SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ત્રણ સિક્કાનિધિઓ અને અપ્રાપ્ય વર્ષો હવે આપણે સિક્કાનિધિઓનું વિવરણ કરીશું. આપણે જ્ઞાત છીએ કે ક્ષત્રપ રાજાઓના સિક્કાઓ ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે અને સમયે સમયે અન્યથા પણ હાથવગા થતા રહે છે. પરંતુ છૂટાછવાયા મળી આવતા સિક્કાઓ કરતાં એક જ પાત્રમાં સંગૃહીત સિક્કાઓની ઉપયોગિતા સવિશેષ ધ્યાનાર્ય બની રહે છે. આ રીતે મળી આવતા સિક્કાના જથ્થાને “સંગ્રહ અથવા “નિધિ” (hoards)તરીકે ઓળખવામાં આવે છે. અત્યારસુધીમાં આવા વિસેક નિધિ આ રાજાઓના પ્રાપ્ત થયા છે, જેની સંકલિત માહિતી અહીં અકારાદિ ક્રમે રજૂ કરી છે. ' અમરેલી (ગોહિલવાડ) : અહીં એક ટીંબાનું ખોદકામ કરતાં ૨૭૦ જેટલા સિક્કાઓ મળી આવ્યા હતા. ચાંદીના સિક્કાઓમાં રુદ્રસેન રજાના ત્રણ, વિશ્વસિંહ રાજાનો એક, ભદામાના બે અને રુદ્રસેન ૩જાના બે સિક્કાઓનો સમાવેશ થાય છે. તાંબાના સિક્કામાં છ સિક્કા ચોરસ છે અને તે રુદ્રસેન ૩જાના હોવાનું મનાય છે. સીસાના બધા જ સિક્કા એના છે. પૉટનના બધા સિક્કા વીરદામાના હોવાનું જણાય છે. [વિગતવાર વિવરણ વાસ્તે જુઓ : એન્યુઅલ રિપૉર્ટ ઑવ ધ ડિપાર્ટમેન્ટ ઑવ આર્કિઑલજિ, બરોડા સ્ટેટ, ૧૯૩૬-૩૭, પૃષ્ઠ ૧૭થી.] ઉપરકોટ (જૂનાગઢ) : આ સ્થળેથી ૧૮૯૭માં લગભગ ૧૨૦૦ જેટલા સિક્કાઓનો એક સંગ્રહ હાથ લાગેલો. આ નિધિમાં રુદ્રસેન ૧લાથી આરંભી રુદ્રસેન ૩જા સુધીના રાજાઓના સિક્કાઓ સમાવિષ્ટ છે. અલબત, અપવાદરૂપે સંઘદામ, દામજદશ્રી રજો અને યશોદામા ૧લાના સિક્કાઓ આ સંગ્રહમાં મળ્યા નથી. ઈશ્વરદત્તના અને કેટલાક અનભિષેય સિક્કાઓનો સમાવેશ થાય છે. [વધુ માહિતી માટે જુઓ : જબૉબારૉએસો., પૂર્વીય શ્રેણી, પુસ્તક ૨૦, પૃષ્ઠ ૨૦૧થી]. કરાદ (મહારાષ્ટ્ર) : અહીંથી ૧૮૬૧માં એક સિક્કાનિધિ સંપ્રાપ્ત થયેલો; જેમાં વિજયસેન, દામજદશ્રી ૩જો, રુદ્રસેન રજો, વિશ્વસિંહ, ભર્તુદામા અને વિશ્વસનના સિક્કાઓનો સમાવેશ થાય છે. [વિગત વાતે જુઓ : બૉગે., પુસ્તક ૧, ભાગ ૧, પૃષ્ઠ ૪૮થી] . કામરેજ (સુરત જિલ્લો) : અહીંથી પ્રાપ્ત નિધિમાં અગિયાર સિક્કા છે; જેમાં ભૂમકના ત્રણ; જયદામા, રુદ્રસેન ૧લો અને વીરદામાના એક એક; તેમ જ રુદ્રસેન ૩જાના ચાર અને એક અવાચ્ય સિક્કાઓ સમાવેશ થાય છે. [જુઓ : એન્યુઅલ રિપોર્ટ ઑવ ધ ડિપાર્ટમેન્ટ ઑવ આર્કિૉલજિ, બરોડા સ્ટેટ, ૧૯૩૫-૩૬, પૃષ્ઠ ૫૪થી.] ખામટા (રાજકોટ જિલ્લો) : ૧૨-૮-૧૯૮૬ના રોજ આ ગામેથી ૬૨ સિક્કાઓનો એક નિધિ રાજય પુરાતત્ત્વ ખાતાની રાજકોટ સ્થિત પશ્ચિમ વર્તુળની કચેરીના ધ્યાન ઉપર આવેલો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy