SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ત્રણ ૪૧ આ બધા સિક્કાના ફોટોગ્રાફ કચેરી પાસે છે. ચાંદીના સિક્કાઓમાં નહપાનના સિક્કાઓ હોવાનું કચેરીની નોંધમાં છે. અન્ય ક્ષત્રપ રાજાઓના સિક્કા આમાં સમાવિષ્ટ છે કે નહીં તેની કોઈ નોંધ સંપ્રાપ્ત નથી. માહિતી માટે રાજકોટ સ્થિત પુરાતત્ત્વ ખાતાની કચેરીનો સંપર્ક કરવો રહ્યો. શક્યતઃ આ સિક્કાઓ અપ્રકટ હોવાનું જણાય છે. ગોંદરમી (મધ્યપ્રદેશ) : અત્રેથી એકાવન સિક્કા હાથ લાગેલા : વિજયસેનના પાંચ, રુદ્રસેન રજાના છ, ભર્તુદામાના સત્તર, વિશ્વસેનના દશ, રુદ્રસિંહ રજાના ત્રણ અને રુદ્રસેન ૩જાના એક તેમ જ નવ અવાચ્ય સિક્કા છે. [જુઓ : ઇન્ડિયન આર્કિૉલજિ, એ રિવ્યુ, ૧૯૫૪-૫૫, પૃષ્ઠ ૬૩થી]. છિંદવાડા (મધ્યપ્રદેશ) : ફક્ત દશ સિક્કાનો નિધિ અહીંથી હાથ લાગ્યો છે; જેમાં રુદ્રસેન રજાના ત્રણ, ભર્તુદામાના ત્રણ તેમ જ દામજદશ્રી ૩જો, વિશ્વસિંહ અને વિશ્વસન રાજાના એકેક તથા એક અવાચ્ય સિક્કાનો સમાવેશ થાય છે. [જુઓ : રૉએસોબેં., પ્રસીડિંગ્સ, પુસ્તક ૬, પૃષ્ઠ ૧૧૪થી]. જૂનાગઢ મ્યુઝિયમ : ગિરિજાશંકર વલ્લભજી આચાર્યને જૂનાગઢ રાજયની તિજોરીમાંથી ૫૨૦ જેટલા ક્ષત્રપ સિક્કાઓ સાંપડ્યા હતા. અનંત સદાશિવ ગએ સૌ પ્રથમ વખત આ સિક્કાઓ તપાસ્યા હતા. આ નિધિ ઉપરાંત ૨૦૯ અને ૭૭ સિક્કાના બીજા બે ખજાના પણ અહીં હતા. ૨૦૯માં ૧૩૪ સિક્કા રુદ્રસેન ૩જાના છે. પ૨૦ સિક્કાના નિધિમાં રુદ્રદામાં ૧લાથી ભર્તુદામા સુધીના (સંઘદામાં અને દામજદશ્રી રજાના સિવાયના) રાજાઓના સિક્કાઓ છે. [આ બધાની વિગતવાર માહિતી માટે જુઓ : જેરાએસોબેં., ૧૯૩૭, પુસ્તક ૩, અંક ૨ (ન્યૂસપ્લી. નં. ૪૭), પૃષ્ઠ ૯૭થી]. જૂનાગઢ જિલ્લામાંથી : ૧૯૮૫માં જૂનાગઢ જિલ્લાના એક ગામેથી આશરે ૫૦૦ જેટલા ચાંદીના સિક્કાનો એક જથ્થો રાહતકાર્ય દરમ્યાન હાથવગો થયો હતો. આ સિક્કાઓ કોઈક વ્યક્તિ મારફતે મુંબઈના બજારમાં વેચવા માટે પહોંચ્યા હતા. સદ્દભાગ્યે મુંબઈના ખ્યાત સિક્કાસંગ્રાહક શ્રી સદાશંકર શુક્લના ધ્યાન ઉપર આવતાં થોડાઘણા સિક્કાઓ એમણે ખરીદી લીધા હતા. ખરીદેલા આ સિક્કામાં મોટાભાગના સિક્કા મહાક્ષત્રપ સ્વામિ રુદ્રસિંહ ૩જાના છે અને તે પશ્ચિમી ક્ષત્રપવંશનો છેલ્લો શાસક છે. આ સિક્કાઓ ઉપરનાં જ્ઞાત વર્ષ શક સંવતનાં છે, જે આ મુજબ છે : ૩૧૦, ૩૧૩, ૩૧૫, ૩૧૬, ૩૨૦, ૩૩૩ અને ૩૩૭. [આ વિશેની ફક્ત માહિતી માટે જુઓ : દિલીપ રાજગોર, “ફ્રેશ લાઇટ ઑન ધ સોશ્યો-પૉલિટિકલ હિસ્ટરી ઑવ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ', સામીપ્ય, પુસ્તક ૧૯, એક ૧-૨, ૨૦૦૨, પૃષ્ઠ ૧૬થી]. જૂનાગઢના આ જથ્થામાંના ઘણાખરા સિક્કાઓ વિભિન્ન સંગ્રાહકોના અંગત સંગ્રહમાં હોવાનું જણાય છે. જોગલ થમ્બી (નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર) : આ સ્થળેથી ક્ષત્રપ સિક્કાઓનો સહુથી મોટો ખજાનો હાથ લાગ્યો હતો. આ નિધિમાં આશરે ચૌદથી પંદર હજાર જેટલા સિક્કાઓ હોવાનું જાણમાં છે. આમાંથી ૧૩૨૫૦ જેટલા બચેલા સિક્કા એચ.આર.કૉટને તપાસવા વાસ્તુ મળ્યા હતા. આમાં ૯૨૭૦ સિક્કા ક્ષહરાત ક્ષત્રપ રાજા નહપાનના છે, જેના ઉપર સાતવાહન રાજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy