ર', “ગુર્જરાટ” અને “ગુર્જરાત' જેવી સંજ્ઞાઓનાં નિર્દેશ સાહિત્યિક તેમ જ આભિલેખિક સાધનોમાં જોવા મળે છે. પરંતુ સ્પષ્ટ : “ગુજરાત' સંજ્ઞા આપણા પ્રદેશને પ્રાપ્ત થઈ તેરમી સદીથી એ અંગે કોઈ મતભેદ નથી. ગુજરાતના ઇતિહાસનો આરંભ
આમ તો, ગુજરાતની ભૂમિનો ઇતિહાસ એ ભૂમિની રચનાથી શરૂ થાય છે. ખરેખર તો ઇતિહાસનો ખરો આરંભ તો જે તે ભૂમિ ઉપર જીવંત સૃષ્ટિની અંતર્ગત માનવયોનિનો આવિર્ભાવ થાય ત્યારથી ગણી શકાય. આ રીતે તો ગુજરાતના ઇતિહાસનો આરંભ પ્રાગૈતિહાસિક યુગથી શરૂ થયો ગણાય. ગુજરાતમાં આ યુગની શરૂઆત સાબરમતી, મહી,
ઓરસંગ અને નર્મદા નદીના કિનારે પહેલવહેલા દેખા દેતા પૂર્વકાલીનતમ માનવથી થાય છે. પરંતુ ગુજરાતનો સપ્રમાણ ઇતિહાસ મૌર્યવંશીય સમ્રાટ ચંદ્રગુપ્તના શાસન સમયથી હાથવગો થાય છે.
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસમાં ક્ષત્રપકાલ, મૈત્રકકાલ અને સોલંકીકાલ નામના ત્રણ લાંબા ઉજ્જવલ કાલખંડોનો સમાવેશ થાય છે. વાઘેલા-સોલંકી રાજવંશોના શાસનકાલનો અંત આવતાં અને દિલ્હીના સુલતાનોની ગુજરાત ઉપર સ્વતંત્ર સત્તા સ્થપાતાં ગુજરાતના ઇતિહાસનો એક સમૃદ્ધ કાલખંડ પૂરો થાય છે. આ રીતે ગુજરાતના ઇતિહાસનો સમૃદ્ધ અને સપ્રમાણ દીર્ઘકાલ લગભગ ઈસ્વી પૂર્વ ૩૦૦થી ઈસ્વી ૧૩૦૦ સુધીનો સોળ શતકોનો વિસ્તાર ધરાવે છે; જેમાં સ્વતંત્ર રાજકીય એકમ સંપાદિત ત્રણ. સ્વતંત્ર ગુર્જરરાજ્ય એકબીજાની વાંસોવાંસ શાસન કરતાં જોવાં પ્રાપ્ત થાય છે. ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસમાં ક્ષત્રપકાલનું મહત્ત્વ
આપણે અવલોક્યું તેમ ગુજરાતના ઇતિહાસનો પ્રાકૃઇસ્લામી-કાલ અતિ દીર્ઘ અને સમૃદ્ધ છે. આશરે સોળ સો વર્ષ લાંબા આ કાલખંડમાં લગભગ ત્રણસો ત્રણસો વર્ષનાં ત્રણ દીર્ઘશાસિત રાજ્યોનાં ઇતિહાસ અને સંસ્કૃતિ આપણને સંપ્રાપ્ત થાય છે : (૧) ક્ષત્રપકાલ – લગભગ ઈસ્વી ૧૮થી ૪૧૫; (૨) મૈત્રકકાલ - ઈસ્વી ૪૭૦થી ૭૮૯; અને (૩) સોલંકીકાલ - ઈસ્વી ૯૪૨થી ૧૩૦૪.
આ ત્રણેય દીર્ઘકાલીન શાસનકાળમાંથી છેલ્લા રાજવંશ સોલંકીકાલનું દુર્ગાશંકર શાસ્ત્રીએ “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસમાં (૧૯૫૩) અને અશોકકુમાર મજુમદારે “ચૌલુકયાઝ ઑવ ગુજરાતમાં (૧૯૫૬) વીગતે અને તલસ્પર્શી આલેખન કર્યું છે. તેની પૂર્વેના સ્વતંત્ર સત્તાધીશ રાજય મૈત્રકકાલ વિશે પણ વ્યવસ્થિત અન્વેષણરૂપે હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીએ “મૈત્રકકાલીન ગુજરાત' ભાગ ૧ અને ૨માં (૧૯૫૫) અને કૃષ્ણાકુમારી વિરજીએ એન્શન્ટ હિસ્ટરી ઑવ સૌરાષ્ટ્ર બીઈંગ એ સ્ટડી ઑવ ધ મૈત્રકઝ ઑવ વલભીમાં (૧૯૫૫) વીગતપ્રચુર ઇતિહાસ આલેખ્યો છે. જ્યારે તે પૂર્વેના ગુજરાતના સ્વતંત્ર રાજ્ય “ક્ષત્રપકાલ” વિશે માત્ર છૂટાંછવાયાં નાનાં પ્રકરણો અને થોડાક લેખો (મુખ્યત્વે ક્ષત્રપોના સિક્કાઓ વિશે) સિવાય કોઈ વ્યવસ્થિત ગ્રંથ લખાયો નથી. પ્રસ્તુત ત્રણ દીર્ઘશાસિત રાજવંશોમાં પશ્ચિમી ક્ષત્રપોથી ઓળખાતા “ક્ષત્રપકાલ'નું સ્થાન આદ્ય તો છે જ પણ ઘણી બધી બાબતોમાં સર્વપ્રથમ છે. ગુજરાતનું અને સમગ્ર ભારતવર્ષનું આ સૌ પ્રથમ દીર્ઘશાસિત સ્વતંત્ર રાજ્ય હતું. આથી, ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસના આ સહુ પ્રથમ રાજકીય એકમ દરમ્યાનનાં ઇતિહાસ અને સંસ્કૃતિને સર્વગ્રાહી સાધન સામગ્રીથી અન્વેષિત કરવાનો અને એના સમૃદ્ધ કાલખંડને પ્રજા પ્રત્યક્ષ કરવાનો ઉપક્રમ અહીં છે. પાદનોંધ ૧. ૧લી મે, ૧૯૬૦થી ગુજરાત રાજય પાંચમી વખત સ્વતંત્ર રાજકીય એકમ તરીકે પુનઃ અસ્તિતત્વમાં
આવ્યું તે ભૌગોલિક પ્રદેશ. ગુજરાત શબ્દના મૂળ વિશે વધુ વિગતો વાતે જુઓ દુ.કે.શાસ્ત્રીકૃત
ઐતિહાસિક સંશોધન, પૃષ્ઠ ૨૮૦થી ૨૯૭. ૨. વિશેષ ચર્ચા સારુ જુઓ ગુરાસાંઈ, ગ્રંથ ૧, પ્રકરણ ૩, પૃષ્ઠ ૪૮થી. 3. रास और रासान्वयी कविता -आबूरास, कडी ११.
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ એક
૪. ગુરાસાંઈ, ગ્રંથ ૧, પૃષ્ઠ ૨૭૯થી ૨૮૩. ૫. વધુ માહિતી માટે જુઓ : આગ અને ગુરાસાંઈ. (ગ્રંથ ૧થી ૪).
આ બે પાયારૂપ ગ્રંથો પશ્ચાતું જે સાધનો સ્થળતપાસથી કે ઉત્પનનથી હાથવગાં થયાં તેને આધારે સંખ્યાધિક લેખો લખાતા રહ્યા છે. બેએક શોધનિબંધો પણ પદવી પ્રાપ્તિ પછી પ્રકાશિત થયા છે; જેમાં નવીનચંદ્ર આ. આચાર્યના ગુજરાતનો સોલંકીકાલીન ઇતિહાસ, અમદાવાદ, ૧૯૭૩ અને વાઘેલાકાલીન ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, અમદાવાદ, ૧૯૬૪; વર્ષા ગગનવિહારી જાની, ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન, અમદાવાદ ૧૯૯૧; ગૌરીશંકર ઓઝા, સોનૅીવાત્નીન પ્રીન તિહાસ, અજમેર, ૧૯૦૭નો સમાવેશ થાય છે. હરિપ્રસાદ શાસ્ત્રીના બંને ગુજરાતી ગ્રંથ હવે અંગ્રેજીમાં ઉપલબ્ધ છે : Gujarat Under the Maitrakas of Valabhī, the Gackwad's Oriental Series, No. 180, 2000, Vadodara. અસલમાં આ લેખકે આ વિષય વિશે અન્વેષણ કરીને વિદ્યાવાચસ્પતિની પદવી ૧૯૬૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તે પછી ઇન્ડિયન કાઉન્સિલ ઑવુ હિસ્ટોરિકલ રિસર્ચ (નવી દિલ્હી)ની આર્થિક સહાયથી ગૂજરાત વિદ્યાપીઠે ૧૯૭૫માં નવા આકારપ્રકાર સાથે ક્ષત્રપકાલનું ગુજરાત એ નામથી ગ્રંથ પ્રકટ કર્યો હતો. પણ તે પછીના ત્રણ દાયકા દરમ્યાન કેટલીક પુરાવસ્તુકીય સામગ્રી હાથવગી થઈ, કેટલીક બાબતોનાં અર્થઘટન નવેસરથી વિચારાયાં. આથી એનું તદ્દન નવસંસ્કરણ સંવર્ધિત-વિવર્ધિતરૂપે પ્રકાશિત કરવું જરૂરી જણાયું. તે હવે તમારા હાથમાં પ્રસ્તુત છે.
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બે
સાધનસામગ્રી
પશ્ચિમી ક્ષત્રપોથી સુખ્યાત રાજવંશના શાસનકાળ દરમ્યાન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના નિરૂપણ વાસ્તે સંપ્રાપ્ત સાધનસામગ્રીમાં ક્ષત્રપ રાજાઓએ તૈયાર કરાવેલા સંખ્યાતીત સિક્કાઓ મુખ્ય છે. આ કાલખંડનો રાજકીય ઇતિહાસ આલેખવા આ સિક્કાઓ સહુથી સંગીન અને પ્રમાણભૂત માહિતી સંપડાવી આપે છે". આ સિક્કાઓ ઉપર સિક્કા તૈયાર કરાવનાર રાજાના નામની સાથોસાથ તે રાજાના પિતાનું નામ તથા સિક્કા પાડ્યાનું વર્ષ ઉત્કીર્ણ હોવાથી ક્ષત્રપ રાજાઓની વિગતવાર વંશાવળી અને સળંગ સાલવારી તૈયાર કરવામાં ઘણી સુગમતા પ્રાપ્ત થઈ છે. સિક્કાઓ ઉપરાંત આ રાજાઓના થોડાક શિલાલેખો, એક શૈલલેખ, એક અશ્મસમુદ્ગકલેખ, ગણીગાંઠી સાહિત્યકૃતિઓ અને ઇમારતોના કેટલાક અવશેષ અને થોડીક શિલ્પકૃતિઓ જેવાં સાધનો પણ સંપ્રાપ્ત થયાં છે. આ દષ્ટિએ પશ્ચિમી ક્ષત્રપ રાજવંશના શાસન દરમ્યાનના ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિ નિરૂપવા કાજે મુખ્ય પ્રવર્તક સાધન સિક્કાઓ છે.
હવે આ સાધનો વિશે વિગતે ચર્ચા કરીશું.
આપણા રાષ્ટ્રના પૂર્વકાલીન ઇતિહાસની જેમ ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસના નિરૂપણમાંય ઐતિહાસિક અને પુરાવશેષીય સાધનોની ઉણપ અવરોધરૂપ નીવડે છે. આ ઇતિહાસના શરૂઆતના સમય માટે સાહિત્યિક સાધનો પ્રમાણમાં ઘણાં ઓછાં ઉપલબ્ધ થયાં છે. છતાં સર્વવિધ સાધનોમાંથી જે સામગ્રી હાથવગી થઈ શકે તે તમામ સામગ્રી સંચિત કરી એનો તલસ્પર્શી અભ્યાસ અને વિનિયોગ કરવાથી, ગુજરાતના અન્વેષણ હેઠળના કાલખંડના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે તેમ છે. સિક્કાઓ
પશ્ચિમી ક્ષત્રપ રાજવંશના શાસકોએ પડાવેલા સિક્કાઓની ચોક્કસ સંખ્યા નિશ્ચિત કરી શકાય તેમ નથી. પરંતુ સોળ જેટલા નિધિઓ (hoards) મળ્યા છે, જેમાંના પ્રત્યેક નિધિમાં ઘણી મોટી સંખ્યામાં સિક્કાઓ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત જુદાં જુદાં સ્થળોએથી છૂટાછવાયા ઘણા સિક્કાઓ મળ્યા છે અને વારંવાર મળતા રહે છે. સંગ્રહાલયોમાંના કે ખાનગી સંગ્રહોમાંના સિક્કાઓની માહિતી પણ નિરૂપણમાં ઉપયોગી રહી છે. આમ, આ રાજાઓના સિક્કાઓની પહેલી નોંધપાત્ર બાબત છે એની વિપુલ સંખ્યા. આ હકીકત સૂચવે છે કે એ સમયે આપણા પ્રદેશમાં વસતી અને વેપાર બહોળાં હોવાં જોઈએ. આ સિક્કાઓના અગ્રભાગ અને પૃષ્ઠભાગ ઉપર ઉપસાવેલાં (embossed) ચિહ્નો, આકૃતિ અને લખાણોના આધારે આ સમયમાં રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસનાં આલેખન વાસ્તુ વિપુલ સામગ્રી મેળવી શકાય છે.
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બે
અભિલેખો
ક્ષત્રપકાલીન ગુજરાતના ઇતિહાસાલેખનની આભિલેખિક સામગ્રીમાં સિક્કાઓ ઉપરાંત આ રાજાઓના સમયના થોડાક શિલાલેખો, અસ્થિપાત્રલેખો, મૃદ્ભાણ્ડલેખો વગેરેનો સમાવેશ થાય છે. પ્રસ્તુત અભિલેખોની સંખ્યા ૩૨ જેટલી છે. આ બધાંમાં શિલાલેખોનું મહત્ત્વ સવિશેષ ઉલ્લેખનીય છે.
ક્ષહરાત ક્ષત્રપવંશના જાણીતા રાજા નહપાનના સમયના એનાં સગાંસંબંધીઓના દાનવિષયક આઠ લેખો નોંધપાત્ર છે. આ બધા લેખો નાસિક અને પૂણે જિલ્લામાં આવેલી ગુફાઓની દીવાલો ઉપર કોતરેલા છે. આ લેખોનો વિષય મુખ્યત્વે દાનનો હોઈ ભૂમિદાન, ગૌદાન, સુવર્ણદાન, કન્યાદાન ઇત્યાદિની ઉપયોગી માહિતી સંપડાવી આપે છે. આ લખાણોમાં ઉલ્લિખિત મિતિ નહપાનના રાજ્યઅમલના સમયાંકન કાજે ખૂબ જ અગત્યનું સાધન છે. ઉપરાંત એમાં ઉલ્લિખિત સ્થળવિશેષ ઉપરથી તત્કાલનાં કેટલાંક ધાર્મિક સ્થળો અને વહીવટી વિભાગોનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. શરાફી પેઢી અને નાણાંની લેવડદેવડને લગતા પણ એકાદ બે નિર્દેશ છે; જેથી વ્યાજે નાણાં ધી૨વાનો કે રોકેલી મૂડીનું વ્યાજ આપવાના રિવાજનો પરિચય પમાય છે.
કાદર્મક ક્ષત્રપકુળના મહારાજા મહાક્ષત્રપ રુદ્રાદામાં ૧લાના સમયનો, ગિરનારની તળેટીમાં અશોક મૌર્યના ધર્મલેખો જે શૈલ ઉપર ઉત્કીર્ણ છે તે શૈલની પશ્ચિમ બાજુ ઉપર, કોતરેલો લેખ આપણા રાષ્ટ્રની આભિલેખિક સામગ્રીમાં અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સંસ્કૃત ગદ્યમાં અને બ્રાહ્મી લિપિમાં ઉત્કીર્ણ આ વિશાળ લેખ વિકસિત સંસ્કૃત ગદ્ય-શૈલીનો પૂર્વકાલીન ઉત્તમ નમૂનો છે. આ લેખ, અતિવૃષ્ટિને લઈને સુવર્ણસિક્તા, વિલાસિની અને પલાશિની નદીઓમાં આવેલાં પૂરથી સુદર્શન તળાવના તૂટી ગયેલા સેતુ(બંધ)ના સમારકામની ગવાહી પૂરે છે. આ તો પ્રસંગોચિત વાત થઈ. પરંતુ આ ઉપરાંત આ લેખ એક અદ્વિતીય ઐતિહાસિકદસ્તાવેજીય માહિતી પણ સંપડાવી આપે છે : જળાશયના નિર્માણકાર્યનો પૂર્વેતિહાસ. વળી રાજા રુદ્રદામાના વિશિષ્ટ વ્યક્તિત્વનું ચિત્રણ પણ આલેખિત કરે છે. તત્કાલીન શિક્ષણમાં વિદ્યમાન કેટલીક વિદ્યાઓનો અને શિક્ષણપદ્ધતિનો પરિચય પણ પમાડે છે.
ચાષ્ટન અને રુદ્રદામાના સમયના આન્ધૌના ચાર યષ્ટિ(પાળિયા)લેખો તથા ચાષ્ટનનો શક વર્ષ ૧૧નો ષ્ટિલેખ તે રાજાઓના રાજકાલ વિશે, તે સમયનાં પ્રચલિત ગોત્ર વિશે તેમ જ વ્યક્તિનામો અંગે જરૂરી માહિતી આપે છે.
ક્ષત્રપકાલના અન્ય કેટલાક શિલાલેખો પણ સંપ્રાપ્ત થયા છે; જે સાલવારી તેમ જ પૂર્વધર્મનાં બાંધકામ તથા તત્કાલીન સ્થલાદિની કેટલીક રસપ્રદ ઉપયોગી માહિતી હાથવગી કરી આપે છે. આ ઉપરાંત કેટલીક મુદ્રાઓમાં, મુદ્રાંકોમાં અને મૃદ્ભાણ્ડ ઉપર કોતરેલાં લખાણ કેટલીક સામગ્રી પૂરી પાડે છે.
વીસમી સદીના સાઠના દાયકા દરમ્યાન સાબરકાઠાં જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી-તીર્થની નજદીકમાં મોશ્વો નદીના કાંઠે આવેલા દેવની મોરી ગામની સીમમાંથી એક
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
૮
ક્ષત્રપકાલીન ગુજરાત બૌદ્ધસૂપ અને એક બૌદ્રવિહારના અવશેષો ઉત્પનનકાર્યને કારણે સંપ્રાપ્ત થયા છે. અહીંથી પ્રાપ્ત પકવેલી માટીની બૌદ્ધપ્રતિમાઓ ક્ષત્રપકાલીન શિલ્પકલાના કારીગરીકાર્ય ઉપર અભિનવ પ્રકાશ પાથરે છે. ગુજરાતમાંની આ સમયની બૌદ્ધ ગુફાઓમાં પહેલી જ વખત બૌદ્ધપ્રતિમાઓ અહીંથી મળે છે એ એની વિશેષતા છે. ગુજરાતમાં આમ શિલ્પકળાની વિશિષ્ટ શૈલી વિકસી હતી એ ધ્યાનાર્હ ગણાય. સ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત શૈલસમુદ્ગક એના ઉપર ઉત્કીર્ણ ઐતિહાસિક લખાણને કારણે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. દેવની મોરીનો આ લેખ સંસ્કૃત પદ્યઅભિલેખોમાં પૂર્વકાલીન હોવાનો જણાય છે. આ લેખ આપણા રાષ્ટ્રના અને રાજયના પૂર્વકાલીન ઇતિહાસમાં બે સમસ્યાઓ પ્રસ્તુત કરે છે : કથિક રાજાઓ અને કથિક સંવત.
આ ઉપરાંત અન્ય કેટલીક આભિલેખિક સામગ્રી પણ ઉલ્લેખનીય છે : (૧) વાસિષ્ઠીપુત્ર પુલુમાવિનો નાસિક-ગુફા-લેખ, જેમાં ગૌતમીપુત્ર શાતકર્ણિએ પશ્ચિમી ક્ષત્રપ રાજવંશને નિર્મૂળ કર્યાનો ઉલ્લેખ છે. (૨) કહેરી-ગુફાલેખ, જેમાં નિર્દેશ્યા મુજબ ગૌતમીપુત્ર સિરિ શાતકર્ણિની પત્ની મહાક્ષત્રપ રુદ્રદામાની પુત્રી હતી. (૩) પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનોના અભિલેખોમાં પરસ્પરે જીતથી મેળવેલા એકબીજાના પ્રદેશોનો ઉલ્લેખ છે. (૪) સાતવાહન રાજવંશના શિલાલેખોમાં “ક્ષહરાત' શબ્દનો નિર્દેશ પશ્ચિમી ક્ષત્રપ રાજવંશના એક કુળ તરીકે જોવો પ્રાપ્ત થાય છે. (૫) આ બંને રાજવંશોના અભિલેખોમાં પિતૃપક્ષના નામનો વિનિયોગ સામાન્ય હતો તે જાણી શકાય છે. પુરાવશેષો
આ કાલનાં સ્થાપત્ય અને શિલ્પના કેટલાક અવશેષો હાથ લાગ્યા છે. શૈલોત્કીર્ણ ગુફાઓમાં બૌદ્ધ અને જૈન ધર્મનાં ચૈત્યો અને મઠોના નમૂના આપણા રાજયના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી અનેક સ્થળોએથી મળી આવ્યા છે. ચારેક દાયકા ઉપર દક્ષિણ ગુજરાતમાંથી ક્ષત્રપકાલીન બૌદ્ધ ગુફાઓ રાજયના પુરાતત્ત્વ ખાતાએ શોધી કાઢી છે. ચણેલા ઈંટેરી સ્તૂપ અને વિહારના અવશેષો જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લામાંથી પ્રાપ્ત થયા છે, જે ક્ષત્રપકાલીન સ્થાપત્ય-શિલ્પ-ધર્મ બાબતે સારો પ્રકાશ પાથરે છે. આ ઉપરાંત આ સમયની શિલ્પકૃતિઓના કેટલાક છૂટાછવાયા નમૂના આપણા રાજયનાં વિભિન્ન સ્થળોએથી સંપ્રાપ્ત થયા છે. વળી ચારેક દાયકા પૂર્વે જામનગર જિલ્લાના જામખંભાલિયા પાસે આવેલા કાકાની સિંહણ નામના સ્થળેથી એક માનવાકૃતિ હાથ લાગી છે જે ધ્યાનાર્ય છે. આ ઉપરાંત મથુરા પાસેથી પ્રાપ્ત ચાષ્ટનનું માથા વિનાનું ખંડિત બાવલું એ સમયની પૂર્ણકામ શિલ્પકૃતિનો સુંદર નમૂનો છે. મથુરાના સંગ્રહાલયમાં સુરક્ષિત-સંગૃહીત એક સિથિયન મસ્તક પણ નોંધપાત્ર છે.
- આપણા રાજયનાં વિવિધ સ્થળોએથી સ્થળતપાસ (exploration) મારફતે અને ઉત્પનન (excavation) દ્વારા હાથવગા થયેલા વિવિધ પુરાવશેષો ક્ષત્રપકાલીન ગુર્જરરાજ્યના સાંસ્કૃતિક જીવનનાં વિવિધ પાસાંઓ વિશે ઠીક ઠીક વિગતો પૂરી પાડે છે. આ પુરાવશેષોમાં રેખાંક્તિ મુદ્રાઓ, છીપ અને શંખલાંમાંથી બનાવેલાં આભૂષણો, માટી વગેરે પદાર્થમાંથી બનાવેલા મણકાઓ, નિસાર, હાડકાં-હાથીદાંત-છીપનાં ઘરેણાં, લોખંડનાં ઓજારો, પકવેલી
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બે
માટીમાંથી તૈયાર કરેલી પ્રાણીઓ અને સ્ત્રીઓની પૂતળીઓ, કેટલાંક વાસણો, પકવેલી ઈંટો ઇત્યાદિ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આમાં, રોમીય સામ્રાજ્ય સાથે ગાઢ સંપર્ક સૂચવતા કેટલાક નમૂના પણ પ્રાપ્ત થયા છે. ક્ષત્રપકાલીન મૃદ્ભણ્ડોના અવશેષ તો ઠેકઠેકાણેથી હાથ લાગ્યા છે અને ક્યારેક હાથ લાગેય છે. વિવિધ થરોમાંથી મળતાં માટીનાં વાસણો લાલ રંગનાં
અને ચમકદાર સપાટીવાળાં હોય છે. આ વાસણો તત્કાલીન સાંસ્કૃતિક સ્થિતિનું દર્શન કરાવે છે. આ બધા પુરાવશેષો ક્ષત્રપકાલીન માનવજીવનને સમજવામાં ઉપયોગી માહિતી સંપડાવી દે છે.
અન્યથા, સૌરાષ્ટ્ર અને કચ્છના ભૂભાગમાં જો વ્યાપક પ્રમાણમાં ફ્ળતપાસ હાથ ધરવામાં આવે અને ઉત્ખનનકાર્ય હાથ ધરાય તો પ્રભાસ, જૂનાગઢ, અમરેલી, શામળાજી, નગરા, આન્ધૌ, ભરૂચ વગેરે વિસ્તારોમાંથી, અદ્યાપિ મળેલા ક્ષત્રપ અવશેષો જેવા, અવશેષો મળી આવવાની પૂરતી સંભાવના છે.
સમકાલીન સાહિત્ય
પુરાવસ્તુકીય અને આભિલેખિક સાધનસામગ્રીની સરખામણીએ ક્ષત્રપકાલીન સાહિત્યિક સામગ્રી ઘણી જ ઓછી પ્રાપ્ત થઈ છે. જે સાહિત્યસામગ્રી ઉપલબ્ધ છે તેનેય સમકાલીન ગણાવવાનાં ચોક્કસ કારણો મુશ્કેલીથી મળી આવ્યાં છે. જૈન ધર્મ અને દર્શન સાહિત્યના ઘણા લેખકો આ સમયે વિદ્યમાન હોવાનું સૂચિત થાય છે. એમાંના કેટલાકનો આનુશ્રુતીક સમય ઐતિહાસિક દૃષ્ટિએ અનિશ્ચિત હોવા છતાંય કેટલાક લેખકો ક્ષત્રપ શાસકોના સમયકાલ દરમ્યાન વિદ્યમાન હોવાનું કહી શકાય. પરંતુ જૈન સૂરિઓ જુદા જુદા પ્રદેશોમાં વિહાર કરતા રહેતા હોવાથી એમની કૃતિઓ ગુજરાતમાં લખાઈ હશે કે આસપાસના બીજા કોઈ પ્રદેશમાં એ પણ નિર્ણીત કરવું મુશ્કેલ છે. છતાં નાગાર્જુનસૂરિના અધ્યક્ષપદે વલભીમાં યોજાયેલી પરિષદમાં તૈયા૨ થયેલી જૈન આગમોની ‘વાલભી વાચના’ તથા વલભીવતની મલ્લવાદીએ લખેલો ગ્રંથ ‘દ્વાદશારનયચક્ર’ જેવી સાહિત્યની મહત્ત્વની પ્રવૃત્તિઓ ક્ષત્રપોના શાસન સમયના ગુજરાત સાથે નિશ્ચિત સંબંધ ધરાવે છે. જૈન આગમોની વાચનામાં તથા જૈન ન્યાયના વિકાસમાં આ કૃતિઓનો ફાળો ધ્યાનાર્હ બને છે. સિદ્ધસેન દિવાકર વિરચિત ‘સન્મતિપ્રકરણ', ‘બત્રીસીઓ' અને ‘ન્યાયાવતાર' ગ્રંથો પણ આ જ સમયના હોવાનું નિશ્ચિત થાય છે. જૈન વાડ્મયમાં જાણીતો ગ્રંથ ‘અંગવિજ્જા પઇણય' પણ આ શાસકોના શાસનના અંત સમયે રચાયો હોવાનું જણાય છે. ફલાદેશનું નિરૂપણ કરતો આ મહાકાય ગ્રંથ સાંસ્કૃતિક ઇતિહાસની સામગ્રીની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે; કેમ કે એમાં ગ્રહ-નક્ષત્ર-તારા વગેરે વડે કે જન્મકુંડલી વડે ફલાદેશનો નિર્દેશ જોવો પ્રાપ્ત થતો નથી. પરંતુ મનુષ્યની સાહજિક પ્રવૃત્તિઓનાં નિરીક્ષણથી, તેનાં અંગોના વિવિધ પ્રકારના ભાવો ઉપરથી ફલાદેશનું નિરૂપણ થયેલું જોઈ શકાય છે જે બાબત અદ્વિતીય બની રહે છે. આથી મનુષ્ય સાથે, તેના શરીરનાં હલનચલન, તેની રહેણીકરણી, પહેરવેશ, ખોરાક ઇત્યાદિ સંબંધિત વિષયોનાં વિપુલ વર્ણન અને વૈવિધ્યપૂર્ણ માહિતી આ ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. બ્રાહ્મણધર્મીય વિદ્વાન દુર્ગાચાર્ય વિરચિત ‘દુર્ગવૃત્તિ ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં રચાયેલી સમજાય છે; પરંતુ એની રચના ગુજરાતમાં થઈ હોવાનાં પ્રમાણો પ્રાપ્ત નથી.—સાહિત્યની આ બધી પ્રવૃત્તિઓ ક્ષત્રપકાલીન ગુજરાતની સંસ્કૃતિનું ચિત્ર આલેખવામાં રસપ્રદ વિગતો સંપડાવી આપે છે
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦
ક્ષત્રપકાલીન ગુજરાત અનુકાલીન સાહિત્ય
ક્ષત્રપાલને સ્પર્શતી કેટલીક અનુશ્રુતિઓ માટે મૈત્રકકાલ અને તે પછીના કાલમાં ગ્રંથસ્થ થયેલી કેટલીક રચનાઓ ઉપયોગી માહિતી આપે છે. મૈત્રકકાળ દરમ્યાન રચાયેલી સંઘદાસ ગણિવાચકની ‘વસુદેવહિંડી', સોલંકીકાળ દરમ્યાન લખાયેલી પ્રભાચંદ્રાચાર્યકૃત “પ્રભાવકચરિત’ (વિ. સં.૧૩૩૪), ઇસ્લામીશાસન દરમ્યાન રચાયેલી મેરૂતુંગાચાર્યવૃત “પ્રબંધચિંતામણિ (વિ. સં.૧૩૬૧) તેમ જ જિનપ્રભસૂરિ રચિત “વિવિધતીર્થકલ્પ' (વિ.સં.૧૪૦૫)–આ કૃતિઓ પણ ગુજરાતના ક્ષત્રપકાલના સાંસ્કૃતિક ઇતિહાસ કાજે ઉપયોગી સામગ્રી પ્રદત્ત કરે છે. વિદેશ સાહિત્ય
આ ઉપરાંત આ સમયના ગ્રીક લેખકોએ લખેલાં પ્રવાસવર્ણન અને ભૂગોળને લગતાં પુસ્તકો ગુજરાતનાં સાંસ્કૃતિકજીવનને ઉજાગર કરતી કેટલી માહિતી આપે છે. રોમના અજ્ઞાત પ્રવાસીએ ગ્રીક ભાષામાં લખેલો ગ્રંથ “ઇરિશ્ચિયન (લાલ) સમુદ્રનો પેરિપ્લસ (ભોમિયો)' મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે. આ ગ્રંથમાં રાતા સમુદ્રથી આરંભી હિંદી મહાસાગર સુધીની દરિયાઈ સફરને લગતી માહિતી નોંધાઈ છે. આથી આપણા દેશના પશ્ચિમ કિનારાના સમુદ્રવિસ્તારનો સારો પરિચય પ્રાપ્ત થાય છે. મિસરના ગ્રીક વિજ્ઞાની બ્લૉડિયસ તોલમાયે
ભૂગોળનું વર્ણન' નિરૂપ્યું છે, જેમાં પશ્ચિમ ભારતનાં વર્ણન અંતર્ગત સુરાષ્ટ્ર અને લાટનો ઉલ્લેખ કરે છે. આમ આ બે ગ્રીક ગ્રંથોના આધારે એ સમયના આપણા પ્રદેશની ભૌગોલિક તથા વાણિજિયક સ્થિતિનો ખ્યાલ હાથવગો થાય છે. ઉપસંહાર
પશ્ચિમી ક્ષત્રપોથી જ્ઞાત ગુજરાતના પહેલપ્રથમ સ્વતંત્ર રાજકીય એકમના શાસકોએ ઈસ્વી ૧૮થી ૪૧૫ સુધીના ચાર શતક પર્યત આપણા પ્રદેશને સ્થિર શાસન બક્ષી, શાંતિ અને વ્યવસ્થા સુદઢ કરી તથા પ્રદેશના સર્વગ્રાહી સાંસ્કૃતિક વિકાસમાં ભાતીગળ ફાળો નોંધાવ્યો છે તે બાબત ધ્યાનાર્હ રહેવી જોઈએ. પરિણામે આપણા પ્રદેશમાં રાજવ્યવસ્થા, ધર્મ, કલા, સાહિત્ય ઇત્યાદિ અનેકાનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. આમ, આપણા પ્રદેશના અનુક્ષત્રપકાલ દરમ્યાન જોવી પ્રાપ્ત થતી સમૃદ્ધકાલની વિકસિત સંસ્કૃતિનાં ઘણાં બીજ ક્ષત્રપકાલ સમયે વવાયાં અને અંકુરિત પણ થયાં હતાં. આથી આપણા પ્રદેશના સાંસ્કૃતિક ઇતિહાસના પાયારૂપ આ કાલનાં ઇતિહાસ અને સંસકૃતિનો ફાળો ધ્યાનાર્હ ગણાવી શકાય. ક્ષત્રપાલનું આ યોગદાન ભાતીગળ તો હતું જ, બુનિયાદી પણ હતું.
પાદનોંધ ૧. જેમ મૈત્રક રાજાઓના ઇતિહાસ વાતે ઉત્કીર્ણ લખાણોયુક્ત તામ્રશાસનો અને સોલંકી શાસકોના
ઇતિહાસ સાર સાહિત્યનાં સાધનો સવિશેષ અગત્યનાં છે, તેમ ક્ષત્રપ રાજાઓ કાજે સિક્કાઓ. મૈત્રકોના શાસનકાલના તથાકથિત સિક્કાઓ હાથ લાગ્યા છે જેની સંખ્યા બહુ નથી તેમ જ સાહિત્યિક સાધનો પણ ઝાઝેરાં નથી. સોલંકી શાસકોના સમૃદ્ધ સમય દરમ્યાનના અભિલેખો અને સાહિત્યનાં પ્રમાણો સંખ્યાધિક છે પરંતુ આ શાસકોના સિક્કા બહુ જ થોડા મળે છે તે બાબત આશ્ચર્યકારક છે.
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બે
૧૧
૨. પશ્ચિમી ક્ષત્રપોના સિક્કાઓ વિશે એક અલગ પ્રકરણ આ ગ્રંથમાં સમાવિષ્ટ છે જેમાં સિક્કાઓની
સર્વગ્રાહી રજૂઆત કરી છે (જુઓ પ્રકરણ તેર). આ સિક્કાઓના જે નિધિઓ સંપ્રાપ્ત થયા છે તેની માહિતી માટે જુઓ પરિશિષ્ટ ત્રણ. આ રાજાઓની સાલવારી નિર્ણાત કરવા સિક્કાઓની સસંદર્ભ વ્યક્તિગત માહિતી માટે એક અલગ પરિશિષ્ટ પ્રસ્તુત કર્યું છે (જુઓ પરિશિષ્ટ બે). સંગ્રહાલયોમાં
સુરક્ષિત સિક્કાઓ અને વ્યક્તિસંગ્રહના સિક્કાઓનો સંદર્ભ પણ આ પરિશિષ્ટમાં સમાવિષ્ટ છે. ૩. વીગતો વાસ્તે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ એક. ૪. પ્રસ્તુત શૈલલેખમાંથી ઉદ્ભવતી સાંસ્કૃતિક ઇતિહાસની વીગતો માટે જુઓ પરિશિષ્ટ સાત. ૫. આ સમયમાં પ્રચલિત વિદ્યાઓ વાસ્તુ અને પ્રચારમાં રહેલી શિક્ષણ પદ્ધતિ સારુ જુઓ પ્રકરણ સોળ. ૬. દેવની મોરીના ઉત્પનન સારુ ૨.ના.મહેતા અને સુ.ના.ચૌધરીનો ગ્રંથ “એકવેશન એટ દેવની મોરી:
કથિક રાજાઓ અને કથિક સંવત વિશે જુઓ આ ગ્રંથમાં પ્રરિશિષ્ટ ચાર. ૭. વિગતવાર માહિતી માટે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ બાર. ૮. પ્રસ્તુત ગ્રંથોના વર્ણન વિશે જુઓ પ્રકરણ પંદર. ૯. અહીં પ્રસ્તુત કરેલી વિવિધ મહત્ત્વની સામગ્રી ઉપરાંત જે તે રાજા, ઘટના કે પ્રસંગ સંદર્ભે જયાં ત્યાં
નિર્દિષ્ટ સાધનસામગ્રી પણ નોંધપાત્ર છે.
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ એક
ક્ષત્રપ સમયના અભિલેખ
પશ્ચિમી ક્ષત્રપોથી આપણા ઇતિહાસમાં જ્ઞાત ગુજરાતના ક્ષત્રપવંશના રાજાઓના ઇતિહાસને જાણવા સારુ સિક્કાલેખો પછી સાધન તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે અભિલેખ. આ સમયના ૩ર અભિલેખ અદ્યાપિ પ્રાપ્ત થાય છે. આ બધા અભિલેખની સસંદર્ભ સૂચિ અત્રે પ્રસ્તુત કરી છે; પરંતુ પ્રત્યેકના પ્રકાશન અંગેના વ્યક્તિગત સંદર્ભ આપવાને સ્થાને એ લેખો એક સાથે જે પુસ્તકોમાં અને સૂચિપત્રકમાં સ્થાન પામ્યા છે તે તેનો ક્રમસંદર્ભ આપવાનું યોગ્ય ગયું છે. જે તે ગ્રંથ કે સૂચિપત્રકની વિગત અહીં આપી છે. જો કે હવે પછીના પ્રકરણમાં તે તે અભિલેખ વિશે જરૂરી સંદર્ભે જે તે સ્થાને પાદનોંધમાં આપ્યા છે.
અહીં પ્રસ્તુત અભિલેખસૂચિમાં વિનિયોગ પામેલ સંક્ષેપસૂચિ આ મુજબ છે : આચાર્યનો નંબર : ગિરિજાશંકર વલ્લભજી આચાર્યે ગુજરાતના ઐતિહાસિક લેખો' નામક
ગ્રંથ ત્રણ ભાગમાં સંપાદિત કર્યો છે; અનુક્રમે વર્ષ ૧૯૩૩, ૧૯૩૫ અને ૧૯૪૨માં. આમાંના પ્રથમ ભાગમાં ક્ષત્રપોના અભિલેખોનું વાચન પ્રસ્તુત
કર્યું છે. આથી આ ગ્રંથમાંનો ક્રમાંક કોઠામાં છઠ્ઠા ક્રમે રજૂ કર્યો છે. સરકારનો નંબર : ડૉ. દિનેશચંદ્ર સરકારે “સીલેકટ ઇસ્ક્રિશન્સ બેરીંગ ઑન ઇન્ડિયન
હિસ્ટરી ઍન્ડ સિવિલિઝેશન” (ભાગ ૧, બીજી આવૃત્તિ ૧૯૭૦) નામનો ગ્રંથ સંપાદિત કર્યો છે. એમના ગ્રંથમાંના ક્ષત્રપલેખોનો ક્રમાંક અહીં
સાતમા ક્રમે રજૂ કર્યો છે. સત્યશ્રાવનો નંબર : “ધ શક્સ ઇન ઇન્ડિયા' નામનો ગ્રંથ ૧૯૪૭માં સત્યશ્રાવે પ્રકાશિત કર્યો
છે. એમણે પરિશિષ્ટમાં ક્ષત્રપોના કેટલાક લેખોના પાઠ સસંદર્ભ પ્રસ્તુત
કર્યા છે. એમનો ક્રમાંક પણ અહીં આઠમા ક્રમથી ઉપયોગમાં લીધો છે. સંદર્ભસૂચિનો નંબરઃ ગુજરાત ઇતિહાસ પરિષદ નામની સંસ્થા તરફથી ગુજરાત ઇતિહાસ
સંદર્ભસૂચિ” નામના ખંડ પ્રકાશિત થતા રહે છે. આમાંના ખંડ માં (૧૯૬૨) ગુજરાતના ઇતિહાસના પૂર્વકાલીન અભિલેખોની સૂચિ આપી
છે. આનો ક્રમાંક અહીં નવમા ક્રમથી ઉપયોગાયો છે. કોઠામાં ફક્ત ક્રમાંક આપ્યા છે. જે તે ક્રમાંક શું સૂચિત કરે છે તેની વિગત હવે અહીં પ્રસ્તુત છે : એક
: આ લેખકનો પોતાનો ક્રમાંક-અનુક્રમ : ક્ષત્રપ રાજાનું નામ કે જેના સમયનો એ અભિલેખ છે. શક્ય છે ત્યાં
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ એક
ત્રણ
ચાર
પાંચ
છ
સાત
આઠ
નવ
કમ્યુભુ
કાગુમ
જમ્મુજૂ
નાગુમ
વોમ્યુરા
પુખાકરા
પુવિમસ
પ્રિવૅમ્યુનું
કૌંસમાં લેખ કોતરાવનારનું નામ આપ્યું છે.
• જે તે લેખમાં ઉલ્લિખિત શક સંવતનું વર્ષ આ ક્રમમાં છે. વર્ષનો નિર્દેશ જે લેખમાં નથી ત્યાં ‘નથી’ અને જ્યાં નિશ્ચિત નથી ત્યાં કૌંસમાં પ્રશ્નાર્થ ચિહ્ન રજૂ કર્યું છે. નહપાનના લેખોમાં નિર્દિષ્ટ વર્ષ તેના રાજકાલનાં છે, શક સંવતનાં નથી.
: આ લેખો જ્યાંથી સંપ્રાપ્ત થયા છે તે પુરાતન સ્થળનું નામ અર્વાચીન સંદર્ભમાં.
: આ લેખો હાલ જ્યાં સુરક્ષિત-સંગૃહીત છે તેનો નિર્દેશ અહીં છે.
: આચાર્યનો ક્રમાંક.
: સરકારનો ક્રમાંક.
: સત્યશ્રાવનો ક્રમાંક,
: સંદર્ભસૂચિનો ક્રમાંક.
ઉપરાંત લેખ હાલ જ્યાં સંગૃહીત છે તે સ્થાન-સ્થળની સંક્ષેપસૂચિ અત્રે પ્રસ્તુત કરી છેઃ
: કચ્છ મ્યુઝિયમ, ભુજ.
: કાર્લે ગુફા, મહારાષ્ટ્ર.
: જૂનાગઢ મ્યુઝિયમ, જૂનાગઢ.
: નાસિક ગુફા, મહારાષ્ટ્ર.
: વૉટ્સન મ્યુઝિયમ, રાજકોટ.
: પુરાતત્ત્વ ખાતાની કચેરી, રાજકોટ.
: પુરાવસ્તુવિદ્યા વિભાગ, મ.સ.વિશ્વવિદ્યાલય, વડોદરા.
: પ્રિન્સ ઑવ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ.
૧૩
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
2b
ક્ષત્રપ સમયના અભિલેખ
ત્રણ
ચાર
પાંચ
સાત
આઠ
નવ
નહપાન (ઉષવદાત્ત) નહપાન (ઉષવદાત્ત)
|
નથી.
في العال
ઝ |
નહપાન
|
નહપાન
| ૪૧,૪૨,૪૫ | નાસિક ગુફા નં.૧૨
નાસિક ગુફા નં.૧૫ નથી
નાસિક ગુફા નં.૧૧ નથી.
નાસિક ગુફા નં.૧૩ નાસિક ગુફા નં.૧૪૪
કાર્લ ગુફા નં. ૧૧ નથી
કાર્લ ગુફા નં. ૧૩ ૪૬
જુન્નર ગુફા
T | U
૫.
નહપાન
નથી.
|
નહપાન
નથી.
0 |
નહપાન
For Personal & Private Use Only
નાગુમ નાગુમ નાગુમ નાગુમ નાગુમ
કાગુમ | કાગુમ જુન્નરગુફા મહારાષ્ટ્ર કમ્યુભુ કલ્યુભુ કમ્યુભુ કમ્યુભુ કમ્યુભુ
નહપાન
૧૧
આંધો–કચ્છ આંધી-કચ્છ
પર
૨
|
૬૩
?
|
૧૦
પર
૬૪ | ૧૦
|
૧૧
આંધ-કચ્છ આંધી-કચ્છ
પર
૬૫
| ૧૧
૧૨
ચાષ્ટની ૧૦. ચાખન-રુદ્રદામાં ૧૧. | ચાખન-રુદ્રદામાં ૧૨. ! ચાખન-રુદ્રદામાં ૧૩. ચાટન-રુદ્રદામાં ૧૪. | રુદ્રદામાં
રુદ્રદામાં ૧૬. |
રુદ્રસિંહ ૧લો
પરે
આંધ-કચ્છ
૬૬
| ૧૨
૧૩
૬૨ કે ૭૨
ખાવડા-કચ્છ
કમ્યુ
ક્ષત્રપકાલીન ગુજરાત
૧૫.
૭૨
ગિરનાર
૧૩ | | ૧૪
૧૦૦(+)
વાંઢ-કચ્છ
કમ્યુભ
Page #28
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫.
૨૬.
૨૭.
૨૮.
૨૯.
૩૦.
૩૧.
૩૨.
૩૩.
રુદ્રસિંહ ૧લો
રુદ્રસિંહ ૧લો
રુદ્રસિંહપ
જયદામાનો પૌત્ર (રુદ્રસિંહ ૧લો)
જીવદામા ૧લો
રુદ્રસેન ૧લો
રુદ્રસેન ૧લો
રુદ્રસેન જો
વીરદામા
રુદ્રસિંહ ૨જો
જીવદામા ૨જો
રુદ્રસેન ૧લો
૧૦૩
૧૦(૩)?
૧૧૪(૫)
[૧૧૯-૨૦]
૧૦૦(+)
૧૨૨
૧૨૭
૧૨૭
નથી
૨૨૮
૧૦૦(+)
૨૦૧
-
ગુંદા-રાજકોટ
મેવાસા-કચ્છ’
આંધૌ-કચ્છ
બાવા-ખારા ગુફા
જૂનાગઢ
મૂલવાસર-દ્વારકા
ગઢા-રાજકોટ
દેવની મોરી શામળાજી
કડિયા ડુંગર ભરૂચ
કાનખેરા, સાંચી
લાઠી-સુરેન્દ્રનગર
ઈંટવા (મુદ્રાંક)
ટીંબરવા(મુદ્રાંક)૧૦
વડનગર(મુદ્રાંક)૧૧
દોલતપુર કચ્છ
વૉમ્યુરા
કમ્યુભુ
કમ્યુનુ
વૉમ્યુરા
જૂજૂ
દ્વારકા
લાયબ્રેરી
વૉમ્યુરા
પુવિમસ
ઝાજપોર
સ્ટેશન
સામે
પુખાકરા
પ્રિવમ્યુમ
જૂજૂ
પુવિમસ
પુવિમસ
કમ્યુભુર
૭
૧૨
-
૯
-
૧૧
८
૧૦
૬૯
-
૭૦
-
I
૭ર
-
││
૧૪
૧૫
-
૧૬
૧૭
૧૮
|૩||
।
19
૨૦
।
૧૫
૨૧
-
૧૭
૧૬
૧૮
૧૯
૨૦
।
પ્રકરણ બે
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૬
પાદનોંધ
૧.
આ શિલાલેખ વીસમી સદીના સાતમા દાયકાના ઉત્તરાર્ધમાં હાથ લાગ્યો હતો. સહુ પ્રથમ પૂણે સ્થિત શોભના ગોખલેએ એને પ્રસિદ્ધ કર્યો હતો. (જુઓ : જર્નલ ઑવ એન્શન્ટ ઇન્ડિયન હિસ્ટરી, પુસ્તક ૨, ભાગ ૧-૨, પૃષ્ઠ ૧૦૪થી, કલકત્તા, ૧૯૭૦).
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
ક્ષત્રપકાલીન ગુજરાત
જયેન્દ્ર નાણાવટી અને હરિપ્રસાદ શાસ્ત્રી, જઓઇ., પુસ્તક ૧૧, અંક ૩, પૃષ્ઠ ૨૩૭થી, પ્લેટ છે, ૧૯૬૨. જે.એમ.નાણાવટી, લેગિસ વ્ ગુજરાત, ૨૦૦૩, અમદાવાદ, પૃષ્ઠ ૪૨થી ૪૪. આ લેખ વીસમી સદીના ઉત્તરાર્ધના બીજા દાયકા સુધી અપ્રકટ હતો. પ્રસ્તુત ગ્રંથના લેખકે વિદ્યાવાચસ્પતિના શોધકાર્ય દરમ્યાન તેને પ્રજાપ્રત્યક્ષ કર્યો હતો. વિશેષ ચર્ચા વાસ્તે જુઓઃ રસેશ જમીનદાર, ટુ મોર વેસ્ટર્ન ક્ષત્રાસ ઇનસ્ક્રિપ્શન્સ', સંબોધિ, પુસ્તક ૩, અંક ૪, પૃષ્ઠ ૭૩થી,
૧૯૭૫.
આ લેખની છેવટની ચર્ચા માટે જુઓઃ રસેશ જમીનદાર, ‘ધ મેવાસા ઇનસ્ક્રિપ્શન: એ રીએપ્રાયઝલ', પંચાલ, પંચાલ શોધ સંસ્થાન, કાનપુર, પુસ્તક ૭, ૧૯૯૪, પૃષ્ઠ ૧૧૫થી ૧૧૭. આ લેખમાં આ લેખકે શક વર્ષ ૧૩૦ હોવાનું, પ્રશ્નાર્થ રાજા રુદ્રસેન ૧લો હોવાનું સૂચન કર્યું છે.
આ લેખ પણ આ લેખકે અહીં પહેલીવાર પ્રસિદ્ધ કર્યો હતો. વિગતવાર માહિતિ માટે જુઓ : રસેશ જમીનદાર, ધ આન્ધૌ ઇનસ્ક્રિપ્શન ઑવ રુદ્રસિંહ ફર્સ્ટ', સંબોધિ, પુસ્તક ૩, અંક ૨-૩, પૃષ્ઠ ૪૫
૪૯, ૧૯૭૪.
શોભના ગોખલે, ઓઇ., પુસ્તક ૨૨, નંબર ૩, પૃષ્ઠ ૨૯૦-૨૯૩, ૧૯૭૩; જયેન્દ્ર નાણાવટી, અત્ર તત્ર પુરાતત્ત્વ : ગુજરાતનો ઇતિહાસ, અમદાવાદ, ૨૦૦૩, પૃષ્ઠ ૧૬૦થી ૧૬૩.
મંજુલાલ ૨. મજમુદાર સંપાદિત, ક્રૉલજિ ઑવ ગુજરાત, વડોદરા, ૧૯૬૦, પૃષ્ઠ ૯૪, ૧૩૫; પટ્ટ ૧૭એ (સી). આ લેખના પુરા વાંચન-વિવરણ-વિવેચન વાસ્તે જુઓ ઉપર્યુક્ત પાદનોંધ ત્રણ. ૯. સદર, પૃષ્ઠ ૯૪, પટ્ટ ૧૭એ (બી).
૨.ના.મહેતા અને સૂર્યકાંત ચૌધરી, એક્ષ્મવેશન એટ દેવની મોરી, વડોદરા, ૧૯૬૬; તથા જોઈ., પુસ્તક ૧૨, નંબર ૨, પૃષ્ઠ ૧૭૩થી ૧૭૬, આકૃતિ નંબર ૪થી ૮, ૧૯૬૩.
૧૦. એજન, પૃષ્ઠ ૯૪, પટ્ટ ૧૮, નંબર ૨.
૧૧. સુબ્બારાવ અને મહેતા, ', મ.સ.યુનિવર્સિટી જર્નલ, માર્ચ ૧૯૫૫, પૃષ્ઠ ૨૧થી, પટ્ટ ૧૮૨. ૧૨. ડૉ.ભગવાનસિંઘ સૂર્યવંશી, બુલિટિન ઑવ ધ મ્યુઝિયમ ઍન્ડ પિકચર ગેલરિ, વડોદરા, પુસ્તક ૨૦, પૃષ્ઠ
૬૮, ૧૯૬૮; અને શોભના ગોખલે, જઓઇ., પુસ્તક ૧૮, અંક ૩, પૃષ્ઠ ૨૩૭થી, ૧૯૬૯. બંને લેખકો લેખનું સંપાદન કરતાં મિતિ વિશે અને રાજા વિશે ભિન્ન ભિન્ન પાઠ સૂચવે છે. સૂર્યવંશી શક વર્ષ ૧૫૮ અને રાજા પૃથિવીષેણ તથા ગોખલે શક વર્ષ ૨૫૪ અને રાજા પ્રિયસેન હોવાની અટકળ કરે છે. પ્રિયસેન નામનો રાજા ઇતિહાસમાં જ્ઞાત નથી. જ્યારે પૃથિવીષેણનું રાજ્ય વર્ષ ૧૪૪માં હતું; ૧૫૮માં તો દામસેનનું શાસન હતું. લેખની સ્થિતિ સારી નહીં હોવાથી કશું સ્પષ્ટ મંતવ્ય આપવું મુશ્કેલ છે.
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ બે
કાલાનુક્રમે ક્ષત્રપ સિક્કાઓની સૂચિ
લેખકનું ક્ષેત્રકાર્ય સર્વેક્ષણ
૧૯૬૧માં વિશ્વવિદ્યાલય અનુદાન પંચની શોધશિષ્યવૃત્તિ સાથે ગુજરાત યુનિવર્સિટી સંલગ્નિત ઉચ્ચ શિક્ષણની સંસ્થા શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવનમાં વિદ્યાવાચસ્પતિની પદવી વાસ્તે સંસ્થાના વરિષ્ઠ પ્રાધ્યાપક ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ અન્વેષણકાર્ય “ક્ષત્રપકાલીન ગુજરાત : ઇતિહાસ અને સંસ્કૃતિ પરત્વે આરંભ્ય ત્યારે આ વિષયના મુખ્ય સ્રોત સંદર્ભે સિક્કાઓ તપાસવાની અનિવાર્ય આવશ્યક્તા ઉદ્ભવી. ૧૯૬૨થી ૧૯૬૪નાં ત્રણ વર્ષો દરમ્યાન કચ્છ મ્યુઝિયમ (ભુજ), જૂનાગઢ મ્યુઝિયમ, વૉટ્સન
મ્યુઝિયમ (રાજકોટ), ગાંધી સ્મૃતિ સંગ્રહાલય (ભાવનગર), પિકચર ઍન્ડ આર્ટ ગેલરિ (વડોદરા), પ્રિન્સ ઑવ વેલ્સ મ્યુઝિયમ (મુંબઈ), ડિપાર્ટમેન્ટ ઑવ એન્શન્ટ ઇન્ડિયન હિસ્ટરી, કલ્ચર ઍન્ડ આર્કિયૉલોજી (મ.સ.વિશ્વવિદ્યાલય, વડોદરા), આર્કિયૉલોજિકલ મ્યુઝિયમ (ઈન્દોર અને ગ્વાલિયર), નેશનલ મ્યુઝિયમ (નવી દિલ્હી)–આ બધી સંસ્થાઓમાં સંગૃહીત સિક્કાઓની આ લેખકે જાત તપાસ કરી હતી. આ ઉપરાંત સર્વશ્રી સદાશંકર શુક્લ (મુંબઈ) અને રૂપચંદ નારણદાસ ટેકચંદાની (વડોદરા)ના અંગત સંગ્રહમાં સુરક્ષિત ક્ષત્રપ સિક્કાઓની પણ જાત તપાસ કરી હતી. આ બધાંમાં સંગૃહીત પશ્ચિમી ક્ષત્રપોના પ્રત્યેક સિક્કા ઉપરના અગ્રભાગની અને પૃષ્ઠભાગની ઉપર ઉપસાવેલાં લખાણો અને પ્રતીકોની વિગતવાર નોંધ લખી દીધી હતી. એડવર્ડ જેમ્સ રેપ્સને એમના ગ્રંથ “કેટલૉગ ઑવ ઇન્ડિયન કૉઈન્સ ઇન ધ બ્રિટિશ મ્યુઝિયમ' (પુસ્તક ૪)માં આપેલી ક્ષત્રપ સિક્કાઓની સૂચિ, ત્યાર બાદ પ્રાપ્ત થયેલા ક્ષત્રપ સિક્કાઓના ખજાના (નિધિઓ) અને તેમનાં પ્રકાશિત થયેલાં પરિણામો તેમ જ પરિશિષ્ટ ત્રણમાં નિર્દિષ્ટ સંગ્રહાલયો અને અંગત સંગ્રહોમાંના સિક્કાઓને આધારે પ્રસ્તુત પરિશિષ્ટમાં પશ્ચિમી ક્ષત્રપોથી ખ્યાત ગુજરાતના ક્ષત્રપ રાજાઓની વિગતવાર સાલવારી આપવાનો અહીં નમ્ર પ્રયાસ કર્યો છે. સંભવ છે કે આ પ્રકારની સાલવારી રજૂ કરવાનો આ પ્રયાસ વિદ્વાનોને અને અન્વેષકોને ખસૂસ ઉપયોગી થઈ રહેશે. પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીનું પ્રદાન
| ઉપલબ્ધ સિક્કાઓને આધારે ક્ષત્રપ રાજાઓની સાલવારી પહેલ પ્રથમ તૈયાર કરી પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીએ અને એનાં પરિણામ એમણે પ્રકાશિત કર્યા જરૉએસોના ૧૮૯૦ના અંકમાં અને તત્પશ્ચાત “ગેઝેટિયર ઑવ ધ બૉમ્બે પ્રેઝિડેન્સિ'ના પ્રથમ ગ્રંથના પ્રથમ ભાગમાં ૧૮૯૬માં. આ પ્રયાસને આધારે બીજો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો એડવર્ડ જેમ્સ રેપ્સને; જેની વિગતો જરૉએસોના ૧૮૯૯ના અંકમાંથી પ્રાપ્ત થઈ શકે છે. તે પછી એનો વ્યવસ્થિત અને પદ્ધતિસરનો અભ્યાસ કરી એનાં બૃહદ પરિણામો રેપ્સને કેટલૉગ ઑવ ધ કૉઈન્સ ઑવ ધ આંધ ડાયનેસ્ટી,
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮
ક્ષત્રપકાલીન ગુજરાત ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ, ધ સૈકૂટક ડાયનેસ્ટી એન્ડ ધ બોધિ ડાયનેસ્ટી' નામના ગ્રંથમાં ૧૯૦૮માં પ્રસ્તુત ક્ય છે. આ ગ્રંથમાંની અધિકૃત માહિતી અદ્યપર્યત ઇતિહાસવિદોને ઉપયોગી થઈ આવી છે. અલબત્ત, રેપ્સનના સમય પછી તો ક્ષત્રપના સિક્કાઓના ઘણા નવા નિધિઓ હાથવગા થયા છે; અને સામયિકોમાં એનાં પરિણામો વિગતવાર પ્રસિદ્ધ થતાં રહ્યાં છે. તો પણ ભગવાનલાલ અને રેપ્સનના પ્રારંભિક પ્રયાસોનું-અભ્યાસનું મહત્ત્વ ઘટ્યું નથી. અન્ય અધ્યેતાઓના પ્રયાસ
“ધ કાર્દમક ક્ષત્રપ્સ ઑવ વેસ્ટર્ન ઇન્ડિયા' એવા શીર્ષકથી સિક્કાનિષ્ણાત ડૉ. પરમેશ્વરીલાલ ગુપ્તએ ચાખનથી વિશ્વસેન સુધીના રાજાઓ વિશે નિરૂપણ કરતાં સાલવારીનો ઉલ્લેખ કર્યો છે અને તે લેખ “બુલિટિન ઑવ ધ પ્રિન્સ ઑવ વેલ્સ મ્યુઝિયમ'ના અંકમાં (૧૯૫૩-૫૪, અંક ૪) પ્રકાશિત થયો છે. તેમણે ક્યાં ક્યાં વર્ષોના સિક્કઓ મળ્યા નથી તેની માહિતી પણ આપી છે. અલબત્ત, આ સાલવારી વર્ષવાર નથી; ફક્ત જે તે રાજાના સિક્કાઓની ઉપલી અને નીચલી જ્ઞાત મર્યાદા સૂચવે છે. તે પછી ૧૯૫૬માં “ધ કનૉલજિ ઑવ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ' નામના લેખમાં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ કોષ્ટકરૂપે ક્ષત્રપોની સાલવારી આપી છે, જે લેખ ગુજરાત યુનિવર્સિટીના અર્ધવાર્ષિક સામયિક “વિદ્યા'ના પુસ્તક ૧, અંક ૧માં પ્રસિદ્ધ થયો છે. એમણે પણ જે તે રાજાના આરંભ અને અંતનાં વર્ષોનો જ ઉલ્લેખ કર્યો છે અને લેખાંતે ખૂટતાં વર્ષોની યાદી આપી છે. આ લેખકના પ્રયાસનું પરિણામ
આથી, જયારે આ લેખકે આ રાજાઓ વિશે અન્વેષણકાર્ય હાથ ધર્યું અને તે અનુસંધાને ક્ષત્રપ સિક્કાઓની જાત તપાસ કરી તેનાં છેલ્લામાં છેલ્લાં પરિણામો સાથે શક્યતઃ સળંગ સાલવારી, ઉપલબ્ધ માહિતીને આધારે, આપવાનો પ્રયાસ અહીં પ્રસ્તુત છે.
આ રાજાઓએ ગુજરાત, પશ્ચિમ માળવા, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર મહારાષ્ટ્ર ઉપર દીર્ઘકાલ સુધી સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. આથી, સમયે સમયે રાજસ્થાન, માળવા અને મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી ક્ષત્રપ રાજાઓના સિક્કાઓ ઉપલબ્ધ થતા રહ્યા છે જે અહીં પ્રસ્તુત સાલવારીથી સ્પષ્ટ થશે. સમયાંતરે આ રાજાઓનો રાજસ્થાન, માળવા અને મહારાષ્ટ્રના પ્રદેશો ઉપરનો રાજકીય પ્રભાવ ક્રમશઃ ઓછો થતો ગયો ત્યારેય વર્તમાન ગુજરાત ઉપરનો એમનો રાજકીય કાબૂ છેક સુધી રહ્યો હતો.
આપણે અવલોકી ગયા તેમ સિક્કાઓ ક્ષત્રપોનાં ઇતિહાસ અને સંસ્કૃતિના નિર્માણમાં એક માત્ર ધ્યાનાર્હ મુખ્ય સાધન છે. આ બધા સિક્કાઓ ચાંદીના છે, થોડાક અપવાદ સિવાય. આ સિક્કાઓના અભ્યાસથી એની બે મહત્તા સ્પષ્ટ થાય છે : (૧) સિક્કા પડાવનાર રાજાએ પોતાનાં નામ અને હોદ્દાઓ સાથે પોતાના પિતાનાં નામ અને હોદ્દાઓ પણ કોતરાવ્યાં છે. આને કારણે આ રાજાઓની સળંગ વંશાવળી તૈયાર કરવામાં ઇતિવિદોને સરળતા સાંપડી છે. (૨) આ રાજાઓએ આ ઉપરાંત સિક્કા તૈયાર કર્યાનું વર્ષ પણ પ્રત્યેક સિક્કા ઉપર અંકિત કર્યું છે, જેથી તેમની સળંગ સાલવારી તૈયારી થઈ શકી છે. અલબત્ત, આરંભના કેટલાક સિક્કાઓ મિલિનિર્દેશ
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ બે
૧૯
વિનાના છે; પરંતુ એમાંના કેટલાક રાજાઓના વર્ષયુક્ત શિલાલેખો ઉપલબ્ધ હોઈ એ રાજાઓનો સમય નિર્ણિત કરવામાં સુગમતા સાંપડી છે.
આ રાજાઓએ પાડવેલા સિક્કાઓ બે પ્રકારના છે : ક્ષત્રપ તરીકેના અને મહાક્ષત્રપ તરીકેના. જો કે બંને પ્રકારમાં “રાજા' શબ્દ વિશેષણ તરીકે સર્વત્ર પ્રયોજાયેલું છે. ઘણીવાર એક જ વર્ષના ક્ષત્રપ અને મહાક્ષત્રપ ઉભયના સિક્કા સંપ્રાપ્ત થયા છે. આથી એવું અનુમાની શકાય કે ક્ષત્રપ સિક્કાઓ યુવરાજના હોય અને મહાક્ષત્રપ બિરુદવાળા સિક્કાઓ સત્તાધીશ રાજાના હોય. આથી એક સરળતા પ્રાપ્ત એ થાય છે કે કયો રાજા ક્યારે અને ક્યાં સુધી ક્ષત્રપપદે એટલે કે યુવરાજ તરીકે રહ્યો અને ક્યારે તે મહાક્ષત્રપપદ પામ્યો. અહીં એક પ્રશ્ન વિચારણાધીન રહે છે : ક્ષત્રપોના બધા સિક્કાઓ ઉપર “રાજા ક્ષત્રપ” અને “રાજા મહાક્ષત્રપ' એવું લખાણ ઉપસાવેલું જોવું પ્રાપ્ત થાય છે. અર્થાત્ “રાજા” વિશેષણ બિરુદાર્થે ઉભય પ્રકારના સિક્કાઓમાં છે. તેથી કોણ યુવરાજ અને કોણ મહારાજ તે ભેદ દર્શાવવા માટે યુવરાજ વાસ્તે “ક્ષત્રપ' અને મહારાજા સારુ “મહાક્ષત્રપ' બિરુદનો વિનિયોગ ક્ષત્રપ સિક્કાઓની વિશેષતા છે, તે સાથે યુવરાજ અને મહારાજા બંને સંયુક્તશાસન ચલાવતા હતા તેની પ્રતીતિ થાય છે. કોઠાને સમજવાની ચાવી
કોઠામાં છ કુલ પાનાં ઊભી સપાટીએ છે. તે તે ખાનું શું સૂચવે છે તેની માહિતી હવે અહીં પ્રસ્તુત કરી છે. ખાનાં એકથી છ સુધીનાં છે. ખાનું : તેની સમજૂતિ એક : લેખકનો પોતાનો સળંગ ક્રમાંક સૂચવે છે. બે : શક સંવતનાં વર્ષનો નિર્દેશ છે. ત્રણ : રાજા ક્ષત્રપનું નામ આપ્યું છે. (યુવરાજ) ચાર : રાજા મહાક્ષત્રપનું નામ આપ્યું છે. (મહારાજા) પાંચ : રેપ્સનના કેટલૉગનો ક્રમ નંબર દર્શાવ્યો છે. છે : જે તે સિક્કો કયા નિધિનો છે, તે ક્યાં સુરક્ષિત અને સંગૃહીત છે, ત્યાંનો ક્રમાંક કયો છે તે દર્શાવ્યું છે. ઉપરાંત જે તે સિક્કાના પ્રકાશનનો સંદર્ભ પણ આપ્યો છે.
સંક્ષેપસૂચિ કોઠામાંનું છઠ્ઠું ખાનું અન્વેષણની દષ્ટિએ અને સંદર્ભની રીતે મહત્ત્વનું છે. તેથી અહીં ઉપયોગાયેલા સંદર્ભની વિગતવાર માહિતીનો સંક્ષેપ રજૂ કર્યો છે. ૧. આસઇરિ : આર્કિયોલોજિકલ સર્વે ઑવ ઇન્ડિયા, એન્યુઅલ રિપૉર્ટ, પાર્ટ સેકન્ડ. ૨. એરિઆડિ : એન્યુઅલ રિપૉર્ટ ઑવ ધ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ, બરોડા સ્ટેટ, ૧૯૩૫
૩૬, પૃષ્ઠ ૫૪-પ૬ અને ૬૧-૬૬ તથા ૧૯૩૬-૩૭, પૃષ્ઠ ૧૮-૨૦. ૩. કમ્યુભ : કચ્છ મ્યુઝિયમ, ભુજ. ૪. ગાંસંભા : ગાંધી સ્મૃતિ સંગ્રહાલય, ભાવનગર.
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૦
ક્ષત્રપકાલીન ગુજરાત ૫. જન્યુસોઇ : જર્નલ ઑવ ધ ન્યુમિઝમૅટિક સોસાયટી ઑવ ઈન્ડિયા. ૬. જબૉબારોએસો : જર્નલ ઑવ ધ બૉમ્બે બ્રાન્ચ ઑવ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૭. જરૉએસો : જર્નલ ઑવ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૮. જૂન્યુજૂ : જૂનાગઢ મ્યુઝિયમ, જૂનાગઢ. ૯. ટેકચંદાની : રૂપચંદ નારણદાસ ટેકચંદાની (વડોદરા). એમના ખાનગી સંગ્રહના
સિક્કા. (એમના સિક્કાનાં પ્રાપ્તિસ્થાન : અનિલા અને અનાડિયા). ૧૦. દેવની મોરી : એક્કવેશન ઍટ દેવની મોરી, વડોદરા, ૧૯૬૬. ૧૧. પુસપ્લી : ન્યુમિઝમૅટિક સપ્લીમેન્ટ, સિલ્વર જ્યુબિલી નંબર ૪૭, પૃષ્ઠ ૯પ-૯૮.
(આમાં સોનેપુર, જુનાગઢ અને વસોજમાંથી પ્રાપ્ત સિક્કાનિધિઓની
માહિતી છે). ૧૨. પ્રિવૅમ્પમું : પ્રિન્સ ઑવ વેલ્સ મ્યુઝિયમ ઑવ વેસ્ટર્ન ઇન્ડિયા, મુંબઈ. ૧૩. બૉગે : ગેઝિટીઅર ઑવ ધ બોમ્બે પ્રેઝિડન્સિ. ૧૪. રેસન : એડવર્ડ જેમ્સ રેપ્સનના ગ્રંથ “કેટલૉગ ઑવ ધ કૉઈન્સ ઇન બ્રિટિશ
મ્યુઝિયમ' (૧૯૦૮)માં આપેલા નંબરનો નિર્દેશ. ૧૫. વર્યુ : પિકચર એન્ડ આર્ટ ગેલરિ, વડોદરા. ૧૬. વૉમ્યુરા : વૉટ્સન મ્યુઝિયમ, રાજકોટ. ૧૭. શુક્લ : સદાશંકર શુક્લ (મુંબઈ). એમના અંગત સિક્કાઓના સંગ્રહનો નંબર.
આર્કિયૉલોજિકલ સર્વે ઓવ ઇન્ડિયા, પાર્ટ ટુ, ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૭૭થી. આ પુસ્તકમાં સર્વાણિયામાંથી પ્રાપ્ત ક્ષત્રપ સિક્કાનિધિનો
વિગતવાર અહેવાલ છે. ૧૯. સાંચી : કેટલૉગ ઑવ ધ મ્યુઝિયમ ઑવ આર્કિઓલજિ એટ સાંચી, ભોપાલ
સ્ટેટ, ૧૯૨૨. : જ્યાં જ્યાં કૌસની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં સંભવતઃ કે પ્રાયઃ એમ
સમજવું; કેમ કે નિશ્ચિત વિગત આપવી મુશ્કેલ છે. : જ્યાં જ્યાં આ પ્રકારના કૌસની અંદર જે આંકડા છે તે જે તે મ્યુઝિયમ કે અંગત સંગ્રહમાનાં સિક્કાઓનો રજિસ્ટરમાંનો ક્રમ નંબર કે કવર
ઉપરનો ક્રમ નંબર સૂચવે છે. ૨૨. [ ] : જ્યાં આ પ્રકારનો કૌસ છે ત્યાં તેમાં આપેલા આંકડા જે તે પુસ્તકના
પૃષ્ઠાંક સૂચવે છે. ૨૩. – : જ્યાં જ્યાં આવી રેખા છે ત્યાં વિગતનો અભાવ સૂચવે છે. ૨૪. { } : આવા કૌસમાંના આંકડા આ ગ્રંથનાં પૃષ્ઠકનું સૂચન કરે છે.
૧૮. સર્વાણિયા
૨૦. (?)
૨૧. ( )
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
બે
|
ત્રણ
|
ચાર
| પાંચ
પરિશિષ્ટ બે
| ૧૦(૧)|
-
રદ્રસિંહ ૧લો
સર્વાણિયા (?) [૨૩૫].
૨૯૫
રુદ્રસિંહ ૧લો | -
રુદ્રસિંહ ૧લો રદ્રસિંહ ૧લો
– ૨૯૬-૩૦૦
૪. | ૧૦૩
{૧૫૭} પ્રિવેમ્યુયું. (૨૨૪૭૦) વૉચુરા (૩૭); ટેકચંદાની (અનિલા,૧). વૉમ્યુરા (૩૮)(?); પ્રિર્વમ્યમું (૨૨૪૭૧). સર્વાણિયા (?) [૨૩૧].
૧૦૪
રદ્રસિંહ ૧લો
૧૦૫
રુદ્રસિંહ ૧લો
૧૦૬
૩૦૧
રુદ્રસિંહ ૧લો રદ્રસિંહ ૧લો
૧૦૭
૩૦૨(?)
For Personal & Private Use Only
૧૦૯
રુદ્રસિંહ ૧લો
૩૦૩-૩૦૪,
૩૦૫(?)
ટેકચંદાની (૧/૨).
૧૧૦ |
૩૧૩-૩૧૪
{૧૫૭}
૩૦૬-૩૧૦
રુદ્રસિંહ ૧લો
રદ્રસિંહ ૧લો
રુદ્રસિંહ ૧લો રુદ્રસિંહ ૧લો | –
૧૧૦ ૧૨. | ૧૧૧ ૧૩. | ૧૧૨ ૧૪. | ૧૧૨
પ્રિલૅમ્પમું (૨૨૪૭૪). જૂમ્યુજૂ (?) (૫).
૩૧૫-૩૧૬
રદ્રસિંહ ૧લો
-
|
જન્યુસોઇ., ૫.૧૭[૪]
૧૫. | ૧૧૩
રુદ્રસિંહ ૧લો
૩૧૭-૧૮
{૧૫૭}
Page #35
--------------------------------------------------------------------------
________________
એક | બે
ત્રણ
|
ચાર
પાંચ
૪
છે.
|| ૧૧૪
–
રુદ્રસિંહ ૧લો
૩૧૯
સર્વાણિયા [૨૩૧], પ્રિવેમ્યમું (૨૨૪૭૩) અને (૧૫૪૨૩, તાંબું, ગોળ, પૃષ્ઠભાગ).
૧૭. | ૧૧૫
૩૨૦
રુદ્રસિંહ ૧લો રદ્રસિંહ ૧લો
૧૮. | ૧૧૬
૩૨૧-૨૨
જૂવુજૂ (૪); ટેકચંદાની (૩/૪); પ્રિવેમ્યમું (૧૯૭૪). જૂમ્યજૂ(૩); ન્યૂસપ્લી(જૂનાગઢ)
૧૯. ]
૧૧૭
– –
| રુદ્રસિંહ ૧લો દ્રસિંહ ૧લો
૨૦. | ૧૧૮
૩૨૩
૨૧. | ૧૧૯
રુદ્રસિંહ ૧લો
ન્યૂસપ્લી (વસોજ); જૂમ્યુજૂ (૨); પ્રિવેમ્યમું (૧૫૨૪, તાંબું, ગોળ, પૃષ્ઠભાગ)
૨. | ૧૧૯
જીવદામાં
For Personal & Private Use Only
૨૮૯(ચાંદી) ૨૯૩(પૉટીન)
૩. | ૧૨૦
૨૯૧
૩૨૮
જરૉએસો, ૧૮૯૯[૩૮૦]; સર્વાણિયા [૨૩૨] પ્રિલૅમ્પમું (૧૫૪૧૮)
૫. | ૧૨૪
:
-
૩૩૧-૩૩ ,
૨૬. | ૧૨૫ ૨૭. | ૧૨૬
જીવદામાં રુદ્રસેન ૧લો | – રુદ્રસેન ૧લો
રુદ્રસેન ૧લો રુદ્રસેન ૧લો રુદ્રસેન ૧લો રુદ્રસેન ૧લો રુદ્રસેન ૧લો
૩૩૪
ટેકચંદાની(૩/૭).
૨૮. | ૧૨૭
ન્યૂસપ્લી (વસોજ).
૨૯. [ ૧ ૨૮
૩૩૫
ક્ષત્રપકાલીન ગુજરાત
. [ ૧૩૦
જબૉબારૉએસો, ૧૮૯૯ [૨૦]; ટેકચંદાની (૪૮);
Page #36
--------------------------------------------------------------------------
________________
| ત્રણ
ચાર
પાંચ
પરિશિષ્ટ બે
૧૩૧
રુદ્રસેન ૧લો
પ્રિવેમ્યમું (૧૧૫૧૫, તાંબું, ગોળ, પૃષ્ઠભાગ).
૩૩૬ (ચાંદી) ૩૭૪(પોટીન) ૩૩૮(ચાંદી) ૩૭૫(પૉટીન)
૩૨. | ૧૩૨
રુદ્રસેન ૧લો
. [ ૧૩૩
-
|૩૩૯(ચાંદી)
૩૪. [ ૧૩૪
રુદ્રસેન ૧લો રુદ્રસેન ૧લો રુદ્રસેન ૧લો
૩૪૧-૪૬
૩૫. [ ૧૩૫
–
૩૪૭-૫૧
વૉમ્યુરા (૪૩); પ્રિવેમ્યમું (૩૭૪૮, તાંબું, ગોળ, પૃષ્ઠભાગ), જબૉબારૉએસો, ૧૮૯૯ [૨૦૪]; પ્રિવૅમ્પમું (૧૧૫૦૮). પ્રિલૅમ્પમું (૨૨૪૭૬). સર્વાણિયા (૨૩૨); કમ્પભુ (૨૩); ગાંસંભ (૧૪૮); પ્રિવેમ્યમું (૧૫૨૪૦). ગાંસંભા (૧૫૨); પ્રિવૅમ્પમું(૩૭૪૭, તાંબું, ગોળ, પૃષ્ઠભાગ) અને (૨૨૪૭૭ ચાંદી ?); એરિઆડિ, ૧૯૩૫-૩૬, અમરેલી-પૉટીન [૬૧]; વડુ(-).
. | ૧૩૬
રદ્રસેન ૧લો
૩૫૨-૫૩
For Personal & Private Use Only
૩૭. [ ૧૩૭
૩૫૬
૩૮ | ૧૩૮
૩૫૭-૫૮
૩૯ | ૧૩૯
રુદ્રસેન ૧લો રુદ્રસેન ૧લો રુદ્રસેન ૧લો રુદ્રસેન ૧લો રુદ્રસેન ૧લો
૩૬ ૨
૪૦
૧૪૦
–
૩૬૫-૬૬
પ્રિવેમ્યમું (૧૫૪૨૫, ૧૯૫૧૪, તાંબું, ગોળ, પૃષ્ઠભાગ) (?). સર્વાણિયા [૨૩૨] ટેકચંદાની (૬/૧૦); શુક્લ (૧૬૯). વૉમ્યુરા (૪૪); પ્રિવૅમ્પમું (૨૨૪૭૮-૭૯, અને ૧૧૫૧૪, તાંબું, ગોળ, પૃષ્ઠભાગ). સર્વાણિયા [૨૩૨]; ટેકચંદાની (૭/૧૧); પ્રિલૅમ્પમું (૨૨૪૮૦ અને ૪૮૯૬).
૪૧ | ૧૪૧
૩૬૮
૨ | ૧૪૨
–
રુદ્રસેન ૧લો
૩૬૯
૨૩
Page #37
--------------------------------------------------------------------------
________________
Tબે.
એક | બ
ચાર
| ત્રણ
પાંચ
જે
૧૪૪ | પૃથિવીષણ
3७७
૪ | ૧૪૪
સંપદામાં
૩૭૮
૪૫ [ ૧૪૫
સંપદામા
–
- -
જરોંએસો,૧૮૯૯ [૩૮૬,પટ્ટ ૬], શુક્લ (૧૭૧). જરોંએસો, ૧૮૯૦ [૨૫૨,પટ્ટ ૯], ૧૮૯ [૩૮૨]; જબૉબારોએસો, ૧૮૬૮, [૬૮, પટ્ટ ૭]; સર્વાણિયા (?) [૨૩૨]. બોગે, પુ.૧,ભા.૧,[૪૪]. શુક્લ (૧૭૨). પ્રિલૅમ્પમું (૨૨૪૮૩). ન્યૂસપ્લી (સોનેપુર) પ્રિવૅમ્પમું (૧૫૪૨૮, તાંબું, ગોળ, પૃષ્ઠભાગ).
| |
૧૪૫
દામસેન
૩૭૯
૧૪૬
૩૮૦(?)
દામસેન દામસેન
૧૪૭
For Personal & Private Use Only
૪૦૨-૪૦૬ પૉટીન, નામ વિનાના)
૪૯ | ૧૫૦
દામસેન
૧૫૧
દામસેન
૩૮૨-૮૪
૫૧ | ૧૫૨
દામસેન
૩૮૫
સર્વાણિયા [૨૩૩]; પ્રિવેમ્યમું (૧૫૪૨૩). વૉમ્યુરા(૫૧); પ્રિવૅમ્પમું (૧૯૬૩), સર્વાણિયા [૨૩૩]; ટેકચંદાની (અનિલા-૪). જરૉએસો, ૧૮૫૦ [૬૨]; વડુ (૧૩૭૬, તાંબું, નામ વિનાના); પ્રિવેમ્યુનું (૧૫૪૩૧-૩૨, તાંબું, ગોળ, પૃષ્ઠભાગ).
૫૨ | ૧૫૩
દામસેન
૩૮૮(ચાંદી)
૪૧૧-૧૨ (પૉટીન, નામ વિનાના).
ક્ષત્રપકાલીન ગુજરાત
૫૩ ] | ૧૫૪ | દામજદશ્રી
૨જો
૪૨૧-૪૨૪
Page #38
--------------------------------------------------------------------------
________________
Tબ.
એક | એ
|
ત્રણ
ચાર
| પાંચ
છે.
પરિશિષ્ટ બે
૧૫૪ |
-
!
દામસેન
જબૉબારૉએસો, ૧૮૯૯ [૨૦૪]; સર્વાણિયા (?) [૨૩૩]; પ્રિલૅમ્પમું (૧૧૫૧૨, તાંબું ગોળ, પૃષ્ઠભાગ). જરૉએસો, ૧૮૮૨ [૩૭૩]; ૧૮૯૯ [૩૮૩]; સર્વાણિયા [૨૩૩]. સર્વાણિયા [૨૩૩].
૫૫ | ૧૫૫ દામજદશ્રી રજો
પ૬ | ૧૫૫
દામસેન
૩૯૧-૯૨
પ૭ | ૧૫૬
| વીરદામા
૪૨૬
૧૫૬
દામસેન
૩૯૩
૫૯ | ૧૫૭ | વીરદામા
૧૫૭
–
દામસેન
૩૯૪
For Personal & Private Use Only
૧૫૮
વીરદામા
ટેકચંદાની (૩/૧૪); પ્રિવેમ્યમું (૧૯૬૪, ૨૨૪૮૬). ન્યૂસપ્લી (સોનેપુર); એરિઆડિ, ૧૯૩૬-૩૭ [૧૮, પૉટીન]. સર્વાણિયા [૨૩૩]. સર્વાણિયા [૨૩૩]; એરિઆડિ, ૧૯૩૬-૩૭, [૧૮] (પૉટીન). જબૉબારૉએસો, ૧૮૯૯ [૨૦૪]. સર્વાણિયા [૨૩૩]; પ્રિવેમ્યમું (૧૫૨૪૫, ૨૨૪૯0). સર્વાણિયા [એજન].
૨ | ૧૫૮
–
દામસેન
૧૫૯
વીરદામા
૬૪ | ૧૬૦ | વીરદામા
૪૫૩
૬૫ | ૧૬૦
યશોદામા ૧લો
૪૮૦-૮૧
સર્વાણિયા [એજન]; પ્રિવેમ્યમું (૨૨૪૯૫, ૫૦૨૫).
દદ | ૧૬૦ | વિજયસેન
૪૮૮-૯૧
જબૉબારૉએસો,૧૮૯૯ [૨૦૫]; સર્વાણિયા [૨૩૪]; પ્રિવેમ્યમું (૧૫૨૪૮).
૨૫
Page #39
--------------------------------------------------------------------------
________________
|
ચાર
|
પાંચ
|
એક | બે | ૬૭ | ૧૬૦ |
ત્રણ -
યશોદામાં ૧લો
સર્વાણિયા [૨૩૩].
૧૬૧ | વિજયસેન
૬૯ | ૧૬ (૧) વીરદામા
સર્વાણિયા (?) [૨૩૪]. વસોજનિધિના એક સિક્કા ઉપર ગિ.વ.આચાર્યે આ અનુમાન કરેલું (ન્યૂસપ્લી.[૭]); પરંતુ આ વાચન બરોબર નથી.
૧૬૧
યશોદામાં ૧લો
૪૮૫-૮૬
૧૬૧
વિજયસેન
૧૬૨
વિજયસેન
૪૯૫
For Personal & Private Use Only
૧૬૩
વિજયસેન
૪૯૭-૫૦૧
૪ | ૧૬૪
વિજયસેન
૫૦૮-૫૧૪
સર્વાણિયા [૩૪]; પ્રિવૅમ્પમું (૨૨૪૯૮-૯૯). સર્વાણિયા [એજન]; પ્રિવેમ્યમું (૨૨૫૦૧, ૨૪૨૨૨); ટેકચંદાની (૪૨૩). સર્વાણિયા [એજન]; ટેકચંદાની (૫/૨૪); પ્રિવેન્યુમ્ (૧૯૬૬). સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૭૭-૮૦); ટેકચંદાની (૬/૨૫); ગાંસંભા (૧૮૩); પ્રિવૈયુમું (૨૨૫૦૪, ૧૫૨ ૫૦); શુક્લ (૫૦૧-૫૦૨). સર્વાણિયા [એજન]; પ્રિવૈયુયું (૨૨૫૦૬); જન્યુસોઈ, પુસ્તક ૨૩[૩૩૬]. સર્વાણિયા [એજન]; વૉચુરા (૮૩); ટેકચંદાની (૮૨૭); પ્રિવેમ્યમું (૨૨૫૦૩). . સર્વાણિયા [એજન]; ટેકચંદાની (૯૨૮); પ્રિવેન્યુમું (૨૨૫૦૮);શુક્લ (૧૮૧).
૦૫ [ ૧૬૫
વિજયસેન
૫૧૭-૨૦
૭૬ | ૧૬૬
વિજયસેન
૫૨૧-૨૭
ક્ષત્રપકાલીન ગુજરાત
૧ ૬૭
વિજયસેન
|
| પ૨૮-૩૧
Page #40
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
એક બે
७८ ૧૬૮
૭૯
८०
૮૧ ૧૭૧
૮૨ ૧૭૨
૧૬૯
૮૩ ૧૭૨
૮૫
૧૭૦
૮૪ ૧૭૩
૮૬
૮૭
८८
૧૭૪
૧૭૫
૧૭૬
૧૭૭
ત્રણ
—
।
,
।
-
ચાર
વિજયસેન
વિજયસેન
વિજયસેન
વિજયસેન
વિજયસેન
દામજદશ્રી ૩જો
દામજદશ્રી ૩જો
દામજદશ્રી ૩જો
દામજદશ્રી ૩જો
દામજદશ્રી ૩જો
દામજદશ્રી જો
પાંચ
૫૩૨-૩૩
૫૩૪-૩૭
૫૪૧-૪૯
૫૫૦-૫૩
૫૫૪
૫૫૬-૫૭ (?)
૫૫૮-૮૦
૫૬૧-૬૪
૫૬૫-૬૬
છ
સર્વાણિયા [એજન]; ટેકચંદાની (૧૦/૨૯); પ્રિવૅમ્યુનું (૧૫૨૫૨).
સર્વાણિયા [એજન]; કમ્યુભુ (૨૨); પ્રિવૅમ્યુનું (૨૨૫૧૧, ૨૨૫૧૩).
સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૧૧૦); જૂમ્યુજૂ (૩૯);
ટેકચંદાની (૧૨/૩૧); પ્રિવૅમ્યુનું (૨૨૫૧૫,૧૫૨૫૫,૫૯૬૭); ગાંસંભા (૧૫૮,૩૩૦).
સર્વાણિયા [એજન]; જૂમ્યુજૂ (૫૭); પ્રિવૅમ્યુનું (૯૮૮૭, ૧૫૨૫૬, ૨૨૫૧૪); શુક્લ (૧૮૫).
જબૉબ્રારાઁએસો, ૧૮૯૯ [૨૦૫]; સર્વાણિયા એજન; જૂમ્યુજૂ (૫૧); ટેકચંદાની (૧૪/૩૩ અને અનિલા-૭); શુક્લ (૧૮૬,૫૦૩).
સર્વાણિયા (?) [૨૩૫]; વૉમ્યુરા (૧૧૯); રેપ્સન પાદનોંધમાં ‘૧૭૩’ હોવાનો સંભવ રજૂ કરે છે.
સર્વાણિયા [એજન].
સર્વાણિયા [એજન]; જૂમ્યુજૂ (?) (૭૬); પ્રિવૅમ્યુનું (૪૮૯૮).
સર્વાણિયા [એજન]; પ્રિવૅમ્યુનું (૨૨૫૨૫).
સર્વાણિયા [એજન].
સર્વાણિયા [એજન]; ટેકચંદાની (૪/૩૭, અનિલા-૧૮);
પરિશિષ્ટ બે
Page #41
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
એક
૮૯
૯૦ ૧૭૯
૯૧ ૧૮૦
૯૩
બે
૯૨ ૧૮૧
૧૭૮
૯૬
૯૪ ૧૮૩
૯૭
૯૫ ૧૮૪
૯૮
૧૮૨
૧૮૫
૧૮૬
૧૮૭
ત્રણ
I
।
ચાર
રુદ્રસેન ૨જો
રુદ્રસેન ૨જો
રુદ્રસેન ૨જો
રુદ્રસેન ૨જો રુદ્રસેન ૨જો
રુદ્રસેન ૨જો
રુદ્રસેન ૨જો
રુદ્રસેન ૨જો
રુદ્રસેન ૨જો
રુદ્રસેન ૨જો
પાંચ
૫૮૩
૫૮૫(?)
૫૮૬
૫૮૮-૮૯
૧૯૦-૯૧
૫૯૨-૯૩(?)
છ
પ્રિવમ્યુનું (૨૨૫૨૭, ૧૫૨૬૪, ૪૯૧૮); આસઇદર, ૧૯૧૨-૧૩, [૨૩૬].
સર્વાણિયા [૨૩૬]; ટેકચંદાની (૨/૩૯), (અનિલા-૯).
સર્વાણિયા [એજન]; ટેકચંદાની (૩/૪૦); પ્રિવૅમ્યુનું (૨૨૫૩૨).
સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૧૩૦); જૂમ્યુજૂ (૯૫); પ્રિવૅમ્યુનું (૪૯૩૩).
સર્વાણિયા (?) [એજન]; ટેકચંદાની (૫૪૨); પ્રિવૅમ્યુનું (૧૫૩૧૭).
સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૧૩૨, ૧૯૭), જૂમ્યુજૂ (૧૬૩); પ્રિવૅમ્યુમું (૨૨૫૪૩, ૧૫૨૮૬, ૯૮૮૯); શુક્લ (૧૯૭). શુક્લ (૧૯૮).
સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૧૩૮); શુક્લ (૧૯૯-૨૦૧).
સર્વાણિયા [એજન]; શુક્લ (૨૦૨).
સર્વાણિયા [એજન]; જૂમ્યુજૂ (૧૬૨); ગાંસંભા (૨૯૯); પ્રિવૅમ્યુમું (૪૯૨૧, ૨૨૫૩૫); શુક્લ (૨૦૩).
સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૧૪૫-૪૮); જૂમ્યુજૂ (૮૧, ૯૪); ટેકચંદાની (૬/૪૩); ગાંસંભા (૨૧૮); પ્રિયૅમ્યુનું (૪૯૨૪); શુક્લ (૨૦૬, ૪૬૫).
૨૮
ક્ષત્રપકાલીન ગુજરાત
Page #42
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
એક
૯૯ ૧૮૮
૧૦૦૨૧૮૯
૧૦૧ ૧૯૦
૧૦૨
બે
૧૦૪
૧૦૩, ૧૯૧
૧૦૬
૧૯૦
૧૦૫ ૧૯૫
૧૯૪
૧૦૯
૧૯૬
૧૦૭ ૧૯૭
૧૦૮ ૧૯૭
૧૯૮
ત્રણ
-
વિશ્વસિંહ
–
વિશ્વસિંહ
વિશ્વસિંહ
ચાર
રુદ્રસેન ૨જો
રુદ્રસેન ૨જો
રુદ્રસેન ૨જો
રુદ્રસેન ૨જો
રુદ્રસેન જો
રુદ્રસેન ૨જો
રુદ્રસેન ૨જો
રુદ્રસેન ૨જો
પાંચ
૫૯૪-૯૯
૬૦૦
૬૧૨
છ
સર્વાણિયા [એજન]; ગાંસંભા (૨૯૪); પ્રિવમ્યુનું (?) (૨૨૫૩૭); શુક્લ (૨૧૧); દેવની મોરી (૬) [૧૦૭]; (૭) [૧૦૮] (?).
સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૧૫૮-૬૧); જૂમ્યુજૂ (૮૩-૮૫; ૯૮, ૧૨૩, ૧૬૬); ગાંસંભા (૨૧૯); પ્રિવૅમ્યુનું (૧૫૨૭૩, ૧૫૨૭૭, ૨૨૫૪૧); શુક્લ (૨૧૪, ૨૧૬૫, ૪૬૬, ૪૭૦). વૉમ્યુરા (૨૬૬).
સર્વાણિયા [ઉપર્યુક્ત]; પ્રિવૅમ્યુનું (૫૦૨૯); શુક્લ (૨૧૭).
સર્વાણિયા [એજન]; જૂમ્યુજૂ (?) (૯૨); પ્રિવેમ્યુમું (૨૨૫૪૪, ૪૯૪૧).
જરાએસો, ૧૮૯૯ [૩૯૧, પટ્ટ-૮]; સર્વાણિયા [એજન].
ન્યુસપ્લી (સોનેપુર).
વૉમ્યુરા (૧૮૨); જૂમ્યુજૂ (૧૦૮).
સર્વાણિયા [૨૩૭]; સાંચી (સી. ૮૪૩) (?) [૬૧]; પ્રિવૅમ્યુનું (૨૨૫૬૧)
સર્વાણિયા [૨૩૬]; વૉમ્યુરા (૧૮૬); પ્રિવૅમ્યુનું (૨૨૫૪૬).
સર્વાણિયા [૨૩૭]; પ્રિવૅમ્યુમું (૨૨૫૬૩).
પરિશિષ્ટ બે
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦
એક | બે
ત્રણ
|
પાંચ
|
ચાર રુદ્રસેન રજો
૧૧૦] ૧૯૮ | ૧૧૧ | ૧૯૯ | વિશ્વસિંહ ૧૧૨] ૧૯૯ –
૬૨૭-૨૮
રુદ્રસેન રજો
-
૧૧૩] ૧૯૯
૧૧૪ | ૨૦૦ | વિશ્વસિંહ
૬૩૪-૩૮
સર્વાણિયા [૨૩૬]; પ્રિવૅમ્પમું (?) (૧૫૨૬૮). સર્વાણિયા [૨૩૭]; જૂન્યુજૂ (૧૯૦, ૧૯૮); પ્રિવેન્યુમ્, (૨૨૫૬૦). ન્યૂસપ્લી (સોનેપુર); પ્રિવૅમ્પમું (૨૨૫૪૭); શુક્લ (૪૯૬). સાંચી (સી. ૮૪૫) (?). સર્વાણિયા [એજન]; શુક્લ (૨૩૦, ૨૩૩). સર્વાણિયા [૨૩૮]. સર્વાણિયા [એજન]; ટેકચંદાની (અનિલા-૧૦); પ્રિવૅમ્પમું (૨૨૫૬૯). જબૉબારોએસો, ૧૮૯૯ [૨૦૬]; સર્વાણિયા [૨૩૮]. પ્રિલૅમ્પમું (?) (૨૨૫૭૧). સર્વાણિયા [એજન]; શુક્લ (૨૩૬); ગાંસંભા (૨૩૭) (?).
૧૧૬ /
૨૦૦ | ભર્તુદામા
– ૧૧૭, ૨૦૧ | ભર્તુદામા
વિશ્વસિંહ
For Personal & Private Use Only
૧૧૮ | ૨૦૧
વિશ્વસિંહ
૧૧૯ | ૨૦૨
૨૦૨ | ભર્તુદામા ૧૨૦| ૨૦૩ | ભર્તુદામા ૧૨૧ | ૨૦૪ | ભર્તુદામા
૬૭૧
જરૉએસો, ૧૮૯૯ [૩૯૪]; સર્વાણિયા [એજન]; પ્રિવેમ્યમું (૪૯૮૭); શુક્લ (૨૩૭).
ભર્તુદામા
૧૨૨ ૨૦૪ ૧૨૩| ૨૦૫ વિશ્વસેન ૧૨૪, ૨૦૫ |
સર્વાણિયા [૨૩૯]. પ્રિવેમ્યમું (૨૦૦૮) (?). સર્વાણિયા [એજન].
ક્ષત્રપકાલીન ગુજરાત
ભર્તુદામા
Page #44
--------------------------------------------------------------------------
________________
એક | બ
ચાર
પાંચ
| ત્રણ વિશ્વસન
પરિશિષ્ટ બે
૧૨૫] ૨૦૬
૧ ૨૬ | ૨૦૬
ભર્તુદામા
૧૨૭| ૨૦૭
ભર્તુદામા
૧૨૮ | ૨૦૯
ભર્તુદામા
૧૨૯] ૨૧૦
ભર્તુદામા
૩૦| ૨૧૧
ભર્તુદામા
૬૭૮-૭૯
For Personal & Private Use Only
સર્વાણિયા (?) [૨૪]; પ્રિવેમ્યમું (૨૨૬૦૬). સર્વાણિયા [૨૩૯]; પ્રિવૅમ્પમું (૨૨૫૮૧); શુક્લ (૨૩૮), સર્વાણિયા [એજન]; વમ્યુરા (૮૬૪); પ્રિવેમ્યમું (૨૨૫૮૨). સર્વાણિયા [એજન]; વૉચુરા (૩૫૮, ૮૬૭); પ્રિવૅમ્પમું (૨૨૫૮૩-૨૨૫૮૫). સર્વાણિયા [એજન]; વોચુરા (૩૪૧); ટેકચંદાની (અનિલા-૧૧); પ્રિવેમ્યમું (૨૨૫૮૬, ૧૯૪૯૧). સર્વાણિયા [એજન]; જૂમ્પજૂ (૨૭૩); સાંચી (સી. ૮૪૭) (?) [૬૧]; ટેકચંદાની (૧/૪૭); પ્રિવેમ્યમું (૪૯૯૧). સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૩૫૫); જૂન્મુજૂ (૨૭૨). સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૩૨૪, ૩૫૯); શુક્લ (૨૩૯). શુક્લ (૨૫૫). સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૩૫૩); જૂવુજૂ (૨૭૧) (?); ગાંસંભા (૨૭૩); પ્રિવેમ્યમું (૧૭૭૩૬, ૨૪૨૩૬). સર્વાણિયા [એજન]; પ્રિવેમ્યમું (૨૨૬૦૭, ૨૨૬૦૯); દેવની મોરી (૨૧) [૧૧૧].
૧૩૧ | ૨૧૨
-
૬૯૦
ભર્તુદામા ભર્તુદામા
૧૩૨ | ૨૧૩
–
૬૯૧
૧૩૩ | ૨૧૪
વિશ્વસેન
૧૩૪] ૨૧૪
ભર્તુદામા
૬૯૮
૧૩૫] ૨૧૫ | વિશ્વસન
૩૧
Page #45
--------------------------------------------------------------------------
________________
એક | બ
|
ત્રણ
|
ચાર
૩૨
પાંચ
૧૩૬ / ૨૧૫
-
ભર્તુદામા
૧૩૭] ૨૧૬ | વિશ્વસન
૭૧૯
૧૩૮ | ૨૧૬
ભર્તુદામા
૧૩૯] ૨૧૭ | વિશ્વસન
૧૪૦ ૨૧૭
|
-
ભર્તુદામા
For Personal & Private Use Only
સર્વાણિયા [૨૩૯]; પ્રિવેમ્યમું (૨૨૫૯૦). સર્વાણિયા [૨૪]]; દેવની મોરી (૧૯-૨૦) (?) [૧૧૮]; શુક્લ (૨૬૫-૬૬). ન્યૂસપ્લી (સોનેપુર); વૉચુરા (૫૩૯, ૫૪૨); જૂમ્યુજૂ (૫૦૫); શુક્લ (૨૪૩). જબૉબારૉએસો, ૧૮૯૯ [૨૦૭]; સર્વાણિયા [૪૦]; ટેકચંદાની (અનિલા-૧૩); પ્રિવેમ્યમું (૨૦૦૬, ૯૯૦૧). જબૉબારૉએસો, ૧૮૯૯ [૨૦૬]; સર્વાણિયા [૨૩૯]; વૉમ્યુરા (૫૪૧, પ૬૦); પ્રિવૅમ્પમું (૨૨૫૯૩). જબૉબારએસો, ૧૮૯૯ [૨૦૭]; પ્રિવૅમ્પમું (૨૨૬૧૩); શુક્લ (૨૭૦). જબૉબારૉએસો, ૧૮૯૯ [૨૦૭]; સર્વાણિયા (?) [૨૪૦]. સર્વાણિયા [એજન]; ટેકચંદાની (અનિલા-૧૪); પ્રિવૅમ્પમું (૨૨૬૧૫-૨૨૬૧૭); શુક્લ (૨૭૨). સાંચી (સી. ૮૪૯-૮૫૪) (?) [૬૨]. સર્વાણિયા [એજન]; પ્રિવેમ્યમું (૯૯૦૨, ૧૯૯૦); શુક્લ (૨૭૪); વૉચુરા (૫૮૦).
૪૧ | ૨૧૮ | વિશ્વસેન
| વિશ્વસન ૧૪૩ | ૨૨૦ | વિશ્વસન
૧૪૪] ૨૨૦
ભર્તુદામા
૧૪૫] ૨ ૨ ૧ | વિશ્વસેન
૭૩૬
ક્ષત્રપકાલીન ગુજરાત
Page #46
--------------------------------------------------------------------------
________________
|
ચાર
છે.
પાંચ
એક | બ | ત્રણ - ૧૪૬ / ૨૨૨ | વિશ્વસેન
પરિશિષ્ટ બે
૭૩૭-૩૮
1 |
૭૩૯
૧૪૭ ૨૨૩ | વિશ્વસેન ૧૪૮ | ૨૨૪ વિશ્વસેન ૧૪૯ વિશ્વસન ૧૫૦૨૨૬ | વિશ્વસન
૨ ૨૫.
૭૪૧-૪૪
For Personal & Private Use Only
સર્વાણિયા [એજન]; કમ્યુભુ (૧૪); વૉમ્યુરા (૫૭૪-૭૫, ૫૭૯, ૫૮૧); પ્રિવેન્યુમ્ (૫૯૯૧-૯૨, ૨૨૬૧૯); શુક્લ (૨૭૫-૭૭, ૨૭૯); ટેકચંદાની (૧/૪૯). સર્વાણિયા [એજન]; વૉચુરા (૫૭૭); શુક્લ (૨૮૦). જબૉબારૉએસો, ૧૮૯૯ [૨૦૭]; સર્વાણિયા [એજન]. સર્વાણિયા [એજન]; પ્રિવેન્યુમ્ (૯૯૦૩); દેવની મોરી (૨૫) [૧૧૧]. જબૉબારૉએસો, ૧૮૯૯ [૨૦૭]; સર્વાણિયા [એજન]; વૉચુરા (૫૮૭); પ્રિવેમ્યમું (૧૫૩૪૨); શુક્લ (૨૮૪-૮૫). સર્વાણિયા [૨૪૧]; વૉમ્યુરા (૬૮૮); પ્રિવેન્યુયું (૨૨૬૨૭). જબૉબારએસો, ૧૮૯૯ [૨૦૭, પટ્ટ-૬]; સર્વાણિયા [એજન]; ટેકચંદાની (અનિલા-૧૫); પ્રિવેમ્યમું (૨૨૬૨૮-૨૯, ૨૨૬૩૧). સર્વાણિયા [એજન]; પ્રિવેમ્યમું (૨૨૬૩૩). જબૉબારૉએસો, ૧૮૯૯ [૨૦૭, પટ્ટ-૭]; સર્વાણિયા [એજન]. સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૬૭૯); પ્રિવેમ્યુનું (૨૨૬૩૫, ૨૨૬૩૭, ૧૯૯૭).
૧૫૧, ૨૨૬ રુદ્રસિંહ રજો ૧૫ર | ૨૨૭ રુદ્રસિંહ રજો
૧૫૩ ૨૨૮ રુદ્રસિંહ રજો ૧૫૪ ૨૨૯ રુદ્રસિંહ રજો ૧૫૫ | ૨૩૦ રુદ્રસિંહ રજો
૭૭૦
33
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
એક | બે
|
ત્રણ
ચાર
પાંચ
૧૫૬ / ૨૩૧ | રુદ્રસિંહ રજો
૭૭૧
૨૩૨ | રુદ્રસિંહ રજો ૧૫૮ | ૨૩૪ રુદ્રસિંહ રજો
૧૫૯ | ૨૩૫ | રદ્રસિંહ રજો
For Personal & Private Use Only
દ્રસિંહ રજો
રુદ્રસિંહ રજો ૨૩૭ યશોદામા રજો ૨૩૮ | રુદ્રસિંહ રજો
| ૨૩૮ યશોદામાં રજો ૧૬૫ | ૨૩૯ યશોદામા રજો
સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૬૯૬, ૬૯૮); ટેકચંદાની (અનિલા-૧૬); પ્રિવેન્યુમ્ (૯૯૦૫). સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૭OO). સર્વાણિયા [એજન]; પ્રિવેમ્યમું (૨૨૬૩૮). સર્વાણિયા [એજન]; વૉચુરા (૭૧૭); પ્રિવેમ્યમું (૨૨૬૩૯, ૨૨૬૪૧); શુક્લ (૩૦૭). સર્વાણિયા [એજન]; પ્રિવેમ્યમું (૨૨૬૪૨), સર્વાણિ [એજન]; પ્રિવેમ્યમું (૨૨૬૪૩). પ્રિલૅમ્પમું (૨૨૬૪૭). સર્વાણિયા [ઉપર્યુક્ત]. સર્વાણિયા [૨૪૨]. જબૉબારૉએસો, ૧૮૯૯ [૨૦૮]; સર્વાણિયા [એજન]. સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૭૪૨-૪૪); ગાંસંભા (૨૪૫); જૂમ્પજૂ (૫૭૬); પ્રિવેમ્યમું (૫૦૨૪, ૨૨૬૪૯); શુક્લ (૩૩૧-૩૩૭). સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૭૪૫-૪૬); પ્રિવેન્યુયું (૨૨૬૫૧-૫૨); શુક્લ (૨૩૮-૩૯),
-
. |
૧૬૬ | ૨૪૦ યશોદામાં રજો
૭૯૪-૯૬
૧૬૭ | ૨૪૧ યશોદામા રજો
ક્ષત્રપકાલીન ગુજરાત
Page #48
--------------------------------------------------------------------------
________________
એક | બે
|
ત્રણ
ચાર
પાંચ
પરિશિષ્ટ બે
૧૬૮ [૪૨૪ યશોદામાં રજો |
૧૬૯ | ૨૪૩ યશોદામા રજો
૮૦૫
૧૭૦] ૨૪૪ યશોદામા રજો
જરૉએસો, ૧૮૯૯[૩૯૭]; સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૭૪૭-૪૯); જૂમ્યુજૂ (૫૮૨); પ્રિવેમ્યમું (૨૨૬૫૩); શુક્લ (૨૪૦-૪૧). સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૭૫૦). જરૉએસો, ૧૮૯૯[૩૯૭]; સર્વાણિયા [એજન]; શુક્લ (૩૪૩). સર્વાણિયાં [એજન]; વૉમ્યુરા (૭૫૨); શુક્લ (૩૪૪), જરૉએસો, ૧૮૮૯ [૩૯૭] (?). સર્વાણિયા [એજન]; વૉમ્યુરા (૭૩૫); પ્રિવેન્યુમ્ (૧૫૩૫૫)
For Personal & Private Use Only
૧૭૧ ૨૪૫ યશોદામા રજો ૧૭૨ ૨૪૬ યશોદામા રજો ૧૭૩ ૨૪૭ યશોદામા રજો ૧૭૪, ૨૪૯ યશોદામા રજો ૧૭૫ | ૨૫૨ યશોદામાં રજો
૮૦૬
૧૭૬ | ૨૫૩ યશોદામા રજો
-
૧૭૭ ૨૫૪ યશોદામા રજો
જૉબારૉએસો, ૧૮૯૯ [૨૦૮]; પ્રિવેમ્યમું (૨૨૬૫૭). જૉબારૉએસો, ૧૮૯૯ [૨૦૮, પટ્ટ-૯]; પ્રિવેમ્યમું (૨૨૬૫૮). જબૉબારૉએસો, ૧૮૯૯ [૨૦૮, પટ્ટ-૧૦]; સર્વાણિયા [એજન]; પ્રિવેમ્યમું (૨૨૬૫૯). જન્યુસોઇ, પુસ્તક ૨૬ [૨૩૩-૩૫], જેમાં ઇન્ડિયા મ્યુઝિયમ, કોલકાતાના સંગ્રહમાંનો નં. ૯૩૭ના સિક્કાનો નિર્દેશ છે, જુઓ આ ગ્રંથમાં પૃષ્ઠ ૧૮૩. જબૉબારૉએસો ૧૮૯૯ [૨૦૩]; સર્વાણિયા [૪૨];
૧૭૮ | ૨૭૦
(?)
૧૭૯ | ૨૭૦
રુદ્રસેન ૩જો
૮૧૨
૩૫
Page #49
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
એક
૧૮૦
૧૮૨
૧૮૧ ૨૭૨
૧૮૩
૧૮૫
બે
૧૮૬
૨૭૧
૧૮૪૨૮૦
૧૮૮
૨૭૩
૨૭૪
૨૮૧
૨૮૨
૧૮૭ ૨૮૩
૨૮૪
૧૮૯૦૨૮૫
ત્રણ
-
-
-
I
ચાર
રુદ્રસેન જો
રુદ્રસેન જો
રુદ્રસેન જો
રુદ્રસેન ૩જો
રુદ્રસેન ૩જો
રુદ્રસેન ૩જો
રુદ્રસેન જો
રુદ્રસેન જો
રુદ્રસેન જો
રુદ્રસેન ૩જો
પાંચ
૮૮૯-૮૯૧
છ
વૉમ્યુરા (૭૮૩-૮૪); જૂમ્યુજૂ (૬૧૩, ૬૬૬); પ્રિવમ્યુનું (૨૨૬૬૨-૬૩, ૧૯૪૯૩).
જબૉબ્રારાએસો ૧૮૯૯ [૨૦]; જૂમ્યુજૂ (૬૩૧); પ્રિવમ્યુનું (૨૨૬૬૪-૬૫); શુક્લ (૩૬૯).
જબૉબ્રારાઁએસો, ૧૮૯૯ [૨૦૩]; સર્વાણિયા [૨૪૨]; જૂમ્યુજૂ (૬૬૯); પ્રિવૅમ્યુનું (૨૨૬૬૬-૬૭).
જબૉબ્રારાએસો, ૧૮૯૯ [૨૦૩, પટ્ટ-૧૧]; સર્વાણિયા [એજન]; પ્રિવમ્યુનું (૨૨૬૬૯-૭૦).
પ્રિવૅમ્યુનું (૨૨૬૭૧) (?).
જરાએસો, ૧૮૫૦ [૬૨, ૫ટ્ટ-૨, નં.૨૭, સીસું]; વૉમ્યુરા (૮૩૯); જૂમ્યુજૂ (૬૦૬, ૬૩૨);. શુક્લ (૩૭૦-૭૧, ૫૩૩).
જરૉએસો, ૧૮૫૦ [૬૨, સીસું].
ન્યુસપ્લી (જૂનાગઢ).
જરૉએસો, ૧૮૫૦ [૬૨, સીસું]; એરિઆડિ, ૧૯૩૫-૩૬
[૬૨, સીસું ?].
ન્યુસપ્લી (સોનેપુર).
જરાઁએસો, ૧૮૯૯ [૪૦૩, પટ્ટ-૧૫, સીસું]; ન્યુસપ્લી(સોનેપુર ?) (વસોજ ?); એરિઆડિ, ૧૯૩૫-૩૬ [૬૨]; (સીસું);
૩૬
ક્ષત્રપકાલીન ગુજરાત
Page #50
--------------------------------------------------------------------------
________________
]
બ
ત્રણ
ચાર
પાંચ
પરિશિષ્ટ બે
૧૯૦] ૨૮૬ ||
-
|
૮૧૮-૮૨૦
રુદ્રસેન ૩જો રુદ્રસેન ૩જો
૧૯૧ | ૨૮૭
૧૯૨ | ૨૮૮
રુદ્રસેન ૩જો
૧૯૩| ૨૮૯
રુદ્રસેન ૩જો રુદ્રસેન ૩જો
૧૯૪] ૨૯૦
–
For Personal & Private Use Only
અને ૧૯૩૬-૩૭ [૧૮, સીસું]. | જૂન્મુજૂ (૫૯૬, ૬૧૮, ૬૩૫); વૉચુરા (૯૨૪); પ્રિવેન્યુમ્ (૧૮૮૨૮).
ન્યૂસપ્લી (સોનેપુર, જૂનાગઢ); વૉમ્યુરા (૭૮૭-૮૮, ૭૯૦); જૂમ્યુજૂ (૬૨૩, ૬૫૯); ગાંસંભા (૩૬૯-૪૩૯); શુક્લ (પ૨પ, પ૩૦). જરોએસો, ૧૮૫૦ [૬૨, પટ્ટ-૨, નં. ૩૧, સીસું]; ન્યૂસપ્લી (જૂનાગઢ). જૂન્યૂજ઼ (૬૧૫, ૬૪૩, ૬૬૮). ન્યૂસપ્લી (જૂનાગઢ); વૉમ્યુરા (૮૦૫); વમ્યુ (૨૨-૨૩, સીસું); જૂન્મુજૂ (પ૯૪, ૬૧૬, ૬૭૨); ટેકચંદાની (૧૨); પ્રિવેમ્યમું (૧૫૩૭૧-૭૨, ૨૨૬૭૮, ૫૦૨૭); શુક્લ (પર૭), પ૩૧). ચુસપ્લી (જૂનાગઢ); પ્રિવેન્યુમું (૨૨૬૭૭); જૂવુજૂ (૬૦૮); એરિઆડિ, ૧૯૩૫-૩૬ [૬૨, સીસું]. જૂમ્પજૂ (૬૨૧, ૬૫૩); વડુ (૯૨૪); પ્રિવેમ્યમું (૧૫૩૬૯); શુક્લ (૩૭૭); એરિઆડિ, ૧૯૩૬-૩૭ [૧૮, સીસું). જૂમ્પજૂ (૫૯૭); પ્રિવેમ્યમું (૨૨૬૭૯). જરોએસો, ૧૮૫૦ [૬૨, પટ્ટ-૨, નં. ૩૨, સીસું]; ગાંસંભા (૧૩૨); શુક્લ (૩૭૮). વૉમ્યુરા (૮૦૯).
૧૯૫] ૨૯૧
રુદ્રસેન ૩જો
૧૯૬ | ૨૯૨
|
-
રુદ્રસેન ૩જો
૮૩૮-૩૯
૧૯૭ ૨૯૩
-
૮૪૫
રુદ્રસેન ૩જો રુદ્રસેન ૩જો
૧૯૮| ૨૯૪
૮૪૯-૮૫૨
૯૯| ૨૯૫
રુદ્રસેન ૩જો
૩૭
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૮
| ત્રણ
|
પાંચ
|
એક | બ ૨૦૦ ૨૯૬
ચાર રુદ્રસેન ૩જો
-
ન્યુસપ્લી (જૂનાગઢ); વમ્ (૯૨૪); (કવર નં. ૨૦, સીસું); પ્રિવેમ્યમું (૨૨૬૮૦, ૫૦૪૧); શુક્લ (૩૭૯). ન્યૂસપ્લી (જૂનાગઢ); પ્રિવેમ્યમું (૫૦૪૫); શુક્લ (૩૮૦).
૨૦૧ ૨૯૭
–
૨૦૨ | ૨૯૮
રુદ્રસેન ૩જો રુદ્રસેન ૩જો રુદ્રસેન ૩જો
૮૫૩
૨૦૩] ૨૯૯
૨૦૪ ૩૦૦
જૂવુજૂ (૬૫૭); વડુ (-); પ્રિવૅમ્પમું (૧૫૩૬૨); શુક્લ (૩૮૧-૮૨, ૫૩૭). જરૉએસો, ૧૮૮૨ [૩૭૪],-૧૮૯૯ [૩૯૮]; ગાંસંભા (-). ન્યૂસપ્લી (સોનેપુર). ગાંસંભા (?) (૨૫૯).
રુદ્રસેન ૩જો રુદ્રસેન ૩જો રુદ્રસેન ૩જો
૨૦૫ | ૩૦૧
૨૦૬ | ૩૦૨
For Personal & Private Use Only
૦૭, ૩૦૪
સ્વામિ સિંહસેન
૨૦૮ | ૩૦૫
૨૦૯ | ૩૦૬
સ્વામિ સિંહસેન સ્વામિ સિંહસેન
રુદ્રસિંહ ૩જો | રુદ્રસેન ૩જો (?)
–
૨૧૦ ૩૧૦ ૨૧૧ ૩૧૨?
પ્રિવેન્યુમ્ (?) (૧૫૪૧૧). આ સિક્કામાં વર્ષનું પ્રતીક કપાળની સામે છે. પ્રિવેન્યુમ્ (?) (૧૭૭૩૫). પ્રિવેમ્યમું (?) (૧૧૫૭૦); રેપ્સન, કેટલૉગ, ફકરો ૧૨૯. ગિ.વ.આચાર્ય સોનેપુર નિધિના એક સિક્કા ઉપર આ પ્રકારનું વાચન કરે છે (ન્યૂસપ્લી., પૃષ્ઠ ૯૫-૯૬). જો કે પ્રસ્તુત વાચન સંદિગ્ધ જણાય છે. સંભવ છે કે પ્રશ્નાર્થ રાજા રુદ્રસિંહ ૩જો હોઈ શકે. જન્યુસોઈ, પુસ્તક ૨૨ [૧૧૮-૧૯, સીસું. "શુક્લ (૩૮૯).
૩૧૪ |
૨૧૨ ૨૧૩
- -
રુદ્રસિંહ ૩જો રુદ્રસિંહ ૩જો
ક્ષત્રપકાલીન ગુજરાત
૩૨૦ |
Page #52
--------------------------------------------------------------------------
________________
ક
|
બે.
પાંચ
છ
ત્રણ -
| |
ચાર રુદ્રસિહ ૩જો રુદ્રસિંહ ૩જો
પરિશિષ્ટ બે
૨૧૪/૩૩૩
જુઓ આ ગ્રંથમાં પૃષ્ઠ ૪૧ અને ૧૩૯. ઉપર મુજબ
૨ ૧૫ [૩૩૭
–
પ્રસ્તુત કોઠામાં નિર્દિષ્ટ સિક્કાનિધિઓ અને સિક્કા-કેટલૉગ્સ ઉપરાંત આ લેખકે ઇન્દોરના શાંતિલાલ પરદેશી, રાજેન્દ્રકુમાર શેઠી અને મોહબતસિંઘ જેવા સિક્કાસંગ્રાહકોના અંગત સંગ્રહમાં સુરક્ષિત ક્ષત્રપ સિક્કાઓની પણ જાત તપાસ કરી હતી અને જરૂરી વિગત નોંધી હતી. પરંતુ આ સંગ્રાહકોએ એમના સંગ્રહનું કોઈ વ્યવસ્થિત નોંધણીપત્રક તૈયાર કર્યું ના હોઈ અહીં આ કોઠામાં તે તે સિક્કાઓની સમાવેશનોંધ લઈ શકાઈ નથી.
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ત્રણ
સિક્કાનિધિઓ અને અપ્રાપ્ય વર્ષો
હવે આપણે સિક્કાનિધિઓનું વિવરણ કરીશું. આપણે જ્ઞાત છીએ કે ક્ષત્રપ રાજાઓના સિક્કાઓ ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે અને સમયે સમયે અન્યથા પણ હાથવગા થતા રહે છે. પરંતુ છૂટાછવાયા મળી આવતા સિક્કાઓ કરતાં એક જ પાત્રમાં સંગૃહીત સિક્કાઓની ઉપયોગિતા સવિશેષ ધ્યાનાર્ય બની રહે છે. આ રીતે મળી આવતા સિક્કાના જથ્થાને “સંગ્રહ અથવા “નિધિ” (hoards)તરીકે ઓળખવામાં આવે છે. અત્યારસુધીમાં આવા વિસેક નિધિ આ રાજાઓના પ્રાપ્ત થયા છે, જેની સંકલિત માહિતી અહીં અકારાદિ ક્રમે રજૂ કરી છે. '
અમરેલી (ગોહિલવાડ) : અહીં એક ટીંબાનું ખોદકામ કરતાં ૨૭૦ જેટલા સિક્કાઓ મળી આવ્યા હતા. ચાંદીના સિક્કાઓમાં રુદ્રસેન રજાના ત્રણ, વિશ્વસિંહ રાજાનો એક, ભદામાના બે અને રુદ્રસેન ૩જાના બે સિક્કાઓનો સમાવેશ થાય છે. તાંબાના સિક્કામાં છ સિક્કા ચોરસ છે અને તે રુદ્રસેન ૩જાના હોવાનું મનાય છે. સીસાના બધા જ સિક્કા એના છે. પૉટનના બધા સિક્કા વીરદામાના હોવાનું જણાય છે. [વિગતવાર વિવરણ વાસ્તે જુઓ : એન્યુઅલ રિપૉર્ટ ઑવ ધ ડિપાર્ટમેન્ટ ઑવ આર્કિઑલજિ, બરોડા સ્ટેટ, ૧૯૩૬-૩૭, પૃષ્ઠ ૧૭થી.]
ઉપરકોટ (જૂનાગઢ) : આ સ્થળેથી ૧૮૯૭માં લગભગ ૧૨૦૦ જેટલા સિક્કાઓનો એક સંગ્રહ હાથ લાગેલો. આ નિધિમાં રુદ્રસેન ૧લાથી આરંભી રુદ્રસેન ૩જા સુધીના રાજાઓના સિક્કાઓ સમાવિષ્ટ છે. અલબત, અપવાદરૂપે સંઘદામ, દામજદશ્રી રજો અને યશોદામા ૧લાના સિક્કાઓ આ સંગ્રહમાં મળ્યા નથી. ઈશ્વરદત્તના અને કેટલાક અનભિષેય સિક્કાઓનો સમાવેશ થાય છે. [વધુ માહિતી માટે જુઓ : જબૉબારૉએસો., પૂર્વીય શ્રેણી, પુસ્તક ૨૦, પૃષ્ઠ ૨૦૧થી].
કરાદ (મહારાષ્ટ્ર) : અહીંથી ૧૮૬૧માં એક સિક્કાનિધિ સંપ્રાપ્ત થયેલો; જેમાં વિજયસેન, દામજદશ્રી ૩જો, રુદ્રસેન રજો, વિશ્વસિંહ, ભર્તુદામા અને વિશ્વસનના સિક્કાઓનો સમાવેશ થાય છે. [વિગત વાતે જુઓ : બૉગે., પુસ્તક ૧, ભાગ ૧, પૃષ્ઠ ૪૮થી] .
કામરેજ (સુરત જિલ્લો) : અહીંથી પ્રાપ્ત નિધિમાં અગિયાર સિક્કા છે; જેમાં ભૂમકના ત્રણ; જયદામા, રુદ્રસેન ૧લો અને વીરદામાના એક એક; તેમ જ રુદ્રસેન ૩જાના ચાર અને એક અવાચ્ય સિક્કાઓ સમાવેશ થાય છે. [જુઓ : એન્યુઅલ રિપોર્ટ ઑવ ધ ડિપાર્ટમેન્ટ ઑવ આર્કિૉલજિ, બરોડા સ્ટેટ, ૧૯૩૫-૩૬, પૃષ્ઠ ૫૪થી.]
ખામટા (રાજકોટ જિલ્લો) : ૧૨-૮-૧૯૮૬ના રોજ આ ગામેથી ૬૨ સિક્કાઓનો એક નિધિ રાજય પુરાતત્ત્વ ખાતાની રાજકોટ સ્થિત પશ્ચિમ વર્તુળની કચેરીના ધ્યાન ઉપર આવેલો.
For Personal & Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ત્રણ
૪૧
આ બધા સિક્કાના ફોટોગ્રાફ કચેરી પાસે છે. ચાંદીના સિક્કાઓમાં નહપાનના સિક્કાઓ હોવાનું કચેરીની નોંધમાં છે. અન્ય ક્ષત્રપ રાજાઓના સિક્કા આમાં સમાવિષ્ટ છે કે નહીં તેની કોઈ નોંધ સંપ્રાપ્ત નથી. માહિતી માટે રાજકોટ સ્થિત પુરાતત્ત્વ ખાતાની કચેરીનો સંપર્ક કરવો રહ્યો. શક્યતઃ આ સિક્કાઓ અપ્રકટ હોવાનું જણાય છે.
ગોંદરમી (મધ્યપ્રદેશ) : અત્રેથી એકાવન સિક્કા હાથ લાગેલા : વિજયસેનના પાંચ, રુદ્રસેન રજાના છ, ભર્તુદામાના સત્તર, વિશ્વસેનના દશ, રુદ્રસિંહ રજાના ત્રણ અને રુદ્રસેન ૩જાના એક તેમ જ નવ અવાચ્ય સિક્કા છે. [જુઓ : ઇન્ડિયન આર્કિૉલજિ, એ રિવ્યુ, ૧૯૫૪-૫૫, પૃષ્ઠ ૬૩થી].
છિંદવાડા (મધ્યપ્રદેશ) : ફક્ત દશ સિક્કાનો નિધિ અહીંથી હાથ લાગ્યો છે; જેમાં રુદ્રસેન રજાના ત્રણ, ભર્તુદામાના ત્રણ તેમ જ દામજદશ્રી ૩જો, વિશ્વસિંહ અને વિશ્વસન રાજાના એકેક તથા એક અવાચ્ય સિક્કાનો સમાવેશ થાય છે. [જુઓ : રૉએસોબેં., પ્રસીડિંગ્સ, પુસ્તક ૬, પૃષ્ઠ ૧૧૪થી].
જૂનાગઢ મ્યુઝિયમ : ગિરિજાશંકર વલ્લભજી આચાર્યને જૂનાગઢ રાજયની તિજોરીમાંથી ૫૨૦ જેટલા ક્ષત્રપ સિક્કાઓ સાંપડ્યા હતા. અનંત સદાશિવ ગએ સૌ પ્રથમ વખત આ સિક્કાઓ તપાસ્યા હતા. આ નિધિ ઉપરાંત ૨૦૯ અને ૭૭ સિક્કાના બીજા બે ખજાના પણ અહીં હતા. ૨૦૯માં ૧૩૪ સિક્કા રુદ્રસેન ૩જાના છે. પ૨૦ સિક્કાના નિધિમાં રુદ્રદામાં ૧લાથી ભર્તુદામા સુધીના (સંઘદામાં અને દામજદશ્રી રજાના સિવાયના) રાજાઓના સિક્કાઓ છે. [આ બધાની વિગતવાર માહિતી માટે જુઓ : જેરાએસોબેં., ૧૯૩૭, પુસ્તક ૩, અંક ૨ (ન્યૂસપ્લી. નં. ૪૭), પૃષ્ઠ ૯૭થી].
જૂનાગઢ જિલ્લામાંથી : ૧૯૮૫માં જૂનાગઢ જિલ્લાના એક ગામેથી આશરે ૫૦૦ જેટલા ચાંદીના સિક્કાનો એક જથ્થો રાહતકાર્ય દરમ્યાન હાથવગો થયો હતો. આ સિક્કાઓ કોઈક વ્યક્તિ મારફતે મુંબઈના બજારમાં વેચવા માટે પહોંચ્યા હતા. સદ્દભાગ્યે મુંબઈના ખ્યાત સિક્કાસંગ્રાહક શ્રી સદાશંકર શુક્લના ધ્યાન ઉપર આવતાં થોડાઘણા સિક્કાઓ એમણે ખરીદી લીધા હતા. ખરીદેલા આ સિક્કામાં મોટાભાગના સિક્કા મહાક્ષત્રપ સ્વામિ રુદ્રસિંહ ૩જાના છે અને તે પશ્ચિમી ક્ષત્રપવંશનો છેલ્લો શાસક છે. આ સિક્કાઓ ઉપરનાં જ્ઞાત વર્ષ શક સંવતનાં છે, જે આ મુજબ છે : ૩૧૦, ૩૧૩, ૩૧૫, ૩૧૬, ૩૨૦, ૩૩૩ અને ૩૩૭. [આ વિશેની ફક્ત માહિતી માટે જુઓ : દિલીપ રાજગોર, “ફ્રેશ લાઇટ ઑન ધ સોશ્યો-પૉલિટિકલ હિસ્ટરી ઑવ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ', સામીપ્ય, પુસ્તક ૧૯, એક ૧-૨, ૨૦૦૨, પૃષ્ઠ ૧૬થી]. જૂનાગઢના આ જથ્થામાંના ઘણાખરા સિક્કાઓ વિભિન્ન સંગ્રાહકોના અંગત સંગ્રહમાં હોવાનું જણાય છે.
જોગલ થમ્બી (નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર) : આ સ્થળેથી ક્ષત્રપ સિક્કાઓનો સહુથી મોટો ખજાનો હાથ લાગ્યો હતો. આ નિધિમાં આશરે ચૌદથી પંદર હજાર જેટલા સિક્કાઓ હોવાનું જાણમાં છે. આમાંથી ૧૩૨૫૦ જેટલા બચેલા સિક્કા એચ.આર.કૉટને તપાસવા વાસ્તુ મળ્યા હતા. આમાં ૯૨૭૦ સિક્કા ક્ષહરાત ક્ષત્રપ રાજા નહપાનના છે, જેના ઉપર સાતવાહન રાજા
For Personal & Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૨
ક્ષત્રપકાલીન ગુજરાત ગૌતમીપુત્રે પોતાની છાપ પડાવી છે. શેષ સિક્કા ફેરછાપ (counter-stamped) વિનાના છે. [વિગતે વિવરણ વાસ્તે જુઓ : બૉબારૉએસો., પુસ્તક ૨૨, નં. ૬૨ પૃષ્ઠ ૨૨૩થી].
દેવની મોરી (સાબરકાંઠા જિલ્લો) : મહાકાય બૌદ્ધ સ્તૂપ અને બૌદ્ધ વિહારના ઉલ્બનનકાર્ય દરમ્યાન વડોદરાની મ.સ. વિશ્વવિદ્યાલયના પુરાવસ્તુવિદ્યા વિભાગના પુરાવિદોને સિક્કાઓના બે નાનકડા નિધિ હાથ લાગ્યા હતા : વિહારની પ્રથમ ઓરડીના પ્રવેશ દ્વાર પાસેથી ૩૯ સિક્કાનો જથ્થો અને સ્તૂપની પ્રથમ પીઠિકાના ટોચના ભાગના મધ્યમાંથી ૮ સિક્કાનો સમૂહ હાથ લાગ્યો હતો. [માહિતી માટે જુઓ : ૨.ના.મહેતા અને સૂર્યકાંત ચૌધરી, એસ્કવેશન એટ દેવની મોરી, વડોદરા, ૧૯૬૬, પૃષ્ઠ].
દેવા (ખેડા જિલ્લો) : પૂર્વકાલીન સિક્કાઓથી સભર માટીનું એક નાનું વાસણ ગામના પ્રાથમિક શાળાના મેદાનમાંથી ખોદકાર્ય દરમ્યાન મળી આવ્યું હતું, જેમાંના નવ ક્ષત્રપસિક્કા વલ્લભ વિદ્યાનગરના અમૃત વસંત પંડ્યાને તપાસાર્થે મળ્યા હતા. આમાં રુદ્રદામાં ૧લાના બે, રુદ્રસેન ૧લાના બે અને વિશ્વસેનના પાંચ સિક્કાઓનો સમાવેશ થાય છે. [જુઓ વિગત વાસ્ત: જન્યુસોઇ., ભારતીય મુદ્રા પરિષદ, ગુવાહાતી સંમેલન, ૧૯૬૬માં એમણે આ બાબતે એક નિબંધ રજૂ કર્યો હતો].
પેટલુરીપલેમ (ગનૂર જિલ્લો, આંધ્રપ્રદેશ) : ટ્રેઝર ટ્રોવ એકટ હેઠળ પ૨, ૧૬ અને ૧૭૦ (કુલ ૨૩૮) સિક્કાના જથ્થા ત્રણ ટુકડે હાથવગા થયા હતા. વીરદામા, વિજયસેન, દામજદશ્રી ૩જો, રુદ્રસેન રજો, વિશ્વસિંહ, ભદામાં, વિશ્વસેન, રુદ્રસિંહ રજો, યશોદામા રજો અને ઈશ્વરદત્તના સિક્કાઓનો સમાવેશ આ બધા સિક્કાઓમાં થાય છે. [માહિતી કાજે જુઓ : ઇન્ડિયન આર્કિઓલલ જિ : એ રિવ્યુઃ ૧૯૫૬-૫૭, પૃષ્ઠ ૭૭થી અને ઈહિકૉ., પુસ્તક ૩૩, નંબર ૪, પૃષ્ઠ ૨૭૨થી.].
બાસિમ અને કુંડીનપુર (અકોટા અને વર્ધા જિલ્લા, મહારાષ્ટ્ર) : આ બંને સ્થળેથી સંપ્રાપ્ત સિક્કાઓમાંથી મોટાભાગના સિક્કાઓ ઓગાળી દેવામાં આવ્યા હતા. શેષ સિક્કા વાસુદેવ વિષ્ણુ મિરાશીને તપાસાર્થે મળ્યા હતા. [માહિતી માટે જુઓ : જન્યુસોઇ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૧૩થી].
વસોજ (જૂનાગઢ જિલ્લો) : ૧૯૩૭ પૂર્વે કોઈક સમયે આ સ્થળેથી ૫૯૧ સિક્કાનો મોટો ખજાનો હાથ લાગ્યો હતો. એમાં રુદ્રસિંહ ૧લાથી રુદ્રસેન ૩જા સુધીના, અપવાદરૂપ સંઘદામા અને યશોદામાં ૧લાના સિક્કાઓ સિવાય, ક્ષત્રપ શાસકોના સિક્કાઓનો સમાવેશ થાય છે. [વિગતો વાતે જુઓ : જરૉએસોબેં., ૧૯૩૭, પુસ્તક-૩, નં. ૨, પૃષ્ઠ ૯૮થી).
શિરવાલ (પૂણે જિલ્લો) : લગભગ 800 સિક્કાનો એક નિધિ આ સ્થળેથી ૧૮૪૬માં પ્રાપ્ત થયો હતો, જેમાં વિજયસેન, દામજદશ્રી ૩જો, રુદ્રસેન રજો, વિશ્વસિંહ, ભર્તુદામા, વિશ્વસેન, રુદ્રસિંહ રજો અને ઈશ્વરદત્તના સિક્કાઓ સમાવિષ્ટ છે. [માહિતી માટે જુઓ : જબૉબારૉએસો., પુસ્તક ૨, પૃષ્ઠ ૩૭૭થી].
સનાડિયા (જૂનાગઢ જિલ્લો) : રૂપચંદ નારણદાસ ટેકચંદાનીને આ નિધિમાંથી ૧૨૫
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ત્રણ
૪૩ જેટલા સિક્કા તપાસ માટે મળેલા અને એ બધા એમના અંગત સંગ્રહમાં સચવાયા છે : દામજદશ્રી ૧લાનો એક, રુદ્રસિંહ ૧લાના ત્રણ, રુદ્રસેન ૧લાના સાત, દામજદશ્રી રજાના બે, દામસેનના દશ, યશોદામાં ૧લાનો એક, વીરદામાના પાંચ, વિજયસેનના સુડતાલીસ, દામજદશ્રી ૩જાના ચૌદ, વિશ્વસિંહના ત્રણ, ભર્તુદામાના ત્રણ, વિશ્વસેનના નવ અને રુદ્રસેન ૩જાના વીસ. આ સિક્કાઓની માહિતી ક્યાંય પ્રસિદ્ધ થયાનું જાણમાં નથી. ફક્ત આ લેખકે આ બધા સિક્કાઓની જાત માહિતી મેળવી હતી અને જેનો નિર્દેશ આ ગ્રંથમાં પરિશિષ્ટ બેમાં કરેલો છે.
સર્વાણિયા (વાંસવાડા જિલ્લો, રાજસ્થાન) : ૨૪૦૦ સિક્કાનો ઘણો મોટો જથ્થો ૧૯૧૧માં પ્રાપ્ત થયો હતો; જેમાંથી ૨૩૯૩ સિક્કા ગિ.વ.આચાર્યને તપાસવા કાજે પ્રાપ્ત થયા હતા. એ પછી દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરે એનું પુનરીક્ષણ કરેલું. આ નિધિમાં રુદ્રસિંહ ૧લાથી રુદ્રસેન ૩જા સુધીના બધા રાજાઓના, તેમ જ ઈશ્વરદત્તના અને કેટલાક અનભિજ્ઞેય સિક્કાઓનો સમાવેશ થયો છે. [વિગતવાર વર્ણન વાતે જુઓ : ગિ.વ.આચાર્ય, રજપૂતાના મ્યુઝિયમ, એન્યુઅલ રિપૉર્ટ, ૧૯૧૨-૧૩ અને દે.રા.ભાંડારકર, આસઈરિ., ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૨૭થી].
સાંચી (ભોપાલ પાસે) : ૧૯૧૬-૧૭માં આ સ્થળે થયેલા ઉખનનકાર્યને કારણે ૪૧ સિક્કા ઉપલબ્ધ થયા હતા : રુદ્રસેન ૧લાનો એક, રુદ્રસેન રજાના સાત, વિશ્વસિંહના બે, ભર્તુદામાના અગિયાર, વિશ્વસનના આઠ, રુદ્રસિંહ રજાના બે, રુદ્રસેન ૩જાનો એક અને અવાચ્ય એવા નવ સિક્કા આ જથ્થામાં છે. [માહિતી માટે જુઓ : કેટલૉગ ઑવ ધ મ્યુઝિયમ ઑવ ધ આર્કિૉલજિ એટ સાંચી, પૃષ્ઠ ૬૧થી),
સોનેપુર (છિંદવાડા જિલ્લો, રાજસ્થાન) : ૬૭૦ જેટલા સિક્કાનો એક નિધિ આ સ્થળેથી ૧૯૨૫માં હાથ લાગ્યો હતો, જેમાંના ૩૭ સિક્કા ગળાઈ ગયા હતા. આ નિધિમાં સંઘદામા સિવાયના રુદ્રસેન ૧લાથી રુદ્રસેન ૩જા સુધીના બધા રાજાઓના તેમ જ ઈશ્વરદત્તના અને કેટલાક અનભિજ્ઞય સિક્કાઓ સમાવિષ્ટ હતા. [વિગતે વર્ણન માટે જુઓ : જરૉએસોબેં., ૧૯૩૭, પુસ્તક ૩, નંબર ૨, પૃષ્ઠ ૯પથી].
ઉપર્યુક્ત સિક્કાનિધિઓના સંક્ષિપ્ત વર્ણનથી એક હકીકત એ નજર સમક્ષ આવી છે કે આ બધા નિધિઓમાં જ્યાં જ્યાં ઘણા ખરા ક્ષત્રપ રાજાઓના સિક્કાનો સમાવેશ થાય છે ત્યાં ત્યાં સંઘદામાના સિક્કાની અનુપસ્થિતિ ધ્યાનાર્હ જણાય છે. હા, અપવાદરૂપ બે અલગ અલગ નિધિમાં દામજદશ્રી રજાના અને યશોદામા ૧લાના સિક્કાઓની ગેરહાજરી આશ્ચર્ય જન્માવે છે. અપ્રાપ્ય વર્ષો
ધ કાર્દમક ક્ષત્રપ્સ ઑવ વેસ્ટર્ન ઇન્ડિયા” નામક બુલિટિન ઑવ ધ પ્રિન્સ ઑવ વેલ્સ મ્યુઝિયમમાં પ્રગટ થયેલા લેખમાં (૧૯૫૩-૫૪, અંક ૪) પરમેશ્વરીલાલ ગુપ્તએ ચાખનથી વિશ્વસેન સુધીના ક્ષત્રપ શાસકો વિશે વિગતે વર્ણન કરતી વેળાએ આ રાજાઓની સાલવારીની ચર્ચા પણ કરી છે અને કયાં કયાં વર્ષોના સિક્કા મળ્યા નથી તે પણ નોંધ્યું છે. જો કે એમણે
For Personal & Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૪
ક્ષત્રપકાલીન ગુજરાત આપેલી સાલવારી વર્ષવાર નથી; પરંતુ જે તે રાજાની ઉપલી અને નીચલી જ્ઞાત મર્યાદા સૂચવી છે. તે પછી ધ કનૉલજિ ઑવ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ' (વિદ્યા, ગુજરાત યુનિવર્સિટી, ૧૯૫૬, વર્ષ ૧, અંક ૧) નામના લેખમાં હરિપ્રસાદ શાસ્ત્રીએ કોષ્ટક સ્વરૂપે ક્ષત્રપોની સાલવારી આપી છે. એમણે પણ જે તે રાજાના આરંભ અને અંતનાં વર્ષોનો નિર્દેશ આપી લેખાંતે ખૂટતાં વર્ષોની યાદી આપી છે. ત્યાર પછી આ ગ્રંથલેખકે “પશ્ચિમી ક્ષત્રપોની સાલવારી” નામના લેખમાં (જુઓ : સ્વાધ્યાય, વર્ષ ૫, અંક ૪, ૧૯૬૮, પૃષ્ઠ ૪૭૮થી ૪૯૮) વર્ષવાર ક્ષત્રપ અને મહાક્ષત્રપ ઉભયના સંદર્ભમાં વિગતે સાલવારી કોષ્ટકરૂપે આપી છે, જેનું વિગતે વર્ણન આ ગ્રંથમાં પરિશિષ્ટ રમાં પ્રસ્તુત કર્યું છે. આ પરિશિષ્ટમાં આ લેખકે શક વર્ષ ૧૦૧થી આરંભી શક વર્ષ ૩૩૭ સુધીના પ્રત્યેક વર્ષના ક્ષત્રપ અને મહાક્ષત્રપના સિક્કાઓની વિસ્તૃત યાદી આપી છે અને પ્રત્યેક વર્ષના સિક્કા સાથે રેપ્સનના કેટલૉગમાંનો ક્રમાંક અને સંદર્ભ વિગતો પણ નોંધી છે. તે સાથે તે તે વર્ષનો સિક્કો ક્યા નિધિમાં છે કે કયા સંગ્રહમાંનો છે તેની માહિતી પણ આપી છે. માત્ર આ લેખકે જોયેલા સંગ્રહાલયમાંના અને અંગત સંગ્રહમાંના સિક્કાઓના સંદર્ભે આ સૂચિ છે. આ સિવાય ક્ષત્રપ સિક્કાઓ કોઈ સંગ્રહાલયમાં કે અંગત સંગ્રહમાં હોય તો તેની વિગત અહીં આપી શકાઈ નથી.
પરિશિષ્ટ પમાં જણાવ્યા મુજબ શક સંવતનો પ્રવર્તક કાર્દમક શાખાનો રાજા ચાષ્ટન હતો. તેથી ક્ષહરાત શાખાના રાજાઓએ, ખાસ તો નહપાને પોતાના લેખોમાં રાજકાલનાં વર્ષોનો વિનિયોગ કર્યો હતો. પ્રકરણ ૧૧માં દર્શાવ્યા મુજબ સામાન્યત: ક્ષત્રપાદનો અધિકાર મહાક્ષત્રપપદનાં અંતિમ વર્ષોમાં જે તે યુવરાજને પ્રાપ્ત થયો હતો. આથી ક્ષત્રપપદના અધિકારી યુવરાજોએ રાજાક્ષત્રપ તરીકે તૈયાર કરાવેલા સિક્કાઓમાંનાં નિર્દિષ્ટ વર્ષ સળંગ ક્રમમાં નથી. વળી આ રાજાઓના અમલનાં અંતિમ વર્ષમાં કેટલાક સમયના માત્ર ક્ષત્રપ તરીકેના, તો તે પછીના કેટલાક સમયના કેવળ મહાક્ષત્રપ તરીકેના સિક્કા જ સંપ્રાપ્ત થયા છે. આથી અહીં તો માત્ર મહાક્ષત્રપપદના અધિકૃત રાજાઓએ તૈયાર કરાવેલા સિક્કાના સંદર્ભમાં અપ્રાપ્ય વર્ષોની વિગતો પ્રસ્તુત કરી છે. હા, જે સમયના ફક્ત ક્ષત્રપ સિક્કાઓની પ્રણાલિ જોવી પ્રાપ્ત થઈ છે. તેનો જો કે સમાવેશ કર્યો છે. શિલાલેખો અને સિક્કાલેખોના સંદર્ભે જે વર્ષો અપ્રાપ્ય છે તે અત્રે દર્શાવ્યાં છે. :
શક સંવતનાં ખૂટતાં વર્ષ ૧થી ૧૦
૨૨૧થી ૨૨૬ ૧૨થી ૧૧
૨૩૩ પ૩થી ૭૧ ૨૪૮ ૭૩થી ૧૦૦ ૨૫૦-૫૧ ૧૦૮
૨૫૫-૬૯ ૧૨૧
૨૭૫-૭૯
For Personal & Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ત્રણ
૪૫
૩૦૩
૧૨૩. ૧૨૯
૩૦૭-૦૯ ૩૧૧
૧૪૩
૧૪૮-૪૯
૩૧૭-૧૮
૧૫૯
૩૨૧-૩૩૨ ૩૩૪-૩૩૬
૧૯૨-૯૩
૨૦૨-૦૩ ૨૦૮ ૨૧૮-૧૯
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
શક પ્રજા : ભારતમાં આગમનની ભૂમિકા
ઘણા દીર્ઘકાલથી શક પ્રજા આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં જ્ઞાત છે. આપણા પૂર્વકાલનાં સંસ્કૃત સાહિત્યમાં યવનો(ગ્રીકો)ની સાથે વારંવાર શક-પહ્વવોનો નિર્દેશ જોવા મળે છે; પરંતુ સાહિત્યિકસામગ્રીના પ્રાસંગિક ઉલ્લેખો ઉપરથી આ પ્રજાના સર્વાંગીણ ઇતિહાસ વિશે પૂરતી માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. આથી આપણા રાષ્ટ્રના પૂર્વકાલીન સંસ્કૃત ગ્રંથોમાં શકોના ઉલ્લેખ જોવા પ્રાપ્ત થતા હોવા છતાંય એમના મૂળ વતન વિશેની અને આપણ ભૂમિમાં થયેલા એમનાં આગમનની તવારીખ માટે આપણે મુખ્યત્વે ગ્રીક તથા ચીની ભાષામાં લખાયેલા અહેવાલો ઉપર અને આ પ્રજાના શાસકવર્ગે કોતરાવેલા શિલાલેખો તથા તૈયાર કરાવેલા સિક્કાઓ ઉપર વિશેષ આધાર રાખવો રહે છે.
પ્રકરણ ત્રણ
ઈસ્વી પૂર્વ ૧૮૫ના અરસામાં મૌર્ય સામ્રાજ્યનો અસ્ત થતાં અને અનુગામી રાજવંશમાંથી કોઈ શક્તિસંપન્ન સામ્રાજ્ય અસ્તિત્વમાં ન હોવાને પરિણામે પરદેશી આક્રમણકારો સારુ આપણી ભૂમિમાં પ્રવેશવાનાં દ્વાર પુનઃ ખુલ્લાં થયાં. વિદેશી એવા પ્રસ્તુત આક્રમણકારોમાં શકપ્રજાથી ખ્યાત આક્રમકોનો પણ સમાવેશ થાય છે.
શક પ્રજાના આક્રાંતાઓએ આપણા દેશના ઉત્તર-પશ્ચિમ પ્રદેશોમાંના યવનોને હરાવી, તે વિસ્તારમાં સત્તા સ્થાપી, જેની ચર્ચા આ પ્રકરણમાં અંતભાગે કરી છે. આ શકોએ યવનોને તો આપણા દેશમાં પરાજિત કર્યા જ, પણ એમને એમના મૂળ વતન બાહ્નિકમાં પણ હરાવી, ત્યાંથી તેમને સ્થળાંતર કરવાની ફરજ પાડેલી. શકોએ પર્લવદેશ (પાર્થિઆ) પર ધસારો કરી પર્લવ રાજાઓને પણ હરાવેલા. આમ જગતના ઇતિહાસમાં આ શકપ્રજા ઘણા પૂર્વકાલથી જ્ઞાત હોવાનું સૂચિત થાય છે. આ પ્રકરણમાં આથી આપણે શકપ્રજાનું મૂળ વતન ક્યાં હતું, કાં કારણોસર તેમને મૂળ વતન છોડવું પડ્યું, ભટકતાં ભટકતાં તેઓ આપણા દેશમાં ક્યાંથી પ્રવેશ પામ્યા, એમણે રાજકીય દૃષ્ટિએ પ્રારંભિક કારકિર્દી કેવી રીતે ક્યાંથી શરૂ કરી ઇત્યાદિ સવાલો સહજ રીતે ઉપસ્થિત થાય તે સ્વાભાવિક હોઈ અહીં આપણે તે બાબતે વિગતે વિશ્લેષણ કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
શકપ્રજાનો પ્રારંભિક નિર્દેશ
ઇતિહાસની તવારીખમાં શકપ્રજાનો પહેલપ્રથમ ઉલ્લેખ માદ અથવા મિદી (medes) લોકોના સંદર્ભમાં જોવા મળે છે. માદ લોકો ભારોપીય હતા. ઐતિહાસિક રીતે તેઓ શકો અને ઈરાનીઓના મિશ્રણવાળા હતા. ઈસ્વી પૂર્વે ૧૦૦૦ના અરસામાં એસીરિયામાં તેઓ રહેતા હતા. ઈસ્વીપૂર્વ આઠમી સદીમાં તેમણે મીડિયામાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું. અકબતાના (ecbatana હાલનું હમદાન, ઈરાન) એમની રાજધાની હતી.
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રણ
માદ લોકોએ ઈસ્વી ૬૧૨માં સીથિયનોના સહકારથી નિનેવેહ જીતી એસીરિયાના સામ્રાજ્યનો ઉત્તર અને પૂર્વ ભાગ કબજે કર્યો હતો. આ લોકોએ પછીના સમયે સીથિયનો ઉ૫૨ પણ આણ પ્રવર્તાવી હતી. હખામની (achaemenid)` વંશના ઈરાની સામ્રાજ્યના પહેલા રાજા કુરુએ (cyrus) (ઈસ્વીપૂર્વ ૫૫૮-૫૩૦) શકો ઉપર વર્ચસ્વ જમાવ્યાનો ઉલ્લેખ થયેલો છે. હેરોદોતનું (પ્રચલિત ઉચ્ચાર હેરોડોટસ-Herodotus છે) વિધાન કંઈક આવી જ હકીકત દર્શાવે છે : દારયના (મૂળમાં દારયવહુષ છે અને અંગ્રેજીમાં Darius) સમય (ઈસ્વીપૂર્વ ૫૨૨થી ૪૮૬) પહેલાં માદ દેશ (media)ના લોકોને જીતી શકોએ એશિયા ઉપર પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું હતું .
૪૭
પુરાવશેષીય સાધનોમાં શકોનો પહેલવહેલો ઉલ્લેખ દારયના લેખોમાં જોવા મળે છે. દારયના અને એના અનુગામી ખ્યયાર્ષાના (xerxes) એક એક લેખમાં શકપ્રજાનાં ત્રણ જૂથોનો સ્પષ્ટ નિર્દેશ છે. પ્રસ્તુત પુરાવશેષીય પ્રમાણ ધ્યાનમાં લેતાં કહી શકાય કે શકપ્રજા ઇશુપૂર્વેની છઠ્ઠી-પાંચમી સદી પહેલાં વિદ્યમાન હતી. કુરુ અને માદ લોકોની સાથેના સંદર્ભમાં અવલોક્તાં તેમને ઈસ્વીપૂર્વ સાતમી-છઠ્ઠી સદીમાં વિદ્યમાન હોવાનું પણ સૂચવી શકાય. રેપ્સન દારયના લેખમાં નિર્દિષ્ટ શકોનાં ત્રણ જૂથો ઈસ્વીપૂર્વ આઠમી સદીમાં અસ્તિત્વમાં હતાં એમ નોંધે છે. આ દૃષ્ટિએ શકોને ઈસ્વીપૂર્વે આઠમી-સાતમી સદીમાં વિદ્યમાન હોવાની બાબત અસ્થાને નથી૧૧. શકોની ત્રણ વસાહતો
દારયના નક્ષ-ઈ-રુસ્તમના લેખમાં શકપ્રજાનાં ત્રણ જૂથોનો નિર્દેશ થયેલો છે : (૧) સકા તિગ્રખૌદા, (૨) સકા હૌમવર્ક અને (૩) સકા તરદરયા૧૨.
સકા તિગ્રખૌદા (pointed cappedskythian)થી ઓળખાતા લોકો અણીદાર ટોપી પહેરતા હતા. આ લોકો સિરદરયા નદીને કાંઠે રહેતા હતા અને પડોશના બાહ્લિક દેશના સૈનિકો સાથે લશ્કરમાં કામ કરતા હતા.
સા હૌમવર્કાથી (amyrgian skythian)ઓળખાતા લોકો ઈરાન દેશના વંગિયાના પ્રદેશમાં રહેતા હતા. આ પ્રદેશ હેલમંદ નદીના કાંઠા ઉપર આવેલો હતો. અનુકાલમાં આ પ્રદેશ ‘સકસ્થાન’ તરીકે ઓળખાયો. ઈરાનીઓ તેને ‘સિજિસ્તાન’ કહેતા. હાલ તે ‘સીસ્તાન’થી પ્રસિદ્ધ છે. વર્તમાને આ પ્રદેશ ઈરાન અને અફઘાનિસ્તાનના બંને દેશોમાં વિભાજિત છેં૧૩.
સકા તરદ૨યાથી ઓળખાતા શકો યુરોપીય હતા. તેઓ કાળા સમુદ્રની ઉત્તરે રહેતા હતા. તેઓ શકા તિગ્રખૌદાની જેમ અણીદાર ટોપી પહેરતા હતા૪.
આ વર્ણન ઉપરથી સૂચિત થાય છે કે શકોનું મૂળ નિવાસસ્થાન મધ્ય એશિયાના લાંબા વિસ્તૃત પટમાં વિસ્તેરલું હતું ૫.
શકજાતિ
પ્રચલિત શબ્દ ‘શક’ના મૂળ સ્રોતને જાણવા કાજે કોઈ ચોક્કસ સાધન ઉપલબ્ધ નથી. અસલમાં આ જાતિ આ નામે ઓળખાતી હતી કે કેમ તે વિશે કોઈ ખુલાસો મળતો નથી. પરંતુ
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૮
ક્ષત્રપકાલીન ગુજરાત આપણા દેશ ઉપર મધ્ય એશિયાના વિસ્તારમાંથી એમનાં જે આક્રમણો થયાં, ખાસ કરીને ઈસ્વીપૂર્વ ૧૪૦થી ૧૩૦ના સમયગાળામાં, તેમના માટે આપણા પૂર્વકાલના અધ્યેતાઓએ “શક' શબ્દ પ્રયોજેલો હોવાનું સૂચિત થાય છે.
ગ્રીક અને રોમીય લેખકો આ માટે “સીથિયન’ શબ્દનો પ્રયોગ કરે છે. ઈરાનીઓ તેમને “સક' નામથી ઓળખતા હતા. જયારે ચીની તવારીખકારોએ “સે' (se), “સઈ” (sai), ‘સેક' (sek) અથવા “સોક' (sok) કે “સુ' (su) એવાં વિવિધ નામોલ્લેખ કરેલા છે૮. શકોને મનુસ્મૃતિએ ‘દસ્ય' નામથી ઓળખાવ્યા છે૯.
શકોને આપણી ભૂમિમાં કયા કારણોથી આવવું પડ્યું તેની ભૂમિકારૂપે મધ્ય એશિયામાં થયેલી ઊથલપાથલની સમીક્ષા પ્રસ્તુત કરવી અહીં આવશ્યક છે. મધ્ય એશિયામાં ઊથલપાથલ૦
પૂર્વ સમયમાં તાતાર નામની જાતિ ચીનની ઉત્તરે રહેતી હતી, જેણે ઘણીવાર ચીન ઉપર આક્રમણ કરેલાં. આ જાતિને ચીનના તવારીખનશો ‘હિયંગનુ૨૧ નામથી ઓળખાવે છે. આપણે તેમને હૂણ' નામથી ઓળખીએ છીએ. આ હૂણ લોકોના વારંવારના હુમલાથી પરેશાન થયેલા ચીની લોકોએ ઈસ્વીપૂર્વ ૨૪૬થી ઈસ્વીપૂર્વ ૨૧૦ સુધીના સમયગાળામાં ચીનના ઉત્તર ભાગમાં-સમુદ્રકિનારાથી કાનસૂ પ્રાંત સુધી ૪-એક મહાકાય દીવાલ બાંધેલી. છતાંય હુમલા ચાલુ રહ્યા હતા, પણ હન રાજયના રાજા હવેઈ-તિ (Havel-Ti)ના સમયમાં (ઈસ્વીપૂર્વ ૧૯૪૧૭૯) તેમના હુમલા નિષ્ફળ જતાં, હૂણોને અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આથી તેઓ કાનસૂ પ્રાંતના વાયવ્ય પ્રદેશ તરફ પહોંચ્યા, જયાં ત્યારે ‘તાહિયા'૨૯ અને યુએચી૩૦ જાતિના લોકો રહેતા હતા. તાહિયા લોકો શાંતિચાહક હતા”, જ્યારે યુએચી પ્રજા લડાયક સ્વભાવની હતી.
શિ-કિ અને સીએન-હન-સુનના આધારે જાણવા મળે છે કે હૂણ રાજા ચિ-યુએ યુએચઓને હરાવ્યા, તેથી તેઓ સ્વપ્રદેશ છોડી, થી-આન-શાન પર્વતમાળાની દક્ષિણે આવેલા પ્રદેશમાં પશ્ચિમ તરફ વળ્યા, ઈસ્વીપૂર્વ ૧૭૬માં ૫. ઈસ્વીપૂર્વ ૧૬૫માં હૂણ સરદાર લાઓ-ચાંગૂએ ફરીથી યુએચી લોકો સાથે લડાઈ કરી, તેમને હરાવ્યા અને નસાડી મૂક્યા. તેથી યુએચઓ ઈલિ નદીના પ્રદેશમાં (જે હવે કુલજા ટેકરીઓ ઉપરથી કુલજા પ્રદેશના નામથી ઓળખાય છે) આવીને વસ્યા. આ પ્રદેશમાં ‘-સુન' નામની જાતિ રહેતી હતી. યુએચીઓએ આ લોકોને હરાવ્યા. આ અથડામણમાં વુસુન જાતિનો સરદાર માર્યો ગયો, પણ આ પ્રદેશ નાનો હોવાથી યુએચઓમાંથી થોડા અહીં સ્થાયી થયા અને બાકીના પશ્ચિમ બાજુએ ઈસ્સિકકુલ સરોવર તરફ આગળ વધ્યા.
અહીંથી યુએચી બે શાખામાં વિભાજિત થયા : (૧) નાના યુએચી અને (૨) મોટા યુએચી૩૯. નાના યુએસી લોકો દક્ષિણ તરફ ગયા અને તિબત્તની સરહદે વસ્યા. મોટા યુએચઓ પશ્ચિમ તરફ આગળ વધી સિરદરયા૧૧ નદીને કિનારે પહોંચ્યા. આ પ્રદેશમાં સઈ(શક) લોકો રહેતા હતા, જે દારયના શૈલલેખ અનુસાર સકા તિગ્રખૌદા નામથી જ્ઞાત હતા
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રણ
૪૯
(જુઓ અગાઉ પૃષ્ઠ ૪૭). આ સઈ લોકોનો નાયક ‘સઈ-વાંગ’ નામે ઓળખાતો હતો. આ સઈ-વાંગર ઉપર મોટા યુએચીઓએ હુમલો કર્યો. આથી સ્વરક્ષણાર્થે સઈ-વાંગ, બધાંને વિખેરી, પોતે કિપિન-કાપિશ૪૩ નામના દેશમાં ચાલ્યો ગયો૪. જ્યારે સઈ લોકોમાંથી કેટલાક બાહ્લિક પ તરફ ગયા અને કેટલાક યુએચીઓ સાથે ભળી ગયા.
યુએચીઓ અહીં સ્થિર થયા પણ એમના કમનસીબે એમને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઉદ્ભવી. યુએચીઓને વુ-સુન સાથે અથડામણમાં આવવું પડેલું, જેમાં વુ-સુન રાજા માર્યો ગયેલો જે આપણે અગાઉ અવલોક્યું છે. આ રાજાના અનાથ પુત્રને યુએચીના કટ્ટર દુશ્મન હૂણોએ દત્તક લઈ છેર્યો. ઉંમરલાયક થતાં દત્તક પુત્રે હૂણોના સહકારથી વિગત પિતાના દુશ્મનો (મોટા યુએચીઓ) ઉ૫૨ ઈસ્વીપૂર્વ ૧૬૦માં હુમલો કર્યો. ઘમસાણ યુદ્ધ થયું. હૂણોએ યુએચીઓને હરાવી નસાડી મૂક્યા એટલે અગાઉ સઈ લોકોને હરાવી પચાવી પાડેલો પ્રદેશ આ હારથી ગુમાવવો પડ્યો. અહીંથી યુએચીઓ દક્ષિણ તરફ પ્રયાણ કરી આમૂદરયાની ખીણમાં (જે પ્રદેશ સુગ્ધપુર નામે ઓળખાતો હતો ત્યાં) આવીને વસ્યા અને સ્થિર થયા. પરંતુ આ પ્રદેશ બાલિક પ્રદેશ કરતાં ઓછો ફળદ્રુપ હતો. આથી યુએચી લોકો આ પ્રદેશ છોડીને બાહ્લિક દેશમાં આવ્યાં. આ સમયે અહીં શકો રહેતા હતા. યુએચીઓના આક્રમણને-આગમનને કારણે
શક પ્રજાને બાહ્લિક દેશમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી. શક લોકો પશ્ચિમ તરફ ખસ્યા અને પર્લવ દેશમાં પહોંચ્યા. તે વખતે ત્યાં ફ્રાવત ૨જો (ઈસ્વીપૂર્વે ૧૩૮-૧૨૮) અને આર્તબાન ૧લો (ઈસ્વીપૂર્વે ૧૨૮-૧૨૩) રાજ્ય કરતા હતા. તેમણે શકોનો સામનો કર્યો પણ હાર્યા અને માર્યા ગયા; પરંતુ મિથદાત ૨જાએ (ઈસ્વીપૂર્વ ૧૨૩થી ૮૮) શક લોકોને હરાવ્યા. આથી શકોને પુનશ્ચ તે પ્રદેશ છોડીને મર્વ દેશ જવું પડ્યું અને ત્યાંથી દક્ષિણ તરફ ખસીને હેરાત થઈ, હેલમંદ નદીના કાંઠે આવેલા સીસ્તાનમાં વસવું પડ્યું. તે વખતે ત્યાં શકોની બીજી ટોળી રહેતી હતી, જે ‘સકા હૌમવર્કા' તરીકે જાણીતી હતી. આથી આગંતુક શક લોકો સ્થાનિક શક પ્રજા સાથે ભળી ગયા.
૫૭
અગાઉ અવલોક્યું તેમ યુએચીના દબાણને કારણે સઈ-વાંગ કિપિન-કાપિશ ગયો અને સઈ લોકો વેરવિખેર થઈ ગયા. આ સઈ(શક) લોકો યવનોને અનુસરતા સ્વાત ખીણ અને પંજાબ થઈ ભારતમાં પ્રવેશ્યા હોવાનું વિદ્વાનો માને છે. તો સીસ્તાનવાળા શક લોકો કંદહાર થઈ, બોલનઘાટના માર્ગેથી બ્રાહઈ પર્વતને વીંધીને સિંધુ નદીના વિસ્તારમાં આવી વસ્યા. આ સ્થળ હિન્દી-શકસ્થાન તરીકે ઓળખાયું.
પાદનોંધ
૧. આપણા દેશમાં સત્તારૂઢ થયેલા શકો અને પત્નવો સામાન્યતઃ શક-પહ્લવ એવા સંયુક્ત નામથી જ્ઞાત છે; કેમ કે તેમાંના શક અને પદ્ઘવ રાજાઓને ચોક્કસ રીતે તે જાતિના નામથી ઓળખવા-ઓળખાવવા મુશ્કેલ છે. આથી લગભગ બધા ઇતિહાસકારો આ બંને પ્રજાને સંયુક્ત નામે જ ઓળખાવે છે; પરંતુ સ્ટેન કોનો આ પ્રચલિત પરંપરાનો વિરોધ કરતાં જણાવે છે કે શરૂઆતના તબક્કે આ બંને પ્રજા એકબીજાની કટ્ટર દુશ્મન હતી. (જુઓ જરાઁએસો., ૧૯૩૨, પૃષ્ઠ ૯૫૫). આ સાચું છે, પરંતુ મિશ્રદાત રજાના સમયથી આ બંને જાતિઓ એકબીજામાં ભળી ગયેલી છે તેની નોંધ સ્ટેન કોનોએ
For Personal & Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
ЧО
લીધી નથી.
૨. રામાયણ : બાલકાંડ, ૫૪, ૨૧, ૨૨; કિષ્કિન્ધાકાંડ, ૪૩, ૧૨; મહાભારત : સભાપર્વ, ૩૫, ૧૭; અનુશાસનપર્વ ૬૮, ૨૧; અને મનુસ્મૃતિ : ૧૦, ૪૩-૪૪ વગેરે.
૩. શ્ર્વર, હિએસિ., પુ.૧, પૃ.૧૦૪. એસીરિયા એ તૈગરિસ નદીના ઉપરવાસમાં પશ્ચિમ એશિયામાં આવેલું પૂર્વકાલીન સામ્રાજ્ય છે. એની રાજધાની નિનેવેહ છે. ઇસુ પૂર્વેની સાતમી સદીમાં આ સામ્રાજ્ય ભારતથી ઇજિપ્ત સુધી અને એશિયા માઈનોર સુધી વિસ્તરેલું હતું. મીડિયા એ પૂર્વકાલીન શ છે, જે આજના પશ્ચિમોત્તર ઈરાનનો ભાગ છે.
ક્ષત્રપકાલીન ગુજરાત
૪. એજન, પૃષ્ઠ ૧૦૪.
૫. આ ગ્રંથમાં સમાવિષ્ટ વિદેશી વિશેષનામો અંગ્રેજીમાં કંઈક જુદી રીતે લખાય છે; પરંતુ આપણે એ નામોની, મૂળ ઉચ્ચારાનુસા૨ જણાતી, જોડણી આપવાનો પ્રયત્ન કર્યો છે;- મુખ્યત્વે દિનેશચંદ્ર સરકારના ગ્રંથ સીઈ અને જયચંદ્ર વિદ્યાલંકારના ગ્રંથ ભાઇરૂ., ભાગ ૧-૨ના આધારે. દા.ત. Darius અંગ્રેજીમાં, મૂળમાં દારયવહુષ અને ગુજરાતીમાં દારય. અંગ્રેજીમાં Herodotus અને ગુજરાતીમાં
હેરોદોત.
૬. રેપ્સન, બેક્ટ્રિઆ, પૃષ્ઠ ૯, ઇન્સાઇક્લપીડિઆ બ્રિટાનિકા, (હવે પછી ઇન્સ્ડ. બ્રિટા.) પુ.૭, પૃષ્ઠ
૭૦૭-૭૦૮.
૭. રેપ્સન, પુ. ૧, પ્ર. ૧૦૪. આમ થવાનું કારણ એ છે કે શકો ભટકતી જાતિના લોકો હતા અને યુએચીઓના દબાણને કારણે તેમને વારંવાર સ્થળાંતર કરવાની ફરજ પડેલી. એટલે શક્ય છે કે શકો જે પ્રદેશમાં જતા તે પ્રદેશના લોકો સાથે અથડામણમાં આવતા. ક્યારેક તેઓ જીતતા, તો ક્યારેક તેઓનો પરાજય થતો. પદ્ભવ રાજાઓ(મિથ્રદાત ૧લો, ફ્રાવત ૨જો, આર્તબાન વગેરે)ને શકોએ હરાવેલા, પણ આ જ જાતિના મિદાત ૨જાએ શકો ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું તે ઘટના જાણીતી છે. ૮. સરકાર, સીઇ. પૃષ્ઠ ૪-૧૧. દારયના બેહિસ્પૂન, પ૨સીપોલિસ, હમદન અને નક્ષ-ઈ-રુસ્તમના
લેખોમાં શકોનો સામાન્ય ઉલ્લેખ છે. આ બધાં સ્થળ ઈરાનમાં આવેલાં છે.
૯. દારયના નક્ષ-ઈ-રુસ્તમના અને ક્ષયાર્ષાના (મૂળમાં યાર્ષા છે) પરસીપોલિસના લેખમાં. (જુઓ સરકાર, સીઇ., પૃ. ૯-૧૩)
૧૦. રેપ્સન, ક્રેહિઇ., પૃષ્ઠ ૫૬૫, જયચંદ્ર વિદ્યાલંકાર, ભાઈરૂ., પૃષ્ઠ ૪૦૬.
૧૧. સાહિત્યિક ઉલ્લેખો અને હેરોદોતની નોંધોને આધારે સત્યશ્રાવ શકોને ઈસ્વી પૂર્વ ૨૪૦૦ના અરસામાં મૂકે છે. (જુઓ સત્યશ્રાવ, પૃ. ૪). જો કે આ વિધાન અતિશયોક્તિ ભરેલું જણાય છે.
૧૨. રેપ્સન, ક્રેહિઇ., પુ.૧, પૃષ્ઠ ૫૬૪-૬૫; સ્ટેન કોનો, કૉઇઇ., પુ. ૨, ભા. ૧, પ્રસ્તાવના, પૃષ્ઠ ૧૭૧૮; હર્ઝફ્સ, આસઇ., મેમોયર્સ, નં. ૩૪, પૃષ્ઠ ૪-૫; સરકાર, એઇયુ., પૃષ્ઠ ૧૨૦; વિદ્યાલંકાર, ભાઈરૂ., પૃષ્ઠ ૪૦૬., વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામા, પૃષ્ઠ ૩.
૧૩. ઇન્સા. બ્રિટા., પુ.૨૪, પૃષ્ઠ ૫૯૨.
૧૪. હર્ઝફ્ટ, આસઇ., મેમોયર્સ, નં. ૩૪, પૃષ્ઠ ૪-૫.
૧૫. શકોની આ ત્રણેય ટોળીનો પહેરવેશ એક સરખો હતો. તેઓ રૂવાંટીવાળો લાંબો કોટ અને પહોળો રૂવાંટીવાળો પાયજામો તથા કાન તેમ જ ગાલને ઢાંકતી-રક્ષતી ટોપી પહેરતા હતા. સકા તિગ્રખૌદા અને સકા તરદરયા ખૂબ જ અણીદાર ટોપી પહેરતા જ્યારે સકા હૌમવર્ક ઓછી અણીદાર ટોપી પહેરતા. તેમનો પહેરવેશ ઠંડા પ્રદેશને માટે અનુકૂળ હતો. (હર્ઝ, એજન, પૃષ્ઠ ૪-૫).
૧૬. ડબલ્યુ. ડબલ્યુ. ટાર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૭૯. ‘શક' શબ્દ સીથિયનોની અનેક ટોળીમાંની એક ટોળીનું નામ હતું. પણ ગ્રીક અને રોમીય લેખકોએ બધી જ સીથિયન ટોળીઓ માટે શિથિલ અર્થમાં ‘શક’
For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રણ
૫૧
શબ્દના પ્રયોગનો વિનિયોગ કર્યો હતો. (જુઓ રોલિનસન બેક્ટ્રિઆ, પૃષ્ઠ ૧૪, પાદનોંધ ૨). બ્રેબો (ઈસ્વીપૂર્વ ૬૩) સકરૌલી (sacarauli)ને અને ટોમસ (ઈસ્વીપૂર્વ ૫૯થી ઈસ્વી ૧૭ની વચ્ચે) સકરાવુચ (sacarauace)ને સીથિયન માને છે. અને અનુક્રમે અસી (asii)ને અસિયાની (asiani)ને સીથિયનોની ટોળીમાંની એક ટોળી ગણે છે (જુઓ નારાયણ, ધ ઇન્ડો-ગ્રીક્સ, ઑક્સફર્ડ, ૧૯૫૭, પૃષ્ઠ
૧૩૧-૧૩૨). ૧૭. હોડીવાલા, પાએઇ., પૃષ્ઠ ૧૨૪. શકોને ઈરાનીઓ “દાહ (દાસ, દસ્યુ) એવા નામથી સંબોધતા. આ
‘દાહ’ લોકોનું નિવાસસ્થાન તુરાન હતું (જુઓ વિદ્યાલંકાર, ભાઈ૩, પૃષ્ઠ ૪૦૬). ૧૮. ઈન્સા. બ્રિટા., પૃ. ૨૪, પૃષ્ઠ ૨૩., રોલિનસન, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૯૪. ૧૯. મનુસ્મૃતિ, ૧૦, ૪૪-૪૫. શકોનો નિર્દેશ યવનો-પદ્વવોની સાથે છે. આ ત્રણેય વાસ્તુ અહીં ‘દસ્ય
શબ્દ પ્રયોજ્યો છે. દાહ-દાસ-દસ્ય લગભગ સમાનાર્થ હતા એ બાબત અહીં નોંધવી રહી. ૨૦. ઈસ્વીપૂર્વ ૨જી-૩જી સદીમાં મધ્ય એશિયામાં જે અથડામણો થઈ, તેનો આધાર મુખ્યત્વે ચીની
ઇતિહાસકારોની નોંધ છે : શિ-કિ (shiki) ઈસ્વીપૂર્વ ૯૯; એનાલ્સ ઑવ ધ ફર્સ્ટ હન ડાયનેસ્ટી(Tsien-Han-Shu) ઈસ્વી ૨૪; વગેરે. આ બંને નોંધનો મુખ્ય સ્રોત ઈસ્વીપૂર્વ ૧૩૫માં ચીનના રાજા વૃ-તિ (Wu-Ti)એ હિયંગનુના આક્રમણ સામે યુએચઓનો સહકાર સંપ્રાપ્ત કરવા મોકલેલા રાજદૂત ચાંકીન (Ghang-Kien)ના અહેવાલ છે. ઈસ્વીપૂર્વ ૧૩૫માં યુએચઓના પ્રદેશની મુલાકાતે જવા નીકળેલા આ રાજદૂતને હિયંગનુઓએ લગભગ દશ વર્ષ સુધી અટકમાં લીધો હતો. આથી ઈસ્વીપૂર્વ ૧૨૫માં એણે પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો (સ્મિથ, જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૧૮-૧૯). ચીની અહેવાલના અવતરણોના અભ્યાસ સારુ જુઓ : નારાયણ, ધ ઇન્ડો
ગ્રીક્સ, પૃષ્ઠ ૧૨૯-૧૩૧. ૨૧. “હિયંગનુ” (Hiungnu) જાતિનું મૂળનામ હિયૂન-યુ (Hiun-Yu) હતું; પણ અનુકાલમાં હિયેન-યુન
(Hien-Yun) થયું અને અંતે ‘હિયંગનું' માં સ્થિર થયું. આ બધાં ‘હૂણ” શબ્દનાં વિવિધ નામાભિધાન હતાં (જુઓ ઇએ., પુ. ૪૮, પૃષ્ઠ ૭૦). ઈસ્વીપૂર્વ ત્રીજી સદીના અંતમાં હિયંગનુઓનું સામ્રાજ્ય ચીનની દીવાલથી કાસ્પિયન સમુદ્ર સુધી વિસ્તૃત હતું. અને ઈસ્વીની પહેલી સદીના અંતમાં તૂટી
પડ્યું. તેઓ તુર્કી હતા (ઇન્સા. બ્રિટા., પૂ.૧૩, પૃષ્ઠ ૫૪૦). ૨૨. સંસ્કૃતમાં “હૂણ', અંગ્રેજીમાં “હન”, ઈરાનીમાં ‘હુનુ અને ચીનમાં 'હિયંગનુરે.” આ બધાં પદ એક
જ જાતિ કાજે પ્રયોજાયેલાં ભિન્ન નામાંતરો છે (ટાર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૬ અને વિદ્યાલંકાર, ભાઈફ.
પૃષ્ઠ ૭૪૬). ૨૩. હૂણ પ્રજાનો ઇતિહાસ ત્રણ ભાગમાં વિભાજિત છે : ચીનાઈ હૂણ, ઈરાની હૂણ અને ભારતીય હૂણ.
તેઓ ભારતમાં આવ્યા તે પૂર્વે કેટલાક તેમને મોંગોલ કહેતા; તો કેટલાક તાતંર કહેતા, વળી કેટલાક અન્ય જાતિના છે એવું માનતા. (કે.હ.ધ્રુવ, એશિયાઈ હૂણો, ૧૯૨૧, પૃષ્ઠ ૩), હૂણોના ચાર વિભાગ
વાતે જુઓ : ઇન્સા.બ્રિટા., પૂ.૧૩, પૃષ્ઠ ૯૩૨. ૨૪. કાન સૂ પ્રાંતને ચીની ઇતિહાસકારો ‘તા હિયા' તરીકે ઓળખાવે છે. સાતમી સદીમાં યુઆન શ્વાંગે
તેને “હુલો' તરીકે ઓળખાવ્યા છે. અરબ લેખકોએ તેને “તુખારિસ્તાન' એવું નામ આપ્યું. હાલ તે
ચીની તુર્કસ્તાન'ના નામે ઓળખાય છે (વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામા, પૃષ્ઠ ૧૩ ઉપરની નોંધ). ૨૫. રેપ્સન, હિઈ, પુ. ૧, પૃષ્ઠ ૧ અને ૫૬૫. આ દીવાલ ૯૮° પૂર્વ રેખાંશથી ૧૨૦° પૂર્વ રેખાંશ સુધી
વિસ્તારેલી હતી (ઇન્સા.બ્રિટા., પૂ.૬, પૃષ્ઠ ૧૬૯, ૧૯૪). ૨૬. ઈસ્વીપૂર્વ ૭મી સદીમાં ચીનનું સામ્રાજ્ય ૭ રાજયોમાં વિભાજિત હતું. શુ (Tshu), ચાઉ (Chao),
વેઇ (Wei), હન (Han), યેન-ચાઉ (Yen-Cha૦), સી (Tsi), અને સીન (Tsin). આમાંથી યેન
For Personal & Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૨
ક્ષત્રપકાલીન ગુજરાત ચાલે અને સ્ત્રીનનાં રાજય હિયંગનુનાં પડોશી હતાં. ઈસ્વીપૂર્વ ૩૨૧ અને ઈસ્વીપૂર્વે ૩૧૮માં આ રાજ્યોમાંનાં પ્રથમ છ રાજ્યોએ હિયંગનુની નેતાગીરી હેઠળ સીન રાજય ઉપર હુમલો કર્યો હતો, પણ સીન રાજયની જીત થઈ અને શિ-હુઅંગ-તી તેનો પહેલો રાજા થયો, ઈસ્વીપૂર્વ ૨૪૬, (ઇએ.,
પુ. ૪૮, પૃષ્ઠ ૭૦, ૧૯૧૯). ૨૭. ઇએ., પુ. ૪૮, ૧૯૧૯, પૃષ્ઠ ૭૦ અને ઇન્સા.બ્રિટા., પૂ.૬, પૃષ્ઠ ૧૯૪. ૨૮. હૂણોનાં સ્થળાંતરનો જે પ્રવાહ શરૂ થયો, તેના આઘાત-પ્રત્યાઘાત બહુ મોટા પડ્યા અને તેનાં મોજાં
છેક ભારતના ઉત્તર કિનારે અથડાતાં આપણી ભૂમિ પણ આક્રમણોને ભોગ બન્યું. ૨૯. આ જાતિના બે પ્રકાર જાણવામાં છે : એક કાનસૂ પ્રાંતના અને બીજા બાહ્નિકના. ચીની અનુકૃતિઓ
આ બંનેને ભિન્ન ગણે છે, પરંતુ માર્કવાર્ટ અને ફ્રેકે જેવા વિદ્વાન આ બંનેને એક જ ગણે છે. સ્ટેન
કોનો આ મત સ્વીકારે છે. બંને જાતિ શાંતિ ચાહક હતી. (મોરી., ૧૯૨૧, પૃષ્ઠ ૪૬૪). ૩૦. Yueh-Chi એ હાલમાં પ્રચલિત અંગ્રેજી રૂપ છે. જયચંદ્ર વિદ્યાલંકારે એનું “યુઈ-શિ' એવું રૂપ પ્રયોજેલું
છે (ભાઈરૂ, પ્રકરણ ૧૯). “ઉષિ”, “યુશિ', “યૂચિ' જેવાં રૂપાંતર ગુજરાતીમાં પ્રયોજાય છે (વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામાં, પૃષ્ઠ ૭). આ જાતિ આપણા પૂર્વકાલીન ગ્રંથોમાં ‘ઋષિક જાતિ' તરિકે
જાણીતી હતી (જયચંદ્ર વિદ્યાલંકાર, ભારત ભૂમિ ઔર ઉસકે નિવાસી, ૧૯૩૨, પૃષ્ઠ ૩૧૩-૩૧૫). ૩૧. રસન, કેહિઈ, પુ. ૧, પૃષ્ઠ પ૬૬ અને સ્ટેન કોનો, મોરિ., ૧૯૨૧, પૃષ્ઠ ૪૬૪. ૩૨. વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામા, પૃષ્ઠ ૭-૮ અને મોરિ., પૃષ્ઠ ૪૬૪. ૩૩. સુધાકર, પૃષ્ઠ ૧૨. ૩૪. યુએચીના મૂળ પ્રદેશ વિશે સ્મિથની નોંધ આ પ્રકારની છે : તેઓ ઈસ્વીપૂર્વ ૧૬૫માં સેન-લોંગ
(Tsenn-Loang) પ્રદેશ અને કિલિયન (ki-lein) પર્વતની વચ્ચે અથવા ચીની તુર્કસ્તાનની તિએન
ચાન Tien-Chan અથવા Richthofen) ટેકરીઓમાં રહેતા હતા (જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૧૯). ૩૫. સ્ટેનો કોનો, કૉઇઈ, પુ.૨, ભાગ ૧, પૃષ્ઠ ૧૯-૨૦. ટાર્ગ આ બનાવને ઈસ્વીપૂર્વ ૧૭૬-૧૭૪ની
વચ્ચે મૂકે છે (ઝીબેઇ., પૃષ્ઠ ૨૭૬). સ્મિથ તે ઘટનાને ઈસ્વીપૂર્વ ૧૬૫માં મૂકે છે (જુઓ પાદનોંધ ૩૪ અને અહિઈ., પૃષ્ઠ ૨૬૩). ફ્રેંકે આ બનાવને ઈસ્વીપૂર્વ ૧૭૪થી ૧૬૦ની વચ્ચે મૂકે છે. (મિથ, એજન, પૃષ્ઠ ૨૬૩). નારાયણ વળી આ ઘટનાને બે તબક્કામાં વિભાજિત કરી પ્રથમ બનાવને ઈસ્વીપૂર્વ ૧૬૦માં અને બીજાને ઈસ્વીપૂર્વ ૧૨૯-૨૮માં મૂકે છે (ધ ઇન્ડો ગ્રીક્સ, પૃષ્ઠ ૧૩૩ અને પાદનોંધ ૨). ચીની દસ્તાવેજો આ ઘટનાના સમય બાબતે કશું નોંધતા નથી, પણ માત્ર એટલું જ જણાવે છે કે આ બનાવ ચિ, રાજાના રાજ્યકાળ (ઈસ્વીપૂર્વ ૧૭૬-૧૬૧) દરમ્યાન બન્યો હતો
(મેકગવર્ન, અએસેએ., પૃષ્ઠ ૪૭૫). ૩૬. રેસન, કેહિઈ., પૂ.૧, પૃષ્ઠ ૪૫૯ અને ૫૬૫; રોલીનસન, બેક્ટ્રિયા, પૃષ્ઠ ૯૪. ૩૭. એજન, પૃષ્ઠ પ૬૫. ૩૮. યર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૬; રેપ્સન, કૅહિઈ., પૂ.૧, પૃષ્ઠ ૫૬૫, શિ-કિના પ્રકરણ ૧૨૩માં
ચાંગકીનની નોંધ યુએચી-યુસુન વચ્ચેની અથડામણોનો નિર્દેશ કરતી નથી. તેની નોંધ મુજબ હૂણોના હુમલાથી યુએચઓ સીધા જ (ઈલિના પ્રદેશમાં ગયા વિના જ) સિરદરયાના પ્રદેશમાં પહોંચ્યા (સુધાકર, પૃષ્ઠ ૧૧-૧૨). જ્યારે સીઅન-હન-શુ આ બનાવનો ઉલ્લેખ કરે છે પણ અથડામણ ઈલિના પ્રદેશમાં નહીં પરંતુ મોંગોલિયામાં થઈ એમ નોંધે છે (મેકગવર્ન, અએસેએ., પૃષ્ઠ ૪૭૬). આથી ટાર્ન અને બીજા વિદ્વાનો એવી દલીલ કરે છે કે સાધનસામગ્રી ન્સીઅન-હન-શુના લેખક (ઈસ્વી ૨૪) પાસે
હતી તે શિકિના લેખક (ઈસ્વીપર્વ ૮૯) પાસે ન હતી. (ગ્રીબેઇ., પૃષ્ઠ ૫૧૩). ૩૯. રેસન, કેહિઈ, પુ.૧, પૃ. પ૬૫. પણ આંગ-કિનની નોંધ સ્પષ્ટ લખે છે કે યુએચીના ભાગલા, હૂણોએ
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રણ
૫૩
તેમને હરાવ્યા પછી અને પશ્ચિમ તરફ સ્થળાંતર કરતા પહેલાં, પાડ્યા હતા (સુધાકર, પૃષ્ઠ ૧૧). ૪૦. નાના યુએચી લોકોને કેટલાક ‘તોચારી’ સાથે સરખાવે છે (ટાર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૧૧૦). તો કેટલાક
સમગ્ર યુએચી જાતિને ‘તોચારી’ સાથે સરખાવે છે (નારાયણ, ધ ઇન્ડો ગ્રીક્સ, પૃષ્ઠ ૧૩૨). તોચારી એ જ સીથિયન છે એમ ફોન લોઈ ઝેન્દ નોંધે છે (સીપી., પૃષ્ઠ ૪૪-૪૭). જો કે નારાયણ આ વિશે શંકા દર્શાવે છે (સદર, પૃષ્ઠ ૧૩૨-૧૩૩); કારણ કે તોચારી અથવા યુએચી એ તો શક લોકોના કટ્ટર દુશ્મનો હતા જે શકોને સીથિયન તરીકે ઓળખવામાં આવે છે. તોચારી શક ભાષા બોલતા તેથી શક હતા એમ કહી નહીં શકાય, કારણ બર્બર આક્રમણકારો વારનવાર જે પ્રદેશમાં જતા
અને વસતા તે પ્રદેશની ભાષા શીખી લેતા હતા (એજન). ૪૧. ગ્રીક અને લેટીનમાં આ નદીને કસાર્ટસ (Jaxartes) કહે છે. અરબીમાં એના માટે “સૈહૂન' શબ્દ
નિર્દિષ્ટ છે. એનું સંસ્કૃત રૂપ “રસા” અથવા “રહા' હતું. ૪૨. સઈ એટલે સક અને વાંગ (એ ચીની ભાષાનો શબ્દ છે) એટલે સ્વામી, સરદાર, રાજા (રાયચૌધરી,
પોહિએઇ., પૃષ્ઠ ૪૩૧-૩૨). આથી “સઈ-વાંગ” એટલે સક રાજા, સક સરદાર, સક મુરુડ કે સક સ્વામી- આ બધાં શબ્દાંતરો એક જ અર્થવાચક છે. (વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામાં, પૃષ્ઠ ૧૨). આપણી પરંપરા અને પ્રણાલિકા મુજબ સાઈ-વાંગ શક-મુરુડ તરીકે જાણીતા હતા. (મોરિ., પૃષ્ઠ ૪૬૪). સ્ટેન કોનો પણ આ મત સ્વીકારે છે. (કૉઈઈ., ૫.૨, ભાગ ૧ પ્રસ્તાવના પૃષ્ઠ ૨૦). ફેંકે (સુધાકર, પૃષ્ઠ
૧૨) અને ટાર્ન (ગ્રીબેઇ, પૃષ્ઠ ૨૭૬, પાદનોંધ ૪) પણ કોનોનો મત સ્વીકારે છે. ૪૩. લેવી શરૂઆતમાં કિપિનને કાશ્મીર સાથે સરખાવે છે, પણ સ્ટેન કોનો તેનો વિરોધ કરે છે (એઇ.,
૫. ૧૪, પૃષ્ઠ ૨૯૧) અને કિપિનને કાપિશ સાથે સરખાવે છે (સદર, પૃષ્ઠ ૨૯૦; જરૉએસો, ૧૯૧૨, પૃષ્ઠ ૬૮૪ અને ૧૯૧૩, પૃષ્ઠ ૧૦૫૮). લેવી પછીથી કિપિનને કાપિશ તરીકે ઓળખાવે છે, જેની સાથે સ્મિથ સંમત થાય છે (જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૨૮, પાદનોંધ ૨). રેપ્સન પણ કિપિનને કપિશ (કાફિરિસ્તાન) માને છે (ક્રહિઈ, પુ. ૧, પુષ્ઠ પ૬૭). ચીની લેખકો કિપિનને કાબૂલથી ભિન્ન માને છે. (જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૨૮, પાદનોંધ ૨). કનિંગહમ કાફિરિસ્તાનને કાપિશનો એક ભાગ ગણે છે (એજન, પૃષ્ઠ ૧૮). ગાંધાર એ કિપિનનો પૂર્વ તરફનો પ્રદેશ હતો એમ રાયચૌધરી નોંધે છે (પોહિએઈ, પૃષ્ઠ ૪૩૨). કણિષ્કના દરબારમાં એક ચીની રાજાને બાનમાં પકડી રાખવામાં આવ્યો હતો. તેણે વસંત અને શરદ ગાંધારમાં, ઉનાળો કાપિશમાં અને શિયાળો ભારતમાં ગાળ્યો હતો (હિઈ.,પૃષ્ઠ પપપ અને એઇયુ, પૃષ્ઠ ૧૪૨ પાદનોંધ ૧). વધુ વિગતો વાસ્તુ જુઓ
યર્ન, ગ્રીબેઇ., પરિશિષ્ટ ૯, પૃષ્ઠ ૪૬૯-૭૦. ૪૪. નારાયણ, ધ ઈન્ડો ગ્રીક્સ, પૃષ્ઠ ૧૩૪; ટાર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૭; વુલી (Wylie) નોટ્સ ઑન ધ
વેસ્ટર્ન રિજિયન્સ, ભાગ ૧, પૃષ્ઠ ૩૪. ૪૫. આમૂદરયા નદીની દક્ષિણે આવેલો આ દેશ હાલ અફઘાનિસ્તાનમાં છે. શકોએ પોતાના
દેશાંતરંગમનમાં બાલિંક દેશ જીતેલો કે કેમ તે પ્રશ્ન છે (સુધાકર, પૃષ્ઠ ૧૬). ટાને શકોની બાલિક ઉપરની ચડાઈને કલ્પિત કથા લેખે છે (ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૮૩). કહેરી લેખના આધારે ભારતીય વિદ્વાનો શકોને બાહ્નિક સાથે સંલગ્નિત કરે છે. આ લેખમાં ઉલ્લિખિત “કાઈમક' શબ્દ ઈરાનમાં આવેલી કાર્દમ નદી ઉપરથી ઉદ્ભવ્યો હોવાનું સ્વીકારીને, રામાયણના ઉત્તરકાંડમાંના કાર્દમક રાજાઓને બાહિક સાથે સરખાવે છે (રાયચૌધરી, પોલિએઇ., પૃષ્ઠ ૪૩૭, પાદનોંધ ૨). રોલિનસન (બેક્ટ્રિઆ, પૃષ્ઠ ૧૩) જસ્ટીનના આધારે બાહ્નિકનું સામ્રાજ્ય સાથિયનોએ સ્થાપ્યું હતું એવી નોંધ આપે છે. શકો બાહ્નિક આવી વસ્યા, જેથી બાલિકના યવન રાજયનો અંત આવ્યો (ચટ્ટોપાધ્યાય,
અહિનોઇ., પૃષ્ઠ ૫૦). ૪૬. ફોન લોહુઈઝેન્ડ, સીપી., પૃષ્ઠ ૩૦.
For Personal & Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૪
ક્ષત્રપકાલીન ગુજરાત
૪૭. સુધાકર, પૃષ્ઠ ૧૧ અને ૧૯. ૪૮. યર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૬, પાદનોંધ ૫. પણ સ્મિથ અને લેવી આ બનાવને ઈસ્વીપૂર્વ ૧૪૦માં
હોવાનો મત વ્યક્ત કરે છે (જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૨૭, પાદનોંધ ૧). ૪૯. નારાયણ, ધ ઇન્ડો ગ્રીક્સ, પૃષ્ઠ ૧૩૪. ૫૦. યર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૬-૭૭. ૫૧. આમૂદરયા નદીના નામનાં ગ્રીક અને લૅટીન રૂપ ઓક્સસ (oxus) છે. અરબીમાં તેને જૈન કહે છે.
સંસ્કૃતમાં તે વંસુ-વસુ નામથી ખ્યાત છે. ૫૨. પૂર્વકાલીન સુ(sogdiana)નો પ્રદેશ હાલના સમરકંદ અને બુખારા જિલ્લાની ભૂમિ ઉપર આવેલો
હતો. આ પ્રદેશ સિરદરયા અને આમૂદરયા નદીની વચ્ચે આવેલો છે. યવનોના સમય દરમ્યાન સુગ્ધ
બાહ્નિક દેશની સત્તામાં આવેલો હતો (ઇન્સા. બ્રિટા., . ૨૫, પૃષ્ઠ ૩૪૫). ૫૩. આ પ્રદેશમાં તાહિયા (બાહિકના) લોકો રહેતા હતા. આ લોકો વેપારી અને બિનલડાયક સ્વભાવના
હતા. આથી લડાયક સ્વભાવના યુએચી લોકોએ તેમને સહેલાઈથી જીતી લીધા (સ્મિથ, જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૧૯ અને રેપ્સન, કેહિઈ, પુ. ૧, પૃષ્ઠ પ૬૬). ચાંગ-કિનની નોંધમાં ઈસ્વીંપૂર્વ ૧૧૪ સુધીમાં યુએચઓ આમુદરયાની દક્ષિણે ગયા હતા કે કેમ તેનો ઉલ્લેખ નથી. માત્ર તાહિયાનો પ્રદેશ
મેળવ્યો એટલો જ નિર્દેશ જોવો પ્રાપ્ત થાય છે (સ્મિથ, જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૨૦). ૫૪. રોલિનસન, બેક્ટ્રિઆ, પૃષ્ઠ ૫. ૫૫. કહેવાય છે કે યુએચી પ્રજાનું આ છેલ્લું સ્થળાંતર હતું. યુએચી લોકો બાહ્નિકમાં સ્થિર થયા અને શાંતિપૂર્ણ
જીવન જીવવા લાગ્યા. યુએચઓએ બાહ્નિક દેશને પાંચ રાજ્યોમાં વહેંચ્યું. એમનાં પાંચ રાજ્યો અને પાંચ
રાજધાનીઓ માટે જુઓઃ સ્મિથ, જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૨૧ અને પાદનોંધ ૧૩. પ૬. અહીંથી શકોના થયેલા સ્થળાંતરના પ્રવાહને કેટલાક વિદ્વાનો બે વિભાગમાં વિભાજિત કરે છે : એક
પ્રવાહ મર્વ, હેક્ટોમ્પીલોસ અને અકબતાના થઈ મેસોપોટેમિયા પહોંચ્યું અને બીજો પ્રવાહ મર્વથી હેરાત અને સીસ્તાન થઈ ભારતભૂમિમાં પહોંચ્યો (ચટ્ટોપાધ્યાય, અહિનોઇ., પૃષ્ઠ ૫૦; ટાર્ન,
પ્રસીડિંગ્સ ઑવ બ્રિટિશ અકૅડમિ, ૧૯૩૦, પૃષ્ઠ ૧૧૭-૧૧૮, ધીશમેન, ઈરાન, ૧૯૫૪, પૃષ્ઠ ૨૪૯). ૫૭. એટલે પ્રાચીન સકસ્થાન આ પ્રદેશ ઈરાન અને અફઘાનિસ્તાન એમ બંને દેશોમાં વહેંચાયેલો છે.
શકસ્થાનનું અપર નામ દ્રગિયાના પણ છે (ઈન્સા.વિટા., પૃ. ૨૪, પૃષ્ઠ ૫૯૨). ૫૮. ચટ્ટોપાધ્યાય, અહિનોઇ., પૃષ્ઠ ૫૦ અને નારાયણ ધ ઇન્ડો ઝિક્સ, પૃષ્ઠ ૧૪૧. | કિપિનના આ સઈ રાજા વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી (ચટ્ટોપાધ્યાય, અહિનોઇ., પૃષ્ઠ ૫૧). કેટલાક વિદ્વાનોનું (જરૉએસો., ૧૯૧૩, પૃષ્ઠ ૬૩૫, પાદનોંધ ૧ અને ૨; ટાર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૭-૭૮; નારાયણ, ધ ઇન્ડો ગ્રીક્સ, પૃષ્ઠ ૧૩૬ અને રેપ્સન, કૅહિઇ., પૂ.૧, પૃષ્ઠ પ૬૩-૬૪)
કે આવા વિકટ અને નિર્જન પ્રદેશમાંથી પશઓનાં ટોળાં સાથે પસાર થવું એ કોઈ પણ ભટકતી ટોળી વાતે શક્ય નથી; પણ સ્ટેન કોનોએ બતાવી આપ્યું છે કે આ પ્રદેશ ઘણા પૂર્વ કાળથી ઈસ્વીની છઠ્ઠી સદી સુધી વસવાટ લાયક હતો (જરૉએસો., ૧૯૪૪). આ માર્ગે તેઓ આગળ વધીને ભારતમાં આવ્યા હોવાનો સંભવ સુધાકર ચટ્ટોપાધ્યાયએ અભિવ્યક્ત કર્યો છે (સુધાકર, પૃષ્ઠ ૧૩). પણ ટાર્ન નોંધે છે કે ઈસ્વીપૂર્વેની બીજી સદીના મધ્યમાં આ કિપિન નામના પ્રદેશનું અસ્તિત્વ ન હતું
(જુઓ : ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૭; વિગતવાર ચર્ચા વાસ્તે જુઓ એજન, પરિશિષ્ટ ૯). ૬૦. ચટ્ટોપાધ્યાય, અહિનોઈ., પૃષ્ઠ ૫૦. જૈન વાડ્મયમાં સંગૃહીત જૈન આચાર્ય કાલકની કથા ઉપરથી
સૂચિત થાય છે કે ઈસ્વીપૂર્વ પહેલી સદીના પૂર્વાર્ધમાં સિંધુ દેશમાં શકોની વસતી તેમ જ સત્તા રહેલાં હતાં.
For Personal & Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
શક પ્રજાઃ ભારતમાં પ્રારંભિક કારકિર્દી
ગયા પ્રકરણમાં આપણે અવલોક્યું કે મધ્ય એશિયામાં થયેલી કેટલીક રાજકીય, કહો કે અસ્તિત્વ સંઘર્ષની, ઊથલપાથલના પરિણામે તથા વિવિધ પ્રજાકીય જૂથોનાં જીવન ટકાવી રાખવાના પ્રયાસોને કારણે છેવટે સઇ-શક પ્રજા સિંધુ નદીના વિસ્તારમાં આવી અને પ્રારંભે ત્યાં વસી.
પ્રકરણ ચાર
આપણી ભૂમિ ઉપર શક ટોળીના આગમનને કારણે જે કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા તેમાં (૧) શક લોકો આપણા દેશમાં કયા માર્ગે પ્રવેશ્યા, (૨) તેઓનાં આગમન, કહો કે આક્રમણની સમયાવિધ કઈ હતી અને (૩) આપણી ભૂમિમાં સ્થિર થયા પછી એમની પ્રારંભિક કારકિર્દી શી હતી જેવી બાબતોનો સમાવેશ થાય છે. અહીં આ પ્રશ્નોને અવલોકીશું.
શક પ્રજાનો આપણી ભૂમિમાં પ્રવેશ
આ પ્રજા આપણા દેશમાં ક્યારે આવી અને કયા માર્ગેથી આવી એ વિશે ઘણાં મતમતાંતરો છે. ઉપલબ્ધ સાધનસ્રોતને આધારે ત્રણ મત વિશેષરૂપે ધ્યાનાર્હ જણાય છે. : (૧) સમુદ્રમાર્ગે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રવેશ, (૨) સિંધુ નદી ઓળંગીને સિંધમાં વસવાટ અને (૩) કાશ્મી૨ને માર્ગે પંજાબ-કાશ્મીરમાં સ્થાયી વાસ.
સમુદ્રમાર્ગે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રવેશ : જૈન અનુશ્રુતિઓ પારસકૂલથી સિંધુ નદી ઓળંગીને જૈનાચાર્ય કાલક સાથે શક સેના સુરાષ્ટ્રમાં આવી હોવાનું જણાવે છે. સિંધુનો એક અર્થ સમુદ્ર પણ છે. આથી શક પ્રજા સમુદ્રમાર્ગે સીધી સૌરાષ્ટ્ર ભૂભાગમાં આવી હોવાનો મત કેટલાકનો છે ં. પરંતુ અન્ય મતાનુસાર સિંધુ દેશ ત્યજીને સિંધુ નદી ઓળંગીને શકો સૌરાષ્ટ્રમાં આવ્યા હોવાનો સ્પષ્ટ નિર્દેશ છે. આથી અહીં સિંધુ એટલે એ નામની નદી એવો અર્થ જ બંધ બેસે. વળી જૈન સાધુઓ સમુદ્ર ઓળંગે નહીં એવો નિષેધ હતો. અને શક સેના સાથે કાલકાચાર્ય હતા. એ ઉપરથી પણ સિંધુ એટલે સમુદ્ર નહીં પણ નદીવિશેષનો સંભવ સહજ જણાય છેપ. આથી શક જાતિના લોકો સમુદ્રમાર્ગે સૌરાષ્ટ્રમાં આવ્યા હોવાનો તર્ક સ્વીકાર્ય જણાતો નથી.
સિંધુ નદી ઓળંગીને સિંધમાં વસવાટ : હમણાં જ આપણે નોંધ્યું કે સિંધુ એટલે એ નામની નદી એવો અર્થ વધુ યોગ્ય જણાય છે. અને તેથી શકોએ આ નદી ઓળંગીને સિંધ પ્રદેશમાં વસવાટ કર્યો હોવાનો સંભવ સ્વીકાર્ય જણાય છે. પરંતુ તેઓ આપણા દેશમાં કયા માર્ગેથી પ્રવેશ પામ્યા તે બાબત સંદિગ્ધ રહે છે. આ અંગે એક એવો મત પ્રવર્તે છે કે શકો પર્લવોની જેમ એશિયાના જાણીતા માર્ગે થઈ કંદહાર અને બોલનઘાટ દ્વારા બ્રાહૂઈ પર્વત ઓળંગી સિંધમાં આવ્યા હોય.
કાશ્મીર માર્ગે આપણા દેશમાં : અગાઉ અવલોક્યું કે યુએચીઓના દબાણને કારણે શક
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૬
ક્ષત્રપકાલીન ગુજરાત લોકોની એક શાખા દક્ષિણ દિશામાં આગળ વધી બિપિનમાં સ્થિર થઈ. આપણે એ પણ નોંધ્યું કે ચીની વૃત્તાંતો મુજબ કિપિન એ કાશ્મીર છે એમ સુધાકર ચટ્ટોપાધ્યાયનો મત છે. આથી એમના મતે શક જાતિનું એક જૂથ કાશ્મીર માર્ગે આપણી ભૂમિમાં પ્રવેશ્ય અને કાશ્મીર-પંજાબમાં વસાહતી બન્યું. પરંતુ કેટલાક વિદ્વાનો આથી વિપરીત મત ધરાવે છે. તેમના મતાનુસાર કાશ્મીરના નિર્જન માર્ગે આપણે ત્યાં પ્રવેશવું શક્ય નથી”. હવે સર ઓરલ સ્ટેઈનનાં અન્વેષણોએ પુરવાર કર્યું છે કે આ પ્રદેશ છેક પૂર્વકાલથી ઈસ્વી છઠ્ઠી સદી સુધી વસતીયુક્ત હતો. આથી શક પ્રજા જેવી રખડતી-ભટકતી જાતિ સારુ કાશ્મીર માર્ગેથી પ્રવેશવું અશક્ય ન
હતું.
પ્રસ્તુત ચર્ચાથી એવું ફલિત થાય છે કે શક લોકો આપણા દેશના વાયવ્ય કે પશ્ચિમોત્તર સરહદેથી આપણી ભૂમિમાં દાખલ થયા હોવાનું અનુમાન થઈ શકે; પરંતુ આપણી એ તરફની લાંબી સરહદના કયા ભાગેથી પ્રવેશ્યા હશે એ વિશે કશા નિર્ણયાત્મક અનુમાને પહોંચવું મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં એવું સૂચિત થઈ શકે કે શક લોકો જુદે જુદે માર્ગેથી આપણી ભૂમિમાં પ્રવેશ્યા હોય. શક આક્રમણનો સમય
શક પ્રજાના આપણી ભૂમિમાં પ્રવેશના માર્ગ બાબતે જેમ વિવિધ મત પ્રર્વતે છે, તેમ તેમના આગમન અંગેના સમય વિશે છે. આપણે અગાઉ અવલોકી ગયા કે શક લોકોને તેમના દેશાંતરગમન દરમ્યાન યુએચીલોકોના દબાણને કારણે બાહ્નિક દેશ છોડીને, તેની પશ્ચિમે આવેલા પદ્વવ (પાર્થિઆ) દેશમાં જવું પડ્યું. ત્યાં તેમને પલંવ સામ્રાજ્યની સત્તા સાથે સંઘર્ષનો સામનો કરવો પડ્યો. શકો અને પલ્લવો વચ્ચેની પ્રસ્તુત અથડામણમાં ફ્રાવત ૨જો (ઈસ્વીપૂર્વ ૧૩૮૧૨૮) અને આર્તબાન ૧લો (ઈસ્વીપૂર્વ ૧૨૮-૧૨૩) એમ બે પલ્લવ રાજાઓ માર્યા ગયા. એટલે ઈસ્વીપૂર્વ ૧૨૩માં પલ્લવ રાજા મિશ્રદાત રજો ગાદીએ આવ્યો. આ શક્તિશાળી રાજાએ શકોને હરાવ્યા અને તેથી શક પ્રજાને તે દેશ છોડી હેરાત થઈ હાલના સીસ્તાનમાં આવવું પડ્યું. પરંતુ મિશ્રદાત રજાની સત્તા છેક સીસ્તાન સુધી પ્રસરેલી હોઈ અને આ પ્રદેશ તેના આધિપત્ય હેઠળ હોઈ શકોને આ પ્રદેશ પણ છોડવો પડ્યો. અહીંથી તેઓ પૂર્વ તરફ ખસતા ખસતા છેવટે આપણી ભૂમિમાં પ્રવેશ્યા. શકોના આક્રમણના સમય સંદર્ભે આટલી ભૂમિકા જરૂરી હોવાથી અહીં તેનો ઉલ્લેખ કર્યો છે.
મિશ્રદાત અને શકો વચ્ચેની અથડામણને ધ્યાનમાં રાખી કેટલાક વિદ્વાનો એવું અનુમાન કરવા પ્રેરાયા છે કે શકો કાં તો મિશ્રદાત રજાના રાજ્યકાલ (ઈસ્વીપૂર્વ ૧૨૩થી ઈસ્વીપૂર્વ ૮૮) દરમ્યાન કે તેના રાજય-અમલ પછી૧૪ આપણા દેશમાં આવ્યા હોય.
આપણાં સંસ્કૃત સાહિત્યમાં શક પ્રજા વિશેનો પહેલપ્રથમ નિર્દેશ મહાભારતના વિવિધ પર્વોમાં જોવા પ્રાપ્ત થાય છે. તદનુસાર શકોને, અંધો, યવનો, કંબોજો, પુલિન્દો, તુષારો, દાર્થો, ઋષિકો વગેરેની જેમ પ્લેચ્છ તરીકે ઓળખાવ્યા છે. આ પર્વોમાં સભાપર્વ પ્રથમ આવે અને એનો સમય ઈસ્વીપૂર્વ ૧૮૪ અને ઈસ્વીપૂર્વ ૧૪૮ની વચ્ચે નિશ્ચિત થયો છે. આ મુજબ
For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચાર
શકો ઈસ્વીપૂર્વ બીજી સદી સુધીમાં આપણા દેશમાં આવ્યા હોવાનું ફલિત થાય છે ૮.
જૈનાચાર્ય કાલકની કથાના સંદર્ભમાં શકો આપણી ભૂમિમાં આવ્યા ત્યારે ઉર્જનની ગાદીએ ગર્દભિલ્લ વંશનો દર્પણ નામનો રાજા સત્તાધીશ હતો અને મુનિ કાલકના ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્ર આ સમયે ભરૂચની ગાદી ઉપર રાજ્ય કરતા હતા. વળી ગઈભિલ્લ રાજા દર્પણને હરાવ્યાનો બનાવ જૈનોની રાજત્વ કાલગણના મુજબ બલમિત્રના ૪૮માં વર્ષના અંતમાં બન્યો એવું કલ્યાણવિજયજી નોંધે છે. બલમિત્રનું ૪૮મું વર્ષ એટલે વીરનિર્વાણ સંવતનું ૪૫૩મું એટલે કે ઈસ્વીપૂર્વ ૭૪મું વર્ષ સૂચિત થાય છે. આથી એવું અનુમાની શકાય કે શક લોકોનું આપણી ભૂમિમાં આગમન ઈશુ પૂર્વેની પહેલી સદીના ત્રીજા ચરણમાં થયું હોય.
અભિલિખિત દસ્તાવેજોમાં શકોનો સહુ પ્રથમ સંભવિત નિર્દેશ ઉત્તર ભારતના ખરોષ્ઠી લેખોમાં જોવો પ્રાપ્ત થાય છે. વર્ષ ૫૮ના મૈર લેખમાં “મોઅ” (મોગ)નો ઉલ્લેખ હોવાની નોંધ સ્ટેન કોનોની છે. મોઅ એ પંજાબના શક રાજયનો રાજા હતો, જેની વિગત હવે પછી ચર્ચા છે. વર્ષ ૬૦ના શાહજૂરના દામિજદના લેખમાં તેને શક તરીકે ઓળખાવ્યો છે.
આ બંને લેખોમાં તેમ જ અન્ય એકવીસ ખરોષ્ઠી લેખોમાં કોઈ એક અનિર્દિષ્ટ સંવતનાં વર્ષોનો સળંગ ક્રમ જોવો પ્રાપ્ત થાય છે. વિદ્વાનો આ લેખોમાંનાં વર્ષો માટે ભિન્ન ભિન્ન સંવતો પ્રયોજાયા હોવાની દલીલ કરે છે. પરંતુ એ સર્વનો પ્રધાન સૂર એ છે કે એ અનિર્દિષ્ટ સંવતનો આરંભકાલ શકોની જીત સાથે સંલગ્નિત છે. આ ગણતરીથી વિચારતાં ફૉન, રેસન અને ટાર્ગે સૂચવેલા સંવતના સંદર્ભમાં આગમનનો સમય ઈસ્વીપૂર્વ પહેલી સદીના ઉત્તરાર્ધમાં મૂકી શકાય.
ઉપર્યુક્ત વિવરણ ઉપરથી એવો નિષ્કર્ષ સૂચિત થઈ શકે કે શકોનું આપણી ભૂમિમાં આગમન કોઈ એક ચોક્કસ સમયે થયું હોય નહીં. પણ જેમ અગાઉ અવલોક્યું તેમ તેમના આગમનનો માર્ગ એક અને સુનિશ્ચિત નથી તેમ તેમના આગમનના સમયાંકન વિશે છે. આથી એવી શક્યતા જણાય છે કે શક લોકોની ભિન્ન ભિન્ન ટોળી ભિન્ન ભિન્ન સમયે આવી હોય. આ પરિસ્થિતિના સંદર્ભમાં ઈસ્વીપૂર્વ બીજી સદીથી આરંભી ઈશુની પહેલી સદી સુધીનો સમયગાળો એમના આગમનના વિવિધ તબક્કા કાજે સૂચવી શકાય. શક લોકોની પ્રારંભિક કારકિર્દી
આ લોકો આપણા દેશમાં કયા માર્ગેથી આવ્યા અને કયા સમયે પ્રવેશ્યા એ બાબત વિશે કોઈ ચોક્કસ નિર્ણય તારવી શકાયો નથી તેમ તેઓએ આપણી ભૂમિના કયા ભૂભાગમાં સહુ પ્રથમ વસવાટ કર્યો એ વિશેનું અનુમાન કરવું પણ સરળ નથી. કેટલાક ઇતિહાસજ્ઞોનું માનવું છે કે તેઓ પહેલ પ્રથમ સિંધુના પ્રદેશમાં સ્થિર થયા અને ત્યાં હિન્દી શકસ્થાન' સ્થાપ્યું, જેની રાજધાની સિંધુનદીના કિનારે આવેલ “મીનનગરમાં હતી. આ હકીકત મુજબ આપણ દેશમાંની એમની આ સૌ પ્રથમ રાજધાની હતી. આ સમયે સિંધમાં કોઈ શક્તિસંપન્ન રાજસત્તાનો અભાવ હતો, પણ નાનાં નાનાં યવન રાજયોની રાજકીય આણ પ્રવર્તતી હતી. આ સત્તાઓને દબાવી શકોએ એમના ઉપર પોતાનું આધિપત્ય રાજકીય દૃષ્ટિએ જમાવ્યું.
For Personal & Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
આપણે અવલોક્યું તેમ ભિન્ન ભિન્ન સમયે શક લોકોનાં વિભિન્ન જૂથો આપણી ભૂમિમાં આવ્યાં હોવાનું જણાય છે. આ શક પ્રજાએ આપણા દેશમાં સ્વતંત્ર સત્તાઓ સ્થાપી હતી, જેમાં (૧) સિંધ પ્રદેશનું શક રાજ, જે હિંદી શકસ્થાનથી ખ્યાત હતું, (૨) પંજાબનું શક શાસન, (૩) મથુરાનું શક રાજ્ય અને (૪) પશ્ચિમ ભારતનું શક રાજ્ય, જેમાં ઉજ્જનનો સમાવેશ થતો હતો.
૫૮
સિંધ પ્રદેશનું શક રાજ્ય (?)
આપણે નોંધ્યું કે કેટલાક વિદ્વાનોના મત મુજબ શક લોકોએ સહુ પ્રથમ સિંધુ નદીના કાંઠાળા વિસ્તારમાં વસવાટ કર્યો અને મિનનગરને રાજધાની બનાવી. વસ્તુતઃ મીનનગરના શક શાસકો વિશે કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. અહીંના રાજ્યના એક રાજાનું નામ મોઅ હતું એવું કેટલાક વિદ્વાનો માને છે. પશ્ચિમ પંજાબમાં આવેલા જેલમ જિલ્લાના મૈર (કે મૈરા) ગામના કૂવામાંથી જે લેખ હાથ લાગ્યો છે તેમાં અને તક્ષશિલાના પતિકના લેખમાં૧ મોઅનો ઉલ્લેખ જોવા મળે છે; પણ તેથી તે મીનનગરનો રાજા હતો એવું સહજભાવે સ્વીકારી શકાતું નથી. વળી તેના સિક્કાઓ પણ મુખ્યત્વે પંજાબમાંથી મળી આવ્યા છે. પેરિપ્લસમાં પણ બે જગ્યાએ મીનનગરનો ઉલ્લેખ જોવો પ્રાપ્ત થાય છે. પરંતુ ત્યાંય શક સત્તાનો સ્પષ્ટતઃ નિર્દેશ નથી.
પંજાબનું શક શાસન
આપણી ભૂમિ ઉપર શક લોકોની પ્રારંભિક રાજકીય કારકિર્દીનું એક મુખ્ય મથક પંજાબમાં હતું. અહીંથી પ્રાપ્ત થયેલા શક રાજાઓના સિક્કા તેમના ત્યાં. પ્રવર્તેલા શાસનનું સૂચન કરે છે. માર્શલે તક્ષશિલામાં કરેલા ઉત્ખનનકાર્યથી જાણવું પ્રાપ્ત થયું કે મોઅ અહીં રાજ્ય કરનાર પહેલો શક શાસક હતો ૩. પંજાબમાં આવેલા જેલમ જિલ્લાના મૈર ગામેથી પ્રાપ્ય લેખમાં મોઅનો સંભવિત નિર્દેશ હોવાનો મત છે”. આ લેખમાંનું સંભવિત વર્ષ ૫૮ હોવાનું જણાય છે૫. પતિકના તક્ષશિલાના વર્ષ ૭૮ના તામ્રપત્રમાં મોગનો નિર્દેશ છે. આપણે જાણીએ છીએ કે રેપ્સન મોગ અને મોઅને એક જ વ્યક્તિનાં બે નામ હોવાનું સૂચવે છે. વળી તેના સિક્કાઓ પંજાબ અને ખાસ કરીને તક્ષશિલા જેની રાજધાની હતી તે પ્રદેશના પશ્ચિમ પ્રદેશમાંથી હાથ લાગ્યા છે. આથી રાયચૌધરી માને છે કે ગંધાર ઉપર મોઅનું આધિપત્ય હતું. અર્થાત્ મોઅ ગંધારનો રાજા હતો. સિક્કાઓનાં પ્રાપ્તિસ્થાન ઉપર રેપ્સન એવું સૂચવે છે કે મોઅની સત્તા કાપિશ, પુષ્કલાવતી અને તક્ષશિલા ઉપર પ્રવર્તતી હતી. ત્યારે કાપિશ અને પુષ્કલાવતીમાંથી મોઅનો એકેય સિક્કો મળ્યો નથી એવું સુધાકર ચટ્ટોપાધ્યાય નોંધે છે. અને તરત વિરોધાભાસી વિધાન કરે છે કે સિરકપ (તક્ષશિલા)માંથી મોઅના ૧૦૭ જેટલા સિક્કાઓ મળ્યા છે૧. આથી સુધાકરનું મંતવ્ય સંદિગ્ધ રહે છે. તક્ષશિલા અને તેની આસપાસના પ્રદેશમાંના પ્રચલિત સિક્કાઓની વિવિધ આકૃતિઓનું અનુકરણ મોઅના સિક્કા ઉપર જોવા મળે છે. પ્રસ્તુત હકીકતોથી પુરવાર થાય છે કે મોઅએ પંજાબમાં રાજ્ય કર્યું હતું અને તક્ષશિલા તેના રાજ્યની રાજધાની હતી.
For Personal & Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચાર
મોઅનો સમય : આ રાજાના સિક્કા વર્ષના નિર્દેશ વિનાના હોવાથી તેના સમયનિર્ણયમાં તે સિક્કા ઉપયોગી થતા નથી અને તેની તેના રાજ્યકાલની સમયાવધિ નિર્ણિત કરવા કાજે એના નામોલ્લેખવાળા બે ખરોષ્ઠી લેખોનો આધાર ઉપાદેયી થઈ પડે છે. આ બે લેખોમાં એક છે વર્ષ ૫૮નો મૈર લેખ અને બીજો છે પતિકનો વર્ષ ૭૮નો તક્ષશિલાનો તામ્રપત્ર લેખ.
Че
પહેલપ્રથમ આપણે આ બંને લેખોમાં નિર્દિષ્ટ વર્ષોના અનિર્દિષ્ટ સંવત વિશે વિચારવું રહ્યું. ઉત્તર ભારતમાંથી સંપ્રાપ્ત ૩૬ ખરોષ્ઠી લેખોમાંથી પ્રથમ ૨૩ લેખોમાં કોઈ એક અનિર્દિષ્ટ સંવતનાં વર્ષોનો સળંગ ક્રમ જોવા મળે છે૫. મોઅના નામોલ્લેખવાળા બંને લેખો પ્રથમ ૨૩ લેખોના વિભાગમાં આવે છે. તેથી હવે તેમાં નિર્દિષ્ટ વર્ષનો સંવત કર્યો છે તે વિચારીએ.
ડોવસન, ફલીટ, ડેબ અને સરકાર જેવા વિદ્વાન આ ૨૩ ખોરઠી લેખોમાં નિર્દિષ્ટ વર્ષોને વિક્રમ સંવતનાં ગણે છે. આ વિક્રમ સંવતનો આરંભ શકો ઉ૫૨ના વિજયના પ્રતીકરૂપ હતો તે સુજ્ઞાત છે. તેથી પરાજિત શકો વિક્રમ સંવતનો ઉપયોગ ના કરે એમ કદાચ માનીએ, તો પણ આ સિવાય બીજો એક સમયનો વિપર્યાસ અવરોધરૂપ બને છે. એટલે કે જો આ ખરોષ્ઠી લેખોમાંનાં વર્ષોને વિક્રમ સંવતનાં ગણીએ તો વર્ષ ૭૮ના તક્ષશિલાના તામ્રપત્ર લેખમાંના મો મોગને ઈસ્વી ૨૦માં વિદ્યમાન ગણવો રહે. પત્નવ રાજા ગુદુર્ઘરનો રાજ્યકાલ વર્ષ ૧૩૦ના તા-ઇ-બાહીના લેખ અનુસાર, તો પછી, ઈસ્વી ૧૯માં આવે॰. ઇતિહાસ તો નોંધે છે કે ગુદુર્લર અને અઝીઝ ૨જો સમકાલીન હતા. તેવી જ રીતે અઝીઝ ૧લો અને સ્પાલિરિસ (જે સીસ્તાનનો રાજા હતો) પણ સમકાલીન હતા; એટલું જ નહીં એ બંનેએ સંયુક્ત રીતે સિક્કાઓ પણ તૈયાર કરાવ્યા હતા. અઝીઝ ૨જો એ અઝીઝ ૧લાનો અનુગામી હતો એ બાબત સિક્કાઓથી સાબિત થઈ છે. તેમ જ વોનોનીસ જ્યારે સીસ્તાનમાં રાજ્ય કરતો હતો ત્યારે મોઅ પંજાબમાં રાજ્ય કરતો હોવો જોઈએ એમ રાયચૌધરી નોંધે છે. વોનોનીસનો અનુગામી સ્પાલિરિસ. હતો તેમ જ સ્પાલિરિસ અને અઝીઝ ૧લો સમકાલીન હતાપર.- આ બધી ઐતિહાસિક વિગત એક સાથે અવલોક્માં મોઅને ગુદુત્ત્રરથી બે પેઢી જેટલો એટલે કે ૩૦ વર્ષ વહેલો મૂક્યો જોઈએ. આથી તો ઉપર્યુક્ત વિદ્વાનોની વિક્રમ સંવત અંગેની દલીલો સ્વીકાર્ય બનતી નથી.
કેટલાક વિદ્વાનો આ વર્ષોને મોઅ સંવતનાં ગણે છે અને એનો આરંભ ઈસ્વીપૂર્વ ૯૫થી થયો હોવાનું સૂચવે છે. આ ષ્ટિએ મોઅને ઈસ્વીપૂર્વ ૧૭માં મૂકી શકાય. પરંતુ મોઅ સંવતની દલીલ અને મોઅનો રાજ્યારંભ વિરોધાભાસી જણાય છે; કેમ કે આ સંવતને જો ઈસ્વીપૂર્વ ૯૫માં પ્રવર્તો હોવાનો અને તેનો પ્રવર્તક મોઅ જો હોય તો પછી એના રાજ્યારોહણને કે રાજ્યારંભને પણ ઈસ્વીપૂર્વ ૯૫થી ગણવો જોઈએ, જે બાબત શક્ય જણાતી નથી.
કાર્પેન્ટિયર ઈસ્વીપૂર્વ ૧૮૦ના આરંભકાળવાળા દિમિત્રના સંવતનું સૂચન કરે છે. આ ગણતરીથી વર્ષ ૭૮નો તક્ષશિલાનો લેખ ઈસ્વીપૂર્વ ૧૦૨માં મૂક્યો પડે; અને તો મોઅનો
For Personal & Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
રાજ્યામલ પણ ત્યારે જ હોય જે શક્ય નથી. વળી દિમિત્રે તો સેલ્યુસીડ સંવત ઉપયોગ્યો હતો એટલે પરાજિત યવનોનો પ્રચલિત સંવત વિજેતા મો વાપરે નહીં.
૬૦
મિશ્રદાત ૨જાની (ઈસ્વીપૂર્વ ૧૨૩-૮૮) સામે શકોએ બળવો કર્યો એ ઘટના ધ્યાનમાં લઈને જાયસ્વાલ ઈસ્વીપૂર્વ ૧૨૦નો સંવત આ વર્ષોના સંદર્ભે પ્રસ્તુત કરે છે; પણ શકોનું પહ્લવ દેશ ઉપરનું આક્રમણ તો ઈસ્વીપૂર્વ ૧૨૯માં થયાનું ટાર્નનું મંતવ્ય છે. એટલે જાયસ્વાલની ગણતરી મુજબ તો એ સંવતનો આરંભકાળ ઈસ્વીપૂર્વ ૧૨૯ (કે ઈસ્વીપૂર્વ ૧૨૮)નો ગણવો જોઈએ. વળી મિથ્રદાત ૨જો બળવાન શાસક હતો એટલે એના સામ્રાજ્યમાં શકો માટે બીજો સળંગ સંવત પ્રવર્તાવવાની કોઈ શક્યતા ન હતી.
બેનરજી આ વર્ષોને સીસ્તાનના પત્થવ સંવતનાં હોવાનું સૂચવે છે. રેપ્સન પણ શરૂમાં તે વર્ષો સંદર્ભે બેનરજીને અનુસર્યા હતા. સીસ્તાનનો આ સંવત હકીકતમાં મિશ્રદાત ૧લાએ પોતાના સામ્રાજ્યમાં સીસ્તાનને સમાવી લઈ નવું રાજ્ય સ્થાપ્યું તેની યાદમાં શરૂ કર્યો હતો. અને તો શકો સામાન્યતઃ પર્લવોનો સંવત ઉપયોગે નહી૧. વળી કલવાન લેખમાં સ્ટેન કોનોને અને ટોમસને સ્પષ્ટઃ ‘શક' શબ્દ વંચાયો છે. તેથી રેપ્સન અનુકાલમાં આના અનુસંધાનમાં આ વર્ષોને પૂર્વકાલીન શક સંવતનાં હોવાનું વલણ ધરાવે છે.
મિથ્રદાત ૧લાએ ઈસ્વી ૧૫૦માં સીસ્તાનમાં નવું પર્લવ રાજ્ય સ્થાપ્યું અને એની યાદમાં તેણે આ સંવત પ્રવર્તાવ્યો એવું રેપ્સનનું મંતવ્ય છે. ટાર્ન આ જ ઘટનાના સંદર્ભે ઈસ્વીપૂર્વ ૧૫૫ના સંવતની ચર્ચા કરે છે". માર્શલ આ બંને સંવતની શક્યતા જુએ છે, પણ તે ટાર્નના મંતવ્ય ઉપર વિશેષ ભાર મૂકે છે. ફ્રેન્ચ લેખિકા ફૉન ઈસ્વીપૂર્વ ૧૨૯ના સંવતની દલીલ કરે છે; કેમ કે આ વર્ષે યુએચીઓએ આમૂદ૨યા ઓળંગી બાહ્નિકમાંથી યવન સત્તાને નિર્મૂળ કરી તેની યાદમાં તેમણે આ સંવત શરૂ કર્યો. તદનુસાર તક્ષશિલાનો વર્ષ ૭૮નો લેખ ઈસ્વીપૂર્વ મૂકવો પડે.
તક્ષશિલાના તામ્રપત્રમાં નિર્દેશ છે કે લિયક કુસુલક મોઅનો ક્ષત્રપ હતો. આ લિયક કુસુલક એ વર્ષ ૬૮ના માનસેરાના લેખમાં ઉલ્લિખિત લાયક છે એમ રાયચૌધરી સૂચવે છે. આ તામ્રપત્ર પતિકનું છે અને જેનો નિર્દેશ મથુરાના સિંહસ્તંભલેખમાં પણ છે. આ સ્તંભલેખમાં મહાક્ષત્રપ રાજૂલ અને એના પુત્ર શોડાશનો ઉલ્લેખ છે. આ સ્તંભલેખ શોડાશને આમોહિનીના માનતાપત્ર(votive tablets)માંના મહાક્ષત્રપ શોડાશ સાથે સરખાવે છે. માનતાના આ પત્રલેખનો સમય, તેની કોતરણીના આધારે, માર્શલ ઈસ્વી સનની શરૂઆતમાં મૂકે છે૧. પતિક શોડાશનો સમકાલીન હતો॰. શોડાશે ગંગાજમનાના પ્રદેશમાં રહેતા કુણિન્દોને હરાવેલા. સિક્કાઓમાંના લખાણમાંની લિપિના આધારે કુણિન્દ ગણરાજ્ય ઈસ્વીપૂર્વે બીજી-પહેલી સદીમાં અસ્તિત્વમાં હતુ”. આથી એવું ફલિત થાય છે કે શોડાશ ઈસ્વીપૂર્વ બીજી-પહેલી સદીમાં કોઈ કાલખંડમાં ખાસ કરીને ઉત્તરાર્ધમાં વિદ્યમાન હોઈ શકે. આ ગણતરી મુજબ પ્રતિકના પિતા લિયક કુસુલકને ઈસ્વીપૂર્વની પહેલી સદીના મધ્યભાગે વિદ્યમાન હોવાનું સૂચિત થઈ શકે; તો પછી તે જેનો ક્ષત્રપ હતો તે મોઅ પણ આ સમય દરમ્યાન થયો હોવાની સંભાવના થઈ શકે.
For Personal & Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચાર
૬૧
પ્રસ્તુત વિસ્તૃત વિવરણ-પૃથક્કરણને આધારે સમાપન કરતાં ફૉન, રેપ્સન અને ટાર્નનાં મંતવ્યો વધારે સંભવિત અને સ્વીકાર્ય જણાય છે. વર્ષ ૫૮ના મૈર લેખ અને વર્ષ ૭૮ના તક્ષશિલાના તામ્રપત્રલેખને ફૉને સૂચવેલા ઈસ્વીપૂર્વ ૧૨૯ના સંવત અનુસારપ તે વર્ષો અનુક્રમે ઈસ્વીપૂર્વ ૭૧ અને ઈસ્વીપૂર્વ ૫૧માં આવે. રેપ્સનના મત મુજબ તે વર્ષો અનુક્રમે ઈસ્વીપૂર્વ ૯૨ અને ૭૨માં આવે. જ્યારે ટાર્નના મંતવ્યાનુસાર તે વર્ષો અનુક્રમે ઈસ્વીપૂર્વ ૯૭ અને ઈસ્વીપૂર્વ ૭૭માં આવે.
આમ, આ ત્રણેય વિદ્વાનોએ સૂચવેલા સંવત મુજબ તેમ જ મોઅ, પતિક, લિયક કુસુલકના સંદર્ભમાં અગાઉ સૂચવેલા સમયાનુસાર આપણા દેશના પ્રથમ શક રાજા મોઅને આ પરિમાણમાં ઈસ્વીપૂર્વની પહેલી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હોવાનું સૂચવી શકાય.
અય(અઝીઝ) ૧લો : મોઅના ઉત્તરાધિકારી તરીકે પંજાબની ગાદીએ અય આવ્યો એમ સિક્કાઓના અભ્યાસથી સમજાય છે. વિદ્વાનો અય નામના બે રાજા હોવાનું અનુમાન કરે છે. પરંતુ એના સાપેક્ષ કાલક્રમ વિશે મતભેદ રહેલો છે. અય ૧લાના અને અય ૨જાના સિક્કાઓ સ્પષ્ટઃ વિભિન્ન પ્રકારના પ્રાપ્ત થયા છે. પહેલા પ્રકારના સિક્કાના અગ્રભાગે ગ્રીક લિપિ-ભાષામાં અયનું અને પૃષ્ઠભાગે ખરોષ્ઠી લિપિમાં અયિલિષ (અઝિલિષ)નું નામ કોતરેલું છે. બીજા પ્રકારના સિક્કાના અગ્રભાગમાં ગ્રીક-લિપિભાષામાં અયિલિષનું અને પૃષ્ઠભાગમાં ખરોષ્ઠી લિપિમાં અયનું નામ કોતરાયેલું જોવા મળે છે. આથી ફલિત થાય છે કે અય ૧લા પછી અયિલિષ ગાદીએ આરૂઢ થયો અને અયિલિષના ઉત્તરાધિકારી તરીકે અય ૨જો સત્તા ઉપર આવ્યો. એક સુવર્ણ સિક્કાના આધારે આ વંશમાં અઠમ નામનો એક રાજા થઈ ગયો એવું વ્હાઈટહેડ સૂચવે છે. પરંતુ તક્ષશિલાના રાજાઓનાં નામનાં ગ્રીક રૂપો અંગ્રજી રૂપાંતરો મુજબ અન્ત્યાક્ષર આ નામમાં નથી; એટલે અઠમ આ વંશમાં થયો હોવાની સંભાવના નિશ્ચિત થઈ શકી નથી”.
પંજાબનું ક્ષત્રપ રાજ્ય
પંજાબના ક્ષત્રપોનાં ત્રણ કુટુંબ હતાં : (૧) કુસુલબ કે કુસુલકનું કુટુંબ, (૨) મણિગુલ કે મનુગુલનું કુટુંબ અને (૩) ઇન્દ્રિવર્માનું કુટુંબપ.
કુસુલક કુટુંબ : વર્ષ ૭૮ના તક્ષશિલાના તામ્રપત્ર લેખથી જાણવા મળે છે કે શક રાજા મોઅના સત્રપ તરીકે લિયક કુસુલુક હતો અને એનો પુત્ર પતિક મહાદાનપતિ હતો. આ લેખમાં લિયક કુસુલુકને ક્ષહરાત તરીકે અને ચુબ્સના (આધુનિક ચચ, જે તક્ષશિલાની પશ્ચિમે આવેલું છે) ક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે. મથુરાના સિંહસ્તંભલેખમાં પતિકને મહાક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે. કુસુલુક કુટુંબના સભ્યો મથુરાના ક્ષત્રપો સાથે સંબંધ ધરાવતા હતા૧.
મણિગુલ કુટુંબ : અય રજાના રાજ્યકાલ દરમ્યાન પુષ્કલાવતીમાં મણિગુલ કુટુંબના ક્ષત્રપો રહેતા હતા એવું સિક્કાઓથી માનવામાં આવે છે. તક્ષશિલાના વર્ષ ૧૯૧ના ચાંદીના વાસણ ઉ૫૨ ઉત્કીર્ણ લેખથી સમજાય છે કે મણિગુલનો પુત્ર જિહોણિક (તક્ષશિલા નજીક આવેલા ચુબ્સ)નો ક્ષત્રપ હતો”. ટાર્નના મત મુજબ જિહોણિક પર્લવ રાજા ગુદુર્લરનો ભત્રીજો અને
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૨
ક્ષત્રપકાલીન ગુજરાત સત્રપ હતો. આપણે જાણીએ છીએ કે ગુદુલ્હર અય રજાનો સમકાલીન હતો (જુઓ પાદનોંધ ૭૯). સિક્કાઓ ઉપરનું લખાણ આ પ્રમાણે છે : માનસ સત્રાસ નિહાયા. આથી જિહોણિસ એ મણિગુલનો સત્રપ હોવાનું સૂચવાય છે. વર્ષ ૧૯૧નો જે લેખ માર્શલને તક્ષશિલામાંથી ૧૯૨૭માં હાથ લાગ્યો છે તેમાં મહાન પુત્રસ નહોળસ વુક્ષસ સત્રમાં એવું લખાણ છે. આથી જિહોણિક અને જિહોણિયસ બંને ભિન્ન વ્યક્તિઓ જણાય છે".
ઇન્દ્રવર્માનું કુટુંબ : આના કુટુંબમાં ઇન્દ્રવર્મા પોતે, તેનો પુત્ર અસ્પવર્મા અને એના ભત્રીજા સસનો સમાવેશ થાય છે. અસ્પવર્મા શરૂઆતમાં અય રજાના અને પછીથી ગુદુહરના રાજપાલ તરીકે કાર્ય કરતો હતો, જ્યારે સસ ગુદુહર અને પકોર(Pakores)ના રાજપાલ તરીકે હતો૯૭. મથુરાના ક્ષત્રપો
મથુરા ઉપર શકોએ કયારે અને કેવી રીતે આધિપત્ય પ્રસ્થાપ્યું તે બાબત નિર્ણિત કરવી મુશ્કેલ છે. એક મત મુજબ શકો સિંધુના પ્રદેશમાંથી આગળ વધીને કદાચ માળવાથી અજમેર ગયા હોય અને ત્યાંથી સીધા મથુરા ગયા હોય; તો બીજા મત મુજબ જયારે વિક્રમાદિત્ય (ઈસ્વીપૂર્વ પ૮)ની સરદારી હેઠળ માળવા સ્વતંત્ર થયું, ત્યારે માળવાના શક અધિકારીઓએ મથુરા જઈ ત્યાં રાજ્ય સ્થાપ્યું. શકોના જે સિક્કા મથુરામાંથી મળ્યા છે તેમાં તેના નિર્માણમાં શુંગોના પંચાલ (અહિચ્છત્ર) અને મથુરાના સિક્કાની નિર્માણપદ્ધતિનું અનુકરણ વર્તાય છે. આથી સૂચિત થાય છે કે શુંગો પાસેથી શકોએ મથુરાની સત્તા મેળવી હોય. “રાજાતિરાજ' મોઅ પછી શાહાનુશાહી' ખરોષ્ઠ સત્તાધીશ થયો હોય એમ સ્વીકારીએ તો મોઅના રાજ્ય અમલ દરમ્યાન કે પછી નજીકના સમયમાં શકોએ મથુરામાં સત્તા સ્થાપી હોય. જો કે મથુરાના ક્ષત્રપો અને તક્ષશિલાના શકો વચ્ચેના સંબંધની કોઈ માહિતી હાથવગી નથી.
ઈસ્વી ૧૮૯૬માં ભગવાનલાલ ઇંદ્રજીએ મથુરામાં સીતલા માતાના મંદિરના દાદર નીચેથી એક સિંહસ્તંભ શોધી કાઢેલો, જેમાં સિંહની આકૃતિની આસપાસ કેટલીક પંક્તિઓ ખરોષ્ઠીમાં કંડારેલી છે. મથુરાના શકોના ઇતિહાસ વાસ્તે આ લેખ મહત્ત્વની વિગતો સંપડાવી આપે છે. આ લેખ વર્તમાને લંડનના મ્યુઝિયમમાં બૌદ્ધ વિભાગમાં સુરક્ષિત છે. જો કે કમનસિબે લેખ સંપૂર્ણ ઉકેલી શકાયો નથી. છતાં સ્ટેન કોનોએ થોડો ઘણો ઉકેલ્યો છે. આ લેખમાં મથુરામાં રાજ્ય કરતાં રાજાઓનાં અને અન્ય પ્રદેશના રાજાઓનાં નામ ઉલ્લેખ પામ્યાં છે. લેખ આ મુજબ છે : મદક્ષ()પસ રજુતુ અપ્રષિ યસિE(૪) ધિત્ર રસ્તન યુવર પન્ન નઢિ(શિ) એસ.૯ આ લેખમાંના લખાણના અર્થતારણ વિશે મતભેદ પ્રવર્તે છે. કોનોના અર્થઘટન પ્રમાણે રાજુલ એ ખરોષ્ઠનો જમાઈ થાય અને શોડાશ એ રાજુલનો પુત્ર. પણ ટોમસ આનાથી ભિન્ન અર્થધટન પ્રસ્તુત કરે છે : નંદીસીએક્સ એ મહાક્ષત્રપ રાજુલની પત્ની, અયસી કમુરની પત્ની અને યુવરાજ ખરોષ્ઠની માતા. ટોમસનું આ અર્થઘટન લગભગ બધા વિદ્ધાનો સ્વીકારે છેલ્થ.
પ્રસ્તુત ચર્ચાથી સમજાય છે કે ખરોઇ એ રાજુલનો પુત્ર હતો અને સંભવતઃ તે પિતાના રાજયામલ દરમ્યાન ગુજરી ગયેલો હોવો જાઈએ, જેથી રાજુલના ઉત્તરાધિકારી તરીકે તેનો ભાઈ
For Personal & Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચાર
ક્ષત્રપ શોડાશ આવ્યો હોવાનું સંભવે છે. ક્ષત્રપ રવરોઇસ સર્તક પુત્ર એવા ખરોષ્ઠીમાં લખાયેલા લેખવાળા કેટલાક સિક્કા મળી આવ્યા છે. આથી ફલિત થાય છે કે ખરોષ્ટને અર્ત નામનો પુત્ર હતો, જે કાકા શોડાશના સમયમાં ક્ષત્રપ તરીકે સત્તાધીશ થયો હોય અને પ્રસ્તુત લેખવાળા સિક્કાઓ તૈયાર કરાવ્યા હોય.
સિક્કા અને શિલાલેખો રાજુલ વિશે કેટલીક હકીકત સંપડાવી આપે છે : રાજુપુલ, રંજુબુલ, રાજુલ એમ એનાં વિવિધ નામ હતાં. મથુરાના સિંહસ્તંભ ઉપરના ખરોષ્ઠી લેખોમાં તેમ જ મથુરા નજીકના મોર ગામના એક લેખમાં (જે હાલ મથુરાના સંગ્રહાલયમાં છે, તેને મહાક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે, જ્યારે ગ્રીક લખાણવાળા તેના કેટલાક સિક્કાઓમાં તેને ‘શાહાનુશાહી' બિરુદથી ઓળખાવ્યો છે.
રાજુલના સિક્કાઓ ઑટો ૧લા અને જ્હો રજાના જેવા જ છે; તેથી રાજુલે તેના રાજ્યકાળનો આરંભ પૂર્વ પંજાબના પ્રદેશમાં કર્યો હોવાનો સંભવ છે; જ્યારે મથુરા ઉપરનો તેનો અધિકાર તેના રાજ્યકાળના ઉત્તરાર્ધમાં જોવા મળે છે. એટલે જ્યારે રાજુલ પૂર્વ પંજાબમાં સત્તાધીશ હતો ત્યારે મથુરા ગામશ અને હગાનના સંયુક્ત અધિકાર હેઠળ હતું એમ માની શકાય. રાયચૌધરી અનુસાર હગામશ અને હગાનના ઉત્તરાધિકારી તરીકે રાજુલ મથુરાની ગાદી ઉપર આવ્યો હોય. આથી મથુરાના પ્રારંભકાળના શક રાજાઓ આ હતા એમ સૂચવાય. મથુરામાંથી રાજુલના ઘણા સિક્કા મળી આવ્યા છે, જયારે તાંબાના કેટલાક સિક્કા પૂર્વ પંજાબમાંથી હાથ લાગ્યા છે. આથી કહી શકાય કે તેના રાજય વિસ્તારમાં પૂર્વ પંજાબ અને મથુરાનો સમાવેશ થતો હતો૧૦૩.
રાજુલ પછી તેનો પુત્ર શોડાશજ ગાદીપતિ બન્યો. મથુરામાંથી શોડાશના સિક્કાઓ અને શિલાલેખો બંને હાથ લાગ્યા છે. સિક્કાઓ તેને માત્ર ક્ષત્રપ તરીકે ઓળખાવે છે૧૦૫, જ્યારે વર્ષ ૭રનો આમોહિનીનો માનતાલેખ તેને મહાક્ષત્રપ તરીકે વર્ણવે છે. પૂર્વ પંજાબમાંથી તેનો એક પણ સિક્કો મળ્યો નથી. તેથી સૂચવી શકાય કે તેનો રાજયવિસ્તાર મથુરા અને તેની આસપાસના વિસ્તાર પૂરતો સીમિત હતો૧૦૭.
મથુરાના શકોએ પૂર્વ પંજાબને જીતી તે વિસ્તાર ઉપર પ્રભુત્વ પ્રસ્થાપ્યું હતું અને કુરિન્દ ગણરાજ્યને૧% પણ હરાવેલું એમ અર્થસંહિતાના યુગપુરાણમાં નોંધ્યું છે. શોડાશે જે મહાક્ષત્રપપદ ધારણ કરેલું તે આ વિજયના પરિણામરૂપ હોવાનો સંભવ છે૧૯ પશ્ચિમ ભારતનું શક રાજ્ય
શકોએ પશ્ચિમ ભારતમાં પણ સ્વતંત્ર સત્તા સ્થાપી હતી. આ રાજાઓ પશ્ચિમી ક્ષત્રપોથી સુખ્યાત છે. હવે પછીનાં પ્રકરણોમાં પશ્ચિમ ભારતનું શક રાજય' વિશે વિગતવાર પૃથક્ત વિવરણ પ્રસ્તુત કર્યું હોઈ અહીં આ પ્રકરણમાં તે બાબતે કોઈ ચર્ચા અપેક્ષિત નથી.
For Personal & Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૪
પાદનોંધ
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
પારસકુલ વિશે ઇતિહાસમાં, ખાસ કરીને જૈનાનુશ્રુતિઓમાં, મતભેદ છે. સંસ્કૃતપ્રાકૃતમાં લખાયેલી જુદી જુદી જૈન પ્રતોમાં આ સ્થળનાં ભિન્ન ભિન્ન નામો જોવા મળે છે, જેમ કે શકકુલ, શાખી દેશ, પશ્ચિમ પાર્શ્વકૂલ, પારસકૂલ, સગકુલ વગેરે......સાથે સાથે ‘કુલ' શબ્દ કાજેય મતભેદ છે. ‘ફૂલ'નો અર્થ છે કિનારો-કાંઠો. આથી દેશવાચક શબ્દ સાથે ‘ફૂલ' વધારે બંધ બેસે છે (દા.ત. પારસફૂલ). જ્યારે વ્યક્તિવાચક શબ્દ સાથે ‘કુળ' શબ્દ પ્રયોગવો વધુ યોગ્ય છે (દા.ત. સાહીકુલ, શકકુળ વગેરે). જુઓ (વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામા, પૃષ્ઠ ૨૧-૨૨).
કલ્યાણવિજયજી, દ્વિવૈદી અભિનંદન ગ્રંથ, ૧૯૩૪, પૃષ્ઠ ૯૮. (१) उत्तीर्यं सिंधुकटकं सुराष्ट्रदेशे समागत्य सुखेन तस्थौ । (૨) .... सम्भूय सा स्वयः सद्य: सिंधुतीरे समागमन् ||३७|| आचार्यदर्शितपथः साखीशः सोऽपि सत्वरम् ।
प्रयाणैरनवच्छिनने रूपसिंधु समासद्यत ||३८||
तेऽथ सिंधु समुत्तीर्य, साधयन्तोऽखिलान्नृपान् ।
સુરાષ્ટ્રવિષયં પ્રાપુસ્તત્ર પ્રાતૃડુપયુષી રૂ॥ (જિનદેવ, કાલિકાચાર્ય કથા).
ક્ષત્રપકાલીન ગુજરાત
(૨) વશ્વા હિન્દુારેસે.......
નાવ ઉત્તરિતુ સિંધુ પત્તા સોરઠમવંતં તાવ । (બ્રાઉન, સ્ટોરી ઑવ કાલક, પૃષ્ઠ ૯૪).
(૪) ૩ત્તરિä સિન્ધુનરૂ મેળ સારેતમાંને પત્તા ।(એજન, પૃષ્ઠ ૭૪)
પ્રત્યેક કાલકકથા, કથાવલી અને નિશીથચૂર્ણિમાં એવું નોંધવામાં આવ્યું છે કે સાહીઓ (એટલે શકો) સાથે કાલક સૌરાષ્ટ્રમાં આવ્યાં (જુઓ : કલ્યાણવિજયજી, દ્વિવૈદી અભિનંદન ગ્રંથ, પૃષ્ઠ ૧૧૦, પાદનોંધ ૬).
:
જુઓ ઉપર્યુક્ત પાદનોંધ ૩માં રૂ અને ૪.
વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામા, પૃષ્ઠ ૨૩-૨૪.
આપણા રાષ્ટ્રના ઇતિહાસનાં અવગાહન કરવાથી સ્પષ્ટ થાય છે કે આપણી ભૂમિ ઉપર યુગે યુગે કે સમયે સમયે થયેલાં વિદેશી લોકોનાં આક્રમણો મુખ્યત્વે આ દિશામાંથી જ થયાં છે. આપણા દેશની ભૌગોલિક લાક્ષણિક્તાને લીધે તેની ઉત્તર સરહદેથી કે દક્ષિણ બાજુએથી આક્રમણકારોને પ્રવેશવું બહુ સરળ ન હતું.
રેપ્સન, ક્રેહિઇ., પુ.૧, પૃષ્ટ ૫૬૩થી; સ્ટેન કોનો, કૉઇઇ., પુ.૨, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૧; સુધાકર, પૃષ્ઠ ૧૪. મથુરાના સિંહસ્તંભમાં નિર્દિષ્ટ વાક્ય ‘સર્વક્ષ શસ્તાનસનુષ્ય'; પેરિપ્લસમાં ઉલ્લિખિત મીનનગર (શકનગર); ઈરાનમાં આવેલી કર્દમા નદી; વામન-એ ઈરાની ભાષાઓ શબ્દ - આ બધા મુદ્દાઓ ધ્યાનમાં લઈને સુધાકર ચટ્ટોપાધ્યાય સૂચવે છે કે શકો પૂર્વ ઈરાનથી આ રસ્તેથી આપણા દેશમાં આવ્યા હોય. (જુઓ સુધાકર, પૃષ્ઠ ૧૩-૧૪).
૯. સુધાકર, પૃષ્ઠ ૧૩.
૧૦. ટોમસ, જરૉએસો., ૧૯૧૩, પૃષ્ઠ ૬૩૫, પાદનોંધ નંબર ૧ અને ૨; રેપ્સન, ક્રેહિઇ., પૃષ્ઠ ૫૬૩૬૪; ટાર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૭-૭૮. પરંતુ ફલીટના મત મુજબ કુષાણો આ માર્ગેથી જ આપણે ત્યાં આવ્યા હતા (જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૩૩૪). આથી આ ત્રણ વિદ્વાનોનો મત સ્વીકાર્ય જણાતો
નથી.
૧૧. જરાએસો., ૧૯૪૪.
For Personal & Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચાર
૧૨. કેમ કે એમના આગમન-આક્રમણનો સમય પણ ભિન્ન ભિન્ન હોવાનું મનાય છે. (જુઓ હવે પછીનો
મુદ્દો). આ કારણે પ્રવેશમાર્ગ પણ જુદો જુદો હોય એવો મત વધારે સંભવિત જણાય છે. ૧૩. ફૉન, સીપી., પૃષ્ઠ ૩૨૫; સટેન કોનો, જરૉએસો., ૧૯૩૨, પૃષ્ઠ ૯૫૯. ૧૪. રેપ્સન, કેહિઇ., પૃષ્ઠ પ૬૭-૬૮; સ્ટેન કોનો, કૉઇઇ., ૫.૨, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૨. ૩૬. ૧૫. સુધાકર, પૃષ્ઠ ૧૪. ૧૬. સભાપર્વ, ૪૩, ૧૨; ૪૭, ૧૯, ૨૬ અને ૪૮, ૧૫. આરણ્યકપર્વ, ૪૮, ૨૦; ૧૮૬, ૨૯-૩૦;
ભીષ્મપર્વ, ૭૫, ૨૧; કર્ણપર્વ, ૯૪, ૧૬; ઉદ્યોગપર્વ, ૧૫૮, ૨૦ અને અનુશાસનપર્વ ૬૮, ૨૧. ૧૭. મોતીચંદ્ર, ઉપાયનપર્વ, પૃષ્ઠ ૩૦. ૧૮. પુરાણોમાં પણ શકોનો ઉલ્લેખ છે. દા.ત. વાયુ, મત્સ્ય, વિષ્ણુ અને ભાગવત (પાર્જિટર, કલિ-એજ,
પ્રસ્તાવના, પૃષ્ઠ ૨૪-૨૫, અને ૩૫, ૭૨, ૪૨; જાયસ્વાલ, જબિઓરીસો., પૃ.૧૬, ભાગ ૩-૪, પૃષ્ઠ ૩૧૩; સત્યશ્રાવ, પૃષ્ઠ ૧૩-૧૪; દુ.કે.શાસ્ત્રી, પુરાણ વિવેચન, ૧૯૩૧, પૃષ્ઠ ૬). પણ પુરાણો
મહાભારતથી અનુકાલનાં હોવાથી શકોનાં આક્રમણના સમયનિર્ણય વાસ્તે ઉપયોગી નથી. ૧૯. બ્રાઉન, સ્ટોરી ઑવ કાલક, પૃષ્ઠ ૯; કલ્યાણવિજયજી, જૈન કાલગણના, પૃષ્ઠ પ૩; પાર્જિટર, કલિ
એજ, પૃઇ ૪૫-૪૬ અને ૭૨. ૨૦. કલ્યાણવિજયજી, જૈન કાલગણના, પૃષ્ઠ ૫૩-૫૪ અને ૧૫૯. ૨૧. એજન, પૃષ્ઠ ૫૫. . ૨૨. સ્ટેન કોનો, કૉઇઇ., .૨, ભાગ ૧, પૃષ્ઠ ૧૨ તેમ જ જુઓ હવે પછી આ પ્રકરણની પાદનોંધ ૩૬
અને ૩૭. ૨૩. સ્ટેન કોનો, એજન, પૃષ્ઠ ૧૬ અને તત્સંબંધિત પ્લેટ. ૨૪. એજન, પ્રસ્તાવના, પૃઇ ૯૧-૯૪. ૨૫. ડોવસન, જરૉએસો., ૧૮૭૫, પૃષ્ઠ ૩૭૬ અને ૧૮૭૭, પૃષ્ઠ ૧૪૪થી; લીટ, જરૉએસો., ૧૯૦૩,
થી ૧૯૦૮ અને ૧૯૧૩થી ૧૯૧૫: દિનેશચંદ્ર સરકાર, એઈય., પૃષ્ઠ ૧૨૮; એચ.કે ડેબ, રૉએસો., ૧૯૨૨ પૃષ્ઠ ૪૨., આ બધા વિદ્વાનો વિક્રમ સંવત હોવાનું સૂચવે છે. બેનરજી અને રેપ્સન, ઈએ., પૂ.૩૭, ૧૯૦૮, પૃષ્ઠ ૬૭ અને કેહિઇ., ૫.૧, પૃષ્ઠ ૫૭૦. આ બંને લેખકો સીસ્તાનમાંના પદ્ધવ સંવતનું સૂચન કરે છે. માર્શલ, આસઈ., ૧૯૧૨-૧૩, અને જરૉએસો., ૧૯૧૪; રામપ્રસાદ ચંદા, જરૉએસો., ૧૯૨૦, પૃષ્ઠ ૩૧૯. આ ત્રણ અધ્યેતા આ બાબતે મોએ
સંવતનું સૂચન કરે છે. ૨૬. જુઓ આ પ્રકરણમાં હવે પછીની પાદનોંધ ૭૭ અને ૭૮. ૨૭. વિદ્યાલંકાર, ભાઇફ., પુષ્ઠ ૭૫૭. “હિંદી શકસ્થાન'નો પ્રથમ નિર્દેશ પેરિપ્લસ અને તોલમાપની
નોંધમાં જોવા મળે છે. ૨૮. જુઓ અગાઉની પાદનોંધ ૩. કાલકકથાઓમાં શકોએ સિંધુ નદી ઓળંગ્યાનો ઉલ્લેખ છે. ૨૯. ગ્રીક નામ ઉપરથી અંગ્રજી રૂપાંતર પ્રમાણે Maues લખાય છે. મૂળમાં મોગ અને મોઅ એમ બે
નામ મળે છે. રેસન મોઅ અને મોગ એક જ વ્યક્તિનાં બે નામ હોવાનું સૂચવે છે (એઈ., પૃષ્ઠ ૧૪૧). કનિંગહમ પણ આ મત ધરાવે છે (એ ઇ., પૃષ્ઠ ૧૭૮). દિનેશચંદ્ર સરકાર બે મોએ
(મોઅ ૧લો અને મોઅ ૨જો) હોવાનું નોંધે છે (સીઇ., પૃષ્ઠ ૧૦૯, પાદનોંધ ૩). ૩૦. સ્ટેન કોનો, કૉઈઈ., પુ. ૨, પૃષ્ઠ ૧૧-૧૩.
For Personal & Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત ૩૧. એઈ., પુ.૪, પૃષ્ઠ પપથી. ૩૨. પેરિપ્લસ, ગુજરાતી અનુવાદ, ફકરો ૩૮ અને ૪૧. ૩૩. ચટ્ટોપાધ્યાય, અહિનોઇ., પૃષ્ઠ પર, ફૉન નોંધે છે કે મોઅ પદ્વવ હતો, કેમ કે મોઅના સિક્કા અયના
સિક્કા સાથે ઘણું સામ્ય ધરાવે છે અને અય પદ્વવ હતો (સીપી., પૃષ્ઠ ૩૩૮થી). મોએ અને અયના સિક્કાઓ વિશે જુઓ રસેશ જમીનદાર, પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૧૮-૧૧૯. પણ સુધાકર ચટ્ટોપાધ્યાયના મત મુજબ અય શક હતો (અહિનોઇ., પૃષ્ઠ ૨૧) તેથી મોઅ પણ શક હતો (એજન, પૃષ્ઠ ૧૪). શક-પલ્લવ જાતિના ભેદ વિશે ટોમસના વિચારો ધ્યાનાર્ય છે. આપણી ભૂમિ ઉપર આક્રમણ કરનાર પૂર્વ ઈરાની ટોળીઓમાં વિવિધ તત્ત્વો એકરૂપ થયેલાં હતાં. તેથી માત્ર નામ ઉપરથી અમુક ટોળી ચોક્કસ સ્વરૂપે શક હતી કે પદ્વવ તે કહેવું મુશ્કેલ છે. તેથી એટલું જ કહેવું સલામત
છે કે મોઅ વિદેશી હતો (જરોએસો., ૧૯૦૬, પૃષ્ઠ ૨૧૫). ૩૪. સ્ટેન કોનો, કૉઇઇ., .૨, પ્રસ્તાવના પૃષ્ઠ ૨; રાયચૌધરી, પોહિએઇ., પૃષ્ઠ ૪૩૭. ૩૫. લેખની હાલત બહુ સારી ન હોવાથી નિશ્ચિત વર્ષ કહેવું મુશ્કેલ છે. ૩૬. સરકાર, સીઇ., પૃષ્ઠ ૧૨૦. ૩૭. જુઓ પાદનોંધ નં. ૩૧; અને રાયચૌધરી, પોહિએઇ., પૃષ્ઠ ૪૩૭. ૩૮. રાયચૌધરી, એજન, પૃષ્ઠ ૪૩૮. ૩૯. કેહિઈ., પૃષ્ઠ પ૯૦ અને ૭૦૧. ૪૦. સુધાકર, પૃષ્ઠ ૩૦. કાબુલની ખીણમાંથી તેનો એક સિક્કો મળી આવ્યો છે તેથી તે પ્રદેશ તેના
રાજયવિસ્તારમાં હોવાનું અનુમાન થઈ શકે નહીં (એજન, પૃષ્ઠ ૪૦, પાદનોંધ નં. ૧૧). , ૪૧. એજન, પૃષ્ઠ ૩૦, પાદનોંધ નં.૧૪અ. ૪૨. તેણે દિમિત્રના (જેણે ઈસ્વીપૂર્વ બીજી સદીના પૂર્વાર્ધમાં રાજય કર્યું હતું) સિક્કાઓનું અનુકરણ કરેલું
(સુધાકર, પૃષ્ઠ ૩૦). દિમિત્ર અને મોઅના સિક્કાના વિવરણ વાસ્ત જુઓ રસેશ જમીનદાર, પ્રા ગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૧૨ અને ૧૧૮. ટાર્નના મત મુજબ દિમિત્ર, મિનેન્દર અને અપલદત્ત સમકાલીન હતા અને ઈસ્વીપૂર્વ બીજી સદીમાં રાજય કરતા હતા (ગ્રીબેઇ., પૃષ્ઠ ૧૩૩
૧૩૪). રેપ્સન પણ આવું મંતવ્ય ધરાવે છે (હિઇ., પૃષ્ઠ ૫૪૮, ૫૫૧). ૪૩. શક-પટ્સવ રાજાઓના સિક્કાઓના વિવરણ વિશે જુઓ રસેશ જમીનદારકૃત પુસ્તક પ્રાગુપ્તકાલીન
ભારતીય સિક્કાઓ, ૧૯૯૪, પ્રકરણ ૭ (વિદેશી શાસકોના સિક્કા). ૪૪. જુઓ આ પ્રકરણમાંની પાદનોંધ ૩૬થી ૩૮ આ બંને લેખના સંદર્ભ સારુ. ૪૫. સ્ટેન કોનો, કૉઇઇ., પુ. ૨, ભાગ ૧, પૃષ્ઠ ૯૧-૯૪. ૪૬. ડોવસન, જરૉએસો., ૧૮૭૫, પૃષ્ઠ ૩૭૬થી અને ૧૮૭૭, પૃષ્ઠ ૧૪૪થી, ફલીટ, જરૉએસો.,
૧૯૦૩, ૧૯૦૫, ૧૯૦૬, ૧૯૦૭, ૧૯૦૮, ૧૯૧૩, ૧૯૧૪, ૧૯૧૫; એચ.કે. ડેબ,
જરૉએસો., ૧૯૨૨, પૃષ્ઠ ૪૨ અને દિનેશચંદ્ર સરકાર, એઇયુ, પૃષ્ઠ ૧૨૮. ૪૭. ટર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૪૯૪; રેસન, કેહિઈ., પૃષ્ઠ પ૭૬. ૪૮. રાયચૌધરી, પોહિએઇ., પૃષ્ઠ ૨૯૯. આ બંને રાજાઓના હાથ નીચે અસ્પવર્મા નોકરી કરતો હતો
(પંજાબ મ્યુઝિયમ કેટલૉગ, પૃષ્ઠ ૧૫૦). આથી બંને સમકાલીન હોવાનું સ્પષ્ટ થાય છે. જુઓ હવે પછી આ પ્રકરણમાં “ઈન્દ્રવર્માનું કટુંબ” અને “મથુરાના ક્ષત્રાપો' શીર્ષક હેઠળનાં લખાણ અને
તસંબંધિત પાદનોંધ. ૪૯. રેસન, કેલિઈ, પૃષ્ઠ પ૭૩-૭૪; રાયચૌધરી, પોલિએઈ., પૃષ્ઠ ૨૯૯.
For Personal & Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચાર
૬૭
૫૦. રાયચૌધરી, પોલિએઈ., પૃષ્ઠ ૨૯૯-૩૦૦ તેમ જ પ્રકરણમાં જુઓ ‘અય ૧લો'. ૫૧. એજન, પૃષ્ઠ ૨૯૯. ૫૨. અને તો આ રાજાઓની સમકાલીનતા-અનુકાલીનતાની બાબત આ મુજબ હોઈ શકે :
વોનોનીસ = મોએ
સ્પાલિરિસ = અઝીઝ (અય) ૧લો
અઝીઝ (અય) રજો = ગુદુહૂર. ૫૩. આ બધા રાજાઓના સિક્કાઓની માહિતી માટે જુઓ રસેશ જમીનદારકૃત પુસ્તક પ્રાગુપ્તકાલીન
ભારતીય સિક્કાઓ, પ્રકરણ સાત. ૫૪. માર્શલ, આસઇ., ૧૯૧૨-૧૩ તેમ જ જરૉએસો., ૧૯૧૪, પૃષ્ઠ ૯૮૬; રામપ્રસાદ ચંદા,
જરૉએસો., ૧૯૨૦, પૃષ્ઠ ૩૧૯. ૫૫. ઇએ., ૧૯૩૧, પૃષ્ઠ ૭૮. પદ, યર્ન, ગ્રીબેઈ; પૃષ્ઠ ૪૯૫. ૫૭, જાબિઓરીસો., .૧૬, ૧૯૩૦, પૃષ્ઠ ૨૩૧ અને ૨૪૦. ૫૮. ગ્રીબેઇ., પૃષ્ઠ ૫૭૦. પ૯, ઇએ., પૃ. ૩૮, ૧૯૦૮, પૃષ્ઠ ૬૭. ૬૦. હિ), પૃષ્ઠ ૫૭૦. ૬૧. શકો અને પલ્લવો આમ એકબીજામાં એટલી હદે ભળી ગયેલા હતા કે બંનેને ભિન્ન રીતે ઓળખાવવા
ઘણી વાર મુશ્કેલ ગણાતું. છતાં તેઓ બંને પરસ્પરના દુશ્મન હતા એ હકીકત પણ ધ્યાના રહેવી જોઈએ. તેથી શક રાજા પદ્ધવ સંવત વાપરે નહીં એ બાબત સ્વાભાવિક ગણાય (ટાર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ
૪૯૪). ૬૨. જઈહિ., પૂ.૧, પૃષ્ઠ ૫૭૦. ૬૩. જરૉએસો., ૧૯૩૦, પૃષ્ઠ ૧૮૬ અને ૧૯૩. ૬૪. કેહિઈ., પૃષ્ઠ ૫૭૦. દ૫. પ્રીબેઇ., પૃષ્ઠ ૪૯૪ અને ૫૦૨. ટાર્ગની દલીલો કાજે જુઓ એજન પરિશિષ્ટ નંબર ૧૬. ૬૬. તક્ષશિલા, ૫.૧, પૃષ્ઠ ૪૫. ૬૭. સીપી., પ્રકરણ ૨જું. ૬૮. કૉઈ., .૨, પૃષ્ઠ ૧૮થી. ૬૯. પોહિએ., પૃષ્ઠ ૪૪૪ અને પાદનોંધ ૩; એઈ., પુ. ૨૧, પૃષ્ઠ ૨૫૭. ૭૦. કાઁઈઇ., પુ. ૨, પૃષ્ઠ ૩૦થી. ૭૧. રેસન, કેહિઈ, પુ.૧, પૃઇ ૬૩૩. ૭૨. સુધાકર, પૃષ્ઠ ૩૧. ૭૩. ગાર્ગ્યુસંહિતાના યુગપુરાણમાં આ ઉલ્લેખ છે. (જબિઓરીસો., ૧૯૨૮, પૃષ્ઠ ૪૧૪). ૭૪. વાસુદેવ ઉપાધ્યાય, ભાસિ., પૃષ્ઠ ૯, ૨૩ અને ૮૨; રસેશ જમીનદાર, પ્રાગુપ્તકાલીન ભારતીય
For Personal & Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૮
ક્ષત્રપકાલીન ગુજરાત સિક્કાઓ, પૃષ્ઠ ૧૦૩. ૭૫. જુઓ અગાઉની પાદનોંધ ૬૭. ૭૬, ઈસ્વીપૂર્વ ૧૫૦થી આરંભાયેલો સંવત (જુઓ : ક્રેડિઈ, પૃષ્ઠ પ૭૦). ૭૭. ઈસ્વીપૂર્વ ૧૫૫થી પ્રવર્તાયેલો સંવત (જુઓ : ગ્રીબેઇ., પૃષ્ઠ ૪૯૪-૫૦૨). ૭૮. અય શક હતો કે પહવ એ એક વિવાદસ્પદ મુદ્દો છે. સ્ટેન કોનોના મતે તે પહ્રવ હતો, કેમ કે તે
વોનોનિસનો સંબંધી હતો અને વોનોનિસ પલ્લવ હતો (જઈહિ., પૂ.૧૨, પૃષ્ઠ ૨૪). રેપ્સન, ગાર્ડનર વગેરે વિદ્વાનો અને શક જાતિનો ગણે છે (સુધાકર, પૃષ્ઠ ૩૨). ટાર્ન વોનોનિસને પદ્વવ અને અયને
શક તરીકે ઓળખાવે છે. (ગ્રીબેઇ., પૃષ્ઠ ૩૪૫). માર્શલ જો કે ટાર્નના મત સાથે. સંમત થાય છે | (તક્ષશિલા, પુ. ૧, પૃષ્ઠ ૪૯-૫૦). સુધાકર ચટ્ટોપાધ્યાયના મત પલંવ નામવાળો વોનોનિસ શક હતો
અને તેથી અય પણ શક હતો (શક્સ ઇન ઇન્ડિયા, પૃષ્ઠ ૩૨). બંનેના સિક્કાઓ વિશે જુઓ રસેશ
જમીનદાર, ૧૯૯૪, પૃષ્ઠ ૧૧૯ અને ૧૨૦. ૭૯. અને એમાં અય ૧લો એ મોઅનો નહીં પણ સ્થાલિરિસનો ઉત્તરાધિકારી હતો, તેમ જ મોઅ અય
રજા પછી ગાદીએ આવ્યો હોવાનો મત રાયચૌધરીનો છે (પોહિએઇ., પૃષ્ઠ ૪૪૦). પરંતુ અય રજા અને ગુદુલ્હરની સમકાલીનતા ધ્યાનમાં લેતાં આ વિધાન સ્વીકારી શકાય નહીં; કેમ કે બંને અય રાજા મોઅ પછી સત્તાધીશ હતા (એજન). કેટલાક મોઅને અય ૧લા અને અય રજાની વચ્ચે મૂકવાનું સૂચન કરે છે; પરંતુ સિક્કાઓના આધારે અય ૧લાના અનુગામી તરીકે અય રજાનું સ્થાન નિશ્ચિત થયું છે. એટલે મોઅ કાં તો અય ૧લાની પૂર્વે કે અય રજાની પછી આવી શકે. પરંતુ આ અગાઉ નોંધ્યું છે તેમ મોઅ અય રજા પછી શાસનસ્થ ક્યારેય સંભવી શકે નહીં અને તેથી અય ૧લાની પૂર્વે જ એ શાસન કરતો હોવાનું શક્ય જણાય છે (એજન). આ ચારેયના સિક્કા માટે જુઓ રસેશ
જમીનદાર, ૧૯૯૪, પૃષ્ઠ ૧૧૮થી ૧૨૧. ૮૦. મૂળમાં અયિલિષ છે અને એનું અંગ્રેજી રૂપ Azilises છે. એનાં સિક્કાઓ વાસ્તે જુઓ રસેશ
જમીનદાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૧૯. ૮૧/૮૨. રાયચૌધરી, પોહિએઇ., પૃષ્ઠ ૪૪૧-૪૪૨; ચટ્ટોપાધ્યાય, અહિનોઈ., પૃષ્ઠ ૫૩. ૮૩. દા.ત. Mau+es; Ag+es; Azilis+es વગેરે. ૮૪. જુઓ ચટ્ટોપાધ્યાય, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૫૩. ૮૫. રાયચૌધરી, પોલિએઈ., પૃષ્ઠ ૪૪૪-૪૪૫. ૮૬. એઇ., પુ.૨૧, પૃષ્ઠ ૨૫૭; જરૉએસો., ૧૯૩૨, પૃષ્ઠ ૯૫૩ ઉપરની પાદનોંધ. ૮૭. તક્ષશિલાના તામ્રપત્રથી અને ઝેડના લેખથી લાયક (લિયક) નામની બે વ્યક્તી હોવાનું સૂચવાય છે
(કાઁઈઇ., પુ. ૨, ભાગ ૧, પૃષ્ઠ ૧૪૫). માનશેરાના વર્ષ ૬૮ના લેખમાં લિય(ક)નો ઉલ્લેખ છે અને
તેને પતિકના પિતા સાથે સરખાવી શકાય (એઈ., પુ. ૨૧, પૃષ્ઠ ૨૫૭). ૮૮. સ્ટેન કોનો આવું માને છે (જુઓ યોહિએ., પૃષ્ઠ ૪૪૪ અને પાદનોંધ ૨). ઉપરાંત જુઓ કનિગમ,
એજયૉઈ., પૃષ્ઠ ૬૩ અને ૧૨૬. ૮૯. સ્ટેન કોનો, કૉઈઈ., પુ. ૨, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૨. ૯૦. ફલીટ બે પતિક હોવાનું સૂચવે છે (જરૉએસો., ૧૯૦૭, પૃષ્ઠ ૧૦૩૫ અને ૧૯૧૩, પૃષ્ઠ ૧૦૦૧);
જ્યારે માર્શલ (જરૉએસો., ૧૯૧૪, પૃષ્ઠ ૯૭૯) એક જ પતિક હોવાનું કહે છે. સ્ટેન કોનો પણ તક્ષશિલાના લેખવાળા મહાદાનપતિ પતિક અને મથુરાના સિંહસ્તંભલેખના મહાક્ષત્રપ પતિક બંનેને એક જ હોવાનું સૂચન કરે છે. (કૉઇઇ., પૃ.૨, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૩). બંનેના નામની સામ્યતા, બંને બૌદ્ધધર્મી અને ઉભયના હોદ્દાના સંદર્ભે સુધાકર પણ બંને પતિકને એક જ વ્યક્તિ
For Personal & Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચાર
હોવાનું સૂચવે છે (પૃષ્ઠ ૩૧, પાદનોંધ ૨૪). ૯૧. મથુરાનો સિંહસ્તંભલેખ નંબર “જી” (સરકાર, સીઇ., પૃષ્ઠ ૧૧૫) અને રાયચૌધરી, પોલિએઈ., પૃષ્ઠ
૪૪૪. ૯૨. રેપ્સન, ઇન્ડિયન કૉઇન્સ, પૃષ્ઠ ૯; રાયચૌધરી, એજન, પૃષ્ઠ ૪૪૪. જિહોણિકના સિક્કા શુદ્ધ ચાંદીના
હતા. જયારે અય રજાના રાજકાલ દરમ્યાનથી ચાંદીના સિક્કાની શુદ્ધતા ઘટતી જતી હતી. ગુદુત્વરનો ચાંદીનો એકેય સિક્કો પ્રાપ્ત થયો નથી (જુઓ રસેશ જમીનદાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૨૦ અને ૧૨૧). આથી પુરવાર થાય છે કે મણિગુલ કુટુંબના સભ્યો અય ૧લાના સત્રપો હતા (સુધાકર, પૃષ્ઠ ૩૫,
પાદનોંધ ૪૭) . ૯૩. સ્ટેન કોનો, કૉઇઇ., પૃ.૨, ભાગ ૧, પૃષ્ઠ ૮૧થી. ૯૪. ચટ્ટોપાધ્યાય, અહિનીd., પૃષ્ઠ ૬૭. ૯૫. માર્શલ, જરૉએસો., ૧૯૨૮, પૃષ્ઠ ૧૩૭થી. સ્ટેન કોનો મદરન.....સ ને સ્થાને મદનપ્રાત મfપુત
પાઠ વાંચે છે (જુઓ સીઇ., પૃષ્ઠ ૧૩૧, પાદનોંધ ૩) જે શક્ય જણાતું નથી. ૯૬. આથી આ વીગત આ મુજબ ગોઠવી શકાય :
મણિગુલ
જિહોણિય(ક)-૧લો
મહારાજ
જિહોણિક રજો ૯૭. ઇન્દ્રવર્માને ઈત્રવર્મા તરીકે ઓળખાવવામાં આવે છે. ઈત્રવર્મા એ વિજયમિત્રનો પુત્ર હતો. વળી
વિજયમિત્રને વિયકમિત્ર (જે મિનેન્ટરનો સામંત હતો) સાથે શિકોટના લેખના આધારે સરખાવવામાં આવે છે. (ન્યૂમિઝમૅટિક કૉનિકલ, ૧૯૪૪, પૃષ્ઠ ૯૯થી ૧૦૪; ઈન્ડિયન કલ્ચર, પુ. ૧૪, પૃ.
૨૦૫થી; સુધાકર, પૃષ્ઠ ૩૫ અને રાયચૌધરી, પોહિએઇ., પૃષ્ઠ ૪૪૫, પાદનોંધ ૪). ૯૮. પ્રથમ મત માટે જુઓ ટાર્ન, ગ્રીબેઈ., પૃષ્ઠ ૩૨૫. બીજા મત સારુ જુઓ સ્ટેન કોનો, જાંહિ.. પુ.
૧૨, પૃષ્ઠ ૨૩. શંગો-શકોના સિક્કાની પદ્ધતિ વાસ્તે જુઓ રેપ્સન, ઇન્ડિયન કૉઈન્સ, પૃષ્ઠ ૩૩ અને ૫૨-૫૩. શકોની મથુરાની સત્તા પ્રાપ્તિ માટે જુઓ વિદ્યાલંકાર, ભાઈરૂ., પૃષ્ઠ ૭૬૪. શકોનું
આક્રમણ શુંગોના સમયમાં થયાનો ઉલ્લેખ યુગપુરાણ છે. ૯૯. સ્ટેન કોનો, કૉઈઈ., .૨, ભાગ ૧, પૃષ્ઠ ૪૮-૪૯; અને લેખના પાઠ માટે જુઓ સરકાર, સીઇ,
| પૃષ્ઠ ૧૨૨, ૧૦૦. સ્ટેન કોનો, કૉઇઇ., . ૩, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૬થી અને ૪૭. ટોમસના અર્થઘટન વાસ્ત
જુઓ એઇ., પૂ.૯, પૃષ્ઠ ૧૪૧થી. કોનો આ પ્રમાણે ક્રમ ગોઠવે છે : ખરોષ્ઠ
નંદીસએક્સ = રાજુલ
For Personal & Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
90
ક્ષત્રપકાલીન ગુજરાત
શોડાશ. જો કે આ મત સ્વીકાર્ય બન્યો નથી. ટોમસ મુજબ ક્રમ આવો છે :
યસિ. કમુસ મહાક્ષત્રપ રાજુલ = નંદીસઅક્સ (પુત્રી)
યુવરાજ-ખરોષ્ઠ. ૧૦૧. જુઓ સુધાકર, પૃષ્ઠ ૪૩. સ્ટેન કોનો આ લેખનું અર્થઘટન ભિન્ન કરે છે, જે અનુસાર ખરોષ્ઠ
રાજુલનો પુત્ર નહીં પણ આર્તનો પુત્ર હતો (કૉઈઈ, પુ. ૨, ભાગ ૧, પ્રસ્તાવના ૩૫). ૧૦૨. રાયચૌધરી, પોહિએઈ., પૃષ્ઠ ૪૪૫-૪૪૬ . ૧૦૩. રાયચૌધરી, એજન; સુધાકર, પૃષ્ઠ ૪૪, એલન, કેટલૉગ ઑવ ઈન્ડિયન કૉઇન્સ, “એન્શન્ટ ઇન્ડિયા', | પૃઇ ૧૫૫; કનિંગહમ, કૉઈન્સ ઑવ ધ શક્સ, પૃષ્ઠ ૨૬. ૧૦૪. શોડાશ પહેલાં તેનો ભાઈ યુવરાજ ખરોષ્ઠ આવેલો, પણ તે રાજુલની હયાતીમાં જ ગુજરી ગયેલો
હોવાથી રાજુલના ક્ષત્રપ તરીકે શોડાશની નિમણૂક થયેલી. રાજુલ પશ્ચાત્ શોડાશ મહાક્ષત્રપ તરીકે
આરૂઢ થયો અને તેના ક્ષત્રપ તરીકે ખરોષ્ઠનો પુત્ર અર્તિ આવ્યો. ૧૦૫. મહાક્ષત્રપ૩ પુત્રસ્ત ક્ષત્રપક્ષ સંક્સસ. મથુરાના સિંહસ્તંભના આ લેખમાં તેને ક્ષત્રપ તરીકે ઓળખવામાં
આવ્યો છે. ૧૦૬. એઈ., પૃ.૨, પૃષ્ઠ ૧૯૯; ૫.૯, પૃષ્ઠ ૨૪૩-૪૪ અને પુ.૨૧, પૃષ્ઠ ૨૫૭થી. ૧૦૭. સુધાકર, પૃષ્ઠ ૪૪. અમોહિનીના લેખને માર્શલ ઈસ્વીસનની શરૂઆતમાં મૂકે છે (હિ)., પૃષ્ઠ
૬૩૩). કોનો તેને વિક્રમ સંવતનો હોવાનું મંતવ્ય ધરાવે છે અને તેથી વર્ષ ૭૨=ઈસ્વીસન ૧૫
આવે (કૉઇઇ., પૃ.૨, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૪; સુધાકર, પૃષ્ઠ૪૪). ૧૦૮. કુણિન્દોનું ગણરાજ્ય ગંગા-જમનાના પ્રદેશમાં, હાલના સહરાનપુર અને અંબાલા જિલ્લામાં હતું. ૧૦૯. વિદ્યાલંકાર, ભાદરૂ, પૃષ્ઠ ૭૬૭. અત્રે એ નોંધવું જરૂરી છે કે કુરિન્દ ગણરાજયના સિક્કાઓ
ઈસ્વીપૂર્વ ૧૦૦ પછી એકાએક બંધ થયેલા અને ફરી થોડા સમય પછી પુનઃ શરૂ થયેલા (એજન). કુણિન્દીના સિક્કાઓ વિશે જુઓ રસેશ જમીનદારકૃત પ્રાળુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૦૩.
For Personal & Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચ
પ્રકરણ છ
પ્રકરણ સાત
પ્રકરણ આઠ
:
:
:
:
વિભાગ બે
રાજકીય ઇતિહાસ
પશ્ચિમી ક્ષત્રપો ઃ રાજવંશો અને સમયનિર્ણય
ક્ષહરાતવંશ : આરંભ અને અંત
કાર્દમકવંશ : અભ્યુદય અને અસ્ત
અન્ય પશ્ચિમી ક્ષત્રપકુળ
:
ચાષ્ટન : શક સંવતનો સંસ્થાપક
પરિશિષ્ટ ચાર પરિશિષ્ટ - પાંચ પરિશિષ્ટ છ : પરિશિષ્ટ સાત : ગિરિનગરના શૈલલેખોનું સાંસ્કૃતિક મહત્ત્વ પરિશિષ્ટ આઠ : આભીર ઈશ્વરદત્તનો સમયનિર્ણય
જૂનાગઢના શૈલલેખમાં નિર્દિષ્ટ શાતકર્ણિ
: કથિક : રાજાઓ અને સંવત
For Personal & Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચ
પશ્ચિમી ક્ષત્રપો : રાજવંશો અને સમયનિર્ણય
ગુજરાતમાંથી વિશેષ કરીને અને ભારતના અન્ય કેટલાક વિસ્તારોમાંથી અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ થયેલા ચાંદીના સંખ્યાતીત સિક્કાઓ અને તાંબાના-પૉટીનના થોડાક સિક્કાઓ ઉપરનાં લખાણ ઉપરથી પશ્ચિમ ભારતના ક્ષત્રપ રાજાઓની વિપુલ માહિતી પ્રાપ્ત થાય છે. ભારતના પશ્ચિમ પ્રદેશ ઉપર આશરે ચારસો વર્ષ સુધી રાજય કરી ગયેલા આ રાજાઓ ઇતિહાસમાં પશ્ચિમી ક્ષત્રપોથી વિશેષ ખ્યાત છે. “ક્ષત્રપ શબ્દનો અર્થ
આ રાજાઓના સિક્કાઓ અને શિલાલેખોમાં ‘ક્ષત્રપ અને “મહાક્ષત્રપ' શબ્દો પ્રયોજાયેલા સતત જોવા પ્રાપ્ત થાય છે. આમ તો, આ શબ્દ મૂળ ઈરાની “ક્ષથપાવન' શબ્દનું સંક્ત રૂપાંતર હોય એમ જણાય છે. ઈરાનના હખામની (achaemenian) વંશના રાજા દારયના બેહિસૂન શૈલલેખ નંબર ૩માં “ક્ષથપાવન' રૂપ બે વખત વપરાયેલું છે. આ સિવાય અન્યત્ર આ રૂપ પ્રયોજાયેલું હોય એવું જાણવા મળતું નથી. “ક્ષથપાવન’નો અર્થ થાય છે પૃથ્વીનો રક્ષક” કે “પ્રાંતનો સૂબો'". રાજા દારયે પોતાના વિશાળ સામ્રાજયના સુચારુ સંચાલન વાતે તેને પ્રાન્તોમાં વિભાજિત કર્યું હતું અને પ્રત્યેક પ્રાંત ઉપર એક એક સૂબો નીમ્યો હતો. તેણે નીમેલા આ સૂબાઓ-ગવર્નરો ક્ષથપાવન નામથી ઓળખાતા હતા.
સંત ક્ષત્ર (=સંસ્થાન) શબ્દ ઉપરથી ક્ષત્રપતિ શબ્દનો પ્રયોગ વાજસનેયિ સંહિતામાં જોવા મળે છે જે આપણે અગાઉ નોંધ્યું. ઋગ્વદમાં તે “રાજયકર્તાના અર્થમાં વપરાયો છે (૬.૬૬.ર૬): સામવેદમાં પણ ક્ષત્રપ શબ્દ ઉલિખિત છે. બ્રાહ્મણ ગ્રંથોમાં ક્ષત્ર એટલે “શાસિત વર્ગનો સભ્ય’ કે ‘લશ્કરનો માણસ' એવો અર્થ નિર્દિષ્ટ છે. આ બધા સંદર્ભ ઉપરથી ક્ષત્રપ શબ્દનો ‘પ્રદેશનો રાજાકે ‘ઠકરાતનો ઠાકોર” એવો અર્થ સૂચિત થાય છે.
અગાઉ અવલોક્યું તેમ અવેસ્તામાં ક્ષતિ ( ક્ષઘ=ભૂમિ અને પાત=પાલક) શબ્દ નિર્દિષ્ટ છે, જેનો અર્થ ભૂમિપાલ થાય છે. આ રીતે ક્ષત્રપ શબ્દ ભારતીય અને ઈરાની ઉભય સાહિત્યમાં લગભગ એક જ અર્થમાં પ્રયોજાયેલો પ્રાપ્ત થાય છે. આથી એવું અનુમાની શકાય કે આ શબ્દનું મૂળ સંભવતઃ ભારત-ઈરાની ભાષામાં સમાનાર્થી હોય; પરંતુ આપણા દેશમાં તેનો પ્રચાર, જયારે ઈરાની રાજકીય અસર હેઠળ આપણી પ્રજા શ્વસવા લાગી ત્યારે, થયો હોવા સંભવે.
પશ્ચિમી ક્ષત્રપો તરીકે ઓળખાતા ગુજરાતના આ શાસકો એક સાથે ક્ષત્ર અને રાણા એમ ઉભય બિરુદ ધરાવતા હતા. આમાંના ક્ષત્રપ શબ્દ ઉપરથી તેઓ કોઈ મહાન રાજાના સૂબેદાર હોવાનું અનુમાન થયું છે°; જયારે એમના નાના બિરુદ ઉપરથી તેઓ સ્વતંત્ર રાજસત્તા
For Personal & Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૪
ક્ષત્રપકાલીન ગુજરાત ધરાવતા એવું મંતવ્ય પણ અભિવ્યક્ત થયું છે૧૧. વસ્તુતઃ આ રાજયકર્તાઓ પોતે જ સ્વતંત્ર સત્તાધીશો હોઈ રાજાની જેમ ક્ષત્રપ બિરુદ પણ ભૂમિપાલ (ભૂપતિ)ના અર્થમાં પ્રયોજતા હોવાની બાબત ધ્યાનાર્ય જણાય છે. પશ્ચિમી ક્ષત્રપોની જાતિ
| ગુજરાતના આ રાજાઓ કઈ જાતિના હતા તે પ્રશ્ન અહીં તપાસવો પ્રાપ્ત થાય છે. એમના અભિલેખોમાં સામાન્યતઃ એકાદ અપવાદ સિવાય તેમની જાતિ વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળ્યો નથી. નહપાનના સમયના નાસિક ગુફાના એક ખંડિત લેખમાં એના જમાઈ ઉષવદાત્તને શક જાતિનો કહ્યો છે. આ સમગ્ર લેખમાંની પ્રત્યેક પંક્તિનો પૂર્વાર્ધ નુકસાની હોઈ એમાંથી એ શબ્દનો સંભવિત અર્થ તારવવો મુશ્કેલ છે. છતાંય ઉષવદાર શક જાતિનો છે એ હકીકત સ્વીકારીએ તો એના સસરા નહપાન ઘણું કરીને એ જ જાતિના હોઈ શકે એવું અનુમાની શકાય.
- વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના તેના રાજયકાલના અઢારમા વર્ષના નાસિકના એક લેખમાં શકો, યવનો અને પહૃવોને પરાજિત કર્યાનો નિર્દેશ છે. તે સાથે એણે ક્ષહરાત વંશને હણ્યાનો પૃથક ઉલ્લેખ પણ કર્યો છે૧૫. આથી, જો કે શકો અને ક્ષહરાતો ભિન્ન હોવાનું સૂચિત થતું નથી. પ્રાયઃ જેમ આંધ્ર જાતિમાં સાતવાહન કુલ હતું તેમ શક જાતિમાં લહરાત કુલ હતું એ બાબત તદ્દન સંભવિત જણાય છે.
કાદમક વંશના રાજાઓ શક જાતિના હોય એમ આ વંશના પ્રથમ રાજા સામોતિકના નામ ઉપરથી સૂચવાય છે; કેમ કે આ નામ સીથિયન ભાષાનું છે૧૭. ઉત્તર ભારતમાંથી પ્રાપ્ત શાહદૂરના વર્ષ ૬૦ના દામીજદના એક ખરોષ્ઠી લેખમાં “શકસ'નો ઉલ્લેખ છે. પશ્ચિમી ક્ષત્રપોમાંના કાર્દમક વંશના રાષ્ટનકુલમાં ઢામગઃ નામના ત્રણ રાજાઓ થયા હોવાનું સ્પષ્ટ છે. ટામીનદ્ અને ટ્રામનદ્ બંનેના નામ સામ્યને ધ્યાનમાં લેતાં એવું સાધાર અનુમાન થઈ શકે કે ચાખનકુલીય રાજાઓ પણ શક જાતિના હોય.
“તિલોય પણ્યત્તિનામના જૈન પ્રાકૃત ગ્રંથમાં પરવાહા અને સ્થિરૃપ એવા ઉલ્લેખ જોવા મળે છે. પ્રસ્તુત ગ્રંથમાં ‘વીરના નિર્વાણ પછીના ૪૬૧ વર્ષ બાદ શક રાજા થઈ ગયો અને એના વંશજોએ ૨૪૨ વર્ષ સુધી રાજય કર્યું એવી નોંધ છે. આ સાથે અન્ય રાજવંશોના ઉલ્લેખાય છે. આ બધા સંદર્ભને ધ્યાનમાં લેતાં નહપાન અને ચારુન વંશના રાજાઓ શક જાતિના હોવા વિશેના ઉપર્યુક્ત મંતવ્યને સમર્થન મળે છે. કેટલાક ઐતિહાસિકો એવીય અટકળ કરે છે કે કાલકાચાર્ય સાથે આવેલા શકો પશ્ચિમીક્ષત્રપો હોવા જોઈએ ૧.
વળી ચાષ્ટનવંશના લેખમાં નિર્દિષ્ટ વર્ષો કોઈ એક જ સંવતના છે, જે શક સંવત હોવાનું પ્રતિપાદિત થયું છે. એમની જાતિ શક હોય તો જ એમણે પ્રયોજેલો સંવત પછીથી એ નામે ઓળખાયો હોવાની હકીકત અત્રે ધ્યાનાર્ય બની રહે.
પ્રસ્તુત દલીલો ઉપરથી એવું અનુમાન માત્ર થઈ શકે કે પશ્ચિમી ક્ષત્રપો શક જાતિના હતા. છતાં એ કાજે એમના કુલ પરત્વેનાં પ્રત્યક્ષ અને અસંદિગ્ધ પ્રમાણોની અપેક્ષા રહે છે.
For Personal & Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચ
9૫
આ રાજાઓના સિક્કાઓ ઉપર આરંભમાં એક તરફ ગ્રીક ભાષા અને ગ્રીક લિપિમાં તેમ જ બીજી તરફ પ્રાકૃત ભાષા અને ખરોષ્ઠી લિપિમાં લખાણ ઉપસાવેલાં છે. સમયાંતરે પ્રાકૃતનું સ્થાન સંસ્કૃતિ અને ખરોષ્ઠીનું સ્થાન બ્રાહ્મી લિપિએ લીધું.
આરંભકાલના સિક્કાઓની ભાષા અને લિપિ ઉપરથી એવું ફલિત થાય છે કે આ વંશના પ્રારંભના રાજાઓ અથવા એમના નજીકના પૂર્વજો આપણા દેશના વાયવ્ય પ્રદેશમાં રહેતા હશે, જયાં પ્રાકૃત ભાષા અને ખરોષ્ઠી લિપિ ઈરાની સામ્રાજયના સમયથી પ્રચલિત હતાં. અનુકાલમાં ભાષા અને લિપિમાં થયેલાં પરિવર્તન આગંતુક રાજાઓ ઉપર થયેલી પશ્ચિમ પ્રદેશની સ્થાનિક અસરના પરિણામે છે. સાલવારી
આ રાજાઓના અસંખ્ય સિક્કાઓને કારણે તેમના રાજકુલોની લગભગ સળંગ સાલવારી મેળવી શકાઈ છે. જો કે આરંભના થોડાક રાજાઓના સિક્કાઓ હજી સુધી મિતિવાળા પ્રાપ્ત થયા નથી; પરંતુ તેમાંના કાદમક ક્ષત્રપોના શિલાલેખો મળ્યા છે, જેમાં કોઈ સળંગ સંવતનાં વર્ષો હોવાનું જણાય છે. એથી આ ક્ષત્રપ રાજકુલોના શાસનકાળની આરંભની અને અંતની મર્યાદા નક્કી કરવામાં ખાસ અવરોધ જણાયો નથી.
સિક્કાઓ ઉપર વહેલામાં વહેલું પ્રાપ્ય વર્ષ ૧૦૧ છે અને તે સિક્કો કાદમક ક્ષત્રપકુલના પાંચમા રાજા રુદ્રસિંહ ૧લાનો છે; જ્યારે મોડામાં મોડું જ્ઞાત વર્ષ હવે ૩૩૭ છે, જે કાઈમક ક્ષત્રપોના પાંચમા કુલના છેલ્લા રાજા રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપર હોવાનું ધ્યાનમાં આવેલું છે. નહપાનના સમયની નાસિક, કાર્લા અને જુન્નરની ગુફાઓમાં સ્થિત શિલાલેખોમાંથી કેટલાકમાં કોઈ એક અનિર્ણાત સંવતનાં વર્ષ ૪૧, ૪૨, ૪૫ અને ૪૬નો નિર્દેશ છે, જ્યારે ચાખનરુદ્રદામાના આંધના લેખોમાં વર્ષ પરનો ઉલ્લેખ છે. તથા ચાન્ટનના ક્ષત્રપ તરીકેના આંધીના એક લેખમાં વર્ષ ૧૧ જોવું પ્રાપ્ત થાય છે. પરંતુ નહપાનના લેખમાંનાં વર્ષો રાજકાલનાં હોઈ તથા તેની પૂર્વે એના કુલના ભૂમકે રાજય કર્યું હોઈ, એમનો શાસનસમય શક સંવતના આરંભ પૂર્વે આવે. આ બધી માહિતી આ ગ્રંથમાં અત્રતત્ર વર્ણિત છે. આ બધી વિગતો ધ્યાનમાં લેતાં ઈસુના પ્રથમ ચરણથી આરંભી ઈસ્વીસનના ચોથા સૈકાના પ્રથમ ચરણ સુધીનાં લગભગ ચારસો વર્ષ જેટલા દીર્ઘકાલ પર્યત આ રાજાઓએ ગુજરાત ઉપર શાસન કર્યું હોવાનું સ્પષ્ટ અનુમાન થઈ શકે છે. વંશાવળીઓ
ક્ષત્રપ શાસકોના સિક્કાઓ જેમ સાલવારી તૈયાર કરવામાં ઉપયોગી નીવડ્યા છે તેમ તેમની વંશાવળીઓ ગોઠવવામાં એટલા જ ઉપયોગી બની રહ્યા છે. આ રાજાઓના ૩૨ જેટલા અભિલેખો પણ હાથવગા થયા છે. આમાંના કેટલાક શિલાલેખોમાં વર્ષના નિર્દેશ સાથોસાથ વંશાવળી પણ આપેલી છે. તેથી સિક્કાઓથી સૂચિત થતી વંશાવળીને સાધકબાધક સમર્થન સાંપડી રહે છે. ક્ષત્રપોના સિક્કાઓ ઉપર તે તૈયાર કરનાર રાજાના નામની પૂર્વે તેના પિતાનું હોદાસહિતનું નામ આપેલું જોવું પ્રાપ્ત થાય છે. તેમના સિક્કાઓની આ વિલક્ષણતાને કારણે કયા
For Personal & Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
9૬
ક્ષત્રપકાલીન ગુજરાત ક્ષત્રપ કે મહાક્ષત્રપ રાજા પછી એના ઉત્તરાધિકારી તરીકે કયો ક્ષત્રપ કે મહાક્ષત્રપ ગાદીસ્થ થયો એની લગભગ સળંગસૂત્ર માહિતી પ્રાપ્ત થાય છે. સિક્કાઓમાં સળંગ સંવતનાં વર્ષ હોવાથી પ્રત્યેક રાજાની લગભગ આરંભ અને અંતની જ્ઞાત સમય-મર્યાદાનો ખ્યાલ ઠીક ઠીક પ્રમાણમાં મળી રહે છે. - આ શાસકોના સંખ્યાતીત સિક્કાઓ અને થોડાક શિલાલેખોને આધારે તેમની વંશાવળીઓ આ પ્રમાણે ગોઠવી શકાઈ છે : (૧)
ભૂમક (રા.ક્ષ.) નહપાન (રા.ક્ષ. ૪૧-૪૫, રા.મક્ષ૪૬)
દક્ષમિત્રા (પતિ ઉષવદાત્ત)
સામોતિક
ચાણન (રા. ક્ષ. ૬, રા.મક્ષ. પર)
જયદામા (રા. ક્ષ.-)
રુદ્રદામા ૧લો (રા.ક્ષ. પર અને રા.મક્ષ. ૭૨)
દામજદશ્રી ૧લો (રા.ક્ષ., રા.મક્ષ.)
રદ્રસિહ ૧લો (રા.મક્ષ. ૧૦૧-૧૧૯)
સત્યદામા (રા.ક્ષ.)
જીવદામા (રા.મક્ષ. ૧૧૯-૨૦)
રુદ્રસેન ૧લો (રા.મક્ષ. ૧૨૨-૪૨)
સંઘદામા (રા.મક્ષ. ૧૪૪-૪૫)
દામસેન (રા.મક્ષ. ૧૪૫-૫૮)
પૃથિવીષેણ (રા.ક્ષ. ૧૪૪)
દામજદશ્રી રજો (રા.ક્ષ. ૧૫૪-૫૫)
વીરદામા (રા.ક્ષ. ૧૫૬-૬૦)
યશોદામાં ૧લો (રા.મક્ષ. ૧૬૦-૬૧)
વિજયસેન (રા.મક્ષ. ૧૬ ૧-૭૨)
દામજદશ્રી ૩જો (રા.મક્ષ. ૧૭૨-૭૭).
રુદ્રસેન રજો (રા.મક્ષ. ૧૭૭-૧૭૯)
For Personal & Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચ
99
વિશ્વસિંહ , (રા.ક્ષ. ૧૯૦-૨૦૦) (રા.મક્ષ. ૨૦૦-૨૦૦૧)
ભર્તુદામાં (રા.ક્ષ. ૨૦૦-૦૪) (રા.મક્ષ. ૨૦૪-૨૧).
વિશ્વસેના (રાક્ષ. ૨૦૫-૦૬ અને ૨૧૪-૨૬)
છે
સ્વામી જીવદામા
રુદ્રસિંહ રજો (રા.ક્ષ. ૨૨૬-૨૩૭)
યશોદામાં રજો (રા.ક્ષ. ૨૩૭-૫૪) રુદ્રદામાં રજો (રા.મ.)
૬
૮
રુદ્રસેન ૩જો
પુત્રી (?) (રા.મક્ષ. ૨૭૦-૩૦૨)
? રુદ્રદામા રજો ? - પતિ - પુત્રી—નામ (?) સ્વામી સિંહસેન (રા.મક્ષ. ૩૦૪-૦૬) સ્વામી રુદ્રસેન ૪થો . (રા.મક્ષ.)
સ્વામી સત્યસિંહ (રા.મક્ષ.)
સ્વામી રુદ્રસિંહ ૩જો (રા.મક્ષ. ૩૧૦-૩૩૭)
For Personal & Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
(નોંધ : અહીં જે તે રાજા સાથે કૌંસમાં આપેલાં વર્ષ મૂળ અભિલેખોમાં આપેલાં વર્ષ છે. ઉપર્યુક્ત વંશાવળીઓ એકંદરે ૩૨ રાજાઓનાં નામ આપણને હાથવગાં કરી આપે છે. રા.ક્ષ. = રાજા ક્ષત્રપ અને રા.મક્ષ. = રાજા મહાક્ષત્રપ એમ સમજવું)
સમયનિર્ણય
૭૮
આપણે અવલોક્યું કે આ શાસકોના સિક્કાઓના અને શિલાલેખોના આધારે એમનાં વિભિન્ન રાજકુલોનાં સાલવારી અને વંશાવળી તૈયાર કરી શકાઈ છે. આપણે એ પણ નોંધ્યું કે શરૂઆતના થોડાક રાજાઓના સિક્કાઓ હજી સુધી મિતિયુક્ત પ્રાપ્ત થયા નથી; પરંતુ તેમાંના ક્ષહરાત કુલના રાજા નહપાનના અને કાર્રમક કુલના રાજા ચાષ્ટ્રન-રુદ્રદામાના શિલાલેખો સાંપડ્યા છે. પરિણામે ક્ષત્રપ રાજકુલોના શાસનકાળની આરંભની અને અંતની (કહો કે ઉપલી અને નીચલી) મર્યાદા નિર્ણીત કરવામાં ખાસ મુશ્કેલી જણાઈ નથી.
આ રાજાઓના સિક્કાલેખોમાં તથા શિલાલેખોમાં તેના નિર્માણસમયની વર્ષસંખ્યા આપેલી છે. આમાંથી સંપ્રાપ્ત થતો સર્વાંગક્રમ એ વર્ષો કોઈ અમુક સંવતનાં હોવાનું સૂચિત કરે છે. પશ્ચિમી ક્ષત્રપોના સાતમા રાજા અને કાર્દમકકુલના પાંચમા રાજા રુદ્રસિંહ ૧લાના સમયથી વર્ષની સંખ્યા સૂચવતા સિક્કાઓ ઉપલબ્ધ થયા છે. એટલે અગાઉના છ રાજાઓના સિક્કાઓ મિતિનિર્દેશ વિનાના છે. રુદ્રસિંહ ૧લાના સિક્કા ઉપર નોંધાયેલી વર્ષ સંખ્યા ૧૦૧ છે અને છેલ્લા જ્ઞાત રાજા રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપર અભિવ્યક્ત વર્ષ સૂચવતી સંખ્યા ૩૩૭ છે૩. વર્ષ ૧૦૧ એ સાતમા રાજાનું છે. તેથી કાર્દમકકુલના પહેલપ્રથમ રાજાનું રાજ્ય લગભગ એ સંવતના આરંભથી શરૂ થયું ગણાય. આમ વર્ષસૂચક આ બે સંખ્યાઓ ક્ષત્રપશાનની ઉપલી અને નીચલી જ્ઞાત મર્યાદા સૂચવે છે.
આ રાજાઓના શિલાલેખોમાં વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૧૧ છે, જે કાર્દમકવંશના પહેલા રાજા ચાષ્ટ્રનના સમયનું છે. ચાષ્ટન પૂર્વેય નહપાને અને તેની પૂર્વે ભૂમકે સત્તા સંભાળી હોવાના પુરાવા ઉપલબ્ધ છે૫. આથી ચાષ્ટનના સમયના વર્ષ ૬ પૂર્વે આ બંને રાજાઓ સત્તાધીશ હોવાનું સમર્થ અનુમાન થઈ શકે છે. નહપાનના શિલાલેખોમાં ઉલ્લિખિત વર્ષે રાજકાલનાં છે. એનાં જ્ઞાત વર્ષ ૪૧થી ૪૬ છે. આથી સૂચિત થાય છે કે એણે ઠીક ઠીક લાંબા સમય સુધી સત્તા ધારણ કરી હોય. ચાષ્ટ્રનના સમયના શિલાલેખોમાંથી પ્રાપ્ય વર્ષ ૧૧ શક સંવતનું છે એ હકીકત ધ્યાનમાં લેતાં નહપાનનો રાજ્યામલ શક સંવતના પ્રારંભ પહેલાંનાં વર્ષોમાં થયો હોય. ભૂમક નહપાનનો પુરોગામી હોઈ એનું રાજ્ય ઈશુની પ્રથમ સદીના પ્રથમ ચરણના છેવટનાં વર્ષોમાં શરૂ થયું હોવાનું સૂચવી શકાય.
હાલ આપણે જે અર્થમાં ‘સંવત’ શબ્દ પ્રયોજીએ છીએ તે અર્થમાં પહેલાં સામાન્યતઃ જાત શબ્દ વપરાતો હતો. સંવત એ વસ્તુતઃ સંવત્સરનું સંક્ષિપ્ત રૂપ છે, જેનો મૂળ અર્થ છે વર્ષ. ક્ષત્રપોના લેખોમાં વર્ષની સંખ્યાની આગળ વર્ષ શબ્દ જ આવે છે. એની અગાઉ શાત જેવા કોઈ કાલ(સંવત)નો સંબંધ દર્શાવવામાં આવતો નથી, પરંતુ વર્ષ શબ્દની પહેલાં એ સમયે રાજ્ય કરતા રાજાનું નામ ઉપસાવેલું હોય છે. રાજાનામ અને વર્ષ વચ્ચે રહેલો વ્યાકરણીય સંબંધ તો
For Personal & Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચ
જાણે એ વર્ષ તે રાજાના રાજ્યકાલનું હોય એવું સૂચવે છે. ચાષ્ટ્રનાદિ રાજકુલોના રાજાઓના લેખોમાં; અર્થાત્ સિક્કાલેખોમાં અને શિલાલેખોમાં, વર્ષ નિર્દિષ્ટ સંખ્યા સળંગ ક્રમે ઉત્તરોત્તર વધતી જાય છે, અને એ સંખ્યા ૬થી ૩૩૭ સુધીની હાથવગી થઈ છે. આથી આ વર્ષસંખ્યા જે તે રાજ્યકાલની નહીં, પણ કોઈ સળંગ સંવતની હોવા વિશે કોઈ શંકા રહેતી નથી. સમકાલીન રાજવંશો સાથેના સંબંધ ઉપરથી આ વર્ષો શક સંવતનાં ગણવાં જોઈએ એવું મોટાભાગના ઇતિહાસવિદો માને છે. આ શક સંવતનો આરંભ વિક્રમ સંવત પછી ૧૩૫ વર્ષે અને ઈસ્વીસન પછી ૭૮ વર્ષે થયો છે. આ બધી હકીકતોને ધ્યાનમાં લેતાં ચાષ્ટનાદિ ક્ષત્રપ રાજાઓ માટે અગાઉ અંદાજેલો વર્ષ ૬થી ૩૩૭નો સમય તે વિક્રમ સંવત ૧૪૨થી ૪૭૨નો અને ઈસ્વીસન ૮૪થી ૪૧૫નો ગણાય. ક્ષહરાત વંશના બે રાજાઓ ભૂમક અને નહપાને આશરે છ દાયકા સુધી રાજ્ય કર્યું હોય તે બાબત ધ્યાનમાં રાખતાં પશ્ચિમી ક્ષત્રપોના બધા રાજાઓના સત્તા અમલનો સમગ્ર સમય-વિસ્તાર આશરે ઈસ્વી ૧૮થી ૪૧૫ સુધીનો મૂકી શકાય.
૭૯
ક્ષહરાત વંશ
પશ્ચિમી ક્ષત્રપ વંશોમાંના પહેલા વંશના રાજાઓના શિલાલેખોમાં એમને ક્ષહરાત ક્ષત્રપ૮ અને વહરાત જીતપર તરીકે ઓળખાવવામાં આવ્યા છે; જ્યારે એમના સિક્કાલેખોમાં તેઓને વહરવ(કે છરવ)ચત્રપ કે છત્રપ), ક્ષહરાત ક્ષત્રપ, રાજ્ઞો ક્ષહરાત, રો છત॰ વગેરે નામે સંબોધવામાં આવ્યા છે. દક્ષિણ ભારતના સાતવાહન રાજાઓના શિલાલેખોમાં જીવરાત૧ રૂપ પ્રયોજાયેલું જોવું પ્રાપ્ત થાય છે. ઉત્તર ભારતના ક્ષહરાત ક્ષત્રપ રાજાઓના શિલાલેખોમાં ક્ષહરાત ક્ષત્રપ રૂપ જોવા મળે છે”. આમ, ક્ષક્ષરાત સારુ જીવાત, વહરાત, છહરાત, રવ કે વહરવ તેમ જ ક્ષજ્ઞાત જેવાં વિવિધ રૂપ પ્રયોજાયેલાં પ્રાપ્ત થાય છે.
આમાંનો ક્ષત્રપ શબ્દ આપણે અવલોકી ગયા તેમ વહીવટી હોદ્દો સૂચવે છે. પરંતુ ક્ષહરાતના અર્થ વાસ્તે વિદ્વાનોમાં વિભિન્ન મત પ્રવર્તેલા જોવા મળે છે. તક્ષશિલા અને મથુરાના ક્ષત્રપીય શિલાલેખોમાં ઉલ્લિખિત પ્રસ્તુત શબ્દની ચર્ચા કરતાં સ્ટેન કોનો ક્ષઇરાતને બિરુદના અર્થમાં ઘટાવે છે. બખલે પ્રાકૃત શબ્દ વોસ્તને (સંસ્કૃત વરવસ્ત, અંગ્રેજી Kharaostaમાંથી) ક્ષહરાત પ્રયોજાયેલો હોવાનું જણાવી એને કુલનામના અર્થમાં ઘટાવે છે. રેપ્સન આ અર્થનો વિરોધ કરતાં સૂચવે છે કે ઘરઞોસ્ત એ તો મથુરાના ક્ષત્રપ રાજા રાજુલના પુત્રનું નામ છેપ, એટલે વસ્ત પ્રાકૃતનું સંસ્કૃત રૂપ ક્ષહરાત છે એમ માનવું યોગ્ય નથી. કેટલાક ઇતિહાસકારો ક્ષહરાત એ અટક છે એમ જણાવી ક્ષહરાતોને તોલમાયની ભૂગોળમાં નિર્દિષ્ટ તારૂં (Karatai) નામની એક શક જાતિ સાથે સંબંધ હોવાનું સૂચવે છે. ગુપ્તે દક્ષિણ ભારતના ભરવાડોમાં ઘરત અટક પ્રચલિત હોવાનું જણાવી સૂચવે છે કે વ્રત એ વવરતનું સંક્ષિપ્ત રૂપ હોય. પરંતુ વાસિષ્ઠીપુત્ર પુછુમાવિના શિલાલેખમાં ‘શક-યવન-પહ્નવ’ તથા ‘સાતવાહનકુલ’ની જેમ ‘ક્ષહરાતવંશ’નો સ્પષ્ટ ઉલ્લેખ જોવો પ્રાપ્ત થાય છે. જે ઉપરથી આ શબ્દ વંશસૂચક હોવાનું નિશ્ચિત થાય છે.
કાર્દકવંશ કે ચાષ્ટનવંશ ?
પશ્ચિમી ક્ષત્રપોમાં ક્ષહરાતવંશ પછી કાર્દમકવંશના નામથી વિખ્યાત મોટું ક્ષત્રપકુલ આવે
For Personal & Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૦
ક્ષત્રપકાલીન ગુજરાત છે. આ વંશનો પહેલો જ્ઞાત પુરુષ સામોતિક છે પણ તે રાજસત્તા પામ્યો ન હતો. અને આ વંશનો છેલ્લો જ્ઞાત પુરુષ વિશ્વસેન હોવાનું અત્યારના તબક્કે કહી શકાય. તે રાજસત્તાધીશ હતો. આ વંશમાં કુલ પાંચ કુળ હતાં જેમાં ચાષ્ટનથી શરૂ કરીને વિશ્વસેન સુધીનું કુળ ઘણું મોટું અને દીર્ઘકાલ સુધી સત્તાધીશ હતું. શેષ ચાર કુળ નાનાં અને અલ્પકાલીન સત્તાધીશ હતાં.
મોટાભાગના ઐતિહાસિકો ચાખનાદિ રાજાઓ કાદમકકુલના હોવાનું મંતવ્ય કન્વેરી ગુફાલેખને આધારે અભિવ્યક્ત કરે છે. આ લેખમાં રુદ્ર(દામા)ની પુત્રી પોતાને ન વંશની હોવાનું જણાવે છે.
આ કામ નામ મા નદી ઉપરથી પડ્યું હોવાની અટકળ વિદ્વાનોએ ગણપતિ શાસ્ત્રીની અર્થશાસ્ત્ર ઉપર ટીકાને આધારે કરી હોવાનું જણાય છે.
આ બે હકીકતોને સાંકળીને વિદ્વાનોએ ઈરાનથી આવેલા શકો કમ નદીના રહેવાસી હોવાની અટકળ કરી એમના વંશને છાજવંશ તરીકે ઓળખાવ્યો છે.
કલ્હણની રગતરં1િળીમાં áનરીનનો ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતના “વિરાટપર્વમાં મિત્ર નામનો સ્થળ નિર્દેશ છે. આ બે વીગતોને આધારે બૂહ્નર મરીઝ એ પશ્ચિમી ક્ષત્રપોનું બિરુદ હોવાનું સૂચવે છે. પરંતુ રાખતાળીમાંનું માન રૂપ એ તો વ્યક્તિગત નામ છે. તેથી એના આધારે વંશનું સૂચન થઈ શકે નહીં.
સત્યશ્રાવના મતે ગુજરાતમાં હાલના સિધપુરની આસપાસ આવેલો પ્રદેશ પૂર્વકાલમાં સર્વ પ્રદેશથી ઓળખાતો હતો; કેમ કે અહીં કર્દમ ઋષિનો આશ્રમ હતો. તેથી મને એ પ્રદેશનું નામ છે, જ્યાં રુદ્રદામાના પૂર્વજો રાજ્ય કરતા હતા. પરંતુ એમની આ દલીલ સ્વીકાર્ય બનતી નથી; કેમ કે સિધપુરનું પૂર્વકાલીન નામ તો શ્રીસ્થત હતુંવળી સિધપુરમાંથી કે આસપાસમાંથી હજી સુધી ક્ષત્રપકાલના કોઈ અવશેષ મળ્યા હોવાનું જાણમાં નથી.
રામાયણના ઉત્તરકાંડમાં એક રાજવંશને વર્તમેય કે ના નામે ઓળખાવ્યો છે. તેઓ કર્દમપ્રજાપતિના વંશજો હતા અને બાહ્નિક (અર્વાચીન બલ્બ) ઉપર રાજ્ય કરતા હતા. આ ઉલ્લેખોના સંદર્ભે રાયચૌધરી ઈરાનમાં આવેલી મા નદીને ‘ઝરફશાં” નદી સાથે સરખાવે છે, જે સમરક્ત પ્રદેશની મોટી નદી હોવાનું જણાય છે. પૂર્વકાલમાં આ નદી આમૂદરયા નદીની એક શાખા હતી, જે અનુકાલમાં કારાકુલ સરોવર પાસે રેતીમાં લુપ્ત થઈ ગઈ. તુર્કસ્તાનના નકશામાં આ નદીને ૪૦° અને ૪૧° પૂર્વ રેખાંશ તથા ૬૪ અને ૭૨° ઉત્તર અક્ષાંશ વિસ્તારમાં વહેતી દર્શાવી છે૫૪. ઝરફશાં નદીનું આ સ્થાન ધ્યાનમાં લેતાં અને મધ્ય એશિયામાં થયેલી ઊથલ-પાથલથી પપ સિરદરિયા અને આમૂદરયા નદીની વચ્ચે ભટકતી શક ટોળીઓને ત્યાંથી ખસવું પડેલું એ ધ્યાનમાં રાખતાં આ નદી એ કર્દમા નદી હોવાની રાયચૌધરીની અટકળને સમર્થન મળે છે,
તાજેતરમાં એટલે કે વીસમી સદીના સાઠના દાયકામાં ઉત્પનન દ્વારા હાથ લાગેલા દેવની મોરીના બૌદ્ધ સ્તૂપના પેટાળમાંથી મળી આવેલા શૈલસમુગક પરના ઉત્કીર્ણ લેખમાંના ઐતિહાસિક ભાગવાળા લખાણમાં “કથિક નૃપોના ૧૨૭માં વર્ષે રાજા રુદ્રસેન રાજય કરતો હતો
For Personal & Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચ
ત્યારે એવો નિર્દેશ છે". આથી પ્રસ્તુત રુદ્રસેન કથિક વંશનો હતો એવી અટકળ પ્રચારમાં રહી. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ચાષ્ટન કુલમાં રુદ્રસેન નામના ચાર રાજાઓ થયા જે પૈકીનો કોઈ એક રુદ્રસેન અને પ્રશ્નાર્થ રાજા રુદ્રસેન એક હોઈ શકે ? એમ હોય તો ચાખનકુલના રાજાઓ કથિક વંશના ગણાય, તો બીજો પ્રશ્ન એ થાય કે ઋાર્ટમવંશ અને થિwવંશ પણ ભિન્ન વંશો હોય કે એક જ ? હજી આ પ્રશ્નો વર્ણઊકલ્યા રહ્યા છે.
આ ચર્ચાથી ચાષ્ટનવંશના રાજાઓ કથિક હોય કે ના હોય, પણ વર્તમ હતા એ મત વધારે સ્વીકાર્ય બને છે; પરંતુ કન્દરી લેખમાં ઉલ્લિખિત રાજા “રુદ્ર અને રુદ્રદામાં ૧લો હતો એમ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. અને ત્યાં સુધી એમાં નિર્દિષ્ટ વર્તમ નામ ચાન્ટન વંશના સંદર્ભમાં પ્રયોજવું ઉચિત જણાતું નથી.
- સિતોપત્તિ ગ્રંથમાં ચાષ્ટનનો નિર્દેશ છે. ગ્રંથની મુદ્રિત આવૃત્તિમાં પ્રકૃUTTT એવો પાઠ છે, જે આપણે અગાઉ અવલોકી ગયા. જ્યારે રા.બ.હીરાલાલે મચ્છઠ્ઠાને બદલે "ત્યાન્ના(આશ્વભ્રયા) એવો પાઠ આપ્યો છે, જે સ્વીકાર્ય જણાતો નથી. સત્યશ્રાવ મચ્છઠ્ઠા એવો પાઠ સૂચવે છે. જ્યારે જયોતિપ્રસાદ જૈન મદ્રષ્ટિનાઃ એ પ્રકારનું સંસ્કૃતરૂપ પ્રયોજે છે. આ બંને રૂપ સ્વીકાર્ય બને છે. આ નામ અહીં બહુવચનમાં છે, તેથી એ વંશનું સૂચન કરે છે એમ કહી શકાય.
આથી, ક્ષહરાત વંશ પછીના આ રાજાઓમાંના સહુ પ્રથમ રાજા ચાષ્ટનના નામ ઉપરથી એ રાજાઓને વાઈનવંશના શાસકો તરીકે ઓળખવા વધારે યોગ્ય જણાય છે. ઇતર ક્ષત્રપકુલો
વંશાવળીનું અવલોકન સૂચિત કરે છે કે ચાષ્ટનવંશના છેલ્લા જ્ઞાત રાજા વિશ્વસેન પછી સ્વામી જીવદામાનું નામ જાણવા મળે છે. આ રાજાનો ઉલ્લેખ એના પુત્ર રુદ્રસિંહ રજાના સિક્કાલેખમાં જોવો પ્રાપ્ત થાય છે. જીવદામાનો પોતાનો એકેય અભિલેખ અદ્યાપિ ઉપલબ્ધ થયો ન હોઈ એના પિતાનું નામ જાણવા મળતું નથી. તેથી એના અને વિશ્વસેન વચ્ચે પૈતૃક સંબંધ હતો કે કેમ અને હતો તો કેવા પ્રકારનો હતો એ વિશે કોઈ જ માહિતી પ્રાપ્ત નથી. એમના કુલના નામ વિશે અનુમાન કરવા કોઈ સાધન હાથવગું નથી. જીવદામાના કુલમાં એના સિવાય માત્ર બીજા બે જ રાજાઓનો સળંગક્રમ દેખાય છે.
એમાંના બીજા રાજા યશોદામા રજા પછી સિક્કાઓ ઉપરથી સ્વામી રુદ્રદામા રજાનું નામ જાણવા મળે છે. પરંતુ એ બંને રાજાઓ વચ્ચે કોઈ સગાઈ સંબંધ હતો કે કેમ તે બાબત બિલકુલ સ્પષ્ટ નથી. એના પછી રુદ્રસેન ૩જાએ ગાદી સંભાળી હતી. આ વંશમાં માત્ર બે જ રાજાઓની માહિતી મળે છે. આ કુલનું કોઈ વિશિષ્ટ નામ જાણવા મળતું નથી.
રુદ્રસેન ૩જા પછી એની બહેનનો પુત્ર સ્વામી સિંહસેન રાજા થયેલો જણાય છે. આથી સિંહસેનનું કુલ રુદ્રસેન ૩જાના કુલથી ભિન્ન હોવાનું સ્પષ્ટ થાય છે. સિંહસેન પછી એનો પુત્ર રુદ્રસેન ૪થો સત્તાધીશ થાય છે. આ કુલમાંય પણ આ બે જ રાજાઓ થયા હોવાનું જણાય છે. એમનાં કુલનામ વિશેય કોઈ માહિતી ઉપલબ્ધ થઈ નથી. રુદ્રસેન ૪થા પછી રુદ્રસિંહ ૩જાના
For Personal & Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૨
ક્ષત્રપકાલીન ગુજરાત સિક્કા ઉપરથી એના પિતા સત્યસિંહની માહિતી પ્રાપ્ત થાય છે. પરંતુ રદ્રસેન ૪થા અને સત્યસિંહ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થતો નથી. સત્યસિંહના પોતાના સિક્કા પ્રાપ્ય ન હોઈ એના પિતાની કોઈ માહિતી મળતી નથી. રુદ્રસિંહ ૩જા પછી ક્ષત્રપ રાજાઓના સિક્કા મળતા નથી. આથી પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં સંભવતઃ એ છેલ્લો જ્ઞાત રાજા હોવાનું સ્પષ્ટ થાય છે.
આમ, ચાખનવંશની સીધી સળંગ મળતી વંશાવળી પછી કુલ ચાર જગ્યાએ સંબંધ તૂટે છે, જેમાંના એકમાં કુલ ભિન્ન હોવાનું સ્પષ્ટ રીતે જણાય છે; શેષ ત્રણેય રાજકુલોના સંબંધ વિશે એકેય બાજુએ કશું ચોક્કસપણે કહી શકાય એવી કોઈ સામગ્રી કે એવા કોઈ પુરાવા કે જ્ઞાપકો પ્રાપ્ત થયા નથી, થતા નથી. ક્ષત્રપો કુષાણોના ઉપરાજ હતા ?
અત્યાર સુધીના એકાધિક વિદ્વાન અધ્યેતાઓએ આ પ્રશ્નની વિગતથી છણાવટ કરી છે અને પોતપોતાનાં દૃષ્ટિબિંદુ અભિવ્યક્ત કર્યા છે. ઘણાબધા ઇતિવિદોનું માનવું છે કે પશ્ચિમી ક્ષત્રપો ઉપર કુષાણ રાજાઓનું આધિપત્ય હતું; અર્થાત્ કહો કે તેઓ કુષાણોના ઉપરાજ હતા. જયારે એકાદબે ઇતિહાસવિદોને આ પ્રચલિત મંતવ્ય સ્વીકાર્ય જણાતું નથી.
પશ્ચિમી ક્ષત્રપોમાંના ક્ષહરાત વંશના રાજા નહપાનના સમયના નાસિક ગુફાના એક લેખમાં સુવર્ણનો ઉલ્લેખ છે જે ચોક્કસપણે સમકાલીન કુષાણોના સોનાના સિક્કા સંદર્ભે છે એવું રેપ્સનનું મંતવ્ય છે. અને તેથી તેઓ નહપાન કુષાણોનો અધીન રાજા હતો એમ સૂચવે છે*". પ્રસ્તુત લેખમાં નિર્દિષ્ટ કુશળમૂત્તે શબ્દ ઉપર ભાર મૂકી દે.રા.ભાંડારકર એવું સૂચવે છે કે નહપાનના ચાંદીના સિક્કા માટે આ નામ પ્રયોજાયું હોય, કેમ કે કુશણ ( કુષાણ) નામે ઓળખાતા એના અધિપતિ રાજા કફિશ(kadaphises) ૧લા માટે નહપાને આ નામના સિક્કા તૈયાર કરાવ્યા હતા.
પશ્ચિમ ભારતના રાજયકર્તાઓનાં ક્ષેત્ર અને મહાક્ષત્રપનાં બિરુદોથી કેટલાક વિદ્વાનોએ એવું સૂચવ્યું કે આ રાજાઓ કુષાણ રાજાઓના ઉપરાજ હતા; કેમ કે પશ્ચિમી ક્ષત્રપોમાંના આરંભના રાજાઓ કુષાણ રાજાઓના, ખાસ કરીને કણિખના, સમકાલીન હતા, અને કણિક્કે એના વિશાળ સામ્રાજ્ય ઉપર ક્ષત્ર અને મહાક્ષત્રનો હોદો ધરાવતા અધીન રાજયકર્તાઓ દ્વારા સત્તા સંભાળી હતી જે બાબત એના શિલાલેખોથી સૂચિત થાય છે.
આથી, સ્પષ્ટતઃ કહી શકાય નહીં કે ક્ષત્રપો કુષાણોના ઉપરાજ હતા. સુવઇ અને શનમૂને શબ્દોના કેવળ ઉલ્લેખથી ક્ષત્રપો ઉપર કુષાણોનું આધિપત્ય સાબિત થતું નથી. વળી સુવર્ણના ઉલ્લેખ માત્રથી કુષાણોના સિક્કાઓનો સંદર્ભ સૂચવાતો નથી; કેમ કે વેદયુગથી સિક્કા તરીકે સોનાનો ઉપયોગ થતો આવ્યો છે. તેથી રેપ્સનનું મંતવ્ય સ્વીકાર્ય બનતું નથી. કુશળમૂનેને કન્હેરી લેખોમાંના"૭ પડિ સાથે સરખાવી લેનાર્ત “વર્ષાકાલ પૂરતા અન્ન માટે મળતી માસિક વૃત્તિ –એવો એનો અર્થ કરે છે. આ રજૂઆત વાકયસમૂહના સંદર્ભમાં અવલોક્તાં વધારે યોગ્ય જણાય છે. આથી, દે.રા.ભાંડારકરનું અર્થઘટન પણ સ્વીકારી શકાતું નથી.
બૈજનાથ પુરી ક્ષત્રપ અને મહાક્ષત્રપનો વિચાર જુદી રીતે કરે છે : ચાષ્ટનની જેમ નહપાન
For Personal & Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચ
૮૩
પણ શરૂઆતમાં ક્ષત્રપ અને પછી મહાક્ષત્રપ હતો. કેટલાક સમય પછી ઊંચા હોદ્દાના સ્વીકારમાં કશુંક મહત્ત્વ જણાય છે;- એમાં અધિપતિથી સ્વતંત્ર થવાનો અથવા અધિપતિ દ્વાર ઊંચો હોદ્દો પામ્યાનો અર્થ અભિપ્રેત છે. બંનેમાં અધિપતિનું અસ્તિત્વ જરૂરી છે. ઇતિ. જો પુરીની વાત સ્વીકારીએ તો એનો અર્થ એ થાય કે માત્ર નહપાન અને ચાન્ટન જ નહીં, પણ બધા જ પશ્ચિમી ક્ષત્રપો, તો પછી, કુષાણોના ઉપરાજ હોવા જોઈએ; કેમ કે પશ્ચિમ ભારતના આ રાજાઓ હંમેશા ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકે ઓળખાતા હતા. જો કે આ શકય જણાતું નથી; કારણ કે કષ્કિજૂથના છેલ્લા જ્ઞાત રાજા વાસુદેવના રાજ્યનો અંત ઈસ્વી ૨૪૧-૨૭૨ની વચ્ચે કોઈક સમયે થયો હોવાનું ખુદ પુરીએ નોંધ્યું છે૭. જ્યારે પશ્ચિમી ક્ષત્રપોનું રાજ્ય પાંચમી સદીના પ્રથમ ચરણના મધ્યકાળે અસ્તાચળે ગયું હતું. આથી, બૈજનાથ પુરીનું મંતવ્ય પણ તર્કશુદ્ધ જણાતું નથી.
કષ્કિના શિલાલેખો અને સિક્કાલેખોનાં પ્રાપ્તિસ્થાન ઉપરથી તેમ જ એની ચડાઈઓનાં આનુશ્રુતીક વર્ણન ઉપરથી સૂચિત થાય છે કે પંજાબ, કાશ્મીર, સિંધ, ઉત્તર પ્રદેશ અને બંગાળબિહાર સુધીના પ્રદેશો એના રાજયમાં સમાવિષ્ટ હતા (જુઓ નકશો નંબર ૧); જયારે નહપાનના રાજયની હદ ઉત્તરમાં અજમેર સુધી, પશ્ચિમમાં દરિયા કિનારા સુધી, પૂર્વમાં માળવા સુધી અને દક્ષિણમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર કોંકણ, અહમદનગર-નાસિક-પૂણે જિલ્લાઓ સુધી હતી. આથી, સ્પષ્ટ થાય છે કે કણિષ્કના રાજય વિસ્તારમાં ગુજરાત-મહારાષ્ટ્રનો સમાવેશ ક્યારેય થતો ન હતો.
કણિક્કે એના વિશાળ સામ્રાજયના સંચાલન સારુ સૂબાઓ નિમ્યા હતા, જે ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકેના અધિકાર ભોગવતા હતા. એણે એના શિલાલેખોમાં એના ઉપરાજનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ભૂમક કે નહપાનનો નામોલ્લેખ પણ નથી. જો કણિષ્કના ઉપરાજ ખરપલ્લાન, વનસ્પર, વેશાસિ અને લિયકની જેમ ભૂમક અને નહપાન પણ કણિષ્કના ઉપરાજ હોય તો એના જેવા પ્રતિભાશાળી, રણશૂર અને વિજેતા કુષાણ સેનાપતિએ એના અભિલેખોમાં અવશ્ય એમનો ઉલ્લેખ કર્યો હોય. પરંતુ ઉભયનો અનુલ્લેખ સહજ સાબિત કરે છે કે ભૂમક અને નહપાન ક્યારેય કષ્કિના આધિપત્ય હેઠળ હતા જ નહીં. નહપાનના લેખોમાં કણિષ્કના નામનો અભાવ પણ આ જ અર્થઘટનને સમર્થન આપે છે. વળી કણિષ્કના શિલાલેખો કે સિક્કાઓની ગુજરાતમાંની અનુપસ્થિતિ પણ પ્રસ્તુત અર્થઘટનને પુષ્ટિ આપે છે.
ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકે સિક્કાઓ તૈયાર કરવાની પશ્ચિમી ક્ષત્રપોએ અપનાવેલી પ્રણાલિકા એમના સ્વતંત્ર દરજ્જાનું અને સ્વાધીનતાનું સ્પષ્ટ સૂચન કરે છે. કણિષ્ક સમાન સબળ અને શક્તિસંપન્ન રાજાએ, જો પશ્ચિમી ક્ષત્રપો તેને અધીન હોત તો, એમને સ્વતંત્ર રીતે સ્વનામથી સિક્કાઓ પડાવવાની સત્તા આપી જ ન હોત.
આ રાજાઓમાં બીજી એક પ્રણાલિકા પણ પ્રચલિત હતી : રીનાક્ષત્ર અને રાની મહાક્ષત્રનાં બિરુદના વિનિયોગની. અનાનો સવિશેષ થયેલો ઉપયોગ ભારપૂર્વક અને અસંદિગ્ધ રીતે એમનો સ્વતંત્ર દરજ્જો સાબિત કરે છે. નહપાનના પ્રાપ્ય સંખ્યાતીત સિક્કાઓમાં માત્ર રાના બિરુદનો પ્રયોગ પણ આપણા મંતવ્યને વધુ સમર્થન બક્ષે છે.
For Personal & Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૪
ક્ષત્રપકાલીન ગુજરાત અગાઉ આપણે અવલોકર્યું તેમ સંસ્કૃત અને અવેસ્તામાં ક્ષત્રપ શબ્દ સમાન અર્થમાં રાજાના પર્યાય તરીકે છે, એટલે આ સંદર્ભમાં પણ ક્ષત્રપો ખસૂસ સ્વતંત્રપણે રાજા હોવાની બાબત સ્પષ્ટ થાય છે. ભૂમિપાલના સંદર્ભમાં મૂમના શબ્દનો વિચાર કરવાનું અહીં સૂચક જણાય છે; જો ભૂમક એટલે ભૂમિનો ઘણી એવો અર્થ છે તે સ્વીકારીએ તો.
આમ, પ્રસ્તુત ચર્ચા ઉપરથી ફલિત થાય છે કે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ કુષાણ રાજાઓના સૂબા કયારેય ન હતા. પરંતુ સ્વતંત્ર દરજ્જો ઘરાવતા રાજાઓ હતા; અર્થાત્ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ સ્વતંત્ર સત્તાધીશ હતા. આપણા આ અર્થઘટનને આ લેખકે હવે પછી સ્વતંત્ર પ્રકરણમાં કણિષ્કના સમય વિશે જે વિસ્તૃત ચર્ચા કરી છે તદનુસાર કણિક્કે પશ્ચિમી ક્ષત્રપ રાજા રુદ્રદામાના અમલના અંત પછી રાજ્ય કર્યું હોય તે વધારે સંભવિત ગણાય છે”.
..
૨.
પાદનોંધ ૧. સંસ્કૃતમાં ક્ષત્રના અનેક અર્થ હાથવગા છે.: પ્રદેશ, સત્તા, બળ, ક્ષત્રિય, સૈનિક, હિંસા વગેરે (જુઓ
મોનિયર વિલિયમ સંપાદિત સંસ્કૃત-ઇંગ્લીશ શબ્દકોશ, પૃષ્ઠ ૩૨ ૫). આમાંના પ્રથમ અર્થમાં એ શબ્દ ઉપરથી ક્ષત્રપતિ એવો શબ્દ પ્રયોગમાં હતો, જેનો વિનિયોગ સંહિતા જેવા પૂર્વકાલીન ગ્રંથમાં જોવા મળે છે (એજન). પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃત કે પ્રાકૃત સાહિત્યમાં આ શબ્દપ્રયોગ ક્યાંય જોવા મળતો નથી (જુઓ : રેપ્સન, કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૮૦; ભાંડારકર, ઇએ., પુસ્તક ૪૭, પૃષ્ઠ ૭૨). આપણા દેશમાંના શક રાજાઓના લેખોમાં શરૂઆતમાં ક્ષત્રપ શબ્દના ક્ષત્રવ, છત્રવ કે રવતા જેવાં પ્રાકૃત રૂપ પ્રયોજાયેલાં જોવા મળે છે (જુઓ : દિનેશચંદ્ર સરકાર, સીઇ, નંબર ૨૪, પૃષ્ઠ ૧૧૨ થી ૧૧૬;
નંબર ૬૧-૬૨, પૃ ૧૬૫-૬૬ વગેરે). ૩. રેપ્સન, કેટલૉગ., ફકરો ૮૦; ભાંડારકર, ઈએ. પુસ્તક ૪૭, પૃષ્ઠ ૭૨; સ્ટેઈન કોનો, મોરિ., પુસ્તક
૨૯, પૃષ્ઠ ૪૬૪; જનાર્દન ભટ્ટ, બૌદ્ધકાલીન ભારત, ૧૯૨૫, પૃષ્ઠ ૨૮૫; નીલકંઠ શાસ્ત્રી, કૉહિઇ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૬૩; આર.એસ. ત્રિપાઠી, હિએ., પૃષ્ઠ ૨૧૪ અને પાદનોંધ ૧; દિનેશચંદ્ર
સરકાર, સીઇ., પૃષ્ઠ ૧૧૨, પાદનોંધ ૨. ૪. મૂળ ઈરાની ભાષામાં “દારયવહુષ' એવું નામ ઉલ્લેખ પામેલું છે. આમાં “વહુષ' શબ્દ આપણી
ગુજરાતી ભાષાની જેમ ‘ભાઈ'ના અર્થમાં પ્રયોજાયેલું છે. આથી આપણે સંક્ષિપ્તરૂપ દ્વારકે અહીં પ્રયોજ્યું છે. અંગ્રેજી Darius મૂળ ગ્રીક ઉપરથી પ્રચારમાં છે અને તેથી ગુજરાતીમાં ‘ડેરિયસ' શબ્દ પ્રચારાય છે જે યોગ્ય જણાતો નથી. મૂળ ‘દારયવહુષ' ઉપરથી ‘દારય' શબ્દનો વિનિયોગ યોગ્ય જણાય છે. મુંબઈના જમશીદ કાવસજી કાત્રકના ૧૯૬૩માં આ ગ્રંથલેખક પરના પત્રમાંની વિગતોને આધારે આ માહિતી પ્રસ્તુત છે. આ શબ્દનું મૂળ અવેસ્તામાં જોવું પ્રાપ્ત થાય છે. એમાં ક્ષઘાત (ક્ષશ્ર = રાજ્ય, ઉમરાવપણું અને પાત્ર = રક્ષક, પાલક) શબ્દનો ઉલ્લેખ છે. આ આધારે શત્રોપન એવું પલ્લવી રૂપ પ્રયોજાયું, જે રૂ૫ ફારસી “શેહેરબનનો પર્યાય છે. પહ્નવી એ ઈરાની ભાષાનું પૂર્વરૂપ છે. આમાંથી દારયના કયુનિફોર્મ લેખમાં ક્ષથપાવન શબ્દ વપરાયો. જ્યારે સિકંદરે દારયના સામ્રાજયને ગ્રીસ સાથે જોડી દીધું ત્યારે ક્ષવિનંનું સત્રપલ (Satrapes i.e. satrap) એવું ગ્રીક સંક્ષિપ્ત રૂપ પ્રચારમાં આવ્યું. (આ માહિતી આપવા
સબબ આ લેખક જમશીદ કાવસજી કાત્રકના આભારી છે). ૭. એસ.જી.ડબલ્યુ. બેન્જામીન, પર્શિયા, પૃષ્ઠ ૧૦૪.
For Personal & Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચ
૮૫
૮. ઐતરેય બ્રાહ્મણ, ૮, ૫; શતપથ બ્રાહ્મણ, ૧૩, ૧, ૫, ૨.
ઈરાની સામ્રાજ્યના શાસનકાળ દરમ્યાન આપણા દેશના ગંધાર અને સિંધ પ્રદેશમાં આ વહીવટી શબ્દ પ્રચલિત થયો હશે. અને સમાંતરે મૌર્ય સામ્રાજ્યના સમયમાં એનો પ્રચાર પ્રાયઃ લુપ્ત થયો હશે. તે પશ્ચાતું બાહ્નિક યવનો, શક-પદ્વવો અને કુષાણો આ દેશમાં આવ્યા. આ બધી પ્રજાવિશેષ ઈરાનમાંથી આવેલી હોઈ એમના શાસનકાળમાં ઈરાનનો આ વહીવટી શબ્દ આપણા દેશના આ ભૂભાગમાં પુન:
પ્રચલિત થયો હોય. ૧૦. રેસન, કેટલૉગ., ફકરો ૮૬; રાય ચૌધરી, પોલિએઈ., પૃષ્ઠ ૩૧૦; સ્મિથ, અહિઇ., ૧૯૫૭, પૃષ્ઠ
૨૨૩; સ્ટેન કોનો, ઇક્વિા ., પુસ્તક ૧૪, પૃષ્ઠ ૧૪૦ થી. ૧૧. દિનેશચંદ્ર સરકાર, ‘ધ શકક્ષત્રપ્સ ઑવ વસ્ટર્ન ઇન્ડિયા', એઇયુ, પૃઇ ૧૮૦. ૧૨. આ બાબતની વિશેષ ચર્ચા સારુ જુઓ આ જ પ્રકરણમાં છેલ્લો મુદ્દો : ‘પશ્ચિમી ક્ષત્રપ કુષાણોના
ઉપરાજ હતા ?' તેમ જ કષ્કિના સમયની ચર્ચા વાસ્તે જુઓ આ ગ્રંથના વિભાગ ત્રણમાં પ્રકરણ
નવ. ૧૩. સેનાપ્ત, એઈ., પુસ્તક ૮, પૃષ્ઠ ૮૫થી, લેખ નંબર ૧૪૪ (૧૯૦૫). ૧૪. ઉષવદાર શક જાતિનો હોવાથી એના સસરા નહપાન અન્ય જાતિનો પણ હોઈ શકે એવી દલીલ
કરવામાં આવી છે. આ મુજબ તે પહ્નવ જાતિનો હોવાની અટકળ થઈ છે (રસન, કેટલૉગ., ફકરો ૮૪). પરંતુ શક જાતિનાં વિભિન્ન કુલો વચ્ચે લગ્ન સંબંધ યોજાતા જ નહીં હોય એવું આત્યંતિક વિધાન સમજવું મુશ્કેલ છે. શક જાતિનાં સ્થળવિસ્તાર અને એમની સંખ્યા-વિપુલતા તથા ભ્રમણ-પ્રવૃત્તિ જોતાં એ જાતિમાં પરસ્પર લગ્નસંબંધ યોજી શકાય તેવાં પેટાજૂથ અર્થાત્ ગોત્ર રચાયાં હોય એવું
અનુમાન તદન સંભવિત જણાય છે. ૧૫. સરકાર, સીઇ., નંબર ૮૬, પૃષ્ઠ ૧૯૭. ૧૬. સ્મિથ વગેરે ઇતિહાસકારો ક્ષહરાતોને શકો સાથે સાંકળી તેઓ શકસ્તાન(અર્વાચીન સીસ્તાન)થી
આવ્યા હોવાનું સૂચવે છે (અહિઈ., પૃષ્ઠ ૨૨૦). ૧૭. ટોમસ, જરૉએસો., ૧૯૦૬, પૃષ્ઠ ૨૧૫; સત્યશ્રાવ, ૧૯૪૭, પૃષ્ઠ ૬૯. ૧૮. સ્ટેન કોનો, કાઁઈઇ., પુસ્તક ૨, ભાગ ૧, પૃષ્ઠ ૧૬. ૧૯. જુઓ આ પ્રકરણમાં હવે પછી ‘કાદમક કે ચાષ્ટનવંશ' નામનો મુદ્દો. ૨૦. વસુમિત્તમિત્તા સદ્દી fiધળયા વિ સમયેÁ !
णरवाहणा य चालं तत्तो भत्थट्ठणा जाया ॥१५०७|| भत्थट्ठणाण कालो दोण्णि सयाईं हबति बादाला । तत्तो गुत्ता ताणं रज्जे दोण्णि य सयाणि इगितीसा ॥१५०८||
(જુઓ ઉપાધ્ધ અને જૈન (સંપાદિત) તિન્નાથપurf પૃષ્ઠ ૩૪૦-૪૨). ૨૧. ડોલરરાય માંકડ, ઇતિહાસ-સંમેલન-નિબંધસંગ્રહ, ૧૯૪૩, પૃષ્ઠ પર, ૫૭, ૫૯. ૨૨. ક્ષહરાત વંશના લેખોમાં નિર્દિષ્ટ વર્ષો રાજ્યકાલનાં (regnal) છે. પરંતુ તેથી તેઓ શક જાતિના નથી
એમ કહી નહીં શકાય. તેઓ શક જાતિના છે તે આપણે અગાઉ અવલોકી ગયા છીએ. ૨૩. આ બંને વર્ષો માટે જુઓ પરિશિષ્ટ છે. ૨૪, શોભના ગોખલે, ‘આન્ધ ઇસ્ક્રિપ્શન ઑવ ચાખન, શક ૧૧', જર્નલ ઑવ એાન્ટ ઇન્ડિયન હિસ્ટરી,
પુસ્તક ૨, ભાગ ૧-૨, પૃષ્ઠ ૧૦૪થી. પણ હવે ચોષ્ટનનો વર્ષ ૬નો શિલાલેખ દોલતપુરમાંથી પ્રાપ્ત થયો છે. એવું વા. વિમિરાશી જણાવે છે. (જુઓ પ્રકરણ સાત અને પાદનોધ છ)
For Personal & Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૬
૨૫. વીગત વાસ્તે જુઓ હવે પછીનું પ્રકરણ ૬. ૨૬. વધુ વર્ણન કાજે જુઓ ‘ભૂમકનો સમય', પ્રકરણ : ૨૭. જુઓ હવે પછીનું પ્રકરણ છ. એમાં ‘સિક્કા પરનું
ક્ષહરાત વંશ.
લખાણ' ખાસ જોવું.
૨૮. એઇ., પુસ્તક ૮, પૃષ્ઠ ૭૮ (નંબર ૧૫), પૃષ્ઠ ૮૧ (નંબર ૧૨) અને પૃષ્ઠ ૮૫ (નંબર ૧૩); તેમ જ આસવેઇ., પુસ્તક ૪, પૃષ્ઠ ૯૯થી.
૨૯. એઇ., પુસ્તક ૭, પૃષ્ઠ ૫૭.
૩૦. ભૂમક અને નહપાનના સિક્કાઓમાં ખરોષ્ઠી લિપિમાં અને બ્રાહ્મી લિપિમાં (જુઓ : રેપ્સન, કૅટલૉગ, નંબર ૨૩૭-૪૦ અને ૨૪૩-૫૧).
૩૧. વાસિષ્ઠીપુત્ર પુછુમાવિના રાજ્ય અમલના ૧૯મા વર્ષના નાસિકના ગુફાલેખમાં આ રૂપ જોવા મળે છે (સરકાર, સીઇ., પૃષ્ઠ ૧૯૭; અજયમિત્ર શાસ્ત્રી, ધ સાતવાહન્સ ઍન્ડ ધ વૅસ્ટર્ન ક્ષત્રપ્સ, નાગપુર, ૧૯૯૮, પૃષ્ઠ ૬૪, ૬૭-૬૮). જો કે ડૉ. ભાઉ દાજી સૂચવે છે કે વાાત એ માગધીરૂપ છે અને સૌરાષ્ટ્ર વિસ્તારનું પ્રસિદ્ધ રાજગોત્રીય નામ છેં તેમના મતે વાતમાંથી વ્યુત્પન્ન થયું હોવાનું જણાય છે. (જબૉબ્રારાઁએસો., પુસ્તક ૮, પુરાણી શ્રેણી, પૃષ્ઠ ૨૩૯). ૩૨. પતિકના તક્ષશિલાના તામ્રપત્રમાં આ રૂપ નોંધાયેલું છે (સરકાર, ૩૩. ન્યૂઇએ., પુસ્તક ૭, પૃષ્ઠ ૮૨, પાદનોંધ ૩; ઇક્વિૉ., પુસ્તક ૩૪. જબૉબ્રારાએસો., નવી શ્રેણી, પુસ્તક ૩, પૃષ્ઠ ૬૧.
ક્ષત્રપકાલીન ગુજરાત
૩૫. જરાઁએસો., ૧૮૯૪, પૃષ્ઠ ૫૪૯.
૩૬. વી.આર. દેવરાસ, પ્રઇહિકાઁ., લાહોર અધિવેશન, ૧૯૪૦, પૃષ્ઠ ૧૪૯. તેઓ ક્ષહરાતને કુલ નામ ગણે છે, પણ સ્પષ્ટતા કરે છે કે વોસ્ત અને ક્ષદરાત વચ્ચે તેથી કોઈ સીધો સંબંધ હોવાનું સાબિત થતું નથી.
૩૭. જુઓ ઇએ., ૧૮૮૪, પૃષ્ઠ ૪૦૦ અને ૧૯૨૬, પૃષ્ઠ ૧૭૮. ઉપરાંત પોહિએઇ., પૃષ્ઠ ૪૩૬ અને
૪૮૪.
૩૮. વાય.આર. ગુપ્તે, ઇએ., ૧૯૨૬, પૃષ્ઠ ૧૭૮. આપણાં ભારતીય નામ દેવરાત, વિષ્ણુરાત વગેરેની જેમ ક્ષહરાત એ વિશેષ નામ પણ હોય (જુઓ : ઇએ., પુસ્તક ૧૦, પૃષ્ઠ ૨૨૫, પાદનોંધ ૬૭). ૩૯. સરકાર, સીઇ., પૃષ્ઠ ૧૯૭.
૪૦. રેપ્સન, કૅટલૉગ., ફકરો ૮૨.
૪૧. હ્રામ-વંશ-પ્રભવ-મહાક્ષત્રપ-3......પુત્રી (જુઓ આસવેઈ., પુસ્તક ૫, પૃષ્ઠ ૭૮, પટ્ટ ૫૧; અજયમિત્ર શાસ્ત્રી, ધ સાતવાહન્સ એન્ડ ધ વેસ્ટર્ન ક્ષેત્રપ્સ, પૃષ્ઠ ૧૩૬, પાદનોંધ ૩).
૪૨. ામિ ર્વમાં નામ પારસીપુ નવી તસ્યામુત્પન્નમ્ । (જુઓ ગણપતિશાસ્ત્રી, અર્થશાસ્ત્ર., ભાગ ૧, પ્રકરણ ૨, શ્લોક ૧૧ અને પૃષ્ઠ ૧૭૯ પરની પાદનોંધ). શામ શાસ્ત્રીએ પણ અર્થશાસ્ત્ર ઉપ૨ અંગ્રેજીમાં ટીકા આપી છે તેમાં આ જ અર્થ આવ્યો છે (જુઓ સાતમી આવૃત્તિ, પૃષ્ઠ ૭૬, પાદનોંધ ૨). પતંજલિના મહામાષ્યમાં પણ ામિનો ઉલ્લેખ છે (અધ્યાય ૪, શ્લોક ૨).
४४. अस्थीनि क्षेमगुप्तस्य गृहीत्वा जाह्नवी गते ।
પુત્રે ર્રમરાનાથે પ્રવતૈરન્વિતો વનૈઃ
।।
સીઇ., પૃષ્ઠ ૧૨૦).
૧૪, પૃષ્ઠ ૧૪૦.
૪૩. પરંતુ ગણપતિ શાસ્ત્રી વગેરે વિદ્વાનોએ ઈરાનમાં આવેલી આ નદીનો ચોક્કસ સ્થળનિર્દેશ આપ્યો નથી. પરંતુ અજયમિત્ર શાસ્ત્રી નોંધે છે કે આ નદી બેટ્રિના હખામની રાજ્યમાંથી વહેતી હતી (ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૩૬; પોહિએઇ., પૃષ્ઠ ૪૩૭, પાદનોંધ ૨).
(અધ્યાય ૬, શ્લોક ૨૦૦).
For Personal & Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચ
૮૭
૪૫. એચ.સી.રાયચૌધરી, “ધ કાર્દમક કિંગ્સ', ઇક્વિા ., પુસ્તક ૯, પૃષ્ઠ ૩૭. ૪૬. “ઑન ધ રીલેશનશીપ બિટ્વીન ધ આંધસ ઍન્ડ વેસ્ટર્ન ક્ષત્રપ્સ', એ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૨૭૩,
પાદનોંધ ૧૨. ૪૭. રાયચૌધરી, એજન, પૃષ્ઠ ૩૧. ૪૮. શક્સ ઈન ઈન્ડિયા, પૃષ્ઠ ૬૮થી. ૪૯. દુર્ગાશંકર શાસ્ત્રી, ગુજરાતનાં તીર્થસ્થાનો, પૃષ્ઠ ૭૨. ૫૦. આપણી પરંપરા મુજબ કર્દમ ઋષિ સ્વયમ્ભવ મવંતરમાં જન્મ્યા હતા. તેઓ પ્રજાપતિ હતા અને મનુ
સ્વયમ્ભવની પુત્રી સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા, જેનું નામ દેવહૂતિ હતું. પૂર્વજન્મમાં કર્દમ ક્ષત્રિય હતા. કાર્દમાયન સાખેય નામની વ્યક્તિ પણ ઋષિ હતા જેમના નામે ગોત્ર પ્રવર્યું હતું (જુઓ સિદ્ધેશ્વર શાસ્ત્રી ચિત્રાવ, પ્રવીન ચરિત્રકોશ, પૂણે, ૧૯૬૫, પૃષ્ઠ ૧૨૨). સુશ્રુતસંહિતાનામના ગ્રંથમાં #મ પ્રકારના ચોખાનો ઉલ્લેખ છે (જુઓ મોનિયર વિલિયમ્સ, સંસ્કૃત-ઇંગ્લીશ ડિક્લેરી, ઑક્સફર્ડ, ૧૮૯૯, પૃષ્ઠ ૨૫૮). જો કે એ સંભવિત જણાય છે કે કર્દમાં નદીના ખીણપ્રદેશમાં વિવિધ પ્રકારના ચોખા ઉત્પન્ન થતા હતા, જે નદીનામ ઉપરથી ક્રમ કે ક્રમ તરીકે ઓળખાતા. આથી મનો સંભવિત અર્થ થઈ શકે કદમ' પ્રકારના ચોખા પકવતા લોકો અથવા કર્દમ ચોખા આરોગતા લોકો'.
(જુઓ : અજયમિત્ર શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૩૭). ૫૧. ભૂયતે દિ પુરા સૌમ્ય મ0 પ્રગાયતે
પુત્રો વહિ8: શ્રીનિનાં નામ સુધમ: (સર્ગ ૮૭, શ્લોક ૩). પતસ્મિનન્તરે રાજા ન રૂઃ માત્મ: | (સર્ગ ૮૭, શ્લોક ૧૪). fછત્તક અનર્થે વાય મહાવત || (સર્ગ ૮૭, શ્લોક ૧૯). ન સત્તાપરત્વથા વાર્થ: મેચ મહાવત છે (સર્ગ ૮૭, શ્લોક ૨૦).
શુના પુરુષો માં મૂત્વાર્થ શામિ: (સર્ગ ૮૭, શ્લોક ૨૯). રાના મહાવરાહુઃ ર્વસ્થ ત્વઃ સુત: (સર્ગ ૯૦, શ્લોક ૩). વામિતુ માં તેનાસ્તાશ્રમમુપમ / (સર્ગ ૯૦, શ્લોક ૮). પર. પોહિએઇ., પૃષ્ઠ ૪૩૭, પાદનોંધ ૧. આ માટે તેઓ દારયના લેખોનું સંપાદન કરનાર હઝલ્ડનો
આધાર લે છે (ઇક્વિૉ .. પુસ્તક ૯, પૃષ્ઠ ૩૮). 43. In Samarkand province 'the chief is Zarafshan, which under the name Of Mach,
rises in the Zarav glacier in the kok su-mountain group.....Beyond lake Kara-kul it is lost in the sands before reaching the Amudarya to which it was formerly
tributory (ઇન્સા. ત્રિટી, ૧૧મી આવૃત્તિ, પુસ્તક ૨૪, પૃઇ ૧૧૨). ૫૪. એજન, પુસ્તક ૨૭, પૃષ્ઠ ૪૨૦ સામેનો નકશો. ૫૫. ઊથલ-પાથલની માહિતી માટે આ જ ગ્રંથમાં પ્રકરણ ત્રણ. ૫૬. વીગતો વાસ્તુ જુઓ: ૨.ના.મહેતા અને સૂ.ના.ચૌધરી, એકશન એટ દેવની મોરી, ૧૯૬૬, પૃષ્ઠ
૧૨૨. પ૭. વિગતવાર ચર્ચા માટે જુઓ આ જ ગ્રંથમાં પરિશિષ્ટ ચાર. ઉપરાંત જુઓ રસેશ જમીનદાર, “કથિક :
રાજાઓ અને સંવત’, વિદ્યા (ગુજરાત યુનિવર્સિટીનું સામાયિક), પુસ્તક ૧૧, પૃષ્ઠ ૧૦૩થી. ૫૮. જુઓ અગાઉની પાદનોંધ ૨૦. ૫૯. કેટલૉગ ઑવ સંસ્કૃત ઍન્ડ પ્રાકૃત મૅન્યુટ્સિ ઇન સેન્ટ્રલ પ્રૉવિન્સ ઍન્ડ બેરાર, પૃષ્ઠ ૧૬.
For Personal & Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
૮૮
૬૦. શક્સ ઇન ઇન્ડિયા, પૃષ્ઠ ૧૯ અને ૬૭. ચાષ્ટનના સિક્કામાંનું ખરોષ્ઠીમાં આપેલું નામ વનસ આ
સંદર્ભે ધ્યાનાર્હ છે.
૬૧. ધ જૈન સોર્સીઝ ઑવ ધ હિસ્ટરી ઑવ એન્થટન ઇન્ડિયા, પૃષ્ઠ ૭૯.
૬૨. આપણા દેશના ઇતિહાસની રાજકીય પરંપરાનું અવલોકન સૂચિત કરે છે કે રાજવંશનું નામ કેટલીક વખત જે તે વંશના સ્થાપક પુરુષ કે રાજા કે શક્તિશાળી રાજાના નામ ઉપરથી આપવામાં આવે છે. દા.ત. યદુવંશ, પુરુવંશ, ઇક્ષ્વાકુ વંશ, રઘુવંશ, મૌર્યવંશ, ગુપ્તવંશ વગેરે. આથી આ બાબતે પણ આપણે આ રાજાઓમાંના પહેલા રાજા ચાષ્ટ્રનના નામ ઉપરથી આ રાજવંશને રાષ્ટનવંશ તરીકે ઓળખવો જોઈએ.
૬૩. રેપ્સન, કેટલૉગ, પ્રસ્તાવના, પૃષ્ઠ ૧૦૬; દેશા ભાંડારકર, કોનો, કૉઇઇ., પુસ્તક ૨, ભાગ ૧, પૃષ્ઠ ૬૭; લેવી, બૈજનાથ પુરી, ઇન્ડિયા અન્ડર ધ કુષાણસ, પૃષ્ઠ ૨૧થી.
૬૪. સુધારક ચટ્ટોપાધ્યાય, અહિનોઇ., પૃષ્ઠ ૮૩થી અને પૃષ્ઠ ૧૦૫; દિનેશચંદ્ર સરકાર, એઇયુ., પૃષ્ઠ
૧૮૦.
ઇએ., પુસ્તક ૪૭, પૃષ્ઠ ૧૫૩; સ્ટેન જર્નલ એશિયાટિક, ૧૯૩૬, પૃષ્ઠ ૬૧;
૬૫. કેટલૉગ, પ્રસ્તાવના, પૃષ્ઠ ૧૮૫.
૬૬. લેક્ચર્સ, ૧૯૨૧, પૃષ્ઠ ૧૯૯થી.
૬૭. આસવેઇ., પુસ્તક ૫, કન્હેરી શિલાલેખ, નંબર ૧૫, ૧૮, ૨૧ અને ૨૮.
૬૮. જુઓઃ એઇ., પુસ્તક ૮, પૃષ્ઠ ૮૩. સેનાર્ત આ લેખમાં ‘કુશણ'નો અર્થ સ્પષ્ટ કરે છે : Kuśana means a monthly stipend assigned to every monk during a certain period of the year and probably to be applied for his food. વુશળમૂત વિશે તેઓ લખે છે .......the distribution of the Kusaṇamula appears to have been strictly parallel with that of Chivarika or money for clothes reserved for the Varshā-time. ઇતિ.
૬૯. ધ ઇન્ડિયા અન્ડર ધ કુષાણસ, ૧૯૬૫, પૃષ્ઠ ૨૨.
૭૦. એજન, પૃષ્ઠ ૬૦થી.
૭૧. જુઓ રસેશ જમીનદાર, ‘પશ્ચિમી ક્ષત્રપો કુષાણોના ઉપરાજ હતા ?', વિદ્યાપીઠ, પુસ્તક ૫, પૃષ્ઠ ૫૬થી તથા ‘વૅર વૅસ્ટર્ન ક્ષત્રપસ વાઈસરૉયસ ઑવ ધ કુષાણસ ?' ઉમેશમિશ્ર કમેમરેશન વોલ્યુમ, ૧૯૭૦, પૃષ્ઠ ૭૦૩થી અને ઇતિહાસ સંશોધન, ૧૯૭૬, પ્રકરણ ૮.
For Personal & Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ચાર
કથિક : રાજાઓ અને સંવત
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના તીર્થધામ શામળાજીની નજદિકમાં મેશ્વો નદીના પૂર્વ કાંઠે દેવની મોરી ગામની સીમમાં ‘ભોજરાજાનો ટેકરો' નામથી ઓળખાતી જગ્યાએ વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકા દરમ્યાન વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાવસ્તુવિદ્યા વિભાગના પ્રાધ્યાપક ડૉ. રમણલાલ નાગરજી મહેતાના વડપણ હેઠળ અને ડૉ. સૂર્યકાન્ત ચૌધરીની પ્રત્યક્ષ દેખરેખ નીચે ઉખનનકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
પાંચેક વર્ષ સુધી ચાલેલા પુરાવસ્તુકીય ઉત્નનનને પરિણામે આ ટેકરા ઉપરથી એક મહાતૂપ અને એક મહાવિહારના બહુ મહત્ત્વના અવશેષ હાથ લાગ્યા હતા. મહાતૂપના અંડનું ખોદકાર્ય કરતાં તેના પેટાળમાંથી એક શૈલસમુદ્ગક (પથ્થરનો દાબડો) મળી આવ્યો હતો.
પ્રસ્તુત શૈલસમુગંકની ઊભી બાજુની બહારની સપાટી ઉપર ગોળાકારે (કેમ કે આ દાબડો ગોળ આકારનો છે તેથી) અને દાબડાના તળિયાના ભાગની બહારની સપાટી ઉપર પણ ગોળાકારે કુલ પાંચ પંક્તિનો ઐતિહાસિક લેખ ઉત્કીર્ણ થયેલો છે. આ લેખનો શબ્દશઃ પાઠ અહીં ઉદ્ધત કર્યો છે :
નમસર્વજ્ઞાય (I) ज्ञानानुकम्पाकारुण्य प्रभावनिधये नमः (1) सम्यक् संबुद्ध सु(सू)र्याय परवादितमोनुदे ॥१॥ सप्ता' विंशत्यधिके कथिक नृपाणां समागते (5) द्वशते (1) भ(भा)द्रपदपंचमदिने नृपतौ श्रीरुद्रसेने च ॥२॥ *(8) તમનતુમૂતમ્મહાવિહીરાધે મહીસ્કૂi" (I) सत्वानेकानुग्रहनिरताभ्यां शाक्यभिक्षुभ्यां ॥३॥ साध्वग्निवर्म नामना सुदर्शनेन च विमुक्तरंधे(रन्धे) ण (1) काान्तिकौ च पाशान्तिक पड्डौ शाक्यभिक्षुकावत (त्र) ॥४॥ दशबलशरीरनिलयश्शुभशैलमयस्स्वयं वराहेण (1) कुट्टिमकतो क(कृ)तोयं समुद्गकस्सेन पुत्रेण ॥५॥ महसेनभिक्षुरस्य च कारयिता विश्रुतः समुद्गयकस्य (1)
सुगतप्रसादकामो वृद्धायर्थन्धर्मसङ्घाभ्यां१२ ॥६॥ પ્રસ્તુત ઐતિહાસિક લેખમાં, આ પરિશિષ્ટ પરત્વે, મહત્ત્વનો મુદ્દો બીજા શ્લોકમાં છે
For Personal & Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૦
ક્ષત્રપકાલીન ગુજરાત અને એના અનુસંધાને મહાતૂપ અને મહાવિહારના સમય બાબતે જરૂરી નિર્ણય લઈ શકાય છે. આ શ્લોકમાં આટલા મુદ્દા આપણા માટે ધ્યાનાર્હ છે : સમાવિશ૦, ૪થા નૃપનાં અને નૃપતી શ્રીરુદ્રને. અર્થાત્ વર્ષ ૧૨૭ કયા સંવતનું છે ?, કથિક રાજાઓ એટલે આપણા રાષ્ટ્રના પૂર્વકાલના ઇતિહાસના કયા રાજવંશના રાજાઓ ? અને રાજા રુદ્રસેન તે પશ્ચિમી ક્ષત્રપોમાંના ચાર રુદ્રસેનમાંનો કયો રાજા ?
સમગ્ર લેખનું ઐતિહાસિક કેન્દ્રબિંદુ આ વાક્યમાં છે : કથિક નૃપોના ૧૨૭માં વર્ષે ભાદરવા મહિનાના પાંચમા દિવસે શ્રી રુદ્રસેન રાજાએ મહાવિહારના આશ્રયે મહાતૂપ બંધાવ્યો હતો. આ પંક્તિએ આ ક્ષેત્રના વિદ્વાન અધ્યેતાઓમાં રસપ્રદ ચર્ચા ઉદુભાવી છે. અહીં આપણે મુખ્યત્વે કથિક રાજાઓ અને કથિક સંવત વિશે ક્રમશઃ ચર્ચા કરીશું. રાજાઓ
આ બાબતે બે મુદ્દા ઉપસ્થિત થાય છે . રુદ્રસેન એ કયો રાજા અને કથિક વંશ તે કયો રાજવંશ ?
પ્રથમ આપણે લેખમાં નિર્દિષ્ટ છીદ્રસેન વિશે સ્પષ્ટતા કરીએ. આપણે વંશાવળીમાં અવલોકયું કે પશ્ચિમી ક્ષત્રપોનાં વિવિધ કુલોમાં રુદ્રસેન નામના કુલ ચાર રાજાઓ સત્તાધીશ હતા૧૪. પ્રસ્તુત લેખમાં ઉલ્લિખિત રાજા તે ક્ષત્રપ વંશનો ચારમાંથી કોઈ એક રુદ્રસેન હોય તો તે કયો તે નિર્ણિત કરવાનું કાર્ય મુશ્કેલ છે. રુદ્રસેન ૧લાના ત્રણ શિલાલેખ પ્રાપ્ત છે, જેમાંનો એક વર્ષ ૧૨૭નો છે૧૫. આ સંદર્ભમાં દેવની મોરીના શૈલસમુદ્રગક ઉપર ઉત્કીર્ણ લેખમાંના વર્ષ ૧૨૭નો રાજા રુદ્રસેન તે ક્ષત્રપ રાજા રુદ્રસેન ૧લો હોવાની અટકળ થઈ અને એના અનુસંધાને કથિક નૃપોનું વર્ષ પણ શક સંવતનું હોવાનો સંકેત આરંભમાં મહેતા અને ચૌધરીએ દર્શાવેલો. પરંતુ સૂર્યકાન્ત ચૌધરીએ અસ્થિપાત્રની શોધ પૂર્વે આ મહાતૂપના પ્રારંભિક ખોદકામ દરમ્યાન પ્રાપ્ત કરેલા સિક્કાઓ, ઠીંકરાં અને શિલ્પના નમૂનાઓને આધારે આ મહાતૂપ અને મહાવિહારનો સમય ઈશુની ચોથી સદીનો હોવાનું અનુમાન કરેલું. આ સમયનિર્ણય ધ્યાનમાં લઈએ તો પછી પ્રશ્નાર્થ રાજા રુદ્રસેન એ કાં તો ક્ષત્રપ રાજા રુદ્રસેન ૩જો હોય, કાં તો તે રુદ્રસેન ૪થો હોય. પરંતુ ક્ષત્રપ રાજા રુદ્રસેન ૪થાની અલ્પાવધિ સત્તાકીય કારકિર્દી ધ્યાનમાં લેતાં૮ આ સંભવ યોગ્ય જણાતો નથી.
આથી હવે રુદ્રસેન ૩જા વિશે વિચાર કરીએ. આ રાજાના સિક્કાઓ બહુ મોટી સંખ્યામાં સંપ્રાપ્ત થયા છે. એના સિક્કાઓ ઉપર વર્ષસૂચક મિતિ પણ અંકિત થયેલી જોવા મળે છે. આ મિતિ શક સંવતની હોવા વિશે કોઈ જ શંકા નથી. આથી, જેના આટલા વિપુલ પ્રમાણમાં સિક્કાઓ ઉપલબ્ધ થયા છે અને જેણે પોતાના વંશના સહુ પુરોગામી રાજાની જેમ સિક્કામાં શક સંવતનાં જ વર્ષ આલેખ્યાં છે એવા પ્રતાપી રાજા રુદ્રસેન ૩જાના સમયના અર્થાત રાજ્યના આ એક અભિલેખમાં શક સંવતને સ્થાને કથિક નૃપોનું વર્ષ પ્રયોજાય એ અસામાન્ય અને અસંભવિત જણાય છે. પરંતુ અહીં ધ્યાના બને છે કે આ લેખ અને સ્થાપત્ય બધું જ બૌદ્ધધર્મને સ્પર્શે છે. એનો વિષય સ્પષ્ટતઃ સાંપ્રદાયિક છે, ધાર્મિક છે. આથી એને રાજકારણ સાથે
For Personal & Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ચાર
કોઈ સંબંધ હોવાનું સૂચવાતું નથી. આથી બૌદ્ધધર્મને સ્પર્શતા સાંપ્રદાયિક લખાણમાં વપરાયેલો કથક શબ્દ સ્પષ્ટતઃ બૌદ્ધધર્મની પરિભાષામાં પ્રયોજાયેલો હોવા પૂરતો સંભવ છે. અને એ અનુષંગે અહીં કથિકોના સંવતનો વિનિયોગ થયો હોય તે સંભવિત ગણાય.
બીજી એક દલીલ એવી થઈ શકે કે અસ્થિપાત્રમાં નિર્દિષ્ટ રુદ્રસેન તો કેવળ રાજા તરીકે દર્શાવાયો છે. એના નામની પૂર્વે ક્ષત્રપ કે મહાક્ષત્રપ ઉભયમાંથી એકેય પ્રકારનું બિરુદ નિર્દેશાયું નથી. જયારે રુદ્રસેન ૩જાના સિક્કાઓ તેને મહાક્ષત્રપ તરીકે ઓળખાવતા હોઈ, અસ્થિપાત્રવાળો રુદ્રસેન એ ક્ષત્રપ રાજા રુદ્રસેન ૩જો ન હોય. પ્રસ્તુત લેખ પદ્યમાં હોઈ, ગદ્ય લખાણમાં અપાતી બિરુદો વગેરેની તમામ વિગતોની અપેક્ષા વધારે પડતી ગણાય અને તેથી ઉપર્યુક્ત દલીલ શિથિલ જણાય છે. વળી આ બાબતમાં અહીં એ પણ નોંધવું જોઈએ કે ચાખનરુદ્રદામાના સમયના આન્ધીના ચાર યષ્ટિલેખોમાં૧૯ ક્ષત્રપ કે અને મહાક્ષત્રપનાં બિરુદ દર્શાવાયાં નથી. એટલે પદ્યરચનાને કારણે અને આન્ધના યષ્ટિલેખોની જેમ અપવાદરૂપે આ અસ્થિપાત્રલેખમાં રદ્રસેન માટે માત્ર ના બિરદ નોંધાયું હોય એ સંભવિત છે. તો પછી પ્રશ્નાર્થ રાજા રુદ્રસેન એ ક્ષત્રપવંશીય રાજા મહાક્ષત્રપ રુદ્રસેન ૩જો હોવાનો મત તર્કબદ્ધ જણાય છે. આ મતના સમર્થનમાં એ બાબત અહીં ધ્યાના રહેવી જોઈએ કે રાજય તો આ પ્રદેશમાં ક્ષત્રપોનું જ છે; કેમ કે ક્ષત્રપોના ઘણા સિક્કાઓ ૧ મહાવિહારમાંથી અને સ્તૂપના પેટાળમાંથી હાથવગા થયા છે.
આથી અત્યાર સુધીની ઉપલબ્ધ સામગીના આધારે અને બૌદ્ધ સ્થાપત્યના સમય નિર્ણયના સંદર્ભે પ્રશ્નાર્થ રાજા રુદ્રસેન તે, રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસેન ૩જો હોવાનું વધુ સ્વીકાર્ય જણાય છે. આ બૌદ્ધ સ્થાપત્યના સમયાંકનના સંદર્ભમાં રુદ્રસેન રજો તો ચર્ચાના ફલકમાં આવતો જ નથી. કથિકવંશ કયો રાજવંશ ?
હવે કથિક નામના વંશને કયા જ્ઞાત વંશના પર્યાય તરીકે ઓળખાવી શકાય અને કથિક સંવતને ક્યા જ્ઞાત સંવત તરીકે દર્શાવી શકાય એ બે પ્રશ્નો અહીં ચર્ચય જણાય છે.
બૌદ્ધ સાહિત્યમાં થનો સામાન્ય અર્થ ‘બૌદ્ધધર્મનો ઉપદેશ એવો થતો હોઈ અને કુષાણ રાજા કણિષ્ક તેમ જ એના કેટલાક અનુગામી કુષાણ રાજાઓ બૌદ્ધધર્મના આશ્રયદાતાઓ હોઈ દિનેશચંદ્ર સરકાર થનૃપોને કુષાણ રાજાઓ સાથે સંલગ્નિત કરે છે. એમના મત મુજબ શરૂઆતના ક્ષત્રપ રાજાઓ કુષાણોના ખંડિયા રાજાઓ હોઈ અને આ અસ્થિપાત્ર ક્ષત્રપ રાજાઓના પ્રદેશમાંથી પ્રાપ્ત થયું હોઈ તેમ જ તેમના રાજ્યામલ દરમ્યાનનું હોઈ આ વર્ષ ૧૨૭ શક સંવતનું હોવા સંભવે. પરંતુ પુરાવશેષીય પુરાવાઓ પરથી બૌદ્ધસ્થાપત્યનું સમયાંકન, વિશેષત: ક્ષત્રપ સિક્કાઓની ઉપસ્થિતિ હોવાથી, લગભગ સો વર્ષ જેટલું અનુકાલીન હોવાનું નિશ્ચિત થયું હોઈ" સરકારની દલીલ વજૂદયુક્ત જણાતી નથી, અન્યથા, લેખ બૌદ્ધધર્મને સંદર્ભે હોઈ, અહીં થh શબ્દ સાંપ્રદાયિક અર્થમાં વપરાયો હોય અને કથિકોનો સંવત પ્રયોજાયો હોય એવી કલ્પના થઈ શકે.
For Personal & Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત એરિયન અને સ્ટ્રેબોએ આપણા દેશની પૂર્વકાલીન પ્રજાતિઓમાં જેનો ઉલ્લેખ કર્યો છે અને જેમને સિકંદરે પરાજય આપેલો એ Kathaioi સાથે પ્રશ્નાર્થ કથિકોને સરખાવવાના પ્રયત્ન થયા છે૨૭ સમસસંહિતામાં પશ્ચિમ ભારતની પ્રજાઓની આપેલી યાદીમાં (kataka) જાતિના લોકોનો ઉલ્લેખ જોવા મળે છે. અને તેય પંચનદ(પંજાબ)ની તેમ જ અન્ય કેટલીક વિદેશી જાતિઓના સંદર્ભમાં ૮. એસ. શંકરનારાયણનના મત મુજબ પંજાબના આ કતક લોકોને એ જ પ્રદેશના kathaioi સાથે સરખાવી શકાય અને પછી કતક તેમ જ kathaioi સાથે કથિકને પણ સરખાવાય ૯. વળી મિરાશી વથા એ આભીર રાજાઓનું કુલનામ હોવાનું સૂચવે છે૩૦ જયારે મહેતા અને ચૌધરીએ ચાષ્ટનાદિ રાજાઓ કાઈમકવંશના હોવાની અટકળ કરેલી૧.
આમ કથિક વંશને વિવિધ જ્ઞાત વંશો સાથે સરખાવવાની દલીલો પ્રસ્તુત થઈ છે. પરંતુ આ બધી દલીલો વજૂદયુક્ત ન હોઈ, અત્યાર પૂરતું એમ કહી શકાય કે કથિક એ પ્રાયઃ બૌદ્ધધર્મના ઉપદેશકોનો અર્થ ધરાવતું સામાન્ય નામ હોય અને બૌદ્ધધર્મના પ્રભાવક એવા કોઈ રાજવંશને વાતે અહીં પ્રયોજાયું હોય; પણ એવા કોઈ રાજવંશને જ્ઞાત જાતિઓ અથવા વંશોમાંના કોઈની સાથે નિશ્ચિત રીતે ઓળખાવવો મુશ્કેલ છે. કથિક સંવત
ગુજરાતમાંથી અને સંભવતઃ ભારતમાંથી અદ્યાપિ મિતિવાળા પ્રાપ્ય અભિલેખોમાં દેવની મોરીના મહાતૂપના પેટાળમાંથી હાથ લાગેલો અસ્થિપાત્ર લેખ એક અભિનવ સમસ્યા આપણી પ્રત્યક્ષ પ્રસ્તુત કરે છે અને તે છે કથિક સંવત. આપણે અવલોકી ગયા કે કથિક વંશના રાજાઓ આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં કોઈ તબક્કે સત્તાધીશ હોવાના કોઈ પુરાવા અદ્યાપિ સંપ્રાપ્ત થયા નથી. સંભવત: આ પ્રકારનો પહેલપ્રથમ નમૂનો છે, જે એક નવો રાજા, એક નવો રાજવંશ અને એક નવો સંવત આપણી સમક્ષ રજૂ કરે છે. અહીં આપણે કથિક સંવતને આપણા દેશના જ્ઞાત સંવતોમાંથી કોની સાથે સરખાવી શકાય તેનો વિચાર કરીશું.
એસ. શંકરનારણયએ વિક્રમ સંવત, શક સંવત, કલચુરિ સંવત અને ગુપ્ત સંવતના ચોકઠામાં કથિક નૃપોના વર્ષ ૧૨૭'ને ગોઠવીને, કહો કે આ બધા સંતો સાથે ગણતરી કરીને, પુરવાર કર્યું કે આમાંના કોઈ સંવત સાથે પ્રશ્નાર્થ વર્ષનો મેળ બેસતો નથી. વિક્રમ સંવત (ઈસ્વી પૂર્વ પ૭) સાથે પ્રશ્નાર્થ વર્ષને ગોઠવતાં ઈસ્વીસન ૭૦ (૧૨૭-૫૭-૭૦) આવે, જે વખતે ગુજરાતમાં પશ્ચિમી ક્ષત્રપોમાંના ક્ષહરાત વંશના રાજાઓ સત્તાધીશ હતા. વળી પ્રસ્તુત અસ્થિપાત્રલેખની લિપિના મરોડ તેમ જ ઉપલબ્ધ બુદ્ધ-પ્રતિમાઓનું કલાવિધાન ધ્યાનમાં રાખતાં પ્રશ્નાર્થ વર્ષ ૧૨૭ એ વિક્રમ સંવતનું હોય તે સંભવિત નથી.
શક સંવતના (ઈસ્વી ૭૮) સંદર્ભમાં વર્ષ ૧૨૭ને ગોઠવતાં ઈસ્વીસન ૨૦૫-૦૬ (૭૮+૧૨૭–૨૦૫) આવે. પરંતુ મહાતૂપની પ્રથમ પીઠિકાની મધ્યમાંથી ક્ષત્રપોના આઠ સિક્કાનો એક નિધિ મળ્યો છે, જેમાં વિશ્વસનનો એક સિક્કો છે અને તેના રાજ્યામલનો સમય ઈસ્વી ૨૮૩થી ૩૦૪ સુધીનો છે. આથી શક સંવતની વિચારણા પણ સંભવી શકતી નથી.
ગુપ્ત સંવતના (ઈસ્વી ૩૧૯-૨૦) અનુસંધાનમાં વર્ષ ૧૨૭ની ગણતરી કરતાં ઈસ્વી
For Personal & Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ચાર
૪૪૬-૪૭ (૩૧૯-૨૦+૧૨૭=૪૪૬-૪૭) આવે, જે તદ્દન અસંભવિત જણાય છે કેમ કે પશ્ચિમી ક્ષત્રપોનું શાસન તો ઈસ્વી ૪૧૫માં સમાપ્ત થઈ ગયું હતું, અને તે દરમિયાન અહીં ગુપ્ત રાજા કુમારગુપ્ત ૧લાનું (ઈસ્વી ૪૧૫-૪૫) રાજય હતું. આથી ગુપ્ત સંવતની શક્યતા રહેતી નથી.
હવે તો પછી, કલચુરિ સંવતના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરીએ. ઈસ્વી ૨૪૮થી શરૂ થયેલા કલચુરિ સંવતમાં વર્ષ ૧૨૭ ઉમેરતાં ઈસ્વી ૩૭૫ આવે. આમ તો, આ વર્ષ ક્ષત્રપ રાજાઓના રાજ્ય-અમલમાં બંધ બેસે છે. આથી કથિક નૃપના વર્ષ ૧૨૭ને કલચુરિ સંવતના ચોક્કામાં બરાબર યોગ્ય રીતે ગોઠવી શકાય. પરંતુ એસ. શંકરનારાયણન આ વર્ષ કલચુરિ સંવતનું ના હોવા વિશે ત્રણ કારણો પ્રસ્તુત કરે છે ૫ : (૧) દેવની મોરીના અસ્થિપાત્ર લેખના અક્ષરોને ચંદ્રગુપ્ત રજાના ગુપ્તસંવતના વર્ષ ૯૩ (ઈસ્વી ૪૧૨-૧૩)ના સાંચીના શિલાલેખના* તેમ જ અશોકના લેખવાળા જૂનાગઢના શૈલ ઉપરના સ્કંદગુપ્તના વર્ષ ૧૩૮ (ઈસ્વી ૪૫૭-૫૮)ના લેખના ૩૭ અક્ષરો સાથે સરખાવી તેઓ દેવની મોરીના લેખને પાંચમી સદીના ઉત્તરાર્ધમાં મૂકવા પ્રેરાય છે. પરંતુ આપણી વળતી દલીલ એ છે કે સાંચીના અને જૂનાગઢના લેખોના અક્ષરોમાં દેવની મોરીના લેખનું અનુકરણ કેમ ના હોઈ શકે ? ચંદ્રગુપ્ત રંજાનો મથુરાનો લેખ ઈસ્વી ૩૮૦નો છે અને છતાં એનાં લિપિશાસ્ત્રીય (Palaeographic) લક્ષણો કુષાણલેખોના (જ ઇસુની બીજી સદીના છે) જેવાં છે એવું દિનેશચંદ્ર સરકાર નોંધે છે. એટલે સાંચી-જૂનાગઢના લેખો પાંચમી સદીના હોવા છતાંય એનાં લિપિશાસ્ત્રીય લક્ષણો ચોથી સદીનાં હોઈ શકે અને તેથી શંકરનારયણનું મંતવ્ય સ્વીકારવા યોગ્ય જણાતું નથી. (૨) એમની બીજી દલીલ એ છે કે આભિલેખિક દસ્તાવેજો અથેતિ પદ્યમાં લખાવાની શરૂઆત, ખાસ કરીને ઉત્તર ભારતમાં ૩૯, ચોથી સદીમાં ગુપ્તોના પછી જ થઈ; અને આ રીતે ખાનગી સાહસમાં દાન આપવાનો રિવાજ પણ પાંચમી સદીમાં શરૂ થયો હોવાનું જણાય છે. અને આમ તેઓ દેવની મોરીના લેખને પાંચમી સદીમાં મૂકે છે. પરંતુ રુદ્રદામાં ૧લાના શૈલલેખમાંના સંસ્કૃત ગદ્યને અપવાદરૂપે અસાધારણ ગણવામાં આવે છે. તેમ દેવની મોરીના પદ્યલેખને પણ અપવાદ તરીકે સ્વીકારવામાં વાંધો નથી. વળી, એમણે જ નોંધ્યું છે કે ઉત્તર ભારતમાં ગુપ્તોના અભ્યદય પછી ચોથી સદીમાં અભિલેખો પદ્યમાં લખાવા શરૂ થયા. તો પ્રસ્તુત લેખ પણ ચોથી સદીનો છે. એટલે એમની આ દલીલ પણ શિથિલ જણાય છે. (૩) એમની ત્રીજી દલીલ એ છે કે પાંચમી સદી પૂર્વે આપણા દેશના જ્ઞાત સંવતો સાથે આ વંશનું કે આ પ્રદેશનું નામ સંલગ્નિત હોવાનું જણાતું નથી. આ વાતે તેઓ વિક્રમ-શક-ગુપ્ત-કલયુરિ સંવતોનાં દૃષ્ટાંત આપીને સાબિત કરે છે કે આ બધા સંવતોનાં જે તે નામકરણ પાંચમી સદી પૂર્વે અસ્તિત્વમાં ન હતાં. અને તેથી વર્ષ ૧૨૭, જે કથિક નૃપોનું છે તે પણ, પાંચમી સદીમાં આવી શકે. આ માટે તેઓ કથિક સંવતનો આરંભકાળ ઈસ્વી ર૭પથી ૩૫૦ વચ્ચે હોવાની કલ્પના કરે છે. પરંતુ અહીં એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે આ લેખમાં કથિક સંવતનો સ્પષ્ટ ઉલ્લેખ છે જ નહીં, ઉલ્લેખ તો છે કથિક નૃપોનો. એથી એમની આ દલીલ પણ તર્કશુદ્ધ જણાતી નથી. પરિણામે પ્રસ્તુત ત્રણેય દલીલોના સંદર્ભે તેઓ મહાતૂપનો સમય ઈસુની પાંચમી સદીના ઉત્તરાર્ધમાં મૂક્વા પ્રેરાય છે તે મત પણ સબળ જણાતો નથી.
For Personal & Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૪
ક્ષત્રપકાલીન ગુજરાત અત્યાર સુધીની ચર્ચાના પરિપ્રેક્ષ્યમાં એટલું સૂચિત થાય છે કે કથિક નૃપોનું વર્ષ ૧૨૭ કલયુરિ સંવતમાં બંધ બેસી શકે. પરંતુ અપરાન્તમાંથી ગુજરાત આવેલો આ સંવત દક્ષિણ ગુજરાત પૂરતો પ્રચારમાં સીમિત હતો. ઉત્તર ગુજરાતમાં તો ત્યારે ક્ષત્રપોનું શાસન પ્રવર્તતું હતું. વળી ત્યાં કલચુરિ સંવતનો પ્રસાર થયો હોય તેવો કોઈ નિર્દેશ તે પૂર્વે કે પછી ક્યાંય જોવો પ્રાપ્ત થતો નથી. તો પણ કથિક નૃપોનું વર્ષ ૧૨૭” એવો ઉલ્લેખ સૂચક તો ખરો જ. એમ પણ બને કે આ સંવત કથિકોએ પ્રવર્તાવ્યો હોય કે પ્રચલિત કર્યો હોય. વળી કલચુરિ સંવતનું અસલી નામ જાણમાં નથી. એ સંવત આભીરોએ શરૂ કર્યો હોય એવું ધારવામાં આવ્યું છે; અને પછી એને કથિકોએ પ્રચલિત કર્યો હોય એવું પણ સંભવે. છતાં કથિક નૃપોનો સંવત એ આ કલયુરિ સંવત હોય એમ નિશ્ચિત રીતે કહી શકાય નહીં.
આમ, કથિક નૃપોનું વર્ષ ૧૨૭ કોઈ પ્રચલિત જ્ઞાત સંવત સાથે સ્પષ્ટતઃ બંધબેસતું ન હોઈ એવું ફલિત થાય છે કે આ કોઈ તદ્દન ભિન્ન સંવત હોવો જોઈએ. તેમ હોય તો તેનો આરંભકાળ (epoch) ઈસ્વી ૧૪૭થી ૨૭૩ની વચ્ચે, સંભવતઃ ૨૨૫ની આસપાસ હોવાનું સૂચવાયું છે. પરંતુ એનો સ્પષ્ટ અને નિશ્ચિત આરંભકાળ નિર્ણિત કરાય નહીં ત્યાં સુધી મહાતૂપ અને મહાવિહારના સમયનિર્ણયમાં આ લેખમાંનું વર્ષ ઉપકારક થતું નથી. આથી આ સ્થળના ઉત્પનનકાર્ય દરમ્યાન પ્રાપ્ત ઠીંકરાં, સિક્કાઓ અને શિલ્પના નમૂનાઓના અર્થઘટનને આધારે એનો સમય નિશ્ચિત કરવાનો પ્રયાસ આપણે હવે કરીશું.
આપણે અવલોકી લીધું કે દેવની મોરીના મહાતૂપના અંડ નીચેથી પ્રથમ પીઠિકાના પેટાળમાંથી ક્ષત્રપોના ચાંદીના આઠ સિક્કાયુક્ત એક પાત્ર મળી આવ્યું હતું, જેમાં એક સિક્કો વિશ્વસનનો છે. આ રાજા મહાક્ષત્રપ ભર્તુદામાનો પુત્ર છે અને જેનો રાજ્ય-અમલ શક વર્ષ ૨૦૫થી ૨૨૬ ( ઈસ્વી ૨૮૩થી ૩૦૪) સુધીનો રહ્યો હતો. આથી આ મહાતૂપ વિશ્વસનના શાસનકાળ દરમ્યાન કે પછી ઈસુની ચોથી સદીના આરંભમાં બંધાયો હોવાનું સંભવતઃ અનુમાન થઈ શકે છે.
આ મહાતૂપના પેટાળમાંથી કમાનોના ટુકડાઓ, બુદ્ધની પ્રતિમાઓ અને અન્ય સુશોભિત પદાર્થો વિશેષ સંખ્યામાં હાથ લાગ્યા છે. આ બધા શિલ્પાવશેષ સ્તૂપના બાંધકામ દરમ્યાન વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લેવાયા હોવાનું જણાય છે ૫. આ અવશેષોનું સૂક્ષ્મ અવલોકન સૂચિત કરે છે કે તે બધા એક યા બીજી રીતે ખામી યુક્ત હતા અને તેથી એમ કહી શકાય કે આ પ્રતિમાઓના કલાકારોએ જ તેને બિનોપયોગી રાખવાને સ્થાને એનો અહીં ઉપયોગ કર્યો હતો. આ અવશેષોમાં બુદ્ધ પ્રતિમાઓ ગાંધાર પ્રકારના વાળની લાક્ષણિક પદ્ધતિ અને તેનાં ગુલ્ફાંગૂંચળાં (ringlets) ઈસુની ત્રીજીચોથી સદીનો સમય સૂચવે છે. ઉપરાંત કમાનો અને સુશોભિત પદાર્થોમાંય કુષાણ અને ગાંધાર કલાનાં શૈલી-લક્ષણો વ્યક્ત થાય છે તેમ જ પ્રતિમાઓ અને સુશોભિત આકૃતિઓ (motifs) પણ ત્રીજીચોથી સદીનાં હોવાનો સંભવ વિશેષ જણાય છે. તેથી આ શિલ્પાવશેષોની કલાપદ્ધતિ અને કલાકારીગરી પણ આ સૂપનો સમય ઈસુની ત્રીજીચોથી સદીનો હોવાનું સૂચવે છે. હાલ ઈન્વોટ૮ ગાંધાર કલાનાં શિલ્પોને ચાર વિભાગમાં મૂકે છે, એમાં ત્રીજો પ્રકારનો સમય ઈસ્વી ૩૦૦થી ૪૦૦નો વચ્ચેનો જણાવ્યો છે અને આ
For Personal & Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ચાર
૯૫
પ્રકારના શિલ્પોમાં ઉઘાડા પગ અને વેશભૂષાની જે લાક્ષણિક્તા છે તે આ ખોદકામમાંથી પ્રાપ્ત માટીકામ સાથે વધારે સામ્ય ધરાવે છે.
પ્રસ્તુત ચર્ચાત્તે એવું ફલિત થાય છે કે આ સ્તૂપ ઈસ્વી ૨૦૧થી ૪00ની વચ્ચેના ૯ કે ઈસ્વી ૩૦૧થી ૪૦૦ વચ્ચેના સમયગાળામાં બંધાયો હોય. પરંતુ સ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત ક્ષત્રપ રાજા વિશ્વસેનના સિક્કા ઉપરથી આ મહાતૂપના નિર્માણકાર્યની ઉપલી સમયમર્યાદા ઈસ્વી ૩૦૧થી ૩૨૫ની વચ્ચે હોવાનું સૂચવી શકાય. વળી દેવની મોરીના ઉત્પનનમાંથી ક્ષત્રપ સિક્કાઓનો એક વધુ નિધિ પણ હાથ લાગ્યો છે, જેમાં રુદ્રસેન ૩જા (શક વર્ષ ર૭૦-૩૦૨)ના સિક્કાનો સમાવેશ થાય છે. આ ઉપરથી આ મહાતૂપના બાંધકામની નીચલી સમયમર્યાદા ઈસ્વી ૩૫૦થી ૩૭૫ વચ્ચે મૂકી શકાય. આ બધાં અર્થઘટનોના આધારે એનો રચનાકાળ ચોથી સદીના પ્રથમ ત્રણ ચરણ દરમિયાન હોવાનું સંભવી શકે છે. જેના આશ્રયે આ મહાતૂપ બંધાયો હતો તે મહાવિહાર પણ આ સૂચિત સમયના પૂર્વાર્ધમાં, ખાસ કરીને ચોથી સદીના પ્રથમ ચરણમાં બંધાયો હોવો જોઈએ.
૦
છ
જ
પાદનોંધ ૧. દેવની મોરીનાં ઉત્પનનકાર્યના સંપૂર્ણ અધિકૃત અહેવાલ સારુ જુઓ : ૨ ના. મહેતા અને
સૂ.ના.ચૌધરી, એસ્કવેશન એટ દેવની મોરી, (હવે પછી દેવની મોરી) ૧૯૬૭, વડોદરા. આ લેખની પાંચ પંક્તિ પૈકી દાબડાની ઊભી સપાટી ઉપર ત્રણ પંક્તિ અને તળિયાની સપાટી ઉપર બે પંક્તિ ઉત્કીર્ણ છે. આમ તો સમગ્ર લેખ છ શ્લોકમાં સમાવિષ્ટ છે પણ પથ્થર ઉપરની કોતરણી જગ્યાના સંદર્ભમાં સળંગ કરી છે અને તેથી કુલ પંક્તિ પાંચ છે. આ પ્રથમ શ્લોક અનુષુપ છંદમાં છે. વ્યાકરણની દૃષ્ટિએ સંસ્કૃતમાં સવિશંતિ જોઈએ, જ્યારે છંદની દૃષ્ટિએ સતાં જરૂરી છે. આ શ્લોક અને ત્રણ, પાંચ અને છ શ્લોક એમ ચારેય શ્લોક આર્યા છંદમાં છે. એનું બંધારણ ૧૨, ૧૮ અને ૧૨, ૧૫નું છે (જુઓ : હ.ગં.શાસ્ત્રી અને પુ.ના.ભટ્ટ, વિદ્યાપીઠ, સળંગ અંક ૧, પૃષ્ઠ
૯). ૫,૬ અને ૧૨. આ ત્રણેયમાં પાઠ આ રીતે વાંચો : મહાતૂપમ્, વિપક્ષમ્યમ્ અને ગા. સામાન્યતઃ
સંસ્કૃત લખાણમાં હલત્ત વાક્યાત્તે આ રીતે પમ્ લખાય છે જ્યારે અન્યથા ૬ અનુસ્વારથી
સમજાવાય છે. ૭,૮, ઐતિહાસિક લેખના ચોથા શ્લોકમાં ઉતરાર્ધમાં અગાઉ ઋમ્પિત્તિ ૨ પાશક્તિ પટ્ટી એવો પાઠ બંધ
બેસાડાયો હતો (જુઓ મહેતા અને ચૌધરી, જોઈ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૭૫). પરંતુ આ પંક્તિનું પુનઃ નિરીક્ષણ કરાતાં પીને સ્થાને પડ્ડી હોવાનું સ્પષ્ટ થયું. આથી વાસુદેવ વિષ્ણુ મિરાશીએ પાશક્તિ અને પૂછું એ નામના બે સ્થપતિઓ હતા એમ સૂચવ્યું અને અગાઉ અવલોકાયેલા ક્રાન્તિ અને પાશાન્તિ% એ બે ગામોનાં નામ નહીં હોવાનું પ્રતિપાદિત થયું (જુઓ વિશ્વેશ્વરાનંદ ઇન્ડોલૉજિકલ રીસર્ચ જર્નલ, પુસ્તક ૩, ભાગ ૧, પૃષ્ઠ ૧૦૧-૦૪). આ લેખકને પણ પ્રત્યક્ષ સ્વનિરીક્ષણથી
મિરાશીનું વાંચન યોગ્ય જણાયું છે. ૯. આ શ્લોક ગીતિ છંદમાં અને એનું બંધારણ ૧૨, ૧૮ અને ૧૨, ૧૮નું છે. ૧૦. થ્રિત: જોઈએ.
For Personal & Private Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૬
ક્ષત્રપકાલીન ગુજરાત ૧૧. વ્યાકરણની રીતે મા. જોઈએ પણ છંદની દૃષ્ટિએ મદ. જરૂરી છે. ૧૩. જેઓ : જઓઈ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૭૪-૭૫ અને વિશ્વેશ્વરાનંદ ઈન્ડોલૉજિકલ રીસર્ચ જર્નલ, પુસ્તક - ૩, ભાગ ૧, પૃષ્ઠ ૧૦૧-૦૪. ૧૪. (૧) રાજા મહાક્ષત્રપ રુદ્રસિંહ ૧લાનો પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રસેન ૧લો (શક સંવત ૧૨૨થી ૧૪૪
= ઈસ્વી સન ૨૦૦થી ૨૨૨); (૨) રાજા ક્ષત્રપ વીરદામાનો પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રસેન રજો (શક સંવત ૧૭૭થી ૧૯૯ = ઈસ્વીસન ૨૫૫થી ૨૭૭); (૩) રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રદામા રજાનો પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસેન ૩જો (શક સંવત ૨૭૦થી ૩૦૨ = ઈસ્વીસન ૩૪૮થી ૩૮૦) અને (૪) રાજા મહાક્ષત્રપ સ્વામી સિંહસેનનો પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસેન ૪થો (શક સંવત
૩૦થી ૩૦૮ = ઈસ્વીસન ૩૮૪થી ૩૮૬ની વચ્ચે કોક સમયે). ૧૫. અને તે ગઢા (જિ. રાજકોટ)નો છે. જુઓ : ઇએ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૩૨ થી, ૧૮૭૩ અને એઇ.,
પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૩૮થી. ૧૬. જઓઇ., પુસ્તક ૧૨, નંબર ૨, પૃષ્ઠ ૧૭૩-૭૬. આ લેખકયે આ લેખ સાથે અસ્થિપાત્રનો ફોટોગ્રાફ
પાંચ ટુકડે પ્રકાશિત કર્યો છે; જેના આધારે પછીથી આ વિષયના વિદ્વાન અધ્યેતાઓએ કથિક નૃપો
અને રાજા રુદ્રસેન વિશે વિધવિધ અને વિભિન્ન મંતવ્યો પ્રસ્તુત કર્યા છે. ૧૭. જઓઈ., પુસ્તક ૧૪, નંબર ૩-૪, પૃષ્ઠ ૪૧૦ ઉપર ર.ના.મહેતાએ આ મુજબ નોંધ કરી ચૌધરીના
લેખનો (એજન, પુસ્તક ૯, પૃષ્ઠ ૪૫૧-૫૯) સંદર્ભ આપ્યો છે. પરંતુ ચૌધરીના લેખમાં તેઓ ઈસુની ત્રીજી સદીના પૂર્વાર્ધનો સમય સૂચિત કરે છે (એજન, પૃષ્ઠ ૪પ૯). પરંતુ ચૌધરીના લેખનો સર્વાગિણ અભ્યાસ કરતાં અને એમણે વિભિન્ન સાધનોને આધારે જે ઉપસંહાર પ્રસ્તુત કર્યો છે તે ધ્યાનમાં લેતાં તેમણે સૂચિત કરેલો સમય શરતચૂકથી થયો હોવાનું જણાય છે. તેમને સંભવતઃ ચોથી સદીના
પૂર્વાર્ધનો સમય અભિપ્રેત હોય એમ દેખાય છે અને તેથી મહેતાની નોંધ યથાર્થ જણાય છે. ૧૮. આ રાજાનો અદ્યાપિ એક જ સિક્કો પ્રાપ્ત થયો છે. આ સિક્કા ઉપરના લખાણમાં આ રાજાના નામનું
પૂર્વપદ દ્ર સુવાચ્ય નથી; છતાં શેષ લખાણના સંદર્ભમાં આ સિક્કો તેનો હોવાની બાબત રેપ્સન સ્વીકારે છે (કેટલૉગ, પ્રસ્તાવના ફકરો ૧૨૭). તેનો આ સિક્કો મહાક્ષત્રપ તરીકનો છે. તારીખ અવાચ્ય છે, તેથી તેના રાજય અમલનો સમય નિર્ણિત થઈ શક્તો નથી. એના પિતાના સિક્કાઓ ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૩૦૬ છે અને અનુગામી રાજા, સત્યસિંહના પુત્ર, રુદ્રસિંહ ૩જાના અમલના આરંભનું જ્ઞાત વર્ષ ૩૧૦ છે. આથી રુદ્રસેન ૪થાનો સમય પ્રસ્તુત બે મિતિ વચ્ચેના ગાળાના પૂર્વભાગમાં મૂકી શકાય; કેમ કે આ ગાળાના ઉત્તરભાગમાં સ્વામી સત્યસિંહનો અમલ શરૂ થઈ ગયો
હેય છે. ૧૯. જુઓ : એઇ., પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૩થી. ૨૦. જો કે આને અપવાદ ગણાવી શકાય; કેમ કે આ પહેલાંના નહપાનના સમયના શિલાલેખોમાં અને
તે પછીના અન્ય ક્ષત્રપ શિલાલેખોમાં આ બિરુદ પ્રયોજાયાં છે. ૨૧. મહાવિહાર અને મહાતૂપમાંથી બધા મળી ૬૯ સિક્કા મળ્યાં છે, જેમાં ૫૯ સિક્કા તો માત્ર ક્ષત્રપોના
છે (જુઓ : દેવની મોરી., પૃષ્ઠ ૧૦૪). ૨૨. જો આ રુદ્રસેન કથિક વંશનો હોય અને કથિક નૃપોની સત્તા ત્યારે અહીં પ્રવર્તતી હોય તો કથિક
રાજાઓનાં નામનિર્દેશવાળા સિક્કાઓ મળવા જોઈએ જે હજી સુધી ન કેવળ ગુજરાતમાંથી પણ
For Personal & Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ચાર
૯૭
આપણા દેશના કોઈ ભૂભાગમાંથી મળ્યા હોવાની કોઈ જાણકારી હાથવગી નથી. જો કે કલ્પી શકાય કે અહીં કથિકોનું રાજકીય પ્રભુત્વ સામંત સ્વરૂપનું હોય અને તેથી તેમણે પોતાના અધિપતિના
સિક્કાઓનું ચલણ ચાલુ રાખ્યું હોય. આ જો કે કલ્પનામાત્ર છે. ૨૩. વા.વિ.મિરાશી એવી એક અટકળ કરે છે કે આ રાજા રુદ્રસેન અને આભીર રાજા ઈશ્વરસેન ઉભયનાં
નામાંત સેન હોઈ પ્રસ્તુત રુદ્રસેન આભીરવંશનો રાજા હોય (જુઓ : વિશ્વેશ્વરાનંદ ઇન્ડોલૉજિકલ રીસર્ચ . જર્નલ, પુસ્તક ૩, ભાગ ૧, પૃષ્ઠ ૧૦૪). પરંતુ અહીં તો રાજા રુદ્રસેનના રાજયને કથિકનૃપોનું કહ્યું છે ત્યારે મિરાશીએ કથિક એ આભીર જાતિનું એક કુળ હોય એમ સૂચવીને આ વિરોધાભાસનું
સમર્થન કર્યું છે. ૨૪. જુઓ હવે પછી સમયાંકનની ચર્ચા આ જ પરિશિષ્ટના ઉત્તરાર્ધમાં. ૨૫. ઓઈ., પુસ્તક ૧૪, નંબર ૩-૪, પૃષ્ઠ ૩૩૬થી ૩૯. ૨૬. પાદનોંધ ૨૪ મુજબ. ૨૭. એસ. શંકરનારાયણનનું, જોઈ., અને કાફુ.સોમપરા, એજન, પૃષ્ઠ ૫૯થી ૬પ. ૨૮ અને ૨૯. એજન, પૃષ્ઠ ૭૧, પાદનોંધ ૩થી ઉપર. ૩૦. વિશ્વેશ્વરાનંદ ઈન્ડોલૉજિકલ રીસર્ચ જર્નલ, પુસ્તક ૩, નંબર ૧, પૃષ્ઠ ૧૦૪. ઉપરાંત જુઓ પાદનોંધ
૩૧. જઓઈ., પુસ્તક ૧૨, નંબર ૨, પૃષ્ઠ ૧૦૪. ઉપરાંત આ ગ્રંથમાં પ્રકરણ ૫. ૩૨. સોમપુરા કથિક વંશ એ બીજો કોઈ વંશ છે એમ સૂચવે છે (જુઓ : એજન, પુસ્તક ૧૫, નંબર ૧, | પૃષ્ઠ ૬૫થી). પરંતુ તે કયો રાજવંશ છે તે એમણે પુરવાર કર્યું નથી. ૩૩. જુઓ : જોઇ., પુસ્તક ૧૫, નંબર ૧, પૃષ્ઠ ૬૬થી. ૩૪. સૂ.ના. ચૌધરી, એજન, પુસ્તક ૯, નંબર ૪, પૃષ્ઠ ૪૫૮-૫૯. ૩૫. એજન, પુસ્તક ૧૫, નંબર ૧, પૃષ્ઠ ૬૬થી ૬૮. ૩૬. કાઁઈઇ., પુસ્તક ૩, પૃષ્ઠ ૨૯થી ૩૪, પ્લેટ ૩બી. ૩૭. એજન, પૃષ્ઠ પદથી ૬૫ અને પ્લેટ ૮. ૩૮. જઓઈ., પુસ્તક ૧૪, નંબર ૩-૪, પૃષ્ઠ ૩૪૮. ૩૯, દક્ષિણ ભારતમાં નાગાર્જુની કાંડનો દસ્તાવેજ સંપૂર્ણ પદ્યમાં છે અને ઈસુની ત્રીજી સદીનો છે (એઈ.,
પુસ્તક ૩૫, પૃષ્ઠ ૧૭-૧૮). આ હકીકત એમના ધ્યાનમાં છે, છતાં એ બાબતે તેઓ ઉજાગર થયા નથી. દક્ષિણ ભારતમાંથી ત્રીજી સદીનો પદ્યનો આભિલેખિક પુરાવો મળ્યો છે તેમ પશ્ચિમ
ભારતમાંનો ચોથી સદીનો આ આભિલેખિક નમૂનો અસંભવિત નથી. ૪૦. ઓઈ., પુસ્તક ૧૫, નંબર ૧, પૃષ્ઠ ૭૨. ૪૧. એજન, પૃષ્ઠ ૬૬. ૪૨. મેવાસાના શિલાલેખમાં આભીરના નિર્દેશના આધારે બી. એન. મુખરજીએ તેમાં ઉલિખિત વર્ષને
કલયુરિ સંવતનું હોવાનું કહ્યું છે (જરૉએસો., પૃષ્ઠ ૧૦૬થી ૧૪). પણ પ્રસ્તુત સમગ્ર લેખનો પાઠ અને એનો અર્થ સંદિગ્ધ હોઈ, મુખરજીનો આ તર્ક દ્રાકૃષ્ટ જણાય છે. (જુઓ : રસેશ જમીનદાર, ધ મેવાસા ઇસ્ક્રિપ્શનઃ એ રીએપ્રાયઝલ', પંચાલ, ખંડ ૭, ૧૯૯૪, પૃષ્ઠ ૧૧પથી ૧૧૭). બાકી. ક્ષત્રપોના બધા લેખ શક સંવતના હોઈ, માત્ર આભીરના ઉલ્લેખથી આવું અનુમાન તારવવું મુશ્કેલ
For Personal & Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૮
ક્ષત્રપકાલીન ગુજરાત જણાય છે. ૪૩. જોઈ., પુસ્તક ૧૫, નંબર ૧, પૃષ્ઠ ૬૪-૬૫ અને ૭૧-૭૨. ૪૪. સોમપુરા, એજન, પૃષ્ઠ ૬૫. શંકરનારાયણનું ઈસ્વી ૨૭૫થી ૩૫૦ની વચ્ચે કથિક સંવતના
આરંભકાળને સૂચવે છે (જુઓ અગાઉની પાદનોંધ ૪0). ૪૫થી૪૭. ર.ના.મહેતા, એજન, પુસ્તક ૧૪, નંબર ૩-૪, પૃષ્ઠ ૪૧૨. ૪૮. ગાંધારન આર્ટ ઈન પાકિસ્તાન, ૧૯૫૭, પૃષ્ઠ ૩૧-૩૨, ૪૦. ૪૯. જો અસ્થિપાત્રમાં ઉલ્લિખિત વર્ષ ૧૨૭ શક સંવતનું હોવાનું વિચારીએ તો. ૫૦. સૂપમાંથી પ્રાપ્ય કલાના અવશેષોની શૈલી ધ્યાનમાં લઈ તેને ગાંધારકલા સાથે સરખાવીએ તો.
For Personal & Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છ
ક્ષહરાતવંશ : આરંભ અને અંત
ભૂમિકા
આપણા દેશના ઐતિહાસિક યુગમાં પ્રાકૃગુપ્તકાલ દરમ્યાન મૌર્ય સામ્રાજયના અસ્ત પછી કોઈ કેન્દ્રસ્થ રાજસત્તા હોવાનું જણાતું નથી. મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી આપણો દેશ નાનાંમોટાં અનેક સ્વતંત્ર રાજયોમાં વિભાજિત હતો. ઈસુનાં આરંભનાં બેક શતક દરમ્યાન ઉત્તર ભારત કુષાણવંશી રાજાઓની સત્તા હેઠળ અને દક્ષિણ ભારતનો મોટો ભૂભાગ સાતવાહન શાસકોની સત્તા નીચે હતો ત્યારે આપણા દેશના પશ્ચિમ ભૂભાગ તેમ જ ઉત્તર અને દક્ષિણને જોડતા કેટલાક વિસ્તારો ઉપર શક જાતિના ક્ષત્રપ રાજાઓની આણ પ્રવર્તતી હતી. આમ, અનુમૌર્યકાલ અને પ્રાકૃગુપ્તકાલ વચ્ચેના સમયપટ ઉપર આપણો દેશ રાજકીય પરિપ્રેક્ષ્યમાં સંખ્યાતીત રાજસત્તાઓમાં વિભાજિત હતો ત્યારે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભૂભાગ ઉપર કેન્દ્રસ્થ નહીં છતાં ખૂબ જ પ્રભાવશાળી અને સમક્ષ એવી ત્રણ રાજસત્તાઓએ (કુષાણો, પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનો) આપણા દેશના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના તાણાવાણાને સુદઢ રીતે વણાટમાં લઈને સુઘટ્ટ પોત તૈયાર કર્યું હતું જેને પરિણામે ઈસુની આરંભની ત્રણ સદીઓ દરમ્યાન આપણો દેશ વાણિજિયક અને આર્થિક ક્ષેત્રોમાં અભ્યદયથી વરેણ્ય બન્યો હતો. હરાત વંશ
આપણે અવલોકી ગયા કે પશ્ચિમી ક્ષત્રપોની વંશાવળીમાં કુલ છ કુળો અસ્તિત્વ ધરાવતાં હતાં. આમાંનું પહેલું કુળ ક્ષહરાત વંશના રાજાઓનું હતું. અત્યાર સુધીમાં સંપ્રાપ્ત સામગ્રીના આધારે કહી શકાય કે ક્ષહરાત વંશે ગુજરાતમાં ક્ષત્રપ રાજયનો આરંભ કર્યો હતો. આપણે એ પણ નોંધ્યું છે કે ગુજરાતમાંના પશ્ચિમી ક્ષત્રપોના શાસનનાં ઇતિહાસ અને સંસ્કૃતિને સમજવા સારુ તે રાજાઓએ પડાવેલા અને ઘણી મોટી સંખ્યામાં ઉપલબ્ધ થયેલા સિક્કાઓ, થોડા પ્રમાણમાં પ્રાપ્ત પાષાણલેખો અને સમકાલીન-અનુકાલીન સાહિત્યમાંથી મળતી માહિતી તેમ જ થોડાંક સ્મારકો ઉપયોગી નીવડ્યાં છે. ક્ષહરાત વંશના ઇતિહાસના નિરૂપણમાં પણ આ બધાં જ્ઞાપકો ખસૂસ ઉપકારક થયાં છે. આ વંશના રાજાઓ
આભિલેખિક સામગ્રીથી આપણા દેશમાંના ક્ષહરાત વંશોના કુલ પાંચ રાજાઓની માહિતી અદ્યાપિ ઉપલબ્ધ છે. તક્ષશિલાના બે, મથુરાનો એકર અને ગુજરાતના બે.
ગુજરાતના ક્ષહરાત રાજાઓ પૈકી એકનું નામ ભૂમક છે અને બીજાનું નામ નહપાન. ભૂમકની માહિતી એના સિક્કાઓથી પ્રાપ્ત થાય છે, આનુશ્રુતીક સાહિત્યમાં ક્યાંય ભૂમકનો
For Personal & Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ક્ષત્રપકાલીન ગુજરાત ઉલ્લેખ નથી તેમ જ એના અનુગામી નહપાનના સમય ગુફાલેખોમાંય કોઈ રીતે એનો નિર્દેશ નથી. એના સિક્કામાં એના પિતાનું નામ કે સમય નિર્દેશક વર્ષ આપેલાં નથી. નહપાનની માહિતી માટે એના પોતાના સિક્કા, એના સમયના ગુફાલેખો અને અનુકાલીન સાહિત્ય આપણને ઉપયોગી નીવડે છે. એના સિક્કામાં પણ એના પિતાના નામનો ઉલ્લેખ ક્યાંય નથી તેમ જ એના સિક્કાઓમાં મિતિનિર્દેશ નથી. ફક્ત એના શિલાલેખોમાં વર્ષ ૪૧, ૪૨, ૪૫ અને ૪૬ ઉત્કીર્ણ છે. ભૂમક
સિક્કાઓમાં તેને એક જગ્યાએ છત્ર છારીત તરીકે, તો બીજી જગ્યાએ હરાત ક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે, અનુક્રમે ખરોષ્ઠીમાં અને બ્રાહ્મીમાં. આથી તે ક્ષહરાત વંશનો હોવાનું નિશ્ચિત બને છે.
ભૂમકને કેટલાક અધ્યેતાઓ ચાષ્ટનના પિતા સામોતિક સાથે સરખાવે છે : સિલ્વીન લેવીના મત મુજબ શક સામતિનું ભારતીયરૂપ ભૂમિકા છે. આ સૂચન ધ્યાનમાં લઈ સ્ટેન કોનો એવી અટકળ કરે છે કે નહપાન ચાષ્ટનના કાકા હોઈ શકે. ઉભયના મત મુજબ શક શબ્દ સમનો ભારતીય પર્યાય બૂમ થાય છે. તેથી બૂમ એ સામતિનું સંસ્કૃતરૂપ છે. આમ, આ બંને મંતવ્યોના પરિપ્રેક્ષ્યમાં ભૂમકનું સ્થાન નહપાન અને ચાષ્ટનની વચ્ચે આવે તો ભૂમકને ચાટનનો પિતા અને નહપાનને ભૂમકનો અગ્રજ ગણવો જોઈએ. આ દષ્ટિએ નહપાન ભૂમકનો અનુગામી નહીં પણ પુરોગામી હોવાનું સૂચવાય; પરંતુ વસ્તુતઃ નહપાન ભૂમકનો અનુગામી છે એ તો નિશ્ચિત થયું છે. વળી, ભૂમકે રાજય કર્યું અને સિક્કા પડાવ્યા, જયારે સામોતિકે રાજય કર્યું હોવાના કોઈ પુરાવા હજી પ્રાપ્ત થયા નથી. ભૂમક ક્ષહરાત વંશનો હતો પણ સામોતિક એ જ વંશનો હતો એવાં કોઈ પ્રમાણો હાથવગાં થયાં નથી”. આમ, ભૂમક અને સામોતિક એક જ વ્યક્તિ છે એવું દર્શાવતા સીધા પુરાવા સાંપડે નહીં ત્યાં સુધી કોઈ નિર્ણયાત્મક સંભવ રજૂ થઈ શકે નહીં. આમ, સ્ટેન કોનોનું મંતવ્ય તર્કશુદ્ધ જણાતું નથી.
ભૂમક ચાષ્ટનનો પિતા છે એ મંતવ્ય સ્વીકારીએ તો ભૂમક અને નહપાન વચ્ચે કદાચ અગ્રજ-અનુજનો સંબંધ હોઈ શકે. તદનુસાર પહેલાં ભૂમક રાજા થયો હોય, પછી એનો અનુજ નહપાન ગાદીએ આવ્યો હોય અને નહપાન અપુત્ર હોવાથી ગાદી ભૂમક(સામોતિક)ના પુત્રને મળી હોય એવો ક્રમ સંભવે; અને તો જ ભૂમક-નહપાનનો શાસનકાલ અને ભૂમક-ચાટનનો પિતા-પુત્ર સંબંધ એ બંને સમીકરણ બંધ બેસે. પરંતુ ભૂમક-નહપાન લહરાત કુળના હતા, જયારે સામોતિક-ચાન્ટન ભિન્ન કુલના. આથી, આવા કુળભેદને લઈનેય સ્ટેન કોનોનો અભિપ્રાય અસ્વીકાર્ય રહે છે. આથી સ્પષ્ટ થાય છે કે ભૂમક અને સામોતિક બંને ભિન્ન વ્યક્તિઓ હતી. ભૂમક અને નહપાન
ભૂમકના સિક્કામાંના લખાણના અક્ષરોના મરોડનું કદ પ્રમાણમાં મોટું અને એની પંક્તિઓ જાડી તથા લગભગ કાટખૂણે કાપતી આડી અને ઊભી છે; જયારે નહપાનના
For Personal & Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭
૧૦૧
સિક્કાલેખોના અક્ષરોના મરોડમાં વળાંક દાખલ થયેલો જોવા મળે છે અને કદનું પ્રમાણ ભૂમકના અક્ષરોના કદ કરતાં થોડું નાનું દેખાય છે. વળી નહપાનના સિક્કાના અગ્રભાગે સૌ પહેલીવાર રાજાની મુખાકૃતિ જોવા મળે છે, જે ભૂમકના સિક્કામાં જોવા મળતી નથી. ઉપરાંત ભૂમકના સિક્કાના અગ્રભાગનું અનુકરણ નહપાનના સિક્કાઓના પૃષ્ઠભાગે જોવું પ્રાપ્ત થાય છે. આ હકીકતો ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભૂમક નહપાનનો પુરોગામી હતો.
ક્ષહરાતોના પ્રદેશ સાતવાહન ગૌતમીપુત્ર શાતકર્ણિએ લઈ લીધા અને પછીથી એમાંના કેટલાક પ્રદેશ સાતવાહનો પાસેથી ચાખનાદિ ક્ષત્રપોએ પાછા મેળવ્યા એ હકીકતને લક્ષમાં લેતાં નહપાન ચાષ્ટનનો સીધો પુરોગામી હોવાનું સ્પષ્ટ થાય છે.
નહપાન તથા ચાટન તેમ જ ચાષ્ટનના વંશજોના સિક્કાઓના અગ્રભાગે રાજાની મુખાકૃતિ અવશ્ય અંકિત થયેલી હોય છે; જ્યારે ભૂમકના સિક્કાઓ ઉપર મુખાકૃતિનો અભાવ છે. આથી ભૂમક નહપાનનો પુરોગામી અને નહપાન ચાષ્ટનનો પુરોગામી હોય એ ક્રમ વધુ સ્પષ્ટ થાય છે. ભૂમકનો સમય
આ રાજાના સિક્કા સમયનિર્દેશ વિનાના છે, પરંતુ એના અનુગામી અને પ્રાય: એના ઉત્તરાધિકારી નહપાનના સમયના આઠ ગુફાલેખોમાંથી કેટલાકમાં વર્ષનો નિર્દેશ છે. આ વર્ષોના આધારે તેમ જ અન્ય જ્ઞાપકો ઉપરથી નહપાનનો સમય નિશ્ચિત કરી, એના પુરોગામી ભૂમિકના સમય-નિર્ણયનું અનુમાન કરી શકાય.
ભૂમકના ઉપલબ્ધ સિક્કાઓનું અલ્પ-સંખ્યા-પ્રમાણ જોતાં એણે બહુ લાંબો સમય રાજ્ય કર્યું હોય એ સંભવિત જણાતું નથી. નહપાનના સમયના શિલાલેખોમાં નિર્દિષ્ટ વર્ષો રાજ્યકાલનાં હોવાનું આપણે અવલોકી ગયા છીએ અને નહપાનના સંદર્ભે આ બાબત હવે વર્ણવીશું. એના લેખોમાં દર્શાવેલું મોડામાં મોડું જ્ઞાત વર્ષ ૪૬ છે. આથી એણે ઓછામાં ઓછું ૪૬ વર્ષ તી રાજ્ય કર્યું હોવું જોઈએ.
જો નહપાનનું રાજ્ય ચાન્ટનના રાજમારોહણ પૂર્વે સુરતમાં જ પૂરું થયું હોય અને ચાષ્ટનનું રાજ્ય શક વર્ષ ૧(ઈસ્વી ૭૮)થી શરૂ થયું હોય તો નહપાનનો રાજયકાલ લગભગ ઈસ્વી ૩૨થી ૭૮નો અથવા જો જૈન પરંપરા મુજબ ચાલીસ વર્ષ તેણે રાજય કર્યું એમ સ્વીકારીએ તો ઈસ્વી ૩૮થી ૭૮નો ગણી શકાય, (જુઓ હવે પછી “નહપાનનો સમયનિર્ણયનો મુદો) અને તેના પુરોગામી ભૂમકનો સત્તાકાલ કાં તો લગભગ ઈસ્વી ૨૩થી ૩૨નો, કાં તો ઈસ્વી ૩૨થી ૩૮નો૩ હોવા સંભવે. રાજયવિસ્તાર
- ભૂમકના સિક્કાઓ ગુજરાત, માળવા, અજમેર વગેરે સ્થળોએથી પ્રાપ્ત થયા છે, તેથી તેની સત્તા તે તે પ્રદેશો પર હોવાનું સૂચવી શકાય; છતાં સિક્કાની પ્રાપ્તિ મૂળ સ્થાનેથી થયેલી ના હોય તો તેનાં અર્વાચીન પ્રાપ્તિ સ્થાનો ઉપરથી આવું ખાતરીપૂર્વકનું અનુમાન કરવું મુશ્કેલ ગણાય.
For Personal & Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૨
નહપાન
સાહિત્યિક અને પુરાવસ્તુકીય એમ ઉભય પ્રકારનાં સાધનો ક્ષહરાત વંશના બીજા રાજા અને પ્રાયઃ છેલ્લા રાજા તેમ જ ભૂમકના ઉત્તરાધિકારી શાસક અને ચાષ્ટનના પુરોગામી રાજા નહપાનની રાજકીય અને સમકાલીન સંસ્કૃતિ વિશે કેટલીક ઉપાદેયી સામગ્રી સંપડાવી આપે છે. સાહિત્યિક સાધનોમાં આવશ્યસૂત્રનિર્યુત્તિ, તિતોયપત્તિ, હરિવંશ પુરાણ (જિનસેન) વિચારશ્રી (મેરુતુંગાચાર્ય), વાયુપુરાળ, પેરિપ્લસ અને આઇ-ને-અકબરીનો સમાવેશ થાય છે૫. આવશ્ય-મૂત્રનિર્મુત્તિમાંની કથાનુસાર, વાળ તે નહપાન અને સાતવાહન તે સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિ હોવાનું ઘણા ઇતિહાસકારો સ્વીકારે છે. આ કથામાંની અન્ય વિગતો
છોડી દઈએ તોય નહપાન અને સાતવાહન રાજા સમકાલીન હતા તથા સાતવાહન રાજાએ નહપાનને હરાવેલો એ બે વિગતો ઐતિહાસિક જણાય છે.
ક્ષત્રપકાલીન ગુજરાત
બીજા એક જૈન ગ્રંથ તિલોયપત્તિમાં મહાવીરના નિર્વાણ સમયે પાલકનો રાજ્યાભિષેક થયો, તેણે ૬૦ વર્ષ રાજ્ય કર્યું. પછી ૧૫૫ વર્ષ વિજયવંશી રાજાઓએ, ૪૦ વર્ષ મુરુણ્ડવંશીઓએ, ૩૦ વર્ષ પુષ્પમિત્રે, ૬૦ વર્ષ વસુમિત્ર-અગ્નિમિત્રે, ૧૦૦ વર્ષ ગંધર્વ રાજાઓએ અને ૪૦ વર્ષ નરવાહને રાજ્ય કર્યું એવી માહિતી આપણે મેળવીએ છીએ. આમ, આ ગ્રંથમાંય પરવાળ(નરવાહન-નહપાન)નો ઉલ્લેખ છે. પેરિપ્લસમાં નામ્બુનસ રાજાનો નિર્દેશ છે૧. આ નામ્બુનસ તે નહપાન છે એવું ઘણાખરા વિદ્વાનો માને છે.
પુરાવસ્તુકીય સાધનોમાં નહપાને પડાવેલા સિક્કાઓ અને એના સમયના આઠ ગુફાલેખોનો સમાવેશ થાય છે. સિક્કાઓથી નહપાન વિશે, એના રાજ્યવિસ્તાર વિશે અને સમકાલીન સાતવાહન રાજા વિશે માહિતી પ્રાપ્ય થાય છે; તો એના સત્તાકાલ વિશે ગુફાલેખો ઉપકારક માહિતી સંપડાવી આપે છે. તત્કાલીન કેટલીક સાંસ્કૃતિક માહિતી પણ અભિલેખોથી સંપ્રાપ્ત થાય છે. સિક્કાઓ એના વંશ અને ગુફાલેખો એની જાતિ તેમ જ વંશ વિશે માહિતી આપે છે.
એનાં બિરુદ
એના ચાંદીના સિક્કાલેખોમાં, ગ્રીક, બ્રાહ્મી અને ખરોષ્ઠી એ ત્રણેયમાં, એના માટે રાનાનું વિશેષણ પ્રયોજાયું છે; ક્ષત્રપ કે મહાક્ષત્રપનું બિરુદ એના એકેય પ્રકારના સિક્કામાં અભિવ્યક્ત થયેલું નથી. પરંતુ એના જમાઈના નાસિક અને કાર્લાના ગુફાલેખોમાં રાનાના વિશેષણ સાથે ક્ષત્રપનું વિશેષ બિરુદ વપરાયું છે. એના અમાત્ય અયમના જુન્નરના ગુફાલેખમાં રાનાની સાથે વધારામાં બે બિરુદ મહાક્ષત્રપ અને સ્વામી પ્રયોજાયેલાં છે. આમ, રાજા, ક્ષત્રપ, મહાક્ષત્રપ અને સ્વામી એમ ચાર બિરુદ નહપાન માટે પ્રયોજાયાં હોવાનું સ્પષ્ટ થાય છે.
સિક્કાઓ એને માત્ર રાના તરીકે ઓળખાવે છે તેમ એના જમાઈ અને અમાત્યના
શિલાલેખોમાંય રાનાનું બિરુદ છે; પરંતુ શિલાલેખોમાં આ બિરુદ ઉપરાંત ક્ષત્રપ, મહાક્ષત્રપ અને સ્વામી બિરુદ પ્રયોજાયાં હોઈ એવું અનુમાન થઈ શકે કે આ ચારેય બિરુદ એના કોઈ ચોક્કસ અર્થમાં નહિ પણ શિથિલ રીતે વપરાયાં હોવાનું વધુ સંભવિત જણાય છે. ઉષવદાત્ત એનો
For Personal & Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છ
જમાઈ હોવાથી એનો નજીકનો સગો કહેવાય, એટલે એ પોતાના સસરા પ્રત્યેના માનને કારણે રાના સાથે ક્ષત્રપનું બિરુદ કોઈ ચોક્કસ અર્થને સ્થાને માનાર્થે રાનાના પર્યાય તરીકે ઉપયોગે એ સ્વાભાવિક છે. એવી રીતે અમાત્ય પોતાના અધિપતિ(માલિક) માટે માનસૂચક મહાક્ષત્રપ બિરુદ ઉપયોગે તો તેય સહજ છે. આમા આ બંને બિરુદ અહીં રાજાના સમાનાર્થી જેવાં છે. છતાં મહાક્ષત્રપનું બિરુદ નહપાનના રાજ્ય-અમલના પ્રાયઃ અંતિમ વર્ષમાં પ્રયોજાયું હોઈ એવો સૂચિતાર્થ થઈ શકે કે એ સમયે આપણા દેશના રાજાઓ મહારાનના બિરુદથી ઓળખાતા હોય અને તેથી નહપાને મહારાજ્ઞના પર્યાય તરીકે મહાક્ષત્રપનું બિરુદ પ્રચલિત કર્યું હોય; અર્થાત્ એણે રાનાનું મહારાન રૂપ ન સ્વીકારતાં ક્ષત્રપ રૂપ સ્વીકાર્યું હોવાનું જણાય છે.
એના રાજ્ય-અમલનો સમય
૧૦૩
એના સત્તાકાલની સમયાવધિ નિર્ણિત કરવાનાં સાધનો મર્યાદિત અને સંદિગ્ધ છે. મિતિ નિર્દેશ વિનાના એના સિક્કાલેખોનું બાહુલ્ય જરાય ઉપકારક થતું નથી. જોગલથમ્બી નિધિના નહપાનના સિક્કાઓમાંથી બે તૃતીયાંશ જેટલા સિક્કાઓ ઉપર આંધ્રના સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણએ પોતાની છાપ અંકિત કરી હોઈ બંનેની સમકાલીનતા નહપાનના સત્તાસમયને જાણવામાં ઉપાદેયી બની રહે છે; પરંતુ આંધ્રના સાતવાહન શાસકોના સત્તાકાલ સારુ વિદ્વાનોમાં ઘણો મતભેદ પ્રવર્તે છે. તો સાતવાહન રાજાઓના સમયને નિર્ણિત કરવા કાજે કેટલાક વિદ્વાનો ક્ષત્રપ રાજાઓનું અટામણ લે છે. એટલે ક્ષહરાત વંશ અને સાતવાહન વંશની સમકાલીનતા નહપાનના સત્તાકાલને જાણવામાં (એટલે કે સિક્કાઓ) પણ ઉપયોગી થતી નથી; કેમ કે આ બાબત ‘બીજાંકુર ન્યાય’ જેવી છે.
જિનસેનના હરિવંશ-પુરાણમાંની અને પટ્ટાવત્તિ-થામાંની માહિતી નહપાને કેટલો સમય રાજ્ય કર્યું એનો નિર્દેશ કરે છે. આ બંને સાહિત્યિક સ્રોત નહપાનને ઈસ્વીપૂર્વ ૧૦૦થી ૫૮ની વચ્ચે અધિપતિ હોવાનું સૂચવે છે. પુરાણો એને છેલ્લા શૃંગ રાજાઓના (ઈસ્વીપૂર્વની પ્રથમ સદીમાં) સમયમાં સત્તાધીશ હોવાનું જણાવે છે. પરંતુ તેથી તે ચોક્કસ કયા સમયગાળા દરમ્યાન વિદ્યમાન હતો તે નિશ્ચિત થતું નથી. આમ, આનુશ્રુતીક સાહિત્યથી પણ એનો સમયનિર્ણયનો ઉકેલ હાથવગો થતો નથી.
પેરિપ્લસમાં રાજા નામ્બુનસનો ઉલ્લેખ નહપાનના સંદર્ભમાં થયો હોવાનું વિદ્વાનો હવે સ્વીકારે છે. પેરિપ્લસનો સમય એમાં ઉલ્લિખિત રાજાઓના આધારે નિશ્ચિત કરવાના પ્રયાસ થયા છે. પરિણામે વિભિન્ન વિદ્વાનોએ એનો ભિન્ન ભિન્ન રચનાકાળ દર્શાવ્યો છે૫. પરંતુ મોટાભાગના વિદ્વાનો એની રચના ઈસુની પહેલી સદીના ઉત્તરાર્ધમાં થઈ હોવાનો અભિપ્રાય ધરાવે છે. આથી, નહપાનને પેરિપ્લસનો સમકાલીન ગણી ઈસુની પહેલી સદીના ત્રીજા-ચોથા ચરણ દરમ્યાન વિદ્યમાન હોવાનું જણાવે છે, જે બાબત સ્વીકાર્ય બનતી નથી કેમ કે ઈસુના પ્રથમ શતકના ચોથા ચરણમાં તો કાર્દમક વંશના રાજાઓનો સત્તાકાલ આરંભ થઈ ચૂક્યો હોય છે. આથી, પેરિપ્લસનો આધાર પણ ‘બીજાંકુર ન્યાય' (argument in a circle) જેવો હોઈ પૂર્ણપણે શ્રદ્ધેયતાથી સ્વીકારી શકાય નહીં.
For Personal & Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ક્ષત્રપકાલીન ગુજરાત ગુફાલેખોમાં નિર્દિષ્ટ વર્ષો કયા સંવતનાં ?
નહપાનના સમયના આઠ ગુફાલેખોમાં નિર્દિષ્ટ વર્ષ ૪૧, ૪૨, ૪૫ અને ૪૬ એના શાસનકાલને જણાવાનું મહત્ત્વનું સાધન છે. આ વર્ષો કયા સંવતનાં છે એ સારુ ચાર સૂચિતાર્થ અત્યાર સુધીમાં અભિવ્યક્ત થયા છે : પ્રાચીન શક સંવત, વિક્રમ સંવત, શક સંવત અને રાજયકાલનાં વર્ષ. હવે આ અભિપ્રાય અહીં અવલોકીએ.
પ્રાચીન શક સંવત : આ મતના પ્રવર્તક છે જાયસ્વાલ અને સ્ટેન કોનો. પ્રાચીન શક સંવતનો આરંભ ઈસ્વીપૂર્વ ૧૨૩માં થયો હોવાનું સ્વીકારીને જાયસ્વાલે નહપાનને ઈસ્વીપૂર્વ ૮૨થી ૭૭ સુધી રાજય કર્યું હોય એવો અભિપ્રાય આપ્યો છે. આ સંવતનો પ્રારંભ ઈસ્વીપૂર્વ ૮૩માં થયો છે એવું માની સ્ટેન કોનો નહપાનને ઈસ્વીપૂર્વ પ૭ની આસપાસ મૂકે છે. ઉભયને અનુમોદન આપી સત્યશ્રાવ પણ નહપાનના ગુફાલેખોમાંના વર્ષને પ્રાચીન શક સંવતના હોવાનું સ્વીકારે છે.
પરંતુ નહપાનના સત્તાકાલને ઈસ્વીસનની પૂર્વે મૂકી શકાય નહીં. આ વિદ્વાનો પણ સંવતના આરંભકાળ વિશે એક મત નથી. વસ્તુતઃ તો પ્રાચીન શક સંવતની શરૂઆત ઈસ્વીપૂર્વ ૭૧ કે ૬૧માં થઈ હોવાની સામાન્ય માન્યતા છે. આથી, નહપાનના ગુફાલેખોમાંનાં વર્ષ પ્રાચીન શક સંવતનાં હોવાનું મંતવ્ય સ્વીકાર્ય જણાતું નથી. | વિક્રમ સંવત : આ મતના મુખ્ય પ્રવર્તક છે સર એલેકઝાંડર કનિંગહમ. એમને અનુસરી સ્ટેન કોનો, બખલે, ડ્યુબ્રેઈલ, નીલકંઠ શાસ્ત્રી જેવા વિદ્વાનો પણ આવો મત દર્શાવે છે ૯. નહપાનના સમયનાં સ્થાપત્યનાં લક્ષણો, શિલાલેખોની લિપિના અક્ષરોની શોડાસના મથુરાના લેખોની લિપિના અક્ષરો સાથેની સમકાલીનતા, નહપાનનું છેલ્લું જ્ઞાત વર્ષ ૪૬ અને આંધ લેખોમાંનું વર્ષ પર તેમ જ એ બંને વર્ષ વચ્ચેના છ વર્ષના ગાળામાં બનેલા બનાવોને ૩૦ ગોઠવવાની અશક્યતા વગેરે જેવા મુદ્દાઓની છણાવટ કરી તથા વિક્રમ સંવતનો આરંભ નહપાનના રાજયકાલથી થયો હોવાનું માની આ વિદ્વાનો નહપાનના શાસનકાલને વિક્રમ સંવતી ગણતરીએ ઈસ્વીપૂર્વ પ૮થી ૧૨ દરમ્યાન ગોઠવે છે.
* પરંતુ આપણે નોંધ્યું તેમ દોલતપુર અને આન્ધૌમાંથી હાથ લાગેલા ચાષ્ટનના સમયના યષ્ટીલેખોમાં નિર્દિષ્ટ વર્ષ ૬ અને ૧૧ને ધ્યાનમાં લેતાં નહપાનના રાજ્યના અંત અને ચાષ્ટનના શાસનના આરંભ વચ્ચે આશરે સો વર્ષનો ખાલી ગાળો રહેલો જણાય છે. ક્ષહરાત રાજ્યનું ઉમૂલન કરનાર ગૌતમીપુત્ર અને ક્ષહરાત રાજ્યના પ્રાપ્ત કરેલા પ્રદેશમાંના ઉત્તર તરફના વિસ્તારો ગુમાવી દેનાર વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ કે વાસિષ્ઠીપુત્ર શાતકર્ષિના સમય વચ્ચેનું ટૂંકું અંતર લક્ષ્યમાં લેવાથી ઉક્ત લાંબો ગાળો સંભવિત જણાતો નથી. તેથી નહપાનના સમયના ગુફાલેખોમાંનાં વર્ષ વિક્રમ સંવતના ચોકઠામાં ગોઠવી શકાતાં નથી.
શક સંવત : રેપ્સન આ મતના મુખ્ય પ્રવર્તક છે. ચાખનાદિ વંશોના રાજાઓના સિક્કામાં પ્રયોજાયેલો સંવત નહપાનના લેખોમાં ઉપયોગાયો હોવાનો સંભવ, એના ગુફાલેખોમાં ઉલિખિત કુશળ શબ્દ, નહપાન કુષાણોનો સૂબો વગેરે મુદ્દાઓના સંદર્ભમાં રેપ્સને આ
For Personal & Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છ
અભિપ્રાય દર્શાવ્યો છે.
રુશળ શબ્દ અને કુષાણોનો સૂબો હોવાના મત આ ગ્રંથલેખકે ખોટા હોવાનું અગાઉ સાબિત કર્યું જ છે, તેથી રેપ્સનની આ બંને દલીલો સ્વીકાર્ય રહેતી નથી. દોલતપુર અને આંધૌમાંથી વર્ષ ૬ અને વર્ષ ૧૧ના અનુક્રમે પ્રાપ્ત લેખો પછી નહપાનના સમયના ગુફાલેખોમાંનાં વર્ષ ૪૧થી ૪૬ ચાષ્ટનના સમયના યષ્ટિલેખોમાંનાં વર્ષ ૬, ૧૧ અને ૫૨ની મધ્યમાં આવે છે. નહપાન ચાષ્ટનનો પુરોગામી હોવાની હકીકત આપણે અવલોકી ગયા તેમ જ ભૂમક, નહપાન, ચાષ્ટ્રન અને જયદામાના સિક્કાઓનો વિગતવાર અભ્યાસ ઉભયની સમકાલીનતાનો મુદ્દો નિર્મૂળ બનાવે છે. આથી આ વર્ષો શક સંવતનાં હોવાનો મત પ્રતિપાદિત થઈ શકતો નથી.
૧૦૫
રાજ્યકાલનાં વર્ષ ઃ પેરિપ્લસના આધારે વિદ્વાનોનું એક જૂથ॰ પ્રસ્તુત મંતવ્ય દર્શાવે છે. ઉપરાંત વેમ શિના સિક્કાઓ નહપાનના રાજ્યમાં પ્રચારમાં હતા”, તો ભૂમક-નહપાનના સિક્કા ઉપરનાં પ્રતીકો સ્પાલિરિસ અને અય રજાના સિક્કાઓ પરનાં પ્રતીકો સાથે સામ્ય ધરાવે છેપ. આ બધી વિગતો પણ નહપાનનાં વર્ષ એના રાજ્યકાલનાં છે તેના સમર્થનમાં ઉપાદેયી નીવડે છે.
પેરિપ્લસના રચનાકાલનો વિવાદ દૂર થાય નહીં ત્યાં સુધી નહપાનનો સમય નિર્ણિત કરવામાં પેરિપ્લસનો આધાર નિર્ણાયક થતો નથી. પરંતુ વેમ ફૅિશના સિક્કાઓ નહપાનના રાજ્યવિસ્તારમાંથી હાથ લાગ્યા છે એ હકીકત નહપાનનાં વર્ષ રાજ્યકાલનાં હોવાના અભિપ્રાયને સમર્થન બક્ષે છે; કેમ કે વેમ કમ્ફિશ એ કુષાણવંશનો સ્થાપક રાજા હતો. વળી ભૂમક-નહપાન કુષાણોના, ખાસ કરીને કણિષ્કના, ઉપ૨ાજ ન હતા એ આપણે અગાઉ અવલોકી ગયા છીએ (જુઓ પૃષ્ઠ ૮૦થી ૮૨). વળી કણિષ્કનો સત્તાકાલ રાજા રુદ્રદામાના અમલના અંત પછી અને મથુરાના નાગવંશી રાજાઓના અમલ પૂર્વે હોય તે સંભવિત છે. (જુઓ પ્રકરણ નવઃ કણિદ્ધનો સમયનિર્ણય). આથી નહપાન વેમ કફૅિશનો સમકાલીન હોવા સંભવે. ઉપરાંત શક સંવતનો પ્રવર્તક ચાષ્ટન હતો એ આપણે પુરવાર કર્યું છે (જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ પાંચ). આ બધી હકીકતોને ધ્યાનમાં રાખતાં નહપાનના ગુફાલેખોમાંનાં વર્ષ રાજ્યકાલનાં હોવા વિશે ખસૂસ કોઈ શંકાને અવકાશ નથી.
નહપાનના સમયના ગુફાલેખોમાં ઉલ્લિખિત વર્ષ ૪૧ અને ૪૬ના અનુસંધાને એવું સૂચિત થઈ શકે કે નહપાને ઓછામાં ઓછાં ૪૬ વર્ષ તો રાજસત્તા ભોગવી હતી. નહપાનનું રાજ્ય વર્ષ ૪૬ પછી થોડા સમયમાં જ પૂરું થયું હોય. એટલે તેણે આશરે ઈસ્વી ૩૨થી ઈસ્વી ૭૮ સુધીમાં રાજકાજ સંભાળ્યું હોય. પરંતુ એના રાજ્યકાલનાં વર્ષોમાંનું છેલ્લું જ્ઞાત વર્ષ ૪૬ એના પુરોગામી ભૂમકના સમાવેશ સાથે ગણતરીમાં લઈએ અને જૈન આનુશ્રુતીક આધારોના સંદર્ભે નહપાનનો રાજ્ય-અમલ આશરે ૪૦ વર્ષનો હોવાનું સ્વીકારીએ તો સંભવ છે કે એણે આશરે ઈસ્વી ૩૮થી ૭૮ સુધી સત્તાનાં સૂત્રો સંભાળ્યા હોય. શક્ય છે કે ક્ષહારતના વંશના બંને રાજાઓએ કુલ મળીને સંભવતઃ પંચાવનેક વર્ષ રાજ્ય કર્યું હોય.
For Personal & Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ક્ષત્રપકાલીન ગુજરાત એની રાજધાની
એના સમયના શિલાલેખોમાં ગોવર્ધન (નાસિક પાસે), કર્પર આહાર (કાપુર, મહારાષ્ટ્ર), ચિખલપદ્ર (ચિખલી, ગુજરાત ?), પ્રભાસ (સોમનાથ પાટણ), ભરુકચ્છ (ભરૂચ), દશપુર (હાલનું મંદસોર), શૂર્પારક (હાલનું સોપારા), રામતીર્થ (સંભવતઃ રામકુંડ, મહારાષ્ટ્ર), પુષ્કર (અજેમર પાસે), નાનંગોલ (સંજાણ પાસેનું નારગોલ), ઉજ્જન વગેરે સ્થળોનો ઉલ્લેખ છે. આ બધાં સ્થળોમાં કોઈ અમુક વિશિષ્ટ મહત્ત્વ દર્શાવ્યું નથી. દરેક સ્થળે એક યા બીજા પ્રકારનાં દાન આપ્યાનો કેવળ ઉલ્લેખ છે. તેથી આ બધાં તીર્થસ્થાનો હોવાનું સૂચવાય; વહીવટી સ્થાનો હોવાનું અનુમાની શકાય નહીં. આ લેખોનાં પ્રાપ્તિ-સ્થાનો હાલના મહારાષ્ટ્રમાં આવેલાં છે, જયારે દાનનાં સ્થળો મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આવેલાં છે.
કેટલાક વિદ્વાનોએ ઉજન, મીનનગર અને ભરૂચને નહપાનની રાજધાનીનાં સ્થળવિશેષ તરીકે સૂચવવાનો પ્રયાસ કર્યો છે; તો કેટલાકે શૂર્પારક, ગોવર્ધન, દશપુર, પુષ્કર વગેરેનો સંભવ રાજધાનીના મથક તરીકે વ્યક્ત કર્યો છે.
ઉજ્જન : તિલ્યોની પત્રયની ગાથા મુજબ ઉજ્જનની ગાદી ઉપર બલમિત્ર-ભાનુમિત્ર પછી નભ:સેન(નહપાન) આવ્યો. તેથી તે નહપાનની રાજધાની હોવાનો સંભવ સૂચવાયો ૩૮. ઉષવદારે કરેલાં દાનમાં ઉર્જનનો સમાવેશ થાય છે. પરંતુ આ સિવાય અન્ય સીધાં પ્રમાણો પ્રાપ્ત થતાં ન હોઈ ઉન નહપાનની રાજધાની હોવાનું સાબિત થતું નથી.
મીનનગર : પેરિપ્લસમાં બે જગ્યાએ આ સ્થળનો ઉલ્લેખ છે (જુઓ કંડિકા ૩૮ અને ૪૧). આમાંથી કંડિકા ૪૧માંનો ઉલ્લેખ નાબુનસના સંદર્ભમાં છે. પરંતુ પૂર્વાપર સંબંધ જોતાં આ ઉલ્લેખ સ્પષ્ટતઃ સુરાષ્ટ્ર પ્રદેશના મુખ્ય નગરને સંદર્ભે હોઈ શકે. આથી, મીનનગર નહપાનના રાજયનું પાટનગર સંભવી શકે નહીં.
ભરૂચ : આવશ્યસૂત્ર-નિર્યુ$િ ને આધારે જાયસ્વાલ નહપાનની રાજધાનીના સ્થળ તરીકે ભરૂચ હોવાની સંભાવના અભિવ્યક્ત કરે છે૩૯. પેરિપ્લસમાં નહપાનના રાજયનો જે વિસ્તાર દર્શાવાયો છે તેમાં ભરૂચનો સમાવેશ થાય છે. પરંતુ એના સિક્કાનો ઘણો મોટો જથ્થો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના જોગલ થમ્બીમાંથી પ્રાપ્ત થયો છે°, જયારે ભરૂચમાંથી હજી સુધી, એના સિક્કા હાથવગા થયા નથી. પરંતુ નહપાનનો પરાજય સાતવાહન રાજાને હાથે થયાની નોંધ આ નિર્યુક્તિમાં છે, જેને વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના એક લેખમાંના ‘ગૌતમીપુત્રે ક્ષહરાત વંશનો નિર્મૂળ કર્યાના ઉલ્લેખથી સમર્થન મળે છે. નહપાન એ ક્ષહરાત વંશનો પ્રાયઃ છેલ્લો જ્ઞાત રાજા હોવાનું સંભવે છે. એટલે ભરૂચ એ નહપાનની રાજધાની હોવાનું સ્પષ્ટ થાય છે. એનો રાજ્યવિસ્તાર
એના રાજ્યની રાજધાની બાબતે ઘણાં સ્થળોનું સૂચન થયું છે, જે ઉપરથી એનો રાજ્યવિસ્તાર કેટલો હશે એનો સહજ અંદાજ આવી શકે છે. એના રાજયની ભૌગોલિક સીમા નિર્ણિત કરવા કાજે બે સાધનો છેઃ સિક્કાઓનાં પ્રાપ્તિસ્થાનો તથા પુષ્કરમાંથી પ્રાપ્ત તાંબાના થોડા સિક્કા અને જૂનાગઢમાંથી પ્રાપ્ત ચાંદીના થોડાક સિક્કા. જોગલથમ્બીનો સિક્કાનિધિ તો સુખ્યાત
For Personal & Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છ
છે. આથી એવું અનુમાની શકાય કે નહપાનના રાજ્યમાં હાલના મહારાષ્ટ્રનો પશ્ચિમ ભૂભાગનો કેટલોક પ્રદેશ, ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર અને ઉત્તરમાં અજેમ૨ સુધીનો કેટલોક પ્રદેશ સમાવી
શકાય.
૧૦૭
એના સમયના ગુફાલેખોમાં નહપાનના જમાઈ, પુત્રી અને અમાત્યે કેટલાંક સ્થળોએ દાન કર્યાનો નિર્દેશ છે, જે સ્થળો પ્રાયઃ એના રાજ્યમાં આવેલાં હોય. ઉજ્જૈનમાં દાન કર્યાનો, પુષ્કરમાં જઈ સ્નાન કર્યાનો તથા ૩૦૦૦ ગાયો અને એક ગામ દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. ઉપરાંત ભરુકચ્છ, શૂર્પારક, કપૂર આહાર, પ્રભાસ, દશપુર વગેરે સ્થળોએ દાન કર્યાનો નિર્દેશ છે.
નાસિકના સાતવાહન રાજાઓના શિલાલેખોમાંથીય નહપાનના રાજ્યની હદનો ખ્યાલ મળી રહે છે. તદનુસાર સુરાષ્ટ્ર, કુકુર, અપરાન્ત, આક૨ાવંતિ વગેરે પ્રદેશોને નહપાનના રાજ્યમાં સમાવી શકાય .
આમ, નહપાનના રાજ્યની હદ ઉત્તરમાં અજેમર સુધી, દક્ષિણમાં દક્ષિણ ગુજરાત, અને ઉત્તર કોંકણ તેમ જ અહમદનગર, નાસિક અને પૂણે જિલ્લો તથા પશ્ચિમમાં સુરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં માળવા સુધી હોવાનું સંભવે. (જુઓઃ નકશો નંબ૨ ૨).
આદર્શ રાજવી નહપાન
ગુફાલેખો ઉપરથી નહપાનના જમાઈ ઉષવદાત્તનાં ધર્મપરાયણ મનોવલણ વિશે થોડીક માહિતી મળે છે, પણ નહપાન વિશે રાના ક્ષત્રપ એવા બિરુદ સિવાય અન્ય કશું જાણવું પ્રાપ્ત થતું નથી. આવશ્યસૂત્ર-નિયંત્તિમાં વર્ણિત કથા જો કે નહપાન વિશે ઠીક ઠીક માહિતી સંપડાવી આપે છે. કથાનુસાર નહપાનના પ્રતિસ્પર્ધી સાતવાહન રાજાના નિર્વાસિત મંત્રીને પોતાના અંગત મંત્રી તરીકે નહપાન સ્વીકારે છે અને તે મંત્રીની સૂચનાનુસાર દાનધર્માદાનાં કાર્યો કરે છે તે ઉપરથી એનું ઉદારચિરત્ર અને ધર્મિષ્ઠ રાજા તરીકેનું ચિત્ર ઉપસતું જોઈ શકાય છે. આ કથા જૈન ગ્રંથમાં હોઈ સંભવતઃ નહપાન જૈનાવલંબી હોવાનું અનુમાની શકાય. નરવાહ કે નરવાહન નામનો રાજા તેની ઉત્તરાવસ્થામાં જૈન મુનિ થયો અને તેણે ભૂતબલિ નામ અંગિકાર કર્યું અને ધરસેનાચાર્ય પાસે જૈન સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો એવું જૈન અનુશ્રુતિ નોંધે છેપ. એના જમાઈ ઉષવદાત્તે આપેલાં ગુફાદાન બૌદ્ધધર્મના પ્રવ્રુજિતોના સંઘને આપેલાં છે; તો ગાયોનાં દાન, સ્નાન ઇત્યાદિનો મહિમા, બ્રાહ્મણોને આપેલાં દાન, બ્રહ્મભોજન વગેરે જેવા ઉલ્લેખોય છે જ. આથી, આવાં દાનપૂણ્યકાર્યો બ્રાહ્મણધર્મ અને બૌદ્ધધર્મને આવરી લેતાં હતાં. જો કે એમાં જૈનધર્મનો સમાવેશ થતો હતો કે કેમ એ બાબતે કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી. આથી, નહપાનના, એના રાજ્યના કે ઉષવદાત્તના ધર્મ વિશે કશું સ્પષ્ટતઃ કહેવું મુશ્કેલ છે. એવું અનુમાની શકાય કે નહપાનના રાજ્યઅમલ દરમ્યાન આપણા તે વખતના ગુજરાતમાં ત્રણેય ધર્મનું પોતપોતાનું સ્થાન હરો.
એના અમાત્ય અયમના વર્ષ ૪૬ના લેખથી સૂચિત થાય છે કે તેના રાજ્યના અમલના અંતભાગે એને અયમ નામનો અમાત્ય હતો. અન્ય અધિકારીઓની માહિતી મળતી નથી.
For Personal & Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ક્ષત્રપકાલીન ગુજરાત ઉષવદાત્તના એક લેખમાં ધૂરાહોરે એવો ઉલ્લેખ છે. આ ઉપરથી મહાને (વર્તમાન જિલ્લાના પર્યાય સમો) વહીવટી વિભાગ ગણાવી શકાય. નહપાનનું રાજ્ય બહાર નામથી વહીવટી વિભાગથી વિભાજિત હશે. ગાવસૂત્ર-
નિજી નહપાનને અતિ સમૃદ્ધ રાજવી તરીકે ઓળખાવે છે. આથી એના સત્તાકાળ દરમ્યાન એની પ્રજા સુખી હશે અને રાજ્યની તિજોરી સમૃદ્ધ સંપન્ન હશે. વિશાળ સામ્રાજ્યનો અધિપતિ હોવા છતાંય એની સૈનિક શક્તિ વિશે કોઈ માહિતી મળતી નથી. પેરિપ્લસ નહપાનને શોખીન રાજા તરીકે વર્ણવે છે : દા.ત. રાજાને સારુ ઊંચા પ્રકારનાં રૂપાનાં વાસણ, અંતઃપુર વાસ્તે રૂપાળી બાંદીઓ, ઊંચી કોટીનો દારૂ અને લેપ વિદેશથી આવતાં હતાં,કહો કે આયાત થતાં હતાં જ.
નહપાનને પદ્માવતી નામની પત્ની અને દક્ષમિત્રા નામની પુત્રી હતાં. પુત્રી દક્ષમિત્રાને દીનીકના પુત્ર ઉષવદાત્ત સાથે પરણાવી હતી. દક્ષમિત્રો અને ઉષવદારનાં નામભિધાન ઉપરથી એ બંનેએ ભારતીય સંસ્કૃતિ અપનાવી હોવાનું સૂચિત થાય છે. એના સમયના ગુફાલેખોમાં એના જમાઈ-દીકરીના સંખ્યાબંધ ઉલ્લેખ આવે છે જયારે એના કોઈ પુત્રનો ક્યાંય ઉલ્લેખ સરખો જોવા મળતો નથી. આથી એ સમયે એને પુષ્ઠ વયનો કોઈ પુત્ર હોવા અસંભવે છે.
ર
પાદનોંધ ૧. લાયક અને એનો પુત્ર પતિક (જુઓ : સરકાર, સીઇ., પૃષ્ઠ ૧૨૦-૨૧).
ઘટાક. મથુરા નજીકના ગણેશરા પાસેથી ફૉગેલને ઘટાક નામના રાજાનો એક ખંડિત શિલાલેખ હાથ લાગ્યો હતો (જુઓ : જરૉએસો., ૧૯૧૨, પૃષ્ઠ ૧૨૧, રાય ચૌધરી, પોહિએઈ., પૃષ્ઠ ૪૫૦ અને
૪૮૪). ૩. ક્ષહરાત વંશના એક અન્ય રાજાના સિક્કા મળ્યા છે (અળતેકર, ન્યૂસોઇ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૫ અને
ત્રિવેદી, એજન, પુસ્તક ૧૭, પૃષ્ઠ ૮૯-૯૦, પટ્ટ ૧૫, નંબર ૯). સિક્કાના આધારે આ રાજા ક્ષહરાત ક્ષત્રપ અર્ત (અંત) હોવાનું સૂચવાયું છે. આ રાજાના સિક્કાના અગ્રભાગે સિંહસ્તંભ, ધર્મચક્ર અને બ્રાહ્મી લિપિમાં લેખ-ક્ષતિસ ક્ષત્રપક્ષ તસ- તથા પૃષ્ઠભાગે હાથમાં પુષ્પમાળા ધારણ કરેલી દેવની આકૃતિ અને ગ્રીક લેખ છે. લખાણમાંના અક્ષરોના મરોડના આધારે આ બંને વિદ્વાન ક્ષહારત ક્ષત્રપ અર્તને ભૂમકના પુરોગામી શાસક તરીકે ઓળખાવે છે. પરંતુ આ રાજા ક્યાંનો હતો કે તે ભૂમક-નહપાન સાથે કેવા પ્રકારના સંબંધ ધરાવતો હતો એ વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. આથી આ રાજા તક્ષશિલા, મથુરા કે ગુજરાતનો હતો એની જાણકારી પ્રાપ્ત થઈ નથી. એના સત્તાપ્રદેશ કે સમયાવધિ વિશે કશું સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. અજયમિત્ર શાસ્ત્રી મધુ રૂાન નામના એક બીજા રાજાનો ઉલ્લેખ કરે છે ક્ષહરાત વંશના શાસક તરીકે. કચ્છ જિલ્લામાંથી આ રાજાના થોડાક તાંબાના સિક્કા હાથ લાગ્યા છે. એના સિક્કાના અગ્રભાગે દક્ષિણાભિમુખ ઊભેલી Nike નામની દેવીની આકૃતિ છે. એના બંને હાથમાં હારમાળા છે અને સિક્કાની કિનારને સમાંતર ગ્રીક લેખ ખંડિતાવસ્થામાં છે. પૃષ્ઠભાગમાં બે સ્તંભ છે, જેમાં ડાબો સિંહશીર્ષથી શોભે છે અને જમણો ચક્રશીર્ષથી સોહે છે. બ્રાહ્મીમાં લેખ છે-ક્ષદરતિસ ક્ષત્રપર્સ મધુડસ યાનસ, સિક્કાની કિનારને સમાંતર. ના દેવીની આકૃતિ ભારતીય ગ્રીક, ભારતીયસીથિયન અને ભારતીયપલ્લવ સિક્કાઓ ઉપર જોવા મળે છે. પરંતુ પશ્ચિમ ભારતમાં આ
For Personal & Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છા
૧૦૯
દેવી-આકૃતિ પહેલપ્રથમ જોવા મળી. આથી એવું અનુમાન થયું કે ક્ષહરાતો ઉત્તરમાંથી આવ્યા હોય. (જુઓ : ધ સાતવાહન્સ ઍન્ડ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ, પૃષ્ઠ ૧૪૪). જો કે આ બાબતે હજી વધુ અન્વેષણ અપેક્ષિત છે. તો વળી દિલીપ રાજગોર રે નામના ક્ષહરાતવંશી રાજાની નોંધ કરે છે, એમના એક લેખમાં‘અભેરક : ધ અલિએસ્ટ વેસ્ટર્ન ક્ષત્રપ' ન્યુમિઝમૅટિક પેનોરમા-એસેઝ ઇન મેમરી ઑવ એસ.એમ.શુક્લ
(સંપાદકો : કે.કે માહેશ્વરી અને વિશ્વજિત રથ) દિલ્હી, પૃષ્ઠ ૧૨૯-૪૨. ૪. રેસન, કૅટલૉગ., પૃષ્ઠ ૬૪, નંબર ૨૩૭-૨૪૦. ૫. જર્નલ એશિયાટિક, પુસ્તક ૧૧, પૃષ્ઠ ૧૯૧ અને પુસ્તક ૧૨, પૃષ્ઠ ૩૭-૪૫., કૉહિઈ, પુસ્તક ૨,
પૃષ્ઠ ૨૭૪. ૬. કાઁઈઇ., પુસ્તક ૨, પૃષ્ઠ ૭૦., ઇક્વિૉ .. પુસ્તક ૧૪, પૃષ્ઠ ૧૪૨., કૉહિઈ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૭૪
અને ૨૭૬, પાદનોંધ ૧. ૭. જરૉએસો., ૧૯૦૬, પૃષ્ઠ ૨૧૧. ૮. જુઓ હવે પછીનો મુદ્દો : ભૂમક અને નહપાન. ઉપરાંત રેપ્સન, કેટલૉગ., ફકરો ૮૭; અહિઆંકડ, | પૃષ્ઠ ૫૦. ૯. દેવરાસ, પ્રઈહિક., ૧૯૪૦, પૃષ્ઠ ૧૪૮. ૧૦. કેવળ નામોના અર્થમાં રહેલા સામ્યથી બે વ્યક્તિઓ વચ્ચેની સમાનતા સાબિત થતી નથી. દા.ત.
કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત (પોહિએઇ., પૃષ્ઠ પ૦૫). આથી, નામવાચક શબ્દોના અર્થસામ્યથી ભૂમક અને સ્સામોતિક એક જ હોવાનું પુરવાર થતું નથી. બીજું ચાષ્ટ્રનના સિક્કાઓ અને શિલાલેખો એના
પિતા તરીકે સામોતિકનું નામ સ્પષ્ટ દર્શાવે છે. બંનેનાં કુળ ભિન્ન છે તે ધ્યાનાર્હ રહે. ૧૧. ભમકના તાંબાના સિક્કાની સવળી બાજ ઉપરનાં પ્રતીક નહપાનના ચાંદી અને તાંબાના સિક્કાની
અવળી બાજુ ઉપર દૃશ્યમાન થાય છે. (જુઓ : રેપ્સન, કેટલૉગ., ફકરો ૮૭-૮૮). એક વ્યક્તિના સિક્કાની સવળી બાજુ (અગ્રભાગ) જો બીજી વ્યક્તિના સિક્કાની અવળી બાજુ (પૃષ્ઠભાગ) હોય તો
પ્રથમ વ્યક્તિ પુરોગામી ગણાય. ૧૨. ક્ષત્રપવંશોના ૩૦ શાસકોમાંથી ઘણાખરા રાજાઓએ સરેરાશ દશ વર્ષ સત્તાકાલ ભોગવ્યો હોવાનું
એમની સાલવારીથી સૂચિત થાય છે. આ સંદર્ભમાં ભૂમકે પણ આશરે દશ વર્ષ રાજ્ય કર્યું હોય એવી અટકળ કરીએ, તો નહપાનના પુરોગામી તરીકે તેણે ઈસ્વી ૨૩થી ૩૨ સુધી સત્તા સંભાળી હોવાનું
સંભવિત હોઈ શકે. ૧૩. જિનસેનના ‘હરિવંશ પુરાણ'-માંની ગાથા નહપાને ૪૨ વર્ષ અને પટ્ટાવની ગાથા તથા તિનો પUત ૪૦
વર્ષ સુધી રાજય કર્યું હોવાનું નોંધે છે. બંને ઉલ્લેખો સીધા નહપાનના સંદર્ભમાં હોઈ એવું સૂચિત થાય છે કે કદાચ એણે ચાલીસ-બેંતાલીસ વર્ષ રાજય કર્યું હોય. એના શિલાલેખોમાં છેલ્લું જ્ઞાત વર્ષ ૪૬ છે અને તે તેના રાજકાલનું છે. જો આ છંતાલીસ વર્ષ ભૂમક અને નહપાન બંનેને માટે હોવાનું સ્વીકારીએ અને જો જૈનાનુશ્રુતિ મુજબ નહપાને ચાલીસ વર્ષ રાજ્ય કર્યું હોય તો ભૂમકે કેવળ છ વર્ષ
જ રાજ્ય કર્યાનો અંદાજ મૂકી શકાય. ૧૪. સિક્કાઓનાં પ્રાપ્તિ સ્થાનો ઉપરથી ઇતિહાસનિરૂપણ વાસ્તના ઘણા કોયડા ઉકેલાયા છે તો સંખ્યાતી
પ્રશ્નો ઉદ્દભવ્યા પણ છે. આની સાધકબાધક સોદાહરણ ચર્ચા વાસ્તે જુઓ : રસેશ જમીનદાર, ઇતિહાસ સંશોધન, અમદાવાદ, ૧૯૭૬, પ્રકરણ ૪ (ભારતીય ઇતિહાસનિરૂપણમાં સિક્કાઓ : કેટલીક મર્યાદાઓનું અવલોકન), પૃષ્ઠ ૨૯થી ૩૬ અને આ જ લેખકનો અંગ્રેજી લેખ : “ડઝ ધ ફાઈન્ડસ્પૉટ ઑવ કૉઇન્સ રીઅલી થ્રો લાઈટ ઑન હિસ્ટોરિકલ જયૉગ્રાફ્સ ?', જોઇ., પુસ્તક ૨૨,
For Personal & Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ક્ષત્રપકાલીન ગુજરાત અંક ૩, ૧૯૭૩, પૃષ્ઠ ૩૬૧ થી. ૧૫. ઉલિખિત આ બધા ગ્રંથોમાં નહપાનનું નામ ભિન્ન રીતે પ્રયોજાયેલું છે : દિવા (વિસૂત્ર
નિક્સિ), પરવાહ ( તિનો પUત્તિ જુઓ પ્રકરણ ૨, પાદનોંધ ૨૨), નરવાદન (રિવંશ પુરાણ, સર્ગ ૬૦, શ્લોક ૪૯૦), નવહ (વિવારની, પૃષ્ઠ ૨-૩), નહા ( ઉતથ્થોતી પત્રય, શ્લોક ૬૨૨), નરવદUT ( તપા/છ-પટ્ટાતિ, શ્લોક ૬૩), નાબુનસ (પેરિપ્લસ,ગુજરાતી અનુવાદ, ફકરો ૪૧, પૃષ્ઠ ૧૮), નરવાદન (આઇને-અકબરી, એચ.એસ.જારેટ સંપાદિત, ૧૮૯૧, પુસ્તક ૨, પૃષ્ઠ ૨૧૫,
પાદનોધ ૧). ૧૬. કથાની વિગતો વાસ્તે જુઓ : ભા.જ.સાંડેસરા, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, પૃષ્ઠ ૯૧-૯૨. ૧૭. પોલિએઈ., પૃષ્ઠ ૨૨૧; સીઈ., નંબર ૮૩, ૮૪, ૮૬; અહિડે., પૃષ્ઠ ૨૩. ૧૮. ગૌતમી પુત્ર શાતકર્ણિએ નહપાનના સિક્કાઓ ઉપર પોતાની છાપ પડાવી છે એ હકીકત
જોગલથબ્બીમાંથી પ્રાપ્ત નહપાનના સિક્કાનિધિથી જાણી શકાયું છે તથા વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના એક લેખમાં ગૌતમીપુત્ર શાતકર્ણિએ ક્ષહરાતોને નિર્મૂળ કર્યાનો નિર્દેશ છે. આ બે પુરાવશેષીય હકીકતો સાહિત્યિક વિગતનું સમર્થન કરે છે (વધુ વિગતવાર ચર્ચા માટે જુઓ આ જ પ્રકરણમાં નહપાન
વિશેનું વર્ણન તેમ જ હવે પછીના પ્રકરણ દશમાં પશ્ચિમ ભારતના બે પ્રમુખ રાજવંશો. ૧૯. જુઓ ઉપાધ્ધ અને જૈન સંપાદિત તિસ્તોય પાછત્તિ, ૧૯૪૩, પૃષ્ઠ ૩૪૨, શ્લોક ૧૫૦થી ૧૫૦૭.
ઉપરાંત જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ૫, પાદનોંધ ૨૦. ૨૦. મહાવીર સ્વામીનું નિવણવર્ષ છે ઈસ્વીપૂર્વ પ૨૮ (જુઓ કલ્યાણવિજયજી, નૈન વાનીના, પૃષ્ઠ
૧૫૯-૬૦). આ દષ્ટિએ નહપાનનો સત્તાકાલ ઈસ્વીપૂર્વે પહેલી સદીમાં ગોઠવવો પડે જે સ્વીકાર્ય
નથી. જુઓ હવેની પાદનોંધ ૨૨ અને ૨૫માં પેરિપ્લસનો રચનાકાલ. ૨૧. દુષ્યત પંડ્યા, પેરિપ્લસ, ફકરો ૪૧, પૃષ્ઠ ૧૮. મૂળ ગ્રીક રૂપ Mambaros છે (જરૉએસો., ૧૯૪૬,
પૃષ્ઠ ૧૭૦). સ્કૉફ વગેરે Mambanos પાઠ સ્વીકારે છે (જુઓ : લલિતકલા, નંબર ૩-૪, પૃષ્ઠ ૧૩). ઉપરાંત એનાં વિવિધ રૂપ પણ પ્રાપ્ય છે : Manbrus, Manbros, Mambarus, Membanes વગેરે (જરૉએસો., ૧૯૦૭, પૃષ્ઠ ૧૦૪૩). પૂર્વકાલમાં જ્યારે મુદ્રણવિજ્ઞાન અસ્તિત્વમાં ન હતું ત્યારે પ્રત્યનુપ્રતિની પદ્ધતિ હતી. આ કારણે મૂળ
નામના રૂપમાં ફેરફાર થવાનો સંભવ રહેતો. તેથી આ વિવિધ રૂપ તદનુસાર સંભવિત ગણાય. ૨૨. એમ. લાયરે નાબુનસ એ નહપાન હોવાનું સૂચવ્યું છે (જર્નલ એશિયાટિક, જુલાઈ-ઓગસ્ટ, ૧૮૯૭,
પૃષ્ઠ ૧૨૦થી). ઉપરાંત જુઓ : સ્કૉફ, જરૉએસો., ૧૯૧૭, પૃષ્ઠ ૮૨૯,, સ્ટેન કોનો, ઈહિક્વૉ., પુસ્તક ૧૪, પૃષ્ઠ ૧૪. પેરિપ્લસનો રચનાકાલ સામાન્ય રીતે પહેલી સદીના ઉત્તરાર્ધનો સૂચવાયો છે. એ સમયે પશ્ચિમ ભારતનાં જે રાજવંશો વિદ્યમાન હતા તે પૈકી સાતવાહન રાજાઓમાંથી નામસામ્યની દૃષ્ટિએ કોઈનેય નાબુનસ સાથે સરખાવી શકીએ તેમ નથી (કાર્ય ખંડાલવાલ, લલિતકલા, નંબર ૩-૪, પૃષ્ઠ ૧૩). તો વળી ચાખનાદિ રાજાઓમાંથી કોઈને નાબુનસ સાથે સરખાવી શકાય તેમ નથી; કેમ કે પેરિપ્લસમાં આ વંશનો ઉલ્લેખ નથી. તેમ જ તેનો રચનાકાલ પણ ચાખનાદિ વંશો સાથે બંધ બેસતો નથી. એટલે આ રાજા ક્ષહરાત વંશનો હોવાનું સ્પષ્ટ થાય છે. ભૂમકનો રાજ્યવિસ્તાર સુનિશ્ચિત નથી (જુઓ આ પ્રકરણમાં તે બાબત), તેમ વિસ્તૃત પણ નથી. એટલે એક કલ્યાણ સુધી જેનું રાજય વિસ્તરેલું હોય તેવો રાજા તો નહપાન હોઈ શકે. એટલે નહપાન જ નાબુનસ હોવાનો મત વધુ
સંભવિત અને ઇતિહાસી દેખાય છે. ૨૩. જબિઓરિસો., પુસ્તક ૧, પૃષ્ઠ ૧૦૨., ઇએ., ૧૯૧૭, પૃષ્ઠ ૧૫૨., ઈક્વિૉ ., પુસ્ક ૧૪, પૃષ્ઠ
For Personal & Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છે
૧૧૧
૧૪૩ રિવંશ-પુરાણમાં આપેલી કાલગણનામાં મૌર્યવંશ માટે ૪૦ વર્ષનો અતિ ટૂંકો ગાળો આપ્યો છે તે અને નહપાન પછી ૨૮૦ વર્ષે ગુપ્તવંશ શરૂ થાય છે તે ધ્યાનમાં લઈ આમ સૂચવાયું હોવાનું જણાય છે. પરંતુ મૌર્યોની બાબતમાં આ કાલગણના તર્કશુદ્ધ જણાતી નથી અને તેથી નહપાનના સમય
અંગેની આ અટકળ પણ શંકાસ્પદ જણાય છે. ૨૪. પાર્જિટર, ડાયનેસ્ટીઝ ઑવ ધ કલી એજ, ૧૯૧૩, પૃષ્ઠ ૪૯, સત્યશ્રાવ, પૃષ્ઠ ૬૨ અને ઈહિક્વૉ.,
પુસ્તક ૧૩, પૃષ્ઠ ૨૦૧. ૨૫. સ્કૉફ એનો રચનાકાલ ઈસ્વી ૭૦ અને ૮૯ની વચ્ચે સચવે છે (જરૉએસો.. ૧૯૧૭. પઇ ૮૩૦).
મેકકિન્ડલના મતે ઈસ્વી ૮૦થી ૮૯ (ઇએ., પુસ્તક ૮, પૃષ્ઠ ૧૦૮) અને કેનેડીના મતે ઈસ્વી ૭૦૭૧ (જરૉએસો., ૧૯૧૮, પૃષ્ઠ ૧૧૧-૧૧૨) દરમ્યાન પેરિપ્લસ રચાયો હતો. ઘોષ વળી ઈસ્વી ૯૦માં એનો રચનાકાળ પૂરો થયાનું સૂચવે છે (ઇક્વિૉ ., પુસ્તક ૭, પૃષ્ઠ ૧૧૨). તો કાલે
ખંડાલવાલ ઈસ્વી ૫૦થી ૬પનો સમય સૂચવે છે (લલિતકલા, નંબર ૩-૪, પૃષ્ઠ ૧૫). ૨૬. પરંતુ રમેશચંદ્ર મજુમદાર જેવા વિદ્વાનો પેરિપ્લસને ઈસુની ત્રીજી સદીમાં મૂકે છે (ઇક્વિૉ ., પુસ્તક
૩૮, નંબર ૨-૩, પૃષ્ઠ ૮૯થી ૯૭). તે સાથે મજુમદાર નાબુનસ એ નહપાન નથી એવો મત પ્રદર્શિત કરે છે (એજન, પૃષ્ઠ ૯૪). પણ, તો પછી, તે કયો રાજા છે તે તો સૂચવતા નથી. આથી
એમના અભિપ્રયની આ એક નબળી કડી ધ્યાનમાં લેવાથી એમનો મત સ્વીકાર્ય જણાતો નથી. ૨૭. આ ત્રણેય વિદ્વાનોના મંતવ્યોની વિગતવાર ચર્ચા માટે જુઓ : સત્યશ્રાવ, પૃષ્ઠ પપથી પ૭. ૨૮. રાજબલી પાન્ડેય, ઇન્ડિયન પેલિયોંગ્રાશ, પૃષ્ઠ ૧૯૫-૯૬. ૨૯. કનિંગહમ, જરૉએસો., ૧૯૨૬, પૃષ્ઠ ૬૪૩થી; કોનો, એઇ., પુસ્તક ૧૪, પૃષ્ઠ ૧૩૭; બખલે,
જબૉબારૉએસો., ૧૯૨૭, પૃષ્ઠ ૬૬, ધૂંબઈલ, અહિડે., પૃષ્ઠ ૨૦-૨૫; નીલકંઠ શાસ્ત્રી, જરૉએસો.,
૧૯૨૬, પૃષ્ઠ ૬૪૩થી. ૩૦. દા.ત.(૧) નહપાનના રાજયનો અંત, (૨) ક્ષહરાત વંશનો અંત, (૩) ચાટનનાં ક્ષત્રપ તરીકે
રાજ્યારોહણ, શાસનકાલ અને મહાક્ષત્રપ તરીકે રાજ્યારોહણ ને શાસનકાલ, (૪) જયદામાનાં ક્ષત્રપ તરીકે રાજ્યારોહણ અને શાસનકાલ તથા (પ) રુદ્રદામાનો ક્ષત્રપ તરીકેનો રાજય-અમલ વગેરે. પરંતુ ચાણનના સમયના વર્ષ ના દોલતપુર શિલાલેખ અને વર્ષ ૧૧ના આંધ શિલાલેખથી હવે છ વર્ષના
ગાળામાં ઘટેલી ઘટનાઓને ગોઠવવાનો મુદ્દો ધ્યાનાર્હ રહેતો નથી. ૩૧. કેટલૉગ., ફકરો ૮૯; એ.એમ.બોયર, જર્નલ એશિયાટિક, ૧૮૯૭, પૃષ્ઠ ૧૦૨; ભાંડારકર, ઇએ.,
૧૯૧૮, પૃષ્ઠ ૭૬-૭૮; રાયચૌધરી, પોલિએઈ., પૃષ્ઠ ૪૮૮થી; શ્રીકાંત શાસ્ત્રી, જર્નલ ઑવ બૉમ્બે
હિસ્ટોરિકલ સોસાયટી, પુસ્તક ૧, ભાગ ૧, પૃષ્ઠ ૧૩૫થી. ૩૨. ભૂમક અને નહપાનના તાંબાના સિક્કા ગોળ છે, જયારે ચારુન અને જયદામાના ચોરસ, ભૂમક અને
નહપાનના તાંબાના સિક્કાના અગ્રભાગે ખરોષ્ઠી લિપિમાં રાજાનું નામ અંકિત છે, જ્યારે ચાદન અને જયદામાના તામૃસિક્કાના અગ્રભાગમાં ગ્રીક લિપિ અને ભાષામાં લખાણ છે. ચાણન અને જયદામાના તાંબાના સિક્કાના પૃષ્ઠભાગે સૌ પ્રથમ વખત પર્વતાદિ ચિહ્નો અંકિત થયેલાં જોવા મળે છે. આ ઉપરાંત નહપાનના ચાંદીના સિક્કામાં અગ્રભાગે રાજાનું ઉત્તરાંગ (bust) સૌ પ્રથમવાર જોવું પ્રાપ્ત થાય છે, જે બાબત તે પછી ચાદન અને એના વંશજોના ચાંદીના સિક્કાઓ ઉપર એકધારી રીતે જોવા મળે છે. ચારુનના સિક્કામાંના પૃષ્ઠભાગ ઉપરનાં પર્વતાદિ ચિહ્નો નહપાનના તામ્રસિક્કા કે રજતસિક્કા ઉપર અંકિત થયેલાં નથી. આથી નહપાન અને રાષ્ટ્રના પુરોગામી-અનુગામીનો સંબંધ વધારે
સ્વાભાવિક જણાય છે. ૩૩. ઘોષ, ઇક્વિૉ .. પુસ્તક ૭, પૃષ્ઠ ૧૨૨; ગોપાલાચારી, અહિ આંક, ૧૯૪૧, પૃષ્ઠ ૫૩-૫૯;
For Personal & Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ક્ષત્રપકાલીન ગુજરાત અબતકર, પ્રદહિકૉ., નાગપુર અધિવેશન, ૧૯૫૦, પૃષ્ઠ ૩૯-૪૨; સુધાકર ચટ્ટોપાધ્યાય, પૃષ્ઠ ૪૩
૪૭; કાલે ખંડાલવાલ, લલિતકલા, નંબર ૩-૪, પૃષ્ઠ ૧૬-૨૫. ૩૪. વી.એસ. દેવરાસ, પ્રઈહિકૉ., લાહોર અધિવેશન, ૧૯૪૦, પૃષ્ઠ ૧૫૨-૫૩ ૩૫. કૉહિઈ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૭૪. ૩૬. જુઓ નકશો નંબર ૨. ૩૭. એઇ., પુસ્તક ૮, પૃષ્ઠ ૧૬; ઇએ., પુસ્તક ૪૭, પૃષ્ઠ ૭૧. જો કે આ બધાં સ્થળોનો ઉલ્લેખ કદાચ
જિલ્લાના મથકો તરીકે થયો હોઈ શકે. તેથી આપણે હવે ઉજજન, મીનનગર અને ભરૂચ એ
ત્રણમાંથી કયું સ્થળ પાટનગર હશે તેનો વિચાર કરીએ. ૩૮. મુનિ કલ્યાણવિજયજી, વીર નિર્વાણ સંવત મૌર જૈન વાર્તાનના, પૃષ્ઠ ૫૬-૫૮. ૩૯. જબિઓરિસો., ૧૯૩૦, પૃષ્ઠ ૨૩૦. આ કથામાં નહપાન અને ગૌતમીપુત્ર વચ્ચેના યુદ્ધની વાત
નોંધાઈ છે. ભરુકચ્છનો નભોવાહન રાજા કોશસમૃદ્ધ હતો જયારે પ્રતિષ્ઠાનનો સાલવાહન રાજા બલસમૃદ્ધ હતો એવો નિર્દેશ આ કથામાં છે. આથી, ભરુકચ્છ અને પ્રતિષ્ઠાન બંને ઉભય રાજાઓનાં પાટનગર હોવાનું સૂચવાય છે. વળી સાલવાહનનો અમાત્ય પ્રતિષ્ઠાન છોડી ભરુકચ્છમાં વસે છે અને નભોવાહન સાથે દગો રમે છે. આ ઉપરથી ભરુકચ્છ નહપાનની રાજધાની હોવી જોઈએ એવું
અનુમાની શકાય. ૪૦. આનું મુખ્ય કારણ તો નહપાનને હરાવ્યા પછી સાતવાહન રાજાએ નહપાનના સિક્કા ઉપર પ્રતિછાપ
(counter stuck) અંકિત કરી તે સિક્કાઓ ચલણમાં લીધા તે છે. મોટો જથ્થો મળ્યો હોવાથી તે સ્થળ
રાજધાની હોઈ શકે. પરંતુ અહીં તો મોટા જથ્થાની ઉપલબ્ધિ જય-પરાજયના પાયામાં છે. ૪૧ એના સમયના ગુફાલેખોમાં એનાં દીકરી-જમાઈનો વારંવાર ઉલ્લેખ આવે છે. જયારે એના કોઈ
પુત્રનો ઉલ્લેખ ક્યાંય નથી. આથી, પ્રાયઃ તે અપુત્ર હોવાનું કહી શકાય. ૪૨. સામાન્યતઃ રાજાઓ વચ્ચેના યુદ્ધ પાટનગરમાં કે પાટનગરનાં પ્રાંગણમાં ખેલાતાં હોય છે. આ બાબત
આ સંદર્ભે ધ્યાનાર્હ ગણાય. નહપાનના સમયના શિલાલેખો અને એના સિક્કાલેખોનાં પ્રાપ્તિ સ્થાનો ઉપરથી એની રાજસત્તાનું વડું મથક હાલના મહારાષ્ટ્રમાં કોઈ પર્વકાલીન નગરમાં હોવાનું સંભવે. પણ શિલાલેખો તો એના જમાઈ ઉષવદારે કોરાવ્યા છે અને ઉત્કીર્ણ કરાવ્યા છે અને તેય તે માત્ર ગુફાદાનને લગતા હોઈ પશ્ચિમઘાટના ડુંગરોમાંથી મળ્યા છે. એણે નાસિકથી પુષ્કર સુધીના વિસ્તારોમાં દાન દીધેલાં છે પણ પશ્ચિમઘાટના પ્રદેશમાં શૈલગ્રહોનાં દાન દીધેલાં હોઈ એ જળવાઈ રહ્યાં છે, અન્યત્ર નહીં. આથી, એનું પાટનગર મહારાષ્ટ્રમાં હોવાની અટકળ માત્ર છે, હકીકત નહીં. આથી, ભરૂચ એની રાજધાની હોવાનું જણાય
છે. ૪૩. આમાંનાં ઘણાં સ્થળોનો પરિચય પ્રકરણ અગિયારમાંની પાદનોંધ જોવી. ૪૪. અહીં નિર્દિષ્ટ સ્થળોની વિશેષ માહિતી માટે જુઓ ગુરાસાંઈ., ૧૯૭૨, ગ્રંથ ૧માં પ્રકરણ ૧૦ અને
૧૧. ૪૫. કાત્તાપ્રસાદ જૈન, ઈહિકવૉ.. પુસ્તક ૫, ૧૯૨૯, પૃષ્ઠ ૩૫૭. ૪૬. જુઓ : પેરિપ્લસ , ગુજરાતી આવૃત્તિ, કંડિકા ૪૯. ૪૭. પદ્માવતીના સાહિત્યિક ઉલ્લેખ વાસ્તે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ પંદર. ૪૮. બૉબારૉએસો., પુસ્તક ૨૨, પૃષ્ઠ ૨૨૪; યઝદાની, અહિડે., પૃષ્ઠ ૯૩.
For Personal & Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાત
ચાષ્ટનવંશ : અભ્યદય અને અસ્ત
પ્રકરણ પાંચમાં પ્રસ્તુત કરેલી વંશાવળી ઉપરથી પશ્ચિમી ક્ષત્રપોથી ઓળખાતા ગુજરાતના શક શાસકોમાં ક્ષહરાતવંશ પછી વાછિનવંશથી ઓળખાતું આ બીજું ક્ષત્રપકુલ છે. આ વંશના રાજાઓની માહિતી મેળવવાનું મુખ્ય સાધન છે સિક્કાઓ. આરંભના ચારેક રાજાઓને બાદ કરતાં શેષ બધા રાજાઓના લગભગ વર્ષવાર સિક્કાઓ મળી આવ્યા છે. કેટલાક રાજાઓના શિલાલેખો (જેમાં યષ્ટીલેખો અને શૈલસમુગકનો સમાવેશ થાય છે) પણ હાથ લાગ્યા છે. એકાદ બે શિલાલેખમાં આપેલી વંશાવળી ઉપયોગી નીવડે છે. ચાખનવંશની સળંગ વંશાવળી વિશ્વસેન સુધી છે અને આ વંશમાં કુલ ૨૦ રાજાઓ અને ૨૧ વ્યક્તિઓનાં નામ જાણવા મળે છે.
તિત્તીય-પUત્તિમાં ચાષ્ટનવંશે ર૪૨ વર્ષ કર્યું હોવાનો ઉલ્લેખ છે. આ સમયાવધિ વિશ્વસેન સુધીની કે રુદ્રસિંહ ૩જા સુધીની ગણવી એ બાબત સંદિગ્ધ રહે છે. જિનસેનના રિવંશ પુરાણમાં (૬૦, ૪૨૦-૧૨) પણ ૨૪૨ વર્ષનો નિર્દેશ છે. આ બંને ગ્રંથમાં નહપાનનાં ૪૦ વર્ષનો ઉલ્લેખ અલગ છે. આમ કુલ ૨૮૨ વર્ષની સમયાવધિ દર્શાવાઈ છે. પુરાણોમાં શકોના રાજવંશનાં ૩૦૦ વર્ષ ગણાવ્યાં છે. એમાં નહપાનનો અલગ ઉલ્લેખ નથી. આ ત્રણેય સાહિત્યિક સાધનમાં નિર્દિષ્ટ સમયાવધિની બાબત એકબીજાની નજીક છે. સિક્કાલેખોમાંથી અને શિલાલેખોમાંથી પશ્ચિમી ક્ષત્રપોનો સત્તાકાલ ત્રણ સદી જેટલો હોવાનું આપણે અગાઉ નોંધી ગયા છીએ, જે સાહિત્યિક નિર્દેશોને સમર્થન બક્ષે છે. ચાન્ટન : '
સિક્કાઓ આ રાજાની અને એના પિતાની માહિતી સંપડાવી આપે છે. તો શિલાલેખો એના પિતાની અને એના સત્તાકાલની માહિતી બક્ષે છે. તોલમાયની ભૂગોળ એની રાજધાની ઉપર પ્રકાશ પાડે છે. મથુરા સંગ્રહાલયમાં સંગૃહીત પૂર્ણ કદનું (અલબત્ત મસ્તક વિનાનું) એનું બાવલું તેના પડછંદ વ્યક્તિત્વનો ખ્યાલ આપે છે.
અભિલેખોથી સ્પષ્ટ થાય છે કે એના પિતાનું નામ સામોતિકર હતું. જો કે આ પુરુષના સિક્કા કે શિલાલેખ હાથ લાગ્યા નથી, તેથી તે સત્તાધીશ થયો હતો કે કેમ તે વિશે કોઈ માહિતી મળતી નથી. આ રાજવંશનો સ્થાપક સામોતિકનો પુત્ર ચાખન હોવાનું આમ સ્પષ્ટ થાય છે.
ચાષ્ટનના તાંબાના અને ચાંદીના સિક્કા પ્રાપ્ત થયા છે. ચાંદીના સિક્કા ક્ષત્ર અને મહાક્ષત્રપ એમ ઉભય પ્રકારના છે. ક્ષત્રપ તરીકેના એના સિક્કા બે પ્રકારના છે. બંને પ્રકારના અગ્રભાગે રાજાની મુખાકૃતિ અને ગ્રીક લેખ છે, ફક્ત પૃષ્ઠભાગમાં થોડા ફેર જોવા મળે છે. દા.ત. એક પ્રકારના એના સિક્કામાં મધ્યમાં તથા ડાબી તરફ ચંદ્રકલા તથા જમણે સૂર્ય તથા
For Personal & Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ક્ષત્રપકાલીન ગુજરાત વૃત્તાકારે ખરોષ્ઠી અને બ્રાહ્મીમાં લખાણ છે; તો બીજા પ્રકારમાં સિક્કાની વચ્ચે ત્રિકૂટ પર્વત, એની ટોચે અને ડાબે ચંદ્રકલા તથા જમણી તરફ સૂર્ય અને નીચેના ભાગે નદીનું સૂચન કરતી સર્પાકાર રેખા અને ખરોષ્ઠી તેમ જ બ્રાહ્મીમાં લેખ છે. એના મહાક્ષત્રપ તરીકેના સિક્કા એના ક્ષત્રપ તરીકેના બીજા પ્રકારના સિક્કા સાથે સામ્ય ધરાવે છે. ચાષ્ટન કુષાણોનો ઉપરાજ ન હતો
સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિથી પરાજિત પામેલા નહપાન પછી ક્ષહરાતોએ ગુમાવેલા પ્રદેશ સાતવાહનો પાસેથી પાછા મેળવવા કુષાણોએ, ખાસ કરીને કણિક્કે, ચારુનને દક્ષિણ-પશ્ચિમ ભારતના પ્રાંતો વાસ્તે ઉપરાજ નીમ્યો હોવાની અટકળ દિનેશચંદ્ર સરકારે વગેરેએ કરી છે; પણ કોઈ સીધા પુરાવાઓનો નિર્દેશ એમણે કર્યો નથી. જો કે આપણે અગાઉ અવલોકી ગયા (જુઓ પ્રકરણ ૫) કે પશ્ચિમી ક્ષત્રપોએ કુષાણોની રાજનિષ્ઠા સ્વીકારી ન હતી. તેથી ચાખન કુષાણોનો સૂબો હોવાનું તથાકથિત મંતવ્ય નિરાધાર બને છે અને તે સાથે પશ્ચિમી ક્ષત્રપો કુષાણોના ખંડિયા રાજા હોવાની બાબતનો પણ છેદ ઊડે છે.
એનો સમય : કચ્છ જિલ્લાના આન્ધીમાંથી પ્રાપ્ત થયેલા ચાષ્ટનના સમયના ચાર યષ્ટીલેખોમાં વર્ષ પરનો નિર્દેશ છે. આ વર્ષો શક સંવતનાં છે એ વિશે હવે કોઈ શંકા રહી નથી. આ ગણતરી પ્રમાણે વર્ષ પર બરોબર (પર + ૭૮) ઈસ્વી ૧૩૦-૩૧ આવે. આથી ચાટન ઈસ્વીની બીજી સદીના બીજા ચરણમાં સત્તાધીશ હતો એ પુરવાર થાય છે. પણ આન્ધૌ ગામેથી વીસમી સદીના સાઠના દાયકામાં ચાષ્ટનના સમયનો એક વધુ યષ્ટીલેખ હાથ લાગ્યો છે, જેમાં વર્ષ ૧૧નો નિર્દેશ છે અને ચાખનને ક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે. એટલે શક વર્ષ ૧૧ બરોબર ઈસ્વી ૮૯માં ચાન ક્ષત્રપ તરીકે અધિપતિ હોવાનું સાબિત થાય છે. પરંતુ તે પછી કચ્છ જિલ્લાના દોલતપુર ગામેથી એક યષ્ટીલેખ મળી આવ્યો છે જેમાં નિર્દિષ્ટ વર્ષ ૬ છે. આથી ચાણન ઈસ્વી ૮૪માં શાસક હોવાનું વધુ એક વાર પુરવાર થાય છે. આમ, કચ્છમાંથી પ્રાપ્ત ચાટનના સમયના છ લેખોથી સ્પષ્ટ થાય છે કે તે શક સંવતના પ્રારંભથી સત્તા ભોગવતો હતો અને આપણે અવલોક્યું તેમ એ સંવત પણ એણે પ્રવર્તાવેલો. શક વર્ષ પરના લેખોમાં એને રીના કહ્યો છે, તો સિક્કાઓમાં રષિા ક્ષત્રપ અને રીના મહાક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે. શક સંવતનો પ્રવર્તક ચાન્ટન હોઈ એનો શાસનકાલ આમ ઈસ્વી ૭૮થી ૧૩૦ સુધીનો હોવાનું સાધાર અનુમાન થઈ શકે.
પરંતુ તોલમાયના મત મુજબ એ સમયે ઉજ્જનની ગાદી ઉપર ચાન્ટન રાજ્ય કરતો હતો. આ ગ્રંથનો રચનાકાળ ઈસ્વી ૧૪૦નો સ્વીકારાય છે. એટલે કે ચાટન ઈસ્વી ૧૪૦માં પણ સત્તાધીશ હતો. એના પૌત્ર મહાક્ષત્રપ રુદ્રદામાનો જૂનાગઢનો શૈલલેખ વર્ષ ૭૨નો (ઈસ્વી ૧૫૦-૫૧નો) છે. આથી એમ સૂચિત થાય છે કે ચાટનની રાજકીય કારકિર્દીનો અંત ઈસ્વી ૧૪૦ અને ૧૫૦ની વચ્ચે કોઈક સમયે, ખાસ કરીને ૧૪૦ પછી થોડા જ સમયમાં આવ્યો હોય.
રાજધાની અને રાજ્યવિસ્તાર : એના સમયના બધા જ અભિલેખો કચ્છ પ્રદેશમાંથી મળ્યા હોઈ એવું સૂચિત થઈ શકે કે પશ્ચિમમાં કચ્છથી પૂર્વમાં ઉજ્જન સુધી એનું રાજ્ય વિસ્તરેલું
For Personal & Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાત
હતું. ઉત્તરે અને દક્ષિણે એના રાજ્યની સીમા ક્યાં સુધી હતી એ ચોક્કસ પણે જાણી શકાયું નથી. એમ છતાં રુદ્રદામાના જૂનાગઢી શૈલલેખમાં એની સત્તા હેઠળના નિર્દિષ્ટ પ્રદેશોમાંના ઘણા વિસ્તારો સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણની સત્તા નીચે હતા, જે વિસ્તારો ક્ષહરાતોએ નહપાનના સમયમાં ગુમાવેલા; અને તેમાંથી કેટલાક પ્રદેશો ચાષ્ટન-રુદ્રદામાના સંયુક્ત શાસને પાછા મેળવી લીધા હતા. આ અનુસાર રાજા મહાક્ષત્રપ ચાષ્ટનના અને પ્રાયઃ ખાસ કરીને રાજા ક્ષત્રપ રુદ્રદામાના અને/અથવા રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના સમયમાં ચાષ્ટ્રનના રાજ્યનો વિસ્તાર પૂર્વમાં આકરાવંતિ (પૂર્વ-પશ્ચિમ માળવા), પશ્ચિમમાં કચ્છ-સુરાષ્ટ્ર, ઉત્તરે અપરાંત (હાલનું રાજસ્થાન) અને દક્ષિણે અનૂપ (નર્મદા કાંઠો) સુધી હોવા સંભવે. આમ, ચાષ્ટનના રાજયવિસ્તારની પ્રવૃત્તિમાં રાજા ક્ષત્રપ રુદ્રદામાનો અગત્યનો ફાળો હોવો જોઈએ.
૧૧૫
માત્ર તોલમાયની ભૂગોળમાં એની રાજધાની ઉજ્જનમાં હતી એવો એક માત્ર ઉલ્લેખ છે. એના સમયના શિલાલેખોમાં આ બાબતે કોઈ નિર્દેશ નથી. આથી શક્ય છે કે ચાષ્ટનની રાજધાની તરીકે ઉજ્જનનો તોલમાયી નિર્દેશ એના સત્તાકાલનાં અંતિમ વર્ષોમાં હોય. પરંતુ એના લખાણો માત્ર કચ્છમાંથી હાથ લાગ્યાં છે. આ દિષ્ટએ એના શાસનના આરંભકાળે લાંબા સમય સુધી આંધૌ એની રાજધાની હોવાનો પૂરતો સંભવ છે; પરંતુ શાસનકાર્યમાં રુદ્રદામાનો સહયોગ થયા પછી કદાચ એણે એની રાજધાની ઉજ્જન ખસેડી હોય અને ગુજરાત વિસ્તારની જવાબદારી એણે એના પૌત્ર અને શાસનસહયોગી ક્ષત્રપ રુદ્રદામાને હસ્તક દીધી હોય. આમ, આરંભે આન્ધૌ લાંબા સમય સુધી અને શાસનના અંત ભાગે થોડાક સમય વાસ્તે ઉજ્જન એની રાજધાની હોવાનો સંભવ વ્યક્ત થઈ શકે છે.
જયદામા
તે ચાષ્ટનનો પુત્ર હતો અને રુદ્રદામાનો પિતા હતો. પશ્ચિમી ક્ષત્રપોના થોડાક શિલાલેખો એની માહિતી પ્રસ્તુત કરે છે. એના સ્વયના સિક્કા મળ્યા છે, પણ એમાં માત્ર એનું જ નામ છે. એના સિક્કાઓ અને એના વંશજોના શિલાલેખોમાં એને રાખા, ક્ષત્રપ અને સ્વામી બિરુદથી ઓળખાવ્યો છે. આથી એવું અનુમાની શકાય કે એ મહાક્ષત્રપનું પદ મેળવી શક્યો ન હતો. ભગવાનલાલ ઇંદ્રજી વગેરે વિદ્વાનો, આના આધારે, એવી અટકળ દર્શાવે છે કે એના રાજ્યકાલ દરમ્યાન આંધ્રના રાજાઓએ ચડાઈ કરી ચાષ્ટનવંશી રાજ્યને નુકસાન પહોંચાડ્યું હોય જે અટકળ સ્વીકાર્ય બનતી નથી; કેમ કે સામાન્યતઃ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં ક્ષત્રપો મહાક્ષત્રપોના મદદનીશ રાજા તરીકે અધિકાર ભોગવતા હતા. રાજા મહાક્ષત્રપ ચાષ્ટનના મદદનીશ તરીકે રાજા ક્ષત્રપ જયદામાનો ઉત્તરાધિકા૨ ૨ાજા ક્ષત્રપ રુદ્રદામાને મળ્યો જણાય છે; અર્થાત્ મહાક્ષત્રપ ચાષ્ટ્રનનો ઉત્તરાધિકાર મહાક્ષત્રપ રુદ્રદામાને પ્રાપ્ત થયો એ પહેલાં ક્ષત્રપ તરીકેનો જયદામાનો અધિકા૨ રુદ્રદામાને મળ્યો હતો તે બાબત આંધૌના વર્ષ પરના યષ્ટીલેખોથી સાબિત થાય છે. તેથી જયદામા એના પિતાની હયાતીમાં એટલે કે ક્ષત્રપાવસ્થામાં જ અકાળે અવસાન પામ્યો હોય અને તેથી મહાક્ષત્રપનું પદ તે પામી શક્યો ન હોય એ ઘણું સંભવિત જણાય છે.
For Personal & Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ક્ષત્રપકાલીન ગુજરાત એનો સત્તાકાલ : એના પિતાની હયાતીમાં મહાક્ષત્રપ તરીકેનું પદ પામ્યા વિના એ પ્રાયઃ અકાળે અવસાન પામ્યો હોય. આથી, સ્વતંત્ર રાજા તરીકેનું કોઈ મહત્ત્વ એને પ્રાપ્ત થયું જણાતું નથી. આન્ધૌના યષ્ટીલેખોથી જાણવું પ્રાપ્ત થાય છે કે રુદ્રદામા ઈસ્વી ૧૩૦માં ક્ષત્રપનો હોદ્દો ભોગવતો હતો, એટલે એના પિતા જયદામાનું ક્ષત્રપપદ (અને શકયતઃ જીવન) તે પૂર્વે સમાપ્ત થઈ ચૂક્યું હોય. આથી એના ક્ષત્રપાદનો, કહો કે એના સત્તાકાલનો સમય ઈસ્વી ૧૩૦ પહેલાનો અંદાજી શકાય; પણ તે ક્યારથી તે જાણવાની કોઈ સાધનો હાથવગાં નથી. અગાઉ અવલોક્યું તેમ, ખાસ તો ભૂમકના સત્તાકાલ સંદર્ભે, પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાંથી ઘણાખરાએ સરેરાશ દશ વર્ષ જેટલું રાજ્ય કર્યું છે. આથી સંભવતઃ જયદામાએ દશ વર્ષ રાજય કર્યું હોય એવું અનુમાન કરીએ તો તેણે શક્યતઃ ઈસ્વી ૧૨૦થી ૧૩૦ સત્તા સંભાળી હોય. રુદ્રદામા ૧લો : ક્ષત્રપ સત્તાનો અભ્યદય
ચાણનના આ પૌત્ર અને જયદામાના પુત્ર વિશેની માહિતી એના પોતાના સિક્કાઓ અને શૈલલેખથી તેમ જ એના સમયના આંધી અને ખાવડાના શિલાલેખોથી પ્રાપ્ત થાય છે. એના ચાંદીના સિક્કા સમયનિર્દેશ વિનાના હોઈ ખાસ ઉપકારક થતા નથી. પરંતુ શૈલલેખ અને શિલાલેખો સમયનિર્દેશયુક્ત હોઈ એનો સમયનિર્ણય કરવામાં સુગમતા સંપડાવી આપે છે. શૈલલેખ, આ ઉપરાંત એના વ્યક્તિત્વનાં અનેક પાસાં આપણી સમક્ષ ઉજાગર કરે છે.
રુદ્રદામાના પ્રાપ્ત બધા જ સિક્કા ચાંદીના છે અને મહાક્ષત્રપ તરીકેના છે૧૧. એના એક પ્રકારના સિક્કામાં ગયામપુત્રસ એવો સમાસ પ્રયોજાયો છે, તો બીજા પ્રકારના સિક્કામાં નયામણ પુત્ર એમ બે અલગ પદ છે. શેષ પ્રતીકો બંને પ્રકારના સિક્કામાં યથાવત્ છે.
પશ્ચિમી ક્ષત્રપોમાં સહુથી વધુ શક્તિસંપન્ન અને પ્રતાપી એવા આ રાજા વિશે અપવાદ સિવાય સમકાલીન કે/અને અનુકાલીન સાહિત્યમાં ક્યાંય ઉલ્લેખ નથી. સિક્કાના સંદર્ભમાં બૌદ્ધ પાલિ ગ્રંથોમાં રુદ્રદામાનો નિર્દેશ છે. રુદ્રસેન ૩જાના સિક્કા ઉપરથી રુદ્રદામા રજાની માહિતી મળે છે, પરંતુ એના પોતાના સિક્કાઓ હજી પ્રાપ્ત થયા નથી. એટલે પાલિગ્રંથોમાં દ્રામ, રુદ્રામાદ્રિ વગેરે સિક્કાઓનો ઉલ્લેખ સ્પષ્ટતઃ ચાષ્ટનના પૌત્ર રુદ્રદામા ૧લાના સંદર્ભમાં હોવાનું સૂચિત થાય છે.
એનો સત્તાકાલ : આન્ધના યષ્ટીલેખો વર્ષ પર(ઈસ્વી ૧૩0)ના છે, જેમાં ચાન્ટન અને રુદ્રદામાનો એક સાથે ઉલ્લેખ છે. આ કારણે ઉભયના સંયુક્ત શાસનનું સૂચન સંપ્રાપ્ત થાય છે. આ સમયે ચાન્ટન મહાક્ષત્રપ હોય અને રુદ્રદામાં એનો મદદનીશ ક્ષત્રપ. આથી સૂચિત થાય છે વર્ષ ૫રમાં તે ક્ષત્રપ તરીકેનો અધિકાર ભોગવતો હતો. ખાવડાનો વર્ષ ૬૨ કે ૭૨નો યષ્ટીલેખ થોડોક ઉપકારક દર્શાવી શકાય, પણ વર્ષનું વાચન નિશ્ચિત રીતે સૂચિત થતું નથી. પરંતુ અહીં તેને ક્ષત્રપ તરીકે ઓળખાવ્યો હોઈ અને એનો વર્ષ ૭૨નો જૂનાગઢનો શૈલલેખ મહાક્ષત્રપ તરીકેનો હોઈ સંભવતઃ પ્રસ્તુત લેખમાંનું (ખાવડાલેખનું) વર્ષ ૬૨ હોઈ શકે. આ ઉપરથી એનો ક્ષત્રપકાળ શિક વર્ષ પરથી ૬૨ સુધી નિશ્ચિત રીતે અને જો વર્ષ ૭૨ હોવાનું જણાય તો પ્રાયઃ એનો ક્ષત્રપકાળ બીજાં દશ વર્ષ સુધી લાંબો હોવા સંભવે. તોલમાપની ભૂગોળ મુજબ ૧૪૦ની
For Personal & Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાત
આસપાસ ચાષ્ટન સત્તાધીશ હતો. આથી રુદ્રદામા ઈસ્વી ૧૪૦ પછી મહાક્ષત્રપનું પદ પામ્યો હોય. શક વર્ષ ૭૨(ઈસ્વી ૧૫૦)માં તો તે મહાક્ષત્રપ હતો એટલે એના મહાક્ષત્રપકાળની ઉત્તર મર્યાદ ઈસ્વી ૧૫૦ સુધી અને પ્રાયઃ એ પછી પણ થોડાંક વર્ષો લંબાવી શકાય. એના અનુગામીના રાજ્યઅમલનાં જ્ઞાત વર્ષો ઉપરથી રુદ્રદામાના શાસનકાળની ઉત્ત૨મર્યાદા વધુમાં વધુ શક વર્ષ ૧૦૦ (એટલે ઈસ્વી ૧૭૮) સુધીની સૂચવી શકાય. અર્થાત્ એણે ઈસ્વી ૧૭૮ સુધી સત્તા ભોગવી હોય. આમ, એણે ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકે શક વર્ષ ૫૨થી શક વર્ષ ૧૦૦ સુધી૧૩ એટલે કે લગભગ પાંચ દાયકા સુધી શાસનની ધુરા હસ્તગત રાખી હોય.
૧૧૭
એનો રાજ્યવિસ્તાર : જૂનાગઢનો એનો શૈલલેખ એના રાજ્યવિસ્તારની ચોક્કસ માહિતી સંપડાવી આપે છે. એમાં નિર્દિષ્ટ પ્રદેશોમાં - પૂર્વ આક૨, પશ્ચિમ અવંતિ, અનૂપ, નીવૃત્ (નિમાડ), આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર, મરુ, કચ્છ, સિંધ, સૌવીર, કુકુર, અપરાંત અને નિષાદનો સમાવેશ થાય છે. આ ઉપ૨થી રુદ્રદામાના રાજ્યનો વિસ્તાર અર્વાચીન સ્થળનામોના પરિપ્રેક્ષ્યમાં આમ હોઈ શકે : ઉત્તરે મુલતાન સુધી, દક્ષિણમાં અનૂપ (માહિષ્મતી) સુધી, તો પૂર્વમાં માળવા અને નિમાડ સુધી તેમ જ પશ્ચિમે સમુદ્રકાંઠા (એટલે સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત) સુધી હતો. (જુઓ નકશો ૩).
એનું વ્યક્તિત્વ
જૂનાગઢનો એનો શૈલલેખ એનાં કારકિર્દી અને વ્યક્તિત્વને આલેખવામાં ઉપયોગી નિવડ્યો છે. આમાં આપેલા રુદ્રદામાના ચરિત્રચિત્રણના આધારે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં એ સહુથી મહાન, પ્રતાપી અને પ્રભાવશાળી હોવાનું ફલિત થાય છે. શૈલલેખના આધારે એની પ્રશસ્તિ આ અનુસાર આલેખી શકાય :
યશસ્વી પરાક્રમો : એણે માળવા, સિંધ અને કોંકણ જીત્યાં. આંધ્રના સાતવાહન રાજા શાતકર્ણને એણે બે વાર હરાવ્યો, પકડ્યો અને નજીકનો સંબંધી હોવાને કારણે છોડી મૂક્યો૪. પંજાબ, રાજસ્થાન અને ઉજ્જૈનના પ્રદેશો પ્રાપ્ત કર્યા. એની લશ્કરી કારકિર્દીનું યશસ્વી પ્રકરણ તે છે યૌધેયો ઉપ૨ના વિજયનું. ત્યારે યૌધેયોનું ગણરાજ્ય દેશ સમસ્તમાં પ્રબળ અને શક્તિસંપન્ન હતું અને આખાય દેશમાં એમનાં વીરત્વનાં વખાણ થતાં હતાં. એમના સિક્કા ઉપર ભાલાધારી યૌદ્ધાની આકૃતિ અને યૌધેય જળસ્થ નય: એવું લખાણ અંકિત કરેલું જોવું પ્રાપ્ત થાય છે૧૫. અત્યાર સુધી એમની સત્તાને કોઈ પડકારી શક્યું ન હતું, એટલે ઘમંડી સ્વભાવના બન્યા હતા. એમનું આ ઘમંડ રુદ્રદામાએ જબરદસ્તીથી એમને ઉખેડીને ઉતાર્યું હતું.
આ રીતે રુદ્રદામાએ ઘણાં રાજ્યો જીતી લઈ અને ઘણા રાજાઓ પાસે પોતાનું આધિપત્ય સ્વીકારાવી એણે જાતે પોતાની વીરતાની વાટે મહાક્ષત્રપનું બિરુદ ધારણ કર્યું : स्वयमधिगत
મહાક્ષત્રપનાના.........
ઉદાર ચરિત : એની શારીરિક શક્તિ જેટલી પ્રબળ હતી તેટલી જ એની માનસિક અને આત્મિક શક્તિ તેજસ્વી હતી. એનું શારીરિક સૌંદર્ય તેમ જ દેહસૌષ્ઠવ કાંતિમાન હતાં. ઘાટીલા શરીરવાળા આ રાજાને સ્વયંવર પ્રસંગે સંખ્યાતીત રાજકન્યાકાઓએ વરમાળા આરોપી હતી.
For Personal & Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ક્ષત્રપકાલીન ગુજરાત શરીરના સૌંદર્ય સાથે આત્માનું-હૃદયનું સૌંદર્ય એના ઉદાર ચરિતને વધારે ઉદાત્ત બનાવતું હતું. એટલે જ તેણે બ્રાહ્મણોના કલ્યાણાર્થે અને ધર્મના વિકાસ વાતે છૂટથી દાન દીધાં હતાં. આમ, એ ધર્માભિમુખ બન્યો હતો.
અશ્વવિદ્યા, ગજવિદ્યા, રથવિદ્યા તથા તલવાર અને ઢાલબાજીમાં એણે પ્રાવીણ્ય મેળવ્યાં હતાં. પોતાને શરણે આવેલા શાસકોને કે અન્યોને એ રક્ષણ આપતો હતો. પદભ્રષ્ટ રાજાઓને તેણે પુન: સત્તાધીશ બનાવ્યા હતા–વિનયેન પ્રષ્ટરીના પ્રતિષ્ઠા પન ૮. સંગ્રામોના અપવાદ સિવાય સામાન્યતઃ મનુષ્યવધ ન કરવાની પ્રતિજ્ઞાનું પૂર્ણ પાલન કરતો હતો. આથી ફલિત થાય છે કે એણે અહિંસાની આપણી સાંસ્કારિક પરંપરાનું-ભાવનાનું ભાથું અંકે કર્યું હતું. શત્રુનેય શરણું આપવામાં એણે સૌજન્ય દર્શાવ્યું હતું. આમ, એના દરિયાવદિલ અને ખેલદિલીવાળા સ્વભાવની પ્રતીતિ પમાય છે.
તે ઉચ્ચ કોટીનો અધ્યેતા હતો. શબ્દશાસ્ત્ર (વ્યાકરણ), અર્થશાસ્ત્ર, ગાંધર્વવિદ્યા (સંગીત), ન્યાયવિદ્યા ઇત્યાદિ મહત્ત્વની મહાવિદ્યાઓનાં પારણ(ગ્રહણ), ધારણ(સ્મૃતિ), વિજ્ઞાન (વિશિષ્ટ જ્ઞાન) અને પ્રયોગ (વ્યાવહારિક વિનિયોગ-ઉપયોગ) દ્વારા એણે વિપુલ કીર્તિ પ્રાપ્ત કરી હતી. ગદ્યપદ્ય રચનામાં એ પ્રવીણ હતો. એનો શૈલલેખ ગદ્યમાં હોવા છતાંય ઘણો કાવ્યમય છે૧૯.
આમ, એક આદર્શ રાજવીનાં અસંખ્ય લક્ષણો એના વ્યક્તિત્વમાં દષ્ટિગોચર થાય છે. જે નિમિત્તે એણે અશોકખ્યાત ખડક ઉપર લેખ ઉત્કીર્ણ કર્યો છે તે ઘટના જ એના લોકકલ્યાણની ભાવનાનું મૂર્ત સ્વરૂપ છે. પ્રજાપાલક રાજવીના પ્રજાપ્રેમી સૂબા સુવિશાખે એ યોજના પાર પાડવાની ભલામણ કરતાં રાજાએ પૌરજનો તથા જાનપદજનોના અનુગ્રહાર્થે તેમ જ એમના ઉપર કોઈ પણ જાતના નવા કરવેરા નાંખ્યા વિના પોતાની તિજોરીમાંથી ઘણું દ્રવ્ય ખર્ચીને તે તળાવ(સુદર્શન)ને હતું તે કરતાંય વિશેષ સુર્શન બનાવ્યું.
લોકકલ્યાણની ભાવના સાથે રાજય વ્યવસ્થાની સુદ્રઢતા સારુ પણ તે એટલો સચિત હતો. એની રાજયતિજોરી યોગ્ય રીતે જ વિઘોટી, જકાત અને સોનાચાંદીરત્નોથી ભરપૂર હતી. અમાત્ય ગુણોથી યુક્ત એવા મતિવવો(સલાહકાર મંત્રીઓ)ની અને વિવો(કાર્યકારી પ્રધાનો)ની નિમણૂક કરી, રાજ્યનું સબળ અને સફળ સંચાલન એણે કર્યું હતું.
એની રાજધાની : અલબત્ત, આ માટેના જરૂરી યોગ્ય પુરાવા સાંપડતા નથી, પરંતુ આનર્ત-સુરાષ્ટ્રનો સઘળો પ્રદેશ સૂબાના વહીવટ હેઠળના પ્રાંતનો દરજ્જો ધરાવતો હતો એ અમાત્ય સુવિશાખની નિમણૂકથી સ્પષ્ટ બને છે. આથી એની રાજધાની ગિરિનગરમાં નહીં પણ અન્યત્ર હોવી જોઈએ. એના દાદા ચાષ્ટનની રાજધાની ઉર્જનમાં હોવાનું આપણે નોંધ્યું અને ચાષ્ટનના મહાક્ષત્રપપદનો સીધો ઉત્તરાધીકાર તેને મળ્યો હોઈ તેની રાજધાની પણ સંભવતઃ ઉજજનમાં હોવી જોઈએ. સુવિશાખ : ગુજરાત પ્રાંતનો સૂબો
રુદ્રદામાના શૈલલેખમાં સુવિશાખનો ઉલ્લેખ છે. તેથી એ બાબત પણ આપણને વિદિત
For Personal & Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાત
૧૧૯
થાય છે કે રુદ્રદામાના રાજયમાં આનર્ત અને સુરાષ્ટ્ર પ્રાંતીય દરજ્જો ધરાવતા અગ્રણી વિસ્તાર હતા. આ પ્રાન્તના વહીવટ વાતે રુદ્રદામાએ પલ્લવ જાતિના કુલૈમના પુત્ર અમાત્ય સુવિશાખને સૂબા તરીકેનો અખત્યાર સોંપ્યો હતો. સુવિશાખ અર્થકારણ, ધર્મ અને વ્યવહારની ઊંડી સમજદારી ધરાવતો વહીવટદાર હતો. તે સ્વભાવે શાંત, સંયમી અને નિરાભિમાની હતો. ભ્રષ્ટાચારના ભોરિંગથી મુક્ત હતો.
એના સત્તાસમય દરમ્યાન શક વર્ષ ૭૨ (ઈસ્વી ૧૫૦)માં અતિવૃષ્ટિને કારણે ગિરનારમાંથી નિકળતી નદીઓમાં આવેલા ભારે પૂરને કારણે જૂનાગઢના સુદર્શન તાકનો સેતુ તૂટી ગયો ત્યારે તેણે એને સમજાવવા માટે અધિપતિને ભલામણ કરી, પણ મહાક્ષત્રપના મતિસચિવોએ અને કર્મસચિવોએ એનો વિરોધ કર્યો ને સેતુ પુનઃ નહિ બંધાય એવી નિરાશાથી પ્રજામાં હાહાકાર પ્રવર્યો. ત્યારે પૌરજનો અને જાનપદજનોના અનુગ્રહાર્થે સુવિશાખ સેતુ સમરાવી રાજાનાં ધર્મ-કીર્તિ-યશમાં અભિવૃદ્ધિ કરી. મહાક્ષત્રપ સૂબાના અભિગમના પરિપ્રેક્ષ્યમાં પ્રજાને કર, વિષ્ટિ કે પ્રણયક્રિયા(અપેક્ષા)થી પીડ્યા વિના પોતાના કોશમાંથી પુષ્કળ ધન ખરચીને થોડા વખતમાં અગાઉના કરતાંય ત્રણગણો વધુ દઢ સેતુનું નિર્માણ કરીને, દુદર્શન બનેલા એ સરોવરને (સુદર્શનને) વધારે સુદર્શન બનાવ્યું.
આમાં રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનું ઉદાર ચરિત અભિવ્યક્ત થાય છે તેમ સૂબા સુવિશાખના પ્રજાકલ્યાણી અભિગમનાં દર્શન થાય છે. દામજદશ્રી ૧લો
રુદ્રદામાનો જયેષ્ઠ પુત્ર અને રાજયસત્તામાં અનુગામી. દામજદશ્રી ૧લાના ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકેના સમયનિર્દેશ વિનાના ચાંદીના ત્રણ પ્રકારના સિક્કા ઉપલબ્ધ થયા છે; જેમાંના બે પ્રકારમાં ટ્રા-પ્સ કે ટામગ્સતરીકે અને ત્રીજામાં તાશ્રી તરીકે એને ઓળખાવ્યો છે.
- રુદ્રદામાને બીજો પુત્ર હતો રુદ્રસિંહ નામનો. એના સિક્કાઓ ક્ષત્રપ તરીકે અને મહાક્ષત્રપ તરીકેના ઉપલબ્ધ છે. ખાસ ધ્યાનાર્ય બાબત એ છે કે તેમાં વર્ષસૂચક સંખ્યા અંકિત થયેલી છે; જે બાબતનો અભાવ દામજદશ્રીના સિક્કામાં સ્પષ્ટ વર્તાય છે. આથી દામજદશ્રી રુદ્રદામાનો જયેષ્ઠ પુત્ર હોઈ શકે કેમ કે એના સિક્કાઓ એના પુરોગામીઓની જેમ સંખ્યાનિર્દેશ વિનાના છે. આપણે અવલોકી ગયા કે સિક્કાઓ ઉપર વર્ષનિર્દેશક સંખ્યા આપવાની શરૂઆત રુદ્રસિંહના સમયથી જણાય છે. આ બાબત પણ દામજદશ્રી અગ્રજ હતો અને રુદ્રસિંહ અનુજ હતો તેનાથી પુરવાર થાય છે.
દામજદશ્રીના ક્ષત્રપ તરીકેના સિક્કાઓથી અનુમાની શકાય કે એ એના પિતાની હયાતીમાં મહાક્ષત્રપના મદદનીશ તરીકે (ક્ષત્રપ તરીકે) અધિકાર ભોગવતો હતો. એટલે કે ઈસ્વી ૧૫૦ સુધીમાં એ ક્ષત્રપનું પદ પામ્યો હોય અને પિતાના મૃત્યુ પછી તે મહાક્ષત્રપ તરીકેના ઉત્તરાધિકારીનું પદ પામ્યો હોય. એના અનુજ રુદ્રસિંહના શક વર્ષ ૧૦૨ અને ૧૦૩ના ક્ષત્રપ તરીકેના સિક્કા તેમ જ વર્ષ ૧૦૩નો ક્ષત્રપ તરીકેનો શિલાલેખ પ્રાપ્ત થયા છે. એટલે કે રુદ્રસિંહ ત્યારે એના અગ્રજ દામજદશ્રીના મદદનીશ ક્ષત્રપ તરીકે ફરજ બજાવતો હોવો જોઈએ. આથી
For Personal & Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ક્ષત્રપકાલીન ગુજરાત એવું સૂચિત થાય છે કે દામજદશ્રી ઉક્ત વર્ષો દરમ્યાન એટલે કે ઈસ્વી ૧૮૦-૮૧માં મહાક્ષત્રપ તરીકે સત્તાધીશ હોવો જોઈએ.
- દામજદીની રાજકીય કારકિર્દી વિશે કે અન્યથા પણ કોઈ સીધી માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ એના પિતાના મદદનીશ ક્ષત્રપ તરીકેના કાર્યકાળ દરમ્યાન એણે કેટલાંક યુદ્ધોમાં ભાગ લીધો હોય અને પિતાના અવસાન પછી પ્રાપ્ત થયેલા ભવ્ય વારસાને અને વૈભવને એણે સાચવી રાખ્યો હોય. આ બાબતે તે મૌર્ય સમ્રાટ બિંબિસારનો અનુયાયી હોવાનું સ્વભાવિક અનુમાન થઈ શકે.
એના અનુજ રુદ્રસિંહના શિલાલેખમાંની કે એના પુત્ર રુદ્રસેનના શિલાલેખમાંની વંશાવળીમાં દામજદશ્રી કે એના કોઈ પુત્રનું નામ આપવામાં આવ્યું નથી. પરંતુ દામજદશ્રી અને એના પુત્રો-સત્યદામાં અને જીવદામા-ના સિક્કાઓ મળ્યા છે. વંશાવળીઓમાં જણાવેલા રાજાઓનો સંબંધ જોતાં સૂચિત થાય છે કે પ્રસ્તુત વંશાવળીઓમાં માત્ર સીધા પૂર્વજોનાં નામ આપવામાં આવ્યાં છે, અર્થાત્ અન્ય પુરોગામીઓનાં નામ આપવામાં આવ્યાં નથી.
જીવદામાના મહાક્ષત્રપ તરીકેના સિક્કા ઉપરનું વર્ષ ભગવાનલાલ ઇંદ્રજીએ ૧૦૦ હોવાનું અનુમાન કરેલું. આને આધારે રેસને એવી અટકળ કરેલી કે દામજદશ્રીના મૃત્યુ પછી શરૂઆતમાં જીવદામા મહાક્ષત્રપ થયો હોય. પરંતુ થોડા જ સમયમાં રુદ્રસિંહ ૧લાએ એની પાસેથી મહાક્ષત્રપનું પદ ઝૂંટવી લીધું હોય. આથી આ ઘર્ષણ સબબ જાણી જોઈને એમનાં નામ વંશાવળીમાંથી બાકાત રાખયાં હોય. પરંતુ મહાક્ષત્રપ જીવદામાના સિક્કાઓ ઉપરનાં જ્ઞાત વર્ષ ૧૧૯ પહેલાંના નહીં હોવાનું હવે પ્રતિપાદિત થયું હોઈને દામજદશ્રીના ઉત્તરાધિકાર માટે જીવદામાં અને રુદ્રસિંહ વચ્ચેના રાજકીય ઘર્ષણની અટકળ સ્વીકાર્ય જણાતી નથી. રુદ્રસિંહ ૧લો
પશ્ચિમી ક્ષત્રપોના ઉત્તરાધિકારના સંભવિત નિયમ અનુસાર ગાદીનો વારસો સત્તાધીશ રાજાના જયેષ્ઠ પુત્રને સ્થાને અનુજને મળે; પરંતુ રુદ્રદામાને કોઈ અનુજ ન હોવાથી એનો ઉત્તરાધિકાર એના જયેષ્ઠ પુત્ર દામજદશ્રીને પ્રાપ્ત થયો તે આપણે અવલોક્યું. ત્યાર પછી વારસદારના નિયમાનુસાર એના અનુજ રુદ્રસિંહને રાજયાધિકાર મળે છે. આ રાજાના ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકે રજતસિક્કા આનું સમર્થન કરે છે. એના મહાક્ષત્રપ તરીકેના જસતના થોડાક સિક્કા મળ્યા છે.
એના સિક્કાઓ ઉપર સૌ પ્રથમ વખત વર્ષસૂચક સંખ્યા અંકિત થયેલી જોવી પ્રાપ્ત થાય છે, જે આપણા દેશના સિક્કાવિજ્ઞાનના વિકાસમાં સીમાચિહ્ન તરીકેનું સ્થાન મેળવી જાય છે?". સમયનિર્દેશવાળા એના ચાર શિલાલેખો પણ મળ્યા છે. પશ્ચિમી ક્ષત્રપોમાં સમનિર્દેશવાળા સિક્કા જેમ સૌ પ્રથમ એના છે તેમ પૂર્ણ ભારતીય નામ અપનાવનાર પણ એ પહેલો ક્ષત્રપ રાજવી છે". આમ, આ બે બાબતે એનું સ્થાન મહત્ત્વનું ગણાય છે.
એના વર્ષયુક્ત સિક્કાઓએ કેટલાક મુદ્દા ઉપસ્થિત કર્યા છે : રુદ્રસિંહ દામજદશ્રીના મૃત્યુ પછી સહજ રીતે વારસાનુસાર ગાદીએ આવ્યો કે તેને પદભ્રષ્ટ કરીને ગાદી પ્રાપ્ત કરી ? એની
For Personal & Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાત
અને એના ભત્રીજા જીવદામા વચ્ચે ગાદી કાજે સંઘર્ષ થયેલો કે કેમ ? એના રાજ્યામલ દરમ્યાન કોઈ પડોશી રાજાએ કે વિદેશી શાસકે આક્રમણ કરેલું કે કેમ ?
રુદ્રસિંહના ખાસ કરીને વર્ષ ૧૧૦ અને ૧૧૨ના ક્ષત્રપ તરીકેના સિક્કાના સંદર્ભમાં અભ્યાસીઓએ ભિન્ન ભિન્ન અટકળ પ્રસ્તુત કરી છે : રેપ્સનના મત મુજબ આ સમય દરમ્યાન એનો ભત્રીજો જીવદામા મક્ષિત્રપપદે આરૂઢ થયો હોય અને રુદ્રસિંહ એના મદદનીશ ક્ષત્રપ તરીકે સત્તા ભાગવતો હોય, પરંતુ સાપેક્ષ પુરાવાના અભાવે આવ સંઘર્ષની અટકળ શંકાસ્પદ રહે છે. ભાંડારકર અને અળતેકરના મતે આભીર રાજા ઈશ્વરદત્તે રુદ્રસિંહ પાસેથી સત્તા ખૂંચવી લઈ આ સમય દરમ્યાન (એટલે કે ઈસ્વી ૧૮૯-૧૯૦) રાજ્ય સત્તા હસ્તગત કરી હોય. ઈશ્વરદતના ફક્ત બે જ વર્ષના થયેલા સિક્કાઓના આધારે આવી અટકળ થઈ હોવા સંભવે. સુધારક ચટ્ટોપાધ્યાયની અટકળ મુજબ આ સમય દરમ્યાન આંધ્રના સાતવાહન રાજાઓએ આ પ્રદેશ જીતી લીધો હોય, અને એના મદદનીશ ક્ષત્રપ તરીકે રુદ્રસિંહ આ પ્રદેશ ઉપર સત્તા ભોગવતો હોવો જોઈએ.
અગાઉ જ્યારે રુદ્રસિંહના કેટલાક સિક્કાઓ હાથ લાગ્યા ન હતા ત્યારે ઉપર્યુક્ત અટકળ થઈ હતી. એના સમયના ઉપલબ્ધ સિક્કાઓ ઉપરનાં અને શિલાલેખોમાંનાં જ્ઞાત વર્ષના આધારે એના શાસનાધિકારની બાબતમાં આ મુજબની પરિસ્થિતિ જોવી પ્રાપ્ત થાય છે ઃ
(૧) પહેલીવાર ક્ષત્રપ તરીકે : વર્ષ ૧૦૨-૧૦૩.
(૨) પહેલીવાર મહાક્ષત્રપ તરીકે : ૧૦૩થી ૧૧૦.
(૩) બીજીવાર ક્ષત્રપ તરીકે : ૧૧૦થી ૧૧૨.
(૪) બીજીવાર મહાક્ષત્રપ તરીકે : ૧૧૩થી ૧૧૮ કે સંભવતઃ ૧૧૯.
પરંતુ રેપ્સનની અટકળ પ્રસ્તુત થયા પછી રુદ્રસિંહના કેટલાક વધુ સિક્કા હાથ લાગતાં ઉપર્યુક્ત માહિતીમાં કેટલોક ઉમેરો થયો છે. તદનુસાર વર્ષ ૧૦૧થી ૧૨૦ સુધીના ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકેના એના સિક્કાની માહિતી આ મુજબ છે :
શક વર્ષ
ક્ષત્રપ તરીકે
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
રુદ્રસિંહ
રુદ્રસિંહ
૧૨૧
મહાક્ષત્રપ તરીકે
રુદ્રસિંહ
રુદ્રસિંહ
રુદ્રસિંહ
રુદ્રસિંહ
રુદ્રસિંહ
For Personal & Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨
ક્ષત્રપકાલીન ગુજરાત
રુદ્રસિંહ રુદ્રસિંહ
રુદ્રસિંહ રુદ્રસિંહ રુદ્રસિંહ
૧૧૭
૧૦૯ રુદ્રસિંહ
રુદ્રસિંહ ૧૧૦
રુદ્રસિંહ ૧૧૧ ૧૧૨ દ્રસિંહ
રુદ્રસિંહ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬
રુદ્રસિંહ
રુદ્રસિંહ ૧૧૮
રુદ્રસિંહ ૧૧૯
રુદ્રસિંહ અને જીવદામા). - ૧૨૦ રુદ્રસેન ૧લો
જીવદામા પ્રસ્તુત કોઇકની વિગતોથી કેટલીક સમસ્યાઓ ઉદ્દભવે છે : (૧) રુદ્રસિંહ વર્ષ ૧૦૨ તથા ૧૦૩ દરમ્યાન ક્ષત્રપ અને મહાક્ષત્રપ ઉભય રીતે સત્તાધીશ કેવી રીતે હોઈ શકે ? (૨) ગૂંદાના શિલાલેખોથી સ્પષ્ટ થાય છે કે તે વર્ષ ૧૦૩ના વૈશાખમાં ક્ષત્રપ હતો. આથી એના સિક્કા પરનાં વર્ષ ૧૦૦ અને ૧૦૩ના વાંચન એના ક્ષત્રપપદ સાથે ગોઠવી શકાય છે. (૩) સંભવ છે કે વર્ષ ૧૦૩ના ઉત્તર ભાગમાં એણે મહાક્ષત્રપ તરીકે સત્તા સંભાળી હોય. તેથી તેના તે વર્ષ પૂરતા સિક્કા ક્ષત્રપ અને મહાક્ષત્રપ એમ ઉભય પ્રકારના હોઈ શકે છે. પરંતુ વર્ષ ૧૦૧ અને ૧૦૨માં તે મહાક્ષત્રપ તરીકે સત્તાધીશ હોવાનું સંભવે નહીં. (૪) આથી એના સિક્કાઓ ઉપરનાં વાચનમાં કાં તો વર્ષની સંખ્યાનો અથવા તો રાજાના બિરુદનો પાઠ સંદિગ્ધ ગણાય. (૫) એવી જ રીતે વર્ષ ૧૦૯, ૧૧૦ અને ૧૧૨ દરમ્યાન એ ક્ષત્રપ અને મહાક્ષત્રપ ઉભય હોદ્દા ઉપર હોવાનો ભાસ એના સિક્કાના વાચન ઉપરથી થાય છે. (૬) આ વર્ષો દરમ્યાન જો કે આ રાજા કોઈ કારણે મહાક્ષત્રપપદેથી ક્ષત્રપપદે ઊતરી ગયો હોય એટલે કે એની પાસેથી કોઈએ સત્તા છીનવી લીધી હોય એવી અટકળ પ્રચારિત થઈ છે. પરંતુ સીધા પુરાવાની અનુપરિસ્થિતિમાં આ અટકળ સ્વીકાર્ય બનતી નથી. (૭) સંભવ છે કે બંને બિરુદ એક સાથે વર્ષ ૧૦૯ કે/અને ૧૧૨માં હોઈ શકે, પરંતુ વર્ષ ૧૧૦માં સંભવે નહીં.
આમ, વર્ષ ૧૦૧, ૧૦૨ તથા પ્રાયઃ ૧૦૯થી ૧૧૨ (અથવા ઓછામાં ઓછું ૧૧૦)ના વાચન પરત્વે વર્ષનિર્દેશક સંખ્યા કે બિરુદમાં ભૂલ રહેલી હોવાનો સંભવ નકારી શકાય નહીં. અથવા એવું પણ બને કે એની સત્તામાં ક્યાંય ગરબડ થઈ હોય. પણ તેના સાપેક્ષ પુરાવા પ્રાપ્ય નથી.
વળી જે વર્ષોના રુદ્રસિંહના મહાક્ષત્રપ તરીકેના સિક્કા મળ્યા છે તે વર્ષોના બીજા કોઈ રાજાના ક્ષત્રપ તરીકેના સિક્કા અદ્યાપિ મળ્યા નથી તથા જે વર્ષોના એના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ ઉપલબ્ધ છે તે સમયના અન્ય શાસકના મહાક્ષત્રપ તરીકેના સિક્કા મળતા જ નથી. આથી,
For Personal & Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાત
૧૨૩
રુદ્રસિંહના સિક્કાઓ ઉપરનાં લખાણોનાં થયેલાં વાચનમાંથી ઘણો ગૂંચવાડો ઉદ્ભવ્યો છે. કદાચ સિક્કા તૈયાર કરનાર અધિકારીની કોઈ ગફલત કે બેદરકારીનું કારણ પણ હોઈ શકે.
રુદ્રસિંહને રુદ્રસેન ૧લો, સંઘદામા અને દામસેન એમ ત્રણ પુત્રો હતા; છતાં રુદ્રસિંહનો ઉત્તરાધિકાર દામજદશ્રીના પુત્ર જીવદામાને પ્રાપ્ત થયો હતો.
સત્યદામા
જીવદામાનો તે અગ્રજ હતો. એનો અદ્યાપિ માત્ર એક સિક્કો હાથ લાગ્યો છે, જે ક્ષત્રપ તરીકેનો છે. સમયનિર્દેશવાળો હોવા છતાંય આ સિક્કો અવાચ્ય છે. આ વર્ષ જીવદામાના મહાક્ષત્રપપદ દરમ્યાનનું અર્થાત્ વર્ષ ૧૧૯ અથવા ૧૨૦ હશે એવું સૂચન અગાઉ રેપ્સને કરેલું. પરંતુ તે પછી પ્રાપ્ત કેટલાક નવા મુદ્દાના આધારે સત્યદામાના સિક્કાનો સમય જીવદામાના ઉપર્યુક્ત સિક્કાઓના સમય કરતાં વહેલો હોવાનું તથા તે અનુસાર સત્યદામા જીવદામાનો અગ્રજ હોવાનું પ્રસ્થાપન રેપ્સનને કર્યું છે૩૧.
એના ક્ષત્રપ તરીકેના સિક્કા એ કોઈ મહાક્ષત્રપના મદદનીશ ક્ષત્રપ તરીકે રાજ્યાધિકા૨
ભોગવતો હતો. તો પ્રશ્ન એ ઉદ્ભવે કે આ મહાક્ષત્રપ કોણ ? પશ્ચિમી ક્ષત્રપોના ઉત્તરાધિકારના સંભવિત પણ પ્રસ્થાપિત નિયમાનુસાર ગાદીનો વારસાહક્ક જ્યેષ્ઠ પુત્રને નહીં પણ અનુજને પ્રાપ્ત થાય છે. એટલે સંભવ છે કે સત્યદામા એના પિતાશ્રી દામીજદશ્રીના મદદનીશ તરીકે નહીં પણ કાકા રુદ્રસિંહના મદદનીશ તરીકે રાજ્યાધિકાર ભોગવતો હોવો જોઈએ.
સિક્કાઓ ઉપરથી એવું ફલિત થાય છે કે મહાક્ષત્રપ તરીકે રુદ્રસિંહ પછી એનો ભત્રીજો જીવદામા અને પછી એના પિત્રાઈ ભાઈ રુદ્રસેન ઉત્તરાધિકાર પ્રાપ્ત કરે છે. આથી, અનુમાની શકાય કે સત્યદામા ક્ષત્રપકાળ દરમ્યાન જ અપુત્ર મરણ પામ્યો હોવો જોઈએ.
જીવદામા
સત્યદામાના આ અનુજના માત્ર મહાક્ષત્રપ તરીકે સિક્કા મળ્યા છે. એના સિક્કાઓ ઉપરનાં જ્ઞાત વર્ષ ૧૧૯ અને ૧૨૦ છે. પરંતુ અમરેલીમાંથી પ્રાપ્ત જીવદામાના એક સિક્કા ઉપર વર્ષ ૧૦૦નું વાચન ભગવાનલાલ ઇંદ્રજીએ કરેલુંર્ અને રેપ્સને આ અંગે શંકા દર્શાવી હતી કે કાં તો એકમ કે દશકના, કાં તો બંને આંકડા નાશ પામી ગયા હોય. અર્થાત્ એમના મત મુજબ શતકના આંકડા પછી દશક કે એકમના આંકડા હોવા સંભવે. તદનુસાર રેપ્સને એવું અનુમાન્યું કે એ સિક્કા ઉપરનું વર્ષ ૧૦૦થી ૧૦૩ વચ્ચેનું હોવું જોઈએ. પણ હવે આ વાંચન સ્વીકાર્ય રહેતું નથી.
જીવદામાના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ અદ્યાપિ હાથ લાગ્યા નથી. આથી એવું સૂચિત થાય છે કે એ સીધો જ મહાક્ષત્રપપદે આરુઢ થયો હોય. એના કાકા રુદ્રસિંહના મહાક્ષત્રપ તરીકેના સિક્કામાંનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૧૯ છે, જે વર્ષ જીવદામાના સિક્કા ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ છે. આથી સ્પષ્ટ થાય છે કે વર્ષ ૧૧૯ના ઉત્તરભાગે તે રુદ્રસિંહનો ઉત્તરાધિકારી બન્યો હોવો જોઈએ. વર્ષ ૧૨૦ પછી એના સિક્કા મળતા નથી. પરંતુ એના અનુગામી અને ઉત્તરાધિકારી રુદ્રસેન ૧લાનું શરૂઆતનું જ્ઞાત વર્ષ ૧૨૨ છે એ હકીકત એના મૂલવાસરના શિલાલેખથી સ્પષ્ટ
For Personal & Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ક્ષત્રપકાલીન ગુજરાત થાય છે. આથી જીવદામાના શાસનકાળની ઉત્તરમર્યાદા વર્ષ ૧૨૨ સુધીની હોઈ શકે. આ બધા ઉપરથી એનો રાજ્યઅમલ ટૂંકો અને યશસ્વી કારકિર્દી વિનાનો દશ્ય થાય છે. રુદ્રસેન ૧લો
જીવદામા પછી એના નાના કાકા રુદ્રસિંહ ૧લાનો શ્રેષ્ઠ પુત્ર રુદ્રસેન ૧લો ગાદીએ આરૂઢ થયો. એના ચાંદીના સિક્કાઓ ક્ષત્ર અને મહાક્ષત્રપ તરીના છે. એના ક્ષત્રપ કાલના સિક્કાઓ વર્ષ ૧૨૦ અને ૧૨૧ તેમ જ સંભવતઃ ૧૨૨ના સંપ્રાપ્ત છે; જ્યારે મહાક્ષત્રપાલના સિક્કાઓ વર્ષ ૧૨૪થી ૧૪૪ સુધીના, લગભગ પ્રત્યેક વર્ષના મળ્યા છે, એના સમયના પૉટીનના થોડાક સિક્કા નામ વિનાના ઉપલબ્ધ થયા છે; પરંતુ આ સિક્કા ઉપર અંકિત વર્ષ ૧૩૧, ૧૩૩ અને ૧૩પના અનુસંધાને એવું સૂચવાય છે કે નામ વિનાના આ સિક્કા આ રાજાના જ હોય. એના બે શિલાલેખોમાંથી એક છે વર્ષ ૧૨૨નો મૂલવાસરનો (જિ. જામનગર) ૫ અને બીજો છે વર્ષ ૧૨૭ (કે ૧૨૬)નો ગઢાનો (જિ. રાજકોટ). આ બંને લેખક એના મહાક્ષત્રપપદના છે. જૂનાગઢ પાસે સ્થિત ઈંટવાના ખોદકાર્યમાંથી પ્રાપ્ત એક મુદ્રાંકલેખ એના સમયનો જણાય છે અને મિતિનિર્દેશ વિનાનો છે. ઉપરાંત દેવની મોરીના બૌદ્ધ મહાતૂપ અને મહાવિહાર પણ એના સમયના હોવા વિશે કેટલોક સંભવ છે.
રુદ્રસેનના ક્ષત્રપ તરીકેના સિક્કામાં પહેલું જ્ઞાત વર્ષ ૧૨૦ છે અને એના પિતા રુદ્રસિંહના ક્ષત્રપપદના સિક્કાનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૧ર છે તેમ જ એના નજીકના પુરોગામી જીવદામાના ક્ષત્રપ તરીકેના સિક્કા ઉપલબ્ધ નથી. તેથી રુદ્રસેનની ક્ષત્રપપદની પૂર્વ મર્યાદા વર્ષ ૧૨૦થી વહેલી હોવા સંભવે. એના ક્ષત્રપપદના સિક્કાનું છેલ્લું જ્ઞાત વૃર્ષ ૧૨૨ છે, જે એના શાસનકાલની ઉત્તરમર્યાદા સૂચવે છે; કેમ કે એનો વર્ષ ૧૨ ૨નો મૂલવાસરનો લેખ મહાક્ષત્રપાદનો છે.
એના મહાક્ષત્રપ તરીકેના સિક્કાઓ ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ ૧૨૪ છે, પરંતુ એના ક્ષત્રપાલના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૨૨ છે જે આપણે અવલોક્યું છે, અને એના મૂલવાસરનો શિલાલેખ મહાક્ષત્રપપદનો અને વર્ષ ૧૨૨નો હોઈ એવું અનુમાની શકાય કે એણે વર્ષ ૧૨૨માં મહાક્ષત્રપપદ પ્રાપ્ત કર્યું હોય. એના સિક્કા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૪૪ છે અને એના અનુગામી સંઘદામાના મહાક્ષત્રપપદના વર્ષ ૧૪૪ના સિક્કા મળ્યા છે. આથી રુદ્રસેને વર્ષ ૧૪૪ના પૂર્વભાગ પર્યત સત્તા સંભાળી રાખી હોવાનું ફલિત થાય છે.
આમ, એણે મહાક્ષત્રપ તરીકે લગભગ ૨૨ વર્ષ (શક વર્ષ ૧૨૨થી ૧૪૪ = ઈસ્વી ૨૦૦થી ૨૨૨)સુધી શાસન કર્યું હોવું જોઈએ. પ્રાપ્ત થયેલા લગભગ પ્રત્યેક વર્ષના એના સિક્કાઓ અને એનું સંખ્યા પ્રમાણ જોતાં એવું અનુમાની શકાય કે એનો સત્તાકાળ બાહ્ય આક્રમણો અને આંતરિક સંઘર્ષ વિનાનો હોવા સંભવે. એણે પોતાના રાજયના વિસ્તાર વાસ્તે કોઈ પ્રયત્ન કરેલા કે કેમ તથા તેનો પ્રદેશ-વિસ્તાર કેટલો હતો એ જાણવાની કોઈ સાધનો મળ્યાં નથી.
એનો ગઢાનો શિલાલેખ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, કેમ કે એમાં ચાષ્ટનથી આરંભી રુદ્રસેન ૧લા સુધીના સીધા વારસદાર રાજાઓનાં નામ નિર્દિષ્ટ છે, જેથી આરંભકાળના
For Personal & Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાત
૧૨૫
ક્ષત્રપરાજાઓની વંશાવળી ગોઠવવામાં સરળતા સંપ્રાપ્ત થઈ છે. એની બીજી વિશેષતા એ છે કે પુરોગામીઓનાં સબિરુદ નામ આપતો આ વશંનો આ છેલ્લો જ્ઞાત લેખ છે. મદ્રપુરd૯ વિશેષણ આ લેખમાં પહેલી વાર જોવું પ્રાપ્ત થાય છે, જે એની ત્રીજી વિશેષતા છે. ક્ષેત્રપ, મહાક્ષત્ર, રાગી, કે સ્વામીનું બિરુદ તો સામાન્યતઃ એમના સિક્કાલેખોમાં અને શિલાલેખોમાં દર્શાવાયેલાં જોવાં પ્રાપ્ત થાય છે જ, જ્યારે મમુરવનું બિરુદ પ્રથમવાર અને સંભવતઃ છેલ્લીવાર આ લેખમાં જોવો મળે છે. આ લેખની ચોથી વિશેષતા એ છે એમાં આપેલી વર્ષનિર્દેશનની પદ્ધતિની. નહપાનના નાસિક ગુફામાંના નંબર ૧૨ના વર્ષ ૪રના શિલાલેખની જેમ આમાં પણ વર્ષનો ઉલ્લેખ પ્રારંભમાં છે. વર્ષનો આ પ્રકારનો ઉલ્લેખ ચાખનકુળના શિલાલેખોમાં પહેલો અને સંભવતઃ છેલ્લો છે.
રુદ્રસેને ગિરિનગર નજીક બૌદ્ધભિક્ષુસંઘ માટે એક વિહાર બંધાવ્યો હોવાની માહિતી ઈંટવાના મુદ્રાંકલેખમાંના મહાર/ગ-રુદ્ર-વિહારના ઉલ્લેખથી પ્રાપ્ત થાય છે. વૈશાલી (હાલના બસાઢ)માંથી પ્રાપ્ત મુદ્રાંક પરના લેખમાંના રાજ્ઞી મહાક્ષત્રસ્ય સ્વામિદ્રસિટી હિતૂ રજ્ઞિો મહાક્ષત્રપ સ્વામિદ્રની માન્યા મહાવ્યા: પ્રમુદ્રામાયા: જે આ ઉલ્લેખ ઉપરથી પ્રભુદામા મહાદેવી હતી અને એ રુદ્રસિંહની પુત્રી હતી તેમ જ રુદ્રસેનની બહેની હતી જેવી મહત્ત્વની માહિતી મળે છે, પરંતુ એના પતિનો નિર્દેશ નથી. આ સંદર્ભમાં અળતેકર એવું સૂચવે છે કે કદાચ એ પૂર્વ ભારતનો કોઈ હિન્દુ રાજા હોય જે આ શક કુંવરીને પરણ્યો હોય કે પછી ભારતીય થઈ ગયેલો કોઈ કુષાણ રાજા હોય". જે. એન. બેનરજી આથી ભિન્ન સૂચન દર્શાવે છે : આ રાજા ગમે તે હોય પણ એને રુદ્રસિંહ કે એના પુત્ર રુદ્રસેન તેમ જ પ્રભુદામા સાથે સારા સંબંધો નહીં હોય અને તેથી એની પત્ની પ્રભુદામાં પોતાને પિતૃપક્ષ વડે ઓળખાવે છે. એમ પણ સંભવે કે એનો પતિ વૈશાલીનો સ્થાનિક રાજા હોય અને ત્યાં જાણીતો હોય તેથી તેનું નામ અહીં અધ્યાહત રાખેલું હોય અને ક્ષત્રપોના પિતૃકુલનો સગૌરવ ઉલ્લેખ વિશેષભાવે કર્યો
હોય.
પૃથિવીષેણ
રુદ્રસેન ૧લાને બે પુત્રો (પૃથિવીષેણ અને દામજદશ્રી રજો) હોવા છતાંય એ એના ઉત્તરાધિકારી ના થઈ શક્યા; કેમ કે ત્યારે રુદ્રસેનના બે અનુજ જીવિત હતા અને ઉત્તરાધિકારના સંભવિત-પ્રસ્થાપિત નિયમાનુસાર ગાદીનો હક્ક જયેષ્ઠ પુત્રને નહીં પણ અનુજને મળે અર્થાત અનુક્રમે સંઘદામા અને દામસેનને મળે. પરંતુ પૃથિવીષેણના ક્ષત્રપ તરીકેના સિક્કા ઉપરનો સમયનિર્દેશ સ્પષ્ટતઃ વર્ષ ૧૪૪નું સૂચન કરે છે. આપણે હમણાં જ નોંધ્યું કે રુદ્રસેનનું મહાક્ષત્રપ તરીકેનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૪૪ છે. આથી, એક એવી અટકળ પ્રચારિત થઈ કે રુદ્રસેને કૌટુંબિક પરંપરાની અવગણના કરીને પોતાના શાસનસમયના અંતમાં એણે પુત્ર પૃથિવીષેણને ક્ષત્રપ નીમ્યો હોય, પણ એના ક્ષત્રપપદના સિક્કાઓ એક જ વર્ષના હાથ લાગેલા છે, અને મહાક્ષત્રપ તરીકેના એના સિક્કા ઉપલબ્ધ નથી. આથી, એવું અનુમાન સંભવે છે કે પૃથિવીષેણ મહાક્ષત્રપનું પદ પામ્યા પૂર્વે જ અકાળ અવસાન પામ્યો હોય. એના કાકા સંઘદામાના વર્ષ ૧૪૪ના મહાક્ષત્રપ તરીકેના પ્રાપ્ત સિક્કા આ અનુમાનનું સમર્થન કરે છે.
For Personal & Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ક્ષત્રપકાલીન ગુજરાત પરમેશ્વરીલાલ ગુપ્ત આ પરત્વે એવું મંતવ્ય દર્શાવે છે કે રુદ્રસેને પોતાના અનુજને ક્ષત્રપપદ આપવાને સ્થાને પોતાના પુત્રને આપ્યું. પરિણામે ગાદી માટેના સંઘર્ષમાં સંઘદામાના હાથે પિતા-પુત્રએ જાન ગુમાવ્યા હોય. જો કે આ અટકળના અનુસંધાને અન્ય સબળ પુરાવા એમણે પ્રસ્તુત કર્યા નથી. સંભવ છે કે ગાદી વાતે આવી કોઈ લડાઈ જ ના થઈ હોય. પણ દુર્ભાગ્યવશ રુદ્રસેન અને પૃથિવીષેણ એક જ વર્ષે કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય. પૃથિવીષણ અપુત્ર મરણ પામ્યો હોય એવું પણ સંભવે, આથી, અન્યથા કોઈ અટકળ કરવી મુશ્કેલ છે. સંઘદામા
રુદ્રસેન-પૃથિવીષેણના અવસાનને કારણે સંઘદામા છેક વર્ષ ૧૪૪માં કાયદેસર રીતે વારસદાર તરીકે સીધો જ મહાક્ષત્રપનું પદ પ્રાપ્ત કરે છે; કેમ કે એના ક્ષત્રપપદના સિક્કા ઉપલબ્ધ થયા જ નથી. એના સિક્કાઓ પણ બે જ વર્ષના-વર્ષ ૧૪૪ અને ૧૪પના હાથ લાગ્યા છે. આથી, સંઘદામાના અતિ અલ્પ શાસનકાલના સંદર્ભમાં અળતેકર એવું સૂચન કરે છે કે અજમેર-ઉદેપુર પ્રદેશના માલવો સાથેના સંઘર્ષમાં એ માર્યો ગયો હોય. જો કે એમના આ સૂચનને કોઈ સાપેક્ષ પુરાવો પ્રાપ્ત ન હોઈ એ સ્વીકાર્ય બનતું નથી.
રાજકોટ વૉટ્સન મ્યુઝિયમમાં સંઘદામાનો વર્ષ ૧૪૯નો સિક્કો છે. આ સિક્કાના સંદર્ભમાં પરમેશ્વરીલાલ ગુપ્ત એવો મત દર્શાવે છે કે સંઘદામાં માલવો સાથેના યુદ્ધમાં માર્યો ગયો ન હતો પણ એણે વર્ષ ૧૪૯ સુધી સત્તા સંભાળી હતી. પરંતુ એના અગ્રજ સુદ્રસેનના મહાક્ષત્રપ તરીકેના વર્ષ ૧૪૪ અને અનુજ દામસેનના મહાક્ષત્રપ તરીકેના વર્ષ ૧૪પના ઉપલબ્ધ સિક્કાઓ ગુપ્તના મંતવ્યને નિરાધાર ઠરાવે છે. સંભવ છે કે તેણે શાંતિથી પણ અતિ અલ્પ સમય માટે જ શાસન કર્યું હોય અને અકાળે અવસાન પામ્યો હોય. દામસેન
એ સંઘદામાનો અનુજ હતો. એના ક્ષત્રપપદના સિક્કાઓ હાથ લાગ્યા નહીં હોઈ એ વર્ષ ૧૪૫માં સીધો જ મહાક્ષત્રપપદ પામ્યો હોવાનું ફલિત થાય છે. એના અગ્રજ સંઘદામાના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ પણ ૧૪૫ હોઈ એ આ વર્ષના ઉત્તર ભાગમાં સત્તાધીશ બન્યો હશે. એના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૫૮ છે અને એના અનુગામી યશોદામાના સિક્કા ઉપરનું વર્ષ ૧૬૦ છે. આથી દામસેને તેરેક વર્ષ રાજય કર્યું હોવાની સંભાવના નકારી શકાય નહીં.
એના ચાંદીના વર્ષ ૧૪૮ અને ૧૪૯ના સિક્કા અગાઉ ઉપલબ્ધ ન હતા. આથી, પરમેશ્વરીલાલ ગુપ્તએ માનેલું કે એણે શાંતિથી શાસન કર્યું નહીં હોય. પરંતુ એના પૉટીનના થોડાક સિક્કા મળ્યા છે જેમાંથી એક ઉપર વર્ષ ૧૪૮ છે. પ્રિન્સ ઑવ વેલ્સ મ્યુઝિયમના સંગ્રહમાંના ચાંદીના એક સિક્કા ઉપર વર્ષ ૧૪૮ વંચાય છે. આથી, ગુપ્તનું મંતવ્ય નિરાધાર રે છે. દામસેનના સમયમાં ક્ષત્રપપદના બે રાજવી
આ રાજાના મહાક્ષત્રપ તરીકેના શાસન દરમ્યાન બે ક્ષત્રપ રાજવીઓના સિક્કાઓ હાથ
For Personal & Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાત
૧૨૭
લાગ્યા છે : વર્ષ ૧૫૪ અને ૧૫૫ના એના અગ્રજ રુદ્રસેનના પુત્ર દામજદશ્રીના અને વર્ષ ૧૫થી ૧૬૦ સુધીના એના પોતાના પુત્ર વીરદામાનાપર. આથી, અનુમાની શકાય કે દામજદશ્રી મહાક્ષત્રપપદના હોદ્દા સુધી પહોંચતા પૂર્વે જ અવસાન પામ્યો હોય. તેથી દામસેનના જયેષ્ઠ પુત્ર દામજદશ્રીનો પિતરાઈ ભાઈ વીરદામા ક્ષત્રપ પ્રાપ્ત કરી ચૂકેલો એ હકીકત એના સિક્કાઓથી સ્પષ્ટ થાય છે. ક્ષત્રપપદે વીરદામાં વર્ષ ૧૬૦ સુધી સત્તાધીશ રહેલો સંભવે છે. દરમિયાન એના પિતા વર્ષ ૧૫૯-૬૦ સુધીમાં અવસાન પામ્યા હોવાનું જણાય છે. એટલે સ્વાભાવિક જ વીરદામાં આ સમયે મહાક્ષત્રપપદે પહોંચવો જોઈએ. પરંતુ એના મહાક્ષત્રપકાલના સિક્કા ઉપલબ્ધ નથી, જ્યારે એના અનુજ યશોદામાના વર્ષ ૧૬૦ના મહાક્ષત્રપ તરીકેના સિક્કા મળી આવ્યા છે. આથી, એવું અનુમાની શકાય કે દામસેન વર્ષ ૧૬૦ સુધી વિદ્યમાન હોવો જોઈએ અને એ જ વર્ષે ક્ષત્રપ તરીકેના હોદ્દા દરમ્યાન વીરદામા મૃત્યુ પામ્યો હોય. એટલે દામસેને મૃત્યુ પૂર્વે એના બીજા પુત્ર યશોદામાની એ જ વર્ષે અર્થાત્ વર્ષ ૧૬૦માં ક્ષત્રપ તરીકે નિયુક્તિ કરી હોવી જોઈએ. પરંતુ દામસેન એ જ વર્ષે મૃત્યુ પામ્યો હોય એમ એના પુત્ર અને અનુગામી યશોદામાના વર્ષ ૧૬૦ના મહાક્ષત્રપ તરીકેના સિક્કાથી સ્પષ્ટ થાય છે. યશોદામા ૧લો
આ રાજવીના વર્ષ ૧૬૦ના ક્ષત્રપપ૮ અને મહાક્ષત્રપદ્રના એમ ઉભય પ્રકારના સિક્કા ઉપલબ્ધ થયા હોઈ એવું અનુમાની શકાય કે તે વર્ષ ૧૬૦ના પૂર્વભાગે ક્ષત્રપ તરીકે સત્તાધીશ થયો હોય અને ઉત્તરભાગે મહાક્ષત્રપટ્ટે સત્તારૂઢ થયો હોય. એના અનુજ વિજયસેનના વર્ષ ૧૬૦ના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ આનું સમર્થન કરે છે. યશોદામાના મહાક્ષત્રપના સિક્કા વર્ષ ૧૬૦ અને ૧૬૧ એમ બે જ વર્ષના હાથ લાગ્યા છે. આથી યશોદામાં વર્ષ ૧૬૧માં અકાળે અવસાન પામ્યો હોવાનું સૂચિત થાય છે; કેમ કે એના અનુગામી વિજયસેનના એ જ વર્ષના મહાક્ષત્રપાલના સિક્કાથી એને પુષ્ટિ પ્રાપ્ત થાય છે. એટલે કે યશોદામાએ માત્ર બે વર્ષથીય ઓછા સમય સુધી રાજગાદી ભોગવી હોવી જોઈએ.
આમ, વર્ષ ૧૬૦-૬૧નાં બે વર્ષ દરમ્યાન દામસેન, એનો પુત્ર વીરદામા અને એનો બીજો પુત્ર યશોદામા સત્તાધીશ બને છે અને સત્તાકાળ દરમ્યાન જ મૃત્યુ પામે છે. આથી, એનો ત્રીજો પુત્ર વિજયસેન વર્ષ ૧૬૧માં મહાક્ષત્રપ પદે આરૂઢ થાય છે અને દીર્ઘકાલ સુધી શાસનસ્થ રહે છે. વિજયસેન
" આપણે અગાઉ અવલોક્યું કે વિજયસેન એક જ વર્ષ ક્ષત્રપપદે રહ્યો અને બીજે જ વર્ષે મહાક્ષત્રપ તરીકે સત્તારૂઢ થયો. એના મહાક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૧૬૧થી ૧૭૨ સુધીના પ્રત્યેક વર્ષના પ્રાપ્ત થયા છે, જે સારી સ્થિતિમાં સચવાયેલા છે. રેપ્સન ૫ એવી નોંધ કરે છે કે ક્ષત્રપકુળમાં આ રાજાના સિક્કાઓ શ્રેણી, મિતિ, પ્રકાર, કોતરણી વગેરેને કારણે ધ્યાનાર્હ છે. આ પછી આ બાબતોમાં સિક્કા તૈયાર કરવાની કારીગીરીમાં પડતી જોવા મળે છે.
એના અનુગામીના સિક્કા વર્ષ ૧૭૨થી શરૂ થાય છે. આથી એણે અગિયારેક વર્ષ
For Personal & Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
શાસન કર્યું કહેવાય. એનો સત્તાકાલ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ હતો એમ સૂચિત થાય છે એના સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ઉપલબ્ધ થયેલા સિક્કાઓની પ્રાપ્તિથી.
૧૨૮
એના રાજ્યકાળ દરમ્યાન કોઈ શાસકના ક્ષત્રપ તરીકેના સિક્કા હાથ લાગ્યા નથી. આથી, એવી અટકળ થઈ શકે કે એ યુવાનવયે અકાળે અવસાન પામ્યો હોય, જેથી એ પોતાના ઉત્તરાધિકારીની નિમણૂક કરી શક્યો નહીં હોય. એના અગ્રજોના અલ્પકાળને ધ્યાનમાં રાખતાં એમ કહી શકાય કે એ મહાક્ષત્રપપદે આવ્યો ત્યારે જુવાન હશે અને તેથી તેને પોતાનો વારસદાર કે અનુગામી ક્ષત્રપ નીમવાની આવશ્યક્તા જણાઈ નહીં હોય. એના પછી એનો અનુજ દામજદશ્રી ગાદીએ આવ્યો.
દામજદશ્રી જો
આ રાજાના માત્ર મહાક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૧૭૨થી ૧૭૭ સુધીના હાથ લાગ્યા છે; તેથી એ વિજયસેનના અનુગામી તરીકે વર્ષ ૧૭૨ના ઉત્તર ભાગમાં ગાદી-આરૂઢ થયો હોવાનું સૂચિત થાય છે. એના અનુગામીના વર્ષ ૧૭૭ના સિક્કાઓથી સ્પષ્ટ થાય છે કે એ વર્ષ ૧૭૭ના પૂર્વભાગ દરમ્યાન અવસાન પામ્યો હોય. આ રાજા વિશે વધુ કોઈ માહિતી મળતી નથી. રુદ્રસેન ૨જો
દામજદશ્રી ૩જાના જ્યેષ્ઠ બંધુ ક્ષત્રપ વીરદામાના પુત્ર રુદ્રસેનના વર્ષ ૧૭૭થી ૧૯૯ સુધીના લગભગ પ્રત્યેક વર્ષનાપ મહાક્ષત્રપ તરીકેના સિક્કા ઉપલબ્ધ થયા હોઈ દામજદશ્રીના અનુગામી તરીકે એ સીધો જ મહાક્ષત્રપપદ પામ્યો હોવાનું સ્પષ્ટ થાય છે. એના અનુગામી રાજા મહાક્ષત્રપ વિશ્વસિંહના સિક્કા વર્ષ ૨૦૦થી મળતા હોઈ રુદ્રસેન વર્ષ ૧૯૯ના અંતભાગમાં બાવીસેક વર્ષ શાંતિભર્યું રાજ્ય કરીને અવસાન પામ્યો જણાય છે.
એના દીર્ઘશાસનસમય દરમ્યાનની કોઈ વિશેષ માહિતી મળતી નથી. એના સત્તાકાલના ઉત્તરભાગમાં એના પુત્ર વિશ્વસિંહને ક્ષત્રપ તરીકે સત્તારૂઢ થયેલો જોઈએ છીએ. રુદ્રસેનને કોઈ અનુજ ન હોઈ એનો રાજ્યાધિકા૨ી એના જ્યેષ્ઠ પુત્ર વિશ્વસિંહને પ્રાપ્ત થયો હતો. વિશ્વસિંહ
ક્ષત્રપપદ તરીકેના એના સિક્કા ઉપરનું વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૧૯૦ છે. આ વર્ષ પૂર્વેના તેમ જ વર્ષ ૧૯૯ સુધીના (એકાદ અપવાદને બાદ કરતાં જુઓ પાદનોંધ ૫૭) ક્ષત્રપ તરીકેના કોઈ અન્ય શાસકના સિક્કાઓ મળતા ન હોઈ વિશ્વસિંહ વર્ષ ૧૯૦ પૂર્વે પણ ક્ષત્રપ તરીકેની સત્તા હાંસલ કરી ચૂક્યો હોય. એના વર્ષ ૧૯૧થી ૧૯૬ સુધીના છ વર્ષના એના સિક્કા હજી હાથ લાગ્યા નથી. હા, વર્ષ ૧૯૭-૯૮ અને ૧૯૯ના એકેક સિક્કા સર્વાણિયાનિધિમાં જોવા મળે છે. એના સિક્કા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૨૦૦ છે અને એના અનુગામીના ક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૦૦થી ઉપલબ્ધ થયેલા હોઈ વિશ્વસિંહ એ જ વર્ષના ઉત્તરભાગે મહાક્ષત્રપપદે પહોંચ્યો હોવાનું સ્પષ્ટ થાય છે. એના મહાક્ષત્રપ તરીકેના વર્ષ ૨૦૦ અને ૨૦૧ના સિક્કાઓ આ બાબતનું સમર્થન કરે છે. એના અનુજ ભતૃદામાના ક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૦૪થી મળતા હોઈ એવું અનુમાન થઈ શકે કે વિશ્વસિંહ ૨૦૪ સુધી મહાક્ષત્રપપદે રહ્યો હોવો જોઈએ.
For Personal & Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાત
૧૨૯ ભર્તુદામા
આ શાસકના ક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૦૦થી ૨૦૪ સુધીના મળ્યા છે. એના પુરોગામી વિશ્વસિંહના ક્ષત્રપપદના સિક્કા ૨૦૦ સુધીના છે અને એના અનુગામી વિશ્વસનના ક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૦૫થી મળે છે. આ દૃષ્ટિએ ભર્તુદામાનો મહાક્ષત્ર૫૫નો અખત્યાર પાંચેક વર્ષનો હોવાનું સૂચિત થાય છે.
એના મહાક્ષત્રપદ્રના સિક્કા ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ ૨૦૪ છે અને છેલ્લે જ્ઞાત વર્ષ ૨૨૧ છે. એના વર્ષ ૨૦૮, ૨૧૮ અને ૨૧૯ના સિક્કા હાથ લાગ્યા નથી. એના ક્ષત્રપકાલના અંતિમ જ્ઞાત વર્ષ અને મહાક્ષત્રપ તરીકેના આરંભના જ્ઞાત વર્ષ ઉપરથી એનો મહાક્ષત્રપીય સત્તાકાલ વર્ષ ૨૦૪ના ઉત્તરાર્ધમાં પ્રારંભાયો હોવાનું કહી શકાય. એના શાસનસમયની ઉત્તરાવધિ નિર્ણિત કરવી મુશ્કેલ છે; કેમ કે એના અમલના છેલ્લા જ્ઞાત વર્ષ ૨૦૧ પછી લગભગ ૪૮ વર્ષ દરમ્યાન કોઈ મહાક્ષત્રપના સિક્કા ઉપલબ્ધ થયા નથી. પરંતુ એના પોતાના મહાક્ષત્રપકાળના સિક્કાઓનો અભ્યાસ સૂચવે છે કે એણે સત્તરેક વર્ષ સુધી રાજધુરા સંભાળી હતી. આ દરમ્યાન ક્ષત્રપાવે એનો પુત્ર વિશ્વસેન હતો, જેના ક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૨૬ સુધીના પ્રાપ્ય થયા છે. આથી, ભર્તીદામાનો મહાક્ષત્રપીય શાસનસમય વર્ષ ૨૨૧થી ૨૨૬ સુધી લંબાયો હોવા સંભવે છે.' વિશ્વસન
એના પિતા ભર્તુદામાના રાજય-અમલના આરંભથી જ એના પુત્ર વિશ્વસેનને ક્ષત્રપ તરીકેનો ઉત્તરાધિકાર પ્રાપ્ત થયેલો જોવો સૂચિત થાય છે. એના ક્ષત્રપીય સિક્કા વર્ષ ૨૦૫ અને ૨૦૬ તેમ જ વર્ષ ૨૧૪થી ૨૨૬ સુધીના પ્રત્યેક વર્ષના ઉપલબ્ધ થયા છે. આમ, એણે વર્ષ ૨૦૫થી ૨૨૬ એટલે કે આશરે બાવીસેક વર્ષ સુધી સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં.
સ્વામી જીવદામાના પુત્ર રુદ્રસિંહના ક્ષત્રપપ૬ના સિક્કા વર્ષ ૨૨૬થી મળે છે, અને પછી અગિયારેક વર્ષ પર્યંત ચાલુ રહેલા સૂચિત થાય છે. પરંતુ આ સમય દરમ્યાન વિશ્વસેન કે બીજો કોઈ ક્ષત્રપવંશી રાજા મહાક્ષત્રપદું હોવાનું જાણમાં નથી૯. સ્વામી જીવદામાં સ્વયમ્ કોઈ પણ પ્રકારનું અધિકારપદ કે અધિકૃત શાસકીયપદ કે બિરુદ અર્થાત્ રાજા, ક્ષત્રપ કે મહાક્ષત્રપનાં બિરુદ ધરાવતો ન હતો. આથી, વિશ્વસેન અન્ય કોઈ કારણે ક્ષત્રપપદેથી મહાક્ષત્રપપદે પહોંચ્યો ન હોવાનું સ્પષ્ટ થાય છે. એટલું જ નહીં, મહાક્ષત્રપ ભર્તુદામા અને ક્ષત્રપ વિશ્વસેન આ સમયે કદાચ કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય તો પણ એમના રાજયાધિકરાનો વારસો એમના કોઈ અનુજને કે પુત્રને મળ્યો હોવાનું દર્શાવી શકાતું નથી. આથી, વિશ્વસેન અને રુદ્રસિહ વચ્ચેનો સત્તાપલટો કોઈ અનિયમિત પ્રકારે થયો હોવાનું સૂચવી શકાય છે. - સ્વામી જીવદામાને મહાક્ષત્રપ ભર્તુદામા કે ક્ષત્રપ વિશ્વસેન સાથે સગાઈનો કોઈ સંબંધ હતો કે કેમ એ કહેવું મુશ્કેલ છે. જીવદામાનું સ્વામી બિરુદ, એના નામનું ઉત્તરપદ રામા, એનું આખુંય નામ તથા એના પુત્રનું નામ અવલોક્તા જીવદામા ચાખનકુળ સાથે કોઈ નિકટનો સંબંધ ધરાવતો હોવા સંભવે છે; પરંતુ પ્રસ્તુત સંબંધ પિતૃ-પુત્રની સીધી વંશાજપરંપરાનો હતો એ
For Personal & Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ક્ષત્રપકાલીન ગુજરાત દર્શાવવું શકય જણાતું નથી. હાલની ઉપલબ્ધ માહિતી અનુસાર ભર્તુદામા ચાખનકુળનો છેલ્લો મહાક્ષત્રપ અને વિશ્વસેન એ કુલનો છેલ્લો ક્ષત્રપ તથા છેલ્લો જ્ઞાત પુરુષ હોવાનું સ્પષ્ટ થાય છે.
અત્યાર સુધીના નિરૂપણથી આપણે કહી શકીએ કે ૧૩ મહાક્ષત્રપ રાજાઓ અને ૭ ક્ષત્રપ રાજાઓના સિક્કા ઉપલબ્ધ થયા છે. આમ, સામોતિકના કુળમાં ચાખનથી વિશ્વસેના સુધીના કુલ ૨૦ રાજાઓની માહિતી હાથવગી થાય છે, અને એ સહુએ લગભગ ૧૭૫ વર્ષ સુધી સત્તા સંભાળી ગુજરાતમાં પશ્ચિમી ક્ષત્રપોની રાજયસત્તાનો, કહો કે ગુજરાતમાંના શક રાજયનો, અભ્યદય પ્રવર્તાવ્યો હતો. પશ્ચિમી ક્ષત્રપો હવે અસ્તાચળે
ભદ્રંદામા પછી ચાખનકુળની રાજ્યસત્તામાં ભંગાણ સર્જાયું જણાય છે. એનો પુત્ર વિશ્વસેન મહાક્ષત્રપપદ પામ્યા પૂર્વે જ અવસાન પામે છે. ભર્તુદામા પછી તો મહાક્ષત્ર૫૫૮ રુદ્રસેન ૩જાના પિતા રુદ્રદામા રજા પાસે જોવા મળે છે. આથી, આ ગાળા દરમ્યાન મહાક્ષત્રપપદે કોઈ રાજા હોવાનું જાણવા મળતું નથી. જ્યારે ક્ષત્રપ ધારણ કરેલી ત્રણ વ્યક્તિઓ સત્તાસ્થાને જોવી પ્રાપ્ત થાય છે : વિશ્વસેન, રુદ્રસિંહ રજો અને યશોદામા રજો. આથી, એવું અનુમાની શકાય કે ભર્તુદામા પછી પશ્ચિમી ક્ષત્રપ રાજાઓની સત્તા અસ્તાચળ તરફ ઢળતી જોવાય છે. એની પછીના રાજાઓ માત્ર ક્ષત્રપ તરીકેના સિક્કાઓથી વિભૂષિત છે, જેથી તેઓ કોઈ અન્ય શક્તિશાળી સત્તાની અધીનતા હેઠળ હોવાનું અનુમાન કરવા પ્રેરાઈએ. પરંતુ યશોદામાં રજા પછીના શેષ રાજાઓના સિક્કાઓ કેવળ મહાક્ષત્રપ તરીકેના જ ઉપલબ્ધ થયા છે. આથી, આવું અનુમાન યોગ્ય જણાતું નથી. એક જ શાસકની પ્રથા
ભર્તુદામા પછીના રાજાઓ માત્ર ક્ષત્રપદ્ર તરીકે સત્તા ભોગવતા હતા અને અંત ભાગના શેષ શાસકો કેવળ મહાક્ષત્રપદ્ર તરીકે શાસનસ્થ હતા એ હકીકત ઉપલબ્ધ સિક્કાઓથી પ્રતીત થાય છે. અર્થાત્ એવું અનુમાની શકાય કે ભર્તુદામા-વિશ્વસેનના શાસનકાળ સાથે ચાખનવંશનો અસ્ત થતાં ક્ષત્રપ-મહાક્ષત્રપીય સંયુક્ત પ્રથાનો અંત આવ્યો હોય. એટલે કે તતુ પશ્ચાતુ બે નહીં પણ એક જ શાસકની પ્રથા વિદ્યમાન રહી હોય. આથી, એવું સૂચિત થાય છે કે જીવદામાના (એટલે પશ્ચિમી ક્ષત્રપોનું ત્રીજું કુળ) કુટુંબમાં (એટલે કે ક્ષત્રપોના ચોથા, પાંચમા અને છઠ્ઠા કુળ) એ એક સત્તાધીશને મહાક્ષત્રપ તરીકે ઓળખવામાં આવ્યા હોય. આમ, શક વર્ષ ૨૨૬ પછી, ૨૨૬થી એક જ શાસકની પ્રથા પ્રચલિત રહી હોવા સંભવે છે એટલે કે સંયુક્ત શાસકીય પ્રથાનો વર્ષ ૨૨૬થી અંત આવ્યો એ બાબત સંભવિત જણાય છે.
પાદનોંધ ૧. પાર્જિટર, ડાયનેસ્ટીઝ ઑવ ધ કલિ એજ, પૃષ્ઠ ૪૬, પાદનોંધ ૪૮ અને પ્રસ્તાવના પૃષ્ઠ ૨૫. ૨. કેટલાક વિદ્વાનો એના નામનો પ્રથમાક્ષર ધ્યા હોવાનું સૂચવીને એનું આખું નામ પ્લામતિ દર્શાવે
છે. પણ આંધી યષ્ટીલેખોમાંની લિપિના મરોડને ધ્યાનથી જોતાં પહેલો અક્ષર માં હોવાનું સ્પષ્ટ થાય છે અને તેથી તે નામ સામતિ છે એમ ફલિત થાય છે. ભૂડ સૌ પ્રથમ આ વિશે ધ્યાન દોર્યું
For Personal & Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાત
૧૩૧
હોવાનું જણાય છે (જયચંદ્ર વિદ્યાલંકાર, ભાઈફ, પુસ્તક ૨, પૃષ્ઠ પર, પાદનોંધ ૨). ૩. એઈયુ, પૃષ્ઠ ૧૮૨; નીલકંઠ શાસ્ત્રી, કૉહિઈ., પૃષ્ઠ ૨૮૦; રામ રાવ, પ્રઈહિકૉ., ૧૪મું અધિવેશન,
પૃષ્ઠ પ૬ . ૪. એઈ., પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૩થી.
શોભના ગોખલે, “આંધી ઇસ્ક્રિપ્શન ઑવ ચાષ્ટન, શક ૧૧', જર્નલ ઑવ એાન્ટ ઇન્ડિયન હિસ્ટરી, ૧૯૭૦, પુસ્તક ૨, ભાગ ૧-૨, પૃષ્ઠ ૧૦૪થી. શોભના ગોખલે, જોઈ, પુસ્તક ૧૮, પૃષ્ઠ ૨૩૭થી. તે પછી વાસુદેવ વિષ્ણુ મિરાશીએ શોભના ગોખલેના વાંચન ઉપર ટીપ્પણી કરતો લેખ “દોલતપુર ઇસ્ક્રિપ્શન ઑવ ધ રેઈન ઑવ ચારુનઃ ઇયર ૬', જોઈ., પુસ્તક ૨૮, નંબર ૨, ૧૯૭૮, પૃષ્ઠ ૩૪થી ૩૭, પ્રકાશિત કર્યો છે. બંને વિદ્વાનો આ લેખ ચાખનના સમયનો છે એ બાબતે સમંત છે પણ નિર્દિષ્ટ વર્ષ માટે સમંત નથી. શોભના ગોખલે તે વર્ષ શક ૨૫૪નો મત દર્શાવે છે જ્યારે મિરાશી વર્ષ ૬ છે એમ સ્પષ્ટ જણાવે છે જે સ્વીકાર્ય
જણાય છે. ૭. આર.એસ.ત્રિપાઠી, હિસ્ટરી ઑવ એન્શન્ટ ઇન્ડિયા, પૃષ્ઠ ૪૪૦; નીલકંઠ શાસ્ત્રી, કૉહિઈ., પૃષ્ઠ ૨૭૮
અન એઈયુ, પૃષ્ઠ ૧૨૧. ' ૮. ૧ આંધીના યષ્ટીલેખો (એઇ., પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૩થી).
૨. રુદ્રદામાનો જૂનાગઢનો શૈલલેખ (એજન, પુસ્તક ૮, પૃષ્ઠ ૪૨થી). ૩. રુદ્રસિંહ ૧લાનો ગુંદાનો શિલાલેખ (એજન, પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૩૩થી). ૪. જયદામાના પૌત્રનો જૂનાગઢનો લેખ (એજન, પૃષ્ઠ ૨૪૧થી).
૫. રુદ્રસેન ૧લાનો ગઢાનો લેખ (એજન, પૃષ્ઠ ૨૩૮). ૯. એના તાંબાના સિક્કાની વિગતો વાતે જુઓ હવે પછીનું પ્રકરણ તેર. ઉપરાત જુઓ : રસેશ
જમીનદાર, પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૨૩. જરૉએસો., ૧૮૯૦, પૃષ્ઠ ૬૪૬; બૉગે. પુસ્તક ૧, ભાગ ૧, પૃષ્ઠ ૩૪; રેપ્સન, કેટલૉગ., ફકરો
૯૩; ભાંડારકર, અહિડે., પૃષ્ઠ ૨૯. ૧૧. એના તાંબાના ચોરસ સિક્કાનો ઉલ્લેખ કે.એન. દીક્ષિતે કર્યો છે. (ઇએ., પુસ્તક ૪૮, પૃષ્ઠ ૧૨૧થી).
આવા ત્રણની એમણે નોંધ કરી છે, જેમાંના બે ઉપરના લેખ અપૂર્ણ છે અને અવાચ્ય હોવાથી આ સિક્કા આ રાજાના હોવા વિશે શંકા રહે છે. ત્રીજામાં રુદ્રામસ્થ વંચાય છે. જો કે સિક્કાના ફોટા
એમણે આપ્યા નથી. તેથી તે વિશે કશું ચોક્કસાઈપૂર્વક કહેવું મુશ્કેલ છે. ૧૨. પાલિગ્રંથોમાંના ઉલ્લેખ તરફ પહેલપ્રથમ ધ્યાન ખેંચ્યું બીમલ ચરણ લોએ. વિગતો વાસ્તે જુઓ આ
ગ્રંથમાં પ્રકરણ તેર, ‘સિક્કાનું નામ' અંગેનું લખાણ. ૧૩. રુદ્રદામાના પુત્ર રુદ્રસિંહના લેખમાંનું જ્ઞાત વર્ષ ૧૦૩ છે અને એના સિક્કામાં વર્ષ ૧૦૨ છે. ત્યારે
એ ક્ષત્રપ હતો એટલે એનો મોટો ભાઈ દામજદશ્રી એ વખતે મહાક્ષત્રપ હોવો જોઈએ. જુઓ : હવે
પછી દામજદશ્રી ૧લો અંગેનું વર્ણન. ૧૪. આ શાતકર્ણિ રાજા કયો તેની સાધકબાધક ચર્ચા માટે જુઓ પરિશિષ્ટ છે. ૧૫. યૌધેયોના સિક્કાની વધુ માહિતી માટે જુઓ : રસેશ જમીનદાર, પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ,
પૃષ્ઠ ૯૫-૯૮, એમની વીરતા વાસ્તુનું આ વાક્ય ચૌધવાનામ્ નય મંત્ર ધરા ITન્ ધ્યાનાર્હ છે. ૧૬. ચૌધયાનાં પ્રોત્સાન.... (જૂનાગઢ શૈલલેખ) ૧૭. એના ચરિતનાં અન્ય પાસાં સારુ જુઓ : વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામા.
For Personal & Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ક્ષત્રપકાલીન ગુજરાત ૧૮. આપણે અવલોક્યું કે દક્ષિણના સાતવાહન રાજાને બે વખત હરાવ્યા છતાંય એનો પ્રદેશ પાછો આપ્યો એમાં
રદ્રદામાની રાજકીય કારકિર્દીની ઉદારતાનાં દર્શન થાય છે જેનો પ્રતિઘોષ પછીના સમયમાં ગુપ્ત રાજા સમુદ્રગુપ્ત, દક્ષિણના પ્રદેશો જીત્યા પછી પણ તેને ખાલસા ન કરી, બતાવેલા રાજકીય ડહાપણમાં સ્પષ્ટ
રીતે સંભળાય છે. આમ, આ બાબતે રુદ્રદામા સમુદ્રગુપ્તનો પુરોગામી આદર્શ રાજા હતો. ૧૯. આ બધી વિદ્યાઓ, શિક્ષણ પદ્ધતિઓ અને લલિતસાહિત્યની વિગતવાર ચર્ચા માટે જુઓ આ ગ્રંથમાં
પ્રકરણ પંદર અને સોળ. ૨૦. જુઓ : અપીચત્ (4) મા વિષ્ટિપ્રક્રિયામ: પૌરનાનપદું – સ્વસ્મોસા (ન) મદતા ધનને
મનતિમત્તા ાનેન ત્રિશુદ્રઢત્તરવિસ્તારયામં સેતુ વિધા......()નતરે રિમિતિ | ૨૧ સને સ્થાને સ પાઠ વધારે બંધ બેસે છે. જુઓ : અગાઉની પાદનોંધ ૨, અહીં આ યુક્તાક્ષરનો
ઉચ્ચાર ન જેવો થતો હોઈ સામગ્સને સ્થાને રામન પ્રયોજાયેલું જણાય છે. ૨૨. અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે દામજદશ્રીના ક્ષત્રપ તરીકેના રાજયાધિકાર ભોગવતા રુદ્રસિંહના
સિક્કાઓ સમયનિર્દેશયુક્ત છે. તો આ જ સમયના દામજદશ્રીના મહાક્ષત્રપ તરીકેના સિક્કાઓ ઉપર સમયનિર્દેશ જોવા મળતો નથી. સંભવ છે કે દામજદશ્રીના રૂઢિચુસ્ત સ્વભાવે એને એના
પુરોગામીઓનું જ અનુકરણ કરવા વિશેષ પ્રેર્યો હોય. ૨૩. બૉગે., પુસ્તક ૧, ભાગ ૧, પૃષ્ઠ ૪૧-૪૨. ૨૪. કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૯૭. ૨૫. આપણે નોંધ્યું છે કે રેપ્સનના મત મુજબ (જુઓ : પાદનોંધ ૨૩ અને ૨૪) સમય નિર્દેશવાળા
સિક્કાઓની શરૂઆત જીવદામાથી થયેલી; જીવદામાના એક સિક્કા ઉપરનું વર્ષ ૧૦૦ છે એમ માનીને. પરંતુ જીવદામાના સિક્કા પરનાં જ્ઞાત વર્ષ ૧૧૯ પૂર્વેનાં નથી. તેથી આ મંતવ્ય સ્વીકાર્ય
બનતું નથી. ૨૬, જયદામાં, રદ્રદામાં, દામજદ, જીવદામાં વગેરેમાં ઉત્તરપદ ટ્રામ અને નંદ્ર વિદેશી ભાષાની અસર
સૂચવે છે; જ્યારે રુદ્રસિંહના નામનાં પૂર્વપદ (રુદ્ર) અને ઉત્તરપદ (સિંહ) બંને સંસ્કૃત ભાષાનાં છે. ૨૭. કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૯૯, કદાચ કોઈ વિદેશી સત્તાએ આક્રમણ કર્યું હોય એવું સૂચન પણ કરે
છે (એજન). ૨૮. આસઇરી. ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૨૭થી; અને વાગુએ., પૃષ્ઠ ૪૭થી ૪૯ અનુક્રમે અળતેકર એક સાથે
રેસન અને ભાંડારકર બંનેના મતને અનુસરે છે. (એજન). ૨૯. આ બાબતની વીગતવાર ચર્ચા માટે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ઠ આઠ તથા આ જ ગ્રંથલેખકનો લેખ
“રાજા મહાક્ષત્રપ ઈશ્વરદત્તનો સમય', સ્વાધ્યાય, વર્ષ ૫, પૃષ્ઠ ૧૦૬થી. ૩૦. શક્સ ઇન ઇન્ડિયા, પૃષ્ઠ ૬૫. આ જ પ્રકારની અટકળ સુધાકર વર્ષ ૧૦૧થી ૧૦૩ના ખાલી ગાળા
વિશેય કરે છે. રુદ્રસિંહના વર્ષ ૧૦૩ના ગૂંદાના ક્ષત્રપ તરીકેના લેખમાં એના સેનાપતિ આભીર રૂદ્રભૂતિનો ઉલ્લેખ છે. આ ઉપરથી તેઓ એવું અનુમાન કરે છે કે આભીર રદ્રભૂતિ વધારે શક્તિશાળી સેનાપતિ હોય અને તેથી તેણે સત્તા છીનવી લીધી હોય અને આ કારણે જીવદામા રાજય છોડી ભાગી ગયો હોય તેમ જ રુદ્રસિંહ ક્ષત્રપ તરીકે સત્તા ભોગવવા સહમત થયો હોય (એજન). પરંતુ આ કેવળ અટકળ છે અને એમાં તથ્ય જણાતું નથી; કેમ કે રુદ્રસિંહ ગુરુબંધુ દામજદશ્રીના ક્ષત્રપ તરીકે સત્તાધીશ
હતો. દામજદશ્રીએ પોતાના પુત્રને નહીં પણ અનુજને-રુદ્રસિંહને ક્ષત્રપનો અધિકાર સુપરત કર્યો હતો. ૩૧. જરૉએસો., ૧૮૯૯, પૃષ્ઠ ૩૭૯ અને કેટલૉગ, ફકરો ૧૦૧. અળતેકરે રેપ્સનના અગાઉના સૂચનના
આધારે સત્યદામાને જીવદામાનો અનુજ માન્યો હતો (વાડુએ., પૃષ્ઠ ૪૭થી) .
For Personal & Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાત
૧૩૩
૩૨-૩૩. જુઓ અગાઉની પાદનોંધ ૨૩થી ૨૫. ૩૪. રુદ્રસિંહને ત્રણ પુત્રો હતો : રુદ્રસેન ૧લો, સંઘદામા અને દામસેન; છતાંય એના રાજયનો વારસો
એના અગ્રજ દામજદશ્રીના પુત્રોને મળે છે. અગાઉ આપણે અવલોકયું કે રુદ્રસિંહના મહાક્ષત્રપકાલ દરમ્યાન મદદનીશ ક્ષત્રપ તરીકે સત્યદામાં હતો, અને એ જ હોદા દરમ્યાન એનું અવસાન થયેલું. એની જગ્યાએ એના અનુજ જીવદામાની ક્ષત્રપપદે નિમણુક થાય એ પૂર્વે સંભવ છે કે રુદ્રસિંહ મૃત્યુ
પામ્યો હોય અને તેથી જીવદામાં સીધો જ મહાક્ષત્રપપદનો અધિકારી બન્યો હોય. ૩૫. આ વર્ષ ૨૩૨ છે એવું વાચન એ કલેકશન ઑવ પ્રાકૃત સંસ્કૃત ઇસ્ક્રિશન્સના (પ્રકાશિત સંસ્થા
ભાવનગર પુરાવવસ્તુવિદ્યા વિભાગ) સંપાદકે પ્રસ્તુત કરેલું (પૃષ્ઠ ૨૩). તદનુસાર ગિરજાશંકર વલ્લભજી આચાર્યે પણ ગુઐલે., (ભાગ ૧)માં આ જ વર્ષ નોંધ્યું છે (પૃષ્ઠ ૧૮). પરંતુ આ વાંચનમાં દોષ રહેલો જણાય છે. રેપ્સન (કેટલૉગ., ફકરો ૧૦૨) અને ભૂંડર્સે (એઇ., પુસ્તક ૧૦, નંબર ૯૬૨) આ વર્ષ ૧૨૨ (૨૩૨ નહીં) છે એમ અનુમાન્યું છે. આથી આ લેખમાં જણાવેલો રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસેન તે ગઢાના લેખમાં નિર્દેશિત રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રદામાનો પૌત્ર તથા રાજા મહાક્ષત્રપ સ્વામી રદ્રસિંહનો પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી રદ્રસેન એટલે કે રદ્રસેન ૧લો હોવાનું
નિશ્ચિત થાય છે. ૩૬. મૂલવાસરનો લેખ (ગુઐલે., ભાગ ૧, નં. ૧૧) અને ગઢાનો લેખ (એજન, નં. ૮). ૩૭. છાબા શાસ્ત્રી, એઈ., પુસ્તક ૨૮, પૃષ્ઠ ૧૭૪થી. ૩૮. વધુ વિગત વાસ્તે જુઓ.આ ગ્રંથમાં પરિશિષ્ટ ચાર. ઉપરાંત આ ગ્રંથલેખકનો લેખ “કથિક : રાજાઓ
અને સંવત', વિદ્યા (ગુજરાત યુનિવર્સિટીનું મુખપત્ર), પુસ્તક ૧૧, નંબર ૧, પૃષ્ઠ ૧૦૩થી. ૩૯. પ્રસ્તુત લેખમાં જયદામા સિવાય રુદ્રસેનના ત્રણેય પૂર્વજોને આ બિરુદ વધારાનું અર્પણ કરેલું જણાય
છે. જયદામાં તો ક્ષત્રપપદ દરમ્યાન જ અવસાન પામેલો તેથી તેના નામ આગળ આ બિરુદ નથી. આથી, એવું ફલિત થાય છે કે મદg બિરુદ માત્ર પુરોગામીઓ માટે અને પુરોગામીઓમાં મહાક્ષત્રપો
માટે પ્રયોજાયું જણાય છે. ૪૦. આસઇરી., ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૧૩૬. ૪૧. વાગુએ., પૃષ્ઠ ૫૧ અને એઈ, પુસ્તક ૨૦, પૃષ્ઠ ૩૭. ૪૨. કોંહિઇ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૮૭. ૪૩. દા.ત. સાતવાહન રાજા વાસિષ્ઠીપુત્ર પુલુમાવિની પત્ની પણ પિતૃકુળનો સગૌરવ નિર્દેશ કરે છે | (ઇએ., પુસ્તક-૧૨, પૃષ્ઠ ૨૭૩). ૪૪. પ્રિવેમ્યુબુ, નંબર ૩-૪, પૃષ્ઠ ૫૭. ૪૫. વાગુએ., પૃષ્ઠ પર અને પ્રદહિકોં., ૧૯૪૦, પૃષ્ઠ ૧૦૦. ૪૬. આસઈરી.૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૩૨. પરંતુ રાજકોટના વૉટસન મ્યુઝિયમમાં સંઘદામાનો એક સિક્કો
વીસમી સદીના સાઠના દાયકાના પૂર્વાર્ધમાં ઉપલબ્ધ નહીં હોવાની ખાતરી આ ગ્રંથલેખકને છે. આથી
તેમ જ એના પુરોગામી-અનુગામીના સિકકાઓ ઉપરનાં વર્ષથી પણ આ સૂચન સ્વીકાર્ય રહેતું નથી. ૪૭, પ્રિવેમ્યુબુ, નંબર ૩-૪, પૃષ્ઠ ૫૭. ૪૮. વર્ષ ૧૫૮ પછી એણે વધુ સમય રાજ્ય કર્યું નહીં હોય એમ જણાવી રેપ્સને એવું સૂચન કર્યું છે કે
વર્ષ ૧૫૮થી ૧૬૧ના સમયગાળામાં આભીર રાજા ઈશ્વરદત્તે ક્ષત્રપો પાસેથી સત્તા છીનવી લીધી હોય (ટલૉગ., ફકરો ૧૦૫). પરંતુ રેપ્સનનું સૂચન યોગ્ય નથી (જુઓ : રસેશ જમીનદાર, “રાજા મહાક્ષત્રપ
ઈશ્વરદત્તનો સમયનિર્ણય', સ્વાધ્યાય, વર્ષ ૫, પૃષ્ઠ ૧૦૬થી અને આ ગ્રંથમાં પરિશિષ્ટ આઠ). ૪૯. જુઓ પાદનોંધ ૪૭. ઉપરાંત જુઓ પાદનોંધ ૪૬.
For Personal & Private Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ક્ષત્રપકાલીન ગુજરાત ૫૦. આસઇરી., ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૪૫; જન્યૂસોઈ., પુસ્તક ૧૭, ભાગ ૧, પૃષ્ઠ ૯૫. ૫૧. આ ગ્રંથલેખકે જ્યારે ગઈ સદીના આઠના દાયકાના પ્રારંભે આ સંગ્રાલયની મુલાકાત લીધેલી ત્યારે
આ સિક્કાનો નોંધાયેલો નંબર હતો ૧૫૪૨૯. ૫૨. આ રાજાનો એક શિલાલેખ તાજેતરમાં પ્રાપ્ત થયો છે (જઓઈ., પુસ્તક ૨૨, અંક ૪, પૃષ્ઠ ૨૯૦થી,
૧૯૭૩. . વર્ષ ૧૬૦ના એના બે ભાઈઓ યશોદામા અને વિજયસેના ક્ષત્રપ તરીકેના સિક્કા ઉપલબ્ધ થયા છે.
જુઓ : પ્રિવૈમ્ય કેટલૉગ નંબર ૨૨૪૯૫ અને ૧૫૨૪૮ અનુક્રમે. ૫૪. આ સંદર્ભમાં અળતેકર એવી નોંધ કરે છે કે પિતા અને બે પુત્રોના બે વર્ષના ટૂંકા ગાળામાં થયેલા
અકાળ અવસાનથી રાજકારણમાં કોઈ કટોકટી ઉદ્ભવી હોવી જોઈએ. જો કે તે બાબતે કોઈ નિશ્ચિત કારણ આપી શકાય નહીં; કેમ કે રાજયવારસો કહો કે રાજ્યાધિકાર તો પશ્ચિમી ક્ષત્રપોના રાજય વહીવટીમાં સ્વીકારેલા ક્રમાનુસાર પ્રાપ્ત થયેલો જણાય છે. વળી એ સમયે કોઈ બાહ્ય સત્તા જ ન હતી કે જેણે આ શક-રાજયમાં કોઈ મુશ્કેલી સર્જી હોય (વાડુએ., પૃષ્ઠ ૫૩-૫૪). જો કે આ બધી
ઘટનાઓ કુદરતી રીત જ ઘટી હોય એ સાવ સ્વાભાવિક છે અને તેથી કોઈ અટકળને સ્થાન નથી. ૫૫. કૅટેલૉગ., ફકરો ૧૧૩. પ૬, એના વર્ષ ૧૯૨ અને ૧૯૩ના સિક્કાઓ મળ્યા નથી. જો કે એના ઉપલબ્ધ સિક્કાઓનું સંખ્યાપ્રમાણ
ઘણું મોટું છે. કેટલાક સિક્કા સમયનિર્દેશ વિનાના પણ છે. તો કેટલીકની કોતરણી સારી નથી. ૫૭. વિજયસેનના રાજ્યારોહણથી (અર્થાત્ શક વર્ષ ૧૬૧થી) તે વિશ્વસિંહના રાજયના આરંભ (અર્થાત્
શક વર્ષ ૧૯૦) સુધી અને તે પછી ૧૯૯ સુધી (અપવાદરૂપે શક વર્ષ ૧૯૭ના વિશ્વસિંહના સિક્કાને બાદ કરતાં) લગભગ ચાલીસેક વર્ષ સુધી ક્ષત્રપ તરીકેનો હોદો દર્શાવતા સિક્કા મળ્યા નથી. આ ઘણો લાંબો ગાળો ગણાય જે દરમ્યાન બાવીસ વર્ષ સુધી તો રુદ્રસેન રજાએ શાસન કર્યું હતું, અને વિજયસેને અગિયારેક વર્ષ રાજય કરેલું અને દામજદશ્રીએ પાંચેક વર્ષ રાજ્યસત્તા સંભાળેલી તે
આપણે અવલોકડ્યું છે. પરંતુ આ વાતે કોઈ સાપેક્ષ માહિતી હાથવગી થઈ નથી. ૫૮. ગિ.વ.આચાર્યે જૂનાગઢની સ્ટેટ ટ્રેઝરીમાં સંગૃહીત સિક્કાઓમાં વિશ્વસિંહના એક સિક્કા ઉપર વર્ષ ૨૧૧નું
વાચન પ્રસ્તુત કર્યું છે (જરૉએસોબેં., પુસ્તક ૩, અંક ૨, પૃષ્ઠ ૯૭-૯૮). પરંતુ આચાર્યનું આ વાચન સ્વીકાર્ય જણાતું નથી; કેમ કે એના અનુજ ભર્તુદામાના મહાક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૦૪થી પ્રાપ્ત થયા જ છે. રેપ્સન પણ વિશ્વસિંહના શાસનકાળને લગભગ વર્ષ ૨૧૧ સુધી લંબાવે છે (કેટલૉગ.,
ફકરો ૧૧૬). એમનું આ વિધાન પણ ઉપર નિર્દિષ્ટ કારણને લીધે સ્વીકારી શકાતું નથી. પ૯, જે.એન.બેનરજી (કૉહિઈ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૯૧) અને અ.સ. અળતેકર (વાડુએ., પૃષ્ઠ ૫૬-૫૭)
આ સંદર્ભમાં સાસાની આક્રમણનો નિર્દેશ કરે છે. સાસાની રાજા વાહન રજો (ઈસ્વી ર૭૬થી ૨૯૩) ઈસ્વી ૨૮૪માં સિંધ અને શકસ્તાન ઉપર જીત પ્રાપ્ત કરે છે, અને એ પ્રદેશોની સંભાળ માટે એણે એના ભાઈ વાહન ૩જાને શાનશદિના બિરુદ સાથે રાજ્યપાલ તરીકે નિયુક્તી આપી છે. જો કે અળતેકરના મતે સાસાની સમ્રાટનું આપણા દેશ ઉપરનું આક્રમણ અને સિંધની જીત પશ્ચિમી ક્ષત્રપોના ભાવીને પ્રત્યક્ષ રીતે અસર કરતાં નથી; કેમ કે પ્રસ્તુત આક્રમણ પહેલાં સંભવતઃ ક્ષત્રપોએ કદાચ સિંધ ઉપરની રાજ્યસત્તા ગુમાવી દીધી હોય. પરંતુ બંને અધ્યેતાઓના મંતવ્ય સાથે સહમત થઈ શકાય તેવા પુરાવાના અભાવે એ શ્રદ્ધેય ગણવાં મુશ્કેલ છે. હકીકતમાં સિંધ ઉપર પશ્ચિમી ક્ષત્રપોની કોઈ સત્તા ક્યારેય હતી નહીં. પ્રાયઃ આભીર રાજા ઈશ્વરદત્તનો મહાક્ષત્રપીય અમલ આ સમયગાળાના અંતભાગે આરંભાયો હોવા સંભવે. (જેઓ : આ ગ્રંથમાં પરિશિષ્ટ આઠ).
૬૦.
For Personal & Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આઠ
અન્ય પશ્ચિમી ક્ષત્રપકુળ
પ્રારંભે
વંશાવળીનાં અવલોકનથી ચાષ્ટનવંશના છેલ્લા જ્ઞાત શાસક વિશ્વસન પછી સ્વામી જીવદામાનું નામ સિક્કાઓથી જાણવું પ્રાપ્ત થાય છે. આ રાજાનો નિર્દેશ એના પુત્ર રુદ્રસિંહ રજાના સિક્કાઓમાં થયેલો છે. હા, જીવદામાનો પોતાનો એકેય સિક્કો અદ્યાપિ હાથવગો થયો નથી. આથી, એના પિતાનું નામ જાણવા મળતું નથી. પરિણામે જીવદામાના પિતા અને ચાષ્ટનવંશના છેલ્લા રાજા વિશ્વસેન વચ્ચે પૈતૃક સંબંધ હતો કે કેમ અને હતો તો કેવા પ્રકારનો હતો એ વિશે કોઈ જ માહિતી એકેય સાધનથી પ્રાપ્ત થઈ નથી. એટલે એમના કુળના નામકરણ વિશે કશું અનુમાન કરવું મુશ્કેલ છે. જીવદામાના કુળમાં ત્રણ પુરુષો અને બે જ શાસકોનો સળંગ વંશ જોવા મળે છે.
એમાંના બીજા રાજા યશોદામાં દ્વિતીય પછી સિક્કાઓ ઉપરથી સ્વામી રુદ્રદામાં દ્વિતીયનું નામ જાણી શકાયું છે. પરંતુ આ બંને રાજાઓ વચ્ચે ક્યા પ્રકારની સગાઈ હતી એ બિલકુલ સ્પષ્ટ થતું નથી. રુદ્રદામાં દ્વિતીય પછી રુદ્રસેન તૃતીય સત્તાધીશ થાય છે. આ વંશમાં, એટલે કે પશ્ચિમી ક્ષત્રપોના ચોથા કુળમાં, આ બે જ શાસકોની માહિતી ઉપલબ્ધ થાય છે. આ વંશનુંય કોઈ વિશિષ્ટ કુળનામ જાણવા મળ્યું નથી.
રુદ્રસેન તૃતીય પછી એની બહેનનો પુત્ર ભાણેજ સ્વામી સિંહસેન ગાદીપતિ હતો એવું સિક્કાઓથી દર્શાવાયું છે. આથી, સિંહસેનનું કુળ રુદ્રસેન તૃતીયના કુળ કરતાં ભિન્ન હોવાનું સ્પષ્ટ થાય છે. એટલે કે પશ્ચિમી ક્ષત્રપોની વંશાવળીમાંનું આ પાંચમું કુળ છે. સિંહસેન પછી એનો પુત્ર રુદ્રસેન ચતુર્થ ગાદીએ આરોહિત થાય છે. આ વંશમાંય આ બે જ રાજાઓ સત્તાધીશ થયા હોવાનું સ્પષ્ટ થાય છે. એમના કુળનામ વિશેય કોઈ જ માહિતી ઉપલબ્ધ થતી નથી.
રુદ્રસેન ચતુર્થ પછી રુદ્રસિંહ તૃતીયના સિક્કા ઉપરથી એના પિતા સત્યસિંહની માહિતી હાથવગી થઈ છે; પરંતુ સુદ્રસેન ચતુર્થ અને સત્યસિંહ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થતો નથી. સત્યસિંહના સ્વયમુના સિક્કા પ્રાપ્ત ના હોઈ એના પિતા અંગેની કોઈ માહિતી મળતી નથી. રુદ્રસિંહ તૃતીય પછી ક્ષત્રપ રાજાઓના સિક્કા મળતા નથી. એટલે કે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં સંભવતઃ આ છેલ્લો જ્ઞાન રાજા હોવાનું સ્પષ્ટ થાય છે. આમ, પશ્ચિમી ક્ષત્રપોના આ છઠ્ઠા કુળની સાથે ગુજરાતમાં શક જાતિના પણ ભારતીય સંસ્કારોથી વિભૂષિત સ્વતંત્ર સત્તાધીશ અને પશ્ચિમી ક્ષત્રપોથી ઇતિહાસના ગ્રંથોમાં વર્ણિત શાસકોનું રાજય અસ્ત પામે છે.
પ્રસ્તુત પૃથક્કરણથી એવું સૂચવાય છે કે ચાષ્ટનવંશની સીધી સળંગ વંશાવળી પછી, કુલ ચાર જગ્યાએ સંબંધોના તાણાવાણા તૂટેલા દશ્યમાન થાય છે; જેમાંના એકમાં કુળ ભિન્ન હોવાનું
For Personal & Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ક્ષત્રપકાલીન ગુજરાત
જણાય છે પણ શેષ ત્રણ કુળના સંબંધો વિશે એકેય બાજુથી કશુંય ચોકસાઈથી કહી શકાય એવી સામગ્રી કે પુરાવા પ્રાપ્ત થયા નથી. પરંતુ આ બધા જ શાસકોના સિક્કાઓમાં નિર્દિષ્ટ સળંગ મિતિ એક જ સંવતની હોઈ તેમ જ સળંગ વર્ષનિર્દેશમાં ધ્યાનાર્હ કોઈ ગાબડું જોવા મળતું ન હોઈ આ ભિન્ન કુળોના શાસકો પશ્ચિમી ક્ષત્રપો હતા તે હકીકત છે. વળી રાજાઓનાં નામસામ્ય પણ ચાન કુળ સાથે કશોક સંબંધ ધરાવતા હશે પણ તે પરત્વેના કોઈ સાધકબાધક પુરાવા અદ્યાપિ હાથ લાગ્યા નથી. પરંતુ સંજોગવશાત્ આ ચારેય કુટુંબમાં પ્રત્યેકમાં ફક્ત બબ્બે શાસકોએ રાજ્ય કર્યું છે એ બાબત પણ ધ્યાનાર્હ ગણાય.
ત્રીજું ક્ષત્રપકુળ સ્વામી જીવદામા
આ વ્યક્તિની માહિતી એના પુત્ર રુદ્રસિંહ રજાના સિક્કા ઉપરના નિર્દેશથી પ્રાપ્ત થઈ છે. ચાષ્ટનના પિતા સામોતિકની જેમ સિક્કાઓમાં એને ર નાક્ષત્રપ કે રીના મહાક્ષત્રપ જેવાં બિરુદથી દર્શાવાયો નથી, માત્ર સ્વામીનું વિશેષણ એના નામની પૂર્વે જોવું પ્રાપ્ત થાય છે. આથી, એણે રાજ્ય ન કર્યું હોવાનું સૂચવાય છે. વળી, ભર્તુદામાના પુત્ર વિશ્વસન પછી સ્વામી જીવદામાનો પુત્ર રુદ્રસિંહ ગાદીએ આરોહિત થયેલો હોવાનું સિક્કાઓથી સ્પષ્ટ થાય છે; કેમ કે ઉભયના સિક્કાઓ ઉપર વર્ષ ૨૨૬ નોંધાયું હોવાનું જોવા મળે છે. એટલે કહી શકાય કે સ્વામી જીવદામાએ રાજ્ય કર્યું ન હતું.
આપણે અવલોક્યું તેમ આ કુળના રાજાઓની ચાખનકુળ સાથેના પૈતૃક કે અન્યથા કોઈ સંબંધોની વિગતો હાથવગી થઈ નથી. રેસન એવું સૂચવે છે કે જીવદમાનું સ્વામી બિરુદ અને સામાન્ત પદવાળું વિશેષનામ ચાખનકુળ સાથે એનો નજીકનો સંબંધ દર્શાવે છે. સ્વામી જીવદામા કદાચ ભર્તીદામાનો ભાઈ હોવાની અટકળ એમણે અભિવ્યક્ત કરી છે. ભગવાનલાલ ઇંદ્રજીનું માનવું છે કે તેઓ ચાન્ટન રાજકુટુંબની કોઈ નાની શાખાના નબીરા હોવા જોઈએ. રુદ્રસિંહ રજો
ત્રીજા ક્ષત્રપકુળનો એ સ્થાપક હોવાનું સૂચવાય છે. એના ચાંદીના બધા જ સિક્કા માત્ર ક્ષત્રપના જ હાથ લાગ્યા છે અને વર્ષ ૨૨૬થી ૨૩૭ સુધીના લગભગ પ્રત્યેક વર્ષના છે. આથી, એણે અગિયારેક વર્ષ સત્તા સંભાળી હોવાનું સૂચવાય છે. મહાક્ષત્રપ તરીકેના એના સિક્કા અદ્યાપિ પ્રાપ્ત થયા નથી. આપણે અગાઉ અવલોકયું તેમ એક શાસકની પ્રથાના આરંભને કારણે પણ આમ હોવા સંભવે છે. યશોદામા રજો
આ રાજાના પણ કેવળ ક્ષત્રપદ્રના જ સિક્કા મળ્યા છે. એના સિક્કાઓ વર્ષ ૨૩૭થી ૨૫૪ સુધી (વર્ષ ૨૪૮ અને ૨૫૧ સિવાયના) લગભગ પ્રત્યેક વર્ષના મળ્યા છે. એના પુરોગામીના સિક્કામાંનું છેલ્લું જ્ઞાત વર્ષ ૨૩૭ હોઈ એણે આ વર્ષના ઉત્તરભાગે સત્તા સંભાળ્યાનું સ્પષ્ટ થાય છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં ક્ષત્રપ તરીકે સિક્કા પડાવનાર આ રાજા પ્રાયઃ છેલ્લો છે; કેમ કે હવે પછી બધા જ રાજાઓના મહાક્ષત્રપ તરીકેના જ સિક્કા હાથ લાગે છે.
For Personal & Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આઠ
૧૩૭
આપણે અગાઉ નોંધ્યું તેમ આ રાજાના શાસનત પછી ક્ષત્રપ તરીકેના સિક્કા મળતા ના હોઈ એના શાસનકાળની નીચલી મર્યાદા નિર્ણિત કરવી મુશ્કેલ છે. એના અનુગામીના મહાક્ષત્રપ તરીકેના સિક્કા ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ ૨૭૦ છે, જે રુદ્રસેન તૃતીયનું છે. આ રાજા રુદ્રસેનનો પિતા રુદ્રદામા મહાક્ષત્રપ તરીકે સત્તારૂઢ થયો હતો. એનો સત્તાકાલ આશરે પંદરેક વર્ષનો ગણીએ, અર્થાત્ શક વર્ષ ૨૧પથી ૨૭૦ સુધીનો, તો યશોદામાનું રાજય શક વર્ષ ૨૫૪ની આસપાસ કે નજીકમાં પૂરું થયું હોવા સંભવે. આમ, એણે લગભગ અઢારેક વર્ષ રાજગાદી ભાગવી હશે. એના અવાસન સાથે પ્રાયઃ ત્રીજા ક્ષત્રપકુળનો અંત આવ્યો દર્શાવી શકાય.
ચોથું ક્ષત્રપકુળ સ્વામી રુદ્રદામા રજો
આ રાજાના શાસનસમયથી હવે બધી જ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ એમના નામની પૂર્વે સ્વામી વિશેષણ પ્રયોજે છે. સ્વામી રુદ્રદામાં આ ચોથા ક્ષત્રપકુળના સ્થાપક રાજા છે. જો કે એનો પોતાનો એકેય સિક્કો અદ્યાપિ હાથ લાગ્યો નથી. પરંતુ એના પુત્ર રુદ્રસેનના સિક્કાઓ એના વિશે જાણકારી આપે છે. આ સિક્કાઓ રુદ્રદામાને મહાક્ષત્રપ તરીકે ઓળખાવે છે. એટલે ચાખનવંશીય મહાક્ષત્રપ ભર્તુદામા પછી ઘણા લાંબા સમયે મહાક્ષત્રપાદનો પ્રયોગ થયેલો જોવો પ્રાપ્ત થાય છે. આથી, એવું અનુમાની શકાય કે રુદ્રદામાએ ગાદી જરૂર હસ્તગત કરી હશે.
એના સિક્કાઓની અનુપલબ્ધીને લઈને એનો શાસનકાળ નિશ્ચિત થતો નથી, પરંતુ એના પુરોગામી-અનુગામી રાજાઓના સિક્કા ઉપરનાં જ્ઞાત વર્ષોથી એનો સંભવિત સત્તાકાલ સૂચિત થઈ શકે છે. એના પુરોગામી ભર્તુદામાના મહાક્ષત્રપકાલના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૨૫૪ છે. વર્ષ ૨૨૬થી ૨૫૪ દરમ્યાન મહાક્ષત્રપનું પદ લુપ્ત રહ્યું અને એ પછી મહાક્ષત્રપનું પદ પુનઃ સ્થાપિત થયું ત્યારે ક્ષત્રપનું પદ સમૂળે લુપ્ત થયું એ હકીકત આપણે અગાઉ નોંધી છે. આ સંભવ સ્વીકારીએ તો આથી એવું અનુમાન થઈ શકે કે શક વર્ષ ૨૫૪ની આસપાસ રુદ્રદામાના શાસનની પૂર્વ મર્યાદા સૂચવી શકાય. એના અનુગામી રુદ્રસેન ૩જાના સિક્કા ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ ૨૭૦ હોઈ રુદ્રદામાના રાજયની ઉત્તરમર્યાદા મોડામાં મોડી સંભવતઃ ૨૭૦ સુધીની મૂકી શકીએ. તદનુસાર એણે વર્ષ ૨૫૪થી ૨૭૦ સુધીમાં સોળેક વર્ષ રાજ્ય કર્યું હોવાનો સંભવ પ્રસ્તુત થઈ શકે. સ્વામી રુસેન ૩જો
તે બહુ મોટી સંખ્યામાં આ શાસકના ચાંદીના અને સીસાના સિક્કા મળી આવ્યા છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં સૌથી વધુ સંખ્યામાં આ રાજાના સિક્કા હાથ લાગ્યા છે. એના ચાંદીના સિક્કા મહાક્ષત્રપ તરીકેના છે. અગાઉ અવલોક્યું તેમ ભર્તુદામા-વિશ્વસેન પછી એક જ શાસકની પ્રથા હોઈ રુદ્રસેનના ક્ષત્રપીય સિક્કા મળવાનો કે એણે પિતાના મહાક્ષત્રપકાલ દરમ્યાન ક્ષત્રપપદ સંભાળ્યું હોવાનો મુદ્દો ઉદ્ભવતો નથી. એટલે એ એના પિતા પછી ગાદીએ આવ્યો હોય તે વધારે સંભવિત છે.
For Personal & Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ક્ષત્રપકાલીન ગુજરાત એના સિક્કા વર્ષ ૨૭૦થી ૩૦૨ સુધીના ઉપલબ્ધ થયા છે, ફક્ત વર્ષ ૨૭૫થી ૨૭૯ સુધીના એના સિક્કા પ્રાપ્ત થયા નથી. એના અનુગામીના સિક્કા ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ ૩૦૪ છે. આથી, એવું અનુમાની શકાય કે રુદ્રસેનનું રાજ્ય વર્ષ ૩૦૨ અને ૩૦૪ની વચ્ચે કોઈક તબક્કે પૂરું થયું હોવું જોઈએ. આમ, એણે બત્રીસેક વર્ષ શાસનધુરા સંભાળી હોવી જોઈએ.
એનો દીર્ઘ શાસનકાળ અને એના સિક્કાઓનું વિપુલ ઉપલબ્ધી-પ્રમાણ એના શક્તિ સંપન્ન રાજ્યનું, એના સામર્થ્યનું, એના રાજયની આર્થિક સદ્ધરતાનું અને એની વીરતાનું દ્યોતક ધ્યાના પ્રમાણ છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં પ્રાયઃ આ છેલ્લો પ્રભાવશાળી રાજા હતો. એને અનુજ કે પુત્ર નહીં હોવાથી એનો રાજયાધિકાર એના ભાણેજ મળે છે.
પાંચમું ક્ષત્રપકુળ સ્વામી રુદ્રદામા રજો
રુદ્રસેન ૩જાની બહેનનો એ પુત્ર હતો. એના પિતાનું કે માતાનું નામ જાણવા મળ્યું નથી. આ રાજાના મહાક્ષત્ર૫૫ના સિક્કા વર્ષ ૩૦૪, ૩૦૫ અને ૩૦૬ એમ ત્રણ વર્ષના હાથ લાગ્યા છે. એના પુરોગામી રાજાના સિક્કા વર્ષ ૩૦૨ સુધીના હોઈ એના રાજ્યની પૂર્વ મર્યાદાને વર્ષ ૩૦૨ અને ૩૦૪ની વચ્ચે કોઈક સમયે સૂચવી શકાય. એની અનુગામીના સિક્કા વર્ષ ૩૧૦થી મળે છે. એટલે એના અમલની ઉત્તર મર્યાદા વર્ષ ૩૧૦ સુધી લંબાવી શકાય. પરંતુ આ સમયાવધિ દરમ્યાન અન્ય બે રાજવીઓ, સ્વામી રુદ્રસેન ૪થો અને સ્વામી સત્યસિંહની માહિતી સિક્કાઓથી સંપ્રાપ્ત થાય છે. એટલે એવું અનુમાની શકાય કે એનો અમલ વર્ષ ૩૦૬માં જ સમાપ્ત થયો હશે. સ્વામી રુદ્રસેન થો
અદ્યાપિ આ રાજાનો એક જ સિક્કો હાથવગો થયો છે, જેનું લખાણ સુવાચ્ય નથી. આ રાજાના નામનું પૂર્વપદ રુદ્ર પણ સ્પષ્ટ નથી. પરંતુ રેસન આ સિક્કો આ રાજાનું હોવાનું સૂચિત કરે છે. સિક્કા ઉપરનું વર્ષ અવાચ્ય હોઈ એના સત્તાકાલ વિશે કોઈ અટકળ પ્રસ્તુત કરવી મુશ્કેલ છે. એના પિતા સિંહસેનના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૩૦૬ અને અનુગામી શાસક સત્યસિંહના પુત્ર રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ ૩૧૦ છે. એટલે રુદ્રસેન ૪થાએ આ બે વર્ષની વચ્ચેના સમયગાળાના પૂર્વભાગે સત્તા સંભાળી હોવી જોઈએ.
છઠ્ઠ ક્ષત્રપકુળ સ્વામી સત્યસિંહ
આ રાજાનો એકેય સિક્કો હજી સુધી હાથ લાગ્યો નથી, પરંતુ ચાટનના પિતા સામોતિક, રુદ્રસિંહ રજાના પિતા સ્વામી જીવદામા અને રુદ્રસેન ૩જાના પિતા સ્વામી રુદ્રદામા રજાની જેમ સ્વામી સત્યસિંહની માહિતી પણ એના પુત્ર રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપરથી પ્રાપ્ત થાય છે. આ સિક્કા પણ સત્યસિંહને ક્ષત્રપ તરીકે ઓળખાવે છે. એના પુરોગામી-અનુગામીના સત્તાકાતને ધ્યાનમાં લેવાથી અને એને રુદ્રસેન ૪થાનો સીધો અનુગામી હોવાનું વિચારવાથી
For Personal & Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આઠ
૧૩૯
એનો રાજ્ય-અમલ વર્ષ ૩૦૬ અને ૩૧૦ના સમયગાળા દરમ્યાન સ્વામી રુદ્રસેન ૪થાના શાસનકાળ પછી એ ગાળાના ઉત્તરભાગે હોવો જોઈએ.
રુદ્રસેન ૪થા સાથેનો એનો સંબંધ જાણવામાં નથી. જો કે રેપ્સન એવું સૂચવે છે કે સ્વામી સત્યસિંહ એ સ્વામી સિંહસેનનો ભાઈ હોય. પરંતુ આ વાસ્તુ સાપેક્ષ સાબિતી એમણે દર્શાવી ના હોઈ એમની અટકળ સ્વીકારવા યોગ્ય રહેતી નથી. આથી, એમ કહી શકાય કે સ્વામી સત્યસિંહથી શરૂ થતું આ છઠ્ઠું છેલ્લું ક્ષત્રપકુળ છે. સ્વામી રુદ્રસિંહ ૩જો
સત્યસિંહનો આ પુત્ર સ્વામી રુદ્રસિંહ ૩જો એ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં છેલ્લો જ્ઞાત પુરુષ અને શાસક છે. એના મહાક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૩૧૦, ૩૧૨૦ અને ૩૨૦ના અત્યાર સુધી હાથવગા હતા. પણ ૧૯૮૫ના અરસામાં જૂનાગઢ જિલ્લાના એક ગામેથી પશ્ચિમી ક્ષત્રપ સિક્કાઓનો એક નિધિ મળી આવ્યો છે. આમાં મોટા ભાગના સિક્કા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસિંહ ૩જાના છે. આ સિક્કા ઉપર વર્ષ ૩૧૦, ૩૧૩, ૩૧૫, ૩૧૬, ૩૨૦, ૩૩૩ અને ૩૩૭ વંચાયા હોવાનું જણાયું છે.
આમ, તો અત્યાર સુધી પશ્ચિમી ક્ષત્રપોનું છેલ્લું જ્ઞાત વર્ષ ૩૧૦ હોવાનું અનુમાન થયેલું. પરંતુ વર્ષ ૩૨૦નો રુદ્રસિંહ ૩જાનો એક સિક્કો સાઠના દાયકનાં પ્રારંભમાં આ ગ્રંથલેખકને પ્રાપ્ત થયો છે. હમણાં સુધી વર્ષ ૩૨૦ છેલ્લે જ્ઞાત વર્ષ હતું. પરંતુ તે પછી હમણાં અગાઉ અવલોકયું તેમ જૂનાગઢ જિલ્લામાંથી હાથ લાગેલા ક્ષત્રપસિક્કાનિધિમાં વર્ષ ૩૩૩ અને ૩૩૭ સૂચિત થયું છે. એટલે સ્વામી રુદ્રસિંહના શાસનકાળનો અને એ સાથે પશ્ચિમી ક્ષત્રપ સત્તાનો અંત શક વર્ષ ૩૩૭ અર્થાત્ ઈસ્વી ૪૧૫ની નજીક હોવાનું સંભવે છે". ક્ષત્રપ રાજ્યનો અસ્તાચળ
હમણાં સુધી આ ગ્રંથલેખકના ધ્યાનમાં વર્ષ ૩૨૦નો સિક્કો પશ્ચિમી ક્ષત્રપવંશનો છેલ્લો ઉપલબ્ધ જ્ઞાત આભિલેખિક પુરાવો છે, જે આપણે અગાઉ અવલોક્યું. પરંતુ ૧૯૮૫માં જૂનાગઢ જિલ્લાના એક ગામેથી ક્ષત્રપ સિક્કાઓનો એક નિધિ હાથ લાગ્યો તેમાં રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપર વર્ષ ૩૩૩ અને ૩૩૭ હોવાનું સૂચિત થયું છે. તે પછીના સમયની ક્ષત્રપવંશની કે રાજયની કોઈ જ હકીકત જાણવા મળતી નથી.
ચાખનકુળના છેલ્લા મહાક્ષત્રપ ભર્તુદામાના અંતથી કે પછી રુદ્રસિંહ ૩જાના અંતથી પશ્ચિમી ક્ષત્રપ સત્તાનાં પૂર ઓસરતાં જણાય છે. પશ્ચિમી ક્ષત્રપોમાંના છેલ્લા જ્ઞાત રાજા સ્વામી રુદ્રસિંહ ૩જાના સયમમાં ક્ષત્રપ સત્તાનો અંત આવ્યો હોવાનું સંભવિત અનુમાન હકીકત બને છે કેમ કે તેના સિક્કા ઉપર વર્ષ ૩૩૩ અને ૩૩૭ વંચાયા હોવાનું સૂચિત થયું છે. એના કથિત અનુગામી રૂદ્રના સિક્કા જૂનાગઢ જિલ્લામાંથી બેક દાયકા પૂર્વે હાથ લાગ્યા છે જે મિતિનિર્દેશ વિનાના હોઈ પશ્ચિમી ક્ષત્રપો સાથે એનો સંબંધ સાબિત થતો નથી. આથી, આ છેલ્લો રાજા રુદ્રસિંહ કાં તો અપુત્ર મરણ પામ્યો હોય કે કોઈ અન્ય શક્તિશાળી સત્તાએ ક્ષત્રપ રાજયનો અંત આપ્યો હોય એવી અનુમાની અટકળ થઈ શકે.
For Personal & Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ક્ષત્રપકાલીન ગુજરાત રેપ્સનથી આરંભી ઇતિહાસના અદ્યાપિ સુધીના અભ્યાસીઓ લગભગ એવો મત પ્રસ્તુત કરે છે કે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે પશ્ચિમ ભારતની આ શક સત્તાનો અંત લાવી, ક્ષત્રપ રાજ્યને ગુપ્ત સામ્રાજયમાં ભેળવી દીધું. આ મતના સમર્થકો પોતાનાં મંતવ્ય માટે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયના માળવામાંથી પ્રાપ્ત ત્રણ શિલાલેખો અને ચંદ્રગુપ્તના પોતાના, પણ પ્રકાર-પદ્ધતિમાં ક્ષત્રપ સિક્કાઓ ના સીધા અનુકરણવાળા, માળવામાંથી ઉપલબ્ધ સમયનિર્દેશવાળા ચાંદીના સિક્કાનો આધાર લે છે૧૯. અને એવી અટકળ કરે છે કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય એના અધિકારીઓ સાથે માળવા ઉપર ચડી આવ્યો હશે અને માળવા જીતી દશેક વર્ષ માળવા રહ્યો હશે. ચંદ્રગુપ્ત એના પ્રતિસ્પર્ધી શક રાજાને સીધી લડાઈમાં નહીં પણ દગાથી મારી નાંખે છે એવો બાણના હર્ષરિતમાંનો ઉલ્લેખ આ મતને સમર્થ છે. આ બધા આધાર ઉપરથી ઐતિહાસિકો એવું સૂચવે છે કે ચંદ્રગુપ્ત ઈસ્વી ૩૯૫થી ૪૦૦ સુધીમાં માળવા ઉપર આક્રમણ કરી ક્ષત્રપ સત્તાને નિર્મૂળ કરી હોય. પરંતુ આ વિદ્વાનો એણે ગુજરાત ઉપર ક્યારે ચડાઈ કરેલી એ વિશે કશું નિશ્ચિતપણે કહેતા નથી.
પરંતુ માળવામાંથી મળેલા ચંદ્રગુપ્તના સમયના આભિલેખિક પુરાવાઓની ચર્ચા વખતે આ જ પ્રદેશમાંથી ઉપલબ્ધ ક્ષત્રપોના સિક્કા ધ્યાનમાં લેવાયા નથી. રાજસ્થાનમાંથી અને માળવામાંથી ક્ષત્રપ-સિક્કાઓના ત્રણ નિધિ હાથવગા થયા છે : સર્વાણિયા, સાંચી અને ગોંદરમૌ૩. આ નિધિઓમાં રુદ્રસેન ૩જા સુધીના સિક્કા પ્રાપ્ય છે અર્થાત્ એના અનુગામી ક્ષત્રપ શાસકોના સિક્કા ઉપલબ્ધ નથી. આથી એવું અનુમાન થયું કે શક વર્ષ ૨૭૩ (ઈસ્વી ૩૫૧) સુધીમાં૨૪ કે એ પછી માળવા અને રાજસ્થાન ઉપરનું રાજકીય પ્રભુત્વ ક્ષત્રપોએ ગુમાવેલું. પરંતુ સોનેપુર(મધ્યપ્રદેશ) નિધિમાં રુદ્રસેન ૩જાના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૩૦૧ (ઈસ્વી ૩૭૯) છે. એટલે વિંધ્યાચળની દક્ષિણે આવેલા પ્રદેશો ઉપરનું નિયંત્રણ ક્ષત્રપોએ ઈસ્વી ૩૭૯ પછી ગુમાવ્યું હોય. આથી, રાજસ્થાન અને માળવા ઉપરની ક્ષત્રપસત્તા આ વર્ષ (ઈસ્વી ૩૭૯) સુધી ચાલુ રહી હોવાનું સંભવે છે?".
આમ, ક્ષત્રપ સિક્કાઓના અગાઉ નિર્દિષ્ટ સિક્કાનિધિઓથી સ્પષ્ટ થાય છે કે ચંદ્રગુપ્તના આક્રમણ સમય પૂર્વે જ ક્ષત્રપોએ રાજસ્થાન અને માળવા ઉપરની રાજકીય પક્ક ગુમાવી દીધી હતી, એટલે ચંદ્રગુપ્ત ક્ષત્રપો પાસેથી માળવા જીતી લીધું હતું એવું સૂચન હવે સ્વીકાર્ય રહેતું
નથી.
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે ગુજરાત ઉપર ચડાઈ કરી હોવાનો કોઈ આભિલેખિક પુરાવો પ્રાપ્ત થયો નથી. સાહિત્ય કે અનુશ્રુતિમાં પણ આ બાબતે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. એના કે એના પુત્ર કુમારગુપ્તના કોઈ શિલાલેખ પણ અદ્યાપિ ગુજરાતમાંથી હાથ લાગ્યા નથી. માત્ર એના પૌત્ર સ્કંદગુપ્તનો એક લેખ, અશોકશૈલલેખથી ખ્યાત જૂનાગઢની ભાગોળે આવેલા ખડક ઉપર, ઉત્કીર્ણ થયેલો છે. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના ચાંદીના સિક્કા ગુજરાતમાંથી મળ્યા હોવાનું જાણમાં નથી. અળતેકર એના સિક્કા કેવળ પશ્ચિમ ભારતમાંથી મળ્યા હોવાનું નોંધે છે, પરંતુ કોઈ ચોક્કસ સ્થળવિશેષનો નિર્દેશ એમણે કર્યો નથી. તેથી તેના સિક્કા ગુજરાતમાંથી મળ્યા હોવાની બાબત શંકાસ્પદ રહે છે.
For Personal & Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આઠ
૧૪૧
કુમારગુપ્ત ૧લાના ચાંદીના ઘણા સિક્કા અમદાવાદ જિલ્લામાંથી હાથવગા થયા છે. આ નિધિમાંથી સમુદ્રગુપ્ત, કાચગુપ્ત અને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સોનાના સિક્કાઓની સાથે કુમારગુપ્તના સિક્કાઓ મળ્યા છે. આ વિશે એવું સૂચવાયું છે કે આ સિક્કાઓ કુમારગુપ્તના સમયમાં દાટવામાં આવ્યા હશે. તેથી કુમારગુપ્તના સત્તાકાળ દરમ્યાન (ઈસ્વી ૪૧૫થી ૪૫૫) જ ગુજરાત ઉપર ગુપ્તોનો અધિકાર પ્રવર્તાવ્યો હોય એ વિશેષ સંભવે છે. અર્થાત્ ઈસ્વી ૪૧પમાં કે એ પછી જ ગુપ્તરાજયની સત્તા ગુજરાત ઉપર પ્રસ્થાપિત થઈ હોવાનું ફલિત થાય છે.
માળવા અને રાજસ્થાન ઉપર ક્ષત્રપોની સત્તા ઈસ્વી ૩૭૯ સુધી હોવાનું અગાઉ નોંધ્યું છે. આ પ્રદેશો પરનું પ્રભુત્વ આ સમયે જતું રહ્યું હોવા છતાંય ક્ષત્રપો ગુજરાતમાં તો સત્તાધીશ હતા, એ તો એમના સિક્કાઓની ઉપલબ્ધીથી નિશ્ચિત થાય છે. ક્ષત્રપોમાંના છેલ્લા જ્ઞાત રાજા રુદ્રસિંહ ૩જાના એક સિક્કા ઉપર અગાઉ વર્ષ ૩૨૦ અને હવે ૩૩૩ તથા ૩૩૭ હોવાનું સ્પષ્ટ થયું છે. આથી, એમ કહી શકાય કે માળવા ગુમાવ્યા પછી પણ ગુજરાત ઉપર લગભગ સાડત્રીસ વર્ષ સુધી એમની સત્તા ચાલુ રહી હતી.
આમ, પશ્ચિમી ક્ષત્રપવંશની સત્તાનો અંત (શકવર્ષ ૩૩૭ = ઈસ્વી ૪૧૫) અને ગુપ્ત સામ્રાજયની ગુજરાત ઉપર હકૂમતનો પ્રારંભ (ઈસ્વી ૪૧૫) એ બે ઘટનાઓ વચ્ચે અગાઉ સોળ-સત્તર વર્ષનો ગાળો રહેતો હતો, હવે બંને ઘટના એક જ વર્ષના (૪૧૫) પૂર્વભાગે અને ઉત્તરભાગે અનુક્રમે ઘટી હોવાનું સૂચિત થાય છે. આથી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે પશ્ચિમી ક્ષત્રપો અને કુમારગુપ્તના ગુર્જર શાસન વચ્ચે શો સંબંધ હશે ?
પરંતુ અમદાવાદ જિલ્લાના સાણંદ ગામેથી ૧૩૯૫ સિક્કાઓનો એક મોટો સંગ્રહ હાથ લાગ્યો છે, જેમાં ક્ષત્રપોના માત્ર નવ સિક્કા છે, જ્યારે કુમારગુપ્ત ૧લાના ૧૧૦૩ સિક્કા છે અને શેષ એટલે ૨૮૩ સિક્કા શ્રી શર્વના છે ૯. આ નિધિમાંથી આ ત્રણ સિવાય કોઈ અન્ય રાજાના સિક્કા મળ્યા ન હોઈ શ્રી શર્વના સિક્કાઓનું સ્થાન ક્ષત્રપો અને કુમારગુપ્ત વચ્ચે હોવાનું મંતવ્ય અભિવ્યક્ત થયું છે૩૦ શ્રી શર્વના સીક્કાઓ અગાઉ મૈત્રક વંશના સેનાપતિ ભટાર્કના છે એમ સૂચવાયું હતું. જો કે હવે એ નિશ્ચિત થયું છે કે આ ૨૮૩ સિક્કાઓ શર્વ ભટ્ટારકના છે જે સેનાપતિ ભટાર્કથી ભિન્ન વ્યક્તિ હોવાનું જણાય છે. શ્રી શર્વના સિક્કા એને મહાક્ષત્રપ તરીકે ઓળખાવે છે. આથી, એવું અનુમાન થયું છે કે આ શ્રી શર્વ ભટ્ટારક પશ્ચિમી ક્ષત્રપોને હરાવનાર અને પછી પ્રાગુપ્તકાલમાં ગુજરાતમાં રાજય કરનાર રાજા હતો, જેણે અગાઉ નિર્દેશ્યા મુજબ સોળ-સત્તર વર્ષ દરમ્યાન સત્તા સંભાળી હોય અને પછી કુમારગુપ્ત ૧લાએ એની પાસેથી સત્તા મેળવી લીધી હોવાનો સંભવ દર્શાવાયો હતો. એટલે કે ક્ષત્રપોની સત્તાને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે નિર્મૂળ કર્યાનું અનુમાન સ્વીકાર્ય રહેતું નથી.
પરંતુ અગાઉ અવલોકયું તેમ જૂનાગઢના એક ગામેથી પ્રાપ્ત થયેલા સિક્કાઓમાં ક્ષત્રપોના છેલ્લા જ્ઞાત રાજા રુદ્રસિંહ ૩જાના એક સિક્કા ઉપર શક વર્ષ ૩૩૭ હોવાનું સૂચવાયું છે. આ વાચન સ્વીકારીએ તો કેટલાક પ્રશ્નો ઉભવે છે : શ્રી શર્વના સિક્કાઓનો ક્ષત્રપો સાથે શો સંબંધ ? કુમારગુપ્ત ક્ષત્રપોને હરાવેલા કે શું ? શ્રી શર્વ કયા વંશનો હતો ?
For Personal & Private Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ક્ષત્રપકાલીન ગુજરાત શ્રી શર્વના સિક્કાઓ માત્ર સાણંદમાંથી મળ્યા છે અને તેથી તે ગુજરાતનો રાજા હોવાનું મંતવ્ય અને ક્ષત્રપોને હરાવી સોળસત્તર વર્ષ રાજય કર્યું હોવાનું સૂચન તાર્કિક જણાતું નથી. કુમારગુપ્ત શ્રી શર્વને હરાવ્યો હોય કે ક્ષત્રપોનું રાજય હસ્તગત કર્યું હોય એવા કોઈ સાપેક્ષ આધાર પુરાવા મળ્યા નથી, એક જ સ્થળેથી પ્રાપ્ત શ્રી પર્વના સિક્કાઓ પ્રશ્નાર્થ બની રહે છે. એનું પ્રમાણ પણ કુમારગુપ્તના સિક્કા કરતાં ઘણું ઓછું છે. એટલે અત્યારે તો ઈસ્વી ૪૧૫માં ક્ષત્રપોના રાજયનો અંત આવ્યો અને તે વર્ષના ઉત્તરભાગે કુમારગુપ્તની સત્તા સ્થાપઈ એવું અનુમાન થઈ શકે.
૩.
પાદનોંધ ૧. કેટલૉગ., ફકરો ૧૧૯. પરંતુ રેસનનું આ સૂચન સ્વીકાર્ય રહેતું નથી; કેમ કે જો સ્વામી જીવદામા
ભર્તુદામાનો ભાઈ હોય તો ક્ષત્રપકુળના રાજગાદીના સંભવિત ક્રમ મુજબ એને ક્ષત્રપપદ અવશ્ય મળવું જોઈતું હતું. પરંતુ સિક્કાઓનાં અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે ક્ષત્રપપઃ તો ભર્તુદામાના પુત્ર
વિશ્વસેનને અને તે પછી સ્વામી જીવદામાના પુત્ર રુદ્રસિંહ રજાને મળે છે. ૨. જરૉએસો., ૧૮૯૦, પૃષ્ઠ ૬૬૦. ભગવાનલાલના આ મંતવ્ય માટે કોઈ સાપેક્ષ પુરાવા પ્રાપ્ત થયા
જણાતા નથી અને તેથી તે સ્વીકારી શકાય તેમ નથી. રાયચૌધરી અહીં એવું એક સૂચન કરે છે કે આ વખતે (શક વર્ષ ૨૫૪ અને ૨૭૦ વચ્ચે) સાસાની રાજાઓએ આક્રમણ કર્યું હોવા સંભવે. (પોહિએઇ., પૃષ્ઠ ૨૪૮. આ ઉપરાંત આવા જ સંભવ વિશે જે.એન.બેનરજીના મત વિશે જુઓ પ્રકરણ સાત, પાદનોંધ પ૯). અળતેકર જો કે સાસાની આક્રમણનું સૂચન સ્વીકારતા નથી. (અગાઉ તેઓએ આથી વિપરીત વિધાન કરેલું છે. જુઓ પ્રકરણ સાત પાદનોંધ પ૯). અળતેકર આ બાબતે એવું દર્શાવે છે કે આ ગાળા દરમ્યાન (ઈસ્વી ૩૩૨થી ૩૪૮) સાસાની રાજા શાપુર રજાને ઈસ્વી ૩૩૭થી ૩૩૮માં રોમ સાથેના સમરાંગણમાં સંડોવાવું પડ્યું હતું. વળી, ગુજરાતમાંથી સાસાની વંશના રાજાઓના સિક્કા અદ્યાપિ પ્રાપ્ત થયા નથી. ઉપરાંત રુદ્રસિંહ કે યશોદામાના સિક્કા ઉપર સાસાની સિક્કાની અસર વર્તાતી નથી. (લાગુએ., પૃષ્ઠ ૫૮). અળતેકરના મતે આ આક્રમણ વાકાટક રાજાઓનું હોવું જોઈએ. આ વંશમાં પ્રવરસેન ૧લો એક જ એવો રાજા હતો, જેણે સમ્રાટ ઉપાધિ ધારણ કરી હતી, અને વિજયોની પરંપરામાં સ્મૃતિ તરીકે ચાર અશ્વમેઘ યજ્ઞો પણ આયોજિત કર્યા હતા. વળી, એના પિતા વિધ્યશક્તિએ માળવામાંથી ક્ષત્રપોને હાંકી કાઢ્યા હતા. એટલે એમણે પશ્ચિમમાં પોતાની સત્તાને વિસ્તારના પશ્ચિમ ભારતીય ક્ષત્રપ રાજા ભર્તુદામાને હરાવવામાં રદ્રસિંહને સહાય કરી હોવા સંભવે; નહીં તો રુદ્રસિંહ અને યશોદામાં માત્ર ક્ષત્રપપદ ધારણ કરી સંતોષ માને એ માની શકાતું નથી (એજન, પૃષ્ઠ ૫૮-૫૯). અળતેકરના આ સૂચનના સંદર્ભમાં એટલું ધ્યાન દોરવું યથાર્થ રહે છે કે આ સમય દરમ્યાન પશ્ચિમી ક્ષત્રપોમાં વારસાગત બાબતે એક જ શાસકની પ્રથા પ્રચલિત હતી. આથી, ક્ષત્રપ કે મહાક્ષત્રપ પદનો
પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી અને તેથી તેમનું સૂચન સ્વીકાર્ય બનતું નથી. ૪. ચાખનકુળના આરંભમાં ચારેક રાજાઓનાં નામની પૂર્વે અને ત્યાર પછીના કુળના એક રાજાની પૂર્વે
સ્વામિનું બિરુદ જોવા મળે છે. ૫. અળતેકર આ વાતે એવું સૂચન દર્શાવે છે કે ઈસ્વી ૩૩પમાં વાકાટક નરેશ પ્રવરસેન પહેલાની સત્તા
નબળી પડતાં રુદ્રદામાં રજો એના પુત્રને હરાવી મહાક્ષત્રપપદે આરૂઢ થયો હોવો જોઈએ (વાડુએ., પૃષ્ઠ ૬૧). પ્રસ્તુત વાકાટકોની ગુજરાત ઉપર સત્તા હોવાના સાપેક્ષ પુરાવા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આ મંતવ્ય સ્વીકારાય નહીં.
For Personal & Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આઠ
૬. આ પછી ક્ષત્રપીય સિક્કા મળતા નથી. પરંતુ કલકત્તા સંગ્રહાલયમાં એક ક્ષત્રપ સિક્કા ઉપર બી.એન મુખરજીએ વર્ષ ૨૭૦ વાંચ્યું છે. (જન્યુસોઇ., પુસ્તક ૨૬, પૃષ્ઠ ૨૩૩થી, પટ્ટ ૪, નંબર ૩). પરંતુ એમણે પ્રકાશિત કરેલા સિક્કાનો ફોટોગ્રાફ સ્પષ્ટ ના હોઈ એમના વાંચન વિશે કોઈ નિશ્ચિત અભિપ્રાય આપવાનું શક્ય નથી.
સંભવ છે કે આ પાંચ વર્ષના ગાળા દરમ્યાન કોઈ રાજકીય કટોકટી થઈ હોય. જાયસ્વાલના મત મુજબ ગુપ્ત રાજવી સમુદ્રગુપ્તે ક્ષત્રપ પ્રદેશ ઉપર આક્રમણ કર્યું હોય. પરંતુ અલાહાબાદની એની પ્રશસ્તિમાં એનાં યુદ્ધોનું વર્ણન છે તેમાં ક્ષત્રપો ઉપરની ચડાઈનો નિર્દેશ નથી. આથી અળતેકર જાયસ્વાલનું મંતવ્ય સ્વીકારતા નથી. (વાગુએ., પૃષ્ઠ ૬૧થી).
૭.
૧૪૩
બીજી એક દલીલ એ છે કે સમકાલીન સાસાની રાજા શાપુર ૨જાએ ઈસ્વી ૩૫૬-૫૭માં (શક વર્ષ ૨૭૮-૭૯માં) પૂર્વમાં ચડાઈ કરી હોય અને એણે રુદ્રસેન ૩જાના અમલનો કામચલાઉ અંત આણ્યો હોય. પરંતુ ગુજરાતમાંથી સાસાની સિક્કા મળ્યા નથી. આથી, આ સંભવ યોગ્ય જણાતો નથી. (એજન, પૃષ્ઠ ૬૨).
ત્રીજું એક સૂચન એવું થયું છે કે અલાહાબાદની સમુદ્રગુપ્તની પ્રશસ્તિમાં નિર્દિષ્ટ આર્યવર્તનો રાજા રુદ્રદેવ કાં તો રુદ્રદામા ૨જો કે રુદ્રસેન ૩જો હોય (સરકાર, પ્રઇહિકાઁ., પુસ્તક ૭, પૃષ્ઠ ૭૮). પરંતુ આ બધા જ સંભવો અપેક્ષિત પુરાવા ના મળે ત્યાં સુધી ઉપકારક જણાતા નથી.
૮. કેટલૉગ., ફકરો ૧૨૭.
૯. એજન, ફકરો ૧૨૮.
૧૦. ગિ.વ.આચાર્યે સોનેપુર નિધિમાંના બે સિક્કા રુદ્રસેન ૩જાના વર્ષ ૩૧૦ અને ૩૧૨ના નોંધ્યા છે (ન્યુમિઝમૅટિક સપ્લીમેન્ટ, નંબર ૪૨, પૃષ્ઠ ૯૬). પરંતુ એમનું આ વાચન સંદિગ્ધ હોવાનું પરમેશ્વરીલાલ ગુપ્તએ પ્રતિપાદિત કર્યું છે. (ભારતીય વિદ્યા, પુસ્તક ૧૮, પૃષ્ઠ ૮૪, પાદનોંધ ૭). ૧૧. મુંબઈ સ્થિત સિક્કા સંગ્રાહક સદાશંકર શુક્લના સંગ્રહમાં આ સિક્કો છે અને આ ગ્રંથલેખકે તે ઉપર વર્ષ ૩૨૦ નિર્દિષ્ટ હોવાનું સહુ પ્રથમ વખત ધ્યાન દોર્યું હતું (રસેશ જમીનદાર, ‘પશ્ચિમી ક્ષત્રપોની સાલવારી', સ્વાધ્યાય, પુસ્તક ૫, પૃષ્ઠ ૪૯૮ અને આ ગ્રંથમાં પ્રકરણ પાંચ, તેમ જ હવે પછી પાદનોંધ ૧૪).
૧૨. જુઓ : દિલીપ રાજગોર, ફ્રેશ લાઈટ ઑન ધ સોશ્યો-પોલિટિકલ હિસ્ટરી ઑવ ધ વેસ્ટર્ન ક્ષેત્રપ્સ',
સામીપ્ય, પુસ્તક ૧૯, નંબર ૧-૨, ૨૦૦૨, પૃષ્ઠ ૧૬થી ૨૩. આ લેખમાં જૂનાગઢ જિલ્લાના એક ગામેથી પ્રાપ્ત ક્ષત્રપોના સિક્કાનિધિ વિશે વિગતે ચર્ચા કરી છે. આમાંના ઘણા સિક્કાઓ વેચાઈ ગયા અને ખાનગી સંગ્રાહકો પાસે પહોંચી ગયા, જેની કોઈ માહિતી નથી. પણ સદ્ભાગ્યે થોડાક સિક્કા સદાશંકર શુક્લના હાથમાં આવ્યા, જેના આધારે રાજગોરે આ લેખ લખ્યો છે.
૧૩. કેટલૉગ., ફકરો ૧૨૯.
૧૪. રસેશ જમીનદાર, એ નોટ ઑન એન અનનોટિચ્ડ વૅસ્ટર્ન ક્ષત્રપ કૉઇન', જન્યુસોઇ., પુસ્તક ૩૦, પૃષ્ઠ ૧૯૮થી.
૧૫. આથી, પશ્ચિમી ક્ષત્રપોનું રાજ્ય ઈસ્વી ૪૧૫ના પૂર્વભાગે અસ્તાઅળે ગયું હોય; કેમ કે ગુપ્ત સમ્રાટ કુમારગુપ્તના સિક્કા ગુજરાતમાંથી મળ્યા છે અને એનો શાસનકાળ ઈસ્વી ૪૧૫થી ૪૫૫નો અનુમાનાયો છે. (જુઓ ગુરાસાંઇ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૧૯૪, પાદનોંધ ૧૦ અને ૧૧).
૧૬. અહીં એક મુદ્દો, જૂનાગઢ જિલ્લામાંથી પ્રાપ્ત ઉક્ત ક્ષત્રપોના સિક્કાનિધિ સંદર્ભે, નોંધવો જરૂરી છે (જુઓ ઉપર્યુક્ત પાદનોંધ ૧૨). આ નિધિમાંથી અદ્યાપિ અજ્ઞાત એવા એક રાજા ફન્દ્રના સિક્કા બે પ્રકારના હાથ લાગ્યા છે; મહાક્ષત્રપ સ્વામી ફન્દ્રના બાર જેટલા, અને સ્વામી ફ્ન્દ્રના પચીસેક જેટલા.
For Personal & Private Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ક્ષત્રપકાલીન ગુજરાત રાજગોર આ સિક્કાને મહત્ત (માતૃપક્ષીય સંબંધિત) અને મહાક્ષત્રપ (પિતૃપક્ષીય સંબંધિત) એમ બે વિભાગમાં વર્ણવે છે. આ સિક્કાઓ મિતિનિર્દેશ વિનાના છે. લખાણ ઉપરથી તે સ્વામી સત્યસિંહનો પુત્ર અને સ્વામી રુદ્રસિંહ ૩જાનો અનુજ હોવાનું રાજગોર જણાવે છે. આ રાજા રુદ્રસિંહ તૃતીય સાથે શાસનસ્થ હતો એમ પણ સૂચવાયું છે, જે માહિતી સ્વીકાર્ય નથી; કેમ કે ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત ગુજરાત ઉપર ઈસ્વી ૪૧૫માં રાજકીય પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું હતું અને ગુજરાતમાંથી એના ઉપલબ્ધ થયેલા આશરે પાંચ હજારથી પણ વધુ સિક્કાઓ (જુઓ ગુરાસાંઇ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૧૯૮, પાદનોંધ ૧૧) આ બાબતને સમર્થે છે. વળી રાજગોરના જ જણાવ્યા મુજબ જૂનાગઢ જિલ્લામાંથી હાથ લાગેલા ક્ષત્રપસિક્કાનિધિમાં રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપર વર્ષ ૩૩૭ જોવું પ્રાપ્ત થાય છે, જે ઈસ્વી ૪૧૫ બરોબર આવે. આથી રુદ્રસિંહ ૩જો પશ્ચિમી ક્ષત્રપોમાં છેલ્લો જ્ઞાત રાજા હોવાનું પુરવાર થાય છે. પશ્ચિમી ક્ષત્રપોમાં મંદાક્ષત્રપ અને ક્ષત્રના સંયુક્ત શાસનની માહિતી જાણીતી છે (જુઓ પ્રકરણ ૧૧). પણ રાજગોરે જેમ સૂચવ્યું છે તેમ બે ક્ષત્રપ એક સાથે સત્તાધીશ હોય એ બાબત તર્કશુદ્ધ નથી, તેમ સ્વીકાર્ય પણ નથી. અને તેથી રાજગોરે જણાવ્યું છે તેમ સ્વામી રૂદ્ર ક્ષત્રપ વંશનો છેલ્લો
રાજા હતો એ અનુમાન શંકાસ્પદ જણાય છે. (રાજગોર, એજન, પાદનોંધ ૧૨ ઉપર). ૧૬. અગાઉ નોંધ્યું તેમ રાજગોર ક્ષત્રપવંશનો છેલ્લો રાજા સત્યસિંહનો પુત્ર અને રુદ્રસિંહ ૩જાનો અનુજ
ઇન્દ્રક હતો એવું જણાવે છે જે સિક્કાની તૈયારી કરવાની પદ્ધતિ, વર્ષનિર્દેશનો અભાવ અને
કુમારગુપ્તની સત્તાના સંદર્ભમાં સ્વીકાર્ય જણાતું નથી. ૧૭. રેસન, કૅટલૉગ., ફકરો ૧૩૦; ધ ક્લેસિકલ એજ, પૃષ્ઠ ૧૨, ૪૯-૫૦; સ્મીથ, અહિઈ., ૧૯૫૭,
પૃષ્ઠ ૩૦૯. ઉદયગિરિના બે શિલાલેખો (ફલીટ, કૉઇઇ., પુસ્તક ૩, પૃષ્ઠ ૨૫ અને ૩૬); તેમ જ સાંચીનો શિલાલેખ (સરકાર, સીઇ., પૃષ્ઠ ૨૭૩થી). ઉદયગિરિના બે લેખોમાંથી એક ચંદ્રગુપ્તના માંડલિક રાજાનો ગુપ્ત સંવત ૮૨(ઈસ્વી ૪૦૧)નો દેયધર્મને લગતો છે અને બીજો ચંદ્રગુપ્ત સાથે વિજય વાસ્ત આવેલા એના સાંધિવિગ્રહક મંત્રી વીરસેનનો સમયનિર્દેશ વિનાનો છે. સાંચીનો લેખ આમ્રકાદવ
નામને લશ્કરી અધિકારીનો ગુપ્ત સંવત ૯૩ (ઈસ્વી ૪૧૨)નો છે. ૧૯. રેસન, કેટલૉગ. ફકરો ૯૧, ચંદ્રગુપ્તના ચાંદીના સિક્કા ઉપરનું વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૯૦
(ઈસ્વી ૪૦૯) છે. એ દૃષ્ટિએ એણે ગુજરાત ઉપર સત્તા સ્થાપી હોવાનું સ્પષ્ટ થતું નથી. ૨૦. રિપુરે ૨ પ ત્રાકુર્દ મિનીવેશપુરશ્ચન્દ્રગુપ્ત: શપતિ રાતત્િ | (કૉવેલ અને થોમસ, હર્ષચરિત,
પૃષ્ઠ ૧૯૪). આ અનુકાલીન સાધન હોઈ એની સપ્રમાણતા માટે અધિક પુરાવાની અપેક્ષા રહે. વળી,
રિપૂરેને સ્થાને નિપુર એવોય પાઠ મળતો હોઈ, એમાં જણાવેલા શપતિ એ બીજો કોઈ રાજા,
હોવાનું મનાય છે, જે હિમાચલ પ્રદેશના અલિપુરમાં સત્તા ધરાવતો હતો. ૨૧. રામશંકર ત્રિપાઠી, હિસ્ટરી ઑવ એન્શન્ટ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૫૧; એલન, કેમ્બ્રિજ શોર્ટ હિસ્ટરી ઑવ
ઇન્ડિયા, પૃષ્ઠ ૨૩ અને સ્મીથ, અહિઈ., પૃષ્ઠ ૩૦૭. ૨૨. કદાચ પાંચમી સદીના પહેલા દાયકામાં સંભવે એવું રામશંકર ત્રિપાઠી નોંધે છે (ઉપર્યુક્ત, પૃષ્ઠ
૨૬૧). ૨૩. અનુક્રમે આસઇરી, ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૪૫; કેટલૉગ ઑવ ધ મ્યુઝિયમ ઑવ આર્કિયોલૉજી એટ
સાંચી, પૃષ્ઠ ૬૧થી અને ઇન્ડિયન આર્કિયૉલૉજી-એ રીવ્યુ, ૧૯૫૪-૫૫, પૃષ્ઠ ૬૩. ૨૪. આ ત્રણેય નિધિમાં રુદ્રસેન ૩જાના સિક્કાઓ ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૨૭૩ (સર્વાણિયા), ૨૭૨
(સાંચી) અને ૨૭૦ (ગૌદરમૌ) છે. ૨૫. પરમેશ્વરીલાલ ગુપ્ત સિક્કાનિધિઓનો આધાર લઈ આવું સૂચન કરે છે (ભારતીય વિદ્યા, પુસ્તક ૧૮,
૧૮.
For Personal & Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આઠ
નંબર ૩-૪, પૃષ્ઠ ૮૪, પાદનોંધ ૭).
૨૬. ગુપ્તાન્તીન મુકાવું, પૃષ્ઠ ૩૦૪.
૨૭. જન્યુસોઇ., પુસ્તક ૧૫, પૃષ્ઠ ૧૯૫થી.
૨૮. આવો મત પરમેશ્વરીલાલ ગુપ્તનો છે (ભારતીય વિદ્યા, પુસ્તક ૧૮, નંબર ૩-૪, પૃષ્ઠ ૮૫).
૨૯. જબૉબ્રારાઁએસો., પુસ્તક ૬, પૃષ્ઠ ૫૫ અને ૭૨.
૩૦. પરમેશ્વરીલાલ ગુપ્ત, ભારતીય વિદ્યા, પુસ્તક ૧૮, નંબર ૩-૪, પૃષ્ઠ ૮૯.
૩૧. હ.ગં.શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત, પૃષ્ઠ ૫૫૧-૫૩.
૩૨. અગાઉની પાદનોંધ ૩૦ મુજબ. પરંતુ એમણે આ વાસ્તે ૨૫ વર્ષનો ગાળો દર્શાવ્યો છે. હવે રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપરનું વર્ષ ૩૨૦ ઉપલબ્ધ થયું હોઈ આ ગાળો ત્યારે ૧૬ વર્ષનો રહે છે. એટલે આ ગ્રંથલેખકે ત્યારે પરમેશ્વરીલાલ ગુપ્ત અનુમાનને સમર્થન આપીને શ્રી શર્વના શાસનકાળને વધુ નિશ્ચિત કર્યો હતો. પણ તે પછી જૂનાગઢ જિલ્લામાંથી પ્રાપ્ત ક્ષત્રપ સિક્કાઓમાં તે વંશના છેલ્લા રાજા રુદ્રસિંહ ૩જાના એક સિક્કા ઉ૫૨ વર્ષ ૩૩૭ હોવાનું વાંચન વ્યક્ત થયું છે જે આપણે અવલોકી ગયા. આ બાબતને ધ્યાનમાં લેતાં રુદ્રસિંહ ૩જા અને કુમારગુપ્ત ૧લાના શાસનકાળ વચ્ચે કોઈ જ ખાલી ગાળો રહેતો નથી. આથી શ્રી શર્વ અંગેનું ગુપ્તનું સૂચન હવે સ્વીકાર્ય બની રહેતું નથી. પણ તેના સિક્કાની ઉપલબ્ધિ પ્રશ્નાર્થ જરૂર ઉપસ્થિત કરે છે.
૧૪૫
For Personal & Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ પાંચ
ચાટન : શક સંવતનો સંસ્થાપક
ભૂમિકા
આપણા દેશનાં ઇતિહાસ અને સંસ્કૃતિના નિરૂપણમાં વિવાદસ્પદ ઘણા પ્રશ્નો છે તેમ જ ઘણા ભ્રામક ખ્યાલો અભિવ્યક્તિ પામ્યા છે. આ બધા પ્રશ્નો અને ખ્યાલો બાબતે ઇતિહાસના વિદ્વાનો સમયે સમયે વિવાદના સંગ્રામમાં સામસામે ઊભેલા જોવા મળે છે. કયારેક વિશિષ્ટ શોધસામગ્રી, – દા.ત. સમયનિર્દેશયુક્ત દસ્તાવેજો કે અભિલેખો કે. સિક્કાઓ તેમ જ ઉત્પનનકાર્યથી પ્રાપ્ત ભૌતિક સામગ્રી કે મૂળ સ્રોત પરત્વે વિશિષ્ટ અર્થઘટન,– ઇતિહાસકારોને એમણે અગાઉ અભિવ્યક્ત કરેલાં મંતવ્યમાં ફેરફાર કરવા પ્રેરે છે કે કોઈ નિશ્ચિત નિર્ણય ઉપર આવવામાં સહાયભૂત થાય છે. તો કયારેક કોઈ નવું અર્થઘટન પ્રસ્તુત કરવા સહાયક બને છે કે કોઈ અનિભવ વિચાર વહેતો કરાવે છે. અલબત્ત, આ પરિસ્થિતિ ઇતિહાસનિરૂપણમાં વિધાયક દૃષ્ટિએ સહાયક પુરવાર થાય છે. અને તેથી આ ગ્રંથલેખકનું સ્પષ્ટ માનવું છે કે ઇતિહાસનાં લખાણો દર દસકે નવેસરથી તપાસી જવા અને જરૂરી ફેરફારો આમેજ કરવા જોઈએ અને ભ્રામક ખ્યાલોનું નિંદામણ (weeding) કરતા રહેવું જોઈએ. ક્ષત્રપોનો સળંગ સંવત કયો ?
આપણે અગાઉ અવલોકી ગયા કે ક્ષહરાત ક્ષત્રપ વંશના શિલાલેખોમાં નિર્દિષ્ટ વર્ષો રાજયકાળનાં છે; જયારે ચાખનાદિકુળોના સિક્કાલેખો અને શિલાલેખોમાં ઉ@િખત વર્ષો કોઈ સળંગ સંવતનાં હોવાનો સર્વસ્વીકાર્ય મત છે. પરંતુ એમના અભિલેખોમાં અને સમકાલીન સાહિત્યમાં આ પ્રશ્નાર્થ સળંગ સંવતનું કોઈ વિશિષ્ટનામ પ્રયોજાયેલું જોવું પ્રાપ્ત થતું નથી. પછીના કાળમાં અભિલેખો અને સાહિત્ય ઉભયમાં એને ‘શક સંવત” તરીકે ઓળખાવ્યો છે. શક સંવત’ વિશે વિભિન્ન મંતવ્ય
અત્યાર સુધીમાં અનેક ઐતિહાસિકોએ શક સંવતના પ્રવર્તક તરીકે વિવિધ નામોલ્લેખ, કહો કે વિવિધ મંતવ્યો, રજૂ કર્યા છે. અત્રે એ બધી ચર્ચાઓને કે એ પરત્વેના બધા સિદ્ધાંતોને વિગતથી વર્ણવવાનો કોઈ ઉપક્રમ નથી; કેમ કે ઘણા વિદ્વાનોએ એ વિશે ખૂબ ખૂબ ચર્ચા કરી છે. દા.ત. દે.રા.ભાંડારકર અને રાખાલદાસ બેનરજીએ એમના વિસ્તૃત નિબંધોમાં આ વિશે અતિ વિસ્તારથી સાધકબાધક સસંદર્ભમાં આ પ્રશ્નનું વિશ્લેષણ કર્યું છે તેમ જ એમણે પૂર્વાચાર્યોની દલીલો પણ ચકાસી છે.
છતાં, આમાંની કેટલીક દલીલોની ચર્ચા અહીં સહેતુક કરવી છે, જેથી તે તે દલીલોની નબળી કડીઓ દર્શાવી શકાય અને નવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવાની મોકળાશ હાથવગી થઈ
For Personal & Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ પાંચ
૧૪૭
શકે. અને તેથી થોડીક ચર્ચા-વિગત પ્રસ્તુત છે. વોનોનીસ કે નહપાન ?
રાજા વોનોનીસ એ શક સંવતનો પ્રવર્તક હોવાની બાબત પહેલપ્રથમ પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ અભિવ્યક્ત કરેલી; પરંતુ અનુકાલમાં હાથ લાગેલાં નવાં સાધનોના સંદર્ભે એમણે પોતાનો અગાઉનો અભિપ્રાય રદ કરીને ક્ષહરાત ક્ષત્રપ નહપાન આ સંવતનો પ્રવતર્ક હોવાનો નવો સિદ્ધાંત રજૂ કર્યો". આ પરિવર્તિત વિચાર વિશે એમની મુખ્ય દલીલ એ હતી કે નહપાને શાતકર્ણિ ઉપર પ્રાપ્ત કરેલા વિજયની સ્મૃતિમાં એણે આ સંવત પ્રવર્તાવ્યો હતો અને એ કુષાણ રાજા કણિષ્કનો ઉપરાજ(સૂબો) હોઈ એણે એના માલિકના માનમાં એ સંવતને એનું નામ આપ્યું. નહપાન હોઈ શકે ?
ભગવાનલાલ ઇંદ્રજીનો શક સંવતનો પ્રવર્તક નહપાન છે એવો મત અધૂરી માહિતીના આધારે વ્યક્ત થયો હોવાનું જણાય છે અને તેથી પ્રસ્તુત કારણો ધ્યાનમાં રાખતાં એમનો મત સ્વીકાર્ય જણાતો નથી : (૧) એમને પ્રાપ્ત થયેલી ખોટી માહિતી એ છે કે નહપાને શાતકર્ણિ રાજાને હરાવ્યો અને વિજયની યાદમાં એણે સંવત શરૂ કર્યો. પરંતુ અસંદિગ્ધ હકીકત તો એ છે કે નહપાને શાતકર્ણિને નહીં પણ શાતકર્ણિ રાજાએ નહપાનને સીધી લડાઈમાં હરાવેલો. આથી ભગવાનલાલનું મંતવ્ય સ્વીકાર્ય રહેતું નથી. (૨) નહપાનના નાસિકના ગુફાલેખોમાં સમયદર્શક વર્ષ કોઈ એક સંવતનાં નહીં પણ એના રાજ્યકાળનાં છે એ પુરવાર હકીકત છે કેમ કે એના કોઈ અનુયાયીએ એનાં વર્ષ સળંગ રીતે વાપરવાં ચાલુ રાખ્યાં હોય એમ જાણવા મળતું નથી. (૩) કોઈ પણ સંજોગોમાં નહપાન કુષાણ રાજા કણિષ્કનો ઉપરાજ હોવાના કોઈ પુરાવા અદ્યાપિ પ્રાપ્ત થયા નથી. બલકે નહપાન સાર્વભૌમ સત્તા ધરાવતો સ્વતંત્ર રાજા હતો. (૪) કુષાણ રાજા કણિષ્ક શક જાતિનો ન હતો; તેથી જો નહપાને કણિષ્કના લેખોમાં સમયનિર્દેશક વર્ષોનું અનુકરણ કર્યું હોય (જો કે તે સંભવિત તો છે જ નહીં) તો તેણે શા વાસ્તે શક સંવત એવું નામ પસંદ કર્યું હોય એ સમજાતું નથી. એણે એના સ્થાને એના માલિકના વંશનું કે માલિકનું નામ સંવત સાથે સાંકળવું જોઈતું હતું. (૫) જો કે આ બધી કેવળ અટકળ જ છે; કેમ કે નહપાનના લેખોમાંના વર્ષને કોઈ જ જ્ઞાત સંવત સાથે સંલગ્નિત કરી શકાય તેમ નથી. આપણે અગાઉ આ વિશે (પ્રકરણ છમાં) અવલોકી ગયા તેમ એનાં ઉલ્લિખિત વર્ષ રાજ્યકાળનાં (regnal) છે. વોનોનીસ હોઈ શકે ?
દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરે પંડિત ભગવાનલાલ ઇંદ્રજીના પ્રથમ વખતના મંતવ્ય સાથે સહમતી દર્શાવી વિગતે ચર્ચા કરીને વોનોનીસ શક સંવતનો પ્રવર્તક હતો એમ જણાવ્યું છે. કૃષાણ રાજા કણિખના ઉપરાજ હોવાને નાતે, ન તો ક્ષહરાત ક્ષત્રપ નહપાને કે ન તો કાઈમક ક્ષત્રપ ચાષ્ટને શક સંવત પ્રવર્તાવ્યો હોય એવી ભૂમિકા દર્શાવી ભાંડારકરે એમનો મત વ્યક્ત કર્યો છે. આ વાતે તેઓ બીજી દલીલ એ પ્રસ્તુત કરે છે કે જ્યાં સુધી કણિષ્ક શક જાતિનો છે એમ સાબિત ના થાય ત્યાં સુધી એ પોતે શક સંવતનો પ્રારંભક છે એવી દલીલો નિરર્થક નિવડે
For Personal & Private Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ક્ષત્રપકાલીન ગુજરાત છે. આથી એમના મતે શક સંવતનો શોધક-ચાલક શક વંશનો કોઈ રાજા હોવો જઈએ અને તે વોનોનીસ હોઈ શકે. પરંતુ વોનોનીસ પદ્વવ નરેશ હતો તેથી ભાંડારકરનો મત ટકતો નથી.
હવે ભાંડારકરની દલીલો તપાસીએ. હવે તો આ ગ્રંથલેખકના મત મુજબ પશ્ચિમી ક્ષત્રપો કુષાણોના ઉપરાજ ન હતા જેની ચર્ચા આપણે પ્રકરણ પાંચના છેલ્લે ભાગે કરી છે. આથી નહપાન અને ચાષ્ટન કેવળ ઉપરાજ હોવાને લીધે કોઈ સંવતના, ખાસ કરીને શક સંવતના પ્રવર્તક ના હોઈ શકે એવી ભાંડારકરની દલીલ સ્વીકાર્ય બનતી નથી; જ્યાં સુધી કુષાણ નરેશ કણિષ્કની શક રાષ્ટ્રીયતા પુરવાર ના થાય ત્યાં સુધી શક સંવતના ચાલક તરીકે કણિષ્કને સ્વીકારી શકાય નહીં. જો કે વોનોનીસ શક સંવતનો પ્રવર્તક હોવાનો ભાંડારકરીય મત આ કારણોસર સ્વીકારવો યોગ્ય જણાતો નથી : (૧) વોનોનીસ શક જાતિનો નહીં પણ પહ્નવ જાતિનો હતો એમ સ્ટેન કોનો અને ટાને સ્પષ્ટપણે નોંધે છે૧૧. (૨) એણે ભારતમાં સત્તા સંભાળી હોવાનું જાણમાં નથી૨; બલકે તે સીસ્તાનનો રાજા હતો અને તે સમયે ભારત ઉપર શક રાજા મોઅની સત્તા પ્રવર્તતી હતી. (૩) વળી એનો સત્તા-સમય ઇસુ પૂર્વેની પહેલી સદીનો હોવાનું જણાય છે. જ્યારે જે સંવત સાથે એનું નામ સાંકળવાનો ભાંડારકરે પ્રાયસ કર્યો છે તે શક સંવતનો પ્રારંભ તો ઈસુ પછી ૭૮મા વર્ષે થયો છે. શું કરિષ્ક શક સંવતનો ચાલક હતો?
સૌ પ્રથમ ફર્ગ્યુસને એવો મત વ્યક્ત કર્યો હતો કે કણિક્કે શક સંવતનો પ્રારંભ કર્યો હતો". અનુકાલમાં ફર્ગ્યુસનનું આ મંતવ્ય લગભગ બધા જ ઐતિહાસિકોએ સર્વાનુમતે સ્વીકારી લીધું હતું; એટલું જ નહીં ફર્ગ્યુસનની જ દલીલો એ જ પદ્ધતિએ અનુસરવાનું ઉચિત માન્યું છે. આ વિશે વિગતવાર ચર્ચા ફર્ગ્યુસને અને ઓલ્ડનબર્જે કરી છે. ફર્ગ્યુસનનો મત
ફર્ગ્યુસને મુખ્યત્વે રોમીય સિક્કાઓનો આધાર લીધો છે. “માણિક્યાલ ટોપ'માં કષ્કિના સિક્કાઓ સાથે કોસ્યુલર સમયના (ઈસ્વી પૂર્વ ૪૩) રોમીય સિક્કાઓ પ્રાપ્ત થયા છે. આ માણિક્યાલ ટોપની રચના કણિક્કે કરેલી એટલે ફર્ગ્યુસનના મતે કણિષ્કનો સમય ઈસ્વી પૂર્વ ૪૩ પછીનો મૂકી શકાય, પરંતુ ઈસ્વી પૂર્વ ૪૩ પછી કેટલાં વર્ષ બાદ તેની સ્પષ્ટતા તેમણે કરી નથી. આથી તેઓ જેનો આધાર લે છે તે આધાર જ કણિષ્કના સમયને નિર્ણિત કરવામાં ઉપયોગી થતો નથી. આથી ફર્ગ્યુસનની દલીલ સંદિગ્ધ રહે છે. આ ઉપરાંત તેઓ જલાલાબાદ નજીકના “અહીન પોશ ટોપ'માંથી રોમીય સમ્રાટો ડોમિટિયન, ટ્રાજન અને સમ્રાજ્ઞી સબીનાના સિક્કાઓ સાથે કુષાણ નરેશ કણિષ્કના અને હવિષ્કના પ્રાપ્ત થયેલા સિક્કાઓનો આધાર લે છે. ડોમિટિયન અને ટ્રાજનનો સત્તાસમય અનુક્રમે ઈસ્વી ૮૧થી ૯૬ અને ઈસ્વી ૯૮થી ૧૧૭નો છે. જ્યારે સબીનાનો સત્તાસમય ઈસ્વીસનની બીજી સદીના બીજા ચરણમાં હતો. આથી એમ સૂચિત થઈ શકે કે આ ટોપનું બાંધકામ ઈસુની બીજી સદી પૂર્વે સંભવે નહીં અને તો પછી ફર્ગ્યુસનનો આ આધાર પણ એમના મતને સમર્થી શક્તો નથી.
For Personal & Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ પાંચ
૧૪૯
ઑલ્ડનબર્જની દલીલ
શક સંવત કણિક્કે પ્રવર્તાવેલો એવી દલીલ ફર્ગ્યુસનની સાથોસાથ ઑલ્ડનબર્જ પણ વિસ્તારથી કરી છે. એમના મતનો મુખ્ય આધાર બ્રિટિશ સંગ્રહાલયમાંના કણિષ્કના એક સિક્કા ઉપરનો ત્રીજો શબ્દ છે. આ સિક્કો પહેલપ્રથમ પર્સી ગાર્ડનેરે ૯ પ્રસિદ્ધ કર્યો અને એ સિક્કા ઉપરનો ત્રીજો શબ્દ એ છે એ પ્રકારનું વાંચન પ્રસ્તુત કર્યું. અને આ વાંચનને આધારે ઑલ્ડનબર્જ એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે કષ્કિ શક જાતિનો હતો. તેઓ બીજી દલીલ એ કરે છે કે કણિષ્કના સિક્કાઓ ઉપરથી પુરવાર થાય છે કે એણે ઈસુની પહેલી સદીના અંતિમ ભાગે રાજય કર્યું હતું; એટલું જ નહીં આ સમયે બીજો કોઈ સમકાલીન ભારતીય સમ્રાટ કણિષ્કના જેટલો પ્રભાવશાળી ન હતો. આથી એણે શક સંવત પ્રવર્તાવેલો એવી દલીલ ઑલ્ડનબર્જ કરે છે. પરંતુ પર્સી ગાર્ડનરે જે સિક્કા ઉપર શક શબ્દ અંકિત થયેલો હોવાનું સૂચવ્યું હતું તે સિક્કાને કનિંગહમે ખૂબ ઝીણવટપૂર્વક તપાસીને અસંદિગ્ધપણે પુરવાર કર્યું કે કણિષ્કના પ્રસ્તુત સિક્કા ઉપરનો ત્રીજો શબ્દ શ નથી પણ સાવ છે. આ કારણે ઑલ્ડનબર્જે જેના આધારે નિર્ણય કર્યો કે કણિષ્ક શક જાતિનો હતો તે દલીલ નિરાધાર ઠરે છે. આથી કણિષ્ક શક સંવતનો પ્રવર્તક છે એવો ઑલ્ડનબર્જનો મત પણ સ્વીકાર્ય રહેતો નથી.
છતાં પણ, અત્યારે લગભગ બધા જ વિદ્વાનોનો એવો મત છે કે કુષાણ સમ્રાટ કણિષ્ક જ શક સંવતનો પ્રારંભક છે. પણ આ સિદ્ધાંતના સમર્થનમાં એકેય સીધો દાર્શનિક પુરાવો પ્રાપ્ત થયો નથી. ફક્ત સામાન્ય ઐતિહાસિક અટકળો ઉપર જ આ સિદ્ધાંત આધારિત રહ્યો છે. બીજી બાબત એ છે કે જે પ્રદેશમાં આ સંવત ખૂબ જ પ્રચારમાં હતો (એટલે પશ્ચિમ ભારત, ખાસ કરીને હાલના ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારો) તે પ્રદેશો ઉપર એનું આધિપત્ય હોવાની કોઈ જ સબળ માહિતી હાથવગી થઈ નથી. ત્રીજી હકીકત એ છે કે અને આપણે અગાઉ અવલોકયું પણ કે કણિષ્ક શક જાતિનો નહીં પણ તુરુષ્ક જાતિનો હતો. વળી કુષાણ વંશનો તે ત્રીજો રાજા હતો. આ વિગતો પણ પ્રચલિત મંતવ્યની વિરુદ્ધ જાય છે. ચોથી મહત્ત્વની બાબત એ છે કે તે એક અત્યંત શક્તિશાળી સમ્રાટ હતો. સાહિત્યમાં આ બાબતનો ઉલ્લેખ અવારનવાર જોવા મળે છે. આથી જો કણિષ્ક કોઈ સંવતનો પ્રવર્તક હોય તો કાં તો તે કુષાણ સંવત તરીકે, કાં તો તે તુરુષ્ક સંવત તરીકે ઓળખાયો હોવો જોઈએ. આ બધી વિગતોને આધારે એટલું તો સ્પષ્ટ છે કે પ્રશ્નાર્થ સંવત શક સંવત નામની જ ઓળખાવાયો છે. અને તેથી સ્પષ્ટતઃ કણિક્કે તે ચલાવ્યો હોવાનો અતિ પ્રતિષ્ઠિત મત સ્વીકાર્ય બનતો નથી. પાંચમી દલીલ એ છે કે પશ્ચિમ ક્ષત્રપો, જેઓ કણિષ્કના સૂબા હતા, જેમણે પ્રયોજેલાં વર્ષ ચાર સદી સુધી ઉપયોગમાં લેવાયાં હતાં. અને તેથી સ્વાભાવિક જ, પછીના સમયે, આ વર્ષો પશ્ચિમ ક્ષત્રપો શક જાતિના હોવાથી શક સંવતના નામે ઓળખાયાં, પરંતુ આ દલીલ હવે કોઈ પણ રીતે સ્વીકારી શકાય તેમ નથી.
અત્યાર સુધીની સાધકબાધક ચર્ચા ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય જ છે કે ન તો વોનોનસ કે ન તો નહપાન કે ન તો કણિષ્ક આ સંવતના પ્રવર્તાવનાર હતા. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ પ્રશ્નાર્થ સંવતને પ્રસ્થાપિત કોણે કર્યો ?
For Personal & Private Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫o
ક્ષત્રપકાલીન ગુજરાત ચાલ્ટન આ સંવતનો પ્રવર્તક હતો ?
પશ્ચિમી ક્ષત્રપોની પ્રસ્તુત કરેલી વંશાવલિ અનુસાર કાર્ડમકવંશના પહેલા કુળનો પ્રથમ રાજા ચાન્ટન આ સંવતનો ચાલક હતો, એવો મત પહેલપ્રથમ કનિંગહમે અભિવ્યક્ત કર્યો હતો. કનિંગહામનો મુખ્ય આધાર પશ્ચિમી ક્ષત્રપો અને આંધ્રભૃત્યોની સાલવારી છે. તેઓ નહપાનને ઈસ્વીપૂર્વેની પહેલી સદીના મધ્યમાં વિદ્યમાન હોવાનું જણાવે છે. તેમ જ સાતવાહન રાજા શાતકર્ણિ ઈસ્વી ૭૦ની આસપાસ સત્તાધીશ હતો એમ સૂચવે છે. આ ઉપરાંત એમના મતે ગૌતમીપુત્ર શાતકર્ણિ, જેણે ક્ષહરાત ક્ષત્રપોને હરાવ્યા હતા, તે નહપાનનો અનુગામી હતો. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ કનિંગહમ ગૌતમીપુત્ર શાતકર્ણિને ચાષ્ટનનો સમકાલીન ગણાવે છે. તે જ રીતે પુલુમાવિ અને જયદામાને સમકાલીન ગણાવે છે, જેઓ અનુક્રમે ગૌતમીપુત્ર અને ચાષ્ટનના પુત્રો હતા. વળી તેઓ જયદામાનો સત્તાસમય ૨૫ વર્ષ જેટલો હોવાનું વિચારે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ છે કનિંગહમની ક્ષત્રપો અને સાતવાહન વિશેની સાલવારી પરત્વેની માન્યતા .
કનિંગહમ પછી ત્રીસ વર્ષે બૃબ્રેઈલે કનિંગહમના મતનું સમર્થન કર્યું. નહપાનના સમયના શિલાલેખોમાંનું છેલ્લું જ્ઞાત વર્ષ ૪૬ અને ચાટન સમયના શિલાલેખોમાંનું પહેલું જ્ઞાત વર્ષ પર છે. વર્ષ ૪૬થી ૫ર સુધીનાં છ વર્ષના અલ્પકાળમાં બનેલા જ્ઞાત બનાવો ૭ અશક્ય નહીં તો સંભવિત તો નથી જ એમ માની ડ્યૂબ્રેઈલ નહપાનના સમયના શિલાલેખોમાં નિર્દિષ્ટ વર્ષ એના રાજ્યકાળનાં હોવાનો મત દર્શાવે છે. વળી, સિક્કાઓ, લિપિ, ભાષા, પુરાવસ્તુઓના આધારે તેઓ એવી અટકળ કરે છે કે નહપાનનો સત્તાકાળ ઈસુની બીજી સદીમાં નહીં-૮ પરંતુ ઈસ્વીની પહેલી સદીના પ્રારંભે હોવો જોઈએ. આ ઉપરાંત છેતાળીસ વર્ષ પછી તરત જ ક્ષહરાત વંશનો અંત આવ્યો, વર્ષ ૪૬થી પરની વચ્ચેના ટૂંકા ગાળામાં ચાષ્ટન ક્ષત્રપ અને મહાક્ષત્રપના હોદ્દાઓ પામી શક્યો, વર્ષ પરના આંધ લેખ પૂર્વે જ રુદ્રદામા સત્તાધીશ થયો હોય જેવી હકીકતો વ્બ્રેઈલને અસંભવિત દૃષ્ટિગોચર થાય છે. તેથી નહપાનનાં વર્ષોને રાજકાલનાં વર્ષો ગણી શક સંવતનો પ્રવર્તક ચાન્ટન હતો એવો મત તેઓ પ્રતિપાદિત કરે છે. આ મતના સમર્થનમાં તેઓ વધુ એક દલીલ એવી પ્રસ્તુત કરે છે કે સ્વાભાવિક જ વંશનો સ્થાપક એ સંવતનો સ્થાપક હોઈ શકે. આ છે વ્બ્રેઈલના વિચારો. હા, ચાષ્ટને જ શક સંવત ચલાવેલો.
પરંતુ તાજેતરમાં કચ્છ જિલ્લાના ખાવડા ગામથી દક્ષિણપૂર્વમાં ચોવીસ કિલોમીટરના અંતરે આવેલા આંધૌ ગામેથી ક્ષત્રપવંશનો એક વધુ શિલાલેખ પ્રાપ્ત થયો છે ૧. અગાઉ આ ગામેથી જ ચાષ્ટનના સમયના ચાર યષ્ટિલેખો વર્ષ પરના નિર્દેશયુક્ત સાંપડ્યા હતા. અત્યાર સુધી ચાખનવંશીય રાજાઓ માટે આ વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ હતું. પણ આંધૌએ સંપડાવી આપેલો પ્રસ્તુત યષ્ટિલેખ વર્ષ ૧૧નો છે અને તે ચાષ્ટનના ક્ષત્રપપદ સમયનો છે. આમ આ લેખ હમણાં સુધી ચાન્ટન સારુ વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૧૧ હોવાનું સૂચિત હતું. શક સંવત ૧૧નો આ લેખ તે સંવતના પ્રવર્તકના પ્રશ્ન અંગે ઘણો ઉપયોગી અને ધ્યાનાર્હ હતો. પરંતુ તત્પશ્ચાતુ
For Personal & Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
૧પ૧
પરિશિષ્ટ પાંચ કચ્છ જિલ્લાના દોલતપુર ગામેથી પ્રાપ્ત શિલાલેખ વર્ષ નો છે, જે શક સંવતના પ્રવર્તકના નામ વાસ્તે વિશેષ ઉપયોગી બની રહે છે. વર્ષ ૬ અને ૧૧ના લેખો ઈસ્વી ૮૪ અને ૮૯ બરોબર આવે છે. જો કે દોલતપુરનો વર્ષ જુનો યષ્ટિપ્લેખ ચાખનનો નથી. પણ એના સમયનો હોવાનું જણાય છે. લેખની પ્રથમ પંક્તિઓ ખંડિત છે છતાં કોઈ આભીર રાજાએ ચાષ્ટનના સમયમાં આ સ્મૃતિલેખ ખોડાવ્યો હતો. આથી, ચાષ્ટનના વર્ષ ૧૧ના આંધ લેખના સંદર્ભે વર્ષ દુનો લેખ એનો હોવા બાબતે શંકા રહેતી નથી. આમ સ્પષ્ટત: શક સંવતનો પ્રવર્તક ચાન્ટન હોવાના અનુમાનને આ કારણે પુષ્ટી મળે છે :
(૧) આપણા પશ્ચિમી ક્ષત્રપો શક જાતિના હતા એ વિશે હવે કોઈ શંકાને સ્થાન નથી. તેથી પશ્ચિમી ક્ષત્રપવંશોના બીજા કુળનો બીજો પુરુષ અને પ્રથમ શાસક ચાન્ટન પણ શક જાતિનો હતો એમ ખસૂસ કહી શકાય.
(૨) ઈસ્વીસન ૭૮માં શરૂ થયેલો સંવત એ શક સંવત હોવાનો સર્વસ્વીકૃત મત છે.
(૩) પશ્ચિમી ક્ષત્રપો સ્વતંત્ર સત્તાધીશ હતા એ આપણે પુરવાર કર્યું". એટલે ચાષ્ટન પણ સ્વતંત્ર સમ્રાટ હોઈ એણે સ્વતંત્ર સંવત ચલાવ્યો હોવાનું મંતવ્ય વ્યાજબી છે અને તે વાસ્તુનું કારણ એણે પુરોગામી નહપાને ગુમાવેલા વિસ્તારો સાતવાહન રાજા પાસેથી જીતીને પરત મેળવ્યા હતા તે છે.
(૪) જો પશ્ચિમી ક્ષત્રપો કણિષ્કના ઉપરાજ હતા અને એમણે કરિષ્ય શરૂ કરેલો સંવત ઉપયોગ્યો હતો તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તો પછી પશ્ચિમી ક્ષત્રપોએ કણિષ્કના સિક્કાઓનું અનુકરણ કેમ કર્યું ન હતું ? પશ્ચિમી ક્ષત્રપોના સિક્કાઓ કણિષ્કના સિક્કાઓ સાથે જરાય સરખું સામ્ય ધરાવતા નથી. હકીકતે એમના સિક્કાઓ અનેક રીતે વિલક્ષણ છે. ખાસ તો સિક્કા તૈયાર કરનાર સત્તાધીશ રાજા પોતાના પિતાનું નામ હોદ્દા સાથે પોતાના સિક્કા ઉપર
અંક્તિ કરે છે; જે બાબત કે આ પ્રથા કુષાણ સિક્કાઓમાં અને મુખ્યત્વે તો કણિષ્કના સિક્કાઓમાં જોવી પ્રાપ્ત થતી નથી. આથી કણિક્કે સંવત ચલાવ્યો હોય અને પશ્ચિમી ક્ષત્રપોએ એને અપનાવ્યો હોવાનો મત હવે સ્વીકાર્ય બનતો નથી.
(૫) નહપાન ચાષ્ટનનો સીધો પુરોગામી હતો તે આપણે આ ગ્રંથમાં પ્રકરણ છે અને સાતમાં અવલોક્યું છે. આ નહપાનને સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ હરાવેલો અને નહપાનની સત્તા હેઠળના દક્ષિણ તરફના વિસ્તારો શાતકર્ણિએ જીતી લીધેલા. આ પ્રદેશો તરત જ ચાણને પોતાના સામર્થ્યથી પાછા જીતી લીધા હતા. શક્તિશાળી સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણિ ઉપર પ્રાપ્ત કરેલા વિજયની યાદમાં ચાષ્ટને સંવત પ્રવર્તાવ્યો હોવાનું અનુમાન અસંદિગ્ધપણે સૂચિત થાય છે અને તે સંવત એની જાતિના નામ ઉપરથી અનુકાલમાં શક સંવતના નામે વિખ્યાત થયો.
(૬) સંભવ છે ભવિષ્યમાં શક સંવત ૬ અને ૧૧ના વર્ષ પૂર્વેના વર્ષના નિર્દેશ કરતા લેખ મળી આવે અને ત્યારે આપણું અનુમાન વધુ સુદઢ બનશે કે શક સંવતનો પ્રારંભક ચાષ્ટન હતો.
For Personal & Private Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૨
પાદનોંધ
૧. વિવાદાસ્પદ પ્રશ્નો અને ભ્રામક ખ્યાલોની વિશેષ માહિતી માટે આ ગ્રંથલેખકનાં આ પુસ્તકો જુઓ : (૧) ઇતિહાસ સંશોધન, ૧૯૭૬, અમદાવાદ; (૨) વીસમી સદીનું ભારત : ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં, ૧૯૭૭, અમદાવાદ; (૩) ઇતિહાસ : સંકલ્પના અને સંશોધનો, ૧૯૮૯, અમદાવાદ; (૪) સ્વાધીનતા સંગ્રામમાં ગુજરાત, ૧૯૮૯, અમદાવાદ; (૫) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ૧૯૯૦ અમદાવાદ; (૬) ઇતિહાસનિરૂપણનો અભિગમ, ૧૯૯૨, અમદાવાદ; (૭) પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, ૧૯૯૪, અમદાવાદ. અને અન્ય કેટલાક લેખ : ‘યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ', સંબોધિ, પુસ્તક ૨૪, ૨૦૦૧, પૃષ્ઠ ૪૬થી ૯૭; ‘બાબુરી સામ્રાજ્ય : નામકરણ અને કેટલીક સાંસ્કૃતિક ગતિવિધિઓ', ફા.ગુ.સ.ઐ., પુસ્તક ૬૬, અંક ૩, ૨૦૦૧, પૃષ્ઠ ૧૨૩થી ૧૩૭; આઝાદીની લડતના ઇતિહાસનિરૂપણનાં કેટલાંક દષ્ટિબિંદુ', સામીપ્ટ, ૧૯૯૭-૯૮, પૃષ્ઠ ૭૦થી ૭૬; ‘ભારતીય વિદ્યા : વિભાવના અને વિશ્લેષણ', સ્વાધ્યાય, પુસ્તક ૩૭, અંક ૧-૨, ૨૦૦૦, પૃષ્ઠ ૧થી ૧૨; ‘આપણી સંસ્કૃતિની વિસ્તરતી ક્ષિતિજો : અવલોકિત વિશ્લેષણ', ફા.ગુ.સ.ઐ., પુસ્તક ૬૭, અંક ૪, ૨૦૦૨, પૃષ્ઠ ૨૨૦થી ૨૨૯ અને પુસ્તક ૬૮, અંક ૧, ૨૦૦૩, પૃષ્ઠ ૧૦થી ૧૮ વગેરે. ૨. જુઓ : ‘એ કુષાણ સ્ટોન-ઈન્સ્ક્રિપ્શન એન્ડ ધ ક્લેશન એબાઉટ ધ ઑરિજીન ઑવ ધ શક ઈરા', જબૉબ્રારાએસો., પુસ્તક ૨૦, પૃષ્ઠ ૨૬૯થી ૩૦૨.
૩. જુઓ : ધ સીથિયન પીરિયડ ઑવ ઇન્ડિયન હિસ્ટરી', ઇએ., ૧૯૦૮, પૃષ્ઠ ૨૫થી.
ક્ષત્રપકાલીન ગુજરાત
૪. બાઁગે., પુસ્તક ૧, ભાગ ૧, પૃ૪ ૨૬થી.
૫. એજન., પુસ્તક ૧૪, પૃષ્ઠ ૬૧૭.
૬. સામાન્યતઃ કોઈ રાજા આરંભમાં પોતાનાં રાજ્યકાલનાં વર્ષોનો નિર્દેશ પોતાના અભિલેખોમાં કરતા હોય છે; જે પછી તેના અનુગામીઓ એ વર્ષસંખ્યાને ઉત્તરોત્તર વધારતા જાય છે અને તે રીતે અંતે એ સંવતનું રૂપ ધારણ કરે છે. મળતી માહિતી અનુસાર નહપાન પછી પશ્ચિમી ક્ષત્રપોના બીજા કુળ ામ વંશનો બીજો પુરુષ ચાષ્ટન સત્તાધીશ થયો હોવાનું સાબિત થયું છે. આથી, નહપાનના લેખોમાંનું છેલ્લું જ્ઞાત વર્ષ ૪૬ પછીથી આગળ કોઈ વર્ષ અનુસંધાન સ્વરૂપે જોવા મળતું નથી. ૭. જુઓ : રસેશ જમીનદાર, ‘વૅર ધવૅસ્ટર્ન ક્ષત્રપ્સ વાઈસરૉય્સસ ઑવ ધ કુષાણસ', ઉમેશ મિશ્ર
કમેમરેશન વૉલ્યુમ, ૧૯૭૦, પૃષ્ઠ ૭૦૩થી.
૮. કલ્હણની ‘રાજતરંગિણી'માં (૧.૧૭૦) નોંધ્યું છે કે કણિષ્ય તુરુષ્ક જાતિનો હતો. અલિબરૂની પણ આ મતનું સમર્થન કરે છે (સચાઉ, અલ બિરૂની, ભાગ ૨, પૃષ્ઠ ૧૧).
૯. જુઓ અગાઉની પાદનોંધ ૨.
૧૦. રસેશ જમીનદાર, પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૨૦.
૧૧. કોનો, કૉઇઇ., પુસ્તક ૨, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૮૮; ટાર્ન, ગ્રીબેઇ., ૧૯૩૮, પૃષ્ઠ ૩૪૫. ૧૨. પરંતુ ભારતમાંથી તેના અલ્પ સંખ્યામાં પણ ચાંદીના અને તાંબાના સિક્કા નળ્યા છે. જુઓ પાદનોંધ
૧૦.
૧૩. પોહિએઇ., પૃષ્ઠ ૨૯૯.
૧૪. એજન, પૃષ્ઠ ૨૯૯-૩૦૦. વોનોનીસ મોઅનો સમકાલીન હતો અને મોઅનો સમય ઈસ્વીપૂર્વ પહેલી સદીના મધ્યમાં મુકાય છે (સ્વાધ્યાય, પુસ્તક ૮, અંક ૧, પૃષ્ઠ ૫૦). અને તેથી વોનોનીસ પણ ઈસ્વીપૂર્વ પહેલી સદીમાં વિદ્યમાન હોય.
૧૫. જરાઁએસો., નવી શ્રેણી, ૧૮૮૦, પુસ્તક ૧૨, પૃષ્ઠ ૨૬૪થી.
For Personal & Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ પાંચ
૧૬. ઈન્સા. બ્રિટા., ૧૯૬૪, પુસ્તક ૧૯, પૃષ્ઠ ૫૦૩ અને ૫૦૮. ૧૭. જબૉબ્રારાએસો., પુસ્તક ૨૦, પૃષ્ઠ ૨૭૨-૭૩.
૧૮. ઇએ., ૧૮૮૨, પૃષ્ઠ ૨૧૩થી.
૧૯. ન્યુમિઝમૅટિક્સ ક્રૉનિકલ્સ, નવી શ્રેણી, ૧૮૭૪, પુસ્તક ૧૪, પૃષ્ઠ ૧૬૧. ૨૦. એજન, ૧૮૯૦, પૃષ્ઠ ૧૧૧-૧૨.
૨૧. કણિષ્ય તુરુ જાતિનો છે એ આપણે અગાઉ અવલોક્યું (જુઓ પાદનોંધ ૮) ૨૨. જુઓ પાદનોંધ ૧૧.
૨૩. જુઓ પાદનોંધ ૭ તથા પ્રકરણ પમાંનો છેલ્લો મુદ્દો.
૨૪. ન્યુમિઝમૅટિક્સ ક્રૉનિકલ્સ, ૧૮૮૮, પૃષ્ઠ ૨૩૨-૩૩ અને ૧૮૯૨, પૃષ્ઠ ૪૪. ૨૫. ક્ષત્રપો અને સાતવાહનોની સાલવારી વિશે અદ્યતન માહિતી માટે જુઓ : અજયમિત્ર શાસ્ત્રીકૃત ધ સાતવાહન્સ ઍન્ડ ધ વેસ્ટર્ન ક્ષેત્રપ્સ, ૧૯૯૮, નાગપુર. આ ગ્રંથમાં જુઓ વિભાગ ૧, પ્રકરણ ૬ અને વિભાગ ૨, પ્રકરણ ૨ તથા બંને વિભાગમાં અનુક્રમે પરિશિષ્ટ ૩ અને ૨.
૨૬. જુઓ અહિડે., ૧૯૨૦, પૃષ્ઠ ૨૬થી.
૨૭. દા.ત. (૧) નહપાનના રાજ્યનો અંત, (૨) ક્ષહરાત વંશનો અંત, (૩) ચાષ્ટનનાં ક્ષત્રપ તરીકે રાજયારોહણ અને શાસનકાળ તેમ જ મહાક્ષત્રપ તરીકે રાજ્યારોહણ અને સત્તાકાળ, (૪) જયદામાનાં ક્ષત્રપ તરીકે રાજ્યારોહણ અને સત્તાકાળ, અને (૫) રુદ્રદામાનો ક્ષત્રપ તરીકેનો રાજ્ય
અલમ.
૧૫૩
૨૮. જો નહપાનના શિલાલેખમાંનાં વર્ષ શક સંવતનાં છે એમ સ્વીકારીએ તો શક વર્ષ ૪૬ બરોબર ઈસ્વી ૧૨૪ આવે. અર્થાત્ નહપાનના સત્તાકાળને ઈસ્વીની બીજી સદીમાં મૂક્યો પડ જે બાબત ટ્યૂબ્રેઈલના મતે યોગ્ય નથી (અહિડે., પૃષ્ઠ ૩૦).
૨૯. જો કે આ સાર્વત્રિક સિદ્ધાંત નથી, પણ સવિશેષ અનુમિત મત છે અને આપણા દેશના સંવતોના ઇતિહાસમાં આવાં દૃષ્ટાંતો ઘણાં હાથવગાં થાય છે. દા.ત. ગુપ્તવંશનો સ્થાપક શ્રી ગુપ્ત હતો જ્યારે સંવતનો સ્થાપક ચંદ્રગુપ્ત ૧લો હતો.
૩૦. ક્યૂબ્રેઈલના વિચારોને પછીથી કોઈ ખાસ અનુમોદન પ્રાપ્ત થયું નથી. જો કે તે પછી લગભગ ત્રણ દાયકા બાદ રાજબલી પાણ્ડેય આ મતનું સમર્થન કરે છે (જુઓ : ઇએ., ૧૯૫૨, પૃષ્ઠ ૧૮૬; ઇન્ડિયન પેલિયાઁગ્રાફી, ૧૯૫૨, પૃષ્ઠ ૧૮૬).
૩૧. આ લેખ સહુ પ્રથમ શોભના ગોખલેએ પ્રસિદ્ધ કરેલો (જુઓ : જર્નલ ઑવ એન્શન્ટ ઇન્ડિયન હિસ્ટરી, પુસ્તક ૨, અંક ૧-૨, પૃષ્ઠ ૧૦૪થી).
૩૨. એઇ., પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૩. આ ચારેય લેખ ચાષ્ટન અને રુદ્રદામાના સંયુક્ત સત્તા અમલ દરમ્યમાનના હોવાનું સ્પષ્ટ છે, અને વર્ષ ૫૨ના છે.
૩૩. વાસુદેવ વિષ્ણુ મિરાશી, હિસ્ટરી ઍન્ડ ઇન્સ્ક્રિપ્શન્સ ઑવ ધ સાતવાહન્સ એન્ડ ધ વેસ્ટર્ન ક્ષેત્રપ્સ, મુંબઈ, ૧૯૮૧, પૃષ્ઠ ૧૫૩-૫૬; જઓઇ., વર્ષ ૨૮, નં. ૨, ૧૯૭૮, પૃષ્ઠ ૩૪થી ૩૭.
૩૪. જુઓ : આ ગ્રંથમાં પ્રકરણ ૫માં પશ્ચિમી ક્ષત્રપોની જાતિ'.
૩૫. જુઓ : આ પિરિશિષ્ટમાં પાદનોંધ ૭; ૨સેશ જમીનદાર, ઇતિહાસ સંશોધન, પ્રકરણ ૮.
For Personal & Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ છે
જૂનાગઢના શૈલલેખમાં નિર્દિષ્ટ શાતકર્ણિ ભૂમિકા
જૂનાગઢની ભાગોળે ગિરનાર પર્વત તરફ જવાના માર્ગની જમણે અશોકના લેખવાળા શૈલની પશ્ચિમ બાજુ ઉપર ક્ષત્રપ શાસક રુદ્રદામાનું લખાણ ઉત્કીર્ણ થયેલું છે, જેમાં તેણે દક્ષિણાપથના સ્વામી એવા શાતકર્ણિને બે વખત હરાવ્યો છતાં નજીકના સંબંધને કારણે છોડી મૂક્યો” એવો નિર્દેશ છે. દક્ષિણાપથનો આ શાતકર્ણિ તે સાતવાહન વંશનો કોઈ રાજા હોવાનું તો સ્પષ્ટ છે. સવાલ એટલો જ કે શાતકર્ણિ તે સાતવાહન વંશના શાતકર્ણિ નામ ધરાવતા રાજાઓમાંથી કયો શાતકર્ણિ ?"
પ્રસ્તુત શૈલખંડલેખ શક વર્ષ ૭ર (ઈસ્વી ૧૫૦)નો છે અને તે ચાખનના પૌત્ર રુદ્રદામાનો છે. તોલમાપ (Ptolemy) નોંધે છે કે પુળમાવિ નામનો સાતવાહન રાજા ચાનનો સમકાલીન હતો. વળી ચાખન-રુદ્રદામાના સંયુક્ત નામે આંધૌમાંથી યષ્ટિલેખો પ્રાપ્ત થયા છે. આથી શૈલલેખોમાંનો શાતકર્ણિ અને ચાટનનો સમકાલીન પુલુમાવિ એ બંને એક જ વ્યક્તિ કે ભિન્ન; તેમ જ કહેરીના એક લેખમાં વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિની પત્ની પોતાને કાર્દમક કુળના મહાક્ષત્રપ રાજા રુદ્ર(દામા)ની પુત્રી તરીકે ઓળખાવે છે, તો વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિ તે ચાષ્ટનનો સમકાલીન પુલુમાવિ કે શૈલલેખમાં ઉલ્લખિત શાતકર્ણિ છે કે પછી કોઈ ભિન્ન વ્યક્તિ છે એ મુદ્દો અહીં તપાસાધીન જણાય છે. ચતુરાન શાતકર્ણિ ?
ભગવાનલાલ ઇંદ્રજીના મતે શૈલલેખવાળો શાતકણિ એ યજ્ઞશ્રી શાતકર્ણિ હોવો જોઈએ. તેમના જણાવ્યા મુજબ નાનાઘાટના લેખવાળા વાસિષ્ઠીપુત્ર ચતુરપન શાતકર્ણિ એ સોપારામાંથી ઉપલબ્ધ યજ્ઞશ્રી શાતકર્ણિના સિક્કામાંનો ચતુરપન છે કે ચતુરપન એ યજ્ઞશ્રી શાતકર્ણિના પિતા છે. પુલુમાવિ પછી ચતુરપન ગાદીએ બેસે છે. જો તોલમાપના સૂચન પ્રમાણે પુલુમાવિ ચાષ્ટનનો સમકાલીન હોય તો યજ્ઞશ્રી શાતકર્ણિ રુદ્રદામાનો સમકાલીન હોવાનું સંભવે; કેમ કે જેમ રુદ્રદામાં ચાષ્ટનનો બીજો વારસદાર છે તેમ યજ્ઞશ્રી શાતકર્ણિ પુળમાવિનો બીજો વારસદાર છે.
બૂહ્નરના મતાનુસાર કાં તો ચતુરાન કે કાં તો યજ્ઞશ્રી શાતકર્ણિ જૂનાગઢ શૈલલેખમાંનો શાતકર્ણિ હોય. તેઓ ચતુરપનને પુલુમાવિનો સીધો વારસદાર કે અનુગામી ગણતા નથી, પણ ઉભયના શાસન વચ્ચે અકસેન રાજા હોવાનું જણાવે છે. ચતુરપન અને પુળમાવિ બંનેને તેમના લેખમાં શાતકર્ણિ તરીકે ઓળખાવ્યા છે અને તેથી બૂહ્નર આ પ્રકારનું મંતવ્ય પ્રેષિત કરે છે. યજ્ઞશ્રી શાતકર્ણિ ?
રામકૃષ્ણ ભાંડારકર યજ્ઞશ્રી શાતકણિને ગિરિલેખોમાંના શાતકર્ણિ તરીકે ઓળખાવે છે; પરંતુ તેઓ ભગવાનલાલથી ભિન્ન પ્રકારનું અર્થઘટન સોપારાના સિક્કા ઉપરના લખાણને
For Personal & Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ છ
૧૫૫
અભિવ્યક્ત કરીને ચતુરાનને કહેરી લેખમાંના રુદ્રદામાના જમાઈ તરીકે ઓળખાવે છે. જમાઈ તરીકે તે રુદ્રદામાનો ખૂબ જ નજીકનો સંબંધી ગણાય, જયારે તેના પિતા યજ્ઞશ્રી રુદ્રદામાના વેવાઈ તરીકે ‘દૂરના નહીં તેવા સગા” ગણાય. અને તેથી ભાંડારકરના મત મુજબ યજ્ઞશ્રી શાતકર્ણિ એ શૈલલેખમાં ઉલ્લિખિત શાતકર્ણિ હોઈ શકે. પુળમાવિ શાતકર્ણિ ?
રેસન કહેરી લેખમાંનો વાસિષ્ઠીપુત્ર શ્રી શાતકર્ણિ એ જ પળમાવિ રજો છે એમ દર્શાવી ગિરનાર શૈલલેખમાંનો શાતકર્ણિ એ પુલુમાવિ શાતકર્ણિ હોવાનો મત અભિવ્યક્ત કરે છે. દે.રા.ભાંડારકર ગૌતમીપુત્ર શાતકર્ણિ અને વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ બંને સહરાજયકર્તાઓ હતા એમ ભારપૂર્વક જણાવે છે; અને શૈલલેખમાં ઉલ્લિખિત શાતકર્ષિ એ ગૌતમીપુત્ર શાતકર્ણિ હોવાનું મંતવ્ય વ્યક્ત કરે છે. વળી તેઓ વાસિષ્ઠી પુત્ર શાતકર્ણિને વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ સાથે સરખાવી તેને ગૌતમીપુત્ર શાતકર્ણિના પુત્ર તરીકે અને રુદ્રદામાના જમાઈ તરીકે ઓળખાવે છે".
ઉપર્યુક્ત પાંચ અભિપ્રાયો હવે ચકાસીએ. ભગવાનલાલ, બૂહ્નર અને રામકૃષ્ણ ભાંડારકરનાં સૂચનોથી ફલિત થાય છે કે જૂનાગઢના શૈલલેખમાંનો પ્રશ્નાર્થ શાતકર્ણિ એ પુળમાવિનો અનુગામી હોઈ શકે, પુરોગામી નહીં. ગૌતમીપુત્ર શાતકર્ણિ અને વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના શિલાલેખોમાંનાં ઉલ્લિખિત રાજયકાલનાં વર્ષોને ધ્યાનમાં રાખતાં ઉભયનો એકંદર રાજયઅમલ ૪૮ વર્ષ જેટલો દીર્ધ ગણાય. આભિલેખિક અવલોકન
હવે નહપાનના સમયના લેખમાંનું છેલ્લું જ્ઞાત વર્ષ શક ૪૬ ગૌતમીપુત્ર શાતકર્ણિના રાજયકાલના વર્ષ ૧૮ બરોબર ગણાય. એવું જો સ્વીકારીએ તો ક્ષહરાત વંશના અંત પછી પણ ઉભયનું રાજય ત્રીસ વર્ષ સુધી ચાલુ રહેલું હોવું જોઈએ. ચાખન-રુદ્રદામાના આંધૌના યષ્ટિલેખોથી તો એ બાબત સ્પષ્ટ થાય છે કે વર્ષ પ૨માં તો ક્ષત્રપોની સત્તા કચ્છ ઉપર હતી તેમ જ તોલમાયની નોંધથી ઉજ્જન એમની રાજધાની હોવાનું દર્શાવાયું છે. આથી એવું ફલિત થાય છે કે નહપાનને હરાવી ગૌતમીપુત્રે ક્ષહરાત ક્ષત્રપોના જે પ્રદેશ જીતી લીધા હતા તેમાંના ઉત્તરી પ્રદેશ થોડા વખતમાં જ તેની પાસેથી કાર્દમક વંશના ચાન્ટન-રુદ્રદામાએ પાછા મેળવ્યા હોવાની બાબત ધ્યાનાર્હ છે. નહપાનના જમાઈ ઉષવદાત્ત, વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ અને રુદ્રદામાના ગિરિલેખમાં ઉલિખિત વિસ્તારોના સરવાળા બાદબાકી કરવાથી પણ આ બાબત સ્પષ્ટ થાય છે. વળી કહેરી લેખમાંનો વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિ એ વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ હોવાનો મત ઘણા વિદ્વાનોનો છે; કેમ કે કાર્લે અને નાસિકના ચાર ગુફાલેખો વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના છે; તો કહેરીનો લેખ, જે વાસિષ્ઠીપુત્ર શાતકર્ષિનો છે તે પણ, તેનો જ હોવાનું સંભવે છે.
પ્રસ્તુત અવલોકનથી સૂચિત થાય છે કે પ્રશ્નાર્થ શાતકર્ણિ એ પુલુમાવિનો અનુગામી કોઈ પણ સંજોગોમાં સંભવી શકે નહીં. તો પછી શૈલલેખમાંનો શાતકર્ણિ તે પુલુમાવિ પોતે કે એનો પુરોગામી રાજા તે અન્વેષણાપેક્ષિત છે. ગૌતમીપુત્ર શાતકર્ણિ હોઈ શકે
કહેરી લેખમાંનો વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિ એ જ ગૌતમીપુત્ર શાતકર્ણિનો પુત્ર વાસિષ્ઠીપુત્ર
For Personal & Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
૧૫૬
પુછુમાવિ છે એવો રેપ્સનનો મત સ્વીકાર્ય બનતો નથી; કેમ કે રુદ્રદામાએ જે શાતકર્ણિને બે વાર હરાવ્યો તે તેનો દૂરનો સગો ન હતો. સંબંધાવિ પૂરતયા આ શબ્દ-સમાસ અહીં ધ્યાનાર્હ છે. વાસિષ્ઠીપુત્ર પુછુમાવિ તો રુદ્રદામાના જમાઈ તરીકે અતિ નજીકનો સગો ગણાય તે આપણે અવલોક્યું; જ્યારે દૂરના નહીં એવા નજીકના સગા તરીકે તો જમાઈના પિતા ગૌતમીપુત્ર શાતકર્ણ ગણાવી શકાય.
દે.રા.ભાંડારકરનું સૂચન વધારે સ્વીકાર્ય જણાય છે. પણ તે કાજે સહરાજ્યામલની તેમની દલીલ શિથિલ ભાસે છે; કેમ કે પુછુમાવિ એ ચાષ્ટનનો સમકાલીન છે. આથી સ્પષ્ટ થાય છે કે ગૌતમીપુત્ર શાતકર્ણિ વિદ્યમાન નથી, અને તેથી ગાદી ઉપર તેનો પુત્ર પુછુમાવિ છે.
આથી, સ્પષ્ટતઃ અનુમિત થાય છે કે મહાક્ષત્રપ રુદ્રદામાના જૂનાગઢસ્થિત અશોકશૈલથી ઓળખાતા ખડક ઉપર ઉત્કીર્ણ લખાણમાં નિર્દિષ્ટ અને દૂરના નહીં એવા સગપણને કારણે સીધી લડાઈમાં બે વાર હરાવ્યા છતાં જીવિત જવા દીધો તે શાતકર્ણિ બીજો કોઈ નહીં પણ ગૌતમીપુત્ર શાતકર્ણ અર્થાત્ વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ (શાતકર્ણિ)નો પુરોગામી સાતવાહન રાજા હોઈ શકે.
પાદનોંધ
૧. સાતવાહનોની વંશાવળી વાસ્તે જુઓ અજય મિત્ર શાસ્ત્રીકૃત ધ સાતવાહન્સ ઍન્ડ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ, માં પરિશિષ્ટ ૩, પૃષ્ઠ ૧૩૧. આઠ શાતકર્ણ આ મુજબ છે : શાતકર્ણિ, ગૌતમીપુત્ર શાતકર્ણિ, વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિ, વાસિષ્ઠીપુત્ર સ્કંદ શાતકર્ણિ, ગૌતમીપુત્ર યજ્ઞ શાતકર્ણ, ગૌતમીપુત્ર વિજય શાતકર્ણિ, વાસિષ્ઠીપુત્ર ચણ્ડ શાતકર્ણ અને વાસિષ્ઠીપુત્ર વિજય શાતકર્ણિ
૨. બાઁગે., પુસ્તક ૧, ભાગ ૧, પૃષ્ઠ ૩૮; અજયમિત્ર શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૭૩-૭૪.
૩. ઇએ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૨૭૩; અજયમિત્ર શાસ્ત્રી, એજન, પૃષ્ઠ ૭૪.
૪. અહિડે., પૃષ્ઠ ૨૩ અને ૨૭.
૫. કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૪૬.
૬. જબૉબ્રારાઁએસો., ૧૯૧૪, પુસ્તક ૧૩, પૃષ્ઠ ૬૬થી ૭૩.
૭. અજયમિત્ર શાસ્ત્રી એમના છેલ્લા ગ્રંથ (પાદનોંધ ૧ મુજબ)માં સ્પષ્ટ જણાવે છે કે જૂનાગઢના શૈલલેખોમાં નિર્દિષ્ટ શાતકર્ણિ તે વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિ છે અને જે એની અનામી પત્નીના કણ્ડેરીના શિલાલેખમાં જણાવ્યા મુજબ તે રુદ્ર(દામા)નો જમાઈ હતો (પૃષ્ઠ ૭૪ અને ૧૫૭). પણ શાસ્ત્રીનો આ મત એટલાં માટે સ્વીકાર્ય જણાતો નથી કેમ કે વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિનો રાજ્યકાળ એમના જ જણાવ્યા મુજબ ઈસ્વી ૧૧૯થી ૧૪૭નો હતો (પૃષ્ઠ ૧૩૧, વંશાવળી). જ્યારે રુદ્રદામાનો ગિરનાર શૈલલેખ શક વર્ષ ૭૨ એટલે કે ઈસ્વી ૧૫૦નો છે, જે સમયે વાસિષ્ઠીપુત્ર શાતકણિ જીવિત ન હતો; બલકે તેના અવસાનને ત્રણ વર્ષ થઈ ગયાં હતાં.
બીજું, ગૌતમીપુત્ર શાતકર્ણિએ આશરે ૨૪ વર્ષ રાજ્ય કર્યું હતું. એના શિલાલેખોમાં ક્યાંય ક્ષહરાત ક્ષત્રપોના પરાજયની વાત નથી. આથી આ ઘટના તે પછી બની હોવી જોઈએ. સંભવ છે ગૌતમીપુત્ર શાતકર્ણિ એના રાજ્ય-અમલનાં છેલ્લાં વર્ષોમાં કેટલોક પ્રદેશ ગુમાવી બેઠો હોય. તો તેના મૃત્યુ પછી વાસિષ્ઠીપુત્ર તેનાં પરાક્રમોનું વર્ણન કરે ખરો ? આથી એવું અનુમાન થઈ શકે કે ગૌતમીપુત્રે જીતેલા પ્રદેશો એના મૃત્યુ પછી એના વારસદારો એના પરાક્રમોની યશોગાથા વર્ણવે એ અસંભવિત નથી.
For Personal & Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ સાત
ગિરિનગરના શૈલલેખોનું સાંસ્કૃતિક મહત્ત્વ
ભૂમિકા
અશોકના ધર્મલેખોના નામથી વિખ્યાત એક અજોડ આભિલેખિક જ્ઞાપક જૂનાગઢમાં અસ્તિત્વ ધરાવે છે. જૂનાગઢનું પૂર્વનામ ગિરિનગર હતું. ગિરિનગરથી ઉજ્જયન્ત (ગિરનાર) જવાના માર્ગ ઉપર એક મહાકાય શૈલ દૃષ્ટિગત થાય છે. આ શૈલ(ખડકો ઉપર ત્રણ ભિન્ન ભિન્ન રાજવંશના ત્રણ રાજાના સમયના ત્રણ લેખ ઉત્કીર્ણ થયેલા છે. આ શૈલના પૂર્વભાગે મૌર્ય સમ્રાટ અશોકના ચૌદ ધર્મલેખો કોતરેલા છે, તો પશ્ચિમ બાજુએ ચાખનવંશીય રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ ઉત્કીર્ણ છે અને ઉત્તર બાજુ ઉપર ગુપ્ત રાજવી સ્કંદગુપ્તનો લેખ છે'. આમ આ એક જ શૈલ ઉપર ત્રણ લેખો એક સાથે કોતરેલા જોવા પ્રાપ્ત થાય છે. ગિરિનગરનો આ અભૂતપૂર્વ દસ્તાવેજ “અશોકના શૈલલેખ'થી સુખ્યાત છે કેમ કે ત્રણેયમાં તેનો લેખ પૂર્વકાલીન છે. આમ, ઈસ્વીપૂર્વ ત્રીજી સદીથી ઈસ્વીસનની પાંચમી સદી સુધીના આઠ સૈકા જેટલા લાંબા કાળના ત્રણ જુદા જુદા તબક્કાને લગતી કેટલીક ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનો પરિચય આ લેખત્રયીથી પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુત શૈલખંડ અસલમાં સુદર્શન સરોવરની પાળે હતો, પરંતુ વર્ષોથી આ સરોવરની હસ્તી નથી. અત્યારે તો આ શૈલ વર્તમાન ઇમારતથી સુરક્ષિત છે. જો કે શેલયુક્ત ઇમારત વૃક્ષાદિથી સંલગ્નિત હોઈ સરોવર શૈલખંડની કઈ દિશામાં હતો તે બાબતે વિભિન્ન મંતવ્યો રજૂ થતાં રહ્યાં છે. સાઠના દાયકામાં એનું પુનઃ અન્વેષણ હાથ ધરીને ડૉ.રમણલાલ નાગરજી મહેતાએ સુદર્શન સરોવરનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. શૈલલેખોનો હેતુ
મૌર્ય સામ્રાજ્યના સ્થાપક અને આપણા દેશના ઐતિહાસિક યુગના સહુ પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્તના અમલ દરમ્યાન આપણા રાજયનો (ગુજરાત પ્રાંતનો) સૂબો વૈશ્ય પુષ્યગુપ્ત હતો. તેણે ઊર્જયન્તમાંથી વહેતી નદીઓનાં પાણીને નાથવા સેતુ બાંધી સુર્શન સરોવરની રચના કરી. તે પછી અશોક મૌર્યના શાસનસમયે એના રાષ્ટ્રીય (સૂબા) યવનરાજ" તુષાર્કે આ સરોવરમાંથી નહેરો ખોદાવી અને એની સ્મૃતિરૂપે અશોકે આ શૈલ ઉપર ચૌદ ધર્મલેખો કોતરાવ્યા હતા. ઈસ્વીસનની બીજી સદીમાં પશ્ચિમી ક્ષત્રપ સમ્રાટ રુદ્રદામાના સત્તાકાળ દરમ્યાન નદીઓમાં આવેલા ભારે પૂરને કારણે સરોવરની પાળમાં મોટું ગાબડું (ભંગાણ) પડ્યું ત્યારે એના અમાત્ય સુવિશાખ પલ્હવે તૂટેલી સરોવરની પાળનું સમારકામ કરાવ્યું હતું. આની માહિતી પ્રસ્તુત શૈલની બીજી બાજુ ઉપર ઐતિહાસિક દસ્તાવેજ રૂપે કંડારાવીને પૂરી પાડી છે. પાંચમી સદીમાં ગુપ્ત નરેશ સ્કંદગુપ્તના સમયમાં પુનશ્ચ સરોવરની પાળને નુકસાન થયું ત્યારે એના ગોપ્તા (સૂબા)
For Personal & Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ક્ષત્રપકાલીન ગુજરાત
પર્ણદત્તે પુત્ર ચક્રપાલિતના સહકારથી એનું સમારકામ કરાવ્યું અને એના સમારકરૂપે આ જ શૈલની ત્રીજી બાજુ ઉપર સ્કંદગુપ્તના નામે લેખ કોતરાવ્યો હતો અને સરોવરની પાળે વિષ્ણુનું ઉત્તુંગ મંદિર બંધાવ્યું હતું. આભિલેખિક મહત્ત્વ
આપણા દેશના પૂર્વકાલીન અભિલેખોમાં પ્રસ્તુત અભિલેખનું સ્થાન અનન્ય અને અજોડ છે જ, પણ વિશ્વના પૂર્વસમયના અભિલેખીય સ્મારકોમાંય એનો જોટો જડવો મુશ્કેલ છે; કહો કે આ શૈલલેખો બેનમૂન છે. ઈરાનના હખામની વંશના સમ્રાટ મહાન દારયના (ઈસ્વી પૂર્વ છઠ્ઠી સદી) સમયના બેહિસ્તૂન પર્વત ઉપર કંડારેલા લેખો એના સામ્રાજયમાં પ્રચલિત મુખ્ય ચાર ભાષામાં ઉત્કીર્ણ છે, પરંતુ વણ્યવિષય ચારેય ભાષામાં એક જ છે. જ્યારે ગિરિનગરના આપણા શૈલ ઉપર ત્રણ જુદા જુદા રાજવંશના ત્રણ ભિન્ન સમ્રાટે સમકાલીન પ્રવૃત્તિઓના સંદર્ભમાં વિભિન્ન વિગતો કોતરાવી છે. ત્રણેય લખાણનો સંદર્ભહેતુ એક જ પણ લખાણની વિગતો અલગ અલગ. (આ પરિશિષ્ટમાં હવે પછી આ માહિતી દર્શાવી છે). આથી દારયના પર્વતલેખો કરતાં આ ગિરિનગરના શૈલલેખોનું સ્થાન અદ્વિતીય છે. દસ્તાવેજી મહત્ત્વ
આ લેખત્રયીમાં રુદ્રદામાના લેખનું ઐતિહાસિક અને દસ્તાવેજીય મહત્ત્વ અનન્ય છે. એના લેખની આઠમી અને નવમી પંક્તિમાં સુર્શન સરોવરના નિર્માણ હેતુનો ઇતિહાસ કંડારાયો છે. જો આ હકીકતો એમાં નોંધાઈ ના હોત તો અસલમાં આ સરોવર સહુ પ્રથમ કોણે તૈયાર કરાવ્યું અને એમાંથી નહેરોનું સર્જન કોણે કર્યું તે બાબત જાણી શકાઈ ન હોત; કેમ કે ચંદ્રગુપ્ત મૌર્યે સરોવરનું નિર્માણ કર્યું હોવા છતાંય એણે તે અંગે ક્યાંય કોઈ માહિતી દર્શક લેખ કંડાર્યો હોય એવું જાણમાં નથી. અશોકે એમાંથી પ્રથમ વખત નહેરો ખોદાવી અને સરોવરતટ ઉપર સ્થિત શૈલખંડ ઉપર લખાણ કોતરાવ્યું તો ખરું પણ એમાં સરોવર અને નહેર વિશે કોઈ ઉલ્લેખ નથી. એમાં તો એણે નીતિ-વચનો કોતરાવ્યાં છે. આથી, લગભગ સાડા ચાર સૈકા પર્યત સુધી અજ્ઞાત રહેલી આ બે ઐતિહાસિક માહિતી-હકીકતો માત્ર રુદ્રદામાના લેખમાંથી જ હાથવગી થઈ શકી છે. મૌર્ય સામ્રાજયના સમકાલીન કે અનુકાલીન કે ક્ષત્રપકાલીન સાહિત્યમાંય આ વિગતો ક્યાંય નોંધાઈ નથી. પરંતુ રુદ્રદામાએ એ હકીકતો દર્શાવીને પુરવાર કર્યું કે દફતરવિજ્ઞાન કે અભિલેખવિજ્ઞાનથી આપણો દેશ ત્યારેય અજાણ ન હતો. આવી કોઈ શાસ્ત્રીય પ્રથા પૂર્વકાળમાં વિદ્યમાન હતી તે રુદ્રદામાના લેખથી સાબિત થાય છે. નહીં તો સાડા ચાર સૈકા પૂર્વેની ઘટનાઓ રુદ્રદામાએ નોંધી ન હોત. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર' નામના ગ્રંથમાં અપન્નાધ્યક્ષ નામના પ્રકરણમાં આ વિષયની સાધકબાધક પણ વૈજ્ઞાનિક ચર્ચા કરી છે. આથી સુસ્પષ્ટ થાય છે કે ક્ષત્રપકાળ પૂર્વેના લગભગ ચાર શતક પહેલાંના બનાવોને સ્પર્શતી વિગતવાર માહિતી નોંધવાની ત્યારે અને તે પૂર્વે કોઈ ચોક્કસ વ્યવસ્થાતંત્ર અસ્તિત્વ ધરાવતું હતું એ ચોક્કસ. વહીવટીય માહિતી
રુદ્રદામા અને સ્કંદગુપ્તના લેખોમાંથી વહીવટને દર્શાવતી કેટલીક સામગ્રી પ્રાપ્ત થાય
For Personal & Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ સાત
૧૫૯
છે. ચંદ્રગુપ્ત, અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્તના ગુજરાત પ્રાંતના સૂબાઓનાં નામ, એમની જાતિ અને એમણે કરેલાં કાર્યની વિગતો આપણે જાણી શક્યા છીએ. મૌર્યકાળમાં સૂબાઓ માટે રાષ્ટ્રીય શબ્દ પ્રચલિત હતો. ક્ષત્રપકાળમાં અમાત્ય શબ્દ અને ગુપ્તકાલમાં ગોતા શબ્દનું ચલણ હતું. વળી આ ત્રણેય રાજવંશ દરમ્યાન ગુજરાતનું અલગ પ્રાંત તરીકે વિશિષ્ટ સ્થાન હતું. આ અંગેની જાણકારી સરોવરનું નિર્માણકાર્ય, એમાંથી સંલગ્નિત થયેલી નહેરો, ગ્રીસ અને ઈરાનના વહીવટી અનુભવવાળા અધિકારીઓની સૂબા તરીકે નિયુક્તિ વગેરે ઉપરથી હાથવગી થાય છે. ઉપરાંત આ ત્રણેય સત્તાકાળ દરમ્યાન સામ્રાજયને પ્રાંતોમાં વિભાજિત કરવાની પ્રથાનો ખ્યાલ આવે છે. રુદ્રદામાના લેખમાંથી તો સૂબાને વહીવટમાં મદદ કરનાર તિસવવ અને “વિવ પ્રકારના અધિકારીઓ તહેનાતમાં હોવાની જાણકારી થાય છે. સરોવર સંસ્કૃતિ
આપણે એથી જ્ઞાત છીએ કે વિશ્વસમસ્તની સંસ્કૃતિઓ નદીતટે વિકાસ પામી છે. અને આપણા દેશની સંસ્કૃતિ પણ એમાં અપવાદરૂપ નથી એટલે કે આપણા રાષ્ટ્રની સંસ્કૃતિનાં પ્રથમ પગરણ સરસ્વતી-સિંધુના કિનારે થયાં હતાં. પરંતુ ગુજરાતમાંથી પ્રાપ્ત હડપ્પીય સંસ્કૃતિનાં મુખ્ય કેન્દ્રોનાં પુરાવસ્તુકીય અન્વેષણોના અહેવાલથી પુરવાર થાય છે કે ગુર્જર સંસ્કૃતિને સરોવરતટની સંસ્કૃતિ તરીકે ખસૂસ ઓળખાવી શકાય. ગિરિનગરનું સુદર્શન સરોવર દેશના ઐતિહાસિકયુગનું પૂર્વકાલીનતમ સરોવર હોવાનું કહી શકાય. પરંતુ પ્રાગૈતિહાસિક યુગમાંય ગુજરાતે બે મહાન સરોવરના અવશેષો આપણને સંપડાવી આપ્યા છે લોથલ અને ધોળાવીરાનાં ઉત્પનનકાર્યએ. આથી તો વિશેષ સ્પષ્ટ થાય છે કે ગુર્જર સંસ્કૃતિ પ્રારંભથી સરોવરતટની સંસ્કૃતિ રહી છે. આમ, ગુજરાતની સરોવરીય સંસ્કૃતિઓનો પ્રારંભ ધોળાવીરાના સરોવરથી થયો અને લોથલના સરોવરે તે પ્રથા આગળ વધારી અને તત્પશ્ચાત સુર્શન સરોવરમાં તેનો અભ્યદય થયેલો જોઈ શકાય છે અને એની પરાકાષ્ઠા સદના સરોવરમાં વર્તાય છે. ગુજરાતના ઇતિહાસનું અવલોકન કરતાં સ્પષ્ટ થાય છે કે સમયે સમયે માનવકૃત સરોવરો એની સાક્ષી પુરે છે૧૧. આમ, ધોળાવીરાના સરોવરથી શરૂ થયેલી આ પરંપરા સુદર્શનમાં વિક્સી અને સહસ્ત્રલિંગમાં પૂર્ણતાએ પહોંચી એમ કહી શકાય. આર્થિક અભ્યદય
આ શૈલખંડ ઉપરનાં ત્રણેય લખાણ જે નિમિત્તે કંડારાયેલાં છે તે આર્થિક અભ્યદયના અભિગમને આગવી રીતે અભિવ્યક્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ લેખો આપણા દેશના અર્થતંત્રની કેટલીક લાક્ષણિક્તાની બુનિયાદને આપણી પ્રત્યક્ષ કરે છે. આથી સવિશેષ મહત્ત્વની બાબત એ સ્પષ્ટ થાય છે કે આપણા દેશના ઘણા વિસ્તારોમાં ખેતીનો વિકાસ વરસાદ આધારિત નથી એટલે આપણી ખેતી આકાશિયા ખેતી નથી પણ સિંચાઈ પ્રધાન ખેતી છે. અને સુદર્શન સરોવરનું સર્જન આ જ હેતુસર થયેલું છે એ હકીકત છે. માત્ર સરોવરનું નિર્માણ કરીને રાજયકર્તાઓને સંતોષ થયો નથી, પણ તેમાંથી નહેરો ખોદાવી, પૂર-પ્રપાતને કારણે સરોવરપાળને અને નહેરોને નુકસાન થયું ત્યારે એનું ત્વરિત સમારકામ પ્રજા પાસે વેઠ કરાવ્યા વિના કે વધુ કરની માગણી વિના આ કાર્ય સંપન્ન કર્યું એ એમના પ્રજાકલ્યાણી અભિગમનું
For Personal & Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ક્ષત્રપકાલીન ગુજરાત ઘાતક છે. બીજું વિશેષ મહત્ત્વનું પરિબળ એ જાણવા મળે છે કે આપણા દેશના અર્થતંત્રનું મુખ્ય પીઠબળ ખેતી છે. ત્રીજી માહિતી એ પ્રાપ્ત થાય છે કે ખેતીનો વિકાસ અને તે વાસ્તે જરૂરી સગવડો પ્રસ્થાપી આપવી એ રાજ્યનું કર્તવ્ય છે. ચંદ્રગુપ્ત, અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત રાજા આ અંગે સભાન, સક્રિય અને સહકારી વલણવાળા હતા. તેથી જ અર્થતંત્રને ખેતીના વિકાસ દ્વારા મજબૂત કરવા ચંદ્રગુપ્ત સુદર્શન સરોવર બંધાયું, અશોકે એમાંથી નહેરો તૈયાર કરાવી, નદીઓમાં આવેલા પૂરથી સરોવર અને નહેરોને થયેલા નુકસાનનું સમારકામ રુદ્રદામાએ સેતુને ત્રણ ગણો પહોળો બનાવ્યો તો સ્કંદગુપ્ત સુર્વ બનેલા સરોવરને પુનઃ પૂર્ણ અને શાશ્વત્થાન બનાવ્યું. ધર્મ સંબંધિત માહિતી
અશોકના શૈલલેખનો એક માત્ર ઉદ્દેશ સરોવરમાંથી સિંચાઈ કાજે નહેરો તૈયાર કરાવવાનો હતો, છતાંય એના લખાણમાં એ વિશે ક્યાંય કશો ઉલ્લેખ નથી. હકીકતે, પ્રજાના નૈતિક જીવનને સુદઢ બનાવવાનો અશોકનો બુનિયાદી ખ્યાલ હતો, જે બાબતે એના ચૌદ ધર્મલેખોથી સુસ્પષ્ટ વર્તાય છે. બૌદ્ધધર્મને એણે રાજયાશ્રય આપ્યો તેમ જ એના વિકાસાર્થે અનેક પ્રયાસો કર્યા છતાંય એનાં લખાણમાં ક્યાંય સીધો નિર્દેશ આ અંગે નથી. આ લેખોનો મુખ્ય સૂર આ છે : અહિંસા, સર્વધર્મસમભાવ, ધર્મદાન અને પ્રાણીમાત્રનું કલ્યાણ. આપણી સંસ્કારિક પરંપરામાં ઔદાર્યનું જે અનુસ્મૃત લક્ષણ છે તેનું હૂબહૂ પ્રતિબિંબ અશોકના લેખોમાં દશ્યમાન થાય છે.
રુદ્રદામાના લેખોમાં ગાયો અને બ્રાહ્મણોને દાન આપી, ધર્મ અને કીર્તિની વૃદ્ધિ કરવાનો ઉપદેશ આપ્યો છે. આથી સમકાલીન લોકોની શ્રદ્ધાળુતાનો અને એમનામાં રહેલી પૂર્તકાર્યદાનધર્મની દૃષ્ટિનો પાર પમાય છે.
સ્કંદગુપ્તના લેખમાંથી વૈષ્ણવ સંપ્રદાયના ત્યારે થયેલા પ્રચારનો ખ્યાલ આવે છે. અતિવૃષ્ટિથી નુકસાન પામેલા સેતુને સમરાવી ગિરિનગરના અધ્યક્ષ ચક્રપાલિકે સુદર્શન સરોવરના કાંઠે ચક્રધર(વિષ્ણ)નું ઉત્તુંગ મંદિર બંધાવેલું. જો કે આ મંદિર પૂર્ણતયા કે એના અવશિષ્ટ ભાગો અદ્યાપિ હાથવગા થયા નથી. પરંતુ ગુપ્તકાલ દરમ્યાન ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાયનું વિશેષ મહત્ત્વ હોવાનું અનુમાન અવશ્ય થઈ શકે; નહીં તો સરોવરતટે વિશાળકાય વિષ્ણુ મંદિર તૈયાર થયું ના હોત.
વળી, ધર્મ એટલે પૂજાપાઠ, કર્મકાંડ, ઉપવાસ, અર્ચન-યજ્ઞ-ધ્યાન નહીં પણ ધર્મ એટલે પ્રાણીમાત્રની સેવા એવો પારદર્શક અભિગમ અશોકના લેખોથી અભિવ્યક્ત થાય છે. આ કારણે અશોક અહિંસાનો મુદ્દો પ્રચારી પ્રાણી હિંસાની મના ફરમાવે છે. તો વાંસોવાંસ માનવો અને પ્રાણીઓ ઉભય માટે તે ચિકિત્સાલયો સ્થાપે છે. આમ, ધર્મની અત્યંત ઉદાર છતાં સાચી વ્યાખ્યાનો ભાવ સંપ્રાપ્ત થાય છે. લિપિવિકાસ
આ ત્રણેય લેખો એક જ લિપિમાં કોતરેલા છે અને તે છે બ્રાહ્મી લિપિ. આ લિપિ
For Personal & Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ સાત
૧૬૧
આપણા દેશની પૂર્વકાલીનતમ લિપિ છે અને આપણા રાષ્ટ્રની વર્તમાન લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી ઉદ્ભવી છે.
અશોકના લેખમાંના અક્ષરોમાં સામાન્યતઃ આડી અને ઊભી પણ સીધી રેખાઓનો ઉપયોગ થયો છે. અક્ષરોનું કદ મોટું અને ક્યાંય વળાંક જોવા મળતો નથી. રુદ્રદામાના લેખમાં અક્ષરોનું કદ થોડું નાનું થયું છે અને મરોડમાં સ્પષ્ટ વિકાસ દેખાય છે. અર્થાત્ આ અક્ષરો મરોડદાર થયા છે અને જરૂરી વળાંક બધે જ દેખાય છે. એટલે કે અશોકના સમયની સીધી રેખાવાળા મોડમાં વળાંક જોવા મળે છે. અક્ષરોનાં માથે બિંદુ સ્વરૂપે શિરોરેખા બંધાવા લાગી છે. સ્કંદગુપ્તના લેખોમાંના અક્ષરોના મરોડમાં અગાઉ કરતાં વળાંકનું પ્રમાણ વધ્યું છે અને કદ વિશેષ નાનું થયું છે. વધારે વળાંકને કા૨ણે સ્કંદગુપ્તના લેખમાંના અક્ષરો સુંદર મોડયુક્ત અને મનોહર જણાય છે.
આમ, બ્રાહ્મી લિપિના, લગભગ આઠ શતક દરમ્યાન થયેલા ક્રમિક વિકાસને સમજવા માટેનો આ પૂર્વકાલીનતમ અજોડ નમૂનો છે.
ભાષાની માહિતી
અશોકના ચૌદ ધર્મલેખો એના સામ્રાજ્યની પ્રચલિત રાજભાષા પ્રાલિમાં છે અને ગદ્યમાં છે. રુદ્રદામાનો લેખ સંસ્કૃત ભાષામાં અને ગદ્યમાં છે. શુદ્ધ અને શિષ્ટ સંસ્કૃત ગદ્ય શૈલીનો આ ઉત્તમ અને પૂર્વકાલીન આભિલેખિક પુરાવો છે. જો કે આ લેખના રચનાકારનું નામ જાણવા મળતું નથી. આખોય લેખ ગદ્યમાં હોવા છતાંય કાવ્યપદ્ધતિએ લખાયો છે. આમ, આ લેખ આલંકારિક સંસ્કૃત ગદ્યનો ઉપલબ્ધ નમૂનાઓમાંનો એક વિશિષ્ટ નમૂનો છે. આ લેખમાં અલંકારનું બાહુલ્ય ધ્યાનાર્હ છે તેમ જ સમાસયુક્ત શબ્દોનું પ્રમાણ સવિશેષ છે.. સ્કંદગુપ્તનો લેખ સંસ્કૃતમાં અને પદ્યમાં છે. આખો લેખ ચોત્રીસ શ્લોકનું સુંદર અને ભાવવાહી કાવ્ય છે. સામાન્ય રીતે કોઈ પણ સાહિત્યની શરૂઆત એના આરંભકાળે મહદંશે પદ્યમાં થાય છે; છતાં અશોક અને રુદ્રદામાના લેખો ગદ્યમાં છે, જ્યારે અનુકાલીન સ્કંદગુપ્તનો લેખ પદ્યમાં છે એ બાબત ધ્યાનાર્હ છે.
શિક્ષણનો વિકાસ
અશોક અને સ્કંદગુપ્તનાં લખાણોમાં આ બાબતે કોઈ નિર્દેશ નથી. રુદ્રદામાના લેખમાં એનો રાજકવિ રુદ્રદામાનું ચરિત્ર નિરૂપતાં એણે પ્રાપ્ત કરેલી વિદ્યાઓનો ઉલ્લેખ કરે છે જે ઉપરથી તત્કાલીન ગુજરાતના શિક્ષણમાં વિદ્યમાન કેટલીક વિદ્યાઓનો અને શિક્ષણપદ્ધતિનો ખ્યાલ મળી રહે છે. આ લેખમાં શબ્દવિદ્યા, અર્થવિદ્યા, ગાંધર્વવિદ્યા, ન્યાયવિદ્યા જેવી મહાવિદ્યાઓનો ઉલ્લેખ છે. ઉપરાંત યુદ્ધવિદ્યાનો નિર્દેશ છે. વળી શિક્ષણની પદ્ધતિના ચાર તબક્કાઓ- પારણ, ઘારણ, વિજ્ઞાન અને પ્રયોગ વિશેની માહિતી હાથવગી થાય જ છે૧૭. લોકકલ્યાણનો આદર્શ
આ ત્રણેય લેખ આ ત્રણેય રાજાના પ્રજાકલ્યાણ પરત્વેના આદેશની વિગતો ઉપલબ્ધ કરી
For Personal & Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ક્ષત્રપકાલીન ગુજરાત આપે છે. અશોકના હૃદયનું, કલિંગના રક્તપાત અને માનવતાની પછી, સમૂળું પરિવર્તન થયું અને પરિણામે યુદ્ધવિજયને સ્થાને ધર્મવિજય તેમ જ વિહારયાત્રાને સ્થાને ધર્મયાત્રાનો અમલ તેણે કર્યો જેમાં એના કલ્યાણપરસ્ત રાજ્યવહીવટનો પરિચય થાય છે. “સર્વ સમયે સર્વત્ર હું પ્રજાનું કામ કરું છું. કામનો નિકાલ કરતાં હું કદી ધરાતો નથી. સર્વ લોકોના હિત કરતાં કોઈ મોટું કામ નથી”. છઠ્ઠા ધર્મલેખમાંના એના આ વિચારો-વચનો એના પ્રજાકલ્યાણી અભિગમની સુરેખ અને પારદર્શક રજૂઆત કરે છે. એના બીજા ધર્મલેખોમાંથી માનવચિકિત્સા અને પશુચિકિત્સાની વ્યવસ્થા તેમ જ માર્ગોમાં કૂવાનિર્માણની પ્રવૃત્તિ, વૃક્ષારોપણની પ્રક્રિયા જેવી માહિતી અશોકના ઉદાર વ્યક્તિત્વને ઉજાગર કરે છે. રુદ્રદામાના લેખમાંથી પણ રાજાનાં કલ્યાણી કાર્યોની માહિતી મળે છે. અતિવૃષ્ટિને કારણે જયારે જળાશયનો સેતુ તૂટી ગયો અને જળાશય ખાલી થઈ ગયું ત્યારે રુદ્રદામાના અમાત્ય સુવિશાખના આગ્રહથી મહાક્ષત્રપે પ્રજા પાસેથી કોઈ પણ પ્રકારના કરવેરા લીધા વિના અને પ્રજા પાસે વેઠ કરાવ્યા વિના રાજકોષમાંથી પુષ્કળ ધન વાપરીને અલ્પ સમયમાં સેતુને સુદઢ કરાવી સરોવરને અગાઉ કરતાંય વધારે સુદ્રન બનાવ્યું. સમ્રાટ અને એના અમાત્યના આ કર્તવ્યમાં પ્રજા પ્રત્યેના પ્રેમના પ્રત્યયી દર્શન થયા વિના રહેતાં નથી.
નતિમતાજોન શબ્દોથી “લોકકાર્યમાં વિલંબ ના હોય તેવી તકેદારી કે સતર્કતાનો ભાવ દષ્ટિગોચર થાય છે. સ્કંદગુપ્તના સમયમાં પણ અતિવૃષ્ટિથી સેતુને નુકસાન થયું. પ્રજામાં ભારે હાહાકાર વ્યાપી ગયો. ત્યારે નગરાધ્યક્ષ ચક્રપાલિતે પ્રજાના હિતાર્થે પૂષ્કળ ધન ખર્ચીને બે માસમાં જ સેતુનું સમારકામ સંપન્ન કરી દીધું. અને સરોવરને શાશ્વતનિ ટકે તેવું મજબૂત બનાવ્યું. આ લેખનું નામ સુર્શન તો સંસ્કાર ગ્રંથ ના જ રાજાના પ્રજા પ્રતિના પ્રેમવિશષનો પડઘો પાડી જાય છે, જે રાજ્યનાં લોકકલ્યાણનાં કાર્યોની માહિતી આપણને પૂરી પાડે છે. પ્રાપ્ત થતી અન્ય માહિતી
| ગુજરાતની તત્કાલીન પર્યાવરણીય પરિસ્થિતિ કેવી હતી તેનો થોડાક ખ્યાલ આ લેખોથી આવે છે. ચંદ્રગુપ્ત જળાશયનું નિર્માણ કર્યું અને અશોકે નહેરોની રચના કરી આ બે બાબતો ઉપરથી આ વિસ્તારમાં વરસાદની અલ્પતા અને અનિયમિતતાનો ખ્યાલ આવી શકે છે. રુદ્રદામાના સમયમાં માગશર મહિનામાં અતિવૃષ્ટિ થઈ એ અપવાદરૂપ ઘટના પણ વરસાદની અનિયમિતતાનું દ્યોતક લક્ષણ છે.
રુદ્રદામાનો લેખ એનું પોતાનું તેમ જ એના અમાત્ય સુવિશાખનું ચરિત્રચિત્રણ કરે છે, તો સ્કંદગુપ્તનો લેખ પર્ણદત્ત અને એના પુત્ર ચક્રપાલિતના જીવનથી આપણને ઉજાગર કરે છે. આમ આ લેખો જીવનચરિત્રમાં આલેખન વાસ્તે દિશાસૂચક માર્ગદર્શન આપે છે.
રુદ્રદામાના લેખમાં પૌર (શહેરી) અને જાનપદ(ગામડું)ના ઉલ્લેખથી ત્યારે ગુજરાતમાં શહેરીજીવન અને ગ્રામજીવન વિદ્યમાન હોવાની પ્રતીતિ થાય છે.
આમ, આ એક જ શૈલ ઉપરના લેખોથી ગુજરાતના અને તે મિષે રાષ્ટ્રનાં તત્કાલીન ઇતિહાસ અને સંસ્કૃતિનાં આલેખન કરવા કાજે ઠીકઠીક સામગ્રી સંપ્રાપ્ત થાય છે. આથી સ્પષ્ટ થાય છે કે ઇતિહાસ અને સંસ્કૃતિનાં નિરૂપણમાં અભિલેખોના અભ્યાસનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે.
For Personal & Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ સાત
પાદનોંધ
૧. આ ત્રણેય લેખના સંપૂર્ણ પાઠ માટે માટે જુઓ : ગિરજાશંકર વલ્લભજી આચાર્યકૃત ગુઐલે., ભાગ ૧, નંબર ૧, ૬ અને ૧૫; દિનેશચંદ્ર સરકાર, સીઇ.,
૨. ભગવાનલાલ અને બ્યૂર્લર, ઇએ., પુસ્તક ૭, પૃષ્ઠ ૨૫૭; જમસેદજી અરદેસર, જબૉબ્રારાઁએસો., પુસ્તક ૮, પૃષ્ઠ ૪૭થી; ૨.ના.મહેતા અને પ્રિયબાળા શાહ, વાક્ (સૌરષ્ટ્ર યુનિવર્સિટીનું મુખપત્ર) પુસ્તક ૧, પૃષ્ઠ ૫૩-૫૫; ૨.ના.મહેતા, ઓઇ., પુસ્તક ૧૮, પૃષ્ઠ ૨૦થી; કે.કા.શાસ્ત્રી, સ્વાધ્યાય, પુસ્તક ૭, અંક ૧, પૃષ્ઠ ૧૨. વિશેષ ચર્ચા વાસ્તે જુઓ : ગુરાસાંઇ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૩૭ ઉપરની પાદનોંધ ૩. ૩. જુઓ સ્વાધ્યાય, પુસ્તક ૭, અંક ૧, પૃષ્ઠ ૪૯થી ૫૬.
૪. આમ તો આ સેતુ શોધવાના પ્રયાસો ૧૮૭૮થી આરંભાયા છે. છેલ્લે ૧૯૬૭-૬૮માં ૨.ના.મહેતાએ આ પ્રશ્ન પરત્વે નવેસરથી શોધ આરંભી. તદનુસાર ઉપરકોટ પાસે આ સેતુ શરૂ થતો અને ધારાગઢ દરવાજાની અંદર થઈ ખાપરા-કોડિયાની ગુફાઓ પાસે થઈ જોગણિયા ડુંગર તરફ જતો હતો અને ડુંગરના ભાગરૂપે તે સેતુને જોડી દેવાયો હતો. ડૉ. મહેતાની પુરાવસ્તુકીય તપાસને કારણે રુદ્રદામાના લેખમાં નિર્દિષ્ટ પર્વતપાવપ્રતિસ્પર્ધી સેતુ શોધી કાઢવામાં આવ્યો હતો. લેખમાં દર્શાવ્યા મુજબ આ સેતુ વૃત્તિોપણમય એટલે માટી અને પથ્થરથી નિર્માણ પામ્યો હતો. (જુઓ : ગુરાસાંઇ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૧૬-૩૧૭).
૫. આ શબ્દ સામાસિક છે જેના બે અર્થ થાય : યવન જાતિનો રાજા અને યવન પ્રદેશ ઉપર રાજ્ય કરતો રાજા. ૬. પર્ણદત્ત ગુજરાત પ્રાંતનો સૂબો હતો અને એનો પુત્ર ચક્રપાલિત ગિરિનગરનો અધ્યક્ષ (મેયર સમકક્ષ) હતો. આથી ત્યારે ગિરિનગરનું મહત્ત્વ ગુપ્ત સમ્રાટો કાજે કેટલું બધું હતું એની પ્રતીતિ થાય છે. ૭. જુઓ : રસેશ જમીનદાર, ઇતિહાસ : સંકલ્પના અને સંશોધનો, ૧૯૮૯, પ્રકરણ ૧૪ પૃષ્ઠ ૯૪થી. (દફતર વિશે કૌટલ્યનાં મંતવ્યો).
૧૬૩
૮. રુદ્રદામા આમ તો તે વખતના ગુજરાત રાજ્યનો અધિપતિ હતો એટલે એણે તો સુદર્શન સરોવર સંબંધિત કાર્ય જાતે જ કર્યું હોય. પણ એના વિશાળ રાજ્યના સુચારુ સંચાલન સારુ વહીવટી કર્મચારીઓ મદદકર્તા હતા. (જુઓ : આ ગ્રંથમાં પ્રકરણ અગિયાર ).
૯. જુઓ : રસેશ જમીનદાર, સરોવરતરની ગુર્જર સંસ્કૃતિ', ગુજરાત દીપોત્સવી, સંવત ૨૦૫૪, પૃષ્ઠ ૪૫થી ૪૭.
૧૦. જુઓ : રસિકલાલ પરીખ, ગુજરાતની રાજધાનીઓ, ૧૯૫૫, પૃષ્ઠ ૭૦.
૧૧. દા.ત. ધોળકાનું મીનલ તળાવ, અમદાવાદનાં ચંડોળા અને કાંકરિયા તળાવ, વીરમગામનું મુનસર તળાવ, વડોદરાનું સુરસાગર તળવા વગેરે.
૧૨. જો કે હવે તો એમ કહી શકાય કે તે પ્રક્રિયા ‘શ્યામસુંદર' સરોવરમાં પૂર્ણતાએ પહોંચી. અર્વાચીન એવું માનવકૃત આ સરોવર વીસમી સદીના છેલ્લા ચરણમાં બંધાયું છે. શામળાજી નજીક મેશ્વો નદીના કાંઠે દેવની મોરી સ્થળેથી બૌદ્ધ મહાસ્તૂપ અને મહાવિહારના અવશેષો મળ્યા હતા ત્યાં જ અનુકાળમાં આ સરોવ૨ સિંચાઈના પરિપ્રેક્ષ્યમાં બાંધવામાં આવ્યું હતું.
૧૩. અપીયિત્.......આ રવિષ્ટિપ્રાયયિામિ: પૌરઞાનપરંનાં.......
૧૪. ..ત્રિશુળદ્રઢત્તરવિસ્તારાયામં સેતુ........
૧૫. સુવર્ણનતાં ઋરિતમિ........
૧૬. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ પંદર.
૧૭. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ સોળ.
૧૮. વધુ માહિતી માટે જુઓ પ્રકરણ સાતમાં ‘રુદ્રદામાનું ઉદારચરિત'.
For Personal & Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ આઠ
આભીર ઈશ્વરદત્તનો સમયનિર્ણય
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રમાંથી, અલબત અલ્પ સંખ્યામાં, રાજા મહાક્ષત્રપ ઈશ્વરદત્તના ચાંદીના સિક્કા ઉપલબ્ધ થયા છે. એના સિક્કાના અગ્રભાગે (obverse) રાજાની મુખાકૃતિ છે અને મસ્તકના પાછળના ભાગે બ્રાહ્મી આંકડામાં વર્ષસૂચક સંખ્યા છે. એના સિક્કાના પૃષ્ઠભાગે (reverse) મધ્યમાં ત્રિકૂટ પર્વત ઇત્યાદિ ચિહ્નો ઉપસાવેલાં છે અને સિક્કાની કિનારને સમાંતર ગોળાકારે બ્રાહ્મી લિપિમાં રાજાનાં નામ, બિરુદ અને વર્ષ નિર્દેશક લખાણ સંસ્કૃતમાં છે. આમ, ઈશ્વરદત્તના સિક્કા પ્રકાર, પદ્ધતિ, પ્રાપ્તિ પ્રદેશો, ધાતુ, બિરૂદ, પ્રતીકો એમ બધી જ દૃષ્ટિએ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સિક્કા સાથે ઘણું સામ્ય ધરાવે છે. આથી પશ્ચિમી ક્ષત્રપોના પ્રદેશો ઉપરના એના સત્તા-અધિકારનું અનુમાન અભિવ્યક્ત થયું છે. અલબત્ત, એનો અમલ ખૂબ જ ટૂંકા સમયનો હતો; કેમ કે તેના પ્રાપ્ય સિક્કા ઉપરની નિર્દેશક મિતિ એના બે જ વર્ષના શાસનનું સૂચન કરે છે. ક્ષત્રપ સિક્કાથી થોડુંક ભિન્નત્વ
ઈશ્વરદત્તના સિક્કા ક્ષત્રપ સિક્કા કરતાં કેવળ બે બાબતે ભિન્નત્વ દર્શાવે છે : (૧) ઈશ્વરદત્ત કેવળ પોતાનું જ નામ આપે છે, પિતાનું નામ આપતો નથી. (૨) શક સંવતમાં વર્ષ નિર્દેશ કરવાને બદલે સાલનો ઉલ્લેખ શબ્દમાં અને આંકડામાં કર્યો છે અને ઉભયનો ઉલ્લેખ રાજકાલનાં વર્ષમાં છે. આ બે અપવાદ સિવાય શેષ લક્ષણોમાં એના સિક્કા પશ્ચિમી ક્ષત્રપોના સિક્કા સાથે ઘણું સામ્યત્વ દર્શાવે છે. આથી ઈશ્વરદત્તને ક્ષત્રપવંશનો હોવાનું મંતવ્ય વ્યક્ત થયું છે; તો પણ પશ્ચિમી ક્ષત્રપ કુળોમાંથી કોઈની સાથે સીધો સંબંધ હોય એવું પ્રસ્થાપિત થઈ શતું નથી. ઈશ્વરદત્તના સિક્કા ઉપર મિતિનિર્દેશની નિરાળી પદ્ધતિ પણ એને પશ્ચિમી ક્ષત્રપોથી ભિન્ન વંશનો હોવાનું સૂચવે છે; કારણ કે ક્ષત્રપ શાસકોના સિક્કા ઉપરની મિતિ શક સંવતનાં વર્ષોમાં આપેલી છે. જયારે ઈશ્વરદત્તના સિક્કાઓ ઉપરની મિતિ રાજકાલના પહેલા અને બીજા વર્ષની છે. પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી આ રાજાના નામસામ્ય ઉપરથી તેને આભીર વંશનો હોવાનો અભિપ્રાય દર્શાવે છે. એનો સત્તાકાળ કયારે ?
- ઈશ્વરદત્તના સિક્કા ઉપરની મિતિ શક સંવતની ન હોવાથી ક્ષત્રપોની સળંગ સાલવારીમાં એના રાજ્યોમલને ગોઠવવા વિશે અધ્યેતાઓમાં અનેક તર્ક-વિર્તકો ઉદ્દભવ્યા છે. છતાંય સંતોષકારક ઉકેલ પ્રસ્થાપિત થયો નથી. સામાન્યતઃ ક્ષત્રપોના કાલાનુક્રમમાં જ્યાં બે કે વધારે વર્ષનો ખાલી ગાળો મળે છે અર્થાત્ બે કે વધારે વર્ષના મહાક્ષત્રપના સિક્કા જે સમય દરમ્યાનના મળતા નથી ત્યાં ત્યાં રાજા મહાક્ષત્રપ ઈશ્વરદત્તના સત્તાકાળને ગોઠવવાના પ્રયાસ થયા છે. પંડિત ભગવાનલાલનો મત
ઈશ્વરદત્તના સત્તાકાળ વિશે સૌ પ્રથમ નિર્દેશ કર્યો ભગવાનલાલ ઇંદ્રજીએ. તેમના મતે
For Personal & Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૫
પરિશિષ્ટ આઠ ઈશ્વરદત્ત ઈસ્વી ૨૪૯માં (એટલે શક વર્ષ ૧૭૦-૭૧માં) ગાદીએ બેઠો હતો અને એણે સૈકૂટકકલચુરિ-ચેદિ સંવત શરૂ કર્યો. રેપ્સનનું મંતવ્ય
તે પછી ઉપલબ્ધ થયેલા સિક્કાઓના અનુસંધાને રેપ્સને સૂચવ્યું કે શક વર્ષ ૧૭૧થી ૭૬ સુધીના મહાક્ષત્રપ તરીકેના સિક્કાના કાલાનુક્રમમાં કોઈ ખાલી ગાળો નથી. આથી અનુમાની શકાય કે ઈસ્વી ૨૪૯માં ઈશ્વરદત્તના રાજ્યારંભનું ભગવાનલાલ નિર્દિષ્ટ મંતવ્ય સ્વીકાર્ય બનતું નથી.
ઈશ્વરદત્તના સિક્કાઓ ઉપરની મુખાકૃતિમાંનાં આંખનાં નિરૂપણની ઢબથી તેના રાજય અમલને રેપ્સન શક વર્ષ ૧૨૭ (ઈસ્વી ૨૦૫) અને ૧૭૦(ઈસ્વી ૨૪૮)ની વચ્ચેના સમયગાળામાં ગોઠવે છે. ઉપરાંત તેમણે કેટલાક અન્ય મુદ્દાઓ પણ આ બાબતે રજૂ કર્યા છે; જે ઈશ્વરદત્તના રાજ્યોમલને વધુ મર્યાદિત બનાવે છે : (૧) ઈશ્વરદત્તની મુખાકૃતિ વીરદામા, યશોદામાં ૧લો અને વિજયસેનની મુખાકૃતિઓ સાથે વધારે સામ્ય ધરાવે છે. આ ત્રણ ક્ષત્રપી રાજાઓ વર્ષ ૧૫૬ અને ૧૭૨ (ઈસ્વી ૨૩૪ અને ૨૫૦) વચ્ચે સત્તાધીશ હતા. (૨) ઈશ્વરદત્તના સિક્કાઓ પરનાં લખાણમાંના ક્ષ અક્ષરનો મરોડ શક વર્ષ ૧૬૦ (ઈસ્વી ૨૩૮) પછીનો હોવાનું જણાય છે. આ બે મુદ્દાઓ નજર સામે રાખી રેપ્સન ઈશ્વરદત્તના સત્તાકાળને શક વર્ષ ૧૫૮ (ઈસ્વી ૨૩૬) અને ૧૬૧ (ઈસ્વી ૨૩૯)ની વચ્ચે મૂક્વા પ્રયત્ન કરે છે. એટલે કે ઈસ્વી ૨૪૯માં સૈકૂટક સંવતના થયેલા આરંભના દશ વર્ષ પહેલાં મૂકી શકાય. પરંતુ દામસેનનો મહાક્ષત્રપ તરીકેનો વર્ષ ૧૫૦નો સિક્કો મળી આવતાં રેપ્સન પોતાના અગાઉના મંતવ્યને વધુ મર્યાદિત અને નિશ્ચિત કરી ઈશ્વરદત્તને શક વર્ષ ૧૫૯-૬૦ (ઈસ્વી ૨૩૭-૩૮)માં સત્તાધીશ દર્શાવે છે, જ્યારે ક્ષત્રપ તરીકે વીરદામા રાજય કરતો હતો. દે.રા.ભાંડારકર શું કહે છે ?
રેસનના સમયમાં વર્ષ ૧૫૯ અને ૧૬૦ના સિક્કાઓ પ્રાપ્ત થયા ન હતા. પરંતુ રાજસ્થાનમાં આવેલા સર્વાણિયામાંથી ઉપલબ્ધ ક્ષત્રપ સિક્કાઓના નિધિમાં યશોદામાં ૧લાનો મહાક્ષત્રપ તરીકેનો સિક્કો વર્ષ ૧૬૦નો હતો. આ સિક્કાનિધિની ચર્ચા કરતાં દે.રા.ભાંડારકર રેપ્સનની દલીલોની સાધકબાધક ચર્ચા કરી ઈશ્વરદત્ત શક વર્ષ ૧૧૦ (ઈસ્વી ૧૮૮) અને ૧૧૩(ઈસ્વી ૧૯૧)ની વચ્ચે સત્તાધીશ હોવાનું મંતવ્ય અભિવ્યક્ત કરે છે; કારણ કે મહાક્ષત્રપ રુદ્રસિંહ ૧લાના વર્ષ ૧૧૦ અને ૧૧૨ના ક્ષત્રપ તરીકેના સિક્કા મળ્યા છે. એટલે આ સમયગાળા દરમ્યાન આભીર ઈશ્વરદત્તે ક્ષત્રપ પ્રદેશો જીતી લઈ સત્તા પ્રાપ્ત કરી હોય અને તેના મદદનીશ તરીકે રુદ્રસિંહ ૧લો રાજ્ય કરતો હોય. પરંતુ પરમેશ્વરીલાલ ગુપ્ત ગ્વાલિયર સંગ્રહાલયમાંના રુદ્રસિંહ ૧લાના મહાક્ષત્રપ તરીકેના એક સિક્કા ઉપર વર્ષ ૧૧૨નું વાંચન કર્યું છે. તેથી તે જ વર્ષના સિક્કા ઉપરના રેપ્સનના ક્ષત્રપ પાઠ વિશે ગુપ્ત શંકા દર્શાવી છે. પરંતુ વર્ષ ૧૧૧નો ક્ષત્રપ કે મહાક્ષત્રપ તરીકેનો રુદ્રસિંહનો સિક્કો તેમની જાણમાં હોય એમ જણાતું નથી. આથી માત્ર વર્ષ ૧૧૦ના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ તેની મુખ્ય સત્તાની પડતીનું સૂચન કરતા નથી એમ દર્શાવી ગુપ્ત એવો અભિપ્રાય અભિવ્યક્ત કરે છે કે સિક્કાઓ પાડનારની ભૂલનું આ પરિણામ છે, એટલે સંભવ
For Personal & Private Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ક્ષત્રપકાલીન ગુજરાત છે કે પૃષ્ઠભાગની છાપ ક્ષત્રપ તરીકેની ડાઈથી પડેલી હોય. આ પ્રકારની ભૂલો તેમના મતે ભારતીય સિક્કાઓમાં સામાન્યપણે જોવા મળે છે. એટલે અત્યાર સુધીનાં આ બધાં મંતવ્યોનો અસ્વીકાર કરી ગુપ્ત ઈશ્વરદત્તને એક સદી જેટલો પાછળ મૂકે છે અર્થાત્ શક વર્ષ ર૭૪ અને ૨૮૩ (ઈસ્વી ૩૫૨ અને ૩૬૧)ની સમયાવધિમાં સત્તાધીશ હોવાનું સૂચવે છે૧૫.. દિનેશચંદ્ર સરકારનો અભિપ્રાય
ઈશ્વરદત્તની એના સિક્કા ઉપરની મુખાકૃતિ અને અક્ષરના મરોડ પરત્વેની રેસનની દલીલોના આધારે દિનેશચંદ્ર સરકાર, પરમેશ્વરીલાલ ગુપ્તના નિર્દિષ્ટ મતનો અસ્વીકાર કરે છે; કેમ કે ગુપ્ત ઈશ્વરદત્તને સ્વામી મહાક્ષત્રપ રુદ્રસેન ૩જાના અમલ દરમ્યાનના ખાલી ગાળામાં ગોઠવે છે જે બાબત આપણે હમણાં અવલોકી. દિનેશચંદ્ર સરકારના અભિપ્રાય મુજબ ઈશ્વરદત્તના સિક્કાઓમાંના લખાણના અક્ષરોના મરોડ સ્વામી રુદ્રસેન ૩જાના સિક્કાઓ ઉપરના લખાણના મરોડ કરતાં ઘણા વહેલી મૂકી શકાય. તેઓ પરમેશ્વરીલાલના હકીકતદોષનો ઉલ્લેખ કરી કહે છે કે ઈશ્વરદત્તના બે વર્ષના અમલને શક વર્ષ ર૭૩થી ૨૮૪ની વચ્ચેના લાંબા ગાળામાં કેવી રીતે મૂકી શકાય. વળી દિનેશચંદ્ર શિરવાલમાંથી૧૯ અને પેટલુરિપલેમમાંથી પ્રાપ્ત થયેલા ઈશ્વરદત્તના સિક્કાઓ સાથે સ્વામી મહાક્ષત્રપ રુદ્રસેન ૩જાના (ઈસ્વી ૩૪૮થી ૩૮૦) સિક્કા મળ્યા નથી, એ તરફ ગુપ્તનું ધ્યાન દોરીને ઈશ્વરદત્તના અમલને રુદ્રસેન ૩જાના સત્તાકાળ દરમ્યાન ન મૂકી શકાય એમ સૂચવે છે અને તેથી સરકાર અગાઉ જે દે.રા.ભાંડારકરના૨ મતને અનુસરતા હતા તે હવે પોતે અભિપ્રાય બદલીને રેપ્સનના મતને અનુસરે છે અર્થાત્ ઈશ્વરદત્તને વર્ષ ૧૫૯(ઈસ્વી ૨૩૭)ની આસપાસ ગોઠવે છે. પરંતુ સોનેપુરનિધિમાંથી૨૪ વર્ષ ૧૫૯નો મહાક્ષત્રપ તરીકેનો સિક્કો મળ્યો છે, જેથી દિનેશચંદ્ર સરકારનો મત સ્વીકારી શકાય નહીં. પરમેશ્વરલાલ ગુપ્તની પુનર્વિચારણા
આ પછીથી ગુપ્તએ ક્ષત્રપ સિક્કાના નિધિઓમાંથી પ્રાપ્ત ઈશ્વરદત્તના સિક્કાના સ્થાન સંદર્ભે વધુ ચોક્સાઈ કરી પોતાના અગાઉનાં મંતવ્યમાં ૨૫ કેટલાક ફેરફાર કર્યા અને હવે દિનેશચંદ્ર સરકારે જણાવેલા બે નિધિ ઉપરથી ઈશ્વરદત્ત સ્વામી મહાક્ષત્રપ રુદ્રસેન ૩જાની પહેલાં થયો હોવાની બાબત પરમેશ્વરીલાલ સ્વીકારે છે.
જૂનાગઢમાંથી મળેલા પ૨૦ સિક્કાના નિધિમાં રુદ્રસેન ૧લાથી ભર્તુદામા સુધીના ક્ષત્રપ રાજાઓના સિક્કા મળ્યા છે, પણ ઈશ્વરદત્તનો એકેય સિક્કા એમાં નથી. આથી એવું અનુમાન કરે છે કે ઈશ્વરદત્ત ભર્તુદામાના સત્તાકાળ પૂર્વે સત્તાધીશ હોય એ સંભવે નહીં૨૭. ઈશ્વરદત્તના રાજ્યની આ પૂર્વમર્યાદા અને ઉત્તરમર્યાદા ઉપરથી એમના અમલનો સમય આમ ભર્તુદામા અને રુદ્રસેન ૩જાના રાજય-અમલની વચ્ચે હોવો જોઈએ. ઉપસંહાર
પશ્ચિમી ક્ષત્રપ શાસકોમાંના મહાક્ષત્રપોના જ્ઞાત સિક્કાઓમાં ભર્તુદામાના શક વર્ષ ૨૨૧ (ઈસ્વી ૨૯૯)ના સિક્કા પછી છેક શક વર્ષ ૨૬૯(ઈસ્વી ૩૪૭) સુધીના સિક્કા મળતા નથી. પરંતુ આ ગાળા દરમ્યાન ક્ષત્રપ તરીકેના આ શાસકોના સિક્કા શક વર્ષ ૨૨૨થી ૨૫૪ સુધીના મળે છે.
For Personal & Private Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૭
પરિશિષ્ટ આઠ
આ સમયાવધિ દરમ્યાન કોઈ પુરોગામી કે/અને અનુગામી વચ્ચે તેમ જ કોઈ ક્ષત્રપના રાજકાળ દરમિયાન પણ એટલો ગાળો જોવા મળતો નથી, જેમાં ઈશ્વરદત્તના સત્તાકાળને ગોઠવી શકાય.
આથી શક વર્ષ ૨૫૫થી ૨૬૯ (ઈસ્વી ૩૩૩થી ૩૪૭) સુધીના ગાળાને જ લક્ષ્યમાં લેવો રહ્યો. આ ગાળા પછી જેના સિક્કા મળે છે તે રુદ્રસેન ૩જાના સિક્કાઓ ઉ૫૨થી સૂચિત થાય છે કે એની પહેલાં એના પિતા રુદ્રદામા ૨જો મહાક્ષત્રપ પદે હતો. આથી ઉપર્યુક્ત ગાળામાં પછીનાં કેટલાંક વર્ષ રુદ્રદામા ૨જાના સત્તાકાલનાં ગણાય. આ ઉપરથી પરમેશ્વરીલાલ એવી અટકળ કરે છે કે ઈશ્વરદત્તનું રાજ્ય એ ગાળાના શરૂઆતનાં વર્ષોમાં ગોઠવી શકાય. તદનુસાર ઈશ્વરદત્તે યશોદામા ૨જાનું રાજ્ય પડાવી લીધું હશે અને ઈશ્વરદત્ત પાસેથી ક્ષત્રપોની સત્તા રુદ્રદામા રજાએ પાછી મેળવી લીધી હશે.
હાલની ઉપલબ્ધ માહિતી મુજબ આ મત ઘણો સંભવિત જણાય છે. એ અનુસાર ઈશ્વરદત્તના સત્તાકાલને શક વર્ષ ૨૫૫થી ૨૬૯ના ગાળાનાં શરૂઆતના લગભગ પાંચ વર્ષ અર્થાત્ શક વર્ષ ૨૫૫થી ૨૫૯ (ઈસ્વી ૩૩૩થી ૩૩૭) દરમ્યાન ગોઠવી શકાય૧.
પાદનોંધ
૧. આના સમર્થનમાં આભીર રાજા ઈશ્વરસેનના નાસિકના શિલાલેખનો નિર્દેશ થઈ શકે. તેનો આ શિલાલેખ એના રાજકાલના નવમા વર્ષનો છે. વળી, ઉભયના નામનાં પૂર્વપદમાં શ્ર્વર છે.
૨. પ્રસીડિંગ્સ ઑવ વિયેના ઑરિએન્ટલ કૉંગ્રેસ, ૧૮૮૨, પૃષ્ઠ ૨૨૧-૨૨. હવે તો લગભગ બધા ઇતિહાસકારો પંડિતજીનો અભિપ્રાય સ્વીકારે છે (જુઓ : વાસુદેવ વિષ્ણુ મિરાશી, કૉઇઇ., પુસ્તક ૪, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૩).
૩. જુઓ : જરાઁએસો., ૧૮૯૦, પૃષ્ઠ ૬૫૭. પંડિત ભગવાનલાલે જ્યારે આ મત વ્યક્ત કર્યો ત્યારે ક્ષત્રપ રાજાઓના મહાક્ષત્રપ તરીકેના શક વર્ષ ૧૭૧થી ૭૬ (ઈસ્વી ૨૪૯થી ૨૫૪) સુધીના સિક્કાઓ ઉપલબ્ધ થયા ન હતા. પણ તે પછી આ વર્ષોના સિક્કા મળ્યા છે (જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ બે અને ત્રણ).
૪. કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૧૧૦,
૫. જે મહાક્ષત્રપ દામસેનની છેલ્લી જ્ઞાત મિતિ છે. (જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ બે અને પ્રકરણ સાતમાં રામસેન વિશેનું વર્ણન).
૬. મહાક્ષત્રપ યશોદામા ૧લાની વહેલી જ્ઞાત મિતિ છે (જુઓ એજન).
૭. કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૧૧૦.
૮. જબૉબ્રારાઁએસો., પુસ્તક ૨૦, ૧૮૯૯, પૃષ્ઠ ૨૦૪ અને કેટલૉગ., ફકરો ૧૧૧.
૯. જરૉએસો., ૧૮૯૯, પૃષ્ઠ ૩૮૭.
૧૦. આસઇરિ., ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૨૯.
૧૧. રેપ્સન, કેટલૉગ., પૃષ્ઠ ૯૦.
૧૨. ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૩૦. જ્યારે રેપ્સન રુદ્રસિંહના આ બે સિક્કાના સંદર્ભમાં એમ સૂચવે છે કે તેની સત્તા તેના ભત્રીજા જીવદામાએ પડાવી લીધી હતી. અને તેથી રુદ્રસિંહના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ જોવા મળે છે (કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૯૯). તો પછી પ્રશ્ન એ થાય છે કે આ જ વર્ષોના (એટલે ૧૧૦ અને ૧૧૨) જીવદામાના મહાક્ષત્રપ તરીકેના સિક્કા મળવા જોઈએ, જે હજી સુધી મળ્યા નથી.
For Personal & Private Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ક્ષત્રપકાલીન ગુજરાત
વળી રુદ્રસિંહના આ જ બે વર્ષના મહાક્ષત્રપ તરીકેના સિક્કા ઉપલબ્ધ છે તેનું શું ? (જુઓ અળતેકર, વાગુએ. પૃષ્ઠ ૪૭-૪૯; આ ગ્રંથમાં પરિશિષ્ટ બે, ક્રમાંક ૧૦થી ૧૪ અને નીલકંઠ શાસ્ત્રી, કાઁહિઈ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૮૬-૮૭, પૃષ્ઠ ૨૯૨ તેમ જ બી.એન. મુખરજી, અવર હેરિટેજ, પૃષ્ઠ ૧૪૯). આ ત્રણેય વિદ્વાનો ભાંડારકરના મતનું સમર્થન કરે છે.
૧૩. જન્યુસોઇ., પુસ્તક ૧૭, પૃષ્ઠ ૯૪. પરંતુ આ ગ્રંથના લેખકે જ્યારે ૧૯૬૪ના મે મહિનામાં ગ્વાલિયર સંગ્રહાલયની મુલાકાત લીધી ત્યારે આ સિક્કોં ત્યાં અસ્તિત્વમાં ન હતો.
૧૪. જબૉબ્રારાએસો., પુસ્તક ૩૦, ૧૯૫૫, પૃષ્ઠ ૧૩.
૧૫. એજન, પૃષ્ઠ ૫૩થી ૫૫. આ ખાલી ગાળો સ્વામી મહાક્ષત્રપ રુદ્રસેન ૩જાના રાજ્ય અમલ દરમ્યાનનો છે, જે સમયગાળાના તેના સિક્કા અગાઉ મળ્યા ન હતા. પરંતુ તે પછી તેના વર્ષ ૨૭૪, ૨૮૦, ૨૮૧, ૨૮૨ અને ૨૮૩ના સિક્કાઓ મળ્યા છે (જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ બે, ક્રમાંક ૧૮૨થી ૧૮૭), જે પરમેશ્વરીલાલ ગુપ્તની જાણમાં ના હોવા સંભવે. આમ, હવે ઈશ્વરદત્તને શક વર ૨૭૫ અને ૨૭૯ (બંને વર્ષ ગણતરીમાં લેતાં)ની વચ્ચે મૂકી શકાય.
૧૬. ઇહિકવાઁ., પુસ્તક ૩૩, પૃષ્ઠ ૨૭૧થી.
૧૭. હવે આ ગાળો એટલો લાંબો નથી. જુઓ અગાઉની પાદનોંધ ૧૫.
૧૮. ઇહિકવૉ., ઉપર્યુક્ત. તેઓ નોંધે છે કે આ ગાળાના રુદ્રસેન ૩જાના સિક્કા મળ્યા નથી તેનું કારણ ગુપ્ત રાજવી સમુદ્રગુપ્તે તેનો હરાવેલો તે છે (એજન, પૃષ્ઠ ૨૭૩). પરંતુ સરકારની આ દલીલ તર્કશુદ્ધ નથી. ઈશ્વરદત્તના બે વર્ષના રાજ્ય-અમલને લાંબા ગાળામાં ગોઠવવાની કઈ મુશ્કેલી છે તે સૂચવ્યું જ નથી. પાદનોંધ ૧૫માં જણાવ્યા મુજબ હવે આ ગાળો પાંચ વર્ષનો રહે છે અને તેથી કોઈ મુશ્કેલી રહેતી નથી.
૧૯. શિરવાલમાંથી પ્રાપ્ત ઈશ્વરદત્તના સિક્કાનો ઉલ્લેખ જૉન સ્ટીવનસને ૧૮૪૪-૪૭માં કર્યો હતો. (જબૉબ્રારાએસો., પુરાણી શ્રેણી, પુસ્તક ૨, પૃષ્ઠ ૩૭૭-૮૦). શિરવાલના નિધિ વિશે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ ત્રણ.
૨૦. પેટલુરિપલેમના નિધિની માહિતી વિશે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ ત્રણ. આ નિધિ ૧૯૫૬માં પ્રકાશમાં આવ્યો હતો.
૨૧. આ માહિતી માટે જુઓ પરિશિષ્ટ ત્રણમાં આ બે નિધિ વિશેની વિગતો.
૨૨. આ બે નિધિ સંપ્રાપ્ત થયા હતા ત્યાં સુધી તેઓ દે.રા.ભાંડારકરના મત સાથે વધારે સહમત થયા હતા (એઇયુ, પૃષ્ઠ ૧૮૨, ૨૦૬, ૨૨૧-૨૨).
૨૩. ઇહિકાઁ., પૃષ્ઠ ૨૭૨-૨૭૩.
૨૪. એજન, પુસ્તક ૩૪, પૃષ્ઠ ૨૫૩-૫૪; સોનેપુરનિધિની માહિતી માટે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ ત્રણ.
૨૫. જબૉબ્રારાએસો., પુસ્તક ૩૦, પૃષ્ઠ ૫૫.
૨૬. એજન, પૃષ્ઠ ૫૪. જૂનાગઢનિધિ માટે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ ત્રણ.
૨૭. ઇહિકાઁ., પુસ્તક ૩૪, પૃષ્ઠ ૨૫૪.
૨૮. વિશ્વસેન, રુદ્રસિંહ ૨જા અને યશોદામા ૨જાના સિક્કા આ સમયાવધિના છે.
૨૯. આ રાજાના સિક્કા આજ દિન સુધી હાથવગા થયા નથી.
૩૦. ઇકિવૉ., પુસ્તક ૩૪, ૧૯૫૮, પૃષ્ઠ ૨૫૫.
૩૧. આ પરિશિષ્ટમાં જે જે રાજાઓના ઉલ્લેખ થયા છે તે બધાના સત્તાકાળ વિશેની માહિતી માટે આ ગ્રંથમાં પ્રકરણ સાતમાં અને આઠમાં સંદર્ભિત અવલોકન કરવાથી મળી રહેશે.
For Personal & Private Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
વિભાગ ત્રણ ક્ષત્રપ રાજ્ય : સંબંધ, વિસ્તાર અને વહીવટ
પ્રકરણ નવ : કણિષ્કનો સમયનિર્ણય પ્રકરણ દશ : પશ્ચિમ ભારતના બે પ્રમુખ
રાજવંશ : કેટલાક યક્ષપ્રશ્ન પ્રકરણ અગિયાર : વિસ્તાર અને વહીવટ
For Personal & Private Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવ
કણિષ્કનો સમયનિર્ણય
ભૂમિકા
આપણા દેશનાં સંસ્કૃતિ અને ઇતિહાસ ભાતીગળ છે. એક તરફ એનું પ્રસ્તુત ભાતીગળપણું અભ્યાસીઓ વાસ્તે આકર્ષણ ઉભાવે છે, તો અન્યથા એમાંથી ઉદ્ભૂત પ્રશ્નો મૂંઝવણ પ્રવર્તાવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણાં સંસ્કૃતિ અને ઇતિહાસના પ્રશ્નો) ભાતીગળ છે. આવા પ્રશ્નોમાંથી કેટલાક ઉકેલાયા છે, તો કેટલાક ઉકેલાવાની દિશામાં છે; જ્યારે કેટલાક સદાય વિસંવાદી રીતે ચર્ચય રહ્યા છે. આવા ચર્ચય રહેલા પ્રશ્નોમાં એક છે કુષાણવંશ વિશેનો. કુષાણવંશના પ્રશ્નો પણ ભાતીગળ છે. આમાં એક પ્રશ્ન છે કુષાણવંશના સમયનિર્ણયનો અને એમાંય વિશેષ વિસંવાદી પ્રશ્ન છે કણિષ્કના સમયનિર્ણયનો. આ પ્રશ્ન બીજાંકુર ન્યાય જેવો છે. કણિષ્કને કેન્દ્રમાં રાખીને ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણા રાજકીય પ્રશ્નો ઉકેલવાના પ્રયાસો થતા રહ્યા છે. કણિષ્ક જ શક સંવતનો (ઈસ્વી ૭૮) પ્રવર્તક છે એવી પ્રસ્થાપિત પરંપરાને ધ્રુવકેન્દ્ર ગણીને અન્ય સમકાલીન રાજકીય પ્રશ્નોના ઉકેલ શોધવાના પ્રયાસો હાથ ધરાતા રહ્યા છે. આથી, રમેશચંદ્ર મજુમદાર નોંધે છે તેમ Established traditions, though originally based on insufficient evidence, die hard and are the greatest obstacles to the establishment of truth૧. કણિષ્ક અને શક સંવતના પ્રશ્નને પ્રસ્તુત નિરીક્ષણ સર્વથા બંધ બેસે છે. આપણે અહીં આ બાબતનું વિશ્લેષણ કરીશું. કુષાણવંશનો સમય
કણિષ્કના સમય બાબતે છેલ્લી એક સદીથી ચર્ચા-વિમર્શ થતાં રહ્યાં છે, અને હજી તે ચર્ચય છે; જયાં સુધી સાપેક્ષ વિશેષ પુરાવા અને સાધનો પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી. અત્યારે તો જે કોઈ સાધનો હાથવગાં છે તેનું પુનરીક્ષણ અને પુનર્મુલ્યાંકન જ થાય છે અને થતાં રહેશે. કણિષ્કનો સત્તાકાળ કે સમયનિર્ણય નિશ્ચિત કરવા કાજે એક અધિવેશનનું આયોજન થયું હતું; જેમાં એક મુદ્દા પરત્વે સહમતિ રહી હતી કે અત્યારે પ્રાપ્ત સામગ્રીને આધારે કણિક્કનો સમય નિર્ણિત કરી એકમતી સાધવી એ મુશ્કેલ કાર્ય છે. અર્થાત્ સહુ મતભેદ છે એ બાબતે સહમત છે.
કુષાણોના સમયનાં સાહિત્યિક અને પુરાવશષીય સાધનો પણ પ્રશ્નના ઉકેલમાં સહાયભૂત થતાં નથી; કારણ કે (૧) કુષાણ સમયના અભિલેખો કોઈ અનિર્ણિત સંવતનાં વર્ષોમાં ઉત્કીર્ણ થયેલા છે. (૨) કુષાણવંશી રાજાઓના સિક્કા મિલિનિર્દેશ વિનાના છે. (૩) ચીની ધાર્મિક ગ્રંથો, જે મુખ્યત્વે તો આપણા બૌદ્ધગ્રંથોના અનુવાદ છે, આખ્યાયિકાઓ અને કલ્પિત કથાઓથી સભર છે અને તેથી તેમાંથી ઐતિહાસિક નિરૂપણ વાસ્તેની સામગ્રી તારવવી મુશ્કેલ
For Personal & Private Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
છે. (૪) ચીની તવારીખકારો, જે કુષાણ રાજાઓ વિશે લખે છે, તેમનાં નામ ભાગ્યે જ આપે છે. (૫) રાખતરશિળીમાંની કુષાણોના કાલક્રમ અંગેની વિગતો વિશેષ શ્રદ્ધેય નથી. (૬) ગ્રીક સાધનો કુષાણો કાજે મૌન છે. (૭) ચીની બૌદ્ધ સાહિત્ય કણિષ્કના રાજ્યારોહણ વિશે વિરોધાભાસી વિગતો દર્શાવે છે. (૮) ભારતીય અને તિબત્તી સાહિત્ય આ બાબતે કશી શ્રદ્ધેય અને ઉપયોગી સામગ્રી આપતાં નથી. આથી, કણિષ્કના સમયને નિશ્ચિત કરવાનો પ્રશ્ન ચર્ચાસ્પદ રહ્યો છે. છતાં કેટલાંક વિશિષ્ટ અર્થઘટનના સંદર્ભમાં અહીં પ્રસ્તુત મુદ્દાઓ વિશે ચર્ચા કરવાનો એક વધુ પ્રયાસ હાથ ધર્યો છે.
૧૭૨
સમયનનિર્ણયના પ્રયાસ
કુષાણોના શાસન-અમલને નિશ્ચિત કરવાની બે પદ્ધતિ અમલી બનાવાઈ છે ઃ એક પ્રયત્ન બૃહદ્ અભિગમનો છે, જે અનુસાર મૌર્ય-શુંગ સામ્રાજ્યના અંત (આશરે ઈશુ પૂર્વે ૧૫૦) અને ગુપ્ત સામ્રાજ્યના આરંભ (ઈસ્વી ૩૨૦)ની વચ્ચે કુષાણોના રાજ્યને ગોઠવવાનો પ્રયાસ થયો છે. બીજો પ્રયત્ન શક સંવતના સંદર્ભમાં છે, જે મુજબ કણિષ્કને ઈસ્વીસન ૭૮થી આરંભાતા શક સંવતનો પ્રવર્તક માની કુષાણોને ઈશુની પ્રથમ અને દ્વિતીય સદીમાં મૂક્યા છે. તેવી જ રીતે કણિષ્કના શાસન-અમલને વાસ્તેય બે પ્રવાહો પ્રચલિત છે : એક, પશ્ચિમના વિદ્વાનો કણિષ્કને ઈશુની બીજી સદીમાં મૂકે છે. બે, ભારતીય વિદ્વાનો કણિષ્કને શક સંવતનો પ્રારંભક ગણે છે. જો કે બંને પ્રવાહોમાં અપવાદ જરૂર છે.
કણિદ્ધના અભિલેખોમાં નિર્દિષ્ટ વર્ષ
આ કુષાણ સમ્રાટના વર્ષ ૯ના લેખમાં આરંભની પંક્તિ આ મુજબ છે : સિદ્ધ મહારાનસ્ય સ્થિ રાખ્યસંવત્સરે. આથી, સ્પષ્ટ થાય છે કે કણિષ્કના સમયના અભિલેખોમાં નિર્દિષ્ટ વર્ષ રાજ્યકાલનાં ન હતાં પણ નિશ્ચિતપણે કોઈ સંવતના સંદર્ભમાં હતાં. જો કે વસિષ્ઠના વર્ષ ૨૪ના, હવિષ્કના વર્ષ ૫૦ના અને વાસુદેવના વર્ષ ૮૪ના લેખોમાં પણ રાખ્યસંવત્સરનો પ્રયોગ છે. પરંતુ, તેથી આ ત્રણેય રાજવીએ જુદો જુદો સંવત પ્રવર્તાવ્યો હોય એવું અનુમાની શકાય નહીં. સંભવ છે કે ત્રણેયે પ્રસ્તુત શબ્દખંડ ભિન્ન ભાવથી ઉપયોગ્યો હોય. કણિષ્કના કે એના અનુગામીઓના લેખોમાં ક્યાંય સંવતનું નામ પ્રયોજાયેલું જોવું પ્રાપ્ત થતું નથી. પરંતુ આ શબ્દખંડને આધારે કણિકે કોઈ સંવત ચલાવ્યો હતો એમ સ્વીકારી લઈ વિદ્વાનોએ એ સંવતના નામાભિધાન પરત્વે વિભિન્ન મતો દર્શાવ્યા છે. આ મતો એટલા ભિન્ન સ્વરૂપના છે કે પરિણામે કણિષ્કના શાસનનો સમય નિશ્ચિત કરવા મિષે લૌકિક સંવતથી કલ્ચરિચેદિ સંવત સુધીના સંવતોનો સહારો લેવાયો છે. આ બધા મતોની વિગતે ચર્ચા અનેક વિદ્વાનોએ કરી છે. તેથી, અહીં તો માત્ર તેમાંથી જરૂરી કેટલાકનો નિર્દેશ કર્યો છે.
વિવિધ સંવત
લૌકિક સંવતની રજૂઆત ગ્રોવર્સે॰ અને સ્મિથે કરેલી, જો કે સ્મિથે પછીથી આ મત છોડી દીધેલો. એમની ગણતરી મુજબ કણિષ્ક ઈસ્વી ૧૩૦માં સત્તાધીશ હતો. કનિંગહમ સેલ્યુસીડ સંવતનો પ્રયોગ કરે છે. આ સંવતનો આરંભ ઈસ્વી પૂર્વ ૩૧૨માં થયો હતો. આ
For Personal & Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવ
સંવતમાં ૪૦૦ની સંખ્યા અધ્યાહત રહેતી હોઈ કણિષ્કના અમલનું પાંચમું વર્ષ ઈસ્વી ૯૩ બરોબર આવે. તેથી, કનિંગહમ ઈશુ પછી ૮૯માં કણિષ્કનો રાજ્યારોહણ દર્શાવે છે. થોમસ પણ રજૂઆત તો સેલ્યુસીડ સંવતની કરે છે, પરંતુ ૧૦૦ની સંખ્યા અધ્યાહત માની ગણતરી કરે છે. થોમસ વળી પત્નવ સંવતનું સમર્થન કરે છે. આ સંવત ઈશુ પૂર્વે ૨૪૮માં શરૂ થયો હતો. રા.ગો.ભાંડારકર૧૧ શક સંવતનો મત દર્શાવી ૨૦૦ની સંખ્યા અધ્યાહાર ગણે છે. પરંતુ શતકની સંખ્યા અધ્યાહાર રાખી સંવતનો પ્રયોગ કરવાની પદ્ધતિ તો છેક નવમી-દશમી સદીમાં આપણી ભૂમિમાં પ્રચારમાં આવી. તેથી, કુષાણો કે કણિદ્ધના સમયનિર્ણય વાસ્તે આ પ્રકારની ગણતરી હકીકતમાં ભ્રામક છે.
૧૭૩
કણિદ્ધ બીજી સદીમાં સત્તાધીશ ?
કુષાણવંશનો આ મહારથી સમ્રાટ ઈશુની બીજી સદીમાં સત્તાધીશ હતો એવો મત અભિવ્યક્ત કરનારાઓમાં મુખ્ય અધ્યેતા છે : ઈસ્વી ૧૨૦નો મત સ્મિથ અને રાજબલી પાણ્ડેયનો૪ છે. ઈસ્વી ૧૨૫નો સિદ્ધાંત જહૉન માર્શલનો છે૧૫. તો વળી, સ્ટેન કોનો ત્રણ નિર્દેશ પ્રસ્તુ કરે છે : ઈસ્વી ૧૨૮-૨૯, ૧૩૪ અને ૨૦૦, ધીર્શમેન ઈસ્વી ૧૪૪નો મત દર્શાવે છે॰. ડોલરરાય માંકડ ઈસ્વી ૧૫૦નો અભિપ્રાય ધરાવે છે. કિસૂર ઈસ્વી ૧૪૦ અને ૧૮૦ વચ્ચેનું કોઈ વર્ષ ધ્યાનમાં લેવાનું સૂચવે છે૧૯.
આ માટે માર્શલ તક્ષશિલાના ચીરસ્તૂપના ઉત્ખનનનો આધાર લે છે. અહીંથી પ્રાપ્ત ઇમારતોની બાંધણી-શૈલી ઉપરથી માર્શલ કણિષ્કનો સમય નિર્ણિત કરે છે. પરંતુ સ્થાપત્યશૈલીને આધારે થતો સમયનિર્ણય ચોક્કસ અને શ્રદ્ધેય ગણાતો નથી. આ પ્રકારના આધાર બૃહદ સમયની જાણકારી માટે ઉપયોગી શકાય. તેથી માર્શલની દલીલ સ્વીકાર્ય બનતી નથી. સ્ટેન કોનો ખગોળવિદ્યાની ગણતરીનો આધાર લે છે. ઝેદ અને ઉણ્ડના લેખોમાં નક્ષત્રોનો ઉલ્લેખ છે અને તે આધારે કોનો કણિષ્કને ઈશુ પછી ૧૨૮-૨૯માં સત્તાધીશ હોવાનું જણાવે છે. સ્વાભાવિક જ આ બંને લેખો તત્કાલે અસ્તિત્વ ધરાવતા નક્ષત્રનો ઉલ્લેખ કરે છે. નક્ષત્રથી વર્ષનો કોઈ ચોક્કસ કાલખંડ જરૂર જાણી શકાય પરંતુ કોઈ ચોક્કસ વર્ષની જાણકારી કેવી રીતે થાય; કારણ નક્ષત્રની ઘટના તો પ્રત્યેક વર્ષે બનતી હોય છે.
ઈસ્વી બીજી સદીનો મત અસ્વીકાર્ય
ટૂંકમાં, કણિદ્ધ ઈશુની બીજી સદીમાં સત્તાધીશ હતો એવી દલીલ કરનારા વિદ્વાનોએ પશ્ચિમ ક્ષત્રપ રાજા રુદ્રદામાના ગિરિનગરના શૈલલેખની અવગણના કરી હોવાનું સ્પષ્ટ થાય છે. કણિષ્કના વર્ષ ૧૧ના સૂઈ વિહાર લેખ॰ મુજબ રાજસ્થાનનો બહાવલપુર વિસ્તાર એની હકૂમત હેઠળ હોવાનું જણાવે છે. રુદ્રદામાનો શૈલલેખ પણ સિંધુ-સૌવીરના પ્રદેશો પશ્ચિમી ક્ષત્રપોના હસ્તક હોવાનું સ્પષ્ટ સૂચવે છે. તો એક જ વિસ્તાર ઉપર એક વખતે બે રાજાની હકૂમત કેવી રીતે સંભવે ? વળી, વિશેષમાં રુદ્રદામાએ બહાવલપુર નજીક રહેતા શક્તિસંપન્ન યૌધેયોને જબરજસ્ત શિકસ્ત આપી હતી એવો નિર્દેશ શૈલલેખમાં છે જ. આમ, સૂઈ વિહાર અને ગિરિનગરના લેખોમાં વર્ણિત વિગતો સામસામી અથડાય છે. એવું જ છે સાંચી ઉપરના
For Personal & Private Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
કણિષ્કના પ્રભુત્વનું. રુદ્રદામાના શૈલલેખમાં પણ આકર (પૂર્વ માળવા) અને અવન્તિ (પશ્ચિમ માળવા) ઉપર પશ્ચિમી ક્ષત્રપોના પ્રભુત્વનું અસંદિગ્ધ સૂચન છે જ. રુદ્રદામા ઈસ્વી ૧૩૦ અને ૧૫૦ વચ્ચે ઉપર્યુક્ત પ્રદેશો ઉપર પ્રભુત્વ ધરાવતો હતો એ આમ પુરવાર થયેલી હકીકત છે; કારણ કે પશ્ચિમી ક્ષત્રપોના લેખોમાં નિર્દિષ્ટ વર્ષો શક સંવતનાં હોવા વિશે કોઈ શંકા નથી. આથી, કણિદ્ધ ઈશુની બીજી સદીના પૂર્વાર્ધમાં શાસન કરતો હોવાનું સ્વીકાર્ય બનતું નથી. વિક્રમ સંવતની માન્યતા
૧૭૪
કણિષ્ક આ સંવતનો પ્રવર્તક હોવાની માન્યતા કેટલાક વિદ્વાનોએ વ્યક્ત કરી છે; જેમાં અગ્રેસર કનિંગહમ છે. જો કે અનુકાલમાં તેમણે આ મત ત્યજી દીધેલો. તે પછી સ્લિટ આ મતના હિમાયતી રહ્યા. આ મતના અન્ય સમર્થકો હતા : કેનેડી૪, લ્યૂડર્સપ, ફ્રેન્ડેર, બારનેટ॰, ડાઉસન અને મુખરજી૯.
ફ્લિટ અને કેનેડી અનુક્રમે બૌદ્ધ પરંપરા અને ચીની સાધનોના આધારે પ્રસ્તુત મત વ્યક્ત કરે છે. પરંતુ આપણે અગાઉ જોયું તેમ આ બંને સ્રોત પ્રમાણભૂત ગણાતા નથી. યુઆન સ્વાંગે નોંધેલી કાશ્મીર અને બૌદ્ધ પરંપરાઓનો આધાર લઈ ફ્લિટ કણિષ્કને બુદ્ધનિર્વાણ પછી (ફ્લિટના મતે બુદ્ધનું નિર્વાણ ઈસ્વી ૪૮૩માં) ૪૦૦ વર્ષ બાદ સત્તાધીશ હોવાનું જણાવે છે. પરંતુ સ્લિટ જેને આધારે આવો મત વ્યક્ત કરે છે તે યુવાન ગ્વાંગ પોતાની નોંધોમાં સુસંગત નથી. વસુબંધુનું ચિરત્ર આલેખતાં યુવાન શ્વાંગ નોંધે છે કે કણિષ્ક બુદ્ધનિર્વાણ પછી ૫૦૦ વર્ષે વિદ્યમાન હતો. સોંગ યૂનના નિર્દેશ મુજબ ૩૦૦ વર્ષ પછી, ખેતાનની એક નોંધ મુજબ ૧૦૦ વર્ષ પછી અને સંયુત્ત રત્નપિટ અનુસાર ૭૦૦ વર્ષ પછી કણિષ્ક, વિદ્યમાન હોવાનું જણાય છે. હેલેનીઝમનો તથા કુષાણસિક્કાઓમાંના ગ્રીક અક્ષરનો આધાર લઈ કેનેડી કણિષ્કને ઈસ્વીપૂર્વ ૧લી સદીમાં મૂકે છે. પરંતુ અફઘાનિસ્તાનમાં અને આપણા દેશના વાયવ્ય પ્રાંતોમાં ત્યારે ગ્રીક ભાષા બોલાતી-સમજાતી હોઈ તેનો ઉપયોગ સ્વાભાવિક ગણાય. તેના આધારે સમયનિર્ણય ક૨વાનું કાર્ય તાર્કિક નથી. વળી, ઈશુ પૂર્વે ૫૦માં ગંધાર ઉપર યીન મો-ફુનું રાજ્ય અસ્તિત્વમાં હતું 1. આથી, આ સમયે ગંધાર ઉપર કણિષ્કનું પ્રભુત્વ હોઈ શકે નહીં. આથી, કણિષ્મ વિક્રમ સંવતનો પ્રવર્તક હોવાનો સિદ્ધાંત ટકતો નથી.
પ્રચલિત મત શક સંવતનો
શક સંવતનો પ્રારંભ કરનાર કણિ હતો એ મત સૌથી વધુ પ્રચલિત્ છે. ફર્ગ્યુસન, અને ઓલ્ડનબર્જ આ મતના મુખ્ય સમર્થકો છે. ઉપરાંત થોમસ”, રેપ્સન૫, રાખાલદાસ બેનરજી, વાડેલ૭, ટાર્નć, હરિશ્ચંદ્ર રાય ચૌધરી, હરિચરણ ઘોષ અને દિનેશચંદ્ર સરકાર૪૧ પણ આ મત ધરાવે છે. ફર્ગ્યુસન અને ઓલ્ડનબર્જની દલીલો જ તે પછીના વિદ્વાનોએ સ્વીકારી છે અને પોતપોતાના મતની છાપ ઉપસાવી છે. આ ગ્રંથલેખકે આ વિશે અન્યત્ર આ બાબતે વિગતે ચર્ચા કરી છે; અને સાપેક્ષ સાધનોના આધારે સાબિત કર્યું છે કે કણિષ્ક શક સંવતનો પ્રવર્તક હતો જ નહીં. બલકે, આ સંવતનો પ્રારંભક હતો પશ્ચિમી ક્ષત્રપ રાજા ચાષ્ટ્રન॰. આથી, શક સંવતનો ચલાવનાર કણિષ્ક હતો એ બહુ પ્રચલિત મત હાલના તબક્કે સ્વીકાર્ય રહેતો નથી. તેથી
For Personal & Private Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવ
૧૭૫
કષ્કિ ઈશુની પહેલી સદીમાં સત્તાધીશ હોવાની શકયતા પણ ટકતી નથી. રૈકૂટક-કલ્યુરિસંવત
કણિષ્ક રૈકૂટક-કલ્યુરિ-ચેદિ સંવતનો પ્રવર્તક હતો એવી દલીલ રમેશચંદ્ર મજુમદારે કરી છે. એમનો મુખ્ય આધાર છે ફાન યેનો ગ્રંથ “હો હાન શું". આ ગ્રંથમાં ફાન યેએ ઈસ્વી ૨૫થી ૨૨૦ સુધી ઘટનાઓનું વર્ણન કર્યું છે. ભારત સંદર્ભમાં વર્ણન કરતાં ફાન લખે છે કે આ સમયે બધાં ભારતીય રાજયો ગુચ-ચીહને અધીન હતાં. ફાન યેના આ વિધાનના સમર્થનમાં મજુમદાર હુઆનના ગ્રંથ “વેઈ લુચનો આધાર લે છે. આ ગ્રંથ મુજબ તાહિયા (બેક્ટ્રિયા), કાઓ-કુ(કાબુલ) અને તિયેન-ચુ(ભારત)ના બધા પ્રદેશો યુએચીના તાબે હતાં. તેથી મજુમદાર કણિષ્કને ઈસ્વી ૨૨૦ની આસપાસ સત્તાધીશ હોવાનો મત અભિવ્યક્ત કરે છે. આ વાતે તેઓ આભિલેખિક, પ્રાચીન લિપિકીય અને સિક્કાકીય આધારોનો સહારો લે છે. આમ, તેઓ કણિષ્કના સત્તાકાલને ઈશુની ત્રીજી સદીના મધ્યથી આરંભ થયેલો ગણે છે. પરંતુ કહિષ્કના પુરોહિત સંઘરક્ષકના ગ્રંથ મા ભૂમિસૂત્રનો ચીની અનુવાદ આન્શી કાઓએ (ઈસ્વી ૧૪૮-૧૭૦) કર્યો હતો. એટલે કે કણિષ્ક ઈસ્વી ૧૭૦ સુધીમાં સત્તાધીશ હોય એમ અનુમાની શકાય અને તો મજુમદારનો મત સ્વીકાર્ય રહેતો નથી.
જો કણિષ્કના સત્તાંકાલને કલ્ચરિચેદિ સંવત (ઈસ્વી ૨૪૮-૪૯) સાથે સાંકળીએ તો કણિક્કજૂથના છેલ્લા રાજા વાસુદેવને (વર્ષ ૬૭થી ૯૮ના એના લેખો પ્રાપ્ત થયા છે) આપણે (૨૪૮+૬૭૯=૩૧પથી ૨૪૮+૯૮૪૯=૩૪૬) ઈસ્વી ૩૧૫ અને ૩૪૬ની વચ્ચે શાસન કરતો હોવાનું સ્વીકારવું પડે. પરંતુ ગુપ્તોનું મથુરા ઉપરનું આધિપત્ય સ્થપાયું તે અને તે પૂર્વે મથુરા ઉપર નાગવંશી સાત રાજાઓ શાસનસ્થ હતા તે બંને હકીકતો સાથે બંધ બેસે નહીં. આ કારણે પણ રમેશચંદ્ર મજુમદારનો કલ્ચરિચેદિ સંવતનો સિદ્ધાંત કષ્કિના સંદર્ભમાં સ્વીકૃત જણાતો નથી.
પ્રસ્તુત વિવરણથી એટલું સ્પષ્ટ થાય છે કે કશિષ્ઠનો વિક્રમ, શક કે કલ્યુરિ સંવત સાથે કોઈ સંબંધ હતો નહીં. તે સાથે એટલું પણ અનુમાની શકાય કે કણિષ્કનો સત્તાકાળ અને તે દ્વારા કુષાણવંશનો સત્તાકાળ પશ્ચિમી ક્ષત્રપ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના શાસનત પછી જ આરંભાયો હોવાનું સંભવે છે. આ માટેના પુરાવા અને દલીલો હવે ચકાસીએ. રુદ્રદામા પછી કણિષ્કનું શાસન
આપણે અવલોક્યું કે મથુરા ઉપર ગુખોની સત્તા સ્થપાઈ સમુદ્રગુપ્તના સત્તાકાળ દરમ્યાન (ઈસ્વી ૩૩૦થી ૩૭૦). તે પૂર્વે ઈશુની બીજી સદી દરમ્યાન નાગવંશી શાસકોનો મથુરામાં ઉદય થયો અને ચોથી સદીના પ્રથમ ચરણ સુધી બાર જેટલા નાગ રાજાએ સત્તા સંભાળી હતી. આ દષ્ટિએ ગુપ્તોનું મથુરા ઉપર પ્રભુત્વ સ્થપાયું હોય ઈસ્વી ૩૫૦ આસપાસ. એટલે કે તે પૂર્વે નાગવંશના ૧૨ રાજાએ આશરે એક સૈકા સુધી રાજ્ય કર્યું હોય. અર્થાત્ ઈસ્વી ૨૫૦થી ૩૫૦ સુધી નાગશાસકો મથુરા ઉપર રાજય કરતા હોવા જોઈએ. તદનુસાર કુષાણવંશના મથુરામાંથી પ્રાપ્ત લેખોના આધારે તે પૂર્વે તેમની ત્યાં સત્તા પ્રવર્તતી હોય એટલે કે
For Personal & Private Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
૧૭૬
ઈસ્વી ૧૫૦ અને ૨૫૦ વચ્ચેના ગાળા દરમ્યાન કુષાણોએ મથુરા ઉપર પ્રભુત્વ જમાવ્યું હોય. આ દૃષ્ટિએ કણિષ્ક પશ્ચિમી ક્ષત્રપ રાજા રુદ્રદામાના અવસાન પછી જ રાજ્ય સંપાદન કરી શક્યો હોય તે વધારે સંભવિત હોઈ શકે.
ઉત્તર-પશ્ચિમે વિદેશી શાસકો
ગ્રીક રાજાઓએ ઈસ્વીપૂર્વ ૧૩૦ કે ૧૨૦માં બેક્ટ્રિયા ઉપરનું રાજકીય પ્રભુત્વ ગુમાવ્યા પછી હિન્દુકુશ ગિરિમાળા અને સિંધુ નદીના વિસ્તારો ઉપર રાજ્ય કર્યું હોવાના સિક્કાકીય પુરાવા પ્રાપ્ત થયા છેપર. અહીં ત્યારથી આશરે વીસથી પણ વધારે ગ્રીક રાજાઓએ રાજ્ય કર્યું હતું એવી સાબિતી તેમના સિક્કાઓએ પૂરી પાડી છે. આ એ જ વિસ્તાર છે કે જ્યાં કુષાણવંશના આરંભના બે રાજાઓ-કુજુલ અને વીમ-નું રાજકીય પ્રભુત્વ હતું. આ જ વિસ્તારો ઉપર આ જ સમય દરમ્યાન શક-પહ્લવોની બે શાખાઓના આશરે વીસ જેટલા શાસકોએ સત્તાનાં સૂત્રો સંભાવ્યાં હતાં. આ હકીકત પણ સિક્કાઓથી પુરવાર થઈ છે
૫૪
આથી, સ્પષ્ટ અનુમાન કરી શકાય કે આ વિસ્તારો ઉપર ઈસ્વીપૂર્વ ૧૩૦થી લગભગ ત્રણ સદી સુધી ગ્રીક-શક-પહ્લવ શાસકો પ્રભુત્વ ધરાવતા હોઈ કુષાણોની હકૂમત તે વિસ્તારો ઉપર ત્યારે સંભવી શકે નહીં. વિદેશી પ્રજાઓનાં, મધ્ય એશિયામાં થયેલી ઊથલપાથલના સંદર્ભમાં, ભારત આગમનની પ્રક્રિયાના કાલાનુક્રમનાં નિરીક્ષણ કરવાથી પણ સ્પષ્ટ થાય છે કે કુષાણો, ગ્રીક-શક-પāવ પ્રજાનાં ભારતાગમન પછી જ ભારતમાં આવ્યા. આ બધી દૃષ્ટિએ વિચારતાં એવું સ્પષ્ટ અનુમાન થઈ શકે કે આપણા દેશના વાયવીય પ્રાંતોમાં કુષાણોનું રાજકીય પ્રભુત્વ ઈશુની બીજી સદી દરમ્યાન સ્થપાયું હોય. આ સંદર્ભમાં કણિષ્કનું રાજ્યારોહણ બીજી સદીના ઉત્તરાર્ધમાં થયું હોવા સંભવે.
બીજી સદીના પૂર્વાર્ધમાં કણિષ્ક સત્તાધીશ હતો ?
જે વિસ્તારમાંથી કણિકુલના સિક્કાઓ અને અભિલેખો મળ્યા છે તે મથુરા અને કૌશામ્બી ઉ૫૨ વીસ વીસ જેટલા રાજાઓ અને ક્ષત્રપોની વણતૂટી સત્તા કુષાણો પૂર્વે હોવાનું મંતવ્ય અભિવ્યક્ત થયું છે. આ દૃષ્ટિએ આ વિસ્તારો ઉપર ત્રણેક સૈકા સુધી આ રાજાઓની હકૂમત હતી. મૌર્યો-શંગોની સત્તાના અંત પછી એટલે કે ઈસ્વીપૂર્વ ૧૫૦ પછી ત્રણ સૈકાના સમયાવધિને ધ્યાનમાં લેતાં ઈસ્વી ૧પ૦ પછી મથુરા-કૌશાંબી ઉપર કણિષ્કની સત્તા સ્થપાઈ હોય.
પશ્ચિમી ક્ષત્રપ રાજાઓની ભૌગોલિક મર્યાદા રુદ્રદામાના સમયમાં અતિ વિસ્તૃત હતી. આ ષ્ટિએ પણ ઈશુની બીજી સદીના પૂર્વાર્ધમાં કણિષ્ક સત્તાધીશ હોવાનું સાબિત થતું નથી. બીજી સદીના ઉત્તરાર્ધમાં કણિષ્કનો સમય
પ્રાચીન લિપિવિદ્યાના કેટલાક પુરાવા પણ આપણા ઉપર્યુક્ત મંતવ્યને સમર્થન બક્ષે છે. કુષાણો અને ગુપ્તોના અભિલેખોના અક્ષરો વચ્ચેનું સામ્ય વ્યૂહ્નરે સાબિત કરી બતાવ્યું છે. કણિષ્કના વર્ષ ૧૪ના મથુરાના પીઠિકાલેખમાંના અક્ષરો સમુદ્રગુપ્તના અલાહાબાદના સ્તંભલેખોમાંના અક્ષરો સાથે ગાઢ સામ્ય ધરાવે છે; તેવી જ રીતે કુષાણોના મથુરાના અભિલેખોમાંના અક્ષરો ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના વર્ષ ૬૧ના મથુરાના લેખ॰ સાથે ઘણું સામ્ય
પ
For Personal & Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવ
ધરાવે છે. સ્મિથ દર્શાવે છે તેમ વજન, પ્રકાર, પદ્ધતિ અને પ્રાચીન લિપિવિદ્યાની બાબતમાં પણ ગુપ્તોના સિક્કાઓ અને કણિષ્ક, હવિષ્ક તથા વાસુદેવના સિક્કાઓ વચ્ચે ગાઢ સંબંધ હોવાનું સમજાય છે૨. કુષાણ સિક્કાઓની કેટલીક અસ૨ ગુપ્ત સિક્કાઓ ઉપર જોવી પ્રાપ્ત થાય છે. જો કુષાણો અને ગુપ્તો વચ્ચે, વિક્રમ કે શક સંવત સંદર્ભે સમયનિર્ણય કરીએ તો, લગભગ દોઢબે સદીનું અંતર રહે છે. આથી, કાલગ્રસ્ત વંશના (એટલે કે કુષાણોના) સિક્કાઓનું અનુકરણ ગુપ્તો જેવા શક્તિસંપન્ન સમ્રાટો કરે એ શક્ય જણાતું નથી. આથી, એવું સૂચિત થઈ શકે કે કુષાણો અને ગુપ્તો વચ્ચે સમય બાબતે ઝાઝું અંતર હોઈ શકે નહીં. આમ, સિક્કાઓ અને શિલાલેખોની દૃષ્ટિએ કુષાણોનો અને ગુપ્તોનો સત્તાસમય પરસ્પરની નજીકનો હોવાનું કહી શકાય. બૈજનાથ પુરી' અને બલદેવકુમાર” કણિષ્કના રાજ્યારોહણને ઈસ્વી ૧૪૪ની આસપાસ સૂચવે છે. હિન્દુકુશની દક્ષિણે યુએચી સત્તાના પ્રભાવના દસ્તાવેજો ત્રીજી સદી પૂર્વના હોય તેમ સ્પષ્ટ થતું નથી". સમુદ્રગુપ્તના અલાહાબાદના સ્તંભલેખમાં ડેવપુત્ર શાહાનુ શાહીનો નિર્દેશ દર્શાવે છે કે ચોથી સદીમાં ઉત્તરકાલીન કુષાણો (કુષાણવંશના ત્રીજા કુલના શાસકો) ભારતમાં સત્તાધીશ હતા. ઈસ્વી ૩૦૧થી ૩૦૯ દરમ્યાન સસાની રાજા હોર્મિસદાસ રજાને કોઈ કુષાણ રાજાએ પોતાનું કુંવરી પરણાવી હતી.ક.
૧૭૭
આ બધી ચર્ચા અને વિશ્લેષણથી સૂચવી શકાય કે કુષાણ સમ્રાટ કણિકે ઈશુની બીજી સદીના ઉત્તરાર્ધમાં સત્તા સ્થાપી અને વિસ્તારી; ખાસ કરીને પશ્ચિમી ક્ષત્રપ રાજા રુદ્રદામાના અવસાન પછીથી. આ વાસ્તે કોઈ ચોક્કસ વર્ષનો નિર્દેશ કરવો હાલના તબક્કે શક્ય નથી. કણિ કયો સંવત પ્રવર્તાવ્યો હતો તે પણ પ્રાપ્ત પુરાવા ઉપરથી પુરવાર થતું નથી. પરંતુ એટલું જરૂર સૂચવી શકાય કે પશ્ચિમી ક્ષત્રપ રાજા રુદ્રદામાના અમલના અંત પછી અને મથુરા ઉપરના નાગવંશી રાજાઓના અમલ પૂર્વે કોઈ સમયે કણિષ્કજૂથના રાજાઓએ રાજ્ય કર્યું હોય એ વધારે સંભવિત જણાય છે . .
પાદનોંધ
૧. રીડિંગ ઇન ધ પલિટિકલ હિસ્ટરી ઑવ ઇન્ડિયા, ૧૯૭૬, દિલ્હી, (સંપાદક, એસ. પી. ગુપ્તા અને અન્ય), પૃષ્ઠ ૬૯. (હવે પછી રીપહિત.)
૨. એજન, પૃષ્ઠ ૬૬.
૩. બૈજનાથ પુરી, ઇન્ડિયા અંડર ધ કુષાણ્ય, મુંબઈ, ૧૯૬૫, પૃષ્ઠ ૪૯.
૪. આસઇરી., પુસ્તક ૩, પૃષ્ઠ ૩૧ અને પટ્ટ ૧૩.
૫. જુઓ : પાદનોંધ ત્રણ, પરિશિષ્ટ બી, ક્રમાંક ૧૦૦ (પૃષ્ઠ ૨૪૮), ક્રમાંક ૬૦ (પૃષ્ઠ ૨૪૨) અને ક્રમાંક ૮૯ (પૃષ્ઠ ૨૪૬) અનુક્રમે.
૬. બૈજનાથ પુરી, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૩૮થી ૫૦ તથા બલદેવકુમાર, ધ અર્લી કુષાણ્ય, પૃષ્ઠ ૫૮થી ૭૭.
૭. જરાઁએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૧થી ૬૪.
૮. અહિઇ., પૃષ્ઠ ૨૫૮.
૯. કૉઇઇ., ૧૮૮૮, પૃષ્ઠ ૫૭, ૫ટ્ટ ૧. ૧૦. જરાઁએસો., ૧૯૧૩, પૃષ્ઠ ૯૮૦-૮૧.
For Personal & Private Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ક્ષત્રપકાલીન ગુજરાત ૧૧. બૉબારૉએસો., પૃષ્ઠ ૨૦, ૧૯૦૦, પૃષ્ઠ ૩૫૬. ૧૨. ધ અર્લી કુષાસ, પૃષ્ઠ ૬૨. ૧૩. ધ એન્શન્ટ ઍન્ડ હિન્દુ ઈન્ડિયા, ૧૪. ઈન્ડિયન પેલિયોંગ્રા, ૧૯૫૨, વારાસણી, પૃષ્ઠ ૧૯૫. ૧૫. ગાઈડ ટુ તક્ષશિલા, ૧૯૧૮, પૃષ્ઠ ૨૨. ૧૬. અનુક્રમે કૉઈઈ., પુસ્તક ૨, ભાગ ૧, ૧૯૨૯, પૃષ્ઠ ૯૩; ઇક્વિૉ ., ૧૯૨૬, પુસ્તક ૨, પૃષ્ઠ ૧૮૦
અને ઇએ., પૃષ્ઠ ૧૯૫. ૧૭. બેગ્રામ ઉખનનનો અહેવાલ. જર્નલ એશિયાટિક, ૧૯૩૪, નંબર ૨૩૪, પૃષ્ઠ ૫૯ થી. ૧૮. પુરાણિક ક્રનૉલજિ, આણંદ, ૧૯૫૧, પૃષ્ઠ ૧૬૨. ૧૯. ઇક્વિૉ ., ૧૯૨૬, પુસ્તક ૨, પૃષ્ઠ ૧૭૭. ૨૦. જરૉએસો., ૧૮૭૦, પુસ્તક ૩૯, પૃષ્ઠ ૬પથી; ઇએ., પુસ્તક ૧૦, ૧૮૮૧, પૃષ્ઠ ૩૨૪થી. ૨૧. એઈ., પુસ્તક ૮, પૃષ્ઠ ૪૨થી પંક્તિ ૧૧ અને ૧૨. ૨૨. આસઇરી., પુસ્તક ૨, પૃષ્ઠ ૬૮ અને પુસ્તક ૩, પૃષ્ઠ ૩૦. ૨૩. જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૩૩૩. ઉપરાંત આ જ સામયિકના ૧૯૦૫થી ૧૯૦૮ અને ૧૯૧૨થી
૧૯૧૫ સુધીના અંકો પણ આ બાબતે અવલોક્વા. ૨૪. જરૉએસો., ૧૯૧૨, પૃષ્ઠ ૬૬૫, ૯૮૧; ૧૯૧૩, પૃષ્ઠ ૩૫૯, ૬૬૧ અને ૧૦૫૪. ૨૫. Bruchstpe Buddhisticher Dramen, Berlin, ૧૯૭૧, પૃષ્ઠ ૧૧. ૨૬. BF, Berlin, ૧૯૦૪, પૃષ્ઠ ૯૯. ૨૭. જરૉએસો., ૧૯૧૩, પૃષ્ઠ ૯૪૨-૪૫. ૨૮. સંદર્ભ : ઈક્વિૉ ., ૧૯૨૮, પૃષ્ઠ ૭૬૦-૬૪. ૨૯. ઇન્ડિયન કલ્ચર, ૧૯૩૫, પૃષ્ઠ ૪૭૭. ૩૦. બળદેવકુમાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૬૯-૭૦. ૩૧. આધાર : હરિચરણ ઘોષ, ઇહિકૉ., ૧૯૨૮, પૃષ્ઠ ૭૬૦-૬૫. ૩૨. જરૉએસો., પુસ્તક ૧૨, ૧૮૮૦, પૃષ્ઠ ૨૫૯-૮૫. ૩૩. ઈએ., ૧૮૮૧, પૃષ્ઠ ૨૧૩-૧૬. ૩૪. જરૉએસો., ૧૯૧૩, પૃષ્ઠ ૬૨૭-૩૦. ૩૫. ક્રેડિઈ., ભાગ ૧, પૃઇ ૫૮૩ અને ૭૦૩. ૩૬. ઇએ., ૧૯૦૮, પૃષ્ઠ ૫૧ અને ૭૮. ૩૭. જરૉએસો., ૧૯૧૩, પૃષ્ઠ ૯૪૫-૫૨. ૩૮. ગ્રીબેઇ., પૃષ્ઠ ૩૫૨. ૩૯. પોહિએઈ., પૃષ્ઠ ૨૯૭, પૃષ્ઠ ૨૯૭-૯૮. ૪૦. ઈક્વિૉ ., ૧૯૨૮, પૃષ્ઠ ૭૬૦-૬૪; ૧૯૨૯, પૃષ્ઠ ૪૯-૮૦. ૪૧. એઇયુ, પૃષ્ઠ ૧૪૪-૪૫. ૪૨. જુઓ : રસેશ જમીનદાર, ઇતિહાસ સંશોધન, ૧૯૭૬, પ્રકરણ ૬ અને ક્ષત્રપકાલનું ગુજરાત,
૧૯૭૫, પૃષ્ઠ ૩૯થી.
For Personal & Private Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવા
૧૭૯
૪૩. આ ગ્રંથમાં પરિશિષ્ટ પાંચ. ૪૪. ઇએ., ૧૯૧૭, પૃષ્ઠ ૨૬૧થી. ઉપરાંત જુઓ : રમેશચંદ્ર મજુમદાર, રીપહિઈ., પ્રકરણ ૧૧. ૪૫. ફ્રાન યેનું અવસાન ઈસ્વી ૪૪૯માં થયું હતું. તે દૃષ્ટિએ તેમનો આધાર શ્રદ્ધેય બની શકે નહીં. ૪૬. ‘વેઈ લુચ' ગ્રંથ ઈસ્વી ૨૩૯ અને ૨૬૫ વચ્ચે રચાયો હતો. ૪૭. બલદેવકુમાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૭૧. ૪૮. મથુરાની બુદ્ધિપ્રતિમા લેખ વર્ષ ૬૭નો છે, પ્રદહિકૉ., હૈદરાબાદ બેઠક, પૃષ્ઠ ૧૬૩. ૪૯. મથુરા જૈનલેખ વર્ષ ૯૮નો. જુઓ : એઈ., પુસ્તક ૨, પૃષ્ઠ ૧૦૮, નંબર ૨૪. ૫૦. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો વર્ષ ૬૧નો ગુપ્ત સંવતનો મથુરા સ્તંભલેખ (જુઓ : દ.બા. ડિસ્કલકર,
ઍભાઓરીઇ., પુસ્તક ૧૭, પૃષ્ઠ ૧૬૬). પરંતુ તે પૂર્વે સમુદ્રગુપ્તના શાસનકાળ દરમ્યાન મથુરા ઉપર
ગુપ્તોનું આધિપત્ય પ્રસ્થાપિત થયું હતું. ૫૧. પરમેશ્વરીલાલ ગુપ્ત, કૉઇન્સ, પૃષ્ઠ ૪૧. ઉપરાંત વાયુપુરાણ પણ મથુરા ઉપર નાગવંશી સત્તાનો નિર્દેશ
કરે
છે.
૫૨. જુઓ પાદનોંધ ૧. પ૩. જુઓ : રસેશ જમીનદાર, પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૦૯થી ૧૧૬. ૫૪. જુઓ : પાદનોંધ ૧, પૃષ્ઠ ૬૬-૬૭. જુઓ રસેશ જમીનદાર, એજન, પૃષ્ઠ ૧૧૬થી ૧૨૧. ૫૫. રસેશ જમીનદાર, ઈતિહાસ સંશોધન, પ્રકરણ ૧૨ અને આ ગ્રંથમાં પ્રકરણ ૩. ૫૬. આ મંતવ્ય પરમેશ્વરીલાલ ગુપ્તનું છે. સંદર્ભ વાસ્તે જુઓ રમેશચંદ્ર મજુમદાર, ઉપર્યુક્ત ગ્રંથ (પાદનોંધ
૧ મુજબ) પૃષ્ઠ ૬૭. ૫૭. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ અગિયાર અને નકશો નંબર ૨. . ૫૮. સંદર્ભ માટે જુઓ પાદનોંધ ૧, પૃષ્ઠ ૬૮. ૫૯. એઈ., પુસ્તક ૧૯, પૃષ્ઠ ૯૬. ૬૦. જએસોબેં., પુસ્તક ૩, પૃષ્ઠ ૧૧૮. ૬૧. એઈ.. પુસ્તક ૨૧, પૃષ્ઠ ૧. ૬૨. જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૩૫. ઉપરાંત કેટલૉગ ઑવ કૉઇન્સ ઇન ધ ઇન્ડિયન મ્યુઝિયમ, ભાગ ૧,
૯૭. ૬૩. પાદનોંધ ૩, મુજબ, પૃષ્ઠ ૪૯-૫૦. ૬૪. ધ અર્લી કુષાણસ, પૃષ્ઠ ૭૪-૭૫. ૬૫. રમેશચંદ્ર મજુમદાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૬૯. ૬૬. એજન. ૬૭. ઈસ્વીપૂર્વ ૧૦ની આસપાસ હિયંગનુના હાથે યુએચીનો પરાજય થયો. તેથી યુએચીઓ તાડિયામાં
સ્થિર થયા અને પાંચ વિભાગમાં વહેંચાઈ ગયા, જેમાંનો એક વિભાગ કુષાણ નામે ઓળખાયો. આ પછી આશરે સો વર્ષે કુષાણનેતા થવુગે અન્ય ચાર જૂથો ઉપર આક્રમણ કરીને, તેમને હરાવીને પોતાનામાં એ જૂથોને ભેળવી દીધાં અને પછી તે સમ્રાટ બન્યો. તે પછી પાર્થિયા ઉપર આક્રમણ કર્યું. કાબુલ ઉપર પ્રભુત્વ પ્રસ્થાપ્યું. કિપીન જીત્યું. અને એસીની વયે અવસાન પામ્યો. એનો પુત્ર એનો અનુગામી રાજા થયો અને તેણે ભારત જીત્યું. આ સમયથી યુએચઓ શક્તિસંપન્ન થયા. આ દષ્ટિએ પણ સૂચવી શકાય કે કણિષ્ક ઈશની બીજી સદીના ઉતરાર્ધમાં સત્તાધીશ થયો હોય.
For Personal & Private Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ દશ
પશ્ચિમ ભારતના બે પ્રમુખ રાજવંશો : કેટલાક યક્ષપ્રશ્ન
આપણા દેશના પૂર્વકાલીન ઇતિહાસમાં પશ્ચિમ ભારતમાં બે પ્રમુખ રાજવંશો વિશેષ જાણીતા હતા : ગુજરાતના પશ્ચિમી ક્ષત્રપો અને દખ્ખણના સાતવાહન શાસકો. આ બંને રાજવંશોની રાજકીય સરહદો અડોઅડ હતી અને વખતોવખત સરહદો બદલાતી રહેતી હતી. આ બંને રાજવંશો એમની શાસનપ્રણાલિમાં લાક્ષણિક અને વિલક્ષણ હતા અને રાજયવિસ્તાર તથા દીર્થશાસન કાજે વિખ્યાત હતા. એક તરફ બંને રાજવંશોએ કેટલાક સમય વાસ્તે કૌટુંબિક સંબંધો સુદઢ કર્યા હતા તો બીજી બાજુએ રાજકીય દુશ્મનાવટનો અનુભવ પણ કર્યો હતો. ઘણાં બધાં ક્ષેત્રોમાં આ બંને રાજવંશોમાં પરસ્પરની અસરો જોવી પ્રાપ્ત થાય છે. પરંતુ આ બંને રાજવંશો વચ્ચેના કૌટુંબિક સંબંધો સહિતના રાજાશાહી સંબંધો વિશે ઘણું ઓછું અને આછું નિરૂપણ થયું છે. આથી, અહીં આ મુદ્દા પરત્વે થોડુંક વિશ્લેષણ કરવાનો એક પ્રયાસ કર્યો છે. મહત્ત્વનાં સાધનો
આ બંને શક્તિસંપન્ન રાજવંશો સંદર્ભે અગત્યના સ્રોત વિશે પ્રારંભમાં સંક્ષિપ્ત ચર્ચા કરીશું.
(૧) પેરિપ્લસ ઑવ ધ ઈરિશિયન સી : આ ગ્રંથમાં સાતવાહન રાજાએ ક્ષહરાત રાજા નહપાનને હરાવેલો તે વિશે અને તેના રાજયની વિસ્તરતી સરહદોનો ખ્યાલ આપ્યો છે, જેમાં ભરૂચનો સમાવેશ થાય છે.
(૨) આવશ્યક સૂત્ર નિયુક્તિઃ આ જૈન ગ્રંથમાં મહત્ત્વના ત્રણ મુદ્દાઓનો ઉલ્લેખ છે : ૧. પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનો વચ્ચેનું યુદ્ધ. ૨. ભરકચ્છના નહપાનની આર્થિક સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાનના સાતવાહનની સૈન્યશક્તિ (અર્થાત્ નભોવાહન કોશસમૃદ્ધ હતો અને સાલવાહન બલસમૃદ્ધ હતા). અને ૩. દગો રમવાના આશયથી સાલવાહનના કહેવાતા બરતરફ અમાત્યનું નહપાનની રાજકીય સેવાઓમાં સંલગ્નિત થવું.
(૩) જોગલ થમ્બીનો સિક્કાનિધિ : મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લામાં સ્થિત આ સ્થળેથી ચાંદીના સિક્કાનો એક વિપુલ સંગ્રહ હાથ લાગેલો જેમાં નહપાનના સિક્કાઓ છે અને જેમાંના મોટાભાગના સિક્કાઓ ઉપર સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ પોતાની છાપ ઉપસાવી હતી.
(૪) રુદ્રસિંહ ૧લાના સિક્કા : આ રાજાના વર્ષયુક્ત સિક્કાઓના નિર્માણથી કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત થયા છે, જેમાં એક છે : સાતવાહનોએ પશ્ચિમી ક્ષત્રપોના પ્રદેશ જીતી લીધા અને ક્ષત્રપસૂબાની દેખરેખ હેઠળ તે પ્રદેશો મૂક્યા.
(પ) ગૌતમીપુત્ર શાતકર્ણિના તાંબાના સિક્કા, જેના ઉપર ચાષ્ટને પોતાની છાપ
For Personal & Private Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ દશ
૧૮૧
ઉપસાવી હતી.
(૬) રુદ્રસિંહ ૧લાના સિક્કા ઉપરના લખાણમાં પ્રાકૃત ભાષાના વિનિયોગથી સાતવાહન પ્રભાવનું સૂચન વ્યક્ત થયું છે.
(૭) વાસિષ્ઠીપુત્ર પુલુમાવિનો નાસિકનો ગુફાલેખઃ આ લેખમાં ગૌતમીપુત્ર શાતકર્ણિએ પશ્ચિમી ક્ષત્રપ રાજવંશને નિર્મૂળ કર્યાનો નિર્દેશ છે.
(૮) રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ ઃ આ લેખમાં સ્પષ્ટ નિર્દેશ છે કે તેણે ક્ષિણાપથના સ્વામી શાતકર્ણિને બે વખત હરાવ્યો પણ તે દૂરનો સગો ન હોઈ તેને છોડી મૂક્યો.
(૯) કહેરી ગુફાનો લેખ ઃ આ લેખમાં જણાવ્યા મુજબ ગૌતમીપુત્ર સિરિ શાતકર્ણિની પત્ની મહાક્ષત્રપ રુદ્રદામાની પુત્રી હતી.
(૧૦) બંને રાજવંશના અભિલેખ : આ લખાણોમાં પરસ્પર એકબીજા પાસેથી પ્રાપ્ત કરેલા પ્રદેશોનો નિર્દેશ થયેલો છે”.
(૧૧) સાતવાહનોના શિલાલેખો : જેમાં શહેરીત શબ્દનો નિર્દેશ પશ્ચિમી ક્ષત્રપ રાજવંશના એક કુળ તરીકે થયેલો છે.
(૧૨) સિક્કા ઉપરની મુખાકૃતિ : બંને રાજવંશના સિક્કા ઉપર અગ્રભાગે સિક્કા નિર્માણ કરનાર જીવિત રાજાની મુખાકૃતિ ઉપસાવવાની પ્રથાનું સામ્ય છે''.
(૧૩) ત્રિકૂટ પર્વતનું પ્રતીક : બંને રાજવંશના સિક્કા ઉપર પૃષ્ઠભાગે “ચૈત્ય પ્રતીક તરીકે ઓળખાતા ત્રિકૂટ પર્વતના પ્રતીકને ઉપસાવવાની સામાન્ય પદ્ધતિ.
(૧૪) સામ બિરુદ : સ્વામી=સામ બિરુદનો સહુ પ્રથમ પ્રયોગ ક્ષત્રપોએ કર્યો, જેનું અનુકરણ સાતવાહનોએ કર્યું હતું.
(૧૫) મૂળ શક જાતિના સૈનિકો : એમણે પોતાના શક શાસકોની તો સૈન્યસેવા કરેલી પણ સાતવાહન શાસકોના સૈન્યમાં કામ કરેલું.
(૧૬) આ બંને રાજવંશોના અભિલેખોમાં પિતૃપક્ષના નામનો વિનિયોગ સામાન્ય હતો૧૫.
(૧૭) શક સંવત : આ વિખ્યાત સંવતનો પ્રારંભ ચાને કર્યો હતો, ખાસ તો સાતવાહનો ઉપરના વિજયની સ્મૃતિમાં. બંને રાજવંશનો સંક્ષિપ્ત પરિચય
શક જાતિના પશ્ચિમી ક્ષત્રપોથી વિશેષ ખ્યાત આ શાસકો સ્વતંત્ર સત્તાધીશ પ્રારંભથી જ હતા અને તત્કાલના ગુજરાતના વિશાળ ભૂભાગ ઉપર (આજના પશ્ચિમી ભારતના પોણા ભૂભાગ ઉપર) ઈસ્વી ૨૩થી ૪૧૫ સુધી તેમણે સત્તાનાં સૂત્રો સંભાળેલાં હતાં. સમયાંતરે તેમણે વિવિધ પાટનગરો (દા.ત. ભરુકચ્છ, ઉજ્જૈન અને ગિરિનગર)માંથી શાસન કર્યું હતું. ગુજરાત ઉપર રાજકીય પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યા પછી તેઓ લગભગ નામકર્મે ભારતીય બની ગયા હતા. ત્યારના આપણા રાષ્ટ્રના બધા પ્રમુખ ધર્મ પ્રત્યે તેઓ શ્રદ્ધાન્વિત હતા. આ રાજાઓએ પોતાના
For Personal & Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ક્ષત્રપકાલીન ગુજરાત ચાંદીના સિક્કાઓ ચલણ-અર્થે નિર્માણ કર્યા હતા. અને આપણા દેશાના સિક્કા વિજ્ઞાનના વિકાસમાં કેટલાક અભિનવ લક્ષણોનું યોગદાન કર્યું હતું. એમના સિક્કાઓની સહાયથી આપણે આ રાજાઓની વંશાવળી અને એમનો કાલાનુક્રમ નિર્ણિત કરી શક્યા છીએ. એમનો રાજગાદીનો ઉત્તરાધિકાર સુગ્રથિત અને સુચારુ હતો. ગુજરાતના પૂર્વકાલના રાજકીય ઇતિહાસમાં એમનું રાજય સહુ પ્રથમ સ્વતંત્ર સત્તાધીશ હતું અને ગુજરાત-ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ એમનું યોગદાન ધ્યાનાર્ય ગણાય છે. વિશેષ તો એ કે આપણા રાષ્ટ્રના પૂર્વકાલીન ઇતિહાસમાં એમનું રાજય પહેલપ્રથમ દીર્ઘશાસીત રાજ્ય હતું.
વિંધ્યાચળની દક્ષિણના ભારતમાં સાતવાહન શાસકો પ્રાધાન્ય ધરાવતા હતા. આ શાસકો અન્યથા આંધો અથવા આંધ્રભૃત્યો તરીકે પ્રખ્યાત હતા. ક્ષિપથના સ્વામી તરીકે જાણીતા આ રાજવંશના શાસકોએ ઈસ્વીપૂર્વ પહેલી સદીના પૂર્વાર્ધથી ઈસ્વીસનની ત્રીજી સદીના પ્રથમ ચરણ સુધી સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. આથી, તેઓ લગભગ એક સદીની સમયાવધિ દરમ્યાન પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સમકાલીન હતા એમ કહી શકાય. આ સાતવાહન રાજાઓની રાજધાની પ્રતિષ્ઠાન (આજનું પૈઠણ) હતી, જે મહારાષ્ટ્રના વારંગલ જિલ્લામાં ગોદાવરી નદીના કાંઠે આવેલું હતું. એમના મૂળ વિશે હજી વિવાદ શમ્યો નથી. ઈતિહાસવિદો વાસ્તે આજેય સાતવાહનોના મૂળ વતન વિશે અને એમના કાલાનુક્રમ વિશેના કેટલાક પ્રશ્નો ચર્ચય રહ્યા છે. જૈન ગ્રંથમાંની એક ગાથા
માવશ્યસૂત્ર નિર્યુક્ટ્રિમાં એક ગાથા આ મુજબ નિરૂપાઈ છે; જેમાં પશ્ચિમી ક્ષત્રપ રાજા અને સાતવાહન શાસક વચ્ચેના યુદ્ધની વિગતોનું વર્ણન છે : ભરુકચ્છ ધર્માચાર્યો (જિનદેવ અને કુણાલ), તથા રાજનેતાઓ (નહપાન અને સાતવાહન) માટે પ્રખ્યાત છે. ભરુકચ્છના નવાણે ઘણી સમૃદ્ધિ એક્કી કરી હતી (અર્થાત્ કહો કે તે શસમૃદ્ધ હતો). ભરુકચ્છ એની રાજધાની હતી. પ્રતિષ્ઠાનનો સાતવાહન રાજા સૈન્યશક્તિમાં બળવાન હતો (અથવા તે વનસમૃદ્ધ હતો). સાતવાહન રાજાએ બે વર્ષ સુધી ભરુકચ્છને લશ્કરના પ્રભાવ હેઠળ ઘેરી રાખ્યું પણ તે તેના ઉપર (રાજકીય) પ્રભાવ જમાવી શક્યો નહીં. આથી, તે પ્રતિષ્ઠાન પાછો ફરેલો. છતાં તે કોઈ પણ પદ્ધતિએ ભરુકચ્છને જીતવા ઉત્સુક હતો જ. એટલે તેણે છળકપટનો આશ્રય લીધો. એણે પોતાના એક પ્રધાનને રાજયની સેવામાંથી કાઢી મૂક્યો અને નહપાનના દરબારમાં ભરુકચ્છ જવાની સૂચના આપી. તદનુસાર આ નિર્વાસિત પ્રધાન ભરુકચ્છ ગયો અને પોતાના રાજાએ પોતાને કાઢી મૂક્યો હોવાની વાત નહપાનને જણાવી. નહપાને એના ઉપર વિશ્વાસ રાખીને રાજયના નોકર તરીકે એને રાખી લીધો. સાતવાહન રાજાની આ હોંશિયારીભરી યુક્તિ હતી. તરછોડાયેલા પ્રધાને નહપાનને દાનધર્માધામાં નાણાં વાપરવાની અને એ રીતે પરલોકમાં વિશિષ્ટ સ્થાન સંપ્રાપ્ત કરવાની સલાહ આપી. નહપાને આથી છૂટા હાથે ધર્મદાનમાં નાણાં ખર્ચવા માંડ્યાં. પરિણામે રાજયની તીજોરી ખાલી થઈ ગઈ. આનો લાભ લઈને સાતવાહન રાજાએ ભરુકચ્છને પુનઃ ઘેરો ઘાલ્યો, ભરુકચ્છ જીત્યું અને નહપાન માર્યો ગયો.
પ્રસ્તુત ગાથામાંની ઘણી માહિતી વિગતે ઐતિહાસિક ન હોય તો પણ એ હકીકતો -૧. નહવાણ અને સાલવાહણની સમકાલીનતા અને ૨. સાતવાહન રાજાના હાથે નહપાનની હાર
For Personal & Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ દશ
૧૮૩
– તો ઐતિહાસિક છે જ°. ગ્રીક સફરનો અહેવાલ
આ અહેવાલ “ધ પેરિપ્લસ ઑવ ધ ઇરિશિયન સી' નામથી ખ્યાત છે. સંક્ષેપમાં તેનું હૂલામણું નામ છે “પેરિપ્લસ'. ગ્રીસના એક અજ્ઞાત મુસાફરે પોતાની દરિયાઈ સફરનું આ ગ્રંથમાં વિગતથી વર્ણન કર્યું છે જેમાં ગુજરાતના સમુદ્રકાંઠા વિશે અને વહાણવટા વિશે સારી માહિતી આપી છે. અગાઉ અવલોકિત જૈન ગાથામાંની હકીકતોને બીજા એક સાહિત્યિક પુરાવાનું સમર્થન સાંપડે છે. આ ગ્રીકગ્રંથમાં પણ સાતવાહન રાજાના હાથે નહપાનની હારનું વર્ણન છે. એમાં રાતા સમુદ્રથી હિન્દી મહાસાગર સુધીની દરિયાઈ સફરની માહિતી આપતાં લેખકે નહપાનના રાજયની સરહદોનું વર્ણન કરેલું છે, જેમાં તેણે ભરુચનો ઉલ્લેખ પણ કર્યો છે. નહપાન મોજીલો રાજા હતો એવું વર્ણન એમાં છે. નહપાન માટે મેસ્વરો નામનો નિર્દેશ છે. ઇતિહાસકારો આ માટે વિવિધ નામ પ્રયોજે છે : એમ્બનોસ, મેનબ્રુસ, મમ્બરસ, મેમ્બનેસ, નાબુનુસ ઇત્યાદિ.
પ્રસ્તુત બંને સાહિત્યિક નિર્દેશ ઉપરથી સૂચિત થાય છે કે સાતવાહન રાજાએ હરાત નહપાનને હરાવ્યો હતો અને એના વંશનો ઉચ્છેદ કર્યો હતો; તેમ જ નહપાનની રાજધાની ભરૂચ ઉપર કબજો જમાવ્યો હતો. આથી, સ્પષ્ટ થાય છે કે પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનો સમકાલીન અને પ્રતિસ્પર્ધી તેમ જ સામાજિક સંબંધોથી બદ્ધ હતા. પુલુમાવિનો નાસિકગુફાનો લેખ
વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના પ્રસ્તુત લેખમાં સ્પષ્ટ નોંધે છે કે સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ ક્ષણારત વંશને નિર્મૂળ કર્યો હતો. આ ગુફાલેખમાં૨ વરઘરાત શબ્દનો ઉલ્લેખ નહપાનના વંશ વાસ્તે થયો છે. આ વંશ હકીકતમાં ક્ષહરત વંશ તરીકે જાણીતો છે. આ અભિલેખિક પુરાવો સ્પષ્ટ રીતે અગાઉ અવલોકિત બંને સાહિત્યિક પુરાવાનું સમર્થન કરે છે. આ રીતે સાહિત્યિક લખાણોની ઐતિહાસિક્તા પુરવાર થાય છે. જોગલથમ્બીનો સિક્કાનિધિ
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના જોગલથપ્પી નામના સ્થળેથી (આજના નાસિક શહેરની નજીક) ચાંદીના સિક્કાનો એક મોટો નિધિ હાથ લાગ્યો હતો તે આપણે અવલોકી ગયા છીએ (જુઓ પરિશિષ્ટ ત્રણ). આમાંથી નહપાનના ૯૨૭) સિક્કા ઉપર ગૌતમીપુત્ર શાતકર્ણિએ પોતાની છાપ પડાવી હતી. આથી સ્પષ્ટ થાય છે કે ગૌતમીપુત્ર શાતકર્ણિએ નહપાનને હરાવ્યો હતો અને એના વંશને નિર્મૂળ કર્યો હતો.
આ રીતે, જોગલથમ્બીનો સિક્કાનિધિ૩ શાતકર્ણિના હાથે નહપાનની હાર અને સાતવાહન રાજયમાં ક્ષહરાત વિસ્તારોનો સમાવેશ જેવી અગાઉ વર્ણિત ઐતિહાસિક હકીકતોને શાહેદી બક્ષે છે. આથી, એટલું સૂચિત થાય છે કે સાતવાહનોએ ગુજરાતના દક્ષિણ વિસ્તારના ભૂભાગ ઉપર શાસન કર્યું હતું. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે સાતવાહન રાજા અને ક્ષહરાત શાસક વચ્ચે સમકાલીન શાહી સંબંધો હતા.
For Personal & Private Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ક્ષત્રપકાલીન ગુજરાત
રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ
આ શૈલલેખ અંગેની ચર્ચા આપણે અગાઉ કરી છે (જુઓ પરિશિષ્ટ સાત). આ લખાણનું ઐતિહાસિક મહત્ત્વ અનેરું છે; કેમ કે તેમાં પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનો, ખાસ કરીને રુદ્રદામા અને શાતકર્ણિ, વચ્ચેના સામાજિક સંબંધો વિશે કેટલોક પ્રકાશ મળે છે (જુઓ પરિશિષ્ટ છે).
અહીં આનો નિર્દેશ સાતવાહનો સાથેના પશ્ચિમી ક્ષત્રપોના રાજકીય અને સામાજિક સંબંધો પરત્વે ધ્યાન દર્શાવવાનો છે : દક્ષિણાપથના સ્વામીને બે વખત હરાવ્યા છતાંય નજીકના સંબંધને કારણે છોડી મૂક્યો. આ શાતકર્ણિ કોણ તેની વિગતે ચર્ચા પરિશિષ્ટ છમાં આપણે કરી છે.
એક બાબત ચોક્કસ છે કે પશ્ચિમ ભારતના આ બંને પ્રમુખ રાજવંશો રાજકીય અને સામાજિક તેમ જ કેટલીક બાબતોમાં સાંસ્કૃતિક સંબંધોથી સંલગ્નિત હતા, જે વિશે સાહિત્યિક અને આભિલેખિક પુરાવાઓ સમર્થન આપે છે. આ બાબતે આ જ પ્રકરણમાં અન્યત્ર માહિતી આપી છે. કહેરી ગુફાનો લેખ
આ બંને રાજવંશો વચ્ચેની લડાઈ આપણે નોંધ્યું તેમ રાજકીય અને સરહદો અંગેની હતી. આમ તો, બંને પક્ષે હાર અને જીતની હકીકત છે પણ સામાજિક સંબંધો જોતાં વિડંબના પણ જોવી પ્રાપ્ત થાય છે. આપણે અવલોક્યું તેમ અર્થબળ અને સૈન્યબળ વચ્ચેનો મુકાબલો છે જેમાં દગો કરનાર ફાવી જાય છે. નહપાને ગૂમાવેલા પ્રદેશ ચષ્ટિને પાછા મેળવ્યા અને સાતવાહન રાજા ગૌતમીપુત્રને વૃદ્ધાવસ્થામાં પોતાના રાજયની પડતી જોવી પડી. ગુજરાતમાં ચલણમાં રહેલા ગૌતમીપુત્રના તાંબાના સિક્કા ઉપર ચાષ્ટને પ્રતિછાપ ઉપસાવી; જે કાર્ય અગાઉ નહપાનના ચાંદીના સિક્કા ઉપર પ્રતિછાપ પાડવાનું ગૌતમીપુત્રે કરેલું. ચારુનને એના પૌત્ર રુદ્રદામાએ સહાય કરેલી. પુલુમાવિને આ બંને શક્તિસંપન્ન રાજાઓનો સામનો કરવો પડેલો અને અંતે સમાધાન કરવું પડેલું અને વિશેષ માનહાનિનો અનુભવ કરવો ના પડે તેથી પુળમાવિએ પોતાના લઘુબંધુ વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિનાં લગ્ન રુદ્રદામાની પુત્રી સાથે કર્યાં હતાં જેની વિગતો આ કહેરી લેખમાં છે. સાતવાહનના ક્ષત્રપસૂબાની હકીકત
આપણે અવલોકી લીધું કે તિથિયુક્ત સિક્કાઓનું નિર્માણ કરનાર પહેલપ્રથમ પશ્ચિમી ક્ષત્રપ શાસક રુદ્રસિંહ ૧લો હતો. આપણા દેશના સિક્કાવિજ્ઞાનના ઇતિહાસમાં આ ઘટના સીમાચિહ્નરૂપ ગણાય છે. જો કે વર્ષયુક્ત એના સિક્કાથી કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવ્યા છે, જેમાંનો એક છે પડોશી કે વિદેશી આક્રમણનો. રેપ્સન, ભાંડારકર, અળતેકર અને સુધાકરે રુદ્રસિંહ ૧લાના વર્ષ ૧૧૦ અને ૧૧૨ના ક્ષત્રપ તરીકેના સિક્કાઓના આધારે આ પ્રકારની દલીલ પ્રસ્તુત કરી છે. આમાં સુધાકર ચટ્ટોપાધ્યાયની દલીલ મુજબ આ વર્ષો દરમ્યાન સાતવાહનોએ ક્ષત્રપ પ્રદેશ જીતી લીધો હોય અને તેની દેખરેખ રાખવા સારુ રુદ્રસિંહને ક્ષત્રપ
For Personal & Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ દશ
૧૮૫
તરીકે નીમ્યો હોય. જો કે આ દલીલ ગ્રાહ્ય બનતી નથી. એક બાબત એવી સૂચિત થઈ શકે છે કે રુદ્રસિંહ ૧લાના શાસનકાળ દરમ્યાન પશ્ચિમ ભારતના આ બે પ્રમુખ રાજવંશ વચ્ચે કાં તો દુશ્મનાવટનો કે કાં તો મિત્રતાનો સંબંધ હોય. શક સંવતનો પ્રારંભક ચાષ્ટન
પ્રસ્તુત મુદ્દાની વિગતે છણાવટ આ ગ્રંથમાં પરિશિષ્ટ પાંચમાં કરી છે. અહીં તો આ બાબતનો નિર્દેશ પ્રસ્તુત રાજવંશો વચ્ચેના સંબંધોની તાસીરને ઉપસાવવા મિષે છે; કેમ કે આપણે નોંધ્યું તેમ શક સંવતનો પ્રારંભ કરવાનો મુખ્ય ઉદ્દેશ સાતવાહન રાજાઓ ઉપરની જીતની સ્મૃતિને ચિરંજીવ બનાવવાનો હતો. અર્થાત્ આપણે અગાઉ જોઈ ગયા તેમ નહપાને ગુમાવેલા પ્રદેશો સાતવાહનો પાસેથી ચાખને પાછા મેળવ્યા. આ ભવ્ય વિજયની યાદમાં ચાષ્ટને આ સંવત પ્રવર્તાવ્યો હતો. અભિલેખો અને રાજ્યવિસ્તાર
અદ્યાપિ આપણે પારદર્શક રીતે બંને પ્રમુખ રાજવંશો વચ્ચેના રાજકીય અને સરહદી સંબંધો બાબતે નોંધ કરી છે. ખાસ તો, બંને રાજવંશોએ જીતેલા અને ગુમાવેલા પ્રદેશ વિશેની હકીકતો આપણને આ રાજવંશોના અભિલેખોમાંની માહિતીથી સંપ્રાપ્ત થઈ છે અને જેની વિસ્તારથી છણાવટ આ ગ્રંથમાં હવે પછીના પ્રકરણમાં કરી છે. તેથી અહીં આ મુદ્દાનો નિર્દેશ માત્ર બંને રાજવંશો વચ્ચેના સંબંધોને ઉપસાવવાનો છે. ત્રિકૂટ-પર્વત-પ્રતીકનું આલેખન
પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનોના ચાંદીના સિક્કાઓ ઉપર ત્રિકૂટ પર્વતનું સુંદર અને આકર્ષક આલેખન બહુ સ્પષ્ટ રીતે અંકિત થયેલું જોઈ શકાય છે. ક્ષત્રપોના સિક્કા ઉપર ઉપસાવેલા આ પ્રતીક વિશે તેમ જ ક્ષત્રપોએ આ પ્રતીકનું અનુકરણ સાતવાહનો પાસેથી સ્વીકારેલું કે કેમ તે બાબતની ચર્ચા આ ગ્રંથમાં પ્રકરણ તેરમાં કરી છે તેથી તેનું વિશ્લેષણ અહીં અપેક્ષિત નથી. પરંતુ સાતવાહનોના સિક્કા ઉપર ચૈત્ય અને પર્વત બંને પ્રતીકોનાં અલગ આલેખન થયાં હોઈ એમણે બંને પ્રતીકોનો ભિન્ન રીતે ઉપયોગ કર્યો હોવાનું સૂચવાય છે. આથી, કોણે કોની પાસેથી પ્રસ્તુત પ્રતીકનું અનુકરણ કર્યું તેનો વિવાદ ના કરીએ તો પણ એટલું તો સ્પષ્ટ થાય છે કે આ બંને રાજવંશો વચ્ચે કોઈક પ્રકારના સંબંધ હતા. હા, સનાતન કે સાર્વત્રિક બાબતનું અનુકરણ તો સહુનો અધિકાર છે જેમાં ક્ષત્રપો અને સાતવાહનો અપવાદ નથી. મુખાકૃતિનું આલેખન
આપણે હવે પછીના પ્રકરણ તેરમાં અવલોકીશું તેમ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સિક્કાઓનું સૌથી આકર્ષક અને મહત્ત્વનું લક્ષણ જો કોઈ હોય તો તે છે સિક્કા નિર્માણ કરનારા રાજાની મુખાકૃતિને અથવા કહો કે ઉત્તરાંગને ઉપસાવવું. નહપાનના સિક્કાથી શરૂ થયેલી આ પ્રથા આ રાજવંશના પ્રત્યેક શાસકના સિક્કા ઉપર અવિનાભાવે નિહાળી શકીએ છીએ. એવું સૂચિત થાય છે કે આ પ્રથાએ સાતવાહન શાસકોના સિક્કા ઉપર અસર પ્રવર્તાવી હોય; કેમ કે એમના ચાંદીના સિક્કા ઉપર તે તે રાજાની મુખાકૃતિનું આલેખન જોઈ શકીએ છીએ. સાતવાહનો
For Personal & Private Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ક્ષત્રપકાલીન ગુજરાત પહેલપ્રથમ ભારતીય રાજાઓ હતા જેમના ચાંદીના સિક્કા ઉપર મુખાકૃતિ ઉપરાવેલી જોવી પ્રાપ્ત થાય છે. આમ તો, આ પ્રથા વિદેશી જણાય છે છતાંય સાતવાહન સિક્કાઓ ઘણીબધી રીતે ભારતીયતાની આગવી છાપ ખસૂસ રીતે ઉપસાવી શક્યા છે એમાં શંકા નથી. બંને રાજવંશોના સિક્કાઓ દ્વિભાષી છે, જે અલબત્ત, આદાનપ્રદાનની અસરનું સૂચન કરે છે. કેટલી પારસ્પરિક અન્ય અસર
આમ તો, આ બંને રાજવંશો, આપણે વારંવાર નોંધ્યું તેમ, સમયે સમયે મિત્રો હતા અને દુશ્મનો પણ; છતાં તેઓ બંનેએ પરસ્પર ઉપર પોતાની આગવી છાપની અસર પ્રવર્તાવી તે સાથોસાથ એકબીજાની સંસ્કૃતિમાંથી કેટલુંક સ્વીકાર્યું પણ ખરું જ. અહીં એ વિશે થોડીક વિગતો અવલોકીશું.
શક સૈનિકો એમના પોતાના રાજાની સેવા તો કરતા જ હતા. અર્થાત્ પશ્ચિમી ક્ષત્રપોની તહેનાતમાં શક સૈનિકો ફરજ બજાવતા હતા. પરંતુ તેમણે ભારતીય હિન્દુ રાજાઓના સૈન્યમાં પણ સેવાઓ આપી હતી; ખાસ કરીને સાતવાહન રાજ્યમાં. આની સાબિતી છે શકસેન, જે સાતવાહન રાજા હતો અને ગૌતમીપુત્ર શાતકર્ણિનો પુરોગામી હતો. સંભવ છે કે એણે પોતાના લશ્કરમાં મોટા પાયા ઉપર શક સૈનિકોની ભરતી કરેલી અને તેથી તે ક્રિસેન નામથી ખ્યાત થયો હોય. શકસેનના નિર્દેશયુક્ત સાતવાહન સિક્કાઓ હાથ લાગ્યા છે. નાગાર્જુન-કાંડામાંથી બે શિલ્પ હાથ લાગ્યાં છે જે શક-ગણવેશધારી યોદ્ધાઓનાં છે.
સાતવાહન રાજાઓમાં એક નામ છે શક શાતકર્ણિ૮, જે નામ તે જાતિ સાથેના ઘનિષ્ટ સંબંધનું દ્યોતક છે; ખાસ કરીને પશ્ચિમી ક્ષત્રપ રાજવંશ સાથેના. અગાઉ આપણે જોઈ ગયા તેમ પુલુમાવિનો કહેરી ગુફાલેખ આ બંને રાજવંશો વચ્ચેના વૈવાહિક સંબંધોનું વર્ણન કરે છે.
પશ્ચિમી ક્ષત્રપોની અસર દર્શાવનું બીજું ઉદાહરણ છે સામ બિરુદ, જે સ્વામી શબ્દનું પ્રાકૃત રૂપ છે. આ બિરુદ ક્ષત્રપોના સિક્કા અને અભિલેખોમાં પ્રયોજાયેલું છે, જેનું અનુકરણ યજ્ઞ શાતકર્ણિએ એના વહાણ પ્રકારના સિક્કામાં કર્યું હતું જ.
નાસિકની ગુફાઓની દીવાલો ઉપર નહપાનના સમયનાં લખાણો ઉત્કીર્ણ છે. આ લખાણોની લિપિ ઉપર પશ્ચિમી-દખ્ખણી પ્રાદેશિક લિપિની સ્પષ્ટ વર્તાયેલી જોવી પ્રાપ્ત થાય છે. આરંભના સાતવાહન રાજાઓનાં લખાણોમાંની લિપિની લાક્ષણિક અસર નહપાનના અભિલેખોમાં વર્તાય છે. ગુજરાતમાં વિશિષ્ટ લિપિના વિકાસમાં આ લહાણોનો ફાળો ધ્યાનાર્હ છે, જેનો વિનિયોગ પશ્ચિમી ક્ષત્રપોના છેલ્લા રાજાઓનાં લખાણોમાં થયો હતો. નહપાનની રાજધાની
આ પ્રકરણમાં અગાઉ નિર્દિષ્ટ કર્યા મુજબ જૈન ગાથા ભરુકચ્છ નહપાનની રાજધાની હતી તેમ જણાવે છે અને આ બાબતની ચર્ચા આપણે પ્રકરણ છમાં કરી છે. અહીં આ બાબત એટલા વાસ્તે ઉલ્લેખી છે કે જોગલથમ્બીમાંથી નહપાનના સિક્કાનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. બીજું, આપણે જોઈ ગયા તેમ નહપાનના સમયના મોટા ભાગના અભિલેખો પણ મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા છે. આ બે હકીકતોને લીધે નહપાનની રાજધાની મહારાષ્ટ્રમાં કોઈક સ્થળે હોય.
For Personal & Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ દશ
૧૮૭
આ સ્થળ કાં તો નાસિક હોય, કાં તો જોગલથબી હોય. પરંતુ અભિલેખો એના જમાઈ ઉષવદાત્તે કોતરાવ્યા હતા અને તે બધા દાનધર્માદા સંબંધિત હતા. ઉષવદાત્ત રાજકીય કે વહીવટી એવો કોઈ હોદ્દો ધરાવતો ન હતો, છતાં દાનધર્માદાથે લેખો કોતરાવવાની સત્તા અને હતી. આથી, બે બાબતો સૂચિત થાય છે : ૧. નહપાનના સામ્રાજ્યના દક્ષિણ વિસ્તારોનું મહત્ત્વ સ્વીકારીને, ખાસ કરીને, સાતવાહનોના રાજકીય હુમલાના સંદર્ભમાં, નહપાને જમાઈને કોઈ પણ પ્રકારના અધિકૃત હોદ્દા વિના આ વિસ્તારોની દેખરેખની જવાબદારી સોંપી હોય. ૨. નહપાનના સામ્રાજ્યના દક્ષિણ વિસ્તારો વાસ્તે કાં તો જોગલ થમ્બી કાં તો નાસિક બીજી રાજધાની સંભવતઃ હોઈ શકે. અંતમાં
પ્રસ્તુત વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે આ બંને રાજવંશો વચ્ચે રાજકીય અને સામાજિક સંબંધો ગાઢ હતા. સાંસ્કારિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ બંને રાજવંશોએ પરસ્પરની અસર અપનાવી હતી, સ્વરૂપ અને સંસ્કારમાં આ પ્રમુખ રાજવંશો લાક્ષણિક હતા તે સાથે રાજકીય અને સામાજિક બાબતે તેઓ ભિન્ન પણ હતા.
પાદનોંધ ૧. ફકરો ૪૧. “પેરિપ્લસ'ના ટૂંકા નામથી ઓળખાતો આ ગ્રંથ ઈસ્વીસનની પ્રથમ સદીના ઉત્તરાર્ધમાં
લખાયો હોવા સંભવે (જરૉએસો., ૧૯૧૮, પૃષ્ઠ ૮૩૦; ઇએ., ગ્રંથ ૮, પૃષ્ઠ ૧૦૮; ઈહિક્વૉ.,
પુસ્તક ૭, પૃષ્ઠ ૧૧૨ અને લલિતકલા, નંબર ૩-૪, પૃષ્ઠ ૧૫). ૨. ભો. જ. સાંડેસરા, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, પૃષ્ઠ ૯૧; પ્રદહિકોં., ૧૯૪૦, પૃષ્ઠ ૧૫૦. ૩. એચ. આચ. સ્કૉટ, જબૉબારૉએસો., ૧૯૦૭, પુસ્તક ૨૨, નંબર ૬૨, પૃષ્ઠ ૨૨૩થી; યઝદાની,
અહિડે., મુંબઈ, ૧૯૬૦, પૃષ્ઠ ૯૩; જન્યુસોઈ., પુસ્તક ૧૭, પૃષ્ઠ ૯૮-૯૯; જુઓ આ ગ્રંથમાં
પરિશિષ્ટ ત્રણ. ૪. સુધાકર ચટ્ટોપાધ્યાય, શક્સ ઇન ઇન્ડિયા, પૃષ્ઠ ૬૫ અને આ ગ્રંથમાં પ્રકરણ ૭માં રુદ્રસિંહનું વિશેનું
નિરૂપણ. ૫. અજયમિત્ર શાસ્ત્રી, કૉઇનેજ ઑવ ધ સાતવાહન્સ ઍન્ડ કૉઈન્સ ફ્રોમ એસ્કવેશન્સ, નાગપુર, ૧૯૭૨,
પૃષ્ઠ ૮૦. ૬. દિનેશચંદ્ર સરકાર, સીઇ., નંબર ૮૦, પૃષ્ઠ ૧૯૭; એડ., પુસ્તક ૬, પૃષ્ઠ ૬૦થી; જઇહિ., પુસ્તક
૧૨, નંબર ૧, પૃષ્ઠ ૪૨ અને અજયમિત્ર શસ્ત્રી, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૨૬; તેમ જ ધ સાતવાહન્સ ઍન્ડ
ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ, નાગપુર, ૧૯૯૮, પૃષ્ઠ ૬૭-૬૮. આ ગ્રંથમાં જુઓ પ્રકરણ પાંચ. ૭. આસવેઈ., પુસ્તક ૫, પૃષ્ઠ ૭૮ (૧૮૮૩). ઉપરાંત આ ગ્રંથમાં પરિશિષ્ટ છે; અજયમિત્ર શાસ્ત્રી, તે ઉપર્યુક્ત, ૧૯૯૮, પૃષ્ઠ ૭૪ અને ૧૫૭. ૮. અજયમિત્ર શાસ્ત્રી, ૧૯૯૮, પૃષ્ઠ ૭૪. આ ગ્રંથમાં પરિશિષ્ટ છે. ૯. આ ગ્રંથમાં પ્રકરણ અગિયાર. અજયમિત્ર શાસ્ત્રી, પૃ ૧૯૯૮, પૃષ્ઠ ૬૮. ૧૦. દિનેશચંદ્ર સરકાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૯૭ અને આ ગ્રંથમાં પ્રકરણ પાંચ. ૧૧. અજયમિત્ર શાસ્ત્રી, ઉપર્યુક્ત, ૧૯૭૨, પૃષ્ઠ ૬૯ તેમ જ આ ગ્રંથમાં પ્રકરણ ૧૨. ૧૨. રેસન, કેટલૉગ., ફકરો ૯૨ અને ૧૦૦, વાસુદેવ ઉપાધ્યાય, ભાસિ., પૃષ્ઠ ૧૦૪-૦૫, એલેકઝાંડર
For Personal & Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ક્ષત્રપકાલીન ગુજરાત
કનિંગહમ, ન્યુમિઝમૅટિક ક્રૉનિક્લ, પુસ્તક ૧૩, પૃષ્ઠ ૧૮૮. ઉપરાંત જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ૧૨. ૧૩. જન્યુસોઈ., પુસ્તક ૨૪, પૃષ્ઠ ૧૭૫; આ ગ્રંથમાં પ્રકરણ સાત. ૧૪. અજયમિત્ર શાસ્ત્રી, ૧૯૭૨, પૃષ્ઠ ૬૯ અને આ ગ્રંથમાં પ્રકરણ ૧૨. ૧૫. અજયમિત્ર શાસ્ત્રી, એજન. ૧૬. રસેશ જમીનદાર, ‘ડિડ ચાન્ટન સ્ટાર્ટ ધ શક ઇરા ?', સંબોધિ, પુસ્તક ૧, અંક ૪, ૧૯૭૩, પૃષ્ઠ
૩૧-૩૫; આ ગ્રંથમાં પરિશિષ્ટ પાંચ. ૧૭. આ રાજાઓના સમયનાં ગુર્જર ઇતિહાસ અને સંસ્કૃતિની વધુ વિપ્નો આ ગ્રંથમાં જોવી પ્રાપ્ત થશે.
ઉપરાંત સુધાકર ચટ્ટોપાધ્યાયના ગ્રંથ શક્સ ઇન ઇન્ડિયા અને સત્યશ્રાવના ગ્રંથ ધ શક્સ ઈન
ઇન્ડિયામાંથી પ્રાપ્ત થશે. ૧૮. આ રાજાઓનાં ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી માટે જુઓ અજયમિત્ર શાસ્ત્રીના ગ્રંથો : ધ
સાતવાહન્સ ઍન્ડ ધ વેસ્ટર્ન સત્રસ, નાગપુર ૧૯૯૮; કૉઇનેજ ઑવ ધ સાતવાહન્સ ઍન્ડ કૉઇન્સ ફ્રૉમ એકવેશન્સ, નાગપુર, ૧૯૭૨; યઝદાની, અહિડે., ઑક્સફર્ડ, ૧૯૬૦; રામકૃષ્ણ ભાંડારકર, અર્લી
હિસ્ટરી ઑવ ધ ડેક્કન, પૂણે, ૧૯૨૭, કોલકાતા, ૧૯૨૮. ૧૯. ભો.જ.સાંડેસરા, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૯૧-૯૩ અને ૧૯૨-૧૯૪; પોહિએઈ., પૃષ્ઠ ૨૨૧, સીઇ., નંબર
૮૩થી ૮૬; ભાંડારકર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૨૩.૮ ૨૦. નહપાનના ચાંદીના સિક્કા ઉપર સાતવાહન રાજાની પ્રતિછાપ ઉપર આનો પુરાવો છે. જે
જોગલમ્બીમાંથી મળેલા સિક્કાનિધિથી જાણવા મળે છે. ઉપરાંત વાસિષ્ઠીપુત્ર પુળમાંવિના એક લેખમાં ગૌતમીપુત્ર શાતકર્ણિએ ક્ષહરતોને નિર્મૂળ કર્યાની વિગત પણ આપણે અગાઉ નોંધી છે. આ બે
પુરાવસ્તુકીય હકીકતો સાહિત્યિક વિગતનું સમર્થન કરે છે. ૨૧. ડબલ્યુ. એચ. સ્કૉફ, પેરિપ્લસ, લંડન, ૧૯૧૨; દુષ્યન્ત પંડ્યા, પેરિપ્લસ, (ગુજરાતી અનુવાદ),
અલિયાબાડા, ૧૯૬૦; તેમ જ આ ગ્રંથમાં પ્રકરણ છે. ૨૨. રાજયકાળના ૧૯મા વર્ષનો આ લેખ નાસિક ગુફા નંબર રમાં સ્થિત છે. જુઓ એઇ., પુસ્તક ૮, પૃષ્ઠ
૬૦થી; અજયમિત્ર શાસ્ત્રી, ઉપર્યુક્ત, ૧૯૭૨, પૃષ્ઠ ૨૬ અને ૧૯૯૮, પૃષ્ઠ ૭૩; વા.વિ.મિરાસી, ધ
હિસ્ટરી ઍન્ડ ઈન્ડિશન્સ ઑવ ધ સાતવાહન્સ એન્ડ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ, મુંબઈ, ૧૯૮૧, પૃષ્ઠ પર. ૨૩. જુઓ અગાઉની પાદનોંધ ત્રણમાંના સંદર્ભ. ૨૪. આસવેઇ., પુસ્તક ૫, પૃષ્ઠ ૧૭૮; જન્યુસોઈ., પુસ્તક ૧૫, પૃષ્ઠ ૭૭-૭૮, ચિત્રપટ્ટ ૧, ક્રમાંક ૧૦
૧૧; લ્યુડર્સ લિસ્ટ ઑવ બ્રાહ્મી ઈસ્ક્રિશન્સ, ક્રમાંક ૯૯૪; અજયમિત્ર શસ્ત્રી, ઉપર્યુક્ત, ૧૯૯૮,
પૃષ્ઠ ૭૪. ૨૫. આ મુદ્દાનું વિશ્લેષણ આ ગ્રંથમાં પ્રકરણ સાતમાં કર્યું છે. ઉપરાંત જુઓ ગુરાસાંઈ., પૃષ્ઠ ૧૩૭-૩૮;
સુધાકર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૬૫. ૨૬. જુઓ અજયમિત્ર શાસ્ત્રી, ઉપર્યુક્ત, ૧૯૭૨, પૃષ્ઠ ૬૯. ૨૭. એજન, પૃષ્ઠ ૧૧૪-૧૫. ૨૮. અજયમિત્ર શાસ્ત્રી, ઉપર્યુક્ત, ૧૯૯૮, પૃષ્ઠ ૧૨૭. ૨૯. ન્યુસોઈ, પુસ્તક ૨૪, પૃષ્ઠ ૧૭૫; અજયમિત્ર શાસ્ત્રી, ઉપર્યુક્ત, ૧૯૯૮, પૃષ્ઠ ૭૭. ૩૦. અહમદ હસન દાની, ઈન્ડિયન પેલિયોંગ્રાક્ષ, ઓક્સફર્ડ, ૧૯૬૩, પૃષ્ઠ ૯૫. ૩૧. આ સમગ્ર મુદ્દાની વિગતે ચર્ચા વાસ્તે જુઓ રસેશ જમીનદાર, “પશ્ચિમ ભારતના બે પ્રમુખ રાજવંશોઃ
કેટલાક યક્ષ પ્રશ્નો'; સામીપ્ય, ૧૯૯૪, પૃષ્ઠ ૨૫થી ૩૪.
For Personal & Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અગિયાર
વિસ્તાર અને વહીવટ
(અ) રાજ્યવિસ્તાર
પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના રાજ્યનો વિસ્તાર જાણવા કાજેની સાધનસામગ્રી ઘણી મર્યાદિત છે. આ શાસકોના સિક્કાનિધિનાં પ્રાપ્તિસ્થાન, શિલાલેખોનાં પ્રાપ્તિસ્થાન અને શિલાલેખોમાં ઉલિખિત પ્રદેશ ઉપરથી તેમના કાર્યપ્રદેશની ભૌગોલિક સીમાઓ નિશ્ચિત કરવાનો પ્રયત્ન થઈ શકે છે. પેરિપ્લસ અને તોલમાપની ભૂગોળ પણ થોડીક માહિતી સંપ્રાપ્ત કરી . આપે છે.
ક્ષહરાત રાજા નહપાનના સમયના તેના જમાઈ, પુત્રી અને અમાત્યે કોતરાવેલા અભિલેખોનું મહત્ત્વ બેવડું છે : (૧) હાલના મહારાષ્ટ્ર રાજયના નાસિક અને પૂણે જિલ્લામાં સ્થિત ગુફાઓમાંથી મળેલા અભિલેખો નહપાનના રાજયની દક્ષિણ સરહદની માહિતી આપે છે. (૨) આ અભિલેખોમાં દાનધર્માદાના સંદર્ભમાં નિર્દિષ્ટ સ્થળનામો તેના રાજ્યના અન્ય પ્રદેશની માહિતી સંપડાવી આપે છે.
ચાણન અને રુદ્રદામાના સમયના કચ્છ વિસ્તારમાં આવેલા ખાવડા તાલુકાના આંધી ગામેથી મળી આવેલા છ યષ્ટિલેખો, ખાવડા નજીકથી મળેલો બીજો એક યઝિલેખ અને રાપર તાલુકાના મેવાસા ગામેથી પ્રાપ્ત શિલાલેખ તેમના રાજ્યવિસ્તારની પશ્ચિમ સરહદનું સૂચન કરે છે. રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ આ વિશે ઉપયોગી પ્રકાશ પ્રાપ્ત કરી આપે છે. લહરાત ક્ષત્રપ રાજ્યનો વિસ્તાર
નહપાનના સમયના ગુફાલેખોમાં નિર્દિષ્ટ સ્થળો, પર્વતો, નદીઓ વગેરેનાં નામો ઉપરથી તેમના રાજયવિસ્તારને આધુનિક સ્થળનામો વડે ઓળખાવી શકાશે. આ ગુફાલેખોમાં ચિખલપદ્ર, પ્રભાસ, ભરુકચ્છ, દશપુર, ગોવર્ધન, શૂર્પારક, સુવર્ણમુખ, રામતીર્થ, નાનંગોલ, પુષ્કર, કરજિક, દાહનૂકાનગર, કેકાપુર, ઉજ્જયિની અને ધેનુકાકટ જેવાં તીથો અને સ્થળો; બાર્ણાશા, ઇબા, પારાદા, દમણ, તાપી, કરવેણવા, દાહનુકા વગેરે નદીઓ અને ત્રિરશ્મિ તથા વેલૂરક પર્વતોનો ઉલ્લેખ છે.
ઉપર્યુક્ત સ્થળોનો પાદનોંધમાં પ્રસ્તુત કરેલા પરિચયથી સૂચિત થાય છે કે નહપાનના સમયમાં ક્ષત્રપોનું રાજય ઉત્તરે અજમેર (રાજસ્થાન) સુધી, પૂર્વમાં ઉજ્જન (માળવા) સુધી, પશ્ચિમમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમુક સમુદ્ર કિનારા સુધી અને દક્ષિણમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના થાણા, નાસિક અને પૂણે જિલ્લાઓ સુધી વિસ્તૃત હશે. (જુઓ નકશો નંબર ૧)
For Personal & Private Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
નહપાનના સમયના આઠ ગુફાલેખનાં પ્રાપ્તિસ્થાન પણ ઉપયોગી નીવડે છે. આઠમાંથી એક લેખ જુન્નર ગુફાનો અને બીજો કાર્લે ગુફાનો છે, જે બંને હાલમાં પૂણે જિલ્લામાં સ્થિત છે. શેષ છ ગુફાલેખ નાસિકમાં છે. આથી, કહી શકાય કે હાલના મહારાષ્ટ્રનો ઘણો મોટો હિસ્સો ક્ષહરાતોના રાજ્યમાં હોવો જોઈએ.
૧૯૦
નહપાનના સિક્કાનો એક વિપુલ નિધિ જોગલથમ્બીમાંથી હાથ લાગ્યો છે, જે સ્થળ હાલના નાસિક શહેરની નજીક આવેલું છે. આથી પણ સૂચવાય છે કે મહારાષ્ટ્રનો વિસ્તાર તેના રાજ્યની અંતગર્ત હશે. પુષ્કર અને અજમેરમાંથી પણ નહપાનના સિક્કા મળ્યા છે. એટલે તેના રાજ્યમાં હાલના રાજસ્થાનનો પણ કેટલોક વિસ્તાર હોવો જોઈએ.
નહપાનના સમયના અભિલેખોમાં નિર્દિષ્ટ સ્થળોના પ્રદેશ, પુળ્માવિના લેખમાં ઉલ્લિખિત ગૌતમીપુત્ર શાતકર્ણિના રાજ્યના પ્રદેશ અને રુદ્રદામાના શૈલલેખમાં નિર્દિષ્ટ પ્રદેશના આંતરિક મૂલ્યાંકનથી સ્પષ્ટ થાય છે કે ક્ષહરાતોનું રાજ્ય નાસિકથી પુષ્કર સુધી વિસ્તૃત હશે. પરંતુ ક્ષહરાત વંશની સત્તાને નિર્મૂળ કરતા એ પ્રદેશો ગૌતમીપુત્રના રાજ્યમાં જોડાઈ ગયા જણાય છે. રુદ્રદામા ૧લાના સમય સુધી એમાંના ઉત્તર વિભાગના પ્રદેશ ચાષ્ટનવંશી ક્ષત્રપોએ પરત મેળવ્યા, જ્યારે દક્ષિણમાં આવેલા પ્રદેશ॰ સાતવાહનો પાસે રહ્યા એવું સૂચવાય છે.
પ્રસ્તુત વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે ક્ષહરાત ક્ષત્રપોનું રાજ્ય નહપાનના સમયમાં ઉત્તરે પુષ્કર-અજમેર(રાજસ્થાન)સુધી વિસ્તરેલું હતું. દક્ષિણે તે છેક નાસિક જિલ્લા પર્યંત વિસ્તૃત હતું. હાલનું સમગ્ર ગુજરાત અને માળવા પણ એના રાજ્યવિસ્તારમાં સમાવિષ્ટ હોવાનું સમજાય છે. આમ, ક્ષહરાતોનું રાજ્ય પૂર્વે વિદિશા (આકર-દેશ=પૂર્વ માળવા)થી પશ્ચિમમાં પ્રાયઃ કચ્છની પશ્ચિમ સરહદ (નારાયણ સરોવર) સુધી૧ વિસ્તાર પામેલું હતું.
ચાષ્ટનવંશીય ક્ષત્રપોનો રાજ્યવિસ્તાર
આ ક્ષત્રપકુળોની રાજ્યસરહદને જાણવા વાસ્તે રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ ઘણી ઉપયોગી માહિતી આપણને સંપડાવી આપે છે. આ શૈલલેખમાં પૂર્વ-અપર-આકર-અવન્તિ, અનૂપ, આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર, મરુ, કચ્છ, સિન્ધુ, સૌવીર, કુકુર, નિષાદ અને અપરાન્તનો ઉલ્લેખ છે.. આ ઉપરથી સૂચિત થાય છે કે રુદ્રદામાના સમયમાં પશ્ચિમી ક્ષત્રપ રાજ્યના વિસ્તા૨માં અર્થાત્ એમના ભૌગોલિક સીમાડાઓમાં હાલના રાજસ્થાનનો દક્ષિણ વિસ્તાર, આખુંય ગુજરાત, પૂર્વ અને પશ્ચિમ માળવા તથા દક્ષિણે નર્મદા નદી પર્યંતના પ્રદેશ સમાવિષ્ટ હતા (જુઓ નકશો નબંર ત્રણ)
ચાષ્ટનવંશીય રાજાઓના ઉપલબ્ધ શિલાલેખોનાં પ્રાપ્તિસ્થાન પણ એમની રાજ્યની સરહદમાં હોવા સંભવે. ચાષ્ટન અને રુદ્રદામાના સમયના આંધૌના પાંચ લેિખો, મેવાસાનો એક અજ્ઞાતનામા પણ વિવાદાસ્પદ લેખ, જયદામાના પૌત્રનો જૂનાગઢનો લેખ, જીવદામા ૧લાનો જૂનાગઢનો લેખ, રુદ્રસેન ૧લાનો મૂલવાસ૨નો લેખ તેમ જ ગઢાનો લેખ, લાઠીનો લેખ, રુદ્રસેનનો દેવની મોરીનો લેખ, ઈંટવા, ટીંબરવા અને વડનગરમાંથી પ્રાપ્ત મુદ્રાંકલેખો ઇત્યાદિ ઉપરથી અનુમાની શકાય કે વર્તમાન ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો ત્યારે ક્ષત્રપ
For Personal & Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અગિયાર
૧૯૧
રાજ્યમાં હોવાનું સૂચવાય છે. ઉત્તર ગુજરાતમાંથી આ રાજાઓનો એકેય શિલાલેખ હાથ લાગ્યો નથી પણ પૂર્વાપર સંબંધ ઉપરથી આ વિસ્તાર પણ એમની રાજ્યહદમાં સમાવિષ્ટ હશે.
ક્ષત્રપ રાજાઓના સિક્કાનિધિનાં પ્રાપ્તિસ્થાન પણ તેમની ભૌગોલિક હદ જાણવા ઉપકારક નીવડે છે : જૂનાગઢ, કચ્છ, ઉપરકોટ (જૂનાગઢ), વસોજ (જિ.જૂનાગઢ), અમરાવતી (બરાર જિલ્લો, મધ્ય પ્રદેશ), સોનેપુર (છિંદવાડા, મધ્યપ્રદેશ), સેવની (મહારાષ્ટ્ર), અર્વી (વર્ધા જિલ્લો, મહારાષ્ટ્ર), છિંદવાડા કમ્પટી (નાગપુર જિલ્લો), ગૌદરમ (ભોપાલ જિલ્લો), સાંચી (મધ્ય પ્રદેશ), સર્વાણિયા (બાંસવાડા જિલ્લો, રાજસ્થાન), કરદ (સતારા જિલ્લો, મહારાષ્ટ્ર), શિરવાલ (નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર), પેટલુરિપલેમ (આંધ્રપ્રદેશ) અને દેવની મોરી (સાબરકાંઠા જિલ્લો) ૧૫. આ બધાં નિધિસ્થાનના સંદર્ભે એવું સૂચિત થઈ શકે કે રાજસ્થાનનો કેટલોક ભાગ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો, મધ્યપ્રદેશનો થોડોક ભૂભાગ અને સારુંય ગુજરાત ક્ષત્રપ સત્તા હેઠળ હોઈ શકે.
આમ, શિલાલેખોમાં ઉલ્લિખિત પ્રદેશો, શિલાલેખોનાં પ્રાપ્તિસ્થાન અને સિક્કાનિધિનાં ઉપલબ્ધિસ્થાનના અનુસંધાને ક્ષત્રપ રાજ્યની ભૌગોલિક સરહદોની આકૃતિ કંઈક આ મુજબ હોઈ શકે : પૂર્વમાં અનૂપથી પશ્ચિમમાં સમુદ્રતટ પર્યત (કચ્છ, સુરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત), ઉત્તરમાં પુષ્કર પ્રદેશથી દક્ષિણમાં નર્મદા નદી પર્યત અને તેની દક્ષિણનો (મહારાષ્ટ્ર સ્થિત) કેટલોક વિસ્તાર.
(આ) રાજ્યવહીવટ આ રાજાઓના સિક્કાના અભ્યાસ ઉપરથી રાના મહાક્ષત્ર અને રાણા ક્ષત્રપ એમ બે પ્રકારના સર્વોચ્ચ વહીવટી વડા કે શાસકનો ખ્યાલ આવે છે. ઉભયમાં રીના મહાક્ષત્રપ એ રાજ્યસંચાલનનો સર્વશ્રેષ્ઠ વડો હતો અને રીના ક્ષેત્ર તેનો ઉપરાજ કે યુવરાજ પ્રકારનો મદદનીશ (પણ પ્રભાવક) શાસક હતો. એક જ રાજાના આરંભમાં ક્ષત્રપ (યુવરાજ) તરીકેના અને પછી તરત જ મહાક્ષત્રપ તરીકેના સિક્કા આ બાબતનું સમર્થન કરે છે. સિક્કાઓનાં વિગતવાર અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે સામાન્યત : ક્ષત્રપદ્ર સગીરવય પૂરી થતાં પ્રસ્તુત કરવામાં આવતું હશે૧૭. ક્ષત્રપ તરીકે નીમાયેલા યુવરાજ મહાક્ષત્રપના અવસાન બાદ મહાક્ષત્રનો અધિકાર પ્રાપ્ત કરતા જોવા મળે છે. અને તદનુસાર સિક્કા પડાવતા.
ક્ષત્રપ રાજાઓના વહીવટની એક લાક્ષણિક્તા એ હતી કે મહાક્ષત્રપ અને ક્ષત્રપ બંનેને ના પદ ધારણ કરવાની તથા બંનેને પોતાનાં નામે સિક્કા પડાવવાની સત્તા હતી. આથી એક સાથે એક જ વર્ષના એક તરફ મહાક્ષત્રના અને બીજી બાજુ ક્ષત્રપના સિક્કા ચલણમાં જોવા પ્રાપ્ત થાય છે. રાજાના ગુણો
રાજતંત્રનો વડો રાજા હતો. તે રાજા મહાક્ષત્રના નામે ઓળખાતો. રાજપદ વંશપરંપરાગત હતું; તો પણ રાજામાં વ્યક્તિગત કેટલાક ગુણો હોવા આવશ્યક ગણાતા એમ રુદ્રદામાના શૈલલેખથી જણાય છે. એમાં આદર્શ રાજાના ગુણોનું વર્ણન આ મુજબ છે : રાજા
For Personal & Private Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૨
ક્ષત્રપકાલીન ગુજરાત શરીરે સુદૃઢ હોવો જોઈએ. અર્થાત્ તે વ્યક્તિ સરખી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળો હોવો જોઈએ. એની ચાલ સ્વસ્થ એટલે કે ધીર-ગંભીર હોય. એનો કંઠ મધુર અને કર્ણપ્રિય હોય. શરીરનું રૂપ આકર્ષક હોય એટલે કે દેહસૌષ્ઠવ સ્વરૂપવાન હોય. તે વીર હોય, શક્તિશાળી હોય. રાજયલક્ષ્મીને ધારણ કરવાની તેનામાં પાત્રતા હોય. સમાજના બધા વર્ણના-વર્ગના લોકોએ તેને પોતાના રક્ષણ માટે પતિ (રાજા) તરીકે ચૂંટેલો હોય. તેને સાહિત્યનો શોખ હોય તેમ જ સાહિત્યના વિવિધ પ્રકારથી જ્ઞાત હોય. શબ્દ (વ્યાકરણ), અર્થ, ગાંધર્વ (સંગીત), ન્યાય (તર્કશાસ્ત્ર), ઇત્યાદિ મહાવિદ્યાઓનાં પારણ, ધારણ, વિજ્ઞાન અને પ્રયોગમાં શ્રદ્ધાન્વિત હોય. ઘોડેસ્વારી, ગજસ્વારી અને રથસ્વારીનું સારું જ્ઞાન હોય. યુદ્ધમાં ઢાલતલવારનો ઉપયોગ કરી જાણતો હોય. તે ધર્માનુરાગી હોય.
રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ પ્રશસ્તિ પ્રકારનો હોઈ ગુણાનુવાદન નિમિત્તે એમાં અતિશયોક્તિ હોવાનો સંભવ ખરો. રુદ્રદામામાં આ બધા ગુણો હશે જ એમ પણ ન જ કહેવાય૧૯. છતાં એવું અનુમાની શકાય કે તે સમયે આદર્શ રાજવીમાં પ્રસ્તુત ગુણોની અપેક્ષા સહજભાવે રહેતી હશે. રાજધર્મ
ગિરિનગરના રુદ્રદામાના શૈલલેખથી આ મુદ્દા પરત્વે ઘણી ઉપયોગી અને ઉપાદેયી માહિતી મળે છે : પ્રજાનું પરિપાલન રાજાનો મુખ્ય ધર્મ કે મુખ્ય નિસબત ગણાતાં હશે. અન્ન અને પાણીની વ્યવસ્થા રાજ્ય હસ્તક હશે. ખેતી વિકાસની જવાબદારી પણ રાજયની હશે તેની પ્રતીતિ તો, સુદર્શન તળાવના તૂટી ગયેલા બંધને પ્રજા ઉપર વિશેષ કરી નાંખ્યા વિના રાજયની તિજોરીનાં નાણાંથી સમરાવ્યો તેથી, થાય છે. આથી, એવું ફલિત થાય છે કે પ્રજોપયોગીલોકકલ્યાણી-કાર્યો માટે રાજા સદાય જાગૃત રહેતો હશે. આપત્તિના સમયે પ્રજાને કરવેરામાં રાહત પ્રાપ્ત થતી હશે. આખરે રાજ્ય તો પ્રજા ઉપર અને પ્રજા માટે કરવાનું છે. તેથી પ્રજા જેટલી સુખી તેટલો સુખી રાજા, કંઈક આ પ્રકારનો રાજધર્મ આ રાજાઓ અપનાવતા હોવાનું જણાય છે.
રાજયની આંતરિક સલામતી અને શાંતિની વ્યવસ્થા વાસ્તે તથા સુચારુ વહીવટ કાજે રાજા જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરતો હશે એની માહિતી શૈલલેખમાં નિર્દિષ્ટ સચિવો અને અમાત્ય ઉપરથી મળે છે. રાજયના રક્ષણ માટે તથા રાજ્યસત્તાના વિસ્તાર સારુ તે સંગ્રામ ખેલતો હશે. પ્રજા ઉપર કરવેરા નાંખતો હશે, અને કરગ્રહણમાં નમ્રતા દાખવતો હશે. કયારેક પ્રજા પાસે વેઠ કરાવતો હશે કે તેમની પાસેથી ભેટસોગાદ સ્વીકારતો હશે. ધાન્ય ઉત્પાદન ઉપર ભાગ અને બલિ તથા માલ ઉપર શુલ્ક (જકાત) નાંખી આવકનાં સાધનો સંપ્રાપ્ત થતાં હશે. શરણે આવેલાને શરણ આપવામાં પરાયણ રહેતો હશે. રાજપદ
ક્ષત્રપોની સળંગ વંશાવલી, એમનો કાલાનુક્રમ અને સિક્કાઓમાં નિર્દિષ્ટ વર્ષનો સૂક્ષ્મ અભ્યાસ કરવાથી રાનપદ્રની માહિતી આપણને આ મુજબ હાથવગી થાય છે : સામોતિકના પુત્ર
For Personal & Private Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અગિયાર
રાજા મહાક્ષત્રપ ચાષ્ટ્રન પછી તેનો પૌત્ર રુદ્રદામા ગાદીસ્થ થાય છે. રુદ્રદામાને બે પુત્રો છે : દામજદશ્રી મોટો છે અને રુદ્રસિંહ નાનો. દામજદશ્રી રુદ્રદામાનો ઉત્તરાધિકાર મેળવે છે અને તેનો રાજ્યાધિકા૨ તે પછી લઘુબંધુ રુદ્રસિંહને પ્રાપ્ત થાય છે. રુદ્રસિંહ પછી તેના મોટાભાઈના બે પુત્રો સત્યદામા અને જીવદામા અનુક્રમે રાજગાદી ભોગવે છે. જીવદામાનો ઉત્તરાધિકાર તે પછી તેના નાનાકાકા, રુદ્રસિંહના ત્રણ પુત્રો- રુદ્રસેન ૧લો, સંઘદામા અને દામસેન-પાસે ક્રમશઃ જાય છે. દામસેન પછી એ રાજવારસો તેના વરિષ્ઠ અગ્રજ઼ રુદ્રસેન ૧લાના બે પુત્રો-પૃથિવીષેણ અને દામજદશ્રી ૨જા-ને મળેલો જોવો પ્રાપ્ત થાય છે. રુદ્રસેનનો અનુજ (અને દામસેનનો અગ્રજ) સંઘદામા અપુત્ર હોઈ તેના બીજા અનુજ દામસેનના ચાર પુત્રો -વીરદામા, યશોદામા, વિજયસેન અને દામજદશ્રી-પાસે ઉત્તરાધિકાર ક્રમશઃ ગયેલો જણાય છે. એટલે કે આ ચારેયમાં અગ્રજઅનુજના ક્રમાનુસાર રાજ્યાધિકાર હસ્તગત થયેલો જોઈ શકાય છે૧.
પ્રસ્તુત વિશ્લેષણથી અનુમાની શકાય કે આ રાજવંશમાં રાજગાદીના ઉત્તરાધિકાર માટે આ પ્રકારની કોઈ પરંપરા પ્રચલિત હોવાનું સૂચવાય છે : રાજગાદીનો વારસો સામાન્યતઃ વિગત રાજાના અનુજને મળતો. અનુજોનો ક્રમ ક્રમશઃ પૂરો થયા પછી એ વારસો વળી જ્યેષ્ઠ અગ્રજ પુત્રને પ્રાપ્ત થતો, જે અનુજક્રમ મુજબ હસ્તાંતરિત થતો પણ ક્યારેક અનુજના અભાવે તે વારસો સીધો જ જ્યેષ્ઠ પુત્રને પ્રાપ્ત થતોર. અપવાદરૂપે ક્યારેક રાજાને અધિકારી અનુજ હોવા છતાંય તેનો ઉત્તરાધિકાર પુત્રને મળેલો જોઈ શકાય છે, તો ક્યારેક રાજા ક્ષત્રપ પોતાની ઇચ્છાનુસાર કે પ્રજાની ઇચ્છાનુસાર એ વારસો મેળવતો જોવા મળે છે૪.
ક્ષત્રપો મહાક્ષત્રપો સાથે છેક પહેલેથી રાજ્ય કરતા જોવા મળતા નથી; પરંતુ મોટે ભાગે મહાક્ષત્રપનાં છેલ્લાં વર્ષો દરમયાન ક્ષત્રપનો અધિકાર ધરાવતા જણાય છે એમ પરમેશ્વરીલાલ ગુપ્તનું માનવું છેપ.
ક્રમ
રાજા મહાક્ષત્રપ અમલની ઉપલી અને નીચલી મર્યાદા
→>>
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮. જીવદામા
નહપાન
ચાન
રુદ્રદામા
રુદ્રસિંહ ૧લો
૯.
૧૦. રુદ્રસેન ૧લો
૪૬
પર
૭૨
૧૦૧થી ૧૧૯
૧૧૯થી ૧૨૦
૧૨૪થી ૧૪૨
અમલની ઉપલી અને નીચલી મર્યાદા
?
૪૧થી ૪૫
૬
પર
૧૨૧
For Personal & Private Use Only
રાજા ક્ષત્રપ
←
ભૂમક
નહપાન
૧૯૩
ચાન
રુદ્રદામા
રુદ્રસેન ૧લો
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ભર્તુદામા
વિશ્વસેન
ક્ષત્રપકાલીન ગુજરાત ૧૧. સંપદામાં ૧૪૪થી ૧૪૫ ૧૪૪
પૃથિવીષેણ ૧૨. દામસેન ૧૪૫થી ૧૫૮ ૧પ૪થી ૧૫૫ ) દામજદશ્રી રજો
૧૫૬થી ૧૬૦ ઈ વીરદામાં ૧૩. યશોદામાં ૧લો ૧૬૦થી ૧૬૧ ૧૬૦, ૧૬૦થી ૧૬૧ યશોદામા ૧લો, વિજયસેન ૧૪. વિજયસેન ૧૬૧થી ૧૭૨ ૧૫. દામજદશ્રી ૩જો ૧૭૨થી ૧૭૭ ૧૬. રુદ્રસેન રજો ૧૭૮થી ૧૯૯ ૧૯૦, ૧૯૭થી ૨૦૦ વિશ્વસિંહ ૧૭. વિશ્વસિંહ ૨૦૦થી ૨૦૧ ૨૦૧થી ૨૦૪ ૧૮. ભર્તુદામા ૨૦૪થી ૨૨૦ ૨૦૫થી ૨૦૬
૨૧૪થી ૨૨૬ ૧૯. -
૨૨૬થી ૨૩૭ રુદ્રસિંહ રજો ૨૦. -
૨૩૭થી ૨૫૪ યશોદામા રજો ૨૧. -
૨૫૪થી ૨૭૦ ૨૨. રુદ્રસેન ૩જો ૨૭૦થી ૩૦૨ ૨૩. સિંહસેન ૩૦૪થી ૩૦૬ ૨૪. રુદ્રસિંહ ૩જો ૩૧૦થી ૩૩૭
ઉપર્યુક્ત કોષ્ટકના સૂક્ષ્મ અવલોકનથી સ્પષ્ટ થાય છે કે ક્રમાંક ૧૨ના અપવાદ સિવાય ક્યાંય મહાક્ષત્રપના અંતભાગમાં ક્ષત્રપનો અધિકાર કોઈને સોંપાયો હોવાનું જોવા મળતું નથી. ક્રમાંક ૧૬માં મહાક્ષત્રપના અમલના મધ્યભાગથી ક્ષત્રપનો અધિકાર કોઈને સોંપાયો હોવાનું સૂચિત થાય છે. ક્રમાંક ૧૮માં તો મહાક્ષત્રપ અને ક્ષત્રપ સ્પષ્ટતઃ સાથોસાથ જોઈ શકાય છે. આથી, પરમેશ્વરીલાલનું ઉપર્યુક્ત અનુમાન નિરાધાર રહે છે. અહીં એટલું જરૂર કહી શકાય કે ક્ષત્રપપ૮ સામાન્યતઃ સગીર વય પૂરી થતાં આપવામાં આવતું હશે.
સનપદ્ર ધારણ કરનાર ક્ષત્રપને સિક્કા-નિર્માણ કરવાનો અધિકાર રહેતો. ક્ષત્રપ તરીકેના અમલને કારણે મહાક્ષત્રપને રાજયવહીવટમાં મદદ મળતી એટલું જ નહીં પણ એના ઉત્તરાધિકારીને (એટલે કે ક્ષત્રપપદ ધારણ કરનાર યુવરાજને) રાજ્યવહીવટની પૂર્વતાલીમ પણ પ્રાપ્ત થતી હતી. આથી ક્ષત્રપ રાજા જ્યારે મહાક્ષત્રપ રાજા તરીકેનો હોદો ધારણ કરતો ત્યારે રાજયસંચાલન કરવામાં, પૂર્વ અનુભવને કારણે, એને સારી સરળતા રહેતી એવો ખ્યાલ આ પદ્ધતિ પડછે હોવાનો સંભવ વિચારી શકાય. ઉપરાંત ભાવિ મહાક્ષત્રપ તરીકે એનું નામ પ્રજામાં પ્રતિષ્ઠિત થતું હોવાની હકીકત પણ સંભવે છે. પરિણામે પ્રજા પોતાના ભાવિ શાસકની શક્તિઓથી અને કાર્યશૈલીથી સંપ્રજ્ઞાત રહેતી. ટૂંકમાં, ક્ષત્રપોમાં સંયુક્ત રાજ્યપ્રણાલિના અસ્તિત્વનો ખ્યાલ આથી આપણને અવગત થાય છે.
For Personal & Private Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અગિયાર
રાજબિરુદ
ક્ષત્રપ અને મહાક્ષત્રપનાં બિરુદ પ્રત્યેક રાજા અનુક્રમે લગભગ ધરાવતા હતા. રાનાનું બિરુદ બંને પ્રકારના શાસકો માટે પ્રયોજાયેલું જોવા મળે છે. ક્ષત્રપને યુવરાજ અને મહાક્ષત્રપને મહારાજા તરીકે ઓળખાવી શકાય. ઉપરાતં સ્વામી બિરુદ પણ કયારેક વપરાયેલું જોઈ શકાય છે. ક્ષત્રપવંશના બત્રીસ પુરુષોમાંથી ચાષ્ટનકુળના શરૂઆતના પાંચ રાજાઓ”, તે પછીના કુળનો એક બિનરાજ્વી પૂર્વજ, પછીના ત્રણેય કુળના છએ રાજાઓ આ બિરુદધારણ કરેલા જોવા પ્રાપ્ત થાય છે. આ બાર પુરુષોની વિગતોથી સૂચિત થાય છે કે સ્વામી બિરુદ સામાન્યતઃ ચાષ્ટનકુળના અને તે પછીનાં રાજકુળોના શરૂઆતના રાજાઓ માટે પ્રયોજાતું હોય અને અનુકાળમાં એ લુપ્ત થઈ જતું હોય. રાજવંશની લાંબી કારકિર્દી માત્ર ચાટનકુળની હોઈ અન્ય રાજકુળોને આ બાબત
અભિપ્રેત જણાતી નથી.
સ્વામી બિરુદથી ખાસ કોઈ વિશિષ્ટ અર્થ અભિપ્રેત હોવાનું સૂચિત થતું નથી. સામાન્યતઃ આ બિરુદ રાના બિરુદના પર્યાય તરીકે પ્રયોજાતું હશે. જો કે જીવદામાએ રાજા ન હોવા છતાંય સ્વામી બિરુદ ધારણ કર્યું હતું. અન્ય રાજાઓ રાના અને સ્વામી એ બંને બિરુદ ધારણ કરતા એ ઉપરથી સ્વામીનો અર્થ અહીં અધિપતિ આવશ્યક રીતે રાજા નહીં હોવા સંભવે છે. કહો કે, સ્વામી એ માનવાચક શબ્દ હતો.
-
૧૯૫
—
રુદ્રસેન ૧લાના ગઢાના શિલાલેખમાં મદ્રમુત્તુનું વિશેષણ પહેલપ્રથમવાર પ્રયોજાયેલું જોવું પ્રાપ્ત થાય છે. આ વિશેષણ રુદ્રસેન સિવાયના એના બધા પુરોગામીના સંદર્ભમાં વપરાયેલું છે, જેથી અનુમાન થઈ શકે કે માત્ર ભૂતપૂર્વ મહાક્ષત્રપ રાજાઓ માટે એનો વિનિયોગ થતો હોવો જોઈએ ૧.
આ રાજવંશમાં કોઈ પટરાણીનો ઉલ્લેખ હાથવગો થતો નથી. તેથી અભિલેખોમાં પટરાણી માટેનાં બિરુદ જોવા મળતાં નથી.
વહીવટી અધિકારીઓ .
નહપાનના સમયના જુન્નરના ગુફાલેખમાંથી અને રુદ્રદામાના શૈલલેખમાંથી આ વિશે
કેટલીક જાણકારી હાથવગી થાય છે : મહાક્ષત્રપના મદદનીશ તરીકે ક્ષત્રપ ફરજ બજાવતો હતો. પરંતુ રાજ્યતંત્રના સુચારુ સંચાલન કાજે રાજા અમાત્યોની નિમણૂક કરતો હતો. અયમ અને સુવિશાખ નામના બે અમાત્યોની જાણકારી પ્રાપ્ત થાય છે. આમાં અયમ વત્સ ગોત્રનો હતો, જ્યારે સુવિશાખ પહ્નવ જાતિનો હતો. (અયમ નામ ભારતીય જણાતું નથી પણ ગોત્ર તો ભારતીય છે. આથી શક્ય છે કે ભારતીય બનેલો વિદેશી હોય). આથી, ફલિત થાય છે કે શક જાતિના ક્ષત્રપ શાસકો ભારતીય તથા વિદેશી બંને જાતિના અમાત્યોની રાજ્યવહીવટમાં નિમણૂક કરતા હતા.
અમાત્યોમાંથી કેટલાકની સચિવ તરીકે વરણી થતી હતી. સચિવના મુખ્ય બે પ્રકાર જાણવા મળે છે : મતિક્ષત્તિવ અને ર્મષિવ. પ્રથમ સચિવનું કર્તવ્ય રાજાને સલાહ આપવાનું રહેતું હતું, જ્યારે બીજાનું કાર્ય વહીવટદારનું હતું. રાજા કોઈ મહત્ત્વનું કાર્ય કરવાનું આયોજન
For Personal & Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
૧૯૬
વિચારે ત્યારે તેની તરફેણમાં કે વિરુદ્ધમાં આ બંને સચિવો પોતાના અભિપ્રાય અભિવ્યક્ત કરતા હતા એવું ગિરિનગરના શૈલલેખથી સૂચવાય છે. કેટલાક અમાત્યો પ્રાદેશિક અધિકારીઓ તરીકે ફરજ બજાવતા હશે. દા.ત. અમાત્ય સુવિશાખ આનર્ત-સુરાષ્ટ્રનો વડો અધિકારી હતો. એવી જ રીતે ક્ષત્રપ રાજ્યના બીજા પ્રાદેશિક વિભાગો વાસ્તેય બીજા અમાત્યો નિમાતા હશે; જેની જો કે કોઈ જાણકારી હાથવગી થઈ નથી. રાજ્યવહીવટમાં પ્રાદેશિક અધિકારીઓનો અવાજ પ્રભાવશાળી હશે એવું સુદર્શનના સમારકામના અનુસંધાનથી ફિલમ્ થાય છે. શૈલલેખથી એવું પણ સૂચિત થાય છે કે અમાત્યો પ્રજાકલ્યાણની ભાવનાને વરેણ્ય કાર્ય સમજતા હશે, તેથી તેઓ અભિમાની નહીં હોય. તેઓ બધા પ્રકારની આવડત ધરાવતા હશે અને શાંત તથા સંયમી હશે. વહીવટી વિભાગો
નહપાન અને રુદ્રદામાના લેખોથી વહીવટી વિભાગોની જાણકારી પ્રાપ્ત થાય છે. ક્ષત્રપ રાજ્યમાં અનેક વિષયોનો (પ્રદેશોનો) સમાવેશ થતો હતો; પરંતુ એના મુખ્ય વહીવટી વિભાગો કેવા હશે અને કયા નામથી જાણીતા કે ઓળખાતા હશે તેની માહિતી ઉપલબ્ધ થતી નથી. આનર્ત-સુરાષ્ટ્રનું એક સંયુક્ત વહીવટી એકમ હતું, જેને પૂર્વકાળના રાષ્ટ્ર અને બ્રિટિશકાળના પ્રાન્ત સાથે સરખાવી શકાય. પ્રાંતના વહીવટ વાસ્તે અમાત્ય કક્ષાના અધિકારીઓની નિમણૂક થતી હશે એમ સુવિશાખના ઉદાહરણ ઉપરથી સૂચવી શકાય. અનૂપ, મરુ, કચ્છ, સિંધુ વગેરે પ્રાદેશિક વિભાગો હોય અને એના સંચાલન કાજે પ્રાદેશિક વડાઓ નિમ્યા હોય એવું અનુમાન થઈ શકે, જ્યારે આકર-અવન્તિનો વિસ્તાર કેન્દ્રના સીધા વહીવટ હેઠળ હશે; કેમ કે પાટનગરની ચોપાસનો તે વિસ્તાર હતો.
નહપાનના એક ગુફાલેખમાં પૂરાહાર એવો ઉલ્લેખ છે. આથી અનુમાની શકાય કે રાષ્ટ્રથી નાનું વહીવટી એકમ આહાર (=જિલ્લો) કક્ષાનું હશે. આ સિવાય આ કક્ષાનાં બીજાં એકમનો સીધો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. પણ ઉષવદાત્તના ગુફાલેખોમાં નિર્દિષ્ટ સ્થળો -ગોવર્ધન, પ્રભાસ, ભરુકચ્છ, દશપુર, પુષ્કર, શૂર્પરક વગેરે- પૈકી કેટલાંક સ્થળ આહારનાં મથકો હોવા સંભવે છે. આહારના પેટા વિભાગ વાસ્તે કોઈ માહિતી મળતી નથી, પણ ગુફાલેખોમાં ચિત્ખલપદ્રગ્રામ, નાનંગોલગ્રામ, કરજિકગ્રામ અને દાહનૂકાનગરના નિર્દેશથી સૂચવી શકાય કે રાજ્યનું સૌથી નાનું એકમ પ્રમ અને/અથવા નર હશે ૫.
ક્ષત્રપોના અન્ય અભિલેખોનાં પ્રાપ્તિ સ્થાનો પૈકી કેટલાંક રાષ્ટ્ર કે આહારનાં વડા મથકો હોવા સંભવે, જેમાં આંધૌ, ખાવડા, મેવાસા, ગઢા, મૂલવાસર, ગૂંદા, દેવની મોરી વગેરેનો સંભવ લક્ષમાં લેવા જેવો ગણી શકાય.
પ્રસ્તુત વિવરણ અને વિશ્લેષણથી પશ્ચિમી ક્ષત્રપોના રાજકીય ભૌગોલિક વિસ્તાર અને વહીવટીય અભિગમની ઠીક ઠીક જાણકારી અવગત થાય છે. ખાસ તો, ત્યારે એટલે કે પશ્ચિમી ક્ષત્રપોના શાસન દરમ્યાન ગુજરાતની ભૌગોલિક સરહદો કેટલી વિસ્તૃત હતી તેનો પાર પમાય છે જે અસાધારણ ગણાય; કેમ કે આજે જેને આપણે ગુઝરાત નામથી ઓળખીએ છીએ તેનો વિસ્તાર તત્કાલે કેટલો લાંબોપહોળો હતો તે જાણવા મળે છે.
For Personal & Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અગિયાર
૧૯૭
પાદનોંધ ૧. ઇતિહાસનિરૂપણમાં આભિલેખિક સામગ્રીની ઉપયોગિતા ઘણી છે. પરંતુ એની કેટલીક મર્યાદા પણ
હેય છે જે વિશે ખાસ ધ્યાન ખેંચાયું નથી (વિગત વાસ્તે જુઓ રસેશ જમીનદારના ચાર લેખ
અભિલેખ વિદ્યાનો વિકાસ ૧,૨,૩,૪', વીસમી સદીનું ભારતઃ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં, સંપાદક રામલાલ પરીખ અને રસેશ જમીનદાર, ૧૯૭૭, પૃષ્ઠ ૧થી ૬૧.) સિક્કાઓની પણ આવી કેટલીક મર્યાદાઓ છે જે વિશે બહુ ચર્ચા થઈ નથી (જુઓ રસેશ જમીનદાર, ‘ભારતીય ઇતિહાસના નિરૂપણમાં સિક્કાઓની કેટલીક મર્યાદા', સ્વાધ્યાય, પુસ્તક ૮, અંક ૩, પૃષ્ઠ ૩૫૨થી ૩પ૬ અને
ડઝ ધ ફાઈન્ડ-સ્પોટ ઑવ કૉઇન્સ રીઅલી થ્રો લાઈટ ઑન હિસ્ટોરિકલ યૉગ્રાફી’, જોઇ., પુસ્તક ૨૨, અંક ૩, ૧૯૭૩, પૃષ્ઠ ૩૬૧થી.) ૨. ક્ષત્રપોના અભિલેખોનાં પ્રાપ્તિસ્થાન વિશે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ એક. ૩. આ બધાં તીર્થોનો-સ્થળોનો અર્વાચીન પરિચય આ પ્રમાણે છે : ચિલ્બલપદ્ર : આ સ્થળ કપૂરાહારમાં આવેલું છે. નાળિયેરીના દાનના સંદર્ભમાં આ સ્થળનો નિર્દેશ હોઈ આ વિસ્તાર દરિયાકિનારાનો હોવો જોઈએ. ગુજરાતમાં ચિખલી નામનાં દોઢેક ડઝન ગામો છે; જેમાંનાં દક્ષિણ ગુજરાતમાં સ્થિત કેટલાંક દરિયા નજીક છે. આમાંનું કર્યું ચિખલી તે સૂચિત કરવું મુક્લ છે. પ્રભાસપાટણ : આજના જૂનાગઢ જિલ્લાના વેરાવળ પાસેનું સોમનાથ પાટણથી ખ્યાત સ્થળ. ભરકચ્છ : વર્તમાન ભરૂચ. દશપુર : હાલનું મંદસોર, ગ્વાલિયર જિલ્લો, મધ્યપ્રદેશ. ગોવર્ધન : મહારાષ્ટ્રમાં નાસિક શહેર નજીક આવેલું હાલનું ગોવર્ધનપુર. શૂર્પરક : અર્વાચીન સોપારા, થાણા જિલ્લો, મહારાષ્ટ્ર સુવર્ણમુખ : આ સ્થળ ઓળખવું મુશ્કેલ છે. જો કે નિર્દિષ્ટ સ્થળોના પૂર્વાપર સંબંધથી આ જગ્યા પણ મહારાષ્ટ્રમાં આવેલી હોય. ઉત્તરપદ મુરઘથી એ સ્થળ દરિયાકિનારા પાસે આવેલું હોઈ શકે. રામતીર્થ : સોપારામાં (જુઓ શૂર્પારક) આવેલું રામકુંડ નામનું તળાવ (બૉગે., પુસ્તક ૧૪, પૃષ્ઠ ૩૪૦ અને પુસ્તક ૧૬, પૃષ્ઠ ૫૭૨). નાનંગોલ : અર્વાચીન નારગોલ (ઉંબરગામ તાલુકો, વલસાડ જિલ્લો) જે સંજાણની ઉત્તર-પશ્ચિમે છે કિલોમીટરના અંતરે આવેલું છે. પુષ્કર : રાજસ્થાનના અજમેરની પશ્ચિમે નવ કિલો મીટર દૂર આવેલું પ્રસિદ્ધ તીર્થ અને તળાવ. કરજિક : મુંબઈ-પૂણે રેલવે ઉપર કરજત નામનું સ્ટેશન છે, જે સંભવતઃ આ કરજિક હોય. દાહનૂકાનગર : અર્વાચીન દહાણું, થાણા જિલ્લો, મહારાષ્ટ્ર, કેકાપુર : સ્થળ ઓળખી શકાતું નથી. ઉજ્જયિની : ક્ષિપ્રા નદીને કિનારે આવેલું વર્તમાન ઉજ્જૈન, મધ્યપ્રદેશ. ધનકાટ : મહારાષ્ટ્રની ગુફાઓના લેખોમાં આ સ્થળનો નિર્દેશ વારંવાર જોવા મળે છે. જો કે આ સ્થળ
નિશ્ચિત રીતે ઓળખી શકાતું નથી. ૪. આ બધી નદીઓનો અર્વાચીન સંદર્ભ આ મુજબ છે :
બાર્ણાશા : ચંબલને મળતી અર્વાચીન બનાસ નદી સંભવે છે. ભગવાનલાલ આ નદીને પાલનપુર નજીકની બનાસ માને છે (બૉગે., પુસ્તક ૫, પૃષ્ઠ ૨૮૩ અને પુસ્તક ૧૬, પૃષ્ઠ ૬૩૩). આ નદી
For Personal & Private Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૮
જે વિસ્તારમાંથી પસાર થાય છે તે વિસ્તાર બનાસકાંઠા તરીકે ખ્યાત છે.
ઇબા : અર્વાચીન નદી હોવાનો મત (એજન, પુસ્તક ૧૬, પૃષ્ઠ ૬૩૪). ઉપરવાસમાં એને વડો કહે છે. વલસાડ જિલ્લામાંથી આ નદી વહે છે.
પારદા : વલસાડ જિલ્લાના પારડી નજીક વહેતી વર્તમાન પાર નદી.
દમણ : દમણ પાસેથી વહેતી દમણગંગા નદી.
તાપી : જાણીતી તાપી નદી.
ક્ષત્રપકાલીન ગુજરાત
કરવેણવા : અંબિકા નદીને ચિખલી નજીક મળતી કાવેરી નદી (દક્ષિણ ભારતની ખ્યાત નદી કાવેરી
નહીં).
દાહનુકા : અર્વાચીન દહાણુ પાસને નાની નદી (મહારાષ્ટ્ર).
૫. હવે પર્વતોનો અર્વાચીન પરિચય મેળવીએ.
ત્રિરશ્મિ : વર્તમાન નાસિક પાસે આવેલો પર્વત.
વેલૂરક : કાર્લે ડુંગરની તળેટીમાં વહેળાંવ નામનું સ્થળ છે. ગુફાલેખના સ્થાન ઉપરથી આ વિહારોના નામ ઉપરથી એ કાર્લોનું પૂર્વકાલીન નામ હોવાનું સૂચવાય છે (એઇ., પુસ્તક ૭, પૃષ્ઠ ૫૯, ૬૨). ૬. ઇએ., પુસ્તક ૪૭, ૧૯૧૮, પૃષ્ઠ ૭૫.
૭. આમાં સુરાષ્ટ્ર, કુકુર, અપરાંત, અનૂપ, આકર અને અવન્તિ, ઋષિક, અશ્મક, મૂલક તથા વિદર્ભનો સમાવેશ થતો હોય. આનર્ત, કચ્છ, મરુ, સિંધ અને સૌવીરનો ઉલ્લેખ ક્ષહરાત લેખોમાં નથી. ૮. ગૌતમીપુત્ર શાતકર્ણિ પૂર્વેના સાતવાહન રાજાઓના સમયમાં તેમનો રાજ્યવિસ્તાર ધ્યાનમાં લેવો. ૯. જેમાં સુરઠ, કુકુર, અપરાંત, અનૂપ, આકર અને અવન્તિના પ્રદેશોનો સમાવેશ.
૧૦. જેમાં ઋષિક, અશ્મક, મૂલક, વિદર્ભ અને દક્ષિણના કેટલાક ભાગોનો સમાવેશ.
૧૧. આંધૌમાંથી પ્રાપ્ત શક વર્ષ ૧૧ના શિલાલેખના સંદર્ભમાં એવી અટકળ થઈ છે કે ચાષ્ટન અને નહપાન સમકાલીન રાજાઓ હતા અને બંનેએ શક સંવત વાપરેલો. તેમ જ કચ્છ ચાષ્ટનના તાબામાં અને તે સિવાયનું ગુજરાત નહપાન પાસે. જો કે આ અટકળ તદ્દન નિરાધાર છે.
૧૨. આ બધાં સ્થળોનાં વિસ્તૃત પરિચય માટે જુઓ ૧૩. જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ એક.
ગુરાસાંઇ., ગ્રંથ ૧, પ્રકરણ ૧૦ અને ૧૧.
૧૪. કેમ કે માણસામાંથી ક્ષત્રપોના થોડા સિક્કા હાથ લાગ્યા છે (જુઓ રસેશ જમીનદાર, ‘માણસામાંથી ઉપલબ્ધ પશ્ચિમી ક્ષત્રપના બે અપ્રસિદ્ધ સિક્કા', વિદ્યાપીઠ, સળંગ અંક ૧૮૯, ૧૯૯૪, પૃષ્ઠ ૧થી ૪; ‘માણસામાંથી પ્રાપ્ત ક્ષત્રપોના બે અપ્રસિદ્ધ સિક્કા', સામીપ્ટ, ૧૯૯૬, પૃષ્ઠ ૩૪થી ૩૯ અને ‘એન અપ્રેઝલ રેઝયુમ ઑવ ધ વેસ્ટર્ન ક્ષત્રપ ડિનસ્ટિ ઇન લાઈટ ઑવ ફોર મોર કૉઇન્સ ફાઉન્ડ ફ્રૉમ માણસા ઇન ગુજરાત', પંચાલ, કાનપુર, ૧૯૯૮, ગ્રંથ ૧૧, પૃષ્ઠ ૭૧થી ૮૧. ઉપરાંત વડનગરમાંથી એક મુદ્રાંક પણ મળ્યું છે (જુઓ પરિશિષ્ટ એક, ક્રમાંક ૩૩).
૧૫. જુઓ પરિશિષ્ટ ત્રણ.
૧૬. નર્મદાની દક્ષિણે આવેલાં સ્થળવિશેષથી ક્ષત્રપોના સિક્કાનિધિ હાથ લાગ્યા છે. એ બાબત સામાન્યતઃ અસાધારણ જણાય છે. આ ઉપરથી તેમ જ ચાષ્ટન-રુદ્રદામાએ સાતવાહનો પાસેથી ગુમાવેલા પ્રદેશો પાછા મેળવ્યા હતા તે હકીકતને ધ્યાનમાં લેતાં ક્ષત્રપોનું શાસન તે તે વિસ્તારો ઉપર પ્રવર્તતું હોય એવું અનુમાન થઈ શકે.
૧૭. આ વિશે આ જ પ્રકરણમાં જુઓ હવે પછીનો મુદ્દો : राजपद.
For Personal & Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અગિયાર
૧૯૯
૧૮. આ બધા ગુણોના સંબંધિત ઉદાહરણ વાસ્તે જુઓ રુદ્રદામાના શૈલલેખમાંથી પંક્તિઓ ૯, ૧૩-૧૫ અને વિશેષ માહિતી માટે જુઓ આ ગ્રંથનું પ્રકરણ અગિયાર, પરિશિષ્ટ દશ.
૧૯. પણ આ શૈલલેખને આધારે ઉપસતું એનાં ચરિત્ર અને ચારિત્ર્યથી એવું સૂચિત થઈ શકે કે એનામાં આમાંના ઘણાં લક્ષણો હોવાં જોઈએ. એની કારકિર્દીની ઝાંખી કરાવતું લખાણ માટે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ૭માં રુદ્રદામા અંગેનું વર્ણન.
૨૦. સંબંધિત ઉદાહરણો માટે શૈલલેખોમાંની આ પંક્તિઓ જુઓ ૧૦, ૧૨, ૧૪-૧૬.
૨૧. વાગુએ., પૃષ્ઠ ૪૯-૫૦; પ્રિવૅમ્યુબુ, અંક ૩-૪, પૃષ્ઠ ૫૧.
૨૨. દા.ત. રુદ્રદામા ૧લાનો ઉત્તરાધિકાર એના જ્યેષ્ઠ પુત્ર દામજદશ્રી ૧લાને;
રુદ્રસેન રજાનો રાજ્યાધિકા૨ એના જ્યેષ્ઠપુત્ર વિશ્વસિંહને;
ભર્તૃદામાનો ઉત્તરાધિકાર એના પુત્ર વિશ્વસેનને.
આ અંગેનું વિગતવા૨ વિશ્લેષણ વાસ્તે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ સાત અને આઠમાં સંબંધિત વિવરણ.
૨૩. દા.ત. રુદ્રસેન ૧લાનો પુત્ર પૃથિવીષેણ. (જુઓ પ્રકરણ સાત).
૨૪. સરખાવો : સ્વયમધિગત મહાક્ષત્રપનાના......અને સર્જાવપ્નમિાય
રક્ષાર્થ પતિત્વ વૃત્તેન.........
૨૫. પ્રિવૅમ્યુબુ., નંબર ૩-૪, પૃષ્ઠ ૫૦-૫૧.
૨૬. ચાષ્ટનકુળના પાંચેય રાઓના સિક્કા ઉપર આ બિરુદ નિર્દિષ્ટ થયેલું જોવા મળતું નથી; પરંતુ એમના શિલાલેખોમાં તેનો પ્રયોગ થયો છે.
૨૭. સ્વામી જીવદામાનો પુત્ર રુદ્રસિંહ અને તેનો પુત્ર યશોદામા શરૂઆતના રાજાઓ હોવા છતાંય આ બિરુદ ચાલુ રાખ્યું નથી. એ ઘટનાને અપવાદરૂપ ગણાવી શકાય.
૨૮. જુઓ પ્રકરણ છું, નહપાનનાં વિષુવોવાળું લખાણ.
૨૯. સરખાવા : વિષયાળાં પતિના...... (ગિરિનગર શૈલલેખ).
૩૦. સત્યશ્રાવ સ્વામીને યુવરાજ્ઞના પર્યાય તરીકે ગણવાનું મંતવ્ય પ્રસ્તુત કરે છે (જુઓ શક્સ ઇન ઇન્ડિયા, પૃષ્ઠ ૯૪). સત્યશ્રાવનું સૂચન સ્વીકાર્ય એટલા માટે રહેતું નથી કેમ કે સ્વામી શબ્દ મહાક્ષત્રપ અને ક્ષત્રપ બંને વાસ્તે પ્રયોજાયો છે. એક જગ્યાએ એનો પ્રયોગ સામાન્ય માણસ (રાજા માટે નહીં) માટે શ્યો છે (દા.ત. જીવદામા).
૩૧. પરંતુ શલ્પદ્રુમમાં આ શબ્દના જે ભાવાર્થ આપેલા છે તે ઉપરથી આવી અટકળ એક પ્રકારે સાહસ ગણાય. સંભવ છે કે ભદ્રમુદ્યુ એ માનવાચક શબ્દ હોય અને રાજા પોતાને માટે આ બિરુદ પ્રયોજતો કે ઉપયોગતો ન હતો, માત્ર પુરોગામીઓ-પછી તે વિદેહ હોય કે વિદ્યમાન-વાસ્તે પ્રયોજતો. સ્વામીની જેમ એનો પ્રયોગ વિશેષ રુચિકર જણાય છે.
૩૨. નહપાનના જમાઈ ઉષવદાત્તે (જે શક જાતિનો હતો) અનેક સ્થળોએ દાન આપ્યાં હતાં, તે સ્થળોનો તે પ્રાયઃ સૂબો હોય એવી અટકળ વ્યક્ત થઈ છે (જુઓઃ રેપ્સન, કેટલૉગ, ફકરો ૩૧ અને ૯૦; સુધાકર ચટ્ટોપાધ્યાય, શક્સ ઇન ઇન્ડિયા, પૃષ્ઠ ૩૯-૪૦ અને એઇયુ, પૃષ્ઠ ૧૮૧-૮૨). પરંતુ નહપાનના લેખોમાં ક્યાંય ઉષવદાત્ત વિશે આ પ્રકારનો નિર્દેશ નથી, જ્યારે અયમ વિશે સ્પષ્ટ છે. એટલે ઉષવદાત્ત નહપાનનો સૂબો હોય તે અટકળ યોગ્ય જણાતી નથી.
૩૩. પ્રાયઃ મુખ્ય વહીવટી વિભાગને રાષ્ટ્ર તરીકે ઓળખતા હશે. મૌર્યકાલીન રાષ્ટ્રિય શબ્દ તથા રુદ્રદામાના શૈલલેખમાં આનર્ત-સુરાષ્ટ્ર માટે થયેલો બહુવચનનો પ્રયોગ આ અટકળને સમર્થન બક્ષે છે. ૩૪. મૌર્યકાળમાં આ અધિકારીને અહીં રાષ્ટ્રિ તરીકે; ગુપ્તકાળમાં જોતા તરીકે અને અનુમૈત્રકકાળમાં
For Personal & Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ક્ષત્રપકાલીન ગુજરાત રાષ્ટ્રપતિ તરીકે ઓળખતા; પરંતુ ક્ષત્રપકાલ દરમિય આ હોદા વાસ્તે કયો વિશિષ્ટ શબ્દ પ્રયોજાતો હશે
તે જાણવું પ્રાપ્ત થતું નથી. ૩૫. દેવની મોરીના બૌદ્ધતૂપમાંથી મળેલા અસ્થિપાત્રલેખમાં ઝાતિપથ્વી અને પરાન્તિપીનો ઉલ્લેખ
થયેલો હોઈ ઉપર્યુક્ત સૂચનને સમર્થન મળે એમ સૂચિત થાય. પરંતુ પ્રસ્તુત પાઠ અને તેનો અર્થ સંદિગ્ધ જણાય છે. મિરાશીએ હવે પ્રતિપાદિત કર્યું છે કે આ શબ્દ પર્ઘ નથી પણ પી છે (વિશ્વેશ્વરાનંદ ઇન્ડોલૉજિકલ રીસર્ચ જર્નલ, પુસ્તક ૩, નંબર ૧, પૃષ્ઠ ૧૦૧-૧૦૨). તેથી જો કે આ ઉપરથી કોઈ સમર્થન હાથવગું થતું નથી.
For Personal & Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
વિભાગ ચાર
પુરાવશેષો અને અભિલેખો : વિશ્લેષણ
પ્રકરણ બાર
પ્રકરણ તેર
પ્રકરણ ચૌદ
પરિશિષ્ટ નવ
પરિશિષ્ટ દશ
મહત્ત્વના પુરાવશેષોનાં અવલોકન
: સિક્કાઓની સર્વગ્રાહી સમીક્ષા
કેટલાક અભિલેખોનું વિશ્લેષણ
:
00
: સિક્કા ઉપરનાં લખાણ : બ્રાહ્મણીમાં અને દેવનાગરીમાં
કેટલાક અભિલેખોના પાઠ
0:0
For Personal & Private Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાર
મહત્ત્વના પુરાવશેષોનાં અવલોકન
સામુદ્રિક પુરાવશેષ
આજના વિશ્વમાં માનવેતિહાસને શક્યતઃ પારદર્શક પરિપ્રેક્ષ્યમાં સમજવામાં દ્રવ્ય કે પદાર્થ, કહો કે પુરાવસ્તુનાં અધ્યયન-અન્વેષણને વધુ વિશ્વનીય ગણવામાં આવે છે. આથી, પૂર્વકાલીન સ્થળોને, ઇમારતોને કે એવી ભૌતિક સામગ્રીને શોધવાનું, તેની પરીક્ષા કરવાનું, જે તે સ્થળે સ્થિત કે અસ્તિત્વ ધરાવતા પદાર્થનું કે સંપ્રાપ્ત થતી ભૌતિક સામગ્રીનું તેના પરિઘમાં આવતી નૈસર્ગિક પરિસ્થિતિ સાથે એના અનુબંધને અનુસરવાનું અને તેના આધારે જે તે સ્થળ કે પ્રદેશ કે દેશનાં સંસ્કૃતિ અને ઇતિહાસને અર્થઘટિત કરી આલેખવાનું, વિશ્વના અન્ય વિભાગોના એવા ભૌતિક પદાર્થ સાથે સંલગ્નિત કરવાનું કે અનુબંધિત કરવાનું કાર્ય સાધીને સમગ્ર માનવપ્રવૃત્તિના કાલચક્રની કાર્યશૈલીની વિવિધતાનો અભ્યાસ કરી પ્રાપ્ત થતા જ્ઞાનની ચર્ચા કરી તેના પરિણામને સાંસ્કૃતિક ઇતિહાસના પરિમાણમાં ઢાળીને પ્રજા પ્રત્યક્ષ કરવાનું કાર્ય જે પ્રક્રિયાથી કે પદ્ધતિથી થાય છે તેને પુરાવસ્તુવિદ્યા કહીએ છીએ. આ વિદ્યા સાથે કાર્યરત કર્મશીલોને આપણે પુરાવિદોથી ઓળખીએ છીએ. પણ તેમની સંખ્યા અતિ મર્યાદિત છે અને કાર્યફલક અતિ વિસ્તૃત. તેથી આપણા આવા સાંસ્કૃતિક વારસા અને વૈભવને સુરક્ષિત રાખવા મિષે પ્રજાકીય સહયોગ અને સહભાગિતા અનિવાર્ય અને આવશ્યક છે.
સામાન્યતઃ અદ્યાપિ પુરાવસ્તુકીય ઉત્પનનો જમીન ઉપર થતાં રહ્યાં છે; પરંતુ એંસીના દાયકાથી પાણી અંતર્ગત દટાયેલી ચીજવસ્તુઓનાં ઉત્નનનની દિશા ઉદ્ઘાટિત થઈ છે. ઘણીવાર પુરાવસ્તુવિદ્યાને જમીનમાં દટાયેલાં નગર અને સંસ્કૃતિનાં હાડપિંજરની પૉસ્ટમૉર્ટમ પ્રક્રિયા તરીકે ખોટી રીતે ઓળખાવાઈ છે, તેવી ગેરસમજણમાંથી મુક્ત થવાની જરૂર છે. પુરાવસ્તુકીય પ્રવૃત્તિઓ કેવળ ઉખનન પૂરતી સીમિત રાખવાની જરૂર નથી. હકીકતે તેનો વિનિયોગ સંસ્કૃતિદર્શન વાસ્તે થવો જોઈએ. પુરાવસ્તુકીય અન્વેષણ વ્યાપક પરિમાણી છે અને વૈશ્વિક તથા પ્રાદેશિક ઘટનાક્રમોને સમજવામાં તથા માનવજીવનનાં અને સંસ્કૃતિઓના વળાંકનાં કે પ્રવાહોનાં રહસ્યને વ્યાખ્યાયિત કરે છે. આથી, પુરાવસ્તુકીય પુરાવાઓને સમુદ્રના તળીએથી શોધી કાઢવાનું અભિયાન આપણે ગઈ સદીના અંતિમ ચરણથી અમલી બનાવ્યું છે. જો કે આધુનિક અને પશ્ચિમી ગણાતી પ્રસ્તુત પ્રવૃત્તિની સ્પષ્ટ વિભાવના આપણી સાંસ્કારિક પરંપરામાં નિહિત છે :
नावा न क्षोदः प्रदिशः पृथिव्याः ।
મધુમને પરાયાં મધુમપુનરીયનમ્ II (ઋગ્વદ, ૧૦.૨૪.૬) અર્થાત પૃથ્વીના બધા જ ભૂભાગે આપણાં વહાણો હંકારવાં અને વિદેશ જવું તથા પરત આવવું એ ઉભય પ્રક્રિયા આનંદદાયક છે.
For Personal & Private Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
આમ, આપણાં વહાણ ઋગ્વેદીય સમયથી સાત સમુંદર ખેડતાં હતાં અને તેથી અકસ્માતે વહાણોની જળસમાધિ થતી રહેતી હોવાની ઘટના વાસ્તવિક ગણવી રહી. આ કારણે સામુદ્રિક પુરાવસ્તુનાં અન્વેષણ આપણી સંસ્કૃતિની કેટલીક અનભિજ્ઞ ઘટનાઓને પ્રત્યક્ષ કરે છે. હિન્દી મહાસાગરમાં અને (કહેવાતા) અરબી સમુદ્રમાં, આથી, આ પ્રવૃત્તિનું વ્યૂહાત્મક મહત્ત્વ અવગણવા જેવું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે વેદયુગીન સંસ્કૃતિના સમયથી ઓગણીસમી સદીના અંત પર્યંત વહાણો બાંધવાની પ્રવૃત્તિ, દરિયાઈ વેપાર-વાણિજ્ય અને સંસ્કૃતિનાં આંતરકાર્યના ઇતિહાસને આલેખિત કરવા સમુદ્રીય કે જલીય પુરાવસ્તુકીય અન્વેષણ હાથ ધરવાં એ સમયનો તકાજો છે અને આ પડકારને સક્ષમ નેતૃત્વ પૂરું પાડ્યું છે વિખ્યાત પુરાવિદ શિકારીપુર રંગનાથ રાવે. તો એની ભૂમિગત અસરોનાં અન્વેષણની સક્ષમ પ્રવૃત્તિ હાથ ધરી છે વિખ્યાત પુરાવિદ સ્વરાજ પ્રકાશ ગુપ્તાએ’.
કામરેજ
૨૦૪
તાપી નદીના ડાબા કાંઠે સુરત જિલ્લામાં કામરેજ ગામ આવેલું છે અને અરબી સમુદ્રના નજીકના વિસ્તારમાં કામરેજ તાલુકાનું આ ગામ સામુદ્રિક વેપાર-વાણિજ્યથી ક્ષત્રપકાળ દરમ્યાન સમૃદ્ધ બંદર તરીકે કાર્યરત હતું. સ્થળતપાસ અને ખોદકામથી પ્રાપ્ત અવશેષોએ દર્શાવી આપ્યું છે કે ઈસ્વીના આરંભનાં વર્ષો દરમ્યાન કામરેજ ઔદ્યોગિક કેન્દ્ર અને વેપારી-બંદર તરીકે ધમધમતું હતું અને વિદેશો સાથેનાં વેપાર-વાણિજિયક સંબંધો એણે રાતા સમુદ્ર અને ઈરાની અખાત વિસ્તાર મારફતે સુદૃઢ બનાવ્યા હતા. અહીં, ત્યારે લોહકાર્ય, શંખ હુન્નર, મણકા બનાવવા જેવી પ્રવૃત્તિ પુરબહારમાં ચાલતી હતી.
સુરતના રેલવે સ્ટેશનથી આશરે વીસ કિલોમીટરના અંતરે તાપી નદીના ઉપરવાસે કામરેજ આવેલું છે. તાપી નદી કામરેજ પાસે એકદમ વળાંક લે છે અને ત્યાં કાદવીય કરાડ(કે ખડક)માં પુરાવસ્તુકીય સામગ્રી અનામત રહેલી હતી. કામરેજની લોકવસ્તીની નજીકમાં વ્હોટ નામથી ઓળખાતો એક ટેકરો છે. પરંપરા મુજબ કામરેજનો આ ટેકરો ‘કામાવતી નગરી'થી ઓળખાતો હતો. તાપીપુરાણમાં આ વિશે નિર્દેશ છે. પેરિપ્લસ(ફકરો ૪૩)માં કામરેજના અસ્તિત્વનો ઉલ્લેખ છે. તોલમાયની ભૂગોળમાં પણ કામરેજનો નિર્દેશ જોવા મળે છે. તાપી નદીના ખાડીય વિસ્તારમાં કામરેજ આવેલું છે'.
અહીંથી આધૈતિહાસિક યુગના અને ઐતિહાસિક યુગના આરંભના સમયના વસાહતી ભાત દર્શાવતા અવશેષો હાથ લાગ્યા છે. પરંતુ આપણે અહીં ક્ષત્રપકાળ દરમ્યાનના પુરાવશેષોની સમીક્ષા કરીશું.
આ સ્થળે ઉત્ખનન પ્રાથમિક તબક્કાનું થયું છે અને વ્યાપક સ્તરે એનું ખોદકામ થયું નથી. પરંતુ જે કંઈ પુરાવશેષો હાથ લાગ્યા છે તે ઉપરથી આ સ્થળના પ્રકાર અને પ્રવૃત્તિનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. અહીંથી પ્રાપ્ત ઠીંકરાં, માનવકૃત ચીજો, વનસ્પતિજ વસ્તુઓ અને ઇમારતી અવશેષો આ સ્થળના લોકોના ભૌતિક જીવન અને એમની વસાહતના કાલાનુક્રમની સમજણ સંપડાવી આપે છે. આ બધા અવશેષોથી પ્રાથમિક પરિણામ એવું સૂચિત કરે છે કે
For Personal & Private Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાર
૨૦૫ કામરેજનો અભ્યદય ઈસ્વીપૂર્વ અને ઈસ્વીસનના સંધિકાળે થયો હોવો જોઈએ; ખાસ કરીને ક્ષત્રપકાલ દરમ્યાન સ્થાપત્યકીય અને વાણિજિયક પ્રવૃત્તિઓ પુરબહારમાં ચાલતી હતી. આથી, એ પણ સૂચવાય છે કે કામરેજ પૂર્વકાલમાં એક બંદર હતું અને દરિયા પારના સંબંધોથી સંલગ્નિત હતું, કેમ કે વિદેશી માટીકામના નમૂના અહીંથી હાથ લાગ્યા છે. દા.ત. વાસણનો કાંઠલો અને હાથો, જેનો આકાર એમ્ફોરા જેવો છે. ચકચક્તિ વાસણના નમૂના સંભવતઃ પર્શિયાઈ અખાતમાંથી આયાત કર્યા હોય.
કામરેજ સંખ્યાતીત ચીજવસ્તુઓનું ઉત્પાદન કેન્દ્ર હતું : શંખની બંગડીઓ, કાચ અને પથ્થરના મણકા, વિશાળ પાયા ઉપરનું માટીકામ અને લોખંડકામની વસ્તુઓનું ઉત્પાદન અહીં થતું હતું. દોરા-ધાગા જેવા નમૂના કાપડ ઉદ્યોગનાં દ્યોતક જણાય છે. મોટી કોઠીઓ નિર્માણ કરવાની ભઠ્ઠી હતી. કપાસ અને અનાજના ભંડાર દટાયા હોવાનું શોધી શકાયું છે જેનો ઉલ્લેખ પેરિપ્લસમાં છે. મોટા પ્રમાણમાં લોખંડના કિટાઓની ઉપલબ્ધિ લુહારકાર્યનો નિર્દેશ કરે છે અને પેરિપ્લસે તો એવો નિર્દેશ કર્યો છે કે લોખંડની નિકાસ રાતા સમુદ્રના પ્રદેશોમાં થતી હતી. આ બધાથી સૂચિત થાય છે કે કામરેજ બંદરેથી દરિયા પારના દેશો સાથે વેપારી સંબંધો હતા. પાણીના તરાપા જેવા નમૂના હાથ લાગ્યા છે પણ વહાણના નમૂના મળ્યા નથી.
રાતાં ચકચક્તિ માટીનાં વાસણો અહીંથી મળ્યાં છે. દા.ત. વાટકા, ડાંગરના ભૂસાથી ઘડાયેલું ભૂખ-કાળું વાસણ વગેરે. મણકાઓનું વૈવિધ્ય ધ્યાનાર્ય છે. આ માણકાઓ મોટા પાયે નિકાસ થતા હતા. અકીકના મણકા પણ અહીં તૈયાર થતા હતા. પક્વમૃતિકાના નમૂનામાં નળિયાં, ત્રાક અને નાની મૂર્તિઓનો સમાવેશ થાય છે. વિષ્ણુની પાષાણપ્રતિભા નોંધપાત્ર ગણાય છે. ક્ષત્રપ સમયના તાંબાના બે સિક્કા પણ મળ્યા છે જેના ઉપર બ્રાહ્મીમાં લખાણ છે.
કામરેજમાંથી માટીકામના જે નમૂના મળ્યા છે તેમાં રાતાં ચકચક્તિ વાસણો, સાદાં રાતાં વાસણો, બરછટ રાતાં વાસણો, ઘસીને ચકચક્તિ કરેલાં લોહિત વાસણો, કાળાં વાસણો, ચિત્રિત વાસણો, કાચના જેવાં ઓપવાળાં વાસણોનો સમાવેશ થાય છે. આ બધાં વાસણોનો સમયપટ ઈસ્વીપૂર્વની પહેલી સદીથી ઈસ્વીની ૧૦મી સદી સુધી વિસ્તૃત છે પણ મોટા ભાગનાં માટીનાં વાસણો ક્ષત્રપ સમયનાં જણાયાં છે.
- કામરેજમાંથી જે પુરાતન અવશેષો મળ્યા છે તેમાં પથ્થરના નમૂના, ઉપરત્નના નમૂના, કાચના નમૂના, શંખની બનાવટો, તાંબું-લોખંડ-સીસુંના નમૂના અને પકવેલી માટીની ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે. પાષાણ નમૂનામાં દેવીમૂર્તિ, વિષ્ણમૂર્તિ દર્શાવતી તક્તી, માનવાકૃતિ; ઉપરત્નના નમૂનામાં વિવિધ આકારના મણકા; પકવેલી માટીના નમૂનામાં માનવાકૃતિનો માથારાથવિનાનો નમૂનો, માનવાકૃતિ, જ્ઞાની મૂર્તિ લિખિત તૂટેલી મૂર્તિ, રમતવીર, વિવિધ પ્રકારના મણકા, રમકડું, બોલ, બંગડી, હાથો વગેરે; કાચના નમૂનામાં મણકા વિવિધ પ્રકારની બંગડી વગેરે; શંખના નમૂનામાં બંગડીના પ્રકાર; ધાતુના નમૂનામાં મણકા, સિક્કા વગેરે હાથ લાગ્યા છે.
કામરેજ અને આસપાસના વિસ્તારમાં લોખંડ ઉદ્યોગની પ્રવૃત્તિનો ઉલ્લેખ દર્શાવતી ચીજવસ્તુઓ હાથલાગી છે તેથી લોખંડકાર્યના આંતરરાષ્ટ્રીય વેપારની લાક્ષણિક તસવીર પ્રાપ્ત
For Personal & Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ક્ષત્રપકાલીન ગુજરાત
થાય છે. આ બાબતે કામરેજ ધ્યાનાકર્ષક રહ્યું છે. આ મહત્ત્વ દર્શાવતી મોટી સંખ્યામાં પ્રાપ્ત લોખંડના ખીલા અને અન્ય ચીજો હાથ લાગી છે. આ નમૂના ક્ષત્રપકાલના છે.
આમ, આ સ્થળના પ્રારંભિક ઉત્પનનકાર્યના અહેવાલોથી એટલું સ્પષ્ટ રીતે સૂચવાય છે કે ક્ષત્રપકાલ દરમ્યાન કામરેજ પશ્ચિમ ભારતનું બીજું બંદર હતું, ખેતી આધારિત સમૃદ્ધ શહેર હતું, લોખંડના ઉદ્યોગની નગરી હતી, મણકા-મૂર્તિ-બંગડી જેવી ચીજવસ્તુઓ બનાવવાનું મુખ્ય કેન્દ્ર હતું અને સહુથી વિશેષ તો આંતરરાષ્ટ્રીય વેપાર-વાણિજયનું અગ્રણી કેન્દ્ર હતું. સંજાણ : પારસીઓનું પાયતષ્ઠ
ઈરાનના ઇસ્લામી શાસકના ત્રાસથી કંટાળીને જરથુષ્ટ્રી નિરાશ્રિતોનું એક જૂથ ઈસ્વીની સાતમી સદીમાં દેશ છોડીને કાયમ માટે ભારતને વતન બનાવવા સંજાણ બંદરે આવ્યું હોવાની એક પરંપરા જાણીતી છે. પારસીઓનો કોઈ લિખિત દસ્તાવેજી ઇતિહાસ નથી; માત્ર ઈસ્વી ૧૬૦૦માં લખાયેલી ફારસી કવિતા “કિસ્સે-ઈ-સંજાણ” અર્ધ-ઇતિહાસી દસ્તાવેજ છે. આ કવિતા પારસી મોબેદ દસ્તૂર બોમન કૅકોબાદે રચી હતી. આપણે જાણીએ છીએ તેમ પરંપરા મુજબ સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ સ્થાનિક શાસક સાથે કરારબદ્ધ થયા કે આશ્રયના બદલે તેઓ સ્થાનિક રીતરિવાજને અનુસરશે. હકીકતમાં આ સ્થળ પારસીઓએ નિર્માણ કરેલું અને એમનું પ્રથમ દેવસ્થાન અહીં રચાયું. ઈરાનમાંના આ જ નામના શહેરની સ્મૃતિમાં પોતાના પ્રથમ નિવાસસ્થાનને તેમણે સંગાથી પ્રતિષ્ઠિત કર્યું. આશરે ઈસ્વી ૧૩૯૩થી ૧૪૦પ દરમ્યાન સુલતાન મોહમ્મદના લશ્કરે સંજાણ કબજે કર્યું ત્યાં સુધીમાં તો તેઓ સમગ્ર ગુજરાતમાં વસાહતી થઈ ગયા હતા.
ઈસ્વી ૨૦૦૧માં સ્થળતપાસ દ્વારા આ સ્થળની પુરાતન વસાહત ઓળખી શકાઈ હતી. વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકામાં વરોલી નદીના ઉત્તર કિનારે આ સ્થળ આવેલું છે. પરંતુ અહીં ઉખનનકાર્ય ૨૦૦૨ અને ૨૦૦૩માં થયેલું. આથી, અહીંથી ઘણા બધા પુરાવશેષો અને માટીકામના નમૂના હાથ લાગ્યા હતા. પરંતુ મોટા ભાગના અવશેષો ૮મી-૧૦મી સદીના છે. ખોદકામથી ચાર સ્તરની જાણકારી પ્રાપ્ત થઈ. આમાંથી બીજા નંબરના સ્તરમાંથી સિક્કા અને મણકાના નમૂના મળી આવ્યા છે. આમ તો, અહીંથી બધા મળીને ૧૨૦૦ જેટલા પુરાવશેષ હાથ લાગ્યા છે જેમાં ૪૨૭ મણકા છે, કાચના ૨૮૨ નમૂના છે અને ૩૨ સિક્કાનો સમાવેશ થાય છે. સિક્કાના આધારે અહીંની વસાહત તેરમી સદી પછીની નથી.
સંજાણમાંથી પ્રાપ્ત સિક્કા રજી સદીથી ૧૧મી સદી સુધીના હોવાનું જણાય છે. આમાંથી ક્ષત્રપ સિક્કાઓની આપણે નોંધ લઈશું. આમાંથી ફક્ત અગિયાર સિક્કાઓનો અભ્યાસ થઈ શક્યો છે, કેમ કે શેષ સિક્કા સારી હાલતમાં નથી. આમાંથી ચાંદીના ચાર સિક્કા એવા છે જેના ઉપર હાથી અને સિંહની શોભાત્મક આકૃતિ છે અને જે ઈસ્વીસનની પહેલી-બીજી સદીની છે. તાંબાના સિક્કા અભ્યાસ થઈ શકે એવા નથી પણ સાધકબાધક પુરાવાથી તે ૧લી-રજી સદીના હોવા જોઈએ. હાથી–સિંહની આકૃતિવાળા સિક્કા સાતવાહન રાજાઓના હોવાનું સૂચાવયું છે.
સિક્કાઓથી એટલું પુરવાર થાય છે કે પારસીઓનાં આ સ્થળે આગમ પૂર્વે અહીં લગભગ રજી સદીથી વસવાટપ્રક્રિયા અસ્તિત્વમાં હતી. આના સમર્થનમાં આભિલેખિક પુરાવો સહાયરૂપ
For Personal & Private Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાર
૨૦૭
બને છે. સંજાણની પાસેનું વર્તમાન નારગોલ ગામ એ ક્ષહરાત રાજા નહપાનના નાસિકગુફાના લેખમાં નિર્દિષ્ટ નાનોત હોઈ શકે. શિલાલેખમાં એમ પણ નોંધ્યું છે કે રાજાએ બત્રીસ હજાર નાળિયેર છોડ રોપ્યા હતા. પશ્ચિમનો આપણો દરિયા કિનારો નાળિયેરના વેપાર માટે જાણીતો હતો. આપણે જાણીએ છીએ કે ઈસ્વીની પ્રારંભની સદીઓ દરમ્યાન વેપાર-વાણિજ્યનો વિકાસ ધ્યાનાહ હતો. પેરિપ્લસે પણ પશ્ચિમ કિનારાનાં ભાતીગળ વર્ણન કર્યા છે. આમ, પારસીઓના સંજાણમાં આગમન પૂર્વે અહીં ક્ષત્રપાળ દરમ્યાન ધ્યાના વાણિજિયક પ્રવૃત્તિ થતી હતી. હાથબ
જેનું પૂર્વકાલીન નામ દસ્તવપ્ર છે અને મૈત્રાકવંશી રાજા ધ્રુવસેન ૧લાના તામ્રપત્રશાસનમાં હસ્તવપ્રનો જે નિર્દેશ છે તે વર્તમાને હાથબ તરીકે ઓળખાય છે. ઈસ્વીની પહેલી સદીની કાળી માટીની મુદ્રાંકમાં બાહ્મીમાં સ્વામી સંધામન દસ્તાવDધી રીઝને લખાણ છે તે મુદ્રાંક પણ હાથબમાંથી હાથ લાગી છે. ભાવનગર જિલ્લામાં ઘોઘા પાસેની મલેશ્વરી નદીના વહળાકાંઠે હાથબ ગામ આવેલું છે; વર્તમાન ભાવનગરથી દક્ષિણમાં ચોવીસ કિલોમીટરના અંતરે. પેરિપ્લસમાં રસ્ત» એવો નિર્દેશ પણ હાથબ સંદર્ભે હોવાનું સૂચવાય છે.
હાથબમાં દટાયેલા નગરના અવશેષોનું અસ્તિત્વ સૂચિત કરે છે કે અહીં ઈસ્વીપૂર્વ ચોથી સદીથી ઈસ્વીની છઠ્ઠી સુધી માનવવસાહત હતી અને માનવપ્રવૃત્તિઓ થતી રહેતી. આથી, ક્ષત્રપકાલ દરમ્યાન પણ અહીં વસાહત અને પ્રવૃત્તિ હોવાં જોઈએ. અહીં જે ખોદકાર્ય થયું છે તેમાં ત્રણ સમયની સંસ્કૃતિઓનાં એંધાણ હાથવગાં થયાં છે : (૧) મૌર્યકાળ (ઈસ્વીપૂર્વ ૪થી થી ઈસ્વીપૂર્વ ૧લી સદી), (૨) ક્ષત્રપકાલ (ઈસ્વી ૧લી થી ૪થી સદી) અને (૩) મૈત્રકકાળ (ઈસ્વીની પાંચમી-છઠ્ઠી સદી). આપણે ફક્ત ક્ષત્રપાલ સંદર્ભે ઉખનિત અહેવાલની વિગત તપાસીશું.
હાથબમાંથી ખોદકામ દરમ્યાન મુખ્યત્વે રાતાં ચકચક્તિ વાસણો, બરછટ ભૂખરાં વાસણો, સાદા ભૂખરાં વાસણો, સુશોભિત અને લખાણયુક્ત વાસણો હાથ લાગ્યાં છે. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાંથી આવેલા એમ્ફોરાના ટુકડા મળ્યા છે. ઘરવપરાશ અને ધાર્મિક વિધિમાં ઉપયોગી એવાં લોખંડનાં વાસણો આ સમયની વિશેષતા છે. લોકો પથ્થરનાં ગોળાકાર ઘરોમાં રહેતા હતા. લંબચોરસ ઈંટોથી બનેલાં ઘરો હાથ લાગ્યાં છે. અહીંથી મળેલો કાદવીમાટીનો કિલ્લો ધ્યાનાર્ડ છે. એની લંબાઈ ૬.૩૦ મીટરની છે. કિલ્લો ખાઈથી રક્ષિત છે જે દશ મીટર પહોળી અને બે મીટર ઊંડી છે. ખાઈના વિસ્તારોમાંથી હાથ લાગેલી તળિયા વિનાની જાળ(શોષવાસણ)ના નમૂના દર્શાવે છે કે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પદ્ધતિસરની હતી. લોખંડનાં ઓજારોમાં ચપ્પાં, બાણનાં ફળ, ખંજરનો સમાવેશ થાય છે જે રક્ષણ માટેનાં હોવાનું સૂચવાય છે. આ ઓજારો ખાઈમાંથી હાથ લાગ્યાં છે. આશરે હજારેક જેટલા સિક્કા ખાઈમાંથી મળ્યા છે જેમાંના થોડાક ઉપર ત્રિકૂટ પર્વત, નદીસૂચક રેખા અને સૂર્ય-ચંદ્રનાં ચિહ્ન ઉપસાવેલાં છે. આ સિક્કાના એક ભાગે ઉત્તરાંગ પણ છે. આ સિક્કા ક્ષત્રપવંશના હોવાનું અનુમાની શકાય છે.
પ્રસ્તુત ખોદકામ દરમિયાન ઈસ્વીની પહેલી-બીજી સદીની વાવનાં નિશાન મળ્યાં છે. અર્ધગોળાકાર ચૈત્ય પ્રકારની આ વાવ ઈંટરી છે. પ્રવેશદ્વાર સાંકડું છે અને પથ્થરનાં પગથિયાં
For Personal & Private Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
પહોળાં છે. સ્થાપત્યકીય જમીન-પ્લાન નોંધપાત્ર છે. કૂવાની એક બાજુએ પથ્થરમાં કંડારેલો કાચબ છે. સંભવતઃ વિષ્ણુપૂજા સાથે વાવ સંલગ્નિત હોય. વાવની નજીકમાં પથ્થરની એક કુંડી છે જેમાં પાણી ભરવામાં આવતું. આ વાવ ખાઈની ખૂબ જ નજીક આવેલી છે. વાવમાંથી જે અવશેષો મળ્યા છે તેમાં શંખ, પક્વમૃત્તિકાનું કમળ, ચિત્રિત સિક્કા, રાતાં ચકચક્તિ વાસણો, રાતાં વાસણાં, એમ્ફોરાના હાથા, સુશોભિત હાથીદાંતનો મેડલ સમાવિષ્ટ છે.
૨૦૮
આ ઉપરાંત ક્ષત્રપકાલીન એવા બે કૂવા મળ્યા છે, જેનો વ્યાસ દોઢ મીટરનો છે. કૂવા પકવેલી ઈંટોથી બનેલા છે. આશરે સાત મીટરની ઊંડાઈએથી ઢગલાબંધ અનાજછોડાં હાથ લાગ્યાં છે. આ ઉપરાંત આ સમયના અન્ય અવશેષોમાં પકવેલી માટીમાંથી બનાવેલાં રમકડાં, એમ્ફોરા, પક્વમૃત્તિકાની મૂર્તિઓ, માનતાની કૂંડીઓ, રમતવીરો, શંખમાંથી બનાવેલી બંગડીઓ, તાંબાનાં આભૂષણ, લોખંડનાં ઓજાર, સુવર્ણનું પેન્ડન્ટ અને ઉપરત્નોના નમૂના મળ્યા છે. અહીંથી પ્રાપ્ત સિક્કાઓ અહીંની ઇમારતોના સમયાંકનમાં ઉપયોગી નીવડે છે. આમાંના ઘણા સિક્કા ક્ષત્રપોના હોવાનું જણાય છે. શંખનો હુન્નર હાથબમાં ક્ષત્રપ સમયે હતો. લોખંડને ગાળવાનો હુન્નર પણ હતો; કેમ કે લોખંડના ઘણા કીટા હાથ લાગ્યા છે. અહીંથી ઉપલબ્ધ સોનાની મહોર ઉપર આ શહેરનું ઉત્કીર્ણ નામ ધ્યાનાર્હ છે.
દેવની મોરીના બૌદ્ધ અવશેષો
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં પ્રસિદ્ધ વૈષ્ણવતીર્થ શામળાજીના પરિસરમાં મેશ્વો નદીના ખીણવિસ્તારમાં દેવની મોરી ગામની ભાગોળે આવેલા ‘ભોજ રાજાનો ટેકરો'
નામથી ઓળખાતો પુરાવસ્તુઓથી સભર એક ટીંબો હતો. આ ટેકરાનું પુરાવસ્તુકીય ઉત્ખનન મહારાજ સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાવસ્તુવિદ્યા વિભાગના ઉપક્રમે ગઈ સદીના છઠ્ઠા દાયકાના પૂર્વાર્ધ દરમ્યાન ડૉ.બી.સુબ્બારાવ અને ડૉ. રમણલાલ નાગરજી મહેતાના વડપણ હેઠળ ચાર મોસમ (૧૯૬૦થી ૬૩) સુધી હાથ ધરાયું હતું. ખોદકામ દરમ્યાન જેમ જેમ પુરાવસ્તુઓ ઉપલબ્ધ થતી ગઈ તેમ તેમ તેની વિગતો સામયિકોમાં લેખરૂપે અને વૃત્તપત્રોમાં સમાચારરૂપે પ્રગટ થતી રહેલી. ઉત્ખનનકાર્યનો સંપૂર્ણ અધિકૃત અહેવાલ એક્ષ્મવેશન એટ દેવની મોરી નામથી ૧૯૬૬માં પ્રસિદ્ધ થયો છે. અહીં તેના આધારે ઉપયોગી વિગતો સંક્ષેપમાં પ્રસ્તુત કરી છે૩. ક્ષત્રપકાળના અંત સમયના આ અવશેષો હોવાથી અહીં તે રજૂઆત પામ્યા છે.
પ્રસ્તુત ઉત્ખનનકાર્ય દરમ્યાન અહીંથી ઠીંકરાં, સિક્કા, શિલાલેખો અને સ્તરચના હાથ લાગ્યાં. આ બધી સામગ્રી આ પુરાવસ્તુકીયસ્થળનો કાળનિર્ણય ક૨વામાં સારી રીતે ઉપાદેયી નીવડી છે. આમાં મુખ્ય છે મહાસ્તૂપ અને મહાવિહારની ઉપલબ્ધિ ૪.
ચારે મોસમ દરમ્યાન જે ખોદકાર્ય ચાલ્યું તેમાંથી વિવિધ પ્રકાર-આકારનાં માટીનાં વાસણોના અવશેષો હાથ લાગ્યા. તેમાં સાદાં રાતાં વાસણો, ચિત્રિત રાતાં વાસણો, ઘસીને ચકચક્તિ કરેલાં કાળાં વાસણો, બરછટ અને અણઘડ એવાં રાતાં અને કાળાં વાસણો, રાતાં સુંવાળાં વાસણો, રોમીય એમ્ફોરાનો સમાવેશ થાય છે. આ બધાં વાસણો ગૃહોપયોગી હતાં અને એકાદને બાદ કરતાં બધાં સ્થાનિક ઉત્પાદનનાં વાસણો હતાં. આ વાસણોમાં વાટકા, ઘડા, કૂંજા
For Personal & Private Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાર
૨૦૯
કોડિયાં, બટેરાં, માટલાં, ઢાંકણાં, ધૂપિયાં, કોઠીઓ, સૂરાપાત્ર (એમ્ફોરા), હાંડી, નાળચાં, કાંઠલા, વગેરેનો સમાવેશ થાય છે.
પથ્થરના પદાર્થોમાં નિશાતરા, અશ્મણ, બુદ્ધની પ્રતિમાના ટુકડા, થાળી, ઘંટી વગેરે હાથ લાગ્યાં છે. શિસ્ટ, ગ્રેનાઈટ, ક્વાર્ટઝ, ખરતા પથ્થરમાંથી આ બધા પદાર્થો નિર્માણ પામ્યા હતા. ધાતુના નમૂનાઓમાં (ચાંદી, સોનું, તાંબું, સીસું, લોઢું વગેરેમાંથી બનાવેલા) ચાંદી અને તાંબાના સિક્કા, બંગડીના ટુકડા, તારનાં ઝૂમખાં, પેન્ડન્ટનો સમાવેશ થાય છે. લોખંડના ૩૭૨ પદાર્થ હાથ લાગ્યા છે, જેમાં ૩૪૦ તો ખીલાનો સમાવેશ થાય છે. શેષમાં બાણનાં ફળ, ભાલાનાં ફળ, છરીઓ, ખંજર, વીંટી, દાતરડું, ફરશી, કોદાળી, તબેઠો, કાતર, આંકડો વગેરેનો સમાવેશ થાય છે. કાચની વસ્તુઓમાં બાટલીનો કાંઠો અને વાટકાનો સમાવેશ થાય છે.
અહીંથી અગણોતેર સિક્કા હાથ લાગ્યા છે જેમાંના ઓગણસાઠ ચાંદીના છે, ચાર ચાંદીના ઓપવાળા તાંબાના છે, બે તાંબાના છે અને ચાર સીસાના છે. ચાંદીના બધા જ સિક્કા ક્ષત્રપોના છે, ત્રણ મૈત્રકોના છે અને બે ભારતીય-સસાનિયન છે.
દેવની મોરીનાં સ્થપત્યોની-સ્મારકોની વિશેષતા એ છે કે તે બધાં ઈંટેરી છે. આ બાંધકામમાં જે ઈંટોનો ઉપયોગ થયો છે તે વિવિધ કદની છે, વિવિધ આકારની છે. મુખ્યત્વે ઈંટો લંબચોરસ છે. મોટામાં મોટી ઈંટનું માપ છે ૯૭X૪૯૪૧૩૨ સેન્ટરીમીટર. નાનામાં નાની ઈંટનું માપ ૩૪૪૧૬X૨૯ સેન્ટીમીટર છે.
મહાસ્તૂપમાંથી બે દાબડા મળ્યા છે અને તે માટીના ઘડામાં મૂકેલા હતા. નાનો દાબડો ખડકના પથ્થરનો છે. આમાં માત્ર રાખ મૂકેલી છે. આનું ઢાંકણું તૂટેલું છે. બીજો દાબડો મોટો છે, અત્યંત મહત્ત્વનો છે અને ત્રણ ભાગનો છે : ઢાંક્યાને પકડવાની મૂઠ, ઢાંક્યું અને દાબડો. શૈલ-દાબડામાં તાંબાની પેટી છે તેની અંદર રેશમી કાપડની થેલી, સોનાની શીશી અને શારીરી પદાર્થ મૂકેલા છે. દાબડો બહારની બાજૂએ ચોપાસ ઉત્કીર્ણ છે.
આ ઉપરાંત પકવેલી માટીમાંથી નિર્માણ પામેલી કલાત્મક આકૃતિઓ/પદાર્થો પણ વિશેષ ધ્યાનાર્હ છે. આકૃતિઓમાં માનવીની, પ્રાણીઓની અને વનસ્પતિની આકૃતિઓનો સમાવેશ થાય છે. પકવેલી માટીમાંથી બનાવેલી નાની મૂર્તિઓ પણ હાથ લાગી છે. કેટલીક ઈંટો પણ સુશોભિત છે. પરંતુ આમાં ભગવાન બુદ્ધની પ્રતિમાઓ ખાસ ધ્યાનાર્હ છે. અન્ય સ્થાપત્યકીય અવશેષો પણ હાથ લાગ્યા છે૫.
આમ, દેવની મોરીનું ઉત્ખનનકાર્ય શિલ્પ, સ્થાપત્ય, નિર્માણકળા, સિક્કા, લખાણ બુદ્ધપ્રતિમાઓ, ઈંટેરી સ્મારકો અને માટીકામની દૃષ્ટિએ પ્રાક્-ગુપ્તકાળની લલિતકળાની શૈલીની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. મહાસ્તૂપ અને મહાવિહારના અવશેષો ક્ષત્રપકાલાના ગુજરાતમાં બૌદ્ધધર્મના અભ્યુદયની ગવાહી છે.
સ્થળતપાસ અને ખોદકામથી પ્રાપ્ત સામગ્રી
૧૬
પુરાવસ્તુકીય સ્થળતપાસ અને ઉત્ખનનકાર્ય સમયે સમયે થતાં રહે છે. આપણે એક્વીસમી સદીના પ્રારંભનાં વર્ષોમાં થયેલી આ અંગેની કેટલી પ્રવૃત્તિઓની સંક્ષિપ્ત ઝલક
For Personal & Private Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
અવલોકી; જેમાં મુખ્યત્વે (કહેવાતા) અરબી સમુદ્ર ઉપરનાં બંદર-નગરો ક્ષત્રપકાળ દરમ્યાન કઈ સ્થિતિમાં હતાં તેનું વિશ્લેષણ સમાવ્યું છે. હવે આપણે વીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં થયેલાં સ્થળતપાસ અને ઉત્ખનનકાર્યની પ્રવૃત્તિઓને પરિણામે જે અવશેષો હાથ લાગ્યા છે તેના અહેવાલોના આધારે માનવપ્રવૃત્તિઓને સમજવાનો પ્રયત્ન કરીશું; ખાસ કરીને ક્ષત્રપકાલનાં ગામો અને નગરોમાંથી હાથવગી થયેલી ચીજવસ્તુઓના સંદર્ભે. મુખ્યત્વે માટીકામની ચીજોના નમૂના વિશેષ પ્રમાણમાં હાથ લાગ્યા છે. ઉપરાંત પથ્થર, ધાતુ, હાડકાં, શંખછિપોલીમાંથી નિર્માણ થયેલી વસ્તુઓ પણ ઠીક ઠીક પ્રમાણમાં મળી આવી છે.
માટીની ચીજવસ્તુઓ
માટીકામ એ આપણા રાષ્ટ્રમાં સમયે સમયે અને વિવિધ ભૂભાગમાં થતી રહેલી પ્રાવૃત્તિક પરિસ્થિતિ છે. માટીને માનવી સાથે ભવોભવનો સંબંધ છે. ક્ષત્રપકાલ દરમ્યાન મળેલી માટીકામની વસ્તુઓમાં વિભિન્ન આકાર-પ્રકારનાં વાસણો, મુદ્રાઓ, મૂર્તિઓ, મણકા, રમકડાં વગેરેનો સમાવેશ થાય છે. આ સમયનાં વાસણોમાં સાદાં તેમ જ ઘૂંટેલાં લાલ વાસણ, સાદાં તેમ જ ઘૂંટેલાં કાળાં વાસણ, બરછટ સ્વરૂપનાં કાળાં અને લાલ વાસણ, ચીતરેલાં વાસણ, લાલ ઓપવાળાં વાસણ, સફેદ માટીનાં વાસણ, કાચનો ઓપ ચડાવેલાં વાસણ, રોમીય કોઠીઓ, અબરખ છાંટેલાં વાસણ અને સુશોભિત વાસણનો સમાવેશ થાય છે.
માટીનાં વાસણો
સહુથી વધુ પ્રમાણમાં આ સમયનાં વાસણો છે સાદાં તેમ જ ઘૂંટેલા લાલ વાસણ; જેમાં વાડકા, કૂંડાં, લોટા, ઘડા, માટલાં, કોઠીઓ, થાળીઓ, કલેડાંનો સમાવેશ થાય છે. * સાદાં તેમ જ ઘૂંટેલાં કાળાં વાસણમાં માટલાં, નાના ઘડા, કલેડાં વગેરે વાસણો બનતાં. * કાળાં અને લાલ બરછટ વાસણોનો અંદરનો ભાગ તેમ જ કાંઠો કાળો હોય છે અને બહારનો ભાગ લાલ રંગનો હોય છે. પહોળા મોંની હાંડલી આ પ્રકારનાં વાસણોમાં મુખ્યત્વે જોવા મળે છે. * ખાસ કરીને ચીતરેલાં વાસણોમાં લાલ ચૂંટેલાં વાસણા ઉપર કાળા રંગે ચિત્રકામ કરેલું જોવા મળે છે. આવાં વાસણો ઉત્તર ગુજરાતમાંથી વધારે પ્રમાણમાં મળે છે. ચીતરવાની આ પદ્ધતિ ક્ષત્રપકાલ દરમ્યાન શરૂ થઈ જણાય છે. વડનગર,નગરા, શામળાજી વગેરે સ્થળોએથી આ પ્રકારનાં વાસણો મળી આવ્યાં છે. * ચીતરામણની પરિપાટી સાથોસાથ બીબાંથી ઉપસાવેલી છાપો વડે એને સુશોભિત કરવાની પદ્ધતિ અસ્તિત્વમાં હતી. સુશોભિત વાસણો ઉપર રેખાઓ, ફૂલો, પશુઓ અને પંખીઓની આકૃતિ જોવી પ્રાપ્ત થાય છે. * લાલ ઓપ ચડાવેલાં વાસણો આ સમયની વિશેષતા છે. લાલ લીસાં વાસણોથી ખ્યાત આ વાસણોમાં લાંબી ડોકવાળાં અને સાંકડા મોંવાળા કુંજા જેવા ઘાટના વાસણ, વાટકા, રકાબી, નારચાંવાળા કરવડા ઇત્યાદિનો સમાવેશ થાય છે. * રોમથી આયાત થતાં વાસણોમાં અણીદાર તળિયાવાળી અને પકડવાનાં હાથાવાળી કોઠીઓનો સમાવેશ થાય છે. પીળાશ પડતાં રંગવાળી દળદાર કોઠીઓનું મોં લાંબું અને એની ડોકની બંને બાજુએ એને પકડવાના હાથા રહેતા. નગરા, શામળાજી, દેવની મોરી, ધાતવા, વલભીપુર, સોમનાથ, દ્વારકા, પીંડારા વગેરે સ્થળોએથી રોમીય કોઠીઓ ઉપલબ્ધ થઈ છે. રોમ સાથેના વેપારના આ સંગીન પુરાવા છે. * સફેદ માટીનાં વાસણ વડનગરમાંથી મળ્યાં છે. *
For Personal & Private Use Only
૨૧૦
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાર
૨૧૧
કાચનો ઓપ ચડાવેલાં વાસણો પ્રમાણમાં ઘણાં ઓછાં મળ્યાં છે. * આ કાલના થરોમાંથી અબરખ છાંટેલાં વાસણો મળ્યાં છે જેમાં ઘડા અને હાડકાં મુખ્ય છે. રોજિંદા વપરાશનાં અને ભોજનાદિ વખતે ઉપયોગમાં લેવાતાં આ વાસણોમાં ઘણી વિવિધતા વર્તાય છે. માટીની ઈટો
માટીનાં વાસણો ઉપરાંત માટીમાંથી નિર્માણ થયેલી ઈંટોનો બહોળો ઉપયોગ ક્ષત્રપકાળમાં જોવા મળે છે. આ સમયે પકવેલી ઈંટો ઘણા પ્રમાણમાં તૈયાર થતી અને એનાં કદ સામાન્યતઃ ૪૬૪૨૮૪૪૭થી ૯૨ સેન્ટીમીટરનાં જોવા મળે છે. ઈંટોનો ઘાટ લંબચોરસ હતો. જો કે જરૂર પ્રમાણે એકાદ ખૂણો ગોળાકાર પણ બનાવાતો. સ્થાપત્યમાં ઈંટોનો વિનિયોગ થતો હોવાનું બોરિયા સ્તૂપ, ઈંટવાનો વિહાર અને દેવની મોરીના મહાવિહાર તેમ જ મહાતૂપના અવલોકનથી સ્પષ્ટ થાય છે. ઈંટો સાદી અને સુશોભિત એમ બંને પ્રકારે નિર્માણ થતી. સૌથી વધુ આકર્ષક અને સુશોભિત ઈંટો દેવની મોરીના બૌદ્ધતૂપની છે. બાજરી કે ડાંગરનાં છોડાંની જરૂર પ્રમાણે મેળવણી કરીને ઈંટો તૈયાર થતી. ઈંટોનાં અવલોકનથી સમજાય છે કે ક્ષત્રપ સમયના લોકો ઈંટો ઘણી સારી રીતે પકવતા. મકાનનાં છાપરાં માટે આ કાળમાં માટીમાંથી બનાવેલાં નળિયાં નોંધપાત્ર છે. લંબચોરસ ઘાટનાં આ નળિયાંની એક બાજુએ બે કાણાં રખાતાં. આ નળિયાં સપાટ હતાં. ઈંટવા, કામરેજ, દેવીની મોરી જેવાં સ્થળોએથી આવાં નળિયાં હાથ લાગ્યાં છે. ઈંટોના કિલ્લા પણ બાંધવામાં આવતા. આવા કિલ્લા શામળાજી, શહેરા જેવાં સ્થળોએ જોવા મળે છે. તળાવની માટીની પાળની ઉપર ઈંટો પાથરી પાળને મજબૂત બનાવવા વાસ્તના પુરાવા દેવની મોરી પાસેનાં જળાશયોના અભ્યાસથી હાથ લાગ્યા છે. પકવ્યા વિનાની ઈંટોનાં મકાન આ સમયે બનતાં હોવાના સ્પષ્ટ પુરાવા પ્રાપ્ત થયા છે. માટીની ભીંત વડે પઢેરી મકાન બંધાતાં. માટીની ઈંટો આમ કલામય અને આકર્ષક બનતી હતી. રમકડાં અને મૂર્તિઓ
માટીમાંથી વિવિધ પ્રકારનાં રમકડાં અને મૂર્તિઓ પણ નિર્માણ થતી હતી, જેમાં દેવદેવીની તથા માનવોની આકૃતિઓ, પશુઓની આકૃતિઓ, લખોટી, ચકરડી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. માટીને હાથથી ઘાટ આપીને અને બીબાંમાં ઢાળીને માનવાકૃતિઓ તૈયાર થતી હતી. આકૃતિઓ આકર્ષક બનતી. દેવની મોરીમાંથી પ્રાપ્ત બુદ્ધ મૂર્તિઓ સર્વોત્તમ કક્ષાની ગણાવી શકાય. કારીગરોએ કેવી ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી હતી તેનો સારો ખ્યાલ આ બુદ્ધમૂર્તિઓથી સંપડાય છે. હકીકતે, ગુપ્તો પૂર્વે પશ્ચિમ ભારતમાં સ્થાપત્ય અને શિલ્પમાં એક આગવી શૈલી નિર્માણ પામી હતી અને તેને ક્ષત્રપશૈલીથી ઓળખાવી શકાય.
આ ઉપરાંત માટીનાં રમકડાં તૈયાર થતાં, જેમાં ગોળ લખોટીનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. પકવેલી આ લખોટીઓ બાળકો રમતાં હશે. કદાચ ગોફણમાં તેનો ઉપયોગ થતો હોવો જોઈએ. ઉપરાંત પૈડાં અને ચકરડીઓ સારા પ્રમાણમાં બનાવાતાં. પૈડાં ઠીંકરાંમાથી બનાવવામાં આવતાં. સામાન્યતઃ તૂટેલા ઘડા કે માટલાંનાં ઠીંકરાંને તોડી એને ગોળ ઘાટ આપવામાં આવતો અને એ રીતે પૈડાં તૈયાર થતાં. માટીની બીજી ચીજવસ્તુઓમાં બળદ, હાથી, ગેંડા, નીલગાય
For Personal & Private Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ક્ષત્રપકાલીન ગુજરાત જેવાં પ્રાણીઓના ઘાટનાં રમકડાં તૈયાર થતાં હતાં. માટીનાં પૈડાંવાળાં રમકડાં બનાવતાં હતાં. નગરામાંથી મળેલું પૈડાંવાળું માટીનું ગાડું નોંધપાત્ર છે. શામળાજી, નગરા જેવા સ્થળોએથી સમચોરસ અથવા લંબચોરસ ઘાટની પકવેલી માટીની વસ્તુઓ મળી છે. તેમાં ઉતારવા માટે પગથિયાં છે. સંભવતઃ માનતા માટે બનાવેલાં આ તળાવ હોઈ શકે. આવાં તળાવ દેવને ચડાવવામાં આવતાં હોવાનો અભિપ્રાય છે. માટીની મુદ્રાઓ
માટીમાંથી તૈયાર થતી બીજી ચીજવસ્તુઓમાં મણકા મહત્ત્વના છે. ગોળ, પકોણ કે સોપારી ઘાટના મણકા મળ્યા છે. મણકા કાળા અને લાલ રંગના છે. આવા મણકા જુદા જુદા કાળના થરોમાંથી મળતા હોઈ એના આધારે કાળગણના થઈ શક્તી નથી. મણકા ઉપરાંત માટીની મુદ્રાઓ પણ બનતી અને તે બધી ઘણી આકર્ષક જોવા મળે છે. નગરા, વડોદરા, ટીંબરવા, વડનગર વગેરે સ્થળોએથી તે મળી છે. મુખ્યત્વે તે ગોળાકાર હોય છે અને વિવિધ પ્રકારની હોય છે. બીબોની મદદથી એના ઉપર છાપ પાડવામાં આવતી. મુદ્રાઓમાંથી કેટલીક ઉપર છાપ અને કેટલીક ઉપર આકૃતિ જોવી પ્રાપ્ત થાય છે. છાપવાળી મુદ્રાઓમાં ગરુડ, ઘુવડ, ત્રિશૂળ, નંદી, ફૂલ વગેરે સમાવિષ્ટ હોય છે. માટીની દીવીઓ પણ મળી છે. દીવીઓમાં કેટલીક ઊભા ઘાટની અને કેટલીક બેઠા ઘાટની જોવા મળે છે. શંખની વસ્તુઓ
ક્ષત્રપકાલ દરમ્યાન શંખમાંથી મણકા અને બંગડી બનાવવાનો સારો હુન્નર હતો, જેના નમૂના પ્રભાસપાટણ, અમરેલી, જૂનાગઢ, વલભી, વડનગર, વડોદરા, નગરા, કામરેજ, શામળાજી જેવાં ઘણાં સ્થળોએથી હાથ લાગ્યા છે. આ માટેનો કાચો માલ દ્વારકાના દરિયામાંથી પ્રાપ્ત થતો હતો. શંખમાંથી તૈયાર થતી બંગડી સાદી અને સુશોભનયુક્ત હતી. બંગડીને સુશોભિત કરવા વાસ્તે લાલ રંગથી રંગવામાં આવતી. બંગડીના પ્રમાણમાં શંખના મણકા ઓછા હાથ લાગ્યા છે. આ મણકા ગોળ, ચોરસ અને અન્ય ઘાટના તૈયાર થતા. હાડકાંની ચીજ
હાડકાંમાંથી તૈયાર થતાં ભાલોડા અને અણીઓ પ્રમાણમાં ઓછાં મળે છે. પણ પાસા અને અંજન-શાલાકા જેવી હાડકાંની અને હાથીદાંતની વસ્તુઓનાં ઉપલબ્ધિ પ્રમાણ થોડાં વિશેષ જણાય છે. હાડકાં અને શીંગડાંની કાંસકીઓ બનાવવાનો હુન્નર ચાલતો હતો. પણ ધાતુ ગાળવાના ઉદ્યોગના અભ્યદયથી હડકાંમાંથી જે મારક સાધનો બનતાં હતાં તે બંધ થયાં. ફક્ત હાડકાંનાં પ્રસાધન તથા રમતનાં સાધન બનાવવાની પ્રવૃત્તિ ચાલુ રહી. લોખંડનાં ઓજાર
આ ધાતુનો વપરાશ ક્ષત્રપાલમાં વધ્યો હોવાનું જણાય છે. લોખંડ ગાળવાનાં સાધન શામળાજી તથા દેવની મોરીમાંથી મળ્યાં છે. શામળજી, વસ્તાન ડુંગરી, કપડવણજ અને ધાતવા જેવાં સ્થળોએ લોખંડ ગાળવાનો ઉદ્યોગ વ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. ગાળેલાં લોખંડના અવશેષોવાળી મૂસ અને ધમણની ભૂંગળી ઘણી માહિતી આપે છે. ધાતવામાંથી મળી આવેલા
For Personal & Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાર
લોખંડ ગાળવાના કીટા તથા લોખંડ બનાવવાની કાચી ધાતુ સૂચિત કરે છે કે તે વખતના લુહારો સ્થાનિક પદાર્થમાંથી લોખંડ તૈયાર કરતા. વસ્તાન ડુંગરીના લોખંડના કીટામાં મેંગેનીઝ અને લોખંડનાં મિશ્રણ જાણવા મળે છે, તેથી અનુમાનાયું છે લોખંડમાં બીજી ધાતુઓની મેળવણી કરવાની પ્રક્રિયાથી કારીગરો જ્ઞાત હોવાનો સંભવ નકારી શકાય તેમ નથી.
૨૧૩
લોખંડની ચીજવસ્તુઓમાં છીણી, ભાલોડાં, છરી, ખીલા, સાંકળ, તવેથા, કાતર વગેરેનો સમાવેશ થાય છે. આમાં ખીલાનું પ્રાપ્તિ-પ્રમાણ વધુ હતું; ખાસ કરીને ગોળ માથાંવાળા અને લંબચોરસ ઘાટના અણીદાર ખીલાનો વપરાશ ઘણો રહેતો હતો; કેમ કે તે સંખ્યાતીત કામમાં ઉપયોગાતા હતા. છરી આખા લોખંડમાંથી તૈયાર થતી. ઉપરાંત છરીને લાકડાનો હાથો બેસાડાતો. ભાલોડાંની પાછળની બાજુએ તીરનું રાડું બેસાડવા ખોલી રાખવામાં આવતી. તાંબાનાં સાધનો
લોખંડને ભેજ લાગવાથી કાટ લાગતો જ્યારે તાંબાનાં કે એવી કોઈ બીજી ધાતુનાં સાધનોને કાટ લાગવાનો પ્રશ્ન રહેતો નહીં. આ કાલમાં લોખંડ સાથે પિત્તળનો ઉપયોગ થતો હતો. દા.ત. શામળાજી પાસેથી પ્રાપ્ત ગ્રીક દેવ ઍટલાસની પ્રતિમા. તાંબાની વસ્તુઓ પૈકી ડબ્બીઓ, અંજનશલાકા, મુદ્રા, વલય, વીંટી વગેરે હાથ લાગી છે. દેવની મોરીના મહાસ્તૂપમાંથી મળેલી બુદ્ધના અવશેષ સાચવતી ડબ્બી ઉપર ઢાંકણ ઉપરથી બેસાડાય તેવું બનાવાયું છે. નગરામાંથી સુશોભિત ઢાંકણ મળ્યું છે. ધાતુને ઢાળવામાં, એના ઉપર કોતરકામ કરવામાં, પતરાંને ટીપીને યોગ્ય ઘાટ આપવામાં કારીગરની કુશળતા નોંધપાત્ર હતી. આ સમયની તાંબાકાંસાની ચીજ વસ્તુઓમાં રોમીય સામ્રાજ્યમાંથી આવતી વસ્તુઓનો સમાવેશ થતો.
સીસું-ચાંદીસોનું
તાંબાની સરખામણીએ સીસામાંથી બનાવેલી વસ્તુઓનું ઉપલબ્ધિ પ્રમાણ ઘણું ઓછું છે. એમાં મુખ્યત્વે મુદ્રાઓ અને આભૂષણોનો સમાવેશ થાય છે. સીસા કરતાં ચાંદીની ચીજ પ્રમાણમાં ઓછી મળે છે. ક્ષત્રપોની ટંકશાળમાં વપરાયેલી ચાંદીનાં પરીક્ષણ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે ચાંદી વિદેશથી આયાત થતી હતી. સીસા અને ચાંદીની સરખામણીએ સોનાની વસ્તુઓ ઘણી જ ઓછી મળે છે. દેવની મોરીના સ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત શૈલસમુદ્ગકની અંદરની તાંબાની દાબડીની અંદર સોનાની શીશી મળી છે. ટીંબરમાંથી મળેલાં સોનાનાં પતરાંનાં આભૂષણો એના ઉપરની મનોહર ભાતથી પ્રખ્યાત છે.
પથ્થરનાં ઓજાર અને વસ્તુ
માટી અને ધાતુમાંથી બનતી ચીજવસ્તુઓના વપરાશથી પથ્થરની ઉપયોગિતા ઓછી થઈ ન હતી. ધારવાળાં ઓજાર કે/અને શસ્ત્રનો ઉપયોગ ઘટી ગયો હતો પણ પથ્થરની મૂર્તિઓ, મણકા, નિશા, નિશાતરા, ઘંટી, પિંડલા, ડબ્બા જેવી અનેક પ્રકારની ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હતી. તળાવના બાંધકામમાંય પથ્થરનો ઉપયોગ થતો. ખડકમાંથી ગુફા કંડારવામાં આવતી. પથ્થરના ગોળ લખોટા તથા બીજાં રમકડાં પણ બનાવાતાં. કુંભારના પીંડલા પથ્થરમાંથી બનતા. નિશા અને નિશાતરા મુખ્યત્વે ખરતા પથ્થરમાંથી તૈયાર થતા. નિશાતરા
For Personal & Private Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૪
ક્ષસપકાલીન ગુજરાત લંબગોળ હતા. પરંતુ ક્ષત્રપકાલની પથ્થરની વસ્તુઓમાં ઘંટીના અવશેષ ધ્યાનાર્ય ગણાય છે. ઘંટીના ઉપરના પડ ઉપર ઊભા ખીલાને સ્થાને આડો ખીલો ઘંટીના ફેરવવા વાસ્તે મૂક્વામાં આવતો. શામળાજી, વલભી, ગોપ, નગરા જેવા સ્થળોએ ઘંટીના નમૂના મળ્યા છે.
આ સમય દરમ્યાન પથ્થરોની વસ્તુઓ મુખ્યત્વે ઘડીને તૈયાર કરવામાં આવતી. પણ ક્યારેક ડબ્બા જેવી વસ્તુ સરાણ ઉપર મૂકીને સુંવાળી બનાવાતી. દેવની મોરીમાંથી પ્રાપ્ત પાષાણમાંથી નિર્માણ થયેલો દાબડો આ પ્રકારનો છે. અકોટામાંથી મળેલું ઢાંકણ પણ આ જ પ્રકારે તૈયાર થયેલું જણાય છે. પથ્થરોમાંથી મણકા પણ આ કાળમાં તૈયાર થતા હતા. એના દાણા ગોળ અને રાયણના ફળના ઘાટના બંને બાજુએ કિનારવાળા હતા. પથ્થરનો ઉપયોગ ફર્શબંદી માટેય થતો. ઉપરાંત પથ્થરની મુદ્રાઓના નમૂના વલભી અને દેવની મોરી જેવાં સ્થળોએથી મળ્યા છે. રક્ષણાત્મક પાળ પથ્થરમાંથી બાંધવામાં આવતી. આમ, પથ્થરનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થતો દેખાય છે. ઉપસંહાર
ક્ષત્રપકાલનાં ગામો અને નગરોમાંથી ઉપલબ્ધ થયેલી અને થતી રહેતી નાનીમોટી વસ્તુઓનાં અધ્યયનથી એવું સૂચવાય છે કે આ સમયના ગુજરાતની સમૃદ્ધિ નોંધપાત્ર હતી. માટી, વિવિધ ધાતુ, શંખ-છિપોલી, હાડકાં, હાથીદાંત તેમ જ પથ્થરના વિવિધ આકાર-પ્રકારના પદાર્થના સંખ્યાબંધ પુરાવા પ્રાપ્ત થયા છે. કાંસું, ચાંદી, પથ્થરની વસ્તુઓ, માટીની કોઠી જેવી સામગ્રી રોમીય સામ્રાજયના પ્રદેશોમાંથી આયાત થતી હતી. પારેવો, સીસું અને અન્ય પદાર્થ રાજસ્થાનમાંથી આવતા. વૈડૂર્ય જેવા પથ્થર મધ્ય એશિયાના વિસ્તારોમાંથી આવતા.
આયાત થતો માલ ભરૂચ, કામરેજ, વરિયાવ, ચોર્યાસી, વલભી, સોમનાથ, દ્વારકા ઇત્યાદિ બંદરે ઉતરતો અને ત્યાંથી દેશના અન્ય ભૂભાગમાં પહોંચતો. આ સમયનાં ગામોનું કદ આશરે ચાર ચોરસ કિલોમીટરથી ઓછું રહેતું. અકોટા એક કિલોમીટર લાંબું અને અડધો કિલોમીટર પહોળું હશે. કામરેજ બે કિલોમીટર લાંબું અને અડધો કિલોમીટર પહોળું હશે. વલભીની લંબાઈ પણ બે કિલોમીટરથી ઓછી છે. ટીંબરવા, ધાતવા, જોખા ઘણાં નાનાં ગામ હતાં. આ ગામોમાં ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, હરણ, ઊંટ, નીલગાય, ઉંદર, નોળિયા, કૂતરા, મરઘાં, ચિત્તા, ઘોડા, ગધેડા, માછલાં અને કાચબા જેવાં પ્રાણીઓ અસ્તિત્વ ધરાવતાં હતાં. આ પ્રાણીઓનાં હાડકાં ગામમાંથી હાથ લાગ્યાં હોઈ ગામોની આસપાસ ઘાસનાં મેદાન હોવાં જોઈએ. અર્થાત્ આ કાલનાં ગામોની ચોપાસ ખેતરો, એનાથી દૂર ચરાણની જગ્યા અને એનાથી દૂર જંગલ વિસ્તારના અસ્તિત્વની અટકળ થઈ શકે.
આમ, પુરાવસ્તુઓની ઉપલબ્ધિનાં અવલોકનથી સૂચવાય છે કે આ કાલની પ્રજા ખેતી ઉપર તો નિર્ભર હતી પણ વેપાર તેમ જ ઉદ્યોગ સાથે સંલગ્નિત હતી. આ સમયની પ્રજા નાનાં નગરો અને ગામોમાં જીવન ગુજારતી હતી.
For Personal & Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાર
પાદનોંધ
૧. આ બાબતની વધુ વિગત વાસ્તે જુઓ રસેશ જમીનદારનાં કેટલાંક લખાણ (૧) ‘આપણી સંસ્કૃતિની વિસ્તરતી ક્ષિતિજો', ગુજરાત ઇતિહાસ પરિષદના ૧૪મા (અમદાવાદ) જ્ઞાનસત્ર પ્રસંગે મુખ્ય વક્તા તરીકેનું વ્યાખ્યાન, ૨૩.૬.૨૦૦૬; (૨) ‘આપણી સંસ્કૃતિની વિસ્તરતી ક્ષિતિજો : અવલોકિત વિશ્લેષણ', ફા.ગુ.સ.ઐ., પુસ્તક ૬૭ અંક ૪ અને પુસ્તક ૬૮, અંક ૧, ૨૦૦૨-૨૦૦૩, પૃષ્ઠ ૨૨૦થી ૨૨૯ અને પૃષ્ઠ ૧૦થી ૧૮-અનુક્રમે; (૩) ‘ઐતિહાસિક અવશેષોનાં સંરક્ષણમાં પ્રજાકીય સહયોગ', ગુજરાત દીપોત્સવી, વિ.સં.૨૦૫૭, પૃષ્ઠ ૧૦૯થી ૧૧૫.
૨૧૫
૨. આ અંગેના વિશેષ વિવરણ વાસ્તે જુઓ રસેશ જમીનદારનાં લખાણ : પાદનોંધ ૧માં દર્શાવ્યા મુજબ ક્રમાંક (૧) અને (૨) અંકિત લેખ.
૩. આપણા રાષ્ટ્રના ઇતિહાસપ્રસિદ્ધ તીર્થસ્થાન દ્વારકા નગરીના સમુદ્રમાં ડૂબેલા અવશેષો રાવે શોધીને આપણી સંસ્કૃતિનાં ઘણાં રહસ્યો ફ્રૂટ કર્યાં છે તે ધ્યાનાર્હ અને પ્રશંસાર્હ ઘટના છે. આ માટે જુઓ શિ.૨.રાવ સંપાદિત ગ્રંથ મરાઇન આર્કિયૉલોજી ઑવ ઇન્ડિયન ઓશનિક કન્ટ્રિઝ, ગોવા, ૧૯૮૮. ગોવામાં આ અંગેની એક સંસ્થા ઘણા સમયથી કાર્યરત છે અને જલીય અન્વેષણો કરે છે.
૪. દિલ્હી સ્થિત સેન્ટર ફૉર રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન હિસ્ટરી, આર્કિયૉલૉજી એન્ડ પૅલિયોએન્વિરૉન્મેન્ટ' એ ઇન્ડિયન આર્કિયૉલૉજિકલ સોસાયટીની એક કાર્યરત શાખા છે. તેના તરફથી ‘ઇન્ડિયન ઑશન આર્કિયૉલૉજી' વિભાગ શરૂ થયો છે. આ વિભાગ તરફથી થતી રહેતી પ્રવૃત્તિઓનાં પરિણામ પ્રજાપ્રત્યક્ષ થાય એવા આશયથી હવે એક સામયિક શરૂ કર્યું છે અને તેનો પહેલો અંક ૨૦૦૪ના પ્રારંભે ‘જર્નલ ઑવ ઇન્ડિયન ઓશન આર્કિયૉલૉજી'ના નામે પ્રગટ થયો છે. સદ્ભાગ્યે અને અકસ્માતેય આ પ્રથમ અંકમાંના લગભગ બધા જ લેખ કામરેજ, સંજાણ, હાથબ અને ખંભાતમાંથી પ્રાપ્ત બંદરીય અવશેષોને લગતા છે. ૨૦૦૨ અને ૨૦૦૩નાં વર્ષ દરમ્યાન સ્વરાજ પ્રકાશ ગુપ્તાના વડપણ હેઠળ પ્રસ્તુત સંસ્થાના પુરાવિદોએ હાથ ધરેલાં ઉત્ખનનીય અન્વેષણોનાં પરિણામ બહુ વિગતે અને તે પણ જરૂરી એવા આલેખો, રંગીન ફોટોગ્રાફ્સ, રેખાચિત્રો વગેરેના સહયોગથી પ્રસ્તુત કર્યાં છે. અહીં આ અંકના આધારે થોડી માહિતી પ્રસ્તુત કરી છે. હકીકતે તો આ અંકનાં લખાણોનો ગુજરાતી અનુવાદ, રાજ્ય સરકારના પુરાતત્ત્વ ખાતાએ કે વડોદરાની મ.સ. વિશ્વ વિદ્યાલયના પુરાવસ્તુવિદ્યાના વિભાગે, સત્વરે પ્રકાશિત કરવાની જરૂર છે.
૫. ૨૦૦૩માં થયેલા ઉત્ખનનીય અહેવાલ વાસ્તે જુઓ એસ.પી.ગુપ્તા વગેરે લિખિત પ્રકરણ ‘આઁન ધ ફાસ્ટ ટ્રેક ઑવ ધ પેરિપ્લસ : એફ્ટવેશન એટ કામરેજ', જર્નલ ઑવ ઇન્ડિયન ઓશન આર્કિયૉલૉજી (હવે પછી જઈઓઆ), પૃષ્ઠ ૯થી ૩૪.
૬. ૨૦૦૩માં હાથ ધરેલાં કામરેજના પુરાવસ્તુકીય અન્વેષણ પૂર્વે વડોદરાના ગાયકવાડી રાજ્યના પુરાવિદોએ વીસમી સદીના ત્રીસીના દાયકામાં કામરેજના પુરાવશેષીય સ્થળની ભાળ મેળવી હતી; અને ૧૯૩૫૩૬માં એનો અહેવાલ પણ પ્રગટ થયેલો. અહેવાલ અનુસાર કામરેજના ટીંબા પાસેથી વિશાળ ઈંટેરી દીવાલ અને થોડાક સિક્કા હાથ લાગ્યા હતાં. પચાસના દાયકામાં વડોદરાની મ.સ. વિશ્વવિદ્યાલયના પુરાવિદ ડૉ. બી. સુબ્બારાવે તોલમાયની ભૂગોળમાં ઉલ્લિખિત Kammanes એ જ કામરેજ એમ ઓળખાવ્યું હતું. ૧૯૬૧માં રાષ્ટ્રીય પુરાવસ્તુ સર્વેક્ષણ સંસ્થાએ આ સ્થળને ‘સુરક્ષિત ઈમારત' જાહેર કરી હતી. ગુજરાત રાજ્ય પુરાતત્ત્વખાતાના કાર્યકર્તાઓએ પણ કામરેજના ટીંબાની મુલાકાત લીધી હતી. પરંતુ અલાહાબાદ મ્યુઝિયમના ડૉ. સુનિલ ગુપ્તાએ ૧૯૯૨માં પોતાના વિદ્યાવાચસ્પતિના શોધનિબંધ અંતર્ગત કામરેજને મૂલ્યવાન સ્થળ તરીકે ઓળખાવ્યું હતું (એજન, પૃષ્ઠ .૧૪). ૭. આ વિશે સચિત્ર વિગતવાર માહિતી મેળવવા માટે જુઓ સોનાલી ગુપ્તાનો લેખ ‘પૉટરી ફ્રૉમ
For Personal & Private Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ક્ષત્રપકાલીન ગુજરાત કામરેજ એક્કવેશન-૨૦૦૩', જઈઆ., પૃષ્ઠ ૩૪થી ૬૬ સુધી. આમાં પૃષ્ઠ ૫૪થી ૬૬ સુધી
પૉટરીના વિવિધ નમૂનાના આલેખન આપવામાં આવ્યા છે. ૮. પુરાવશેષીય સામગ્રીની વિગતો વાસ્તે જુઓ એસ.પી. ગુપ્તા વગેરે લેખકોનો લેખ “અન્ટીક્વીટીઝ ફ્રૉમ
કામરેજ એક્ઝવેશન-૨૦૦૩', જઈઓઆ., પૃષ્ઠ ૬૭થી ૭૭. આમાં ત્રણ પટ્ટમાં આલેખન આપ્યાં છે. ૯. વધુ માહિતી માટે જુઓ સોનાલી ગુપ્તા અને રોહિણી પાન્ડેયનો લેખ “આયર્ન વર્કિંગ ઇન એન્ડ
એરાઉન્ડ કામરેજ', જઇઓંઆ., પૃષ્ઠ ૮૮થી ૯૨. ૧૦. વધુ વિગતો વાતે જુઓ એસ.પી. ગુપ્તા વગેરે લેખકોનો લેખ “ઑન ધ ફૂટસ્ટેપ્સ ઑવ ઝોરોસ્ટ્રિયન
પારસીસ ઑવ ઈન્ડિયા : એસ્કવેશન્સ એટ સંજાણ ઑન ધ વેસ્ટ કોસ્ટ-૨૦૦૩', જઈઆ., પૃષ્ઠ
૯૩થી ૧૦૬, ૧૧. આ બાબતે વધુ વિવરણ વાસ્તે જુઓ શોભના ગોખલેનો લેખ “કૉઇન્સ ફાઉન્ડ ઇન ધ એસ્કવેશન્સ
એટ સંજાણ-૨૦૦૨', જઇઆ., પૃષ્ઠ ૧૦૭થી ૧૧૧ ૧૨. હાથબ વિશે વધુ માહિતી માટે જુઓ શુભ્રા પ્રામાણિકનો લેખ “હાથબ : એન અર્લી હસ્ટોરિક પોર્ટ
ઑન ધ ગલ્ફ ઑવ ખંભાત', જઇઑઆ., પૃષ્ઠ ૧૩૩થી ૧૪૦. ૧૩. દેવની મોરીના ઉખનનકાર્યની સર્વગ્રાહી માહિતી માટે જુઓ ડૉ.ર.ના.મહેતા અને ડૉ.સુ.ના.ચૌધરી
લિખિત ગ્રંથ એસ્કવેશન એટ દેવની મોરી, વડોદરા, ૧૯૬૬. ૧૪. આની વિગતવાર માહિતી માટે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ૧૮. ૧૫. એજન પ્રકરણ. ૧૬. સ્થળતપાસ અને ખોદકામથી હાથવગી થયેલી સામગ્રીની અહીં જે સંક્ષિપ્ત ચર્ચા કરી છે તે અંગે
વ્યક્તિગત સંદર્ભનિર્દેશ કર્યો નથી. મુખ્યત્વે તો આ બધી માહિતી વડોદરા સ્થિત મ.સ. વિશ્વવિદ્યાલયના પુરાવસ્તુવિદ્યા નામના વિભાગ દ્વારા જે સ્થળતપાસ અને ઉત્પનનકાર્ય થયાં છે અને તે તે ખોદકામના જે અહેવાલ પ્રગટ થયા છે તેમાંથી તારવી છે. ખાસ તો “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” નામની ગ્રંથશ્રેણીના ગ્રંથ બીજાના પંદરમાં પ્રકરણનો, પ્રસ્તુત લખાણ તૈયાર કરવા, ઘણો આધાર લીધો છે. આ ગ્રંથના સંપાદકો પ્રત્યે આ લૅખક આ કાજે ઋણભાર અદા કરે છે. ખોદકામ-સ્થળતપાસનાં પ્રકાશનો, જેનો લાભ લીધો છે. તે આ મુજબ છે : ૧. એસ્કવેશન એટ ટીંબરવા, વડોદરા, ૧૯૫૫ (ર.ના.મહેતા). ૨. એકવેશન એટ નગરા, વડોદરા, ૧૯૭૦ (ર.ના.મહેતા). ૩. એસ્કવેશન એટ દેવની મોરી, વડોદરા, ૧૯૬૬ (ર.ના.મહેતા, સૂ.ના.ચૌધરી). ૪. એસ્કવેશન એટ શામળાજી, વડોદરા, ૧૯૬૭ (ર.ના.મહેતા, અં.જે.પટેલ). ૫ એકવેશન એટ અમરેલી, વડોદરા, ૧૯૬૬ (આર.રાવ). ૬. એસ્કવેશન એટ વડનગર, વડોદરા, ૧૯૫૫ (બી.સુબ્બારાવ, ર.ના.મહેતા).
આમાંનાં છેલ્લાં બે પ્રકાશન અનુક્રમે “મ્યુઝિયમ એન્ડ પિક્સર ગેલેરી' નામના બુલેટીન, પુસ્તક ૧૮ અને “જર્નલ ઑવ એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા', પુસ્તક ૪, અંક ૧માં સમાવિષ્ટ છે.
આ ઉપરાંત આ વિષયને સ્પર્શતા કેટલાક લેખોના સંદર્ભ વાસ્તે જુઓ ગુરાસાંઈ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૩૬થી ૩૪૦ ઉપરની ૭૮ પાદનોંધ અને પૃષ્ઠ ૫૭૫થી ૫૭૭ ઉપર આપેલ ગ્રંથોની સૂચિ.
For Personal & Private Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેર
સિક્કાઓની સર્વગ્રાહી સમીક્ષા
ભૂમિકા
શક જાતિના અને પશ્ચિમી ક્ષત્રપોથી આપણા ઇતિહાસમાં વિશેષ વિખ્યાત ગુજરાતના પહેલપ્રથમ સ્વતંત્ર રાજ્યના આ શાસકોના ગુજરાતમાંથી અને પશ્ચિમ ભારતના અન્ય ભૂભાગમાંથી પ્રાપ્ત ચાંદીના ગોળ સંખ્યાતીત સિક્કાઓ એમના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસને નિરૂપવા વાસ્તુનું ખૂબ જ મહત્ત્વનું મુખ્ય સાધન છે. આથી, સ્વાભાવિક જ ચાંદીના સિક્કાઓની સઘળી બાજુઓની નાનીમોટી બધી માહિતીની સમીક્ષિત અવલોકના અહીં પ્રસ્તુત કરવી આવશ્યક છે. ચાંદીના સિક્કા ઉપરાંત આમાંના કેટલાક રાજાઓના થોડાક સિક્કા તાંબાના, પોટનના અને સીસાના પણ હાથ લાવ્યા છે.
આમ તો, ભારતીય જનસમૂહ વેદકાળથી સિક્કાઓના પરિચયમાં આવતો રહ્યો છે. ભારતીય-ગ્રીક રાજાઓના વજન, આકાર, પદ્ધતિ વગેરેની દષ્ટિએ ઊંચી ગુણવત્તાવાળા સિક્કાઓ પશ્ચિમી ક્ષત્રપો પૂર્વે પ્રચલિત હતા. ક્ષત્રપોના સિક્કામાં દેશી અને વિદેશી ઉભય પદ્ધતિઓનું મિશ્રિત અનુકરણ જોવું પ્રાપ્ત થાય છે. આથી અને અન્યથા પણ ભારતીય સિક્કાઓના ઇતિહાસમાં ક્ષત્રપી સિક્કાઓ વિશિષ્ટ સ્થાનના અધિકૃત અધિષ્ઠાતા બની રહ્યા છે, જેની વિગતો વિસ્તારથી અહીં આલેખી છે. તાંબાના સિક્કા
ભૂમક અને જયદામાના માત્ર તાંબાના સિક્કા પ્રાપ્ય છે. ભૂમકના સિક્કા ગોળ છે, જ્યારે જયદામાના ચોરસ. ઉપરાંત અન્ય કેટલાક રાજાઓના ચાંદીના સિક્કાની સાથોસાથ થોડાક સિક્કા તાંબાના હાથ લાગ્યા છે : નહપાનના ગોળ, ચાન્ટના ચોરસ અને રુદ્રસેન ૩જાના ચોરસ. કેટલાક ચોરસ સિક્કા નામનિર્દેશ અને સમયનિર્દેશ વિનાનાય મળ્યા છે. તેથી એવા સિક્કાની
ઓળખ આપવી-કરવી મુશ્કેલ છે. પરંતુ સિક્કા તૈયાર કરવાની પદ્ધતિ જેવી માહિતીથી એ સિક્કાઓ ક્ષત્રપોના હોવાનું અનુમાનાયું છે. ચાંદીના સિક્કા.
આ ધાતુના સિક્કાઓ હજારોની સંખ્યામાં ઉપલબ્ધ થયા છે. આપણે અવલોક્યું તેમ ભૂમક અને જયદામા સિવાયના પ્રત્યેક રાજાના ચાંદીના સિક્કા હાથવગા થયા છે. પૉટન અને સીસાના સિક્કા
રુદ્રસિંહ ૧લો, જીવદામા, રુદ્રસેન ૧લો, દામસેન અને વીરદામાના પૉટન અને સંસાના સિક્કા મળ્યા છે. આમાં, રુદ્રસિંહ ૧લાના અને જીવદામાના પૉટનના સિક્કા ઉપર
For Personal & Private Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
લખાણ અને સમયનિર્દેશ ઉભયનો વિનિયોગ ધ્યાનાર્હ ગણાય, જ્યારે રુદ્રસેન ૧લાના અને દામસેનના સિક્કામાં વર્ષસૂચક સંખ્યા નથી, પણ લેખ છે. સમયનિર્દેશ ઉ૫૨થી આ સિક્કા આ રાજાઓના શાસનકાળમાં આવતા હોઈ તે એમના હોવાનું અનુમાન થયું છે. વીરદામાના સિક્કા પણ સમયનિર્દેશયુક્ત અને સલેખ છે. લેખ અને વર્ષસૂચન વિનાના કેટલાક સિક્કા મળ્યા છે, જે આ રાજાઓના હોવાનું અનુમાનાયુ છે*. યશોદામા ૨જો, રુદ્રસેન ૩જો અને રુદ્રસિંહ ૩જોઆ રાજાઓના લખાણ વિનાના પણ સમયનિર્દેશયુક્ત સીસાના સિક્કા મળ્યા છે. વર્ષસૂચક સંખ્યા ઉપરથી એ સિક્કા પણ એમના હોવાનું જણાય છે.
અગ્રભાગ
૨૧૮
તાંબાના સિક્કા
ભૂમકના સિક્કાના અગ્રભાગે ડાબી તરફ ઉપલી બાજુ ફળવાળા તીરનું અને જમણી બાજુએ વજ્રનું ચિહ્ન છે; વચ્ચેના ભાગમાં ચક્ર છે. કિનારની સમાંતરે વર્તુળાકારે ખરોષ્ઠીં લિપિમાં અને પ્રાકૃત ભાષામાં બિરુદ સાથે કેવળ રાજાનું પોતાનું નામ ઉપસાવેલું છે. નહપાનના સિક્કાના અગ્રભાગે ડાબી બાજુ વજ અને જમણી તરફ નીચલી તરફ ફળવાળું તીર અને સંભવતઃ બ્રાહ્મી (કે ખરોષ્ઠી)માં રાજાનું નામ લખાયેલું છે. ચાષ્ટનના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ ઊભેલો અશ્વ છે. ઉપરના ભાગે ગ્રીક લિપિ અને ગ્રીક ભાષામાં લેખ છે. જયદામાના સિક્કા ઉપર
દક્ષિણાભિમુખ વૃષભ (કે નંદી) અને પરશુયુક્ત ત્રિશૂળ છે તથા ગ્રીક લેખ અને ટપકાંની હાર છે. (અનુકાલીન શ્રી શર્વના સિક્કાના પૃષ્ઠભાગે આવું ચિહ્ન છે). જયદામાના બીજા પ્રકારનાપદ્ધતિના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ હાથી છે. રુદ્રસેન રજાના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ વૃષભ છે.
આ રીતે, ક્ષત્રપોના તાંબાના સિક્કા ઉપર તીર, વજ, ચક્ર, પરશુયુક્ત ત્રિશૂળ, વૃષભ, અશ્વ અને હાથીનાં પ્રતીક છે. આમાંથી પ્રથમ ત્રણ પ્રતીક કશું સૂચિત કરતાં નથી. ત્રિશૂળ અને વૃષભ શિવપંથનું સૂચન કરે છે. ત્રિશૂળયુક્ત પરશુથી ભાગવત સંપ્રદાયનું સૂચન મળે છે. અશ્વ અને ગજનાં ચિહ્ન સંભવતઃ રાજાની વાહનસંપતિ કે દંડશક્તિ કે ઐશ્વર્ય સૂચવતાં હોય એમ કહી શકાય. ગજ એ ઇન્દ્રનું, લક્ષ્મીનું અને કુબેરનું વાહન હોઈ શકે.
ચાંદીના સિક્કા
પશ્ચિમી ક્ષત્રપ વંશના પ્રત્યેક રાજાના ચાંદીના સિક્કા ઉપલબ્ધ હોઈ અહીં વ્યક્તિગત વિવરણને સ્થાને એનાં સામાન્ય લક્ષણોની ચર્ચા કરી છે. રાજાની દક્ષિણાભિમુખ મુખાકૃતિ સૌથી મહત્ત્વનું આકર્ષક ચિહ્ન છે. મુખ (head)થી કંઈક વિશેષ અને ઉત્તરાંગ (bust)થી કાંઈક ઓછી એવી આ આકૃતિ છે. સિક્કાનો ઘણો ભાગ આ આકૃતિ રોકે છે. સહુ પ્રથમ આ આકૃતિ નહપાનના સિક્કા ઉપર જોવા મળે છે, જે પ્રથા પછીથી છેક સુધી ચાલુ રહે છે. આ રાજાઓનાં તાંબા, પૉટન અને સીસાના સિક્કા ઉપર આવી આકૃતિ નથી એ નોંધપાત્ર છે.
સિક્કા ઉપર વિદ્યમાન રાજાનું મુખ પ્રસ્તુત કરવાની પ્રથા અપનાવનાર પ્રથમ હતો ગ્રીક રાજા સિકંદર એમ કહેવાયું છે. એણે જ્યારે આપણા દેશના વાયવ્ય પ્રાંત ઉપર આક્રમણ કર્યું
For Personal & Private Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેર
૨૧૯
ત્યારે રાજા સંભૂતિએ એને શિરસ્ત્રાણધારી મુખાકૃતિવાળા ચાંદીના સિક્કા ભેટ ધર્યા હતા. આ અપવાદ સિવાય આપણા રાજાઓના સિક્કા ઉપર આ પ્રથા ક્ષત્રપો પૂર્વે જોવા મળતી નથી. સંભૂતિના સિક્કા ઉપરની મુખાકૃતિને રેસન ગ્રીક અસરયુક્ત હોવાનું સૂચવે છે. પરંતુ આપણા દેશમાં સૌ પ્રથમ ગ્રીક રાજા સિકંદર હતો તો પછી એના આગમન સમયે સંભૂતિએ ભેટ આપેલા સિક્કા ઉપર ગ્રીક અસર હોવાનું કેવી રીતે માની શકાય ? આ પ્રાંત ઉપર ગ્રીકો પૂર્વે ઈરાની હકૂમત હતી અને ઈરાની સિગ્લોસ સિક્કા અહીં આપણી પદ્ધતિએ નિર્માણ થતા હતા, જેના અગ્રભાગે રાજાની મુખાકૃતિ હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે સંભૂતિના સિક્કા ઉપર ઈરાની સિગ્લોસ સિક્કાની અસર હોય એ વધુ સંભવિત છે. ક્ષત્રપોના પૂર્વજ ઈરાનથી આવેલા હોવાનું મનાય છે. તેથી એમના સિક્કા ઉપર સંભવતઃ આ પ્રથા ઈરાની અસર દર્શાવતા હોવાનું સમજાય છે.
ભારતમાંના ગ્રીક રાજાઓના કેટલાક સિક્કા ઉપર રાજાની મુખાકૃતિ અને મૉનઝેમ જોવા મળે છે. અપવાદ સિવાય એમના બધા જ સિક્કા ગોળ અને અર્ધદ્રમ્મ જેવા હતા, તથા ઈરાની કે ભારતીય ઢબે તૈયાર થતા હતા. શકપદ્ધવ રાજાઓના સિક્કા ઉપર ઘોડેસ્વાર રાજાની આકૃતિ હોય છે. કૃષાણવંશના પહેલા બે રાજાઓના સિક્કા ઉપર મુખાકૃતિ જોવા મળે છે, જયારે કણિષ્ક અને એના અનુગામી રાજાઓના સિક્કા ઉપર રાજાની મુખાકૃતિને સ્થાને કાંતો રાજાના પૂરા કદની ઊભી આકૃતિ, કાં તો પલાંઠીયુક્ત આકૃતિ જોવી પ્રાપ્ત થાય છે.
આમ, ક્ષત્રપો પૂર્વેના ત્રણેય રાજવંશના સિક્કાઓનાં નિરક્ષણથી ક્ષત્રપ સિક્કા ઉપર કોની કેટલી અસર છે તે કહેવું મુશ્કેલ છે.
રાજાની મુખાકૃતિને ફરતે સિક્કાના કિનારની સમાંતર શોભારૂપ ટપકાંની હાર અને મુખાકૃતિની વચ્ચે વૃત્તાકારે ગ્રીક-રોમીય લિપિમાં લખાણ છે. આ લખાણના આરંભ અને અંતની વચ્ચે બ્રાહ્મી આંકડામાં વર્ષસૂચક સંખ્યા છે, આરંભના થોડાક રાજાઓના સિક્કા સિવાય. સ્વામી સિંહસેન અને સ્વામી રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપર વર્ષસૂચક સંખ્યા પૂર્વે વર્ષે એવું બ્રાહ્મીમાં લખાણ સ્પષ્ટતા જોવા મળે છે. પૉટન અને સીસાના સિક્કા
પૉટનના સિક્કા ઉપર ઊભેલો દક્ષિણાભિમુખ વૃષભ અને વૃષભની ઉપર વર્ષ તેમ જ ગ્રીક-રોમીય લેખ છે. આ પ્રકારના સિક્કા જીવદામા, રુદ્રસિંહ ૧લો અને વીરદામાના છે. રુદ્રસેન ૧લો અને દામસેનના સિક્કાઓ ઉપર દક્ષિણાભિમુખ ઊભેલો હાથી છે. ડાબેજમણે સૂર્યચંદ્રનાં ચિહ્નો અંકિત છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે.
સીસાના સિક્કા ચોરસ છે અને દક્ષિણાભિમુખ વૃષભ અને કિનારને સમાંતર ટપકાંની હાર અંકિત થયેલાં છે.
પૃષ્ઠભાગ તાંબાના સિક્કા
ભૂમકના તાંબાના કેટલાક સિક્કા ઉપર ડાબી તરફ દક્ષિણાભિમુખ સિંહની આકૃતિ છે
For Personal & Private Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ક્ષત્રપકાલીન ગુજરાત અને જમણે ચક્રની આકૃતિવાળા સ્તંભશીર્ષનું ચિહ્ન અંકિત છે. સંભવતઃ બ્રાહ્મીમાં લેખ છે. એના કેટલાક સિક્કા ઉપર આ જ ચિહ્ન ડાબેજમણને સ્થાને જમણડાબે જોવાં પ્રાપ્ત થાય છે. નહપાનના સિક્કા ઉપર વેદિકા અને એની મધ્યમાં મોટા પર્ણયુક્ત વૃક્ષ છે. ચાન્ટનના સિક્કા ઉપર પ્રથમ વખત ત્રિકૂટ પર્વતની આકૃતિ નજરે પડે છે. પર્વતની ઉપલી ટોચની ઉપરના ભાગે અને ડાબે પણ ચંદ્રનાં ચિહ્ન અને જમણે સૂર્યનું ચિહ્ન અંકિત છે. બ્રાહ્મીમાં લેખ છે. જયદામાના કેટલાક ચોરસ સિક્કા ઉપર છ શિખરવાળા પર્વતનું ચિહ્ન છે૧૫. ઉપલા શિખરની ટોચે અને ડાબે ચંદ્રનાં એકેક ચિહ્ન અને જમણે સૂર્યનું પ્રતીક છે. કિનારે સમાંતર ટપકાંની હાર છે. અહીં પહેલી વખત શુદ્ધ બ્રાહ્મીમાં સ્પષ્ટ લેખ જોવા મળે છે : રાજ્ઞો ક્ષત્રપસ સ્વામી ગયાસ | એના કેટલાક સિક્કા ઉપર ઉજ્જનપ્રતીક જોવું પ્રાપ્ત થાય છે. સમયનિર્દેશ અને લેખ વિનાના એના સિક્કા ઉપર પર્વતાદિ ચિહ્નો ઉપરાંત સહુ પ્રથમવાર નદીનું સૂચન કરતી વાંકીચૂંકી રેખા પર્વતના પ્રતીકની નીચે અંકિત છે”. રુદ્રસેન ૩જાના સિક્કા ઉપર ત્રિકૂટ પર્વત, એની નીચે નદી, પર્વત ઉપર સૂર્ય અને કિનારને સમાંતર ટપકાંની હાર છે. ચાંદીના સિક્કા
આ ધાતુના સિક્કાના મધ્ય ભાગે ત્રિકૂટ પર્વતનું આકર્ષક પ્રતીક અંકિત છે. એના ઉપલા શિખરની ટોચે ચંદ્રનું એક અને પર્વતની સમાંતર ડાબી બાજુએ ચંદ્રનું બીજું એમ બે ચિહ્ન તથા પર્વતની જમણે સૂર્યનું ચિહ્ન અંકિત થયેલાં છે. પર્વતની નીચે સર્પાકારે રેખા છે, જે નદી હોવાનું સૂચન કરે છે. આ બધાં ચિહ્નની વૃત્તાકારે સિક્કા નિર્માણ કરનાર રાજાનું બિરુદ સાથેનું નામ તેમ જ એના પિતાનું સબિરુદ, નામ બ્રાહ્મીમાં ઉપસાવેલું છે. લખાણની ફરતે કિનારને સમાંતર ટપકાંની હાર છે.
ચાંદીના સિક્કાના પૃષ્ઠભાગે પ્રસ્તુત ચિહ્નો ચાષ્ટનથી શરૂ થાય છે, જે તે પછીના બધા જ રાજાઓના સિક્કા ઉપર એક સરખી પદ્ધતિએ અંકિત થયેલાં જોવાં પ્રાપ્ત થાય છે. ચાષ્ટનના પુરોગામીઓમાંથી માત્ર નહપાનના ચાંદીના સિક્કા મળ્યા છે. એના સિક્કા ઉપર, ભૂમકના તાંબાના સિક્કા ઉપરના અગ્રભાગ ઉપરથી સૂચિત-પ્રેરિત, ડાબે નીચલી તરફ ફળવાળું તીર અને જમણે વજનું ચિહ્ન અંકિત છે, જ્યારે મધ્ય ભાગે ચક્ર જોવા મળે છે. ખરોષ્ઠી અને બ્રાહ્મી લિપિમાં લખાણ છે.
- પર્વતના પ્રતીકને રેસને ચૈત્ય તરીકે ઓળખાવેલું છે. આંધ્રના રાજાઓના સિક્કા ઉપર સામાન્ય રીતે આ પ્રતીક પ્રયોજાયેલું હોઈ ક્ષત્રપોએ પણ એમનું અનુકરણ કર્યું હોવાનો મત ઠીક ઠીક સમય સુધી પ્રચલિત રહ્યો છે. પણ એલેક્ઝાન્ડર કનિંગહમે સૌ પ્રથમ વાર સૂચવ્યું કે આ ચિહ્ન મેરુ પર્વતનું છે. એ પછી ભગવાનલાલ ઇંદ્રજીએ ૧૯ અને એમને અનુસરીને દે.રા.ભાંડારકરે પણ આ સૂચન સ્વીકાર્યું, પણ મેરુ પર્વતના પ્રતીક તરીકે નહીં, માત્ર સામાન્ય પર્વતના પ્રતીક તરીકે. હવે તો એ પર્વત-પ્રતીક તરીકે નિશ્ચિત થયું છે.
ભારતના પૂર્વકાલીનતમ પૃપા સિક્કા ઉપર આ પ્રકારનું ચિહ્ન અંકિત છે અને ત્યાં આ ચિહ્ન ઉપર કૂતરો અને મોરનાં પ્રતીક ઊભેલી અવસ્થામાં જોવાં પ્રાપ્ત થાય છે. જો રેપ્સન
For Personal & Private Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેર
સૂચિત એ ચૈત્ય હોય તો પછી કૂતરો કે મો૨ એના ઉપર ક્યાંથી સંભવે ? આ બે પ્રાણીઓને બૌદ્ધધર્મ સાથે કોઈ સંબંધ હોવાનું જાણમાં નથી. વિદેશના પૂર્વ સમયના સિક્કા કે ભારતમાંના ગ્રીક-શક-પńવ-કુષાણ રાજવંશોના સિક્કા ઉપર પણ આ ચિહ્ન જોવા મળતાં નથી. આથી, અનુમાની શકાય કે આ ચિહ્નમાં એટલે કે પર્વત-પ્રતીક ઉપર કોઈ વિદેશી અસર જણાતી નથી.
ચંદ્રની આકૃતિ બીજના ચંદ્ર જેવી દર્શાવાઈ છે. પર્વતના ઉપલા શિખરની જમણી બાજુએ અંકિત થયેલું ચિહ્ન રેપ્સનના મતે તારાઓનું ઝૂમખું છે..., પરંતુ આરંભના ત્રણેક રાજાઓના સિક્કા ઉપરનાં પ્રતીકનાં નિરીક્ષણથી એ ચિહ્ન સૂર્યનું હોવાનું સ્પષ્ટ થાય છે. આપણા દેશમાં પૂર્વકાળથી ચંદ્ર અને સૂર્યનાં ચિહ્ન શાશ્વતતા સૂચવતાં પ્રતીક તરીકે સવિશેષ પ્રયોજાતાં આવ્યાં છે. આથી, આ સિક્કાઓ ઉપર ચંદ્રની સાથે સૂર્યનું સ્થાનમૂલ્ય સ્પષ્ટ થાય છે. પર્વત અને નદી પણ પ્રકૃતિનાં શાશ્વત તત્ત્વો તરીકે સૂચવાયાં છે.
૨૨૧
ચાષ્ટ્રનના કેટલાક સિક્કા ઉપર માત્ર ચંદ્ર અને સૂર્યનાં પ્રતીક છે તો કેટલાક ઉપર તે સાથે પર્વતનું પ્રતીક પણ છે. પર્વત વિનાનાં ચંદ્ર-સૂર્યનાં ચિહ્નોનાં આલેખન વિશિષ્ટ મહત્ત્વ દર્શાવતાં હોય તે રીતે થયાં છે”. રુદ્રદામા ૧લાના સમયથી પર્વતનું મહત્ત્વ વધેલું અને ચંદ્ર-સૂર્યનું મહત્ત્વ ઘટેલું જણાય છે. બીજો એક ફેરફાર પણ નોંધપાત્ર છે : સૂર્યનાં પ્રતીકમાંનું વચ્ચેનું બિંબ નાનું થતું જાય છે. કિરણોનાં આલેખનમાં રેખાઓને સ્થાને માત્ર ટપકાં (છ કે સાત) દર્શાવાયાં છે. બિંબ અને ટપકાંનાં કદ સરખાં થતાં જાય છે. ચંદ્રનું ચિહ્ન પણ નાનું થતું જાય છે.
ચાષ્ટન`, રુદ્રસિંહ ૧લો, દામસેન અને દામજદશ્રી ૨જાના કેટલાક સિક્કામાં ચંદ્ર-સૂર્ય સ્થાન ફેર પામેલા જોવા મળે છે. અર્થાત્ ડાબી બાજૂ સૂર્ય અને જમણે ચંદ્ર. આથી, જો કે કોઈ વિશેષ મહત્ત્વ તેથી સૂચવાતું નથી. સંભવતઃ સિક્કા તૈયા૨ ક૨ના૨ની ભૂલનું એ પરિણામ હોય. પૉટન અને સીસાના સિક્કા
પૉટનના સિક્કા ઉ૫૨ ત્રિકૂટ પર્વત, ટોચની ઉપર અને ડાબે એકેક ચંદ્ર અને જમણે સૂર્યનાં પ્રતીકો ચાંદીના સિક્કાની જેમ આલેખાયેલાં છે. બ્રાહ્મીમાં માત્ર રાજાનું હોદ્દા સાથેનું નામ ઉપસાવેલું જોવા મળે છે. આવા સિક્કા જીવદામા, રુદ્રસિંહ ૧લો, અને વીરદામાના છે. સમયનિર્દેશ વિનાના પૉટનના સિક્કા ઉપર પર્વતાદિ પ્રતીકો છે, પણ લેખ નથી. કિનારને સમાંતર ટપકાંની હાર છે. પૉટનના અન્ય પ્રકારના કેટલાક સિક્કા ઉપર પર્વતાદિ ચિહ્નો છે અને વિશેષમાં પર્વતની નીચે વર્ષ અંકિત છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે, લેખ નથી. રુદ્રસેન ૧લાના અને દામસેનના સમયના સિક્કા આ પ્રકારના છે.
સીસાના સિક્કા ઉપર પર્વતાદિ ચિહ્ન, પર્વતની નીચે વર્ષ અને કિનારને સમાંતર ટપકાંની હાર જોવા મળે છે. આ સિક્કા લેખ વિનાના છે. યશોદામા રજો, રુદ્રસેન ૩જો અને રુદ્રસિંહ ૩જાના ચોરસ સિક્કા ઉપર ત્રિકૂટ પર્વત, એની નીચે નદી સૂચવતી રેખા અને એની નીચે વર્ષ દર્શાવેલું છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે. રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપર ત્રિકૂટ પર્વતની ડાબીજમણી બાજુએ ચંદ્ર-સૂર્યનાં ચિહ્ન છે॰.
For Personal & Private Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ક્ષત્રપકાલીન ગુજરાત
ઈશ્વરદત્ત
આભીર રાજા ઈશ્વરદત્તના સિક્કા ક્ષત્રપ-અનુકરણવાળા હોઈ તથા ક્ષત્રપ સિક્કાઓની સાથે હંમેશા ઉપલબ્ધ થયા હોઈ એના સિક્કાની સંક્ષિપ્ત ચર્ચા અહીં પ્રસ્તુત જણાય છે. આ રાજાના માત્ર ચાંદીના સિક્કા મળ્યા છે. એના સિક્કાના અગ્રભાગે દક્ષિણાભિમુખ મુખાકૃતિ છે અને એની પાછળ બ્રાહ્મીમાં વર્ષ દર્શાવેલું છે. વૃત્તાકારે ગ્રીક-રોમીય લિપિમાં લેખ છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે. એના સિક્કાના પૃષ્ઠભાગ ઉપર ત્રિકૂટ પર્વત, ટોચ ઉપર અને ડાબે એકેક ચંદ્ર, જમણે સૂર્ય, પર્વત નીચે નદી તેમ જ વૃત્તાકારે બ્રાહ્મી લિપિમાં હોદા સાથે માત્ર ઈશ્વરદત્તનું નામ અને વર્ષનો નિર્દેશ સૂચવતો લેખ છે. ઈશ્વરદત્તના સિક્કાની વિશેષતા એ છે કે એણે આંકડા અને શબ્દો ઉભયમાં વર્ષનું સૂચન કર્યું છે. ઉપસંહાર
અત્યાર સુધીનાં વર્ણનથી ફલિત થતી આટલી બાબતો ધ્યાનાર્હ છે : ક્ષત્રપોના સિક્કા ઉપરના અક્ષરો, મુખાકૃતિ, આકાર, તોલ વગેરે જેવી બાબતોમાં ગ્રીક અસર વર્તાય છે; તો સંસ્કૃત-પ્રાકૃત ભાષા, બ્રાહ્મી લિપિ તથા પર્વત-નદી, ચંદ્ર, સૂર્ય ઇત્યાદિ જેવાં પ્રકૃતિનાં શાશ્વત પ્રતીકો ભારતીય અસરનાં ઘોતક છે.
જયદામાના તાંબાના સિક્કા ઉપર ત્રિશૂળ અને પરશુનાં ચિહ્ન ધાર્મિક હોવાનું કહી શકાય. અન્યથા ક્ષત્રપોના બધા જ સિક્કા ઉપર કોઈ જ દેવદેવીની આકૃતિ જોવા પ્રાપ્ત થતી નથી; કે ધાર્મિક અસર નિર્દિષ્ટ કરતું કોઈ સ્પષ્ટ ચિહ્નય અંકિત થયેલું જોવા મળતું નથી. અત્રે એ નોંધવું ઉપાદેયી જણાશે કે ભારતમાંના ગ્રીક અને કુષાણ શાસકોના સિક્કા ઉપર દેવદેવીની આકૃતિ આપવાની પ્રથા સામાન્ય હતી; ત્યારે ગ્રીક સિક્કાઓનું અંશતઃ અનુકરણ કરનારા અને કુષાણ રાજાઓના સમકાલીન અને અનુકાલીન ક્ષત્રપ સિક્કા ધાર્મિક અસરથી મુક્ત છે. અનુકાલીન ગુપ્ત સમ્રાટોના સિક્કામાં પણ દેવદેવીઓની આકૃતિઓ કે ધર્મસૂચક ચિહ્ન જોવાં પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિએ પણ ક્ષત્રપ રાજાઓના સિક્કા અનન્ય ગણી શકાય. વર્ષ સૂચવતી અભિનવ પ્રથા
ક્ષત્રપોના ચાંદીના, પૉટનના અને સીસાના સિક્કાઓ ઉપર વર્ષ-સૂચક વિશિષ્ટ અને અભિનવ પદ્ધતિ આપણને પ્રથમ વખત જોવી પ્રાપ્ત થાય છે. ભારતીય સિક્કાવિજ્ઞાનના ઇતિહાસમાં આ બાબત સીમાચિહ્ન સ્વરૂપ સ્વીકારાઈ છે. બ્રાહ્મી આંકડામાં વર્ષ સૂચવતી સંખ્યા નિર્દેશવાની ક્ષત્રપોની આ નિરાળી પદ્ધતિને લઈને આ શાસકોની સળંગ સાલવારી તૈયાર કરવામાં સુગમતા સાંપડી છે. ક્ષત્રપો પૂર્વેના ભારતીય સિક્કાઓમાં ક્યાંય વર્ષ આપવાની પ્રથા જોવા મળતી નથી. તો ક્ષત્રપ પછી જેમના ચાંદીના સિક્કામાં ક્ષત્રપ અનુકરણ જોવા મળે છે તે ગુપ્ત શાસકોના સુવર્ણ સિક્કાઓ (એમને સમયનિર્દેશયુક્ત ક્ષત્રપોના સિક્કાઓનો પરિચ હોવા છતાંય) વર્ષ નિર્દેશન વિનાના છે. આથી, ક્ષત્રપ સિક્કાઓમાં થયેલા વર્ષ-નિર્દેશનનો પ્રયોગ અસંદિગ્ધ રીતે વિશિષ્ટ અને વિરલ બની રહે છે.
વર્ષ આપવાની પહેલવહેલી પ્રથા રુદ્રસિંહ ૧લાના સિક્કા ઉપર અંકિત થયેલી જોવા મળે
For Personal & Private Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેર
૨૨૩ છે. એની પહેલાંના ક્ષત્રપ રાજાઓના સિક્કા ઉપર વર્ષ-નિર્દેશક સંખ્યા જોવા મળતી નથી અને વિશેષ ધ્યાનાર્ય બાબત એ છે કે ગ્રીક-રોમીય લખાણના આરંભ અને અંતની વચ્ચેના ભાગમાં વર્ષસૂચક સંખ્યા અંકિત કરવા જેટલી જગ્યાય દેખાતી નથી. આથી, નહપાને જેમ મુખાકૃતિ આપવાની પ્રથાનો પ્રારંભ કર્યો, ચાષ્ટને જેમ પર્વતાદિ પ્રતીકો આપવાની અને હોદ્દા સાથે પિતાનું નામ આપવાની શરૂઆત કરી અને જેમ યશોદામાએ માત્ર બ્રાહ્મીમાં જ લખાણ અંકિત કરવાનો પ્રારંભ કર્યો તેમ રુદ્રસિંહે વર્ષ આપવાની પ્રથાનો પ્રારંભ કર્યો. ક્ષત્રપ સિક્કાઓના ઇતિહાસનાં અવલોકનથી સૂચવાય છે કે ક્ષત્રપ શાસકોમાંથી કેટલાકે, પરંપરિત પ્રથા ચાલુ રાખી હોવાની સાથોસાથ, એક એક અભિનવ પ્રથાના પ્રારંભક તરીકે મૌલિક પ્રદાન કર્યું હતું.
બાહ્નિક અને ભારતના ગ્રીક શાસકોના સિક્કા ઉપર વર્ષ સૂચવતા આંકડા જોવા મળતા નથી૨૯. ભારતના પૂર્વકાલીન અને પ્રાક્ષત્રપકાલીન સિક્કાઓ પણ વર્ષનિર્દેશ વિનાના છે. એકાદ અપવાદ સિવાય (એટલે કે ગુપ્તોના ચાંદીના સિક્કા સિવાય) છેક મુસ્લિમ અમલ સુધી આ પ્રથા ભારતના કે ભારતમાંના કોઈ વિદેશી રાજવંશે કે રાજાએ અપનાવી હોવાની જાણકારી હાથવગી નથી. ત્યારે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ક્ષત્રપોએ વર્ષ આપવાની પ્રથાનું અનુકરણ ક્યાંથી કર્યું હશે ?
પાર્થિયામાં ફ્રાવર્ત ૪થા પછી (ઈસ્વીપૂર્વ ૩૭થી) સીશૂસિડ સંવતમાં વર્ષ આપવાની પ્રથા શરૂ થયેલી જોવા મળે છે. રોમમાંથી પહેલી અને બીજી સદી દરમ્યાન ચાંદીના સિક્કાઓના પૃષ્ઠભાગે ગ્રીક આંકડામાં અને રાજકાલનાં વર્ષોમાં વર્ષનિર્દેશનયુક્ત સિક્કા મળ્યા છે. ઉભયમાંથી ક્ષત્રપોએ કોનું અનુકરણ કર્યું હશે તે અસંદિગ્ધ રીતે કહેવું મુશ્કેલ છે. પરંતુ ઈરાનમાંના શક-પલ્લવ રાજાઓના સંબંધને અવલોકતાં અને શકોને પહ્નવોના દબાણથી ઈરાન છોડી ભારત આવવું પડેલું તે ઐતિહાસિક ઘટના ધ્યાનમાં લેતાં (આ માટે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ત્રણ) સંભવતઃ ક્ષત્રપોએ વર્ષ નોંધવાની પ્રથા પલ્લવો પાસેથી અપનાવી હોય. સિક્કા ઉપર અંકિત લખાણ
પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ સવિશેષ એમના સિક્કાઓનાં નિર્માણથી સુવિખ્યાત છે. આ રાજાઓ પોતાના સિક્કા ઉપર પોતાનાં નામ અને હોદાની સાથે પોતાના પિતાનાં સહોદ્દા સાથે નામ આપવાની પ્રથા એમના સિક્કાઓની આગવી વિશેષતા છે. આને કારણે ક્ષત્રપ શાસકોની સળંગ વંશાવળી તૈયાર કરવામાં સુગમતા સાંપડી છે. પિતાનું નામ આપવાની આ પ્રણાલિકા એમણે ક્યાંથી અપનાવી હશે તે વિશે સંદિગ્ધતા રહે છે. એશિયાના કોઈ પૂર્વકાલીન દેશના કે રાજયના કે રાજવંશના સિક્કા ઉપર પ્રસ્તુત પ્રથા અંકિત થયેલી જોવા મળતી નથી. આથી એવું અનુમાન થઈ શકે કે આ પ્રથા પ્રાયઃ ક્ષત્રપોનું મૌલિક યોગદાન હોઈ શકે ૧. - પૃષ્ઠભાગનાં લખાણ તત્કાલીન ભારતની પ્રચલિત લિપિઓ અને ભાષામાં લખાતાં હતાં. ભૂમક, નહપાન અને ચાષ્ટનના સિક્કાઓ ઉપર ખરોષ્ઠી અને બ્રાહ્મી ઉભય લિપિમાં લખાણ અંકિત થયેલાં જોઈ શકાય છે. પછી જયદામાથી શરૂ કરી અંત સુધીના બધા રાજાઓના સિક્કા ઉપર માત્ર બ્રાહ્મી લિપિમાં લખાણ અંકાયેલાં જોવાં પ્રાપ્ત થાય છે. ખરોષ્ઠી લિપિવાળાં લખાણ
For Personal & Private Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ક્ષત્રપકાલીન ગુજરાત પ્રાકૃત ભાષામાં છે અને બ્રાહ્મી લિપિમાંનાં લખાણ સંસ્કૃત-પ્રાકૃત મિશ્રિત ભાષામાં છે. શુદ્ધ સંસ્કૃતમાં લખાણ માત્ર દામજદશ્રી ૧લા અને સત્યદામાના સિક્કા ઉપર અંકિત થયેલાં છે. રુદ્રદામા ૧લાનો જૂનાગઢનો શૈલલેખ શુદ્ધ સંસ્કૃત ગદ્યનો શ્રેષ્ઠ નમૂનો હોવા છતાંય તેના પોતાના સિક્કાઓ ઉપરનું લખાણ પ્રાકૃતમિશ્રિત સંસ્કૃતમાં છે.
પશ્ચિમી ક્ષત્રપોના સિક્કા ઉપર અંકાયેલાં લખાણની બીજી નોંધપાત્ર વિશેષતા આમ છે : કેટલાક સિક્કા ઉપર પિતાનાં નામ ષષ્ઠી વિભક્તિમાં (દા. ત. ગામમાં પુત્રસ) પ્રયોજાયેલાં છે, તો કેટલાક ઉપર નામપુત્રસ એવો સમાસ પણ જોવા મળે છે. સામાન્યતઃ ક્ષત્રપ રાજાઓ પોતાના પુરોગામીનાં નહીં, પણ પિતાનાં નામ નિર્દેશ છે એ હકીકત ચાટન, રુદ્રસિંહ રજો અને રુદ્રસેન ૩જાના સિક્કા ઉપરથી સ્પષ્ટ થાય છે. અપવાદરૂપે સ્વામી સિંહસેન પોતાને રુદ્રસેન ૩જાની બહેનના પુત્ર (એટલે કે ભાણેજ) તરીકે ઓળખાવે છે. ભારતીય નામ અપનાવનાર ક્ષત્રપ રાજાઓનાં નામની પૂર્વે શ્રી જેવો માનસૂચક પૂર્વગ જોવા મળતો નથી. અપવાદરૂપે દામજદશ્રીમાં અંત્યાંગ તરીકે પ્રયોજાયો છે. સંભવતઃ આ પ્રકારનો આ પ્રયોગ વિદેશી નામને ભારતીય બનાવવા વાસ્તે થયો હોય.
ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ ક્ષત્રપોના સિક્કાઓમાં વારંવાર થયેલો છે. લગભગ પ્રત્યેક સિક્કા ઉપર ષષ્ઠી વિભક્તિનો સ (ક્યારેક ચ) પ્રત્યય બે વખત પ્રયોજાયેલો છે : એક વાર પિતાના નામ સાથે, બીજી વાર રાજાના પોતાના નામ સાથે. પિતાના નામ સાથેનો સ પ્રત્યય પુત્રના સંદર્ભે સાર્થ જણાય છે, પણ રાજાના પોતાના નામને લાગેલો ષષ્ઠી વિભક્તિનો જ પ્રત્યય શું સૂચવે છે ? અહીં, એનો સંબંધ “ના વર્ષ... માં” એમ વર્ષ સાથે છે કે “......નો સિક્કો એ અર્થમાં છે એ વિચારણીય બાબત છે. વર્ષ સાથેનો સંબંધ ના હોય એમ જણાય છે; કારણ કે શરૂઆતના રાજાઓના સિક્કા ઉપર વર્ષસૂચક સંખ્યા નિર્દેશવાની પ્રથા જોવી પ્રાપ્ત થતી નથી. આથી, સંભવતઃ અહીં એનો “....... નો સિક્કો” એમ સ્વામિત્વસૂચક અર્થ વધારે ઉચિત જણાય છે. સંસ્કૃતમાં સ્વામિત્વસૂચક નામ હંમેશા પછી વિભક્તિમાં આપવામાં આવતું હતું.
પશ્ચિમી ક્ષત્રપોના સિક્કાના અગ્રભાગે ગ્રીક-રોમીય લિપિમાં લખાણ આલેખાયેલાં જોવા મળે છે. આરંભના ત્રણેક રાજાઓના સિક્કામાંનું લખાણ કંઈક અર્થવાળું જણાય છે, પણ રુદ્રદામા ૧લાના સમયથી સિક્કાઓ ઉપર લખાણ આલેખવાની પ્રથા ચાલુ તો રહે છે, પરંતુ તે અર્થહીન અને માત્ર શોભા પૂરતું જ રહેલું દેખાય છે.
આ સિક્કાઓમાં અંકિત ગ્રીક લખાણને ઉકેલવાના પ્રયાસ જસ્ટીસ ન્યૂટને અને પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ કરેલા, પણ એમને સફળતા પ્રાપ્ત થયેલી નહીં. તે પછી રેપ્સને આ લખાણને ઉકેલવાનો પ્રયત્ન કરતાં થોડી સફળતા મેળવેલી. એમણે નહપાનના સિક્કા ઉપરના લખાણનો પ્રથમ ગ્રીક શબ્દ ઉકેલ્યો અને એ શબ્દ ગ્રીક ભાષાનો Basilios નહીં હોવાનું સૂચવી એ શબ્દ રાણો છે અને પ્રાકૃતનું ભાષાંતર નહીં પણ લિમંતર છે એમ પ્રતિપાદિત કર્યું. રેપ્સને એ પણ સ્પષ્ટ કર્યું કે આ લખાણ શુદ્ધ ગ્રીકમાં માત્ર નહપાન અને ચાષ્ટનના સિક્કાઓ ઉપર છે અને તે પછી તો ગ્રીક-રોમીય લખાણ જોવું પ્રાપ્ત થયા છે. રેપ્સન પછી થોડીક વધુ સફળતા મળી એચ.આર.સ્કૉટને જોગલથબ્બીમાંથી પ્રાપ્ત નહપાનના અસંખ્ય સિક્કાઓના અભ્યાસથી. ગ્રીક
For Personal & Private Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેર
૨૨૫
લખાણ એ પ્રાકૃતનું લિયંતર છે એવા રેસનના મંતવ્યને સ્કૉટની સફળતાથી અનુમોદન મળ્યું. એમણે વચલો શબ્દ છેદરતા છે એમ ઉકેલી આપ્યો. સ્કૉટના વાચન મુજબનું ગ્રીક લેખનું સામાન્ય 2934 2414 2 34 : Panniw (<751), Iahapatac (59661H) 241 Nahattanac (76414). આલેખનશૈલી
જે જમાનામાં વિશ્વસમસ્તમાં અને ભારતમાં વિશેષતઃ સિક્કાવિજ્ઞાનનું ખેડાણ અલ્પ માત્રામાં થયું હતું ત્યારે સિક્કાઓ ઉપર સુંદર રીતે ઉપસાવેલી અને મુખની પ્રત્યેક રેખાને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરતી રાજાની મુખાકૃતિનું આલેખન ધ્યાનાર્હ તો છે જ પણ ભારતીય સિક્કાવિદ્યાના ઇતિહાસમાં પશ્ચિમી ક્ષત્રપોનું એ મહામૂલું યોગદાન છે. પશ્ચિમી ક્ષત્રપોના સિક્કા ઉપર વ્યક્ત પામેલી રાજાની મુખાકૃતિ એક પાર્શ્વ (પ્રોફાઈલ) ચિત્ર જેવી છે; છતાંય સુરેખ અને સ્પષ્ટ છે. રાજાના વાંકડિયા અને લાંબા વાળ ખસૂસ સુંદર રીતે આલેખાયેલા છે. માથા ઉપર લશ્કરી સૈનિકના ટોપ જેવું કશુંક પરિધાન કરેલું જોઈ શકાય છે. આંકડા વાળેલી મૂછો સરસ રીતે વ્યક્ત થઈ છે. કંઠના ભાગે રૂપાંકનયુક્ત સાંકડી પટી જેવું કંઈક છે, જે ઈરાની ઢબના લાંબા કોટનો કૉલર હોવા સંભવે છે. કાનમાં કુંડળ શોભી રહ્યાં છે. આમ, મુખાકૃતિનું સમગ્ર આલેખન બધા સિક્કાઓમાં લગભગ એક સરખી શૈલીમાં અભિવ્યક્ત થયેલું જણાય છે. આથી, સમગ્રતયા આલેખનશૈલી વિકસિત કારીગરીનું સૂચન કરે છે. સિક્કાનું નામ : શ્રાપ
નહપાનના સમયના નાસિક ગુફાના બે લેખમાં એના જમાઈ ઉષવદારે આપેલા દાનના સંદર્ભથી આ અંગેની માહિતી ઉપલબ્ધ થાય છે. એમાં હાપા (#ÍપVT) શબ્દ ત્રણેક વખત નિર્દેશાયો છે. આથી, એવું અનુમાની શકાય કે આ સિક્કા, ખાસ કરીને ચાંદીના, વાર્ષીપળ નામથી ઓળખાતા હશે. રેસન આ સિક્કાઓને નિઃશંકપણે આ નામથી ઓળખાવે છે.
પ્રસ્તુત શબ્દ સિક્કાના સંદર્ભે આપણા દેશમાં પૂર્વકાલથી પ્રયોજાતો આવ્યો છે. પાલિગ્રંથોમાં અને પાણિનિના મછાધ્યાયી ગ્રંથમાં ચાંદીના સિક્કાને ÍપUા કહ્યા છે.... કૌટિલ્યના ૩૫ર્થશાસ્ત્રમાં ઘણી જગ્યાએ આ નામના સિક્કાના સંદર્ભ હાથવગા થયા છે ૯. મનુસ્મૃતિ અને યાજ્ઞવસ્કૃતિમાં આ શબ્દ નિર્દેશિષ્ટ છે. જો કે મનુ કાર્ષાપણને તાંબાના સિક્કાના સંદર્ભમાં ઉલ્લેખ છે. Tષપાતુ વિસ્તાખ્રિવેશ: #ifષ: (:૦૪૦ ૩ વિજ્ઞા ગ્રંથમાં હાપણનો ઉલ્લેખ છે. આ બધા સંદર્ભથી સૂચિત થાય છે કે આપણા દેશમાં ઈસ્વીપૂર્વ ૭મી-૬ઠ્ઠી સદીથી આ શબ્દ પ્રચલિત હતો.
Bર્ષ અને પા એ શબ્દથી બનેલો સામાસિક શબ્દ તે પળ. એક પ્રકારનું વજન છે. તેથી વર્ષના વજનનો સિક્કો તે Íપ૨. કનિંગહમ ઉન કર્ષણનું બીજ ગણે છે. વાચસ્પતિ વિપીત(બહેડા)ના વૃક્ષનું ફળ તે એવો નિર્દેશ કરે છે.
નહપાનના સમયના ગુફાલેખોમાં કુશળમૂત્તે અને સુવર્ણ એવાં બે નામ પણ જોવા મળે છે. ઉભય શબ્દના અર્થ સંદિગ્ધ જણાય છે. પ્રથમ શબ્દ રેપ્સનના મતે શંકાસ્પદ છે. દે. રા. ભાંડારકરના મતે આ શબ્દ નહપાનના ચાંદીના સિક્કા માટે પ્રયોજાયો છે. અને એણે એના કુષાણ અધિપતિ રાજાની સ્મૃતિમાં આ નામ આપ્યું હોવાનું સૂચવાયું છે. એસ. ક. ચક્રવર્તી ભાંડારકરના
For Personal & Private Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ક્ષત્રપકાલીન ગુજરાત એ મત સાથે સહમત થાય છે કે આ શબ્દ સિક્કા માટે પ્રયોજાયો છે, પરંતુ એ ચાંદીના સિક્કાનું નામ છે એવું ભાંડારકરીય મંતવ્ય તેઓ સ્વીકારતા નથી; કેમ કે મૂડી એક પ્રકારના નામે અને વ્યાજ બીજા પ્રકારના નામે હોય એ શક્ય જણાતું નથી. શમૂને શબ્દમાં કુષાણોના સિક્કાનો અર્થ અભિપ્રેત છે એમ સ્વીકારી ચક્રવર્તી આ શબ્દ સોનાના સિક્કાના સંદર્ભમાં ઉપયોગાયો છે એવું માને છે. સુવર્ણ ઉલ્લેખ તો કુષાણોના સોનાના સિક્કાના અનુસંધાને વપરાયો જણાય છે; કેમ કે લેખમાં ૭૫000 કાર્દાપણ = ૨૦૦૦ સુવર્ણનો ગુણોત્તર આપેલો છે. પરંતુ આપણે અગાઉ અવલોકી ગયા કે પશ્ચિમી ક્ષત્રપો સ્વતંત્ર સત્તાધીશ રાજાઓ હતા (જુઓ આ ગ્રંથમાં પ્રકરણ પાંચ) અને કુષાણોના ઉપરાજ ક્યારેય ન હતા. તેમ જ કષ્કિનો સત્તાકાળ રુદ્રદામાના અમલના અંત પછી એટલે કે બીજી સદીના ઉત્તરાર્ધમાં હોવાનું આ ગ્રંથલેખક માને છે (જુઓ આ ગ્રંથમાં પ્રકરણ નવ) અને તેથી ભાંડારકર અને ચક્રવર્તીનાં મંતવ્ય સ્વીકાર્ય રહેતાં નથી.
ક્ષત્રપોના સિક્કાનાં નામકરણના અનુસંધાનમાં બીજા એકબે નિર્દેશ છે. વિનયપિટલની સમંતપ્રસિવિલ ટીકામાં માલવ અને સૌરાષ્ટ્રના ચાંદીના સિક્કાને રુદ્રાક્ષ તરીકે ઓળખાવ્યા છે અને જેનું વજન અગાઉના કાર્દાપણથી ૩/૪ હતું. અન્ય બૌદ્ધગ્રંથોમાં પણ રુદ્રામ, દ્રામાદ્રિ, રુદ્રદામાવનિ જેવા રૂપ પ્રયોજાયેલાં જોવાં પ્રાપ્ત થાય છે. સરસ્થીપની માં રુદ્રામેળ, ૩પ્પવિતો એવી વ્યાખ્યા પણ રુદ્રામની જોવા મળે છે. સંવિન્નામાં હીંગની સાથોસાથ રવત્ત(ક્ષત્રપક) એવો પણ એક પ્રયોગ જોવા મળે છે.
ઉપર્યુક્ત ચર્ચા ઉપરથી ક્ષત્રપ સિક્કાના નામ વિશે અસંદિગ્ધપણે સૂચવવું મુશ્કેલ છે. પરંતુ આભિલેખિક પુરાવાઓને વધારે શ્રદ્ધય ગણીએ તો નહપાનના ગુફાલેખોમાં જેનો ત્રણેક વખત ઉલ્લેખ છે તે દી૫ણ (કાર્દાપણ) શબ્દ ક્ષત્રપોના સિક્કાનું નામ હોવાનો સંભવ વધારે ઉચિત જણાય છે. સંવિઝામાંના રવૃત્ત સાથે હિીપળનો સાહિત્યિક નિર્દેશ આ સંભવનું સમર્થન કરે છે. કહેવાનું તાત્પર્ય એ કે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના ચાંદીના સિક્કા પણ નામથી ઓળખાતા હતા. વજન, આકાર અને કદ
રેપ્સન કહે છે કે નહપાનના ચાંદીના સિક્કા ભારતીય-ગ્રીક રાજાઓના અર્ધદ્રમ્મ જેવા હતા. તદનુસાર બધા ક્ષત્રપ રાજાઓએ અને એમના અનુગામી ગુપ્ત સમ્રાટોએ તથા સૈકૂટક શાસકોએ પણ આ પ્રકારનું વજન સિક્કા કાજે અપનાવ્યું હોવાનું જણાય છે. ગ્રીક રાજા મિનેન્ટરના સિક્કા ૩૨થી ૩૫ ગ્રેઈનના (લગભગ ૨ ગ્રામના) હતા. એટલે નહપાનના અને એના અનુગામી અન્ય ક્ષત્રપ રાજાઓના સિક્કા પણ એટલા જ વજનના હોવા જોઈએ એમ ફલિત થાય છે.
ક્ષત્રપોના ચાંદીના સિક્કાનો વ્યાસ ૦.૫" થી ૦.૭"નો હોવાનું દર્શાવાય છે. બધા ક્ષત્રપ રાજાઓના બધા જ સિક્કા એક સરખા વ્યાસના નથી, જેમ એક સરખા વજનના નથી. આથી, ફલિત થાય છે કે વજન અને કદમાં થતી રહેલી વધઘટ એમના રાજ્યની આર્થિક સ્થિતિની વધઘટ પણ હોવાનું અનુમાની શકાય; જો કે આ ફલિતાર્થ અસંદિગ્ધ ગણી ના શકાય. આશરે
For Personal & Private Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેર
૨૨૭
દોઢહજાર વર્ષ પૂર્વેના સિક્કાઓની વર્તમાને ઉપલબ્ધિથી એવી ધારણા દર્શાવી શકાય કે કેટલીક વાર કુદરતી આબોહવાને કારણે જમીનમાં દાટેલા હોવાથી આંતરિક રાસાયણિક પ્રક્રિયાને લીધે વજનમાં વધઘટ થવા સંભવે છે. કેટલીક વાર સિક્કાની વારંવારની હેરફેરથી થતા ઘસારાને કારણેય એના વજન કે કદમાં ઘટાડો સંભવી શકે છે. આથી, વજન અને વ્યાસમાં જોવા મળતી વધઘટથી બધી વખત આર્થિક ચડતીપડતીનું સૂચન કે અનુમાન વિચારવું યોગ્ય નથી.
ક્ષત્રપ સિકકાઓનો ગોળ આકાર ગ્રીક અસર સૂચવે છે એમ ઘણા વિદ્વાનોનું માનવું છે. પરંતુ આપણા દેશમાં ઘણા પૂર્વકાળથી વિવિધ આકારના સિક્કાઓ પ્રચારમાં હતા, જેમાં ગોળ સિક્કાઓનો સમાવેશ થતો હતો. વિશુદ્ધિ (ઈસ્વી પાંચમી સદીનો આરંભકાળ)નામના ગ્રંથમાં
એક સ્થળે બુદ્ધઘોષ વિવિધ આકારના સિક્કાઓની નોંધ દર્શાવે છે, જેમાં પરિમંત્ર (ગોળ) સિક્કાઓ પણ છે૫૪. ભાંડારકર કહે છે કે ક્ષત્રપોના ગોળ સિક્કાઓ ગ્રીક અનુકરણવાળા નથી; કેમ કે પૂર્વ સમયના કેટલાક કાર્દાપણ સિક્કાઓ ગોળ આકારના જોવા મળે છે૫. શતપથ વ્રીમમાં તો શતમાન સિક્કા ગોળ હોવાનો સ્પષ્ટ નિર્દેશ છે". સિક્કા-નિર્માણની પદ્ધતિ
આ શાસકોની સિક્કાઓનાં સૂક્ષ્મ નિરીક્ષણથી અનુમાની શકાય કે એના નિર્માણ કાજે કોઈ યંત્ર કે કોઈ સંપૂર્ણ સાધન જરૂર ઉપયોગમાં લેવાતું હશે. સાંચીમાંથી પકવેલી માટીની મુદ્રાઓ મળી છે. આ મુદ્રાઓમાં ચાંદીનો રસ(પ્રવાહી) રેડીને સિક્કા તૈયાર કરવામાં આવતાં હશે. માટીનાં બીબોની મદદથી પણ સિક્કા નિર્માણ થતા હોવાનું સૂચવાયું છે. આમાં બેવડાં બીબાં (double die)નો વિનિયોગ થતો હશે. સંભવ છે કે ક્ષત્રપોના સિક્કાય બીબોની મદદથી તૈયાર થતા હશે. ટંકશાળ
આટલી મોટી સંખ્યામાં ઉપલબ્ધ થયેલા૫૮ આ રાજાઓના સિક્કા કોઈ ટંકશાળમાં નિર્માણ પામ્યા હોવા જોઈએ. સામાન્યતઃ ટંકશાળ પાટનગર કે રાજધાનીમાં હોવાનું સૂચવાય છે. અતઃ નહપાનના સમયમાં સંભવતઃ ભરૂચમાં અને ચાખાનાદિ રાજાઓના સમયમાં ઉજ્જનમાં ટંકશાળ હોવાનો સંભવ દર્શાવી શકાય. ક્ષત્રપ શાસનના અંત ભાગમાં એમની સત્તા ગુજરાત પૂરતી સીમિત રહી હોય તો ત્યારે પ્રાયઃ જૂનાગઢમાં ટંકશાળ હોવાથી અટકળ સૂચવી શકાય. પરંતુ ભરૂચ અને ઉજ્જનમાંથી હજી સુધી ક્ષત્રપ સિક્કાઓનો કોઈ સંગ્રહ હાથ લાગ્યો નથી, જૂનાગઢમાંથી ઉપરકોટ વિસ્તારમાંથી ૧૨૦૦ સિક્કાનો એક નિધિ પ્રાપ્ત થયો છે. હમણાં જૂનાગઢ જિલ્લાના એક ગામેથી આ રાજાઓના ૫૦૦ જેટલા ચાંદીના સિક્કાનો એક નિધિ મળી આવ્યો હતો. વળી રદ્રદામાનો શૈલલેખ તથા બાવાપ્યારાની અને ઉપરકોટની ગુફાઓ પણ જૂનાગઢમાં આવેલી હોઈ. ક્ષત્રપોના સમયમાં જૂનાગઢનું વિશિષ્ટ સ્થાન હોવાનું ધ્યાનમાં લઈએ તો એવું અનુમાની શકાય કે ટંકશાળ પ્રાયઃ આરંભથી અંત પર્યત જૂનાગઢમાં હોવી જોઈએ, કેમ કે છેક સુધી આ નગર ક્ષત્રપોને હસ્તક રહ્યું હતું. ક્ષત્રપસિક્કાની અનુકાલીન અસર
આકાર અને પદ્ધતિ જોતાં શ્રી સર્વ ભટ્ટારકના સિક્કાઓ ક્ષત્રપ અસર સૂચિત કરે છે;
For Personal & Private Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
ફક્ત પર્વતાદિ પ્રતીકને સ્થાને ત્રિશૂળની આકૃતિ આપવા જેટલો ફેરફાર જોવા મળે છે. ગુપ્ત સમ્રાટોના પશ્ચિમ ભારત (તથા મધ્યપ્રદેશ) માટે ખાસ નિર્માણ કરાવેલા ચાંદીના સિક્કા હકીકતે ક્ષત્રપ સિક્કાના અનુકરણવાળા છે. ચંદ્રગુપ્ત રજો, કુમારગુપ્ત અને સ્કંદગુપ્તના ચાંદીના સિક્કા ગુજરાતમાંથી હાથ લાગ્યા છે. અન્ય ગુપ્ત રાજવીઓના ચાંદીના ક્ષત્રપ અસરવાળા સિક્કા મળ્યા નથી. ગુપ્તોના ચાંદીના સિક્કા ઉપર મુખાકૃતિ, અશુદ્ધ ગ્રીક લખાણ, મુખાકૃતિની પાછળ વર્ષસૂચક સંખ્યા, વજન અને આકાર, ચંદ્ર-સૂર્ય-નદી, બ્રાહ્મી લિપિમાં સાબિરુદ રાજાનાં નામ વગેરે વિગતો ક્ષત્રપ અસરની સીધી દ્યોતકે છે. ફેરકાર એટલો છે કે ત્રિકૂટ પર્વતને સ્થાને ગરુડની આકૃતિ છે, અને પિતાના નામનો ઉલ્લેખ નથી. ત્રૈકૂટક અને બોધિવંશના સિક્કા પણ ક્ષત્રપ-સિક્કાની અસર હેઠળ તૈયાર થયાનું જણાય છે. ત્રૈકૂટક સિક્કા ઉપર મુખાકૃતિ છે; વર્ષસૂચક સંખ્યા અને ગ્રીક લખાણ નથી. ત્રિકૂટ પર્વત, નદી, ચંદ્ર(માત્ર શિખરની ટોચે છે, ડાબે નથી), સૂર્ય વગેરે પ્રતીક છે. કદ અને વજનમાં પણ ત્રૈકૂટક સિક્કા ક્ષત્રપ સિક્કા જેવા છે. બ્રાહ્મી લિપિમાં હોદ્દા સાથે પિતાનું નામ છે. બોધિવંશના સિક્કાઓમાં મુખાકૃતિ, વર્ષ અને ગ્રીક લેખ નથી; તેને સ્થાને વેદિકા અને વૃક્ષોની આકૃતિ છે. ત્રિકૂટ પર્વત, ઉપલા શિખરની ટોચે ચંદ્ર વગેરે છે. વજન અને કદ પણ ક્ષત્રપ સિક્કાની જેમ છે.
ઉપસંહાર
૨૨૮
પ્રસ્તુત વિશ્લેષણ અને વિવરણ ઉપથી એટલું તો અસંદિગ્ધ રીતે સ્પષ્ટ થાય છે કે આપણા દેશના સિક્કાવિજ્ઞાનના ઇતિહાસમાં પશ્ચિમી ક્ષત્રપ શાસકોના સિક્કા ઘણી બધી બાબતોમાં અભિનવ છે, વિશિષ્ટ છે, લાક્ષણિક છે અને સીમા ચિહ્નરૂપ પણ છે.
પાદનોંધ
૧. માહિતી માટે જુઓ ૨સેશ જમીનદાર, પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૦૮થી ૧૧૬. ૨. રાજાની મુખાકૃતિ, ગ્રીક-રોમીય અક્ષરો, વર્ષ આપવાની પદ્ધતિ વગેરે વિદેશી અસર સૂચવે છે, જ્યારે
બ્રાહ્મી લિપિ, પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં લખાણ, પર્વતાદિ પ્રતીકો વગેરે ભારતીય અસરનાં ઘોતક છે. આરંભના ત્રણેક રાજાઓએ બ્રાહ્મી સાથે ખરોષ્ઠી લિપિ પ્રયોજી છે. ખોરઠી લિપિનું મૂળ વિદેશી હતું પણ તે વિદેશમાં ઉદ્ભવી હોવાનું જણાતું નથી. વિદેશી આરામાઈક લિપિમાંથી ઉદ્ભવેલી એ ભારતીય લિપિ છે, ઉર્દૂની જેમ.
૩. અનંત સદાશિવ ગદ્રે, આર્કિયૉલોજિકલ ડિપાર્ટમેન્ટ ઑવ ધ બરોડા સ્ટેટ, એન્યુઅલ રીપૉર્ટ, ૧૯૩૬૩૭, પૃષ્ઠ ૧થી.
૪. સર એલેકઝાન્ડર કનિંગહમે ભારતમાં પૂર્વકાળમાં ચાંદીની અછત હતી એવું વિધાન કર્યું છે (કૉઇન્સ ઑવ એન્શન્ટ ઇન્ડિયા, પૃષ્ઠ ૫). પશ્ચિમના ઘણા વિદ્વાનો આ વિધાન સ્વીકારે છે (રેપ્સન, ક્રૉહિઇ., પુસ્તક ૧, પૃષ્ઠ ૩૪૩); પેરિપ્લસ, ગુજ. અનુ. ફકરો ૩૯ વગેરે). પરંતુ આપણા પૂર્વકાલીનતમ આહત (પંચમાર્ક) સિક્કા ચાંદીના હતા (જન્યુસોઇ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૯૦; રસશે જમીનદાર, ઉપર્યુક્ત, ૧૯૯૪, પ્રકરણ ૫). શતપથ બ્રાહ્મળમાં ચાંદીના શતમાન સિક્કાઓનો નિર્દેશ છે (વાસુદેવ ઉપાધ્યાય, ભાસિ., પૃષ્ઠ ૧૩). રાજા સંભૂતિએ સિકંદરને આપેલા ભેટ-સિક્કા ચાંદીના હતા. કૌટલ્યના અર્થશાસ્ત્રમાં વિવિધ પ્રકારના ચાંદીના સિક્કા અને ચાંદીની જાતનો ઉલ્લેખ છે (ભાંડારકર, લેક્ચર્સ, પૃષ્ઠ ૯૪). વાર્ષાપળ એ ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રીય સિક્કા છે અને તે વિશેષતઃ અધિકાંશ
For Personal & Private Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેર
સંખ્યામાં ચાંદીના છે (રસેશ જમીનદાર, ઉપર્યુક્ત, ૧૯૯૪, પૃષ્ઠ ૫૮). ટૂંકમાં, ભારતમાં ચાંદીના સિક્કા પૂર્વકાલમાં તૈયાર થતા હતા તેથી કનિંગહમનું વિધાન સ્વીકાર્ય બનતું નથી. ક્ષત્રપોના સિક્કામાં ઉપયોગાયેલી ચાંદી રાજસ્થાનની ખાણોમાંથી આવેલી હોવાનો અભિપ્રાય ૨.ના.મહેતાએ આપ્યો છે. દેવની મોરીના સિક્કાને તેમણે રાસાયણિક પ્રક્રિયાથી તપાસી આવો મત દર્શાવ્ય છે (એવેશન એટ દેવની મોરી, પૃષ્ઠ ).
૫. વીરદામા સિવાયના રાજાઓના સિક્કા માટે (જુઓ રેપ્સન, ૧૧૩). વીરદામાના સિક્કા માટે જુઓ (અ.સ. ગદ્રે,
૬. રેપ્સન, કેટલૉગ, પૃષ્ઠ ૧૨૨.
૭. સૌદરરાજન, જન્યુસોઇ., પુસ્તક ૨૨, પૃષ્ઠ ૧૧૮થી.
૨૨૯
કેટલૉગ, પૃષ્ઠ ૮૫, ૯૩, ૧૦૫ અને ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૮).
૮. ગુજરાતમાંથી ઉપલબ્ધ ગ્રીક રાજવી અપલદત્તના કાંસાના સિક્કા ઉપર વૃષભ અને હાથીની આકૃતિઓ છે તે આ સંદર્ભે ધ્યાનાર્હ રહે.
૯. ઇન્સા.બ્રિટા., ૧૧મી આવૃત્તિ, પુસતક ૧૬, પૃષ્ઠ ૬૧૯.
૧૦. એના સિક્કાના અગ્રભાગે એની મુખાકૃતિ છે (સી. જે. બ્રાઉન, કૉઇન્સ ઑવ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૩, પટ્ટ ૨, આકૃતિ ૧; ગૌ. હી. ઓઝા, પ્રાચીન મુદ્રા, પૃષ્ઠ ૩૨).
૧૧. રેપ્સન, કૅટલૉગ, ફકરો ૮૮.
૧૨. સી.જે. બ્રાઉન, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૨૬ અને ૩૪. વધુ માહિતી માટે જુઓ રસેશ જમીનદાર, ૧૯૯૪, પૃષ્ઠ ૧૦૮થી.
૧૩. શરૂઆતના ત્રણેક રાજાઓ શુદ્ધ ગ્રીક લખાણનો અને સાથે ખરોષ્ઠી લેખનો ઉપયોગ કરે છે. તે પછી ખરોષ્ઠી એકદમ અદૃશ્ય થઈ જાય છે અને ગ્રીક લખાણ કહેવાતા ગ્રીક-રોમીય અક્ષરો તરીકે માત્ર સુશોભન સ્વરૂપે ચાલુ રહે છે.
૧૪. આ ઉપરથી રેપ્સન એવું સૂચન કરે છે કે સંભવતઃ આ પદ્ધતિ અન્ય ક્ષત્રપ રાજાઓના સિક્કા ઉપર પણ અંકિત હોવી જોઈએ. (કેટલૉગ, ફકરો ૧૨૬). પણ ગ્રીક-રોમીય લખાણમાં અંત અને બ્રાહ્મીમાં ઉપસાવેલા વર્ષ-સંખ્યા વચ્ચે વર્ષે લખવા જેટલી જગ્યા હોવી જોઈએ, જે સંભવતઃ દેખાતી નથી. આથી અનુમાની શકાય કે ક્ષત્રપવંશના આ બે રાજાઓએ આ પ્રથા પહેલપ્રથમવાર અપનાવી હોય અને તો ક્ષત્રપવંશીય સિક્કાના ઇતિહાસમાં આ એમનું પ્રદાન ગણાવી શકાય.
૧૫. રેપ્સન, કેટલૉગ, પૃષ્ઠ ૭૬, ૫ટ્ટ ૧૦.
૧૬. આ તરંગ-રેખા પ્રાયઃ સમુદ્રનું સૂચન પણ કરતી હોય, પણ એની મર્યાદિત લંબાઈ ઊંચાઈ જોતાં એ નદીનું સૂચન કરતી હોવાનું સંભવિત જણાય છે. ચંદ્ર-સર્વની જેમ સરિત-પર્વત્ એ આંતરિક સાન્નિધ્ય વધારે ધરાવે છે.
૧૭. કેટલૉગ, ફકરો ૯૨ અને ૧૦૦. પરંતુ આંધ્રના રાજાઓના કેટલાક સિક્કા ઉપર ચૈત્યનની આકૃતિઓ છે તો કેટલાક ઉપર પર્વતની એવું વાસુદેવ ઉપાધ્યાયનું મંતવ્ય છે (ભાસિ., પૃષ્ઠ ૧૦૪-૧૦૫, પટ્ટ ૬). આથી, આંધ્ર રાજાઓ ચૈત્ય અને પર્વતનાં પ્રતીક ભિન્ન ભિન્ન રીતે પ્રયોજતા હોવાનું સૂચિત થાય છે. આ કારણે રેપ્સનનો મત સ્વીકાર્ય રહેતો નથી. કોણે કોની પાસેથી પ્રસ્તુત પ્રતીકનું અનુકરણ કર્યું તેના વિવાદને બાજુએ રાખીએ તો એટલું તો સ્પષ્ટ થાય છે કે આ બંને રાજવંશો વચ્ચે કોઈ પ્રકારના સંબંધો હતા. બાકી ધ્યાનાર્હ બાબત એ છે કે સનાતન કે શાશ્વત બાબતોનાં અનુકરણ તો સહુ કોઈ કરી શકે છે જેમાં કોઈ કોઈની અસર કે અનુકરણ જોવાં જરૂરી નથી અને પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનો એમાં અપવાદ નથી. (જુઓ રસેશ જમીનદાર, ‘સમ થૉટ્સ ઑન ધ મૂટ પ્રોબ્લેમ્સ ઑવ ધ ટુ રૉયલ ડાયનેસ્ટીઝ ઑવ વેસ્ટર્ન ઇન્ડિયા; એન એપ્રેઇઝલ', પંચાલ, પુસ્તક ૧૦, ૧૯૯૮,
For Personal & Private Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ક્ષત્રપકાલીન ગુજરાત પૃષ્ઠ ૧૨૯). ૧૮. ન્યુમિઝમૅટિક ક્રૉનિકલ, પુસ્તક ૧૩, પૃષ્ઠ ૧૮૮. ૧૯. બાંગે., પુસ્તક ૧, ભાગ ૧, પૃષ્ઠ ૩૦. ૨૦. આસઈરી., ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૧૨૧ અને લેક્ટર્સ, પૃષ્ઠ ૧૦૧ અને ૧૦૫. ૨૧. ઈસ્વીપૂર્વ ૧૫૦૦ના સમયના નાસોસમાં મિનોઅન પ્રકારના એક મુદ્રાંક ઉપર પર્વતનું ચિહ્ન જોવું
પ્રાપ્ત થાય છે (એજન, પૃષ્ઠ ૧૦૬, પાદનોંધ ૨). ૨૨. કેટલૉગ., ફકરો ૧૪૪. જો કે કસમાં તે ‘કિરણોવાળો સૂર્ય' એવો નિર્દેશ કરે છે. ૨૩. જુઓ : યાવિત્રંવારી.. સરખાવો : આણંદ્રાવક્ષતિરFર્વતીનીનનું | (હ.ગં.શાસ્ત્રી,
મૈત્રકકાલીન ગુજરાત, ૧૯૫૫, પૃષ્ઠ ૫૨૫, પાદનોંધ ૮). ૨૪. જુઓ રેપ્સન, કેટલૉગ, પૃષ્ઠ ૭૨, પટ્ટ ૧૦. ૨૫. જન્યુસોઈ., પુસ્તક ૧૪, પૃષ્ઠ ૨૦થી. ૨૬. રેસન, કેટલૉગ, પૃષ્ઠ ૯૦, નંબર ૩૧૩-૩૧૪; પૃષ્ઠ ૧૦૮, નંબર ૩૮૧ અને પૃષ્ઠ ૧૧૬, નંબર
૪૨૫ અનુક્રમે રુદ્રસિંહ, દામસેન અને દામજદશ્રીના સિક્કા માટે. ૨૭. જન્યુસોઈ., પુસ્તક ૨૨, પૃષ્ઠ ૧૧૮થી. ૨૮. જો કે એમના શિલાલેખોમાં પ્રારંભથી વર્ષસૂચક સંખ્યા નિર્દેશાઈ છે તે બાબત નોંધપાત્ર ગણવી
જોઈએ. ૨૯. આ શાસકોના સિક્કા વિશે વધુ માહિતી માટે જુઓ : રસેશ જમીનદાર, ઉપર્યુક્ત, ૧૯૯૪, પૃષ્ઠ
૧૦૮થી ૧૧૬. ૩૦. ઈન્સાબિટા. ૧૧મી આવૃત્તિ, પુસ્તક ૧૬, પૃછાંક ૬૨૦-૬૨૧. ૩૧. મિસરના ટોલેમી વંશમાં ટૉલેમી નામના ઘણા રાજાઓ થઈ ગયા. "દા.ત. ટોલેમી ૧લો, રજો .
૧૦મો, ૧૨મો વગેરે. તેથી આ રાજાઓ તે સાથે અપરનામ વાપરતા અને તે રીતે પૃથક્તા દર્શાવતા. ક્ષત્રપોમાં રુદ્રદામા, રુદ્રસિંહ, રુદ્રસેન જેવાં એક સરખાં નામને લઈને તથા તે નામના એક કરતાં વધારે રાજાઓ શાસનસ્થ થયા હોઈને પૃથક્તા દર્શાવવા વાસ્તે પિતાનું નામ આપવું જરૂરી લેવું હોય. પરંતુ આ પ્રથાનો પ્રારંભ ચારુનને કર્યો છે, જ્યારે તેની કોઈ આવશ્યક્તા ન હતી. કહેવાનું તાત્પર્ય આથી એ છે કે પિતાનું નામ આપવાની પ્રથા ક્ષત્રપોની મૌલિક પ્રથા હોવાનું નિશ્ચિત બને
છે. અર્વાચીન નામાભિધાનની પ્રથાને ક્ષત્રપોનું આ એક વિશિષ્ટ પણ મૌલિક યોગદાન છે. ૩૨. રેસન, કેટલૉગ, ફકરો ૮૧ અને ૯૫ અનુક્રમે. ૩૩. દા.ત. સર્વશીસંભવસ્થામૈતનોર્ધનBતઃ | મરચાયુપો વાળ: પ્રહ/
દિયુષમ્ II (વિક્રમોર્વશીય, પૂ. ૭). આ ઉપરાંત સરખાવો : શોદિવષ્યffધકાનધવારનર્સ ! (સરકાર, સીઇ., પૃષ્ઠ ૩૫૭). વારમત વિષયfધવારણ્ય (એજન, પૃષ્ઠ ૩૫૦, ૩૫૭). ગના યુવરાની શાસનમ્ ! (એજન, પૃષ્ઠ ૪૧૨).
રાણો પ્રવાસેની શાસનમ્ ! (એજન, પૃષ્ઠ ૪૧૮). ૩૪. રૉએસો., ૧૮૯૦. ૩૫. એજન, ૧૮૯૯, પૃષ્ઠ ૩૫૯ અને ૩૬૩.
For Personal & Private Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેર
૨૩૧
૩૬. જબૉબારૉએસો., ૧૯૦૭, પૃષ્ઠ ૨૨૭થી. ૩૭. કેટલૉગ, ફકરો ૧૫૦ અને ભાસિ., પૃષ્ઠ ૧૭૮. ૩૮. જન્યુસોઈ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૯૭ અને ભાસિ., પૃષ્ઠ ૧૪-૧૬ . ૩૯. પણના મિતાક્ષરી ઉલ્લેખથી (એજન, પૃષ્ઠ ૧૫). ૪૦. મનુસ્મૃતિ, ૮, ૧૩૬. ઉપરાંત ૩૩૬-૩૭, ૨૮૨. પરંતુ નારદ્વસ્મૃતિમાં આવો નિર્દેશ ચાંદીના સંદર્ભે છે:
1ષપણો ક્ષિપસ્યાં ફિશિ રૌથ: (વાવસ્થત્યમ્, ભાગ ૩, પૃષ્ઠ ૧૭૭૪). ૪૧. મુનિ પુણ્યવિજયજી સંપાદિત પ્રસ્તુત ગ્રંથ, પૃષ્ઠ ૬૬. ૪૨. જન્યુસોઈ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૯૭. ૪૩. કૉઈન્સ ઑવ ઈન્ડિયા, પૃષ્ઠ ૪૫. ઉપરાંત ચક્રવર્તિ, એ સ્ટડી ઑવ એન્શન્ટ ઇન્ડિયન ન્યુમિઝમૅટિક્સ,
પૃષ્ઠ ૫૧થી. ૪૪. ભાગ ૩, પૃષ્ઠ ૧૭૭૩-૭૪, સંસ્કૃત સાહિત્યમાં આ પ્રકારના ઘણા ઉલ્લેખ છે. બહેડાંના ફળનું વજન
લગભગ એક તોલા જેટલું હોય છે. ૪૫. કેટલૉગ, ફકરો ૫૭. ૪૬. લેક્ટર્સ, પૃ ૧૯૯થી. ૪૭. એ સ્ટડી ઑવ એાન્ટ ઈન્ડિયન ન્યુમિઝમેટિક્સ, પૃષ્ઠ ૯૮થી. ૪૮. જન્યુસોઇ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૯૮થી. ૪૯. વિજયેન્દ્રસૂરિકત રાજા મહાક્ષત્રપ રદ્ધદામાં, પૃષ્ઠ ૪૧. દુકામનો બીજો અર્થ એવો થઈ શકે કે
રુદ્રદામાના સિક્કા જેવા જ ગૂમનાના બીજા સિક્કા જે એની પછીના રાજાઓએ તૈયાર કરાવ્યા હોય
(એજન). ૫૦. પાદનોંધ ૪૧ મુજબ. ૫૧. તાંબા, પૉટન અને સીસાના સિક્કા કયા નામે ઓળખાતા હશે તે કહેવું મુશ્કેલ છે. ૫૨. કેટલૉગ, ફકરો ૮૮. ૫૩. મિનન્દર અને અપલદત્તના સિક્કા ઈસ્વીની પહેલી-બીજી સદીમાં ભરૂચમાં પ્રચલિત હતા (પરિપ્લસ,
ફકરો ૪૭). અહીં આ સિક્કા એટલા બધા પ્રચારમાં હતા કે ઈસ્વીની આઠમી સદીમાં ગુજરાતના
પૂર્વ સમયના રાજાઓ એનું અનુકરણ કરતા હતા. (ગૌ.સી.ઓઝા, પ્રવીન મુદ્રા, પૃષ્ઠ ૬૬-૬૭). ૫૪. ૨.૪ર૭. બી.સી.લો, એ હિસ્ટરી ઑવ પાલિ લિટરેચર, પુસ્તક ૨, પૃષ્ઠ ૩૯૯. ૫૫. લેક્ટર્સ, પૃષ્ઠ ૧૪૮. ઉપરાંત સ્મિથ, કેટલૉગ ઑન ઇન્ડિયન કૉઈન્સ, પટ્ટ ૧૯, નંબર ૭, ૧૧ અને
૧૧ના ગોળ સિક્કા કાષપણના છે. ૫૬, ..૫.૨૬ અને ૨૩.૨.રૂ.૨. ભારતૂતના એક ચિત્રમાંના સિક્કા ગોળ છે. ૫૭. ભાસિ., પૃષ્ઠ ૧૧૨. ૫૮. આ લેખકે, એમના મહાનિબંધ સંદર્ભે વિવિધ સંગ્રહાલયોમાં સુરક્ષિત અને કેટલીક વ્યક્તિઓના અંગત
સંગ્રહમાં સુરક્ષિત, એવા આશરે દશ હજાર સિક્કાઓ સ્વયમ્ તપાસ્યા હતા અને પ્રત્યેક સિક્કાના અગ્રભાગની અને પૃષ્ઠભાગની પ્રત્યેક બાબતની નોંધ લીધી હતી. અને કેટલીક જગ્યાએ તો અવ્યવસ્થિત સિક્કાઓનું વ્યવસ્થિત પત્રક પણ તૈયાર કરી આપ્યું હતું તેમ જ પ્રત્યેક કવરમાં એક એક સિક્કો મૂકી ઉપર જરૂરી નોંધ પણ કરી આપી હતી. આ કાર્ય ૧૯૬૧થી ૧૯૬૩ના વર્ષો દરમ્યાન કર્યું હતું.
For Personal & Private Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
આ ગ્રંથના વર્ણ-વિષય વાસ્તુનાં જ્ઞાપકોમાં મુખ્ય છે ક્ષત્રપ રાજાઓએ નિર્માણ કરાવેલા સંખ્યાતીત સિક્કાઓ. આ સિક્કાના અગ્રભાગે કિનારને સમાંતર ગોળાકારે લખાણ ઉપસાવેલાં છે, જે બ્રાહ્મી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં છે. અહીં આપણે આ સિક્કાઓ ઉપરનાં મૂળ લખાણના થોડાક નમૂના પ્રસ્તુત કર્યા છે. રજૂઆત આ મુજબ છે : જે તે રાજાનું હોદ્દા સાથેનું નામ નાગરી લિપિમાં છે. તે પછી સિક્કા ઉપરનું બ્રાહ્મી લિપિમાંનું લખાણ છે અને તે બાદ તે જ લખાણ દેવનાગરીમાં આપેલું છે. પશ્ચિમી ક્ષત્રપ વંશના લગભગ બધા રાજાઓના સિક્કા ઉપરનાં લખાણમાંથી નમૂના રૂપ પ્રત્યેક રાજાનાં એકાદ બે લખાણ પ્રસ્તુત કર્યાં છે. આ લખાણમાં બાર-તેર અક્ષર ઓછામાં ઓછા છે અને વધુમાં વધુ ૩૨થી ૩૩ અક્ષર છે. લિપિ વિકાસને સમજવામાં આ નમૂના ખસૂસ ઉપાદેયી નીવડશે એટલું જ નહીં પણ લિપિને ઓળખવામાં પણ સરળતા રહેશે. સંસ્કૃત ભાષાના પ્રયોગ પણ અહીં જોવા મળશે. ક્યાંક સમાસ છે (દા.ત. રુદ્રવાન પુત્રસ) તો ક્યાંક બંને શબ્દમાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ છે (દા.ત. વામસેનસ પુત્રસ), તો ક્યાંક અપવાદરૂપ સ ને સ્થાને સ્યનો પ્રયોગ છે (દા.ત. વામનદ્રીય પુત્રસ્ય). આરંભના ત્રણ શાસકોના (ભૂમક, નહપાન અને ચાષ્ટન) સિક્કા ઉપર બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિમાં તેમ જ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાણ જોવાં પ્રાપ્ત થાય છે.
(૧) ક્ષત્રપ ભૂમક
[k
ક્ષદરા(તસ ક્ષત્રપસ ગૂમસ) (બ્રાહ્મી) વહાલસ (ત્રપર્સ ગૂમસ) (ખરોષ્ઠી)
(૨) નહપાન T
સિક્કા ઉપરનાં લખાણ : બ્રાહ્મીમાં અને દેવનાગરીમાં
રાજ્ઞો ક્ષહરાતસ નહપાનસ (બ્રાહ્મી) રાજ્ઞો વહરત" નહવનસ (ખરોષ્ઠી)
પરિશિષ્ટ નવ
Ev
For Personal & Private Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ નવ
२33
(3) क्षत्र५ याष्टन
[रा]ज्ञो क्षत्रपस य्सामोतिक पुत्र(स-) (मामा)
राज्ञो च (त्रपस - -) (रोटी) (૪) મહાક્ષત્રપ ચાષ્ટન
Exupsexky.
राज्ञो महाक्षत्रपस य्सा[मोति]क पुत्रस चाष्टनस (प्रामी) (૫) ક્ષત્રપ જયદામા
05. राज्ञो क्षत्रपस स्वामि जयदामस (E) महाक्षत्र५ रुद्रामा १cो .
JUNEntryjHx.v४० राज्ञो क्षत्रपस जयदामपुत्रस राज्ञो महाक्षत्रपस रुद्रदामस (७) क्षत्र५ ।मश्रीय १८
राज्ञो महाक्षत्रपस रुद्रदाम्नपुत्रस राज्ञो क्षत्रपस दामजदश्रीय । (૮) મહાક્ષત્રપ દામજદશ્રીય ૧લો
JFJU९५EEJIYEngu
राज्ञो महाक्षत्रपस रुद्रदाम्नपुत्रस राज्ञो महाक्षत्रपस दामजदश्रीय । (૯) મહાક્ષત્રપ જીવદામા
JEVIEW VEEN BAJEVSEFUNtory
राज्ञो महाक्षत्रपस दामजदस पुत्रस राज्ञो महाक्षत्रपस जीवदामस । (१०) क्षत्र५ रुद्रसिंड १८
JRVIEWHEYYAMJUNew
राज्ञो महाक्षत्रपस रुद्रदामपुत्रस राज्ञो क्षत्रपस रुद्रसिहस । (૧૧) મહાક્ષત્રપ રુદ્રસિંહ ૧લો
JPUJUNREvyJPUR
राज्ञो महाक्षत्रपस रुद्रदामपुत्रस राज्ञो महाक्षत्रपस रुद्रसिहस । (૧૨) ક્ષત્રપ સત્યદામા
18511४1Tथा । "
For Personal & Private Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ક્ષત્રપકાલીન ગુજરાત
राज्ञो महाक्षत्रपस्य दामजदश्रीय पुत्रस्य राज्ञो क्षत्रपस्य सत्यदाम्न । (१३) क्षत्र५ द्रसेन १९ो
राज्ञो महाक्षत्रपस रुद्रसिंहस पुत्रस राज्ञः क्षत्रपस रुद्रसेनस । (१४) महाक्षत्र५ रुद्रसेन १९ो
JHUNJIMywyjTTvMJUNE
राज्ञो महाक्षत्रपस रुद्रसिंहस पुत्रस राज्ञो महाक्षत्रपस रुद्रसेनस । (૧૫) ક્ષત્રપ પૃથિવીષેણ
JUSIMIMixy .xydNIH
राज्ञो महाक्षत्रपस रुद्रसेनस पुत्रस राज्ञो क्षत्रपस पृथिवीसेणस । (૧૦) મહાક્ષત્રપ સંઘદામા J OHNHy/MJJBY-१४
राज्ञो महाक्षत्रपस रुद्रसिहस पुत्रस राज्ञो महाक्षत्रपस्य संघदाम्न । (૧૭) મહાક્ષત્રપ દામસેન
FRUITHIN JAPATTHEY HIN
राज्ञो महाक्षत्रपस रुद्रसिहस पुत्रस राज्ञो महाक्षत्रपस दामसेनस । (१८) क्षत्र५ म४८श्री २
JEVHJINiyJFJHIYELyrics:
राज्ञो महाक्षत्रपस रुद्रसेनपुत्रस राज्ञः क्षत्रपस दामजदश्रीयः । (૧૯) ક્ષત્રપ વરદામા
JEEJUNEYHINJRAHayty:
राज्ञो महाक्षत्रपस दामसेनस पुत्रस राज्ञः क्षत्रपस वीरदाम्नः । (२०) महाक्षत्र५ श्व२त्त (प्रथम वर्ष)
JEVHTIEAABy०४
राज्ञो महाक्षत्रपस ईश्वरदत्तस वर्षे प्रथमे । (२१) महाक्षत्र५ श्व२त्त (द्वितीय वर्ष)
राज्ञो महाक्षत्रपस ईश्वरदत्तस वर्षे द्वितीये । (૨૨) ક્ષત્રપ યશોદામા ૧લો
TRVSAHEY HIM TIMESocurate
For Personal & Private Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ નવ
૨૩૫
राज्ञो महाक्षत्रपस दामसेनस पुत्रस राज्ञः क्षत्रपस यशोदाम्नः । (૨૩) મહાક્ષત્રપ યશોદામા ૧લો
SELNEVning Inggrawney
राज्ञो महाक्षत्रपस दामसेनस पुत्रस राज्ञो महाक्षत्रपस यशोदाम्नः । (૨૪) ક્ષત્રપ વિજયસેન
राज्ञो महाक्षत्रपस दामसेनस पुत्रस राज्ञः क्षत्रपस विजयसेनस । (૨૫) મહાક્ષત્રપ વિજયસેન
HE VHIYANJAVIJUBE राज्ञो महाक्षत्रपस दामसेनपुत्रस राज्ञो महाक्षत्रपस विजयसेनस । () મહાક્ષત્રપ દામજદશ્રી ૩જો
FFERENA1 JASFVEN 1 NF Agay.
राज्ञो महाक्षत्रपस दामसेनपुत्रस राज्ञो महाक्षत्रपस दामजदश्रीयः । (ર૭) મહાક્ષત્રપ રુદ્રસેન રજો
SELIHIJE४ Y3IPEJAJI भान
राज्ञाः क्षत्रपस वीरदामपुत्रस राज्ञो महाक्षत्रपस रुद्रसेनस । (૨૮) ક્ષત્રપ વિશ્વસિંહ
P3 VJI1HIFLJv.४३% 31
राज्ञो महाक्षत्रपस रुद्रसेनपुत्रस राज्ञः क्षत्रपस विश्वसिहस । (૨૯) મહાક્ષત્રપ વિશ્વસિંહ
S)13019315211 राज्ञो महाक्षत्रपस रुद्रसेनपुत्रस राज्ञो महाक्षत्रपस विश्वसीहस ।
(30) क्षत्र५ मर्तृहमा
१६SHIT193415LAHABy:
राज्ञो महाक्षत्रपस रुद्रसेनपुत्रस राज्ञः क्षत्रपस भर्तृदाम्नः । (૩૧) મહાક્ષત્રપ ભર્તુદામા
JEEJAJIR 199EHLIMB3Y
राज्ञो महाक्षत्रपस रुद्रसेनपुत्रस राज्ञो महाक्षत्रपस भर्तृदाम्नः । (૩૨) ક્ષત્રપ વિશ્વસેન
JEXTLAJ1xyJALTH
For Personal & Private Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ક્ષત્રપકાલીન ગુજરાત
राज्ञो महाक्षत्रपस भर्तृदामपुत्रस राज्ञो क्षत्रपस विश्वसेनस । (33) क्षत्र५ रुद्रसिं २०
४६.tv HIMJFHJIXVH:
स्वामि जीवदामपुत्रस राज्ञो क्षत्रपस रुद्रसिहसः । (૩૪) ક્ષત્રપ યશોદામા રજો
राज्ञ क्षत्रपस रुद्रसिहपुत्रस राज्ञः क्षत्रपस यशोदाम्नः । (૩૫) મહાક્ષત્રપ સ્વામિ રુદ્રસેન ૩જો
SUJIV984131UNTAIR ___राज्ञ महाक्षत्रपस स्वामि रुद्रदामपुत्रस राज्ञ महाक्षत्रपस स्वामि रुद्रसेनस । (૩૬) મહાક્ષત્રપ સ્વામિ સિંહસેન
JPY RIMJJYYXXIHIM
राज्ञ महाक्षत्रपस स्वामि रुद्रसेनस राज्ञ महाक्षत्रपस स्वश्रीयस्य स्वामि सिहसेनस । (૩૭) મહાક્ષત્રપ સ્વામિ સિંહસેનસ્ય
JJyyxyxjJxjxxxd
महाराज क्षत्रप स्वामि रुद्रसेनस्वश्रीयस्य राज्ञः महाक्षत्रपस स्वामि सिंहसेनस्य । (૩૮) મહાક્ષત્રપ સ્વામિ (રુદ્રસેન ૪થો
JEEYON SHEX19JHJFHYUTH
राज्ञ महाक्षत्रपस स्वामि सिहसेनपुत्रस राज्ञः महाक्षत्रपस स्वामि [रुद्र]सेनस । (૩૯) મહાક્ષત્રપ સ્વામિ રુદ્રસિંહ ૩જો
J5134*1*249332jury'J3411 राज्ञ महाक्षत्रपस स्वामि सत्यसिंहपुत्रस राज्ञ महाक्षत्रपस स्वामि रुद्रसिंह ।
For Personal & Private Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચૌદ
કેટલાક અભિલેખોનું વિશ્લેષણ આ પ્રકરણમાં, આ ગ્રંથલેખકના વિદ્યાવાચસ્પતિના શોધકાર્ય દરમ્યાન હાથ લાગેલા, બે અપ્રસિદ્ધ શિલાલેખો, ઉપરાંત મેવાસાના શિલાલેખ વિશે પ્રગટ કરેલું અર્થઘટન, તેમ જ રુદ્રદામાના સમયનો ગિરિનગરનો શૈલલેખનો સંપૂર્ણ પાઠ અને દેવની મોરીના બૌદ્ધ સ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત શૈલસમુદ્ગક ઉપરના ઐતિહાસિક લેખનો સંપૂર્ણ પાઠ, તથા શક સંવતના પ્રવર્તકને પ્રતિષ્ઠિત કરતા આંધના શક વર્ષ ૧૧ના યષ્ટીલેખનો પૂરો પાઠ તેમ જ આ લેખકે પહેલપ્રથમ વખત શોધેલો શક વર્ષ ૩૨૦નો રુદ્રસિંહ ૩જાનો એક સિક્કો અને તાજેતરમાં પ્રગટ થયેલો વર્ષ ૩૩૭નો સિક્કો, જે પણ રુદ્રસિંહ ૩જાનો છે, ચર્ચા અને સમાવેશ એટલા વાસ્તે કર્યાં છે જેણે ગુજરાતના ક્ષત્રપ રાજાઓના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસને ધ્યાનાર્હ મહત્ત્વ બક્ષ્યાં છે. આમ તો, આ બધાંનો જે તે જગ્યાએ સંદર્ભ પૂરતો નિર્દેશ લખાણમાં અને પાદનોંધમાં કર્યો
રુદ્રસિંહ ૧લાનો આંધૌ-લેખ
આ ખંડિત શિલાલેખ કચ્છ જિલ્લાના ખાવડા તાલુકાના આંધી ગામેથી હાથ લાગ્યો હતો અને ભૂજના કચ્છ-મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આમ તો, આર્થિક-સાંસ્કૃતિક-વાણિજિયક-રાજકીય દષ્ટિએ આ ગામનું કોઈ મહત્ત્વ જણાતું નથી; પરંતુ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં એનું મહત્ત્વ ધ્યાનાર્હ છે કેમ કે આ ગામેથી છ ક્ષત્રપલેખો હાથવગા થયા છે, જેમાંથી પાંચ લેખો પ્રકાશિત થાય છે અને અવલોકન હેઠળનો પ્રસ્તુત લેખ અદ્યાપિ અપ્રગટ રહ્યો હતો.
આ લેખ ખંડિત છે અને બે ટુકડામાં છે (જુઓ ચિત્ર ). આમાંનો ઉપરનો ભાગ આ લેખનો મહત્ત્વનો ભાગ સાચવે છે; જ્યારે નીચલા ભાગમાં બે પંક્તિ છે. આ લેખમાં દશ પંક્તિ છે. પ્રાકૃત અસર હેઠળના સંસ્કૃત ગદ્યમાં આ લેખ કોતરાયેલો છે. અક્ષરો બ્રાહ્મી લિપિના છે. અક્ષરોની કોતરણી છીછરી છે. લખાણ બહુ સુરક્ષિત ન હોવા છતાંય એનો ઐતિહાસિક ભાગ સંતોષકારક રીતે સચવાયો છે. શિલાલેખની બંને બાજૂ નુકસાની હોવાથી પ્રત્યેક પંક્તિના કાં તો બને છેડાના કે ક્યાંક એક છેડાના અક્ષરો નાશ પામ્યા છે. આ લખાણથી પ્રથમ પાંચ પંક્તિ ઇતિહાસી-વંશાવલી-માહિતી પ્રદત્ત કરે છે. છેલ્લી ચાર પંક્તિના કેટલાક અક્ષર અવાચ્ય જણાયા છે. કોઈકની સ્મૃતિમાં આ યષ્ટીલેખ ખોડાયો હતો. આભીર નામના કોઈ માણસે આ સ્મારક બનાવડાવ્યું હતું, જેનું નામ અવાચ્ય રહ્યું છે. આ લેખ મહાક્ષત્રપ સ્વામી રુદ્રસિંહ રાજાના સમયમાં શક વર્ષ ૧૧૪માં તૈયાર થયો હતો.
ક્ષત્રપવંશની વંશાવલીની કેટલીક માહિતી આ લેખથી પ્રાપ્ત થાય છે. ઉપરાંત એમનાં બિરુદોથી ઉજાગર થવાય છે. રાજા, સ્વામી અને મહાક્ષત્રપનાં બિરુદ રુદ્રદામાં અને રુદ્રસિંહ
For Personal & Private Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ક્ષત્રપકાલીન ગુજરાત વાતે ઉપયોગાયાં છે; જ્યારે જયદામાં માટે રાજા અને ક્ષત્રપ બિરુદ વપરાયાં છે. અન્ય ક્ષત્રપ લેખોમાં જયદામા વાસ્તે રાગ-ક્ષત્રપ- સ્વામિ બિરુદ પ્રયોજાયાં છે. આથી આ લેખથી વધુ એક વખત એ બાબત પુરવાર કરે છે કે જયદામાં એના ક્ષત્રપપદ દરમ્યાન (અને મહાક્ષત્રપપદ પામ્યા વિના જ) અકાળે અવસાન પામ્યો હતો.
રુદ્રસિંહના આ અગાઉ ફક્ત બે શિલાલેખથી આપણે જ્ઞાત હતાઃ ગૂંદાનો અને મેવાસાનો. હવે આ રાજાના બીજા બે લેખથી આપણે અભિજ્ઞ થઈએ છીએ: વાંઢ અને આંધ".
આમ, છ લેખોથી ઇતિહાસપૃષ્ઠ ઉપર જેનું નામ અંકિત થયું છે તે આંધ ગામ સંભવતઃ એ સ્થળ છે જયાં ક્ષત્રપશાસકો મધ્ય એશિયાથી સીધા અહીં આવ્યા હોય અને પ્રારંભિક કારકિર્દી એમણે અહીંથી શરૂ કરી હોય. આમ જો સ્વીકારીએ તો આ લેખકે જે પ્રતિપાદન કરેલું, કે પશ્ચિમી ક્ષત્રપો સ્વતંત્ર સત્તાધીશ હતા, તેને આથી સમર્થન પ્રાપ્ત થાય છે. જો આ ગામે વિશાળ પાયા ઉપર ઉખનકાર્ય કરવામાં આવે તો સંભવતઃ ક્ષત્રપો વિશે ઘણી રસપ્રદ વિગતો હાથવગી થઈ શકે. રુદ્રસિંહ ૧લાનો વાંઢનો લેખ
બેમાંથી એક લેખ વાંઢમાંથી પ્રાપ્ત થયો છે અને કચ્છ મ્યુઝિયમમાં સુરક્ષિત છે; તો બીજા લેખનું પ્રાપ્તિસ્થાન જાણમાં નથી પણ તે રાજ્ય પુરાતત્ત્વ ખાતાની રાજકોટ સ્થિત પશ્ચિમ વર્તુળ કચેરીમાં સચવાયો છે. આ ગ્રંથલેખકે આ બંને સ્થળની મુલાકાત ૧૯૬૨માં વિદ્યાવાચસ્પતિના અન્વેષણ અન્વયે લીધી હતી અને એમની ચાક્ષુષ નકલ લીધી હતી.
વાંઢનો લેખ રુદ્રસિંહના સમયનો છે અને શક વર્ષ ૧૧૦નો છે. બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં ઉત્કીર્ણ થયેલો આ શિલાલેખ ખંડિત અવસ્થામાં છે. આમ તો આ લેખ સ્તંભલેખ છે. છ પંક્તિયુક્ત આ લેખ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના વાંઢ ગામેથી અગાઉ હાથ લાગેલો અને તે અદ્યાપિ અપ્રગટ રહેલો. સમયના સપાટામાં આ લેખ ઘણી જગ્યાએ ખવાઈ-ક્ષારાઈ ગયો છે. અને તેથી મહત્ત્વની માહિતી હાથવગી રહી નથી. દા.ત. લેખના દાતા અને મૃતક બંનેનાં નામ લુપ્ત થઈ ગયાં છે. લેખના અક્ષરોની કોતરણી છીછરી છે, જેથી ઘણા અક્ષરો નુકસાન પામ્યા છે અને જે બચ્યા છે તેમાંના ઘણા અવાચ્ય રહે છે. આ રાજાના આંધૌના લેખ કરતાં પ્રસ્તુત લેખના અક્ષરોની લંબાઈ-પહોળાઈ ઓછી છે. કોઈકની સ્મૃતિમાં ખોડાયેલો આ લેખ કોઈકની મારફતે નિર્માણ પામ્યો હતો. બંનેનાં નામ અને ગોત્રનામ અવાચ્ય છે.
એકમનો અંક ખવાણને લીધે નાશ પામ્યો છે; પરંતુ ૧00નો અંક સ્પષ્ટ છે. આ રાજાના અગાઉ ચાર લેખો મળ્યા છે. આથી આ લેખથી કોઈ નવી માહિતી પ્રાપ્ત થતી નથી. આ કારણે એકમના અંકનું ન હોવું તેથી કોઈ ફેર પડતો નથી. છતાં તે દશનું ચિહ્ન હોઈ શકે અને તો આ લેખ રુદ્રસિંહના સમયનો વર્ષ ૧૧૦નો હશે.... ખંડિત શિલાલેખ
આ લેખ વિશે સહુ પ્રથમ ધ્યાન પી.પી.પંડ્યાએ દોર્યું હતું ૧૯૫૯માં. આ ગ્રંથલેખકે તેની ચાક્ષુષ નકલ ૧૯૬૨માં લીધેલી રાજકોટની મુલાકાત દરમ્યાન. આ લેખનો ફોટોગ્રાફ
For Personal & Private Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૩૯
પ્રકરણ ચૌદ પહેલપ્રથમ “કૉનોલૉજી ઑવ ગુજરાત' ગ્રંથમાં છપાયો હતો અને હ.ગં.શાસ્ત્રીએ એનો પાઠ તૈયાર કરેલો. પરંતુ આ ગ્રંથલેખકને તે વાંચન સંતોષજનક ન જણાતાં એનું પુનઃવાચન કરેલું અને તેનું પરિણામ પ્રગટ કરેલું. હ. ગં. શાસ્ત્રીના વાચનમાં મિતિનિશ ન હતો, ત્યારે આ ગ્રંથલેખકે આ લેખની બીજી પંક્તિમાં વર્ષ ૧૦૫ હોવાનું વાચન દર્શાવ્યું છે. બીજી પંક્તિનો ચોથો અક્ષર ૧૦૦ની સંખ્યાનો હોવાનું સ્પષ્ટ છે, પણ એકમનો અંક બહુ સ્પષ્ટ નથી પણ તે પાંચનો અંક હોઈ શકે૧૧.
આ સ્મારક યષ્ટી સ્વરૂપે છે અને તે કોઈક મારફતે કોઈની સ્મૃતિમાં નિર્માણ પામ્યો છે પરંતુ તે નામ અવાચ્ય છે. લેખનો હેતુ સ્પષ્ટ છે અને તે બધાં પ્રાણીઓનાં કલ્યાણનોसर्वसत्त्वहितसुखाय.
બીજી પંક્તિમાં લિન પુત્રસ્ય એવો નિર્દેશ છે. ક્ષત્રપોની વંશાવળીમાં પાંચમા કુળમાં આ નામનો એક રાજા સત્તાધીશ હોવાનું જણાય છે. અને તે રુદ્રસેન ૩જાની બહેનનો દીકરો હતો. આ રાજા ઈસ્વીની ચોથી સદીના છેલ્લા ચરણમાં શાસનસ્થ હતો. આ લેખ સિંહસેનના પુત્ર રુદ્રસેન ૪થાના સમયનો હોવો જોઈએ. જ્યારે લેખમાંની નિર્દિષ્ટ મિતિ (૧૦૫+૭૮=૧૮૩ ઈસ્વી) અનુસાર લેખ ખોડાયો છે ઈસ્વીની બીજી સદીના છેલ્લા ચરણમાં. પરંતુ પ્રથમ પંક્તિમાં દિસંવત્સરે અને બીજી પંક્તિમાં તમે મુજબ વર્ષ ૨૦૦ હોય અને તેમાં ૧૦૫ ઉમેરાતાં ૩૦૫ શક સંવત થાય. અર્થાત્ ઈસ્વી ૩૮૩ આવી શકે. પરંતુ સિંહસેન ઈસ્વી ૩૮૨થી ૩૮૪ અને તેનો પુત્ર રુદ્રસેન ૪થો ૩૮૫-૮૬માં શાસન હતા. આ દૃષ્ટિએ આ લેખ સિંહસેનના શાસનસમયે નિર્માણ પામ્યો હોય; તો સિંહસેન પુત્રચ્છનો નિર્દેશ બાધક પુરવાર થાય છે.
પ્રસ્તુત વિવરણથી આ લેખ સંદર્ભે કશું ચોક્સાઈથી કહેવું શક્ય નથી. મેવાસા શિલાલેખનું પુનરાવલોકન
કચ્છ જિલ્લામાં રાપર તાલુકામાં આવેલા મેવાસા નામના ગામેથી ૧૮૯૮માં ત્યારના કચ્છ રાજયના દીવાન રણછોડરાય ઉદયરામના પહેલપ્રથમ ધ્યાનમાં આવેલો છે. તે પછી તે વખતના રાજકોટના વૉટ્સન મ્યુઝિયમના કયૂરેટર ડી. બી. ડિસ્કલકરે એની સહુ પ્રથમ નોંધ પ્રગટ કરી મ્યુઝિયમના વાર્ષિક અહેવાલમાં. પછીથી એ લેખનું વાચન અને એનાં અર્થઘટન ઑરિએન્ટલ કૉન્ફરન્સના હેવાલમાં પ્રસિદ્ધ થયેલાં. મોડેથી વ્રતિન્દ્રનાથ મુખરજીએ આ વિશે પોતાનો અભિપ્રાય પ્રગટ કરેલો. આ ગ્રંથલેખકને પ્રસ્તુત લેખ વિશે બી. એન. મુખરજીના અર્થઘટનોનું પુનરાવલોકન જરૂરી જણાયું અને એનાં પરિણામ તે પછીથી પ્રગટ કરેલાં. જો કે આ અગાઉ વાસુદેવ વિષ્ણુ મિરાણીએ આ લેખના કોયડા અંગે વિગતે ચર્ચા કરી છે. આ વિશે અહીં થોડીક નોંધ પ્રસ્તુત કરી છે. આ લેખનો પાઠ પરિશિષ્ટ નવમાં આપ્યો છે.
- આ લેખ સારો સચવાયો નથી. એના અક્ષરો વાચન વાસ્તે અસ્પષ્ટ છે અને તેથી તે કોયડારૂપ છે. લિપિની કોતરણી કઢંગી છે. આ કારણે આ લેખ કયા ક્ષત્રપ રાજાના સમયનો છે અને તે કયા વર્ષની છે તે વિશે ચોક્સાઈથી કહેવું મુશ્કેલ છે. આ એક યષ્ટીલેખ, કહો કે સ્મારકલેખ, છે. લેખમાં કુલ સાત પંક્તિ છે. એના અક્ષરો દક્ષિણી શૈલીના છે.
For Personal & Private Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
વા. વિ. મિરાશીના વાચન મુજબ વર્ષ ૨૦૩માં મહાક્ષત્રપ ચાષ્ટ્રનના વંશજ રાજા મહાક્ષત્રપ ભર્તૃદામાના સમયમાં કાર્તિક માસના શુક્લ પક્ષની સાતમના દિવસે આ સ્મારકસ્તંભ ખોડાયો હતો અને તેનું પ્રતિસ્થાપન હરિહોવક ગોત્રના આભીર વસુરાકે કર્યું હતું અને જે વપનો પુત્ર, શ્વસનનો પૌત્ર અને ગુશનનો દૌહિત્ર હતો અને તેણે તેના માલિક રાજયેશ્વરની સ્મૃતિમાં આ લખાણ કોરાવેલું (વધુ વિગત વાસ્તે મિરાશીના લેખનો ઉપર્યુક્ત સંદર્ભ જોવો).
૨૪૦
આ લેખમાંથી આટલા મુદ્દા ઉદ્ભવે છે : (૧) સામાન્યતઃ પશ્ચિમી ક્ષત્રપોના શિલાલેખોમાં પ્રત્યેકમાં સત્તાધીશ રાજાનું નામ હોય જ છે. મેવાસાલેખમાં શાસનસ્થ રાજાનું નામ નથી, જે હોવું જોઈએ. (૨) લેખમાં ઉલ્લિખિત વર્ષ શક સંવતમાં હોવું જોઈએ. પરંતુ અહીં જે રીતે વર્ષનિર્દેશ થયો છે તેથી સંવત સંદર્ભે ઘણા મતભેદ ઉદ્ભવ્યા છે. (૩) સ્તંભનું પ્રસ્થાપન સામાન્ય રીતે વિદ્યમાન રાજાના કોઈ સંબંધીની સ્મૃતિમાં કે સત્તા સાથે સંલગ્નિત વ્યક્તિના સ્મરણમાં થયું હોય છે. (૪) આ બધાંનાં પરિણામે કયા સત્તાધીશ શાસકના સમયમાં આ સ્તંભ નિર્માણ પામ્યો એ બાબત નિર્ણિત કરવી મુશ્કેલ છે. શાસનસ્થ રાજાનો નામોલ્લેખ હોય તો સમય સૂચિત થઈ શકે છે. (૫) અથવા જો શક સંવતમાં વર્ષનો નિર્દેશ થયો હોય તો શાસનસ્થ રાજાનું નામ હાથવગુ થઈ શકે છે. (૬) પણ આ બંનેના સંદિગ્ધપણાને કારણે આ લેખ કોયડારૂપ બન્યો છે.
મુખરજીના મત મુજબ નિર્દિષ્ટ સંદિગ્ધ વર્ષ ત્રૈકૂટક-કલ્યુરિ સંવતનું છે. પરંતુ ક્ષત્રપોના બધા લેખોમાં અને સિક્કાઓમાં નિર્દિષ્ટ વર્ષ તો શક સંવતનાં જ છે. આથી, મુખરજીનું મંતવ્ય સ્વીકાર્ય જણાતું નથી અને એમનાં અર્થઘટન પણ યોગ્ય ઠરતાં નથી. બીજું તેઓ આ લેખ રુદ્રસેન ૩જાના સમયમાં નિર્માયો હોવાનું મંતવ્ય દર્શાવે છે. આ પણ યોગ્ય નથી કેમ કે રુદ્રદામા રજો અને એનો પુત્ર રુદ્રસેન ૩જો ચાષ્ટનકુળના નથી, પણ ચોથા કુળના છે. ચોથા કુળના શાસકોનો ચાષ્ટનકુળ સાથેનો સંબંધ પ્રસ્થાપિત થયો નથી.
બીજું અહીં બીજી પંક્તિમાં ભદ્રંદામાનો ઉલ્લેખ હોવાનો મત મિરાશીનો છે. જે અનામી રાજાના સમયમાં આ સ્મારક સ્તંભ ખોડાયો તે ભર્તૃદામાનો પુત્ર-પ્ર-પુત્ર હતો. સંસ્કૃતમાં આવી
યોજના જોવા મળતી નથી. ક્ષત્રપોના કોઈ લેખમાં આવી અસામાન્ય પદ્ધતિના પ્રચારની માહિતી જોવા મળતી નથી. દૂરના પૂર્વજના ઉલ્લેખ સાથે શાસનસ્થ રાજાનો થયેલો ઉલ્લેખ ક્ષત્રપોનાં લખાણમાં ક્યાંય દર્શાવાયો નથી. વર્ષ શતે વ્યુત્તર એવું લેખમાંના શબ્દસમૂહનું વાચન મુખરજી ૩૦૦ હોવાનું સૂચવે છે, જ્યારે મિરાશી મુજબ એનો અર્થ સૂચવાયો છે ૨૦૩. મુખરજી આ ઉપરાંત ‘મહાક્ષત્રપના ૧૦૩મા વર્ષે' એવો મત દર્શાવે છે, જેય શક્ય નથી કેમ કે કોઈ રાજા ૧૦૩ વર્ષ સુધી શાસનસ્થ હોઈ શકે જ નહીં. આમ, પુત્ર-પ્ર-પુત્ર તથા વર્ષ શતે શ્રુત્ત એવા શબ્દસમૂહથી આ લેખ કોયડારૂપ બન્યો છે.
પરન્તુ આ ગ્રંથલેખકે આ લેખનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું છે. તદનુસાર બીજી પંક્તિનો છેલ્લો શબ્દ રુદ્રસિંહ છે અને નહીં કે મતૃવામા. પ્રસ્તુત લેખ સાથે ભર્તૃદામા કોઈ રીતે સંલગ્નિત નથી કેમ કે તે ચાષ્ટન પછી દોઢેક સૈકા પછી રાજા બને છે. આ લેખની પહેલી જ પંક્તિમાં રાના મહાક્ષત્રપસ્ય વાદનસ્ય એવો ઉલ્લેખ છે. ભતૃદામા પેઢીઓ પૂર્વેના પૂર્વજનો ઉલ્લેખ કેવી રીતે
For Personal & Private Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોદ
૨૪૧
કરે? ક્ષત્રપોમાં આવી પ્રથા હતી જ નહીં.
મેવાસાના સ્મારકલેખને ગૂંદાના વર્ષ ૧૦૩ના લેખ સાથે અવલોક્વો જોઈએ, કેમ કે ગૂંદાનો લેખ રુદ્રસિંહ ૧લાના સમયનો છે. આ લેખમાં સેનાપતિ બાપકનો પુત્ર આભીર સેનાપતિ રૂદ્રભૂતિ પશ્ચિમી ક્ષત્રપોની લશ્કરી સેવામાં હતો. મેવાસાના લેખમાં પણ ગામીર વસુરનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આથી, પશ્ચિમી ક્ષત્રપોના શાસનકાળ દરમ્યાન આભીર વસતી અસ્તિત્વ ધરાવતી હતી એ આપણે જાણીએ છીએ. આભીર ઈશ્વરદત્તના ઉપલબ્ધ સિક્કા અહીં ધ્યાનાર્ય બને છે.
સારનો સાર એટલો જ કે મેવાસા લેખમાંનો પ્રશ્નાર્થ કે અનામી રાજા રુદ્રસેન ૧લો હોવો જોઈએ અને તે રુદ્રસિંહ ૧લાનો પુત્ર છે. આ લેખની બીજી પંક્તિનો છેલ્લો શબ્દ આપણે અગાઉ નોંધ્યું તેમ રુદ્રસિંદ છે. પ્રશ્નાર્થ વર્ષ ૧૦૩ છે. બીજી અને ત્રીજી પંક્તિમાંના પુત્ર-પ્ર-પુત્રી શબ્દસમૂહનું અર્થઘટન પ્રપૌત્ર થઈ શકે. અને રુદ્રસિંહ ચાન્ટનનો પ્રપૌત્ર છે એમ એમની વંશાવળી સૂચવે છે. ગિરિનગરનો શૈલલેખ
વર્તમાન જૂનાગઢ શહેરના પ્રાંગણમાં ગિરનાર પર્વત જવાના માર્ગ ઉપર એક રાષ્ટ્રીય સુરક્ષિત સ્મારક સ્થિત છે. આ સ્મારક “અશોકનાં ધર્મશાસનોથી સુખ્યાત છે. આ શૈલ લેખત્રયીથી સજ્જ છે. મૌર્ય સમ્રાટ અશોકના સમયનો, પશ્ચિમી ક્ષત્રપ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના સમયનો અને ગુપ્ત રાજવી સ્કંદગુપ્તના સમયનો એમ ત્રણ લેખો આ ખડક ઉપર ઉત્કીર્ણ છે. આ શૈલલેખો ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ન ભૂતો ન ભવિષ્યતિની ઉક્તિને સાર્થક કરે છે. વિશેષમાં આ શૈલલેખ દફતરવિદ્યાનું વિશ્વસમસ્તમાં અદ્વિતીય આભિલેખિક દષ્ટાંત છે અને પૂર્ણતઃ અજોડ છે. બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં ઉત્કીર્ણ ત્રણેય લખાણો આઠ સૈકા દરમ્યાન ભાષાવિકાસ અને લિપિવિકાસને સમજવા વાસ્તે અસાધારણ ઉપાદેયી બની રહે છે. આ ત્રણેયમાં રુદ્રદામાના લેખનું સર્વગ્રાહી દષ્ટિએ વિશ્વસ્ત અને વિશ્વવ્યાપી ઐતિહાસિક મહત્ત્વ ધ્યાનાર્હ એટલા માટે છે કે લગભગ ચાર સૈકા પૂર્વેની ઘટનાની વિગતો ઇતિહાસરૂપે એમાં આમેજ છે૧૯ દેવની મોરીનો સમુગલેખ
શામળાજીના પ્રસિદ્ધ તીર્થના પરિસરમાં મેશ્વો નદી આવેલી છે. આ નદીમાં બંધ બાંધી શ્યામ સરોવરનું સિંચાઈ હેતુથી નિર્માણ કરવાનું આયોજન રાજ્ય સરકારે કરેલું હોઈ, “ભોજ રાજાના ટેકરા'થી ખ્યાત દેવની મોરી ગામની ભાગોળે સ્થિત ટીંબાનું વ્યાપક ઉખનનકાર્ય કરીને, પ્રસ્તુત ટેકરો સરોવરમાં સમાધિસ્થ થાય તે પૂર્વે, તેમાં સુરક્ષિત અવશેષોને પુરાવસ્તુકીય વિજ્ઞાનની સહાયથી હાથવગા કરી ત્યાંના વિસ્તારની માનવપ્રવૃત્તિઓનો અભ્યાસ કરી તેનાં પરિણામ અને પરિમાણ પ્રજાગત કરવાનો ઉમદા હેતુ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાવસ્તુવિદ્યા વિભાગે ગઈ સદીના સાઠના દાયકાના પૂર્વાર્ધમાં અમલી બનાવ્યો, જેને કારણે બૌદ્ધધર્મના મહાતૂપ અને મહાવિહારના અકથ્ય અવશેષો શોધી કાઢ્યા.
મહાતૂપના પેટાળમાંથી બે સમુદ્ગક હાથ લાગ્યા હતા, જે બંને માટીના કૂજામાં
For Personal & Private Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ક્ષત્રપકાલીન ગુજરાત સુરક્ષિત રીતે મૂક્યા હતા. નાનો સમુદ્ગક બાર સેન્ટીમીટર ઊંચો અને ૧.૮ સેન્ટીમીટર જાડાઈનો છે. આ દાબડો બરછટ અને અણઘડ છે; કેમ કે એના બહારના અને અંદરના ભાગે ટાંકણાનાં નિશાન મોજૂદ છે. આ દાબડામાં ફક્ત ચિતાભસ્મ સુરક્ષિત છે. એના ઉપર કોઈ લખાણ ઉત્કીર્ણ નથી.
પરંતુ અહીંથી પ્રાપ્ત બીજો દાબડો ખૂબ જ ધ્યાનાર્ડ અને રસપ્રદ છે. સમગ્ર દાબડો ત્રણ વિભાગમાં તૈયાર થયેલો છે : ઢાંકણાની મૂઠ (હાથો), ઢાંકણું અને દાબડાનો મુખ્ય ભાગ. મૂઠનો ઉપરનો ભાગ ગોળ છે અને નીચલો ચોરસ. મૂઠ ઢાંકણાથી અલગ છે અને ઢાંકણાના કાણામાં બેસાડી શકાય તેમ છે. ઢાંકણું ગોળ છે અને દાબડાના મુખ્ય ભાગ ઉપર બેસાડી શકાય તેવી તેની રચના છે. દાબડાનો મુખ્ય ભાગ પણ ગોળ છે. દાબડો ભૂંગળા-આકારનો છે. એનો તળિયાનો ભાગ ૧૭ સે.મી.નો છે, ઊંચાઈ સાત સે. મી.ની છે અને ઢાંકણું બેસાડવા માટેની કોર સવા સે.મી.ની છે. આખોય દાબડો બહારની બાજૂએ-ઉપર, તળિયે, બાજુમાં-ઉત્કીર્ણ છે.
આપણને આ દાબડાની અહીં નિસબત છે એના લેખને કારણે; અને તેય દાબડાના મુખ્ય ભાગ ઉપર કોતરેલા ઐતિહાસિક લેખ બાબતે. લેખ બ્રાહ્મી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં છે. સળંગ લખાણ કુલ પાંચ પંક્તિનું છે.
ઐતિહાસિક લેખનો સાર આ મુજબ છે : અગ્નિવર્મા અને સુદર્શન નામના બે બૌદ્ધ સાધુઓએ મહાતૂપના નિર્માણમાં સક્રિય ભાગ લીધો હતો. દશબલના અવશેષો પ્રાપ્ત કરવામાં તેમનો સહયોગ ધ્યાનાર્ય ગણાય છે. કથિક રાજાઓના ૧૨૭મા વર્ષે ભાદ્રપદ મહિનાના પાંચમા દિવસે આ સૂપ બંધાયો. આ કાર્યમાં પાશાન્તિક અને પડી નામના બે શાક્ય ભિક્ષુઓ કાર્મોતિક (દેખરેખ અધિક્ષક) હતા. દશબલ(બુદ્ધ)ના દેહાવશેષ ધરાવતો આ શૈલસમુદ્રગક (પથ્થરનો દાબડો) સેનના પુત્ર વરાહ નામના કુટ્ટિમ (સલાટે) તૈયાર કર્યો હતો. બુદ્ધની કૃપા મેળવવાની આકાંક્ષાવાળા મહાસન ભિક્ષુએ ધર્મ અને સંઘના ઉત્થાનાર્થે આ દાબડો મેળવ્યો હતો.
આ સૂપનું નિર્માણકાર્ય પાંચ વર્ષમાં સંપન્ન થયું હતું. સ્તૂપ આખોય ઈંટરી છે. સૂપમાંથી પ્રાપ્ત બુદ્ધની મૂર્તિઓ ધ્યાનાર્હ છે. ચાષ્ટનના સમયનો વર્ષ ૧૧નો યષ્ટીલેખ
આંધમાંથી આ લેખ ગઈ સદીના સાઠના દાયકાના ઉત્તરાર્ધના પ્રારંભે મળી આવ્યો હતો અને એનું પ્રથમ પૃથક્કરણ શોભના ગોખલેએ કર્યું હતું. આમ તો, આ લેખ કચ્છ મ્યુઝિયમના તત્કાલીન વસ્તુપાલ દિલીપ કે. વૈદ્યના ધ્યાનમાં આવેલો. “શરૂવાલી બાંદી'નામથી ઓળખાતા ટેકરાના પરિસરમાંથી આ લેખ હાથ લાગ્યો હતો. આ ટેકરો મઈયારા તળાવને કાંઠે આવેલો છે. આખોય ટીંબો અગ્નિદાહથી વ્યાપ્ત છે. આ ટીંબો ત્રણથી ચાર કિલ્લો મીટરના ઘેરાવામાં પથરાયેલો છે.
આ લેખમાં ચાર પંક્તિ છે. લેખ ખંડિત છે. પ્રથમ બે પંક્તિના પ્રારંભના ત્રણથી ચાર અક્ષરો નાશ પામ્યા છે, જયારે લેખનો જમણી તરફનો ભાગ અખંડિત છે. લેખની ભાષા પ્રાકૃત છે અને લખાણ ગદ્યમાં છે. લિપિ બ્રાહ્મી છે. લેખ ખૂબ જ નાનો હોવા છતાંય એનું
For Personal & Private Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચૌદ
૨૪૩
ઇતિહાસીમૂલ્ય અકલ્પનીય છે. આ નાનકડા લેખે ઇતિહાસની એક મહત્ત્વની ઘટનાના પ્રવર્તક તરીકે વિશ્વવિખ્યાત અભિપ્રાયને ઉલટાવી દીધો છે : આ ઘટના તે શક સંવતની સ્થાપના અને પ્રવર્તક તે કુષાણ રાજવી કણિષ્ક.
આ લેખની લિપિ ઈસ્વીસનની પહેલી સદીની છે. લેખમાંના અક્ષર મોટા અને સુરક્ષિત છે. લેખનો નોંધપાત્ર ભાગ છે ચાષ્ટનના શાસનકાળનું વહેલું જ્ઞાત વર્ષ. હમણાં સુધી એના લેખોમાં વહેલું જ્ઞાત વર્ષ પર હતું. આ લેખમાં વહેલામાં વહેલું વર્ષ ૧૧ છે. આ લેખ સ્પષ્ટતઃ ચાખનને સીધો સ્પર્શે છે અને એના ક્ષત્રપપદ દરમ્યાનનો છે. એટલું જ નહીં એના સ્વતંત્ર શાસનને સમર્થે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શક વર્ષ ૧૧માં ચાષ્ટન શ્રેષ્ઠ રાજકીય મોભો અંકે કરી ચૂક્યો હતો.
આ લેખની શોધ પૂર્વે પાંચ મહત્ત્વના મુદ્દાઓ કાલક્રમે સમયાવધિમાં ગોઠવવા શક્ય ન હતા : (૧) નહપાનના અમલનો અંત, (૨) ક્ષતહાર વંશનું સંપૂર્ણ ઉન્મેલન, (૩) ચાષ્ટનનો ક્ષત્રપ તરીકે અને મહાક્ષત્રપ તરીકેનો સત્તાકાળ, (૪) જયદામાનું ક્ષત્રપ તરીકેનું શાસન અને (૫) એના પુત્ર રુદ્રદામાનો રાજયાભિષેક અને શાસનઅમલ. પણ આંધૌના શક વર્ષ ૧૧ના લેખની શોધ પછી આ મુદ્દાઓ શક્ય બન્યા છે. (લેખના પાઠ માટે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ નવ.)
આ લેખથી હવે સ્પષ્ટ થયું છે કે શક સંવતની સ્થાપના કણિક્કે નહીં પણ ચાખને કરી છે. (જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ પાંચ). ચાષ્ટનના સમયનો દોલતપુરનો વર્ષ નો લેખ
આ યષ્ટિલેખ ભૂજથી ઉત્તરપશ્ચિમે ૧૦૪ કિલોમીટરના અંતરે આવેલા દોલતપુર ગામેથી સરપંચ ધનજી કરસન પટેલના ખેતરમાંથી હાથ લાગ્યો હતો અને કચ્છ સંગ્રહાલયના તત્કાલીન વસ્તુપાલ દિલીપ વૈદ્ય તેને ભૂજ લઈ આવ્યા હતા. આ લેખનું પહેલપ્રથમ વાચન અને પ્રકાશન શોભના ગોખલેએ કર્યું હતું અને એક દાયકા પછી ગોખલેના લેખ ઉપરની ટીપ્પણી વિશિષ્ટ રીતે વાસુદેવ વિષ્ણુ મિરાશીએ કરી હતી. બંને વિદ્વાનોના લેખના શીર્ષક ઉપરથી દોલતપુર લેખ વિશેનાં એમનાં મંતવ્ય એમના અભિપ્રાયને અભિવ્યક્ત કરે છે. આ ગ્રંથલેખકને મિરાશીનો મત વધારે ગ્રાહ્ય જણાયો છે.
આ લેખમાં કુલ ૧૩ પંક્તિ છે. છેક ઉપલો ભાગ તૂટેલો હોઈ પ્રથમ બે પંક્તિને નુકસાન થયું છે. આ સિવાય બધી જ પંક્તિ બંને તરફ અખંડિત છે. જો કે છેલ્લી બે પંક્તિ અસ્પષ્ટ અથવા ઝાંખી છે. લેખ સારી રીતે જતન પામેલો નથી. લખાણ કુતહસ્તલેખન પ્રકારનું છે અને તેથી વાચન અને અર્થઘટન મુશ્કેલ છે. લેખમાંના અક્ષરનાં લક્ષણ મિરાશીના મતે કુષાણ સમયનાં છે. લખાણ હાથ ઉપાડ્યા વિના જાણે લખાયું હોય તેવું છે અને તેથી ચાષ્ટનના આંધના લેખોમાં પહોળા અને સ્પષ્ટ અક્ષરો છે તેવા નથી. ભાષા સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર પ્રકારની છે.
લેખનું મહત્ત્વ બીજી પંક્તિમાં નિર્દિષ્ટ વર્ષ ૬ છે. ચાષ્ટનનું અદ્યાપિ વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૧૧ હતું. હવે દોલતપુરના લેખથી એનું વહેલું જ્ઞાત વર્ષ ૬ હાથવગું થયું છે. જ્યારે
For Personal & Private Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ક્ષત્રપકાલીન ગુજરાત શોભના ગોખલેના મત મુજબ વર્ષનો નિર્દેશ પંક્તિ ચારમાં છે અને તેમના જણાવ્યા પ્રમાણે તે શક વર્ષ ૨૫૪ છે. આ વર્ષ બરોબર ઈસ્વી ૩૩૨-૩૩ થાય, જ્યારે યશોદામાં રજાનું શાસનનું હતું. પરંતુ આ રાજાનું નામ આ લેખમાં નથી.
આ લેખમાં આભીર ઈશ્વરદેવનો ઉલ્લેખ છે પણ એના હોદાનો નિર્દેશ નથી. એણે થોડા સમય માટે સત્તા સંભાળી હોય એવું શોભના ગોખલેનું માનવું છે. પરંતુ મિરાશી આ વાચન યોગ્ય ગણતા નથી; કેમ કે શોભના ગોખલે એ પ્રથમ ત્રણ પંક્તિ યોગ્ય રીતે વાંચી નથી. મિરાશીના મતે ચોથી પંક્તિના અંતેની સંખ્યા વર્ષસૂચક નથી. ક્ષત્રપોનાં લખાણોમાં વર્ષનો ઉપયોગ થયો છે, નહીં કે સંવત્સરેનો. આથી મિરાશીને શોભના ગોખલેનાં વાચન અને અર્થઘટન સ્વીકાર્ય નથી.
વા.વિ.મિરાશીના મતે પ્રથમ પંક્તિમાં...ની અક્ષરો સુરક્ષિત છે અને તે બહુ જ મહત્ત્વના છે. એમના મતે તે અક્ષરો વાષ્ટિનના અંશરૂપ છે. પશ્ચિમી ક્ષત્રપોનાં લખાણોમાં વિષ્ટિનનું નામ અચૂક લેખના આરંભે હોય છે કેમ કે તે બીજા અને મોટા તથા મહત્ત્વના કુળનો સંસ્થાપક હતો. અવલોકન હેઠળના લેખમાં પ્રથમ પંક્તિમાં ચારુનનો નિર્દેશ એટલા વાસ્તુ છે કે આ લેખના નિર્માણ સમયે તે સત્તાધીશ રાજા હતો. મિરાશી અનુસાર પંક્તિ થી ૪નું વાચન સ્પષ્ટ છે. : રાચે વસે ૬.....વગેરે (જુઓ પરિશિષ્ટ દશમાં લેખનો સંપૂર્ણ પાઠ). આનો અર્થ એ છે કે વર્ષ માં ચાટનના શાસન વખતે ગ્રિષ્મના બીજા માસના દશમા દિવસે. કહેવાનું તાત્પર્ય એ છે કે બીજી પંક્તિમાં છેલ્લા અક્ષર વર્ષ જૂના પ્રતીક તરીકે છે અને મિરાશી મુજબ તે અસંદિગ્ધપણે સંખ્યાસૂચક છે.
શોભના ગોખલે ચોથી પંક્તિમાં રવ એવું વાચન કરે છે જ્યારે મિરાશી તે રેશ્વર છે એમ સૂચવે છે. અર્થાત્ દોલતપુરનો લેખ ઈશ્વરદેવના સમયનો નથી પણ ચાષ્ટનના સમયનો છે૨૭.
આ લેખની પ્રાપ્તિ પછી અને એના વાચન-અર્થઘટન પછી હવે તો એ સાબિત થાય છે કે શક સંવતનો પ્રવર્તક રાજા મહાક્ષત્રપ ચાન્ટન હતો. ગુજરાતનું રાષ્ટ્રના નિર્માણમાં આ મોંઘેરું યોગદાન છે. વર્ષ ૩૨૦નો રુદ્રસિંહનો સિક્કો
મુંબઈ સ્થિત શ્રી સદાશંકર શુક્લના અંગત સંગ્રહમાં આશરે ૩૦૦૦ સિક્કાઓ ત્યારે સંગૃહીત હતા, જ્યારે આ ગ્રંથ લેખકે ૧૯૬૧ અને ૧૯૬૨માં શોધકાર્ય અંતર્ગત એમના સિક્કાઓની જાત તપાસ કરી હતી. એમના આ સંગ્રહમાં ચિલિત સંજ્ઞાવાળા સિક્કાઓથી પ્રારંભી વર્તમાન સમય સુધીના લગભગ પ્રત્યેક રાજવંશના, જનપદના, નગર-ગણના અને વિદેશી શાસકોના સિક્કાનો સમાવેશ હતો. આમાં પશ્ચિમી ક્ષત્રપોના ૫૫૫ સિક્કાઓ સુરક્ષિત
હતા.
આ ગ્રંથલેખકે ક્ષત્રપોના બધા જ સિક્કાઓનો વ્યક્તિગત અભ્યાસ કર્યો હતો અને પ્રત્યેક સિક્કાના અગ્રભાગ અને પૃષ્ઠભાગની બધી જ વિગતની નોંધ લીધી હતી. આમાં ઘણા મહત્ત્વના
For Personal & Private Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચૌદ
૨૪૫ સિક્કા હતા, જેમાં એક તો સીમાચિહ્ન સિક્કો હતો. તત્કાલ સુધી આ સિક્કો અજ્ઞાત અને અપ્રકાશિત હતો. આ ગ્રંથ-લેખકે પહેલ પ્રથમ તેની નોંધ લીધી હતી. આ સિક્કો ચાંદીનો છે, ગોળાકાર છે અને પશ્ચિમી ક્ષત્રપોના છેલ્લા જ્ઞાત શાસક મહાક્ષત્રપ રુદ્રસિંહ ૩જાનો છે, જે સ્વામિ મહાક્ષત્રપ સત્યસિંહનો પુત્ર છે.
- સદ્ભાગ્યે આ સિક્કો સારી રીતે સચવાયેલો છે, જેથી તેના અગ્રભાગ અને પૃષ્ઠભાગ ઉપર ઉપસાવેલી સઘળી વિગતો હાથવગી થઈ શકી છે. (જુઓ પૃષ્ઠ ૨૫૨), પૃષ્ઠભાગ ઉપરનું લખાણ લગભગ સંપૂર્ણ છે, સુવાચ્ય છે. સિક્કો તૈયાર કરનાર રાજાનું નામ અને તેના પિતાનું નામ હોદ્દા સહિત ઉપસાવેલું છે. અગ્રભાગ ઉપર રાજાના મસ્તકની પાછળ વર્ષસૂચક સંખ્યા બ્રાહ્મી લિપિમાં છે. લખાણ પણ બ્રાહ્મીમાં અને સંસ્કૃતમાં છે. શતક અને દશકનાં ચિહ્ન સુસ્પષ્ટ છે. એકમના ચિહ્ન માટે જગ્યા નથી. વર્ષસૂચક ચિહ્ન પછી તરત જ વર્ષે એવું લખાણ છે. સિક્કા ઉપરનું વર્ષ ૩૨૦ છે, જે શક સંવતનું છે જે બરોબર ખ્રિસ્ત સંવત ૩૯૮ આવે. પશ્ચિમી ક્ષત્રપોની સાલવારીમાં હમણાં સુધી આ વર્ષ છેલ્લું જ્ઞાત વર્ષ હતું. પાદનોંધ ૧. આ પાંચ લેખો ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં શોધાયા હતા અને તત્કાલીન કચ્છ રાજ્યના
દીવાન બહાદૂર રણછોડભાઈ ઉદયરામે સાચવ્યા હતા. તે પછી દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરે, ત્યારે તેઓ ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના પશ્ચિમ વર્તુળના સહાયક અધિક્ષક હતા, ૧૯૦૬ના પ્રારંભે આ લેખોની નોંધ લીધી હતી. આમાંના ચાર લેખો એઈ.માં પ્રગટ થયા હતા. શેષ પાંચમો લેખ આ લેખકે શોધનિબંધમાં વીસમી સદીના છઠ્ઠા દાયકામાં પહેલપ્રથમ વખત પ્રસિદ્ધ કરેલો. જ્યારે વર્ષ ૧૧નો છઠ્ઠો
લેખ તે પછી હાથ લાગેલો જેની નોંધ આ પ્રકરણમાં હવે પછી આપી છે. ૨. અવલોકન હેઠળનો પ્રસ્તુત લેખ આ ગ્રંથલેખકે “ધ આંધી ઇસ્ક્રિપ્શન ઑવ રુદ્રસિંહ ૧લો' નામથી પ્રગટ
કર્યો હતો (જુઓ સંબોધિ, પુસ્તક ૩, અંક ૨-૩, ૧૯૭૪, પૃષ્ઠ ૪૫થી ૪૯.) ૩. આ બાબતની વધુ માહિતી માટે જુઓ પાદનોંધ રમાં નિર્દિષ્ટ આ ગ્રંથલેખકનો લેખ. ૪. ગિરિનગરનો રુદ્રદામાનો શૈલલેખ, રુદ્રસિંહનો ગુંદાનો લેખ, જયદામાના પૌત્રનો જૂનાગઢનો લેખ અને
રદ્રસેનનો ગઢાનો લેખ. આ બધા લેખોના સંદર્ભ સારુ જુઓ પરિશિષ્ટ ૧માં આપેલા સંદર્ભ ૫. આ ચારેય લેખોના સંદર્ભ માટે જુઓ પાદનોંધ રમાં નિર્દિષ્ટ લેખની પાદનોંધ. ૬. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ છે. ૭. ૧૯૬૨માં આ લેખની ચાક્ષુષ નકલ આ ગ્રંથલેખકે લીધી હતી અને ત્યારના વસ્તુપાલ મુકુન્દ રાવલે
એનો ફોટોગ્રાફ પ્રસિવિ માટે આપ્યો હતો. ૮. વધુ વિવેચન અને વિવરણ વાસ્તે જુઓ રસેશ જમીનદાર, ‘ટુ મોર ઇન્ક્રિપ્શન્સ ઑવ વેસ્ટર્ન ક્ષત્રપ્સ',
સંબોધિ, પુસ્તક ૩, અંક ૪, ૧૯૭૫, પૃષ્ઠ ૭૩થી ૭૬. ૯. ફોટોગ્રાફસ અને શાસ્ત્રીના પાઠ માટે જુઓ તે ગ્રંથમાં પૃષ્ઠ ૩૧૫ અને પટ્ટ ૧૭ એ, નંબર ઈ,
૧૯૬૦. ૧૦. હ.ગં શાસ્ત્રીના વાચન માટે અને આ ગ્રંથલેખકના વાચન માટે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ દશ. ૧૧. વધુ માહિતી માટે જુઓ ઉપર્યુક્ત પાદનોંધ આઠમાં નિર્દિષ્ટ સંદર્ભ, પૃષ્ઠ ૭૫. ૧૨. સર્વગ્રાહી વિવરણ વાસ્તે જુઓ પાદનોંધ આઠમાં નિર્દિષ્ટ સંદર્ભ પૃષ્ઠ ૭૬ .
For Personal & Private Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૬
ક્ષત્રપકાલીન ગુજરાત ૧૩. એન્યુઅલ રિપોર્ટ ઑવ વૉટ્સન મ્યુઝિયમ ઑવ એન્ટીક્વિટીઝ, રાજકોટ, ૧૯૨૩-૨૪, પૃષ્ઠ ૪ અને
૧૨-૧૩. ૧૪. પ્રસીડિંગ્સ ઑવ ધ ફિફથ ઇન્ડિયન ઑરિયેન્ટલ કૉન્ફરન્સ, પુસ્તક ૧, ૧૯૨૮, પૃષ્ઠ પ૬પથી. ૧૫. રૉએસો., ઑક્ટોબર, ૧૯૬૧. ૧૬. રસેશ જમીનદાર, “ધ મેવાસા ઇસ્ક્રિપ્શનઃ એ રીએકઈઝલ', પંચાલ, પુસ્તક ૭, ૧૯૯૪, કાનપુર, | પૃષ્ઠ ૧૧૫થી ૧૧૭. ૧૭. જો કે આ નોંધ આ ગ્રંથલેખકના જોવામાં મોડેથી આવેલી. વા. વિ. મિરશી, ધ રિડલ ઑવ ધ
મેવાસ સ્ટોન ઇસ્ક્રિપ્શન ઑવ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ', જોઇ., પુસ્તક ૨૮, અંક ૧, ૧૯૭૨, પૃષ્ઠ ૫૬
૬ ૨.
૧૮. આ અંગે વધુ ચર્ચા માટે જુઓ પાદનોંધ ૧૬ મુજબનો લેખ સંદર્ભ. ૧૯. આમ તો આ લેખત્રય વિશે આ ગ્રંથમાં વિગતપ્રચૂર માહિતી આપવામાં આવી છે (જુઓ પરિશિષ્ટ
સાત અને પ્રકરણ સાતમાં રુદ્રદામા સંદર્ભે વિવરણ તેમ જ પરિશિષ્ટ છે). પરંતુ અહીં તેનો નિર્દેશ આભિલેખિક દૃષ્ટિએ કર્યો છે. આ ત્રણમાંના રુદ્રદામાના લેખનો સંપૂર્ણ પાઠ અહીં પરિશિષ્ટ દશ
આપવામાં આવ્યો છે. ૨૦. આની વિગતવાર માહિતી માટે જુઓ ૨. ના. મહેતા અને સૂ. ના. ચૌધરીકૃત ગ્રંથ એસ્કવેશન એટ
દેવની મોરી, વડોદરા, ૧૯૬૬. ૨૧. આ વિશે જુઓ : એજન, પૃષ્ઠ ૧૧૮થી ૧૨૧, આકૃતિ ૪૬, પટ્ટ ૩૪, ૩૫, ૩૬એ, ૩૬બી. ૨૨. જુઓ જર્નલ ઑવ એાન્ટ ઇન્ડિયન હિસ્ટરીપુસ્તક ૨, અંક ૧-૨, કોલકાતા, ૧૯૬૮-૬૯, પૃષ્ઠ
૧૦૪થી ૧૧૧. ૨૩. લખાણના વર્ણવિન્યાસ વગેરે વાસ્તે જુઓ : એજન, પૃષ્ઠ ૧૧૧ ૧૦૫-૦૬. ૨૪. જુઓ આ વિશે આ ગ્રંથમાં પ્રકરણ છમાં “વિક્રમ સંવત’ વિશેની ચર્ચા તથા પૃષ્ઠ ઉપર પાદનોંધ ૩૨. ૨૫. “દોલતપુર ઇસ્ક્રિપ્શન ઑવ આભીર ઈશ્વરદેવ શક વર્ષ ૨૫૪', જોઈ., પુસ્તક ૧૮, નંબર ૩,
૧૯૬૯, પૃષ્ઠ ૨૩૭થી ૨૪૨. લેખનો ફોટોગ્રાફ એમણે પૃષ્ઠ ૨૪૪ની સામે પ્લેટ ઉપર પ્રકાશિત કર્યો
છે. ૨૬. “દોલતપુર ઇન્ઝિશન ઑવ ધ રેઈન ચાલ્ટન : ઇયર ૬', જોઈ., પુસ્તક ૨૮, નંબર ૨, ૧૯૭૮, | પૃષ્ઠ ૩૪થી ૩૭. એમણે પણ ફોટોગ્રાફ આપ્યો છે. ૨૭. અહીં સુધીના વિવરણ વાસ્તુ અને વધુ વિગતો માટે પાદનોંધ ૨૫ અને ૨૬માં ઉલિખિત શોભના
ગોખલે અને વા.વિ.મિરાશીના લેખો અવશ્ય જોવા. ૨૮. જુઓ જન્યુસોઈ, પુસ્તક ૩૦, ૧૯૬૮, પૃષ્ઠ ૧૯૮થી ૨૦૦, પ્લોટ નંબર ૨, ક્રમ નંબર ૧૬, ઉપર
આ ગ્રંથલેખકની નોંધ : “એન અનનોટિસ્ટ વેસ્ટર્ન ક્ષત્રપ કૉઇન”.
For Personal & Private Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ દશ
કેટલાક અભિલેખોના પાઠ
પ્રકરણ ચૌદમાં વિશ્લેષિત અભિલેખોના પાઠ અહીં તે જ ક્રમે પ્રસ્તુત છે. આંધીનો શિલાલેખ : વર્ષ ૧૧૪ (રુદ્રસિંહ ૧લો)
१. [पु] त्रस्य राज्ञो क्षत्रप [स्य] जय २. दाम पौत्रस्य राज्ञो म[हाक्षत्र] 3. पस्य स्वामि रुद्रदामा पुत्रस्य ४. [रा]ज्ञो महाक्षत्रपस्य स्वामि रुद्रसि-- ५. हस्य वर्षे १०० [+] १० [+] ४ जे(ज्ये)ष्ठामूलिये ६. [शुद्धा द्वादशिय मि[ति] प्रतिष्ठापे (?) ७. आभीर पु[श] [क] ८. [?] [?] [पु]त्र[स्य] ८. देवान कस गौत्र[स्य]
१०. नंदक ह[स्ते] उथापित વાંઢનો શિલાલેખ : વર્ષ ૧૧૦ (રુદ્રસિંહ ૧લો)
.१. राज्ञो महाक्ष[त्रपस] रुद्रदाम पुत्र २. स [रा]ज्ञो महा.........स स्वामि रुद्रसिंह 3. स [वारे] से १०० [+] १० - नितस..........ह ४. अर्यमा स्वामित्र - - रुद्रमा - - मु। ५. [व] कस गोत्र थ वरित्र विजय – रत्र - थापित
६. - - - - - - - केशर सिकव रित शिक्षा : वर्ष १०५ (?)
હ.ગં શાસ્ત્રીનું વાચન १. [1]ज्ञो महाक्षत्रपस्य...............स्य - - दस................तर २. ..........ख.........म....................सद् सेर पुत्रस्य
For Personal & Private Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ક્ષત્રપકાલીન ગુજરાત
3. ............स.........सस्वहिता.....................म्म........तक
આ ગ્રંથલેખકનું વાચન १. राज्ञो महाक्षत्रप[स]य..........स्व........व........स्य द्विसंवत्सरे २. शतमे १०० [+] ५ पुत्र दपल सिंहसेन पुत्रस्य 3. सर्वसत्वहित सुखार्थ मिति [प्रति]ष्ठापितह नि.....श्रुधेज्रि
भेवासानो शिक्षा : वर्ष १०3 (?)
વા. વિ. મિરાશીનું વાચન १. सिद्धं राज्ञो मह[हा]क्षत्रपस्य चाष्टन[स्य] २. पुत्र प्र पुत्रस्य राज्ञो महाक्षत्रपस्य भदिदम[स्य] 3. पुत्र प्र पुत्रस्य राज्ञो महाक्षत्रपस्य वर्षशतद् ४. त्रि(उ)त्त्रेके वपपुत्रस्य श्वसन[प्र] पुत्रस्य अभिरस्य ५. हरिहोवकस गोत्रस्य वसुराकस्य गुशनदौहित्रस्य ६. कार्तिक [सु]द [दि] ७ । राज्येश्वरस्य भर्तृय डिप्रष्टपि
७. त (ता)............भवनं च ગિરિનગરનો શૈલલેખ : વર્ષ ૭૨ ઉદ્રદામા)
१. सिद्धं इदं तडाकं सुदर्शनं गि[इ] नगरादपि........[मृत्ति]कोपल विस्तारायामोच्छ्रयनिः
___ सन्धिबद्धदृढसर्वपाळीकत्वात्पर्खतपा २. दप्प्रतिस्पर्धिसुश्लिष्[ट्] [ब] [न्ध?]म्..........जातेना कृत्रिमेण सेतुबन्धेनोपपन्नं
सुप्प्रतिविहितप्प्रनाळीपरी..........आह 3. मीढविधानं च त्रिस्कन्...........नादिभिरनुग्रहैर्महत्युपचये वत्तते [1] तदिदं राज्ञो
महाक्षत्रपस्य सुगृही ४. तनाम्नः स्वामिचष्टनस्य पौत्र.............पुत्रस्य राज्ञो महाक्षत्रपस्य
गुरुभिरभ्यस्तनाम्नो रुद्रदाम्नो वर्षे द्विसप्ततितम् [ए] ७० २ ५. मार्गशीर्ष बहुलप्रत् [इ]............सृष्टवृष्टिना पर्जन्येन एकार्णवभूतायामिव पृथिव्यां
कृतायां गिरेरूर्जयतः सुवर्णसिकता ६. पलाशिनीप्रभृतीनां नदीनां अतिमात्रो द्वृत्तैइँगैः सेतुम..............माणानुरूपप्रती
कारमपिगिरिशिखरतरूतटाट्टालकोपतल्पद्वारशरणोच्छ्यविध्वंसिना युगनिधनसह
For Personal & Private Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ નવ
૨૪૯
७. शपरमघोरवोगेन वायुना प्रमथितसलिलविक्षिप्तजर्जरीकृताव [दी?]........
ताश्मवृक्षगुल्मलताप्रतानं आ नदि [त]ला[द्] इत्युद्घाटितमासीत् चत्वारि हस्तशतानि
वीशदुत्तराण्यायतेन एतावत्येव विस्तीर्णेन ८. पञ्चसप्ततिं हस्तानवगाढेन भेदेन निस्सृतसवतोयं मरुधन्वकल्पमति...भृशं
दुर्द.........अ.....य[आ]र्थे मौर्यस्य राज्ञः चंद्रगुप्तस्य......आष्ट्रियेण [व] ऐश्येन
पुष्यगुप्तेन कारितं अशोकस्य मौर्यस्य ते यवनराजेन तुष् [आ] स्फेनाधिष्ठाय ८. प्रनाळीभिरल[म्] कृत[म्] तत्कारितया च राजानुरूपकृतविधानयातस्मिभेदे दृष्ट्या
प्रनाड्या विस् [४] तसेत [उ]..........णा आ गर्भात्प्रभृत्त्यविहत समुद्[इ] [त?] [आ]ज लक्ष्मी ध् [आर]णागुणतस्सद्धवर्णैरभिगम्य रक्षणार्थ पतित्वे वृतेन आ
प्राणोच्छासात्पुरुषवधनिवृत्तिकृत१०. सत्यप्रतिज्ञेन......अन्य[त] २ संग्रामेश्वभिमुखागतसदृशशत्रुप्रहरणवित्तरणत्वावि
गुणरि[पु]........त कारुण्येन स्वयमभिगतजनपदप्रणिपति[त] आ[य] उ?] प्रशरणदेन
दस्युव्याळ-मृगरोगादिभिरनुपसृष्टपूर्वनगरनिगम्११. जनपदानां स्ववीर्य्यार्जितानामनुरक्तसर्वप्रकृतीनां पूर्वापराकरावन्त्य नूपनीवृदानत
सुराष्ट्रश्च[म्] [ म]रु[कच्] छ[स]इ[न] धुस्[औ] व[ई]र कुकुरापरांतनिषादादीनां समग्राणां तत्प्रभावाद् [य] अ.......र[त्त्थ] कामविषयाणा[म्] विषयाणां पतिना
सर्व्वक्षत्राविष्कृत१२. वीरशब्दजातोत्सेकाविधेयानां यौधेयानां प्रसह्योत्सादकेन दक्षिणापथपतेस्सातकर्णेढेिरपि
नीर्व्याजमवजीत्यावजीत्यसंबंधाव्[इ] दूरया अनुत्सादनात्प्राप्तयशसामा द].........[स]
विजयेन भ्रष्टराजप्रतिष्ठापकेन यथार्थहस्तो १७. च्छ्यार्जितेजितधर्मानुरागेन शब्दार्थगान्धर्व्वन्यायाद्यानां विद्यानां महतीनां पारणधारणविज्ञान
प्रयोगावाप्तविपुलकीत्तिना तुरगगजरथच-सिचर्म नियुधाद्या........[ति] परबल
लाघवसौष्ठवक्रियेण अहरहनमानान१४. वमानशीलेन स्थूललक्षेण यथावत्प्राप्तेर्बलिशुल्कभागैः कनकरजतवज्रवैदूर्यरत्नोपचय
विष्यन्दमानकोशेन स्फुटलघुमधुरचित्रकान्तशब्द समयोदारालंकृतगद्यपद्य ........न
प्रमाणमानोन्मानस्वरगतिवर्ण सारसत्त्वादिभिः १५. परमलक्षणव्यंजनैरुपेतकान्तमूर्तिना स्वयमधिगतमहाक्षत्रपनाम्ना नरेन्द्रकन्या स्वयं
वरानेकमाल्यप्राप्तदाम्न्[आ] महाक्षत्रपेण रुद्रदाम्ना वर्षसहस्राय गोब्राह[म]
अ.........[स्थ]म् धर्मकीर्ति वुद्ध्यर्थं च अपीडयित् [व]आ करविष्टि १६. प्रणयक्रियाभिः पौरजानपदं जनं स्वस्मात्कोशा महता धनौघने अनतिमहता च कालेन
त्रिग् [ए]ण दृढतरविस्तारायाम सेतु विधा[य][स][]वत ए..........[स्]उदर्शनतरं
For Personal & Private Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ક્ષત્રપકાલીન ગુજરાત कारितमि[त्]इ[स्] भिन्नत्थे १७. महाक्षत्रप[स्]य मतिसचिवकर्मसचिवैरमात्यगुणसमुद्युक्तैरप्यति महत्वा द्भेदस्यानुत्साह
विमुखमतिभि(:) प्रत्य(आ) ख्यातारंभं १८. पुनः सेतुबन्धनैर (आ) श्याद्हाहाभूतासु प्रजासु इहाधिष्ठाने पौरजानपदजनानुग्रहार्थं
पाथिवेन कृत्स्नानामानर्तसुराष्ट्रानां पालनार्थन्नियुक्तेन १८. पह्नवेन कुलैपपुत्रेणामात्येन सुविशाखेन यथावदर्थधर्मव्यवहारदर्शनैरनुरागमभिवर्धयता
शक्तेन दान्तेना चपलेना विस्मितेनार्येणाहाय्येण २०. स्वधितिष्ठंता धर्मकीर्तियशांसि भर्तुरभिवर्धयातानुष्ठितमिति ॥ દેવની મોરીનો શૈલ-સમુદ્ગક (અસ્થિપાત્રલેખ)
१. नमस्सर्वज्ञाय (1) २. ज्ञानानुकम्पाकारुण्यप्रभावनिधये नमः [1] 3. सम्यक् संबुद्ध [सूर्याय परवादितमोनुदे [॥१॥] ४. सप्तांविंशत्यधिके कथिक नृपाणां समागते [s] द्वशते [1] ५. भ(भा)द्रपदपंचमदिने नृपतौ श्रीरुद्रसेने च [॥२॥] ६. क्र (कृ)तमवनिकेतुभूतम्महाविहाराश्रये महास्तूपम् । ७. सत्वानेकानुग्रहनिरताभ्यां शाक्यभिक्षुभ्याम् [||३||] ८. साध्वग्निवर्मा नामना सुदर्शनेन च विमुक्तरंधे ण [1] ८. काान्तिकौ च पाशान्तिकपड्डौ शाक्यभिक्षुकावतृ(त्र) [॥४॥] १०. दशबलशरीरनिलयश्शुभशैलमयस्स्वयं वराहेण [1] ११. कुट्टिमकतो क(कृ)तोयं समुद्गकस्सेन पुत्रेण [॥५॥] १२. महसेनभिक्षुरस्य च कारयिता विश्रुतः समुद्गकस्य [1]
१3. सुगतप्रसादकामो बुद्धायर्थन्धर्म सड्याभ्याम् [॥६॥] भांधीनी यष्टी५ : वर्ष ११ (पाटन)
१. ........पस य्सामोतिकपुत्रस २. .......समं वर्षाये ११ पालितकस
For Personal & Private Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ નવ
૨૫૧
3. .......पुत्रस माधुकानस जात
४. .......लषी......पुत्रही उथापिता छोरतपुरनो यष्टीप : वर्ष (पाटन)
શોભના ગોખલેનો પાઠ १. - न्यनभ्य_ २. - राजाभिस्मि प्र 3. - दि (?) प्रिय सेनस्य ४. - सवसरे त्रि २५४ ५. – अय गोतृय (ज्ञ)
- द्युतिखा मिनेह
- सुदोसक्रस गोत्र ८. – स्य अभिरस्यज्यै ८. – त्रक पौत्रस्य व १०. – राहदेव पुत्रस्य ११. – ईश्वरदेव पुत्रस्य १२. – दिति गोत्रहिताय વિ.વિ.મિરાશીનો પાઠ १. [य्सामोतिक पुत्रस्य] २. क्षत्रपस चाष्टनस्य 3. राज्ये वसे ६ [गि] ४. म्ह दितिय मास द ५. स वासरेत्रि(त्र) राज्ये व ६. सुसगोत्रय ७. प्रिति स्वामिने व ८. सुरोतकसुदाय
i wo v je
For Personal & Private Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૨
ક્ષત્રપકાલીન ગુજરાત ८. अभिरस्य [आभिरस्य] ૧૦. યક્ર પૌત્રસ્ય વ ૧૧. રાહવ પુત્રી ૧૨. શિરેશ્વર] રેવચ્ચે ૧૩. ગોત્રહિતાય ૧૪. [7] [થાપિત્ત, રુદ્રસિંહ ત્રીજો : ચાંદીનો સિક્કો : વર્ષ ૩૨૦ અગ્રભાગ : દક્ષિણાભિમુખે રાજાનું ઉત્તરાંગ. તેની પાછળ બ્રાહ્મી વર્ષે ૩૨૦’
આંકડામાં - ૭ ઉપસાવેલું છે. પૃષ્ઠભાગ : સિક્કાની મધ્યમાં ત્રિકૂટ પર્વતનું આકર્ષક પ્રતીક અંકિત છે. એના ઉપલા
શિખરની ટોચે એક ચંદ્રનું અને પર્વતની સમાંતર ડાબી બાજૂએ બીજા ચંદ્રનું તથા જમણે સૂર્યસૂચક કિરણોનું ચિહ્ન છે. પર્વતની નીચે સર્પાકાર રેખા નદીનું સૂચન કરે છે. આ બધાં ચિહ્નોના વૃત્તાકારે બ્રાહ્મી લિપિ અને સંસ્કૃતમાં લખાણ છે : રાણો મહાક્ષત્રપસ વા(મિ) સત્યસિંહપુત્ર રાજ્ઞો (મહા) ક્ષત્ર(પણ) સ્વા(મિ) રૂદ્રસિંહ | લખાણની ફરતે કિનારને સમાંતર
ટપકાંની હાર છે. રુદ્રસિંહ ત્રીજો : ચાંદીનો સિક્કો : વર્ષ ૩૩૭. અગ્રભાગ : રાજાનું દક્ષિણાભિમુખ ઉત્તરાંગ. એની પાછળ બ્રાહ્મી અંકમાં ૩૩૭
= શક સંવતનું વર્ષ અંકિત છે. પૃષ્ઠભાગ : સિક્કાની મધ્યમાં ત્રિકૂટ પર્વતનું પ્રતીક સ્પષ્ટ રીતે અંકિત થયેલું છે.
પર્વતના ઉપલા શિખરની ડાબે ચંદ્રનું પ્રતીક છે અને જમણે સૂર્યસૂચક સાત ટપકાંયુક્ત ચિહ્ન છે. પર્વતની નીચે લગભગ વાંકીચૂંકી રેખા નદીનું સૂચન કરે છે. આ બધાં ચિહ્નના વૃત્તાકારે અને સિક્કાની સમગ્ર ગોળાકાર ધારની સમાંતરે બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં લખાણ ઉપસાવેલું છે : राज्ञ महाक्षत्रपस स्वामि सत्यसिंहपुत्रस राज्ञ (महा) क्षत्रपस स्वा(मि) रुद्रसिंह। લખાણની ફરતે કિનારને સમાંતર ટપકાંની હાર છે.
For Personal & Private Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પંદર
પ્રકરણ સોળ
પ્રકરણ સત્તર
પ્રકરણ અઢાર
પ્રકરણ ઓગણીસ
પ્રકરણ વીસ
પ્રકરણ એકવીસ
પ્રકરણ બાવીસ
પરિશિષ્ટ અગિયાર પરિશિષ્ટ બાર
:
સાહિત્યિક પ્રવૃત્તિ (પ્રકાર, કૃતિઓ, વાચના)
: શિક્ષણપદ્ધતિ અને ભાષાલિપિ
:
:
:
: લલિતકલા-૨ : ઈંટેરી સ્થાપત્ય
લલિતકલા-૩ : શિલ્પસમૃદ્ધિ
:
લોકજીવન (પ્રાકૃતિક, આર્થિક અને સામાજિક)
: રાષ્ટ્રીય વિરાસતમાં યોગદાન
:
:
વિભાગ પાંચ સાંસ્કૃતિક ઇતિહાસ
ધર્મ-પરંપરા
લલિતકલા-૧: શૈલોત્કીર્ણ સ્થાપત્ય
પ્રકીર્ણ સ્થાપત્ય
હુન્નરકળા
For Personal & Private Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પંદર
સાહિત્યિક પ્રવૃત્તિ (પ્રકાર, કૃતિઓ, વાચના)
લલિત સાહિત્ય
પશ્ચિમી ક્ષત્રપોના શાસન હેઠળના ગુજરાતમાંથી લલિત સાહિત્યના ગ્રંથોના રૂમના અદ્યાપિ અવગત થયા નથી, પરંતુ અભિલેખોના આવશેષિક પ્રમાણોએ આ સમયના લલિત સાહિત્યની પ્રવૃત્તિ પરત્વે ઠીક ઠીક સામગ્રી સંપડાવી આપી છે. રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ અને દેવની મોરીનો અસ્થિપાત્રલેખ ક્ષત્રપકાલીન લલિત સાહિત્યની યત્કિંચિત્ જાણકારી કાજે ઉપકારક થાય છે. આ બંનેને પ્રશસ્તિલેખો ગણાવી શકાય; છતાંય એનું હાર્દ તો ઐતિહાસિક છે.
ગિરિનગરનો શૈલલેખ
વર્તમાન જૂનાગઢ શહેરના ભૌગોલિક પરિસરમાં સ્થિત અશોકના ખડકલેખોથી જ્ઞાત અને રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત પૂર્વકાલીન સુદર્શન જળાશયના કાંઠે આવેલા ખડક ઉપર પશ્ચિમ તરફના ભાગે મહાક્ષત્રપ રાજા રુદ્રદામાનો લેખ ઉત્કીર્ણ છે'. એના લેખકનું નામ જાણવા મળ્યું નથી; પરંતુ શુદ્ધ સંસ્કૃત ગદ્યમાં લખાયેલો આ લેખ પૂર્વકાલીન આભિલેખિક નમૂનો છે તેમ ઊંચી કક્ષાના ગઘનું ઘોતક ઉદાહરણ છે. લેખક અજ્ઞાત હોવા છતાંય સમગ્રતયા સમીક્ષાથી સૂચિત થાય છે કે એનો રચયિતા ઊંચી કોટિનો કવિ હોવો જોઈએ. લેખની ભાષા પ્રવાહી અને કાવ્યમય છે. ઠંડીના હ્રાવ્યાશમાં નિર્દિષ્ટ વૈદર્ભિરીતિનાં કેટલાંક લક્ષણો આ લેખમાં જોવાં પ્રાપ્ત થાય છે. બીજી સદીના આ લેખની ગદ્યશૈલી હરિષણના ચોથી સદીના લેખમાંના ગદ્યવિભાગની શૈલીને ઘણી રીતે મળતી આવે છે. આથી તો બૂલ૨ એને ગદ્યમ્ ાવ્યમ્ કહે છે તે યથાર્થ છે. આમ આ લેખ આલંકારિક સંસ્કૃત ગદ્યનો પૂર્વકાલીન નમૂનો છે. આ લખાણ જાહેર ઢંઢેરા કે સ૨કા૨ી ઘોષણા સ્વરૂપનું હોઈ એમ ખસૂસ કહી શકાય કે તત્કાલીન ગુર્જર પ્રજાનો મોટો હિસ્સો સંસ્કૃત ભાષાથી સુપરિચિત હશે. એમ પણ કહી શકાય કે ત્યારે તે લોકભાષા હશે.
સમગ્ર લખાણ દીર્ઘ-લઘુ અલંકારથી સભર છે. શબ્દાલંકારો અને ખાસ કરીને અનુપ્રાસ અલંકારનું બાહુલ્ય ધ્યાનાર્હ છે. ઉપરાંત અર્થાલંકારમાં ઉપમા૪, અતિશયોક્તિ, ઉત્પ્રેક્ષા, પરિક તથા યમક જેવા અલંકારોનો વિનિયોગ થયો છે જે પણ નોંધપાત્ર છે. લાંબા સમાસની ક્ષિપ્રતા ઘણી છે. આ લેખમાં ટ-લઘુ-મધુર-ચિત્ર-જાન્ત શબ્દ સમયોવારાનંત જેવા શબ્દસમૂહ કાવ્ય લક્ષણોનો નિર્દેશ કરે છે. આમાંનાં ત્રણ લક્ષણો -માધુર્ય, દ્દારતા અને ાન્તિ - ભરતે અને દંડીએ॰ જણાવેલાં દશ લક્ષણોમાં સમાવિષ્ટ છે. ત્રણમાં પ્રથમ શબ્દગુણ અને અર્થગુણ છે અને
For Personal & Private Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
૨૫૬
બીજાં બેમાં કેવળ અર્થગુણ છે. શેષ લક્ષણોમાં સ્ફુટ એ કાવ્યગુણ છે, વુ એ સૂત્રશૈલીનું ઘોતક છે. વિત્ર એ અધમ કાવ્ય કાજે પ્રયોજાતો શબ્દ છે, તો શXસમયમ્ એ શબ્દશૈલી સૂચવે છે. ભરતે અને દંડીએ ગણાવેલાં દશ લક્ષણો વૈદર્ભીશૈલીનાં દૃષ્ટાંત છે. આથી, અનુમાની શકાય કે ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં વૈદર્ભિશૈલીનો સાહિત્યમાં વિનિયોગ થતો હશે. એમ પણ આથી સૂચિત થાય છે કે ઈસ્વીની બીજી સદી દરમ્યાન ગુજરાતમાં કાવ્યસાહિત્ય અપેક્ષિત રીતે પ્રચારમાં હશે.
દેવની મોરીનો અસ્થિપાત્રલેખ
શામળાજીના વૈષ્ણવતીર્થનાં સાંનિધ્યમાં મેશ્વો નદીના કાંઠે દેવની મોરી ગામની ભાગોળે ‘ભોજરાજનો ટેકરો'નામથી ઓળખાતા ટેકરા ઉપરથી ભગવાન તથાગતના શરીરાવશેષને સાચવતો મહાસ્તૂપ હાથ લાગ્યો હતો૧. આ સ્તૂપના પેટાળમાંથી એક શૈલસમુદ્ગક હાથ લાગ્યો છે. ભૂખરા પથ્થરમાંથી નિર્માણ કરેલા આ દાબડાના સમગ્ર ઢાંકણા ઉપર, એની બહાર-અંદરની બાજૂ, દાબડાના મુખ્ય ભાગની ચારેય બાજૂ ઉપર તથા તળિયાના ભાગે-આમ સમગ્ર દાબડા ઉપ૨ બ્રાહ્મી લિપિમાં અને પાલિ ભાષામાં પ્રતીત્યસમુત્ત્તાવનો બૌદ્ધધર્મનો સિદ્ધાંત તથા બ્રાહ્મીલિપિમાં અને સંસ્કૃત ભાષામાં ઐતિહાસિક લેખ છે૧૨.
આ શૈલસમુદ્ગક અભિલેખ સંસ્કૃત પદ્યમાં છે અને પૂર્વકાલીન પદ્ય અભિલેખોમાં પૂર્વકાલીનતમ હોવાનો જણાય છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા પ્રસ્તુત લેખનો પદ્યરચનામાં દેખાતી થોડી અનિયમિતતા પ્રાકૃતની અસર સૂચવે છે. આ કાવ્યમાં પહેલો શ્લોક અનુષ્ટુપ છે. બીજો, ત્રીજો,પાંચમો અને છઠ્ઠો શ્લોક ગીતિ છંદમાં છે. આર્યા છંદનું બંધારણ ૧૨, ૧૮ અને ૧૨, ૧૫નું છે. ચોથો શ્લોક ગીતિ છંદમાં છે અને તેનું બંધારણ ૧૨, ૧૮ અને ૧૨, ૧૮નું છે. આથી, અનુમાની શકાય કે તત્કાલીન ગુજરાતના લલિતસાહિત્યમાં પ્રશંસાનો પ્રકાર વિદ્યમાન હશે અને પ્રજા પ્રશસ્તિ કાવ્યનો આસ્વાદ માણતી હશે.
દાર્શનિક સાહિત્ય
વાલભી વાચના
જૈનોનાં આગમ સાહિત્યનાં દ્વાદશ અંગ હતાં. આ અંગોનું જ્ઞાન સુધર્માથી આરંભી ભદ્રબાહુ સુધીના ગણધરોએ જાળવી રાખ્યું હતું. મૌર્યકાળના આરંભમાં મગધમાં સંપન્ન થયેલી પરિષદે આ બાર આગમો સંકલિત કર્યાં હતાં. પરંતુ કાળબળે આ આગમો છિન્નભિન્ન થતાં ગયાં. આથી, વીર નિર્વાણથી આશરે ૮૨૭ કે ૮૪૦ વર્ષ પછી અર્થાત્ ઈસ્વી ૩૦૦ કે ૩૧૩માં આગમોને ફરીથી સુવ્યવસ્થિત કરવાના હેત્વર્થે અને લુપ્ત થયેલી આગમવાચનાને પુનશ્ચ સંકલિત કરવા કાજે આચાર્ય આર્ય સ્કંદિલના અધ્યક્ષપદે મથુરામાં શ્રમણસંઘ એક્ઝો થયો અને જેમને જેમને આગમસૂત્ર કે ખંડ સ્મરણમાં હતાં તે લખાવવા લાગ્યા. આમ, આગમો સંકલિત થયાં, જે માથુરી વાવના અથવા ાંવિતી વાચના તરીકે ખ્યાત છે૧૪.
આ જ સમય દરમ્યાન મથુરાની જેમ ગુજરાતમાં આવેલા વલભીમાં આચાર્ય નાગાર્જુનની અધ્યક્ષતામાં શ્રમણ સંઘની પરિષદ મળી. ઉપસ્થિત સહુને જે જે આગમ, એના
For Personal & Private Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૫૭
પ્રકરણ પંદર અનુયોગ તથા પ્રકરણગ્રંથ યાદ હતાં તેને લિખિત સ્વરૂપ અપાયું અને આમ એક અન્ય વાચના તૈયાર થઈ, જે વાતમી વાવના કે ના IIળુની વાવના તરીકે ખ્યાત થઈ ૫.
સમકાલીન એવી આ બંને પ્રવૃત્તિઓના આચાર્ય પરસ્પરને નહીં મળી શકવાને કારણે તેમણે બંનેએ તૈયાર કરેલી વાચનાઓમાં પાઠભેદ રહેવા પામે એ બાબત સાહજિક અને સ્વાભાવિક ગણાય. આથી, વીર નિર્માણ ૯૮૮ કે ૯૯૩ અર્થાત્ ઈસ્વી ૪૫૪ કે ૪૬૭માં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આ બંને વાચના સંકલિત કરી ત્યારે તેમણે માથરી વીનાને મુખ્ય વાચના તરીકે સ્વીકારી, વાતમી વાવનાના પાઠભેદ વાયઅંતર તરીકે નોંધ્યા; અર્થાત જે પાઠોનો સમન્વય ના થઈ શક્યો તે નાળુનીયાસ્તુ પર્વ વન્તિ એ રીતે એનો નિર્દેશ કર્યો. દેવદ્ધિગણિએ સંકલિત કરેલી આ વાચનાપ્રત દેશ સમસ્તના શ્વેતાંબરોમાં અધિકૃત વાચના તરીકે સ્વીકાર પામી.
આમ, વાલભીવાચનાના સંકલન વડે ગુજરાત ક્ષત્રપકાલ દરમ્યાન આગમીય સાહિત્ય પરંપરાને જાળવામાં ઘણો ફાળો નોંધાવ્યો એમ ખસૂસ કહી શકાય. અગાઉ નોંધ્યું તેમ આ વાચના વીરનિર્વાણના ૮૨૭(કે ૮૪૨) ઈસ્વી ૩૦૦માં કે ૩૧૩માં તૈયાર થઈ હોવાનું સ્પષ્ટ
સિદ્ધસેન દિવાકર
એમના વિશે ઐતિહાસિક પ્રત્યક્ષ પ્રમાણ ઉપલબ્ધ ના હોઈ સિદ્ધસેન દિવાકરના જીવન અને કવનની જાણકારી વાસ્તે આપણે જૈનપરંપરાનો આધાર લેવો પડે છે. તેઓ અગ્રણી જૈન તત્ત્વજ્ઞ અને કાન ફિલસૂફીના અગ્રેસર પુરસ્કર્તા હતા. એમની કૃતિઓમાં અવલોકનથી તેમની સ્પષ્ટભાષિતા અને સ્વતંત્ર વિચારક તરીકેની નીડર પણ નિર્દશ ઉપાસના અભિવ્યક્ત થાય છે. પોતાને અભિપ્રેત એવા સ્પષ્ટ વિચારો વ્યક્ત કરવામાં એ કોઈનીયે શરમ રાખતા ન હતા, જેનો પ્રત્યય આપણને જૈન આગમોને સંસ્કૃતમાં અનુદિત કરવાના વિચાર માત્રથી ગુપ્તવેશે રહેવાનું પ્રાયશ્ચિત કરવાની સિદ્ધસેનની તત્પરતામાં દૃષ્ટિગોચર થાય છે. આથી, એમ કહી શકાય કે જૈન પરંપરાને ચુસ્ત રીતે વળગી રહેનાર જૈનાચાર્ય પૈકીના તેઓ ન હતા.
એમનો સમય જાણવા સારુ પ્રત્યક્ષ પ્રમાણો ઉપલબ્ધ નથી. પરંતુ તેમણે રચેલી કૃતિઓ, જૈન પરંપરા અને નિશ્ચિત સમયવાળા એમના અનુગામી લેખકોના ગ્રંથોમાં થયેલા સિદ્ધસેનના નિર્દેશથી એમના સમયને જાણી શકાય છે.
હરિભદ્રના (વિક્રમનો આઠમો સૈકો) પંવવસ્તુમાં અને એની ટીકામાં સમ્ભટ્ટ કે સમ્પતિ એવો ઉલ્લેખ છે તે સાથે એના રચયિતા દિવાકરનોય નિર્દેશ છે. જિનદાસગણિ મહત્તરની નિશીથસૂત્ર પૂfણમાં પણ સન્મતિ અને એના કર્તા તરીકે સિદ્ધસેન વિશેના ત્રણ સંદર્ભ છે. આ લેખકની એક કૃતિ નંતીસૂત્ર પૂરણનો સમય શક સંવત ૧૯૮નો છે ૯. પ્રસ્તુત બે ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે સિદ્ધસેન વિક્રમના આઠમા સૈકા પૂર્વે કોઈક સમયે વિદ્યમાન હોવા જોઈએ.
પ્રભાવતિ '૦ મુજબ સિદ્ધસેન વૃદ્ધવાદીના શિષ્ય હતા અને વૃદ્ધવાદી સ્કંદિલાચાર્યના શિષ્ય હતા. સ્કંદિલાચાર્ય ઈસ્વીના ચોથા સૈકાના પ્રથમ ચરણમાં વિદ્યમાન હતા એમ માથુરી
For Personal & Private Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
૫૮
ક્ષત્રપકાલીન ગુજરાત વાચનના સમય ઉપરથી સૂચવી શકાય છે. એટલે સ્કંદિલના શિષ્ય વૃદ્ધવાદી અને વૃદ્ધવાદીના શિષ્ય સિદ્ધસેન દિલના ઉત્તર સમકાલીન હોવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સિદ્ધસેન ઈસ્વીસનની ચોથી સદીના ત્રીજા ચરણમાં કાર્યરત હોવા જોઈએ.
મલવાદીના દ્રશાનિયવમાં સિદ્ધસેના સન્મતિપ્રઝરનો નિર્દેશ છે. તેમણે સિદ્ધસેનના પ્રસ્તુત ગ્રંથ ઉપર ટીકા પણ રચી છે. પ્રભાવકચરિતકાર મલ્યવાદીને વીર નિર્વાણ ૮૮૪ કે વિક્રમ સંવત ૪૧૪ એટલે ઈસ્વી ૩૫૭ની આસપાસ હયાત હોવાનું સૂચવે છે. તદનુસાર સિદ્ધસેન કાં તો મલ્લવાદીના સમકાલીન હોય કે પૂર્વસમકાલીન હોય. કહેવાનું તાત્પર્ય એ કે સિદ્ધસેન વીર નિર્વાણના નવમા સૈકાના પ્રથમ બે ચરણ દરમ્યાન કે વિક્રમના ચોથા સૈકાના છેલ્લા બે ચરણ દરમ્યાન એટલે કે ઈસ્વી ૩૦૦ની આસપાસ વિદ્યમાન હોઈ શકે. એમના ગ્રંથ
એમણે ત્રણ ગ્રંથ રચ્યા હોવાની માહિતી છે : સન્મતિપ્રકરણ, વત્રીસીમો અને ન્યાયાવતાર. આ ત્રણેય કૃતિઓ વર્તમાને ઉપલબ્ધ છે.
સન્મતિyવારા નામનો ગ્રંથ સિદ્ધસેનનો ધ્યાનાર્ય ગ્રંથ છે. સિદ્ધસેનની પહેલાં જૈન દર્શનમાં તર્કશાસ્ત્ર અન્વયે કોઈ સળંગ સિદ્ધાંત પ્રચલિત ન હતો. એટલે કે જૈનદર્શનોમાં તકવિજ્ઞાનના પ્રમેયને સ્થિર કરવા એમણે આ ગ્રંથ રચ્યો હોવાનું સૂચવાયું છે. પ્રસ્તુત ગ્રંથની રચનાનો મૂળ ગ્રંથકારનો શો ઉદેશ હશે તે અંગે પંડિત સુખલાલજી આવી નોંધ રજૂ કરે છે : જૈન દર્શનના પ્રાણરૂપ અને જૈન આગમોની ચાવીરૂપ મન્ત દૃષ્ટિનું વ્યવસ્થિત રીતે નવેસરથી નિરૂપણ કરવું, તર્કશલીએ તેનું પૃથક્કરણ કરી તાર્કિકોમાં તેમની પ્રતિષ્ઠા સ્થાપવી, દર્શનાંતરોનો શો સંબંધ છે તે દર્શાવવું; અનેકાંત દષ્ટિમાંથી ફલિત થતા બીજા વાદોની મીમાંસા કરવી, પોતાના સમય સુધીમાં દાર્શનિક પ્રદેશમાં ચર્ચાતા મુદ્દાઓને અનેકાંતની દૃષ્ટિએ નિરૂપવા અને પોતાને સ્કૂલ નવીન વિચારણાઓને પ્રાચીન તેમ જ પ્રતિષ્ઠિત અનેકાંતની દૃષ્ટિના નિરૂપણનો આશ્રય લઈ વિદ્વાનો સમક્ષ મૂકવી૨૫. ઇતિ.
આ ગ્રંથ પ્રાકૃતમાં રચાયેલો છે, પરંતુ સિદ્ધસેનના સંસ્કૃત અધ્યયનની અસર પણ એની રજૂઆત ઉપર જોવી પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પુસ્તક પદ્યમાં અને માર્યા છંદમાં લખાયું છે. સદર કૃતિમાં કુલ ૧૬૬ શ્લોક ત્રણ કાંડમાં વહેંચાયેલા છે. દા.ત. પહેલા કાંડમાં ૫૪ શ્લોક છે, બીજામાં ૪૩ શ્લોક અને ત્રીજામાં ૬૯ શ્લોક છે. સુખલાલજી ત્રણેય કાંડમાંના ચર્ચિત વિષયોને આધારે નિયમીમાંસા, જ્ઞાનમીમાંસા અને ફેયમીમાંસા જેવાં નામ પ્રયોજે છે.
સિદ્ધસેન દિવાકરનો બીજો ગ્રંથ છે વત્રીસો. બત્રીસી એટલે બત્રીસ શ્લોક પ્રમાણ અર્થાત્ જે કૃતિમાં ૩૨ શ્લોક હોય તેને બત્રીસી કહેવાય. આ પ્રકારની રચનામાં કાં તો એક સળંગ છંદ ઉપયોગાયો હોય છે, કાં તો આરંભ અને અંતમાં છંદભેદ હોય છે. સિદ્ધસેનની ઉપલબ્ધ વત્રીસીની સંખ્યા ૨૨ છે, જેમાંની છેલ્લી એટલે કે બાવીસમી બત્રીસી અલગ રચના તરીકે સ્વીકારાઈ છે. આ છેલ્લી બત્રીસીનું નામ છે ચાયવતાર. દાર્શનિક અને આલંકારિક પ્રતિભાસંપન્ન વિદ્વાનને છાજે એવી પ્રૌઢ અને સંસ્કૃત પદ્યમાં રચાયેલી આ બાવીસેય
For Personal & Private Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૫૯
પ્રકરણ પંદર બત્રીસીઓ છે.
નિરૂપણની દૃષ્ટિએ ઉપલબ્ધ બત્રીસીઓને ત્રણ વિભાગમાં વિભાજિત થઈ શકે : ૧. સ્તુત્યાત્મક, ૨. સમીક્ષાત્મક અને ૩. દાર્શનિક. ૧થી ૫, ૧૧મી અને ૨૧મી એમ સાત બત્રીસીઓ પ્રથમ વિભાગમાં આવે. આ બત્રીસીઓમાં કથિત વિષય મહાવીરની સ્તુતિનો છે. આમાં, મુખ્યત્વે વસંતતિલકા, વૈતાલીય| ઉપજાતિ, શિખરણી વગેરે છંદ પ્રયોજાયા છે. આ સાતેય બત્રીસીમાં આરંભ અને અંતનો છંદભેદ છે. ૬ઠ્ઠી અને ૮મી બત્રીસી સમીક્ષાત્મક પ્રકારની છે. બંનેના આરંભ-અંતનો છંદભેદ છે. ૬ઠ્ઠીમાં મહાવીરની સમીક્ષા છે, તો ૮મીમાં જલ્પકથાની સમીક્ષા છે. ૭મી બત્રીસીનું વસ્તુ ચર્ચાત્મક છે અને એમાં વાદકળાનું રહસ્યવસ્તુ સ્કુટ કર્યું છે. શેષ બારેય બત્રીસી દાર્શનિક છે. બારેયમાં એક જ છંદ-અનુષ્ટ્રપ-પ્રયોજાયો છે. એકેયમાં છંદભેદ નથી. આ બારેય દાર્શનિક બત્રીસીઓમાં ઉપનિષદ, ગીતા, ન્યાય, સાંખ્ય, વૈશેષિક, બૌદ્ધ, જૈન વગેરે દર્શનોની ચર્ચા સમાવિષ્ટ છે. ૧૭મી, ૧૮મી, ૧૯મી, ૨૦મી અને રરમીમાં જૈનદર્શનના તાત્ત્વિક વિચારો વર્ણિત છે.
ચાયાવતાર આમ તો અલગ ગ્રંથ તરીકે જ્ઞાત હોવા છતાંય એ પણ બાવીસ બત્રીસીઓમાંની જ એક બત્રીસી છે અને એનો ક્રમ રરમો છે. પરંતુ એનું વિશિષ્ટ મહત્ત્વ હોઈ એનો અલગ નિર્દેશ અત્રે કર્યો છે. મુનિ જિનવિજયજી આ ગ્રંથને સંસ્કૃત જૈન સાહિત્યમાં પદ્યબંધ એવી આદિ તર્ક રચના ગણે છે.... જૈન દષ્ટિએ પ્રમાણોનું નિરૂપણ કરવું એ આ ગ્રંથનો વર્યુ વિષય છે. આમાં આગમોક્ત જ્ઞાનના પાંચ પ્રકાર કે પ્રમાણના પ્રત્યક્ષ-અનુમાનાદિ ચાર પ્રકારનું વર્ણન નથી. પરંતુ આગમોમાં ઉલિખિત અને તત્ત્વાર્થસૂત્રમાં વિશિષ્ટ સ્થાન પામેલા પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રમાણોનું નિરૂપણ છે. ચાયવતારમાં પ્રમાણસામાન્ય અને તેના ભેદની વ્યાખ્યા એટલા બધા વિચારપૂર્વક વ્યક્ત થયેલી છે કે પછીની અનેક સદીઓ દરમ્યાન જૈન ન્યાયશાસ્ત્રનો પુરતો વિકાસ થયો હોવા છતાંય શ્વેતાંબર કે દિગંબર સંપ્રદાયના કોઈ આચાર્યને ન્યાયાવતારની વ્યાખ્યાઓમાં માત્ર શાબ્દિક ફેરફાર સિવાય કશું ઉમેરવાપણું રહ્યું નથી.
ઉપર્યુક્ત ગ્રંથોના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે સિદ્ધસેનના માનસ ઉપર વેદ, ઉપનિષદ, સાંખ્ય, વૈશેષિક, બૌદ્ધ આદિ જૈનેતર દર્શનોના અભ્યાસની પ્રગાઢ અસર અંકિત થયેલી જોઈ શકાય છે. આમ, વિચારની પ્રૌઢતા એમનાં લખાણોની ચિરંજીવ બુનિયાદ છે. મલવાદીસૂરિ
- આ જૈનાચાર્ય ક્ષત્રપકાલીન ગુજરાતના સહુથી પ્રધાન સાહિત્યસ્વામી અને ખ્યાત તત્ત્વજ્ઞ હતા. મલ્લવાદીના જીવનવૃત્તાંતને નિરૂપવા કાજે મુખ્ય આધાર પ્રબંધો છે, જેમાં એમના જીવન અંગે બે વિભિન્ન પરંપરા આપણને હાથવગી થાય છે. આમાંની એક પરંપરા મુજબ તેઓ વલભીના મૈત્રક રાજા શિલાદિત્યની બહેનના પુત્ર હોવાનું જણાય છે. આ પરંપરા જો કે વિશ્વસનીય નથી. બીજી પરંપરાનુસાર તેઓ ભરુકચ્છના જૈનાચાર્ય જિનાનંદની બહેન દુર્લભદેવીના ભાણેજ હતા. આ કથા વધુ શ્રધેય જણાય છે. એમનો સમય
For Personal & Private Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૦
ક્ષત્રપકાલીન ગુજરાત સિદ્ધસેનની જેમ મલ્લવાદીનો સમય નિર્ણિત કરવા કાજે કોઈ પ્રત્યક્ષ પ્રમાણો ઉપલબ્ધ નથી. એમનાં લખાણોમાં કોઈ રચનાવર્ષ મળતું નથી. આથી, એમના ગ્રંથ દરિયમાં નિર્દિષ્ટ પૂર્વાચાર્યોના સમયનિર્ણયથી, એમના ગ્રંથમાં જેમનો ઉલ્લેખ નથી એવા અનુકાલીન તાર્કિકોના સમયના સંદર્ભમાં તથા જૈન પરંપરાના અનુસંધાનમાં આપણે મલવાદીના સમયને નિશ્ચિત કરવાનો પ્રયત્ન કરવો રહ્યો.
એમના પ્રસ્તુત ગ્રંથમાં વીવીપીના કર્તા ભર્તુહરિ, દિન્નાગ તથા સિદ્ધસેન દિવાકરનો નિર્દેશ છે. આથી, મલવાદી કાં તો આ ત્રણેયના અનુકાલીન હોય, કાં તો સમકાલીન. ભર્તૃહરિ દિનાગના સમકાલીન હોવાનું જણાય છે. બૌદ્ધ પરંપરાનુસાર, વિનયતોષ ભટ્ટાચાર્ય, દિનાગને ઈસ્વી ૩૪૫ અને ૪૨૫ વચ્ચે વિદ્યમાન હોવાનું સૂચવે છે. સિદ્ધસેને દિનાગનો ઉલ્લેખ કર્યો અને મલવાદીએ એ બંનેનો નિર્દેશ કર્યો છે. આ સંદર્ભે મલ્લવાદી ઈસ્વીની ચોથી સદીનાં છેલ્લાં બે ચરણ અને પાંચમી સદીના પ્રથમ ચરણ દરમ્યાન વિદ્યમાન હોઈ શકે.'
એમના ગ્રંથમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમ સંવત ૬૬૬= ઈસ્વી ૬૦૯) અને ઉદ્યોતકર (ઈસ્વી પ૭૫થી ૬૨૫) એમ બંનેનો ઉલ્લેખ છે. આ દષ્ટિએ મલવાદી ઈસ્વીની સાતમી સદી પૂર્વે અર્થાત્ છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હોવા જોઈએ. મલવાદીના ગ્રંથ વિશે ટીકા લખનાર સિંહસૂરિની ટીકામાં મૂળ ગ્રંથના ઘણા અંશ સંગૃહીત નથી. એટલે મલવાદી અને સિંહસૂરિ વચ્ચે એક સૈકાથી વધારે અંતર હોવું જોઈએ. સિંહસૂરિ જિનભદ્રગણિના સમકાલીન હોઈ ઈસુની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં જીવિત હોય. અને તો મલ્લવાદીને આપણે ઈસ્વીની પાંચમી સદીના ઉત્તરાર્ધમાં પ્રવર્તમાન હોવાનું સૂચવી શકીએ.
મલવાદીના સમયને નિર્ણિત કરવા મિષે ઉપર્યુક્ત ચર્ચાના સંદર્ભમાં જૈન પરંપરાને પણ ચકાસવી જોઈએ. પ્રભાવકચરિતકારે મલ્લવાદીએ બૌદ્ધો સાથે કરેલા વિવાદની મિતિ વીર સંવત ૮૮૪ અર્થાત્ વિક્રમ સંવત ૪૧૪ અને ઈસ્વી ૩૫૭-૫૮ આપી છે. આ મિતિ વિશેષ સ્વીકાર્ય જણાય છે. તેથી મલ્લવાદીસૂરિ ઈસુની ચોથી સદીના છેલ્લાં બે કે ત્રણ ચરણમાં વિદ્યમાન હોવા જોઈએ. એમની કૃતિઓ
જૈન પરંપરા મુજબ મલ્લવાદીએ શ્રુતદેવીના વરદાનથી એક શ્લોક માત્રના ગ્રહણથી દશહજાર શ્લોકપ્રમાણયુક્ત નશાસ્ત્રની રચના કરી, જેને શ્વેતાંબર અને દિગંબર બંને ફિરકાઓના ગ્રંથોમાં એક સરખું સ્થાન પ્રાપ્ત થયું છે. આ ગ્રંથ તે દશારશ્ન. આ ગ્રંથ ઉપલબ્ધ નથી, પણ એના વિશે રચાયેલી ટીકા(ગ્રંથ) ઉપલબ્ધ છે. આ ટીકા સિંહસૂરિએ વિક્રમના સાતમા શતકમાં (વિ. સં. ૬૬૬થી ૭૦૦ના સમયાવધિમાં) ૨ સંપન્ન કરી હતી. પ્રસ્તુત ટીકાના આધારે વીસમી સદીમાં મૂળ ગ્રંથનું સંભવિત કલેવર તૈયાર કરવાના ત્રિવિધ પ્રયત્ન થયા છે. પરિણામે અસલ પુસ્તકનો સંભવિત પાઠ હાથ થઈ શક્યો છે.
આ ગ્રંથવિશેષ જૈનદર્શનશાસ્ત્રોમાં અનન્ય સ્થાન ધરાવે છે. ગ્રંથનામ મુજબ નયરૂપી ચક્રમાં બાર આરા છે. ગ્રંથકર્તાએ એક નિષ્ણાત શિલ્પીની જેમ આ ચક્રની રચના કરી છે.
For Personal & Private Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પંદર
૨૬૧ ગ્રંથકારનો ઉદેશ એ છે કે બધા એકાંતવાદીઓ પોતાના પૂર્વવાદીઓથી સ્વયને શક્તિસંપન્ન સમજે છે અને ઉત્તરવાદીઓના અસ્તિત્વનો ખ્યાલ સરખો કરતા નથી. તટસ્થ વ્યક્તિ ચક્રાંતર્ગત પ્રત્યેક વાદની અપેક્ષિત સબળતા કે નિર્બળતા સમજી શકે છે. તેથી મલવાદીએ આ બધા વાદને પંક્તિબદ્ધ કરવાને બદલે કે ક્રમાનુસાર વર્ણવવાને સ્થાને ચક્રબદ્ધ કરવાનો ઉદ્દેશ રાખ્યો છે. પંક્તિબદ્ધ રચનામાં તો કોઈ એક પંક્તિને પહેલી તથા કોઈ એકને છેલ્લી મૂકવી પડે અને ઉત્તરોત્તર ખંડન કરતાં આખરે છેલ્લી પંક્તિને વિજયી ઘોષિત કરવી રહે. પરંતુ વાદોને જો ચક્રબદ્ધ કરાય તો ચક્રને આરંભાત ન હોવાથી, કોઈ વાદનો આરંભ કે કોઈનો અંત નિર્ણિત કરવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી જ. આ પદ્ધતિમાં તો ખંડન-મંડનનું ચક્ર ચાલ્યા જ કરે છે, ફર્યા જ કરે છે.
આ ચક્રમાં આપણે અવલોકર્યું તેમ બાર આરા છે. દરેક ચાર આરા દીઠ એક નેમિ(માર્ગ) એવા કુલ ત્રણ નેમિ છે. મધ્યમાં સઘળા આરાઓના આધારસ્તંભ જેવું તુમ્બ(નાભિ) છે. પ્રત્યેક આરો એક સ્વતંત્ર નયવાદ છે. આ ચક્રમાંના છ આરાઓ દ્વવ્યાર્થિકદષ્ટિ વિશેષના છે અને શેષ છ આરા પર્યાયાર્થિકદષ્ટિ વિશેષના છે. પ્રસ્તુત ગ્રંથ સંસ્કૃતમાં છે.
નવ પછીના આ વિષયના ગ્રંથોનાં નિરીક્ષણથી સ્પષ્ટ થાય છે કે તેમણે સૌએ જૈનેતર દર્શનોના મતનું ખંડન કર્યું છે; જ્યારે મલવાદીના ગ્રંથમાં બધા મતોની તટસ્થ સમીક્ષા કરવામાં આવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નવા એ સ્વતઃ જૈન મંતવ્ય નથી, પરંતુ જે જે જૈનેતર મંતવ્ય પ્રચલિત હતાં એને પણ નય ના રૂપે સંગૃહીત કર્યા છે. નયની આવી લાક્ષણિક્તા મલવાદીને અજોડ દાર્શનિક તરીકે ખ્યાતિ સંપડાવી આપે છે. મલ્લવાદીના પૂર્વકાલીન અને સમકાલીન દાર્શનિક ગ્રંથો જે આજે અપ્રાપ્ય છે તેમના મતનો સંગ્રહ અને તેમની સમાલોચના જ્યમાં એકસાથે જોવાં પ્રાપ્ત થાય છે. આથી, મલ્લવાદીનો ગ્રંથ કેવળ જૈનદર્શનનો નહીં પણ સર્વદર્શનનો સર્વગ્રાહી સંગ્રહગ્રંથ છે એમ ખસૂસ સૂચવી શકાય. આ દૃષ્ટિથી આપણા રાષ્ટ્રના સમગ્ર દાર્શનિક વાડ્મયમાં નયનું સ્થાન અવશ્ય મહત્ત્વનું ગણવું જોઈએ.
મલ્લવાદીએ આ ઉપરાંત પારિત નામનો ૨૪000 શ્લોકપ્રમાણયુક્ત ગ્રંથ રચ્યો હોવાનું પ્રભાવકચરિતકારે નોંધ્યું છે. આ કૃતિ મૂળરૂપે લુપ્ત થઈ છે તેમ જ ટીકા રૂપેય ઉપલબ્ધ નથી.
પરિત એટલે “જૈન રામાયણ' એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી; કેમ કે પા=રામ અને વરિતકકથા એટલે કે “રામકથા'. જૈનોમાં “રામકથાની લોકપ્રિયતા એટલી પ્રચારમાં છે કે રામની કીર્તિને નિરૂપતાં અને રામાયણનું વિષયવસ્તુ નિરૂપતાં આશરે પચાસેક પુસ્તક હોવાનું જણાય છે.
અદ્યાપિ એવી માન્યતા રહેલી કે વિમલસૂરિ નામના જૈનાચાર્યે સૌ પ્રથમ પા નામનો રામની કથાને નિરૂપતો કથાગ્રંથ લખીને જૈન રામાયણની સૃષ્ટિ નિર્મિત કરી. લગભગ બધા જ વિદ્વાનો આ મતને અનુસરે છે. વિમલસૂરિએ ગ્રંથરચનાનો સમય વીર નિર્વાણ પ૩૦ હોવાનું જણાવ્યું છે ૯. છતાંય ગ્રંથમાંની સામગ્રીને ધ્યાનમાં રાખીને વિદ્વાનોએ આ ગ્રંથ ઈસુની પહેલી
For Personal & Private Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬૨
ક્ષત્રપકાલીન ગુજરાત સદીથી પાંચમી સદી સુધીની સમયાવધિ દરમ્યાન રચાયો હોવા વિશેની દલીલો અભિવ્યક્ત કરી છે. વિમલસૂરિએ ઉલ્લિખિત કરેલી મિતિ મુજબ આ ગ્રંથ ઈસુની પહેલી સદીમાં લખાયો હતો, પણ આ ગ્રંથનું સંપાદન કરનાર યાકોબી એની રચના ત્રીજી સદીના અંતમાં સૂચિત કરે છે. ઘણાબધા અધ્યેતાઓ યાકોબીના મતને સ્વીકારે છે. પરંતુ કે. આર. ચંદ્રાએ આ ગ્રંથમાં નિર્દિષ્ટ જનજાતિઓ, રાજ્યો, રાજનૈતિક ઘટનાઓ વગેરેનું વિગતે વિશ્લેષણ કરીને સાબિત કર્યું છે કે વિમલસૂરિનિર્દિષ્ટ મિતિ વીર નિર્વાણની નહીં પણ વિક્રમ સંવતની હોવી જોઈએ. તદનુસાર એમના પરમવરિય ગ્રંથ વિ. સં. પ૩૦=ઈસ્વી ૪૭૩માં રચાયો હોવાનું સ્પષ્ટ થાય છે
આપણે અગાઉ નોંધ્યું છે કે મલવાદી ઈસુની ચોથી સદીના છેલ્લાં બે કે ત્રણ ચરણમાં વિદ્યમાન હોવા જોઈએ. આથી, એમનું પારિત પુસ્તક પણ ચોથી સદી દરમ્યાન, ખાસ કરીને એના ઉત્તરાર્ધમાં કોઈક તબક્કે, લખાયું હોય. એટલે કે મલવાદીનો ગ્રંથ નિશ્ચિતપણે વિમલસૂરિ પૂર્વેનો ગ્રંથ ગણી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે પરિત ગ્રંથ જૈન પરંપરામાં રામકથાને સૌ પ્રથમ નિરૂપતો હોવાનો સંભવ સૂચિત થાય છે.
સિદ્ધસેન દિવાકર વિરચિત સન્મતિ પ્રકરણ ગ્રંથ ઉપર મલ્લવાદીએ ટીકા લખી હોવાનું જણાય છેઃ સન્મતિપ્રગટી. આ ગ્રંથ પણ ઉપલબ્ધ નથી. આમ મલ્લવાદીએ ત્રણ ગ્રંથ લખ્યા હોવાનું કહી શકાય. સ્થિરમતિ-ગુણમતિ
આ બંને વિદ્યાપુરુષ વલભી નજીકના એક વિહારમાં ૪૪ રહ્યા હતા અને બૌદ્ધ દર્શનના ગ્રંથો લખ્યા હતા, એવી વિગત યુઆન વાંગની પ્રવાસનો ધમાંથી ૫ જાણવા મળે છે.
સ્થિરમતિ આચાર્ય અસંગના શિષ્ય હતા, જ્યારે ગુણમતિ આચાર્ય વસુબંધુના. કેટલાક બંનેને વસુબંધુના શિષ્ય તરીકે ઓળખાવે છે. સંભવ છે કે ઉત્તરકાળમાં સ્થિરમતિ આચાર્ય વસુબંધુના શિષ્ય રહ્યા હોય છે.
આ બંને વિદ્વાનોએ ઠીક સંખ્યામાં ગ્રંથપ્રદાન કર્યું હોવાનું અનુમાન થઈ શકે, પરંતુ એમના મૂળ ગ્રંથોના ચીની અનુવાદ ઉપરથી એમની રચનાઓનો થોડોક ખ્યાલ પ્રાપ્ત થાય છે. સ્થિરમતિના એક ગ્રંથ મહાયાનમાંfપ્રાવેશિનો ચીની અનુવાદ ઉપલબ્ધ છે. ગુણમતિના એક ગ્રંથ સૂક્ષણાનુસારશાસ્ત્રનો ચીની અનુવાદ પરમાર્થે કર્યો હતો. આ ઉપરાંત સ્થિરમતિએ વસુબંધુના
પધર્મોશ, મધર્મસમુન્વય, વિંશિકા જેવા ઉપર ટીકા લખી હતી. મધ્યાન્તવિમા અને શ્રાશ્યપ પરિવર્ત નામના ગ્રંથોની ટીકા પણ સ્થિરમતિએ કરી હતી અને તે બંને ટીકા ઉપલબ્ધ છે. મહીયાનધર્મધાત્વશિષતશાસ્ત્રમાં સ્થિરમતિએ બૌધિસત્વોની કારકિર્દી વિગતે વર્ણવી છે. ગુણમતિએ વસુબંધુના
મધર્મોશ ઉપર વૃત્તિ લખી ભાવવિવેકના માધ્યમિક મતનું ખંડન કર્યું હતું. યોગાચારવાદના પ્રથમ મુખ્ય પ્રસ્થાપક અસંગ ગણાય છે. આને વિજ્ઞાનવાદ પણ કહેવાય છે. યોગાચારવિજ્ઞાનવાદનો વિકાસ થતાં અસંગની અસરથી વસુબંધુ પણ એનું પ્રતિપાદન કરતાં થયા. આથી ઉભયના શિષ્યદ્રય સ્થિરમતિ-ગુણમતિ ઉપર એમના ગુરુજનોની વૈચારિક અસર થઈ હોય અને તો તેઓએ યોગાચારવાદનો પ્રચાર ગુજરાતમાં કર્યો હોવાનું અનુમાન થઈ શકે.
For Personal & Private Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પંદર
૨૬૩
બંનેનો સમય
આ બંને વિદ્યાપુરુષના સમય વિશે ચોક્કસ અભિપ્રાય દર્શાવવો મુશ્કેલ છે. આપણે અવલોકી ગયા કે બંને વિદ્વાનો અસંગ-વસુબંધુના શિષ્યો હતા. એટલે આ ગુરુદ્રયના સમયના આધારે ગુરુબંધુના સમય સૂચિત કરી શકાય.
અસંગ અને વસુબંધુના જીવનકાલ ચોથી સદી દરમ્યાન હોવાનો સામાન્ય મત છે. નલિનાક્ષ દત્તના મતે અસંગ ઈસ્વી ૩૧૦ થી ૩૯૦૫૩ દરમ્યાન વિદ્યમાન હતા. એમ.પેરિને અનુસરીને ઈલિયટ વસુબંધુનો જીવનકાળ ઈસ્વી ૨૮૦થી ૩૬૦નો સૂચવે છે. જયારે તમાકુસુ અસંગને ઈસ્વી ૪૧૦થી પ00 વચ્ચે જીવિત હોવાનું અને વસુબંધુને ઈસ્વી ૪૨૦થી ૫૦૦ દરમ્યાન૫૫ વિદ્યમાન હોવાનું દર્શાવે છે. ઈન્સિંગ પણ વસુબંધુનો પાંચમી સદીના ઉત્તરાર્ધમાં જીવનકાળ સૂચવે છે. પ્રસ્તુત વિવિધ સમયાંકન મુજબ સ્થિરમતિ-ગુણમતિનો જીવનકાળ કાં તો ચોથી સદીના ઉત્તરાર્ધમાં, કાં તો પાંચમી સદીના ઉત્તરાર્ધમાં હોઈ શકે.
વસુબંધુને દિગાન નામનો શિષ્ય હતો, જેનો ઉલ્લેખ સિદ્ધસેન અને મલવાદીએ કર્યો છે. વિનયતોષ ભટ્ટાચાર્ય બૌદ્ધ પરંપરાનુસાર દિદ્ભાગનો સમય ઈસ્વી ૩૪૫થી ૪૨૫નો સૂચવે છે, જે આપણે અગાઉ જોઈ ગયા (પૃષ્ઠ ૨૬૦). એટલે દિનાગના સમકાલીન અને સંભવતઃ સહાધ્યાયીપલ એવા સ્થિરમતિ-ગુણમતિ પણ ચોથી સદીના ઉત્તરાર્ધમાં અને પાંચમી સદીના પ્રથમ ચરણ દરમ્યાન વિદ્યમાન હોવાનું સૂચવી શકાય.
સ્થિરમતિના એક ગ્રંથનો ચીની અનુવાદ ઈસ્વી ૩૯૭થી ૪૩૯ દરમ્યાન થયો હોવાનો સ્ત છે. એટલે મૂળ ગ્રંથના કર્તા આ સમય પહેલા વિદ્યમાન હોવાનું સૂચવી શકાય. તેથી સ્થિરમતિ ચોથી સદીના છેલ્લા બે ચરણમાં કાર્યરત હોવાના ઉપર્યુક્ત સંભવને સમર્થન પ્રાપ્ત થાય છે.
યોગાચારવાદના સંસ્થાપક બૌધિસત્વ મૈત્રેયનાથ અયોધ્યાના વતની હતા અને તેઓ ઈસ્વી ૨૭૦થી ૩૫૦ની વચ્ચે વિદ્યમાન હોવાનું દર્શાવાયું છે. આ મૈત્રેયનાથ પાસેથી અસંગે જ્ઞાન પ્રાપ્ત કરેલું અને ત્રણ ગ્રંથો રચ્યા હોવાનું મનાય છે. આથી, અસંગ ઈસ્વી ૩૦૦થી ૩૫૦ની સમયાવધિ દરમ્યાન વિદ્યમાન હોવાનું સ્પષ્ટ થાય છે, તો અસંગના લઘુબંધુ વસુબંધુ તથા ઉભયના શિષ્ય સ્થિરમતિ-ગુણમતિ પણ ઈસુની ચોથી સદીના પહેલા-બીજા, સંભવતઃ બીજા-ત્રીજા ચરણ દરમ્યાન કાર્યરત હોવાનું અનુમાન કરી શકાય. अंगविज्जा पइण्णय
આપણા દેશમાં જ્યોતિષના ત્રણ પ્રકાર છે : સિદ્ધાંત જયોતિષ, સંહિતા જયોતિષ અને હોરા જ્યોતિષ. અહીં આપણને નિસબત વિશેષ છે સંહિતા પ્રકારની જયોતિષવિદ્યા સાથે. આનો વિકાસ જીવનનાં વ્યાવહારિક ક્ષેત્રોમાં આ વિજ્ઞાનની આવશ્યક્તામાંથી થયો. આથી, માનવજીવન સંબંધિત સંખ્યાતીત બાબતો આ વિદ્યાના ગ્રંથોમાં આવરી લેવાઈ છે. અન્ય પ્રાણીઓની અપેક્ષાએ માનવ વિશેષ જિજ્ઞાસુ હોઈ એનામાં ફલિત ભાવનાનું તત્ત્વ વિશેષ છે જે જ્યોતિષનો પ્રાણ છે. ફલિતાર્થ જન્મે છે નિમિત્તમાંથી. અથર્વવેદથી આરંભી આપણા ઘણા ગ્રંથો
For Personal & Private Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ક્ષત્રપકાલીન ગુજરાત શાસ્ત્રો સંહિતા જયોતિષને વર્ણવે છે. માત્ર હિન્દુધર્મનાં જ નહીં, બૌદ્ધ અને જૈન ધર્મોમાં પણ જ્યોતિષશાસ્ત્રને સ્થાન સંપ્રાપ્ત થયેલું છે.
નિમિત્ત જ્ઞાન આઠ અંગનું છે : વ્યંજન, અંગ, સ્વર, ભીમ, છિન્ન, અંતરિક્ષ, લક્ષણ અને સ્વપ્ર૬૧. જૈનોએ અષ્ટાંગ નિમિત્ત જ્ઞાનનો વિકાસ સ્વતંત્ર રીતે કર્યો છે. આ આઠને સૂચક નિમિત્ત કહેવાય છે, જેમાં વસ્તુ કે ક્રિયાને સૂચના મળે છે. અહીં આપણને પ્રસ્તુત છે સૂચક નિમિત્તના આઠ પ્રકારમાંના એક પ્રકાર ના વિશેની ચર્ચાનું કેમ કે આઠેયમાં અં અંગેની વિદ્યા શ્રેષ્ઠ છે, બલકે સંવિધાથી અન્ય બધાં નિમિત્ત સ્પષ્ટ થાય છે.
આમ તો અંગવિદ્યા ઘણા સમયથી લોકપ્રચલિત વિદ્યા હતી અને છે. મનુસ્મૃતિ, ब्रह्मजालसूत, जातकग्रंथो, थानांगसूत्त, समवायांग, उत्तराध्ययनसूत्र, पाणिनीय व्याकरण इत्यादि ગ્રંથોમાં અંગવિદ્યા વિશે વત્તાઓછા નિર્દેશ છે. પરંતુ આ બધા ઉલ્લેખ આ વિદ્યાને નાસ્તિક ગણાવે છે. તેથી તે અંગેનું વિસ્તૃત જ્ઞાન આપણને હાથવગું થતું નથી. આથી, અંગવિધા એ કઈ વિદ્યા છે તેની કોઈ માહિતી ઉપર્યુક્ત આસ્તિકવાદી ગ્રંથોમાં નથી. માત્ર જૈનધર્મમાં પ્રસ્તુત વિદ્યા પરત્વેનો ગ્રંથ સચાઈ રહ્યો છે, જે આ વિદ્યા વિશે વિગતપ્રચૂર માહિતી આપણને સંપડાવી આપે છે. જૈનો પણ આ વિદ્યાને નાસ્તિક પ્રકારની ગણાવતા હોવા છતાંય દૃષ્ટિવાદ્ર નામના બારમા અંગમાં મહાવીરે નિમિત્ત જ્ઞાન દર્શાવતા આ વિષયનો ઉપદેશ આપ્યો હતો.
આમ, આ વિદ્યાનો ઉપયોગ ધાર્મિક દૃષ્ટિએ નિષિદ્ધ હોવા છતાંય એ વિદ્યાનાં અસ્તિત્વ અને પ્રચાર ચાલુ રહ્યાં. પરંતુ આ વિદ્યાની વિશેષ જાણકારી અહીં વર્ણિત પુસ્તકના પ્રકાશન પૂર્વે ન હતી. આ ગ્રંથનું પ્રાકૃત નામ છે સંવિના પય અને સંસ્કૃત નામ છે મંવિદ્યા પ્રા. પ્રસ્તુત ગ્રંથ અજ્ઞાતનામા એક જૈન મુનિએ કે ઘણા મુનિઓએ રચ્યો હોવો જોઈએ. ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે અને એમાં ગદ્ય તેમ જ પદ્ય ઉભયનો સુચારુ રીતે વિનિયોગ થયો છે.
આગમ ગ્રંથો ૮૪ છે અને એમાં ૩૦ પ્રકીર્ણક ગ્રંથો છે. અવલોકન હેઠળનો ગ્રંથ આ ત્રીસમાંનો એક છે. આ ગ્રંથની વિવિધ પ્રતો એકત્રિત કરી મુનિશ્રી પુણ્યવિજયજીએ એનું અન્વેષિત, અર્થઘટિત અને પ્રમાણભૂત સંપાદન પ્રસિદ્ધ કર્યું હતું.... આ ગ્રંથનું બાહ્ય સ્વરૂપ આ પ્રમાણે છે : ગ્રંથમાં કુલ ૬૦ અધ્યાય છે. છેલ્લો અધ્યાય પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગમાં વિભાજિત છે. પૂર્વ જન્મ માટેના ફલાદેશના પ્રશ્નો પૂર્વાર્ધમાં છે, તો આગામી જન્મ અંગેના પ્રશ્નો ઉત્તરાર્ધમાં. આઠ, નવ અને ઓગણસાઠમા અધ્યાયમાં અનેક પેટાવિભાગ છે : દા.ત. આઠમા અધ્યાયમાં ત્રીસ, નવમામાં બસો સિત્તેર અને ઓગણસાઠમાં બે. સમગ્ર ગ્રંથમાં નવા હજાર શ્લોક છે અને ગદ્ય અલગમાં. ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે. જૈન મુનિઓ વિહારાર્થે પાદપરિભ્રમણ કરતા રહેતા હોઈ પ્રાદેશિક ભાષાઓની અસર એમનાં લખાણમાં જોવી પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ અત્રતત્ર આવી અસર વર્તાય છે. આથી, અર્થઘટનમાં મુશ્કેલી ઊભી થાય છે. આ ગ્રંથમાં પાકૃત ભાષાના કેટલાક અભિનવ પ્રયોગો પણ જોવા મળે છે. પરિણામે પ્રાકૃત કોશમાં નવા શબ્દો ઉમેરવા પડે તેવું આલેખન આ ગ્રંથનું છે. સંપાદકે પાંચ પરિશિષ્ટના અર્પણ દ્વારા ગ્રંથને, વિશેષતઃ પંખીદર્શનન્યાયે, વાચકપ્રત્યક્ષ કર્યો છે.
For Personal & Private Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પંદર
૨૬૫
ગ્રહ-નક્ષત્ર-તારા-જન્મકુંડળી આધારિત ફલાદેશ આપવાનો આ ગ્રંથનો કોઈ હેતુ નથી. પણ એનું નામ સૂચવે છે તેમ મનુષ્યની સાહજિક પ્રવૃત્તિઓનાં નિરીક્ષણ માત્રથી તેમ જ તેનાં અંગોના વિવિધ પ્રકારના ભાવો ઉપરથી ફલાદેશનાં નિરૂપણ કરવાનો છે. આથી, મનુષ્ય ઉપરાંત એની સાથે સંબંધિત વિષયોનું વિપુલ વર્ણન અને તદ્વિષયક વૈવિધ્યપૂર્ણ માહિતી આ ગ્રંથમાં છે. તેથી આ ગ્રંથના સંપાદક એને ભારતીય વાડ્મયનો અપૂર્વ ગ્રંથ ગણાવે છે તથા વિશ્વવાડ્મયમાં આટલો વિષદ ગ્રંથ બીજો નથી એમ પણ સૂચવે છે. ફલાદેશનો આ મહાન ગ્રંથ હોવા છતાંય સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એનું મહત્ત્વ અજોડ છે અને આ કારણે તે ફક્ત ફલાદેશનો ગ્રંથ ના રહેતાં સમકાલીન સંસ્કૃતિને અભિવ્યક્ત કરતો આકરગ્રંથ બની રહે છે.
હસવું, રડવું, બેસવું, ઊભા રહેવું, પ્રશ્ન ક૨વો, નમસ્કાર કરવા, આલિંગન લેવું, ચુંબન કરવું જેવી મનુષ્યની વિવિધ ચેષ્ટાઓને સંખ્યાતીત ભેદપ્રકારમાં વિભાજીને વર્ણવી છે. વળી, મનુષ્યની સાથે સંલગ્નિત ઘણા પદાર્થોનો વિપુલ સંગ્રહ આ ગ્રંથમા આમેજ છે. દા.ત. ચાર વર્ણ, વિવિધ જાતિઓ, ઘણીબધી અટક, ગોત્ર, સગપણ-સંબંધ, કર્મ-ધંધા-વ્યાપાર, પૂર્વસમયના સિક્કાનાં નામ, અધિકાર અને આધિપત્યની બાબત, યાન-વાહન, પશુ-પંખી, નગર-ધર-સ્થાન-પ્રદેશ, વાસણો, આભૂષણો, ભોજનની વિવિધ વાનગીઓ, વિવિધ પ્રકારનાં પીણાં, આયુધો, વસ્ત્રો, વિવિધ પ્રકારનાં તેલ, ખનીજો, નદી-પર્વત, ઉત્સવ, રોગ, દેવ-દેવીઓ, નક્ષત્રો, વ્યાકરણ વગેરે વગેરેજ.
આમ, આ ગ્રંથ એક સાથે માનવશાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, વનસ્પતિવિદ, આયુર્વેદજ્ઞ, માનસશાસ્ત્રી, ઇતિહાસકાર એમ અનેક વિદ્યાશાખાઓના અન્વેષકને આકર્ષવા સક્ષમ છે. આ સહુને આ ગ્રંથમાંથી વિપુલ સામગ્રી હાથવગી થઈ શકે છે. આ કારણે એનાં અન્વેષણ ખસૂસ રસપ્રદ નીવડે તેમ છે. એટલું જ નહીં, આ ગ્રંથનું પૃથક્કરણાત્મક વિશ્લેષણ કરવાનું કાર્ય સંખ્યાબંધ અધ્યેતાઓના સંયુક્ત શોધકાર્યનાં પરિણામ ઉપર અવલંબે છે. આ રીતે, તત્કાલીન ભારતીય સંસ્કૃતિની સુંદર તસવીર આ ગ્રંથમાં જોવી પ્રાપ્ત થાય છે. આથી તો આને આપણા દેશની તત્કાલીન સંસ્કૃતિનાં નિરૂપણ માટેના જ્ઞાનકોશ તરીકે ઓળખાવીએ એ જ એનું યોગ્ય મૂલ્યાંકન ગણી શકાશે.
ગ્રંથનો સમય અને રચના પ્રદેશ
આ બંને બાબતે અંતિમ નિર્ણય અભિવ્યક્ત કરવો અસંભવ નહીં તો મુશ્કેલ તો છે જ. ગ્રંથમાં ઉલ્લિખિત કેટલીક બાબતોના સંદર્ભે સાધકબાધક ચર્ચા દ્વારા કેટલાક સંભવ બંને મુદ્દા અંગે પ્રસ્તુત કરવાનો એક પ્રયાસ અહીં છેલ્પ.
આ ગ્રંથના બંને પ્રસ્તાવનાકાર આ બાબતે ખાસ કોઈ વિવરણ આપણે સંપડાવી આપતા નથી. મોતીચંદ્ર, આ ગ્રંથમાં ઉલ્લિખિત સિક્કાઓ, રાચરચીલું અને વસ્ત્રાલંકારોના આધારે, તેનો રચનાકાળ ચોથી સદીનો સૂચવે છે. તો વાસુદેવશરણ અગ્રવાલના મતે આ ગ્રંથ કુષાણોના સત્તાકાળના અંતભાગમાં અને ગુપ્તકાળના આરંભે લખાયો હોય.
આ ગ્રંથ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં લખાયો છે. આ ભાષાનો વિનિયોગ પહેલપ્રથમ પશ્ચિમ
For Personal & Private Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૬
ક્ષત્રપકાલીન ગુજરાત ભારતમાં સાહિત્યિક પ્રવૃત્તિના માધ્યમ તરીકે ઈસુની પહેલી સદીમાં થયો હતો૭. આથી, ઈસુની પહેલી સદી પૂર્વે આ ગ્રંથની રચના થઈ હોય નહીં. બીજું આ ગ્રંથ પશ્ચિમ ભારતમાંના કોઈ ભૂભાગમાં લખાયો હોય તેવું આથી સૂચિત થાય છે. આ ગ્રંથમાં વાહનવ્યવહારના સંદર્ભમાં વિવિધ પ્રકારની હોડીઓનાં નામના નિર્દેશ થયા છે જેમાં મેટ્ટિ અને તHT ખાસ નોંધપાત્ર છે. પેરિપ્લસના લેખકે ભરૂચના બંદરનું વર્ણન કરતાં આ બંને નામની મોટા કદની હોડીના ઉપયોગ વિશે નોંધ કરી છે.... આથી, આ ગ્રંથની રચનાસમય પેરિપ્લસના સમકાલીન હોવાનું સૂચવી શકાય. પેરિપ્લસનો સમય સામાન્યતઃ પહેલી સદીના છેલ્લા ચરણનો સૂચવાયા છે. તો સંવિજ્ઞા પણ આ સમયે રચાયો હોય.
આ ગ્રંથમાં કયા શબ્દનો નિર્દેશ છે°. મથુરાના ઉખનનમાંથી ઘણા આયા પટ્ટ હાથવગા થયા છે. પરંતુ કોઈ પણ જૈનગ્રંથોમાં આ શબ્દનો ઉલ્લેખ નથી૧. મથુરામાંથી ઉપલબ્ધ “આયાગપટ્ટીને સામાન્યતઃ શુંગકાળના છેલ્લા તબક્કાનો મૂકી શકાય. આથી પ્રસ્તુત ગ્રંથકર્તા આયાગપટ્ટનો મહિમા પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય ત્યારે વિદ્યમાન હોય. અર્થાત્ ઈસુની પહેલીબીજી સદી દરમ્યાન આ ગ્રંથ લખાયો હોય.
અષ્ટમંત્તિ નામના આભૂષણનો નિર્દેશ ધ્યાનયોગ્ય છે. મથુરાના આયાગપટ્ટોમાં અષ્ટમંગલ ચિહ્ન રજૂ થયાં છે, જેનો સમય ઈસુની પહેલી સદીના પ્રારંભનો સૂચવાય છે. પરંતુ કુષાણકાળના આરંભ સુધી અષ્ટમંગલ ચિહ્નના પટ્ટની નિશ્ચિતતા અંકાઈ ન હતી. આમ, આ શબ્દનો પ્રયોગ ઈસુની આરંભની સદીઓમાં પ્રચારમાં આવ્યો હોઈ મંછાવિજ્ઞાના લેખક આ સમય દરમ્યાન વિદ્યમાન હોવા જોઈએ.
પ્રસ્તુત ચર્ચા ઉપરથી એવું ફલિત થાય છે કે ગંગાવિજ્ઞાની રચના ઈસુની પહેલી કે બીજી સદી દરમ્યાન થઈ હોવી જોઈએ. પરંતુ આ ગ્રંથમાં કેટલાક સિક્કાઓનાં નામનો નિર્દેશ આ બાબતે નોંધપાત્ર બની રહે છે. આ નામોમાં વત્તપનામના સિક્કાનો ઉલ્લેખ આપણી સમયનિર્ણયની ચર્ચામાં ઉપાદેયી નીવડે છે. આ નામ ક્ષત્રપ રાજાઓના સિક્કાના સંદર્ભમાં પ્રયોજાયો હોવાનું સૂચવાય છે. અન્ય કોઈ આભિલેખિક કે સાહિત્યિક સામગ્રીમાં વૃત્તપનો નિર્દેશ નથી. સંવિનામાં આ પ્રયોગ પહેલપ્રથમ થયો છે. સંભવ છે કે આ ગ્રંથકર્તાને ક્ષત્રપ રાજાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હોય અને તો આ ગ્રંથની રચના ક્ષત્રપોના સત્તાકાળ દરમ્યાન થઈ હોય અને તે ગુજરાત પ્રદેશમાં લખાયો હોય. ગુપ્તોના ચાંદીના સિક્કા રૂપ નામથી ઓળખાતા હતા, જેનો ઉલ્લેખ કરવામાં નથી. ચાંદીના ગુપ્ત સિક્કા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યથી શરૂ થયા હોઈ આ ગ્રંથનું આલેખન તે પૂર્વે થયું હોવું જોઈએ.
બીજું ક્ષત્રપ રાજાઓના સિક્કા ઝાષપ નામથી ઓળખાતા હતા તે આપણે અગાઉ અવલોકી ગયા છીએ. તેથી આવું અધિકૃત નામ પ્રયોજવાને સ્થાને નવું નામકરણ પ્રયોજવા માટે એક જ આશય હોય અને તે એ કે ગ્રંથકર્તા આ રાજાઓના નિર્દોના પરિચયમાં કે એમના અંતરંગ વર્તુળમાંનો એક હોય એવું કહી શકાય અને તેથી એણે અધિકૃત નામને સ્થાને વહાલસોયું એવું અભિનવ નામ યોજવાનું મુનાસિબ માન્યું હોય એવી દલીલ તાર્કિક જણાય છે. આથી, રવૃત્તપ શબ્દના પ્રયોગથી બે સંભવિત ઉકેલ હાથવગા થયા છે : ૧. પ્રસ્તુત ગ્રંથના
For Personal & Private Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પંદર
૨૬૭ રચયિતા આ રાજાઓના સમકાલીન હોવા જોઈએ અને ૨. આ ગ્રંથકર્તા આ સિક્કાઓ જ્યાં પ્રચલિત હતા તે પ્રદેશમાં રહેતા હોવા જોઈએ. ગુજરાતમાં આ ગ્રંથ લખાયો હોય તેને સમર્થનમાં મોટું, સુસ્મિ જેવા શબ્દો નોંધપાત્ર ગણાય. વળી આ ગ્રંથમાં વરાહમિહિરનો નિર્દેશ નથી, બલકે જ્યારે વરાહમિહિર અંગવિદ્યાનો ઉલ્લેખ કરે છે. વરાહમિહિર છઠ્ઠી સદીમાં વિદ્યામાન હતા. આથી આ ગ્રંથ તે પૂર્વે અવશ્ય રચાયો હોય. પાદલિપ્તાચાર્ય
પ્રભાવક ચરિતકાર પાદલિપ્તને પાલિતાણા(અગાઉનું પાદલિપ્તપુર)ના વતની હોવાનું જણાવે છે. જૈન અનુશ્રુતિ અનુસાર પાદલિપ્તાચાર્યમાં બુદ્ધિચાતુર્ય, મંત્રશક્તિ અને યંત્રપ્રવીણતા સવિશેષ હતાં. પ્રમાવવરિત મુજબ પાદલિપ્તને ઢંકપુરી(ઢાંક)માં સિદ્ધ નાગાર્જુનનો સમાગમ થયો હતો. નાગાર્જુને પોતાના આ ગુરુના સ્મરણમાં શત્રુંજયની તળેટીમાં પાદલિપ્તપુર વસાવ્યું હતું અને મહાવીરની પ્રતિમા તથા પાદલિપ્તની મૂર્તિ પ્રસ્થાપ્યાં હતાં. એમણે તરંપાવતી નામની એક ધર્મકથા પ્રાકૃતમાં લખી હતી, જે ઉપલબ્ધ નથી. ખ્યોતિરંડ% નામના આગમ ગ્રંથ ઉપર એમણે વૃત્તિ લખી છે. ઉપરાંત તેમણે દીક્ષા અને પ્રતિષ્ઠાવિધિ અંગે નિર્વાણત્રિ ગ્રંથ રચ્યો હતો. તેઓ ઈસુની આરંભની સદીઓમાં કોઈક તબક્કે વિદ્યમાન હોવાનું મનાય છે. આચાર્ય વજભૂતિ
- ભરુકચ્છ નિવાસી આ જૈનાચાર્ય પ્રસિદ્ધ કવિ હતા. પરંતુ એમની કોઈ રચના ઉપલબ્ધ નથી. વ્યવહારસૂત્રના ભાષ્યમાં અને તે વિશેની ટીકામાં વજભૂતિને નહપાનના સમકાલીન ગણાવ્યા છે. તેથી આ આચાર્ય ઈસ્વીની પહેલી સદીના બીજા કે ત્રીજા ચરણમાં વિદ્યમાન હોવાનું સૂચવી શકાય. વ્યવહારસૂત્ર અનુસાર વજભૂતિ અને નહપાનની રાણી પદ્માવતી વચ્ચે નાનકડા સંવાદની હકીકત આચાર્યની કવિતા વિશે પ્રકાશ પાથરે છે.... દુર્ગાચાર્ય,
આચાર્ય ભાસ્ક રચિત નિરુઝ ઉપર ટીકા લખનાર દુર્ગાચાર્ય જંબુસરના વતની હતા અને ઈસ્વીના પહેલા કે બીજા સૈકામાં વિદ્યમાન હતા. દુર્ગ અથવા ભવગદુર્ગ એમનું અપનામ હોવાનું જણાય છે. નિરુ$ ટીકાના પ્રત્યેક અધ્યાયના અંતે દુર્ગાચાર્ય પોતાને ગંડુમffશ્રમવાસી તરીકે ઓળખાવે છે. ઉપસંહાર
અત્યાર સુધીનાં વિવરણ ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે સંખ્યાની દૃષ્ટિએ સાહિત્યિક પ્રવૃત્તિઓ પ્રમાણમાં ઓછી થઈ છે. પણ જે રચનાઓ ઉપલબ્ધ છે તે ઉપરથી તેમ જ અભિલેખોની સમીક્ષા ઉપરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે સાહિત્યની ગુણવત્તા વરેણ્ય પ્રકારની અને વરિષ્ઠ પદ્ધતિની હતી.
પાદનોંધ ૧. આ લખાણનો સંપૂર્ણ પાઠ પરિશિષ્ટ નવમાં આપ્યો છે.'
For Personal & Private Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૮
ક્ષત્રપકાલીન ગુજરાત ૨. ઇએ., પુસ્તક ૪૨, પૃષ્ઠ ૧૮૮થી. ૩. પ્રદરવિતરVT વિમુખ અને સદણ શત્રુ (પંક્તિ ૧૦).
વિધેયાનાં યૌધેયાનાં (પંક્તિ ૧૨). યથાર્થ-દસ્લોટ્ટીયાનિતોfનત ધર્માનુરીન (પંક્તિ ૧૨-૧૩).
વાયદાનાં વિદ્યાનાં (પંક્તિ ૧૩) વગેરે.. ૪. યુનિધન-દશ-પર-હોર વેગેન (પંક્તિ ૬-૭).
નિસ્કૃત સળં-તોય મ-ધન્વ-ઋત્વમ્ (પંક્તિ ૮). ૫. મા પ્રકૃતિ મુવિ][]ષ ની ધારણા પુત: (પંક્તિ ૯). - વનિશુ-મૌઃ નવરાત-વઝ-વૈદૂર્ય-રાપરય વિન્ડમાન વોશેન (પક્તિ ૧૪). ૬. પુર્નજેન %િાઈવભૂતાવામિવ fથવ્યાં તીલાં (પંક્તિ ૫). ૭. શન ટ્રાન્તના વપલ્તના વિસ્મિતેના માર્ગે દોર્યેા (પંક્તિ ૧૯). ૮. અથવપ્રારંધર્માર્થાન વિષયનાં વિષયાખi (પંક્તિ ૧૧).
અને માન્ય પ્રાપ્ત ટ્રાન્ના મહાક્ષત્રવેન ફુકવાના (પંક્તિ ૧૫). श्लेषः प्रसादः समता समाधिर्माधुर्यमोजः प्रदसौकुमार्यम् ।।
अर्थस्य च व्यक्तिरुदारता च कान्तिश्च काय्यार्थगुणा दशैते ॥ (२.९२) ૧૦. શ્લેષ: પ્રાતઃ સમતા મયુર્ણ સુકુમારતા |
મર્થwગુનારત્વમોગ: ઋત્તિસમાધવે (પરિચ્છેદ ૨, શ્લોક ૪૨). ૧૧. પ્રસ્તુત મહાતૂપ વિશે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ઓગણીસ. ૧૨. ઐતિહાસિક લેખના પાઠ માટે જુઓ પરિશિષ્ટ નવ. ૧૩. દા.ત. સર્વિતિ, સૃષ્ટિમwતો, મદ વગેરે. ૧૪. કલ્યાણવિજયજી, જૈનકાલગણના, પૃષ્ઠ ૧૦૪થી ૧૦૯. ૧૫-૧૬. અનુક્રમે એજન, પૃષ્ઠ ૧૧૦-૧૧૧ અને ૧૧૨-૧૧૮. ૧૭. મુનિ કલ્યાણવિજયજી બધાં પાસાંની ચર્ચા કરી મહાવીરનો નિર્વાણ-સમય ઈસ્વીપૂર્વ ૫૨૮ના
ઓક્ટોબર કે નવેમ્બરમાં થયો હોવાનું સ્પષ્ટ કરે છે (એજન, પૃષ્ઠ ૧૫૯-૧૬૦). ૧૮. સિદ્ધસેનના જીવન વિશેની વધુ માહિતી માટે જુઓ રસેશ જમીનદારનો લેખ : “સિદ્ધસેન સૌર મન્નવાહી
I સમય', કર્મવીર આનંદપ્રિય અભિનંદન ગ્રંથ, ૧૯૭૫. ૧૯. પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજી, સન્મતિ પ્રકરણ (ગુજરાતી આવૃત્તિ), પૃષ્ઠ ૫૮. ૨૦. “વૃદ્ધવાદી પ્રબંધ', પૃષ્ઠ ૮૯થી. ૨૧. બીજી એક જૈન પરંપરા સિદ્ધસેનને વિક્રમાદિત્યના સમકાલીન અને ઉર્જનનિવાસી ગણે છે. પરંતુ
જૈન ન્યાયનો ક્રમિક વિકાસ અને તેમાં સિદ્ધસેનનું ઉપાદેયી સ્થાન ધ્યાનમાં લેતાં તેઓ વિક્રમાદિત્યના સમકાલીન હોવાની જૈન પરંપરા સ્વીકારવી યોગ્ય જણાતી નથી (સુખલાલજી, ગુજરાતી સાહિત્ય
પરિષદ, વિભાગ છઠ્ઠો, ભાવનગર, ૧૯૨૬, પૃષ્ઠ ૩-૪). ૨૨. જુઓ હવે પછી “મલ્લવાદીનો સમય' અંગેની ચર્ચા. ૨૩. જુઓ સમયનિર્ણય વાતે પાદનોંધ ૧૮ મુજબનો સંદર્ભ. ૨૪. આ ગ્રંથનું શ્રદ્ધેય અને પ્રમાણભૂત સંપાદન પંડિત સુખલાલજી અને બેચરદાસ દોશી એ પાંચ ભાગમાં
For Personal & Private Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પંદર
૨૬૯
કર્યું છે (જુઓ રસેશ જમીનદાર, કૉન્સેપ્ટ ઑવ ઈન્ડોલૉજી, ૧૯૭૩, પૃષ્ઠ ૧૯-૨૦). એની ગુજરાતી લઘુ આવૃત્તિ પણ એ બંનેએ પ્રગટ કરી છે. ગુજરાતી આવૃત્તિની વિસ્તૃત પ્રસ્તાવનામાં એમણે
સિદ્ધસેનના જીવન, કવન અને સમયની વિગતે છણાવટ કરી છે. ૨૫. સન્મતિ પ્રકરણ, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૧૪૫. ૨૬. એજન, પૃષ્ઠ ૧૫૫-૫૬, ગ્રંથમાં નિરૂપિત મુખ્ય વિષય અને એના સ્વરૂપની વિગતો વાસ્તુ જુઓ સદર
ગ્રંથ, પૃષ્ઠ ૧૬૩થી ૧૭૦. ભાવનગરની ધર્મપ્રચારક સભાના ઉપક્રમે આ બધી બત્રીસીઓ મુદ્રિતરૂપે પ્રકાશિત થઈ છે. જો કે બધી જ બત્રીસીઓમાં બત્રીસનું શ્લોકપ્રમાણ સચવાયું નથી; કેમ કે મુદ્રિત સંગ્રહમાં બધી બત્રીસીઓના કુલ ૬૯૫ શ્લોક છે. એટલે કે નવ શ્લોકની વધઘટ છે. ૨૧મી બત્રીસીમાં ૩૩ પદ્ય છે, તો ૮મી, ૧૧મી, ૧પમી અને ૧૯મીમાં ૩૨થી ઓછા શ્લોક છે. આ વધઘટ મૂળ લેખકની હશે કે અનુકલમાં થઈ
હશે કે મુદ્રણ માટેની પ્રતના અધૂરાપણાને લઈને હશે તે કહેવું મુશ્કેલ છે. ૨૮. જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩, અંક ૧, પૃષ્ઠ ૧૨૧. ૨૯. સુખલાલજી, એજન, પૃષ્ઠ ૧૨૩-૨૪. ૩૦. જુઓ રસેશ જમીનદાર, “સિદ્ધસેન ઔર મલવાદીકા સમય', કર્મવીર આનંદપ્રિયજી અભિનંદન ગ્રંથ,
વડોદરા, ૧૯૭૫. ૩૧. એજન. ૩૨. જંબુવિજયજી, શ્રી આત્માનંદ પ્રકાશ, પુસ્તક ૪૫, અંક ૭, વિ. સં. ૨૦૦૪, પૃષ્ઠ ૧૩૭. ૩૩. સૌ પ્રથમ પ્રયાસ આચાર્યશ્રી વિજયલબ્ધસૂરિએ કર્યો. તેમણે નવ આરાનો સમાવેશ કરી કુલ ચાર
ભાગ અનુક્રમે ૧૯૪૮, ૧૯૫૧, ૧૯૫૭ અને ૧૯૬૦માં પ્રકાશિત કર્યા છે. બીજો પ્રયત્ન વડોદરા સ્થિત પ્રાચ્ય વિદ્યામંદિર નામની સંસ્થાના ઉપક્રમે પંડિત લાલચંદ ગાંધીએ કર્યો અને ચાર આરાને સમાવતો એક ભાગ ૧૯૫૨માં પ્રસિદ્ધ કર્યો. ત્રીજો પ્રયાસ જૈન આત્માનંદ સભા(ભાવનગર)ના
આશ્રયે શ્રી જંબૂવિજયજીએ કર્યો. ૩૪. દલસુખ માલવણિયા, પ્રેમી અભિનંદન ગ્રંથ, પૃષ્ઠ ૩૧૩. ૩૫. જુઓ : શ્રી આત્માનંદ પ્રકાશ, પુસ્તક ૪૫, અંક ૭ના પૂંઠા ઉપરની આકૃતિ. ૩૬. કહેવાય છે કે મલવાંદીના ગ્રંથો બૌદ્ધ આચાર્ય બુદ્ધાનંદે અપ્રાપ્ત કર્યા હોવાની જૈન અનુશ્રુતિ પ્રચલિત
છે. (પ્રભાચંદ્રાચાર્યકૃત પ્રમાવરિત, સંપાદક મુનિ જિનવિજયજી, ભાવનગર, ૧૯૩૧, શ્લોક ૭૨ અને ૭૩). વિગતે આ અનુશ્રુતિ ઐતિહાસિક હોય કે ના હોય અને આ ગ્રંથ (વરિત) આજે
ઉપલબ્ધ ના હોય તો પણ એટલું તો સ્વીકાર્ય બને છે કે તેમણે આ નામનું એક કાવ્ય રચેલું હતું. ૩૭. જુઓ ૫૩મરિય, ભાગ ૧ (સંપાદક યાકોબી અને પુનર્સપાદક મુનિ પુણ્યવિજયજી), ૧૯૬૨, અંગ્રેજી
પ્રસ્તાવના, પૃષ્ઠ ૧થી ૩. ૩૮. મુનિ જિનવિજયજી, વસંત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ, ૧૯૨૭, પૃષ્ઠ ૨૬૦. ૩૯. પંરેવ ય વાસસયા, દુસમા તીસ વરસ સંગુતા |
વીરે સિદ્ધ ૩વI, 7ો વિદ્ધ રૂ વરિયમ્ | પર્વ ૧૧૮, શ્લોક ૩૦૦. ૪૦. જુઓ પાદનોંધ ૩૭ મુજબ, અંગ્રેજી પ્રસ્તાવના, પૃષ્ઠ ૮થી. ૪૧. ‘ન્ય લાઈટ ઑન ધ ડેટ ઑવ પઉમરિયમ્', જોઇ., પુસ્તક ૧૩, અંક ૪, પૃષ્ઠ ૩૭૮થી ૩૮૬.
જૈન પરંપરામાં કેટલીક જગ્યાએ વિક્રમ સંવતને સ્થાને, ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને, વીર નિર્વાણનો નિર્દેશ હોવાનું સૂચવાય છે. દા.ત. વલભી ભંગની મિતિ ૮૪૫ એ વીર નિર્વાણની નહીં પણ
For Personal & Private Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
૨90
ક્ષત્રપકાલીન ગુજરાત | વિક્રમસંવતની હોવાનું પ્રતિપાદિત થયું છે. (જુઓ : હ.ગં.શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત, પૃષ્ઠ ૧૫૮). ૪૨. જુઓ આ ગ્રંથમાં પૃષ્ઠ ૨૬૦. ૪૩. પરિત સંદર્ભે, મલવાદીએ બૌદ્ધો સાથે કરેલા વિવાદ વિશેના સમય અંગે જેવા મુદ્દાઓ વિશે જુઓ
આ લેખકના બે લખે : “રામકથા અને મલવાદી', વિદ્યાપીઠ, પુસ્તક ૫, અંક ૫, પૃષ્ઠ ૨૨૭થી ૨૮, ૧૯૬૭ અને “ધ રામ સ્ટોરી એન્ડ ધ મલ્લાવાદીસૂરિ', જોઇ., ૧૯૬૮, પુસ્તક ૧૭, અંક
૩, પૃષ્ઠ ૨૩થી ૨૩૯. ઉપરાંત જુઓ : રસેશ જમીનદાર, ઇતિહાસ સંશોધન, પ્રકરણ ૧૦. ૪૪. આ વિહાર આચાર્ય અહ, અચલે બંધાવ્યો હતો અને તે વલભી નજીકના તળાજાના ડુંગરોમાં આવેલો
હોવા સંભવે છે (વધુ વિગત વિશે જુઓ : હી.અ.શાહ, પુરાતત્ત્વ, પુસ્તક ૧, પૃષ્ઠ ૯૯થી ૧૨૨). ૪૫. બીલ, રિકૉર્ડઝ, પુસ્તક ૨, પૃષ્ઠ ૨૬૮; વોટર્સ, ટ્રાવેલ્સ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૪૭. ૪૬. કલાસિક્લ એજ, પૃષ્ઠ ૩૯૦. ૪૭. સ્થિરમતિ નાલંદા વિદ્યાપીઠના અધ્યાપક હતા, અને વિહાર કરતા કરતા વલભી આવ્યા હતા. તેઓ
દંડકારણ્યના વતની હતા, જ્યારે ગુણમતિ વલભીના. ઉભયના જીવનકાળનો વિશેષ સમય વલભીમાં
વ્યતિત થયો હોવાનું સૂચવાયું છે. અહીં રહી બંનેએ ગ્રંથરચનાપ્રવૃત્તિ કરી હોવાનું જણાય છે. ૪૮. ઇલિયટ, હિન્દુઈઝમ એન્ડ બુદ્ધિઝમ, પુસ્તક ૨, પૃષ્ઠ ૯૪; તમાકુસુ, ઈન્સિંગ, પૃષ્ઠ ૨૨૬. ૪૯. વોટર્સ, ટ્રાવેલ્સ., પુસ્તક ૨, પૃષ્ઠ ૧૦૯; કલાસિક્લ એજ, પૃષ્ઠ ૩૯૦, પરમાર્થનો સમય ઈલિયટ
ઈસ્વી ૪૯૯થી પ૬૯નો સૂચવે છે (એજન, પૃષ્ઠ ૭૮) તો રમેશચંદ્ર મજુમદાર પણ પરમાર્થનું અવસાન ઈસ્વી પ૬૯માં થયું હોવાનું નોંધે છે (કલાસિક્ત એઇજ, પૃષ્ઠ ૬૧૧). નલિનાક્ષ દત્ત નોંધે
છે કે પરમાર્થ વલભીમાં રહી ભણ્યા હતાં. (એજન, પૃષ્ઠ ૩૮૪). ૫૦. ઇલિયટ, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૦. ૫૧. કલાસિક્સ એજ, પૃષ્ઠ ૩૯૦; તમાકુસુ, ઇસેન્શિયલ્સ ઑવ બુદ્ધિસ્ટ ફિલૉસફિ, પૃષ્ઠ ૧૫૧. ૫૨. યોગ (=વિચારણા) અને આચાર (=આચરણ)ના સંયોગ ઉપરથી કે યોગ (Gધ્યાન)ના આચાર ઉપરથી
આવું નામાભિધાન થયું જણાય છે. વિજ્ઞાનવાદમાં બાહ્યની વાસ્તવિક્તાના નિષેધ સાથે ચિત્તમાં આલય કરનાર વિજ્ઞાનની વાસ્તવિક્તાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અસંગના મતે તે યોવારવટું છે અને વસુબંધુના મતે વિજ્ઞાનવાઃ. ફિલસૂફીનું વ્યવહારુ લક્ષણ તે યોવારવાદ છે, તો એનું તાર્કિક પાસું તે વિજ્ઞાનવાદ્રિ
(જુઓ : બાપટ સંપાદિત ગ્રંથ, ટ્વેન્ટી ફાઈવ હન્ડેડ ઇયર્સ ઑવ બુદ્ધિઝમ, પૃષ્ઠ ૧૨૨-૨૩). પ૩. કલાસિક્લ એજ, પૃષ્ઠ ૩૮૯. ૫૪. હિન્દુઈઝમ એન્ડ બુદ્ધિઝમ, પુસ્તક ૨, પૃષ્ઠ ૮૭. ૫૫. ઇસેન્શિયલ્સ ઑવ બુદ્ધિસ્ટ ફિલૉસફિ, પૃષ્ઠ ૧૦૦, પાદનોંધ ૯ અને ૧૦; જરૉએસો., ૧૯૦૫, પૃષ્ઠ
૪૩થી. ૫૬. જરૉએસો., ૧૯૦૫, પૃષ્ઠ ૩૯-૪૦. ૫૭. પાદનોંધ ૫૪ મુજબ, પૃષ્ઠ ૯૪. ૫૮. જુઓ પાદનોંધ ૫૫, પૃષ્ઠ ૧૦૧-૦૧. ૫૯. કેમ કે સ્થિરમતિ-ગુણમતિ પણ અસંગ-વસુબંધુના શિષ્ય હતા તેથી. ૬૦. જુઓ પાદનોંધ પ૪, પૃષ્ઠ ૯૪; તમાકુસુ, ઈન્સિંગ., પૃષ્ઠ ૨૨૬. ૬૧. નલિનાક્ષ દત્ત, કલાસિકલ એજ, પૃષ્ઠ ૩૮૯. ૬૨. જુઓ મદ્રવદુસંહિતા (સંપાદક નેમિચંદ્ર શાસ્ત્રી, હિન્દી અનુવાદ સહિત), ૧૯૫૯, પ્રસ્તાવના પૃષ્ઠ ૯થી
૧૫. આમ તો સિદ્ધાંત, સંહિતા અને હોરા એમ જ્યોતિષવિદ્યાની આ ત્રણેય પદ્ધતિ વિશે આ ગ્રંથની
For Personal & Private Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પંદર
૨૭૧
પ્રસ્તાવના જોવી.
૬૩. જુઓ : અંગવિખ્ખા (મુનિશ્રી પુણ્યવિજયજી સંપાદિત) પ્રથમ અધ્યાય, શ્લોક ૨.
૬૪. એક એવી માન્યતા છે કે અષ્ટાંગ નિમિત્ત જ્ઞાન ઉપર ગ્રીસ અને રોમની અસર છે; પરંતુ આ મત સ્વીકાર્ય નથી કેમ કે રાશિ-ગ્રહ-નક્ષત્ર-વ્યતિપાતના સ્વરૂપે જ્યોતિષનો પ્રચાર ગ્રીકોના આગમન પૂર્વે આપણા રાષ્ટ્રમાં વિદ્યમાન હતો., મેક્સ મ્યૂલર પણ નોંધે છે કે આકાશનું રહસ્ય જાણવાની ભારતીયોની ભાવના વિદેશી પ્રભાવથી ઉદ્દભવી ન હતી પણ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થઈ હતી (સેક્રેડ બુક્સ ઑવ ધ ઇસ્ટ, પુસ્તક ૧૩, પૃષ્ઠ ૧૩૦). ફ્રેન્ચ પ્રવાસી ફ્રાન્ક્વીસ બર્નીયર પણ આ મતનું સમર્થન કરે છે (જુઓ પાદનોંધ ૬૨માં ઉલ્લિખિત ગ્રંથની પ્રસ્તાવના, પૃષ્ઠ ૩૧).
૬૫. મનુસ્મૃતિ, અધ્યાય ૬, શ્લોક ૫૦; બ્રહ્મજ્ઞાનસૂત્ત, પૃષ્ઠ ૧૬થી ૧૮ (રીઝ ડેવિડ્ઝ સંપાદિત); નાતગ્રંથો (૬, ૨૯૦; ૨, ૨૧, ૨૦૦, ૨૫૦; ૩, ૧૨૨, ૧૫૮, ૨૧૫; પૃષ્ઠ ૨૧૧ અને ૪૫૮); થાનાંળસૂત્ત, ૩, ૬, ૭૮; ઉત્તરાધ્યયનસૂત્ત, અધ્યાય ૮, શ્લોક-૧૩, પૃષ્ઠ ૩૧૪; પિિન, ૧.૪.૩૯, રૂ.૨.૫.૫૩, ૪.૩.૭૩ (તથા રૂન્ડિયા નોન ટુ પાળિનિ, પૃષ્ઠ ૩૨૬-૨૭).
૬૬. ઉત્પત્તિ, નિમિત્ત, નક્ષત્ર અને અંગવિદ્યાના વિજ્ઞાનોનો ઉપયોગ કરનાર પાસેથી બ્રાહ્મણોએ દક્ષિણા સ્વીકારવી નહીં એવું મનુસ્મૃતિ નોંધે છે. બૌદ્ધો પણ એના સાધુઓને આ વિજ્ઞાનનો ઉપયોગ ન કરવાનું સૂચવે છે. બ્રહ્મજ્ઞાનસૂત્તમાં નિમિત્ત, ઉત્પત્તિ, અંગવિદ્યા, વાસ્તુવિદ્યા, યુદ્ધવિદ્યા અને નૈમિત્તવિદ્યાના વિજ્ઞાનોનો નિષેધ દર્શાવાયો છે. એટલે કે આ બધાંનો વિનિયોગ ના કરવો. જૈનો પણ આવી વિદ્યાઓ પ્રત્યે પ્રતિબંધ સૂચવે છે. ઉત્પત્તિ, નિમિત્ત, મંત્ર, ચિકિત્સા, કલા, આવરણ, અજ્ઞાન, મિથ્યાપ્રવચન વગેરે વિદ્યાઓ થાંગસૂત્ત પ્રમાણે પાપયુક્ત છે માટે તેનો વ્યવહાર ના કરવો. તો સમવાયાં સૂત્તમાં ભૌમ, ઉત્પત્તિ, સ્વપ્ર, અંતરિક્ષ, અંગ, સ્વર, વ્યંજન, લક્ષણ, અર્થકામ, મંત્રાનુયોગ, યોગાનુયોગ વગેરેનો નિષેધ સૂચવ્યો છે. જેઓ સંગવિદ્યાનોનો વ્યવહાર કરે છે તેઓ ઉત્તરાધ્યયનસૂત્ત પ્રમાણે શ્રમણ નથી. (આ બધાં વિધાનોનાં સંધર્મ માટે જુઓ પાદનોંધ ૬૫).
૬૭. જુઓ : ગંવિષ્ના ગ્રંથમાંની વાસુદેવ શરણ અગ્રવાલની હિન્દી પ્રસ્તાવના, પૃષ્ઠ ૫૭.
૬૮. આ ગ્રંથનો પ્રકાર સંહિતાનો છે. એનો સમાવેશ આગમોમાં પણ થયો છે. ઉભયમાં એટલે સંહિતા અને આમમાં એક કરતાં વધારે લેખકોનો એમાં સહયોગ હોય છે. આથી, આ ગ્રંથ પણ સંખ્યાબંધ મુનિઓ દ્વારા રચાયો હોવાનો સંભવ છે. ગ્રંથના આંતર્સ્વરૂપનો અભ્યાસ પણ આ બાબતને સમર્થે છે. આ ગ્રંથમાં ક્યાંય એના રચિયતાની કે રચયિતા વિશેની કોઈ નોંધ નથી. જેમ કર્તા વિશે છે તેમ તેના કાર્ય પ્રદેશ વિશે છે. આ ગ્રંથના રચના પ્રદેશ વિશે કોઈ ચોક્કસ નિર્ણય દર્શાવી શકાતો નથી. ૬૯. જુઓ પ્રાકૃત સાહિત્ય ા કૃતિહાસ, પૃષ્ઠ ૧૨૩થી ૧૨૯.
૭૦. ૧૯૫૭માં પ્રાકૃત ગ્રંથ પરિષદ (વારાસણી)ના ઉપક્રમે આ ગ્રંથ પ્રકાશિત થયો છે. મોતીચંદ્રજીએ આ
ગ્રંથ વાસ્તે અંગ્રેજીમાં પ્રસ્તાવના લખી છે, તો વાસુદેવ શરણ અગ્રવાલે હિન્દી પ્રસ્તાવના લખી છે. તેમણે સિક્કાઓ વિશે અંગ્રેજીમાં પણ એક નોંધ લખી છે. પુણ્યવિજયજીએ હિન્દી પ્રસ્તાવનામાં આ ગ્રંથના આંતર-બાહ્ય સ્વરૂપ વિશે સંક્ષિપ્તમાં પણ વ્યાપક ચર્ચા સમાવી છે.
૭૧. વિહારપ્રથાને કારણે જૈન મુનિઓ વિભિન્ન પ્રદેશમાં વિહરતા રહેતા હોઈ વિવિધ પ્રાદેશિક ભાષામાં પ્રચલિત રૂઢિપ્રયોગોની અસર એમનાં લખાણમાં વર્તાય છે. પરિણામે પ્રાકૃત ભાષા પ્રાદેશિક અસર સાથે પરિપુષ્ટ થતી રહી, જેમાંથી ત્રણ પ્રાદેશિક પદ્ધતિઓ વિશેષભાવે પ્રચારમાં ૨હીઃ સૌરસેની પ્રાકૃત, પૈશાચી પ્રાકૃત અને મહારાષ્ટ્રી પ્રાકૃત.
૭૨. પરિશિષ્ટ એકમાં અંગવિદ્યા સાથે સંબંધિત એવા એક અપૂર્ણ ગ્રંથને સમાવિષ્ટ કરી પ્રકાશિત કર્યો છે.
આદિ-અંત વિનાના આ ગ્રંથ વિશે કોઈ નિર્ણય શક્ય નથી. બીજા પરિશિષ્ટમાં અંગવિધાશાસ્ત્ર અનુચૂત શબ્દોનો પરિચય અકારાદિક્રમે નિરૂપ્યો છે. સંસ્કૃત શબ્દોના પ્રયોગ પણ એમાં સમાવિષ્ટ છે.
For Personal & Private Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૨
ક્ષત્રપકાલીન ગુજરાત આમ, આ પરિશિષ્ટ શબ્દકોશની દષ્ટિએ ધ્યાનાર્હ છે. તો ક્રિયાપદોનો સંગ્રહ પરિશિષ્ટ ત્રીજામાં છે. આ શબ્દસંગ્રહ પ્રાકૃતવિદો માટે અમૂલ્ય ખજાના જેવો છે. ચોથા પરિશિષ્ટમાં મનુષ્યનાં અંગો વિશેનાં નામ સંગૃહીત છે અને તે ત્રણ ભાગમાં વિભાજિત છે. પહેલા વિભાગમાં સ્થાનનિર્દેશ સંબંધિત. અંગોની સૂચિ છે. બીજામાં પ્રસ્તુત ગ્રંથના લેખકે મનુષ્યના અંગોને ૨૭૦ પ્રકારમાં વહેંચ્યા છે તેની સૂચિ રજૂ થઈ છે. આ સૂચિ અકારાદિક્રમે છે. ત્રીજા ભાગમાં, લેખકે જે ક્રમે અંગનામો વર્ણવ્યાં છે તેની સૂચિ છે. આ પરિશિષ્ટ ગ્રંથના નવમા અધ્યાયના પૃથક્કરણરૂપે છે એમ કહી શકાય. સાંસ્કૃતિક ઇતિહાસનાં અધ્યયનની દૃષ્ટિએ આ પરિશિષ્ટ ઉપયોગી છે. છેલ્લા અને પાંચમાં પરિશિષ્ટમાં સાંસ્કૃતિક નામોના વિપુલ સંગ્રહ છે. આ સંગ્રહને મનુષ્ય, દેવદેવી, વનસ્પતિ અને પશુપક્ષી એવા ચાર વિભાગમાં પ્રસ્તુત કર્યો છે. પ્રત્યેક વિભાગમાં અનેકાનેક ઉપવિભાગો છે, જેની સંખ્યા ઓગણચાલીસ છે. આ સૂચિ અકારદિક્રમે નથી. આ પરિશિષ્ટ સાંસ્કૃતિક માહિતીના અભ્યાસાર્થે મૂલ્યવાન સામગ્રી
હાથવગી કરી આપે છે. આમ, કુલ ૯૬ પૃષ્ઠ મારફતે સંપાદકે વાચકને સારી સહાયતા બક્ષી છે. ૭૩. જુઓ : અંવિના, પ્રસ્તાવના પૃષ્ઠ ૧૧. ૭૪, આ વિશે વિગતે જાણકારી મેળવવા માટે તથા પ્રકરણ પ્રમાણે ગ્રંથને સમજવા માટે જુઓ રસેશ
જમીનદાર, ઇતિહાસ સંશોધન, પ્રકરણ ૧૬ (‘અંગવિજ્જા'નો સમય અને તેમાં પ્રતિબિંબિત સંસ્કૃતિ). ૭૫. આ ગ્રંથના રચનાપ્રદેશ અંગે અને એના સમયનિર્ણય બાબતે વ્યાપક ચર્ચા આ લેખકે કરી છે. જુઓ
રસેશ જમીનદાર, “ધ ડેટ એન્ડ પ્લેસ ઑવ અંગવિજ્જા', પ્રાચ્ય પ્રતિભા, પુસ્તક ૪, અંક ૨, પૃષ્ઠ
૧૦૧થી ૧૦૬, સાગર, અને ઇતિહાસ સંશોધન, પ્રકરણ ૧૬ . ૭૬. મોતીચંદ્રની પ્રસ્તાવના પૃષ્ઠ ૩૬ અને વાસુદેવશરણ અગ્રવાલની પ્રસ્તાવના પૃષ્ઠ ૯૪. આ ગ્રંથના
૧૯૫૭માં થયેલા પ્રકાશન પછી આ ગ્રંથના રચનાપ્રદેશ અને રચનાકાળ બાબતે વિશેષ કોઈ ચર્ચા
થઈ હોવાનું આ લેખકની જાણમાં નથી. આથી, અહીં તે અંગે થોડી ચર્ચા આમેજ કરી છે.' ૭૭. ‘પ્રાકૃત ગ્રંથ પરિષદ'ના પ્રધાન સંપાદકોએ એમના પુરોવચનમાં આવું વિધાન કર્યું છે. જુઓ અંગ્રેજી
પ્રસ્તાવના પૃષ્ઠ ૬. ૭૮. પેરિપ્લસ, ફકરો ૪૪. ૭૯. પેરિપ્લસના રચનાકાળ વિશે એકમતિ નથી. પરંતુ આ વિશે રમેશચંદ્ર મજુમદારે અગાઉ પ્રચલિત વિવિધ
મતોનો નિર્દેશ કરી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. (ઇહિર્પો.. પુસ્તક ૩૮, નંબર ૨-૩, ૧૯૬૨,
પૃષ્ઠ ૮૯થી). હાલ પૂરતું આપણે પેરિપ્લસને ઈસુની પહેલી સદીના અંતમાં મૂકી શકીએ. ૮૦. સંવિના, પૃષ્ઠ ૧૫૨ અને ૧૬૮. ૮૧. એવું મુનિ પુણ્યવિજયજીએ નોંધ્યું છે. જુઓ પ્રસ્તાવના પૃષ્ઠ ૧૩. ૮૨. ઉમાકાંત પ્ર.શાહ, સ્ટડીઝ ઈન જૈન આર્ટ, ૧૯૫૫, પૃષ્ઠ ૭૭. ૮૩. જુઓ એવિજ્ઞા, પૃષ્ઠ ૬૫ અને ૧૬૩. ૮૪. જુઓ ઉમાકાંત શાહ, ઉપર્યુક્ત, પાદનોંધ ૮૨, આકૃતિ ૧૩, ૧૧, ૭૯, ૮૧. ૮૫. સંવિના, પૃષ્ઠ ૬૬. ૮૬. અહીં એ નોંધવું જોઈએ કે ગુપ્તકાળથી અંગવિદ્યાની પદ્ધતિને સ્થાને જયોતિષવિદ્યાનો આરંભ થયો,
જે અદ્યાપિ સર્વમાન્ય છે. (બશમ, વન્ડર ધેટ વૉઝ ઇન્ડિયા, ૧૯૫૯, પૃષ્ઠ ૪૯૦). આથી પણ સૂચિત
થાય છે કે અંગવિદ્યા વિશેનો પ્રસ્તુત ગ્રંથ ગુખોના સત્તાકાળ પૂર્વે લખાઈ ગયો હતો. ૮૭. ભો. જ. સાંડેસરા, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, પૃષ્ઠ ૯૮-૯૯. ૮૮. એજન, પૃષ્ઠ ૧૬૬-૧૬૭. ૮૯. ઉમાકાંત શાહ, ‘ગુજરાતના કેટલાક પ્રાચીન પંડિતો', બુદ્ધિપ્રકાશ, પુસ્તક ૯૯, પૃષ્ઠ ૩૦૨થી.
For Personal & Private Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સોળ
શિક્ષણ-પદ્ધતિ અને ભાષાલિપિ
શિક્ષણની સ્થિતિ
ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અને તેની પરિપાટીને જાણવાનાં સાધનો ઘણાં અલ્પ છે. આથી, આ બાબતે સ્પષ્ટ અને સુરેખ ચિત્ર આલેખવાનું કાર્ય દુષ્કર છે. આ સમયનાં સાહિત્યિક સાધનો અલ્પ સાંખ્યિક છે તેમ તેમાં કેળવણી સબબ કોઈ વિવરણ આમેજ નથી; પરંતુ સમકાલીન સાહિત્યિક પ્રવૃત્તિ આ વિશે થોડી સહાયરૂપ બને છે. મુખ્યત્વે તો રુદ્રદામાના શૈલલેખમાંથી આ અંગે ઠીક ઠીક જાણકારી હાથવગી થઈ શકી છે. રુદ્રદામાના લેખમાં નિર્દિષ્ટ વિદ્યાઓ, હકીકતે તો રુદ્રદામાના વ્યક્તિગત સંદર્ભમાં અને તેય રાજાના રાજય સંચાલનને ઉપયોગી હોઈ, સામાન્ય લોકો માટે તે પ્રકારની વિદ્યાઓનાં અધ્યયન-અધ્યાપનનો પ્રબંધ હોવાનું કહેવું મુશ્કેલ છે. પરંતુ તે અન્વયેં તેનું સર્વસામાન્ય કથન પ્રસ્તુત કરી શકાય.
રુદ્રદામાના શૈલલેખમાં શબ્દવિધા, અર્થવિદ્યા, ગાંધર્વવિદ્યા, ન્યાયવિદ્યા વગેરેને મહાવિદ્યાઓ કહી છે (શબ્દાર્થ-જ્વલ્વે-ચાયાધાનાં વિદ્યાનાં મફતીનાં..) આ ઉપરાંત યુદ્ધવિદ્યા અને શિક્ષણપદ્ધતિના ચાર તબક્કાઓનોય નિર્દેશ ધ્યાનાર્હ છે (તુર-ગ-રથસિ વર્ષ-નિયુદ્ધપારVI-ધારા-વિજ્ઞાન-પ્રયો).
શબ્દવિદ્યા એટલે વ્યાકરણશાસ્ત્ર એવો અર્થ અહીં અભિપ્રેત હોય એમ જણાય છે. વાંચતા-લખતા થયેલા વિદ્યાર્થીને શબ્દવિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું હશે. પાણિનિ, પતંજલિ અને ભર્તુહરિના ગ્રંથોનો અભ્યાસ વિદ્યાર્થી કરતો હશે. સંભવતઃ અષ્ટાધ્યાયી, મહામાર્ગ, વાવવી જેવા ગ્રંથો સંદર્ભ તરીકે ઉપયોગાતા હશે.
અર્થવિદ્યા એટલે કાં તો અર્થશાસ્ત્ર, કાં તો રાજ્યશાસ્ત્ર અથવા બંને. આ લેખમાં બંને અર્થ અભિપ્રેત હોઈ શકે. આ વિદ્યાના તાલીમ માટે કૌટલ્યનો અર્થશાસ્ત્ર ગ્રંથ મુખ્ય સંદર્ભ પુસ્તક હોવું જોઈએ. કામન્દકે રચેલો નીતિસર ગ્રંથ પણ આ સમય દરમ્યાન શિક્ષણના અભ્યાસક્રમમાં પ્રચલિત હશે.
ગાંધર્વવિદ્યાથી સંગીતવિદ્યા એ અર્થ અભિપ્રેત હોવો જોઈએ. એટલે ક્ષત્રપકાલ દરમ્યાન શિક્ષણમાં સંગીતનું જ્ઞાન આવશ્યક ગણાતું હશે. સંગીતના કયા ગ્રંથનું અધ્યયન થતું હશે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ ભારતના નાટ્યશાસ્ત્રનો સંભવતઃ ઉપયોગ થતો હોવો જોઈએ કેમ કે આ ગ્રંથમાં ગીત, વાદ્ય, નૃત્ય સહિત નાટ્યકળાનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. સંભવતઃ સંગીતવિદ્યા સામાન્ય લોકોમાં પણ પ્રચારમાં હોઈ શકે.
ન્યાયવિદ્યા દ્વારા વિદ્યાર્થીઓને કાયદાનું જ્ઞાન અપાતું હશે એમ કહી શકાય. પણ પૂર્વકાળમાં ન્યાયવિદ્યાથી હેતુવિદ્યા કે તવિદ્યા અર્થ અભિપ્રેત હતો. એટલે કે વિદ્યાર્થીઓને
For Personal & Private Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
૭૪
ક્ષત્રપકાલીન ગુજરાત સંભવતઃ દર્શનશાસ્ત્રનું જ્ઞાન પણ આપવામાં આવતું હશે. કાયદાના કોઈ ગ્રંથો આ સમયે અસ્તિત્વમાં હોવાની જાણકારી નથી. પરંતુ તત્ત્વજ્ઞાનના શિક્ષણ કાજે સિદ્ધસેનકૃત સન્મતિપ્રર અને ન્યાયાવતાર તથા મલવાદીના શાસનનો ઉપયોગ થતો એમ ચોક્કસ કહી શકાય. સમકાલીન દિનાગ, નાગાર્જુન, અસંગ અને વસુબંધુએ રચેલા ન્યાય-પ્રમાણના ગ્રંથોનું પણ અધ્યયન થતું હશે. દા. ત. પ્રમાણસમુન્વય, ચાયપ્રવેશ વગેરે. આ ઉપરાંત ગૌતમકૃત ન્યાયસૂત્ર, વાત્સ્યાયનકૃત ન્યાયમાષ્ય, કણાદત વૈશેષિસૂત્ર અને પ્રશસ્તપાદકૃત પાર્થધર્મસંપ્રદ જેવા ગ્રંથો પણ સંભવતઃ શિક્ષકો ઉપયોગમાં લેતા હશે.
યુદ્ધવિદ્યા એટલે ઘોડેસ્વારી, ગજસ્વારી, રથચર્યા, તલવાર અને ઢાલના ઉપયોગની પદ્ધતિ વગેરે સમજી શકાય. આ વિદ્યાનો અભ્યાસ કેવળ રાજકુંવરો કે રાજકુટુંબના સભ્યો કરતા હોવા સંભવે. સામાન્ય પ્રજા વાસ્તે એનો અભ્યાસ દુષ્કર બની શકે. જો કે આ વિદ્યાનો કોઈ ગ્રંથ ઉપલબ્ધ થયો નથી. *
આ બધી વિદ્યાઓ ઉપરાંત બ્રાહ્મણ વિદ્યાર્થીઓ વેદનો, જૈન વિદ્યાર્થીઓ આગમનો અને બૌદ્ધ વિદ્યાર્થીઓ પિટકનો અભ્યાસ કરતા હશે એવું અનુમાની શકાય. અસંગ, વસુબંધુ, સ્થિરમતિ, ગુણમતિ, દુર્ગાચાર્ય, વજભૂતિ, પાદલિપ્તાચાર્ય જેવા સાહિત્યસ્વામીઓના ગ્રંથોનાં અધ્યયન-અધ્યાપન થતાં હોવાં જોઈએ. સંભવતઃ સંવિદ્યાના પ્રકારોનું જ્ઞાન પણ અપાતું હશે.
જો કે પ્રસ્તુત વિવરણ ઉપરથી એવું સૂચિત થતું નથી કે આ બધી વિદ્યાઓ સામાન્ય લોકો માટેય હશે. પણ ક્ષત્રપોના સિક્કાઓ ઉપરનાં લખાણ તથા તેમના સમયના શિલાલેખોનાં લખાણ સંસ્કૃત ભાષામાં હોઈ સંભવતઃ લોકો સંસ્કૃત ભાષાથી પરિચિત હશે. એટલું જ નહીં પ્રજાનો મોટો વર્ગ શિક્ષણ-સંપન્ન હશે. શિક્ષણની પદ્ધતિ
- રુદ્રદામાના શૈલલેખથી આ બાબતે માહિતી પ્રાપ્ત થાય છે. આ લેખમાં પારણ, ધારણ, વિજ્ઞાન અને પ્રયોગ એવા ચાર તબક્કાઓનો નિર્દેશ છે. સંભવતઃ આ ચાર તબક્કા તે શિક્ષણ પદ્ધતિના ચાર સોપાન હશે.
પારણ એટલે ગ્રહણ કરવું અર્થાત્ ધ્યાનથી સાંભળવું. બીજી રીતે કહીએ તો ગુરુ પાસેથી જ્ઞાન સંપ્રાપ્ત કરવું. ધારણ એટલે સ્મૃતિમાં રાખવું, સ્મરણ કરવું, યાદ રાખવું કે વાગોળવું. અર્થાત્ ગુરુ પાસેથી સંપાદિત જ્ઞાન ચકાસવું, કહો કે પચાવવું. આ બે પદ્ધતિ પછી આવે છે વિજ્ઞાનપદ્ધતિ. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન, અર્થાત્ જિજ્ઞાસાવૃત્તિથી મેળવેલું વિશિષ્ટ જ્ઞાન. બીજા શબ્દોમાં પ્રસ્તુત કરીએ તો ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને વાગોળતાં સ્વાધ્યાયથી એ અંગેનું વિશિષ્ટ જ્ઞાન અંકે કરવું તે વિજ્ઞાન. શિક્ષણ પ્રાપ્તિનો છેલ્લો તબક્કો, કહો કે પદ્ધતિ છે પ્રયોગનો. પ્રયોગ એટલે વ્યાવહારિક વિનિયોગ. પારણ-ધારણ-વિજ્ઞાનથી સંપાદિત જાણકારીને પ્રયોગમાં મૂક્વી, અર્થાત્ મેળવેલા જ્ઞાનનો-શિક્ષણનો-તાલીમનો વ્યવહારમાં ઉપયોગ કરવો.
આમ, ઉપર્યુક્ત ચાર પદ્ધતિ-તબક્કાના વિશ્લેષણથી સૂચિત થાય છે. શિક્ષણના ક્ષેત્રે પ્રવેશ પ્રાપ્ત કરનાર વ્યક્તિ સાચા અર્થમાં વિદ્યાનો અર્થી બની રહે એવી કેળવણી એને
For Personal & Private Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સોળ
૨૭૫
આપવામાં આવતી હતી. કેળવણીના ઇતિહાસનાં અન્વેષણ-અવલોકનથી કહી શકાય કે આ ચાર પદ્ધતિ આપણા દેશના સાંસ્કારિક ઇતિહાસમાં અનુસ્મૃત રહેલી હતી અને વિશ્વ સમસ્તનાં શિક્ષણનાં લક્ષણોનાં વિવરણથી પણ ખસૂસ કહી શકાય કે આ પદ્ધતિ શાશ્વતી છે. શિક્ષણનાં કેન્દ્રો
પ્રકરણ પંદર અને પ્રકરણ સત્તરમાં આપણે સાહિત્ય અને ધર્મ પરત્વે અનુક્રમે જે વિશ્લેષિત વિવરણ પ્રસ્તુત કર્યા છે તે ઉપરથી સૂચવી શકાય કે વલભી અને ભરૂચ ક્ષત્રપકાલ દરમ્યાન શિક્ષણનાં મહત્ત્વનાં કેન્દ્ર હોવાં જોઈએ. આ સમયમાં વલભી માત્ર ગુજરાતનું નહીં પણ સમગ્ર દેશનું જૈન આગમવિદ્યાનાં અધ્યયન-અધ્યાપન-અન્વેષણ અને સાહિત્યિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હોવાનું સંભવે છે; કેમ કે આપણે અગાઉ અવલોકી ગયા તેમ વીર નિર્વાણના નવમા સૈકામાં જૈન આગમોને સંકલિત-સંપાદિત-સંગૃહીત કરવાની જે કામગીરી આરંભાઈ તેનું એક કેન્દ્ર મથુરા હતું, તો બીજું વલભી. નાગાર્જુનની અધ્યક્ષતામાં વલભીમાં શ્રમણસંઘની પરિષદ મળી હતી તે આપણે નોંધ્યું છે. મલ્લવાદીએ કાશીરનવે અહીં રચ્યો હોવાનો સંભવ છે.
સ્થિરમતિ-ગુણમતિની કૃતિઓ ઉપરથી વલભી બૌદ્ધવિદ્યાનાં અધ્યયન-અધ્યાપનઅન્વેષણનું કેન્દ્ર હોવાનું સૂચિત થાય છે. જો કે ભરૂચમાં બૌદ્ધવિદ્વાનોની પ્રવૃત્તિ વિશેષ પ્રમાણમાં થતી હશે એવું અનુમાની શકાય; કેમ કે અહીં બૌદ્ધ અને જૈન વિદ્વાનો વચ્ચે વાદવિવાદ થયા હોવાનું જૈનપરંપરા નોંધે છે. મલ્લવાદીના મામા જિનાનંદને બૌદ્ધો સાથેના સંવિવાદમાં પરાજય મળેલો અને તેથી તેઓ ભરૂચ છોડી વલભી ગયાની વાત પરિચિત છે. મામાના પરાજયનું કલંક દૂર કરવા મિષે મલ્લવાદીએ વિવાદ કરી વિજય પ્રાપ્ત કરેલો. આથી, ભરૂચ બૌદ્ધવિદ્યાનું કેન્દ્ર હોવાનું સંભવે છે.
દેવની મોરી પણ બૌદ્ધ કેળવણીનું ધામ હોવાનું સૂચિત થાય છે; કેમ કે આ સ્થળેથી મહાતૂપ અને મહાવિહારના સમૃદ્ધ અવશેષો હાથ લાગ્યા છે. સ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત ભગવાન શિબલના દેહાવશેષયુક્ત દાબડો મળ્યો છે, જેના ઉપર બૌદ્ધ સિદ્ધાંત પાલિ ભાષામાં કોતરાયેલા જોવા મળે છે. ઉપરાંત સ્તૂપની ઇમારતમાંથી મળેલી ભગવાન બુદ્ધની છવીસ પ્રતિમા પ્રસ્તુત મતને સમર્થે છે.
ઉત્તર ગુજરાતમાં સ્થિત દેવની મોરી, દક્ષિણ ગુજરાતમાં સ્થિત ભરૂચ અને સૌરાષ્ટ્ર, પ્રદેશમાં સ્થિત વલભી ક્ષત્રપકાલીન ગુજરાતમાં વિદ્યાનાં મહત્ત્વનાં મથક હોવાનું ખસૂસ કહી શકાય. આ ઉપરાંત જૂનાગઢ, ઈંટવા, તળાજા, ઢાંક વગેરે સ્થળોએથી મળી આવેલાં વિહારો અને ગુફાઓ પણ તત્કાલીન કેળવણીનાં નાનાં કેન્દ્રો સૂચવી શકાય. ગિરિનગર, પ્રભાસ પાટણ, ભરુકચ્છ જેવાં સ્થળ સંભવતઃ બ્રાહ્મણધર્મનાં શિક્ષણ કેન્દ્ર હોવાં જોઈએ. સંસ્કૃત શિક્ષણનું માધ્યમ હશે.
આમ, શિક્ષણની સ્થિતિ, શિક્ષણની પદ્ધતિઓ અને શિક્ષણનાં કેન્દ્રો વિશેનાં વિવરણથી સૂચવી શકાય કે ક્ષત્રપકાલીન ગુજરાતમાં કેળવણીની પ્રક્રિયા ઠીક પ્રમાણમાં વિકાસ પામી હતી.
For Personal & Private Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૬
ક્ષત્રપકાલીન ગુજરાત પ્રકરણ અઢાર, ઓગણીસ અને વીસમાં લલિતકળાનાં વિવિધ પાસાંની થયેલી ચર્ચા ઉપરથી પણ અને તવિષયક અવશેષોના અભ્યાસ ઉપરથી પણ આ સમયમાં સ્થાપત્ય અને શિલ્પ, કહો કે લલિતકળા, વિશેનાં તાલીમ કેન્દ્રીય અસ્તિત્વમાં હોવાં જોઈએ. ભાષા-પ્રક્રિયા
ક્ષત્રપોના સમયમાં ગુજરાતમાં રાજભાષા અને જનસમૂહની ભાષા વિશેની માહિતી તત્કાલનાં ઉપલબ્ધ આભિલેખિક સાધનો અને સાહિત્યિક સામગ્રીના આધારે અનુમાનિત કરી શકાય છે.
પશ્ચિમી ક્ષત્રપ શાસકોના સંખ્યાતીત સિક્કાઓ અને ઉપલબ્ધ શિલાલેખોમાંના કેટલાક ઉપરનું લખાણ પ્રધાનતઃ પ્રાકૃત મિશ્ચિત સંસ્કૃતમાં છે. નહપાનના સમયના ગુફાલેખો પ્રાકૃતમાં છે. ચાખન-રુદ્રદામાથી આરંભી પછીના બધા શિલાલેખો પ્રાકૃત મિશ્રિત સંસ્કૃતમાં છે. હા, થોડાક અપવાદ પણ ધ્યાનાર્હ છે : રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ શુદ્ધ સંસ્કૃતમાં છે. જયદામાના પૌત્રનો જૂનાગઢનો લેખ સંસ્કૃતમાં છે. દેવની મોરીનો દાબડાલેખનો ઐતિહાસિક ભાગ પદ્યબદ્ધ સંસ્કૃતમાં છે. દામજદશ્રી ૧લાના એક પ્રકારના અને એના પુત્ર સત્યભામાના સિક્કા ઉપરનું લખાયેય શુદ્ધ સંસ્કૃતમાં છે. દેવની મોરીના દાબડા ઉપરનું ત્રિપિટકમાંનું અવતરણ પાલિમાં છે. સાહિત્યના ઉપલબ્ધ ગ્રંથો પણ પ્રાકૃત અને/અથવા સંસ્કૃતમાં છે તે આપણે અવલોક્યું છે.
પ્રસ્તુત સમીક્ષાથી સૂચવી શકાય કે રાજભાષા કે દરબારની ભાષા સામાન્યતઃ પ્રાકૃત મિશ્રિત સંસ્કૃત હોય એમ સંભવે; પણ જનતાની ભાષાય આ જ હોવાનું કહી શકાય; કેમ કે સિક્કાઓ લોકવ્યવહારનું જ્ઞાત જ્ઞાપક છે. પ્રજા સિક્કાઓનો ઉપયોગ હરહંમેશ કરે છે. રોજિંદા
વ્યવહારમાં ચીજવસ્તુઓની લેવડદેવડ કાજે સિક્કાઓ પ્રજાજીવનનું અનિવાર્ય અંગ છે. શિલાલેખોમાં નિર્દિષ્ટ રાજદ્વારી આદેશો કે સૂચનો કે રાજકાર્યોની પ્રશંસા પણ લોકોની જાણકારી વાતે જ હોય છે. એટલે પ્રજાગત થતાં સૂચનો કે વ્યવહારનાં માધ્યમ માટેના સિક્કાઓ એમ ઉભયમાંનું લખાણ જનભાષામાં હોય તો જ પ્રજાનો પ્રત્યેક શિક્ષિતવર્ગ એમાંનું લખાણ વાંચી સમજી શકે. છતાં વિદ્વાનો અને શાસકો શિષ્ટવર્ગની ભાષા પ્રયોજતા અને જેમાંથી રાજભાષા કે દરબારની ભાષા ઘડાતી. આથી, કેટલીક વખત આ પ્રકારનાં જાહેરનામો કે જાહેર ફરમાનો લોકભાષાને બદલે શાસકવર્ગની અંગત રુચિ-અભિરુચિની ભાષામાં બહાર પડતાં. દા.ત. રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ. આથી, સંસ્કૃત ભાષાએ લોકભાષાનું પૂરેપૂરું સ્થાન મેળવ્યું હોય એમ સ્પષ્ટ થતું નથી. ટૂંકમાં આમવર્ગનો મોટોભાગ સમજી શકે તેવી ભાષા પ્રાકૃત મિશ્રિત સંસ્કૃત હશે.
આ સમયની ઉપલબ્ધ સાહિત્ય-કૃતિઓ મહદંશે સંસ્કૃતમાં છે. જો કે તેથી સંસ્કૃત જનભાષા બની શક્તી નથી; કેમ કે આવા વિષયોના ગ્રંથો આમ જનતા માટે નથી હોતા. આથી, શુદ્ધ સંસ્કૃત એ સાહિત્યિકવર્ગની અને શિષ્ટ સમાજની ભાષા રહી હોય એમ સૂચિત થાય છે. પ્રાકૃત આ સમયે બોલચાલની ભાષા રહી હોય પણ તે સંસ્કૃતની અસરથી મુક્ત ન હતી. આથી, પ્રાકૃતને સંસ્કૃતથી અલગ ભાષા તરીકે ઓળખવાને સ્થાને સંસ્કૃત ભાષાનું એ એક જનસમાજનું
For Personal & Private Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સોળ
પ્રચલિત માધ્યમ સ્વરૂપ હતું એમ કહેવું જોઈએ. આથી, એવું અનુમાની શકાય કે ક્ષત્રપકાલ દરમ્યાન લોકાભાષા તરીકે સંસ્કૃતનું સ્થાન હતું અને વ્યવહારમાં તેનાં વિવિધ સ્વરૂપ પ્રચારમાં હશે.
લિપિ-વિકાસનાં લક્ષણો
આ સમયની ભાષા-પ્રક્રિયાની સરખામણીમાં લિપિનાં લક્ષણો સમજવામાં સરળતા રહે છે; કેમ કે ઉત્કીર્ણ લેખોમાં અને સિક્કા ઉપર ઉપસાવેલાં લખાણમાં તત્કાલીન લિપિના નમૂના જળવાઈ રહેલા મોજુદ છે. આરંભ કાળમાં થોડો સમય ખરોષ્ઠીર અને બ્રાહ્મી ઉભય લિપિ એક સાથે પ્રયોજાયેલી પ્રાપ્ત થઈ છે. પરંતુ પછી તરતTM કેવળ બ્રાહ્મી લિપિનો જ ઉપયોગ અને પ્રચાર પ્રવર્તેલા જોવા પ્રાપ્ત થાય છે. ક્ષત્રપકાલીન લિપિ અશોકકાલીન લિપિથી અને મૈત્રકકાલીન લિપિથી ઠીક ઠીક ભિન્ન જણાય છે. આથી, આ સમય દરમ્યાન પ્રયોજાયેલી લિપિને આપણે ક્ષત્રપાલીન લિપિ તરીકે ઓળખાવવી યોગ્ય ગણાશે.
વર્ણ
૨૭૭
ક્ષત્રપકાલીન લેખોમાં બધા મળીને ૪૨ વર્ણ છે, જેમાં આઠ સ્વર (ગ, આ, રૂ, રૂં, ૩, ૠ, ર્ અને ો), બે આયોગવાહો (અનુસ્વાર અને વિસર્ગ), ચોવીસ સ્પર્શ વ્યંજન (, ઘ, ગ, ઘ, ચ, છ, ન, બ, ર, ૩, ૩, ૪, ૫, ત, થ, હૈં, ધ, ન, ૫, ૬, વ, મ, ન, ∞), ચાર અતંઃસ્થ વ્યંજન (ય, ર, લ, વ) અને ચાર ઉષ્મન્ વ્યંજન (શ, ષ, સ, હૈં)નો સમાવેશ થાય છે. (આ વર્ણોની સમજ માટે જુઓ આલેખ નંબર ૩).
સ્વરૂપ
ક્ષત્રપકાલીન લેખોમાં પ્રયોજિત વર્ણોને અશોકના જૂનાગઢી શૈલલેખમાં પ્રયોજાયેલા વર્ણના મરોડ સાથે સરખાવતાં કેટલીક ભિન્નતા સ્પષ્ટ થાય છે. ૬, ન, ટ, ૩, ૪, થ, ધ અને વ એ ક્ષત્રપકાલીન વર્ણનું સ્વરૂપ લગભગ અશોકના શૈલલેખના વર્ણ સાથે સામ્ય ધરાવે છે; જ્યારે શેષ વર્ણના મરોડમાં સારો એવો ફેરફાર જોવો પ્રાપ્ત થાય છે. ધની દિશા અશોકના શૈલલેખના વર્ણ કરતાં ક્ષત્રપકાલીન વર્ણ ઉલટી રીતે જોવા મળે છે. (જુઓ આલેખ નંબર ૧) શિરોરેખા
ક્ષત્રપોના અભિલેખોમાંની લિપિના અક્ષરોમાં જેમનાં મથાળાં સીધાં ઊભી રેખાવાળાં છે તેમના માથે બિંદુ સ્વરૂપે શિરોરેખા મૂક્વી શરૂ થઈ જણાય છે; જેમ કે ગ, ગ, રૂં, , ૫, ૬, છ, જ્ઞ, ૩, ૪, ત, ૬, ૫, , મ, મ, ય, ર, લ, વ, ષ, સ, ૪ અને માં. આમાંના હૈં, ૫, ત્ર અને રૂ અક્ષરોમાં ડાબી બાજુની ઊભી રેખા ઉપર અને થમાં મધ્યની ઊભી રેખા ઉપર શિરોરેખા નિશ્ચિત થઈ ચૂકી છે. જ્યારે તેની જમણી બાજૂની ઊભી રેખાને મથાળે ક્યારેક શિરોરેખા મૂકાતી જોવા મળે છે. ક્ષત્રપકાલના આરંભમાં ૩ અને ૬ વર્ણને મથાળે શિરોરેખા બંધાયેલી જોવા મળતી નથી. પરંતુ પછીના કાળમાં તે જોવા મળે છે.
For Personal & Private Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ક્ષત્રપકાલીન ગુજરાત
વળાંકદાર મરોડ
ક્ષત્રપકાલીન વર્ણના મરોડમાં મુખ્યત્વે સીધી રેખાવાળા મરોડમાં વળાંકની ઉપસ્થિતિ જોવી પ્રાપ્ત થાય છે. વળાંકને કારણે અક્ષરો વધુ ઝડપથી લખાય તેવા અને સુંદર મરોડવાળા હોવાનું જણાય છે. ૩ મો, ૫, , , , , , , ૮ વગેરે જેવા વર્ણ ક્ષત્રપકાલના અંતભાગમાં વળાંકદાર મરોડવાળા થાય છે. મ, ના, 5 અને બના વળાંકદાર મરોડમાં સીધી ઊભી રેખા નીચે તરફ લંબાઈ ડાબી તરફ વળાંક ધારણ કરે છે. માં ક્યારેક મધ્યની આડી રેખાના બંને છેડા નીચે તરફ ઝૂકીને વળાંક લેતા દેખાય છે. જે વર્ણમાં સીધી, આડી, ઊભી કે ત્રાંસી રેખાઓ દ્વારા ખૂણા બને છે તેઓ પણ ગોળ વળાંક અપનાવે છે. કેટલાક વર્ષમાં પૂર્ણપણે સળંગ ગોળ મરોડવાળા જણાય છે. આવા મરોડ સંભવતઃ ચાલુ કલમે (એટલે કે કલમ ઉપાડ્યા વિના) લખાયા હોવાનું કહી શકાય. વળી કેટલાક અક્ષરોની ઊંચાઈ ઘટે છે અને પહોળાઈ વધે છે. દા.ત. ત, ધ, ૫, ૫, ૬, સ અને ટું. આ વર્ષોમાં ડાબી બાજુની સીધી ઊભી રેખાને ટૂંકાવી નાંખવામાં આવી છે. એવી રીતે જમણી તરફની રેખાને થોડે ઊંચે લંબાવી એની ટોચને ડાબી તરફની ટોચની સપાટીએ રાખવામાં આવે છે. આથી, આવા વર્ણમાં ઊંચી રેખા ટૂંકાઈને મધ્ય કદની બને છે. આ જાતની પ્રક્રિયાથી આ વર્ણ, જે અગાઉ ગોળ મરોડવાળા હતા તે, સીધા મરોડવાળા બન્યા છે અને અનુકાલમાં પુનઃ ગોળ મરોડ ધારણ કરે છે. ૫ વર્ણમાંય આ પ્રમાણે ફેરફાર થયો છે. તેની વચલી ઊભી રેખાને લગભગ અડધી ટૂંકાવી દેવાઈ છે. અને બહુધા તેની ડાબી બાજુએ આવેલા વળાંકના ઉપલા છેડાને જમણી તરફ લંબાવવામાં આવે છે. પણ ક્યારેક જમણી બાજુના વળાંકના છેડાને સીધા ઊંચે લંબાવી ઉપલી ઊભી રેખાને સમાંતર અને સરખી ઊંચાઈની એક બીજી ઊભી રેખાનું સ્વરૂપ આપવામાં આવે છે. વિશિષ્ટ સ્વરૂપ
ક્ષત્રપકલમાં પ્રયોજાયેલા વર્ગમાં કેટલાકના મરોડ વિકાસની દૃષ્ટિએ તથા આકારની વિશેષતાને લીધે મહત્ત્વનું સ્વરૂપ ધારણ કરે છે. દા.ત. ડું, મો, , , , , , તે, ૨, ધ, ન, એ મે, ૨ વગેરે. અંતઃસ્થ સ્વરચિહ્ન
આ લિપિમાં કુલ ૧૦ અંતઃસ્થ ચિહ્ન છે. દા.ત. મા, હું છું ૩ ,, મો અને . વ્યંજનનાં ચિહ્નથી વ્યક્ત થતાં વ્યંજનોને સકારાંત ગણેલા હોવાથી મના અલગ અલગ અંતઃસ્થા સ્વર ચિહ્નની આવશ્યક્તા જણાઈ નથી, જ્યારે સ્ત્ર, નૃ કે જૂના અંત:સ્થ સ્વરચિહ્નનો કે અક્ષરોનો અહીં પ્રયોગ થયેલો ન હોવાથી તે તે સ્વરચિહ્ન જાણવા મળતાં નથી.
- ૩ સ્વરનો વળાંકદાર મરોડ બધા વળાંકદાર મરોડમાં વિશિષ્ટ સ્વરૂપનો છે. આ વિકસિત મરોડ વર્ણને મથાળે જમણી તરફથી વળાંક લે છે અને ડાબી તરફ ઝૂકે છે. ૩ ની સીધી આડી રેખા આગળ જઈને લંબાઈમાં વધુ ગોળ મરોડ ધારણ કરે છે અને જમણ તરફ ઉપરની બાજુએ જાય છે.
વર્ણના વિકાસની સાથે તેમના નવા મરોડને અનુરૂપ અંતઃસ્થ સ્વરચિહ્નનાં જોડાણ -
For Personal & Private Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સોળ
૨૭૯ સ્થાન તથા તેમના આકારમાં ફેરફાર થાય છે. આ સમયમાં અંતઃસ્થ સ્વરચિત નિશ્ચિતપણે વળાંકદાર મરોડ ધારણ કરતાં જોવા મળે છે. અને લંબાઈ ક્રમશઃ વધતી જાય છે. (આ બધા માટે જુઓ આલેખ નંબર ૩). સંયુક્તાક્ષરો
આ લિપિમાં એકંદરે ૨૪ જેટલા સંયુક્તાક્ષરો જોવા પ્રાપ્ત થયા છે. દા.ત. ક્ષ, પ્રા, રૂ, , ભ, ન, 7, શ્વ, સ, સ્મી, ઇ, ત્ય, ત્રા, ગ, , રૂ, શ્ય, શૈ, , ઍ, , દ્ધિ, શ્ર, દ્ર.
ક્ષત્રપકાલનાં લખાણમાં વ્યંજનની નીચે વ્યંજનને ઊભો જોડીને સંયુક્તાક્ષર લખાતા હોવાનું દર્શાવાયું છે. અર્થાત્ પૂર્વગ અક્ષરની નીચે અનુગ અક્ષર ઊભો જોડાય છે. અને અશોકના સમયનાં લખાણમાં સંયુક્તાક્ષરો કોતરવામાં આવી પદ્ધતિ હતી. પૂર્વગ સાથેના સંયુક્તાક્ષરોમાં નીચલા વળાંકવાળા છેડાનો સામાન્યતઃ લોપ થાય છે અને તેની ઊભી રેખા સાથે સીધો અનુગ અક્ષર જોડાય છે; દા.ત., ઝિ, વક્ત, વરૂ વગેરે. અહીં અનુગ અક્ષરના ઉપલા છેડા સીધા ઊભા હોય તે તે વર્ણની સીધી ઊભી રેખાના નીચલા છેડા સાથે એકાકાર થઈ જાય છે. દા.ત. જી, , ક્ષ, વસ વગેરે.
જ્ઞ અને જ્ઞોમાં પૂર્વગ બના નીચલે છેડે જમણી તરફ અનુગ ગ જોડાય છે. સ્ત્રના વિભિન્ન મરોડ નોંધપાત્ર છે. ક્ષની જેમ જ્ઞનો મરોડ સિક્કાઓમાં ઘણો પ્રચલિત જણાય છે. સંભવ છે કે સિક્કાના લઘુ કદના કારણે આ વિશિષ્ટ મરોડ તૈયાર થયો હોય. ગના મધ્યમાં જમણી તથા ડાબી બાજુ જતી રેખાનો લોપ થાય છે અને તેથી સંયુક્તાક્ષરનો આકાર ઝના મરોડને ઘણો જ મળતો આવે છે. આથી, વર્ણ પરિચયમાં ભ્રમ ઉભવે છે.
ર સાથેના સંયુક્તાક્ષરોમાં પૂર્વગ ર જ્યારે અનુગ અક્ષર સાથે જોડાય છે ત્યારે ના નીચલા ડાબી બાજુના વળાંકનો લોપ થાય છે અને ઊભી રેખાની લંબાઈ ઘટે છે. એટલે એનો આકાર એક નાની ઊભી રેખાને મથાળે શિરોરેખા કરી હોય તેવો જણાય છે (આ વિવરણના અનુસંધાને જુઓ આલેખ નંબર ૪). લક્ષણ
સંયુક્તાક્ષરોમાં પૂર્વગ અક્ષર અને અનુગ અક્ષર સાધારણ રીતે સરખી ઊંચાઈના જોવા પ્રાપ્ત થાય છે. છતાં ક્યાંક ક્યાંક અનુગ અક્ષરની ઊંચાઈ ઘટેલી પણ હોય છે. સંયુક્તાક્ષરો સપ્રમાણ, ગોળ, મરોડદાર અને ચાલુ ટાંકણે કોતરાયા હોવાના કારણે કલાત્મક દેખાય છે. પૂર્વગ અક્ષરના નીચલા છેડે બે પાંખો હોય ત્યાં અનુગ અક્ષરનો ઉપલો છેડો બહુધા પૂર્વગ અક્ષરની જમણી બાજુની પાંખ સાથે જોડાય છે. ક્યારેક અનુગ અક્ષરનો ઉપલો છેડો પૂર્વગ અક્ષરના વચ્ચેના ભાગ સાથે જોડાયેલો જોવા મળે છે. દા.ત. સ. ક્યારેક નીચલા અક્ષરનો ઉપલો ભાગ બે પાંખ-વાળો હોય તો કેટલીકવાર એની બે પાંખ ઉપલા અક્ષરના નીચલા ભાગના બંને છેડે પણ જોડાય છે. દા.ત. ૫. આમ, ઉપલા અક્ષરની સાથે નીચલા અક્ષર જોડવાની પ્રક્રિયાની આ ભિન્ન પદ્ધતિના કારણે સંયુક્તાક્ષરો જુદા જુદા આકારના-મરોડના દેખાય છે. આમાં નીચલો અક્ષર જમણી બાજુએ ઢળતો હોય છે, તો કેટલીકવાર ઉપલા અક્ષરની બરોબર નીચે રહેલો
For Personal & Private Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ક્ષત્રપકાલીન ગુજરાત જણાય છે.
અનુગ અક્ષર જ્યારે પૂર્વગ અક્ષરની નીચે જોડાય છે ત્યારે તેની શિરોરેખાનો લોપ થાય છે, છતાં ક્યારેક એની શિરોરેખા કાયમ રહે છે. દા.ત. , ચ, સ, શ્વ વગેરે. આ સંયુક્તાક્ષરોમાં ૧ અને ૨ અનુગ અક્ષર તરીકે પ્રયોજાયા હોય ત્યાં એ બંનેનાં બબ્બે સ્વરૂપ પ્રચારમાં રહેલાં જોવા મળે છે. અનુગ ય એના મૂળ સ્વરૂપે જોડાય છે તો ક્યારેક વળાંકદાર મરોડ (જુઓ આલેખ નંબર ૩ અને ૪) તરીકે જોડાય છે. માં એનો પૂર્વકાલીન સર્પાકાર મરોડ અને બીજો સમકાલીન હૃસ્વ જેવો મરોડ નજરે પડે છે. પૂર્વગ અક્ષર તરીકે વપરાતા ૧ અને ૨ જયારે અનુગ અક્ષર સાથે જોડાય છે ત્યારે મુખ્યત્વે તેમનો નીચેનો ડાબી બાજુનો વળાંક લુપ્ત થાય છે. લિપિની સ્થાનિક વિશેષતા
પશ્ચિમી ક્ષત્રપોના ચાન્ટન કુળની રાજધાની ઉર્જનમાં હતી. આથી, સ્વાભાવિક તેમના સમયની લિપિમાં માળવી લિપિની અસર હોય. ક્ષત્રપકાલીન લિપિનું શરૂઆતનું સ્વરૂપ પૂર્વ માળવા અને કોસાંબી પ્રદેશની લિપિઓને આધારે ઘડાયું હતું. પરંતુ ક્ષત્રપકાલ દરમ્યાન કેટલાંક નવાં પરિબળોથી એક નવી શૈલીની લિપિ ઉદ્ભવી.
ક્ષત્રપોને સાતવાહનો સાથે રાજકીય સંઘર્ષમાં આવવાનું થતાં ક્યારેક સાતવાહનોની સત્તા ગુજરાત ઉપર પ્રવર્તેલી જોવી પ્રાપ્ત થાય છે તો ક્યારેક ક્ષત્રપોની સત્તા દખ્ખણ પ્રદેશ ઉપર. ફલતઃ પરસ્પરે કેટલાંક સાંસ્કૃતિક આદાનપ્રદાનની અસરનો અનુભવ કર્યો. સાતવાહનો પાસે બ્રાહ્મી લિપિનો ઘડાઈ રહેલો દક્ષિણી મરોડ હતો, તો ક્ષત્રપો પાસે ઉત્તરી લિપિની પરંપરા હતી. પરિણામે ક્ષત્રપોએ એક તરફ ઉત્તરી પરંપરા જાળવી રાખી તો બીજી તરફ દક્ષિણી મરોડની અસર અંકે કરી. આમાંથી, ક્રમશઃ રૂપાંતરો થતાં એક અભિનવ શૈલી ઉદ્ભવી, જે પશ્ચિમી રૌતી તરીકે ઓળખાઈ
ક્ષત્રપકાલ દરમ્યાન ૩, ૫, ૫ અને ૬ તથા સંયુક્તાક્ષરોમાં અનુગ ના નવા મરોડ પ્રચારમાં આવ્યા. આ નવા મરોડ ઉત્તર ભારતના મરોડને વિશેષ મળતા આવે છે. એનો પ્રચારપ્રયોગ પણ આ પ્રદેશ પૂરતો મર્યાદિત રહ્યો છે. અર્થાત્ નવા મરોડનો સાતવાહનો દ્વારા દક્ષિણના પ્રદેશોમાં પ્રચાર ભાગ્યે જ જોવા મળે છે. દખ્ખણમાં રવના ઉપલા હૂકને વધારે મહત્ત્વ અપાતું હતું, જયારે ક્ષત્રપોમાં વના નીચલા છેડાને વિશેષ મહત્ત્વ અપાયું છે. સની ડાબી બાજુનું અંદર તરફ વળવું એ પણ માત્ર અહીં જોવા મળે છે, જે ઉત્તરના લખાણની અસર સૂચવે છે. પૂંછડીઓ મ અને હૂકવાળો દુ ઐચ્છિકપણે રુદ્રસેનના ગઢાના લેખમાં પ્રયોજાયા છે. આમાં મનું સ્વરૂપ ગુપ્તકાલીન ઉત્તરી શૈલી જેવું છે. ઉપરાંત સંયુક્તાક્ષરોમાં અનુગ ૨ તરીકેનો હૂકવાળો મરોડ કુષાણોમાં પ્રયોજાતો જોઈ શકાય છે. હકીકતમાં ગુપ્તો અને કુષાણોએ, સમયના પરિપ્રેક્ષ્યમાં, ક્ષત્રપોની શૈલી અપનાવી હોય તે વધારે સંભવિત છે.
ક્ષત્રપકાલીન લિપિના કેટલાક અક્ષરોના મરોડની અસર દખ્ખણમાં ફેલાઈ હોવાનું જણાય છે; જેમાં ત અને ના મરોડનો સમાવેશ થઈ શકે. ક્ષત્રપકાલીન લિપિના અક્ષરો કલાત્મક
For Personal & Private Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સોળ
૨૮૧
સ્વરૂપ ધરાવે છે. અક્ષરોને કલાત્મક બનાવવાની પ્રક્રિયા દખ્ખણમાં વહેલી શરૂ થઈ હતી, જેની અસર ક્ષત્રપોના કલાત્મક અક્ષરોમાં જોવી પ્રાપ્ત થાય છે. અને આ અસર પછી ક્ષત્રપો દ્વારા પૂર્વ માળવાનાં લખાણોમાં જણાય છે. આ પ્રવૃત્તિ સીધી ઊભી અને સીધી આડી રેખાઓને વળાંકદાર અને ખાંચાદાર મરોડ આપવામાં વિશેષ વ્યક્ત થાય છે. મ, ના, , , ૨ અને અંતઃ ૩ ના નીચલા છેડાઓને ડાબી તરફ વાળવામાં; વ અને માં ડાબી બાજૂની ઊભી રેખામાં ખાંચા પાડવામાં; નની ડાબી બાજૂની નાની ઊભી રેખાને ગોળ ખાંચાકાર બનાવવામાં આ લક્ષણ ખાસ તરી આવે છે. ગોળ પીઠવાળો ડું, પાયામાંથી ઝૂકેલા અને Iનાં સાદાં સ્વરૂપ, મની મધ્યમાં ઐચ્છિકપણે ઉમેરાતું અંતઃસ્થ ગોનું ચિત ક્ષત્રપકાલીન લિપિ ઉપર દખ્ખણની લિપિની અસર સૂચવે છે.
ક્ષત્રપકાલ દરમ્યાન બ્રાહ્મી લિપિના અક્ષરો ઉપર શિરોરેખા અંકિત કરવાની પ્રક્રિયા પ્રારંભાઈ. ક્યાંય નાનીશી આડી રેખાનું સ્વરૂપ ધારણ કરે છે. અંતઃસ્થ ૩ અને નાં ચિહ્નોમાં બેવડાંરૂપ પ્રયોજાયેલા છે તે નોંધપાત્ર છે. નૌ અને મૌમાં પ્રયોજાયેલું અંતઃસ્થ મૌનું ચિહ્ન પ્રા અશોકકાલીન હોવાનું જણાય છે. હવંત વ્યંજનોનો પ્રયોગ અહીં પહેલપ્રથમ પ્રયોગયેલો જોવો પ્રાપ્ત થાય છે. આ સ્વરરહિત વ્યંજનો અને સ-સ્વર વ્યંજનો વચ્ચે કોઈ ભેદ નથી. માત્ર હલત વ્યંજનો બીજા અક્ષરોની અપેક્ષાએ કદમાં નાના હોય છે. અંકચિહ્ન
આ સમયની લિપિમાં આંકડાઓનાં ચિહ્ન પણ ધ્યાનાર્હ છે. ૧થી ૩ સુધીની સંખ્યા આણપાણમાંની આડી રેખાઓની જેમ ઉત્કીર્ણ થતી હતી. ૪થી ૯ સુધીના આંકડા માટે અક્ષરો જેવાં ખાસ ચિહ્ન ઘડાયાં હતાં. નૂતન અંક શૈલીનું શૂન્યનું ચિહ્ન હજી આ સમય સુધી પ્રચારમાં ન હતું, કહો કે પ્રયોજાયું ન હતું. આથી, ૧૦, ૨૦, ૩૦, ૪૦, ૫૦, ૬૦, ૭૦, ૮૦, ૯૦, ૧૦૦ તથા ૨૦૦ અને ૩૦૦નાં અલગ અલગ ચિહ્ન વપરાતાં હતાં.
ક્ષત્રપકાલીન સિક્કાઓ ઉપર ૧થી ૩૦૦ સુધીના આંકડા વપરાયા હોઈ એ કાળના ૪૦૦ અને તે પછીના શતકના આંકડા માટેનાં કોઈ ચિહ્ન હાથવગાં થયાં નથી. શૂન્યનું ચિહ્ન અહીં નહીં હોવાને કારણે તથા સ્થાનમૂલ્યની પદ્ધતિનો અભાવ હોવાથી પૂર્વકાલીન અંક શૈલી અનુસાર એકમ, દશક, શતક વગેરે સંખ્યા માટે અલગ ચિહ્ન વપરાતાં હતા; જેમ કે ૧૦ માટે દશકનું એક ચિહ્ન વપરાતું, પરંતુ ૧૭ માટે ૧૦નું તથા ૭નું એમ બે ચિહ્ન પ્રયોજાતાં. ૧૪૪ માટે ૧૦૦નું, ૪૦નું તથા ૪નું એમ ત્રણ ચિહ્ન વપરાતાં. તો વળી ૧૦૮ માટે ૧૦૦નું અને ૮નું એમ બે ચિહ્ન ઉપયોગમાં લેવાતાં હતાં. (જુઓ આલેખ ૪). લેખન-પદ્ધતિ
- ઉત્કીર્ણ લેખોમાંનાં લખાણ ઉપરથી ક્ષત્રપકાલીન લેખનપદ્ધતિનો પરિચય થાય છે. લખાણ હાલની જેમ ડાબેથી જમણી તરફ આડી લીટીઓમાં અને સળંગ લખાતું. એટલે કે શબ્દ અને શબ્દ વચ્ચે જગ્યા રાખવાનો રિવાજ આ સમયે અસ્તિત્વમાં ન હતો. આ સમયનાં લખાણમાં વિરામ ચિહ્નોનો પ્રયોગ જવલ્લે જ થતો.
For Personal & Private Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ક્ષત્રપકાલીન ગુજરાત પાદનોંધ ૧. રુદ્રદામાનો શૈલલેખ શુદ્ધ સંસ્કૃતમાં હોવા છતાંય તેના પોતાના જ સિક્કા પ્રાકૃત મિશ્રિત સંસ્કૃતમાં છે.
તો નહપાનના સમયના શિલાલેખો (ગુફાલેખો) પ્રાકૃતમાં હોવા છતાંય એના સિક્કાઓ પ્રાકૃતમાં નથી પણ સંસ્કૃત મિશ્રિત પ્રાકૃતમાં છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શાસકની રુચિ-અભિરુચિ જાહેર ફરમાનોની ભાષા ઉપર અસર કરે છે. ક્ષત્રપો પૂર્વેના ગુજરાતના અભિલેખોમાં લખાણ ગ્રીક અને ખરોષ્ઠીમાં જોવા મળે છે. ફલત: આ
કાળના આરંભના બે ત્રણ રાજાઓએ ખરોષ્ઠી લિપિને ચાલુ રાખી હોય એ સ્વાભાવિક છે. ૩. ભૂમક, નહપાન અને ચાષ્ટનના સિક્કામાં ઉભય લિપિનો પ્રયોગ જોવા મળે છે. ૪. ચારુનના પૌત્ર રુદ્રદામાના સમયથી.
અશોકકાલીન લિપિમાં સામાન્યતઃ આડી અને ઊભી સીધી રેખાઓનો ઉપયોગ દેખાય છે. જયારે
મૈત્રકાલીન લિપિના અક્ષર સરખા, સીધા મરોડના અને કદમાં નાના છે. ૬. સંસ્કૃત લેખમાં “ળ”નો પ્રયોગ થયો છે એ અસાધારણ ગણાય. સામાન્ય રીતે સંસ્કૃતમાં હંમેશા ‘ળ'ને
સ્થાને ‘લ’ વર્ણનો વિનિયોગ થાય છે. ૩અને૪ દાણી, ઈન્ડિયન પ્રેલિગ્રફિ, પૃષ્ઠ ૯૬.
અને૧૨ બૂહ્નર, ઇન્ડિયન સ્પેલિગ્રાફ, પૃષ્ઠ ૬૧. ૧૦. ઓઝા, ભારતીય પ્રાચીન લિપિમાળા, લિપિ પટ્ટ ૬માં જુઓ અને . ૧૧અને૨૩ દાણી, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૯૬. ૧૪. લિપિ, તેના મરોડ, તેનાં લક્ષણો વગેરે વિશે વધુ માહિતી માટે જુઓ .. ચી. પરીખ, ગુજરાતમાં
બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ, અમદાવાદ ૧૯૭૪. આમ તો આ સંદર્ભલેખક અને આ ગ્રંથલેખક ગુરુબંધુ તરીકે અન્વેષણકાર્ય સાથે રહીને કરતા હતા. આથી, લિપિ વિશે, ખાસ તો ક્ષત્રપકાલીન લિપિ વિશે બંને લેખકો પરસ્પર ચર્ચા વિચારણા કરતા રહેતા હતા.
For Personal & Private Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સત્તર
ભૂમિકા
ક્ષત્રપકાળના શાસન દરમ્યાન આપણા પ્રદેશમાં ધર્મ-પરંપરા અને ધર્મ-સંપ્રદાયોની માહિતી મેળવવા માટેનાં પ્રત્યક્ષ પ્રમાણિત સાધનો હાથવગાં નથી. એટલે અવલોકન હેઠળના સમય દરમ્યાન આપણે અહીં કયો ધર્મ કે સંપ્રદાય વધારે લોકપ્રિય હતો, કયો રાજધર્મ હતો, સમાજજીવન ઉપર કયા ધર્મની વિશેષ અસર હતી જેવા મુદ્દાઓ પરત્વે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. તો પણ ક્ષત્રપ શાસકોના શિલાલેખોમાં ઉલ્લિખિત ધર્મદેયો-પૂર્વદેયો ઇત્યાદિ ઉપરથી તથા સિક્કાઓ ઉ૫૨ અંકિત ચિહ્ન, રાજાઓનાં નામમાં વપરાયેલા ઈશ્વરસૂચક શબ્દ, ઉત્ખનનથી પ્રાપ્ત સ્તૂપ, વિહાર, ગુફા, મૂર્તિઓ વગેરે ઉપરથી; સમકાલીન સાહિત્યગ્રંથોના આધારે તથા સમકાલમાં આપણા દેશમાં પ્રવર્તમાન વિવિધ સંપ્રદાયોના સંદર્ભથી ક્ષત્રપકાલીન ગુજરાતની ધાર્મિકસ્થિતિ વિશે ઠીક ઠીક પ્રકાશ પાથરી શકાય છે.
રાજધર્મ
ધર્મ-પરંપરા
સહુ પ્રથમ આપણે રાજધર્મનું વિવરણ કરીશું. ક્ષત્રપ શાસકો શક જાતિના હતા અને વિદેશી હતા. તેઓ પોતાના મૂળ વતનના ધર્મથી સજ્જ થઈ આવ્યા હતા કે નહીં તે જાણી શકાયું નથી. પરંતુ આપણા રાષ્ટ્રના સાંસ્કૃતિક ઇતિહાસનાં અવલોકનથી સૂચવાય છે કે પૂર્વકાળમાં આવનાર દરેક આક્રમક પ્રજાની જેમ આ શક જાતિના લોકોએ પણ આપણી સંસ્કૃતિનાં લક્ષણોને અંકે કરવામાં અને આપણા સમાજજીવનના માળખામાં ગોઠવાઈ જવામાં સંનિષ્ઠ અને સક્રિય પ્રયાસ કરેલા. શક જાતિના આ વંશજો આપણા પ્રદેશના ઇતિહાસમાં પશ્ચિમી ક્ષત્રપો તરીકે ખ્યાત હતા અને એમનાં ઇતિહાસ અને સંસ્કૃતિનો અભ્યાસ સ્પષ્ટતઃ સૂચવે છે કે તેઓ લગભગ ભારતીય થઈ ગયા હતા. એટલે તેમણે આપણા દેશમાં તત્કાળે પ્રવર્તતા કોઈ ધર્મમાંથી એકાદનો સ્વીકાર કર્યો હોવા સંભવે છે. ત્યારે આપણા દેશમાં હિન્દુધર્મ (ખાસ કરીને તેમાંથી ઉદ્ભૂત શૈવ અને વૈષ્ણવ સંપ્રદાય), બૌદ્ધધર્મ અને જૈનધર્મ પ્રવર્તમાન હતા, પ્રચારમાં હતા. આમાંથી ક્ષત્રપોએ કયો ધર્મ કે કયા ધર્મોનો કે તેના પેટાપંથોનો સ્વીકાર કર્યો હશે તેની વિગતો અવલોકીએ.
ક્ષત્રપ રાજાઓમાંના આરંભના કેટલાક રાજાઓના સિક્કા ઉપર બાણ, વજ અને ચક્રનાં પ્રતીક જોવાં પ્રાપ્ત થાય છે. બાણ અને વજ્રનાં પ્રતીકથી કોઈ ધર્મનું સૂચન મળતું નથી; પરંતુ ચક્રનું પ્રતીક એક તરફ બૌદ્ધ અને જૈન ધર્મનાં પ્રતીક છે અને બીજી બાજુએ વિષ્ણુનું પ્રતીક પણ છે. આથી, ક્ષત્રપ રાજાઓ બૌદ્ધધર્મ કે વૈષ્ણવ સંપ્રદાયમાંથી કોના ભક્ત હશે એ કહેવું મુશ્કેલ છે. નહપાન અને તેના પછીના બધા રાજાઓના ચાંદીના સિક્કા ઉપર પ્રયોજાયેલા પર્વત
For Personal & Private Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ક્ષત્રપકાલીન ગુજરાત પ્રતીકથી પણ કોઈ સૂચન મળતું નથી. નહપાન-ઉષવદારના લેખો બૌદ્ધગુફાઓમાંથી પ્રાપ્ત થયા છે અને એમાં બૌદ્ધ સંઘને દાન આપ્યાં હોવાનો નિર્દેશ છે. આથી, તેઓ બૌદ્ધધર્મના અનુયાયી હોઈ શકે એવો સંભવ વ્યક્ત કરી શકાય.
આ રાજાઓના ચાંદીના સિક્કાઓ ઉપર ચંદ્ર, સૂર્ય, પર્વત તથા નદીનાં ચિહ્ન છે. આ બધાં શાશ્વતતાનાં-અમરકીર્તિનાં પ્રતીક હોય અને ધાર્મિક પ્રતીક તરીકે એમનું એવું કોઈ તાત્પર્ય ના પણ હોય. આથી આ ચિહ્નો પણ ક્ષત્રપોના રાજધર્મ બાબતે કોઈ અનુમાન તારવવા ઉપકારક થતાં નથી.
ઉષવદારના નામમાં પૂર્વપદ ઉષવ(=વૃષભ) કાં તો શૈવ સંપ્રદાયનું, કાં તો જૈન ધર્મનું સૂચન ધરાવતું હોય. એણે બ્રાહ્મણોને આપેલાં ગ્રામદાન, કન્યાદાન અને ભોજનદાન ઉપરથી બ્રાહ્મણધર્મનું સૂચન પણ રાજધર્મ તરીકે થઈ શકે. ચારુનાદિ વંશના ત્રીસ જેટલા પુરુષોમાંથી નવ પુરુષોનાં નામના પૂર્વાર્ધ તરીકે રૂદ્ર શબ્દ છે. આથી અનુમાની શકાય કે પશ્ચિમી ક્ષત્રપો શૈવ સંપ્રદાયના અનુયાયી હોય. જયદામાના તાંબાના ચોરસ સિક્કા પરનાં વૃષભ અને ત્રિશૂળનાં પ્રતીક ઉપર્યુક્ત અનુમાનને સમર્થે છે. માળવામાંથી પ્રાપ્ત થયેલા સ્વામી જીવદામાના શિલાલેખમાં તે પોતાને સ્વામી મહાસેનનો ઉપસાક ગણે છે. તેથી સંભવતઃ ક્ષત્રપોમાંના કેટલાક રુદ્ર(મહાદેવ) અને મહાસેનના ઉપાસક હોવા જોઈએ. રાજા મહાક્ષત્રપ ઈશ્વરદત્તનું નામ પણ અહીં વિચારવા યોગ્ય ખરું".
પ્રસ્તુત પૃથક્કરણથી સૂચવી શકાય કે પશ્ચિમી ક્ષત્રપોનો કોઈ સ્પષ્ટ રાજધર્મ અનુમાનવો મુશ્કેલ છે. પરંતુ મુખ્યત્વે તેઓમાંના ઘણા શૈવપંથી હોવા સંભવે છે.. બ્રાહ્મણ ધર્મ
શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયની ચર્ચા અલગ રીતે હવે પછી કરી છે. અહીં તો માત્ર એમના મૂળ સ્રોત સમા બ્રાહ્મણધર્મની પ્રવૃત્તિઓનો પરિચય આપવો આવશ્યક જણાય છે.
નહપાનના જમાઈ ઉષવદાત્તના નાસિક ગુફાના લેખોથી આ વિશે થોડીક માહિતી મળે છે. એણે ત્રણ લાખ ગાયનું દાન, બ્રાહ્મણોને સોળ ગામનું દાન, દર વર્ષે એક લાખ બ્રાહ્મણોને ભોજનનાં દાન, પ્રભાસના પુણ્યતીર્થમાં પોતાના પૈસે બ્રાહ્મણોને આઠ કન્યાનાં દાન જેવા ઉલ્લેખ સ્પષ્ટતઃ બ્રાહ્મણોને સ્પર્શે છે. ઉપરાંત બાસ્કૃશા નદીનો ઘાટ બંધાવ્યો; ભરૂચ, દશપુર, ગોવર્ધન, શુપરક જેવાં સ્થળોએ આરામગૃહ બંધાવ્યાં. ઇબા, પારદા, તાપી, કરબેરા, દાહનૂકા જેવી નદીઓમાં નિઃશુલ્ક હોડીઓની વ્યવસ્થા કરી. આ બધી બાબતોથી ફલિત થાય છે કે ક્ષહરાત ક્ષત્રપોના સમયમાં બ્રાહ્મણાધર્મનો ઠીક ઠીક પ્રચાર થયો હતો. સોમસિદ્ધાંત
પ્રભાસપાટણના એક લેખમાં (ઈસ્વી ૧૧૬૯) ૧૦ દર્શાવ્યા મુજબ સોમે પ્રભાસમાં સોમનાથમાં સોનાનું મંદિર બંધાવ્યું અને શિવની આજ્ઞાથી પોતાની પદ્ધતિ (school) સ્થાપી અને તે સ્થાન પાશુપતોને અર્પણ કર્યું. પુરાણો અનુસાર" શિવે પ્રભાસમાં સોમશર્મારૂપે પધારી આ મંદિર બંધાવ્યું. અભિલેખમાંની સોમની અને સાહિત્યિક સામગ્રી અનુસાર સોમશર્માની કથા
For Personal & Private Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સત્તર
૨૮૫
એક જ અનુશ્રુતિનાં બે પાસાં છે. તો ઉભય માહિતીનું આકલન કરતાં એવું દર્શાવી શકાય કે સોમ અથવા સોમશર્મા નામની કોઈ ઐતિહાસિક વ્યક્તિ વિદ્યમાન હતી અને તેમણે પ્રભાસમાં શૈવ સંપ્રદાય સ્થાપયો અને સોસિદ્ધાંતનો મત પ્રવર્તાવ્યો. આથી, સૂચવાય છે કે ગુજરાતમાં શૈવ સંપ્રદાયના સૌ પ્રથમ મુખ્ય આચાર્ય સોમશર્મા હોય.
આથી, સોમશર્માનો સમય સુનિશ્ચિત કરવો આ તબક્કે આવશ્યક છે. આ માટે કોઈ આભિલેખિક પુરાવો મળતો નથી. પરંતુ પુરાણો તેમને રુદ્ર-શિવના સત્તાવીસમા અવતારર તરીકે અને લકુલીશને અઠ્ઠાવીસમા અવતાર તરીકે ઓળખાવે છે. આથી, સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં પાશુપત મતના સંસ્થાપક-પ્રવર્તક લકુલીશના સોમશર્મા પુરોગામી છે.
આ સોમશર્માને ચાર શિષ્ય હતાઃ અક્ષપાદ, કણાદ, ઉલૂક અને વત્સ ૧૪. ન્યાયસૂત્રોના રચયિતા અક્ષપાદ ઈસ્વી ૧૫૦ના અરસામાં વિદ્યમાન હોવાનો મત વધુ સ્વીકાર્ય જણાય છે૧૫. તો એમના ગુરુ સોમશર્માનો ઉત્તરકાળ પણ આ જ અરસામાં હોઈ શકે. અર્થાત્ સોમસિદ્ધાંત આ સમય પૂર્વેનો ગણી શકાય. પરંતુ કણાદે રચેલાં વૈશિવસૂત્રો ચાયસૂત્રોથીય પૂર્વકાળનાં છે. વૈશેષિમૂત્રો ચરકસંહિતા પૂર્વે રચાયાં હોવાનો મત પણ છે. મુનિ ચરકનો સમય ઈસ્વી ૮૦ આસપાસનો દર્શાવાયો છે. આથી, સ્પષ્ટ થાય છે કે ચરક અક્ષપાદ પૂર્વે અને કણાદ ચરક પૂર્વે વિદ્યમાન હોય. તો કણાદનો સમય સંભવતઃ ઈસુની પહેલી સદીના ચોથા ચરણ પહેલાં અર્થાત્ બીજા-ત્રીજા ચરણમાં સૂચવી શકાય. આ ગણતરીના સંદર્ભે કણાદના ગુરુ સોમશર્મા ઈસ્વીની પહેલી સદીના પહેલા-બીજા ચરણમાં વિદ્યમાન હોવાનું ફલિત થઈ શકે.
( પુરાણોમાં સોમશર્મા વિશે ભૂતકાળનો અને લકુલીશ માટે ભવિષ્યકાળનો વિનિયોગ થયો છે. સોમશર્મા લકુલીશના પિતામહ ગણાય.... આ બધી હકીકતોના પરિપ્રેક્ષ્યમાં ઉભયની વચ્ચે બે પેઢી જેટલું અંતર (આશરે ૫૦ વર્ષ જેટલું) હોવાનું સૂચિત થાય. લકુલીશ ઈસ્વીની બીજી સદીના પહેલા ચરણમાં હોવાનો મત સર્વમાન્ય છે૧૯. કણાદ વગેરેના ગુરુ સોમશર્મા અને લકુલીશના પિતામહ સોમશર્મા બંને એક જ હોય તો પછી સોમશર્મા ઈસ્વીની પહેલી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હોવાનો અગાઉ નિર્દિષ્ટ મત વધારે સંભવિત છે.
આથી, એવું દર્શાવી શકાય કે નજીકના પ્રાક્ષત્રપાલ દરમ્યાન સોમશર્માએ પ્રભાસ પાટણમાં પ્રવર્તાવેલો સોસિદ્ધાંત ક્ષત્રપકાલ દરમ્યાન વધારે પ્રચારમાં પ્રસારમાં આવ્યો હોય અને એના ભક્તોએ અહીં મંદિર બંધાયું હોય એવું સંભવે ખરું. લકુલીશ : પાશુપત સંપ્રદાયના પ્રવર્તક
પાશુપત મતના પ્રવર્તક લકુલીશ એ માહેશ્વરનો અવતાર ગણાય છે. આ અવતારના સંસ્થાન તરીકે કાયાવરોહણ (વડોદરા જિલ્લાના ડભોઈ પાસેનું હાલનું કારવણ) જાણીતું છે. કેટલાક શિલાલેખોમાં શૈવસંપ્રદાયના આચાર્ય તરીકે નકુલી કે લકુલીનો ઉલ્લેખ છે. ધાર્મિકો એમને શિવના અવતાર તરીકે ગણે છે. ગુપ્ત સંવત ૬૧ના ચંદ્રગુપ્ત રજાના સમયના એક લેખમાં ઉપમિતેશ્વર અને કપિલેશ્વર નામનાં શિવલિંગની પ્રતિષ્ઠા કરનાર તરીકે “આર્ય ઉદિતાચાર્ય કુશિકથી દશમા, પરાશરથી ચોથા, ભગવાન કપિલના શિષ્યના શિષ્ય અને
For Personal & Private Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ક્ષત્રપકાલીન ગુજરાત ઉપમિતના શિષ્ય હોવાનો ઉલ્લેખ છે. આથી, અનુમાની શકાય કે ઈસ્વી ૩૮૧(=ગુપ્ત સંવત ૬૧)માં કુશિકની (એટલે નકુલીશના શિષ્યની) દશમી પેઢીનો પુરુષ વિદ્યમાન હોવાનું જણાય છે. પેઢી દીઢ પચીસ વર્ષની ગણતરી અનુસાર કુશિકને ઈસ્વી ૧૩૧ (એટલે ૩૮૧૨૫૦=૧૩૧)માં વિદ્યમાન હોવાનું દર્શાવી શકાય. તદનુસાર એના ગુરુ નકુલીશ પણ એના પૂર્વ-સમકાલીન હોઈ ઈસ્વીની બીજી સદીના પ્રથમ ચરણમાં કે પ્રથમ સદીના છેલ્લા ચરણમાં વિદ્યમાન હોવા સંભવે. ફલતઃ એમ કહી શકાય કે પાશુપત મત ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં ઉદ્ભવ્યો અને પ્રચારમાં આવ્યો. સોમનાથનું મંદિર કયારે ?
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું અને કહેવાતો (?) અરબી સમુદ્ર જેના પગ પખાળે છે તે સોમનાથનું અતિ પ્રસિદ્ધ મંદિર અનેક વખત નાશ પામ્યું અને એનો એટલી જ વખત પુનરુદ્ધાર પણ થયો. આપણા દેશનાં શૈવ તીર્થોમાં અગ્રણી સોમનાથનું આ મંદિર સહુ પ્રથમ ક્યારે બંધાયું હશે તે પ્રશ્ન ચર્ચાની એરણ ઉપર મૂક્યો હોવાનું જાણમાં નથી. આ બાબતે વિદ્વાનોમાં કોઈ ખાસ મતભેદ હોય એમ જણાયું નથી. આથી, અહીં તે સંદર્ભે થોડી ચર્ચા પ્રસ્તુત છે.
આપણા દેશના પશ્ચિમ કિનારા ઉપર સ્થિત પૂર્વાભિમુખ આ દેવાલય આપણું એક પ્રભાવી તીર્થધામ ગણાય છે. આપણે જાણીએ છીએ કે સોમનાથ પાટણનો પ્રભાસ તીર્થ તરીકેનો ઉલ્લેખ મહાભારત અને પુરાણોમાં છે.
મહમૂદ ગઝનવીના સમયમાં સોમનાથનું મંદિર આપણા દેશનાં અન્ય શૈવ તીર્થોમાં અગ્રપદે હતું. અને તેથી તેની ભવ્ય સમૃદ્ધિથી આકર્ષાઈને મહમૂદે સોમનાથને લૂંટ્યું અને તોડ્યું હતું. સોમનાથ મંદિરની આ ભવ્યતા અને સમૃદ્ધિ કંઈ થોડાં વર્ષમાં થઈ હોય એ શકય નથી. વળી, મૂળરાજે આ સમયે (ઈસ્વી ૯૪૨-૯૭) ગુજરાતમાં અન્ય સ્થળોએ સોમનાથ ભગવાનનાં મંદિર બંધાવ્યાં હતાં. એટલે અન્યત્ર આવાં મંદિર બાંધવા-બંધાવવા ભક્તો પ્રેરાય એવી ખ્યાતિ મૂળ મંદિરની હોય એ સ્વાભાવિક છે૫. કઝેન્સ અનુસાર સોમનાથનું મંદિર વલભીના મૈત્રકોની પહેલાંના સમયમાં બંધાયું હશે અને મૈત્રકોના શાસન દરમ્યાન એની દેશ સમસ્તમાં ખ્યાતિ પ્રસરી હશે. ક્ષત્રપોના સમયમાં ભૈરવ કે એવા કોઈ નામે મંદિર બંધાયું હોય અને એનું સોમનાથ નામ ત્યારે કે મૈત્રકોના સમયે પ્રચારમાં કે પ્રસિદ્ધિમાં આવ્યું હોય.
નહપાનના સમયના નાસિક ગુફાના એક લેખમાં પ્રભાસના પુણ્યતીર્થમાં પોતાના પૈસે બ્રાહ્મણોને આઠ કન્યાનાં દાન આપ્યાં હોવાનો સ્પષ્ટ નિર્દેશ છે. આથી, ઈસ્વીસનની પહેલી સદીના બીજા ચરણ દરમ્યાન પ્રભાસ તીર્થધામ હોવાનું મંતવ્ય સાધાર બને છે. વળી, ક્ષત્રપ રાજાઓમાંના કેટલાકનો નમૂનો પૂર્વપદ તરેકે દ્ર શ્બ્દનો પ્રયૌ” છે. જયંદામાન. તાંબાના સિક્કા ઉપર નંદિ અને ત્રિશૂળનાં પ્રતીક ઉપસાવેલાં છે. આપણે અવલોકયું તેમ ઈસ્વીની પહેલી સદીમાં પ્રભાસમાં સોમસિદ્ધાંત પ્રર્વતાવ્યો હતો. કારવણમાં ઈસુની બીજી સદીમાં લકુલીશનો પ્રાદુર્ભાવ થયો હતો. – આ બધી હકીકતોને ધ્યાનમાં લેવાથી એવું સંભવી શકે છે કે ક્ષત્રપોના
For Personal & Private Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સત્તર
૨૮૭
અમલ દરમ્યાન પ્રભાસમાં સોમનાથનું મંદિર વિદ્યમાન હોવું જોઈએ. પરંતુ આ મંદિર કાછનિર્મિત હોય તો દીર્ઘકાળ સુધી ટકી રહેવું મુશ્કેલ ગણાય.
ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં શૈવ સંપ્રદાયનો પ્રચાર હોવાના કેટલાક પુરાવશેષીય પુરાવા પ્રાપ્ત થયા છે. કારવણમાંથી મળેલી લકુલીશની પ્રતિમા આનો મહત્ત્વનો પુરાવો તો છે જ. આ ઉપરાંત શામળાજીમાંથી ક્ષત્રપકાલીન કેટલાંક શૈવશિલ્પો હાથ લાગ્યાં છે; જેમાં ભીલડીના વેશમાં પાર્વતીનું શિલ્પ, માહેશ્વરી માતૃકાનું શિલ્પ, ચામુંડા માતૃકા, ધડ અને પગવાળું શિલ્પ (સંભવતઃ શિવનું) વગેરે પ્રતિમાનો સમાવેશ થાય છે. વિશેષમાં ચારેક દાયકા પૂર્વે દેવની મોરી ગામના પાદરમાં ખોદકામ કરવાથી મૂળ અવસ્થામાં રહેલું શિવલિંગ સાથેની, ક્ષત્રપકાલીન ઈંટોથી સજ્જ, એક પીઠિકા મળી છે ૯. આમ આ બધા પુરાવા ઉપરથી પણ ક્ષત્રપકાલીન ગુજરાતમાં સોમનાથનું મંદિર બંધાયું હોવાના મતને સમર્થન મળે છે.
ઉપર્યુક્ત અર્થઘટિત વર્ણનને પૂરતું સમર્થન સંપ્રાપ્ત થયું છે સોમનાથના મંદિરના પરિસરમાં ૧૯૫૦માં થયેલા વ્યવસ્થિત ઉખનનકાર્યથી. અહીંથી ત્યારે bottle-necked sprinkler મળી આવ્યું હતું. આ વાસણનો આકાર હસ્તિનાપુરમાંના ઉત્પનનથી પ્રાપ્ત વાસણોના આકાર જેવો છે. આ વાસણો ઈસુ પૂર્વેની પહેલી સદીથી ઈસ્વીની બીજી સદી સુધીના સમયપટમાંથી હાથ લાગ્યાં છે. તો સોમનાથમાંથી હાથ લાગેલું bottle-necked sprinkler પણ આ સમય દરમ્યાનનું હોવાનું અનુમાની શકાય. એટલે એવું સાધાર સૂચવી શકાય કે સોમનાથનું પહેલપ્રથમ મંદિર ઈસુની બીજી સદીના ઉત્તરાર્ધમાં કે ત્રીજી સદીના પૂર્વાર્ધમાં બંધાયું હોવાની શક્યતા રહે છે. શૈવ સંપ્રદાય
પ્રભાસ પાટણમાં પ્રાગટ્ય પામેલો સો સિદ્ધાંત, કારવણમાં પ્રાદૂર્ભાવ પામેલો લકુલીશનો અવતાર, પાશુપત સંપ્રદાયમાં અનુકાલમાં થયેલો વિકાસ, સોમનાથના મંદિરનું સૌ પ્રથમ નિર્માણકાર્ય, ક્ષત્રપ રાજાઓનાં નામમાં ઈશ્વરસૂચક પૂર્વપદ સુદ્ર, તેમના સિક્કામાં નંદિ અને ત્રિશૂળનાં પ્રતીક - આ બધા અગાઉ આપણે અવલોકી ગયેલા મુદ્દાઓ ઉપરથી સ્પષ્ટતઃ અનુમાની શકાય કે ક્ષત્રપોના શાસનસમય દરમ્યાન શૈવ સંપ્રદાયનો આપણા પ્રદેશમાં સારો વિકાસ થયો હતો. શામળાજીના પરિસરમાંથી શૈલ સંપ્રદાય સંલગ્નિત પ્રતિમાઓની પ્રાપ્તિ, દેવની મોરી ગામમાંથી ક્ષત્રપકાલીન ઈંટોથી રચાયેલી પીઠિકા ઉપર મૂળ અવસ્થામાં મળેલું શિવલિંગ જેવી હકીકતો અસંદિગ્ધપણે સૂચિત કરે છે કે ક્ષત્રપકાલીન ગુજરાતમાં શૈવ સંપ્રદાયનો વ્યાપક પ્રચાર થયો હતો. ચંદ્રપૂજા
સોમનાથ શબ્દમાં સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે ઈશ્વર એવા અર્થ દર્શાવી કેટલાક વિદ્વાનોએ સોમનાથની ઉત્પત્તિમાં ચંદ્રની પુરાણોક્ત કથાઓ સંલગ્નિત કરી દીધી છે. જો કે શૈવ યોગીઓ અગ્નિ, સૂર્ય અને ચંદ્ર એ ત્રણેયને મહત્ત્વ આપે છે. આથી, પ્રભાસમાં અગ્નિ અને સૂર્યનાં તીર્થ હોઈ ચંદ્રનું તીર્થ હશે અને તેનું મંદિર હશે એવી કલ્પના વ્યક્ત કરાઈ. પરંતુ આ માટે કોઈ પ્રત્યક્ષ પ્રમાણ ઉપલબ્ધ થયાં નથી. ઉમા સહિત શિવ તે સોમ એવો એક અર્થ પ્રચલિત
For Personal & Private Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
૨૮૮
છે; કેમ કે શિવે ઉમાને કલા(ચંદ્ર) કહી છે. શિવના અનુયાયીઓ કપાળમાં ત્રિપૂંડ અંગિકાર કરે છે, જેનો આકાર બીજાના ચંદ્ર જેવો છે. સોમવતી અમાવાસ્યાનું માહાત્મ્ય અહીં વિચારવા જેવું ખરું; કારણ કે ચંદ્રકલાની વધઘટને કારણે પૂનમ અને અમાસ અનુભવાય છે. શૈવયોગીઓમાં સોમવિદ્યા વિશેષ ખ્યાત છે. આથી, સોમવિદ્યાના ઉપાસકો સોમનાથમાં હોવા બાબતે અટકળ પ્રચારિત થઈ છે.
આપણા દેશની સાંસ્કારિક પરંપરામાં બાર જ્યોતિર્લિંગનો મહિમા છે, જેમાં સોમનાથનો ઉલ્લેખ પ્રારંભે છે. આમાં સોમનાથ માટેનું વિશેષણ આ પ્રકારે છેઃ ખ્યોતિર્મય ચન્દ્રના વર્તસમ્. સોમવિદ્યાના ઉપાસકો એવા શૈવયોગીઓ પોતાના મસ્તકે ચંદ્રકલાનું ચિહ્ન ધારણ કરે છે".
પ્રસ્તુત વિવરણી વિશ્લેષણથી એવું સૂચિત થાય છે કે સોમનાથમાં ચંદ્રપૂજાનું મહત્ત્વ હોય. ક્ષત્રપોના સિક્કાના પૃષ્ઠભાગમાં પર્વતની ટોચે અને ઉપલા શિખરની ડાબી બાજુએ એમ ચંદ્રની બે આકૃતિઓ છે. આમાં ડાબીબાજૂનો ચંદ્ર, જમણી તરફ સૂર્યની આકૃતિ છે. તેથી, પ્રકૃતિના શાશ્વત તત્ત્વનું સૂચન કરે છે એવી દલીલ વ્યક્ત થઈ શકે; પરંતુ પર્વતની ટોચની ઉપ૨નો વધારાનો ચંદ્ર ક્ષત્રપો ચંદ્રના ઉપાસકો હોય એવું અનુમાન કરી શકાય. તદનુસાર સંભવતઃ ક્ષત્રપકાળ દરમ્યાન આપણા પ્રદેશમાં ચંદ્રની પૂજા પ્રચારમાં હશે અને સોમન!-પ્રભાસ તેનું મુખ્ય કેન્દ્ર હશે એવું સૂચવી શકાય.
સૂર્યપૂજા
પ્રભાસમાં પૂર્વકાળમાં સૂર્યપૂજા થતી હતી એવો નિર્દેશ મહાભારતના વનપર્વમાં (અધ્યાય ૧૩૨, શ્લોક ૭) છે. આજેય પ્રભાસમાં સૂર્યમંદિર છે. પ્રભાસક્ષેત્રનું અપર નામ ભાસ્કરક્ષેત્ર છે”. પ્રભાસ એટલે અતિશય પ્રકાશમાન અને ભાસ્કર એટલે સૂર્ય એવા અર્થ અહીં આ સંદર્ભે વિચારવા યોગ્ય ખરા. સ્કંદપુરાણમાંના પ્રભાસખંડમાંની કથાનુસાર સૂચવી શકાય કે પ્રભાસક્ષેત્રમાં સૂર્યપૂજા પૂર્વકાળમાં અસ્તિત્વમાં હોવી જોઈએ. આપણે જોયું કે શૈવયોગીઓ અગ્નિ, સૂર્ય અને ચંદ્રને સરખું મહત્ત્વ આપે છે એ હકીકત પણ અહીં વિચારણીય છે. પ્રભાસમાં સોમનાથનું મંદિર અને ચંદ્રપૂજા વિદ્યમાન હોય તો સૂર્યપૂજાનું અસ્તિત્વ અવગણી શકાય નહીં જો કે આ વાસ્તે પ્રત્યક્ષ પ્રમાણો ઉપલબ્ધ નથી.
જૈનધર્મ
આ સમયના આપણા પ્રદેશમાં જૈનધર્મની લોકપ્રિયતાનો ખ્યાલ જૈનાચાર્યોની પ્રવૃત્તિ ઉપરથી મળી રહે છે. આર્ય ખપુટ′, પાદલિપ્તસૂરિ, નાગાર્જુન, વજ્રભૂતિ, સિદ્ધસેન દિવાકર, મલ્લવાદીસૂરિ ઇત્યાદિ જૈનાચાર્યો” આપણા પ્રદેશ સાથે સીધી રીતે સંકળાયેલા હતા.
નાગાર્જુન સુરાષ્ટ્ર વિસ્તારના વતની હતા. એકદા પાટલીપુત્રના પાદલિપ્તાચાર્ય તીર્થયાત્રા અંતર્ગત ઢંકપુરી (ઢાંક) પધાર્યા, ત્યારે નાગાર્જુનને તેમનો સમાગમ થયો. નાગાર્જુન તેમની પાસેથી રસસિદ્ધિ પામ્યા અને ગુરુના સ્મરણાર્થે શંત્રુજયની તળેટીમાં પાદલિપ્તપુર (વર્તમાન પાલિતાણા) નામનું નગર વસાવ્યું અને પર્વત ઉપર જૈન ચૈત્ય સ્થાપી મહાવીરનું પ્રસ્થાપન કર્યું તેમ જ ગુરુની મૂર્તિ પણ સ્થાપિત કરી. આ ઉપરાંત નાગાર્જુનને શેઢી નદીના કિનારે
For Personal & Private Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સત્તર
પાર્શ્વનાથની પ્રતીમાની પ્રતિષ્ઠા કરી સ્તંભન તીર્થ સ્થાપ્યું.
આચાર્ય વજ્રભૂતિ ભરુકચ્છના વતની હતા. નહપાનની પત્ની પદ્માવતીના તે ગુરુ હતા અને એમનાં કાવ્ય નહપાનના અંતઃપુરમાં ગવાતાં હતાં. સિદ્ધસેન દિવાકર ગુર્જરવાસી ન હતા, પણ એમનો વિહા૨પ્રદેશ મુખ્યત્વે ગુજરાત સાથે સંકળાયેલો હતો. મલ્લવાદી વલભીના વતની હતા. જૈનદર્શનના ખેડાણમાં અને પ્રચારમાં આ બંને વિદ્વાનોનો ફાળો ધ્યાનાર્હ ગણાય છે.
૨૦૯
આ બધા જૈનાચાર્યોની પ્રવૃત્તિઓ અને એમનાં જીવન-કવન ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ક્ષત્રપકાળ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં જૈનધર્મનો પ્રચાર અને ફ્લાવો ઘણો હતો.
વીર નિર્વાણની નવમી સદીમાં નાગાર્જુનના અધ્યક્ષપદે વલભીમાં સંપન્ન થયેલી પરિષદમાં આગમવાચનાને સંકલિત કરવાની જે મહત્ત્વની ઘટના ઘટેલી તે વિશે વિગતે ચર્ચા આપણે અગાઉ પ્રકરણ પંદરમાં કરી છે. આથી, સ્પષ્ટતઃ વલભી એ જૈનધર્મનું અને જૈન દર્શનશાસ્ત્રનું એક અગ્રિમ કેન્દ્ર હતું એમ કહી શકાય એટલે કે ક્ષત્રપોના શાસનમાં ગુજરાતમાં જૈનધર્મનો અભ્યુદયકાળ પ્રવર્તતો હોવો જોઈએ.
પાદલિપ્તચાર્યની પુણ્યસ્મૃતિમાં પ્રસ્થાપાયેલું પાલિતાણા, ભાવડનું નિવાસસ્થાન બનેલું મધુમતી(મહુવા), વીસમા તીર્થંકર મુનિ સુવ્રતના નામ સમથે સંલગ્નિત અને આર્ય ખપુટે પુનઃપ્રતિષ્ઠિત કરેલું ભરુકચ્છ નજીકનું અશ્વાવબોધતીર્થ, પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી નાગાર્જુને સ્થાપેલું સ્તંભનક (હાલનું થામણા) જેવાં તીર્થ પણ ગુજરાતમાં જૈનધર્મની આ સમય દરમ્યાન લોકપ્રિયતાનું સૂચન કરે છે.
ઉજ્જયન્ત(ગિરિનગર), શંત્રુજય, ઢાંક અને ભરુકચ્છમાં જૈનતીર્થો હતાં. જૂનાગઢની બાવાપ્યારાની ગુફાઓમાં એક શિલાલેખમાં વૃલિજ્ઞાન સંપ્રાપ્તના નિર્દેશથી આ ગુફાસમૂહ જૈન સાધુઓ માટે નિર્માણ પામી હોવાનું અગાઉ આપણે અવલોક્યું છે. પરંતુ આ ગ્રંથલેખક આ ગુફાઓ જૈનધર્મની હોવાનું સ્વીકારતા નથી”. ઉપરકોટની (જૂનાગઢ) બે મલાયુક્ત ગુફાઓ જૈનધર્મી હોવાનું આપણે નોંધ્યું છે. રાજકોટ જિલ્લાના ઢાંક ગામના પાદરે આવેલા ડુંગરની પશ્ચિમ ધારે આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ, મહાવીર વગેરેની પ્રતિમાઓ કંડારેલી છે. સાણાની ગુફાઓય જૈનધર્મી હોવાનું અનુમાયું છે. આ બધી હકીકતોથી" એવું સૂચવી શકાય છે કે ક્ષત્રપકાળ દરમ્યાન ગુજરાતમાં જૈનધર્મના થયેલા વિકાસને સમર્થન સંપ્રાપ્ત થાય છે.
જૈનધર્મમાં શ્વેતાંબર-દિગંબરના પ્રભેદનું ઉદ્દભવસ્થાન ગુજરાતમાં હોવાનું એક જૈન અનુશ્રુતિથી સૂચિત થાય છે. દેવેન્દ્રસૂરિના ગ્રંથોમાં જણાવેલા વિ.સં.૧૩૬માં વલભીમાં થયેલી સેવડ (શ્વેતપટ = શ્વેતાંબર) સંપ્રદાયની ઉત્પત્તિ તથા દિગંબર સંપ્રદાય અનુસાર વીર નિર્વાણ ૬૦૯ (વિ. સં. ૧૩૯)માં વલભીપુરમાં થયેલી વ્રુત્તિ(વસ્ત્રધારી) સંપ્રદાયની ઉત્પત્તિને અભિવ્યક્ત કરતી અનુશ્રુતિ વિગતે ઐતિહાસિક ના હોય તો પણ જૈનધર્મની મહાન પ્રવૃત્તિઓનાં કેન્દ્ર તરીકે વલભીપુરની મહત્તા જૈનધર્મના અભ્યુદયનું સ્પષ્ટ સૂચન કરે છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે જૈનાચાર્યોની વિવિધ પ્રવૃત્તિઓ, આગમોનું સંપન્ન થયેલું કાર્ય, જૈનતીર્થોનાં માહાત્મ્ય, જૈનધર્મની કેટલીક ગુફાઓનાં અસ્તિત્વ, સંપ્રાપ્ત થયેલા કેટલાક
For Personal & Private Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૦
ક્ષત્રપકાલીન ગુજરાત અભિલેખ, જૈન સાહિત્યની કૃતિઓ, શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયોનાં ઉત્પત્તિસ્થાન વગેરે સંદર્ભે સંકલિત અને પૃથક્કકૃત કરેલી ઉપર્યુક્ત હકીકતથી ક્ષત્રપોના સમયમાં આપણા પ્રદેશમાં જૈનધર્મના અભ્યદયનું સુંદર અને સ્પષ્ટ ચિત્ર ઉપસેલું જોવું પ્રાપ્ત થાય છે. બૌદ્ધધર્મ
સ્થિરમતિ અને ગુણમતિએ વલભી નજીકના વિરહમાં રહીને અનેક ગ્રંથો રચ્યા હોવાની વિગતો આપણે અગાઉ પ્રકરણ પંદરમાં જોઈ ગયા. આ ગ્રંથો ઉપલબ્ધ નથી પણ તેના ચીની અનુવાદ ઉપલબ્ધ છે. બૌદ્ધદર્શનના આ શ્રેષ્ઠ ગ્રંથો છે.
દેવની મોરીના બૌદ્ધસૂપમાંથી પ્રાપ્ત શેલસમુદ્ગકના ઢાંકણા ઉપર બહારના, બાજુના અને અંદરના ભાગે ત્રિપિટકમાંનું પ્રતીત્યસુમાના સિદ્ધાંતને સ્પર્શતું ગુજરાતમાંથી મળી આવેલું આ આમિલેખિક-ધાર્મિક પ્રમાણ અહીંયાં બૌદ્ધધર્મના પ્રચારનું ઘાતક દષ્ટાંત છે. આ માહિતી પણ આપણે પ્રકરણ પંદરમાં પ્રસ્તુત કરી છે.
બાવા-પ્યારાના ત્રણ ગુફાસમૂહોમાંની “એફ” સંક્ષિત ગુફામાંનો સૂપ બૌદ્ધ હોવા સંભવે છે. (જુઓ પ્રકરણ અઢાર, આલેખ પાંચ)૪૭. જૂનાગઢ પાસેના બોરિયા નામના સ્થળેથી એક ઈંટરી સ્તૂપ હાથ લાગ્યો હતો, જેમાંનું અસ્થિપાત્ર હાલ જૂનાગઢ સંગ્રહાલયમાં સંગૃહીત છે. આ પણ બૌદ્ધ હોવાનું અનુમાનાયું છે. જૂનાગઢ પાસેના ઇંટવા ગામેથી રુદ્રણેન વિહાર મળી આવ્યો છે. આ વિહારના ખોદકામમાંથી ૨૩ સે.મી. વ્યાસનું પકવેલી માટીનું એક નાનકડું મુદ્રાંક મળી આવ્યું છે, જેના ઉપર મહીરના રુદ્રસેન વિહાર fમક્ષુસંધસ્થ એ પ્રકારનું લખાણ ઉત્કીર્ણ છે. આથી, કહી શકાય કે ક્ષત્રપ રાજવી દ્રસેન ૧લાના સમયમાં ભિક્ષુસંઘ વાસ્તે આ વિહારનું નિર્માણકાર્ય સંપન્ન થયેલું.
જેતપુરથી એક કિલોમીટરના અંતરે ભાદર નદીના કાંઠે ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ પાંચ નાનાં નાનાં જૂથમાં કંડારેલી મળી આવી છે. તળાજાના ડુંગરમાંથી ત્રીસ કરતાંય વધારે બૌદ્ધગુફાઓ હાથ લાગી છે. અહીં એક નાનકડું ચૈત્ય પણ છે. સાણાના ડુંગરની બંને ધારે બાસઠ જેટલી ગુફાઓ બૌદ્ધ હોવાનું કહેવાય છે. ઝીંઝુરીઝરની ખીણમાં પણ બૌદ્ધ ગુફાઓ હોવાનો મત વ્યક્ત થયો છે.
દેવની મોરીમાંથી સંપ્રાપ્ત ઈંટરી મહાતૂપ અને ઈંટેરી મહાવિહાર બૌદ્ધધર્મી છે. સૂપના પેટાળમાંથી ભગવાન શિબલના શરીરાવશેષ અને અન્ય ચીજોયુક્ત પથ્થરનો એક દાબડો મળી આવ્યો છે. સ્તૂપની બીજી પીઠિકાના ગવાક્ષમાંથી માટીથી બનાવેલી, માટીના ફલકના પશ્ચાદભૂ ઉપર ઉપસાવેલી અને પછી પકવીને તૈયાર કરેલી એવી ધ્યાનસ્થ બુદ્ધની છવીસ પ્રતિમાઓ સંપ્રાપ્ત થઈ છેv૦.
બૌદ્ધાચાર્ય બુદ્ધાનંદે જિનાનંદને હરાવ્યા હતા. જિનાનંદના ભાણેજે બુદ્ધાનંદને હરાવ્યા હતા. આમ, બે ધર્મ વચ્ચેના વિવાદને અહીં આ સંદર્ભે ધ્યાનમાં લેવો જોઈએ.
ચાખન-રુદ્રદામાના સમયના આંધના યઝિલેખોમાંથી બેમાં ગ્રામજોર અને ગ્રામોરી એવા ઉલ્લેખ પ્રાપ્ત થયા છે. આ શબ્દો બૌદ્ધધર્મમાં શિખાઉ શ્રમણ અને શ્રમણી વાસ્તુ પ્રચલિત
For Personal & Private Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સત્તર
૨૯૧
હતા૫૩. બૌદ્ધસંઘમાં ગૃહસ્થ ઉપાસક અને ઉપાસિકા પ્રવજ્યા લે ત્યારે તેને શ્રમણ અને શ્રમણીની અવસ્થા પ્રાપ્ત કરતા પૂર્વે શ્રામણેર અને ગ્રામણેરીની તાલીમ લેવી પડતી હતી.
સાહિત્યિક, પુરાવશેષીય અને આભિલેખિક સામગ્રીના સંદર્ભે અત્યાર સુધીના વિવરણવિશ્લેષણથી સૂચિત થાય છે કે ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં બૌદ્ધધર્મનો ઘણો સારો વિકાસ થયો હતો. વલભી, જૂનાગઢ, દેવની મોરી વગેરે તે ધર્મના મહાન તીર્થ હોવાનું સંભવે છે". તીર્થભાવના અને પૂર્વકાર્ય
વિવિધ ધર્મના ઉપર્યુક્ત વિવરણથી ક્ષત્રપકાલીન ગુજરાતના લોકોની તીર્થભાવના વિશેનો મત અભિવ્યક્ત થાય છે. ત્રણેય ધર્મ અને સંપ્રદાયોના તીર્થોના નિર્દેશ પ્રસ્તુત મંતવ્યને સમળે છે. આંધૌના ચાર યષ્ટિલેખનો હેતુ, ગુંદાના લેખમાં નિર્દિષ્ટ વાપીનું દાન, ઉષવદાત્તનાં દાનકાર્યો વગેરે ઉલ્લેખો આ સમયના ગુર્જર લોકોની ધર્મપ્રિયતાનું સૂચન કરે છે. તીર્થોનાં વર્ણનની વિગતોથી સૂચવાય છે કે આ કાળમાં તીર્થયાત્રાનો મહિમા ધ્યાનાર્હ હતો.
વાપી, કૂપ, તડાગ, દેવાલયાદિ લોકોપયોગી કાર્યો તથા અન્નદાન અને આરામગૃહોના થયેલા ઉલ્લેખ ઉપરથી લોકો પૂર્તકાર્યોમાં શ્રદ્ધાતિ હોવાનો પ્રત્યય થાય છે. ઉષવદાત્ત બંધાવેલા વાવ, કૂવા વગરે; ચાખન-રુદ્રદામાના આંધૌના લેખોનો હેતું, ગુંદાના લેખમાંનો કૂવાદાનનો નિર્દેશ વગેરે પૂર્તધર્મ જેવાં ધાર્મિક કાર્યોમાં લોકોની ઉત્કટ ઇચ્છાનાં દર્શન થાય છે.
પાદનોંધ ૧. ચક્રના પ્રતીકને રેપ્સન ધર્મ તરીકે ઓળખાવી એને બૌદ્ધધર્મનું પ્રતીક ગણે છે (કેટલૉગ, ફકરો
૮૭). પરંતુ જૈન પરંપરાય બાહુબલીએ સ્થાપેલા ધર્મની વાત કરે છે (ઉમાકાંત શાહ, સ્ટડીઝ ઇન જૈન આર્ટ, પૃષ્ઠ ૧૦). તો શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રને પણ નજર અંદાજ કરી શકાય નહીં. આથી, રેપ્સનનું સૂચન સ્વીકાર્ય રહેતું નથી. હકીકતમાં ચક્રનું પ્રતીક શાશ્વત જણાય છે. આ આકૃતિને અગાઉ ચૈત્ય છે એમ માનવામાં આવેલું. પણ હવે તો તે પર્વતની આકૃતિ છે એમ
સ્વીકારાયું છે. (વિગતો માટે જુઓ પ્રકરણ તેર). ૩. આ બાબતના વિવરણ વાસ્તે જુઓ પ્રકરણ તેર.
આ બંને આમ તો ફક્ત આ રાજાના સિક્કા ઉપર જ અંકિત થયેલાં છે. તો બીજા કેટલાક રાજાઓના સિક્કા ઉપર એકલા વૃષભનું ચિત્ર ઉપસાવેલું જોવું પ્રાપ્ત થાય છે. વધુ માહિતી માટે જુઓ પ્રકરણ
તેર.. ૫. એઈ., પુસ્તક સોળ, પૃષ્ઠ ૨૩૨. ૬. મહાક્ષત્રપ રુદ્રસિંહ ૧લાના ગુંદાના લેખમાં આભીર સેનાપતિ રુદ્રભૂતિના નામનો વિચાર અહીં કરવો
જોઈએ (એજન, પૃષ્ઠ ૨૩૫). ૭અને૮. આ બધાં સ્થળ અને નદીનાં ઓળખાણ વાસ્તે જુઓ પ્રકરણ ૧૧ની પાદનોંધ. ૯. રાજા રુદ્રદામાના ગિરિનગરના શૈલલેખમાં નિર્દિષ્ટ,.....નો-બ્રા[]......[ર્થ] ધH #f4
વુદ્ધાર્થ..... શબ્દો પણ પ્રસ્તુત અનુમાનના સંદર્ભે સમર્થનમાં વિચારવા યોગ્ય છે. ૧૦. ગુઐલે., પુસ્તક ૨, પૃષ્ઠ ૬૨, નંબર ૧૫૫, શ્લોક ૧૫. ૧૧. વાયવીય સંહિતા, અધ્યાય ૫,
For Personal & Private Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૨
૧૨. સત્યવિશે યા વ્યાસો નાતો ભવિષ્યતિ ।
પ્રભાસતીર્થમાશ્રિત્ય સોમશમાં તવાવ્યહમ્ । (જુઓ શિવપુરાળ અંતર્ગત રુદ્રસંહિતા, સર્ગ ૩, અધ્યાય ૫, શ્લોક ૪૧-૪૯).
૧૩. એજન, શ્લોક ૪૩થી.
૧૪. તાપિ મમ તે શિષ્યા: મવિન્તિ તપસ્વિનઃ ।
ક્ષત્રપકાલીન ગુજરાત
અક્ષપાત્ ળાવસ્યોનૂજો વત્સસ્તથૈવ ચ ॥ (એજન, શ્લોક ૪૧).
૧૫. સતીશચંદ્ર વિદ્યાભૂષણ, હિસ્ટરી ઑવ ઇન્ડિયન લૉજિક, ૧૯૨૧, પૃષ્ઠ ૫૦.
૧૬. સુરેન્દ્રનાથ દાસગુપ્તા, હિસ્ટરી ઑવ ઇન્ડિયન ફિલૉસફિ, પુસ્તક ૧, ૧૯૨૨, પૃષ્ઠ ૨૭૯.
૧૭. એજન, પૃષ્ઠ ૨૮૦.
૧૮. ારવળ માહાત્મ્યમાં આપેલી લકુલીશની વંશાવળી ઉપરથી. (જુઓ : વલ્લભ વિદ્યાનગર સંશોધન પત્રિકા, પુસ્તક ૧, અંક ૧, પૃષ્ઠ ૧૯). જી.પ્ર.અમીન, ‘ગુજરાતના મુખ્ય શૈવ આચાર્યો', સ્વાધ્યાય, પુસ્તક ૫, અંક ૩, પૃષ્ઠ ૩૨૪-૨૫.
૧૯. દે.રા.ભાંડારકર, એઇ., પુસ્તક ૨૧, પૃષ્ઠ ૭.
૨૦. વિગતો વાસ્તે જુઓ આ જ પ્રકરણમાં ‘સોમનાથનું મંદિર ક્યારે' વાળો મુદ્દો. ક.મા.મુન્શી, સોમનાથ ધ સાઈન ઇટરનલ, પૃષ્ઠ ૧૨ અને ૬૬.
૨૧. વાયુપુરાળ, પ્રકરણ ૨૩, શ્લોક ૨૧૦-૧૩ અને નિપુરાળ, પ્રકરણ ૨૪, શ્લોક ૧૨૭-૩૧. આ બંને
ગ્રંથમાં માહેશ્વરના અવતારની કથા નિરૂપાઈ છે. ઉભયની કથામાં થોડો ભેદ છે. વાયુપુરાણમાં નક્કલિન્ નામ છે જ્યારે હ્રિપુરાણમાં તત્કૃતિનૢ. જો કે બંને એક જ વ્યક્તિનાં નામ હોવા સંભવે છે. (ભાંડારકર, વૈષ્ણવિઝમ, સૈવિઝમ ઍન્ડ માયનોર રિલિજસ સિસ્ટિમ્સ, ૧૯૨૮, પૃષ્ઠ ૧૬૬) બંને પુરાણોની રચના ઈસુની શરૂઆતની સદીઓમાં થઈ હોવાનો મત છે. (દુ. કે. શાસ્ત્રી, પુરાણ વિવેચન, પૃષ્ઠ ૧૬૫-૬૮).
૨૨. આ લેખ હાલ મથુરા સંગ્રહાલયમાં છે, જે શૈવસ્તંભ ઉપર ઉત્કીર્ણ છે.
૨૩. દુ.કે.શાસ્ત્રી, ઐતિહાસિક સંશોધન, પૃષ્ઠ ૫૭૩-૫૮૭ અને ઉમાશંકર જોશી, પુરાણોમાં ગુજરાત, પૃષ્ઠ
૨૧૦.
૨૪અને૨૬. કઝેન્સ, સોમનાથ ઍન્ડ અધર મેડિઇવલ ટેમ્પલ્સ ઇન કાઠિયાવાડ, ૧૯૩૧, પૃષ્ઠ.
૨૫. રત્નમણિરાવ ભીમરાવ, સોમનાથ, પૃષ્ઠ ૭૮.
૨૭. સોમનાથ, પૃષ્ઠ ૭૯. હરિપ્રસાદ શાસ્ત્રીના મત મુજબ સોમનાથનું મંદિર માહેશ્વર મૈત્રકોના સમયમાં બંધાયું હોવું જોઈએ (મૈગુ., પુસ્તક ૨, પૃષ્ઠ ૩૬૯થી).
૨૮. એઇ., પુસ્તક ૮, પૃષ્ઠ ૧૨થી.
૨૯. આ બધાં શિલ્પોનાં વર્ણન આ ગ્રંથમાં પ્રકરણ ૨૦માં વીંગેત કરેલાં છે. ઉપરાંત ઉમાકાંત શાહષ્કૃત સ્કલ્પચર્સ ફ્રૉંમ શામળાજી ઍન્ડ રોડા ગ્રંથમાં પૃષ્ઠ ૪૩થી અને પૃષ્ઠ ૧૨૧થી આ વિશે પ્રચુર માહિતી આપી છે.
૩૦. બી.કે.થાપરે ૧૯૫૦ના સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં આ ખોદકામ કરેલું, જેનો અહેવાલ ક.મા.મુન્શીએ સોમનાથ, ધ સાઈન ઇટરનલ માં આમેજ કર્યો છે (જુઓ પૃષ્ઠ ૭૧થી ૯૦).
૩૧. ‘સોમનાથનું મંદિર સૌ પ્રથમ ક્યારે બંધાયું' એ નામનો રસેશ જમીનદારનો લેખ જુઓ સ્વાધ્યાય, પુસ્તક ૭, અંક ૧, પૃષ્ઠ ૪૫થી ૪૮. ઉપરાંત જુઓ ઇતિહાસ સંશોધન ગ્રંથમાં પ્રકરણ સાત. ૩૨,૩૪અને૩૫. રત્નમણિરાવ, સોમનાથ, પૃષ્ઠ ૪૮ અને
૬૨થી ૭૨ તથા ૭૨.
For Personal & Private Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રાત્તર
૩૩. મા થિતા મુખ્ય ૩મા નામ ના શુભા (સ્કંદપુરાણ, ૪, ૧૧૫).
3. एतत्प्रकाशते तीर्थं प्रभासं भास्कर द्युति ।
इन्द्रस्य दयितं पुण्यं पवित्र पापनाशनम् ॥
૩. સૂર્ય ભગવાને પોતાની સોળ કળામાંથી ૧૨ કળા પ્રભાસનાં બાર સૂર્યમંદિરમાં પ્રદત્ત કરી દીધી અને શેષ ચાર પોતે રાખી લીધી. (જુઓ અધ્યાય ૧૨). ઉપરાંત દુ.કે.શાસ્ત્રી, ગુજરાતનાં તીર્થસ્થાનો, પૃષ્ઠ
૫૫ ૫ .
૩. આર્ય ખપુટ પ્રાકૂ-ક્ષેપકાળમાં આપણા પ્રદેશમાં વિદ્યમાન હતા. તેઓ ભરૂચના વતની હતા અને વિદ્યાસિદ્ધ આચાર્ય હતા. આથી, પ્રફ઼ ક્ષત્રપકાલમાં અહીં જૈન ધર્મનો પ્રચાર હતો એમ સૂચવી શકાય, જે પ્રચાર--પરંપરા ક્ષત્રપકાલમાં ચાલુ રહી હોવાની પૂરતી સંભાવના નકારી શકાય નહીં.
30
આ બધા જૈનાચાર્યો વિશે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ પંદરમાં તત્સંબંધિત વર્ણન-વિશ્લેષણ. ઉપરાંત જુઓ રસેશ જમીનદાર, ધ સ્ટેટ ઑવ જૈન ફેઇથ ઇન ગુજરાત અંડર ધ વૅસ્ટર્ન ક્ષત્રપ્સ : એન વરવ્યુ અપ્રેઝલ', જઓઇ., પુસ્તક ૪૯, ૧૯૯૯, પૃષ્ઠ ૭૫થી ૮૪.
૪.. પ્રભાવપરિત, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૬૩. મૂળગ્રંથમાં શ્લોક ૨૪૭થી ૩૦૬. ૪૧અને વિવિધતીર્થવ,કલ્પ નંબર ૧૦ અને ૧, ૬, ૧૦ અનુક્રમે.
૨ આ બધા જૈનાચાર્યો કાજે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ પંદર,
૪૪અને૪૫. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ અઢાર.
४६. एक्कसह छत्तीसे विक्कम रायस्य मरणपत्तस्स
૨૯૩
સરઢવનદીપ કો સેવડો સંધો (વર્શનસાર, શ્લોક ૧૧).
छब्बस सएहि नउत्तरेहि तइय सिद्धिगयस्य वीरस्स ।
कम्बलियानं दिक्कि वलहि पुरिए समुप्पन्ना ॥
(જિનેશ્વરસૂરિ, પ્રમાતજ્ઞળમાંની ગાથા) ઉપરાંત દેવસેનસૂરિ, ભાવસંગ્રહમાંની કથા, શ્લોક ૫૨થી ૭૫.
૪૭. સાંકળિયા, આગુ, પૃષ્ઠ ૪૭.
૪૮. બોરિયા-ઈંટવાની વિગતો વાસ્તે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ઓગણીસ,
૪૯. આ બધી ગુફાઓની માહિતી માટે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ અઢાર.
૫૦. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ઓગણીસ. ઉપરાંત એવેશન એટ દેવની મોરી, પૃષ્ઠ ૧૪૧થી.
૫૧. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ પંદર.
૫૨. એઇ., પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૪-૨૫.
૫૩. જૈનધર્મમાં કોઈ પણ સમયે આ શબ્દો પ્રયોજાતા ન હતા એવું પુણ્યવિજયજીની સાથેની મૌખિક ચર્ચામાં આ લેખકને ૧૯૬૬માં જાણવા મળેલું.
૫૪. આ લેિખોમાં ૠષભદ્રેવ શબ્દનો ઉલ્લેખ છે. તેથી તે જૈનધર્મના લેિખો હોવાની અટકળ થઈ છે (ક. ભા. દવે, ગુજરાતનું મૂર્તિવિધાન, પૃષ્ઠ ૧૧૧). પરંતુ આ નામ અહીં સમકાલીન એવી કોઈ સામાન્ય વ્યક્તિનું હોવાનું સૂચન જણાય છે. વૃષભ શબ્દ શૈવ સંપ્રદાય સાથેય સંલગ્નિત હોઈ તેને શૈવપંથના ષ્ટિલેખો કહી શકીશું ?
૫૫. અનુક્ષત્રપકાલ (મૈત્રકકાળ) દરમ્યાન ગુજરાતમાં બૌદ્ધધર્મના લગભગ તેર વિહાર હોવાની હકીકત દાનશાસનોમાં છે. યુઆન શુઆંગ તો આ સમયે ગુજરાતમાં સેંકડો વિહાર હોવાનું નોંધે છે (મૈગુ., પૃષ્ઠ ૩૯૫થી ૪૦૪). એટલે મૈત્રકકાલ દરમ્યાનની બૌદ્ધધર્મની આભ્યુદયિક સ્થિતિ ઉપરથી પણ કહી શકાય કે પ્રામૈત્રકકાલ (ક્ષત્રપકાલ)માં પણ ગુજરાતમાં બૌદ્ધધર્મનો સારો પ્રચાર હતો.
For Personal & Private Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અઢાર
લલિતકલા-૧: શૈલોત્કીર્ણ સ્થાપત્ય
ભૂમિકા
આપણા દેશના પૂર્વકાલીન સાહિત્યમાં ચોસઠ કળાનો નિર્દેશ છે. આમાં ગીત, વાદ્ય, નૃત્ય, સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રની કળાઓ વિશેષ મહત્ત્વની ગણાય છે. અવશેષોની દૃષ્ટિએ સ્થાપત્ય-શિલ્પ-ચિત્રની માહિતી સવિશેષ હાથવગી થાય છે.
કલાને એટલે કે લલિતકલાને ધર્મની અનુગામીની દર્શાવાઈ છે. આપણું રાષ્ટ્ર પૂર્વકાલીનતમ સમયથી ધર્માવલમ્બી છે. આપણી સાંસ્કૃતિક પરંપરામાં માનવજીવન ધર્મના જીવંત આવિર્ભાવ સમાન ગણાવાયું છે. આથી, જ્યાં ધર્મનું આગવું અને ધ્યાનાર્ણ સ્થાન છે, ત્યાં સ્થાપત્ય-શિલ્પ-ચિત્રના આવિર્ભાવ પૂરતા પ્રમાણમાં જોવા પ્રાપ્ત થાય છે. આપણી તો એ અનુભૂત લાગણી છે કે ધર્મનું અવલંબન માનવીને વિકાસના પથ ઉપર ગતિમાન થવામાં ખસૂસ સહાયભૂત થાય છે. આ કારણે પ્રસ્તુત ત્રિ-કલાનો પ્રાદૂર્ભાવ માનવસંસ્કૃતિના પ્રારંભ સાથે થયો હોવાનો આપણો અવશેષોથી પ્રાપ્ત સામગ્રીથી અનુભવ છે.
સ્થાપત્યમાં શૈલોત્કીર્ણ નમૂનાઓ સામાન્યતઃ ધાર્મિક હોય છે, જ્યારે ઇમારતી સ્થાપત્ય ધાર્મિક અને લૌકિક એમ ઉભય પ્રકારનું હોય છે. શૈલોત્કીર્ણ અને ઈંટેરી સ્થાપત્ય દીર્ઘકાળ સુધી સચવાતાં હોય છે. શિલ્પ અને ચિત્ર પ્રારંભથી જ વાસ્તુકળા સાથે સંલગ્નિત રહે છે, તેમ તેથી ભિન્ન રીતે નિર્માણ પણ થતાં રહે છે.
સંસારમાં મૂર્તિના પ્રતીક જેટલું શક્તિશાળી પ્રતીક અન્ય કોઈ પ્રતીકનું નથી. અને તેથી આપણે અભિશિત છીએ કે આપણા દેશની સાંસ્કૃતિક પરંપરામાં મૂર્તિપૂજાની પ્રથા-પરંપરા પૂર્વકાલીન અને દીર્ઘકાલીન છે. ધર્મ અને કલા સાથે મૂર્તિનો અવિનાભાવિ સંબંધ રહ્યો છે.
આપણા દેશમાં બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા ધર્મનાં બે નોંધપાત્ર પાસાં છે. અનેક સંપ્રદાયોના સ્વરૂપે આ બંને પાસાં લોકપ્રિય છે. આ બંને પ્રવાહ પ્રેરિત સંખ્યાતીત ધર્મ-સંપ્રદાય સંલગ્નિત અનેક દેવી-દેવતા છે જે એના ધર્માનુયાયીઓ મારફતે શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજાય છે.
આપણાં ગામો અને નગરોમાં સ્થિત પૂજાસ્થાનોમાં પ્રસ્થાપિત અથવા ગામ અને નગરના નજીકના કોઈ નિર્જન સ્થળે દેવી-દેવતાઓની સંખ્યાબંધ મૂર્તિઓ વેરવિખેર પડેલી જોવી પ્રાપ્ત થાય છે. મંદિરનાં દ્વાર રાતે બંધ રહેતાં હોઈ એમાંની મૂર્તિઓ સુરક્ષિત રહે છે. પરંતુ નિર્જન સ્થળોમાંની મૂર્તિઓ નિતાંત અસુરક્ષિત હોય છે. ઉપરાંત આપણાં સંગ્રહાલયોમાં પણ દેવીદેવતાનાં શિલ્પના અખૂટ ભંડાર ભરેલા હોય છે અને એમાંના ઘણા પ્રદર્શિત પણ હોય છે. પરંતુ આપણા સામાન્યજનમાંથી ઘણાને વેરવિખેર અસુરક્ષિત મૂર્તિઓ કયાં દેવીદેવતાની છે અને એનાં દાર્શનિક લક્ષણો ક્યાં છે; એટલું જ નહીં સંગ્રહાલયોની મુલાકાતે જતા દર્શકોમાંથી પણ
For Personal & Private Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અઢાર
મોટાભાગના લોકો જનસામાન્ય હોય છે અને તેથી તેમને દેવીદેવતાનાં નામ અપરિચિત હોય છે. આથી એ બધાંની પરખ-ઓળખ હોવી જોઈએ.
૨૯૫
પ્રસ્તુત ભૂમિકા આ અને હવે પછીનાં બે પ્રકરણ વાસ્તે અહીં પ્રસ્તુત કરી છે.
આપણા અવલોકન હેઠળના કાલખંડની લલિતકલાના અભિજ્ઞાન માટે સાહિત્યિક ગ્રંથો ઉપલબ્ધ નથી. પરંતુ સ્થળતપાસ અને ઉત્ખનનથી પ્રાપ્ત અવશેષોને આધારે ક્ષત્રપકાલીન ગુજરાતની લલિતકલા બાબતે કેટલીક માહિતી મેળવી શકાય છે.
શૈલોત્કીર્ણ ગુફા-સ્થાપત્ય
આ સમયના ગુજરાતમાંથી શૈલોત્કીર્ણ ગુફાસ્થાપત્યના ઠીક પ્રમાણમાં અવશેષ હાથ લાગ્યા છે. આ બધાં ગુફાસ્થાપત્ય ધાર્મિક છે. જૂનાગઢ, ઢાંક, તળાજા, સાણા વગેરે આનાં મુખ્ય કેન્દ્ર છે. આ પ્રકારનાં સ્થાપત્યમાં સામાન્યતઃ ચૈત્યગૃહ અને વિહાર સ્વરૂપે કંડારેલી ગુફાઓનો સમાવેશ થાય છે. અહીં આપણે તેમનો શક્યતઃ કાલાનુક્રમે પરિચય મેળવીશું.
બાવા-ખારાની ગુફા
હાલના જૂનાગઢ નગરની પૂર્વમાં, નગરની વસ્તીના છેવાડે અને કોટની વચ્ચે ગુફાઓનો એક મોટો સમૂહ છે. આ ગુફાઓની નજીકમાં આવેલા વર્તમાનના ‘બાવા-પ્યારાના મઠ’ ઉપરથી આ શૈલગૃહોને, સગવડ ખાતર અને પુરાવસ્તુકીય શોધખોળ પરંપરા મુજબ, આપણે મઠના નામ ઉપરથી તે નામે ઓળખાવીશું.
આ ગુફાસમૂહનો ઉલ્લેખ સાતમી સદીમાં ગુજરાતમાં આવેલા ચીનીયાત્રી યુઆન સ્વાંગની પ્રવાસનોંધમાં છે ઃ સુરતમાં પચાસેક સંઘારામ છે અને તેમાં ત્રણ હજાર ભિક્ષુઓ રહે છે, જે બધા મહાયાન અને સ્થવિર નિકાયના છે. ઉજ્જયન્ત પર્વતના શિખર ઉપર એક સંઘારામ છે. વગેરે૧. આ સંઘારામ કયો હશે તે જાણી શકાયું નથી. ગિરનાર પર્વત ઉપર હાલ કોઈ બૌદ્ધ
વિહાર નથી.
બાવા-પ્યારાની ગુફાઓ વર્તમાને એકબીજાને અડોઅડ એવી ત્રણ પંક્તિમાં અને પરસ્પરને કાટખૂણે જોડતી પથરાયેલી છે. (જુઓ આલેખ-૫, બાવાપ્યારાની ગુફાનું તલમાન). આ ગુફાસમૂહમાંની ઉત્તરે આવેલી પહેલી પંક્તિ પશ્ચિમ-પૂર્વ આડી પથરાયેલી છે. તે દક્ષિણાભિમુખ છે. હારની આગળ ખૂલ્લો ચોક છે. આ હારમાં નાનીમોટી ચાર ગુફા છે. આ હા૨ના પશ્ચિમ છેડા તરફ ૮૧ ૪ ૫ મીટરની એક મોટી ઓરડી છે. (આલેખ ૫, સંજ્ઞા F) તેની વચ્ચે છાપરાના ટેકા કાજે બે અસલ થાંભલા મોજૂદ છે, જે પૂર્વ-પશ્ચિમ હરોળમાં છે. તેમની પશ્ચિમે એક ત્રીજો સ્તંભ છે જે પુનર્નિર્મિત છે. ગુફાની લંબાઈપહોળાઈ અવલોક્તાં સૂચવી શકાય કે આ જગ્યાએ અસલમાં ત્રીજો સ્તંભ હોવો જોઈએ. ગુફાનો આગળનો થોડો ભાગ નાશ પામેલો છે. એના પ્રવેશભાગ આગળ, મુખ્યતઃ ચોરસ પણ જેના દંડનો ઉપલો થોડો ભાગ અષ્ટકોણ છે એવા, ત્રણ સ્તંભ છે. આમાંના જમણી તરફના બે સ્તંભની ઉપરના ભાગે અર્ધવર્તુળાકાર પ્રકારની એક સાદા ચૈત્યવાતાયન જેવી આકૃતિ છે. તેના નીચેના બે છેડાને એક આડી પટ્ટી વડે
For Personal & Private Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૬
ક્ષત્રપકાલીન ગુજરાત જોડેલા છે. આ ગુફાની પશ્ચિમે બે ચોરસ સ્તંભ અને બે અર્ધસ્તંભથી વિભાજિત કરેલો ઓરડો છે. (આલેખ ૫, સંખ્યા ૩). ગુફાની પાછળના ભાગે પછીતે ઉત્તરમાં ત્રણ નાની ઓરડી છે (સંજ્ઞા જ). મોટી ગુફાની પૂર્વમાં ત્રણ નાની ગુફા છે (સંજ્ઞા ઘ). પ્રત્યેકના પ્રવેશભાગમાં બબ્બે ચોરસ સ્તંભ છે. આમાંની ડાબી બાજુની પહેલી ગુફાના બે સ્તંભના દંડમાંનો ઉપલો થોડો ભાગ, મોટી ગુફાના ચોરસ એવા ત્રણ સ્તંભની જેમ, અષ્ટકોણ છે. આ દરેકને જોડતી ઉત્તરમાં એકેક ઓરડી ૩૩૦ X ૨૮૫ સેન્ટીમીટરની છે. (સંજ્ઞા વ).
શૈલગૃહોની બીજી હાર, પહેલી હારના પૂર્વ છેડેથી, ઉત્તર-દક્ષિણ આડી પથરાયેલી છે. તે પૂર્વાભિમુખ છે. આ ગુફાસમૂહ, પહેલી ગુફાઓ કરતાં, નીચાણમાં આવેલી હોવાથી તેમાં ઉતરવા વાસ્તે પગથિયાં છે. આ બીજી હારમાંની ગુફાઓની આગળના ભાગમાં આશરે ૧૬ મીટર લાંબો ખુલ્લો ચોક છે. (સંજ્ઞા છે). ચોકની મધ્યમાં ચોરસ સ્તંભની કુંભીનો ભાગ અવશિષ્ટ હોવાનું સૂચવાયું છે, પણ વર્તમાને આવી કોઈ નિશાની મોજુદ નથી. આ હારમાં ગુફાઓ ચોકની ત્રણેય બાજુએ પથરાયેલી છે. ચોકની પશ્ચિમે એક મોટી પૂર્વાભિમુખ ગુફા છે, જેમાં ચોરસ છ સ્તંભ અને બે અર્ધસ્તંભયુક્ત આશરે ૧૨ X ૨૫ મીટરનો એક અલિંદ છે. (સંજ્ઞા ટ). ચોરસ છ સ્તંભના દંડમાંનો ઉપલો થોડો ભાગ અષ્ટકોણ છે'. દરેક સ્તંભને છાઘના ટેકારૂપ સિંહાકૃતિ છે અને અર્ધસ્તંભના છાઘના ટેકારૂપ દીવાલ ઉપર એકેક પાંખવાળા સિંહની આછી ઉપસાવેલી આકૃતી કોરેલી છે એમ બર્જેસ નોંધે છે. અલિંદના ગૃહમુખના કે મહોરોના (facade) ભાગ ઉપર સાદા ચૈત્યવાતાયનનાં અલંકરણો શોભી રહ્યાં છે. અલિંદની મધ્યમાં એક ચૈત્યગૃહ છે (સંજ્ઞા થઈ. એનું છાપરું સપાટ છે. એમાં સ્તૂપ હોવા વિશેનાં કોઈ ચિહ્ન નથી. ચૈત્યગૃહના પશ્ચિમ છેડે અર્ધવર્તુળાકાર પછીત (apsidal end) છે. એની મધ્યમાં અત્યારે પુનર્નિર્મિત એવા ચોરસ ચાર સ્તંભ છે. બર્જેસ નોંધે છે તેમ અહીં અસલમાં ચાર સ્તંભ હોવાનું આથી સૂચિત થાય છે. ચૈત્યગૃહ ૬ મીટર પહોળું, ૮ મીટર ઊંડું અને દોઢ મીટરના પ્રવેશદ્વાર યુક્ત છે. અલિંદાના બંને છેડે પશ્ચિમમાં તથા ચૈત્યગૃહની ઉત્તર-દક્ષિણે જોડતી એકેક ઓરડી છે, જે પ્રત્યેકનું માપ રાા x ૩ મીટર છે. (સંજ્ઞા :).
ખુલ્લા ચોકની ઉત્તરે અને મોટી ગુફાના ઉત્તર છેડે થોડીક ઊંચાઈ ઉપર એક બીજો નાનો ગુફાસમૂહ આવેલો છે, જે દક્ષિણાભિમુખ છે (સંજ્ઞા ઢ). આ ગુફાસમૂહ ઊંચાઈ ઉપર હોવાથી ગુફામાં પ્રવેશવા વાસ્તુ અસલમાં પગથિયાં હોવાનાં નિશાન અવિશષ્ટ છે, પરંતુ વર્તમાને તે ઘસાઈ ગયેલાં હોવાથી માત્ર ઢોળાવ જેવો આકાર ધારણ કરેલો જણાય છે. આ ગુફાને ૬ X ૨ મીટરનો એક અલિંદ છે, જે એક પ્રવેશદ્વાર અને બે વાતાયનથી રક્ષાયેલો છે. અલિંદની ઉત્તરે તેને જોડતી ૩ મીટર સમચોરસની બે ઓરડી છે (સંજ્ઞા :). આ ઓરડીની હદ સુધી પથ્થરની ખીણનું ખોદાણ લંબાવાયેલું છે.
ખુલ્લા ચોકની પૂર્વમાં ઉત્તર-દક્ષિણ પથરાયેલી પશ્ચિમાભિમુખ નાની બે ગુફા છે (સંજ્ઞા ત, 7 અને ૨). પ્રત્યેકને ચોરસ બે સ્તંભયુક્ત અલિંદ છે અને તેની પૂર્વમાં તેને જોડતી એકેક ઓરી છે. (સંજ્ઞા ૩, ૪ અને ધ). આ ઓરડીઓ અહીં ખાસ ઉલ્લેખનીય છે. બર્જેસના જણાવ્યાનુસાર આ ઓરડીઓમાંથી એક ઓરડીના આગળના ભાગમાં ખોદકામ કરતાં લગભગ
For Personal & Private Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અઢાર
૨૯૭
૬૦ સે.મી. સમચોરસ કદનો અને ૨૪ સે.મી. જાડાઈનો ક્ષત્રપનો એક શિલાલેખ હાથ લાગ્યો હતો. પરંતુ આ શિલાલેખ નરમ પ્રકારના રેતિયા પથ્થરની જાતનો હોઈ એમાંના ઘણા અક્ષરો અવાચ્ય થયા છે. ખોદકામને કારણે પણ એનો એક ભાગ તૂટી ગયો છે. આ લેખની છેલ્લી પંક્તિમાંના છેવનીજ્ઞાન સંપ્રાસાનાં નિતનરી-૨UIનમ્ શબ્દો આ ગુફાસમૂહના સંદર્ભમાં ઉલ્લેખનીય છે. આથી, આ ગુફાઓને જૈનધર્મ સાથે સંબંધ હોવાનું સૂચિત થાય છે.
ખુલ્લા ચોકના દક્ષિણ છેડે બહારની બાજુએ બીજી એક ગુફા આવેલી છે. આ ગુફા પણ નીચાણમાં હોવાથી ઉતરવા કાજે પગથિયાં છે. આ ગુફા પૂર્વાભિમુખ છે. અને આગળના ભાગે ખુલ્લો ચોક છે (સંજ્ઞા ). ચોકમાં જવા એક પ્રવેશમાર્ગ છે. (સંજ્ઞા . પ્રવેશમાર્ગની બંને બાજૂ ઉપર એકેક વાલમુખ છે, જે સિંહવ્યાલ હોવાનું દેખાય છે. આ ગુફાને બે સ્તંભયુક્ત એક અલિંદ છે. (સંજ્ઞા F). એને જોડતી બે નાની ઓરડીઓ છે, જે પ્રત્યેક આશરે ત્રણ મીટર સમચોરસ માપની છે (સંજ્ઞા વ). આમાંની ડાબી બાજૂની ઓરડીના પ્રવેશદ્વાર (બારસાખ) ઉપર કેટલીક ભૌમિતિક આકૃતિ કંડારેલી જોવી પ્રાપ્ત થાય છે૧૪. જ્યારે જમણી તરફની ઓરડીના દ્વારશાખ ઉપર અગિયાર જેટલાં માંગલિક પ્રતીક કોતરેલાં છે૫, જેમાં સ્વસ્તિક, ભદ્રાસન, મીનયુગલ, પૂર્ણઘટ, ઝારી, દર્પણ જેવાં કેટલાંક પ્રતીક ઓળખાય છે. બર્જેસ સ્વસ્તિક સિવાયનાં અન્ય ચિહ્ન બૌદ્ધધર્મી હોવાનું સૂચવે છે", તો સાંકળિયા તેને જૈનધર્મનાં ગણે છે. જૈનધર્મમાં અષ્ટમંગલ પ્રતીક જાણીતાં છે : સ્વસ્તિક, શ્રીવત્સ, કુંભ, પદ્માસન, નંદિયાવર્ત, વર્ધમાન, મત્સ્યયુગલ અને દર્પણ . પરંતુ અહીં તો ૧૧ પ્રતીક કંડારેલાં છે૧૯. સ્વસ્તિક તો પ્રત્યેક ધર્મમાં માંગલિક ચિહ્ન તરીકે જોવું પ્રાપ્ત થાય છે. આથી, સાંકળિયા કહે છે તેમ આ પ્રતીકો જૈનધર્મનાં હોવાનું નિશ્ચિત થતું નથી.
આ ગુફાની દક્ષિણે બીજી એક પૂર્વાભિમુખ ગુફા છે. (સંજ્ઞા ૫,મ). એની આગળ ખુલ્લો ચોક છે (સંજ્ઞા મળે. આ ગુફા નીચાણમાં હોવાથી તેમાં જવા કાજે પગથિયાં છે. આ ગુફાને અલિંદ નથી એ ખાસ નોંધવું જોઈએ. ખુલ્લા ચોકને અડીને પશ્ચિમમાં નાની ઓરડી છે (સંજ્ઞા મ), જેની દ્વારશાખ ઉપર સાદા ચૈત્યવાતાયનની એક આકૃતિ છે.
| ગુફાસમૂહની ત્રીજી હાર, બીજી હારના દક્ષિણ છેડેથી, પશ્ચિમ તરફ આડી લંબાયેલી છે અને ઉત્તર તરફ વળેલી છે. આ હાર દક્ષિણાભિમુખ છે. શૈલના દક્ષિણ તરફના ઢોળાવના પરિણામે એનું છાપરું પહેલી હારના ભોંયતળિયા નીચે છે. અહીં કુલ પાંચ ગુફા છે. જમણી તરફની પહેલી ગુફાનો અલિંદ એક પ્રવેશમાર્ગ અને બે વાતાયનથી રક્ષાયેલો છે (સંજ્ઞા ). અલિદને જોડતી ઉત્તરમાં આવેલી ઓરડી ૩ X ૩ મીટરની છે. બીજી ગુફાનો અલિંદ ૫ X ૩ મીટરનો છે (સંજ્ઞા ૨). એની ઉત્તરે એક મોટો ઓરડો ૪૩ ૪ ૫ મીટરના કદનો છે (સંજ્ઞા 7). એના પ્રવેશ માર્ગની ડાબી બાજુએ એક વાતાયન છે અને પ્રવેશમાર્ગની બારશાખ ઉપરની આકૃતિઓ નષ્ટપ્રાય સ્થિતિમાં હોઈ તેને ઓળખાવી મુશ્કેલ છે. આ મોટા ઓરડાની મધ્યમાં છાપરાનો ટેકો આપતો ગોળ સ્તંભ છે (સંજ્ઞા ત). એની બેસણીનો આકાર કહી શકાય તેમ નથી. એનો શીર્ષ ત્રણ ભાગમાં વિભાજિત છે, જેનો વચલો ભાગ પૂર્ણઘટયુક્ત છે.
For Personal & Private Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ક્ષત્રપકાલીન ગુજરાત આ હારમાંની શેષ ત્રણ ગુફાઓ એકદમ સાદી છે (સંજ્ઞા , શ, ૫). પ્રત્યેક એકેક અલિંદ, ચોરસ બે સ્તંભ, એકેક વાર અને બબ્બે વાતાયનથી રક્ષાયેલી છે. આ ત્રણમાંની વચ્ચેની ગુફાને એક ઓરડી છે (સંજ્ઞા સ) અને શેષ બંનેને બળે છે (સંજ્ઞા અને જ્ઞ). વચ્ચેની ગુફાની ઓરડીના (સંજ્ઞા સ) ઓતરંગ ઉપર પાંચ પ્રતીક કંડારેલાં નજરે પડે છે, જેમાં ડાબેથી અનુક્રમે દર્પણ (?), મીનયુગલ, પૂર્ણઘટ, મીનયુગલ અને દર્પણ (?)નો સમાવેશ થાય છે. આ પ્રતીકો પરત્વે આ ગ્રંથલેખકનું સહુ પ્રથમ ધ્યાન ગયું છે; કેમ કે બર્જેસ અને સાંકળિયા ઉભયમાંથી કોઈએ આ વિશે ઉલ્લેખ કર્યો નથી.
ગુફાસમૂહ કયા ધર્મનો : આ ગુફાઓ ક્યા ધર્મના ભિક્ષુઓ કાજે કોરાઈ હશે એ કહેવું મુશ્કેલ છે. આ ગુફા સમૂહોમાંની બીજી હારમાં આવેલી ટ સંજ્ઞિક ગુફામાં એક ચૈત્યગૃહ છે. એનો પછીતનો ભાગ અર્ધવર્તુળાકાર જેવો દેખાય છે. અસલમાં એમાં સ્તૂપ હોવાનો સંભવ સૂચવાયો છે. આથી, આ ગુફાસમૂહો બૌદ્ધધર્મી હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. બર્જેસ આ જ હારમાંની એક ગુફાના ઓતરંગનાં પ્રતીક બૌદ્ધ હોવાનું સૂચવે છે. તેઓ વધુમાં એમ પણ કહે છે કે આ ગુફાસમૂહો ઈસ્વીસનની બીજી સદીના અંતભાગમાં સુરાષ્ટ્ર વિસ્તારના ક્ષત્રપ રાજાઓએ કદાચ જૈન સાધુઓ વાસ્તે કોતરાવ્યા હોય અને પછીથી બૌદ્ધ ભીક્ષુઓનાં નિવાસ બન્યાં હોય. યુઆન શ્વાંગ પણ આ ગુફાઓ બૌદ્ધ હોવાનું વ્યક્ત કરે છે ૫. સાંકળિયા ઉપર્યુક્ત પ્રતીકોને જૈનધર્મી હોવાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આ હરોળમાં પૂર્વતરફની બે ગુફાઓમાંની એકમાંથી ઉપલબ્ધ ક્ષત્રપ શિલાલેખમાં વસ્ત્રજ્ઞાન શબ્દો ધ્યાનાર્ય છે. આ શબ્દો જૈનધર્મના સૂચક છે અને સર્વોચ્ચ જ્ઞાનના અનુભવી એવા જૈન સિદ્ધો કે તીર્થકરો વાસ્તુ પ્રયોજાયેલા છે. આ ગુફાનાં ઉપર્યુક્ત પ્રતીકો અને મથુરાના જૈનસ્તૂપના આયાગપટ્ટ ઉપરનાં પ્રતીકો વચ્ચે સામ્ય હોવાનું મંતવ્ય સાંકળિયાનું છે". ઉજ્જયંત એ નેમિનાથનું તીર્થધામ હોઈ તેની નજીકમાં જૈન સાધુઓ માટે ગુફાઓ કંડારાઈ હોવાથી કલ્પના થઈ છે.
પરંતુ આ ગુફાસમૂહો સ્પષ્ટતઃ જૈનધર્મી છે એમ સ્વીકારવું આ લેખકને યોગ્ય જણાતું નથી. શિલાલેખ જૈનધર્મી હોવા છતાંય એ આ જ ગુફાસમૂહનો છે એમ સાબિત થતું નથી; કેમ કે તે કોઈ દિવાલમાં જડેલો નથી. કહેવાતાં જૈન પ્રતીક આઠને સ્થાને અગિયાર છે. તેમાંય નંદ્યાવર્ત અને વર્ધમાન જેવાં જૈનધર્મસૂચક વિશિષ્ટ પ્રતીકનો અહીં અભાવ છે. સ્વસ્તિક, ભદ્રાસન, શ્રીવત્સ જેવાં પ્રતીક અન્ય ધર્મમાં પણ જોવાં પ્રાપ્ત થાય છે. તેથી તે પ્રતીકોને આધારે આ ગુફાસમૂહ જૈન હોવાનું કહેવું સુયોગ્ય જણાતું નથી. સામાન્યતઃ જૈન સાધુઓની વસાહતોમાં પૂજાઅર્ચના માટે તીર્થંકરની પ્રતિમા હોવી જોઈએ. બિહારમાં પટણા નજીક લોહાનીપુરમાંનું જૈન મંદિર સૌથી પૂર્વકાલીન ગણાય છે, જયાંથી મૌર્ય સમયની કારીગીરીનાં લક્ષણો દર્શાવતી બે જિનપ્રતિમા પ્રાપ્ત થઈ છે. બાવા-પ્યારામાં જિનપ્રતિમાનો અભાવ સૂચક હોઈ એને જૈનધર્મી કહેવાનું અનુમાન સ્વીકાર્ય જણાતું નથી. ઢાંકની ગુફામાંથી જિનપ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે એ ધ્યાનાર્હ છે. ખાસ તો શિલાલેખ નરમ રેતિયા પથ્થરનો છે જ્યારે ગુફાસમૂહ ખડક પ્રકારનો છે.
ઉપર્યુક્ત પૃથકૃત વિશ્લેષણથી કહી શકાય કે બાવાપ્યારાની ગુફાઓને જૈનધર્મી કહી શકાય નહીં.
For Personal & Private Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૯૯
ગુફાસમૂહનો સમયનિર્ણય : સ્થાપત્યના સંદર્ભે તો આ ગુફાઓનું સમયાંકન કરવું ખરેખર મુશ્કેલ છે. જો અહીંથી ઈંટેરી બાંધકામના અવશેષો ઉપલબ્ધ થયા હોત તો કદાચ સમયનિર્ણયનું કાર્ય સ૨ળ રહ્યું હોત. પરંતુ આ તો શૈલખંડમાંથી કંડારેલી ગુફાઓ છે તેથી તેનો સમય નિશ્ચિત કરવો મુશ્કેલ છે. એટલે આ સ્થાપત્ય સાથે સંલગ્નિત કોતરણી કે શિલ્પ કે અન્ય ઉપલબ્ધ અવશેષોના પરિપ્રેક્ષ્યમાં સમયનો સંદર્ભ વિચારવો રહ્યો.
પ્રકરણ અઢાર
બર્જેસે આ ગુફાઓના સમય બાબતે કોઈ સ્પષ્ટ અભિપ્રાય દર્શાવ્યો નથી. સાંકળિયા આ ગુફાસમૂહનો સમયપટ પાંચમી સદી જેટલો વિસ્તૃત હોવાનું સૂચન કરે છે. તેમના મતે ચૈત્યગૃહ અને અનલંકૃત ઓરડીઓ આશરે ઈસ્વીપૂર્વ ૨૦૦ની આસપાસની તથા જૈનધર્મી પ્રતીક અને વિકસિત સ્તંભોયુક્ત ગુફાઓ આશરે ઈસ્વી ૨૦૦-૩૦૦ દરમ્યાનની હોવા સંભવે. સાંકળિયા પછીથી ખાસ કરીને કોઈએ આ ગુફાઓના સમયાંકનનો પ્રશ્ન ચર્ચો હોવાનું જાણમાં નથી”. આથી સાંકળિયાએ આ વાસ્તે આંકેલો વિસ્તૃત સમયપટ મર્યાદિત કરવો રહ્યો. એમણે સંજ્ઞા ત વાળા ઓરડામાં પૂર્ણઘટ શીર્ષવાળા સ્તંભનું નાસિકમાંના નહપાનના વિહાર સાથે સામ્ય હોવાનું બર્જેસના^ આધારે સૂચવ્યું છે. આથી તો સ્પષ્ટ છે કે આ ગુફાસમૂહ ઈસુની પહેલી સદીના આરંભે નિર્માણ પામ્યો હોય. વળી સાંકળિયા K સંક્ષિત ગુફામાંના સ્તંભ અને અર્ધસ્તંભને રામેશ્વર-ઈલોરાની ગુફાઓ તથા ભારહૂતના સ્તંભના શીર્ષ સાથે સરખાવે છે. તદનુસાર આ ગુફાસમૂહ ઈસ્વીની પહેલી-બીજી સદીની હોવાનું સૂચવાય છે.
આ ગુફાસમૂહમાંની બીજી હારમાં એક સાદું ચૈત્યગૃહ છે. તેનું છાઘ સપાટ છે (સંજ્ઞા થ). ચૈત્યગૃહનાં છાપરાં ઈસ્વીસનની શરૂઆતમાં સપાટ હતાં અને તે પછી તે અર્ધનળાકાર રૂપ ધારણ કરે છે. આથી આ ગુફાઓ ઈસ્વીસનના આરંભની બે એક સદી દરમ્યાનની હોવાની શક્યતા સૂચવાય છે.
બીજી હરોળમાંની પૂર્વ તરફની બે ગુફામાંની (આલેખ ૫, સંજ્ઞા ત) એકના આગળના ભાગમાંથી બર્જેસને એક શિલાલેખ હાથ લાગ્યો હતો. આ લેખમાંના ઘણા અક્ષરો વાચનક્ષમ નથી. જે થોડાક ઉકેલી શકાય છે તે ઉપરથી એવું સૂચવાય છે કે આ શિલાલેખ ચાષ્ટનના પ્રપૌત્ર અને જયદામાના પૌત્રનો છે, જે રુદ્રસિંહ ૧લો હોવા સંભવે છે તે બાબત આપણે અગાઉ નોંધી છે (જુઓ પાદનોંધ ૧૨). આ રાજાના મહાક્ષત્રપપદના સિક્કા વર્ષ ૧૦૩થી પ્રાપ્ત થયા છે. એના પાંચ શિલાલેખોય ઉપલબ્ધ થયા છે (જુઓ પરિશિષ્ટ પહેલું).
આ ગુફાનાં સમયાંકન કાજે એક મહત્ત્વના પુરાવા તરફ સંભવતઃ કોઈ અધ્યેતાનું ધ્યાન આકૃષ્ટ થયું નથી. આ પુરાવો છે સંજ્ઞા ૬ નામની ગુફાના પ્રવેશમાર્ગની બંને બાજુએ આવેલાં બે વ્યાલમુખ૪. આ વ્યાલમુખ સ્પષ્ટતઃ ક્ષત્રપકાલીન છે અને તે ઈસ્વીસનની બીજી-ત્રીજી સદીના હોવાની સંભાવના છે".
અત્યાર સુધીના વિશ્લેષિત પૃથક્કરણના આધારે સૂચવી શકાય કે બાવાપ્યારાનો ગુફાસમૂહ ઈસ્વીસનની બીજી કે ત્રીજી સદી દરમ્યાન કંડારાયો હોવો જોઈએ.
For Personal & Private Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
300
ક્ષત્રપકાલીન ગુજરાત
ઉપરકોટની ગુફાઓ
જૂનાગઢ નગરના ઉપરકોટ વિસ્તારમાં આવેલી ગુફાઓ સ્થળવિશેષના નામ ઉપરથી ‘ઉપરકોટની ગુફા' તરીકે ઓળખાય છે. આ ગ્રંથલેખકે ૧૯૬૨-૬૩માં આ ગુફાઓની પ્રત્યક્ષ મુલાકાત બે વખત ક્ષેત્રકાર્ય દરમ્યાન લીધી હતી અને ત્યાંના સુરક્ષિત અવશષોની કાળજીપૂર્વક ચોકસાઈપૂર્ણ નોંધ લીધી હતી, જે આધારે આ વર્ણન કર્યું છે.
ઉપલો મજલો : આ ગુફાઓ બે જમલાની એક શૈલગહરૂપે કંડારાયેલી છે, ઉપરકોટ સ્થળની પ્રસ્તુત ગુફા નજીકની સપાટ જમીન તરફ રહેલાં પગથિયાં ઉતરી પુન: જમણી તરફ વળતાં આ શૈલગૃહના પહેલા અથવા ઉપલા મજલે પહોંચી શકાય છે. (માલેખ છે, તલમાન, ઉપલો મજલો). આ મજલમાં એક ખુલ્લો કુંડ છે (પ્રસ્તુત આલેખ, સંજ્ઞા છે), જેને બર્જેસ સ્નાનાગાર હોવાની સંભાવના અભિવ્યક્ત કરી છે. આ કુંડ ત્રણ મીટર સમચોરસ છે?'. હુંડમાં ઉતરવા કાજે, તેની પશ્ચિમ તરફની દીવાલમાં ઉત્તર-દક્ષિણ (ઉભય તરફ જતાં પાંચ પાંચ પગથિયાં છે. આ કુંડ આશરે દોઢ મીટર ઊંડો છે. કુંડને ફરતી ત્રીસ સેન્ટી મીટર પહોળાઈની પાળ છે. નજીકમાં આવેલી ઓસરી લગભગ એક મીટર ઊંચાઈ ઉપર છે. કુંડની ત્રણ બાજુએ છાપરાયુક્ત બંધ ઓસરી છે અને ઉત્તરમાં મોટી દીવાલ છે, જેમાં એક બાકોરું છે (સંજ્ઞા નો ,
જ્યાં અસલમાં વાતાયન હોવાની સંભાવના બર્જેસ કરી છે. પશ્ચિમ તરફની ઓસરીમાં એક ઓટલી જેવું છે (સંજ્ઞા વ), બર્જેસ એને સ્નાન કરતી વખતે કપડાં મૂકવાનું સ્થાન હોવાનું સૂચવે છે. ઉત્તર તરફની દીવાલમાંથી પાણીની એક નીક દક્ષિણ તરફ આ ઓટલીની આગ’ થઈ પસાર થાય છે. અને ઓલીની દક્ષિણે આવેલી એક નાની કુંડીમાં પહોંચે છે. આ નીક વાટે પાણી કોઈ નજીકના કૂવામાંથી આવતું હોવાની અટકળ બર્જેસ કરી છે; પરંતુ ૧૯૫૮-૫૯ની ઋતુ દરમ્યાન ભારતીય પુરાવતું સર્વેક્ષણ સંસ્થાના પશ્ચિમ વર્તુળના પુરાવિકોએ આ ગુફાના ટોચના ભાગની સફાઈ કરી ૯૨થી ૧૨૨ સેંટીમીટર જેટલું પુરાણ દૂર કર્યું હતું. તેથી ગુફાના આ ભાગના અસમ દેખાવનો હૂબહૂ ખ્યાલ પ્રાપ્ત થયો. આ પુરા-રક્ષણ-કાર્યથી, બર્જેસ જેની અટકળ કરી છે તેમ, શૈલમાં કંડારેલી યોરસ કૂવો શોધી શકાય છે. આ કૂવો પશ્ચિમ તરફની ઓસરીની ભીતની પશ્ચિમે આવેલો છે. ગુફાની ટોચન જે ભાગ સાફ થયો હતો ત્યાં નાની નાની ખુલ્લી નીકો આ ગ્રંથલેખકે ૧૯૬૨-૬૩માં કાર્ય દરમ્યાન પ્રત્યક્ષે જોઈ હતી. આથી, અનુમાની શકાય કે ચોમાસાનું પાણી આ નીકો માર ફતે નાની ટોકીઓમાં થઈ કૂવામાં જતું હશે અને એ રીતે કૂવામાં સંગૃહીત વરસાદના પાણીનો અન્યથા યથ ઉપયોગ સ્નાનાદિ, વાસ્તે થતું
આવરણયુક્ત ત્રણ ઓસરીઓથી ઘેરાયેલા ચોકની દક્ષિણ બાજુના (સંજ્ઞા g) બે છેડા ઉપર એક એક ગોળ સ્તંભ છે, જેની ગોળાઈ રમવા મીટર જેટલી છે. પ્રત્યેક સ્તંભના સમગ્ર દંડ ઉપર ત્રાંસા પટ્ટા ઉત્કીર્ણ કરેલા છે. આ બે રતંભ ઉપરના પટ્ટાઓના ત્રાસ એકમેકથી ઊલટી દિશામાં રાખેલા હોઈ એ બે ભાત જાણે કે નીચે જતાં એકમેકની નિકટ આવતી હોય એમ દેખાય છે,
એ બંને રતંભની સીધી દિશામાં તરાની દીવાલની અંદર બે અધરનુંભ આવેલા છે.
For Personal & Private Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અઢાર
એમના દંડના ત્રણ ત્રણ આડા ભાગ પાડેલા છે અને પ્રત્યેક ભાગમાં ત્રાંસા પટ્ટાની ભાત કંડારેલી છે. દરેક ભાગના પટ્ટાનો ત્રાંસ તેની પાસેના ભાગના ત્રાંસથી ઊલટી દિશાનો છે.
309
સ્તંભો અને અર્ધસ્તંભો ઉપરના ત્રાંસાનું તુલનાત્મક નિરીક્ષણ કરવાથી જણાય છે કે પશ્ચિમ બાજુના સ્તંભ પરનો ત્રાંસ તથા તે તરફના અર્ધસ્તંભના વચલા ભાગ ઉપરનો ત્રાંસ એક સરખી દિશાનો છે. એવી રીતે પૂર્વ દિશાના સ્તંભ અને અર્ધસ્તંભના વચલા ભાગ ઉપરના ત્રાંસ પણ એક સરખો મરોડ ધરાવે છે.
સ્તંભોની બેઠક અષ્ટકોણ છે. તેના ઉપર વેલ-પાનની ભાત કોતરેલી છે. એના શીર્ષ ગોળ છે અને પશુ-આકૃતિઓથી વિભૂષિત છે. આકૃતિઓ ખૂબ જ ઘસાઈ ગયેલી હોવાથી પશુની ઓળખ મેળવવી શકય નથી”. અર્ધસ્તંભોની કુંભી અને શિખર બંને અષ્ટકોણ છે.
કુંડની ત્રણેય તરફ સ્થિત આવરણ યુક્ત ઓસરીના સ્તંભ અને અર્ધસ્તંભની બરોબર વચ્ચે લંબયોરસ એવા ત્રણ પુનર્નિર્મિત સ્તંભ છે, જે પ્રત્યેકનું માપ ૬૦ x ૪૭ સેંટીમીટરનું છે. ત્રણ પૈકીનો એક દક્ષિણ તરફના સ્તંભોની વચ્ચે અને શેષ બે દક્ષિણ તરફના સ્તંભો અને ઉત્તર તરફના અર્ધસ્તંભોની બરોબર વચ્ચે મુકેલા છે. કુંડની ઓતરાતી દીવાલમાં સ્થિત બાકોરામાં પણ લંબચોરસ એવો એક પુનર્નિર્મિત સ્તંભ મૂકેલો છે.
કુંડની પૂર્વ તરફની ઓસરીની દીવાલના ઉત્તર છેડે આવેલા પ્રવેશમાર્ગમાં (સંજ્ઞા ૬૪) થઈ બાજુમાં આવેલાં મોટા ખંડની દક્ષિણની દીવાલની પૂર્વ છેડે આવેલા બીજા પ્રવેશમાર્ગ (સંક્ષ 7) મારફતે એક મોટા ખંડમાં પહોંચી શકાય છે (સંજ્ઞા ), જે ૧૦૩ મીટર લાંબો અને ૮' મીટર પહોળો છે. આ ખંડની છતને છ થાંભલાનો ટેકો છે, જેમાં ચાર ચોરસ છે અને બે પોણ છે . પરંતુ લોકોએ એનું અસલી સ્વરૂપ જાળવી રાખવાનું ઉચિત ગણ્યું નથી. એની કુંભી અને શિખરના ભાગ ઘસાઈ ગયા હોવાથી કોતરેલી કોઈ આકૃતિનો ખ્યાલ પામી શકાતો નથી. આ ચાર થાંભલાની વચ્ચેનો ભાગ ખુલ્લા છે (સંજ્ઞા ૬) જે ચોતરફની આવરણયુક્ત ઓસરીઓથી રક્ષિત છે. ઓસરીઓમાંની દક્ષિણની દીવાલને બાદ કરતાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમની દીવાલોમાં બેઠકો કંડારવામાં આવેલી છે, જેમાં પૂર્વ અને પશ્ચિમમાં ચાર ચાર તથા ઉત્તરમાં બે બેઠકો થઈ કુલ દશ બેઠક છે. પૂર્વની દીવાલમાંની બેઠકો ઘસાઈને ઢોળાવ રૂપની અને ખાડાખાડા યુક્ત બની ગઈ છે. તે દીવાલ ઉપરની પટ્ટીની તમામ ભાત ઘસાઈ ગઈ છે. ઉત્તર અને પશ્ચિમની દીવાલની બેઠકો પરની પટ્ટીઓ ચત્યવાતાયનો અને ચોકઠા પ્રકારનાં સુશોભનયુક્ત છે. આવી ચોકઠાંન ભાત દેવની મોરીના સ્તૂપમાંથી પ્રાપ્ત થઈ છે.
આ ખંડના ઈશાન ખુણામાં આવેલા પ્રવેશમાર્ગમાં થઈ બાજુમાં આવેલી નાની ઓરડીમાં વાય છે, જે ૩ X ૨૧ મીટર લંબાઈ-પહોળાઈની છે (સંજ્ઞા ધ અને ). આ ઓરડીન છતમાં દક્ષિણી ભીતને અડીને પ્રવેશમાર્ગની પૂર્વે એક મોટું કાણું છે, જેની આસપાસની ત ધૂમાડાથી કાળી થઈ ગયેલી છે. આથી, બર્જેસે સૂચવ્યું છે કે આ ઓરડીનો ઉપયોગ પ્રસંગોપાત રસોડા તરીકે થતો હશે. આ ઓરડીના પ્રવેશમાર્ગની શેલારશાખમાં કાષ્ઠનાં બારણાંના વપરાશ સૂચવતાં બાકોરાં છે. આ ઓરડીના પશ્ચિમ છેડાની બાજુમાં આવેલા પ્રવેશ માર્ગમાં થઈ
For Personal & Private Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ક્ષત્રપકાલીન ગુજરાત નીચલા મજલામાં જવા કાજેની સીડી ઉપર પહોંચાય છે. આ પ્રવેશમાર્ગની શૈલદ્વારશાખમાંય કાઠનાં બારણાંના વપરાશને સૂચવતાં બાકોરાં છે.
નીચલો મજલોઃ આ મજલામાં આશરે ૧૨ મીટર લાંબો અને ૯ મીટર પહોળો એક મોટો ખંડ આવેલો છે. (આલેખ ૭, સંજ્ઞા આર). આ ખંડની ઉત્તરની દીવાલમાં પૂર્વ છેડે આવેલા પ્રવેશમાર્ગમાં (સંજ્ઞા )પ૩ થઈ ખંડમાં પ્રવેશતાં નજીકમાં પૂર્વની દીવાલને અડીને એક ઊંચી બેઠક છે (સંજ્ઞા વ), જે લગભગ સમચોરસ છે. એના પશ્ચિમ છેડે બે સ્તંભ છે, જે બેઠકના છાને ટેકો આપે છે. આ બેઠક ખંડના ભોંયતળિયાથી પ૬ સેંટીમીટર ઊંચી છે, અસેંટીમીટર ઊંડી છે. બેઠક અંદરથી ૨૭ લાંબી અને ૨૫ મીટર પહોળી છે૫૪. એના ઉપયોગ વિશે બર્જેસે એવી અટકળ કરી છે કે રૂ અથવા એવા કોઈ પોચા પદાર્થથી એ ખાડો પુરી પથારી તરીકે તેનો ઉપયોગ થતો હશે". એવું પણ સંભવી શકે કે વ્યાખ્યાન-પીઠિકા તરીકે એનો વપરાશ થતો હોય.
મોટા ખંડની પશ્ચિમ તરફની દીવાલને બાદ કરતાં શેષ દીવાલમાં પાષાણની ઓટલીઓ કોરેલી છે. પૂર્વની દીવાલને અડીને પ્રવેશમાર્ગ પાસે એક અને બેઠકની પેલી પાર ત્રણ ઓટલી આવેલી છે. બેઠકના પૂર્વ છેડા ઉપર પણ એક ઓટલી કંડારેલી છે, જે આજુબાજુની ઓટલી કરતાં પ્રમાણમાં ઊંચી છે. એવી રીતે દક્ષિણની દીવાલને અડીને ત્રણ અને ઉત્તરની દીવાલને અડીને બે ઓટલી કંડારેલી છે. આ બધી ઓટલી ઉપરની દીવાલ ઉપર છતથી થોડી નીચેના ભાગે એક પહોળો પટ્ટો ઉપસાવેલો છે. આમાં સૌથી ઉપલા ભાગે થોડે થોડે અંતરે ચૈત્યવાતાયનની ભાત ઉપસાવેલી છે, જેની કુલ સંખ્યા ૧૯ છે. એની નીચે સંયુક્ત ચોરસ આકૃતિઓની એક સળંગ પટ્ટી કોરેલી છે, જે ઉપલી હરોળ કરતાં સહેજ ઓછી ઉપસાવેલી છે. ઉપલી હરોળનાં ચૈત્યવાતાયનોના વચલા ભાગની નીચે અને ચોરસોની સળંગ પટ્ટીને અડીને થોડે થોડે અંતરે ચૈત્યવાતાયનોની એક બીજી હરોળ કંડારેલી છે:૮; જેની કુલ સંખ્યા પણ ૧૯ છે. આ વાતાયનોની ટોચે ચોરસોની પટ્ટીની ઉપર ઉપસાવેલી છે. ઉત્તરી દીવાલના પશ્ચિમ છેડે ઉપલી તેમ જ નીચલી હરોળનાં બબ્બે ચૈત્યવાતાયનોના બ્લોક ઉપસાવી રાખ્યા છે પરંતુ કોતરણી બાકી રહે છે૫૯. ઉપર દર્શાવેલ સંખ્યામાં આ ચાર વાતાયનોનો સમાવેશ થાય છે.
પ્રત્યેક વાતાયનમાંથી બે માનવ-આકૃતિ જાણે બહાર જોતી હોય એમ એમનાં કટિ સુધીનાં શરીર કંડારેલાં છે. આમાંની ડાબી બાજૂની ઘણી આકૃતિઓના ઉર-પ્રદેશ ખૂબ ઘસાઈ ગયેલા હોવાથી એ આકૃતિઓ સ્ત્રીની હશે કે પુરુષની તે કહેવું મુશ્કેલ છે. જમણી તરફની બધી આકૃતિ સ્ત્રીની હોવાનું સ્પષ્ટ છે. પરંતુ ઉત્તરીય દીવાલ ઉપરનાં ચૈત્યવાતાયનોમાંથી બેમાંની બંને આકૃતિ સ્પષ્ટતઃ સ્ત્રીની છે. આથી, અનુમાની શકાય કે અન્ય વાતાયનોમાં પણ બંને આકૃતિ સંભવતઃ સ્ત્રીઓની હોય.
આ વાતાયનોના નીચેના બંને છેડાઓ વેદિકાથી જોડાયેલા છે. આ બંને છેડા બહારની બાજૂએ વિસ્તરી સુંદર સુશોભનનો ખ્યાલ દર્શાવે છે. વાતાયાનની બહાર અને અંદરના ભાગની પહોળી પટ્ટી ઉપર નાની નાની બુટ્ટીઓ છે1.
For Personal & Private Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અઢાર
૩૦૩
ખંડની વચ્ચે આવેલા ચાર સ્તંભની વચ્ચેનો ભાગ ખુલ્લો છે. ચારેય સ્તંભ સરખા છે. તે પ્રત્યેક ત્રણ ભાગમાં વિભાજિત છે : કુંભી, દંડ અને શીર્ષ. પ્રત્યેક સ્તંભની કુંભી સમચોરસ છે અને ઉતરતા થરની સુંદર ઘાટની તથા પત્રાવલ્લીઓથી સુશોભિત છે. કુંભીની ચારેય બાજુના મધ્યમાં લંગોટીધારી સશક્ત માનવોની એક એક આકૃતિ છે. દંડનો ભાગ ગોળ છે. શિખરના ત્રણ ભાગ છે. દંડની ઉપરના શિખરના ભાગ ઉપર ઘંટિકાઓની કોતરણી છે. તેની ઉપરના ભાગમાં સ્ત્રીઓની વિવિધભંગી આકૃતિઓ છે, જેમાંની કેટલીક સંપૂર્ણ નિર્વસ્ત્રી છે, તો કેટલીક અલ્પવસ્ત્રાચ્છાદિત છે. સ્ત્રીઓના પગ આગળ વામન સ્વરૂપની માનવાકૃતિઓ દશ્યમાન છે, જે સંભવતઃ પુરુષની હોય. સ્ત્રી-આકૃતિઓના ઉપરના થરમાં ચારેય તરફ બેઠેલા સિંહની અને વચ્ચે વચ્ચે સામે જોતા સિંહની આકૃતિઓ છે. વચ્ચે વચ્ચે લંગોટીયુક્ત સશક્ત માનવાકૃતિઓ છે. અહીં ચાર ખૂણા ઉપર ચાર સિંહ બેઠેલા છે, જે દરેકને વચ્ચે વચ્ચે એક મુખ અને બે બાજુએ બબ્બે શરીર છે. સિંહ-પટ્ટની ઉપરની છતને સ્પર્શતો ભાગ કોતરણી વિનાનો છે.
ખંડના પશ્ચિમોત્તર ભાગમાં આવેલા બે સ્તંભ (સંજ્ઞા ) પણ કોતરણી સંદર્ભે ચાર સ્તંભને લગભગ મળતા આવે છે. બેસણી અને શીર્ષ ઉપરની કોતરણી તથા માનવપ્રાણીની આકૃતિઓ સ્તંભના જેવી જ છે. શીર્ષના ભાગ પરત્વે થોડોક ફરક છે. ચારેય સ્તંભમાં દંડને સ્પર્શતા શીર્ષના નીચલા ભાગ ઉપર ઘટિકાઓ કંડારેલી છે, જ્યારે આ બે સ્તંભમાં એ જ ભાગ ઉપર સંભવતઃ ઘેટાંનાં મુખની કૃતિ કોતરેલી છે. આથી, ઘણી જગ્યા રોકાઈ છે અને ફલત શીર્ષનો છતને અડતો ભાગ કોતરણી વિનાનો છે.
નીચલા મજલામાં પૂર્વમાં એક, ઉત્તરમાં બે તથા દક્ષિણમાં એક એમ કુલ ચાર સ્તંભ પુનર્નિર્મિત છે અને લંબચોરસ આકારના છે. પ્રત્યેકનું માપ ૬૨ x ૪૬ સેંટીમીટર છે.
આ ખંડની દક્ષિણ-પશ્ચિમ બાજુમાં એક નાનો ખંડ છે (આલેખ ૭, સંજ્ઞા વ). આમ તો, ઉપરના મજલે આવેલા ખંડ (સંજ્ઞા ધ અને ન)ના જેવો જ છે. પરંતુ તેમાં કોઈ કાણું નથી, છતાં તે રસોડું હોવાનું સૂચવી શકાય તેમ છે. આ ઓરડીની ઉત્તરે અને ખંડની પશ્ચિમોત્તર બાજુમાં બે લંબચોરસ થાંભલા અને એવા બે અર્ધસ્તંભોથી અલગ કરાયેલી ત્રણ પ્રવેશમાર્ગયુક્ત એક લાંબી પરશાળ છે (સંજ્ઞા છે). એનો ઉપયોગ જાણમાં નથી. એની મધ્યમાં એક પુનર્નિર્મિત લંબચોરસ સ્તંભ છે (સંજ્ઞા ).
ધર્મપ્રતીકનો અભાવ : આ ગુફાઓમાં કોઈ ધર્મનાં પ્રતીક જોવાં પ્રાપ્ત થતાં નથી. પરંતુ બૌદ્ધ ધર્મનાં ચિહ્નનો અભાવ દર્શાવી અને બાવાપ્યારાની ગુફાઓ જૈનધર્મી હોવાથી આ ગુફાઓ પણ તે ધર્મની હોય એવી અટકળ સાંકળિયાએ કરી છે. તેઓ એવું પણ કહ્યું છે કે અહીં શરૂમાં બૌદ્ધ સાધુઓનો વસવાટ હોય, તે પછી જૈન સાધુઓ વસ્યા હોય અને છેવટે પુનઃ બૌદ્ધ સાધુઓ રહ્યા હોય. શક્ય છે કે ઉભય ધર્મના સંન્યાસીઓએ અહીં વસવાટ કર્યો હોય.
પરંતુ સ્ત્રીઓની નિર્વસ્ત્રી અને અલ્પાચ્છાદિત વસ્ત્રોયુક્ત આકૃતિઓ, લંગોટીધારી સશક્ત માનવાકૃતિઓ, ચૈત્યગવાક્ષોમાંથી નમીને બહાર જોઈ રહેલી માનવાકૃતિ વગેરે સંદર્ભે સાંકળિયાની અટકળને સ્વીકારવી મુશ્કેલ જણાય છે. બર્જેસ આ સ્થળ પ્રમોદભવન હોવાનું
For Personal & Private Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
30
»પકાલીન ગુજરાત ચવે છે. ઉમાકાંત શાહ બર્જેસના સૂચનને આવકારી સકારણ તે પ્રમોદભવન હોવાનું પ્રસ્થાપિત કરે છે. ધર્મપ્રતીકોના અભાવે કરીને આ સૂચન સ્વીકાર્ય જણાય છે.
સમયનિર્ણય : સ્થાપત્યની સરખામણીએ, સ્થાપત્ય સાથે સંલગ્નિત શિલ્પાકૃતિઓ આ ગુફાઓના સમયાંકનમાં ઉપકારક બની રહે છે. બર્જેસે આ ગુફાઓના સમય બાબતે કોઈ અભિપ્રાય દર્શાવ્યો નથી. આ ગુફાઓમાં સ્થિત સ્તંભોના પ્રકાર પાડીને તેના ઉપર કંડારેલી માનવ-પ્રાણી-આકૃતિઓને ધ્યાનમાં લઈ સાંકળિયા એનો સમય ઈસુની પહેલી સાત સદી જેટલો વિસ્તૃત આંકે છે. જયારે ઉમાકાંત શાહ પ્રાણીઓની આકૃતિ, સ્ત્રીઓની આકૃતિ, પત્રાવલી અને ચૈત્યવાતાયનોની કોતરણી, સ્તંભો ઉપરનાં અલંકરણો વગેરના સંદર્ભમાં આ ગુફાઓ ઈરવીની બીજી સદી દરમ્યાન નિર્માણ પામી હોવાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.
બાવા-પ્યારાના ગુફાસમૂહમાંની ગુફાઓમાં ચૈત્યવાતાયનો કરતાં ઉપરકોટની ગુફાઓનાં ચૈત્યવાતાયનો વધારે વિકસિત અને પ્રગતિશીલ છે. બાવાપ્યારાની ગુફાઓનાં ચૈત્યવાતાયનો સાદાં અને માનવાકૃતિઓ વિનાનાં છે, એની પટ્ટીઓ પણ અલંકરણ વિનાની છે. જ્યારે ઉપરકોટની ગુફાનાં ચૈત્યવાતાયનો સુશોભનનાં અલંકરણોથી યુક્ત અને માનવપ્રાણીઆકૃતિઓથી સુંદર દશ્ય પ્રસ્તુત કરે છે. આ ચૈત્યવાતાયન વેદિકાથી યુક્ત છે, જે બાવાયારામાં નથી. આ ઉપરાંત બાવાપ્યારાની ગુફાઓ કરતાં ઉપરકોટની ગુફાઓ સંખ્યામાં ઓછી અને વિસ્તારમાં નાની છે. આ બધી બાબતોના સંદર્ભે સૂચિત થાય છે કે ઉપરકોટની ગુફાઓ બાવાયારાની ગુફાઓ કરતાં સમયના પરિપ્રેક્ષ્યમાં અનુકાલીન જણાય છે.
- ઉપરકોટનાં ચૈત્યવાતાયન ગોપના મંદિરનાં ચૈત્યવાતાયન કરતાં પૂર્વકાલીન છે''. અહીં જોવી પ્રાપ્ત થતી માનવાકૃતિઓ અને વેદિકાનું અલંકરણ ગોપમાં નથી. આથી, ઉલટું ગોપનાં ચૈત્યવાતાયનમાં માનવાકૃતિઓને સ્થાને દેવની આકૃતિઓ છે. અજન્તા અને ઇલોરામાં ચૈત્યવાતાયનોમાં પણ દેવાકૃતિઓ છે, જયારે ભારહૂત, સાંચી અને કટકનાં ચૈત્યવાતાયનમાં બહુ થોડી માનવાકૃતિઓ છે. આથી, ઉપરકોટની ગુફામાંના ચૈત્યવાતાયન ભારહૂત-સાંચી (ઈસ્વીપૂર્વ ૧OO આસપાસ) પછીનાં અને ગોપ કરતાં પૂર્વકાલીન હોવાનું ફલિત થાય છે. ગોપનાં મંદિરનો સમય સાંકળિયા ઈસ્વીની પાંચમી સદીનો મૂકે છે. એટલે ઉપરકોટની ગુફાઓ તે પહેલાંની હોવી જોઈએ.
- ઉપરકોટની ગુફાઓમાં નીચલા મજલે ચૈત્યવાતાયનોની બે હાર મળે સંયુક્ત ચોરસ આકૃતિઓની એક સળંગ પટ્ટી છે. આ પ્રકારનાં અલંકરણ દેવની મોરી સૂપમાંથી છે. આથી, ઉભય સમકાલીન હોવા સંભવે. દેવની મોરીનો સ્તૂપ ઈસ્વીની ચોથી સદીના આસપાસના છે, એટલે ઉપરકોટની ગુફાઓ કાં તો તે સમયની અથવા થોડી વહેલી હોવાનું મંતવ્ય અભિવ્યક્ત થઈ શકે.
પરંતુ સ્તંભ-શી ઉપરની બાલ-આકૃતિઓ તો પ્રાય: ઈસુની બીજી સદીની છે તે આપણે અગાઉ અવલોકી ગયા (જુઓ બાવાપ્યારાની વ્યાલ આકૃતિઓ વિશે). આથી, ઉપરકોટની ગુફાઓ તેટલી પૂર્વકાલીન હોવાનો સંભવ ખરો.
For Personal & Private Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અઢાર
૧૯૫૮-૫૯ના વર્ષ દરમ્યાનના પુરારક્ષણકાર્યથી ગુફાના ટોચના ભાગેથી રુદ્રસેનના સીસાના સિક્કા તથા રાતાં ચકચક્તિ વાસણોનાં ઠીંકરાં હાથ લાગ્યાં હતાં. આ રુદ્રસેન સંભવતઃ રુદ્રસેન ત્રીજો હોવાનું જણાય છે કેમ કે એના સીસાના સિક્કા મળ્યા છે (જુઓ પ્રકરણ તેર). આ રાજાના મહાક્ષત્રપપદના વર્ષ ૨૭૦ (ઈસ્વી ૩૪૮થી)થી ૩૦૨ (ઈસ્વી ૩૮૦) સુધીના
સિક્કા મળે છે.
અત્યાર સુધીના પૃથષ્કૃત વિશ્લેષણથી સૂચિત થઈ શકે કે ઉપરકોટની ગુફાઓ ઈસુની બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં નિર્માણ પામી હોવી જોઈએ. ખાપરા-કોડિયાની ગુફા
304
જૂનાગઢમાં સ્થિત આ ગુફાઓની પહેલપ્રથમ મુલાકાત કર્નલ ટોડે લીધી હોવાનું જણાય છે. પણ એનું વિસ્તૃત વર્ણન તો સહુ પ્રથમ બર્જેસે આપ્યું છે॰. ટૉડના સમયે સ્થાનિક લોકો આ ગુફાઓને ‘ખેંગાર મહેલ' તરીકે ઓળખતા હતા. પરંતુ અસલમાં એ ગુફાઓ મોટી હોવાનું (અને મહેલ નહી હોવાનું) અભ્યાસાવલોકનથી કહી શકાય. બર્જેસની મુલાકાત સમયે એની લંબાઈ આશરે ૭૫ મીટર અને પહોળાઈ આશરે ૨૪ મીટરની હોવાનું નોંધાયું છે. પથ્થરના ખાણખોદકાર્યથી ગુફાઓને સારું એવું નુકસાન થયું છે.
ગુફાની પશ્ચિમ તરફના છેડે બે (જેમાંની એક દક્ષિણાભિમુખ અને બીજી ઉત્તરાભિમુખ છે) અને પૂર્વ તરફના છેડે બે (જેમાંની એક ઉત્તરાભિમુખ અને બીજી દક્ષિણાભિમુખ છે) એમ કુલ ચાર સીડી છે. આથી, સ્પષ્ટ થાય છે કે ગુફાઓ એક કરતાં વધારે મજલાયુક્ત હોવી જોઈએ. પરંતુ વર્તમાને આ સીડીઓ સિવાય મજલો કે મજલાની કોઈ નિશાની અવશિષ્ટ રહી નથી. આ ગુફાઓનું મુખ્ય પ્રવેશદ્વાર ક્યાં હશે તે કહેવું મુશ્કેલ છે.
ગુફાની ભીંતો અત્યંત સાદી છે. બહારના સ્તંભોના છાઘ ઉપર વ્યાલમુખો અત્યંત ઘસાઈ ગયેલી હાલતમાં છે. સૂક્ષ્મ નિરીક્ષણથી સૂચવાય છે કે તે મેષ-વ્યાલ-મુખો છે. આ સિવાય માનવ કે પ્રાણીની કોઈ આકૃતિ અહીં જોવી પ્રાપ્ત થતી નથી.
ગુફાના પશ્ચિમ ભાગમાં એક ખંડ છે. એની મધ્યમાં કુંડ છે. એના ચારેય ખૂણા ઉપર એકેક સ્તંભ છે. આ ખંડની પૂર્વ દિશામાં આવેલી ગુફામાં સમચોરસ એવા ચાર કુંડ છે, જે પ્રત્યેકના ખૂણા ઉપર એકેક સ્તંભ છે. આમ કુલ ૨૦ સ્તંભ છે. કુંડમાં ઉતરવા વાસ્તે સોપાનશ્રેણી છે. આ ગુફાઓમાં ઘણી જગ્યાએ શંખિલપિમાં અક્ષરો કોતરેલા છે.
ગુફાઓનાં સમયાંકન બાબતે કશું અસંદિગ્ધપણે કહેવું મુશ્કેલ છે. એની સાદાઈ, વ્યાલમુખો, બાવાપ્યારા જેવા અલંકરણ વિનાના સ્તંભ અને ઉપરની કોટની જેમ કુંડનું અસ્તિત્વઆ સંદર્ભે આ ગુફાઓ ઈસુની આરંભની ત્રણેક સદી દરમ્યાન નિર્માણ પામી હોવાનો સંભવ
અભિવ્યક્ત થઈ શકે૪.
તળાજાનાં શૈલગૃહ
ભાવનગર જિલ્લાના શેત્રુંજી નદીના કાંઠે સ્થિત તળાજા ગામની લગભગ પશ્ચિમ
For Personal & Private Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ક્ષત્રપકાલીન ગુજરાત દિશાએ આવેલે ૯૬ મીટર ઊંચી ટેકરીની પશ્ચિમોત્તર બાજુ ઉપર શૈલોત્કીર્ણ એવી ત્રીસ ગુફાઓનો સમૂહ આવેલી છે. જવાળામુખીની અસરોમાંથી ઉદ્ભવેલો આ ડુંગર છે૫. ડુંગરના ઈશાન ખૂણેથી ગુફાસમૂહ શરૂ થઈ દક્ષિણમાં પૂરો થાય છે. આમાંની કેટલીક ગુફાને એક એક ટાંકું છે, તો કેટલીકને બળે છે, તો વળી કેટલીકમાં એકેય ટાંકું નથી. બધાં મળી ૨૦ ટાંકાં છે. બધી ગુફાઓ હાલ જીર્ણાવસ્થામાં છે; કેમ કે પોચા અને ખરતા પથ્થરને કારણે મોટાભાગની ગુફાની આવી હાલત છે. બધી ગુફાનો પથ્થર એક સરખો નથી. વાયવ્યમાં આવેલી “એભલ મંડપ' નામની ગુફા સખત પથ્થરની હોઈ તે સારી સ્થિતિમાં છે. આ ગુફાનું નામ દંતકથા આધારિત છે.
યુઆન શ્વાંગ વલભીનું વર્ણન કરતાં એ નગરથી થોડે અંતરે આવેલા એક મહાવિહારનો ઉલ્લેખ કર્યો છે. આ વિહાર અહિત અચલે કરાવ્યો હતો.... વલભી નજીકના ડુંગરોને લક્ષ્યમાં લેતાં આ મહાવિહાર વલભી નજીક આવેલા તળાજા-ડુંગર ઉપરનાં પૂર્વકાલીન શૈલગૃહો હોવાનું સંભવિત છે.
આ ગુફાસમૂહમાં સહુથી વિશેષ સુરક્ષિત અને શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ ખૂબ જ ઉત્કૃષ્ટ એવી બે ગુફા છે : એભલ મંડપ ગુફા અને ચૈત્યગૃહ ગુફા. પહેલી ગુફા આશરે ૩૦ મીટર ઊંચાઈ ઉપર છે. તે ૨૨ મીટર લાંબી અને ૨૧ મીટર પહોળી છે. ગુફાની ઊંચાઈ ૫ થી ૬ મીટર જેટલી છે; કેમ કે છત એક તરફ ઢળતી છે. નિવાસ માટેની ઓરડીઓ અહીં નથી એ વિશેષતા નોંધપાત્ર છે. ગુફાના વિશાળ ખંડની આગળ અષ્ટકોણીય ચાર સ્તંભનાં અવશિષ્ટ રહેલાં જણાય છે. (આ ગુફામાંના લગભગ બધા જ સ્તંભ પથ્થરના કનિષ્ઠ પ્રકારને કારણે નાશ પામ્યા છે. આ રીતે, સ્તંભોનો એક સરખો અભાવ આશ્ચર્ય ઉપજાવે છે. આ દૃષ્ટિએ આ ગુફાઓ વિરલ ગણાય.) એભલ મંડપના અગ્રભાગની દીવાલ ઉપર ઊંચાઈ ઉપર મોટાં ચૈત્યવાતાયનની આકૃતિઓ કંડારેલી છે. વાતાયનોના બંને છેડાને જોડતો વેદિકાની પહોળી ભાતનો પટ્ટો કંડારેલો છે. આ ચૈત્યવાતાયનોના આકાર અસાધારણ અને ભિન્ન છે. તે અર્ધ અંડાકાર છે અને અંદરના ભાગમાં અર્ધવર્તુળાકાર કમાન કંડારેલી છે. કમાનની નીચે એક લંબચોરસ છે અને એની બંને બાજુએ નાની અર્ધવર્તુળ આકૃતિ છે. આમ, આ ત્રણ- બે નાનાં અને એક મોટું- અર્ધવર્તુળથી ત્રિદલની આકૃતિ બને છે. બાવાપ્યારાનાં વાતાયન કરતાં આ વધુ વિકસિત દેખાય છે.
બીજી સુરક્ષિત ગુફા “ચૈત્યગૃહથી ઓળખાય છે. ચૈત્યગૃહમાંનો સૂપ વચ્ચેથી ખંડિત છે અને ટોચનો ભાગ નાશ પામ્યો છે. સ્તૂપ અર્ધનળાકાર પછીતથી અલગ છે. બાવાપ્યારાના ચૈત્યસમૂહ સાથે આને સરખાવી શકાય.
ચૈત્યવાતાયનો અને સ્તૂપયુક્ત ચૈત્યગૃહ ઉપરથી તથા યુઆન શ્વાંગે એનો નિર્દેશ કર્યો હોવાથી તેમ જ વલભી બૌદ્ધવિહારનું કેન્દ્ર હોવાની હકીકત ધ્યાનમાં લેવાથી આ ગુફાસમૂહ બૌદ્ધધર્મી હોવા સંભવે છે.
સમયનિર્ણય : ગુફાઓની જીર્ણાવસ્થા સમયાંકનમાં બાધાક નીવડે છે. પરંતુ એભલ મંડપ નામની ગુફાનાં વાતાયન અને ચૈત્યગૃહ સમયનિર્ણય નિર્ધારિત કરવા કાજે ઉપકારક બને છે.
For Personal & Private Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અઢાર
અર્ધવર્તુળાકાર પછીતથી અલગ સ્તૂપની રચના અને ચૈત્યવાતાયનોની વેદિકાનાં અલંકરણોને આધારે સાંકળિયા આ ગુફાઓને ઈસ્વીના આરંભમાં નિર્માણ પામી હોવાનું સૂચવે છે. ચૈત્યગૃહની સાદીસીધી રચના ઉપરથી ઉમાકાંત શાહ એમને ઈસુની પહેલી સદીમાં રચાઈ હોવાનું માને છેજ.
309
યુઆન સ્વાંગ ૬૪૦માં વલભી આવ્યા ત્યારે તેમણે ‘વલભીથી દૂર નહીં તેવી' ગુફાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમાં સ્થિરમતિ-ગુણમતિ નામના બૌદ્ધ આચાર્ય રહેતા હતા એવી નોંધ પણ કરેલી છે^. ગુફામાંના વાતાયન બાવાપ્યારાનાં વાતાયનથી વધુ વિકસિત છે. એટલે આ ગુફાઓ બાવાપ્યારા પછીની હોવાનું સૂચવાય છે. ઉપરકોટમાંની ગુફામાંનાં વાતાયાનમાં વેદિકાનાં અલંકરણ છે પણ એભલમંડપનાં અલંકરણ કરતાં એનું કદ નાનું છે. ઉપરકોટનાં વાતાયનમાં સ્ત્રી-આકૃતિ છે, જે અહીં નથી. આથી, કહી શકાય કે તળાજા કરતાં ઉપરકોટનાં વાતાયન વિકસિત છે. એટલે તળાજાનો ગુફાસમૂહ બાવાપ્યારાના ગુફાસમૂહ પછીનો અને ઉપરકોટની ગુફાઓ પૂર્વે નિર્માણ પામ્યો હોવો જોઈએ. સ્થિમતિ-ગુણમતિનો કાર્ય-સમય (જુઓ પ્રકરણ પંદર) ધ્યાનમાં લેતાં આ ગુફાસમૂહ ઈસ્વીની ત્રીજી સદીમાં તૈયાર થયો હોવા સંભવે. સાણાની ગુફાઓ
જૂનાગઢ જિલ્લાના ઉના ગામ પાસે રૂપેણ નદીના પ્રદેશમાં આવેલા સાણાના ડુંગર ઉપર મધપૂડાની જેમ ૬૨ જેટલી ગુફા પથરાયેલી છે. બર્જેસના જણાવ્યાનુસાર આ ગુફાઓ પણ જૂનાગઢ, તળાજા અને ઢાંકની ગુફાઓની જેમ સાદી છે. ગુફાઓમાંની મોટાભાગની જીર્ણ અવસ્થામાં છે. ડુંગરની ટોચ ઉપર મોટા કદની ઈંટોયુક્ત પાયાની રચનાના અવશેષ પ્રાપ્ત થાય છે.
ડુંગરની તળેટી પાસે એક મોટી ગુફા આવેલી છે, જે પણ તળાજાની ગુફાની જેમ ‘એભલમંડળ’થી વિખ્યાત છે”. આ ગુફાનું માપ છે : ૨૧ મીટર પહોળી, ૧૮ મીટર ઊંડી અને ૫ મીટર ઊંચી. આની આગળના ભાગે મૂળમાં છ સ્તંભ આવેલા હશે. અંદરના ભાગમાં કોઈ સ્તંભ હોવાનું શક્ય જણાતું નથી. આ ટેકરી ઉ૫૨ ૩૬ મીટર ઊંચાઈ ઉપર એક બીજી ગુફા છે, જે ‘ભીમચોરી'થી સુખ્યાત છે. આ ગુફાના આગળના ભાગે એક અલિંદ છે : ૧૧ મીટર X ૧૨૧ મીટર. અહિંદના છાઘના ટેકા માટે અષ્ટકોણ એવા ચાર સ્તંભ છે. એના કુંભી અને શીર્ષના ભાગ જલપાત્ર(લોટા)ના આકારના છે. એનાં ફલક અને ઉભણી માટે બબ્બે ચોરસ પટ્ટા છે. આ પ્રકારના સ્તંભ નાસિક અને જૂન્નરની ગુફાઓમાં સંખ્યાબંધ છે. સાંકળિયા આ સ્તંભોને નાસિકમાંની નહપાનની ગુફાના સ્તંભ સાથે સરખાવે છે. અહિંદની ચારેય ભીંતમાં ઉપરકોટની ગુફાઓની જેમ ઊંચી ઓટલીઓ આવેલી છે.
ભીમચોરીની બાજુમાં એક સાદું ચૈત્યગૃહ છે, જેનું માપ ૫ X ૧૦ મીટરનું છે. એ ૪ મીટર ઊંચું છે. એનું છાઘ સાદું છે. પ્રદક્ષિણાપથનો અભાવ ધ્યાન ખેંચે છે. ચૈત્યગૃહની પછીત અર્ધવર્તુળાકાર છે. એમાં ૨૧ મીટરનો વ્યાસ ધરાવતો સાદો અને અલંક૨ણ તથા સુશોભન વિનાનો એક સ્તૂપ છે, જેની ટોચનો ભાગ નાશ પામ્યો છે. અહિંદયુક્ત ઓરડીઓ અહીં પણ
For Personal & Private Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
છે, જેની ભેંતોમાં પણ ઊંચી ઓટલીઓ કંડારેલી છે. ઉપરાંત “એભલ મંડપ જેવા ઓરડા અને નાનાં બે ચૈત્યગૃહ છે.
સાંકળિયા આ શૈલગૃહો જૈનધર્મી હોવાનું સૂચવે છે ૧. ઉમાકાંત શાહ એને બૌદ્ધધર્મી કહે છે . પરંતુ ઉભયમાંથી એકેય ધર્મનાં પ્રતીક અહીં નથી, છતાં ચૈત્યગૃહોના આધારે બૌદ્ધધર્મી હોવાનું સંભવે.
આ શૈલગૃહોનો સમય બર્જેસ અને સાંકળિયા૪ ઈસુના આરંભનો ગણે છે. ડુંગરની ટોચ ઉપરથી પ્રાપ્ત થયેલી મોટા કદની ઈંટો, સપાટ છાપરાવાળું ચૈત્યગૃહ (બાવાપ્યારાના ચૈત્યગૃહ જેવું), ભીમચોરીના વિહારના નાસિકની નહપાનની ગુફા સ્તંભ જેવા સ્તંભ વગરના સંદર્ભમાં આ શૈલગૃહોનો સમય ઈસુની બીજી સદીનો હોઈ શકે. ઢાંકની ગુફા
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક પાસે ઢંક ગિરિથી ખ્યાત એક ડુંગર આવેલો છે. જૈન સાહિત્ય અને પ્રબંધોમાં આ ડુંગર વિશે ઘણા ઉલ્લેખ જોવા પ્રાપ્ત થાય છે". આ ગિરિ ઉપરની પ્રતિમાઓ બર્જેસના મતાનુસાર બૌદ્ધ હોવાની શક્યતા છે", તો સાંકળિયા એ પ્રતિમાઓને જૈન હોવાની સંભાવના અભિવ્યક્ત કરે છે ૯૭, જૈન વાડ્મયમાં ઢંકગિરિનો જૈનતીર્થ તરીકેનો નિર્દેશ સાંકળિયાના મતને સમર્થે છે.
ડુંગરની પશ્ચિમ ધારે કેટલીક ગુફાઓ છે. ખાણ ખોદવાની પ્રક્રિયા છે, અહીં સુધી વિસ્તરી છે. આમાંની પ્રથમ ગુફા, જે ઉત્તર-પશ્ચિમ આડી આવેલી છે, તેના પ્રવેશમાર્ગ ભાગ્યે જ ૧ મીટર ઊંચાઈનો હશે. ગુફાની અંદરનો ભાગ બહારની સપાટીથી માત્ર ૬ સેંટીમીટર જેટલો નીચો છે. આ ગુફા ૨.૪૫ મીટર ઊંડી અને ર મીટર લાંબી છે. પદ સેંટીમીટર સમચોરસ કદનો એકેક ગોખલો પ્રત્યેક દીવાલમાં કંડારેલો છે. અહીંથી પણ ઘણી શિલ્પકૃતિઓ પ્રાપ્ત થઈ છે. (આ શિલ્પાવશેષોનાં વર્ણન વાતે જુઓ હવે પછીનું પ્રકરણ વીસ).
સમયનિર્ણય : અહીંથી ઉપલબ્ધ શિલ્પકૃતિઓ આ ગુફાના સમયાંકન સારુ ઘણી ઉપયોગી બની રહે છે. બર્જેસે આ શિલ્પોનું સમયાંકન દર્શાવ્યું નથી. શિલ્પોનાં આલેખનની શૈલીના આધારે સાંકળિયા આ ગુફાઓની સમયાવધિ ઈસ્વી ૩૦૦ની આસપાસની નિર્દેશ છેલ૮. જૂનાગઢનાં બાવાપ્યારા અને ઉપરકોટનાં શૈલગૃહોમાં દેવદેવીઓની પ્રતિમા કંડારેલી નથી. જયારે ઢાંકમાંથી ઘણી પ્રતિમા હાથવગી થઈ છે. આથી, સ્પષ્ટતઃ આ ગુફાઓ બાવાપ્યારા અને ઉપરકોટની ગુફાઓ પછીની હોવી જોઈએ. દેવની મોરીના મહાતૂપમાંથી પ્રાપ્ત બૌદ્ધમૂર્તિઓની આલેખનશૈલી કરતાં ઢાંકની જૈનપ્રતિમાઓની શૈલી ઉતરતી કોટીની છે. એટલે કે દેવની મોરી કરતાં ઢંકગિરિનાં શૈલગૃહો સમયની દૃષ્ટિએ વહેલાં હોવાં જોઈએ. આટલી ચર્ચાથી સૂચિત થાય છે કે આ ગુફાઓ ચોથી સદીના પૂર્વાર્ધની હોવા સંભવે છે. ઝીંઝુરીઝરની ગુફા
ઢાંકની પશ્ચિમે આઠેક કિલોમીટરના અંતરે સિદ્ધસર પાસેની ઝીંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધગુફા આવેલી છે. આમાંની એક ગુફામાં અલિંદયુક્ત નાની બે ઓરડી સ્થિત છે જેનાં
For Personal & Private Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અઢાર
૩૦૯
માપ ૨૫ x ૩ અને ૨૫ x ૩ મીટર છે. બીજી ગુફાને પણ નાની બે ઓરડી છે, જે અનુક્રમે ૩ X ૨ અને ૨' X ૩ મીટરનું માપ ધરાવે છે. ચોરસ પીઠિકા અને શીર્ષયુક્ત અષ્ટકોણ એવા બે સ્તંભ છે૧૦. એની બાજુમાં જૂની ઢબની પહોળી પટ્ટીની એક વેદિકા છે, જે આ ગુફાઓનો એક માત્ર અલંકરણયુક્ત નમૂનો છે. ઉપરકોટ અને તળાજાનાં ચૈત્યવાતાયનમાં આ પ્રકારનાં અલંકરણ છે. બીજી ગુફાની ઉત્તરે ત્રીજી મોટી ગુફા છે. એની સાંકડી ઓસરીમાં આગળના ભાગમાં ચોરસ આકારના છ સ્તંભ હતા, જેમાંથી પ્રવેશદ્વારની જમણી તરફના ત્રણ અને ઉત્તર તરફનો એક એમ ચાર સ્તંભ વર્તમાને અસ્તિત્વ ધરાવે છે"0".
આ ગુફાઓમાંથી એક શિલાલેખ મળ્યો છે, જેની લિપિના મરોડ ક્ષત્રપકાલીન છે૧૦૨. લેખ ખંડિત છે તેથી તે કયા રાજાનો હશે તે કહેવું મુશ્કેલ છે.
| ગુફામાંની વેદિકાનાં રૂપાંકનના આધારે સાર્કળિયા આનો સમય ઈસુની પહેલી-બીજી સદીનો સૂચવે છે. ક્ષત્રપલેખની લિપિના મરોડ આનું સમર્થન કરે છે. ખંભાલીડાની ગુફા
રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે આવેલા ખંભાલીડા ગામેથી ઈસ્વી ૧૯૫૯માં પુ.કે.પંડ્યાને કેટલીક ગુફા હાથ લાગી હતી૧૦૪. આમાંની ત્રણ ગુફા ધ્યાનાર્હ છે. ત્રણમાંની વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ છે. એના પ્રવેશમાર્ગની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસ્તંભની એકેક (એક તરફ પદ્મપાણિ અવલોકિતેશ્વર અને બીજી બાજુ વજપાણિ) અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ કંડારેલી છે. આ બધી જીર્ણાવસ્થામાં છે.
પુ.પ્ર.પંડ્યા આનો સમય ઈસ્વીની ત્રીજી-ચોથી સદીનો દર્શાવે છે. શિલ્પોની આલેખનશૈલી અને વસ્ત્રપરિધાન ઉપરથી ઉમાકાંત શાહ એનો સમય ચોથી સદીનો જણાવે છે૧૦. જો કે ચૈત્યખંડને ધ્યાનમાં લેવાથી ગુફાઓ બીજી-ત્રીજી સદીનું હોવાનો સંભવ વ્યક્ત થઈ શકે. કડિયા ડુંગરની ગુફા - ભરૂચ જિલ્લાના ઝાઝપોર સ્ટેશનની સામે ૧૫૦ મીટર ઊંચાઈવાળી એક પર્વતમાળા છે, જેમાં કડિયા નામનો ડુંગર છે. એના ઉપર સાત ગુફા છે. એની તળેટીમાં એક-શિલાનિર્મિત એક સિંહસ્તંભ પ્રાપ્ત થયો છે. સિહસ્તંભની આસપાસ ઈંટેરી સ્થાપત્યના આઠ-નવ અવશેષોની માહિતી છે. ગુજરાતના દક્ષિણ પ્રદેશમાંથી ઉપલબ્ધ ક્ષત્રપકાલીન આ ગુફાઓ સહુ પ્રથમ છે. જો કે એનાં સંપૂર્ણ વિગતો, તલમાન, ચિત્રો વગેરે પૂરેપૂરાં ઉપલબ્ધ નથી.
ડુંગર ઉપરની સહુથી ઊંચી એવી એક ગુફામાંથી ભીંત ઉપર કોતરેલો લેખ જોવા મળે છે, જેનું માપ છે ૧ મીટર X ૪૬ સેંટીમીટર. લેખ ખૂબ ઘસાઈ ગયો છે અને તે ઉકેલી શકાતો નથી. આ ગુફાની ડાબી દીવાલ ઉપર રેખાંકિત એવાં હાથી અને વાનરનાં શિલ્પો છે. વરંડામાં અને અંદર પાષાણ બેઠકોયુક્ત બૌદ્ધવિહારો છે. આ ગુફાના ખંડની લંબાઈ ૭, પહોળાઈ ૨.૧૯ અને ઊંચાઈ ૨.૬૫ મીટરની છે. બેઠકોનું માપ છે : ૧.૪૫ X ૬૯ X ૬૨ સેંટીમીટર. બે નાના તથા બે મોટા સ્તંભ અહીં છે. વરંડો ૪૬ સેંટીમીટર સમચોરસ છે. અહીં વેદિકાભાત છે.
For Personal & Private Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૦
ક્ષત્રપકાલીન ગુજરાત
બીજી ગુફા ઘણી સાદી છે. તે ૨.૩૪મીટર સમચોરસ છે. વરંડો ૪ X ૨.૩૪ મીટરનો છે. ગુફામાં જવા સોપાનશ્રેણી છે. વરંડાની સપાટ છતને ટેકવી રાખતી દીવાલો આગળ કપાત આકારની કાનસ છે. ત્રીજી એક ગુફાનો વર્તમાન સમયમાં વપરાશ થયો જણાય છે. પાંચમી ગુફા નીચી સપાટી ઉપર છે. છઠ્ઠી ગુફા સાદી છે. સાતમી ગુફા જીર્ણાવસ્થામાં છે. અહીંથી એક શિવલિંગ પણ પ્રાપ્ત થયું છે. સંભવતઃ અનુકાલમાં બ્રાહ્મણ સાધુઓ અહીં રહ્યા હોવા સંભવે.
તળેટીમાંનો સિંહસ્તંભ ૩.૮૧ મીટર ૦૧૫ ઊંચો છે. સ્તંભ નીચેથી ઉપર જતાં પાતળો થતો જાય છે. ટોચ ઉપર બે-શરીરયુક્ત અને એક-મુખવાળા સિંહની આકૃતિ છે. અહીંથી ચાંદીનો એક ઇન્ડોગ્રીક સિક્કો હાથ લાગ્યો છે જે ગોળાકાર છે અને તે સિક્કો મિનેન્ટરનો છે. અગ્રભાગમાં રાજાની મુખાકૃતિ અને ગ્રીક અક્ષરો છે. પૃષ્ઠભાગે કોઈ ગ્રીક દેવની આકૃતિ છે. સિક્કા ઉપરનાં બે કાણાં સંભવતઃ કોઈક પ્રકારે વપરાશનું સૂચન કરે છે.
ગુફાની સાદાઈ, લેખ, સ્તંભના આકાર, વેદિકાની ભાત, વરંડા, સિહતંભ વગેરેના આધારે જયેન્દ્ર નાણાવટી આ ગુફાઓને ઈસુની પહેલી સદીની આસપાસની હોવાનો સંભવ અભિવ્યક્ત કરે છે૧૭.
પાદનોંધ ૧. બીલ, રિકોર્ડઝ, પુસ્તક ૨, પૃષ્ઠ ૨૫૭-૭૦; વોટર્સ, ન યુઆન ચાંગ્સ ટ્રાવેલ્સ ઇન ઇન્ડિયા, પુસ્તક
૨, પૃષ્ઠ ૨૩૯-૫૦. ૨. બસ, એકાક., પટ્ટ ૧૬. ૩. બન્ને (એજન) અને સાંકળિયાએ (આ) આનો ઉલ્લેખ કર્યો નથી. ' ૪. બસ, એજન, પૃષ્ઠ ૧૪૦, પટ્ટ ૧૭, સંજ્ઞા એ. ૫. એજન, પટ્ટ ૧૯. જો કે અષ્ટકોણની વીગત બર્જેસે નોંધી નથી. ૬. એજન, પૃષ્ઠ ૧૩૯. પ્રસ્તુત આકૃતિઓ ઘસાઈ ગયેલી હોવાથી, આ ગ્રંથલેખકે જયારે ૧૯૬૨ અને - ૧૯૬૩માં આ ગુફાઓની પ્રત્યક્ષ મુલાકાત લીધી ત્યારે ઓળખવી મુશ્કેલ બની હતી. ૭. એજન, પટ્ટ ૧૯. ૮. છાઘનું આ સપાટપણું એના નિર્માણની પૂર્વકાલીનતા સૂચિત કરે છે. બીજી-ત્રીજી સદી દરમ્યાન
ચૈત્યગૃહોનાં છાઘ સપાટ હતાં. તે પછી અર્ધનળાકાર સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યાં. ૯. બર્જેસ, સાંકળિયા વગેરે વિદ્વાનોએ આ ઉલ્લેખ કર્યો નથી. ૧૦. એકાક., પૃષ્ઠ ૧૩૯. ૧૧. એજન, પૃષ્ઠ ૧૪૦. ૧૨. જુઓ પરિશિષ્ટ એક, નંબર ૨૦. આ લેખમાં “ક્ષત્રપ જયદામાના પૌત્ર’ એવી નોંધ છે, પણ તે પૌત્રનું
નામ અવાચ્ય છે. જયદામાના બે પૌત્રો-દામજદશ્રી ૧લો અને રુદ્રસિંહ ૧લો-માંથી કોણ હશે ? રાજકીય કારકિર્દીના સંદર્ભે તે રદ્રસિંહ ૧લો હોઈ શકે. તો આ લેખ ઈસ્વીસન ૧૮૦થી ૧૯૭ વચ્ચે
હોવો જોઈએ, જે પ્રસ્તુત ગુફાના સમયાંકનમાં ઉપકારક બની રહે છે. ૧૩. બર્જેસ, સાંકળિયા વગેરે વિદ્વાનોએ આ બાલમુખોની નોંધ લીધી નથી. આ ગ્રંથલેખકે આ વિશે
પહેલપ્રથમ ધ્યાન આકૃષ્ટ કર્યું છે. આ સિંહબાલમુખો આ ગુફાસમૂહના સમયનિર્ણયમાં ઉપયોગી બની રહે છે. જુઓ ચિત્ર નંબર ૧૩.
For Personal & Private Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અઢાર
૩૧૧
૧૪. બક્સ, એકાક, પટ્ટ ૧૮, નંબર ૨. વર્ણન વાતે જુઓ પ્રકરણ ૨૦. ૧૫. એજન, પટ્ટ ૧૮, નંબર ૩. ૧૬. એજન, પૃષ્ઠ ૧૪૦. ૧૭. આગુ, પૃષ્ઠ ૪૮. ૧૮. વિવિધ પૂજાસંગ્રહ, પૃષ્ઠ ૪૦૨. ૧૯. આ પ્રતીક બર્જેસે આપેલા ફોટોગ્રાફમાં (એકાક., પટ્ટ ૧૮) જેટલાં સ્પષ્ટ અને દેશ્ય છે તેટલાં વર્તમાને
(૧૯૬૨-૬૩માં) સુરેખ નથી. ઘણાં પ્રતીક ઘસાઈ ગયાં છે. ૨૦. જુઓ બર્જસ, એકાકી, પટ્ટ ૧૮, નંબર ૧. આકૃતિઓ અત્યારે અત્યંત ઝાંખી થઈ ગઈ છે. ૨૧. બર્જેસ, સાંકળિયા ઈત્યાદિ વિદ્વાનોએ આની નોંધ લીધી નથી. આ ગ્રંથલેખકે પહેલી વખત તેની નોંધ
લીધી છે. ૨૨. પ્રતીકો માટે જુઓ ચિત્ર નંબર ૧૪. આ પ્રતીકો એટલાં બધાં ઘસાઈ ગયા છે, જેથી તેના ફોટોગ્રાફ
સારા લઈ શકાયા નથી. ૨૩. સાંકળિયા આ ચૈત્યગૃહને પશ્ચિમ ભારતમાં સ્થિત ભાજા, કાર્લ, બેડસા કે અજંતા-નાસિકની
બૌદ્ધગુફાઓ સાથે સરખાવે છે (આ), પૃષ્ઠ ૪૭). ૨૪. એકાક., પૃષ્ઠ ૧૪૦-૪૧. ૨૫. જુઓ પાદનોંધ નંબર ૧. ૨૬. આગ, પૃષ્ઠ ૪૮. ૨૭. વિશેષ ચર્ચા માટે જુઓ રસેશ જમીનદાર, “રીલેકશન્સ ઑન ધ જૈન કેઝ ઇન ગુજરાત', પ્રસીડિંગ્સ
ઑવ ધ ઓલ ઈન્ડિયા સેમિનાર ન જૈન આર્ટ એન્ડ આર્કિટેક્ટર, ૧૯૭૩, પૃષ્ઠ ૭૫-૮૦ (પ્રકાશન
૧૯૭૫). ૨૮. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, જૈન, હિન્દુ એમ ત્રણેય ધર્મની છે. તેમ અહીં પણ થોડીક ગુફાઓ બૌદ્ધોની
અને થોડકી જૈનોની હશે (ઉમાકાંત શાહ, ગુરાસાંઇ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૪૮-૩૪૯). ૨૯, સાંકળિયાએ સંજ્ઞાનિર્દેશ વિના ઓરડીઓનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે તેમણે નિર્દિષ્ટ કરેલી ઓરડીઓ
ગુફાંસમૂહમાંની કઈ ગુફાની છે તે સ્પષ્ટ કર્યું નથી. પણ જો આ ઓરડીઓ ચૈત્યગૃહ સાથે સંકળાયેલી
હોય તો તો આ ગ્રંથના આલેખ પમાં હું સંજ્ઞિત ઓરડીઓ હોવી જોઈએ. ૩૦. ઉમાકાંત શાહે આ ગુફાઓ વિશે એક લેખમાં ઉલ્લેખ કર્યો છે (“ગુજરાતમાં બૌદ્ધધર્મ', સ્વાધ્યાય,
પુસ્તક ૧, અંક ૩, વડોદરા, ૧૯૬૩, પૃષ્ઠ ૨૮૧થી). તેમણે આ લેખમાં આ ગુફાઓના સમય વાસ્તે સાંકળિયાનો અભિપ્રાય ઉદ્ધત કર્યો છે અને સ્વયમુનું સ્વતંત્ર મંતવ્ય દર્શાવ્યું નથી. તે પછી આ ગુફાઓ વિશે આઠ-નવ વર્ષ પછી, ફરીથી લખતાં સમયનિર્ણયની ખાસ કોઈ ચર્ચા કરી નથી (ગુરાસાંઇ., ગ્રંથ
૨, પૃષ્ઠ ૩૪૫-૪૯, ૧૯૭૨) ૩૧. ધ કેવ ટેમ્પલ્સ ઑવ ઈન્ડિયા, ૧૮૮૦, પટ્ટ ૨૩. ૩૨. આગ, પૃષ્ઠ ૪૮-૪૯. ૩૩. એકાક., પૃષ્ઠ ૧૪૦. ૩૪. જુઓ ચિત્ર નંબર ૧૩. ૧૯૬૨-૬૩માં ક્ષેત્રકાર્ય દરમ્યાન આ ગ્રંથલેખકે આ ગુફાસમૂહની મુલાકાત
લીધી હતી. આ બંને બાલમુખ એટલાં બધાં ઘસાઈ ગયાં છે કે એના સારા ફોટા પ્રાપ્ત નથી અને
સારા ફોટા આ ગ્રંથલેખક પણ લઈ શક્યા નથી. આના વર્ણન વાસ્તે જુઓ પ્રકરણ વીસ. ૩૫. જુઓ સંદર્ભ માટે અગાઉની પાદનોંધ ૨૭.
For Personal & Private Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૨
ક્ષત્રપકાલીન ગુજરાત ૩૬. એકાક, પૃષ્ઠ ૧૪૨. ૩૭. એજન, પૃષ્ઠ ૧૪૨. અને બર્જેસના આધારે સાંકળિયા આ કુંડ આશરે ત્રણ મીટરથી થોડો વધારે
સમચોરસ હોવાનું નોંધે છે. કદાચ બર્જેસનું માપ કુંડની બહારની સપાટીનું હોય તો તે ત્રણ મીટર
સાઠ સેંટીમીટર થાય. હા, ત્રણ મીટરનું માપ આ લેખકે સ્વયમ્ સ્થળતપાસ દરમ્યાન લીધું છે. ૩૮. બર્જેસ કે સાંકળિયા કે અન્ય કોઈ વિદ્વાને આ વિગતે નોંધી નથી. ૩૯. એકાક., પૃષ્ઠ ૧૪૨, પટ્ટ ૨૨, સંજ્ઞા K. ૪૦. એજન, સંજ્ઞા F. ૪૧. એનજ, સંજ્ઞા H. ૪૨. ઇન્ડિયન આર્કિયૉલોજી એ રિવ્યુ, ૧૯૫૮-૫૯, પૃષ્ઠ ૭૦-૭૧. ૪૩. એકાક., પટ્ટ ૨૩. ૪૪.-૪૫. એજન, આકૃતિ ૬ અને ૫ અનુક્રમે. ૪૬. એજન, પટ્ટ ૨૧, નંબર ૬. ૪૭. બર્જેસ કે સાંકળિયાએ આ બાબતની કોઈ નોંધ લીધી નથી. ૪૮. બસ, એકાક., પટ્ટ ૨૨, નંબર ૧, સંજ્ઞા L. ૪૯. મહેતા અને ચૌધરી, એકવેશન એટ દેવની મોરી, પૃષ્ઠ ૧૧૬, પટ્ટ ૪૯સી. ૫૦. બર્જેસ અને સાંકળિયાએ કે અન્ય કોઈ વિદ્વાને આ માપ આપ્યું નથી. ૫૧. એકાક., પૃષ્ઠ ૧૪૪. પર. આ બાકોરાં વિશે બર્જેસે કે સાંકળિયાએ કોઈ નિર્દેશ કર્યો નથી. ૫૩. આ પ્રવેશમાર્ગની દ્વારશાખને પણ ઉપલા મજલાના પ્રવેશમાર્ગોની દ્વારશાખની જેમ કાષ્ઠનાં બારણાંના
વપરાશ સૂચવતાં બાકોરાં છે, જેની નોંધ બર્જેસે અને સાંકળિયાએ કે અન્ય કોઈ વિદ્વાને લીધી હોવાનું જણાતું નથી. આ પ્રવેશદ્વાર સાદું છે. પરંતુ કારીગરોએ ત્યાં કોતરણી કરવાનું વિચાર્યું હતું જ એમ પ્રવેશદ્વારની કોતરણીના અધુરા રહેલા ભાગ ઉપરથી સ્પષ્ટ થાય છે. આ વિશેનો ઉલ્લેખ પણ ક્યાંય
જોવો પ્રાપ્ત થતો નથી. ૫૪. બર્જેસે, સાંકળિયાએ કે અન્ય કોઈ વિદ્વાને આ બધાં માપ આપ્યાં નથી. ૫૫.-૫૬, એકાક., પૃષ્ઠ ૧૪૩ અને એજન, પટ્ટ ૨૧ અનુક્રમે. ૫૭. બર્જેસ આદિ વિદ્વાનોએ આની નોંધ લીધી નથી. ૫૮. પાદનોંધ પ૬ મુજબ ૫૯. આ વિગતોનો પણ ક્યાંય નિર્દેશ થયો નથી. ૬૦-૬૧. જુઓ એકાક., પટ્ટ ૨૩, આકૃતિ ૭; અને એજન, પટ્ટ ૨૩. ૬૨. બર્જેસ આદિ અધ્યેતાઓએ આ બાબતનો નિર્દેશ કર્યો નથી. ૬૩. આગ, પૃષ્ઠ ૫૧. ૬૪. એકાક., પૃષ્ઠ ૧૪૪. ૬૫. ગુરાસાંઈ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૫ર-પ૩ તથા પાદનોંધ ૬૨-૬૩. ૬૬. આગ, પૃષ્ઠ ૫૦-૫૧. ૬૭. સ્વાધ્યાય, પુસ્તક ૧, અંક ૩, પૃષ્ઠ ૨૮૩-૮૪.
For Personal & Private Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અઢાર
૩૧૩
૬૮. એકાક., પટ્ટ પ૨; આગ, પૃષ્ઠ ૪૯, પટ્ટ ૨. ૬૯. આગ, પૃષ્ઠ ૪૯-૫૦. ૭૦. જોઈ., પુસ્તક ૯, અંક ૪, પૃષ્ઠ ૪૫૪, પટ્ટ ૪, નંબર ૬(૧૯૬૦). ૭૧. પાદનોંધ ૪૨ મુજબ. ૭૨. ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઈન્ડિયા, પૃષ્ઠ ૩૬૭. ૭૩. એકાક., પૃષ્ઠ ૧૪૫-૪૭. ૭૪. બર્જેસ પછી કોઈ શોધકે આ ગુફાની મુલાકાત લીધી નથી. પરંતુ આ ગ્રંથલેખકે ૧૯૬૨-૬૩માં આ
ગુફાઓની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી ત્યારેય સમયાંકન સારુ કોઈ પુરાવા મળ્યા ન હતા. ૭૫. ડુંગરનું નામ તળાજા છે. શત્રુંજય મહાતીમાં વર્તમાન તળાજા ગામનો ‘તાલધ્વજ નગરી તરીકે અને
ડુંગરનો “તાલધ્વજગિરિ' તરીકે નિર્દેશ છે. બર્જેસે “તાલુગિરિરૂપ પ્રયોજ્યું છે (એકાક., પૃષ્ઠ ૧૪૭). તળાજા ગામથી આઠ કિલોમીટર દૂરના ટીમાણામાંથી પ્રાપ્ત એક શિલાલેખ (વિક્રમ સંવત ૧૨૬૪,
ઈસ્વી ૧૨૦૭)માં ‘તલાઝા મહાસ્થાન'નો ઉલ્લેખ છે. (હી.અશાહ, પુરાતત્ત્વ, પુસ્તક ૧, પૃષ્ઠ ૯૯). ૭૬. ડી.એ.શાહ, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૦૧-૧૦૨; એકાક., પૃષ્ઠ ૧૪૮. ૭૭. બીલ, રિકોઝ, પુસ્તક ૨, પૃષ્ઠ ૨૬૮. ૭૮. અહત અચલે મહારાષ્ટ્રના પૂર્વભાગમાં આવેલા પર્વત ઉપર બીજો એક મહાવિહાર બંધાવ્યો હતો.
ઉપર એક વિહાર આવેલો છે એવું એમાં કોતરેલા લેખમાં આવતા સ્થવિર અચલને લગતા ઉલ્લેખથી જણાય છે (વૉટર્સ, ટ્રાવેલ્સ, પુસ્તક ૨, પૃષ્ઠ ૨૪૦). ૭૯. હીરાલાલ શાહે આ વિશે વિસ્તારથી વર્ણન કર્યું છે (પુરાતત્ત્વ, પુસ્તક ૧, પૃઇ ૯૯થી). ૮૦. આ ગુફાનું નામ દંતકથા આધારિત છે એની માહિતી માટે જુઓ એકાક., પૃષ્ઠ ૧૪૮ અને પુરાતત્ત્વ,
પુસ્તક ૧, પૃષ્ઠ ૧૦૨. ૮૧અને૮૩. સાંકળિયા, આ, પૃષ્ઠ પર. ૮૨. એકાક., પટ્ટ ૨૯. " ૮૪. સ્વાધ્યાય, પુસ્તક ૧, પૃષ્ઠ ૨૮૫. ૮૫. પાદનોંધ નંબર ૭૭. પ્રમાણે. ૮૬,૮૭અને૮૮. એકાક., પૃષ્ઠ ૧૪૯; પટ્ટ ૨૯, નંબર ૪; પટ્ટ ૨૯, નંબર ૫ અનુક્રમે. ૮૯,૯૧તથા ૯૪. આગ, પૃષ્ઠ પર; પૃષ્ઠ ૫૩ અને પૃઇ પ૩ અનુક્રમે.
Oઅને ૯૩. એકાક., પૃષ્ઠ ૧૪૯, પટ્ટ ૨૯, નંબર ૨; પૃષ્ઠ ૧૫૦ અનુક્રમે. ૯૨. સ્વાધ્યાય, પુસ્તક ૧, અંક ૩, પૃષ્ઠ ૨૮૬. ૯૫. પુરાતનપ્રબંધસંગ્રહ, મૂળપ્રત, પૃષ્ઠ ૯૧થી ૯૩; પ્રબંધકોશ, મૂળ, પૃષ્ઠ ૧૩ અને ૮૪-૮૫;
વિવિધતીર્થકલ્પ, મૂળગ્રંથ. ૯૬. એકાક., પૃષ્ઠ ૧૫૦. ૯૭અને ૯૮. આગ, પૃષ્ઠ ૫૩ અને ૧૬૬-૬૮ તથા પૃષ્ઠ ૧૬૭ અનુક્રમે. ૯૯. ગુપ્તકાલ સુધીમાં ભારતીય શિલ્પોમાં તીર્થકરોની કોઈ સર્વસ્ત્ર પ્રતિમા ઉપલબ્ધ હોવાનું જાણમાં નથી.
ઢાંકની જૈન પ્રતિમાઓ નિર્વસ્ત્રી હોઈ તે સમયાંકનના પ્રસ્તુત મતને સમર્થે છે. વિશેષમાં જુઓ
For Personal & Private Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ક્ષત્રપકાલીન ગુજરાત
પાદનોંધ ૨૭ અને ૩૫. ૧૦. બક્સ, એકાક., પૃષ્ઠ ૧૫ર. પરંતુ સાંકળિયાએ આપેલા ફોટામાં (આગ, આકૃતિ ૨૪) બર્જેસે
નિર્દેશ્યા મુજબ ચોરસ શીર્ષ અને પીઠિકા દશ્ય નથી (એજન, પૃષ્ઠ ૫૪). ૧૦૧-૧૦૨. બર્જેસ, એકાક., પૃષ્ઠ ૧૫ર બંને માટે. ૧૦૩. આ, પૃષ્ઠ ૫૪. ૧૦૪.-૧૦૫. ઇન્ડિયન આર્કિઓલજિ, એ રિવ્યુ, ૧૯૫૮-૫૯, પૃષ્ઠ ૭૦ બંને માટે. ૧૦૬. સ્વાધ્યાય, પુસ્તક ૧, અંક ૩, પૃષ્ઠ ૨૮૫. ૧૦૭. આ ગુફાઓના વધુ વર્ણન વાસ્તે જુઓ : જયેન્દ્ર નાણાવટી, “કડિયા ડુંગરની બૌદ્ધ ગુફાઓ અને
સિંહસ્તંભ', કુમાર, સળંગ અંક પ૨૮, ૧૯૬૭, પૃષ્ઠ ૭૨-૭૩ અને અત્ર તત્ર પુરાતત્ત્વ (ગુજરાતનો ઇતિહાસ), ૨૦૦૩, પ્રકરણ ૬.૨, પૃષ્ઠ ૧૬૦થી ૧૬૩.
For Personal & Private Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ઓગણીસ
ભૂમિકા
ક્ષત્રપકાલના ઇમારતી અવશેષોમાં ગુફાઓ, વિહારો અને ચૈત્યગૃહો જેવાં શૈલોત્કીર્ણ સ્થાપત્ય ઉપરાંત ઈંટરી વિહાર અને સ્તૂપના અવશેષ હાથવગા થયા છે. ઈંટરી વિહારોની છત અને એની દીવાલો તૂટી ગયેલાં હોવા છતાંય તેનું તલમાન યથાતથ જળવાઈ રહ્યું છે. કેટલીકવાર આ વિહારોની નજીકમાં એકાદ ઈંટેરી સ્તૂપ ઉપર છત કે આસપાસ કોઈ દીવાલ હોતી નથી. આ સમયના ગુજરાતમાંથી આવા ત્રણ નમૂના સંપ્રાપ્ત થયા છે. બોરિયા સ્તૂપ, ઈંટવાનો સ્તૂપ તથા દેવની મોરીનો મહાસ્તૂપ.
લલિતકલા-૨ : ઈંટેરી સ્થાપત્ય
બોરિયા સ્તૂપ
જૂનાગઢ શહેરથી દક્ષિણ-પૂર્વમાં અગિયાર કિલોમીટરનાં તથા ગિરનાર દરવાજેથી દક્ષિણમાં પાંચ કિલોમીટૅરનાં અંતરે, ગિરનાં જંગલમાં દાતારના ડુંગરની દક્ષિણ-પશ્ચિમ તથા ગિરનારના દક્ષિણ ઢોળાવની દક્ષિણ-પૂર્વે, જૂનાગઢ રેલવે સ્ટેશનથી અગ્નિીકોણ તરફ છએક કિલોમીટરનાં અંતરે આવેલી બોરિયા નામની ખ્યાત ઉપત્યકાની દક્ષિણ-પશ્ચિમે આ સ્તૂપ સ્થિત છે. આ ઉપત્યકામાંથી ગુડાજળી અને હેમજળી નામનાં બે ઝરણાં વહે છે. એની પૂર્વમાં ત્રણ ફલાઁગ દૂર બોરદેવીનું મંદિર છે. બોરનાં પુષ્કળ વૃક્ષો આ ખીણમાં આવેલાં હોઈ આ વિસ્તાર ‘બોરિયાખીણ’થી ઓળખાય છે, જે ઉપરથી મંદિરનું નામ ‘બોરદેવી’ અને સ્તૂપનું નામ ‘બોરિયા સ્તૂપ' પડ્યું હોવાનું સૂચવાય છે. આ સ્તૂપની પાસે બીજા એક સ્તૂપ અને વિહારના અવશેષ હોવાની જાણકારી, ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ ખાતાની કચેરીએ કરેલી સ્થળતપાસથી, હાથવગી થઈ છે પણ એનું અદ્યાપિ વ્યવસ્થિત ઉત્ખનનકાર્ય હાથ ધરાયું નથી. આ સ્થળને લોકો ‘બડી લાખામેડી' કહે છે; કેમ કે લાખા નામનો બહારવટિયાનો વાસ અહીં હતો.
જે. એમ. કૅમ્પબેલે ૧૮૮૮ના ડિસેમ્બરમાં આ સ્તૂપનું ખોદકાર્ય હાથ ધર્યું હતું ત્યારે તે શોધકાર્યને હેનરી કઝેન્સનું માર્ગદર્શન સંપ્રાપ્ત થયું હતું. આ ઉત્ખનનકામનો અહેવાલ તેથી
એમણે પ્રકાશિત કરેલો.
આ સ્તૂપ પાકી ઈંટોનો બનેલો છે. ઈંટોનું કદ ૪૬ X ૩૯ X ૯ સેંટીમીટરનું છે. એની આસપાસ નાના નાના ટીંબા છે. આથી, કઝેન્સે ત્યાં નાના સ્તૂપ હોવાનું અનુમાન કર્યું છે. સ્તૂપના આસપાસથી પ્રાપ્ત આરસની તક્તીઓ ઉપરથી સૂચવી શકાય કે સ્તૂપની વેદિકા તથા ટોચનું છત્ર સંભવતઃ પાષાણનું હોય. સ્તૂપ અકબંધ હાથ લાગ્યો ન હતો. પરંતુ કઝેન્સ નોંધે છે કે સ્તૂપના શિખરેથી ૧૨ મીટરની ઊંડાઈએથી એક સમુદ્ગક મળ્યો હતો. અને સમુદ્ગક તથા પાયાના ચણતર વચ્ચેનું ઈંટેરીકામ ૧૦-થી ૧૨ મીટરનું છે. તેથી સ્તૂપની ઊંચાઈ આશરે ૨૪
For Personal & Private Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૬
ક્ષત્રપકાલીન ગુજરાત મીટર જેટલી હોવાનું સંભવે. એનો પાયગત ઘેરાવો ૫૫ મીટર જેટલો હોવાનું સૂચવાય છે.
શૈલસમુદ્રકમાં એનાથી હલકા પ્રકારના પથ્થરનો ઢાંકણાયુક્ત બીજો એક દાબડો હતો. ઢાંકણની અંદરના ભાગનો આકાર છીછરી રકાબી જેવો છે. બીજા દાબડામાંથી તાંબાનો દાબડો મળ્યો છે. એનો આકાર અગાઉના દાબડા જેવો છે. તાંબાના દાબડામાં ચાંદીનો દાબડો છે અને ચાંદીના દાબડામાંથી સોનાનો દાબડો હાથ લાગ્યો હતો. આ બધા દાબડાનું કદ ક્રમશઃ નાનું થતું જાય છે. સોનાની દાબડીમાં આંગળીના નખ જેવડા અસ્થિ-અવશેષ, પંચરત્નો (નીલ રંગનો મણકો, માણેક, નીલમ, પોખરાજ અને નીલમણિ) અને વૃક્ષડાળીનો ટુકડો સંગૃહીત હતાં. અસ્થિ-અવશેષનું માપ ૫ X ૯ સેંટીમીટર હતું. સોના સિવાયના અન્ય દાબડામાંથી ભસ્મ મળી છે. આ બધા અવશેષ ત્યારે જૂનાગઢ સંગ્રહાલયમાં સુરક્ષિત-સંગૃહીત હતા.
સમયનિર્ણય ઃ સ્તૂપમાંથી પ્રાપ્ત ઈંટોનાં કદ તથા ભારતના અન્ય પ્રદેશના સમકાલીન તૂપોના તુલનાત્મક અભ્યાસથી પ્રસ્તુત તૂપનો સમય નિર્ણિત કરવો રહે છે. બાકી આ સૂપમાંથી સમયાંકનને ઉપયોગી પ્રતિમા, શિલ્પ કે લેખ ઇત્યાદિ સામગ્રી હાથવગાં થયાં નથી. ક્ષત્રપકાલના ગુજરાતના અન્ય બે ઈંટેરી સ્તૂપમાંની (ઈટવા અને દેવની મોરી) ઈંટોનાં કદ ૪૬૪૨૮૪૮ સેંટીમીટરનાં છે. જ્યારે બોરિયા સૂપમાંની ઈંટોનાં માપ ૪૬૪૩૯૪૮ સેંટીમીટર છે. આથી, અનુમાની શકાય કે ત્રણેય સ્તૂપ સમકાલીન હોઈ શકે એટલે કે એક જ સમયે તેમનાં નિર્માણકાર્ય સંપન્ન થયાં હોવાં જોઈએ ઈંટવામાંથી રાજા રુદ્રસેનનું પકવેલી માટીમાંથી નિર્માયેલું એક મુદ્રાંક મળ્યું છે. દેવની મોરીમાંથી બ્રાહ્મી લિપિમાં લખાણ કોતરેલો પાષાણનો એક દાબડો મળ્યો છે. જ્યારે બોરિયા સ્તૂપમાંથી કોઈ લખાણ હાથ લાગ્યું ન હોઈ તે સ્તૂપ અન્ય બંને સ્તૂપ કરતાં થોડો પૂર્વકાલીન હોવા સંભવે છે. સોપારામાંથી પ્રાપ્ત સ્તૂપનો સમય બીજી સદીનો છે, જેના અવશેષો સાથે બોરિયા સ્તૂપના અવશેષ ઘણું સામ્ય ધરાવે છે. આથી, બોરિયા સ્તૂપ ઈસુની બીજી સદીનો હોવો જોઈએ. ઈંટવા વિહાર
જૂનાગઢના અશોકના ખડકલેખથી આશરે પાંચ કિલોમીટરના અંતરે, ભવનાથની ઉત્તરે ઈટવા નામનો વિસ્તાર આવેલો છે. જોગણિયા નામના ડુંગરા અને ગિરનાર પર્વતની વચ્ચે આવેલા આ વિસ્તારમાંથી પ્રચુર પ્રમાણમાં પક્વ ઈંટો મળી આવતી હોવાથી સ્થાનિક લોકોએ આ સ્થળવિશેષનું “ઇંટવા” એવું નામકરણ પ્રચાર્યું.
૧૯૪૯માં ઈટવાનાં ખંડેરોનું ખોદકાર્ય થતાં ગિરજાશંકર વલ્લભજી આચાર્યને એક વિહારના અવશેષ હાથ લાગ્યા હતા. વિહારના મુખ્ય પ્રાંગણમાં બે સ્તરમાં પાકી ઈંટો બિછાવેલી હતી. પશ્ચિમની દીવાલને અડીને ૧.૬૫ X ૨.૫૭ મીટર કદની એક વ્યાસપીઠ રચાયેલી હતી. પ્રાંગણની ચોતરફ ૩ X ૩ મીટરના કદના ઓરડા બનાવેલા હતા. પૂર્વી હારમાં આવા જ ઓરડા હતા, જે પૈકી દક્ષિણ બાજૂથી ચોથો ઓરડો આઠ મીટર લંબાઈનો હતો. તક્ષશિલાના એક વિહારની પૂર્વ તરફ આવો એક ઓરડો આવેલો હતો તે બાબત અહીં ઉલ્લેખનીય છે. ઉત્તર તરફની ઓરડીઓની બહાર દીવાલને અડીને ૯૫ સેંટીમીટર લાંબી અને
For Personal & Private Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧૭
પ્રકરણ ઓગણીસ ૨૬ સેંટીમીટર પહોળી એક નીક છે. અહિંદમાં ૧૮૮૧૩ સેંટીમીટરના કદની પાણીની બે ટાંકી છે.
આ ઈંટેરી વિહારમાંથી પકવેલી માટીનું એક મુદ્રાંક મળી આવ્યું છે, જેના અંદરના વર્તુળનો વ્યાસ ત્રણ સેંટીમીટરનો છે. મુદ્રાંકની મધ્યમાં ત્રિકૂટ પર્વતની આકૃતિ છે. એના વૃત્તાકારે બ્રાહ્મી લિપિમાં લખાણ છે : મહારગ સુદ્રસેન વિહારે મધુસંધી. આ રાજા રુદ્રસેન તે મહાક્ષત્રપ રાજા રુદ્રસેન ૧લો હોવા સંભવે છે. અત્યાર સુધીનાં ઉત્પનન દ્વારા ભારતમાંથી મળેલી મુદ્રાઓમાં આ મુદ્રા પૂર્વકાલીન હોવાનું સૂચવાયું છે. મુદ્રાંક ઉપરના લખાણથી અનુમાની શકાય કે આ વિહાર રાજા રુદ્રસેને બૌદ્ધ ભિક્ષુસંઘ સારુ બંધાવ્યો હતો.
આ ઉપરાંત આ વિહારમાંથી વાટવાના પથ્થર, વજન માટેના પથ્થર, માટીની ચકરડી, સોનું કસવાનો પથ્થર, સિંહની દાઢ, વિવિધ ઘાટનાં વાસણો, ચાંદીના તથા તાંબાના થોડા સિક્કા, વિશિષ્ટ અને સામાન્ય ઠીંકરાં, અબરખના ટુકડા વગેરે અવશેષો મળી આવ્યા છે. મૃત્તિકાનિર્મિત્ત ચીજવસ્તુઓમાં કુંજા, પ્યાલા, કટોરા, ગટરનાં ઢાંકણાંનો સમાવેશ થાય છે. અહીંથી મોટા કદની (૪૬ X ૩૧ X ૭ સેંટીમીટરની) ઈંટો પુષ્કળ પ્રમાણમાં મળી છે. ઈંટવા વિહાર અને ઈંટોની ઉપલબ્ધિનું બાહુલ્ય આ સ્થળના નામાભિધાન વાતે સૂચક બની રહે છે.
સમયનિર્ણય : અહીંથી સંપ્રાપ્ત મુદ્રાંક રાજા રુદ્રસેન ૧લાનું છે. આ રાજાના મહાક્ષત્રપ તરીકેના સિક્કાઓ વર્ષ ૧૨૪ (ઈસ્વી ૨૦૨)થી વર્ષ ૧૪૨ (ઈસ્વી ૨૨૦) સુધીના મળ્યા છે. આથી, આ વિહાર ઈસ્વીની ત્રીજી સદીના પ્રથમ ચરણ દરમ્યાન નિર્માણ પામ્યો હોય. દેવની મોરીનો મહાવિહાર
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના પ્રસિદ્ધ વૈષ્ણવતીર્થ શામળાજીની પૂર્વમાં દેવની મોરી નામનું ગામ છે. તીર્થધામ અને ગામની વચ્ચે ઉત્તર-દક્ષિણ વહેતી અને પછી વળાંક લઈ પશ્ચિમમાં જતી મેશ્વો નદી આવેલી છે. ગામની ભાગોળે અને નદીના કિનારે “ભોજ રાજાનો ટેકરો' નામની જગ્યા આવેલી હતી. અહીંથી મોટા કદની ઈંટો અને ચકચક્તિ લાલ મૃતભાડ઼ોના અવશેષ હાથ લાગવાથી વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાવસ્તવિદ્યા વિભાગ તરફથી વ્યવસ્થિત ઉખનનકાર્ય ૧૯૫૯-૬૦થી ચાર વર્ષ સુધી ચાલ્યું હતું.
અહીંથી વિહાર હાથ લાગ્યા હતા, જેમાંનો એક વિહાર મોટો છે અને તે મહાવિહારથી ખ્યાત છે. બીજો વિહાર મહાવિહારથી ૧૫૦ મીટરના અંતરે પૂર્વમાં આવેલો છે.
મહાવિહાર ઈંટરી છે. એનું ક્ષેત્રફળ ૪૮ X ૪૫ મીટરનું છે; બહારની ઓસરી સાથે. તેનો આકાર લંબચોરસ છે. મધ્યમાં ખૂલ્લો ચોક છે જે ઈંટોથી સજ્જ છે. ચોકની ચોપાસ ૩૨ ખંડ છે; પ્રત્યેક બાજુએ આઠ ખંડની ગણતરી પ્રમાણે આમાં ૨૬ ખંડ સાધુઓના નિવાસ વાતે છે. શેષમાં એક મંદિર છે અને એક કોઠાર છે. તથા એકમાં રસોડું છે. ખંડોની આગળ ચોકને ફરતી ઓસરી છે. બહારની બાજુએ પણ ચોપાસ ફરતો ઓટલો છે, જે કદાચ પછીના સમયે બંધાયો હોય. વિહારનો પ્રવેશમાર્ગ ઉત્તરમાં છે, જે ૨.૬૫ મીટર પહોળો છે. વિહારના
For Personal & Private Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
પ્રવેશદ્વારની સામે અને દક્ષિણમાં આવેલા ખંડની હરોળની મધ્યમાં મંદિરનો ઓરડો છે. તેનું ક્ષેત્રફળ ૭ X ૨૧ મીટરનું છે. વિહારમાં પ્રવેશતાં જ પ્રત્યેકની દૃષ્ટિ સીધી મંદિર ઉપર જાય તે પ્રકારનું બાંધકામ ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ ધ્યાનાર્હ છે. ચોકને ફરતી ઓસરી ૮૫ સેંટીમીટર ઊંચી અને ૧૪૫ સેંટીમીટર પહોળી છે. વિહારની મધ્યમાં રહેલો ઈંટેરી ચોક ઉત્તર-દક્ષિણ ૨૪.૭૭ મીટર
૩૧૮
૧
લાંબો છે અને પૂર્વ-પશ્ચિમ ૨૨ મીટર પહોળો છે. પ્રવેશમાર્ગનાં પગથિયાં હોવા વિશેનાં ચિહ્ન અવિશષ્ટ છે. વિહારનું છાઘ કેવું હશે તે જાણવાનાં કોઈ સાધન પ્રાપ્ત થયાં નથી. આ મહાવિહારના નૈઋત્ય ખૂણામાં ૩૯ સેંટીમીટર પહોળી અને ૪૫ સેંટીમીટર ઊંડી પરંતુ ઢાંકેલી નીકો મળી આવી છે. આ મહાવિહારનું સમગ્ર નિર્માણ-આયોજન વતુશાતા પ્રકારનું છે.
ભગવાન બુદ્ધની પ્રતિમા સાથેનું મોકળાશવાળું મંદિર છે, જે ઓરડા નંબર ૧૬માં છે. મહાવિહારનો આ સહુથી મોટો ખંડ છે. એની જોડેના ઓરડામાં (નંબર ૧૭માં) મંદિરનો કોઠાર છે. અને નંબર ૨૨માં રસોડું છે. આથી, સૂચવાય છે કે મહાવિહારમાં રહેતા સાધુઓ બુદ્ધની પ્રતિમાનું પૂજા-અર્ચન કરતા હશે. ધ્યાનાર્હ બાબત એ છે કે આ મહાવિહારમાં બૌદ્ધ દેવ અને દેવીઓની તથા બોધિસત્વોની ગેરહાજરી છે અને તેથી અહીં વસતા બૌદ્ધસાધુઓએ પ્રગતિશીલ બૌદ્ધ મૂર્તિવિધાન (જેમાં અનેક બૌદ્ઘ દેવતાનો સમાવેશ) સ્વીકાર્યું હોય એમ જણાતું નથી. આથી દેવની મોરીના મહાવિહારના અંતેવાસી સાધુઓ બુદ્ધપ્રતિમાની પૂજા કરનાર પ્રારંભિક હોવા સંભવે છે. અર્થાત્ આ મહાવિહાર હીનયાન પંથનો હોઈ શકે૧૩.
વિહારમાંથી ક્ષત્રપ રાજાઓના સીક્કા, ચકચકિત રાતાં મૃભાણ્ડ વગેરે હાથ લાગ્યાં છે. સિક્કાઓમાં એક સિક્કો શર્વ ભટ્ટારકનો છે. આથી, ફલિત થાય છે કે આ વિહાર ઈસુની ચોથી સદીના ચરણ દરમ્યાન નિર્માણ પામ્યો હોવો સંભવે છે. મહાવિહાર મૂળ પછી બે વખત ફેરફાર પામેલો છે.
બીજો વિહાર મહાવિહારથી પૂર્વમાં છે. તે પણ ઈંટરી છે. આ વિહારનું આયોજન પણ મહાવિહારના જેવું જ છે. અર્થાત્ વચ્ચે ખૂલ્લા ચોકની ચોપાસ ફરતે ઓરડા આવેલા છે, વરંડા છે, પાણી-ગટરની વ્યવસ્થા છે, બહારની બાજુએ વરંડા છે, અને પ્રવેશમાર્ગ પગથિયાં યુક્ત છે.
મહાવિહારની પાસમાં બીજા વિહાર બંધાવ્યા હોવાનાં ઈંટેરી ચિહ્નો અવિશષ્ટ જણાયાં છે. સંભવ છે કે બે કરતાં વધારે વિહાર અસ્તિત્વમાં હોય.
દેવની મોરીનો મહાસ્તૂપ
આ મહાવિહારની ઈશાને આશરે પંદર મીટરના અંતરે એક વિશાળ સ્તૂપ આવેલો હતો. આમ તો અહીંથી કુલ પાંચ સ્તૂપ હાથવગા થયા છે; જેમાંના ચાર સ્તૂપ નાના છે અને ઉદ્દેશ-હેતુના છે, કહો કે માનતાના સ્તૂપ છે. આપણે અહીં ફક્ત મહાસ્તૂપનું વર્ણન કરીશું; કેમ કે તે શરીર-સ્તૂપ છે એટલે ભગવાન દશબલના દેહાવશેષને સમુદ્ગકમાં સંગૃહીત-સુરક્ષિત રાખે છે. આ સ્તૂપના પેટાળમાંથી જે અસ્થિપાત્ર હાથ લાગ્યું છે તેના ઉપરના લખાણમાં પણ આ સ્તૂપને મહાસ્તૂપ તરીકે ઓળખાવ્યો છે. આ મહાતૂપ પ્રાંગણમાં આવેલા મહાવિહારના આશ્રયે નિર્માણ પામ્યો હોવાની વિગતેય આ લખાણમાં છે. આ મહાસ્તૂપ ઈંટવા અને બોરિયાના સ્તૂપ
For Personal & Private Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૧૯
પ્રકરણ ઓગણીસ કરતાં ઘણો મોટો છે.
આ મહાતૂપ ઈંટરી છે એમાં ઉપયોગાયેલી ઈંટોનું કદ આ મુજબ છે : ૪૧ X ર૭ X ૭થી ૪૬ X ૨૯ X ૯ સેંટીમીટર સુધીનું છે. અગ્નિવર્મા અને સુદર્શન નામના બે બૌદ્ધ ભિક્ષુએ આ સ્તૂપ બંધાવ્યો હતો. સૂપનું બાંધકામ પાશાંતિક અને પર્ફ નામના બે સ્થપતિએ કરેલું હતું.
સ્તૂપ ઈંટેરી હોઈ અકબંધ ઇમારત તરીકે હાથ લાગ્યો ન હતો, તેથી સંપૂર્ણ રચના વિશે કોઈ ખ્યાલ પ્રાપ્ત થતો નથી. ખોદકાર્ય પ્રક્રિયા સમયે સ્તૂપની ઊંચાઈ આશરે ૧૦ મીટરની હતી, જેમાં છત્રયષ્ટિનો સમાવેશ થતો નથી. આ ઇમારતને ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય : નીચલી પીઠિકા, ઉપલી પીઠિકા અને અંડાકાર ભાગ. હવે ત્રણેયનાં વિગતે વર્ણન અવલોકીએ.
નીચલી પીઠિકા સમચોરસ છે. એનું ક્ષેત્રફળ આ મુજબ છે : ૨૫.૮૧ X ૨૫.૮૧ મીટર. એની ઊંચાઈ ૨.૪૨ મીટરની છે. એની ઉપર અને ઉપલી પીઠિકાના પાયાના ભાગ નજીક ફરતી પગથાર છે, જેને પ્રદક્ષિણાપથ કહી શકાય. આ પીઠિકાની પ્રત્યેક બાજુની દીવાલ ઉપર ઉપસાવેલા બાર અર્ધસ્તંભ વડે નિર્માણ પામેલા અગિયાર ગોખ છે. પ્રત્યેક બે અર્ધસ્તંભ વચ્ચે ૨ મીટરનું એક સરખું નિશ્ચિત અંતર છે. મૂળમાં બધા મળીને ૪૪ અર્ધસ્તંભ હોવાનું સૂચવાયું છે૧૭; જેમાંથી દક્ષિણના નવ, પશ્ચિમના નવ, પૂર્વના છે અને ઉત્તરના આઠ એમ કુલ ૩૨ અર્ધસ્તંભ સુરક્ષિત છે. અર્ધસ્તંભના સામાન્યતઃ ત્રણ ભાગ જોવા પ્રાપ્ત થાય છે : ૩૪ સેંટીમીટર પહોળી અને ૧૬ સેંટીમીટર ઊંચી સાદી ઢાળેલી બેસણી, પર સેંટીમીટર ઊંચાઈનો સાદો દંડ અને ૧૭ સેંટીમીટર ઊંચું શીર્ષ (જે બે આડી અંલકૃત પટ્ટીઓનું બનેલું છે). શીર્ષની શૈલી ઇન્ડોકોરિન્થિયન પ્રકારની છે. એનું અલંકરણ ખરેખર સુશોભિત છે. આ કલાત્મક અર્ધસ્તંભોની સુચારુ અને સુરેખ રચના લાંબી દીવાલોની એકવિધતા (મનૉટનિ) દૂર કરવામાં સહાયભૂત જણાય છે.
અર્ધસ્તંભના ટેકારૂપ કેવાલનાં સુશોભનો સ્તૂપના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે. કેવાલ કાજે ત્રણ સુશોભનો ઉપયોગમાં લેવાયાં છે : (૧) સૌથી નીચેનું સુશોભન નાના ચોરસોનું છે. આમાં એક કોતરેલો છે, એક કોતર્યા વિનાનો છે. તેથી સાદો જણાતો આ ઘાટ વિશાળ પાયા ઉપર મનોહર દેખાય છે. (૨) આ સમતલ ઘાટ ઉપર સુશોભનોનો બીજો ઘાટ મોટાં પાંદડાંવાળી વેલભાતનો છે. આ મનોરમ વેલનું ઉદ્ભવસ્થાન પણ વિદેશી હોવાનું કેટલાક લેખકો માને છે. પ્રથમ સુશોભનાં કરતાં સહેજ આગળ ઉપસાવેલું આ સુશોભન વધારે આકર્ષક અને રમણીય લાગે છે. (૩) હારબંધ ગોઠવાયેલા ટોડલાનું સુશોભન આ છે. પ્રથમનાં બંને સુશોભન કરતાં વધારે આગળ પડતાં આ સુશોભન છે. આથી આ ત્રણેય સુશોભનની સંયુક્ત સુંદરતામાં ઐક્યપણું અવિનાભાવિ છે. આ બધાં સુશોભન ઈંટેરી છે તે બાબત ખાસ નોંધપાત્ર છે.
આ પીઠિકાની ઉપર કદમાં નાની બીજી પીઠિકા છે, જે ૨૧ મીટર સમોચરસ છે. આનો ઉપલો ભાગ વિશેષ ખંડિત થયેલો છે. આ પીઠિકાની ઊંચાઈ ૩.૩૯ મીટરની છે. પાયા પાસેનો
For Personal & Private Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૨૦
ક્ષત્રપકાલીન ગુજરાત ૬૨ સેંટીમીટર જેટલો ભાગ સાદો છે. આ પીઠિકાના પાયા પાસે અગાઉ નોંધ્યું તેમ પ્રદક્ષિણાપથ હોઈ સ્વાભાવિક જ નીચલી પીઠિકા કરતાં તેનું ક્ષેત્રફળ (ઘેરાવો) નાનું હોય. આ પીઠિકામાં પણ દરેક બાજુએ ૧૦ અર્ધસ્તંભથી નિર્માયેલા ૯ ગવાક્ષ છે અને પ્રત્યેકમાં ચંદ્રકવાળી ચૈત્યકમાન કોતરેલી છે. આ પીઠિકાની દરેક બાજુએ ૧૦ અર્ધસ્તંભ અને દરેક બાજુએ ૯ ગવાક્ષ અને તેમાં એકાંતરે બુદ્ધની પ્રતિમા હોઈ, ચારેય તરફમાં બધી મળી ૨૦ મૂર્તિઓ હોવાનું સ્પષ્ટ થાય છે. એટલે કે પ્રત્યેક બાજુ ઉપર પાંચ પ્રતિમા છે. આમાંથી, વત્તેઓછે ખંડિત એવી ૧૭ મૂર્તિઓ હાથ લાગી છે. પીઠિકાના અર્ધસ્તંભ પણ અલંકૃત છે.
ઉપલી પીઠિકાની ઉપર ગોળાર્ધ અંડાકાર ભાગ છે, જે મહાતૂપની રચનાનો ત્રીજો અંક છે. આ અંકની-ભાગની ઊંચાઈ ૪.૪૨થી ૪.૭૨ મીટરની છે. ખોદકામ વખતે એનો બહારનો વ્યાસ ૧૫.૬૨ મીટરનો હતો. આ ભાગને પણ સારું એવું નુકસાન થયેલું છે અને તેથી તેના પૂર્ણ દેખાવ પરત્વે કોઈ ચોક્કસ અનુમાન થઈ શકતું નથી. હર્મિકા અને છત્રયષ્ટિ નાશ પામ્યાં હોઈ પ્રાપ્ત થયાં નથી. અંડના કેન્દ્રભાગ ઉપર એક ચોરસ રચના કરીને એની આજુબાજુ પીપળના પાનના ઘાયુક્ત વલયો રચવામાં આવ્યાં છે. આ વલયોની એક બાજુ પહોળી અને બીજી બાજુ અણીદાર બનાવીને તેને પીપળાના પાનનો ઘટા આપવામાં આવ્યો હતો. આ આખીયે રચના ઘડિયાળના કાંટાની દિશામાં દરેક થર ઉપર જુદી જુદી દિશામાં ફરતી રહે એવી રીતે ગોઠવવામાં આવી છે.
અસ્થિપાત્ર ઃ આવી સુંદર રચનાયુક્ત ઈંટોની વચ્ચે દશબલના શરીરાવશેષને સાચવતું એક અસ્થિપાત્ર હાથ લાગ્યું છે. એની ઉપર ૬૨ સેંટીમીટરની ઊંચાઈએ પકવેલી માટીમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની પૂર્વાભિમુખ એક પ્રતિમા હતી. રાતા રંગના અને ઉપરથી તૂટેલા માટીના ઘડાની અંદર આ અસ્થિપાત્ર મૂકેલું હતું. ભૂખરા પથ્થરમાંથી નિર્માયેલો આ દાબડો (અસ્થિપાત્ર/સમુદ્ગક) સંપૂર્ણ સુરક્ષિત સંપ્રાપ્ત થયો છે. એના પાયાનો વ્યાસ ૧૭ સેંટીમીટરનો છે. દાબડાના ઉપરના ભાગનો વ્યાસ ૧૬ સેંટીમીટરનો છે. દાબડાના ઢાંકણાનો પાયો ૧૫ સેંટીમીટરનો છે. દાબડાની સમગ્ર ઊંચાઈ ૧૩ સેંટીમીટરની છે. આ દાબડો સ્તૂપના પાયાથી ૭.૬૮ મીટરની ઊંચાઈએ અને અંડાકાર ભાગની ટોચથી ૪.૪૨ મીટરની નીચાઈએ તથા અંડાકાર ભાગના પાયાથી ૩૧ સેંટીમીટરની ઊંચાઈએ મૂકેલો હતો. દાબડાનો નીચેનો ભાગ, ઢાંકણું અને ઢાંકણાને પકડવાનો ડટ્ટો અલગ અલગ બનાવ્યાં હોય એમ પ્રત્યક્ષ નિરીક્ષણથી સૂચવાય છે.
આખાયે ઢાંકણા ઉપર, એની બહારની બાજુ તથા અંદરની બાજુ, દાબડાના મુખ્ય ભાગની ચારેય તરફ અને તળિયાના ભાગ ઉપર – આમ સમગ્ર દાબડા ઉપર બ્રાહ્મી લિપિમાં લખાણ ઉત્કીર્ણ થયેલું છે. પ્રતીત્યસમુદ્રનો બૌદ્ધ ધર્મનો સિદ્ધાંત ઢાંકણા ઉપર બ્રાહ્મી લિપિમાં અને પાલિ ભાષામાં ઉત્કીર્ણ છે. આ સૂત્ર અન્ય સ્તૂપનાં લખાણમાં પણ પ્રાપ્ત થયું છે. દાબડા ઉપરના ઐતિહાસિક લેખમાંની વિગતોના વિશ્લેષણ વાસ્તુ અને લેખની ભાષાશૈલી સારુ અગાઉ અવલોકન કર્યું છે (જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ ચોથું અને પ્રકરણ પંદર અનુક્રમે).
For Personal & Private Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ઓગણીસ
પથ્થરના દાબડામાં તાંબાની નાની દાબડી છે જેમાં રેશમી કાપડની થેલીમાં કશુંક મૂકેલું છે, સોનાની શીશી જેવું નાનું એમ્ફોરા છે અને અન્ય અવશેષો છે.
૩૨૧
સ્તૂપની નીચલી પીઠિકાના ટોચના મધ્ય ભાગમાંથી આઠ ક્ષત્રપસિક્કાયુક્ત બીજો એક દાબડો હાથ લાગ્યો હતો. ૬૯ સિક્કાનો બીજો એક નિધિ મહાવિહારના પ્રવેશમાર્ગ પાસેના ખંડમાંથી મળ્યો હોવાની વિગત આપણે અગાઉ અવલોકી ગયા. આમાં ચાંદીના ૫૯ સિક્કા છે અને ચાંદીના ઢોળ ચડાવેલા તાંબાના ૪ સિક્કા છે, જ્યારે શુદ્ધ તાંબાના બે અને સીસાના ૪ સિક્કા છે.
મહાસ્તૂપની પશ્ચિમે બબ્બેની જોડીમાં માનતાના ચાર સ્તૂપ હતા, જે ૨.૪૨થી ૩.૩૧ મીટરના સમચોરસ માપના હોવાનું દર્શાવ્યું છે. મહાસ્તૂપની નૈઋત્યે ૧.૮૧ મીટરના અંતરે એક ચૈત્યગૃહ હતું.
સમયાંકન : પુરાવસ્તુકીય અવશેષીય જ્ઞાપકો ઉપલબ્ધ હોવા છતાંય મહાસ્તૂપ અને મહાવિહારનાં સમયાંકન પરત્વે અવઢવ જણાય છે. વર્ષ નિર્દિષ્ટયુક્ત અસ્થિપાત્ર, સિક્કાનિધિઓ, કલાકૃતિઓની શૈલી, ઈંટોનાં કદ, ચમકદાર રાતાં વાસણ વગેરે સમયનિર્ણય માટેની સામગ્રી છે.
આ બધાં સાધનો ઉપરથી મહાવિહારનો નિર્માણકાળ ઈસુની ચોથી સદીના પ્રથમ ચરણના પૂર્વાર્ધમાં અને એના આશ્રયે બંધાયેલા મહાસ્તૂપનો રચનાકાળ તે ચરણના ઉત્તરાર્ધમાં હોવાનું દર્શાવી શકાય છે. સંભવતઃ મહાવિહારનો નાશ કે એનો પુનરોદ્ધાર ઈસુની ચોથી સદીનાં અંતિમ વર્ષોમાં થયો હોવો જોઈએ; કેમ કે મહાવિહારના નિધિમાંનો એક સિક્કો શર્વ ભટ્ટારકનો છે, જેણે ક્ષત્રપોનું રાજ્ય જીતી લીધું હતું. પરંતુ તાજેતરમાં જૂનાગઢ પાસેના એક ગામેથી પ્રાપ્ત ક્ષત્રપ સિક્કાઓના નિધિમાં શક વર્ષ ૩૩૭નો સિક્કો મળ્યો છે. એટલે શર્વ ભટ્ટારકે ક્ષત્રપ રાજ્ય જીત્યું હોવાનું અગાઉનું અનુમાન હવે નિરાધાર ઠરે છે. એટલે મહાવિહારનો નાશ પાંચમી સદીના પ્રથમ દાયકા પછી નજીકના સમયે થયો હોય એવું સૂચિત થાય છે.
પાદનોંધ
૧. છો.મ.અત્રિ, ‘ક્ષત્રપકાલીન ગિરિનગર', વિદ્યાપીઠ, વર્ષ ૫, પૃષ્ઠ ૯૬.
૨અને૩. જરૉએસોĂ., ૧૮૯૧, પુસ્તક ૬૦, ભાગ ૧, નંબર ૨, પૃષ્ઠ ૧૭થી ૨૩; પૃષ્ઠ ૧૮ અનુક્રમે. ૪અનેપ. મંજુલાલ મજમુદાર સંપાદિત ક્રોંનોલૉજી ઑવ ગુજરાત, પુસ્તક ૧, પૃષ્ઠ ૯૧-૯૨.
૬.
ગુરાસાંઇ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૪૪.
૭. છાબા, એઇ., પુસ્તક ૨૮, અંક ૪, પૃષ્ઠ ૧૭૪.
૮.
લિપિના મરોડ ઉપરથી છાબ્રા આ સંભવ રજૂ કરે છે. એજન, પૃષ્ઠ ૧૭૫.
૯.
એજન. આ પ્રકારનાં મુદ્રાંક પુષ્કળ પ્રમાણમાં રાજઘાટ જેવાં પૂર્વકાલીન સ્થળોએથી મળ્યાં છે. કાશી અને સારનાથમાંથી આવાં મુદ્રાંકોની પ્રાપ્તિની વિગતો વોગેલે આપી છે (જર્નલ ઑવ ધ સિલોન બ્રાંચ ઑવ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, સેંટેનરી વૉલ્યુમ, ૧૮૪૫-૧૯૪૫, પુસ્તક ૧, પૃષ્ઠ ૨૭થી
For Personal & Private Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૨
ક્ષત્રપકાલીન ગુજરાત
૩૨). ૧૦. હાલ આ ટેકરો નથી; કેમ કે અહીં શ્યામ સરોવર અને બંધના નિર્માણ થઈ ચૂક્યાં છે. આ કારણે
જ ઉત્પનનકાર્યમાંથી પ્રાપ્ત પુરાવસ્તુકીય અવશેષો અને સ્તૂપ અને વિહારના વિશિષ્ટ અવશેષો સત્વરે
ખસેડી વડોદરાની મ.સ.યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગના સંગ્રહાલયમાં સુરક્ષિત રખાયા છે. ૧૧. આમ તો દેવની મોરીના ઉત્પનનકાર્યનો પ્રારંભ વિભાગીય વડા ડૉ. બી. સુબ્બારાવના વડપણ હેઠળ
થયો હતો, ૧૯૫૯-૬૦ના શિયાળુ સત્રમાં. પણ એમના આકસ્મિક અવસાનને કારણે ખોદકાર્યની જવાબદારી ૨.ના.મહેતાના હસ્તક આવી. સૂર્યકાંત ચૌધરી આ ખોદકામની પ્રત્યક્ષ જવાબદારીમાં હતા, જેમણે આ ખોદકામમાંથી પ્રાપ્ત શિલ્પો અને પ્રતિમાઓ વિશે શોધકાર્ય આધારિત મહાનિબંધ
લખીને વિદ્યાવાચસ્પતિની પદવી મેળવી છે. ૧૨. મહેતા અને ચૌધરી, કુમાર, સળંગ અંક ૪૭૧, પૃષ્ઠ ૯૪. ૧૩. એકવેશન એટ દેવની મોરી, પૃષ્ઠ ૧૭૭. ૧૪. આ અંગે વધુ વિગતો વાસ્તે જુઓ એસ્કવેશન એટ દેવની મોરી ગ્રંથ. ૧૫. આ સૂપના પેટાળમાંથી પ્રાપ્ત શૈલસમુદ્રગક ઉપરના ઐતિહાસિક લખાણની ચોથી કડીના ઉત્તરાર્ધમાં
#ાષ્પત્તિ ૨ પાન્તિવા પી એવો પાઠ અગાઉ સૂચવાયો હતો (મહેતા અને ચૌધરી, જોઈ, પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૭૫). પરંતુ પછીથી વાસુદેવ વિષણુ મિરાશીએ ને સ્થાને પડ્ડી એવું વાચન પ્રસ્તુત કર્યું અને કર્મીતિક અને પાશાંતિક નામનાં બે નગરો નથી એવું સૂચવી પ્રતિપાદિત કર્યું કે પાશાંતિક અને પ નામના બે સ્થપતિ હતા (વિશ્વેશ્વરાનંદ ઈન્ડોલૉજિકલ રિસર્ચ જર્નલ, પુસ્તક ૩,
ભાગ ૧, પૃષ્ઠ ૧૦૧થી ૧૦૪). આ લેખકને પણ સ્વનિરીક્ષણથી મિરાશીનું વાચન યોગ્ય જણાયું છે. ૧૬. જુઓ એસ્કવેશન એટ દેવની મોરી, પટ્ટ , આકૃતિ . ૧૭. પ્રત્યેક ખૂણાના અર્ધસ્તંભ બે બાજૂના ટેકારૂપ હોઈ ચાર દિશાના ૪૦ (પ્રત્યેક બાજુના દશ અર્ધસ્તંભની
ગણતરીએ) અને ચાર ખૂણાના ચાર મળી કુલ ૪૪ અર્ધસ્તંભ અને ૪૪ ગવાક્ષ હતા. ૧૮. મહેતા અને ચૌધરી, કુમાર, સળંગ અંક ૪૭૧, પૃષ્ઠ ૯૫. ૧૯. અહીંથી ૨૦ જેટલાં મસ્તક પ્રાપ્ત થયાં છે. પ્રત્યેક દીવાલમાં એકાંતરે બુદ્ધની મૂર્તિ હોઈ દરેક બાજુ
ઉપર પાંચ પ્રતિમા અને કુલ ૨૦ મૂર્તિઓ હોવી જોઈએ. ૨૦. અલંકરણો, મૂર્તિઓ, ઠીંકરણાં, સિક્કા, શૈલસમુદ્ગક વગેરેની વિશેષ વિગત વાસ્તુ અને ફોટાઓ સારુ
જુઓ એકવેશન એટ દેવની મોરી ગ્રંથ. ૨૧. જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ ત્રણ અને દેવની મોરીનાં ઉત્નનનનો અહેવાલ. ૨૨. જુઓ પરિશિષ્ટ ત્રણ.
For Personal & Private Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ અગિયાર
પ્રકીર્ણ સ્થાપત્ય
લલિતકળાનાં ત્રણ પ્રકરણમાં જેનો સમાવેશ થયો નથી અને સ્થાપત્ય-શિલ્પની દૃષ્ટિએ જે મહત્ત્વનાં નથી છતાં એનો નિર્દેશ જરૂરી હોઈ અહીં તે વિશે કેટલીક માહિતી પ્રસ્તુત કરી છે. સુરાષ્ટ્ર વિસ્તારની કેટલીક ગુફા
પ્રભાસ-પાટણમાં કેટલીક પૂર્વકાળની ગુફાઓ આવેલી છે. પાટણ-વેરાવળ તાલુકાના સવની ગામે “મંદોરની ગુફાઓથી ઓળખાતી ગુફાઓ સ્થિત છે. વિસાવદર તાલુકાના જેતલવડ મુકામેથી “પેથલની ગુફાઓ હાથ લાગી છે. જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી નામના ઐતિહાસિક સ્થળ પાસે “રાણપુર અને ભવનેશ્વરની ગુફાઓ' હોવાની માહિતી છે. તો રાજકોટ જિલ્લાના હિંગોળગઢ નજીકથી “ભોંયરાની ગુફા'થી ઓળખાતી ગુફા આવેલી છે. જો કે આ બધા ગુફાસમૂહોમાં કોઈ ખાસ નોંધપાત્ર વિશેષતા જોવા મળતી નથી. આ ઉપરાંત રાણાવાવ, રાજુલા જેવાં ઘણાં સ્થળે પ્રાકૃતિક ભોંયરા પ્રકારની, કુદરતકૃત, કેટલીક ગુફાઓ છે જે હકીકતે ભૂમિના પેટાળનાં કોતરો જ છે. કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ
હમણાં સુધી એવી માન્યતા પ્રચારમાં રહેલી કે ગુજરાતના કચ્છ પ્રદેશમાં સ્થાપત્યકીય સ્મારક અવશિષ્ટ રહ્યાં નથી; સાતમા દાયકાના ઉત્તરાર્ધમાં કે.કા.શાસ્ત્રીને કચ્છ વિસ્તારમાંથી કેટલીક ગુફાઓ હાથ લાગી હતી. કચ્છ જિલ્લાના લખપત તાલુકાના જૂના પાટગઢ નગરની પૂર્વ-દક્ષિણે અને કટેશ્વર મહાદેવ તથા કટેશ્વરી માતાનાં મંદિરના પશ્ચિમ બાજુના પહાડમાં પ્રાયઃ ઈસ્વીની ત્રીજી શતાબ્દીના સમયનાં શેલોત્કીર્ણ ગુફાસ્થાપત્ય આવેલાં છે; જે ખાપરા-કોડિયાથી વિશેષ ઓળખાય છે. અહીં નોંધવું રહ્યું કે જૂનાગઢમાં આ નામથી ઓળખાતી લગભગ આ સમયની ગુફાઓ વિશેષ ખ્યાત છે.
અહીં બે ગુફા હોવાનું દર્શાવાયું છે; જેમાંની પૂર્વ બાજુની ઓસરીઘાટની ગુફા અને પશ્ચિમ તરફની ગુફા આગળનો ઓસરી જેવા ભાગ નાશ પામ્યો છે. અવશિષ્ટ ભાગનાં નિરીક્ષણથી આશરે ૨.૪૨ X ૨.૪૨ મીટરના માપનો ભમતીયુક્ત ખંડ, એના પ્રવેશદ્વાર ઉપર અસ્પષ્ટ ભાતવાળું કોતરકામની માહિતી મળે છે. ૩ X ૨.૪૨ મીટરના કદનો બીજો ખંડ અને ૪.૮૧ X ૨.૪૨ મીટરની પડસાળ તથા આશરે ૨.૪૨ મીટરના ઘેરાવાવાળા બે સ્તંભ નોંધપાત્ર છે. કચ્છમાં બૌદ્ધ ધર્મ પ્રચારમાં હોઈ તે સમયે કંડારાયેલી આ ગુફાઓના નિર્દિષ્ટ બંને સ્તંભના શિરોભાગની હાંસ બૌદ્ધ-સ્તંભના ઘાટની હોવાથી એ ગુફાઓ બૌદ્ધ હોવાનું મંતવ્ય પ્રગટ થયું છે.
For Personal & Private Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૪
ક્ષત્રપકાલીન ગુજરાત જૂનાગઢની અન્ય ગુફાઓ
જૂનાગઢ અને તેના પરિસરમાં વાલુકામય શ્વેત પાષાણની બહુલતાને લીધે કેટલાંક સ્થળે શૈલોત્કીર્ણ ગુફાઓની વિપુલતા જોવા મળે છે. આમાં પંચેશ્વર, માઈગઢેચી અને માત્રી મંદિરની ગુફાઓ નોંધપાત્ર છે. કાળવા ચોકથી થોડાક અંતરે પંચેશ્વરની જીર્ણશીર્ણ અવસ્થામાં સ્થિત ગુફા છે. નરસિંહ મહેતાના ચોરાની પાછળના ભાગે ગુફાઓ આવેલી છે. અહીં માઈગઢેચી નામની દરગાહ આવેલી હોઈ ગુફાઓ તે નામથી ખ્યાત છે. ગુફાની ઉપર મંદિરમાંથી પરિવર્તિત કરેલી મસ્જિદ છે. ૭.૮૧ X ૩.૯૨ મીટરનો વિસ્તાર ધરાવતી મુખ્ય ગુફાની અંદર પશ્ચિમ તરફ ૨.૪૨ X ૧.૮૧ મીટરની નાની ગુફા આવેલી છે. તો માત્રી મંદિર તરીકે ખ્યાત દેવસ્થાનવાળી અવશિષ્ટ ગુફા બાવાપ્યારાની ગુફાઓની દક્ષિણ-પશ્ચિમે આવેલી છે. આ ગુફા નોંધપાત્ર નથી. આ ત્રણેય ગુફાઓ કોઈ ચોક્કસ ધર્મ માટે કંડારેલી કે કેમ તે વિશે કશું કહેવું શક્ય નથી. ભરુકચ્છનું જૈનતીર્થ
ભરુકચ્છમાં પૂર્વકાળથી જૈનોના વીસમા તીર્થકર મુનિસુવ્રતનું ચૈત્ય હતું, જે માવવો. તીર્થના નામથી ખ્યાત છે. વિવિધ તીર્થજ્યમાં કાવવોધત્વમાં આ તીર્થની માહિતી છે. કહેવાય છે કે પ્રાકૂ-ક્ષત્રપ કાળમાં વિદ્યમાન આર્ય ખપૂટ ભરૂચના વતની હતા અને વિદ્યાસિદ્ધ આચાર્ય હતા. એમણે ભરુકચ્છનું આ તીર્થ બૌદ્ધોના સંકજામાંથી છોડાવ્યું હતું. એવું પ્રમાdhવરિતમાં (શ્લોક ૨૪) નિર્દેશાયું છે. આ તીર્થનો સાતવાહન રાજાએ જીણોદ્ધાર કરાવ્યો હતો ત્યારે પાદલિપ્તસૂરિએ એના ધ્વજદંડની પ્રતિષ્ઠા કરી હતી; તેમ જ આ પ્રસિદ્ધ તીર્થનો સમુદ્ધાર સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી રાજા વિક્રમાદિત્યે (?) કરાવ્યો હતો. આથી, ક્ષત્રપકાળના આ તીર્થની હયાતી પુરવાર થાય છે. તારંગા અને સ્તંભનક
બૌદ્ધધર્મના અનુયાયી રાજા અને આર્ય ખપુટના સમકાલીન વેણીવત્સરાજે ગિરિ (તારંગા)" ઉપર તારાફર (તારાપુર) નામનું નગર વસાવ્યું હતું અને એમાં બૌદ્ધદેવી તારાનું મંદિર પ્રતિષ્ઠિત કર્યું હતું. તારંગાના ડુંગરની તળેટીમાં ઉત્તર દિશાએ તારણ માતાનું સ્થાનક આવેલું છે. આ મંદિરની પાસે ધારણદેવીનું સ્થાનક એક ગુફામાં છે. અહીંની બીજી એક ગુફા “જોગીડાની ગુફા'થી ઓળખાય છે. એમાં તામ્રવર્ણા પાષાણ ઉપર બોધિવૃક્ષ નીચે ચાર બુદ્ધમૂર્તિઓ કંડારેલી છે. કહેવાય છે કે આર્ય ખપુટના ઉપદેશથી વેણીવત્સરાજ જૈનધર્મી થયો હતો ત્યારે તેણે અહીં મહાવીરની શાસનદેવી સિદ્ધાયિકાનું મંદિર બંધાવ્યું હતું. તારંગાતીર્થ પરનું હાલનું સિદ્ધશિલા નામક સ્થાનક સિદ્ધાયિકા મંદિરની જગ્યાએ હોવાનું જણાય છે. આ સ્થાન હાલના મુખ્ય મંદિર અજિતનાથ પ્રાસાદની વાયવ્યમાં થોડા દૂરના અંતરે એક ઊંચી ટેકરી ઉપર આવેલું છે અને ત્યાં ચોમુખજીની મૂર્તિ તથા અજિતનાથનાં પગલાં પ્રતિષ્ઠિત છે.
પાદલિપ્તચાર્યના શિષ્ય નાગાર્જુનને શેઢી નદીના કાંઠે આવેલા સ્તંભનકથામણા)માં પાર્શ્વનાથની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી હતી એ સંદર્ભે અહીં જૈનાલય બંધાવ્યું હોવાનું સૂચવાય છે. જો કે હાલ આ સ્થળે કોઈ અવશિષ્ટ એંધાણ જોવા મળતાં નથી.
For Personal & Private Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ દશ
૩૨૫
રહેણાંકના મકાન
કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર સિવાયના ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી જે સ્થાપત્યાવશેષ હાથવગા થયા છે તે બધા અકોટા, વડનગર, શામળાજી, દેવની મોરી, નગરા જેવા સ્થળે થયેલાં ઉત્પનનકાર્યથી સંપ્રાપ્ત છે. આ બધા અવશેષોમાં બૌદ્ધવિહારતૂપ જેવાં સ્થાપત્ય ઉપરાંત રહેણાકના મકાનનો સમાવેશ થાય છે. ઉત્પનન અહેવાલોનાં અધ્યયનથી દર્શાવી શકાય છે કે સામાન્ય વસવાટ વાસ્તુનાં મકાન મુખ્યત્વે ઈંટોથી બાંધવામાં આવતાં હતાં. આ સમયની ઈંટો ખોદકાર્યથી અને અન્યથા હાથ લાગી છે તે ઈટો મોટા કદની છે. દા.ત. ૩૮.પથી ૪૩.૫ X ૨૬થી ૩૧ X પથી ૭ સેંટીમીટર. ઈંટોથી નિર્માણ પામતાં મકાનોમાં ચણતર વખતે માટીનો ઉપયોગ થતો. અકોટા-વડોદરામાંથી હાથ લાગેલા એક મોટા મકાનનું કદ ૨૧ X ૧૨ મીટરનું નોંધવા પામ્યું છે. ત્રણ ઓરડા અને પરસાળયુક્ત એક ઈંટેરી મકાન આ સમયનું વડનગરમાંથી મળી આવ્યું છે. ઈંટો-માટી ઉપરાંત મકાનોનાં બાંધકામમાં પથ્થરનો ઉપયોગ થયેલો સૂચવાયો છે. નગરામાં આ સમયનાં ઈંટેરી તેમ જ પિંઢોળી મકાનોના અવશેષ ઉત્પનનકાર્યની પ્રક્રિયા દરમ્યાન જોવા પ્રાપ્ત થયા છે. કારવણ તથા કામરેજમાં આ સમયની ઈંટેરી ઇમારતો હયાત હોવાનું જણાયું છે. શામળાજીમાં આવાં ઈંટેરી મકાનના અવશેષ પ્રાપ્ત થયા છે.
કિલ્લા : નગરોની ફરતે આ સમયે કિલ્લા બાંધવામાં આવતા હતા. આવા એક કિલ્લાના અવશેષ શામળાજીમાંથી પ્રાપ્ત થયા છે; જે ૪૦૦ મીટર લંબાઈ અને ૨૦૦ મીટ પહોળાઈ ધરાવે છે. આ કિલ્લામાં ચણતર સારુ માટી વપરાયેલી જોવા મળે છે. એની ચારે તરફ પાણીની ખાઈ હોવાની નિશાની છે. આ કિલ્લાનો મોટો ભાગ દટાઈ ગયો હોવાથી એના પ્રવેશદ્વાર વગેરે વિશેની જરૂરી માહિતી મળતી નથી. કામરેજનાં ખંડેરના અવલોકનથી સમજાય છે કે એના કિલ્લાની ત્રણ બાજુએ ખાઈ અને એક તરફ ઉપર જવાનો માર્ગ છે. અહીં બાંધકામ પણ ઈંટોનું છે.
તળાવ : આ કાળ દરમ્યાન માનવકૃત જળયાશોનાં નિર્માણ થતાં હતાં એની પ્રતીતિ, સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાનાં કેટલાંક ગામોની સ્થળતપાસથી તળાવનાં બાંધકામની વિગતો મળી છે, તે ઉપરથી દર્શાવી શકાય છે. પર્વતમાં જે સ્થાને નાળાંએ ખીણ પાડી હોય અને
જ્યાં નીચે મજબૂત પથ્થર હોય ત્યાં એની ઉપર માટીના બંધ બાંધી પાણીને અવરોધી તળાવ બાંધવાના પ્રયાસ થતા હતા. આવાં તળાવમાં જે બાજુએ પાણી ભરવામાં આવતું તે બાજુને ઈંટો અથવા પથ્થર વડે મજબૂત બનાવવામાં આવતી. આવાં તળાવના બંધની લંબાઈ સ્થળ પરત્વે અલગ અલગ રહેતી; પરંતુ આશરે ૩૦૦ મીટર લાંબા બંધ બંધાયા હોવાનાં એંધાણ હાથવગાં થયાં છે. તળાવના પાળની ઊંચાઈ ૧.૮૧ મીટરની આરંભી ૧૬.૮૧ મીટર સુધીની રાખવામાં આવતી. મોટી પાળની નીચેની જાડાઈ ૭૫ મીટર અને ઉપરની જાડાઈ ૧૨ મીટર જેટલી રાખવામાં આવતી. આ પાળનું ધોવાણ ના થાય તે વાસ્તેની તકેદારી તરીકે વધારાની પરનાળોની વ્યવસ્થા રાખવામાં આવતી. આવી પરનાળ બેબાર (તાલુકો ભિલોડા) અને દધીલિયા (તાલુકો મોડાસા)નાં તળાવમાં ખડકમાંથી કોરી કાઢવામાં આવી છે. મલ્લપુરાણમાં જેને વૃદ્ધસર તરીકે ઓળખાવવામાં આવ્યું છે એવું એક તળાવ ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામની પૂર્વમાં આવેલું છે જેના કાંઠે પાલિની દેવીનું મંદિર વર્તમાન સ્થિત છે.
For Personal & Private Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૬
પાદનોંધ
૧.
આ પરિશિષ્ટના આલેખન માટે ગુરાસાંઇ., ગ્રંથ ૨નાં પ્રકરણ ૧૬ અને ૧૭નો સહારો લીધો છે. ૨. કે.કા.શાસ્ત્રી, ‘કચ્છના પ્રાચીન ઇતિહાસમાં ડોકિયું', પથિક, વર્ષ ૬, અંક ૧૦-૧૧, પૃષ્ઠ ૩૧-૩૨. ૩. બસ, એકાક., પૃષ્ઠ ૧૪૧.
૪. આર્ય ખપુટ, બલમિત્ર-ભાનુમિત્ર વગેરે વિશે જુઓ ગુરાસાંઇ., પૃષ્ઠ ૩૭૪ ઉપરની પાદનોંધ ૧૦૧થી
૧૦૪.
૫. આ સ્થળ તારંગા હોવાનું સૂચવાયું છે.
૬. ઠુમારપાલપ્રતિદ્રોધ, બાર્ય જીવુવાર્ય થા, પૃષ્ઠ ૪૪૨.
ક્ષત્રપકાલીન ગુજરાત
૭. વિવિધતીર્થ૫, શ્લોક ૫૯, સ્તંભન~શિલોજી, પૃષ્ઠ ૧૦૪-૦૫.
૮થી ૧૦. વધુ માહિતી માટે જુઓ ૨.ના.મહેતાકૃત ગુજરાતને મળેલ શિલ્પસ્થાપત્યનો વારસો, પૃષ્ઠ ૧૫
૧૯.
For Personal & Private Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ વીસ
લલિતકલા-૩ : શિલ્પસમૃદ્ધિ
ભૂમિકા
વાસ્તુકલા સાથે શિલ્પકલાને અને હુન્નર ઉદ્યોગને નિકટનો અવિનાભાવિ સંબંધ છે. કહો કે આ બધી કલા પરસ્પરને પૂરક છે. સ્થપતિ ઉભયના સંયોજન વડે સુંદર ઇમારતનું સર્જન કરે છે. આ સંદર્ભે વિચારતાં શિલ્પાકૃતિઓ બે પ્રકારની હોઈ શકે : સ્થાપત્યના સુશોભન વાસ્તુની અને સ્વતંત્ર શિલ્પ તરીકેની. આપણે એથી અવગત છીએ કે સામાન્યતઃ પૂર્વકાલીન ભારતમાં શિલ્પનું અલગ અસ્તિત્વ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અનુકાલમાં એ સ્થાપત્ય સાથે સંલગ્નિત રહેલું દર્શાવાય છે. પરંતુ ગુજરાતના પૂર્વકાલમાં શિલ્પ સ્થાપત્યના અનુસંધાને આ વિધાન પૂર્ણતયા યોગ્ય જણાતું નથી. ભૌમિતિક આકૃતિઓ અને ફુલવેલની ભાત પ્રાયઃ સ્થાપત્યના કે ક્યારેક મુખ્ય શિલ્પકૃતિના સુશોભન સારુ પ્રયોજાય છે, ક્યારેક માત્ર પ્રતીક તરીકે પણ પ્રયોજાય છે. દા.ત. સ્વસ્તિક. આકૃતિ અને ભાત
બાવાપ્યારાનાં શૈલગૃહોમાંની એક ઓરડીના પ્રવેશદ્વાર ઉપર ભૌમિતિક આકૃતિઓ છે. આમાં વચ્ચેની ત્રણ આકૃતિ અખંડિત છે, જ્યારે છેડા ઉપરની બંને અડધી દેશ્ય છે, જેની કોતરણી જો કે સરખી છે. મધ્યમાં કોતરેલી આકૃતિની કોતરણી ભિન્ન છે. એની આસપાસની કોતરણી સરખી છે. આ પટ્ટીની ઉપરની પટ્ટીમાંય ભૌમિતિક આકૃતિ કંડારેલી છે. છેક ઉપલી પટ્ટીમાં અષ્ટકોણીય કોતરણીયુક્ત બાર આકૃતિ છે. ઉપરકોટનાં શૈલગૃહોના ઉપલા તથા નીચલા મજલે તથા દેવની મોરીના મહાતૂપમાં ઉત્કીર્ણ ચોરસ સુશોભન ભૌમિતિક આકૃતિની યાદ આપે છે. ઉપરકોટના સ્નાનકુંડવાળા ખંડમાં સ્તંભો અને અર્ધસ્તંભો પરના ત્રાંસા પટ્ટ કોઈ ભાતનો ખ્યાલ આપે છે. આ સ્તંભોની બેઠકના અષ્ટકોણ ભાગ ઉપર વેલપાનની ભાત જેવી આકૃતિ છે. નીચલા મજલાના સ્તંભોની બેઠક ઉપર સુંદર અને ઝીણી કોતરણીયુક્ત પત્રવલ્લીઓની ભાત સુંદર દશ્ય રજૂ કરે છે. પદાર્થ અને પ્રતીક
બાવા-પ્યારાનાં શૈલગૃહોમાં બે જગ્યાએ પદાર્થ અને પ્રતીક જોવાં પ્રાપ્ત થાય છે, જેમાં મીનયુગલ, કુંભ, સ્વસ્તિક, દર્પણ, ભદ્રાસન વગેરેનો સમાવેશ થઈ શકે. અહીં કુંભ અને દર્પણ પદાર્થ અને પ્રતીક ઉભય તરીકે પ્રદર્શિત થયાં છે. ઉપરકોટનાં શૈલગૃહોમાં કે અન્યત્ર પદાર્થ પ્રતીક જોવા મળતાં નથી. પ્રાણી-આકાર
ક્ષત્રપકાલીન શિલ્પમાં પ્રાણીઓના આકાર સૌ પ્રથમ બાવાપ્યારાનાં અને ઉપરકોટનાં
For Personal & Private Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ક્ષત્રપકાલીન ગુજરાત શૈલગૃહોમાં સ્તંભ-સુશોભન અંગે જોવા મળે છે. આ પ્રકારે પ્રાણી-આકૃતિઓ કંડારવાનો હેતુ કાર્લા, બેડસા અને નાસિકની ગુફાઓમાં કોતરેલાં પ્રાણી-શિલ્પો જેવો હોય એમ સમજાય છે. આ બંને ગુફાઓમાં મુખ્યત્વે સિંહ-વ્યાલની આકૃતિઓ વિશેષ છે.
બાવાપ્યારામાં સિંહ-વ્યાલની અંગસ્થિતિ સન્મુખ છે (દા.ત. બીજી હરોળના ખુલ્લા ચોકને ફરતી ગુફાઓમાંની પૂર્વાભિમુખ ગુફાઓના સ્તંભ-શીર્ષમાં). અહીં એમના આગલા પગ ઊભા છે. ભીંતો પરના સપંખ સિંહની આકૃતિઓ ઉપસાવેલી છે. બીજી હરોળના પ્રવેશમાર્ગની બંને બાજૂ સિંહ-વ્યાલનું એકેક મુખ છે. આ બધી આકૃતિ ખૂબ જ ઘસાયેલી હોવાથી વિશેષ વર્ણન શક્ય નથી.
ઉપરકોટના નીચલા મજલાના ગોળ સ્તંભના ચોરસ શીર્ષ ઉપર પણ સિંહ-વ્યાલની આકૃતિઓ સ્પષ્ટ જોવી પ્રાપ્ત થાય છે. આમાં એમની અંગસ્થિતિ ભિન્ન પ્રકારની છે. અહીં ચાર ખૂણા ઉપર ચાર સિંહ બેઠેલા છે, જે દરેકને વચ્ચે એકેક મુખ અને બે બાજુએ બબ્બે શરીર છે. ચોરસ શિખરની પ્રત્યેક બાજુની મધ્યમાં અર્થાત ઉપર્યુક્ત સિંહોના શરીરની વચ્ચે સન્મુખ અંગસ્થિતિવાળા સિંહની ચાર આકૃતિ પણ છે. આ મજલાના મધ્યમાં આવેલા ચારેય સ્તંભના શીર્ષ ઉપર આ પ્રમાણે સિંહની આકૃતિઓ નજરે પડે છે. એનાં મુખ બંધ હોઈ એમના દાંત કે જીભનું વર્ણન મુશ્કેલ છે. એમની કેશવાળીય દેખાતી નથી. માત્ર ટૂંકા અને ઊભા એવા બે કાન જોવા મળે છે. બે શરીરયુક્ત સિંહોની કેશવાળી સ્પષ્ટ નજરે પડે છે. એમના કાન પણ સ્પષ્ટ રીતે દશ્ય છે. આ બધા સિંહ બેઠેલા છે. એમની મુખમુદ્રા શાંત અને ગંભીર છે.
બાવાપ્યારામાં બીજી હરોળની એક ગુફાના સ્તંભ ઉપરની આકૃતિ અશ્વની હોય એમ દેખાય છે. એની પીઠ ઉપર માણસ બેઠેલો જોવા મળે છે. એના હાથમાં લગામ જેવું જણાય છે. પરંતુ બર્જેસ વગેરે વિદ્વાનોએ આ આકૃતિની નોંધ લીધી નથી. અહીં આ બાબતે પહેલપ્રથમ નિર્દેશ આ ગ્રંથલેખકે કર્યો છે. આની બાજુના પ્રવેશદ્વારના સ્તંભશીર્ષ ઉપર, અશોકના સ્તંભ ઉપરના શીર્ષની જેમ પરંતુ થોડી ફેર અંગસ્થિતિ ધરાવનાર અને બીજાની પીઠને અડીને બેઠેલા ત્રણ સિંહ-વ્યાલની આકૃતિ જોવા મળે છે, જેમાંના વચ્ચેનાનો આકાર સન્મુખ છે અને શેષ બેનું મુખ બાજુ ઉપર છે. ત્રણેયના આગલા બંને પગના પંજા અદ્ધર રાખેલા દેખાય છે.
ઉપરકોટમાં નીચલા મજલાના વિશાળ ખંડના પશ્ચિમોત્તર ભાગમાં સ્થિત બે સ્તંભના શીર્ષના દંડને અડેલા ગોળ ભાગ ઉપરની આકૃતિઓ મેષ-વ્યાલ હોવાનો અભિપ્રાય છે૧૦. એમની અંગસ્થિતિ સન્મુખ છે. ચોરસ શીર્ષમાંના બાજુની અંગસ્થિતિ ધરાવતા સિંહવ્યાલોનાં શરીર પીઠના પાછળના ભાગમાંથી એમની ઉલટી દિશામાં જોતાં એકેક પ્રાણીની આકૃતિ નજરે પડે છે, પણ તે ક્યા પ્રાણીની છે તે કહી શકાતું નથી. જો કે બર્જેસ વગેરેએ આની નોંધ લીધી નથી.
જૂનાગઢના દરબારી સંગ્રહાલયમાં સિંહ-વ્યાલનાં ત્રણ શિલ્પ પ્રદર્શિત છે (જુઓ આ ગ્રંથમાં ચિત્ર નંબર ૧૫, ૧૬ અને ૧૭). આ સિંહ-વ્યાલ ઉપરની કોતરણી ઊંચા પ્રકારની છે. કેશવાળીની કોતરણી અને મુખના ભાવ ક્ષત્રપ સમયના શિલ્પીઓનાં કૌશલ્યનાં દ્યોતક છે. ક્ષત્રપ રાજાઓના સીસા કે તાંબાના ચોરસ સિક્કા ઉપર ખૂંધયુક્ત વૃષભની આકૃતિઓ જોવી પ્રાપ્ત થાય
For Personal & Private Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ વીસ
૩૨૯
છે. આ આકૃતિઓ દક્ષિણાભિમુખ અને ઉભેલી સ્થિતિમાં દેખાય છે. વિશેષ વિગતોનું વર્ણન શક્ય નથી. માનવ આકૃતિ
આ કાલમાં માનવની આકૃતિઓ સૌ પ્રથમ બાવાપ્યારામાંથી અને ઉપરકોટમાંથી પ્રાપ્ત થઈ છે. બાવાયારાની એક ગુફાના (આલેખ ૫, સંજ્ઞા B) પ્રવેશદ્વાર શાખના બંને સ્તંભની ઉપરની અશ્વારુઢ આકૃતિ પુરુષની હોવાનું સંભવે. તેના દેહાભૂષણ વિશે કોઈ વર્ણન થઈ શકે નહીં એટલી હદે એ ઘસાઈ ગઈ છે, પણ બર્જેસે આપેલા ફોટા ઉપરથી એ અલ્પવસ્ત્રાચ્છાદિત દેખાય છે.
ઉપરકોટમાં નીચલા મજલામાં સ્થિત સ્તંભ અને ચૈત્યવાતાયનમાં માનવાકૃતિઓ મોટા પ્રમાણમાં જોવી સંપ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ નિરીક્ષણથી એ આકૃતિઓ બહુધા સ્ત્રીની હોવાનું સ્પષ્ટ થાય છે. સ્તંભોની બેસણી ઉપરની કેટલીક આકૃતિ પુરુષની છે. આ બધાં શિલ્પ કાળબળની અસરથી ઘસાઈ ગયાં હોઈ વિશેષ વર્ણન શકય નથી. આ મજલાના છએ છ સ્તંભના શીર્ષની છેક ઉપરની ચોરસ પટ્ટીમાંની સન્મુખ અંગસ્થિતિવાળી સિંહાકૃતિઓની બંને બાજુ ઉપર વામન સ્વરૂપના લંગોટધારી સશક્ત પુરુષની વિવિધભંગીઓ યુક્ત એકેક આકૃતિ જોવી પ્રાપ્ત થાય છે. આ જ સ્તંભોની બેસણીની છેક નીચેની પટ્ટી ઉપર પણ લંગોટધારી સશક્ત પુરુષની આકૃતિઓ છે. એમના ગળામાં કોઈ આભૂષણ હોવાનું સ્પષ્ટ દેખાય છે.
બાવાપ્યારામાં કોઈ સ્ત્રી-આકૃતિ જોવા મળતી નથી. ઉપરકોટમાં એનું પ્રમાણ વિશેષ છે. નીચલા મજલાની ઉત્તર, પૂર્વ અને દક્ષિણની ભીંતોનાં ચૈત્યગવાક્ષમાં પ્રત્યેકમાં બબ્બે સ્ત્રી-આકૃતિ જોવા મળે છે. એમના દેહ કટી સુધીના દેખાય છે અને નિર્વસ્ત્ર છે. પૂર્વકાળમાં સ્ત્રીનું ઉત્તરાંગવાળું શિલ્પ નિર્વસ્ત્ર હોય એ સ્વાભાવિક ગણાતું હતું. આ બધી આકૃતિઓની દેહસ્થિતિ ભિન્ન ભિન્ન પ્રકારની અને વિવિધ હાવભાવયુક્ત રીતે અભિવ્યક્ત થઈ છે. લગભગ બધી આકૃતિમાં મસ્તકની બંને બાજુએ અંબોડા પ્રકારનાં વિશિષ્ટ શૈલીમાં કેશગુંફન કરેલાં જોવાં પ્રાપ્ત થાય છે. લગભગ પ્રત્યેક સ્ત્રીના અંગ ઉપર કંઠાભરણ, વલય અને બાજુબંધ જેવાં આભૂષણ નજરે પડે છે. ઉત્તરની દીવાલના પ્રથમ ચૈત્યગવાક્ષમાંની ડાબી બાજૂની સ્ત્રીના જમણા હાથમાં દર્પણ જેવું કોઈ ઉપકરણ નજરે પડે છે૧૫. આજ મજલામાંના સ્તંભના શિખરો ઉપરની ગોળ પટ્ટીમાં સ્ત્રીઓની ઊભેલી સ્થિતિયુક્ત આકૃતિમાંની કેટલીક નિર્વસ્ત્ર, તો કેટલીક અલ્પવસ્ત્રાચ્છાદિત જોવા મળે છે. આમાંની કેટલીકનાં મસ્તક ઉપર અંબોડા પ્રકારનાં કેશગુંફનનાં દશ્ય જોવા મળે છે, તો કેટલીકનાં મસ્તક ઉપર કોઈક પ્રકારનાં વસ્ત્રનાં આવરણ નજરે પડે છે. આ બધી આકૃતિની ઊભા રહેવાની છટા અને લઢણમાં કંઈને કંઈ વૈવિધ્ય માલૂમ પડે છે. આભૂષણમાં કંઠાભરણ અને અગનાં વલય સિવાય અન્ય ઘરેણાં દેખાતાં નથી. આ બધી સ્ત્રીઆકૃતિમાં એક દર્પણકન્યા અને એક નૃત્યાંગના જેવા આકાર નજરે પડે છે.
ક્ષત્રપ રાજાઓનાં ચાંદીના સિક્કાના અગ્રભાગ ઉપરની રાજાની મુખાકૃતિનું વર્ણન અહીં જરૂરી છે. આ મુખાકૃતિ દક્ષિણાભિમુખ અને પાર્શ્વદર્શનની છે. આ બધી જ આકૃતિ પુરુષની છે.
For Personal & Private Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૩૦
ક્ષત્રપકાલીન ગુજરાત આકૃતિના મસ્તક ઉપર લોખંડી ટોપના આકારનું શિરસ્ત્રાણ છે. કદાચ ઈરાનીઓ માથે બાંધે છે તેવા પ્રકારનું કોઈ શિરોવસ્ત્ર હોઈ શકે. નહપાનના સિક્કા ઉપરની મુખાકૃતિના માથે પાઘડી મૂકેલી જોવી પ્રાપ્ત થાય છે. આ રાજાઓના વાળ લાંબા, વાંકોડિયા અને સુંદર રીતે હોળેલા છે. એમની લાંબી અને ગાલ ઉપર વીંછીના પૂછડાની જેમ વળેલી વાંકી મૂછ આકર્ષક દેખાય છે. કાન પાસેના ગાલ ઉપર લંબાયેલા પહોળા અને જાડા થોભિયા એમનાં વીરત્વમાં ઉમેરો કરે છે. કાનમાં કુંડલ પ્રકારનું ઘરેણું ધારણ કરેલું છે. પોપટની ચાંચ જેવું ઉપસાવેલું નાક, વિસ્ફારિત નયન, ભ્રમરની સુરેખતા તથા ઓષ્ઠદ્વયની સ્પષ્ટ ઉપસેલી રેખાઓ કોતરકલાના સુંદર નમૂનાઓનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. કંઠને ફરતી સુશોભિત પટ્ટી એમના ઈરાની ઢબના લાંબા કોટની ગળાપટ્ટી હોય એ વધુ સંભવિત છે. કંઠની નીચેનો ભાગ, સિક્કાના કદની મર્યાદાને કારણે, કંડારેલો ના હોઈ આ બાબતે વિશેષ અનુમાન તારવવું મુશ્કેલ છે.
ગઈ સદીના ઉત્તરાર્ધમાં જામખંભાળિયા (જામનગર જિલ્લો) નજીક આવેલા કાકાની સિંહણ ગામેથી એક મુખાકૃતિ હાથ લાગી હતી. એ શિલ્પ ખરતા પથ્થરનું છે. તે ક્ષત્રપકાલીન હોવાનો અભિપ્રાય છે ૭. ૬ X ૫.૩ X ૮.૪ સેંટીમીટરનું કદ ધરાવતી આ મુખાકૃતિ નરી આંખે જોવાથી મોટી હોવાનો ભાસ થાય છે. સુશોભનયુક્ત બેસણી ઉપર આ મુખાકૃતિ સ્થિત છે. બેસણીના ઉપરના સપાટ ભાગ ઉપર મણકાની માળા જેવું ઘરેણું કંડારેલું જોવા મળે છે (જુઓ ચિત્ર ૧૧). પ્રસ્તુત ચિત્રમાં કદાચ આ માળા જોવાતી નથી, પરંતુ મૂળ કૃતિને નરી આંખે જોવાથી માળાનું આલેખન સ્પષ્ટ દેખાય છે. લાંબા કાનમાં કુંડલ જેવું ઘરેણું છે. માથા ઉપર પાઘડી જેવું જણાય છે. પાઘડી ઉપર બેસણી જેવી કોતરણીનાં સુશોભન છે. પહેલી નજરે આ મુખાકૃતિ ક્ષત્રપ સિક્કામાંની મુખાકૃતિ હોવાનો ભ્રમ ઉપસ્થિત થાય છે. પરંતુ સૂક્ષ્મ નિરીક્ષણથી ઉભય વચ્ચેની ભિન્નતા સ્પષ્ટ થાય છે. આ મુખાકૃતિનાં પોપચાં-ભ્રમરનું સુરેખ આલેખન મથુરાની કુષાણકાલીન કળા જેવી જણાય છે. તેથી આ મુખાકૃતિ ગુજરાતની ક્ષત્રપકાલીન શિલ્પકળા ઉપર સારો એવો પ્રકાશ પાથરે છે. આ મુખાકૃતિ ઈસ્વીની બીજી સદીની છે.
દેવદેવીઓની પ્રતિમા ક્ષત્રપકાલીન ગુજરાતમાં દેવદેવીઓની આકૃતિઓ પહેલવહેલી ઢંકગિરિમાંથી મોટી સંખ્યામાં હાથવગી થઈ છે. ઉપરકોટની ગુફામાં પ્રાણી-માનવ-આકૃતિઓ છે પણ દેવીદેવતાની નથી. એથી, ઊલટું ઢંકગિરિમાં દેવદેવીની પ્રતિમા છે અને પ્રાણી કે માનવકૃતિ આકૃતિ નથી. જૈન પ્રતિમા
ઢંકગિરિની ઉપલબ્ધ મૂર્તિઓ બૌદ્ધ હોવાની કલ્પના બર્જેસે વ્યક્ત કરેલી. તો તે બધી જૈન તીર્થકરોની છે એમ સાંકળિયાએ પ્રતિપાદિત કર્યું છે. મૂર્તિઓમાં આદિનાથ ઋષભદેવ, સોળમાં તીર્થકર શાંતિનાથ, તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ, ચોવીસમા તીર્થંકર મહાવીર વગેરેનો સમાવેશ થાય છે.
ડુંગરના નીચાણવાળા ભાગ ઉપરની એક ઓરડીમાં પથ્થરની ત્રણ બેઠક છે : એક પ્રવેશદ્વારની સામે, બીજી બે ડાબે-જમણે છે. આ બેઠકો ઉપર આદિનાથની પ્રતિમા કંડારેલી છે.
For Personal & Private Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ વીસ
૩૩૧
ડાબે-જમણે આવેલી બેઠક ઉપર એકેક મૂર્તિ પદ્માસનસ્થ સ્થિતિમાં અને નગ્ન છે. તે ટટાર અને સ્થિર છે. હાથ યોગમુદ્રામાં છે. આડી ત્રણ રેખાઓથી મસ્તક ઉપર છત્રીત્રયનો આકાર અભિવ્યક્ત થયેલો છે. તેમની ઉભય બાજુએ ચામરધારિણી અને તેમની ઉપર વિદ્યાધરોની આકૃતિઓ કંડારેલી છે. પ્રવેશદ્વારની સન્મુખની બેઠક ઉપરની આકૃતિ સિંહાસનસ્થ છે. તેના હાથ યોગમુદ્રામાં છે. આકૃતિની ઉભય પડખે ચામરધારિણીઓ સ્થિત છે. આ ત્રણેય પ્રતિમા લાંછનના અભાવે કરીને કયા તીર્થંકરની છે તે સ્પષ્ટ થતું નથી. જો કે સાંકળિયા એમને આદિનાથ તરીકે ઓળખાવે છે. ખડકની ઉપરના ભાગે આછું ઉપસાવેલું શિલ્પ તો સ્પષ્ટતઃ આદિનાથનું છે જે કાયોત્સર્ગ સ્થિતિમાં છે. એના કાનની બૂટ ઘણી લાંબી છે. આ શિલ્પના ગૂંચળાંવાળા કેશ ખભા સુધી વિસ્તરેલા છે. આદિનાથની પ્રતિમાની જોડાજોડ પદ્માસનસ્થ મૂર્તિ નિર્વસ્ત્ર છે અને તેના હાથ યોગમુદ્રાયુક્ત છે. એમના સિંહાસનની વચ્ચે મૃગનું લાંછન અને ચક્ર છે. આ પ્રતિમાના બંને છેડા ઉપર એકેક સિંહ આરુઢ છે. પ્રતિમાની ઉપર છત્રત્રયી છે અને તેની બંને બાજુએ ચામરધારિણી છે. સોળમા તીર્થંકર શાંતિનાથની આ પ્રતિમા છે. સહુથી સ્પષ્ટ અને સુરેખ પ્રતિમા છે પાર્શ્વનાથની. તે કાયોત્સર્ગ સ્થિતિમાં છે. પ્રતિમાની પાછળના ભાગે ફણા ધારણ કરીને ઊભેલા સર્પના ગૂંચળાંની અદ્ભુત વિશેષતા ખાસ ધ્યાનાર્ય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રતિમા પણ અહીં કંડારેલી જોવી પ્રાપ્ત થાય છે; પરંતુ અભિજ્ઞાનનો ખ્યાલ આપનાર લાંછનના અભાવે કરીને તે બધી પ્રતિમા કયા કયા તીર્થકરની છે તે કહેવું મુશ્કેલ છે. આ તમામ મૂર્તિ નિર્વસ્ત્ર છે.
ઢંકગિરિની અન્ય પ્રતિમામાં તીર્થકરો સાથે સંલગ્નિત પરિવાર દેવતાઓની અને ગૌણ આકૃતિઓમાં નોંધપાત્ર આકૃતિ છે ડાબા ઘૂંટણ ઉપર બેસાડેલા બાળક સાથેની સ્ત્રીની. એની જમણી કોણી એના જમણા પગના ઘૂંટણ ઉપર મૂકેલી છે. મૂર્તિનો આ હાથ ઉત્તર તરફ ઊભો છે. એના કુંડલ ભરાવદાર છે. મૂર્તિના વાળમાંથી પસાર થતું આભૂષણ સર્પાકાર ‘છે. જૈન પ્રતિમા વિધાનમાં સામાન્યતઃ અંબિકાની મૂર્તિ બાળક સાથે કંડારેલી દેખાય છે. તેથી અહીં જે સ્ત્રીઆકૃતિ છે તે અંબિકાની હોવી જોઈએ. બૌદ્ધ પ્રતિમા
ક્ષત્રપકાલીન ગુજરાતમાંથી બૌદ્ધગુફાઓ ઉપલબ્ધ થઈ છે, પરંતુ એમાંથી બૌદ્ધપ્રતિમા હાથ લાગી નથી. આ સમયના ગુજરાતમાં બુદ્ધની મૂર્તિઓ પહેલવહેલી દેવની મોરીના મહાતૂપમાંથી ઠીક ઠીક સંખ્યામાં સંપ્રાપ્ત થઈ છે. તે બધી જ પ્રતિમા પકવેલી માટીની છે. આલેખન શૈલી અને શિલ્પવિધાનની દૃષ્ટિએ દેવની મોરીની બૌદ્ધ પ્રતિમા શ્રેષ્ઠ છે.
દેવની મોરીના મહાતૃપની બીજી પીઠિકામાંના ગવાક્ષમાંથી આ પ્રતિમા હાથવગી થઈ છે. સ્તંભના ચણતર વડે ઊભા કરાયેલા આ ગવાક્ષમાં એકાંતરે ભગવાન બુદ્ધની ધ્યાનસ્થ મૂર્તિઓ પ્રસ્થાપિત કરેલી હતી. આપણે અવલોકી ગયા તેમ ચારે બાજુની બધી મળીને ૨૦ પ્રતિમા હોવાનું દર્શાવાયું છે. આ બધાંની ઊંચાઈ ૬૨ સેંટીમીટર અને પહોળાઈ ૩૪ સેંટીમીટરની છે. ૬ થી ૮ સેંટીમીટરી ઊંચી માટીની બેઠક ઉપર આ પ્રતિમા બેસાડેલી છે. બેઠક ઉપર કમળ-પાંખડીની સુંદર ભાત ઉપસાવેલી છે. આ પ્રતિમાઓની સુંદર વેશભૂષા તથા
For Personal & Private Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩૨
ક્ષત્રપકાલીન ગુજરાત
મુખાકૃતિની રચના ગંધાર શૈલીને અભિવ્યક્ત કરે છે. અહીંનાં અન્ય સુશોભન પણ આ જ શૈલીનાં છે.
માટીમાંથી નિર્માણ કરેલી, માટીનાં ફલકની પશ્ચાદભૂ ઉપર ઉપસાવેલી, કંડારેલી અને પછી પકવેલી બુદ્ધની આ ધ્યાનસ્થ પ્રતિમા, પ્રદક્ષિણાપથ ઉપર ફરતા ઉપાસકો તથા શ્રમણોની દષ્ટિ જ્ઞાન, અનુકંપા અને કારુણ્યના પ્રભાવનિધિસમ સમ્યફ સંબુદ્ધ તથાગત ભગવાન ઉપર પ્રત્યક્ષ રહે તેવી રીતે ગોખમાં ગોઠવેલી હતી : જ્ઞાનાનુાિરુખ્ય પ્રમાનિધનમ: સત્સંવૃદ્ધ.
એક સરખી ઊંચાઈની આ બધી પ્રતિમા દૂરથી સમાન શૈલીની જણાય, પણ સૂક્ષ્મ નિરીક્ષણથી સૂચિત થાય છે કે એમાં કલાકારોએ વસ્ત્રો, આસન, દેહયષ્ટિ વગેરેનું સુચારુ વૈવિધ્ય દર્શાવ્યું છે. ભગવાન બુદ્ધનું ઉત્તરીય કેટલીક પ્રતિમામાં બેઉ ખભા અને અને હાથને ઢાંકી અંગ ઉપર ધારણ કરેલું છે, તો કેટલીકમાં જમણો હાથ અને ખભો ખુલ્લા દર્શાવાયા છે. પ્રથમ પ્રકારમાંના વસ્ત્રની ઢબ ગંધારકળામાં પ્રચલિત છે. ઉત્તરીયમાંની કરચલીઓ જુદી જુદી પ્રતિમામાં વિભિન્ન પદ્ધતિથી અભિવ્યક્ત થઈ છે : કેટલીકમાં ઉત્કીર્ણ કરેલી બેવડી રેખાથી, કોઈમાં ઉપસાવેલી રેખાથી વગેરે. મસ્તક ઉપરના વાળ દક્ષિણાવર્ત નાનાં ગૂંચળાંમાં દર્શાવેલા છે, તો કેટલીકમાં તે ઊભા હોળેલા છે. બધી મુખાકૃતિ પણ ભિન્ન ભિન્ન રીતે વ્યક્ત થયેલી છે. આમાંની કેટલીક મુખાકૃતિ અનુકાલીન બુદ્ધપ્રતિમાની યાદ આપે છે, તો અન્ય કેટલીક મથુરાની કુષાણકાલીન પ્રતિમા જેવી છે. કેટલીક મૂર્તિના મસ્તક ઉપર ઉષ્ણીષનો આકાર છે, તો કેટલીકમાં તેનો અભાવ છે. મહાતૂપના પેટાળમાંથી શૈલસમુગક ઉપરની બુદ્ધની પૂર્વાભિમુખ પ્રતિમા પણ બધી રીતે ઉપર્યુક્ત પ્રતિમાઓ સાથે સામ્ય ધરાવે છે". ,
માટીમાંથી ભગવાન બુદ્ધની નિર્માણ પામેલી આ બધી પ્રતિમા ખસૂસ દર્શાવે છે કે અહીંના કલાકારોએ એમની કલાકૌશલનાં શ્રેષ્ઠતમ સોપાન સિદ્ધ કર્યા છે. શિલ્પકળાના આ નમૂના ચોથી સદીના ઉત્તરાર્ધથી વધુ પૂર્વકાલીન જણાતા નથી. ગુજરાતમાં ક્ષત્રપ કાલના અંતભાગમાં નિર્માણ થયેલી આ કૃતિઓ લલિતકલાના અભ્યદયનું સુંદર અને સુચારુ તથા મનહર-મનભર ચિત્ર રજૂ કરે છે. ગુજરાતમાં આમ આગવી શિલ્પકલા વિકાસ પામી શકી છે એ ઘટના જ ધ્યાનાર્હ છે. માટીમાંથી મૂર્તિઓ અને સ્થાપત્ય-શિલ્પનાં અન્ય અંગો સર્જવાની કળા આપણને મુગ્ધ કરે છે. પ્રાકુ-ગુપ્તકાળની આ પશ્ચિમી કલાશૈલી ગુર્જરકલાના આગવા અભિગમની ઘાતક છે. હિન્દુ પ્રતિમા
ક્ષત્રપકાલીન શૈલગૃહોમાંથી હિન્દુ પ્રતિમાઓ હાથ લાગી નથી. એટલે શામળાજી આસપાસમાંથી સંપ્રાપ્ત થયેલી પ્રતિમા ગુજરાતની સૌ પ્રથમ હિન્દુ પ્રતિમાઓ હોવા સંભવ છે. આથી, પ્રસ્તુત પૃથકૃત વર્ણન આ મૂર્તિઓને અનુલક્ષીને છે.
પરંતુ ગઈ સદીના છઠ્ઠા દાયકા દરમ્યાન કચ્છ વિસ્તારના દોલતપર ગામેથી સંપ્રાપ્ત થયેલું અને વર્તમાને વડોદરાના સંગ્રહાલય-ચિત્રાલયમાં સુરક્ષિત એવું એક મુખશિલ્પ સંભવતઃ ગુજરાતમાંની ઉપલબ્ધ હિન્દુ-પ્રતિમાઓમાં સહુથી પૂર્વસમયનું હોવાનું કહી શકાય તેમ છે; કેમ
For Personal & Private Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ વીસ
૩૩૩
કે શામળાજીના પરિસરમાંની બધી હિન્દુ-પ્રતિમા ક્ષત્રપકાળના અંત ભાગની હોવાનું મંતવ્ય ઉમાકાંત શાહનું છે". દોલતપરની આ મુખાકૃતિ ૫.૫ સેંટીમીટર ઊંચી અને ૬ સેંટીમીટર પહોળી છે. એનો સહુથી વધુ આકર્ષક ભાગ છે ટોપીઘાટનો સુશોભિત મુકુટ. આ પ્રકારના અલંકરણયુક્ત મુકુટ સાથેની આ મુખાકૃતિ ગુજરાતમાં સહુથી પૂર્વકાલીન હોવાનું શાહનું મંતવ્ય છે. આ મુખાકૃતિનાં ચક્ષુ તદ્દન ખુલ્લાં છે અને પાંપણ જરા પણ ઢળેલી નથી. મુકુટના મધ્યમાં જમણી તરફ પાર્શ્વદર્શન ઢબનું આકર્ષક એવું એક ચક્ર છે, જે વિષ્ણુના ચક્રની કે સૂર્યના રથચક્રની યાદ અપાવે છે તે કહેવું મુશ્કેલ છે. પણ આ મુકુટની બંને બાજૂ ઉપર પાષાણની પહોળી પટ્ટી જવાળાઓ હોવાનું સૂચવાયું છે. આથી, સંભવતઃ આ શિલ્પ સૂર્યનું હોવું જોઈએ. પરંતુ ઉમાકાંત શાહ દોલતપરની પ્રસ્તુત મુખાકૃતિને આ બંને સ્થળેથી ઉપલબ્ધ મુખાકૃતિ કરતાં પુરાણી છે એવો મત વ્યક્ત કરી એનું સમયાંકન ઈસુની બીજી-ત્રીજી સદીનું દર્શાવે છે.
શામળાજીમાંથી ગણેશની એક મૂર્તિ હાથલાગી છે. આ પ્રતિમા ઊભેલી સ્થિતિમાં છે. અને તે વર્તમાને વડોદરાના સંગ્રહાલય-ચિત્રાલયમાં સુરક્ષિત છે. ૮૭ સેંટીમીટર ઊંચી અને ૪૭ સેંટીમીટર પહોળી આ મૂર્તિના બંને હાથ ખંડિત છે. એની દેહયષ્ટિ ભરાવદાર અને ઘાટીલી છે. એણે પરિધાન કરેલી ધોતીની કરચલી ખૂબ સ્પષ્ટ અને ગણી શકાય તેવી રીતે કંડારેલી છે. પાટલી પણ સુશોભિત અને વિશિષ્ટ પ્રકારની છે. બંને પ્રતિમાના પગમાં આભૂષણો શોભે છે. મસ્તક ઉપરનું ઘરેણું સુંદર અને અલંકૃત છે. ગણેશની ડાબે ઠીંગણો અનુચર છે. ગંધાર કલાની અસર અહીં સ્પષ્ટ રીતે વર્તાય છે. પારેવા પથ્થરમાંથી ઘડાવેલી આ મૂર્તિ ક્ષત્રપ કાલના અંત સમયની અર્થાત્ ઈસ્વીની ચોથી સદીના ચોથા ચરણની હોવાનું સૂચવાયું છે.
માતા અને બાળકની સંયુક્ત મૂર્તિ પણ શામળાજીમાંથી મળી છે જે પણ વડોદરાના સંગ્રહાલયમાં છે. માતાની આકૃતિ ઉત્તરાંગવાળી અને બાળકની આકૃતિ આપી છે. પારેવા પથ્થરમાંથી નિર્માયેલી આ મૂર્તિ ૩૯ સેંટીમીટર ઊંચી અને ૩૭ સેંટીમીટર પહોળી છે. માતાના કેશની ગૂંથણી, મસ્તક ઉપરનું અલંકૃત આભૂષણ, કંઠાભરણ, વિસ્ફારિત નયન, સુદઢ બાંધો, બાજુબંધ, વલય વગેરે શણગાર આ મૂર્તિનાં નોંધપાત્ર લક્ષણ છે. ગણેશની સમકાલીન આ મૂર્તિ હોવાનું સૂચવાયું છે. આ પ્રતિમા ખંડિત હોઈ મૂળમાં સપ્તમાતૃકા પેનલમાંનો ભાગ હોવો જોઈએલ.
ઉપર્યુક્ત બંને પ્રતિમાની સમકાલીન એવી એક મૂર્તિ ભિન્નમાળમાંથી મળી આવી છે, જે વિષ્ણુની હોવાનું મંતવ્ય પ્રકટ થયું છે. આ મૂર્તિ પણ વડોદરાના સંગ્રહમાં છે. આ પ્રતિમાના મુકુટની રચના અને મુખનું સર્જન ઉપર્યુક્ત દોલતપરની સૂર્યની મુખાકૃતિ સાથે સરખાવવા યોગ્ય છે. આ વિષ્ણમૂર્તિનો મુકુટ ઊંચાઈમાં થોડો નાનો છે. આ સિવાય અન્ય બધી રીતે આ મૂર્તિ શામળાજી અને દોલતપરની મુખાકૃતિની લાક્ષણિક વિશેષતા અંકે કરેલી જણાય છે.
વડોદરાના સંગ્રહાલયમાં સુરક્ષિત એવી પક્વમૃત્તિકામાંથી નિર્માણ કરાયેલી માતાજીની એક પ્રતિમા પણ શામળાજીની છે. ખંડિત અવસ્થાવાળી આ પ્રતિમાના ડાબા પગની ઊભી સ્થિતિ નોંધપાત્ર છે, જ્યારે જમણો પગ નાશ પામેલો છે. મથુરામાંથી પ્રાપ્ત જૈન સરસ્વતીની મૂર્તિ સાથે આ મૂર્તિ ઘણું સામ્ય ધરાવે છે. કટિવસ્ત્રની કરચલીઓ ધ્યાનાર્હ છે. નાશ પામેલા
For Personal & Private Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૪
ક્ષત્રપકાલીન ગુજરાત હાથવાળી આ મૂર્તિના ઘડની ઊંચાઈ ૨૧ સેંટીમીટર અને પહોળાઈ ૨૦ સેંટીમીટર છે.
અહીંથી, ભીલકન્યાના સ્વરૂપે પાર્વતીની એક પ્રતિમા મળી છે, જે પણ વડોદરામાં છે ૪૧ સેંટીમીટર ઊંચી અને ૮ સેંટીમીટર પહોળાઈની આ પ્રતિમા લગભગ અખંડિત છે અને ઊભેલી અવસ્થામાં છે. જો કે ડાબો હાથ છેકથી એટલે ખભામાંથી નાશ પામેલો છે. જમણો હાથ કટિ અવલંબિત છે. પ્રતિમાનો ઊભા રહેવાનો મરોડ ભંગ મુદ્રાનો છે. કેશગુંફન આકર્ષક છે. કટિ નીચેનું વસ્ત્ર કરચલીયુક્ત છે. પ્રતિમાના પગમાં ઝાંઝર છે. આંખ અને મુખના ભાવ આકર્ષક છે. સમગ્ર પ્રતિમા ખૂબ સુંદર છે. ચોથી સદીના અંતમાં આ પ્રતિમા નિર્માઈ હોવી જોઈએ.
શામળાજીમાંથી આ ઉપરાંત સપ્તમાતૃકાઓ પૈકીની બે માતૃકાની પ્રતિમા ઉપલબ્ધ થઈ છે; આમાં એક માહેશ્વરની છે અને બીજી આગ્નેયીની છે. આ બંને પ્રતિમા વડોદરાના સંગ્રહાલયમાં સુરક્ષિત-પ્રદર્શિત છે. માહેશ્વરની પ્રતિમા પ૬ સેંટીમીટર ઊંચી અને ૩૮ સેંટીમીટર પહોળી છે. આ પ્રતિમાનું ઉત્તરાંગ નાશ પામ્યું છે. ડાબા હાથનો નીચેનો ભાગ નાના બાળકને આલિંગતો રહેલો જણાય છે. પ્રતિમાની જમણી પડખે અલંકૃત વૃષભ આવેલો છે. આગ્નેયીની પ્રતિમા ૪૭ સેંટીમીટર ઊંચી અને ૩૬ સેંટીમીટર પહોળી છે. આ મૂર્તિનો કટિ ઉપરનો ભાગ વિનાશ પામેલો છે. આ પ્રતિમાની પાછળ બકરો ઊભેલો છે. તે અગ્નિનું વાહન હોઈ આ પ્રતિમા આગ્નેયી કહેવાય છે. પગની આંટી અને શરીરનો વળાંક નોંધપાત્ર છે. આ બંને પ્રતિમા ઈસુની ચોથી સદીના અંતભાગની છે.
ઉપર્યુક્ત પ્રતિમાનાં વસ્ત્રોની સર્પાકાર કરચલીઓ અને તેમનું ઝૂલતાપણું ગ્રીસ-રોમનાં શિલ્પોનાં આ પ્રકારનાં વસ્ત્રો સાથે ઘણું સામ્ય ધરાવે છે. આ વિદેશી અસર આપણા દેશમાં ગ્રીક-પલ્લવ-શક-શાસકો સાથે આવી હોવી જોઈએ. આ શિલ્પોનાં આલેખન અને વસ્ત્રોની વૈવિધ્યપૂર્ણ કરચલીઓ ઉપરથી તે ક્ષત્રપકાલનાં ૫, ખાસ કરીને ચોથી સદીના ચોથા ચરણનાં હોવાનું સંભવે છે.
અંખડિત અને ઊભી અવસ્થામાં રહેલી ચામુંડાની એક પ્રતિમા પણ શામળાજીમાંથી હાથ લાગી છે અને વડોદરાના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. પારેવા પથ્થરમાંથી ઘડાયેલી આ મૂર્તિની બેઠક સાથેની ઊંચાઈ ૧.૨ મીટરની છે, અને પહોળાઈ ૪૧ સેંટીમીટરની છે. આ પ્રતિમા ચતુર્ભુજાયુક્ત છે. એક જમણા હાથમાં ત્રિશૂળ સ્પષ્ટ દેખાય છે. પણ બીજા જમણા હાથમાંની વસ્તુ સ્પષ્ટ રીતે ઓળખાતી નથી. એના એક ડાબા હાથમાં મસ્તક જોવું પ્રાપ્ત થાય છે. તો બીજા ડાબા હાથમાં ડમરું ધારણ કરેલું છે. આખાય શરીરના અંગભંગ વિશિષ્ટ છે. મૂર્તિના મસ્તક ઉપરના અને પગમાંના અલંકાર ધ્યાનયોગ્ય છે. આ પ્રતિમાનો સમય ચોથી સદીના અંતનો છે.
શામળાજીના પરિસરમાંથી પ્રાપ્ત થયેલું શિવનું ઉત્તરાંગ અને શિવની ઊભી મૂર્તિનું કટિ હેઠળનું શિલ્પ એક જ પ્રતિમાના બે ભાગ હોવાનું સૂચવાય છે. આ બંને ભાગને સાંધીને બનાવેલું સંપૂર્ણ શિલ્પ હાલ વડોદરાના સંગ્રહમાં છે. સમગ્ર પ્રતિમાની સંપૂર્ણ ઊંચાઈ ૧.૧૨ મીટર જેટલી અને પહોળાઈ ૪૯ સેંટીમીટરની છે. આ મૂર્તિનો જમણો હાથ નથી. એના ડાબા હાથનો કોણી સુધીનો ભાગ સુરક્ષિત છે, જેના ઉપર બાજુબંધ પ્રકારનું ઘરેણું દેખાય છે. કંઠનું
For Personal & Private Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૩૫
પ્રકરણ વીસ એકાવલિ આભૂષણ અને ખભા સુધી ફેલાયેલી કે પ્રસરેલી જટા તેમ જ અલંકૃત મુકુટ નોંધપાત્ર છે. કરચલીયુક્ત ધોતી ધારણ કરેલી છે જે પ્રતિમાના સમગ્ર સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. અલંકૃત પાટલી અને તેનો અણિશુદ્ધ છેડો તથા કમરબંધ તેમ જ એના આમળા આકર્ષક છે. પ્રતિમાની બંને બાજુ વામનની સવસ્ત્ર આકૃતિ સ્થિત છે. એમની પછવાડે અલંકૃત મસ્તકયુક્ત વૃષભ છે. આખી પ્રતિમા કલાનો સુંદર અને મનોહર નમૂનો છે. આ પ્રતિમાનું સમયાંકન ઈસુની ચોથી સદીનું સૂચવાયું છે.
વાહનની અનુપસ્થિતિને કારણે નામકરણ ના થઈ શકે એવી માતૃકાની એક પ્રતિમા પણ શામળાજીના પરિસરમાંથી પ્રાપ્ત થઈ છે. આ મૂર્તિનો ડાબો હાથ ખંડિત છે. તે સિવાય આ . પ્રતિમા આખી અને ઊભેલી અવસ્થામાં છે. સમગ્ર પ્રતિમા ૬૧ સેંટીમીટર ઊંચી છે અને એની પહોળાઈ ૨૬ સેંટીમીટરની છે. મૂર્તિનો જમણો હાથ કટિ અવલંબિત છે, જે એની પૂર્વકાલીનતાનું ઘાતક છે. એના જમણા ખભા ઉપરથી ઝૂલતું વસ્ત્ર કાંડા પાસેથી પસાર થઈ છેક પગ સુધી પહોંચે છે. કટિના નીચેના વસ્ત્રની કરચલીઓ અને પગનું આભૂષણ નોંધવા યોગ્ય છે. પ્રતિમાની કમર ઉપરનો અલંકાર લાક્ષણિક છે. કંઠાભરણ અને કેશગુંફન આ પ્રતિમાનાં ઉલ્લેખનીય લક્ષણ છે. પ્રતિમાની ડાબી તરફ સુદઢ શરીરયુક્ત વામનની આકૃતિ છે. ગંધારકલાનાં લક્ષણો આ- માતૃકામાં અભિવ્યક્ત થાય છે. આ માતૃકાનો સમય ઈસુની ચોથી સદીના અંતનો સૂચવાયો છે.
ઓળખી શકાય નહીં એવી બીજી બે પ્રતિમા, જે માતૃકાઓની છે, પણ શામળાજીમાંથી હાથ લાગી છે. બંને મૂર્તિ અખંડિત છે અને ઊભેલી અવસ્થામાં છે. કોઈ નોંધપાત્ર વિશેષતા આ બંને પ્રતિમામાં નથી. સમયની દૃષ્ટિએ તેઓ ઈસુની ચોથી-પાંચમી સદીની હોવાનું સૂચવાયું છે. આ પ્રતિમાય વડોદરાના સંગ્રહમાં છે૯.
શામળાજીમાંથી કુમાર(સ્કંદ)નું એક સુંદર શિલ્પ હાથવગું થયું છે. સુરક્ષિત રીતે સારી અવસ્થામાં સંપ્રાપ્ત આ પ્રતિમા ઊભી છે અને અખંડિત છે. એની ઊંચાઈ ૯૦ સેંટીમીટર અને પહોળાઈ ૩૬ સેંટીમીટરની છે. પ્રતિમાનો જમણો હાથ કોણી પાસેથી ઉપર તરફ વળેલો છે અને હાથમાં દેવની ઊંચાઈ જેટલો લાંબો શક્તિદંડ છે. એનો ડાબો હાથ નીચે તરફ ઝૂકેલો છે. તે હાથમાં કુકડો ધારણ કરેલો છે. પ્રતિમાએ ધારણ કરેલી ધોતીની કરચલી, એની અલંકૃત પાટલી અને કમરબંધની ધોતીના આમળાની વિશેષતા તથા અલંકૃત મુકુટ, બાજુબંધ અને કંઠાભરણ જેવાં આભૂષણ આકર્ષક અને મનોહર છે અને તેથી ધ્યાનાર્ય છે. આ પ્રતિમા વસ્ત્રાલંકાર બાબતે ગંધારકલાની અસરથી યુક્ત છે. સમયાંકનની દૃષ્ટિએ આ પ્રતિમા ક્ષત્રપોના શાસન સમયના અંત સમયની એટલે કે ઈસ્વીની ચોથી સદીના અંતભાગની હોવાનું સૂચવાયું છે°.
મસ્તક વિનાની અને માત્ર ઘૂંટણ સુધીની શિવની ત્રણ પ્રતિમા પણ અહીંથી હાથ લાગી છે. આ ત્રણેય મૂર્તિના હાથ નાશ પામેલા છે. પરંતુ ખભાની બાજુમાં આવેલાં કાણાંને કારણે સૂચવાય છે કે સંભવતઃ આ ત્રણેયના હાથ પછીથી જોડવામાં આવ્યા હશે. આમાંથી બે પ્રતિમાના જમણા સાથળ ઉપરનાં નાનાં કાણાં અને એક પ્રતિમાના ડાબા સાથળ ઉપરનું મોટું કાણું પણ આવું કોઈ ઇંગિત કરે છે. પ્રતિમા ઉપવસ્ત્ર વિહોણી છે. એમનાં ધોતીની કરચલી, આમળાયુક્ત
For Personal & Private Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
૩૩૬
કમરબંધ અને સુશોભિત પાટલી આ પ્રતિમાઓનો સમય ઈસુની ચોથી સદીના અંતભાગનો હોવાનું સૂચિત કરે છે૪૧.
ખેડબ્રહ્મામાંથી આશરે ૧.૩૫ સેંટીમીટ૨ ઊંચું વિશાળ એવું એકમુખી એક શિવલિંગ મળ્યું છે, જે પણ વડોદરાના સંગ્રહાલયમાં છે. શિવલિંગના ગળામાંનો હાર પુરાણો જણાય છે. એની આંખો ખુલ્લી છે, જે ક્ષત્રપકાલીન શિલ્પોની વિશેષતા છે. આ શિવમુખ મથુરાનાં કુષાણકાલીન શિલ્પોની સ્મરણયાત્રા કરાવે છે. ખેડબ્રહ્મામાંથી ક્ષત્રપ સમયની ઈંટો હાથવગી થતી હોઈ તથા તેનાં નયન વિસ્ફારિત હોઈ આ પ્રતિમા પણ ક્ષત્રપકાલની હોવાનું સૂચવી શકાયર.
શામળાજીના વિશાળ પરિસરમાંથી લિંગયુક્ત ઈંટેરી પીઠવાળાં શૈવમંદિરોના ઘણા અવશેષ મળ્યા છે. સંભવતઃ માતૃકાઓ અને નાગણોની પાષાણ-પ્રતિમાનો અહીંથી પ્રાપ્ત એક સમૂહ વડોદરાના સંગ્રહાલયમાં સ્થિત છે. એમનો સમય ઈસ્વીપૂર્વની પહેલી સદીથી ઈસુની બીજી સદી સુધીનો અંદાજી શકાય.
ડાંગ વિસ્તારના આહવામાંથી એક નાનું શિલ્પ હાથ લાગ્યું છે, જે ખંડિત છે અને જેનાં ફક્ત માથું અને ઘડના થોડા ભાગ તેમ જ જમણો હાથ અને ડાબા હાથનો થોડો ભાગ અસ્તિત્વ ધરાવે છે. શિલ્પના હાથમાં ઘણી બંગડી જોવી પ્રાપ્ત થાય છે. એના વક્ષસ્થલનો ભાગ તૂટેલો છે. એનો જમણો હાથ કોણીમાંથી ઊંચે તરફ વળેલો છે અને હાથમાં કમળ ધારણ કરેલું છે. એનું મુખારવિંદ સુંદર અને ભરાવદાર છે. કાર્લ અને અેરીનાં ક્ષત્રપકાલીન શિલ્પ સાથે સામ્ય ધરાવતાં આ શિલ્પનું સમયાંકન ઈસુની બીજી સદીનું સૂચવાયું છે. આ શિલ્પ કોઈ દેવી કે યક્ષિણીનું હોવું જોઈએ”.
સુરત જિલ્લાના તેન ગામેથી નાની અને ખંડિત એવી એક પ્રતિમા મળી છે જે દોલતપરની મુખાકૃતિ અને ભિન્નમાલની વિષ્ણુમૂર્તિ સાથે સરખાવી શકાય તેમ હોઈ ક્ષત્રપકાલની હોવાનું સ્પષ્ટ થાય છે. આ પ્રતિમાનો ટોપીઘાટનો મુકુટ વધારે ઊંચો છે. પ્રતિમાના ડાબા હાથમાં શંખ છે અને કંઠે હાંસડી છે૫.
વડનગરમાંથી આકસ્મિક રીતે હાથ લાગેલાં ત્રણ શિલ્પો અત્રે પ્રસ્તુત છે : (૧) ૧૯૯૨માં વડનગરના ઘાંસકોળ દરવાજેથી બે કિલોમીટરના અંતરે આવેલા ખેતરમાંથી એક અર્જિત મુખલિંગ હાથ લાગ્યું હતું. પારેવા પથ્થરમાંથી કંડારેલું આ મુખલિંગ થોડુંક ખંડિત છે. કેશરચના અને પદકયુક્ત માળાથી શોભિત આ મુખલિંગની સમગ્ર ઊંચાઈ ૧.૪૨ સેંટીમીટરની છે. (૨) હાટકેશ્વર મહાદેવના પ્રાંગણમાંથી સીમેન્ટથી અચલ સ્થિતિમાં રહેલું એક ખંડિત શિલ્પ જોવું પ્રાપ્ત થાય છે. પારેવા પાષાણમાંથી ઘડાયેલું આ શિલ્પ પર્યંકાસનસ્થ દેવનું છે અને ઊંચાઈ ઉપર સ્થિત છે. આ શિલ્પ સમગ્રતયા સુંદર છે. શિલ્પના બંને હસ્તની સ્થિતિનાં દર્શન સંભવતઃ તેને સૂર્યપ્રતિમા હોવાનું સૂચિત કરે છે. (૩) ઘાંસકોળ દરવાજેથી અડધો કિલોમીટરના અંતરે નૈઋત્યમાં આવેલા એક ખેત૨માંથી ૧૯૯૨માં બોધિસત્વની સલેખ પ્રતિમા હાથ લાગી હતી. રાતા પથ્થરમાંથી નિર્માયેલું આ શિલ્પ જટાધારી અને પદ્માસનસ્થ છે. પીઠિકાના પદ્માસન ઉપર લખાણ છે જે બે પંક્તિમાં અગિયાર શબ્દોથી યુક્ત છે. લિપિ બ્રાહ્મી છે અને ભાષા પાલિ છે.
For Personal & Private Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૩૭
પ્રકરણ વીસ શિલ્પની બંને બાજુએ ચામરધારિણીની આકૃતિ સ્થિત છે. પ્રતિમાનું પ્રભામંડળ આકર્ષક છે. પીઠિકાની હેઠળ બંને બાજુએ વિમુખ સિંહનાં અંકન દર્શાવેલાં છે. સમગ્રતયા આ પ્રતિમા ધ્યાનાર્હ છે. અને ગુર્જર શિલ્પકળાની સમૃદ્ધિમાં નોંધપાત્ર ગણી શકાય એવી આ પ્રતિમા અર્જિત છે. આ ત્રણેય શિલ્પ ક્ષત્રપ સમયનાં હોવાનું સૂચવાય છે.
અન્ય કેટલાંક પ્રકીર્ણ શિલ્પોનાં અવલોકન પંખીદર્શન તરીકે કરીશું.
આહવા (ડાંગ)માંથી વિષ્ણુની ખંડિત એવી એક લઘુમૂર્તિ મળી છે. મૂર્તિના અવશિષ્ટ ભાગથી કદાચ તે દેવી કે યક્ષિણીની મૂર્તિ પણ હોય. આમ તો આ પ્રતિમા સુંદર છે અને તે ઈસ્વીની બીજી-ત્રીજી સદીની હોવાનો મત છે * શામળાજીમાંથી દેવો કે યક્ષોની પાંચ પ્રતિમા પ્રાપ્ત થઈ છે જે બધી ક્ષત્રપકાલીન હોવાનું સૂચવાયું છે. * પાંચમી સદીના પ્રારંભનું એક અન્ય શિલ્પ શામળાજીમાંથી હાથવગું થયું છે જે યક્ષ અથવા બોધિસત્વનું હોવાનું જણાય છે. * આ સ્થળેથી ક્ષત્રપકાલના અંત સમયની કાર્તિકેયની કેટલીક પ્રતિમા હાથલાગી છે. * ચોથા સૈકાના અંતભાગની નંદીને અઢેલીને ઊભેલી એક શિવમૂર્તિ શામળાજીમાંથી મળી છે. આ પ્રતિમાનો કમરબંધ નોંધપાત્ર છે. * ભિન્નમાલમાંથી પ્રાપ્ત વાસુદેવ(વિષ્ણુ)ની, વલભીમાંની મહિષમર્દિનીની અને શામળાજીમાંની કાર્તિકેયની પ્રતિમા જેવી મૂર્તિઓમાં આવો કમરબંધ જોવા મળે છે. * ભૂતપૂર્વ ઈડર સંસ્થાનના શામળાજી, ટિંટોઈ અને ચોપાસના પ્રદેશમાંથી પારેવા પથ્થરમાંથી નિર્માણ પામેલો શિલ્પસમૂહ અગાઉ જે હિંમતનગર સંગ્રહાલયમાં સ્થિત હતો તે હવે વડોદરાના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. આ બધી પ્રતિમા ઈસ્વી ૪૦૦ની આસપાસની છે. * શામળાજીમાંથી પાંચમા સૈકાની એક શૈવ પ્રતિમા પ્રાપ્ત થઈ છે. * અહીંથી દ્વિભુજ કાર્તિકેયનું એક શિલ્પ હાથ લાગ્યું છે જે હવે વડોદરા સંગ્રહાલયમાં સ્થિત છે. આ મૂર્તિ ચોથા સૈકાની હોવાનું દર્શાવાય છે. * શામળાજીમાંથી દ્વિભુજ ગણેશની એક પ્રતિમા મળી છે જે ચોથી સદીની હોઈ શકે. * અહીંથી પાંચમી સદીના પ્રથમ ચરણની કાર્તિકેયની એક મૂર્તિ હાથ લાગી છે જે ગુજરાત રાજય પુરાતત્ત્વ ખાતાની કચેરીમાં સચવાયેલી છે. આ પ્રતિમા મનોહર છે. * ગોપના મંદિરના શિખર ઉપરના એક ગવાક્ષમાં ગણેશની એક મૂર્તિ જોવી પ્રાપ્ત થાય છે. આ શિલ્પ અર્ધપર્યકાસનસ્થ છે. * શામળાજીમાંથી આ સમયની દ્વિભુજ સૂર્યની એક પ્રતિમા હાથ લાગી છે. * ડાંગ જિલ્લાના વઘઈ ગામેથી નૃસિંહની એક મૂર્તિ મળી છે જે સંભવતઃ ગુપ્તકાલના અંત સમયની હોવાનો મત છે. * હાલ મ.સ.વિશ્વવિદ્યાલયના પુરાવસ્તુવિદ્યાના વિભાગમાં સંગૃહીત અને વાઘજીપુરામાંથી (શહેરા, પંચમહાલ) પ્રાપ્ત વિષ્ણુ-વાસુદેવની પ્રતિમા ક્ષત્રપકાલના અંત સમયની હોવાનું જણાય છે. તેનામાંથી મળેલી વિષ્ણુની મૂર્તિ જેવી આ પ્રતિમા છે. * પાલીખંડા (શહેરા, પંચમહાલ) ગામેથી કેટલીક પ્રતિમા હાથ લાગી છે, જેમાં વિષ્ણુ, ગજલક્ષ્મી, શિવપાર્વતી, કુબેર, હારિતી, સૂર્ય, સપ્તમાતૃકાઓનો સમાવેશ થાય છે. * હમણાં સુધી અપ્રગટ અને પી.પી.દવેના અંગત સંગ્રહમાં સુરક્ષિત અને પારેવા પથ્થરમાંથી કંડારાયેલી શિવપ્રતિમા ત્રીજી સદીના અંત સમયની કે ચોથી સદીના પ્રારંભની હોવાનું દર્શાવાયું છે. આ પ્રતિમાનું પ્રાપ્તિસ્થાન અજ્ઞાત છે.
For Personal & Private Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
336
ઉપસંહાર
છૂટાછવાયાં પ્રતિમા-શિલ્પોનાં ઉપર્યુક્ત વર્ણનથી તથા દેવની મોરીમાંથી મળેલી બુદ્ધની પ્રતિમાઓની આલેખનશૈલીથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ક્ષત્રપોના શાસન દરમ્યાન, ખાસ કરીને ચોથી સદી દરમ્યાન (એટલે કે પ્રા-ગુપ્તકાળમાં) મૂર્તિવિધાનની આગવી કળાકારીગરી સારી વિકાસ પામી હતી. સુંદરતા અને કોતરણીના પરિપ્રેક્ષ્યમાં આ બધાં શિલ્પ એકંદરે ઉત્કૃષ્ટ જોવાં પ્રાપ્ત થાય છે. આ પ્રતિમાઓનાં વિસ્ફારિત વિશાળ નયન, વસ્ત્રોમાંની કરચલીઓ, સુદૃઢ શરીર, કમરબંધના આમળા તથા અણિશુદ્ધ પાટલી જેવાં વિશિષ્ટ લક્ષણો ક્ષત્રપકાલીન ગુજરાતમાં પ્રતિમાવિધાનકળાનાં ઘોતક છે.
સંશ્લિષ્ટ ઉપસંહાર
ક્ષત્રપકાલીન ગુજરાત
પ્રકરણ અઢાર, ઓગણીસ અને વીસમાં પ્રસ્તુત વાસ્તુકલા, કોતરકલા અને મૂર્તિકલાને સ્પર્શતી ક્ષત્રપકાલના ગુજરાતમાંથી ઉપલબ્ધ સામગ્રી ઉપરથી સ્પષ્ટતઃ કહી શકાય કે એકંદરે આ સમયની લલિતકળાનો ગતિશીલ વિકાસ ખૂબ જ ઉત્કૃષ્ટ કોટિનો હતો અને ક્રમશઃ તેમાં શ્રેષ્ઠતાનાં તત્ત્વો વૃદ્ધિ પામતાં જતાં હતાં. પરિણામે ક્ષત્રપસમયની કલા ચોથી સદીના ઉત્તરાર્ધમાં તો એટલી પૂર્ણતા અંકે કરી શકી હતી કે આ કલાનાં લક્ષણોને ‘પશ્ચિમ ભારતની શૈલી' જેવું નામકરણ પાઠવી શકાય. કહો કે ગુપ્તકાલ પૂર્વે લલિતકલાના ક્ષેત્રે ગુજરાતે એક આગવી કલાશૈલી નિર્માણ કરી હતી. ખાસ કરીને શિલ્પકલાના ક્ષેત્રમાં વસ્ત્રાલંકારની સૂક્ષ્મ અને સ્પષ્ટ આલેખનશૈલી આ કલાની મુખ્ય વિશેષતા બની રહે છે. આવી વિકસિત કલાના કોઈ કલાવિદનું કે કોઈ કલાગ્રંથનું નામ હાથવગું થતું નથી તેનું આશ્ચર્ય જરૂર છે.
ચિત્રકળા
આપણા દેશના કેટલાક પ્રદેશમાંથી શૈલાશ્રયચિત્રો (કહો કે ગુફાચિત્રો) હાથવગાં થયાં છે; ખાસ કરીને મધ્યપ્રદેશમાંથી વિશાળ પાયા ઉપર ખડકચિત્રના સમૂહ મળ્યા છે. રાજસ્થાનમાંથી પણ શૈલચિત્રો પ્રાપ્ત થયાં છે. પરંતુ ગુજરાત આ બાબતે અદ્યાપિ અભાવની સ્થિતિમાં હતું. પરંતુ ગઈ સદીના સાતમા દાયકામાં ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ ખાતાને આ બાબતે સારી સફળતા સાંપડી હતી અને સાબરકાંઠા જિલ્લાનાં સાંપાવાડા, લાલોડા, ગંભીરપુરા અને ઈડરમાંથી ગુફાચિત્રો હાથ લાગ્યાં હતાં. આ ચિત્રોનો સમય પ્રાગૈતિહાસિકયુગથી આરંભી ઇસ્લામી શાસન પર્યંતનો સૂચવાયો છે.
પરંતુ આપણને આ ગ્રંથના સંદર્ભે સાબરકાંઠા જિલ્લાના ઈડરથી બે કિલોમીટરના અંતરે આવેલા ગંભીરપુરા ગામેથી, રાજ્ય પુરાતત્ત્વ ખાતાની રક્ષિત વાપીના પાર્શ્વભાગે સ્થિત, ગ્રેનાઈટના શૈલાશ્રયોમાંથી કુલ નવ સ્તૂપચિત્ર હાથવગાં થયાં છે. આ બધાં શૈલચિત્રો બૌદ્ધધર્મી હોવાનું દર્શાવાયું છે૪૯.
શૈલાશ્રય ચૌદમાંનું સ્તૂપચિત્ર ગેરુરંગની રેખાઓથી અંકિત છે. સ્તૂપચિત્રની બંને તરફ આકર્ષક છત્રયષ્ટિ આકારાયેલી છે (જુઓ ચિત્ર ). શૈલાશ્રય પંદરમાં બે સ્તૂપચિત્ર છે. આબોહવાને કારણે આકૃતિઓ સુસ્પષ્ટ દેખાતી નથી. લાલ રંગથી રેખાઓ અંકિત છે. બેમાંનો
For Personal & Private Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ વીસ
૩૩૯
એક સ્તુપ બીજા કરતાં થોડો મોટો છે. છત્રયષ્ટિ, હર્મિકા અને ચંદ્રાકાર છત્ર ધ્યાનયોગ્ય છે. (ચિત્ર) શૈલાશ્રય સોળમાંથી ત્રણ સ્તૂપચિત્ર મળી આવ્યાં છે. આમાંનું ડાબી તરફનું રેખાચિત્ર અણઘડ જણાય છે. વચલો સૂપ સારી સ્થિતિમાં છે, જ્યારે છેલ્લો સૂપ સર્વોત્કૃષ્ટ છે (ચિત્ર ). છત્રનું આલેખન લંબચોરસ છે. શૈલાશ્રય અઢાર, જે ઇડરિયા ગઢ જવાના માર્ગે “રૂઠી રાણીનો મહેલ નામથી ઓળખાતા સ્થળ પાસેની ગુફામાંથી, ત્રણ આકૃતિ જોવા મળી છે (ચિત્ર ). સૂચિત્ર ઉપર બ્રાહ્મીમાં લખાણ છે, જે અવાચ્ય છે માત્ર રગસ શબ્દ વંચાયો છે. અક્ષરો ચોથીપાંચમી સદીના હોવાનું સૂચવાયું છે. ચિત્રો લાલરંગી રેખાઓથી સોહે છે. આ ચિત્રોમાં પીઠિકા, હર્મિકા, યષ્ટિયુક્ત છત્રથી સુંદર લાગે છે. આ બધાં જ ચિત્રોમાં ધ્વજ રચના અત્યંત સુંદર છે અને હવામાં લહેરાતા હોય તેમ ગતિશીલ છે. સ્તૂપચિત્રોની શૈલી અને બ્રાહ્મી લિપિના મરોડ ઉપરથી આ સ્તૂપાકૃતિઓ ચોથી-પાંચમી સદીનાં એટલે કે ક્ષત્રપાલનાં હોવાનું દર્શાવાયું છે. આથી, આ વિસ્તારમાં બૌદ્ધધર્મના પ્રચાર-પ્રસારનો ખ્યાલ સંપ્રાપ્ત થાય છે.
પાદનોંધ ૧. સાંકળિયા, આ., પૃષ્ઠ ૧૧૬. ૨. એકાક., પટ્ટ ૧૮, નંબર ૨. ૩. એજન, પટ્ટ ૨૩, આકૃતિ નંબર ૫ અને ૬. ૪. જુઓ અગાઉ પૃષ્ઠ ૧૭૭. ૫. આ, પૃષ્ઠ ૧૨૨. ૬. સુશોભનના એક અંગ તરીકે વ્યાલ-આકૃતિનું મૂળ ઉદ્દભવ સ્થાન ખાનનીય ઈરાનમાં છે (એાન્ટ
ઇન્ડિયા, પુસ્તક ૪, પૃષ્ઠ ૧૦૨). સંભવતઃ ઈરાનથી આ આકૃતિનાં આગમન આપણા દેશમાં પૂર્વકાળમાં થયાં હોય. વ્યાલ આકૃતિના અનેક પ્રકાર છે અને મુખભેદથી તેની ભિન્નતા દર્શાવાય છે. સમરાંના સૂત્રધાર (પ્રકરણ ૭૫, શ્લોક ૨૭-૨૮) અને અપરાનિત પૃચ્છા (પ્રકરણ ૨૩૩, શ્લોક ૨૩) ગ્રંથમાં ભાલના સોળ આકારનો નિર્દેશ છે, જેમાં મુખ્યત્વે સિંહ, મેષ, ગજ, અશ્વ, વૃષભ અને
શાર્દૂલ વિશેષભાગે અભિવ્યક્ત થયા છે. ૭. એકાક., પટ્ટ ૨૪ ૮થી૧૧. એજન, પટ્ટ ૧૮, નંબર ૩; પટ્ટ ૧૮, નંબર ૨ અને પટ્ટ ૨૪; જમણો સ્તંભ, પૃષ્ઠ ૧૪૩
અનુક્રમે. ૧૨. એકાક., પટ્ટ ૧૮, નંબર ૩. ૧૩. એજન, પટ્ટ ૨૪. ૧૪, સાંકળિયા ઉપરકોટમાંનાં માનવશિલ્પના શણગારને સાંચી, મથુરા અને અમરાવતીના સ્તૂપનાં શિલ્પ
જેવાં અલ્પવસ્ત્રાચ્છાદિત હોવાનો અભિપ્રાય વ્યક્ત કરે છે (આ), પૃષ્ઠ ૧૧૭). ૧૫. એકાક., પટ્ટ ૨૩, આકૃતિ ૭. ૧૬. કેટલૉગ, પટ્ટ ૯, નંબર ૨૪૩થી ૨૪૫ અને ૨૪૯-૫૦. ૧૭. અને ૧૮. જયેન્દ્ર નાણાવટી અને મધુસૂદન ઢાંકી, જઓઈ., પુસ્તક ૧૦, નંબર ૩, ૧૯૬૧, પૃષ્ઠ
૨૨૩થી ૨૨૫ અને પ્લેટ. ૧૯. એકાક., પૃષ્ઠ ૧૫૦. આ ડુંગરની પાસે એક વાવ છે, જે મંજુશ્રી નામથી ઓળખાય છે અને તેથી
For Personal & Private Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૪૦
ક્ષત્રપકાલીન ગુજરાત
બર્જેસ અહીંની પ્રતિમા બૌદ્ધ હોવાનું દર્શાવે છે. ૨૦૨૧. આગ, પૃષ્ઠ પ૩ અને ૧૬૬ અનુક્રમે. ૨૨. ઋષભનાથે દીક્ષા સમયે કેશલોચનની પ્રક્રિયા વખતે ઇંદ્રની વિનંતીથી મસ્તક પાછળના થોડાક કેશ
રહેવા દીધા હતા એવી માન્યતા પ્રચલિત છે. આદિનાથની આવી કેશયુક્ત પ્રતિમા મથુરામાં અને
અન્યત્ર જોવી પ્રાપ્ત થાય છે. અકોટામાંથી પણ આવી એક મૂર્તિ હાથ લાગી છે. ૨૩. પાંચમી સદી પહેલાંની તીર્થંકરની પ્રતિમાઓમાં વસ્ત્ર વલ્લે જ ધારણ કરેલું પ્રતીત થતું હતું. ઊભી
પ્રતિમા સ્પષ્ટતઃ નગ્ન રજૂ થતી. બેઠેલી પ્રતિમા પણ નિર્વસ્ત્ર હોવા છતાંય તેમાં નગ્નતાનો ભાવ પામી
શકાતો ન હતો,-નથી. તેથી અર્વાચીન મૂર્તિઓ મુખ્યતઃ આ અવસ્થામાં પ્રચલિત છે. ૨૪. સાંકળિયા, આગ, પૃષ્ઠ ૧૬૭. ૨૫. મહેતા અને ચૌધરી, કુમાર, સળંગ અંક ૪૭૧, ૧૯૬૩, પૃષ્ઠ ૯૬થી. ઉપરાંત જુઓ આ લેખકદ્દયનો
દેવની મોરીના ઉત્નનનનો સચિત્ર સંપૂર્ણ અહેવાલ-એસ્કવેશન એટ દેવની મોરી. ૨૬. “ગુજરાતના ક્ષત્રપકાલીન એક શિલ્પનું મસ્તક', સ્વાધ્યાય, પુસ્તક ૫, અંક ૨, ૧૯૬૮, પૃષ્ઠ ૧૯૬થી
૯૮. ચિત્ર પૂંઠા ઉપર દર્શાવ્યું છે. ૨૭. એજન, પૃષ્ઠ ૧૯૭. જો કે ઉમાકાંત શાહ ચાર વર્ષ પછી પોતાના મંતવ્યમાં ફેરફાર દર્શાવી આ
મુખાકૃતિ ઈસ્વીની ત્રીજી-ચોથી સદીની હોવાનું સ્વીકારે છે (ગુરાસાંઈ., ગ્રંથ ૨, ૧૯૭૨, પૃષ્ઠ
૩૯૨). ૨૮. આ અને હવે પછીની (થોડીક મૂર્તિઓના અપવાદ સિવાય) બધી હિન્દુ પ્રતિમાનાં વર્ણન માટે આ
લેખકે ઉમાકાંત શાહના સ્કલ્પચર્સ ફ્રૉમ શામળાજી એન્ડ રોડા નામના ગ્રંથનો વિશેષ આધાર લીધો છે.
ગણેશની પ્રતિમા વાસ્તે જુઓ પ્રસ્તુત ગ્રંથ, પૃષ્ઠ ૧૧૯, ક્રમાંક ૧૪, પૃષ્ઠ ૨૭, ચિત્ર ૧૪. ૨૯. એજન, પૃષ્ઠ ૪૧, ચિત્ર ૨૩ અને પૃષ્ઠ ૧૨૧, ક્રમાંક ૨૩. ૩૦. ઉમાકાંત શાહ, સ્વાધ્યાય, પુસ્તક ૫, પૃષ્ઠ ૧૯૭ અને ઉપર્યુક્ત પૃષ્ઠ ૧૭ અને ૧૧૮. ૩૧. જર્નલ ઑવ ધ યુનિવર્સિટી ઑવ બૉમ્બ, સપ્ટેમ્બર, ૧૯૪૧, પૃષ્ઠ ૧૯૮થી, ચિત્ર ૧. ૩૨. પાદનોંધ ૨૮ મુજબ, પૃષ્ઠ ૧૨૧, ક્રમાંક ૨૪. ૩૩. એજન, પૃષ્ઠ ૪૩, ચિત્ર ૨૫ અને પૃષ્ઠ ૧૨૨. મંજુલાલ મજમુદાર આ મૂર્તિને અનુગુપ્તકાલની
હોવાનું સૂચવે છે (ગુજરાત સંશોધન મંડળ ત્રિમાસિક, એપ્રિલ ૧૯૫૦). ૩૪.થી ૪૧. જુઓ પાદનોંધ ૨૮માં નિર્દિષ્ટ ગ્રંથમાં પૃષ્ઠ ૫૩, ૫૫, ૧૨૩, ચિત્ર ૩૨ અને ૩૫; પૃષ્ઠ
૧૨૩-૧૨૪; પૃષ્ઠ પ૬, ચિત્ર ૩૮ અને પૃષ્ઠ ૧૨૪, ક્રમાંક ૩૮; પૃષ્ઠ પ૯, ચિત્ર ૪૧ અને ૪૧૮ તથા પૃષ્ઠ ૧૨૫, ક્રમાંક ૪૧ અને ૪૧; પૃષ્ઠ ૬૧, ચિત્ર ૪૨ અને પૃષ્ઠ ૧૨૫, ક્રમાંક ૪૨; પૃષ્ઠ ૬૩, ચિત્ર ૪૩-૪૪ અને પૃષ્ઠ ૧૨૫, ક્રમાંક ૪૩-૪૪; પૃષ્ઠ ૬૬, ચિત્ર ૪૭ અને ૫ઇ ૧૨૬, ક્રમાંક
૪૭; પૃષ્ઠ ૭૨-૭૩, ચિત્ર ૫૧ અને ૨૧અ તથા પૃષ્ઠ ૧૨૬ અનુક્રમે. ૪૨-૪૪. ઉમાકાંત શાહ, ગુરાસાંઈ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૮૮-૮૯, ૩૮૯-૯૦ અને ૩૯૧ અનુક્રમે. ૪૫. મંજુલાલ મજમુદાર, ક્રનોલજિ ઑવ ગુજરાત, ગ્રંથ ૧, પૃષ્ઠ ૨૦૯ અને પટ્ટ ૪૪. સંપાદક આ
પ્રતિમાને મૈત્રકકાળની હોવાનું સૂચવે છે. પરંતુ દોલતપર વગેરે સ્થળોની પ્રતિમા સાથે એની
સામ્યતાથી સૂચવાય છે કે તેને ગામની પ્રતિમા ક્ષત્રપકાલીન છે. ૪૬. મુનિન્દ્ર જોશી, “વડનગરમાં ખોદકામ દરમ્યાન મળેલું મુખલિંગ', પથિક ઓક્ટોબર-નવેમ્બર ૧૯૯૨,
પૃષ્ઠ ૭૧-૭૨; “વડનગરનું ક્ષત્રપકાલીન શિલ્પ : એક નવીન ઉપલબ્ધિ’, કમાર, સળંગ અંક ૮૭૩, ૨000 પૃષ્ઠ ૫૫૯ અને ‘વડનગરથી પ્રાપ્ત બોધિસત્વની સલેખ પાષાણ પ્રતિમા', પથિક, વર્ષ ૩૩,
For Personal & Private Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ વીસ
૩૪૧ અંક ૧-૨, પૃષ્ઠ ૭૨-૭૩ તથા “વડનગરનો સમ્મતીય સંઘારામ', સંબોધિ, અંક ૨૦, ૧૯૯૫-૯૬, પૃષ્ઠ ૧૨૩-૨૭. આ ચાર સંદર્ભ-લેખમાંનો ત્રીજો લેખ મુનિન્દ્ર સાથે સહલેખક તરીકે રતિભાઈ
ભાવસાર છે અને ચોથા લેખમાં ૨.ના.મહેતા સાથે મુનિન્દ્ર અને ભાવસાર સહલેખક છે. ૪૭. અત્રે નિર્દેશિત પ્રતિમાઓનાં વિશેષ વર્ણન વાતે જુઓ રવિ હજરીસકૃત ગુજરાતની શિલ્પસમૃદ્ધિ,
પ્રથમ આવૃત્તિ ૧૯૯૮, પૃષ્ઠ ૪થી ૧૪. ૪૮. રવિ હજરનીસ અને એમ.ડી.વર્મા, “સાબરકાંઠામાંથી મળી આવેલાં ગુફાચિત્રો', કુમાર, ફેબ્રુઆરી
૧૯૭૯, પૃષ્ઠ ૪. ૪૯. વિ.હ.સોનાવણે, “રૉક આર્ટ ઑવ ગુજરાત : અ રીજિયોનલ સ્ટડી', પુરાકલા, ૨૦૦૨, પુસ્તક ૧૩, | પૃષ્ઠ ૭૬. ૫૦. ગંભીરપુરા-ઇડરનાં શૈલાશ્રય સ્તુપચિત્ર શોધવાનો યશ તત્કાલના રાજ્ય પુરાતત્ત્વ ખાતાના રવિ
હજરનીસ અને તેમના સાથીઓને ફાળે જાય છે. આની વધુ માહિતી માટે જુઓ રવિ હજરનીસ ‘ગંભીરપુરા : એ રૉક પેઈન્ટીંગ', પંડિત બેચરદાસ દોશી સ્મૃતિગ્રંથ (સંપા. મધુસૂદન ઢાંકી અને સાગરમલ જૈન), ૧૯૭૫, ભાગ ૨, પૃષ્ઠ ૧૦૧થી ૧૦૩, ચિત્ર ૧થી ૩. તથા અંગ્રેજીમાં પંડિત બેચરદાસ દોશી કમેમરેશન વૉલ્યુમ, ઢાંકી અને જૈન, વારાણસી, ૧૯૮૭, પૃષ્ઠ ૧૦૧-૦૩. અને હજરનીસ અને વર્મા, “સાબરકાંઠાનાં ચિત્રોનું સમયાંકન', વિદ્યાપીઠ, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૮૦, પૃષ્ઠ ૪૭-૪૯.
For Personal & Private Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ બાર
હુન્નરકળા પ્રકરણ અઢાર, ઓગણીસ અને વીસમાં આપણે લલિતકળાના વિવિધ અંગો અને તેનાં લક્ષણો પરત્વે પૃથકૃત વર્ણન પ્રસ્તુત કર્યા છે. લલિતકળાનાં આ વિવિધ પાસાંઓનાં નિર્માણકાર્યને ધ્યાનમાં લેતાં આપણે હુન્નરકળા અન્વયે કેટલુંક અવલોકન અહીં પ્રસ્તુત કરીશું. આમ તો, લલિતકળાનો વિકાસ હુન્નરકળાના પરિણામરૂપ છે. આ અંગેની જાણકારી જો કે કોઈ સાહિત્યમાં જોવા મળતી નથી. થોડીક પુરાવસ્તુકીય સામગ્રી હુન્નરકળાને ઓળખવા કાજે સહાયભૂત બને છે. કાષ્ઠની કલાકૃતિઓના નમૂના સ્વાભાવિક જ હાથ લાગ્યા નથી; કેમ કે કાળાંતરે એ નમૂના ટકી જવા મુશ્કેલ જણાય છે. પરંતુ માટી-પથ્થરના કેટલાક હુન્નર આ કાલમાં અસ્તિત્વમાં હતા તો લાકડાકામનો હુન્નર પણ અસ્તિત્વમાં હોઈ શકે. માટીકામનો હુન્નર
માટીનાં ઠીંકરાં, માટીનાં વાસણોના ખંડિત ભાગ, ઈંટો અને માટીની પકવેલી પ્રતિમાના અવશેષ ક્ષત્રપકાલીન ગુજરાતમાંથી ઘણા મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. આથી, સ્પષ્ટતઃ સૂચવી શકાય કે માટીકામનો ઉદ્યોગ કે કુંભારકામનો હુન્નર એ આ સમયના ગુજરાતનો મુખ્ય હુન્નર હોઈ શકે છે.
ક્ષત્રપકાલનાં નગરોનાં ઉત્પનન હજી મોટા પાયા ઉપર હાથ ધરાયાં નથી. તેમ થશે ત્યારે તે સમયનાં વાસણોનાં વિવિધ ઘાટ તથા ચિત્રામણના પ્રકાર પરત્વે પદ્ધતિસરનો અભ્યાસ કરવાનું કાર્ય સરળ બનશે. વડોદરા, ટીંબરવા, વડનગર, નગરા જેવાં આ સમયનાં નગરોનાં વ્યવસ્થિત ખોદકામ થયાં છે. એમાંથી જે અવશેષ પ્રાપ્ત થયા છે તે આધારે તથા બોરિયા, ઈટવા અને દેવની મોરીના મહાતૂપ અને મહાવિહારમાંથી હાથવગી થયેલી સામગ્રીનાં અન્વેષિત પરિણામ ઉપરથી માટીકામની હુન્નરકળાનો કેટલોક ખ્યાલ પામી શકાય છે.
રાતાં ચક્યક્તિ-વાસણ : ગુજરાતમાંથી લગભગ પાંત્રીસેક સ્થળોએથી આ વાસણોના નાનામોટા ખંડિત અવશેષો હાથ લાગ્યા છે. સુંદર મુલાયમ માટીમાંથી આ વાસણો બનાવવામાં આવતાં હતાં. સુબ્બારાવનું એવું માનવું છે કે આ ઉદ્યોગ પહેલપ્રથમ પશ્ચિમ ભારતમાં (એટલે કે વિશેષતઃ ગુજરાતમાં) વિકસ્યો હોય અને પછી ભારતના અન્ય પ્રદેશમાં વિસ્તર્યો હોય.
આ વાસણોને એટલા ઊંચા ઉષ્ણતામાને તપાવવામાં આવતાં કે જેથી એ પ્રમાણસર રાતો રંગ ધારણ કરે અને મજબૂતાઈ બક્ષે. પકવેલાં આ વાસણો ઉપર ટકોરા મારતાં ધાતુના વાસણ જેવો રણકાર સંભળાતો. આથી, સુબ્બારાવ, વ્હીલર અને ક્રોડીંગ્ટન આ વાસણો ઉપર વિદેશી અસર (સંભવતઃ રોમની અસર) હોવાનું સૂચવે છે”. ઈસુની આરંભની ત્રણ-ચાર સદી દરમ્યાન ભારતનો રોમ સાથેનો વેપારસંબંધ શ્રેષ્ઠ કક્ષાનો હતો. કેટલીક જગ્યાએથી આ સમયનાં
For Personal & Private Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ અગિયાર
૩૪3
વાસણો સાથે ગ્રીસ-રોમના પુરાવશેષો પણ પ્રાપ્ત થયા છે". આથી, આ ત્રણેય વિદ્વાનોના અનુમાનને સમર્થન સાંપડે છે.
સફાઈદાર બનાવટ અને સુંદર કુમાશ આ વાસણોનાં મુખ્ય લક્ષણ સૂચવી શકાય. એમની બાહ્ય સપાટી અત્યંત લીસી અને સુંદર તથા ચળકાયુક્ત છે. અમરેલી, સોમનાથ, વડોદરા, કામરેજ, ટીંબરવા, નગરા જેવાં સ્થળેથી આ વાસણોના વિવિધ આકારયુક્ત સુંદર નમૂના હાથ લાગ્યા છે. (જુઓ ચિત્ર ૧૮ અને ૧૯).
| મુખ્ય પ્રકાર : રાતાં અને ચકચકિત વાસણોમાં સહુથી પ્રચલિત પ્રકાર છે ઊંચી ડોક અને સાંકડા મોઢાંવાળાં વાસણોનો (જે સામાન્યતઃ sprinklerથી ઓળખાય છે), આ પ્રકારના નમૂના અમરેલી, સોમનાથ, વડોદરા, કારવણ, વડનગર જેવા સ્થળેથી હાથ લાગ્યાં છે. (જુઓ ચિત્ર ૧૮ અને ૧૯ તથા નકશા-આલેખ-ચિત્ર-સૂચી).
બીજા પ્રકારનાં વાસણોની ડોક લાંબી (ઊંચી) છે, પણ મોઢાં મણકાદાર કાનાવાળાં હોય છે. આવાં વાસણો અમરેલી, સોમનાથ, વડોદરા અને વડનગરમાંથી હાથ લાગ્યાં છે (જુઓ એજન ચિત્રસૂચિ).
ત્રીજા પ્રકારમાં નાનાં વાસણોનો સમાવેશ થાય છે, જે બહુ મોટી સંખ્યામાં મળી આવ્યાં છે. આ વાસણોનાં મોઢાં કાં તો મણકાદાર કાનાવાળાં કાં તો ચાંચદાર કાનાવાળાં છે. આ વાસણોની ગરદન ટૂંકી છે.
સોમનાથમાંથી સંપ્રાપ્ત વાસણો સાદાં અને ચિત્રિત છે, જે ચોથા પ્રકારમાં સમાવી શકાય. આ ચિત્રિત મૃભાન્ડ ઉપર માત્ર આડી જાડી રેખાઓ વચ્ચે ઊભા પાતળા પટ્ટા સફેદ અને જાંબુડિયા રંગમાં આલેખિત છે.
ટીંબરવાનાં ઉખનનમાંથી રાતાં-ચકચક્તિ વાસણોનો માત્ર એક નમૂનો હાથ લાગ્યો છે, જેનો આકાર છીછરી રકાબી જેવો છે. એનો કાનો અંદરના ભાગે વાળેલો છે. અહીંથી પણ ચિત્રિત મૃભાષ્ઠનો એક ખંડિત નમૂનો મળ્યો છે.
અન્ય વસ્તુઓ : માટીનાં ગૃહોપયોગી નાનાંમોટાં વાસણો ઉપરાંત માટીમાંથી નિર્માણ પામેલી અન્ય ચીજવસ્તુઓય ઉખનનોમાંથી હાથ લાગી છે, જેમાં મણકા, બંગડી, મૂર્તિઓ, રોમીય કોઠીઓ, ઓપ ચડાવેલાં વાસણો, રમકડાં ઇત્યાદિનો સમાવેશ થાય છે. વડોદરામાંથી સોપારીના આકાર જેવા પકવેલી માટીના થોડા મણકા મળ્યા છે. આ બધા મણકામાં ઘાટનો ફેર વત્તાઓછા પ્રમાણમાં છે. ટીંબરવામાંથી પણ સોપારીના આકારના રાતા અને કાળા રંગના તથા biotical અને spherical આકારના મણકા હાથ લાગ્યા છે. વડોદરમાંથી પકવેલી માટીમાંથી તૈયાર કરેલાં રમકડાં પણ મળ્યાં છે, જેમાં મગર, કુકડો, ઘોડો, ખૂંધયુક્ત વૃષભ, સ્ત્રીનું ઉત્તરાંગ જેવા નમૂનાનો સમાવેશ થાય છે. અકોટામાંથી માટીનાં મુદ્રાંક મળ્યાં છે.
દેવની મોરી, બોરિયા, ઈંટવા ઇત્યાદિ સ્થળેથી પ્રાપ્ત થયેલા ઈંટરી સ્તૂપ અને વિશિષ્ટ કદની ઈંટોના આધારે આ સમયની કુંભારકળાનો-કુંભારી હુન્નરનો પર્યાપ્ત ખ્યાલ મળે છે. અહીંથી પ્રાપ્ત ઈંટો બે પ્રકારની છે : સાદી અને સુશોભિત. આ સમયે નળિયાં પણ તૈયાર
For Personal & Private Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
કરવામાં આવતાં હતાં. તે લંબચોરસ ઘાટનાં હતાં. નળિયાંની એક તરફ બે કાણાં જોવા મળે છે. કામરેજ, ઈંટવા, દેવની મોરી વગેરે સ્થળોએથી આવાં નળિયાં હાથવગાં થયાં છે. કિલ્લા પણ આ સમયે ઈંટોના ઉપયોગથી તૈયાર થતા હતા, જેના નમૂના શામળાજી, શહેરા વગરે
સ્થળોમાં જોવા મળે છે.
૩૪૪
આ ઉપરાંત શંખની બંગડીઓ અને મણકા બનાવવાનો હુન્નર પણ ખૂબ વિકસ્યો હતો. પ્રભાસપાટણ, અમરેલી, જૂનાગઢ, વડનગર, વલભી, વડોદરા, નગરા, કામરેજ, શામળાજી જેવાં અનેક સ્થળે એનાં પચિહ્નો દશ્યમાન છે. શંખમાંથી સાદી સુશોભનવાળી બંગડી બનતી હતી, જ્યારે તેમાંથી ચોરસ, ગોળ ઇત્યાદિ ઘાટના મણકા તૈયાર કરવામાં આવતા હતા. પથ્થર-ઉદ્યોગ
બાવાપ્યારા, ઉપરકોટ, તળાજા, ઢાંક ઇત્યાદિ સ્થળે સ્થિત ગુફાઓ અને તળાજા તથા શામળાજી આસપાસથી ઉપલબ્ધ થયેલી પ્રતિમાઓ ઉપરથી એવું સૂચવી શકાય કે આ હુન્નર
પણ ક્ષત્રપકાલ દરમ્યાન ઠીક ઠીક વિકાસ પામ્યો હતો. શામળાજીની પાષણ પ્રતિમાની આલેખનશૈલી પાષાણકલાવિધાનની ઊંચી કક્ષાનું સૂચન કરે છે. આ ઉપરાંત પથ્થરમાંથી મણકા, નિશા, ઘંટી, નિશાતા જેવી ચીજવસ્તુઓ તથા પથ્થરની ફર્શબંધી પણ બનાવવામાં આવતી હતી. પથ્થરના ગોળ લખોટા તથા રમકડાં પણ તૈયાર થતાં હતાં.
બાવાપ્યારા અને ઉપરકોટનાં શૈલગૃહોમાંના સ્તંભ અને તેમની ઉપ૨ના શીર્ષ અને બેસણી ઉપરની માનવ-પ્રાણી-આકૃતિઓ તથા ભૌમિતિક ભાત તેમ જ શામળાજીનાં શિલ્પોની સૂક્ષ્મ કોતરણી ગુજરાતના પથ્થર-ઉદ્યોગના કારીગરોની હથોટી અને તેમનાં કૌશલ વિશે શ્રેષ્ઠ અભિપ્રાય દર્શાવી શકાય છે. ખાસ કરીને, ખરતા પથ્થર ઉપર આ પ્રકારની કોતરણી કરવાનું કાર્ય મુશ્કેલ તો ખરું, છતાંય લાકડા જેવી સૂક્ષ્મ કોતરણી ઉત્કૃષ્ટ અને નિપુણ કારીગરીનાં ઘોતક છે.
ધાતુ-ઉદ્યોગ
ધાતુના વપરાશ પરત્વે લોખંડનો વિનિયોગ વિશેષ થયો જણાય છે. અકોટામાંથી લોખંડની ખીલીનો ટુકડો, વીંટી, ખાંચાયુક્ત કુહાડી વગેરે હાથ લાગ્યાં છે. આમાં કુહાડી એ લોખંડમાંથી નિર્માણ પામેલો પૂર્વકાલીન હથિયારનો નમૂનો હોવાનું સૂચવાયું છે. ટીંબરવામાંથી પણ લંબચોરસ માથાવાળી લોખંડની એક ખીલી હાથ લાગી છે. ઉપરાંત લોખંડની છીણી, ભાલોડાં, છરીઓ, સાંકળ, કાતર, તાવેતા જેવી ચીજો પણ સાંપડી છે. આથી, અનુમાની શકાય કે ક્ષત્રપકાલ દરમ્યાન લોખંડનો વપરાશ ચીજવસ્તુઓ બનાવવામાં વધ્યો હતો. વસ્તાન ડુંગરી (જિલ્લો સુરત) અને ધાતવામાં લોખંડ ગાળવાનો વ્યવસ્થિત ઉદ્યોગ ચાલતો હતો૧૧.
આ સમયના ગુજરાતમાંથી તાંબાની થોડીક વસ્તુઓ મળી છે, જેમાં મુદ્રાઓ, ડબ્બીઓ, વીંટી, વલયો વગેરેનો સમાવેશ થઈ શકે છે. દેવની મોરી સ્તૂપમાંથી પ્રાપ્ત તાંબાની ડબ્બી અને નગરામાંથી હાથ લાગેલું સુશોભનયુક્ત ઢાંકણ આ સમયનાં કારીગરોની હસ્તકળાનો પરિચય આપણને સંપડાવી આપે છે.
For Personal & Private Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ અગિયાર
તાંબા અને લોખંડ ઉપરાંત સીસાની થોડીક ચીજો પણ હાથ લાગી છે, જેમાં ક્ષત્રપોના સિક્કા મુખ્ય છે. વળી, કાનનાં બેક ઘરેણાં પણ સીસાનાં મળ્યાં છે. દેવની મોરીના મહાસ્તૂપના પેટાળમાંથી સોનાની ડબ્બી, ટીંબરવામાંથી સોનાના પતરા ઉપર જોવા મળતી ભાતનો નમૂનો વગેરે ઉ૫૨ સોના હુન્નરની માહિતી પ્રાપ્ત થાય છે.
પાદનોંધ
૧. આ બધાં ખોદકામના અહેવાલ માટે જુઓ : સુબ્બારાવ, બરોડા થ્રુ ધ એજીજ; તથા ૨.ના.મહેતાના વડપણ હેઠળનાં ઉત્ખનનકાર્યના પ્રગટ થયેલા અહેવાલ એક્ષ્મવેશન એટ ટીંબરવા (૧૯૫૫), એફ્ટવેશન એટ વડનગર (૧૯૫૫) અને એવેસન એટ નગરા (૧૯૭૦).
૩૪૫
૨. જુઓ સુબ્બારાવ, ઉપર્યુક્ત ગ્રંથ.
૩. એજન, પૃષ્ઠ ૫૮.
૪-૫. એજન, પૃષ્ઠ ૩૨, ૫૬ તથા ૬૫ અનુક્રમે. ઉપરાંત જુઓ ૨.ના.મહેતા, એવેશન એટ ટીંબરવા, પૃષ્ઠ ૩.
૬.
એક્ષ્મવેશન એટ ટીંબરવા, પૃષ્ઠ ૨૦-૨૧.
૭.
બરોડા થ્રુ ધ એજીજ, પૃષ્ઠ ૮૭, પટ્ટ ૧૪ અને ૧૬.
૮થી૧૧. ગુરાસાંઇ., ગ્રંથ ૨,૮ પૃષ્ઠ ૩૨૪-૨૫; પૃષ્ઠ ૩૨૮-૨૯; પૃષ્ઠ ૩૩૧-૩૨ અને પૃષ્ઠ ૩૨૯ અનુક્રમે.
For Personal & Private Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ એકવીસ
લોકજીવન (પ્રાકૃતિક, આર્થિક અને સામાજિક)
ક્ષત્રપોના શાસન સમય દરમ્યાન ગુજરાતના લોકજીવન બાબતે સળંગ અને વિગતથી માહિત ભાગ્યે જ ઉપલબ્ધ થાય છે. આથી, લોકજીવન સબબ એનાં જે પાસાં વિશે જે કોઈ છૂટી છવાઈ માહિતી પ્રાપ્ત થાય છે તે તમામને અહીં સંકલિત સ્વરૂપે પ્રસ્તુત કરવાનો એક પ્રયાસ કર્યો છે. પ્રાકૃતિક પરિસ્થિતિ
કોઈ પણ પ્રદેશના લોકજીવનનાં ઘડતરમાં સ્થાનિક ભૌગોલિક વાતાવરણની અને પર્યાવરણની પરિસ્થિતિ મુખ્ય ભાગ અદા કરે છે. એટલે આપણે અહીં આરંભમાં ક્ષત્રપ સમયના ગુજરાતની પ્રાકૃતિક સ્થિતિનાં અવલોકન કરીશું.
કચ્છના અખાતમાં ખાસ કોઈ ભૌગોલિક ફેરફાર થયો હોય એવી માહિતી ઉપલબ્ધ નથી. આ અખાત વિભિન્ન સમયે વિભિન્ન નામથી ઓળખાતો હતો. પેરિપ્લસમાં “બરાકાનો (દ્વારકાનો) અખાત” એવો ઉલ્લેખ છે, જે કચ્છના અખાતના સંદર્ભમાં હોવાનું સૂચવાયું છે. તેથી કચ્છનો અખાત ત્યારે દ્વારકાના અખાત તરીકે ઓળખાતો હતો. આ ઉપરથી સૂચવી શકાય કે યાદવકાલીન મૂળ દ્વારકા ગમે તે જગ્યાએ સ્થિત હોય પણ ક્ષત્રપકાલમાં એનું સ્થાન હાલની દ્વારકા પાસે રહેલું હોવાનું સ્પષ્ટ થાય છે. અત્યારની દ્વારકાના વિસ્તારમાં ઉત્પનનકાર્ય થતાં ત્યાંથી ક્ષત્રપ અવશેષો હાથ લાગ્યા છે.
તોલમાય કચ્છના અખાતને “કન્વીનો અખાત” એવા નામથી ઓળખાવે છે. અને બરાકા’ને એ અખાતના એક ટાપુ તરીકે દર્શાવે છે. જ્યારે પેરિપ્લસ બરાકાના અખાતમાં સાત ટાપુ હોવાનું નોંધે છે. અત્યારે ખંભાતના અખાતને નામે ઓળખાતો અખાત પણ ક્ષત્રપ કાલમાં અસ્તિત્વમાં હતો, માત્ર તે ઓળખાતો જૂદા નામે. પેરિપ્લસ અને તોલમાપ બારિગાઝા'ના અખાતનો ઉલ્લેખ કરે છે, જે હકીકતમાં ખંભાતના અખાત માટે પ્રયોજાયેલો શબ્દ છે. આ માટેનું કારણ એ હોઈ શકે કે ત્યારે ખંભાત નગરનું અસ્તિત્વ ના હોય. તે સમયે નગરા નામનું મોટું નગર હતું. પણ બંદર તરીકે તેની ખ્યાતિ જાણવામાં નથી. ત્યારે એ અખાતમાં નર્મદાના મુખ પાસેના ભરુકચ્છનું બંદર તરીકે મહત્ત્વ હતું. તેથી તે આખો અખાત ભરુકચ્છના અખાત તરીકે ઓળખાતો હતો.
હાલના ઘોઘા પાસે સ્થિત હાથબ, જેનું પૂર્વકાળમાં નામ હતું હસ્તકવપ્ર, આ કાલ દરમ્યાન સમુદ્રતટ પાસે હોવાનું પેરિપ્લસનાં વર્ણનથી સ્પષ્ટ થાય છે. પેરિપ્લસમાં એનું નામ અષ્ટકંપ્ર છે, જ્યારે તોલમાપની ભૂગોળમાં કર્તવ્ર છે. પેરિપ્લસમાં તે સાથે “પાપિકા' ભૂશિરનો ઉલ્લેખ છે. તેથી તે પણ સમુદ્રતટે હોય એમ કહી શકાય.
For Personal & Private Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ એકવીસ
૩૪૭
હાલના ગોપનાથનું પૂર્વકાલીન નામ પાપિ હોવાનું સૂચન ભગવાનલાલે કર્યું છે. જો કે ગોપનાથનું મંદિર ગોપસિંહજીએ સોળમી સદીમાં બંધાવેલું. તેથી તે નામ એથી વધારે પૂર્વસમયનું હોય નહીં. એટલે ભગવાનલાલનું સૂચન શંકાસ્પદ રહે છે.
પેરિપ્લસમાં “મૈયોનિસ’ નામના બેટનો ઉલ્લેખ છે. એમાંનાં વર્ણન ઉપરથી તે નિર્દેશ દીવ(દ્વીપ)ના સંદર્ભમાં હોવાની અટકળ થઈ શકે; કેમ કે દીવ ત્યારે સુરાષ્ટ્ર સાથે સંલગ્નિત હોય એમ પ્રણાલિકાના આધારે અળતેકરે અનુમાન્યું છે. જો કે બૈયોનિસને સ્પષ્ટતાઃ દીવ તરીકે ઓળખાવવું શક્ય નથી.
તોલમાપની ભૂગોળમાં સુરાષ્ટ્ર દ્વીપકલ્પના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા મોનોગ્લોસોન બંદરનો ઉલ્લેખ છે, જે સંભવતઃ હાલના જૂનાગઢ પાસે આવેલું માંગરોળ હોય. તોલમાયનો નવસરિપા અંગેનો ઉલ્લેખ હાલના નવસારીના સંદર્ભમાં હોવાનું સૂચવી શકાય.
સુરાષ્ટ્રને આલિંગતા સમુદ્રતટની સીમામાં ઝાઝો કોઈ ફેરફાર થયો હોય એમ સૂચવાતું નથી. ક્ષત્રપકાલ દરમ્યાન પણ આજની જેમ સુરાષ્ટ્રને ફરતો સમુદ્રકાંઠો હોવાનું પેરિપ્લસની નોંધથી સૂચિત થાય છે. પેરિપ્લસ કે તોલમાયે સુરાષ્ટ્રના દ્વીપકલ્પનાં બંદર કે સમુદ્રતટનાં સ્થળવિશેષનો નિર્દેશ કર્યો નથી.
પ્રસ્તુત ચર્ચાથી એવું અનુમાન તારવી શકાય કે દ્વારકા, માંગરોળ, પ્રભાસ, ગોપનાથ, હાથબ, નગરા, ભરૂચ, નવસારી વગેરે તત્કાળ સમુદ્રતટનાં સૂચક સ્થાન હોવા સંભવે. નદીઓ
આ સમયની કેટલીક નદીઓનો પરિચય ક્ષત્રપ રાજાઓના કેટલાક શિલાલેખથી મળે છે. તેમાં નિર્દિષ્ટ નદીઓ આ મુજબ છે : સુવર્ણસિક્તા, પલાશિની, તાપી, દમણ, બાર્ણાશા, ઈબા, પારદા, કરવેણવા વગેરે. (જુઓ પ્રકરણ અગિયાર, પાદનોંધ ૨માં આ નદીઓની ઓળખ).
સુવર્ણસિક્તા અને પલાશિની નદીઓ ગુજરાતના સુરાષ્ટ્ર વિસ્તારની છે. હાલ આ બંને નદી નાનાં ઝરણાં જેવી, કહો કે વહેળા જેવી, હાલતમાં છે. રુદ્રદામાના સમયમાં એ ઘણી મોટી નદીઓ હતી. બંને નદી આમ તો ગિરિનગરમાંથી વહે છે, પણ સુવર્ણસિક્તા (હાલ સોનરેખ તરીકે ઓળખાય છે) દામોદર કુંડ પાસે થઈને વહેતી હતી અને પલાશિની વર્તમાન વંથલી પાસે પલાશિયો નામનો વાંકળો છે તે હોવાનું સંભવે છે.
શેષ નદીઓ નહપાનના સમયના લેખમાં છે જેમાં ક્રમ આ મુજબ છે. બાર્ણાશા, ઇબા, પારાદા, દમણ, તાપી, કરવેણવા. જો કે આ નિર્દેશ ભૌગોલિક ક્રમમાં હોય તેમ જણાતું નથી, પરંતુ તે બધી નદીઓ (બાર્ણાશા સિવાય) દક્ષિણ ગુજરાતમાં હોવાનું સૂચવાય છે. બાર્ણાશાનો ઉલ્લેખ પાલનપુર પાસે વહેતી બનાસ નદીના સંદર્ભમાં હોઈ શકે.
પેરિપ્લસ અને તોલમાયમાં૧૫ મહી અને નર્મદાનો તથા તોલમાયમાં આ ઉપરાંત તાપી અને બનાસનો ઉલ્લેખ છે. પેરિપ્લસમાં મહી માટે મૈસ અને તોલમાપમાં મોક્ષસ નામ પ્રાપ્ત થાય છે. નર્મદા માટે પેરિપ્લસમાં નમ્નાદુસ પ્રયોગ જોવો પ્રાપ્ત થાય છે, જ્યારે તોલમાપમાં નમદુસ. તોલમાય તાપીને નાનાગૌન (?) અને બનાસને પનસ તરીકે ઓળખાવે છે.
For Personal & Private Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
સંક્ષેપમાં એટલું સૂચવી શકાય કે ક્ષત્રપકાલ દરમિયાન તાપી, નર્મદા, મહી, ઈબા, પારદા, દમણ, કરવેણવા, બાર્ણાશા, સુવર્ણશિકતા, પલાશિની જેવી નદીઓ ગુજરાતમાં વહેતી હોવા સંભવે છે. આ સિવાય અન્ય નદીઓ કદાચ વહેતી હોવી જોઈએ જેમના વિશે કોઈ પણ પ્રકારનાં જ્ઞાપકો હાથવગાં નથી. તેથી તે અંગે કોઈ અટકળ કે અનુમાન કરવું શક્ય નથી. પર્વતો
૩૪૮
ક્ષત્રપ શાસકોના કેટલાક શિલાલેખોમાં પર્વતો વિશે નિર્દેશ છે. રુદ્રદામાના ગિરિનગરના શૈલલેખમાં {યત્ પર્વતનો નિર્દેશ છે. જો એમાંથી સુવર્ણસિક્તા અને પલાશિની નદીઓ વહેતી હોવાનો ઉલ્લેખ ધ્યાનમાં લઈએ તો ઊર્જયત્ એ હાલના ગિરનારનું પૂર્વકાલીન નામ હોવાનું અનુમાન સ્પષ્ટ થઈ શકે છે. તળ ગિરનારમાંથી ઉપલબ્ધ તેર શિલાલેખોમાંથી અગિયાર લેખમાં સુબ્બયન્ત નામ પ્રયોજાયેલું છે. આ બધા લેખ ઈસ્વીની ચૌદમી સદી સુધીના હોઈ ત્યાં સુધી આ નામ વધુ પ્રચલિત હોવાનું દર્શાવી શકાય છે. ઉન્નયન્તને કેટલીકવાર રૈવત પણ કહેતા. દા.ત. સ્કંદગુપ્તના લેખમાં અને રિવંશ પુરાળમાં ર્નયના પર્યાય તરીકે રૈવતનો ઉલ્લેખ છે.
તળાજા, સાણા, ઢાંક, ખંભાલીડામાં શૈલોત્કીર્ણ ગુફાઓ હોવાની વિગતો આપણે અગાઉ અવલોકી છે (જેઓ પ્રકરણ અઢાર). તેથી આ બધા પર્વતો તત્કાળે અધિક લોકપ્રિય હોવા જોઈએ, વિશેષ કરીને ધર્મના પરિપ્રેક્ષ્યમાં અને શિલ્પસ્થાપત્યના સંદર્ભમાં. પુરાણોમાં જેમના વિશે ઉલ્લેખ છે તે વિંધ્યાચળ અને સાતપુડા પર્વત પણ આ સમય દરમ્યાન અસ્તિત્વમાં હોવા સંભવે; કેમ કે ભૂસ્તરીય પરિવર્તન પર્વતમાં જવલ્લે જ થતાં હોય છે.
જળાશયો
નહપાનના સમયના ગુફાલેખોમાં ભરૂચ, દશપુર, ગોવર્ધન જેવાં સ્થળોએ વાવકૂવાના નિર્માણકાર્ય થયાં હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે (પરિચય માટે જુઓ પ્રકરણ અગિયાર, પાદનોંધ ૨). રુદ્રદામાના શૈલલેખમાં સુદર્શન તળાવનો નિર્દેશ છે. ગુંદાના લેખમાં રસોપદ્રીય ગામે કૂવો ખોદાવ્યાનો ઉલ્લેખ છે. આથી, અનુમાની શકાય કે ક્ષત્રપકાલ દરમ્યાન આ પ્રકારનાં જળાશયની વ્યવહારુ ઉપયોગિતા કેટલી હશે; ખાસ કરીને ખેતીના વિકાસમાં સિંચાઈના સંદર્ભે (દા.ત. સુદર્શન) અને અન્યથા લોકોપયોગી પૂર્વકાર્ય (પૂણ્યકાર્ય) તરીકે. તત્કાલના ગુજરાતમાં આ સિવાય પણ અન્ય અનેક જળાશય હોવાં જોઈએ, પણ તે વિશે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણ ઉપલબ્ધ થયાં નથી.
આબોહવા
રુદ્રદામાના શૈલલેખથી સ્પષ્ટ થાય છે કે ભારે વરસાદને કારણે સુવર્ણસિક્તા અને પલાશિની નદીમાં ભારે પૂર આવ્યાં. આ ઘટના માગશર મહિનામાં ઘટેલી. આથી, ગુજરાતના સુરાષ્ટ્ર પ્રદેશમાં ભારે વરસાદ થતો હશે અને શિયાળામાં ભારે માવઠું પણ થતું હશે. પેરિપ્લસમાં આ વિસ્તારની પેદાશના નિર્દેશ ઉપરથી ઉપર્યુક્ત અનુમાનને સમર્થન પ્રાપ્ત થાય છે. આવી પરિસ્થિતિ ગુજરાતના અન્ય વિસતારોમાં થતી હોવી જોઈએ પણ તેનાં પ્રમાણ હાથવગાં થયા નથી.
For Personal & Private Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ એકવીસ
૩૪૯
કચ્છનો અખાત તોફાની હોવાની હકીકત પેરિપ્લસે નોંધી છે. આથી અહીંથી પસાર થતાં વહાણને ખૂબ સાવચેતી રાખવી પડતી હશે. બારિગાઝાનો અખાત પણ સાંકડો હોઈ વહાણવટીઓને પરેશાન કરતો. આથી છીછરા પાણીમાં જઈ શકે તે પ્રકારની હોડીઓ સજ્જ ભોમિયા સુરાષ્ટ્રના કાંઠા સુધી જઈ બારિગાઝા આવતાં વહાણને માર્ગદર્શન આપવાનું કામ કરતા હોવાની વિગત પરિપ્લસમાં છે. આથી, ગુજરાતના સમુદ્રકાંઠાની આબોહવા અને દરિયાનાં જોખમની પ્રતીતિ થાય છે. વસાહત
વેપારવણજ અને ધનધાન્યની સમૃદ્ધિ અંકે કરનાર આ પ્રદેશમાં પ્રજાની નાની મોટી સંખ્યાતીત વસાહત હોવાનું અનુમાન કરી શકાય. આ સમયના લેખોમાં નાનાંમોટાં કેટલાંક ગામનો નિર્દેશ છે, જેમનો સ્થળનિર્ણય થઈ શકે છે. તદનુસાર આ ગામોને ગુજરાતની પ્રાકૃતિક પાર્શ્વભૂમિકાના નકશામાં ગોઠવવામાં આવે તો તેમાંના ઘણાં સ્થળ નદીતટે કે સમુદ્રકાંઠે આવેલાં હોય એમ સૂચવાય છે. દા.ત. ભરૂચ, પ્રભાસ, દ્વારકા, નગરા, હાથબ, વલભી વગેરે.
ભરુકચ્છના જેવાં દ્રોણમુખનું મહત્ત્વ આ સમયમાં હોવાનું દર્શાવી શકાય તેમ છે; કારણ કે આ પ્રકારનાં સ્થળ જળમાર્ગ અને સ્થળમાર્ગ એમ ઉભય માર્ગનાં મુખ ઉપર વસેલાં હોઈ વેપારવણજના વિકાસનો વિશેષ અવકાશ રહે છે. આથી, ભરૂચ આ સમયના ગુજરાતની સૌથી મોટી વસાહત હોવાનું દર્શાવી શકાય. કહો કે દ્રોણમુખનું સ્થાન વસવાટ વાતે વધારે વૃદ્ધિદાયી હોય છે.
ઉખનન દ્વારા પ્રાપ્ત પુરાવશેષો ઉપરથી દ્વારકા, પ્રભાસ, અમરેલી, વડનગર, દેવની મોરી, નગરા, ટીંબરવા, અંકોટક, કારવણ, કામરેજ જેવાં સ્થળ પણ મોટી વસાહત જેવાં હોય એ સંભવે છે. ગિરિનગર તો અશોકના સમયથી વહીવટી કેન્દ્ર તરીકેનું મહત્ત્વ અંકે કરતું આવ્યું છે. એટલે ક્ષત્રપકાલ દરમ્યાન તે પણ ભરૂચના જેવું મોટું વસાહતી કેન્દ્ર હોવાનું સ્પષ્ટતઃ સૂચવી શકાય. માંગરોળ (જૂનાગઢ પાસેનું) પણ તોલમાપના સૂચવ્યા અનુસાર મોટું વસાહતી શહેર હોઈ શકે. તોલમાય આ ઉપરાંત સિદ્ધપુર (asiuda), થાન (theophila), સોજિત્રા (sazantion) વગેરે સ્થળવિશેષનો નિર્દેશ કરે છે. આ બધાં સ્થળ પણ વસાહતી હોઈ શકે. જૈન આગમોની વાચના માટે થયેલી વલભીની પસંદગી ઉપરથી તે ધાર્મિક અને શૈક્ષણિક એવું એક મોટું વસાહતી કેન્દ્ર હોવાનું સ્પષ્ટ સૂચવી શકાય. આથી, વલભી પણ સંભવતઃ ભરૂચ અને ગિરિનગર સમકક્ષ મોટું નગર હોવાનું સૂચવી શકાય. ગુંદાના લેખમાં “રસોપદ્રીય' ગામનો નિર્દેશ પણ વસાહત હોવાનું સૂચન કરે છે.
તે જમાનામાં સોએક વર્ષની સમયાવધિમાં જૂની વસાહતો નાશ પામે અને નવી સ્થપાય એ બહુ સંભવિત જણાતું નથી. એટલે કે મૈત્રકકાળ દરમ્યાન જે ગામડાં, નગરો કે મોટી વસાહતો હતાં એમાંનાં ઘણાંનું અસ્તિત્વ પ્રામૈત્રકકાલમાં એટલે કે ક્ષત્રપકાલમાં હોય એવું અનુમાની શકાય. તદનુસાર ખેડ(ખેટક), વઢવાણ (વર્ધમાન), ગોધરા (ગોદ્રહક), જંબુસર, શિહોર (સિંહપુર) ઇત્યાદિમાંથી ઘણી વસાહતો ક્ષત્રપાલમાં હોવા સંભવી શકે.
For Personal & Private Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
зЧо
ક્ષાપકાલીન ગુજરાત
વેપારવણજ
ઈસુની પહેલી સદી સુધી ગ્રીક લખાણયુક્ત અપલદત્ત અને મિનેન્ટરના છાપવાળા સિક્કાઓનું ચલણ બારિગાઝામાં હતું અને સ્થાનિક ચલણના બદલામાં જેના ઉપર સારો વટાવ મળે છે તેવા સોના-ચાંદીના સિક્કા બારિગાઝા આવતા હતા એવી પેરિપ્લસની નોંધથી૧૯ સૂચિત થાય છે કે ક્ષત્રપકાલના આરંભમાં વિદેશો સાથે, ખાસ કરીને ગ્રીસ અને રોમ સાથે, ગુજરાતનો વેપાર વ્યાપક પ્રમાણમાં પ્રવર્તમાન હતો અને ભરુકચ્છ વેપાર-ઉદ્યોગનું ધીખતું કેન્દ્ર અને મોટું બંદર હતું.
આ બંદરેથી આયાત-નિકાસ થતા માલનો પરિચય પેરિપ્લસમાંથી પ્રાપ્ત થાય છે. કઠ(coptus), જટામાંસી (spikenard), ગુગળ, હાથીદાંત, અકીક, પન્ના, હરતાલ(lycium), સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મુલાયમ કાપડ, સૂતર, મોટી પીપર તથા આપણા દેશના અન્ય વિસ્તારોનાં બજારમાંથી આવતી અનેક ચીજોની આ બંદરેથી નિકાસ થતી હતી.
પોલકેશ (પુષ્કલાવતી), કાસ્પપાઈરી (કાશ્મીર), પારોપાનીસી (હિન્દુકુશ), કાબોલિતિક (કાબુલની આસપાસનો પ્રદેશ), સિળિયા (શક-પદ્વવોનો ભારતીય પ્રદેશ), ઓઝીની (ઉજ્જન), સુરાષ્ટ્ર અને બારિગાઝા આસપાસના મુલકની જરૂરિયાતની બધી ચીજો તથા અકીક, પન્ના, મલમલ, મુલાયમ કાપડ વગેરે ચીજો બારિગાઝા આવતી અને અહીંથી તે વિદેશ નિકાસ થતી.
બારિગાઝા બંદરે આયાત થતી ચીજોમાં ઇટાલીય અને લાઓડિસિયાઈ દારૂ, તાંબું, કલાઈ, સીસુ, પરવાળાં, પોખરાજ, બાટીક વિવિધ પ્રકારનાં કાપડ, કમરબંધ, મીઠાં લવિંગ, અપારદર્શક જાડો કાચ, હિંગળો, મમીરો (antimony), સોનારૂપાના સિક્કા, લેપ, રૂપાનાં વાસણો વગેરેનો સમાવેશ થતો.
ભરૂચ સિવાય દ્વારકા, માંગરોળ, પ્રભાસ, વલભી, ગોપનાથ, હાથબ, નગરા વગેરે જેવી વસાહતો પણ સમુદ્રતટે કે સમુદ્રની નજદિકમાં આવેલી હોઈ તે સ્થળો પણ વેપારવાણિજ્યનાં કેન્દ્ર હોઈ શકે છે. વ્યવહારનું માધ્યમ
વેપારના વિનિમયમાં કે વાણિજિયક વસ્તુઓની લેવડદેવડમાં અને સામાજિક વ્યવહારમાં આદાન-પ્રદાનના સંદર્ભે કોઈ એક નિશ્ચિત માધ્યમ હોવું અનિવાર્ય છે. નાણાં એ આવા પ્રકારની લેવડદેવડ વાસ્તુ કે આદાનપ્રદાન કાજે સરળ માધ્યમ વૈશ્વિક સ્તરે સ્વીકારાયું છે. જગતનો કોઈ પણ ભૂભાગ આમાં અપવાદ હોઈ ના શકે.
ક્ષેત્રપાલ દરમ્યાન નાણાંનાં ચલણ વ્યવહારમાં અસ્તિત્વ ધરાવતાં હતાં એની સ્પષ્ટ પ્રતીતિ ક્ષત્રપ શાસકોના સંખ્યાતીત સિક્કાઓની ઉપલબ્ધિથી થાય છે. આ સમયે એનું નામ #ાર્કાપા હતું તેની નોંધ અગાઉ કરી છે (જુઓ પ્રકરણ તેર) આ રાજાઓએ નિર્માણ કરાવેલા ચાંદીના સિક્કા આ સમયના ગુજરાતનું ચલણ હોવાનું સૂચિત થાય છે; કહો કે સુસ્પષ્ટ થાય છે.
For Personal & Private Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ એકવીસ
૩૫૧
આ ઉપરાંત એનાં બીજાં એકમ તરીકે તાંબાના, સીસાના અને પૉટનના સિક્કા પ્રચારમાં હતા. આ નાણાંની કઈ સંજ્ઞા હતી કે તેનું કર્યું મૂલ્ય હતું તે વિશે કોઈ જાણકારી હાથવગી થતી નથી. સંવનનામાં દર્શાવ્યા મુજબ ક્ષત્રપ સિક્કાનું અપર નામ રવૃત્ત હતું. નાણાં બજાર અને લેવડદેવડા
નહપાનના સમયના ઉષવદાત્તના નાસિકના શિલાલેખથી સૂચવાય છે કે ધીરધાર જેવી જાહેર સેવાની કોઈ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. આ લેખમાં, ઉષવદારે ૨૦૦૦ કાર્દાપણ ગોવર્ધન (જિલ્લો નાસિક)માં સ્થિત શ્રેણીઓ પૈકી એક વણકર પેઢીમાં (ફોતિ નિઝા) કાયમી અનામત વાસ્તે મૂક્યા હતા, એવો નિર્દેશ છે. આ રકમ પેટે એના વ્યાજની રકમમાંથી ગુફાનિવાસી ૨૦ સાધુઓને ૧૨ કાર્દાપણના મૂલ્ય જેટલાં કપડાં માટે દાન આપવાની જોગાવઈના ઉલ્લેખ છે : તો તને વાર્તાનાં મિશ્ન વિગત પ્રસ્થ વૈવરિ દ્વારા (ાર્થાપના)૧.
સામાન્યતઃ બૌદ્ધ ભિક્ષુને ત્રણ ચીવર (વસ્ત્રો પહેરવાની છૂટ હતી : અન્તર્વા (અંતરીયઅંદરનું વસ્ત્ર), ઉત્તરા (ઉત્તરીય-ઉપલું વસ્ત્રો અને સંધારી(આખા શરીરને હૂંફ આપનારું બેવડું વસ્ત્ર)૨૨. આમ, ત્રણે વસ્ત્રની બનેલી એક જોડ કપડાં કાજે વર્ષે ૧૨ કાર્દાપણની જરૂર પડતી એવું આથી સમજાય છે. *
- સાધુઓનાં ચીવર માટે અનામત રાખેલી રકમનું વ્યાજ, લેખમાં દર્શાવ્યા અનુસાર પ્રતિમાસે એક ટકા એટલે કે વાર્ષિક ૧૨ ટકા હતું એમ સ્પષ્ટ થાય છે. આ ગામમાં સ્થિત બીજી એક વણકર પેઢીમાં (સ્રોનિક નાય) ૧૦૦૦ કાર્દાપણની મૂડી રોકી હતી. તેના વ્યાજમાંથી સાધુઓને દાન અપાતાં. આ મૂડીનાં વ્યાજનો દર પ્રતિ માસે ૩ ટકા એટલે કે વાર્ષિક ૯ ટકાનો હતો. એક ગામમાં સ્થિત અને એક જ પ્રકારના વ્યવસાયમાં વ્યસ્ત બે પેઢીમાં વ્યાજના ભિન્ન દરથી એવું ફલિત થાય છે કે વ્યાજના દર ૯ ટકાથી ૧૨ ટકા સુધીના હશે. લેખના અંતમાં નિર્દેશ છે તે મુજબ તે ગામની સ્થાનિક સંસ્થાના દસ્તાવેજી કાર્યાલયમાં નિયમ મુજબ થાપણની જાહેરાત નોંધાવવી પડતી હતી (સ્ત્રાવિત નિયામસમાય નિબંધ ૨ નવારે વરિત્રતોતિ)૨૩. આંથી, એમ દર્શાવી શકાય કે પંચાયત જેવી કોઈ સંસ્થા અસ્તિત્વમાં હોવી જોઈએ અને લોકોની સલામતી એની મુખ્ય ફરજ હોવી જોઈએ.
અહીં એ વિચારવું પ્રાપ્ત થાય છે કે ઉષવદાત્ત નહપાનનો જમાઈ હતો અને તેથી સરકારમાં એની વગને કારણે એણે સરકારી તિજોરી મારફતે ઉપર્યુક્ત વ્યવસ્થા અમલી બનાવી હોત. પણ તેને બદલે તેણે શ્રેણીમાં (શરાફ પેઢીમાં) નાણાં મૂક્યા હતાં. આથી, ફલિત થાય છે કે ક્ષત્રપકાલ દરમ્યાન આવી શ્રેણીઓ જાહરેક્ષેત્રમાં સારો વિશ્વાસ ધરાવતી હશે અને એમનાં લેવડદેવડ તથા વ્યવહાર વધારે પ્રમાણિક હશે તેમ જ સરકારમાં શ્રેણીસૂપ(hierarchy)નાં દૂષણ હશે અને લોકોને મુશ્કેલી પડતી હશે.
પૂર્વકાલીન બૌદ્ધ અને હિન્દુ સાહિત્યમાં તથા અભિલેખોમાં શ્રેણીસંઘોનો ઉલ્લેખ આવે છે. રમેશચંદ્ર મજુમદાર આવી સત્તાવીસ જેટલી શ્રેણીની યાદી પ્રસ્તુત કરી સૂચવે છે કે
For Personal & Private Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૫ર
ક્ષત્રપકાલીન ગુજરાત પૂર્વકાલીન ભારતના બધા પ્રદેશમાં આ સંસ્થાઓ આધુનિક બૅક જેવું કાર્ય કરતી હતી. આથી દર્શાવી શકાય છે કે વ્યાજે નાણાં ધીરવાનો કે રોકેલી મૂડીનું વ્યાજ આપવાનો રિવાજ હતો, જે આર્થિકવિકાસનું દ્યોતક ગણાય. જમીન અને ખેતીવાડી
- સાધુઓને દાન આપવા સારુ ઉષવદાજે ૪000 કાર્દાપણ આપી જમીનનો ટુકડો ખરીદ્યો હતો. નહપાનનો જમાઈ હોઈ સરકારમાં સારી લાગવગ ધરાવતો હોવો જોઈએ અને છતાંય તેનો લાભ લેવાને સ્થાને જમીન સ્વયં ખરીદે છે. આ ઉપરથી સૂચિત થાય છે કે ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં જમીનની માલિકી વ્યક્તિગત સ્વરૂપની હશે અને રાજય સરકારનું માલિકીપણું ફક્ત નકામી અને પડતર જમીન પૂરતું સીમિત હોવું જોઈએ.
જમીનના માપ અને મૂલ્ય વિશે કોઈ જાણકારી હાથવગી થતી નથી; કેમ કે ઉષવદારે ૪૦૦૦ કાર્દાપણ આપી જમીન ખરીદી હતી પણ તે જમીન કેટલી હતી અને કેટલા માપની હતી તેની કોઈ નોંધ તે લેખમાં નથી.
ખેતી આ સમયમાં ગુજરાતમાં મુખ્ય વ્યવસાય હતો. સુદર્શન તળાવનું નિર્માણ એમાંથી ખોદાવેલી નહેરો, અતિવૃષ્ટિથી બંધ તૂટતાં રાજ્યના ખર્ચે તેનું સમારકામ, ભરૂચ વગેરે બંદરેથી થતી ચીજવસ્તુઓની નિકાસ, ઉષવદારે દાનમાં આપેલી જમીન વગેરે વિગતો ઉપર્યુક્ત અનુમાનને સમર્થન આપે છે. ખેતીનો વિકાસ એ રાજયની જવાબદારી હોય એમ પણ આ વિગતોથી દર્શાવી શકાય છે. જો કે ખેતીના વિકાસની નિસબત એ રાજયના વહીવટી ક્ષેત્રમાંનું પ્રાથમિક લક્ષણ હોય એનો આભિલેખિક પુરાવો એટલે ગિરિનગરના પ્રાંગણમાં સ્થિત અને અશોકનાં ધર્મશાસન જેના ઉપર કંડારાયેલાં તે “અશોકનો શૈલલેખ”.
આ સમયના ગુજરાતમાં એના સૌરાષ્ટ્ર પ્રદેશમાં જમીન કસવાળી અને ફળદ્રુપ હોય એમ પેરિપ્લસની નોંધથી સમજાય છે : અહીં (એટલે સુરાષ્ટ્રમાં) ઘઉં, ચોખા, તલનું તેલ, તાવેલું માખણ, કપાસ અને એમાંથી જાડું કાપડ પેદા થાય છે. ઇતિ. ઉપરાંત જુવાર, બાજરી, શેરડી, મગફળીની ખેતી પણ થતી હશે. “એ મૂલક (એટલે સૌરાષ્ટ્રોમાં ઢોર ઘણું ઉછેરવામાં આવે છે'એવી પેરિપ્લસની નોંધથી સૂચવાય છે કે પશુપાલનનો વ્યવસાય ખેતીને પૂરક બન્યો હશે. ખાનપાન
આપણે અગાઉ અવલોકી ગયા કે આ સમયના ગુજરાતમાં લલિત સાહિત્યની રચના નહીંવત છે. સાહિત્યની જે કૃતિઓ ઉપલબ્ધ થઈ છે તે તો મુખ્યત્વે દાર્શનિક હોઈ એમાંથી સમાજજીવનને દર્શાવતી વિગત મળતી નથી.
પરંતુ અગાઉ નોંધ્યું તેમ ખેતપેદાશના સંદર્ભમાં એવું સૂચવી શકાય કે સામાન્યતઃ આ સમયની પ્રજા ઘઉં, બાજરી, ડાંગર, જવ વગેરેનો ખોરાકમાં ઉપયોગ કરતી હશે. પશુપાલનના વ્યવસાયના અનુસંધાને દર્શાવી શકાય કે ખોરાકમાં દૂધ-ઘીનો વપરાશ થતો હશે. સમુદ્રકાંઠાના નિવાસીઓ સંભવતઃ માછલીનો ઉપયોગ ખોરાક તરીકે કરતા હોવા જોઈએ. શક લોકો ડુંગરીના શોખીન હતા એવો નિર્દેશ વાડ્મટના છે. ટૂંકમાં છે, તો તેઓ માંસ, ઘઉં, અને માધ્વીક
For Personal & Private Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૫૩
પ્રકરણ એકવીસ (મહુડાનો દારૂ) જેવાં પીણાં લેતા હતા તેવો ઉલ્લેખ વર સંહિતામાં છે. પરંતુ આ ઉલ્લેખ સિંધ પ્રદેશના શકોના સંદર્ભમાં હોવા સંભવે છતાં ગુજરાતમાં ત્યારે ભોજનમાં માંસનો ઉપયોગ થતો હશે એવું આથી સૂચવાય છે.
ચોખામાંથી તૈયાર થતી વિવિધ વાનગીઓનો ઉપયોગ ખોરાકમાં થતો એની માહિતી વિજ્ઞામાંથી સંપ્રાપ્ત થાય છે. દા.ત. દહીંભાત, દૂધભાત, ઘીભાત, ભાતની ખીર, બાફેલો ભાત વગેરે. રસોઈના ચાર પ્રકારનો એમાં ઉલ્લેખ છે : બાફ્લો ખોરાક, મરીમસાલાયુક્ત ખોરાક, પથ્થર ઉપર વાટીને તૈયાર કરેલો ખોરાક અને વરાળથી તૈયાર કરેલો તીખો ખોરાક. મહુડી અને આસવના દારૂનો પીણાંનો ઉલ્લેખ પણ છે. આ ઉપરાંત સૂપ અને શરબતનો પીણાં તરીકે વપરાશ થતો હતો. ફળોનો પણ ઉપયોગ થતો હતો. દેહભૂષા
સાહિત્યની વિપુલ સામગ્રીનો અભાવ અને ઓછા આભિલેખિક ઉલ્લેખોથી દેહભૂષાનું પૂર્ણ ચિત્ર આલેખવું મુશ્કેલ છે. પણ આ સમયની શિલ્પકલાના નમૂના ઉપરથી આનું ઝાંખું ચિત્ર પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીએ.
ક્ષત્રપ રાજાઓના સિક્કા ઉપરથી દેહભૂષા વિશે થોડોક પ્રકાશ પ્રાપ્ત થઈ શકે છે. ક્ષત્રપ રાજાઓ લાંબી મૂછો રાખતા હતા અને વીંછીના પૂંછડાની જેમ ગાલ ઉપર ગોળ વાળતા હતા. કાન પાસે થોભિયા રાખતા હતા. આ રાજાઓ લાંબા વાળ રાખવાના શોખીન હતા. તેઓ કાનમાં કુંડળ પહેરતા હોવા જોઈએ. એમના માથા ઉપર ટોપ જેવું પહેરેલું જોવા મળે છે. સિક્કમાં રાજાનું માત્ર ઉત્તરાંગ દર્શાવેલું હોઈ ડોકની નીચેની દેહભૂષા બાબતે વિશેષ કોઈ માહિતી મળતી નથી.
ઉપરકોટની ગુફામાં નીચલા મજલાની ભીંત ઉપરનાં ચૈત્યવાતાયનમાંથી ડોકિયું કરતી સ્ત્રીઓ અને મધ્યમાં ચાર સ્તંભના શીર્ષ ઉપર કંડારાયેલી સ્ત્રીઓની આકૃતિઓ ઉપરથી એવું સૂચવી શકાય કે સ્ત્રીઓ સામાન્યતઃ કટિની નીચેના ભાગમાં લાંબું અધરવસ્ત્ર (કે નિવસન) ધારણ કરતી હશે તથા ઉપરના ભાગે ચોળી જેવું વસ્ત્ર પહેરતી હોવી જોઈએ.
- કાનમાં કુંડળ પહેરવાનો રિવાજ સ્ત્રી અને પુરુષ બંનેમાં હશે એમ દેખાય છે. સ્ત્રીઓ હાથે બાજૂબંધ જેવા અલંકારો તથા ગળામાં ચંદનહાર જેવાં ઘરેણાંનો ઉપયોગ કરતી હશે. આ ઉપરાંત વીંટી, કુંડળ, કર્ણિકા, મરિકા (બે મગરમુખયુક્ત બનાવેલું ઘરેણું), અક્ષમાલિકા (રુદ્રાક્ષની માળા), મુક્તાવલી, મેખલા, શિરીષ મલ્લિકા, કડું, બંગડી, કંકણ, વલય, નવથી અઢાર શેરનો હાર, નેકલેસ, ઝાંઝર જેવાં ઘરેણાં, તથા ગરુડ, વૃષભ, માછલી, હાથી વગેરે યુક્ત મુગટ જેવાં ઘરેણાંનો ઉલ્લેખ સંવિન્નામાં છે. આથી, આ સમયના ગુજરાતમાં આ બધાં આભૂષણનો વપરાશ હોવાનું દર્શાવી શકાય તેમ છે.
કેશગુંફન માટે દર્પણનો ઉપયોગ થતો હશે એમ ઉપરકોટની ગુફાઓના નીચલા મજલામાં સ્થિત સ્તંભ ઉપરની સ્ત્રી-આકૃતિના હાથમાં દર્પણ જેવા ઉપરકરણ સૂચવી શકાય. (જુઓ પ્રકરણ અઢાર). ચીની રેશમ, સામાન્ય રેશમ, વિવિધ પ્રકારની શાલ, ઉત્તરીય, સફેદ
For Personal & Private Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ક્ષત્રપકાલીન ગુજરાત ધોતી, સાડી, કિનારવાળી રેશમી સાડી, અનુત્તરીય, પાઘડી, વળયુક્ત પાઘડી, કોટ, જાકીટ, જેવાં વસ્ત્રોનો ઉલ્લેખ સંવિન્નામાં છે એ બાબત અહીં નોંધવી જોઈએ. ક્ષત્રપ રાજાઓ ઈરાની ઢબનો લાંબો કોટ પહેરતા હશે.
ઉપર્યુક્ત વર્ણનથી-વિવરણથી ક્ષત્રપકાલના ગુજરાતના લોકોના વસ્ત્રપરિધાનનો સામાન્ય ખ્યાલ હાથવગો થાય છે. વિજ્ઞાનો વિશેષ અભ્યાસ આ બાબતે ઘણી માહિતી આપણને સંપડાવી આપે છે. નામકરણ પરંપરા
ક્ષત્રપોના અભિલેખોમાં નિર્દિષ્ટ મનુષ્યનામનાં નિરીક્ષણ કરવાથી તત્કાલીન ગુજરાતમાં નામકરણ પરત્વે ક્ષત્રપકાલીન પરંપરા વિશે થોડો ખ્યાલ મળી રહે છે. અલબત્ત શિલાલેખની સંખ્યા અલ્પ હોઈ તથા સિક્કા ઉપર અંકિત નામ રાજાઓ પૂરતાં મર્યાદિત હોઈ ક્ષત્રપકાલીન ગુજરાતના આ એક મહત્ત્વની વિદ્યા વિશે માહિતી મેળવવામાં મુશ્કેલી રહે છે. '
ક્ષત્રપ રાજઓનાં નામ, તેઓ વિદેશી હોઈ, સામાન્યતઃ વિદેશી અસરથી યુક્ત હોવાં જોઈએ; પરંતુ ભૂમક, નહપાન, સામોતિક કે ટ્રાન્ પદાંતવાળાં થોડાંક નામ સિવાય આ રાજાઓનાં નામ શુદ્ધ ભારતીય પરંપરાનાં હોય એમ એમનાં નામનાં અધ્યયનથી સ્પષ્ટ થાય છે. સાધનોની મર્યાદાને કારણે આ સમયના લોકોનાં નામ વિશે સ્પષ્ટતઃ કશું કહેવું અઘરું છે. રુદ્રદામા, રુદ્રસિંહ, રુદ્રસેન અને રૂદ્રભૂતિ જેવાં પુત્ર પૂર્વપદયુક્ત નામ આ શાસકોએ સવિશેષ પ્રયોજ્યાં છે. સિંહ પૂર્વપદવાળા નામનો બહુ પ્રચાર હોય એમ જણાતું નથી; કેમ કે સિંહસેન એવું એક નામ જાણવું પ્રાપ્ત થયું છે. ટ્રા પૂર્વપદયુક્ત નામના બે ઉદાહરણ હાથવગાં થાય છે : દામસેન અને દામજદશ્રી.
વિશ્વસિંહ, રુદ્રસિંહ, સત્યસિંહ, વિશ્વસેન, દામસેન, સિંહસેન, સિદ્ધસેન, રુદ્રસેન જેવાં fસદ અને સેન પદાંતવાળાં નામ આ કાળમાં વિશેષ પ્રયોજાતાં હશે. ટામનું પદાંતવાળાં નામ સૌથી વિશેષ પ્રમાણમાં મળે છે : રુદ્રદામા, જયદામા, જીવદામા, યશોદામા, સત્યદામા, સંઘદામા, ભર્તુદામા, વીરદામા ઇત્યાદિ. ઋષભદત્ત, 2ષ્ટદત્ત, ઈશ્વરદત્ત, ઉષવદાર અને ઋષભદેવ જેવાં નામની કોઈ વિશેષતા જાણવી પ્રાપ્ત થતી નથી. યશદત્તા, જેઠવીરા, દક્ષમિત્રા, પદ્માવતી, દુર્લભદેવી જેવાં થોડાંક નામ સ્ત્રીઓ માટે પ્રયાજાયેલાં પ્રાપ્ત થયાં છે.
ઉપર્યુક્ત નામોનાં પૂર્વપદનાં વર્ગીકરણથી આ કાલના લોકોનાં નામકરણની પ્રવૃત્તિપ્રક્રિયા વિશે સારો ખ્યાલ મળે છે. રુદ્ર, ઈશ્વર, ઉષવ જેવાં પૂર્વપદથી લોકો ઈશ્વરનાં નામ ઉપરથી મનુષ્ય નામ પ્રયોજતા હશે એમ દર્શાવી શકાય છે. ભર્તુ, વીર, જેઠ, દક્ષ, સત્ય જેવાં પૂર્વપદથી ગુણવાચક નામોના પ્રચારનો ખ્યાલ આવે છે. સિંહ અને ઋષભ જેવા પશુ તથા પધ, પર્ણ, દામ જેવી વનસ્પતિ ઉપરથી નામ પાડવાનો રિવાજ સમજાય છે. જય, યશ, સત્ય, સિદ્ધ જેવાં પૂર્વપદયુક્ત ભાવવાચક નામ, વિશાખા જેવાં નક્ષત્ર ઉપરથી પ્રયોજાતાં નામ, સંઘ જેવાં સમૂહવાચક નામ ઉપરથી નામકરણ પ્રક્રિયાની વિવિધતાનો સુંદર ખ્યાલ પ્રાપ્ત થાય છે. નક્ષત્ર, તારા, ચંદ્ર, ગ્રહ, સૂર્ય, ગગન, નદી, સાગર, વૃક્ષ, પુષ્પ, દેવતા વગેરેના સંદર્ભમાં પ્રયોજાતાં
For Personal & Private Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૫૫
પ્રકરણ એકવીસ નામ વિશેની જાણકારી વિજ્ઞામાંથી હાથવગી થાય છે. વર્ણ, જ્ઞાતિ, ગોત્ર
ઉષવદાત્તના શિલાલેખોથી બ્રાહ્મણ, કોલિક જેવી જ્ઞાતિ તથા શક જેવી જાતિનો ખ્યાલ થાય છે. રુદ્રદામાના લેખથી પલ્લવ જાતિનો અને રુદ્રસિંહ ૧લાના લેખથી તથા ઈશ્વરદત્તના સિક્કાથી આભીર જાતિનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. વિજ્ઞા બે પ્રકારના મનુષ્યની માહિતી આપે છેઃ આર્ય અને સ્વેચ્છ. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનો સમાવેશ આર્ય લોકોમાં અને શુદ્રનો સમાવેશ પ્લેચ્છ લોકોમાં થતો એવું એમાં દર્શાવ્યું છે. આથી, અનુમાની શકાય કે આ કાળના ગુજરાતમાં ચાર વર્ણનું અસ્તિત્વ હશે. ઓપશતિ, શિનિક, માનસ, વત્સ, ચરક વગેરે ગોત્રનો પરિચય આભિલેખિક જ્ઞાપકોથી થાય છે. આ ઉપરાંત ભાર્ગવ, ગૌતમ, કાશ્યપ, અંગિરસ, શાંડિલ્ય જેવાં ગોત્રનો વિજ્ઞામાં નિર્દેશ છે. માસ, તિથિ, પર્વ
ઉષવદારે આપેલાં દાન ઉપરથી તત્કાલીન પર્વ કે ઉત્સવની કોઈ માહિતી હાથવગી થતી નથી. સામાન્ય રીતે, ધર્મદય પૂર્ણિમા કે અમાવસ્યાના દિવસે થતાં હોય છે. પરંતુ આ સમયના ઉપલબ્ધ કોઈ લેખમાં આ બેમાંથી એકેય તિથિનો નિર્દેશ નથી. ક્ષત્રપોના લેખોનાં અવલોકન કરવાથી સૂચવાય છે કે નવ વખત મહિનાનો ઉલ્લેખ થયો છે અને સાત વખત તિથિનો. આમાં ત્રણ વાર સુદ પંચમીનો, બે વખત વદ પંચમીનો ઉલ્લેખ ધ્યાનપાત્ર છે. આથી, એમ કહી શકાય કે સુદ અને વદ પાંચમનું મહત્ત્વ ક્ષત્રપકાલીન ગુજરાતમાં વિશેષ હોવું જોઈએ. કાર્તિક, માર્ગશીર્ષ, ફાલ્ગન, ચૈત્ર, વૈશાખ, ભાદ્રપદ એ છ મહિનાનો ઉલ્લેખ હાથવગો થાય છે. આથી, અનુમાન કરી શકાય કે મહિનાનાં અર્વાચીન નામ ત્યારેય પ્રચલિત હતાં. છતાં દિવસનું મહત્ત્વ સમજાયું ન હતું. આજે ચાતુર્માસનો જે મહિમા છે અને તેમાંય શ્રાવણનું જે શ્રદ્ધેય મહત્ત્વ છે તે ત્યારે નોંધપાત્ર ન હોય તેમ તેમના અનુલ્લેખથી સમજાય છે. રાચરચીલું
ગૃહસજાવટમાં રાચરચીલાનું સ્થાન અગત્યનું ગણાય છે. સંવિજ્ઞાનનું અધ્યયનથી આ વિશે થોડીઘણી માહિતી ઉપલબ્ધ થાય છે. પલંગ, ખુરશી, માંચી, પાટલી જેવાં આસનોનો ઉલ્લેખ છે. પથ્થર, લાકડું, ધાતું હાડકું સામાન્ય રીતે રાચરચીલાની બનાવટમાં વપરાતાં હતાં. વાહન-વ્યવહાર
આ કાળના ગુજરાતમાં વેપારવણજની જાહોજલાલીનો ઉલ્લેખ આપણે અગાઉ ર્યો છે. ભરૂચ જેવાં બંદરે આવતી અને પછી અહીંથી નિકાસ થતી ચીજવસ્તુઓ ક્યા માર્ગે આવતી હશે તે અંગે કોઈ ખાસ પ્રત્યક્ષ પ્રમાણ પ્રાપ્ત થયાં નથી. સંભવતઃ જમીનમાર્ગનો વિશેષ ઉપયોગ થતો હશે. ભારવાહક અને મનુષ્યવાહક વાહનમાં ઘોડા, હાથી, વૃષભ, ઊંટ, ગાડું, બળદગાડી, ઘોડાગાડી, પાલખી, રથ, ડોળી વગેરેનો ઉલ્લેખ વિજ્ઞામાં હોઈ તે વાહનોનો ઉપયોગ થતો હોવાનું અનુમાન કરી શકાય....
For Personal & Private Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫૬
ક્ષત્રપકાલીન ગુજરાત નહપાનના સમયના એક લેખમાં જળયાન વાસ્તુ હોડીઓની વ્યવસ્થા કરવા કાજે ઉષવદારે દાન આપ્યાની વિગત નિર્દેશિત છે. આથી, એવું સૂચવી શકાય કે સંભવત: જળમાર્ગનો પણ ઉપયોગ આવનજાવન સારુ થતો હશે. પેરિપ્લસમાં ઉલ્લેખ છે કે બારિગાઝાનો અખાત સાંકડો છે અને જુવાળની-ભરતીની સ્થિતિ એવી છે કે ઘડીમાં દરિયાનું તળિયું દેખાય છે તો ઘડીમાં ધરતી પાણીમાં ડૂબી જાય છે. આથી, છીછરા પાણીમાં જઈ શકે એવી હોડીથી સજ્જ ભોમિયા સુરાષ્ટ્ર પ્રદેશના કાંઠા સુધી જતા અને બારિગાઝા આવવા માટે વહાણોને માર્ગદર્શન આપતા. આ સંદર્ભે એવું સૂચવી શકાય સુરાષ્ટ્ર વિસ્તાર અને કાશ્મીર પ્રદેશની ચીજવસ્તુઓ સંભવતઃ નાની હોડી મારફતે ભરુકચ્છ બંદરે આવતી હશે. જળવાહનોનાં હોડી, તરાપા (ત્રાપ્પગા) તથા કોટિયા જેવા વાહનનો નિર્દેશ પેરિપ્લસમાં અને અંવિજ્ઞામાં જોવા મળે છે. વાસણમૂસણ
થાળી, તાસક, કુંડી, પ્યાલા જેવાં વાસણનો ખ્યાલ વિજ્ઞામાંથી મળે છે. વાસણો કુંભાર અને કંસારા લોકો તૈયાર કરતા હતા. લાકડાં અને હાકડાંમાંથીય વાસણો નિર્માણ થતાં હતાં. ઉપરાંત વિવિધ ઘાટનાં-પ્રકારનાં માટીનાં વાસણોના અવશેષ કેટલાંક સ્થળોએથી પ્રાપ્ત થયાં છે. તદનુસાર રકાબી, વાટકી, અનાજ કે પાણી ભરવાની કોઠી, કૂજા વગેરેના ઉપયોગની જાણકારી મળી રહે છે. વ્યવસાય
ગુજરાતમાં થયેલાં કેટલાંક ઉત્પનનકાર્યમાંથી હાથવગા થયેલા અવશેષ ઉપરથી ક્ષત્રપકાલ દરમ્યાન આપણા પ્રદેશમાં વિવિધ પ્રકારના હુન્નર અસ્તિત્વ ધરાવતા હોવાની બાબત આપણે અવલોકી લીધી છે. (જુઓ પરિશિષ્ટ અગિયાર). સંવિઝામાં પાંચ પ્રકારના વ્યવસાયનો ઉલ્લેખ છે : સરકારી નોકરી, વેપાર-વાણિજય, ખેતી-પશુપાલન, કાંતણવણાટ અને મજૂરી. આ ઉપરાંત નાવનિર્માણનો વ્યવસાય, સોનીકામનો ધંધો, લુહારકામ અને સુથારીકામના વ્યવસાય, કંસારાકાર્યની પ્રવૃત્તિ, વણકરી વ્યવસાય ઇત્યાદિનોય નિર્દેશ છે. સિક્કા તૈયાર કરવાની પણ ધંધાકીય પ્રવૃત્તિ વિકાસ પામી હોય, એમ ક્ષત્રપ સિક્કાની અઢળક ઉપલબ્ધિથી સૂચવાય છે. મૂર્તિકળાનો વ્યવસાય પણ હયાત હોવો જોઈએ. કડિયાકામનો ધંધો વિકસેલો હોવાનું કહી શકાય. ઈંટો બનાવવાની પ્રવૃત્તિ પણ મોટા પાયે થતી હશે. સલાહકાર્યના અસ્તિત્વની નોંધ લેવી રહી. માન્યતા અને વહેમ
અંવિઝામાંથી આ વિશે વિપુલ માહિતી મેળવી શકાય છે. પૂર્વકાળે અંગવિદ્યા એક લોકપ્રિય શાસ્ત્ર હતું. શરીરના વિભિન્ન પ્રકારનાં હલનચલન, લક્ષણો, નિમિત્ત વગેરે ઉપરથી શુભાશુભ ફલાદેશ આ વિદ્યાનો વર્યવિષય હતો. બ્રાહ્મણ-બૌદ્ધ-જૈન ધર્મોમાં આ વિદ્યાનો નિષેધ સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે; ખાસ કરીને બ્રાહ્મણો-સાધુઓ-ભિક્ષુઓ જેવી કક્ષાના લોકો માટે. છતાંય આ વિદ્યાનાં અસ્તિત્વ અને મહત્ત્વ હતાં તથા એનો અનુયાયી વર્ગ ઘણો મોટો હતો. શરીરનાં વિવિધ લક્ષણો ઉપરથી થતા ભવિષ્યકથનમાં લોકોને વિશેષ શ્રદ્ધા હોવાનું કહી શકાય. અંગવિદ્યા
For Personal & Private Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ એકવીસ
૩૫૭
વડે જય-પરાજય, લાભાલાભ, સુખદુઃખ, જીવનમરણ, સુકાળ-દુકાળ આદિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંવિજ્ઞા ગ્રંથનું મુખ્ય વસ્તુ માનવશરીર આસપાસ સંલગ્નિત હોઈ માનવીના પ્રત્યક પ્રકારનાં વહેમ, માન્યતા, શ્રદ્ધા-અશ્રદ્ધા વગેરે વિશે વિસ્તારથી વિગતો સંપ્રાપ્ત થાય છે ૫.
પાદનોંધ ૧,૩,૪ અને ૬. દુષ્યત પંડ્યા, પેરિપ્લસનો ગુજરાતી અનુવાદ, પૃષ્ઠ ૧૮, ૪૫ અને ૬૬, ફકરો ૪૦-૪૧;
પૃષ્ઠ ૧૭, ફકરો ૪૦; ફકરા ૪૦થી ૪૫ અને પૃષ્ઠ ૧૮, ૪૬ અને ૬૧ અનુક્રમે. ૨,૫અને૭. મજુમદાર (અનુ.), ટોલેમી, પૃષ્ઠ ૩૬; અને પૃષ્ઠ ૩૮-૩૯; તથા પૃષ્ઠ ૧૫૦ અનુક્રમે. ૮. બોંગે.. પુસ્તક ૮, પૃષ્ઠ ૪૪૬. ૯. જુઓ ફકરો ૪૨. ૧૦. એ હિસ્ટરી ઑવ ઈમ્પોર્ટન્ટ એન્શન્ટ ટાઉન્સ ઍન્ડ સિટિઝ ઇન ગુજરાત, પૃષ્ઠ ૨૫-૨૬. ૧૧અને૧૨. મજુમદાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૩૭-૩૮ અને ૩૯ અનુક્રમે. ૧૩અને૧૪. જુઓ ફકરો ૪૧ અને ૪૨ અનુક્રમે. ૧૫. મજુમદાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૩૮-૩૯, ૪૮, ૧૫૧, ૩૫૮, ૩૭૧. ૧૬. ઉમાશંકર જોશી, પુરાણોમાં ગુજરાત, પૃષ્ઠ ૫૩-૫૪. ૧૭. જુઓ ફકરો ૪૦, ૪૩ અને ૪૫. ૧૮. મજુમદાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૩૭-૩૮ અને પૃષ્ઠ ૧૪૯થી ૧૫૪. ૧૯. ફકરો ૪૭-૪૯. અહીં એ નોંધવું જોઈએ કે પેરિપ્લસના સમયમાં ભરૂચનો રાજા નહપાન હતો અને
કોશસમુદ્ર હતો. ૨૦. આયાત અને નિકાસ થતી ચીજવસ્તુઓ માટે જુઓ પેરિપ્લસ, ફકરા ૪૮ અને ૪૯. ૨૧. એઈ., પુસ્તક ૮, પૃષ્ઠ પરથી. ૨૨. ધર્માનંદ કોસંબી, બૌદ્ધસંઘનો પરિચય, ૧૯૨૪, પૃષ્ઠ ૩. ૨૩. પાદનોંધ ૨૧ મુજબ. ૨૪. બસરામાંથી (પૂર્વકાલીન વૈશાલીમાંથી) પ્રાપ્ત થયેલાં કેટલાંક માટીનાં મુદ્રાંક આ સમયની શ્રેણી
સંસ્થાઓની વ્યવસ્થા ઉપર સારો પ્રકાશ પાથરે છે (જુઓ : આસઈરી., ૧૯૦૩-૦૪, પૃષ્ઠ ૧૦૬;
૧૯૧૧-૧૨, પૃષ્ઠ ૫૬; અને ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૧૩૮). ૨૫. કોર્પોરેટ લાઈફ ઈન ઈન્ડિયા, પૃષ્ઠ ૧૭-૧૯ અને ૩૮. ૨૬. એઇ., પુસ્તક ૮, પૃષ્ઠ ૭૮થી. ૨૭. જુઓ ફકરો ૪૧. ૨૮. રણોનાનન્તરે વાયોઃ પનાડુ: પૌષધમ્ |
साक्षादिव स्थितं यत्र शकाधिपति जीवितम् ॥ यस्योपयोगेन शकाङ्ग नानां लावण्य सारादिवि निर्मितानाम् । कपोलकान्त्या विजितः शशाङ्क रसातलं गच्छति निर्विदेव ।।
(૩ત્તરતંત્ર, પ્રકરણ ૪૯) ૨૯. વાહિત્ની: હવાથીના: તીક્ષા યવન: શl:
માં ધૂમ મળીશસ્ત્ર વૈશ્વાન વિતા વિત્યા થાન, પ્રકરણ ૩૦, પૃષ્ઠ ૩૧૬).
For Personal & Private Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
૩૫૮
૩૦. ખાનપાન, ફળફળાદિ, ભોજનની વાનગીઓ, પીણાં આ બધાંની વિગતવાર માહિતી માટે જુઓ સંવિધ્ના અધ્યાય ૯, ૨૨, ૩૨ અને ૩૭માંનો સંબંધિત પ્રકરણ. ઉપરાંત જુઓ રસેશ જમીનદાર, ઇતિહાસ-સંશોધન, પ્રકરણ ૧૬; સંવિજ્ઞા, પ્રસ્તાવના, પૃષ્ઠ ૩૯ અને ૪૨.
૩૧અને૩૨. એજન, પૃષ્ઠ ૪૦, ૪૨, ૬૦, ૬૨ અને રસેશ જમીનદાર, એંજન, પ્રકરણ ૧૬. ઉપરાંત વધુ માહિતી માટે સંવિન્નામાં નવમા અધ્યાયમાં સંબંધિત પ્રકરણ જોવાં.
૧૯,
૩૩. હ.ધી.સાંકળિયાએ આ બાબતે ઉપાદેયી અધ્યયન પ્રસ્તુત કર્યું છે એમના ગ્રંથ સ્ટડીઝ ઇન ધ હિસ્ટોરિકલ ઍન્ડ કલ્ચરલ્સ જ્યૉગ્રાફી ઍન્ડ એથ્નોગ્રાફી ઑવ ગુજરાતમાં. ક્ષત્રપકાલીન ગુર્જર નામકરણ માટે જુઓ રસેશ જમનીદાર, સ્ટડીઝ ઇન ઇન્ડિયન પ્લેસનેમ્સ, પુસ્તક, ૧૯. પૃષ્ઠ. ૩૪. જુઓ પ્રસ્તાવના, પૃષ્ઠ ૪૬ અને ૬૭-૬૮. રસેશ જમીનદાર, ઇતિહાસ સંશોધન, પ્રકરણ ૧૬. ૩૫થી ૩૮. એજન, પૃષ્ઠ ૪૫, ૩૬; ૪૫-૪૬ અને ૬૬-૬૭; ૩૮ અને ૫૮; ૩૮, ૪૯, ૭૩ અનુક્રમે ૩૯. એઇ., પુસ્તક ૮.
૪૦, ફકરા ૪૩થી ૪૫.
૪૧અને૪૨. પ્રસ્તાવના પૃષ્ઠ ૪૯ અને ૭૩; તથા ૩૯ અને ૬૦ અનુક્રમે. ઉપરાંત જુઓ રસેશ જમીનદાર, ઇતિહાસ-સંશોધન, પ્રકરણ ૧૬.
૪૩. જુઓ પ્રકરણ ૧૯થી ૨૧. ઉપરાંત સંદર્ભગ્રંથમાં નિર્દિષ્ટ ઉત્ખનન અહેવાલ પણ અવલોક્યા. ૪૪-૪૫. પ્રસ્તાવના પૃષ્ઠ ૪૭ અને ૬૯; અને ૩૫-૩૭, ૫૭-૫૮ અનુક્રમે. ઉપરાંત રસેશ જમીનદાર, ઉપર્યુક્ત, પ્રકરણ ૧૬.
For Personal & Private Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાવીસ
રાષ્ટ્રીય વિરાસતમાં યોગદાન ભૂમિકા
અગાઉનાં એકવીસ પ્રકરણ અને બાર પરિશિષ્ટ મારફતે ગુજરાતના પૂર્વકાળનાં ઇતિહાસ અને સંસ્કૃતિમાં ક્ષત્રપકાલનું લાક્ષણિક અને કેટલીક બાબતમાં પ્રથમદર્શી મહત્ત્વ કેવાં સ્વરૂપનું છે તેનાં વિગતવાર પૃથક્કુત અવલોકન આપણે કર્યો છે. એટલું જ નહીં આપણા રાષ્ટ્રનાં ઇતિહાસ અને સંસ્કૃતિના વિકાસશીલ ઘડતરમાંય ક્ષત્રપકાલીન ગુજરાતનો દાયીત્વપૂર્ણ ફાળો ધ્યાનાર્હ હતો તે હકીકતી ઘટનાઓ આપણે અવલોકી. મહત્ત્વની બાબત દેશનાં ઇતિહાસ અને સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં અવલોકીએ તો ક્ષત્રપકાલની પહેલાં અને પછીના સમયમાં રાષ્ટ્રકક્ષાએ બે મહાન રાજવંશોની સત્તાઓ અભ્યદયી પરિસ્થિતિમાં તો હતી પરંતુ એ બંને મહાસામ્રાજ્યોએ ગુજરાત પ્રદેશને મહત્ત્વનું ધ્યાનાર્હ સ્થાન બહ્યું હતું તેની પ્રતીતિ ગિરિનગરના પરિસરમાં સ્થિત અશોકના શૈલલેખોથી પ્રખ્યાત ખડકલેખોથી થાય છે. આ બંને રાજવંશો સામ્રાજયો હતાં મૌર્યવંશ અને ગુપ્તવંશ. આ બંને સત્તાઓની રાજધાની ગુજરાતથી દૂર દેશના પૂર્વભાગમાં વર્તમાન બિહાર રાજ્યની રાજધાની પટણામાં (પૂર્વકાલીન પાટલીપુત્રમાં) હતી અને છતાંય બંને રાજસત્તાઓના સામ્રાજયના ભૂભાગમાં ગુજરાતનો પ્રદેશ મહત્ત્વના પ્રાંત તરીકે પ્રસ્થાપિત અને પ્રતિષ્ઠિત હતો. ગિરિનગરના ઉક્ત શૈલખંડમાં એક તરફ મૌર્ય સમ્રાટ અશોકનું અને બીજી બાજુ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનું લખાણ અને ત્રીજી તરફ ક્ષત્રપ રાજવી રુદ્રદામાનું લખાણ આ બાબતની સાહેદી બક્ષે છે. આમ તો, ક્ષત્રપોનો રાજવંશ સ્થાનિક કક્ષાનો હતો અને છતાંય દેશની બે મહાસત્તાઓના સાંસ્કૃતિક યોગદાનની હરોળમાં ઊભા રહેવાની ક્ષમતા ધરાવતો હતો. આઠસો વર્ષના (ઈસ્વી પૂર્વ ચોથી સદીથી ઈસ્વીની ચોથી સદી પર્યત) પ્રસ્તુત કાલખંડ દરમ્યાન ગુજરાતે ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રદાનના પરિપ્રેક્ષ્યમાં તત્કાલીન ભારતના વિકાસમાં લાક્ષણિક ભાત-પરંપરામાં મૂઠી ઊંચેરું કાઠું ઉપસાવ્યું હતું. અહીં હવે આપણે ક્ષત્રપોના શાસનસમયની સાંસ્કૃતિક માહોલની લાક્ષણિક તસવીર દર્શાવવાનો નમ્ર પ્રયાસ કરીશું. દીર્થશાસન અને સ્વતંત્ર રાજ્ય
- વિદેશી શક જાતિના અને પશ્ચિમી ક્ષત્રપોથી વિશેષ ખ્યાત એવા ક્ષત્રપવંશના ત્રીસ જેટલા રાજાઓએ આજના પશ્ચિમ ભારતમાં અને ખાસ કરીને તત્કાલીન બૃહદ ગુજરાતમાં આશરે ચારસો વર્ષ સુધી સુશાસન કરીને ગુજરાતના પૂર્વકાલીન રાજકીય ઇતિહાસમાં સહુ પ્રથમ દીર્ઘશાસિત અને ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિમાં પહેલપ્રથમ સ્વતંત્ર રાજકીય અને ભૌગોલિક એકમની પ્રસ્થાપનામાં આ રાજવંશે ગુજરાતમાં રાજકીય ઇતિહાસનાં ઘડતરમાં અને તે દ્વારા ભારતના રાજકીય ઇતિહાસનાં ઘડતરમાં પોતાનો વિશિષ્ટ અને લાક્ષણિક ફાળો નોંધાવ્યો છે. એટલું જ નહીં આટલા લાંબા કાળ દરમ્યાન વ્યવસ્થિત રાજ્ય ચલાવી તંદુરસ્ત રાજવહીવટીય પ્રણાલિ અને પરંપરા
For Personal & Private Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૬૦
ક્ષત્રપકાલીન ગુજરાત પ્રસ્થાપવાની એક ઉમદા તક અંકે કરી હતી. અગાઉ નોંધ્યું તેમ ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસમાં ક્ષત્રપ રાજવીઓનું શાસન તો નિઃશંક પહેલું દીર્થશાસન તો છે જ; પણ ભારતના ઐતિહાસિકયુગના રાજવંશોમાંય પ્રાયઃ એમનું દીર્થશાસન આદ્ય હોવા સંભવે છે; કેમ કે એમના પુરોગામી રાજવંશ મૌર્યોએ લગભગ એકસો ઓગણ-ચાલીસ વર્ષ (ઈસ્વીપૂર્વે ૩૨૨થી ઈસ્વીપૂર્વ ૧૮૪) જેટલો સમય શાસનનાં સૂત્રો સંભાળ્યાં હતાં; જ્યારે એમના અનુગામી રાજવંશના ગુપ્તોએ લગભગ દોઢસો વર્ષ સુધી (ઈસ્વી ૩૧૯થી ૪૭૦ સુધી) રાજસત્તા સંભાળી હતી. આમ, ગુજરાત અને તે સાથે ભારતના રાજકીય ઇતિહાસમાં ક્ષત્રપ રાજવંશનું મહત્ત્વનું પ્રદાન છે એમની દીર્થશાસન પ્રણાલી અને ગુજરાત સંદર્ભે એમનું ધ્યાનાર્ણ યોગદાન છે એમણે સ્થાપેલું સહુ પ્રથમ સ્વતંત્ર રાજ્ય. રાજ્યવિસ્તાર
ક્ષહરાત ક્ષત્રપ રાજવી નહપાનના સમયમાં તો ક્ષત્રપ રાજ્યની ભૌગોલિક સરહદમાં ઉત્તરે રાજસ્થાનના પુષ્કર-અજમેરથી આરંભી દક્ષિણમાં મહારાષ્ટ્રના ઉત્તર કાંકણ (નાસિક) સુધી અને પૂર્વમાં માળવા (ઉજ્જયિની)થી પશ્ચિમે સ્થિત દરિયાકિનારા (જેમાં સિંધ, કચ્છ, સુરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્રકાંઠા) સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. અલબત્ત નહપાનના સમયમાં દક્ષિણના સાતવાહન શાસકોએ ક્ષહરાતોનો દક્ષિણ વિસ્તારનો કેટલોક પ્રદેશ જીતી લીધો હતો, જે થોડા વખતમાં લહરાતોના અનુગામી રાજકુળના રાજા ચાન્ટન અને એના પૌત્ર રુદ્રદામાએ સંયુક્ત રીતે ગુમાવેલા વિસ્તાર પુનશ્ચ અંકે કરી લીધા હતા ત્યારે પશ્ચિમી ક્ષત્રપોના રાજવહીવટ હેઠળ રાજસ્થાન, માળવા અને ગુજરાતનો સમાવેશ થતો હતો. ક્ષત્રપ રાજવંશના અમલના અંતભાગમાં સંભવ છે કે રાજસ્થાન અને માળવા. ઉપરનું આધિપત્ય એમણે ગુમાવ્યું હોય. તો પણ ગુજરાત ઉપરની એમની રાજસત્તા પાંચમી સદીના પ્રથમ ચરણના મધ્યભાગ સુધી ચાલુ રહી હતી. આમ, ક્યારેક ઉત્તર, પૂર્વ કે દક્ષિણના કેટલાક પ્રદેશો ગુમાવ્યા છતાંય સમગ્ર ગુજરાત તો એમના વહીવટ હેઠળ છેક સુધી હતું. સુદઢ રાજ્યપ્રણાલી
ક્ષત્રપ રાજઓએ પોતાના દીર્થશાસનકાળ દરમ્યાન સમકાલીન સાતવાહનો, યૌધેયો અને રૈકૂટક રાજસત્તાઓ સાથેના સંઘર્ષમાં વિજય હાંસલ કર્યા હતા. ક્ષત્રપોએ આભીરોને તો પોતાના લશ્કરમાં સ્થાન આપીને એમની સાથે રાજકીય સંબંધ દઢ કર્યો હતો. દક્ષિણના સાતવાહન રાજાને બે વખત પરાજિત કર્યા છતાંય એનો પ્રદેશ ના ઝૂંટવી લઈ રાજકીય ઔદાર્ય બક્ષવા જેટલું સૌજન્ય ક્ષત્રપ રાજા રુદ્રદામાને ફાળે જાય છે, જેનો સ્પષ્ટ પડઘો અનુકાલમાં ગુપ્ત રાજવી સમુદ્રગુપ્તના, દક્ષિણના પ્રદેશો જીત્યા પછી પણ તે પ્રદેશો ખાલસા ના કરી બતાવેલા, રાજકીય ડહાપણમાં જોઈ શકીએ છીએ. આ રીતે, રાજ્યવહીવટમાં સુદઢ પ્રણાલિકાઓ પ્રસ્થાપિત કરી ક્ષત્રપકાલીન ગુજરાતે ભારતના રાજકીય ઇતિહાસની વિકાસ પ્રક્રિયામાં અલ્પ પણ અમૂલ્ય યોગદાન બક્ષ્ય છે. ગિરિનગરના ખડકલેખનું મહત્ત્વ
ક્ષત્રપ રાજા રુદ્રદામાના, ગિરિનગરના પ્રાંગણમાં સુદર્શન તળાવના કાંઠે સ્થિત ખડક
For Personal & Private Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાવીસ
ઉપરના, લેખનાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ અદકેરાં છે. એનો આ લેખ ગિરિનગરમાં આવેલા સુદર્શન જળાશયના નિર્માણના સમારકામ અંગે ઉત્કીર્ણ કરાયો છે. આ લખાણમાં શરૂઆતમાં અતિવૃષ્ટિથી બંધના તૂટ્યાનો અને પછી તૂટેલા બંધને સમરાવીને તેને ત્રણગણો મજબૂત તેમ જ વિસ્તૃત કરાવ્યાનો નિર્દેશ છે. આમ તો આ સમારકામને સ્પર્શતી પ્રાસંગિક હકીકતી માહિતી કહેવાય. પરંતુ આ લખાણનું ખરું ઐતિહાસિક મહત્ત્વ એમાંની આઠમી-નવમી પંક્તિમાં સમાયેલું છે; કેમ કે એમાં જળાશયનો પૂર્વ ઇતિહાસ ઉલ્લેખ પામ્યો છે. તદનુસાર આ જળાશય મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય (સૂબા) પુષ્યગુપ્ત વૈશ્ય બંધાવેલું અને અનુકાલમાં તેના પૌત્ર અશોક મૌર્યના રાષ્ટ્રીય યવનરાજ તુષાફે તેમાંથી નહેરો તૈયાર કરાવી સિંચાઈની સુવિધા કરેલી તેનો રુદ્રદામાના લેખમાં થયેલો નિર્દેશ ઐતિહાસિક દૃષ્ટિનો અપ્રતિમ અને અદ્વિતીય નમૂનો તો છે જ; પણ ભારતના પૂર્વકાલીન ઇતિહાસમાં આ પ્રકારનો આભિલેખિક પુરાવો પહેલપ્રથમ છે. આમ, આ લેખમાં નિહિત મૌર્યકાલની પ્રસ્તુત હકીકત ઉપરથી ખસૂસ એટલું તો સ્પષ્ટ થાય છે કે ઘટનાઓને લગતી ઐતિહાસિક નોંધ રાખવાની કોઈ વિશિષ્ટ વ્યવસ્થા ક્ષત્રપકાલ દરમ્યાન હોવાની પ્રતીતિ થાય છે. કહો કે, દસ્તાવેજીકરણ કે દફતરવિદ્યાને સૂચવતો આભિલેખિક એવો આ પુરાવો ગિરિનગરના લખાણથી હાથવગો થાય છે. મૌર્યોના સમકાલીન કોઈ જ્ઞાપકમાં કે અનુકાલીન પણ પ્રા-ક્ષત્રપકાલીન કોઈ સાધનમાંય આ પરત્વે, કશોય ઉલ્લેખ નથી. ત્યારે રુદ્રદામાના લખાણમાંની પ્રસ્તુત વિગત આપણા દેશમાં દફતરવિદ્યાના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આમ ઐતિહાસિક દસ્તાવેજી નોંધ રાખવાની વહીવટી પ્રણાલી ક્ષત્રપકાલીન ગુજરાતે રાષ્ટ્રને ચરણે સમર્પિત કરી એમ કહી શકાય.
કાલગણનામાં પ્રથમ
આપણે અવલોકી લીધું છે કે શક સંવતની પ્રસ્થાપના ક્ષત્રપ રાજવી ચાષ્ટ્રને કરી હતી. આમ ભારતવર્ષમાં પ્રચલિત-પ્રસારિત શક સંવતની સંસ્થાપના કરીને, પશ્ચિમ ભારતમાં ચાર ચાર સદી પર્યંત તે સંવતને ચાલુ રાખીને ભારતીય સંવતોના ઇતિહાસમાં મૂઠી ઊંચેરું સ્થાન અપાવીને તેમ જ એ સંવત અનુકાલમાં એમની જાતિના નામ ઉપરથી શબ્દ સંવત તરીકે ઓળખાવ્યો તે પરથી અને જે સંવત આજેય ભારતના કેટલાક ભૂભાગમાં અમલી છે તેમ જ ભારતીય જ્યોતિષવિદ્યામાં એનું જે આગવું સ્થાન છે તે ઉપરથી અને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય સંવત તરીકે જેનું સન્માન થયું છે તે પરથી સ્પષ્ટ થાય છે. આ રીતે, ભારતીય કાલગણનાના ઇતિહાસમાંય ક્ષત્રપકાલીન ગુજરાતનો ફાળો વિશેષ ધ્યાનાર્હ ગણાય છે.
સ્થાપત્ય અને શિલ્પ
૩૬૧
જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સ્થિત બાવાપ્યારા અને ઉપરકોટનો શૈલોત્કીર્ણ ગુફાસમૂહ, આ ગુફાઓમાં કંડારેલી અને સુરક્ષિત મનોહર શિલ્પાકૃતિઓ અને અન્ય ભૌમિતિક આકૃતિઓ, ચૈત્યગવાક્ષો અને વિશિષ્ટ ભાત-પરંપરા, સ્તંભ-નિર્માણ શૈલી-આ બધાંને કારણે ભારતની પૂર્વકાલની શૈલોત્કીર્ણ ગુફાઓમાં મહત્ત્વનું લાક્ષણિક સ્થાન આ સ્થાપત્યકળાએ સંપ્રાપ્ત ક્યું છે. આવી જ રીતે, ચારેક દાયકા પૂર્વે દેવની મોરીના મહાસ્તૂપ અને મહાવિહારે પણ આપણા દેશનાં ઈંટેરી સ્થાપત્યમાં આગવું સ્થાન અંકે કર્યું છે; ખાસ કરીને મહાતૂપના
For Personal & Private Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૬૨
ક્ષત્રપકાલીન ગુજરાત પેટાળમાંથી હાથ લાગેલો ઐતિહાસિક લખાણ સાથેનો શૈલસમુદ્ગક અને મહાતૂપની દીવાલોમાં સ્થિત પક્વમૃત્તિકામાંથી નિર્માયેલી ભગવાન બુદ્ધની ડઝનેક પ્રતિમાઓના કારણે. ભારતીય સૂપસ્થાપત્યમાંના કેટલાકના પેટાળમાંથી મળેલા શૈલસમુદ્ગક ઉપર નિદ્રાનસૂત્ર કે પ્રતીત્યસમુચનો બૌદ્ધધર્મનો વિખ્યાત સિદ્ધાંત કંડારેલો હોય એવા નમૂના બહુ ઓછા મળ્યા છે ત્યારે દેવની મોરીના પાષાણદાબડાનું મહત્ત્વ ધ્યાના બને છે. આ જ પ્રમાણે દેવની મોરીના મહાતૃપમાંથી હાથ લાગેલી બુદ્ધપ્રતિમા ભારતની પૂર્વકાળની મૃત્તિકાશિલ્પાકૃતિઓમાં અદકેરા સ્થાનની અધિકારી છે; ખાસ તો, માટીના ફલકની પશ્ચાદ્ભૂ ઉપર ઉપસાવેલી, કંડારેલી અને પછી પકવેલી ધ્યાનસ્થ બુદ્ધની પ્રતિમાઓ એની વિશિષ્ટ કલાકારિગીરીને કારણે. દાર્શનિક સાહિત્ય
જૈનોનાં આગમ સાહિત્યમાં દ્વાદશ અંગ હતાં; જેમાંનું જ્ઞાન સુધર્માથી આરંભીને ભદ્રબાહુ સુધીના ગણધરોએ જાળવી રાખ્યું હતું. આવાં લુપ્ત આગમોને મૌર્યકાળમાં મગધમાં મળેલી પરિષદે સંકલિત કર્યા હતાં. પરંતુ કાળબળે આ આગમો છિન્નભિન્ન થતાં ગયાં. આથી, આપણે અવલોકી ગયા તેમ વીરનિર્માણના લગભગ ૮ર૭ (કે ૮૪૦) વર્ષ પછી એટલે કે ઈસ્વી ૩૦૦ (કે ૩૧૩)માં આગમોને સુવ્યવસ્થિત કરવા કાજે અને આગમવાચનાને પુનશ્ચ સંકલિત કરવા અર્થે આર્ય સ્કંદિલના અધ્યક્ષસ્થાને મથુરામાં અને આ જ સમય દરમ્યાન ગુજરાતમાં વલભીમાં નાગાર્જુનના પ્રમુખપદે શ્રમણસંધ એકત્રિત થયો અને જેમને જેમને આગમ સૂત્ર કે ખંડ સ્મરણમાં હતાં તે લખવા કે લખાવા લાગ્યા. આમ લેખિત સ્વરૂપે એક સાથે બે વાચના તૈયાર થઈ જે અનુક્રમે માથુરીના વાચના અને વાલથી વાચનાથી ખ્યાત છે. ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં થયેલી આ મહત્ત્વની દાર્શનિક સાહિત્યિક પ્રવૃત્તિનું ભારતના જૈન આગમ સાહિત્યનાં ક્ષેત્રમાં આપણું મહાન યોગદાન ગણાવી શકાય. સાહિત્યિક પ્રવૃત્તિ
ભારતીય તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં મલવાદી રચિત દશારનવક્ર અને સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિ દ્વારા ગ્રંથોએ મહત્ત્વનાં પ્રદાન કર્યા છે. સમકાલીન કે પૂર્વકાલીન, જૈન કે જૈનેતર તાત્ત્વિક વિચારધારઓને, શક્ય તેટલી રીતે પૃથસ્કૃત અને વિશ્લેષિત કરીને, યોગ્ય સ્થાન પ્રસ્થાપીને તેમાંના લાભ દર્શાવતા, આ બંને ગ્રંથોના પ્રયત્ન પ્રામાણિક, પ્રશસ્ય અને પ્રાય: પહેલપ્રથમ છે. આમ આપણા દેશના દાર્શનિક સાહિત્યાકાશમાં ક્ષત્રપકાલીન ગુજરાત ધ્રુવ તારકસમ અગ્રિમ હરોળના સ્થાનનું અધિકારીત્વ અંકે કરે છે. જૈનધર્મમાં રામકથાના સ્વરૂપને પરમરિય (પદ્મચરિત)રૂપે પ્રચારમાં લાવવાનું સહુ પ્રથમ કાર્ય સંભવતઃ મલ્લવાદીના પાવરિત ગ્રંથથી થયેલું જોવું પ્રાપ્ત થાય છે. એવી જ રીતે, અજ્ઞાત લેખકકૃત સંવિના ગ્રંથ ફલાદેશનો ઉત્તમ ગ્રંથ હોઈ, ભારતના ફલાદેશ સાહિત્યમાં પણ ગુજરાતે તે દ્વારા ધ્યાનાર્ય યોગદાન બક્ષ્ય છે એમ ખસૂસ કહી શકાય. રાજા રુદ્રદામાનો જૂનાગઢનો શૈલલેખ સંસ્કૃત ગદ્યકાવ્યના અને દેવની મોરીનો શૈલસમુગક લેખ સંસ્કૃત વૃત્તબદ્ધ પદ્યના, ભારતના ઉપલબ્ધ સંસ્કૃત સાહિત્યમાં, આદ્ય શ્રેષ્ઠ નમૂના તરીકે મહત્ત્વનાં સ્થાન સંપ્રાપ્ત કરે છે.
For Personal & Private Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બાવીસ
363
ધર્મ-સહિષ્ણુતા
ધર્મ ક્ષેત્રે સહિષ્ણુતા દર્શાવવી એ એક દષ્ટિએ, કહો કે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં, અશક્ય નહીં તો મુશ્કેલ કાર્ય જરૂર છે. જો કે ભારતની સાંસ્કૃતિક પરંપરામાં ધાર્મિક સહિષ્ણુતા હકીકતે તાણાવાણાની જેમ માનવજીવનમાં ગૂંથાયેલી છે. આ બાબતેય ક્ષત્રપ રાજાઓ અને તત્કાલીન ગુર્જર પ્રજા મૂઠી ઊંચેરું કાઠું ઉપસાવી શક્યા છે. ક્ષત્રપ શાસકોના રાજ્ય-અમલ દરમ્યાન ગુજરાતમાં એક સાથે બૌદ્ધ, જૈન અને હિન્દુ ધર્મો (ખાસ કરીને પાશુપત શૈવ સંપ્રદાય) પ્રવર્તમાન અને પ્રચારિત હતા તેમ જ પ્રત્યેકનું પોતાનું આગવું વ્યક્તિત્વ પણ સુચારુ રીતે સુદઢ હતું. અલબત્ત, આ ત્રણેય ધર્મ વચ્ચે તાત્ત્વિક કક્ષાના વાદવિવાદ થતા રહેલા હોવા છતાંય એકંદરે કડવાશનાં વાતાવરણ અને પર્યાવરણ ખાસ ક્યાંય જોવા મળતાં નથી તેમ જ તે મિષે કોઈ હિંસક અથડામણ પણ નોંધાઈ નથી. આમ, ધાર્મિક સહિષ્ણુતા ક્ષેત્રેય ગુજરાત ઉન્નત મસ્તકે ગતિમાન હતું અને આપણે ક્ષત્રપકાલનું મહત્ત્વનું લક્ષણ ગણાવી શકીએ. પાશુપત શૈવપંથનું ઉદ્દભવસ્થાન વડોદરા જિલ્લામાં સ્થિત હાલના કારવણ (તત્કાળે કાયાવરોહણ)માં છે. આ પંથના પ્રવર્તક નકુલીશ-લકુલીશનો અવતાર આ સ્થળે થયો હોવાનું સ્પષ્ટ છે. આ રીતે, પાશુપત સંપ્રદાય મારફતે ગુજરાત અને ક્ષત્રપોએ શૈવસંપ્રદાયના વિકાસમાં પોતાનો પ્રશસ્ય ફાળો બક્યો છે. જૈનધર્મના શ્વેતાંબર અને દિગંબર પંથના વિભેદ પણ ગુજરાતમાં ક્ષત્રપકાલ દરમ્યાન થયેલા એમ એક જૈન અનુશ્રુતિથી સૂચવાય છે. દેવેન્દ્રસૂરિનાં તર્જનસર (શ્લોક ૧૧) અને મવસંપ્રદ (શ્લોક પ૨-૭૫) પુસ્તકોમાં જણાવેલી વિક્રમ સંવત ૧૩૬માં વલભીમાં થયેલી સેવ (જેતપટશ્વેતાંબર) સંપ્રદાયની ઉત્પત્તિ તેમ જ દિગંબર સંપ્રદાયમાં જણાવેલી વીર સંવત ૬૦૯ (વિક્રમ સંવત ૧૩૯)માં વલભીપુરમાં થયેલી તિ (વસ્ત્રધારી) સંપ્રદાયની ઉત્પત્તિને લગતી અનુશ્રુતિ વિગતે ઐતિહાસિક ન હોય તો પણ જૈન ધર્મના આ બે પેટા સંપ્રદાય ગુજરાત સાથે સંલગ્નિત હોવાનો પ્રત્યય થાય છે. આમ, ક્ષત્રપકાલીન ગુજરાતનો જૈન ધર્મના અભ્યદયમાં અને ધાર્મિક સહિષ્ણુતામાં પ્રશંસાઈ ફાળો હોવાનું ગણાવી શકાય. વેપારવણજ ક્ષેત્રે '
ગુજરાતે આ ક્ષેત્રે પણ પાછી પાની કરી નથી; બલકે એમ કહેવું જોઈએ કે વેપારવણજના ક્ષેત્રે ગુજરાતનું યોગદાન ધ્યાના સ્વરૂપનું હતું. વિદેશો સાથેના વેપારમાં ક્ષત્રપકાલ દરમ્યાન સમગ્ર દેશનું મહત્ત્વનું વેપારી મથક અને બંદર હતું ભરુકચ્છ; જે ક્ષત્રપોના પ્રારંભિક અમલ દરમ્યાન એટલે કે ક્ષહરાત રાજા નહપાની તે રાજધાની હતી. છેક માલવા અને રાજસ્થાન તેમ જ દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાંથી આ બંદરે કાચો માલ અને તૈયાર ચીજવસ્તુઓ આવતાં અને અહીંથી તેની નિકાસ વિદેશમાં થતી હતી. તેમ વિદેશથી આવતી એટલે આયાત થતી ચીજવસ્તુઓ પણ ભરૂચ બંદરે ઠલવાતી એવી નોંધ પરિપ્લસે કરી છે. ઈસુના આરંભકાળ સુધી ગ્રીક લખાણવાળા અને સિકંદરના અનુગામી રાજાઓ અપલદત્ત અને મિનેન્ટરની છાપવાળા સિક્કાઓનું-દિરામનું ચલણ બારીગાઝામાં છે અને દેશી ચલણના બદલામાં જેના ઉપર સારો વટાવ મળે છે તેવા સોનાચાંદીના સિક્કા ભરૂચમાં ઠલવાય છે એવા પેરિપ્લસના ઉલ્લેખથી સૂચિત થાય છે કે ક્ષત્રપકાલના શાસનના આરંભમાં વિદેશો સાથે, ખાસ
For Personal & Private Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૪
ક્ષત્રપકાલીન ગુજરાત કરીને ગ્રીસ અને રોમ સાથેનો ગુજરાતનો વેપાર ઘણા વ્યાપક પ્રમાણમાં થતો રહેતો હતો અને ભરુકચ્છ એ વેપાર-ઉદ્યોગનું ત્યારે ધીકતું વાણિજિયક મથક અને મોટું બંદર હતું. અહીં એ બાબત નોંધવા યોગ્ય છે કે પેરિપ્લસના સમયમાં ભરૂચનો રાજા નહપાન હતો અને તે કોશસમૃદ્ધ હતો. ભરૂચ ઉપરાંત કામરેજ, દ્વારકા, માંગરોળ, પ્રભાસ, ગોપનાથ, હાથબ, વલભી, નગરા, સંજાણ વગેરે સમુદ્રતટે કે સમુદ્ર પાસે આવેલાં સ્થળવિશેષ પણ વેપારવાણિજયનાં બંદરનગરો તરીકે પ્રતિષ્ઠિત હતાં. આમ, ગુપ્તકાલીન ભારતની આર્થિક સમૃદ્ધનું રહસ્ય ક્ષત્રપકાલીન ગુજરાતના વેપારવણજની પ્રવૃત્તિક પ્રક્રિયાથી સ્પષ્ટ થાય છે. સાંસ્કૃતિક યોગદાનનાં શાપક
ક્ષત્રપકાલીન ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના વિશ્લેષણ અને નિરૂપણમાં મુખ્ય અને મહત્ત્વનાં જ્ઞાપક છે ક્ષત્રપ રાજાઓએ નિર્માણ કરાવેલા અને વર્તમાને મોટી સંખ્યામાં હાથવગા થયેલા ચાદીના સિક્કા. આ સિક્કાસાધને કેવળ ગુજરાતમાં જ નહીં, ભારતના પૂર્વકાળના સિક્કામાંય અનોખું અને અદ્વિતીય સ્થાન સંપ્રાપ્ત કર્યું છે. અલબત્ત, આ રાજાઓના ચાંદીના પ્રત્યેક સિક્કામાં સ્થાન પામેલી રાજાની મુખાકૃતિ ઉપર ગ્રીક અસર ભલે સૂચવાય; પરંતુ આ રીતે સિક્કા ઉપર તેના નિર્માણકર્તા રાજાની મુખાકૃતિને સ્થાન આપવાની ક્ષત્રપોની પ્રણાલિકા અનુકાળમાં પ્રવર્તમાન રહી તેનો ખરો યશ પ્રાયઃ ક્ષત્રપ સિક્કાને ફાળે જાય છે તે ઘટના જ ધ્યાનાહ ગણાય; કેમ કે ચાર સૈકા સુધી એમના સિક્કાએ આ પ્રથાને અવિરત અમલી બનાવી હતી. પણ સિક્કાવિજ્ઞાનના ક્ષેત્રમાં આથી વિશેષ મહત્ત્વ આ સિક્કાઓનું છે પૃષ્ઠભાગ ઉપર ઉપસાવેલાં લખાણમાં. અપવાદ સિવાય ચાંદીના પ્રત્યેક સિક્કા ઉપર તેના સર્જકરાજાનાં નામ અને હોદ્દા સહિતની વિગત ઉપરાંત તેના પિતાનાં નામ અને હોદ્દાનો નિર્દેશ કરવાની પદ્ધતિએ, કહો કે અભિનવ પ્રથાએ, રાજકીય ઇતિહાસનાં નિરૂપણમાં અગત્યની એવી વંશાવળી તૈયાર કરવા કાજે અતિ ઉપકારક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રસ્થાપિત કરી ભારતના પૂર્વકાળના સિક્કાશાસ્ત્રના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન અંકે કરી લીધું છે તે સ્વયમ્ ધ્યાનાર્હ છે; જે પ્રથા અનુકાળે ગુપ્ત રાજાઓના સોનાના અને ક્ષત્રપ અનુકરણયુક્ત એમના ચાંદીના સિક્કામાં પણ જોવી પ્રાપ્ત થતી નથી. ભારતીય સિક્કાવિદ્યાનો આ એક રસપ્રદ કોયડો છે.
- સિક્કા ઉપર મિતિ દર્શાવવાની પ્રથા પણ ક્ષત્રપ સિક્કાની બીજી વિશેષતા છે, જે પ્રથા પછીથી ગુપ્ત સમ્રાટોના સિક્કામાં ચાલુ રહી હતી. આ પ્રથાને કારણે જે તે રાજવંશની સાલવારી તૈયાર કરવામાં સુગમતા પ્રાપ્ત થાય છે. સિક્કા ઉપર આમ તિથિનિર્દેશ, કહો કે સિક્કા ઉપર તે પાડયાનું વર્ષ આપવાની, કરવાની પદ્ધતિ સંભવતઃ ભારતમાં પહેલપ્રથમ હતી. અને આ કારણેય ભારતીય સિક્કાવિજ્ઞાનના ઇતિહાસમાં ક્ષત્રપાલનું સ્થાન મહત્ત્વનું છે. અંતે
આમ, સમગ્રતયા ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના ઘડતરમાં ક્ષત્રપકાલનું અને તે દ્વારા ભારતના સર્વગ્રાહી રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનાં ઘડતરમાં, કહો કે આપણા દેશનાં રાજકારણ, રાજવહીવટ, સિક્કાવિજ્ઞાન, કાલગણના, લલિતકળા, સાહિત્ય, ધર્મ અને વેપારવણજના વિકાસમાં અને અભ્યદયમાં ઘણો ફાળો પ્રદત્ત કર્યો છે તે બાબત જ ગુજરાતના આ કાલખંડની વિશેષતા છે.
For Personal & Private Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
અર્થશાસ્ત્ર
અએસેએ
અહિઆંક
અહિઇ
અહિડે
અહિનોઇ
આગુ
આસઇ
આસઇરિ
આસવેઇ
ઇએ
ઇહિકાઁ
ઇહિકવૉ
ઇન્સા. બ્રિટા.
એઇયુ
એજ્યૉઇ
એભાઓરીઇ
એકાક
એઇ
કલિએજ્
કૅટલૉગ
કેહિઇ
કૉઇઇ
કૉંહિઇ
ગુઐલે
ગુરાસાંઇ
ગ્રીબેઇ
જઇઓ
જઇહિ
જઇ
જન્યુસોઇ
જબિઓરીસો
કૌટલ્યાઝ અર્થશાસ્ત્ર
અર્લિ અમ્પાયર્સ ઑવ સેન્ટ્રલ એશિયા
અર્લિ હિસ્ટરી ઑવ ધ આંધ્ર કન્ટ્રિ
અર્લિ હિસ્ટરી ઑવ ઇન્ડિયા
અર્લિ હિસ્ટરી ઑવ ધ ડેક્કન અર્લિ હિસ્ટરી ઑવ નોર્થ ઇન્ડિયા આર્કિઑલજિ ઑવ ગુજરાત આર્કિઑલૉજિકલ સર્વે ઑવ ઇન્ડિયા
આર્કિઑલૉજિકલ સર્વે ઑવ ઇન્ડિયા રિપૉર્ટ આર્કિઑલૉજિકલ સર્વે ઑવ વેસ્ટન ઇન્ડિયા
ઇન્ડિયન એપિગ્રફિ
ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસ
ઇન્ડિયન હિસ્ટોરિકલ ક્વૉર્ટર્લી ઇન્સાઈક્લપીડિઆ બ્રિટાનિકા
એજ ઑવ ઇમ્પિરિયલ યુનિટી.
એન્શન્ટ જિઑગ્રફિ ઑવ ઇન્ડિયા
એનાલ્સ ઑવ ભાંડારકર ઑરિયેન્ટલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
એન્ટીક્વીટીઝ ઑવ કાઠિયાવાડ ઍન્ડ કચ્છ
સંક્ષેપસૂચિ
એપિગ્નફિકા ઇન્ડિકા
ડાયનેસ્ટીઝ ઑવ ધ કલિ એજ
એ કૅટલૉંગ ઑવ ઇન્ડિયન કૉઇન્સ ઇન બ્રિટિશ મ્યુઝિયમ
કૅમ્બ્રિજ હિસ્ટરી ઑવ ઇન્ડિયા
કૉપર્સ ઇન્સ્ક્રિપ્શનમ ઇન્ડિકેરમ કૉમ્પ્રિહેન્સિવ હિસ્ટરી ઑવ ઇન્ડિયા
ગુજરાતના ઐતિહાસિક લેખો
ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રીક્સ ઇન બેક્ટ્રિયા ઍન્ડ ઇન્ડિયા
જર્નલ ઑવ ઇન્ડિયન ઓશનિક આર્કિઑલજિ
જર્નલ ઑવ ઇન્ડિયન હિસ્ટરી
જર્નલ ઑવ ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ
જર્નલ ઑવ ન્યુમિઝમૅટિક સોસાયટી ઑવ ઇન્ડિયા જર્નલ ઑવ ધ બિહાર ઍન્ડ ઓરિસ્સા રીસર્ચ સોસાયટી
For Personal & Private Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬૬ જબૉબારૉએસો જરૉએસો જરૉએસોબેં જૈન કાલગણના ટૉલેમી ટ્રાવેલ્સ દેવની મોરી
ન્યુઈએ
પેરિપ્લસ પોહિએઈ પ્રદહિકૌં પ્રિલૅમ્યુબ ફાગુસત્ર બૉગ ભાઈરૂ ભાસિ મસયુનિજ
ક્ષત્રપકાલીન ગુજરાત જર્નલ ઑવ ધ બૉમ્બે બ્રાન્ચ ઑવ રૉયલ એશિયાટિક સોસાયટી જર્નલ ઑવ ધ રૉયલ એશિયાટિક સોસાયટી જર્નલ ઑવ ધ રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ બેંગાલ વીર નિર્વાણ સંવત ઔર જૈન કાલગણના એન્શન્ટ ઇન્ડિયા એઝ ડિસ્કાઈ બાય ટૉલેમી ઑન યુઆન શ્વાંગ્સ ટ્રાવેલ્સ ઇન ઇન્ડિયા એકવેશન એટ દેવની મોરી ન્યુ ઇન્ડિયન એન્ટીક્વેરી ધ પેરિપ્લસ ઑવ ધ ઇરિશિયન સી પલિટિકલ હિસ્ટરી ઑવ એન્શન્ટ ઇન્ડિયા પ્રસીડિંગ્સ ઑવ ધ ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસ પ્રિન્સ ઑવ વૅલ્સ મ્યુઝિયમ બુલિટિન ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક ગેઝેટિસર્ય ઑવ ધ બૉમ્બે પ્રેસિડન્સી ભારતીય ઇતિહાસ કી રૂપરેખા ભારતીય સિક્કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જર્નલ મૈત્રકકાલીન ગુજરાત મૉડર્ન રીવ્યુ બુદ્ધિસ્ટ રિકૉર્ડઝ ઑવ ધ વેસ્ટર્ન વર્લ્ડ મહાક્ષત્રપ રાજા રુદ્રદામાં લેક્ટર્સ ઑન એન્શન્ટ ઇન્ડિયન ન્યુમિઝમૅટિક્સ વાકાટક-ગુપ્ત એજ ધ શક્સ ઇન ઇન્ડિયા(સત્યશ્રાવ) સીલેક્ટ ઇસ્ક્રિપ્શન્સ ધ સિથિયન પીરિયડ ધ શક્સ ઇન ઇન્ડિયા(સુધાકર ચટ્ટોપાધ્યાય) હિસ્ટરી ઑવ એન્શન્ટ ઇન્ડિયા હિસ્ટરી ઑવ એન્શન્ટ સિવિલિઝેશન્સ
મોરી
રિકૉર્ડઝ રુદ્રદામા લેક્ટર્સ વાગુએ સત્યશ્રાવ સીઇ સીપી સુધાકર હિએઈ હિએસિ
For Personal & Private Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત-પ્રાકૃત-ગ્રંથ
અનુશાસન પર્વ ૬૫
અપરાજિતપૃચ્છા (ભુવનદેવ, સંપાદક પી. એ. માંકડ, વડોદરા, ૧૯૫૦) ૩૩૯
અર્થશાસ્ત્ર (ગણપતિશાસ્ત્રી, શામશાસ્ત્રી) ૮૬, ૧૧૮, ૧૬૧, ૨૭૩
અવેસ્તા ૭૩, ૮૪
અષ્ટાધ્યાયી ૨૭૩
અષ્ટાંગહૃદય ૩૫૨
અંગવિજજા પઇણય (પુણ્યવિજયજી, વારાણસી, ૧૯૫૭) ૯, ૨૭૧-૭૨, ૩૫૧થી ૫૮, ૩૬૨
આરાણ્યકપર્વ ૬૫
આવશ્યકસૂત્ર નિર્યુક્તિ ૧૦૨, ૧૦૬થી ૧૧૦, ૧૮૦, ૧૮૨
ઋગ્વેદ ૭૩
ઉત્તરાધ્યયન ૨૭૧
ઉદ્યોગપર્વ ૬૫
ઉપાયનપર્વ, (મોતીચંદ્ર, લખનૌ, ૧૯૪૫) ૬૫
ઐતરેય બ્રાહ્મણ ૮૪
કર્ણપર્વ ૬૫
કાલિકાચાર્ય કથા ૬૪
ગાગ્યસંહિતા ૬૩, ૬૭
ચરક સંહિતા ૩૫૩
જાતકગ્રંથો ૨૭૧
તિથ્યોગાલિપઇન્નય ૧૦૬, ૧૧૦
તિલોયપણતિ ૭૪, ૮૧, ૮૫, ૧૦૨, ૧૦૮-૧૧૦
થાનાંગસૂત્ત ૨૬૪, ૨૭૧
દર્શનસાર ૩૬૩ દુર્ગવૃત્તિ ૧૦
ગ્રંથ-સંદર્ભ-સૂચિ
For Personal & Private Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
દ્વાદશારનયચક્ર (મલ્લવાદિસૂરિ, ચતુરવિજયજી અને લાલચંદ ગાંધી, વડોદરા, ૧૯૫૨), ૯, ૨૫૮
૩૬૮
૬૦, ૨૭૪-૭૫, ૩૬૨
નંદિસૂત્ર ચૂર્ણિ ૬૪
નારદસ્મૃતિ ૨૩૧
નિદાનસૂત્ર ૩૬૨
ન્યાયવતાર ૯
પઉમચરિય (યાકોબી, પુણ્યવિજયજી, ૧૯૬૨), ૨૬૨, ૨૬૯, ૩૬૨
પટ્ટાવલીગાથા ૧૦૩, ૧૦૯
પદ્મરિત ૨૬૧-૬૨, ૨૬૯, ૩૬૨
પુરાતન-પ્રબંધ-સંગ્રહ (જિનભદ્રગણિ વગેરે, સંપાદક જિનવિજયજી, કલકત્તા, ૧૯૩૬) ૩૧૩
પ્રતિત્યસમુત્પાદ ૩૬૨
પ્રભાવકચરિત (જિનવિજયજી, ભાવનગર, ૧૯૩૧) ૨૫૭-૫૮, ૨૬૦-૬૧, ૨૬૭-૨૬૯, ૨૯૩ પ્રબંધ ચિંતામણિ (જિનવિજયજી, કોલકાતા, ૧૯૩૩), ૧૦
બ્રહ્મજાલસૂત (રીઝ ડેવિડ્સ) ૨૭૧
બ્રાહ્મણગ્રંથો ૭૩
ભદ્રબાહુસંહિતા (નેમિચંદ્ર શાસ્ત્રી, ૧૯૫૯), ૨૭૦
ભીષ્મપર્વ ૬૫
મનુસ્મૃતિ ૪૮, ૫૦-૫૧, ૨૩૧, ૨૭૧
મહાભારત ૫૦, ૫૬, ૬૫, ૮૦
મહાભાષ્ય ૮૬
યુગપુરાણ ૬૩, ૬૭, ૬૯
રાજતરંગિણી ૮૦
રામકથા ૩૬૨
રામાયણ ૫૦, ૫૩, ૮૦, ૨૬૧
લિંગપુરાણ ૨૯૨
વાજસનેયિ સંહિતા ૭૩
વાયવીય સંહિતા ૨૯૧
વાયુપુરાણ ૧૦૨, ૧૭૯, ૨૯૨
વિચારશ્રેણી (મેરુત્તુંગાચાર્ય, સંપાદક જિનવિજયજી, કોલકાતા, ૧૯૩૩) ૧૦૨
For Personal & Private Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૬૯
ગ્રંથ-સંદર્ભ-સૂચિ વિવિધતીર્થકલ્પ (જિનપ્રભસૂરિ, સંપાદક જિનવિજયજી, શાંતિનિકેતન, ૧૯૩૪) ૧૦, ૨૯૩, ૩૧૩ વિવિધ પૂજાસંગ્રહ ૩૧૧ શતપથ બ્રાહ્મણ ૮૪, ૨૨૮ સભાપર્વ ૬૫ સન્મતિ પ્રકરણ ૩૬૨ સમરાંગણ સૂત્રધાર ૩૩૯ સમવાયાંગસૂત્ત ૨૬૪, ૨૭૧ સામવેદ ૭૩ સુશ્રુતસંહિતા ૮૭ હરિવંશ પુરાણ (જિનસેન, સંપાદક દરબારીલાલ, મુંબઈ) ૧૦૨-૦૩, ૧૦૯-૧૧૧, ૩૪૮ હર્ષચરિત ૧૪૪ નોંધ : જ્યાં માત્ર શ્લોક સંદર્ભ આપ્યો છે ત્યાં તે ગ્રંથના લેખક કે , અને સંપાદકનાં નામનિર્દેશ જરૂરી
સમજયા નથી, પરંતુ જયાં સંપાદિત ગ્રંથનો ઉલ્લેખ છે ત્યાં કૌંસમાં જરૂરી માહિતી આપી છે. પણ જયાં અંગ્રેજી સંપાદન છે તેની માહિતી જે તે સ્થળે છે. અહીં નિર્દિષ્ટ સંખ્યા આ ગ્રંથમાં
જ્યાં તેનો ઉલ્લેખ છે તે પૃષ્ઠસંખ્યા સમજવી. ગુજરાતી ગ્રંથ અત્ર તત્ર પુરાતત્ત્વ : ગુજરાતનો ઇતિહાસ, જયેન્દ્ર નાણાવટી, અમદાવાદ, ૨૦૦૩, (૧૬, ૩૧૪) ઇતિહાસ નિરૂપણનો અભિગમ, રસેશ જમીનદાર, અમદાવાદ, ૧૯૯૨(૧૫૨) ઇતિહાસ સંકલ્પના અને સંશોધનો, રસેશ જમીનદાર, અમદાવાદ, ૧૯૮૯(૧૫૨, ૧૬૩) ઇતિહાસ સંમેલન નિબંધસંગ્રહ (૧૯૪૩), ડોલરરાય માંકડ, અમદાવાદ, ૧૯૪૮(૮૫) ઇતિહાસ સંશોધન, રસેશ જમીનદાર, અમદાવાદ, ૧૯૭૬(૮૮, ૧૦૯, ૧૫-૧૫૩, ૧૭૮-૭૯,
૨૭૦, ૨૭૨, ૨૯૨, ૩૫૮) એશિયાઈ હૂણો, કેશવ હર્ષદ ધ્રુવ, અમદાવાદ, ૧૯૨૧(૫૧) ઐતિહાસિક સંશોધન, દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, મુંબઈ, ૧૯૪૧(૨૯૨) કર્મવીર આનંદપ્રિયજી અભિનંદન ગ્રંથ, સંપાદન, વડોદરા, ૧૯૭૫(૨૬૮-૬૯) ક્ષત્રપકાલનું ગુજરાત, રસેશ જમીનદાર, અમદાવાદ, ૧૯૭૫(૧૭૮) ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ(ખંડ ૨), અમદાવાદ, ૧૯૬૨(૧૨) ગુજરાતના ઐતિહાસિક લેખો, ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય, મુંબઈ, ૧૯૩૩, (૧૨, ૧૩૩, ૧૬૩) ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન, વર્ષા ગગનવિહારી જાની, અમદાવાદ, ૧૯૯૧
For Personal & Private Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
390
ક્ષત્રપકાલીન ગુજરાત ગુજરાતનાં તીર્થસ્થાનો, દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, અમદાવાદ, ૧૯૫૦(૮૭, ૨૯૩) ગુજરાતની રાજધાનીઓ, રસિકલાલ છોટાલાલ પરીખ, અમદાવાદ, ૧૯૫૮(૧૬૩) ગુજરાતની શિલ્પ સમૃદ્ધિ, રવિ હજરનીસ, અમદાવાદ, ૧૯૯૮(૩૪૧) ગુજરાતનું મૂર્તિવિધાન, કનૈયાલાલ ભાઈશંકર દવે, (૨૯૩) ગુજરાતને મળેલો શિલ્પ-સ્થાપત્યનો વારસો, રમણલાલ નાગરજી મહેતા, અમદાવાદ, ૧૯૬૮(૩૨૬) ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૨, ૨. છો. પરીખ અને હ. ગં. શાસ્ત્રી (સંપા.),
૧૯૭૨ (૧૧૨,૧૪૩-૪૪, ૧૬૩, ૧૮૮, ૧૯૮, ૨૧૬, ૩૧૧-૧૨, ૩૨૧, ૩૨૬, ૩૪૦,
૩૪૫). ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, રસેશ જમીનદાર, અમદાવાદ, ૧૯૯૦(૧૫૨) ગુજરાતનો સોલંકીકાલીન ઇતિહાસ, નવીનચંદ્ર આચાર્ય, અમદાવાદ, ૧૯૭૩ (૫) જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, ભોગીલાલ જયચંદ સાંડેસરા, અમદાવાદ, ૧૯૫૨, (૧૧૦, ૧૮૭,
૨૭૨) દ્વિવેદી અભિનંદન ગ્રંથ, કલ્યાણવિજયજી, ૧૯૩૪(૬૪) પંડિત બેચરદાસ દોશી સ્મૃતિગ્રંથ, મધુસૂદન ઢાંકી અને સાગરમલ જૈન(સંપાદિત), ૧૯૭૫(૩૪૧) પુરાણ વિવેચન, દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, અમદાવાદ, ૧૯૩૧(૨૯૨) પુરાણોમાં ગુજરાત, ઉમાશંકર જોશી, અમદાવાદ, ૧૯૪૬, (૨૯૨, ૩૫૭) પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, રસેશ જમીનદાર, અમદાવાદ, ૧૯૯૪ (૬૪-૭૦, ૧૩૧, ૧૫૨,
૧૭૯, ૨૨૮-૩) પ્રેમી અભિનંદન ગ્રંથ, દલસુખ માલવણિયા (સંપા.) (૨૬૯) બૌદ્ધ સંઘનો પરિચય, ધર્માનંદ કોસાંબી, અમદાવાદ, ૧૯૨૪ (૩૭૫) બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિ વિકાસ, પ્રવીણચંદ્ર ચીમનલાલ પરીખ, અમદાવાદ, ૧૯૭૪ (૨૮૨). મહાક્ષત્રપ રાજા રુદ્રદામા, વિજયેન્દ્રસૂરિ, ભાવનગર, ૧૯૩૭ (૫૦-૫૩, ૬૪, ૧૩૧, ૨૩૧) મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧-૨, હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, અમદાવાદ, ૧૯૫૫ (૧૪૫, ૨૩૦,
૨૬૯, ૨૯૨-૯૩). વસંતરજત મહોત્સવ સ્મારકગ્રંથ, જિનવિજયજી, ૧૯૨૭ (૨૬૯) વીસમી સદીનું ભારત : ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં, રામલાલ પરીખ અને રસેશ જમીનદાર (સંપાદિત),
અમદાવાદ, ૧૯૭૭ (૧૫૨, ૧૯૭) સન્મતિ પ્રકરણ (ગુજરાતી આવૃત્તિ), પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજી, અમદાવાદ, ૧૯૫ર
(૨૬૮-૬૯). સોમનાથ, રત્નમણિરાવ ભીમરાવ, અમદાવાદ, ૧૯૪૯ (૨૯૨).
For Personal & Private Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ-સંદર્ભ-સૂચિ
૩૭૧
સ્વાધીનતા સંગ્રામમાં ગુજરાત, રસેશ જમીનદાર, અમદાવાદ, ૧૯૮૯ (૧પર). હિન્દી ગ્રંથ ગુપ્તકાલીન મુદ્રાએ, અનંત સદાશિવ અળતેકર, (૧૪૫) પ્રાકૃત સાહિત્યકા ઇતિહાસ, (૨૭૧) પ્રાચીન ચરિત્રકોશ, સિદ્ધેશ્વર શાસ્ત્રી ચિત્રાવ, ૧૯૬૫ (૮૭). પ્રાચીન મુદ્રા, ગૌરિશંકર હીરાચંદ ઓઝા, (૨૨૯, ૨૩૧). બૌદ્ધકાલીન ભારત, જનાર્દન ભટ્ટ, ૧૯૨૫ (૮૪) ભારતભૂમિ ઔર ઉસકે નિવાસી, જયચંદ્ર વિદ્યાલંકાર, કમાલિયા, ૧૯૩૨ (૧૨) ભારતીય ઇતિહાસકી રૂપરેખા, જયચંદ્ર વિદ્યાલંકાર, અલાહાબાદ, ૧૯૩૩, (૫૦-૫૨, ૬૫, ૬૯-૭૦,
૧૩૧). ભારતીય પ્રાચીન લિપિમાળા, ગૌ હી.ઓઝા, દિલ્હી, વિ.સં. ૨૦૧૬ (૨૮૨). ભારતીય સિક્કે, વાસુદેવ ઉપાધ્યાય, પ્રયાગ, વિ.સં. ૨૦૦૫ (૬૭, ૧૮૭, ૨૨૮-૨૯, ૨૩૧) વીર નિર્વાણ સંવત ઔર જૈન કાલ ગણના, કલ્યાણવિજયજી, જાલોર, ૧૯૩૧ (૬૫, ૧૧૦, ૧૧૨,
૨૬૮). સોલંકીકાલીન પ્રાચીન ઇતિહાસ, ગૌરીશંકર ઓઝા, અજમેર, ૧૯૦૭ (૫) અંગ્રેજી ગ્રંથ અર્લિ એમ્પાયર્સ ઑવ સેન્ટ્રલ એશિયા, મેકગવર્ન, (૫૨) (ધ) અર્લિ કુષાણ્ય, બલદેવકુમાર, (૧૭૭-૭૯) અલિ હિસ્ટરી ઓવ આંધ કન્ટ્રિ, કે. ગોપાલાચારી, મદ્રાસ, ૧૯૪૧ (૧૦૯, ૧૧૧) અલિ હિસ્ટરી ઑવ ઇન્ડિયા, વિન્સેન્ટ સ્મીથ, ઓક્સફર્ડ, ૧૯૫૭ (પર, ૮૫, ૧૪૪, ૧૭૭) (ધ) અર્લિ હિસ્ટરી ઑવ ડેક્કન, ગુલામ યઝદાની, (સંપાદક) મુંબઈ, ૧૯૬૦ (૧૧૦-૧૨, ૧૩૧,
૧૫૩, ૧૫૬, ૧૮૭-૮૮). અર્લિ હિસ્ટરી ઓવ ધ ડેક્કન, રામકૃષ્ણ ભાંડારકર, પૂણે, ૧૯૨૮ (૧૮૮) અલિ હિસ્ટરી ઑવ નોર્થ ઇન્ડિયા, સુધાકર ચટ્ટોપાધ્યાય, કલકત્તા, ૧૯૫૮ (૫૩-૫૪, ૬૦-૭૦, ૮૮) અલ બિરૂનીઝ ઇન્ડિયા, ભાગ ૨, ઇ.સી.સચાઉ, લંડન, ૧૯૧૦, (૧૫૨) અવર હેરિટેજ, પુસ્તક ૬, બી.એન. મુખરજી, ૧૯૫૮ (૧૬૮) (ધ) આર્કિૉલજિ ઑવ ગુજરાત, હસમુખ ધીરજલાલ સાંકળિયા, મુંબઈ, ૧૯૪૧, (૩૧૦-૧૪,
૩૩૯-૪૦) ઇન્ડિયન કૉઇન્સ, એડવર્ડ જેમ્સ રેપ્સન, સ્ટ્રાસબર્જ, ૧૮૯૭. (૬૯)
For Personal & Private Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૨
ક્ષત્રપકાલીન ગુજરાત ઇન્ડિયન સ્પેલિગ્રાફ, અહમદ હસન દાણી. ઑક્સફર્ડ, ૧૯૬૩, (૧૧૧, ૧૫૩, ૧૭૮, ૧૮૮,
૨૮૨) ઇન્ડિયન સ્પેલિગ્રફિ, રાજબલિ પાન્ડેય, વારાણસી, ૧૯૫૭ (૧૭૮) ઇન્ડિયા અન્ડર ધ કુષાણ્ય, બૈજનાથ પુરી, મુંબઈ, ૧૯૬૫ (૧૭૭) (ધ) ઇન્ડિયા અન્ડ ધ કુષાણ્ય, સુધાકર ચટ્ટોપાધ્યાય, કલકત્તા, ૧૯૬૫ (૮૮) (ધ) ઇન્ડો-ગ્રીક્સ, અવધકિશોર નારાયણ, ઓક્સફર્ડ, ૧૯૫૭ (૨૧-૫૪). ઇસેન્સલ્સ ઑવ બુદ્ધિસ્ટ ફિલૉસફિ, તમાકુસુ, (૨૭૦). ઈરાન, ધીશમેન, મીડલસેકસ, ૧૯૫૪ (૫૪) ઉમેશમિશ્ર કમેમરેશન વૉલ્યુમ, અલાહાબાદ, ૧૯૭૦ (૮૮, ૧૫૨) એસ્કવેશન એટ અમરેલી, શિકારપુર રંગનાથ રાવ, વડોદરા, ૧૯૬૬, (૨૧૬). . એસ્કવેશન એટ ટીંબરવા, રમણલાલ નાગરજી મહેતા, વડોદરા, ૧૯૫૫ (૨૧૬, ૩૪૫) એસ્કવેશન એટ દેવની મોરી, ૨.ના.મહેતા અને સૂ.ના.ચૌધરી, વડોદરા, ૧૯૬૬, (૧૧, ૧૬, ૮૭,
૯૫-૯૬, ૨૧૬, ૨૨૯, ૨૪૫, ૨૯૩, ૩૧૨, ૩૨૨, ૩૪૦) એકવેશન એટ નગરા, ૨.ના.મહેતા, વડોદરા, ૧૯૭૦ (૨૧૬, ૩૪૫) એસ્કવેશન એટ વડનગર, સુબ્બારાવ અને ૨.ના.મહેતા, વડોદરા, ૧૯૫૫ (૨૧૬, ૩૪૫) . એક્વકવેશન એટ શામળાજી, ૨.ના.મહેતા અને અં.જે.પટેલ, વડોદરા, ૧૯૬૭ (૨૧૬) (ધ) એજ ઑવ ઈમ્પીરિઅલ યૂનિટી, રમેશચંદ્ર મજુમદાર અને એ.ડી.પુસાલકર, મુંબઈ, ૧૯૬૦ (૫૦,
પ૩, ૬૫-૬૬, ૮૫, ૮૮, ૧૩૧, ૧૬૮, ૧૭૮, ૧૯૯) એન્શન્ટ જિઓગ્રફિ ઑવ ઈન્ડિયા, (સંપાદક) એસ. એન. મજુમદાર, કલકત્તા, ૧૯૨૪ (૬૫, ૬૮)
મૂળ લેખક એલેકઝંડર કનિંગહમ. (ધ) રિપોર્ટ ઑન ધ ઍન્ટિવિટિઝ ઑવ કાઠિયાવાડ એન્ડ કચ્છ, જેમ્સ બર્જેસ, લંડન, ૧૮૭૬ (૩૧૦
૧૪, ૩૨૬, ૩૩૯). (ધ) એન્શન્ટ ઍન્ડ હિન્દુ ઇન્ડિયા, વિન્સેન્ટ એ.સ્મીથ, (૧૭૮) (એ) કલેકશન ઑવ પ્રાકૃત ઍન્ડ સંસ્કૃત ઇસ્ક્રિપ્શન્સ, ડિપાર્ટમેન્ટ ઑવ આર્કિઓલજિ, ભાવનગર,
(૧૩૩). કેટલૉગ ઑવ ઇન્ડિયન કૉઇન્સ ઇન ધ બ્રિટિશ મ્યુઝિયમ, એડવર્ડ જેમ્સ રેપ્સન, લંડન, ૧૯૦૮ (૧૭,
૩૮, ૪૪, ૭૦, ૮૪-૮૮, ૯૬, ૧૦૯, ૧૩૨-૩૪, ૧૪૨-૪૪, ૧૫૬, ૧૬૭, ૧૮૭,
૧૯૯, ૨૨૯-૩૧, ૨૯૧, ૩૩૯). કેટલૉગ ઑવ કૉઈન્સ ઓવ એન્શન્ટ ઇન્ડિયા, જહૉન એલન, લંડન, ૧૯૩૬ (૭૦) કેટલૉગ ઑવ કૉઈન્સ ઇન ધ ઇન્ડિયન મ્યુઝિયમ કલકત્તા, વિન્સેન્ટ એ.સ્મીથ, ઑક્સફર્ડ, ૧૯૮૬
(૧૭૯, ૨૩૧).
For Personal & Private Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ-સંદર્ભ-સૂચિ
કેટલૉંગ ઑવ ધ મ્યુઝિયમ ઑવ ધ આર્કિઑલજ એટ સાંચી, કે.કે.હમીદ વગેરે, કલકત્તા, ૧૯૨૨ (૪૩, ૧૪૪).
કેટલૉંગ ઑવ સંસ્કૃત ઍન્ડ પ્રાકૃત મૅન્યુસ્ક્રિપ્ટ ઇન ધ સેન્ટ્રલ પ્રૉવિન્સીસ ઍન્ડ બેરાર, રા.બ.હીરાલાલ સુદ (૮૭)
કેમ્બ્રિજ શોર્ટર હિસ્ટરી ઑવ ઇન્ડિયા, જૉન એલન, (૧૪૪)
કેમ્બ્રિજ હિસ્ટરી ઑવ ઇન્ડિયા, એડવર્ડ જેમ્સ રેપ્સન, લંડન, ૧૯૨૨ (૫૦-૫૪, ૬૪, ૭૦, ૧૭૮). કેવ ટેમ્પલ્સ ઑવ ઇન્ડિયા, જેમ્સ બર્જેસ અને જેમ્સ ફર્ગ્યુસન, લંડન, ૧૮૮૦. (૩૧૧)
કૉઇનેજ ઑવ ધ સાતવાહન્સ ઍન્ડ કૉઈન્સ ફ્રૉમ એક્ષ્મવેશન્સ, અજયમિત્ર શાસ્ત્રી (સંપાદક), નાગપુર, ૧૯૭૨ (૧૮૭-૮૮).
કૉઈન્સ, ૫રમેશ્વરીલાલ ગુપ્ત, ન્યુ દિલ્હી, ૧૯૬૯ (૧૭૯).
કૉઇન્સ ઑવ ઇન્ડિયા, સી.જે.બ્રાઉન, (૨૨૯, ૨૩૧).
કૉઇન્સ ઑવ એન્શન્ટ ઇન્ડિયા, એલેકઝેડર કનિંગહમ, વારાણસી, ૧૯૬૩ (૨૨૮).
393
કૉઇન્સ ઑવ ધ શક્સ, એલેકઝંડર કનિંગહમ, (૭૦).
કૉન્સેપ્ટ ઑવ ઇન્ડોલૉજી, રામલાલ પરીખ અને રસેશ જમીનદાર (સંપાદિત), અમદાવાદ, ૧૯૭૩ (૨૬૮).
કોર્પોરેટ લાઈફ ઇન ઇન્ડિયા, રમેશચંદ્ર મજુમદાર, કલકત્તા, ૧૯૨૨ (૩૫૭).
કનૉલિજ ઑવ ગુજરાત, મંજુલાલ ૨. મજમુદાર (સંપાદક), વડોદરા, ૧૯૬૦ (૧૬, ૩૨૧, ૩૪૦). કૉમ્પ્રિહેન્સિવ હિસ્ટરી ઑવ ઇન્ડિયા, નીલકંઠ શાસ્ત્રી (સંપાદક), મુંબઈ, ૧૯૫૭, (૮૪, ૧૦૯, ૧૧૨, ૧૩૧-૩૪, ૨૨૮).
(ધ) લૅસિક્લ એજ, રમેશચંદ્ર મજુમદાર અને એ.ડી.પુસાલકર, મુંબઈ, ૧૯૫૪ (૧૪૪, ૨૭૦) ગાઇડ ટુ તક્ષશિલા, જહૉન માર્શલ, કલકત્તા, ૧૯૧૮, લંડન, ૧૯૬૦, વારાણસી, ૧૯૭૨, (૬૭– ૬૮, ૧૭૮).
ગાંધારન આર્ટ ઇન પાકિસ્તાન, હરાલ્ડ ઇન્વોટ, લાહોર, ૧૯૫૭ (૮૮)
ગૅઝિટીઅર ઑવ ધ બૉમ્બે પ્રેઝિડન્સિ, પુસ્તક-૧, ભાગ ૧, મુંબઈ, ૧૮૯૬ (૪૦, ૧૩૨, ૧૫૨, ૧૫૬, ૧૯૭-૯૮, ૨૩૦)
(ધ) ગ્રીકસ ઇન બેક્ટ્રિયા ઍન્ડ ઇન્ડિયા, ડબલ્યુ ડબલ્યુ ટાર્ન, લંડન, ૧૯૩૮ (૫૦-૫૪, ૬૪-૬૯, ૧૫૨, ૧૭૮).
ગુજરાત અંડર ધ મૈત્રક્સ ઑવ ગુજરાત, હરિપ્રસાદ શાસ્ત્રી, વડોદરા, ૨૦૦૦ (૫)
(ધ) જૈન સોર્સીઝ ઑવ ધ હિસ્ટરી ઑવ એન્શન્ટ ઇન્ડિયા, જ્યોતિપ્રસાદ જૈન, દિલ્હી, ૧૯૬૪ (૮૮) જીઅગ્રૅફિકલ ઍન્ડ ઇકોનોમિક સ્ટડીઝ ઇન ધ ઉપાયન-પર્વ, મોતીચંદ્ર, લખનૌ, ૧૯૪૫ (૬૫)
For Personal & Private Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૭૪
ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા, જેમ્સ ટોડ, લંડન ૧૮૩૯ (૩૧૨)
ટ્રવેન્ટી ફાઇવ હન્ડ્રેડ ઇયર્સ ઑવ બુદ્ધિઝમ, બાપટ (સંપાદક), (૨૭૦) ડાયનેસ્ટીજ ઑવ ધ કલિ એજ, એફ.ઇ.પાર્જિટર, લંડન, ૧૯૧૩ (૬૫, ૧૧૧, ૧૩૦).
નોટ્સ ઑન ધ વેસ્ટર્ન રિજિયન્સ, વુલી, (૫૩)
ન્યુમિઝમૅટિક પેનોરમા-એસેઝ ઇન મેમરી ઑવ એસ.એમ.શુક્લ, કે.કે.માહેશ્વરી અને વિશ્વજિત રથ, દિલ્હી, ૧૯૯૬ (૧૦૯)
ક્ષત્રપકાલીન ગુજરાત
પલિટિકલ હિસ્ટરી ઑવ એન્શન્ટ ઇન્ડિયા, એચ.સી.રાય ચૌધરી, કલકત્તા, ૧૯૫૩, (૫૩, ૬૬-૭૦, ૮૫-૮૭, ૧૦૮-૧૧, ૧૪૨, ૧૫૨, ૧૭૮, ૧૮૮)
પંજાબ મ્યુઝિયમ કૅટલૉગ, (૬૬)
પંડિત બેચરદાસ દોશી કમેમરેશન વૉલ્યુમ, સંપાદક : ઢાંકી અને જૈન, વારાણસી, ૧૯૮૭ (૩૪૧) પર્શિયા, એસ.જી.ડબલ્યુ. બેન્જામીન, લંડન, ૧૯૨૦ (૮૪).
પુરાણિક ક્રનૉલજિ, ડોલરરાય રંગીલદાસ માંકડ, આણંદ, ૧૯૫૧ (૧૭૮).
પેરિપ્લસ, ડબલ્યુ એચ. સ્કૉફ, લંડન, ૧૯૧૨ (૧૦, ૫૮, ૬૪-૬૬, ૧૧૦-૧૨, ૧૮૦, ૧૮૩, ૧૮૭-૮૯, ૨૨૮, ૨૭૨, ૩૪૬-૫૨, ૩૫૬-૫૭, ૩૬૩-૬૪)
પ્રસીડિંગ્સ ઑવ ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસ, ૧૯૪૦ (૮૬, ૧૦૯, ૧૧૨, ૧૩૧, ૧૩૩, ૧૪૩, ૧૭૯, ૧૮૭).
પ્રસીડિંગ્સ ઑવ ધ ઑલ ઇન્ડિયા સેમિનાર ઑન જૈન આર્ટ ઍન્ડ આર્કિટેકચર, (૧૯૭૩), ૧૯૭૫ (૩૧૧)
પ્રસીડિંગ્સ ઑવ ધ ફિફ્થ ઇન્ડિયન ઑરિએન્ટલ કૉન્ફરન્સ, પુ. ૧, ૧૯૨૮, (૨૪૫)
પ્રસીડિંગ્સ ઑવ ધ બ્રિટિશ અકૅડમિ, ટાર્ન, ૧૯૩૦ (૫૪).
પ્રસીડિંગ્સ ઑવ વિયેના ઑરિએન્ટલ કૉંગ્રેસ, ૧૮૮૨ (૧૬૭).
બરોડા થ્રુ ધ એજીજ, બી.સુબ્બારાવ, વડોદરા, ૧૯૫૩ (૩૪૫).
બુદ્ધિસ્ટ રિકૉર્ડઝ ઑવ ધ વેસ્ટર્ન વર્લ્ડ, પુસ્તક ૨, સેમ્યુઅલ બીલ, ૧૮૮૪ (૨૭૦, ૩૧૦, ૩૧૩). બેક્ટ્રિ, એડવર્ડ જેમ્સ રેપ્સન, (૫૦-૫૪)
બેક્ટ્રિ, રોલિનસન, (૫૦-૫૪).
મરીન આર્કિઑલજિ ઑવ ઇન્ડિયન ઓશનિક કન્ટ્રિઝ, શિકારીપુર રંગનાથ રાવ, (સંપાદિત) ૧૯૮૮ (૨૧૫)
રીડિંગ ઇન ધ લિટિકલ હિસ્ટરી ઑવ ઇન્ડિયા, એસ.પી.ગુપ્તા અને અન્ય (સંપાદિત), દિલ્હી, ૧૯૭૬ (૧૭૭-૭૯).
For Personal & Private Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ-સંદર્ભ-સૂચિ
૩૭૫ લેકચર્સ ઓન એન્શન્ટ ઇન્ડિયન ન્યુમિઝમૅટિક્સ, દત્તાત્રેય રામકૃષ્ણ ભાંડારકર, કલકત્તા, ૧૯૨૧ (૮૮,
૨૨૮-૩૧). લેગસિ ઑવ ગુજરાત, જે.એમ. નાણાવટી, અમદાવાદ, ૨૦૦૩ (૧૬) લિસ્ટ ઑવ બ્રાહ્મી ઇસ્ક્રિપ્શન્સ અપ ટુ ૨૦૦ એ.ડી, એચ લ્યુડર્સ (૧૮૮). વન્ડર ધેટ વૉઝ ઇન્ડિયા, એ.એલ.બશમ, કલકત્તા, ૧૯૫૯ (૨૭૨) (ધ) વાટાકટ ગુપ્ત એજ, અનંત સદાશિવ અળતેકર અને રમેશચંદ્ર મજુમદાર, વારાણસી, ૧૯૬૦
(૧૩૨-૩૪, ૧૪૨-૪૩, ૧૬૮, ૧૯૯). વૈષ્ણવિઝમ, શૈવિઝમ ઍન્ડ માયનોર રિલિજસ સિસ્ટમ્સ, ભાંડારકર, ૧૯૨૮ (૨૯૨) (ધ) શક્સ ઇન ઇન્ડિયા, સત્યશ્રાવ, લાહોર, ૧૯૪૭ (૫૦, ૬૫, ૮૫, ૧૧૧) અને બીજી આવૃત્તિ,
નવી દિલ્હી, ૧૯૮૧. (ધ) શક્સ ઇન ઇન્ડિયા, સુધાકર ચટ્ટોપાધ્યાય, શાંતિનિકેતન, ૧૯૬૭ (૧૨, પર-૫૪, ૬૪-૭૦, ૮૭,
૧૩૨, ૧૮૭-૮૮, ૧૯૯) એ સંસ્કૃત-ઇંગ્લિશ ડિક્લેરી, મોનિયર વિલિયમ્સ, ઑક્સફર્ડ, ૧૯૬૩, (૮૪, ૮૭) (ધ) સાતવાહન્સ ઍન્ડ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ, અજયમિત્ર શાસ્ત્રી, નવી દિલ્હી, ૧૯૯૮, (૮૬, ૧૦૯,
૧૫૩, ૧૫૬, ૧૮૭-૮૮). સિલેક્ટ ઇસ્ક્રિશન્સ, દિનેશચંદ્ર સરકાર, કલકત્તા, ૧૯૪૨ (૧૨, ૫૦, ૬૫-૬૬, ૬૯, ૮૪-૮૬,
૧૦૮, ૧૧૦, ૧૪૪, ૧૬૩, ૧૮૭, ૨૩૦); કલકત્તા, ૧૯૬૫; દિલ્હી, ૧૯૮૩. (ધ) સાથિયન પીરિયડ, ફૉન લોહઇઝેન્દ, લીડેન, ૧૯૪૯ (૫૩, ૬૫-૬૭). સોમનાથ ઍન્ડ અધર મેડિઈવલ ટેમ્પલ્સ ઇન કાઠિયાવાડ, હેન્રી ઝેન્સ, કલકત્તા, ૧૯૩૧ (૨૯૨). સોમનાથ ધ શ્રાઇન ઇટરનલ, ક.મા.મુન્શી, સોમનાથ-પાટણ, ૧૯૫૧ (૨૯૨) સ્કલ્પચર્સ ફ્રૉમ શામળાજી ઍન્ડ રોડા ઇન ધ બરોડા મ્યુઝિયમ, ઉમાકાંત કે. શાહ, વડોદરા, ૧૯૬૦
- (૨૯૨, ૩૪૦) (એ) સ્ટડી ઑવ એન્શન્ટ ઇન્ડિયન ન્યુમિઝમૅટિક્સ, એસ.કે. ચક્રવર્તી, માયમેનસિંગ, ૧૯૩૧ (૨૩૧) સ્ટડીઝ ઇન જૈન આર્ટ, ઉમાકાંત પ્રે. શાહ, બનારસ, ૧૯૫૫ (૨૭૨, ૨૯૧) સ્ટડીઝ ઇન ધ હિસ્ટોરિકલ ઍન્ડ કલ્ચરલ જિઓગ્રફિ ઍન્ડ એમ્બ્રૉગ્રફિ ઑવ ગુજરાત, હસમુખ
' ધીરજલાલ સાંકળિયા, પુના, ૧૯૪૯ (૩૫૮) સ્ટોરી ઑવ કાલક, ડબલ્યુ નોરમન બાઉન, ૧૯૩૩ (૬૪-૬૫) હિન્દુઈઝમ ઍન્ડ બુદ્ધિઝમ, પુસ્તક -૨ ઇલિયટ (૨૭૦). હિસ્ટરી ઍન્ડ ઇસ્ક્રિપ્શન્સ ઑવ ધ સાતવાહન્સ ઍન્ડ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ, વાસુદેવ વિષ્ણુ મિરાશી,
મુંબઈ, ૧૯૮૧ (૧૫૩, ૧૮૮).
For Personal & Private Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રપકાલીન ગુજરાત
૩૭૬
હિસ્ટરી ઑવ એન્શન્ટ ઇન્ડિયા, આર.એસ. ત્રિપાઠી, વારાણસી, ૧૯૬૦ (૫૦, ૮૪, ૧૩૧, ૧૪૪) હિસ્ટરી ઑવ ઇન્ડિયન ફિલૉસફિ, સુરેન્દ્રનાથ દાસગુપ્તા, લંડન, ૧૯૨૨ (૨૯૨) હિસ્ટરી ઑવ ઇન્ડિયન લૉજિક, સતીશચંદ્ર વિદ્યાભૂષણ, દિલ્હી, ૧૯૨૧, ૧૯૭૧ (૨૯૨)
હિસ્ટરી ઑવ ઇમ્પૉર્ટન્ટ એન્શન્ટ ટાઉન્સ ઍન્ડ સીટીઝ ઇન ગુજરાત ઍન્ડ કાઠિયાવાડ, અનંત સદાશિવ અળતેકર, મુંબઈ, ૧૯૨૬ (૩૫૭)
એ હિસ્ટરી ઑવ એન્શન્ટ સિવિલિઝેશન્સ, ટ્રેવર, (૫૦)
એ હિસ્ટરી ઑવ પાલિ લિટરેચર, બી.સી.લૉ, (૨૩૧)
નોંધ : અહીં કૌંસમાં આપેલી સંખ્યા તે ગ્રંથનો જ્યાં ઉલ્લેખ છે તેની પૃષ્ઠસંખ્યા દર્શાવે છે. ગ્રંથ અંગેની માહિતી ત્યાં નિર્દિષ્ટ છે. અંગ્રેજી શબ્દોનું ગુજરાતી લિવ્યંતર અહીં અને અન્યત્ર પા. ગ.
દેશપાંડેના ‘આધુનિક અંગ્રેજી-ગુજરાતી કોશ' મુજબ કર્યું છે.
સામયિક, અહેવાલ વગેરે
ગુજરાતી
શ્રી આત્માનંદ પ્રકાશ (૨૬૯)
કુમાર (૩૧૪, ૩૨૨, ૩૪૦-૪૧)
ગુજરાત દીપોત્સવી અંક (૧૬૩, ૨૧૫)
ગુજરાત સંશોધન મંડળ ત્રિમાસિક (૩૪૦)
જૈન સાહિત્ય સંશોધક (૨૬૯)
પથિક (૩૨૬, ૩૪૦)
પુરાતત્ત્વ (૨૭૦, ૩૧૩)
ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક (૧૫૨, ૨૧૫) બુદ્ધિપ્રકાશ (૨૭૨)
ભારતીયવિદ્યા (૧૪૩-૪૫)
વલ્લભવિદ્યાનગર સંશોધન પત્રિકા (૨૯૨)
વાક્ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મુખપત્ર) (૪૪, ૮૭, ૧૩૩)
વિદ્યાપીઠ (ગૂજરાત વિદ્યાપીઠનું શોધપત્ર) (૮૮, ૯૫, ૧૯૮, ૨૭૦, ૩૨૧, ૩૪૧)
સંબોધિ (૧૬, ૧૫૨, ૧૮૮, ૨૪૪-૪૫, ૩૪૧)
સામીપ્ય (૪૧, ૧૪૩, ૧૫૨, ૧૮૮, ૧૯૮)
સ્વાધ્યાય (૪૪, ૧૩૨-૩૪, ૧૪૩, ૧૫૨, ૧૬૩, ૧૯૭, ૨૯૨, ૩૧૧-૧૪, ૩૪૦)
For Personal & Private Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ-સંદર્ભ-સૂચિ
૩૦.
અંગ્રેજી આર્કિઓલજિ ડિપાર્ટમેન્ટ ઑવ ધ બરોડા સ્ટેટ એન્યુલ રિપૉર્ટ (૩૬-૩૭, ૪૦, ૨૮૮-૨૯) આર્કિઅલૉજિકલ સર્વે ઑવ ઇન્ડિયા મેમોયર્સ (૫૦, ૬૫, ૬૭) આર્કિઅલૉજિકલ સર્વે ઓવ ઇન્ડિયા રિપોર્ટ (૪૩, ૧૩૨-૩૪, ૧૬૭, ૧૭૭-૭૮, ૨૩૦, ૩૭૫) આર્કિઅલૉજિકલ સર્વે ઓવ વેસ્ટર્ન ઇન્ડિયા (૮૬-૮૮, ૧૮૭-૮૮) ઇન્ડિયન આર્કિઓલજિ-એ રીવ્યુ (૧૪૪, ૩૧૨, ૩૧૪) ઇન્ડિયન એન્ટિક્વરિ (૫૧-૫૨, ૬૫-૬૭, ૮૪-૮૮, ૯૬, ૧૧૦-૧૨, ૧૩૧, ૧૩૩, ૧૫૨-૫૩,
૧૫૬, ૧૬૩, ૧૭૮, ૧૮૭, ૨૬૭). ઇન્ડિયન કલ્ચર (૬૯, ૧૭૮) ઇન્ડિયન હિસ્ટરી કોંગ્રેસ (૧૬૮, ૧૭૮) ઇન્ડિયન હિસ્ટોરિકલ ક્વૉર્ટલિ (૮૫-૮૭, ૧૦૯-૧૧૨, ૧૬૮, ૧૭૮, ૧૮૭, ૨૭૨) ઇન્સાઈક્લપીડિઆ બ્રિટાનિકા, (૫૦-૫૪, ૮૭, ૧૫૩, ૨૨૯-૩૦) એનલ્સ ઑવ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (૧૭૯) એન્યુઅલ રિપોર્ટ ઑવ ધ વૉટ્સન મ્યુઝિયમ એન્ડ એન્ટીક્વિટીઝ (૨૪૫) એન્શન્ટ ઇન્ડિયા (૩૩૯) એપિગ્રફિકા ઇન્ડિકા (૫૩, ૬૫-૭૦, ૮૫-૮૮, ૯૬, ૧૧૧-૧૨, ૧૩૧, ૧૩૩, ૧૫૩, ૧૭૮-૭૯,
૧૮૮, ૧૯૮, ૨૪૪, ૨૯૧-૯૩, ૩૨૧, ૩૫૭-૫૮) કૉર્પસ ઇસ્ક્રિપ્શનમ ઇન્ડિકેરમ (૫૦-૫૩, ૬૪-૭૦, ૮૫ ૮૮, ૯૭, ૧૦૯, ૧૪૪, ૧૫ર, ૧૬૭,
૧૭૭). જર્નલ ઑવ ઇન્ડિયન ઓશન આર્કિૉલજિ (૨૧૫-૧૬) જર્નલ ઑવ ઇન્ડિયન હિસ્ટરી (૬૭-૬૯, ૧૮૭) જર્નલ ઑવ એન્શન્ટ ઇન્ડિયન હિસ્ટરી (૧૬, ૮૫, ૧૩૧, ૧૫૩, ૨૪૫) જર્નલ એશિયાટિક (૮૭, ૧૦૯-૧૧, ૧૭૮) જર્નલ ઑવ ધ ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ (૧૬, ૯૫-૯૮, ૧૦૯, ૧૩૩-૩૪, ૧૫૩, ૧૬૩, ૧૯૭,
૨૪૫-૪૬, ૨૬૯-૭૦, ૨૯૩, ૩૧૨, ૩૨૨, ૩૩૯) જર્નલ ઑવ ધ ન્યુમિઝમેટિક સોસાયટી ઑવ ઇન્ડિયા (૨૧, ૨૬, ૩૫, ૩૦, ૪૨, ૧૦૮, ૧૩૪,
૧૪૩, ૧૪૫, ૧૬૮, ૧૮૭-૮૮, ૨૨૮-૩૧, ૨૪૬). જર્નલ ઑવ બિહાર ઍન્ડ ઓરિસા રિસર્ચ સોસાયટી (૬૫, ૬૭, ૧૧૦, ૧૧૨) જર્નલ ઑવ બૉમ્બે બ્રાન્ચ ઑવ ધ રૉયલ એશિયાટિક સોસાયટી (૨૨-૨૭, ૩૦-૩૬, ૪૦-૪૨, ૮૬,
૧૧૧-૧૨, ૧૪૫, ૧૫૨-૫૩, ૧૫૬, ૧૬૩, ૧૬૭-૬૮, ૧૭૮, ૧૮૭, ૨૩૧)
For Personal & Private Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૮
ક્ષત્રપકાલીન ગુજરાત જર્નલ ઓવ બૉમ્બ હિસ્ટોરિકલ સોસાયટી (૧૧૧) જર્નલ ઑવ ધ યુનિવર્સિટી ઑવ બૉમ્બે (૩૪૦) જર્નલ ઓવ ધ રોયલ એશિયાટિક સોસાયટી (૧૭, ૨૨-૨૫, ૨૯-૩૦, ૩૫-૩૮, ૪૯, ૫૧-૫૪,
૬૪-૬૯, ૮૫-૮૬, ૯૭, ૧૦૮-૧૧, ૧૩૧-૩૨, ૧૪૨, ૧૫૨, ૧૬૭, ૧૭૭-૭૯, ૧૮૭,
૨૩૦, ૨૪૫, ૨૭૦). જર્નલ ઑવ ધ રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ બેંગાલ (૪૧-૪૩, ૧૩૪, ૧૭૯, ૩૨૧) જર્નલ ઑવ ધ સિલોન બ્રાન્ચ ઑવ ધ રૉયલ એશિયાટિક સોસાયટી (૩૨૧) ન્યુમિઝમૅટિક ક્રૉનિકલ્સ (૬૯, ૧૫૩, ૧૪૭, ૨૩૦) ન્યુમિઝમૅટિક સપ્લીમેન્ટ (૧૪૩) ન્યૂ ઇન્ડિયન એન્ટીક્વરિ (૮૬) પંચાલ (૧૬, ૯૭, ૧૯૮, ૨૨૯, ૨૪૫) પુરાકલા (૩૪૧) પ્રાચ્ય પ્રતિભા (૨૭૨) પ્રિન્સ ઑવ વેલ્સ મ્યુઝિયમ કેટલૉગ (૧૩૪) બુલિટિન ઑવ ધ પ્રિન્સ ઑવ મ્યુઝિયમ (૧૮, ૪૩, ૧૩૩, ૧૯૯) બુલિટિન ઑવ ધ મ્યુઝિયમ ઍન્ડ પિકચર ગેલરિ (૧૬) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જર્નલ (૧૬) મૉડર્ન રિન્યૂ (પર-૫૩, ૮૪). લલિતકલા (૧૧૦-૧૨, ૧૮૭) વિશ્વેશ્વરાનંદ ઇન્ડોલૉજિકલ રિસર્ચ જર્નલ (૯૫-૯૭, ૨૦૦, ૩૨૨) સ્ટડીઝ ઇન ઇન્ડિયન પ્લેસનેમ્સ (૩૫૮) નોંધ : સામાન્યતઃ જે તે સામયિકનાં વર્ષ અને અંકની માહિતી આવી સૂચિમાં પ્રસ્તુત હોય છે. પણ
અહીં તેમ નથી, બલકે કૌંસમાં આપેલા પૃષ્ટાંક જોવાથી જે તે સામયિકનાં વર્ષ, અંક, પૃષ્ઠની માહિતી ઉપલબ્ધ થશે.
For Personal & Private Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
વિશેષ-નામ-સૂચિ
અકબતાના ૪૬, ૫૪
૩૪૨-૪૪, ૩૪૯. અકોટા ૪૨, ૨૧૪, ૩૨૫, ૩૪૦, ૩૪૩-૪૪. | અમૃત વંસત પંડ્યા ૪૨ અક્ષપાદ ૨૮૫
અમોહિની ૬૦, ૬૩, ૭૦. અગ્નિમિત્ર ૧૦૨
અય ૧લો ૬૧, ૬૬-૬૮ અગ્નિવર્મા ૮૯, ૨૪૨, ૨૫૦, ૩૧૯ અય રજો ૬૧-૬૨, ૧૦૫ અચલ (અહંત) ૨૭૦, ૩૦૬, ૩૧૩
અયમ ૧૦૨, ૧૦૭, ૧૯૫, ૧૯૯ અજન્તા ૩૦૪, ૩૧૧, ૩૧૩.
અયસી ૬૨ અજમેર ૬૨, ૮૩, ૧૦૧, ૧૦૬-૦૭, ૧૨૬, | અયિલિષ (અઝિલિષ) ૬૧, ૬૮ ૧૮૯-૯૦, ૧૯૭, ૩૬૦
અયોધ્યા ૨૬૩ અજયમિત્ર શાસ્ત્રી ૮૬-૮૭, ૧૦૮, ૧૫૩, | અરબી સમુદ્ર) પ૩, ૨૦૪, ૨૧૦, ૨૮૬ - ૧પ૬, ૧૮૭-૮૮
અર્ત ૬૩, ૭૦, ૧૦૮ અજિતનાથ ૩૨૪
અર્વી ૧૯૧ અઝીઝ ૧લો પ૯, ૬૭
અલબિરુની ૧૫૨ અઝીઝ રજો ૫૯, ૬૭-૬૯
અલાહાબાદ ૧૪૩, ૧૭૬-૭૭, ૨૧૫ અઠમ ૬૧
અલિપુર ૧૪૪ અધુડક ઇયાન ૧૦૮
અલિયાબાડા ૧૮૮ અનંત સદાશિવ અળતેકર ૪૧, ૧૦૮, ૧૧૨,
'| અવન્તિ ૧૦૭, ૧૧૫, ૧૧૭, ૧૭૪, ૧૯૦, ૧૨૧, ૧૨૫-૨૬, ૧૩૨-૩૪, ૧૪૦-૪૩,
૧૯૬, ૧૯૮ ૧૬૮, ૧૮૪, ૨૨૮-૨૯, ૩૪૭
અવલોકિતેશ્વર (જુઓ પદ્મપાણિ) અનિલા ૩૦-૩૪.
અશોક (મૌર્ય) ૭, ૯૩, ૧૪૭, ૧૫૨-૬૨, અનુમૈત્રકકાલ ૧૯૯
૨૪૧, ૨૪૯, ૨૫૫, ૨૭૭-૮૨, ૩૧૬, અનૂપ ૧૧૫, ૧૧૭
૩૨૮, ૩૪૯, ૩૫૨, ૩પ૯, ૩૬૧ અપરાન્ત ૯૪, ૧૦૭, ૧૧૫, ૧૧૭, ૧૯૦, | અશોકકુમાર મજુમદાર ૪ ૧૯૮
અમક ૧૯૮ અપલદત્ત ૬૬, ૨૨૯, ૨૩૧, ૩૫૦, ૩૬૩
અથાવબોધ (તીર્થ) ૨૮૯, ૩૨૪ અફઘાનિસ્તાન ૪૭, ૫૩-૫૪
અસ્તકપ્ર(અષ્ટકંપ) ૩૪૬ અભેરક ૧૦૯ -
અસંગ (આચાર્ય) ૨૬૨-૬૩, ૨૭૦, ૨૭૪. અમદાવાદ ૧૬, ૧૦૯, ૧૪૧, ૧૫ર, ૧૬૩,
અસ્પવર્મા ૬૨ ૨૧૫
અહમદનગર ૮૩, ૧૦૭ અમરાવતી ૧૯૧, ૩૩૯
અહમદ હશન દાણી ૧૮૮, ૨૮૨ અમરેલી ૯, ૨૩, ૪૦, ૧૨૩, ૨૧૨, ૨૧૬, |
For Personal & Private Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
3co
ક્ષત્રપકાલીન ગુજરાત
અહીનપોશ ટોપ ૧૪૮
ઇજિપ્ત ૫૦ અં.જે.પટેલ ૨૧૬
ઇડરિયો (ગઢ) ૩૩૯ અંકોટક ૩૪૯
ઇત્સિગ ૨૬૩, ૨૭૦ અંગિરસ (ગોત્ર) ૩૫૫
ઇત્રવર્મા ૬૯ અંધો પ૬
ઇન્ડિયા મ્યુઝિયમ ૩૫ અંબાલા ૭૦
ઇન્દ્ર ૨૧૮ અંબિકા (દેવી) ૩૩૧
ઇન્દ્રક ૧૩૯, ૧૪૩-૪૪ અંબિકા (નદી) ૨૧૮
ઇન્દ્ર વર્મા ૬૧-૬૨, ૬૬, ૬૯ આકર (અવન્તિ) ૧૦૭, ૧૧૫-૧૭, ૧૭૪, | ઇબા (નદી) ૧૮૯, ૧૯૮, ૨૮૪, ૩૪૭-૪૮ - ૧૯૦, ૧૯૬-૯૮
| ઇલિયટ ૨૬૩, ૨૭૦ આગમ સાહિત્ય ૨૫૬-૫૯, ૨૬૪, ૨૬૭, | ઇસિકુલ (સરોવર) ૪૮ ૨૭૧, ૨૭૫
ઈડર ૩૩૭-૩૮, ૩૪૧ આદિનાથ ૨૮૯, ૩૩૦-૩૧, ૩૪૦
ઈરાન ૪૬-૪૮, ૫૦-૫૧, ૫૪, ૬૪, ૭૩, આનર્ત ૧૧૭-૧૮
૮૦, ૮૫-૮૬, ૧૫૮, ૨૦૬, ૨૧૯, આન્શીકાઓ ૧૭૫
૨૨૩, ૩૩૯. આભીર ૯૨, ૯૭, ૧૨૧, ૧૩૨-૩૪, ૧૫૧, | ઈરાની (ભાષા, સામ્રાજય, સાહિત્ય) ૬૬, ૭૩
૧૬૭, ૨૨૨, ૨૪૦-૪૧, ૨૪૪-૪૮, | ૭૫, ૮૪, ૨૧૯, ૩૩૦, ૩૫૪ ૨૫૧-૫૨, ૨૯૧, ૩૬૦
ઈશ્વરદત્ત ૪૦-૪૩, ૧૨૧, ૧૩૨-૩૪, ૧૬૪આમૂદરિયા ૪૯, ૫૩-૫૪, ૬૦, ૮૦, ૮૭ ૬૮, ૨૨૨, ૨૩૪-૩૫, ૨૪૧, ૨૮૪, આમ્રકાર્દવ ૧૪૪
૩૫૪-૫૫ આરમાઈક (લિપિ) ૨૨૮
ઈશ્વરદેવ ૨૪૪, ૨૪૬, ૨૫૧ આર.એસ.ત્રિપાઠી ૮૪, ૧૩૧
ઈશ્વરસેન ૯૭, ૧૬૭ આર્તબાન ૧લો ૪૯-૫૦, પ૬, ૭૦
ઈંટવા ૧૫, ૧૨૪-૨૫, ૧૯૦, ૨૧૧, ૨૭૫, આહવા ૩૩૭
૨૯૦, ૨૯૩, ૩૧૬-૧૮, ૩૪૨-૪૪ આંધી ૭, ૯, ૧૪-૧૫, ૭૫, ૮૫, ૯૧, ૧૦૪
| ઉજજન ૫૭-૫૮, ૧૦૬-૦૭, ૧૧૨-૧૧૮, ૦૫, ૧૧૪-૧૬, ૧૩૦-૩૧, ૧૫૦-૫૧,
૧૫૫, ૧૮૧, ૧૮૯, ૧૯૭, ૨૬૮, ૧૫૪-૫૫, ૧૮૯-૯૦, ૧૯૬, ૧૯૮,
૨૮૦, ૩૫૦ ૨૩૭-૪૩, ૨૪૭, ૨૫૦, ૨૯૧ ઉજ્જયન્ત ૧૫૭, ૨૮૯, ૨૯૫, ૨૯૮, ૩૪૮ આંધ્ર જાતિ- ૭૪, ૧૬૪
ઉજ્જયિની ૧૮૯, ૧૯૭, ૩૬૦ આંધ્ર પ્રદેશ ૪૨, ૧૦૩, ૧૧૭, ૧૨૧, ૧૯૧, ઉઠુ ૧૭૩ ૨૨૦, ૨૨૯
ઉત્તર પ્રદેશ ૮૩ આંધ્રભૃત્ય ૮૧, ૧૫૦, ૧૮૨
ઉદયગિરિ ૧૪૪ ઇક્વાકુ (વંશ) ૮૮
ઉદિતાચાર્ય (આર્ય) ૨૮૫
For Personal & Private Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
વિશેષ-નામ-સૂચિ
૩૮૧ ઉદેપુર ૧૨૬
૧૨૭, ૧૩૧-૪૦, ૧૪૨-૪૪, ૧પપ-પ૬, ઉદ્યોતકર ૨૬૦
૧૬૫-૬૭, ૧૭૪, ૧૮૪, ૧૯૯, ૨૧૯, ઉના ૨૮૯
૨૩૦, ૨૯૧. ઉપમિતેશ્વર ૨૮૫
એબડો (નદી) ૧૯૮ ઉપરકોટ ૪૦, ૧૬૩, ૧૯૧, ૨૮૯, ૩૦૦, |
| એભલ મંડપ ૩૦૬-૦૭ ૩૦૪-૦૯, ૩૨૭-૩૦, ૩૪૪, ૩૫૩, એમ. એસ. યુનિવર્સિટી (જુઓ મ. સ. ૩૬૧
વિશ્વવિદ્યાલય) ઉપલેટા ૩૦૮
એમ.ડી.વર્મા ૩૪૧ ઉપાધ્યાય ૮૫
એમ. પેરિન ૨૬૩ ઉપાધ્યે ૧૧૦
એમ.લાયર ૧૧૦ ઉમાકાન્ત છે. શાહ ૨૭૨, ૨૯૧-૯૨, ૩૦૩-|
એરિયન ૯૧ O૯, ૩૧૧, ૩૩૩, ૩૪૦.
એલન ૭૦ ઉમાશંકર જોશી ૨૯૨, ૩૫૭
એલેકઝાન્ડર કનિંગહમ પ૩, ૭૦, ૧૦૪, ૧૧૧, ઉર્દૂ (લિપિ) ૨૨૮
૧૪૯-૫૦, ૧૭૨-૭૪, ૧૮૭, ૨૨૦, ઉલૂક ૨૮૫
૨૨૫, ૨૨૮-૨૯ ઉષવદાત્ત ૭૪-૭૬, ૮૫, ૧૦૨, ૧૦૬-૦૮. | એશિયા ૪૭, ૫૫
૧૧૨, ૧૫૫, ૧૮૭, ૧૯૬, ૧૯૯, | એશિયા માઈનોર ૫૦
૨૨૫, ૨૮૩-૮૪, ૨૯૧, ૩૫૧-૫૬ એસ.આર.રાવ ૨૦૪, ૨૧૫-૧૬ ઉંબરગામ ૧૯૭, ૨૦૬
એસ.કે.ચક્રવર્તી ૨૨પ-ર૬ ઊર્જયન્ત ૧૫૭, ૩૪૮
એસ.જી.ડબલ્યુ.બેન્જામીન ૮૪ ઋગ્વદ ૨૦૩-૦૪
એસ.પી.ગુપ્તા ૧૭૭, ૨૦૪, ૨૧૫-૧૬ ઋષભદસ ૩૫૪
એસ.શંકરનારાયણ ૯૨-૯૩, ૯૭-૯૮ ઋષભદેવ ૨૯૩, ૩૫૪
એસિરિયા ૪૬-૪૭, ૫૦ ઋષભનાથ ૩૩૦, ૩૪૦
ઑક્સફર્ડ ૫૧, ૧૮૮ ઋષિક ૫૬, ૧૯૮
ઓડ ૨૬૭, એ. એમ. બૉયર
ઓપશતિ (ગોત્ર) ૩૫૫ એ.એસ.ગઢે
ઓરસંગ નદી) ૩ એચ.આર.સ્કૉટ ૪૧, ૨૨૪-૨૫
ઓરલ સ્ટેઈન પ૬ એચ. એસ. જારેટ ૧૧૦
ઑલ્ડનબર્જ ૧૪૯, ૧૭૪ એચ.કે.ડેબ ૫૯, ૬૫-૬૬
કચ્છ ૯, ૧૩-૧૫, ૧૦૮, ૧૧૪-૧૭, ૧૫૦એડવર્ડ જેમ્સ રેપ્સન ૧૭-૧૯, ૩૦, ૪૪, ૪૭, | ૫૧, ૧૮૯-૯૧, ૧૯૬-૯૮, ૨૩૭-૩૯,
૫૦-૫૪, ૫૭-૬૧, ૬૪-૬૯, ૭૦, ૮૨-[. ૨૪૪, ૩૨૩, ૩૨૫, ૩૩૨, ૩૪૬ , ૮૮, ૯૬, ૧૦૪-૦૫, ૧૦૯, ૧૨૦-૨૩, | ૩૪૯, ૩૬૦
For Personal & Private Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
કઠકો.
૩૮૨
ક્ષત્રપકાલીન ગુજરાત કચ્છ મ્યુઝિયમ ૧૭, ૧૯, ૨૭, ૩૩, ૨૪૨-૪૩ | કરાદ ૪૦ કઝેન્સ ૨૮૬, ૨૯૨, ૩૧૫
કર્દમ (ઋષિ, પ્રદેશ, પ્રજાપતિ, વિવિધરૂપ) ૮૦, કટક ૩૦૪ કટેશ્વર (કટેશ્વરી) ૩૨૩
કઈમરાજ ૮૦
કર્દમા (નદી) ૬૪, ૮૦, ૮૭ કડિયા ડુંગર ૧૫, ૩૦૯-૧૦
કર્દમિલ ૮૦ કણાદ ૨૭૪, ૨૮૫
કપૂર આહાર ૧૦૬-૦૮, ૧૯૬-૯૭. કણિષ્ક ૮૨-૮૫, ૯૧, ૧૦૫, ૧૧૪, ૧૪૭- | કર્મસચિવ ૧૯૫
પ૩, ૧૬૯-૭૯, ૨૧૯, ૨૨૬, ૨૪૩ | | કર્માન્તિક (પલ્લિ) ૯૫, ૨૦૨, ૨૪૨, ૨૫૦, કહેરી (ગુફા) ૮૦-૮૧, ૮૮, ૧૫૫-૫૬ , ૩૧૯, ૩૨૨ ૧૮૧, ૧૮૬, ૩૩૬
કર્નલ ટોડ ૩૦૫ કતક ૯૨
કલિંગ ૧૬૨ કથઈઈ ૯૨
કલ્યુરિસંવત ૯૭, ૧૭૨, ૧૭૫ કથિક ૮૯-૯૮
કલ્યાણવિજયજી (મુનિ) પ૩, ૬૪-૬૫, ૧૧૦, કથિક (નૃપ,રાજા) ૮, ૧૧, ૮૦-૮૧, ૯૦-૯૭, ૧૧૨, ૨૬૮ ૧૩૩, ૨૪૨, ૨૫૦
કલ્વાન ૬૦ કથિક (સંવત) ૮, ૧૧, ૯૦-૯૨, ૧૩૩ કલ્હણ ૮૦, ૧પર કફિશ ૮૨
કંદહાર ૪૯, ૫૫ કનૈયાલાલ ભાઈશંકર દવે ૨૯૩
કંબોજો પદ કનૈયાલાલ મા. મુન્શી ૨૯૨
કાઓ-ડું ૧૭૫ કન્વીનો અખાત ૩૪૬
કાકાની સિંહણ ૮, ૩૩૦ કપડવણજ ૨૧૨
કાચગુપ્ત ૧૪૧ કપિલ ૨૮૫
કાનખરા ૧૫ કપિલેશ્વર ૨૮૫
કાનપુર ૧૬, ૨૪૫ કમુસ ૬૨
કાનસ્ (પ્રાંત) ૪૮, પર કમ્પટી ૧૯૧
કાત્તાપ્રસાદ જૈન ૧૧૨ કમ્બલિક (પંથ) ૩૬૩
કાન્તિલાલ ફુ.સોમપુરા ૯૭-૯૮ કરજિક ૧૮૯, ૧૯૬-૯૭
કાપિશ ૪૯, ૫૮ કરતાઈ ૭૯
કાપુર ૧૦૬ કરદ ૧૯૧
કાફિરસ્તાન પ૩ કરબેણા ૨૮૪
કાબુલ પ૩, ૬૬, ૧૭૫, ૩૫૦ કરવેણવા ૧૮૯, ૧૯૮, ૩૪૭-૪૮.
કામન્દક ૨૭૩
For Personal & Private Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
વિશેષ-નામ-સૂચિ
કામરેજ ૪૦, ૨૦૪-૦૬, ૨૧૧-૧૬, ૩૨૫, | કુણાલ ૧૮૨
૩૪૩-૪૪, ૩૪૯, ૩૬૪
કામાવતી (નગરી) ૨૦૪
કામિક ૮૬
કાર્રમેય ૮૦
કાર્યાન્તિક (પલ્લી) ૯૫, ૨૦૦
કાયાવરોહણ ૨૮૫, ૩૬૩
કારવણ ૨૮૫-૮૭, ૩૨૫, ૩૪૩, ૩૪૯, ૩૬૩ | કુરુ (રાજા) ૪૭ કારાકુલ (સરોવ૨) ૮૦, ૮૭,
કુલજા (ટેકરી) ૪૮
કાર્રમ ૮૦,૮૭
કુરૈપ ૧૧૯
કાર્રમક ૭, ૪૩-૪૪, ૫૩, ૭૪-૮૧, ૮૫-૮૭, | કુશણમૂલે ૨૨૫-૨૬
૯૨, ૧૦૩, ૧૫૦-૫૪
કુશિક ૨૮૫-૮૬ કુસુલઅ ૬૧
કુષાણ ૮૨-૮૫, ૮૮, ૯૧, ૯૪, ૧૦૪-૦૫, ૧૧૪, ૧૨૫, ૧૪૭-૫૧, ૧૭૧-૭૯, ૨૧૯-૨૨, ૨૨૫-૨૬, ૨૪૩, ૨૬૫-૬૬, ૨૮૦, ૩૩૦, ૩૩૨, ૩૩૬.
કુષાણ સંવત ૧૪૯ | કુંડીનપુર ૪૨
કે.આર.ચંદ્રા ૨૬૨
કાર્લ ખંડાલવાલ ૧૧૦-૧૨
કાર્લે (ગુફા) ૧૩-૧૪, ૭૫, ૧૦૨, ૧૫૫, ૧૯૦, ૧૯૮, ૩૧૧, ૩૨૮, ૩૩૬ કાર્પાપણ (કાહાપણ) ૨૨૦, ૨૨૫-૨૮, ૨૩૧, ૨૬૬, ૩૫૦-૫૨
કાર્તિક (મહિનો) ૩૫૫
કાર્તિકેય ૩૩૭,
કાલક (આચાર્ય) ૫૪-૫૭, ૭૪
કાવેરી (નદી) ૧૯૮
કાશી ૩૨૧
કાશ્મીર ૫૩-૫૬, ૮૩, ૧૭૪, ૩૫૦
કાશ્યપ (ગોત્ર) ૩૫૫
કાસ્પિયન (સમુદ્ર) ૫૧
કાળો સમુદ્ર ૪૭
કાંકણ ૩૬૦
કાંકરિયા ૧૬૩
કિપિન ૪૯, ૫૩-૫૬, ૧૭૯
કિમૂર ૧૭૨
કુકુર ૧૦૭, ૧૧૭, ૧૯૦, ૧૯૮ કુજુલ ૧૭૬
કુણિન્દ્ર ૬૦, ૬૩, ૭૦
કુબેર ૨૧૮
કુમારગુપ્ત ૯૩, ૧૦૯, ૧૪૦-૪૪, ૨૨૮
કે.એન. દીક્ષિત ૧૩૧
કેકાપુર ૧૮૯, ૧૯૭
કે.કા.શાસ્ત્રી ૧૬૩, ૩૨૩, ૩૨૬
કે.કે.માહેશ્વરી ૧૦૯
કેનેડી ૧૧૧, ૧૭૪
કે.હ.ધ્રુવ ૫૧
કોલકાતા (લકત્તા) ૧૬, ૩૫, ૧૪૩, ૨૪૫
કોલિક (જ્ઞાતિ) ૩૫૫
કોવેલ ૧૪૪
કોસાંબી (પ્રદેશ) ૧૭૬
કોંકણ ૮૩, ૧૦૭, ૧૧૭
કૌટલ્ય ૧૫૮, ૧૬૩, ૨૨૫, ૨૨૮, ૨૭૩ કૌટિમ્બ(વહાણ) ૨૬૬
૩૮૩
કૌશાંબી ૨૮૦ ક્રોડિંગ્ટન ૩૪૨
For Personal & Private Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
3૮૪
ક્ષત્રપકાલીન ગુજરાત ક્યુનિફોર્મ (લિપિ) ૮૪
ગઢા ૧૫, ૯૬, ૧૨૪, ૧૩૩, ૧૯૦, ૧૯૫કલોડિયસ (જુઓ તોલમાય)
૯૬, ૨૪૫, ૨૮૦ કૃષ્ણાકુમારી વિરજી ૪ .
ગણપતિ શાસ્ત્રી ૮૬ ક્ષત્રપક ૨૨૬
ગણેશ ૩૩૩ ક્ષત્રપતિ ૭૩
ગણેશરા ૧૦૮ ક્ષશ્રપાત ૮૪
ગર્દભિલ્લવંશ પ૭ ક્ષશ્રપાવન ૭૩
ગંગાજમના ૬૦, ૭૦ લહરાત ૭-૮, ૪૪, ૬૧, ૭૪, ૭૯-૮૨, ૮૫- ગંતૂર ૪૨
૮૬, ૯૯-૧૧૫, ૧૮૦-૮૩, ૧૮૮-૯૦, | ગંધર્વ (રાજા) ૧૦૨ ૧૯૮, ૨૦૭, ૩૬૦, ૩૬૩
ગંધાર (પ્રદેશ, કલા) પ૮, ૮૫, ૧૭૪, ૩૩૨ - લહરાત વંશ ૧૦૮-૧૧૧, ૧૪૬, ૧૫૦, ૧૫૩, ૩પ ૧૮૩, ૧૯૦, ૨૪૩
ગંભીરપુરા ૩૩૭, ૩૪૧ ક્ષિપ્રા નદી) ૧૯૭
ગાર્ડનર ૬૮ ખખરાત ૭૯, ૧૮૩
ગાંધર્વવિદ્યા ૧૧૮, ૧૬૧ ખગરાત ૮૬
ગાંધાર પ૩, ૯૪ ખત્તપક ૨૨૬, ૨૬૬, ૩૫૧
ગાંધી સ્મૃતિ સંગ્રહાલય ૧૭, ૧૯, ૨૩, ૨૬ખપુટ (આર્ય) ૨૨૮-૨૯, ૨૯૩, ૩૨૪, ૩૨૬ | ૩૧, ૩૪-૩૮ ખરઓસ્ત ૭૯, ૮૬
| ગિરનાર ૭, ૧૪, ૧૧૯, ૧૫૪-૫૭, ૨૪૧, ખરપલ્લાના ૮૩
૨૯૫, ૩૧૫-૧૬, ૩૬૧ ખરોઇ (યુવરાજ) ૬૨-૬૩, ૬૯-૭૦
| ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય ૧૨-૧૩, ૩૮, ખરોષ્ઠી (લિપિ) ૭૪-૭૫, ૧૦૦-૦૨, ૧૧૪,
૪૧, ૪૩, ૧૩૩-૩૪, ૧૪૩, ૧૬૩,
૩૧૬ ૨૧૮-૨૦, ૨૨૩, ૨૨૮-૨૯ ખહરાત ખત્તપ ૭૯
ગિરિનગર ૧૧૮, ૧૨૫, ૧૫૭-૬૦, ૧૬૩,
૧૭૩, ૧૮૧, ૧૮૪, ૧૮૯-૯૦, ૧૯૨, ખંભાત ૨૧૫-૧૬, ૩૪૬
૧૯૬, ૧૯૯, ૨૩૭, ૨૪૧, ૨૪૫, ખંભાલીડા ૩૦૯-૧૦, ૨૯૦, ૩૪૮
૨૪૮, ૨૫૫, ૨૭૫-૭૬, ૩૪૭-૫૨, ખાપરાકોડિયા (ગુફા) ૧૬૩, ૩૦૫, ૩૨૩
૩૫૯-૬૧ ખામટા ૪૦
| ગ્રીક (પ્રજા, ભાષા, લિપિ) ૧૦, ૪૬, ૪૮, ખાવડા ૧૪, ૧૧૬, ૧૫૦, ૧૮૯, ૧૯૬, ૨૩૭ ૫૩-૫૪, ૬૧-૬૫, ૭૫, ૮૪, ૧૦૨, ખેડબ્રહ્મા ૩૨૬
૧૦૮, ૧૭૨, ૧૭૬, ૨૧૮-૨૯, ૨૮૨, ખેડા (ખેટક) ૪૨, ૩૪૯
૩૩૪, ૩૬૩ ખેતાન ૧૭૪
ગ્રીસ ૮૪, ૨૭૧, ૩૪૩, ૩૫૦, ૩૬૪. ખેંગાર (મહેલ) ૮૬, ૩૦૫
ગુજરાત ઇતિહાસ પરિષદ ૧૨, ૧૨૫ ખ્યયાષ ૪૭, ૫૦
ગુજરાત યુનિવર્સિટી ૪૪, ૮૭, ૧૩૩
For Personal & Private Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
વિશેષ-નામ-સૂચિ
૩૮૫ ગુણમતિ ૨૬૨-૬૩, ૨૭૦, ૨૭૪-૭૫, ૨૯૦, | ગૌરીશંકર હીરાનંદ ઓઝા ૨૨૯, ૨૩૧, ૨૮૨ ૩૦૭
ગોંદરમૌ ૪૧, ૧૪૭, ૧૪૪, ૧૯૧ ગુહ્નર પ૯-૬૨, ૬૭-૬૯
ગૌહત્તી ૪૨ ગુપ્ત વંશ ૮૮, ૯૯, ૧૧૧, ૧૫૩, ૧૫૭, ગ્વાલિયર ૧૭, ૧૬૫, ૧૬૭, ૧૯૭ ૧૫૯-૬૦, ૧૭૫-૭૭, ૧૯૯, ૨૨૨,
ગ્રીવર્સ ૧૭૨ ૨૨૬-૨૮, ૨૬૫-૬૬, ૨૭૨, ૨૮૦,
ઘટાક ૧૦૮ ૩૧૩, ૩૬૦
ઘીશમેન ૫૪, ૧૭૩ ગુપ્ત સંવત ૧૪૪, ૧૭૯, ૨૮૫
ઘુમલી ૩૨૩ ગુપ્ત સામ્રાજય ૧૪૦-૪૧, ૧૭૨, ૧૭૬-૭૭, ૩૩૨, ૩૩૭-૩૮, ૩૫૯
ઘોઘા ૨૦૭, ૩૪૬ ગુશન ૨૪૦, ૨૪૮
ઘોષ ૧૧૧ ગુર્જર સંસ્કૃતિ ૧૫૯
ચક્રપાલિત ૧૫૮, ૧૬૦-૬૩ ગુંદા ૧૫, ૧૨૨, ૧૩૧-૩૨, ૧૯૬, ૨૩૮,
ચક્રવર્તી ૨૩૧ ૨૪૧, ૨૪૫, ૨૯૧, ૩૪૮-૪૯
ચટ્ટોપાધ્યાય (જુઓ સુધાકર ચટ્ટોપાધ્યાય) ગોદાવરી ૧૮૨ :
ચતુરપન શાતકર્ણિ ૧૫૪ ગોદ્રહક (ગોધરા) ૩૪૯
ચરક (ગોત્ર) ૩૫૫ ગોપ ૨૧૪, ૩૦૪, ૩૩૭, ૩૪૭
ચરક (મુનિ) ૨૮૫ ગોપનાથ ૩૪૭, ૩૫૦, ૩૬૪
ચહરદ ચત્રપ (છહરદ છત્રપ) ૭૯ ગોપસિંહજી ૩૪૭
ચંડોળા ૧૬૩ ગોપાલાચારી ૧૧૧
ચંદ્રગુપ્ત (મૌર્ય) ૧૫૩, ૧૫૭-૬૨, ૧૭૬, ગોપ્તા ૧૫૭, ૧૫૯, ૧૯૯
૨૪૯, ૩૬૧ ગોવર્ધન ૧૦૬, ૧૮૯, ૧૯૬, ૨૮૪, ૩૪૮,
| ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ૯૩, ૧૪૦-૪૧, ૧૪૪, ૩પ૧
૧૭૯, ૨૨૮, ૨૬૬, ૨૮૫ ગોવા ૨૧૫
ચંદ્ર પૂજા ૨૮૭-૮૮ ગોહિલવાડ ૪૦
ચાણસ્મા ૩૨૫ ગોંડલ ૩૦૯
ચામુંડા ૩૩૪ ગૌતમ (ગોત્ર) ર૭૪, ૩૫૫
ચાન્ટન ૭-૮, ૧૪, ૧૮, ૪૩-૪૪, ૭૪-૮૭,
૯૧-૯૨, ૧૦૦-૦૫, ૧૭૯-૧૧૮, ૧૨૪, ગૌતમીપુત્ર યજ્ઞ શાતકર્ણિ ૧૫૬
૧૩૦-૩૧, ૧૩૬-૩૮, ૧૪૮-પ૬, ૧૭૪, ગૌતમીપુત્ર વિજય શાતકર્ણિ ૧૫૬
૧૮૦-૮૧, ૧૮૪-૮૫, ૧૮૯-૯૦, ૧૯૩, ગૌતમીપુત્ર શાતકર્ણિ ૮, ૪૨, ૧૦૧-૦૪, ૧૧૦- ૧૯૮, ૨૧૮, ૨૨૦-૨૪, ૨૩૩, ૨૪૦૧૭, ૧૫૦-૫૧, ૧૫૫-૫૬, ૧૮૦-૯૦,
૪૬, ૨૪૯-૫૧, ૨૭૬, ૨૮૦-૮૨, ૧૯૮
૨૯૦-૯૧, ૨૯૯, ૩૬૦-૬૧ ગૌતમીપુત્ર સિરિ શાતકર્ણિ ૮, ૧૮૧ | ચારુન (વંશ) ૮૫, ૮૮, ૧૧૩, ૧૨૫, ૧૨૯
For Personal & Private Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૬
૩૦, ૧૩૫-૩૯, ૧૪૨, ૧૪૬, ૧૫૦, | જંબુસર ૨૬૭, ૩૪૯ ૧૫૭, ૧૯૦, ૧૯૫, ૧૯૯, ૨૪૦, ૨૮૪ | જામખંભાલિયા ૮, ૩૩૦
ચિખલપદ્ર ૧૦૬, ૧૯૬ ચિખલી ૧૦૬, ૧૯૭-૯૮
ચિત્ખલપદ્ર ૧૮૯, ૧૯૭ ચિ-યુ(રાજા) ૪૮
ચીન ૪૮, ૫૧
ચીની ભાષા ૪૬, ૫૩, ૫૬
ચીર સ્તૂપ ૧૭૩
ચુબ્સ (ચર્ચા) ૬૧-૬૨
ચૈત્ર (મહિનો) ૩૫૫
ચૌર્યાસી ૨૧૪
છત્રપ છહરત ૧૦૦
છહરતસ ૨૮૫
છહરદ ૭૯
છાબ્રાશાસ્ત્રી ૧૩૩, ૩૨૧
છિંદવાડા ૪૧, ૪૩, ૧૯૧
છો.મ.અત્રિ ૩૨૧
જકસાર્ટસ (નદી) ૫૩
જનાર્દન ભટ્ટ ૮૫
જમશીદ કાવસજી કત્રાક ૮૪
જમશેદજી અરદેશર ૧૬૩
જયચંદ્ર વિદ્યાલંકાર ૫૦, ૫૨, ૧૩૧ જયદામા ૧૫, ૪૦, ૭૬, ૧૦૫, ૧૧૧, ૧૧૫૧૬, ૧૩૧-૩૩, ૧૫૦, ૧૫૩, ૧૯૦, ૨૧૭-૨૪, ૨૩૩, ૨૩૮, ૨૪૩-૪૭, ૨૭૬, ૨૮૪-૮૬, ૨૯૯, ૩૧૦, ૩૫૪ જયેન્દ્ર નાણાવટી (જે.એમ.નાણાવટી) ૧૬,
૩૧૦, ૩૧૪, ૩૩૯
જથ્થુષ્ટ ૨૦૬
જસ્ટીસ ન્યૂટન ૫૩ જંબુમાર્ગ ૨૬૭ જંબુવિજયજી ૨૬૯
ક્ષત્રપકાલીન ગુજરાત
જામનગર ૮, ૧૨૪, ૩૨૩, ૩૩૦
જાયસ્વાલ ૬૦, ૬૫, ૧૦૪, ૧૦૬, ૧૪૩ જિનદાસગણિ ૨૫૭
જિનદેવ ૧૮૨
જિનપ્રભગણિ ક્ષમાશ્રમણ ૨૬૦
જિનપ્રભસૂરિ ૧૦ જિનવિજયજી (મુનિ) ૨૫૯, ૨૬૯
જિનસેન ૧૦૨-૦૩, ૧૦૯, ૧૧૩
જિનાનંદ ૨૫૯, ૨૭૫, ૨૯૦,
જિનેશ્વરસૂરિ ૨૯૩
જિહોણિક ૧લો ૬૧-૬૨, ૬૯ જિહોણિક ૨જો ૬૯
જી.પ્ર. અમીન ૨૯૨
જીવદામા ૧લો ૧૫, ૨૨, ૭૬, ૧૨૦-૨૪, ૧૨૯, ૧૩૨-૩૫, ૧૬૭, ૧૯૦, ૧૯૩, ૧૯૫, ૧૯૯, ૨૧૭-૨૩, ૨૮૪, ૩૫૪ જીવદામા ૨જો ૧૫, ૧૭, ૮૧, ૧૩૬, ૧૩૮,
૧૪૨
જુન્નર ૧૪, ૭૫, ૧૦૨, ૧૯૦, ૧૯૫, ૩૦૭ જૂનાગઢ ૮-૯, ૧૩-૧૫, ૩૬-૪૨, ૯૩, ૧૦૬, ૧૧૪-૧૯, ૧૨૪, ૧૩૧, ૧૩૯-૪૫, ૧૫૪-૫૭, ૧૬૬-૬૮, ૧૯૦-૯૧, ૧૯૭, ૨૨૧, ૨૨૪, ૨૪૧, ૨૪૫, ૨૫૫, ૨૭૫-૭૭, ૨૮૯-૯૧, ૨૯૫, ૩૦૦, ૩૦૫-૦૮, ૩૧૫-૧૬, ૩૨૩-૨૪, ૩૨૮, ૩૪૪, ૩૪૭-૪૯, ૩૬૧-૬૨
જૂનાગઢ મ્યુઝિયમ ૧૭, ૨૦-૨૨, ૨૭-૩૮,
૩૧૬
જે.એન.બેનરજી ૧૨૫, ૧૩૪, ૧૪૨ જે.એમ.કેમ્પબેલ ૩૧૫ જેતપુર ૨૯૦
For Personal & Private Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
વિશેષ-નામ-સૂચિ
૩૮૭
જેતલવડ ૩૨૩
ડેરિયસ ૪૭, ૮૪ જેલમ (જિલ્લો) ૫૮
ડોલરરાય માંકડ ૮૫. ૧૭૩ જેઠવીરા ૩૫૪
ડોમિટિયન ૧૪૮ જૈન આત્માનંદ સભા ૨૬૯
ડૉવસન પ૯, ૬૫-૬૬, ૧૭૪ જૈન ધર્મ ૨૮૩-૮૪, ૨૮૮-૯૦, ૨૯૮, ૩૦૩, વ્બ્રેઈલ ૧૦૪, ૧૧૧, ૧૫૦, ૧૫૩ ૩૦૭,૩૧૧, ૩૨૪, ૩૬૨-૬૪
ઢંકગિરિ ૩૦૮, ૩૩૦-૩૧ જોખા ૨૧૪
ઢંકાપુરી ૨૬૭, ૨૮૮-૮૯, ૩૦૮ જોગણિયા (ડુંગર) ૧૬૩, ૩૧૬
ઢાંક ૨૭૫, ૨૯૫, ૨૯૮, ૩૦૭-૦૮, ૩૧૩, જોગીડાની ગુફા ૩૨૪
- ૩૪૪, ૩૪૮ જોગલથખી ૪૧, ૧૦૩, ૧૦૬, ૧૧૦, ૧૮૦, | સરવાહણ ૭૪, ૮૫, ૧૦૨, ૧૧૦ ૧૮૩, ૧૮૬-૯૦, ૨૨૪
હવાહણ ૧૦૨, ૧૧૦ જયોતિપ્રસાદ જૈન ૮૧, ૮૫, ૧૧૦, ૨૫૬
તકાકુસુ ૨૬૩, ૨૭૦ જહોન માર્શલ ૧૭૩
તક્ષશિલા ૫૮-૬૨, ૬૮, ૭૯, ૮૬, ૯૯, જહૉન સ્ટીવનસન ૧૬૮
૧૦૮, ૧૭૩, ૩૧૬ ઝરફશાં (નદી) ૮૦, ૮૭ *
તપ્ત - ઈ - બાહી ૫૯ ઝાઝપોર ૧૫, ૩૦૯
તપ્પગ (હોડી) ૨૨૬ ઝીઝુરીઝર ૨૯૦, ૩૦૮-૦૯
તળાજા ૨૭૦, ૨૭૫, ૨૯૦, ૨૯૫, ૩૦૫-૦૯, ઝેદ ૧૭૩
૩૧૨-૧૩, ૩૪૪, ૩૪૮ ટીંબરવા ૧૫, ૧૯૦, ૨૧૨-૧૬, ૩૪૨-૪૫, | તાપી ૧૮૯, ૧૯૮, ૨૦૪, ૨૮૪, ૩૪૭-૪૮ ૩૪૯
તાતાર (જાતિ) ૪૮ ટિંટોઈ ૩૩૭
તારણ (માતા) ૩૨૪ ટીમાણા ૩૧૩
તારંગા(દવી) ૩૨૪ ટેકચંદાની ૨૧-૨૮, ૩૦-૩૭
તારાદેવી ૩૨૪ ટોમસ ૬૦-૭૦, ૮૫
તારાપુર ૩૨૪ ટોલેમી (વંશ) ર૩૦
તાલધ્વજ ગિરિ ૩૧૩ ટોલેમી ૩પ૭
તાલધ્વજ નગરી ૩૧૩ ટ્રાજન ૧૪૮
તાલુગિરિ ૩૧૩ ટ્રેવર ૫૦
તાહિયા (જાતિ) ૪૮, ૨૪, ૧૭૫, ૧૭૯ ડબલ્યુ.એચ.સ્કૉફ ૧૧૦-૧૧, ૧૮૮
તિબર ૪૮, ૧૭૨ . ડબલ્યુડબલ્યુ. ટાર્ગ ૫૦, ૫૩-૫૪, ૫૭, ૬૦- | તિયેન – ચુ ૧૭૫
૬૧, ૬૬-૬૯, ૧૪૮, ૧૫૨, ૧૭૪ તુરાન પ૧ ડભોઈ ૨૮૫
તુરષ્ક (જાતિ) ૧૪૯, ૧૫૨-૫૩ ડાંગ ૩૩૬-૩૭
તુરુષ્ક (સંવત) ૧૪૯
For Personal & Private Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૮
ક્ષત્રપકાલીન ગુજરાત
તુર્કસ્તાન ૮૦
દામદસદ ૧૧૯ તુષારો પ૬
દામજદ ૭૪, ૧૩૨ તુષાર્ફ ૧૫૭, ૨૪૯, ૩૬૧
દામજદશ્રી ૧લો ૪૩, ૭૬, ૧૧૯-૨૦, ૧૨૩, તેન (ગામ) ૩૩૬
૧૩૧-૩૪, ૧૯૩, ૧૯૮-૯૯, ૨૨૪, તૈગરિસ (નદી) ૫૦
૨૩૩, ૨૭૬, ૩૧૪, ૩૫૪ તોચારી (જાતિ) પ૩
દામજદશ્રી રજો ૨૪-૨૫, ૪૦-૪૩, ૭૬, ૧૨૫
૨૮, ૧૯૩-૯૪, ૨૨૧, ૨૩૦, ૨૩૪, તોલમાય ૧૦, ૭૯, ૧૮૯, ૨૦૪, ૨૧૫, |
૩૫૪ ૩૪૬-૪૯
દામજદશ્રી ૩જો ૨૭, ૪૦-૪૨, ૭૬, ૧૨૫-૨૮, ત્રિપિટક ૨૭૬
૧૯૩-૯૪, ૨૩૫, ૩૫૪ ત્રિવેદી ૧૦૮
દામસદ ૧૧૯, ૧૩૨ 2ષ્ટદત્ત ૩૫૪
દામસેન ૧૬, ૨૪-૨૫, ૪૩, ૭૬, ૧૨૩-૨૭, સૈકૂટક-કલ્યુરિ-ચેદિ-સંવત ૧૬૫, ૧૭૫, ૨૨૬,
૧૩૩, ૧૬૫-, ૧૯૩-૯૪, ૨૧૭-૨૧, ૨૨૮, ૨૪૦, ૩૬૦
૨૩૦, ૨૩૪, ૩૫૪ થાણા ૧૮૯, ૧૯૭
દામિજદ પ૭, ૭૪ થાન ૩૪૯
દામોદર (કુંડ) ૩૪૭ થામણા ૨૮૯, ૩૨૪
દારય ૪૭-૪૮, ૫૦, ૭૩, ૮૪, ૮૭, ૧૫૮ થી-આન-શાન (પર્વતમાળા) ૪૮
દારયવહુષ ૪૭, ૫૦, ૮૪ થોમસ ૧૪૪, ૧૭૩-૭૪
દાસગણિમહત્તર ૨૫૭ દક્ષમિત્રા ૭૬, ૧૦૮, ૩૫૪
દાસગુપ્તા ૨૯૨ દત્તાત્રેય બાલકૃષ્ણ ડિસ્કલકર ૧૭૯, ૨૩૯
દાહ (દાસ, દસ્યુ) ૪૮, ૫૧ દબાલિયા ૩૨૫
દાહનૂકા ૧૮૯, ૧૯૮, ૨૮૪ દમણ ૧૮૯, ૧૯૮, ૩૪૭-૪૮
દાહનૂકાનગર ૧૮૯, ૧૯૬-૬૭ દમણગંગા ૧૯૮
દિગંબર ૨૫૯, ૨૮૯, ૩૬૩ દર્દી પ૬
દિડનાગ ૨૬૦, ૨૬૩, ૨૭૪ દર્પણ (રાજા) પ૭
દિનીક ૧૦૮ દલસુખ માલવણિયા ૨૬૯
દિનેશચંદ્ર સરકાર ૧૨-૧૩, ૫૦, પ૯, ૬૫-૬૬, દશપુર ૧૦૬-૦૭, ૧૮૯, ૧૯૬-૯૭, ૨૮૪,
૬૯, ૮૪-૮૬, ૯૧, ૧૦૮, ૧૧૪, ૧૪૩, ૩૪૮
૧૬૩, ૧૬૬, ૧૬૮, ૧૭૪, ૧૮૭ દહાણું ૧૯૭-૯૮
દિમિત્ર ૫૯-૬૦, ૬૬ દિંડકારણ્ય ૨૭૦
દિલીપ રાજગોર ૪૧, ૧૦૯, ૧૪૩-૪૪ દિંડી ૨૫૫-૫૬
દિલીપ કે. વૈદ્ય ૨૪૨-૪૩ દાતાર (ડુંગર) ૩૧૫
દિલ્હી ૧૦૯, ૧૭૭, ૨૧૫
For Personal & Private Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૮૯
વિશેષ-નામ-સૂચિ દીવ ૩૪૭
ધેનુકાકટ ૧૮૯, ૧૯૭ દુર્ગાચાર્ય ૧૦, ૨૬૭, ૨૭૪
ધોળકા ૧૬૩ દુર્ગાશંકર કે. શાસ્ત્રી ૬૫, ૮૭, ૨૯૨-૯૩ ધોળાવીરા ૧૫૯ દર્લભદેવી ૨૫૯, ૩૫૪
ધ્રુવસેન ૧લો ૨૦૭ દુષ્યન્ત પંડ્યા ૧૧૦, ૧૮૮, ૩૫૭
નકુલીન (નકુલી, નકુલીશ) ૨૮૫-૮૬, ૨૯૨, દુપ્સિક ૨૬૭
૩૬૩ દેલમાલ ૩૨૫
નક્ષ-ઈ-પુસ્તમ ૪૭, ૫૦ દેવદત્ત રા. ભાંડારકર ૪૩, ૮૨, ૧૪૬-૪૮, | નગરા ૯, ૨૧૦-૧૬, ૩૨૫, ૩૪૨-૫૦, ૩૬૪
૧૫૫-૫૬, ૧૬૫-૬૮, ૧૮૪, ૨૨૦, નભસેન ૧૦૬ ૨૨૫-૨૮, ૨૪૪, ૨૯૨
નભોવાહન ૧૧૨, ૧૮૦ દેવની મોરી ૮, ૧૧, ૧૫, ૨૯-૩૨, ૪૨, ૮૦, | નમદુસ (નદી) ૩૪૭
૮૯-૯૬, ૧૨૪, ૧૬૩, ૧૯૦-૯૧, | નમ્માસ (નદી) ૩૪૭ ૧૯૬, ૨૦૦, ૨૦૮-૧૬, ૨૨૯, ૨૩૭, |
નરવહણ ૧૧૦ ૨૪૧, ૨૫૦, ૨૫૫-૫૬, ૨૭૫-૭૬, ૨૮૭, ૨૯૦-૯૧, ૩૦૧, ૩૦૪, ૩૦૮, |
નરવાહ ૧૦૭ ૩૧૬-૨૭, ૩૩૧, ૩૩૮-૪૫, ૩૪૯,
| નરવાહન ૧૦૨, ૧૦૭, ૧૧૦ ૩૬૧-૬૨.
નરસિંહ મહેતા ૩૨૪ દેવરાસ ૧૧૨
નર્મદા (નદી) ૧૧૫, ૧૯૦-૯૧, ૧૯૮, ૩૪૬દેવર્ધ્વિગણિ ક્ષમા શ્રમણ ૨૫૭
૪૮ દેવસેનસૂરિ ૨૯૩
નલિનાક્ષ દત્ત ૨૬૩, ૨૭૦ દેવહૂતિ ૮૭
નવસરિડા ૩૪૭ દેવા ૪૨
નવસારી ૩૪૭ દેવેન્દ્રસૂરિ ૨૮૯, ૩૬૩
નવી દિલ્હી ૧૭ દોલતપર (દોલતપુર) ૧૫, ૮૫, ૧૦૪-૦૫,
નવીનચંદ્ર આચાર્ય ૫ ૧૧૪, ૧૫૧, ૨૪૩-૪૬, ૨૫૧, ૩૩૨- નહપાન ૭, ૧૪, ૪૧, ૪૪, ૭૪-૭૯, ૮૨૩૩, ૩૩૬, ૩૪૦
૮૬, ૯૬, ૯૯-૧૧૫, ૧૨૫, ૧૪૭-૫૫, દ્રગિયાના ૪૭, ૫૪
૧૮૦-૮૯, ૧૯૫-૯૯, ૨૦૭, ૨૧૭-૨૦,
૨૨૩-૨૬, ૨૩૨, ૨૪૩, ૨૬૭, ૨૭૬, દ્વારકા ૧૫, ૨૧૦-૧૫, ૩૪૬-૫૦, ૩૬૪
૨૮૨-૮૬, ૨૮૯, ૨૯૯, ૩૦૭-૦૮, ધનજી કરસન પટેલ ૨૪૩
૩૩૦, ૩૪૭-૪૮, ૩૫૧-૫૬, ૩૬૦, ધરસેનાચાર્ય ૧૦૭
૩૬૩-૬૪ ધર્માનંદ કોસાંબી ૩૫૭
નહસેણ ૧૧૦ ધાતવા ૨૧૦-૧૪, ૩૪૪
નંદીસીઅકસ ૬૨, ૬૯-૭૦ ધારણ ૧૬૧
નાગપુર ૮૨, ૧૧૨, ૧૫૩, ૧૮૭-૮૮, ૧૯૧
For Personal & Private Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૦
ક્ષત્રપકાલીન ગુજરાત નાગરી (લિપિ) ૨૦૮
પતિક ૫૮-૬૧, ૬૮, ૮૬, ૧૦૮ નાગવંશ ૧૦૫, ૧૭૫
પદ્મપાણિ ૩૦૯ નાગાર્જુનસૂરિ ૯, ૨૫૬, ૨૬૭, ૨૭૪-૭૫, | પદ્માવતી ૧૦૮, ૧૧૨, ૨૬૭, ૨૮૯, ૩૫૪ ૨૮૮-૮૯, ૩૨૪, ૩૬૨
પનસ (નદી) ૩૪૭ નાગાર્જુની કાંડ ૯૭, ૧૮૬
પરમાર્થ ૨૬૨ નાગાર્જુની વાચના ૩૬૨
પરમેશ્વરીલાલ ગુપ્ત ૧૮, ૪૩, ૧૨૬, ૧૪૩નાનંગોલ ૧૦૬, ૧૮૯, ૧૯૬-૯૭, ૨૦૭
૪૫, ૧૬પ-૬૮, ૧૭૯, ૧૯૩-૯૪ નાનાગૌન (નદી) ૩૪૭
પરસીપોલીસ ૫૦ નાનાઘાટ ૧૫૪
પરાશર ૨૮૫ નારગોલ ૧૦૬, ૧૯૭, ૨૦૭
પર્ણદત્ત ૧૫૮, ૧૬-૬૩ નારાયણ ૫૧-૫૪
પશિયા ૮૪ નારાયણ (સરોવર) ૧૯૦
પશિયાઈ અખાત ૨૦૫ નાલંદા ૨૭૦
પર્સી ગાર્ડનર ૧૪૯ નાસિક ૭-૮, ૧૩-૧૪, ૪૧, ૭૪-૭૫, ૮૨- | પલાશિની ૭, ૨૪૮, ૩૪૭-૪૮
૮૩, ૮૬, ૧૦૨, ૧૦૫-૦૮, ૧૧૨, | પલાશિયો ૩૪૭ ૧૨૫, ૧૪૭, ૧૫૫, ૧૬૭, ૧૮૦-૯૧, | પહૃવ ૭૪, ૭૯, ૮૫, ૧૧૯, ૧૪૮, ૧૫૭, ૧૯૮, ૨૦૭, ૨૨૫, ૨૮૪-૮૬, ૩૨૮,
૧૭૬, ૧૯૫, ૨૨૧-૨૩, ૩૩૪ ૩૫૧, ૩૬૦
પલંવદેશ ૪૬-૫૧, પૃપ-૬૧, ૬૬ ૬૮, ૩૩૪ નાસોસ ૨૩૦
પદ્વવ સંવત ૧૭૩ નિનેહ ૪૭, ૫૦
પંચમહાલ ૩૩૭, નિમાડ ૧૧૭
પંચાલ (અહિરછત્ર) ૬૨ નિષાદ ૧૧૭, ૧૯૦
પંચાલ શોધ સંસ્થાન ૧૬ નીલકંઠ શાસ્ત્રી ૮૪, ૧૦૪, ૧૧૧, ૧૩૧, ૧૬૮
પંચેશ્વર (ગુફા) ૩૨૪ નિવૃત્ત (નિમાડ) ૧૧૭
પંજાબ પપ-૫૮, ૬૧-૬૩, ૬૬, ૮૩, ૯૨, નેમિચંદ્ર શાસ્ત્રી ૨૭૦
૧૧૭ નેમિનાથ ૨૯૮
પાટણ (વેરાવળ) ૩૨૩ નેશનલ મ્યુઝિયમ ૧૭
પાટગઢનગર ૩૨૩ ન્યાયવિદ્યા ૧૧૮, ૧૬૧
પાટલીપુત્ર ૨૮૮, ૩૫૯ ન્યૂટન ૨૨૪
પાણિનિ ૨૨૫, ૨૭૩ પકોર ૬૨
પાદલિપ્ત (આચાર્ય) ૨૬૭, ૨૭૪, ૨૮૮-૮૯, પટણા ૨૯૮, ૩પ૯
૩૨૪ પડું (પછી) ૨૦૦, ૨૪૨, ૨૫૦, ૩૧૯, ૩૨૨ | પાદલિપ્તપુર ૨૬૭ પતંજલિ ૮૬, ૨૭૩
પાદલિપ્તસૂરિ (જુઓ પાદલિપ્ત)
For Personal & Private Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૧
વિશેષ-નામ-સૂચિ પાપિકા (ભૂશિર) ૩૪૬-૪૭
પુષ્કલાવતી ૫૮, ૬૧, ૩૫૦ પાર (નદી) ૧૯૮
પુષ્પગુપ્ત (વૈશ્ય) ૧૫૭, ૨૪૯, ૩૬૧ પારણ ૧૬૧
પુષ્યમિત્ર ૧૦૨ પારડી ૧૯૮
પુલુમાવિ ૧૫૦, ૧૫૪-૫૬, ૧૮૩-૮૬, ૧૯૦ પારસકુલ ૫૫, ૬૪
પૂણે ૭, ૧૬, ૪૨, ૮૩, ૧૦૦, ૧૮૯-૯૦, પારસી ૨૦૬-૦૭, ૨૧૬
૧૯૭ પારાદા ૧૮૯, ૧૯૮, ૨૮૪, ૩૪૭-૪૮
પેટલુરીપલમ ૪૨, ૧૬૬, ૧૬૮, ૧૯૧ પાર્જિટર ૬૪, ૧૧૧, ૧૩૦
પેથલ (ગુફા) ૩૨૩ પાર્થિઆ ૪૬, પ૬, ૧૭૯, ૨૨૩
પેરિપ્લસ ૨૬૬, ૩૪૬-પર, ૩૫૬-૫૭ પાર્વતી ૩૨૪
પૈઠણ ૧૮૨ પાર્શ્વનાથ ૨૮૮-૮૯
પૈશાચી (પ્રાકૃત) ૨૭૧ પાલનપુર ૧૯૭, ૩૪૭
પ્રતિષ્ઠાન ૧૧૨, ૧૮૦, ૧૮૨ પાલિ (ગ્રંથો) ૧૧૬, ૧૩૧, ૧૬૧
પ્રભાચંદ્રાચાર્ય ૧૦, ૨૬૯ પાલિ (ભાષા) ૨૨૫, ૨૫૬, ૨૭૫-૭૬, ૩૨૦, | પ્રભાસ ૯, ૧૦૬-૦૭, ૧૮૯, ૧૯૬-૯૭, ૩૩૬
૨૧૨, ૨૭૫, ૨૮૪-૮૮, ૩૨૩, ૩૪૪, પાલીખંડા ૩૩૭
૩૪૭-૫૦, ૩૬૪ પાલિતાણા ૨૬૭, ૨૮૮-૮૯
પ્રભુદામાં ૧૨૫
પ્રયોગ ૧૬૧ પાલક ૧૦૨ પાશાન્તિક(પલ્લી) ૯૫, ૨૦૦, ૨૪૨, ૨૫૦,
પ્રવરસેન ૧લો ૧૪૨ ૩૧૯, ૩૨૨
પ્રશસ્તપાદ ૨૭૪ પાશુપત (સંપ્રદાય) ૨૮૪-૮૭, ૩૬૨-૬૩
પ્ર.ચી.પરીખ ૨૮૨ પિકચર્સ એન્ડ આર્ટ ગેલેરી ૧૭
પ્રાકૃત (ભાષા) ૭૫, ૧૮૦, ૨૨૨-૨૪, ૨૨૮,
૨૪૨-૪૩, ૨૫૮, ૨૬૪, ૨૬૭, ૨૭૧, પિંડારા ૨૧૦ પી.પી. દવે ૩૩૭
૨૭૬, ૨૮૨
પ્રાચીન શક સંવત ૧૦૪ પુણ્યવિજયજી (મહારાજ) ૨૩૧, ૨૬૪, ૨૬૯,
પ્રાચ્યવિદ્યા મંદિર ૨૬૯ ૨૭૧-૭૨, ૨૯૩ પુ.ના.ભટ્ટ ૯૫
પ્રિન્સ ઑવ વૅલ્સ મ્યુઝિયમ ૧૩, ૧૭, ૨૧-૩૮,
૧૨૬ પુ.પ્ર.પંડ્યા ૨૩૮, ૩૦૯
પ્રિયબાળા શાહ ૧૬૩. પુરાણો ૨૮૫-૮૬, ૨૯૨
પૃથિવીષેણ ૧૬, ૨૪, ૭૬, ૧૨૫-૨૬, ૧૯૩પુરવંશ ૮૮
૯૪, ૧૯૯, ૨૩૪ પુલિન્દો પ૬
| ફર્ગ્યુસન ૧૪૮-૪૯, ૧૭૪ પુષ્કર (તીર્થ) ૧૦૬-૦૭, ૧૮૯-૯૧, ૧૯૬-૯૭, |
| ફલીટ ૫૯, ૬૫-૬૮, ૧૪૪, ૧૭૪ ૩૬૦
For Personal & Private Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૯૨
ફાનયેન ૧૭૫, ૧૭૯ ફાલ્ગુન (મહિનો) ૩૫૫
ફૉગેલ ૧૦૮
ફૉન લોહુઇ ઝેન્ડ ૫૩, ૫૭, ૬૦-૬૧ ફ્રાન્કવિસ બર્નિયર ૨૦૧
ફ્રાવત ૨જો ૪૯-૫૦, ૫૬
ફ્રાવત ૪થો ૨૨૩
ફ્રેન્કે ૫૨, ૧૭૪
બખલે ૭૯, ૧૦૪
બનાસ (નદી) ૧૯૮
બનાસકાંઠા ૧૯૮
બરાકાનો અખાત ૩૪૬
બર્જેસ ૨૯૬-૩૦૫, ૩૧૪, ૩૨૬-૨૮, ૩૪૦
બર્લિન ૧૭૮
બળદેવકુમાર ૧૭૭-૭૯
બલમિત્ર ભાનુમિત્ર ૫૭, ૩૨૬
બલ્બ ૮૦
બશમ ૨૭૨
બસરા ૩૫૭
બસાઢ ૧૨૫
બહાવલપુર ૧૭૩
બંગાળ ૮૩
બાણ ૧૪૦
બાપક ૨૪૧
બાપટ ૨૦૦
બારનેટ ૧૭૪
બારિગાઝા ૩૪૯-૫૦, ૩૫૬, ૩૬૩ બાજ઼શા ૧૮૯, ૧૯૭, ૨૮૪, ૩૪૭-૪૮ બાવાપ્યારા (ગુફા) ૧૫, ૨૮૯-૯૦, ૨૯૫-૯૯,
૩૦૩-૩૦૮, ૩૨૪, ૩૨૭-૩૦, ૩૪૪,
૩૬૧
બાસિમ ૪૨
ક્ષત્રપકાલીન ગુજરાત
બાહ્લિક ૪૬-૪૯, ૫૨-૫૬, ૬૦, ૮૦, ૮૫,
૨૨૩
બાહુબલિ ૨૯૧
બાંસવાડા ૧૯૧
બિહાર ૮૩, ૨૯૮, ૩૫૯
બિંબીસાર ૧૨૦
બી.એન.મુખરજી (બ્રતીન્દ્રનાથ મુખરજી) ૯૭,
૧૪૩, ૧૬૮, ૧૭૪, ૨૩૯-૪૦ બી.કે.થા૫૨ ૨૯૨
બીમલ ચરણ લો ૧૩૧, ૨૩૧
બીલ ૨૭૦, ૩૧૦, ૩૧૩
બી.સુબ્બારાવ ૨૦૮, ૨૧૫-૧૬, ૩૨૨ બુદ્ધઘોષ ૨૨૭
બુદ્ધાનંદ ૨૯૦, ૨૬૯
બેક્ટ્રિઆ ૮૫, ૧૭૫-૭૬
બેગ્રામ ૧૭૮
બેચરદાસ ૨૬૮
બેડસા ૩૧૧, ૩૫૮
બેનરજી (જુઓ ૨.દા.બેનરજી) ૬૫.
બેન્જામીન ૮૪
બેબા૨ ૩૨૫
બેરાર ૧૯૧
બેહિસ્પૂન (પર્વત) ૫૦, ૭૩, ૧૫૮ બૈજનાથપુરી ૮૨-૮૩, ૧૭૭
ખૈયોનીસ(બેટ) ૩૪૭
બોમન કૈકોબાદ ૨૦૬
બોધિવંશ ૨૨૪
બોરદેવી ૩૧૫
બોરિયા ૨૧૧, ૨૯૦, ૨૯૩, ૩૧૫-૧૬, ૩૪૨
૪૩
બોલનઘાટ ૪૯, ૫૫ બૌદ્ધ ગ્રંથો ૨૨૬
For Personal & Private Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
વિશેષ-નામ-સૂચિ
૩૯૩ બૌદ્ધદેવી ૩૨૪
| ભર્તુહરિ ૨૬૦, ૨૭૩ બૌદ્ધધર્મ ૨૨૧, ૨૬૩, ૨૮૩, ૨૯૦-૯૩, | ભવનાથ ૩૧૬
૩૦૩, ૩૦૮, ૩૧૧, ૩૨૩-૨૪, ૩૬૩ ભવનેશ્વર (ગુફા) ૩૨૩ બ્રાઉન ૬૪-૬૫
ભાઉ દાજી ૮૬ બ્રાહ્મણ (ધર્મ) ૨૮૪, ૨૯૪
ભાગવત (સંપ્રદાય) ૨૧૮ બ્રાહ્મી (લિપિ) ૭૫, ૧૦૦-૦૨, ૧૦૮, ૧૧૪, | ભાજા ૩૧૧ ૧૬૦-૬૧, ૧૬૪, ૨૧૮-૨૯, ૨૩૭-૩૮,
ભાણવડ ૩૨૩ ૨૪૧-૪૫, ૨૫૨, ૨૫૬, ૨૭૬-૮૨,
ભાદર ૨૯૦. ૩૧૭, ૩૨૦, ૩૩૬, ૩૩૯
ભાદ્રપદ (મહિનો) ૩૫૫ બ્રાહૂઈ (પર્વત) ૪૯, ૫૫
ભારતીય ગ્રીક ૧૦૮, ૨૦૧૭ બ્યુહર ૨૫૫, ૨૮૨ ભગવાનલાલ ઇંદ્રજી ૧૭-૧૮, ૬૨, ૧૧૫,
ભારતીય પદ્વવ ૧૦૮ ૧૨૦, ૧૨૩, ૧૩૬, ૧૪૩, ૧૪૭,
ભારતીય સાસાનિયન ૨૦૯ ૧૫૪-૫૫, ૧૬૩-૬૪, ૧૬૭, ૧૯૭,
| ભારતીય સીથિયન ૧૦૮ ૨૨૦, ૨૨૪, ૩૪૭,
ભારહુત ૨૩૧, ૨૯૯, ૩૦૪ ભગવાનસિંઘ સૂર્યવંશી ૧૬
ભાર્ગવ ૩૫૫, ભટ્ટાકર (ભટ્ટાર્ક) ૧૪૧
ભાવનગર ૧૭, ૧૯, ૧૩૩, ૨૦૭, ૨૬૮-૬૯ ભચ્છઠ્ઠણા ૮૧
ભાસ્કર (ક્ષેત્ર) ૨૮૮ ભત્થણા ૭૪, ૮૧, ૮૫
ભાંડારકર ૮૪, ૮૮, ૧૧૧, ૧૨૧, ૧૩૧-૩૨ ભદ્રચક્ટન ૮૧
ભિન્નમાળ ૩૩૭ ભદ્રબાહુ ૨૫૬, ૩૬૨
ભિલોડા ૮, ૮૯, ૨૦૮, ૩૧૭, ૩૨૫ ભદ્રમુખ. ૧૩૩, ૧૯૫, ૧૯૯
ભીમચોરી ૩૦૭-૦૮ ભરત ૨૫૫, ૨૭૩
ભુજ ૧૩, ૧૭, ૧૯, ૨૩૭, ૨૪૩ ભરુકચ્છ ૧૦૬-૦૭, ૧૧૨, ૧૮૦-૮૨, ૧૮૬, | ભૂતબલિ ૧૦૭
૧૮૯, ૧૯૬-૯૭, ૨૫૯, ૨૬૭, ૨૭૫, | ભૂમક ૭૫-૭૯, ૮૩-૮૬, ૯૯-૧૧૨, ૧૬૬, ૨૮૯, ૩૨૪, ૩૪૬, ૩૪૯-૫૦, ૩૪૫, | ૧૯૩. ૨૧૭-૨૦. ૨૨૩. ૨૩૨, ૨૮૨. ૩૬૩
૩૫૪ ભરૂચ ૯, ૧૫, ૫૭, ૧૦૬-૦૭, ૧૧૨, ૧૮૦, | ભૂમધ્ય સમુદ્ર ૨૦૧૭
૧૮૩, ૧૯૭, ૨૧૪, ૨૩૧, ૨૬૬, ભૈરવ ૨૮૬ ૨૭૫, ૨૮૪, ૨૯૩, ૩૦૯, ૩૨૪,
ભોગીલાલ જ. સાંડેસરા ૧૧૦, ૧૮૮, ૨૭ર ૩૪૭-૫૨, ૩૫૫, ૩૬૩-૬૪
ભોપાલ ૪૩, ૧૯૧ ભર્તુદામાં ૩૦-૩૨, ૪૦-૪૩, ૭૭, ૯૪, ૧૨૯
ભોંયરાની ગુફા ૩૨૩ ૩૦, ૧૩૪-૩૯, ૧૪૨, ૧૬૬, ૧૯૪, ૧૯૯, ૨૩૫-૩૬, ૨૪૦, ૨૪૮, ૩૫૪
મયારા (તળાવ) ૨૪૨
For Personal & Private Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૯૪
ક્ષત્રપકાલીન ગુજરાત મગધ ૨૫૬
| માઈગઢેચી (ગુફા) ૩૨૪ મણિગુલ (મનુગલ) ૬૧-૬૨, ૬૯
માણસા ૧૯૮ મથુરા ૮, ૫૮-૬૬, ૬૯-૭૦, ૭૯, ૯૩, ૯૯, | માત્રીમંદિર (ગુફા) ૩૨૪
૧૦૪-૦૫, ૧૦૮, ૧૧૩, ૧૭૫-૭૯, | માણિયાલ ટોપ ૧૪૮ ૨૫૫, ૨૬૬, ૨૯૨, ૩૩૨-૩૩, ૩૩૬, |
માથુરીવાચના ૨૫૬-૫૮, ૩૬૨ ૩૩૯-૪૦, ૩૬૨
માદ (મિદી) ૪૬-૪૭ મધુમતી ૨૮૯
માનસ (ગોત્ર) ૩૫૫ મધુસૂદન ઢાંકી ૩૩૯-૪૧
માનસેરા ૬૦, ૬૮ મધ્ય એશિયા ૪૭-૪૮, ૫૧, ૫૫, ૮૦, ૧૭૬,
માર્કવાટ પર ૨૧૪, ૩૨૮
માર્ગશીર્ષ (હિનો) ૩૨૫ . મધ્ય પ્રદેશ ૪૧, ૧૦૬, ૧૪૮, ૧૪૯, ૧૬૪, ૧૯૧, ૧૯૭, ૨૨૭-૨૮, ૩૩૮
માર્શલ ૫૮, ૬૦, ૬૨, ૬૫ : ' મરુ ૧૧૭, ૧૯૦, ૧૯૬, ૧૯૮
માલવો ૧૨૬, ૨૨૬ મર્વ (દશ) ૪૯, ૫૪
માહિષ્મતિ ૧૧૭ મલ્લવાદિસૂરિ ૯, ૨૫૮-૬૨, ૨૬૮-૭૦, ૨૭૪
માહેશ્વર (માતૃકા) ૩૩૪ ૭૫, ૨૮૮-૮૯, ૩૧૭, ૩૨૨, ૩૬૨
માળવા ૧૮, ૬૨, ૮૩, ૧૦૧, ૧૦૭, ૧૧૫, મહમૂદ ગઝનવી ૨૮૬
૧૧૭, ૧૪૦-૪૨, ૧૭૪, ૧૮૯-૯૦,
૨૮૧, ૨૮૪, ૩૬૦-૬૧ મહસેન ૮૯, ૨૫૦
માળવી (લિપિ) ૨૮૦ મ.સ.યુનિવર્સિટી ૧૭, ૨૦૮, ૨૧૫-૧૬, ૨૪૧,
માંગરોળ ૩૪૭-૫૦, ૩૬૪ ૩૩૭. મહારાષ્ટ્ર ૧૩, ૧૮, ૪૦-૪૨, ૧૦૬-૦૭,
માંડવી ૨૩૮ ૧૧૨, ૧૪૯, ૧૬૪, ૧૮૦-૮૩, ૧૮૬,
મિશ્રદત રજો ૪૯-૫૦, પ૬, ૬૦ ૧૮૯-૯૧, ૧૯૭-૯૮, ૩૧૩, ૩૬૦ મિનેન્દર ૬૬, ૬૯, ૨૨૬, ૨૩૧, ૩૧૦, મહારાષ્ટ્રી પ્રાકૃત ૨૬૫, ૨૭૧
૩૫૦, ૩૬૩ મહાવીર ૧૧૦, ૨૫૯, ૨૬૪, ૨૬૭-૬૮,
મિનોઅન ૨૩૦ ૨૮૮-૮૯, ૩૨૪, ૩૩૦
મિસર ૧૦, ૨૩૦ મહી (નદી) ૩૪૭-૪૮
મીડિયા સામ્રાજય) ૪૬, ૫૦ મહુવા ૨૮૯
મીનનગર ૫૭-૫૮, ૬૪, ૧૦૬, ૧૧૨ મહેતા-ચૌધરી (જુઓ ૨.ના. મહેતા અને સૂ.ન. મીનળ (તળાવ) ૧૬૩ ચૌધરી)
મુકુંદ રાવલ ૨૪૫ મલેશ્વરી (નદી) ૨૦૭
મુનસર (તળાવ) ૧૬૩ મહાયાન ૨૯૫
મુનિન્દ્ર જોશી ૩૪૦-૪૧ મંદસોર ૧૦૬, ૧૯૭
મુરુડ (વંશ) ૧૦૨ મંદોર (ગુફા) ૩૨૩
મૂલક ૧૯૮
For Personal & Private Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૯૫
વિશેષ-નામ-સૂચિ મૂલવાસર ૧૫, ૧૨૩-૨૪, ૧૩૩, ૧૯૦, ૧૯૬ | યજ્ઞશ્રી શાતકર્ણિ ૧૫૪-૫૫ મુંબઈ ૧૯૭
યઝદાની ૧૮૭-૮૮ મેકક્રિન્ડલ ૧૧૧
યદુવંશ ૮૮ મેક્સ મુલર ૨૭૧
યવન (જાતિ, રાજા, પ્રદેશ) ૪૬, ૨૧-૫૭, ૬૦, મેનબ્રુસ ૧૮૩
૭૪, ૭૯, ૮૫, ૧૫૭, ૧૬૩, ૩૬૧ મેમ્બનેસ ૧૮૩
થવુક ૧૭૯ મેમ્બનોસ ૧૮૩
યશદત્તા ૩૫૪ મેમ્બરસ ૧૮૩
યશોદામા ૧લો ૨૫-૨૬, ૪૦-૪૩, ૭૬-૭૭, મેમ્બરોસ ૧૮૩
૮૧, ૧૨૬-૨૭, ૧૩૪, ૧૬૫-૬૭,
૧૯૩-૯૪, ૧૯૯, ૨૨૩, ૨૩૫, ૩૫૪ મેરૂતુંગાચાર્ય ૧૦૨
| યશોદામા રજો ૩૪-૩૫, ૪૨, ૧૩૦, ૧૩૫મેવાસા ૧૫, ૯૭, ૧૮૯-૯૦, ૧૯૬, ૨૩૭-૪૧
૩૭, ૧૪૨, ૧૬૭-૬૮, ૧૯૪, ૨૧૮, મેશ્વો નદી) ૮, ૮૯, ૧૬૩, ૨૦૮, ૨૪૧,
૨૨૧, ૨૩૬, ૨૪૪, ૩૫૪ ૨૫૬, ૩૧૭
યાકોબી ૨૬૧-૬૨, ૨૬૯ મેસોપોટેમિયા ૫૪
યાદવકાલ ૩૪૬ મૈત્રકકાલ ૧૦, ૨૦૭-૦૮, ૨૫૯, ૨૭૭, ૨૮૨,
યાસ્ક ૨૬૭ ૨૮૬, ૨૯૩, ૩૪૦, ૩૪૯
યુઆન શ્વાંગ ૧૭૪, ૨૬૨, ૨૯૩, ૨૯૫, મૈત્રેયનાથ ૨૬૩
૨૯૮, ૩૦૬-૦૭ મૈર પ૭-૫૯, ૬૧-૬૩
યુએચી (જાતિ) ૪૮-પર, ૫૪-૫૬, ૬૦, ૧૭૫, મસ (નદી) ૩૪૭
૧૭૯ મોઅ (મોગ) પ૭-૬૨, ૬૫-૬૬, ૬૮, ૧૪૮,
યુદ્ધવિદ્યા ૧૬૧ ૧૫૨
| યોગાચાર ૨૬૨-૬૩ મોઅ (સંવત) ૩૬૫
યૌધેયો ૧૧૭, ૧૩૧, ૧૭૩, ૨૬૮, ૩૬૦ મોડાસા ૩૨૫
સામોતિક ૭૪-૭૯, ૧૦૦, ૧૦૯, ૧૧૩, મોતીચંદ્ર ૬૫, ૨૬૫, ૨૭૧-૭૨
૧૩૦, ૧૩૬, ૧૩૮, ૧૯૨, ૨૫૧, ૩૫૪ મોનિયેર વિલિયમ ૮૪, ૮૭
૨.છો. પરીખ ૧૬૩ મોનોગ્લોસોન (બંદર) ૩૪૭
રણછોડરાય ઉદયરામ ૨૩૯, ૨૪૪ મોફિસ(નદી) ૩૪૭
રતિભાઈ ભાવસાર ૩૪૧ મૌર્ય (વંશ) ૮૮, ૯૯, ૧૧૧, ૧૨૦, ૧૫૯,
રત્નમણિરાવ ભીમરાવ ૨૯૨ ૧૭૨, ૧૭૬, ૧૯૯, ૨૦૭, ૨૫૬ ,
રમણલાલ નાગરજી મહેતા (ર.ના.મહેતા) ૧૧, ૨૯૮, ૩પ૯, ૩૬૦-૬૨
૧૬, ૪૨, ૮૭-૯૨, ૯૫, ૯૮, ૧૫૭, મૌર્ય સામ્રાજય) ૪૬, ૮૫, ૧૫૭-૫૮, ૩૬૦
૧૬૩, ૨૦૮, ૨૧૬, ૨૨૯, ૨૪૫,
૩૨૨, ૩૨૬, ૩૪૦-૪૧, ૩૪૫ યક્ષિણી (યક્ષ) ૩૩૭
| રમેશચંદ્ર મજુમદાર ૧૧૧, ૧૭૧, ૧૭૫, ૧૭૯,
૬૨
For Personal & Private Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૯૬
ક્ષત્રપકાલીન ગુજરાત ૨૭૦, ૨૭૨, ૩૫૧, ૩૫૭
રાહદેવ ૨૫૧-૫૨ રવિ હજરનીસ ૩૪૧
રુદ્રદામક ૨૨૬, ૨૩૧ રસા (રહા-નદી) ૫૩
રુદ્રદામા ૧લો ૭-૮, ૧૪, ૪૧-૪૨, ૭૫-૭૮, રસેશ જમીનદાર ૧૬, ૬૪-૭૦, ૮૮, ૯૭,
૯૧, ૯૩, ૧૦૫, ૧૧૧, ૧૧૪-૨૦, ૧૦૯, ૧૩૧-૩૩, ૧૪૩, ૧૫૨-૫૩,
૧૩૧-૩૨, ૧૫૦-૬૩, ૧૭૩-૭૭, ૧૮૧, ૧૬૩, ૧૭૮-૭૯, ૧૮૮, ૧૯૭-૯૮,
૧૮૪, ૧૮૯-૯૬, ૧૯૯, ૨૨૧, ૨૨૪, ૨૧૫, ૨૨૮-૩૦, ૨૪૫, ૨૬૮-૭૨, ૨૨૬, ૨૩૦-૩૩, ૨૩૭, ૨૪૧, ૨૪૩, ૨૯૨-૯૩, ૩૧૧-૧૪, ૩૫૮
૨૪૫, ૨૪૭-૪૯, ૨૫૫, ૨૬૮, ૨૭૩રસોપદ્રીય ૩૪૮-૪૯
૭૪, ૨૭૬, ૨૮૨, ૨૯૦-૯૧, ૩૪૭
૪૮, ૩૫૪-૫૫, ૩૫૯-૬૨ રાખાલદાસ બેનરજી ૬૦, ૬૫, ૧૪૬, ૧૭૪ | રાજકોટ ૧૩-૧૭, ૨૦, ૪૦, ૯૬, ૧૨૪-૨૬, |
|| રુદ્રદામા ૨જો ૭૭, ૮૧, ૯૬, ૧૩૦, ૧૩૫
- ૩૮, ૧૪૨-૪૩, ૧૬૭, ૨૪૦ ૧૩૩, ૨૩૮-૩૯, ૨૪૫, ૨૮૯, ૩૦૮૦૯, ૩૨૩
રુદ્રદામણ ૨૨૬ રાજબલી પાન્ડેય ૧૧૧, ૧૫૩
રુદ્રદેવ ૧૪૩ રાજસ્થાન ૧૮, ૪૩, ૧૦૬, ૧૧૫, ૧૧૭. | રૂદ્રભૂતિ ૧૩૨, ૨૪૧, ૨૯૧, ૩૫૪
૧૪૦-૪૧, ૧૬૪-૬૫, ૧૮૯-૯૧, ૧૯૭, રુદ્રસિંહ ૧લો ૧૪-૧૫, ૨૧-૨૨, ૪૨-૪૩, ૭૫૨૨૯, ૩૩૮, ૩૬૦, ૩૬૩
૭૮, ૧૧૯-૨૫, ૧૩૧-૩૩, ૧૬૫-૬૮, રાજુલ ૬૦-૬૩, ૬૯-૭૦, ૭૯
૧૮૦-૮૧, ૧૮૪-૮૭, ૧૯૩, ૧૯૯,
૨૧૭-૨૩, ૨૩૦, ૨૩૩, ૨૩૭-૩૮, રાજુલા ૩૨૩
૨૪૦-૪૧, ૨૪૫-૪૭, ૩૧૦, ૩૫૪-૫૫ રાજયેશ્વર ૨૪૦, ૨૪૯
રુદ્રસિંહ રજો ૧૫, ૩૩-૩૪, ૪૧-૪૩, ૭૭, રાણપુર(ગુફા) ૩૨૩
૮૧, ૧૧૩, ૧૧૬, ૧૨૯-૩૦, ૧૩૫રાણાવાવ ૩૨૩
૩૮, ૧૪૨, ૧૬૮, ૧૯૦, ૧૯૪, ૨૨૪, રાપર ૧૮૯, ૨૩૯
૨૩૬, ૩૫૪-૫૫ રામકુંડ ૧૦૬, ૧૯૭
રુદ્રસિંહ ૩જો ૩૮-૪૧, ૭૫-૭૮, ૮૨, ૧૩૫રામકૃષ્ણ ભાંડારકર ૧૫૫, ૧૭૩, ૧૮૮
૪૫, ૧૯૪, ૨૧૮-૨૧, ૨૩૬-૩૭, રામતીર્થ ૧૦૬, ૧૮૯, ૧૯૭
૨૪૪-૪૫, ૨૫૨ રામપ્રસાદ ચંદા ૬૫-૬૭
રુદ્રસેન ૧લો ૧૫-૧૬, ૨૨-૨૩, ૪૦-૪૩, ૭૬ , રામલાલ પરીખ ૧૯૭
૮૦-૮૧, ૮૯-૯૮, ૧૨૦-૨૮, ૧૩૧,
૧૩૩, ૧૬૬, ૧૯૦, ૧૯૩, ૧૯૫, રામશંકર ત્રિપાઠી ૮૪, ૧૪૪
૧૯૯, ૨૧૭-૧૯, ૨૩૦, ૨૩૩, ૨૪૧, રામારાવ ૧૩૧
૨૪૫, ૨૫૦, ૨૮૦, ૨૯૦, ૩૧૬-૧૭, રાય ચૌધરી ૫૩, ૫૮-૬૦, ૬૩, ૬૬-૭૦, ૮૦, | ૩૫૪ ૮૫-૮૭, ૧૦૮, ૧૪૨
રુદ્રસેન રજો ૨૮-૩૦, ૪૦-૪૩, ૭૬, ૯૧, રાષ્ટ્રિય (રાષ્ટ્રીય) ૧૫૭, ૧૫૯, ૧૯૯
૯૫, ૧૧૬, ૧૨૮, ૧૩૪, ૧૯૪, ૧૯૯,
For Personal & Private Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
વિશેષ-નામ-સૂચિ
૩૭.
૨૩૫, ૩૫૪.
લોથલ ૧પ૯ રુદ્રસેન ૩જો ૧૫, ૩૫-૪૩, ૭૭, ૮૧, ૯૦-| લોહાનીપુર ૨૯૮
૯૧, ૯૫-૯૬, ૧૩૦, ૧૩૫-૪૦, ૧૪૩- લૌકિક (સંવત) ૧૭૨ ૪૪, ૧૬૬-૬ ૮, ૧૯૪, ૨૧૭-૨૪, | ભૂંડર્સ ૧૩૦, ૧૩૩, ૧૭૪ ૨૩૬, ૨૩૯-૪૦, ૩૦૪-૦૫, ૩૫૪
વઘઈ ૩૩૭ રુદ્રસેન ૪થો ૭૭, ૮૧, ૯૦, ૯૫-૯૬, ૧૩૫,
વજપાણિ ૩૦૯ ૧૩૮-૩૯, ૨૩૬, ૨૩૯
વજભૂતિ ૨૬૭, ૨૭૪, ૨૮૮-૮૯ રૂપક ૨૬૬
વડનગર ૧૫, ૧૯૦-૯૧, ૧૯૮, ૨૧૦, ૨૧૨, રુપેણ (નદી) ૩૦૭
૨૧૬, ૩૨૫, ૩૩૬, ૩૪૦-૪૫, ૩૪૯ રૂપચંદ નારાયણ ટેકચંદાની ૧૭, ૨૦, ૪૨
વડોદરા ૧૩, ૧૬-૧૭, ૨૦, ૪૨, ૮૯, ૯૫, રેગરેશ્વર ૨૪૪-૪૫
૧૬૩, ૨૧૧, ૨૧૫-૧૬, ૨૪૫, ૨૬૯, રેસન (જુઓ એડવર્ડ જેમ્સ રેપ્સન)
૨૮૫, ૩૧૭, ૩૨૫, ૩૩૨-૩૭, ૩૪૨રૈવતક ૩૪૮
૪૪, ૩૬૩ રોમ ૧૦, ૧૪૮, ૨૧૦, ૨૧૪, ૨૨૩, ૩૨૭, | વડોદરા મ્યુઝિયમ ૨૪, ૩૭-૩૮ ૩૪૨-૪૩, ૩પ૦, ૩૬૪
વઢવાણ (વર્ધમાન) ૩૪૯ રોમીય (લિપિ) ૨૧૯, ૨૨૨-૨૪
વત્સ (ગોત્ર) ૧૯૫, ૨૮૫, ૩૫૫ રોમીય (સામ્રાજય) ૯, ૪૮, ૨૧૪, ૨૨૯ વનસ્પર ૮૩ રોલીન્સન ૫૦-૫૪
વરહન રજો ૧૩૪ રોહિણી પાન્ડેય ૨૧૬
વરહન ૩જો ૧૩૪ લકુલી (લકુલીન, લકુલીશ) ૧, ૨૮૫-૮૭, વરાહ ૨૪૨ ૨૯૨, ૩૬૩ :
વરાહ મિહિર ૨૬૭ લક્ષ્મી ૨૧૮
વરિયાવ ૨૧૪ લખપત ૩૨૩
વરોલી (નદી) ૨૦૬ લંડન ૬૨, ૧૮૮
વર્ધમાન (નગર) લાચાંગૂ (સરદાર) ૪૮
વર્ધા ૪૨, ૧૯૧ લાખામેડી ૩૧૫
વર્ષા જાની ૫ લાટ ૧૦
વલભી ૯, ૨૧૦-૧૪, ૨૫૬, ૨૫૯, ૨૬૨, લાઠી ૧૫, ૧૯૦
૨૬૯-૭૦, ૨૭૫, ૨૮૯, ૩૦૬-૦૭, લાયક (લિયક-કુસુલક) ૬૦-૬૧, ૬૮, ૮૩, ૩૩૭, ૩૪૪, ૩૪૯-૫૦, ૩૬૨-૩૬૪ - ૧૦૮
વલભીપુર ૨૧૦, ૩૬૩ લાલચંદ ગાંધી ર૬૯
વલસાડ ૧૯૭-૯૮, ૨૦૬ લાલોડા ૩૩૮
વલહીએ ૨૯૩ લાહોર ૮૬, ૧૧૨
વલ્લભવિદ્યાનગર ૪૨
For Personal & Private Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૯૮
ક્ષત્રપકાલીન ગુજરાત વસિષ્ઠ ૧૭૨
વાંસવાડા ૪૩ વસુબંધુ (આચાર્ય) ૧૭૪, ૨૬૨-૬૩, ૨૭૦, | વિક્રમાદિત્ય ૬૨, ૨૬૮, ૩૨૪ ૨૭૪
વિક્રમ સંવત ૨૯, ૬૫, ૭૦, ૭૯, ૯૨-૯૩, વસુમિત્ર ૧૦૨
- ૧૦૪, ૧૭૪-૯૫, ૨૫૮-૬૨, ૨૬૯ વસુરક ૨૪૦-૪૧, ૨૪૮
વિજયમિત્ર ૬૯ વસોજ ૨૦, ૨૨, ૨૬, ૪૨, ૧૯૧ વિજયલબ્ધ સૂરિ ૨૬૯ વસ્તાન ડુંગરી ૨૧૨-૧૩, ૩૪૪
વિજયવંશ ૧૦૨ વહેરગાંવ ૧૯૮
વિજયસેન ૪૦-૪૩, ૭૬, ૧૨૭-૨૮, ૧૩૪, વંથલી ૩૪૭
૧૬૫, ૧૯૩-૯૪, ૨૩૫ વાકાટક ૧૪૨
વિજયેન્દ્રસૂરિ ૫૦-૫૩, ૬૪, ૧૩૧, ૨૩૧ વાભટ્ટ ઉપર
વિજ્ઞાન ૧૬૧ વાઘજીપુર ૩૩૭
વિદર્ભ ૧૯૮ વાચસ્પતિ ૨૨૫, ૨૩૧
વિદિશા ૧૯૦ વાડેલ ૧૭૪
વિદ્યાલંકાર ૬૫, ૬૯-૭૦ વાત્સ્યાયન ૨૭૪
વિનયતોષ ભટ્ટાચાર્ય ૨૬૦ વાય.આર. ગુપ્ત
વિમલસૂરિ ૨૬૧-૬૨ વારંગલ ૧૮૨
વિલાસિની ૭ વારાણસી ૧૭૮, ૨૭૧
વિષ્ણુ ૧૫૮, ૧૬૦, ૨૮૩ વાલભીવાચના ૨૫૬-૫૭, ૩૬૨
વિશ્વસિંહ ૨૯-૩૦, ૪૦-૪૩, ૭૭, ૧૨૮-૨૯, વાસિષ્ઠીપુત્ર ૮
૧૩૪, ૨૫૪ વાસિષ્ઠીપુત્ર ચતુરાન શાતકર્ણિ ૧૫૪ વિશ્વસેન ૧૮, ૨૫-૨૭, ૩૦-૩૩, ૪૦-૪૩, વાસિષ્ઠીપુત્ર ચંડ શાતકર્ણિ ૧૫૬
૭૭-૮૧, ૯૨-૯૫, ૧૧૩, ૧૨૯-૩૦, વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ ૮, ૭૪, ૭૯, ૮૬,
૧૩૫-૩૭, ૧૪૨, ૧૬૮, ૧૯૪, ૧૯૯, ૧૦૪-૦૬, ૧૧૦, ૧૩૩, ૧૫૪-૫૬,
૨૩૬, ૩૫૪ ૧૮૧-૮૩, ૧૮૮
વિશ્વજીત રથ ૧૦૯ વાસિષ્ઠીપુત્ર વિજય શાતકર્ણિ ૧૫૬
વિશ્વાસ હ. સોનાવણે ૩૪૧ વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિ ૧૫૫-૫૬, ૧૮૪
વિશાખા નક્ષત્ર) ૩૫૪ વાસિષ્ઠીપુત્ર સ્કંદ શાતકર્ણિ ૧૫૬
વિસાવદર ૩૨૩ વાસુદેવ ૮૩, ૧૭૨, ૧૭૫, ૧૭૭, ૩૩૭.
વિધ્યાચળ ૧૪૦, ૧૮૨, ૩૪૮ વાસુદેવ ઉપાધ્યાય ૬૫. ૮૫. ૧૮૭. ૨૨૮-૨૯ | વિધ્યશક્તિ ૧૪૨ વાસુદેવ વિષ્ણુ મિરાશી ૪૨, ૮૫, ૯૨, ૯૫-|
વી.આર.દેવરાસ ૮૬ ૯૭, ૧૩૧, ૧૫૩, ૧૬૭, ૧૪૮, ૨૦૦, | વીરદામા ૧૫, ૨૫, ૪૦-૪૩, ૭૬, ૯૬, ૨૩૯-૪૮, ૨૫૧, ૩૨૨.
૧૨૭-૨૮, ૧૬૫, ૧૯૩-૯૪, ૨૧૮-૨૧, વાસુદેવ શરણ અગ્રવાલ ૨૬૫, ૨૭૧-૭૨
૨૨૯, ૨૩૩, ૩૫૪. વાંઢ ૧૪, ૨૩૮, ૨૪૭
વીરનિર્વાણ ૨૮૯
For Personal & Private Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
વિશેષ-નામ-સૂચિ
વીરમગામ ૧૬૩
વીરસેન ૧૪૪ વુ-તિ(રાજા) ૫૧ વુ-સુન (જાતિ) ૪૮-૪૯ વેદયુગ ૨૦૪
વેણિવત્સરાજ ૩૨૪
વેમ કશિ ૧૦૫, ૧૭૬
વેરાવળ ૧૯૭
વેલૂરક (પર્વત) ૧૮૯, ૧૯૮
વેસિ ૮૩
વૈશાખ (મહિનો) ૩૫૫
વૈશાલી ૧૨૫, ૩૫૭
વૈષ્ણવ સંપ્રદાય ૨૮૩-૮૪ વૃદ્ધવાદી ૨૫૭ વૃષભ ૨૯૩
વૉટ્સન ૨૭૦
વૉટ્સન મ્યુઝિયમ ૧૭, ૨૧-૨૩, ૨૬-૨૯, ૩૧૩૭, ૧૨૬, ૧૩૩, ૨૩૯, ૨૪૫
વૉટર્સ ૨૭૦
વોગેલ
શકસ્તાન ૮૫, ૧૩૪ શકસેન ૧૮૬
શતમાન (સિક્કો) ૨૨૮
શત્રુંજય ૨૮૮-૮૯ શત્રોપન ૮૪
શબ્દશાસ્ર ૧૧૮, ૧૬૧
શર્વ ભટ્ટારક ૩૧૮, ૩૨૧ શહેરા ૨૧૧, ૩૩૭, ૩૪૪
શાતકર્ણ ગૌતમી પુત્ર ૧૩૧, ૧૪૭, ૧૫૦-૫૧,
૧૫૪-૫૬, ૧૮૧, ૧૮૪, ૧૮૬
શાપુર ૨જો ૧૪૨-૪૩ શામશાસ્ત્રી ૮૬
શામળાજી (તીર્થ) ૮-૯, ૧૫, ૮૯, ૧૬૩, ૨૦૮, ૨૧૦-૧૬, ૨૪૧, ૨૫૬, ૨૮૭, ૩૧૭, ૩૨૫, ૩૩૨-૩૭, ૩૪૪
શાહદૂર ૫૭, ૭૪
શાહાનુશાહી ૧૧૭
શાંડિલ્ય (ગોત્ર) ૩૫૫
શિવપંથ ૨૧૮, ૩૩૪-૩૫, ૩૬૩ શિહોર ૩૪૯
વોનોનીસ ૫૯, ૬૭-૬૮, ૧૪૭-૪૯, ૧૫૨ વ્હાઈટ હેડ ૬૧
શુભ્રા પ્રામાણિક ૨૧૬
વ્હીલર ૩૪૨
શંગ ૬૨, ૬૯, ૧૦૩, ૧૭૨, ૧૭૬
શક(જાતિ) ૧૪૭-૫૧, ૧૮૧, ૧૮૬, ૧૯૯, | શૂર્પારક ૧૦૬-૦૭, ૧૮૯, ૧૯૬-૯૭, ૨૮૪.
૨૧૭, ૨૨૧-૨૨૩, ૨૮૩, ૩૩૪
શેઠ ભો.જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન ૧૭ શેઠી ૩૨૪
શક મુણ્ડ ૫૩
શક શાતકર્ણ ૧૮૬
શોડાસ ૬૨-૬૩, ૭૦, ૧૦૪,
શક સંવત ૧૮, ૭૯, ૧૦૪-૦૫, ૧૪૬-૫૧, | શોભના ગોખલે ૧૬, ૮૫, ૧૩૧, ૧૫૩, ૨૧૬,
૨૪૨-૪૬, ૨૫૧
૧૬૪, ૧૭૧-૭૫, ૧૮૧, ૧૮૫, ૧૯૮, ૨૩૭, ૨૪૦, ૨૪૩, ૨૫૭, ૩૬૧
૩૯૯
શાંતિનાથ ૨૮૯, ૩૩૦
શિકારીપુર રંગનાથ રાવ (જુઓ : એસ.આર.
રાવ)
શિનિક (ગોત્ર) ૩૫૫
શિરવાલ ૪૨, ૧૬૬, ૧૬૮, ૧૯૧ શિલાદિત્ય ૨૫૯
શ્યામસુંદર (સરોવ૨) ૧૬૩, ૨૪૧, ૩૨૨ શ્રમણ પરંપરા ૨૯૪
શ્રાવણ (મહિનો) ૩૫૫ શ્રીકાન્ત શાસ્ત્રી ૧૧૧
શ્રીકૃષ્ણ ૨૯૧ શ્રી ગુપ્ત ૧૫૩
For Personal & Private Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
૪00
ક્ષત્રપકાલીન ગુજરાત શ્રી શર્વ ૧૪૧-૪૨, ૧૪૫, ૨૧૮
સંઘરક્ષક ૧૭૫ શ્રીસ્થલ ૮૦
સંજાણ ૧૦૬, ૧૯૭, ૨૦૬-૦૭, ૨૧૫-૧૬, મૃતદેવી ૨૬૦
૩૬૪ શ્વભ્ર ૧૧૭, ૧૯૦
સંભૂતિ ૨૧૯, ૨૨૮ - શ્વેતાંબર ૨૫૯, ૨૮૯, ૩૬૩
સંસ્કૃત ભાષા) ૭૫, ૧૬૧, ૨૨૨-૨૪, ૨૨૮, સઈ (લોકો) ૪૮-૪૯, ૫૩-૫૪
૨૩૧, ૨૩૭-૩૮, ૨૪૧-૪૫, ૨૫૨, સઇવાંગ (નાયક) ૪૯, ૫૩
૨૫૫-૫૯, ૨૭૪ સકરાવુચ ૫૧
સંહિતા જ્યોતિષ ૨૬૩, ૨૭૦ સકા તરદરયા ૪૭-૫૦
સ્કંદપુરાણ ૨૮૮, ૨૯૨ સકા તિગ્રખૌદા ૪૭-૫૦
સાગર ૨૭૨ સકા હૌમવર્મા ૪૭-૫૦
સાગરમલ જૈન ૩૪૧ સતારા ૧૯૧
સાણંદ ૧૪૧ સતીશચંદ્ર વિદ્યાભૂષણ ૨૯૨
સાણા (ગુફા) ૨૮૯-૯૦, ૨૯૫, ૩૦૭, ૩૪૮ સત્યદામાં ૭૬, ૧૨૦, ૧૨૩, ૧૩૨-૩૩, ૧૯૩, | સાતપુડા (પર્વત) ૩૪૮ ૨૩૪, ૨૭૬, ૩૫૪
સાતવાહન ૮, ૭૪, ૭૯, ૯૯-૧૧૦, ૧૧૪સત્યશ્રાવ ૧૨-૧૩, પ૦, ૮૦-૮૧, ૧૮૮, ૧૯૯]
૧૭, ૧૨૧, ૧૩૨-૩૩, ૧૫૦-૫૬ , સત્યસિંહ ૭૭, ૮૧, ૯૬, ૧૩૫, ૧૩૮- ૪૪, |
૧૮૦-૯૦, ૧૯૮, ૨૦૬, ૨૮૦, ૩૨૪,
૩૬૦ ૨૪૪-૪૫, ૩૫૪ સદાશંકર શુકલ ૧૭, ૨૨-૩૮, ૪૧, ૧૪૩,
સાબરકાંઠા ૮, ૪૨,૮૯, ૧૯૧, ૨૦૮, ૩૧૭, ૨૪૪-૪૫
૩૨૫, ૩૩૮, ૩૪૧ સનાડિયા ૪૨
સારનાથ ૩૨૧ સમુદ્રકસેન ૨૫૦
સાતવાહન ૧૦૨, ૧૧૨, ૧૮૦-૮૩ સમુદ્રગુપ્ત ૧૩૨, ૧૪૧, ૧૪૩, ૧૬૮, ૧૭૫
સાસાની ૧૩૪, ૧૪૨-૪૩ ૭૯, ૩૬૦
સાંકળિયા (જુઓ હ.ધી.સાંકળિયા) સરકાર (જુઓ દિનેશચંદ્ર સરકાર)
સાંચી ૧૫, ૨૯-૩૨, ૪૩, ૯૩, ૧૪૭, ૧૪૪, સરસ્વતી ૩૩૩
૧૭૩, ૧૯૧ સર્વાણિયા ૨૧-૩૫, ૪૩, ૧૨૮, ૧૪૭, ૧૪૪,
સાંપાવાડા ૩૩૮ ૧૬૫, ૧૯૧
સિકંદર ૮૪, ૯૨, ૨૧૮-૧૯, ૨૨૮, ૩૬૩ સવની ૩૨૩
સિગ્લોસ (સિક્કા) ૨૧૯ સસ ૬૨
સિકિસ્તાન ૪૭ સહરાનપુર ૭૦.
સિથિયા ૩૫૦ સહસ્રલિંગ (તળાવ) ૧૫૯
સિથિયન ૮, ૪૭-૪૮, ૨૧-૫૩, ૭૪ સંઘદામા ૨૪, ૪૦-૪૩, ૭૬, ૧૨૩-૨૬, |
સિધપુર ૮૦, ૩૪૯ ૧૩૩, ૧૯૩-૯૪, ૨૦૭, ૨૩૪, ૩૫૪ | સિદ્ધસર ૩૦૮ સંઘદાસ ગણિવાચક ૧૦
| સિદ્ધસેન દિવાકર ૯, ૨૫૭-૬૨, ૨૬૮, ૨૭૪,
For Personal & Private Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
૪૦૧
વિશેષ-નામ-સૂચિ ૨૮૮-૮૯, ૩૨૪, ૩૬૨
૧૯૦-૯૧, ૧૯૬-૯૯, ૨૮૮, ૨૯૮, સિદ્ધાયિકા (દવી) ૩૨૪
૩૨૩, ૨૪૭-૩૫૨, ૩૫૬, ૩૬૦ સિદ્ધેશ્વર શાસ્ત્રી ચિત્રાવ ૮૭
સુરેન્દ્રનગર ૧૫ સિરકપ ૫૮
સુરેન્દ્રનાથ દાસગુપ્તા ૨૯૨ સિરદરિયા (નદી) ૪૭-૪૮, ૨૪, ૮૦ સુવર્ણ ૨૨૫-૨૬ સિલ્વીન લેવી ૧૦૦
સુવર્ણમુખ ૧૮૯, ૧૯૭ સિદ્ધાંત જયોતિષ ૨૬૩, ૨૭૦
સુવર્ણસિક્તા ૭, ૩૪૭-૪૮ સિંધુ (દશ) ૪૯, ૫૪, ૧૭૬, ૧૯૦, ૧૯૬-૯૮ | સુવિશાખ ૧૧૮-૧૯, ૧૫૭, ૧૬૨, ૧૯૫-૯૬, સિંધુ (નદી) ૫૫-૫૮, ૬૫
૨૫O. સિંધુ (પ્રદેશ) ૫૫-૫૮, ૬૨, ૮૩-૮૫, ૧૧૭, | સુવ્રત (મુનિ) ૨૮૯, ૩૨૪ ૧૩૪, ૩૫૩
સૂઈ વિહાર ૧૭૨ સિંધુ સૌવિર ૧૭૩
સૂર્યકાન્ત ના. ચૌધરી ૧૧, ૧૬, ૪૨, ૮૭-૯૨, સિંહપુર ૩૪૯
૯૫-૯૭, ૨૧૬, ૨૪૫, ૩૨૨, ૩૪૦ સિંહસૂરિ ૨૬૦
સૂર્યપૂજા ૨૮૮ સિંહસેન ૩૮, ૭૭, ૮૧, ૯૬, ૧૩૫, ૧૩૮- સેનાÁ ૮૫
૩૯, ૨૧૯, ૨૨૪, ૨૩૬, ૨૩૯, ૨૪૮, | સેલ્યુસીડ (સંવત) ૬૦, ૧૭૨-૭૩, ૨૨૩ ૩૫૪
સેવની ૧૯૧ સી.જે.બ્રાઉન ૨૨૯
સૈટૂન (નદી) ૫૩ સીસ્તાન ૪૭-૪૯, ૨૪-૫૬, ૫૯-૬૦, ૮૫, | સોજિત્રા ૩૪૯ ૧૪૮
સોનપુર ૨૦, ૨૪-૨૫, ૩૨, ૩૬-૩૮, ૪૩, સુખલાલજી (પંડિત) ૨૫૮, ૨૬૮-૬૯.
૧૪૦, ૧૪૩, ૧૬૬, ૧૯૧ સુગ્દ(પ્રદેશ) ૪૯, ૫૪
સોનરેખ ૩૪૭ સુદર્શન (તળાવ) ૭, ૧૧૮-૧૯, ૧૫૭-૬૩, | સોનાલી ગુપ્તા ૨૧૫-૧૬
૧૯૨, ૧૯૬, ૩૪૮, ૩૫૨, ૩૬૦-૬૧ | | સોપારા ૧૦૬, ૧૫૪, ૧૯૭, ૩૧૬ સુદર્શન (બૌદ્ધ સાધુ) ૨૪૨, ૨૫૦, ૨૫૫, ૩૧૯ સોમનાથ (પાટણ) ૧૦૬, ૧૯૭, ૨૧૦, ૨૧૪, સુદાસક (ગોત્ર) ૨૫૧
૨૮૪-૮૮, ૩૪૩ સુધર્મા ૨૫૬, ૩૬૨
સોમશર્મા ૨૮૪-૮૪ સુધાકર ચટ્ટોપાધ્યાય પ૩-૫૮, ૬૪-૬૯, ૮૮, | સોમસિદ્ધાન્ત ૨૮૪-૮૭
૧૧૨, ૧૩૨૧૮૪, ૧૮૭-૮૯, ૧૯૯ ] સોલંકીકાલ ૧૦ સુનિલ ગુપ્તા ૨૨૫
સોંગયૂન ૧૭૪ સુબ્બારાવ ૧૬, ૩૪૨, ૩૪૫
સૌરાષ્ટ્ર ૮-૯, ૫૫, ૮૬, ૧૦૭, ૧૧૭, ૧૮૯સુરસાગર ૧૬૩,
૯૧, ૨૨૬, ૨૮૬, ૩૨૫, ૩૫ર સુરઠ ૧૯૮
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૧૬૩ સુરત ૪૦, ૨૦૪, ૨૯૫, ૩૩૬, ૩૪૪ સૌરસેની (પ્રાકૃત) ૨૭૧ સુરાષ્ટ્ર ૧૦, ૫૫, ૧૦૬-૧૦૭, ૧૧૫-૧૯, | સૌવીર ૧૧૭, ૧૯૦, ૧૯૮
For Personal & Private Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
૪૦૨
સ્થવિરનિકાય ૨૯૫ સ્પાલિર (સ્પાલિરિસ) ૫૯, ૬૭-૬૮, ૧૦૫ સ્વરાજ પ્રકાશ ગુપ્તા (જુઓ એસ.પી.ગુપ્તા) સ્વામી જીવદામા (જુઓ જીવદામા)
સ્વામી સિંહસેન ૩૫૪
સૌંદ૨૨ાજન ૨૨૯
સ્કંદગુપ્ત ૯૩, ૧૦૯, ૧૪૦, ૧૫૭-૬૨, ૨૨૮, | હરિષણ ૨૫૫
૨૪૧, ૩૪૮, ૩૫૯
સ્કેલદિલાચાર્ય ૨૫૬-૫૭, ૩૬૨
હર્ઝક્સ્ડ ૫૦, ૮૭
સ્કાંદિલીવાચના ૨૫૬
હવિષ્ક (હવિષ્ક) ૧૪૮, ૧૭૨, ૧૭૭
સ્ટેન કોનો ૪૯, ૫૨-૫૪, ૫૭, ૬૦-૭૦, ૭૯,
| હવેઇ-તિ (રાજા) ૪૮
૮૪-૮૫, ૮૮, ૧૦૪, ૧૧૦-૧૧, ૧૪૮, | હસમુખ ધીરજલાલ સાંકળિયા ૨૯૩, ૨૯૭-૯૯, ૧૫૨, ૧૭૩
૩૦૩-૧૪, ૩૩૦-૩૧, ૩૩૯-૪૦, ૩૫૮
સ્ટ્રેટો ૧લો ૬૩
સ્ટ્રેટો ૨જો ૬૩
સ્ટ્રેબો ૫૦, ૯૧
સ્તંભનક (તીર્થ) ૨૨૮-૨૯, ૩૨૪
હખામની ૪૭, ૭૩, ૮૬, ૧૫૮
હગમશ ૬૩
હગાન ૬૩
હડપ્પા (સંસ્કૃતિ) ૧૫૯ હન (રાજ્ય) ૪૮
હન (વંશ) ૫૧
હમદાન ૪૬, ૫૦
હરાલ્ડ ઇન્વોટ ૯૪
હરિશ્ચંદ્ર રૉય ચૌધરી ૧૭૪
સ્થિરમતિ ૨૬૩-૬૩, ૨૭૦, ૨૭૪-૭૫, ૨૯૦, | હિંદી શકસ્તાન ૪૯, ૫૭-૫૮, ૬૫ હિન્દુધર્મ ૨૬૩, ૩૧૧, ૩૬૩
૩૦૭
સ્મિથ ૫૨-૫૪, ૮૫, ૧૪૪, ૧૭૨-૭૩, ૧૭૭, | હિંગોળગઢ ૩૨૩
૨૩૧
રિચરણ ઘોષ ૧૭૪, ૧૭૮
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી ૧૬-૧૮, ૪૪, ૯૫, ૧૪૫, ૨૩૦, ૨૩૯, ૨૪૫, ૨૪૭, ૨૬૯, ૨૯૨.
હિરભદ્ર ૨૫૭
ક્ષત્રપકાલીન ગુજરાત
હરિહોવક (ગોત્ર) ૨૪૦, ૨૪૮
હસ્તકવપ્ર ૨૦૭, ૩૪૬
હસ્તિનાપુર ૨૮૭
હાટકેશ્વર ૩૩૬
હાથબ ૨૦૭-૦૮, ૨૧૫-૧૬, ૩૪૬-૫૦, ૩૬૪
હિનયાન ૩૧૮
હિમાચલ ૧૪૪
હિયંગનૂ ૪૮, ૫૧-૫૨, ૧૭૯ હિંદીકુશ ૧૭૬-૭૭, ૩૫૦ હિંદી મહાસાગર ૧૦, ૨૦૪
હિંમતનગર ૩૩૭
હીરાલાલ (રા.બ.) ૮૧
હીરાલાલ અમૃતલાલ શાહ ૮૧, ૨૭૦, ૩૧૩
હુઆન ૧૭૫
હૂણ ૪૮-૪૯, ૫૧-૫૨ હેરાત ૪૯
હેરોડોટસ ૪૭, ૫૦
હેરોદોત ૪૭, ૫૦ હેલમંદ (નદી) ૪૭, ૪૯ હૈદરાબાદ ૧૭૯
| હોડીવાલા ૫૧
હોરા જ્યોતિષ ૨૬૩, ૨૭૦ હોર્મિઅદાસ ૧૭૭.
For Personal & Private Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
નકશા-આલેખ-ચિત્ર-સૂચિ
વર્ણન-સંદર્ભ-પૃષ્ઠ ૧૦૬-૦૭ અને પ્રકરણ નવ પ્રકરણ છે, અગિયાર પ્રકરણ સાત, અગિયાર
૦
છ
જ
૨૭૭થી ૨૮૦ ૨૭૭થી ૨૮૦ ૨૭૭થી ૨૮૦ ૨૭૭થી ૨૮૦ ૨૯૫થી ૨૯૮ ૩૦૦થી ૩૦૨ ૩૦૨થી ૩૦૩
દ
m
૦
છે
નકશાસૂચિ ક્રમાંક
વિષય ૧ કણિષ્ક અને નહપાનના રાજ્ય વિસ્તાર ૨ ક્ષહરાત ક્ષત્રપ રાજાઓનો રાજય વિસ્તાર ૩ ચાખનાદિ રાજવંશનો રાજય વિસ્તાર
આલેખસૂચિ ૧ ક્ષત્રપકાલીન લિપિનો કોઠો (થી ઢ સુધી)
ક્ષત્રપકાલીન લિપિનો કોઠો (U થી સુધી) અંતઃસ્થ સ્વરચિહ્નનો કોઠો સંયુક્તાક્ષર અને અંકચિહ્ન બાવા-પ્યારાની ગુફાનું તલમાન ઉપરકોટની ગુફાનું તલમાન (ઉપલો મજલો) ઉપરકોટની ગુફાનું તલમાન (નીચલો મજલો)
ચિત્રસૂચિ (સિક્કા) ૧ ભૂમિક
નહપાન નહપાન નહપાન
ચાણન ૬ રુદ્રસિંહ ૧લો ૭ જીવદામાં ૮ રુદ્રસેન ૧લો (વર્ષ ૧૩૦) ૯ રુદ્રસેન ૧લો (વર્ષ ૧૪૦) ૧૦ પૃથિવીષણ ૧૧ દામજદશ્રી રજો ૧૨ યશોદામાં ૧લો ૧૩ દામજદશ્રી ૩જો ૧૪ રુદ્રસેન ૨જો ૧૫ વિશ્વસિંહ ૧૬ યશોદામા રજો ૧૭ રુદ્રસેન ૩જો - ૧૮ રુદ્રસિંહ ૩જો (વર્ષ ૩૨૦) ૧૯ સ્વામિ રુદ્રસિંહ ૩જો ૨૦ રુદ્રસિંહ ૩જો (વર્ષ ૩૩૭) ૨૧ ઈશ્વરદત્ત
જ
દ
૧૦૦-૧૦૧ ૧૦૨થી, ૧૧૧ ૧૦૨થી, ૧૧૧ ૧૦૨થી, ૧૧૧ ૧૧૩ ૨૧-૨૨, ૧૨૦થી ૧૨૨ ૨૨, ૧૨૩ ૨૨-૨૩, ૧૨૪-૨૫ ૨૨-૨૩, ૧૨૪-૨૫ ૨૪, ૧૨૫-૨૬ ૨૫, ૧૨૭ ૨૫-૨૬, ૧૨૭ ૨૭, ૧૨૮ ૨૮-૩૦, ૧૨૮ ૨૯-૩૦, ૧૨૮ ૩૪-૩૫, ૧૩૬-૩૭ ૩પ-૩૮, ૧૩૭-૩૮ ૩૮-૩૯, ૧૩૯ ૩૮-૩૯, ૧૩૯ ૩૮-૩૯, પરિશિષ્ટ આઠ
For Personal & Private Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
୪୦୪
૨૨ મોઅ
૨૩
મોઅ
૨૪
અય (અઝીઝ) ૧લો
૨૫
અયિલિષ (અઝિલિષ) અયિલિષ (અઝિલિષ)
૨૬
૨૭
અયિલિષ (અઝિલિષ)
૨૮
અયિલિષ (અઝિલિષ)
૧ ઉષવદાત્તનો નાસિક ગુફાલેખ (નં. ૧૦) ઉષવદાત્તનો નાસિક ગુફાલેખ (નં. ૧૨) ઉષવદાત્તનો કાર્લે ગુફાલેખ
અયમનો જુન્નર ગુફા(મંદિર)લેખ શોડાસનો લેખ
ry =
૪
૬ ચાષ્ટનના સમયનો દોલતપુર લેખ (વર્ષ ૬)
૭
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
ચિત્રસૂચિ (શિલાલેખ)
ચાષ્ટ્રનના સમયનો આંધૌ લેખ (વર્ષ ૧૧)
રુદ્રદામાનો સમયનો આંધૌ લેખ ચાષ્ટન-રુદ્રદામાના સમયનો આંધૌ લેખ (વર્ષ ૫૨) રુદ્રદામાના સમયનો ખાવડા લેખ (વર્ષ ૬૨/૭૨) ચાષ્ટન અને રુદ્રદામાના સમયનો આંધૌ લેખ ચાષ્ટન-રુદ્રદામાના સમયનો આંધૌ લેખ (વર્ષ ૫૨) રુદ્રસિંહ ૧લાનો ગુંદા લેખ
રુદ્રસિંહ ૧લાનો વાંઢ લેખ (વર્ષ ૧૧૦)
જીવદામા ૧લાનો જૂનાગઢ લેખ
રુદ્રસેન ૧લાના સમયનો મેવાસા લેખ (વર્ષ ૧૦૩)
રુદ્રસેન ૩જાનો ગોંડલનો ખંડિત લેખ (વર્ષ ૨૭૨)
દેવની મોરીનો સમુદ્ગક (લખાણ સાથે)
દેવની મોરી સમુદ્ગકના તળિયાનો લેખ
પાટણવાવનો ખંડિત લેખ
૧ દ્વારશાખનાં પ્રતીક (બાવાપ્યારા)
૨ દ્વારશાખનાં પ્રતીક (બાવાપ્યારા)
ચિત્રસૂચિ (લલિતકલા)
For Personal & Private Use Only
૫૮-૬૦
૫૮-૬૦
૬૧
૬૧
૬૧
૬૧
૬૧
ક્ષત્રપકાલીન ગુજરાત
૧૦૨, પરિશિષ્ટ એક ૧૦૨, પરિશિષ્ટ એક ૧૦૨, પરિશિષ્ટ એક
૧૦૨, ૧૦૭ ૬૨-૬૩
૧૧૪, ૨૫૧, પરિશિષ્ટ
એક ૨૪૩-૨૪૪
૧૧૪, ૨૫૦-૫૧, પરિશિષ્ટ એક, ૨૪૨-૨૪૩ ૧૧૬થી, પરિશિષ્ટ એક
પ્રકરણ સાત, પરિશિષ્ટ એક પ્રકરણ સાત, પરિશિષ્ટ એક પ્રકરણ સાત, પરિશિષ્ટ એક પ્રકરણ સાત, પરિશિષ્ટ એક પરિશિષ્ટ એક, ૧૨૦-૨૧ પરિશિષ્ટ એક, ૧૨૦-૨૧, ૨૩૮, ૨૪૭ પરિશિષ્ટ એક, ૧૨૩
પરિશિષ્ટ એક, ૧૨૪-૨૫,
૨૩૯-૨૪૧, ૨૪૮
પરિશિષ્ટ એક, ૧૩૭-૩૮
પરિશિષ્ટ એક, ૮૭, ૨૪૧
૨૪૨, ૩૧૭-૩૨૧
પરિશિષ્ટ એક, ૮૭, ૨૪૧
૨૪૨, ૩૧૭-૩૨૧
૨૯૫-૨૯૮ ૨૯૫-૨૯૮
Page #418
--------------------------------------------------------------------------
________________
૪૦૫
૧૦
૨૯૫-૨૯૮ ૨૯૫-૨૯૮ ૨૯૫-૨૯૮ ૩૨૭-૩૨૮ ૩૨૭-૩૨૮ ૩૨૭-૩૨૮ ૩૨૭-૩૨૮ ૩ર૭-૩૨૮ ૩/૯ ૩/૯-૩૧૦ ૩૧૭-૩૨૧ ૩૧૭-૩૨૧ ૩૧૭-૩૨૧ ૩૩૧-૩૩૨ ૩૩૧-૩૩ર ૩૩૩ ૩૩૪ ૩૩) ૩૩૬
૧૪
નકશા-આલેખ-ચિત્ર-સૂચિ ૩ ચૈત્યવાતાયન (બાવાપ્યારા) ૪ ગુફાનું પ્રવેશદ્વાર (બાવાપ્યારા) પ વ્યાલ-મુખ (બાવાપ્યારા) ૬ બાલમુખ (જૂનાગઢ સંગ્રહાલય) ૭ બાલમુખ (જૂનાગઢ સંગ્રહાલય)
વાલમુખ (જૂનાગઢ સંગ્રહાલય) બાલમુખ (જૂનાગઢ સંગ્રહાલય)
બાલમુખ (જૂનાગઢ સંગ્રહાલય) ૧૧ ખંભાલીડાની ગુફા ૧૨ સિંહ-શીર્ષક સ્તંભ (કડિયા ડુંગર) ૧૩ ઉખનન પૂર્વે ભોજરાજાનો ટેકરો (દેવની મોરી)
મહાતૂપની પીઠિકા-દીવાલ (દેવની મોરી) મહાતૂપનું ઇંટેરી સુશોભન (દેવની મોરી) બુદ્ધમૂર્તિ (દેવની મોરી).
બુદ્ધમૂર્તિ (દેવની મોરી) ૧૮ માતા અને શિશુ (શામળાજી)
ભીલડીના વેશમાં પાર્વતી (શામળાજી)
ક્ષત્રપ-મસ્તક (કાકાની સિંહણ). ૨૧ એકમુખ શિવલિંગ (ખેડબ્રહ્મા) ૨૨ ઊંચી ડોક સાંકડા મોઢાનું સિંચન (અમરેલી) ૨૩ શૈલાશ્રય ચિત્રિત સ્તૂપ (નં. ૧૪) (ગંભીરપુરા) ૨૪ શૈલાશ્રય ચિત્રિત સ્તૂપ (નં. ૧૫) (ગંભીરપુરા) ૨૫ શૈલાશ્રય ચિત્રિત સ્તૂપ (. ૧૫) (ગંભીરપુરા) ર૬ શૈલાશ્રય ચિત્રિત સ્તૂપ (નં. ૧૬) (ગંભીરપુરા)
ચકચકિત રાતાં વાસણ-ઊંચી ડોક અને સાંકડા મોંઢાવાળાં સિંચક ૧ (અમરેલી), ૨ અને ૪ (વડનગર), ૩ (કારવણ), ૫ (સોમનાથ) ટૂંકી ગરદન, મણકાદાર કે ચાંચવાળાં કાનાવાળાં સિંચક ૬ (વડોદરા), ૭ અને ૮ (અમરેલી)
છીછરી રકાબી : ૯ અને ૧૦ (ટીંબરવા) ૨૮ ચકચકિત રાતાં વાસણ : ચિત્રિત મૃભાષ્ઠ
૧૧ અને ૧૨ (અમરેલી), ૧૩ અને ૧૪ (સોમનાથ), પકવેલા માટીના મણકા ૧૫થી ૧૮ (વડોદરા)
૧૬
૧૯
૩૩૮-૩૩૯ ૩૩૮-૩૩૯ ૩૩૮-૩૩૯ ૩૩૮-૩૩૯ પરિશિષ્ટ બાર, ૩૪૯-૫૦
પરિશિષ્ટ બાર, ૩૪૯-૫૮
For Personal & Private Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
ચિત્ર સૂચિ
(૧) નકશાસૂચિ (૨) આલેખસૂચિ (૩) ચિત્રસૂચિ (સિક્કા) (૪) ચિત્રસૂચિ (શિલાલેખ) (૫) ચિત્રસૂચિ (લલિતકલા)
For Personal & Private Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
નકશાસૂચિ
UTTીજ
કપ
(
ની
III
કષ્કિનો રાજ્યવિસ્તાર
નહપાનનો રાજ્યવિસ્તાર
નકશો ૧
For Personal & Private Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
કરાત છાપા રાજયનું ક્યાd
no | ષ•પુર
दुधापुर કવિ
प्रभास
Gr
Fાનો નાસિક
સંત પરિચય + શિલાલેખોમાં કલ્લિખિતથ્થળો A શિલાલેખોળો પ્રતિ-સ્થાન p સિક્કાધિન પ્રાપ્તિ-સ્થાન
SKA
-
નકશો ૨
For Personal & Private Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
/ (ન્સલ
सौवीर
* |-
કાર્દસક ક્ષત્રપ સમયનું ગુજરાત
સંકેત પરિચય + શિલાલેખોમાં ઉસ્લિખિત સ્થળો
A. શિલાલેખોનાં પ્રાપ્ત-સ્થાન - +9છે
સિક્કવિની પ્રાપ્તિ-સ્થાન +তিদ্বান্ত નg .મેવાસો સ૨વણયા *MITf
કવક્તિ ગૉદરમાં
.
છે
+आकर
For Personal & Private Use Only
દેવાઇ
ભૂલવા૨ * ઝાલાઠી (
અમરેલીu) 2 ફામરેજD.
on
જિંક્વાડાd D શ્લોપ સેવન
ફાંસોજી
9101 U
અમરાવતીu કપટી ડિન્યપs “અવq.
•બાસિમ0.
_
\'
નકશો ૩.
Page #425
--------------------------------------------------------------------------
________________
GYYY
નાઇ
::
5 3 5 5♡
घ
ប
6
Dr
L
1805
ને A Δ
ED
छळ
84
જ E
ari Z 2 4t+ ++ ++ ษาล| Q |48| 1
n
ગ
& W ||8|B
મ r
2
80
500
Y み
..
с
DXT
5 2 &&
L
O
البالي
455
EEE
આલેખસૂચિ
7
с
C
S
Δ
3
J.
3
L
RHKH
For Personal & Private Use Only
X
X"
८
122/2
ΚΟΔ
ƒjƒtƒ 22/22
||pn|| ი
7/2
!!
لاس ابدا ل های ادا
EEEEEEEEEE
80
O
रट ८
આલેખ ૧ ક્ષત્રપકાલીન લિપિનો કોઠો (૬ થી ૩ સુધી)
O
cc
✓
மட்
下
FU
Page #426
--------------------------------------------------------------------------
________________
I II I 12) |
In
४|४|१ | PrYtyp
40
ન
०
ماما حا؟
उ २
O
श
3 ११ २ ३ ३ २ १३१/73
D
DADDO
0133 TT
nana or pooh
GOO
जाद
O ०
Co
30
| 2010 | D
लालल
ल
ललाल
म ४४४ ४४४ ४ এস8 Xম४ ४ ४ ४४४
यह DJ was
|२| J | JJ | J G৯১ ১৯৯ 480 004 6
W
41|14|11|1 1 2 8 14 +
I ५५ ५५ ५
D
हाल ठठ
०
ल
०
For Personal & Private Use Only
a & Juichrww
DJJJ JIJ যरी ফ
2
ठ &&& 886 कल 299 94
घ
R
R
४९२ त २ न त तेर 8 हर तरनता
(খট৩০৮२ ७ १९७८ ফদज
द
६/६
આલેખ ૨ ક્ષત્રપકાલીન લિપિનો કોઠો ( થી ∞ સુધી)
www.jalnelibrary.org
Page #427
--------------------------------------------------------------------------
________________
१२३४५६७re ?freoxpoel
332
पाहारा
26/
Page #428
--------------------------------------------------------------------------
________________
۹ -
-
ه
2 =
1
لي لهم + |
3 =
-
-
-
لا 88
« 35}
وہ تمامم
لا وا ا و
و 7 و 9
45 44 43 4
( 5 ) ( 3393
ممعع | | مع | اليوم للاط و محد | حمل می نماده
م سطح تعاميم
که میرح
هم کو ہم لالا یہ احمد محمد |
اور
ه هه نه ؟ ه eه
o e
e ہلہ لہ لہ 30
ہا 8 ل 80
م همى عه
0 7 so yy
133 bado | | 42 9503 s/ ) હુ મઝા
. .
و 90
.
و 2000
ما ه و ه
ه
ا لاه إلا ه
:
200 mm
200 yy
ه 30
આલેખ ૪ સંયુક્તાક્ષર અને અંકચિહન
For Personal & Private Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
In
RJ 6.
•Dt.
છ7-8]
En neon GSE
દ IT
Hિ |
T
નું
હબ,
આલેખ ૫ બાવા-પ્યારાની ગુફાનું તલમાન
For Personal & Private Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
All] ક TER
LILLI
zમ
આલેખ ૬ ઉપરકોટની ગુફાનું તલમાન (ઉપલો મજલો)
O
OF S
Rol s101
આલેખ ૭ ઉપરકોટની ગુફાનું તલમાન (નીચલો મજલો)
For Personal & Private Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
ચિત્રસૂચિ (સિક્કા)
ચિત્ર ૧
ચિત્ર ૨
ST)
(
ભૂમક
નહપાન
ચિત્ર ૩
ચિત્ર ૪
નહપાના
નહપાન
ચિત્ર ૫
ચિત્ર ૬
1
/
.
ચાષ્ટ્રના
રુદ્રસિંહ ૧લો
For Personal & Private Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૭
જીવદામા
ચિત્ર ૯
રુદ્રસેન ૧લો વર્ષ ૧૪૦
ચિત્ર ૧૧
દામજદશ્રી ૨જો
For Personal & Private Use Only
ચિત્ર ૮
રુદ્રસેન ૧લો વર્ષ ૧૩૦
ચિત્ર ૧૦
પૃથિવીષેણ
ચિત્ર ૧૨
યશોદામા ૧લો
Page #433
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૩
ચિત્ર ૧૪
દામજદશ્રી ૩જો
રુદ્રસેન ૨જો.
ચિત્ર ૧૫
ચિત્ર ૧૬
વિશ્વસિંહ
યશોદામાં રજો
ચિત્ર ૧૭
ચિત્ર ૧૮
રુદ્રસિંહ ઉજ
રુદ્રસિંહ 3જો વર્ષ ૩૨૦
For Personal & Private Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૯
ચિત્ર ૨૦
સ્વામિ રુદ્રસિંહ ૩જો.
રુદ્રસિંહ ૩જાનો વર્ષ ૩૩૭નો સિક્કો
ચિત્ર ૨૧
ચિત્ર ૨૨
ઈશ્વરદત્ત
મોઆ
ચિત્ર ૨૩
ચિત્ર ૨૪
MEVA
મોઆ
અય (અઝીઝ) ૧લો
For Personal & Private Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૨૫
અયિલિપ (અઝિલિય)
ચિત્ર ૨૭
અયિલિપ (અઝિલિષ)
For Personal & Private Use Only
ચિત્ર ૨૬
અયિલિપ (અઝિલિપ)
ચિત્ર ૨૮
*}
અચિલિષ
Page #436
--------------------------------------------------------------------------
________________
ઉષવદાત્તનો નાસિક ગુફાલેખ (નં.૧૦)
RxZR (DLCLLC24)
For Personal & Private Use Only
hS.Estilor taikomielit trimit This
hmuto maridy run werden mus:form to
o k at the отхь таке аn оние кои Pujw.ipra lurar ruhigen ke Pass bouto
.
b krej
Page #437
--------------------------------------------------------------------------
________________
LOF X
ચિત્ર ૨
My Ye 2 d
12
#4++++PAK
ઉષવદાત્તનો નાસિક ગુફાલેખ (નં.૧૨)
ચિત્ર ૩
ઉષવદાત્તનો કાર્ટે ગુફાલેખ
For Personal & Private Use Only
ከ
Page #438
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૪
વિકપ 25 u . પ . } ઠંw Tઠ 8 અ રાક છે Ö૪cud huઠe૪૬*
અયમનો જુન્નર ગુફામંદિર લેખા
ચિત્ર ૫
કુનું સંપEx;" કરી દર x અંધારેusષા :
શોડાસનો લેખ
ચિત્ર ૬
*
*
..
'
મ
ચાષ્ટનના સમયનો દોલતપુરનો લેખ (વર્ષ ૬)
For Personal & Private Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૭
ચાષ્ટનના સમયનો આંધૌનો લેખ (વર્ષ ૧૧)
ચિત્ર ૮
રુદ્રદામાના સમયનો આંધૌનો લેખ
For Personal & Private Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૯
ચાષ્ટન-રુદ્રદામાના સમયનો આંર્ધાનો લેખ (વર્ષ પ૨)
For Personal & Private Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૦
રુદ્રદામા ૧લાનો ખાવડા લેખ (વર્ષ ૬૨/૭૨)
For Personal & Private Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૧
小内川
kanyam
ܚܫܘܟ
stoli ZUF
km23,10
ચાષ્ટન-રુદ્રદામાના સમયનો આંધીનો લેખ
น
そ
For Personal & Private Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૨
ચાખન-રુદ્રદામાના સમયનો આંધીનો લેખ (વર્ષ પ૨)
For Personal & Private Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
1
Habarental f iller forholze.nl would
te
ચિત્ર ૧૩
રુદ્રસિંહ ૧લાનો ગુંદાનો લેખ
For Personal & Private Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૪
રુદ્રસિંહ ૧લાના સમયનો વાંઢનો લેખ (વર્ષ ૧૧૦)
For Personal & Private Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૫
PRI
HASAM ܗܐ
Ausdny
For Personal & Private Use Only
જીવદામા ૧લાનો જૂનાગઢનો લેખ
Page #447
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૬
છે
: Paspપુ તકનક હકk9aકા કરતા 25 કલવા છે
દ્રસિંહ ૧લાના સમયનો મેવાસાનો લેખ (વર્ષ ૧૦3)
For Personal & Private Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૭
રુદ્રસેન ૩જાનો ગોંડલનો ખંડિત લેખ (વર્ષ-૨૭૨)
ચિત્ર ૧૮
મત થઇ
જ પર ઝઝ) દd 1&3
).
દેવની મોરીનો સમુદ્ગક (લખાણ સાથે)
For Personal & Private Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૯
4 .
.?
* *
* Page #450
--------------------------------------------------------------------------
________________
ચિત્રસૂચિ (લલિતકલા)
ચિત્ર ૧
ચિત્ર ૨
દ્વારશાખનાં પ્રતીક (બાવા પ્યારા)
દ્વારશાખનાં પ્રતીક (બાવા પ્યારા)
ચિત્ર ૩
ચિત્ર ૪
ચૈત્યવાતાયન (બાવા પ્યારા)
ગુફાનું પ્રવેશદ્વાર (બાવા પ્યારા)
For Personal & Private Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૫
બાલમુખો (બાવા પ્યારા)
ચિત્ર ૬
બાલમુખ (જૂનાગઢ સંગ્રહાલય)
For Personal & Private Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૭
બાલમુખ (જૂનાગઢ સંગ્રહાલય)
ચિત્ર ૮
બાલમુખ (જૂનાગઢ સંગ્રહાલય)
For Personal & Private Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૯
બાલમુખ (જૂનાગઢ સંગ્રહાલય)
ચિત્ર ૧૦
વ્યાલમુખ (જૂનાગઢ સંગ્રહાલય)
For Personal & Private Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૧
ખંભાલીડાની ગુફા
For Personal & Private Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૨
ચિત્ર ૧૩
For Personal & Private Use Only
સિંહ-શીર્ષક સ્તંભ (કડિયા ડુંગર)
ઉખનન પૂર્વે ભોજરાજનો ટેકરો (દેવની મોરી)
Page #456
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૪
મહાતૂપની પીઠિકાની દીવાલ (દેવની મોરી)
ચિત્ર ૧૫
Terms
શા
મહાતૂપ ઇંટેરી સુશોભન (દેવની મોરી)
For Personal & Private Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૭
ચિત્ર ૧૬
For Personal & Private Use Only
(ટાપ્ત (oba) Melo
(Ple (ob3) jo
Page #458
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૮
ચિત્ર ૧૯
For Personal & Private Use Only
માતા અને શિશુ (શામળાજી)
ભીલડી વેશે પાર્વતી (શામળાજી)
Page #459
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
ચિત્ર ૨૦
ક્ષત્રપ મસ્તક (કાકાની સિંહણ)
ચિત્ર ૨૧
એકમુખ શિવલિંગ (ખેડબ્રહ્મા)
Page #460
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૨૨
ઊંચી ડોક સાંકડા મોંઢાવાળું સિંચક (અમરેલી)
ચિત્ર ૨૪
શૈલાશ્રય ચિત્રિત સ્તૂપ (નં.૧૫) (ગંભીરપુરા-ઇડર)
For Personal & Private Use Only
ચિત્ર ૨૩
શૈલાશ્રય ચિત્રિત સ્તૂપ (નં.૧૪) (ગંભીરપુરા-ઇડર)
ચિત્ર ૨૫
વલ્લભી
શૈલાશ્રય ચિત્રિત સ્તૂપ (નં.૧૫) (ગંભીરપુરા-ઇડર)
Page #461
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૨૬
શૈલાશ્રય ચિત્રિત સૂપ (નં.૧૬)
(ગંભીરપુરા-ઇડર)
ચિત્ર ૨૭
1
7
ચકચકિત રાતાં વાસણ ઊંચી ડોક અને સાંકડા મોઢાવાળાં સિંચક
For Personal & Private Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૨૮
I. 1. /
/
lt, } + + + + + ' . /
For Personal & Private Use Only
૧૬
\\
vh111,
ચકચકિત રાતાં વાસણ : ચિત્રિત મૃમ્ભાડ
Page #463
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________ L. D. Series : Latest Publications 185 360 135 120 220 180 110 65 128 Sastravarta Samuccaya of Acarya Haribhadra Suri with Hindi translation Notes & Introduction by Dr. K.K.Dixit P.P.272 (2001) 129 Temple of Mahavira Osiyaji Monograph by Dr. R.J.Vasavada P.P. 30+ Plates 61 (2001) 130 Bhagwaticurni - Ed. Pt. Rupendra kumar Pagariya P.P. 120 (2002) 131 Abhidha - Dr. Tapasvi Nandi P.P. 84 (2002) 132 A Lover of Light amoung Luminaries : Dilip Kumar Roy Dr. Amrita Paresh Patel P.P. 256 (2002) 133 Sudansana-cariyam Dr. Saloni Joshi P.P. 8+110 (2002) Sivaditya's Saptapadarthi with a commentary by Jinavardhana Suri Ed. Dr. J. S. Jetly P.P. 24+96 (2003) 135 Paniniya Vyakarana - Tantra, Artha aura Sambhasana Sandarbha Dr. V. M. Bhatt P.P. 88 (2003) 136 Kurmasatakadvayam, Translation with select Glossary - Dr. V. M. Kulkarni Introduction by Dr. Devangana Desai P.P. 85 (2003) 137 Catalogue of Sanskrit and Prakrit Manuscripts Vol. V 138 Catalogue of Sanskrit and Prakrit Manuscripts Vol. VI 139 Mahavira's Words Translation from the German with much added material by W.Boll'ee and J. Soni 140 Vyakarna Mahabhasya Of Bagavad Patanjali Gujarati Translation with Critical Notes by Dr.P.R.Vora P.P. 6+58 +652 (2004) 141 Sahrdayaloka by Dr. T. S. Nandi vol.1, part-1, P.P.575 (Thought-currents in Indian Literary Criticism) 142 Sahrdayaloka by Dr. T.S. Nandi vol.1, part-2, P.P.620 143 Sahrdayaloka by Dr. T.S. Nandi vol.1, part-3, P.P.655 100 900 700 600 600 650 650 700 Our Forthcoming Publications Haribhadra Suri's Yogasataka Sambodhi Vol. XXIX - For Personal & Private Use Only www.lainelibrary.org