________________
૧૪૦
ક્ષત્રપકાલીન ગુજરાત રેપ્સનથી આરંભી ઇતિહાસના અદ્યાપિ સુધીના અભ્યાસીઓ લગભગ એવો મત પ્રસ્તુત કરે છે કે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે પશ્ચિમ ભારતની આ શક સત્તાનો અંત લાવી, ક્ષત્રપ રાજ્યને ગુપ્ત સામ્રાજયમાં ભેળવી દીધું. આ મતના સમર્થકો પોતાનાં મંતવ્ય માટે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયના માળવામાંથી પ્રાપ્ત ત્રણ શિલાલેખો અને ચંદ્રગુપ્તના પોતાના, પણ પ્રકાર-પદ્ધતિમાં ક્ષત્રપ સિક્કાઓ ના સીધા અનુકરણવાળા, માળવામાંથી ઉપલબ્ધ સમયનિર્દેશવાળા ચાંદીના સિક્કાનો આધાર લે છે૧૯. અને એવી અટકળ કરે છે કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય એના અધિકારીઓ સાથે માળવા ઉપર ચડી આવ્યો હશે અને માળવા જીતી દશેક વર્ષ માળવા રહ્યો હશે. ચંદ્રગુપ્ત એના પ્રતિસ્પર્ધી શક રાજાને સીધી લડાઈમાં નહીં પણ દગાથી મારી નાંખે છે એવો બાણના હર્ષરિતમાંનો ઉલ્લેખ આ મતને સમર્થ છે. આ બધા આધાર ઉપરથી ઐતિહાસિકો એવું સૂચવે છે કે ચંદ્રગુપ્ત ઈસ્વી ૩૯૫થી ૪૦૦ સુધીમાં માળવા ઉપર આક્રમણ કરી ક્ષત્રપ સત્તાને નિર્મૂળ કરી હોય. પરંતુ આ વિદ્વાનો એણે ગુજરાત ઉપર ક્યારે ચડાઈ કરેલી એ વિશે કશું નિશ્ચિતપણે કહેતા નથી.
પરંતુ માળવામાંથી મળેલા ચંદ્રગુપ્તના સમયના આભિલેખિક પુરાવાઓની ચર્ચા વખતે આ જ પ્રદેશમાંથી ઉપલબ્ધ ક્ષત્રપોના સિક્કા ધ્યાનમાં લેવાયા નથી. રાજસ્થાનમાંથી અને માળવામાંથી ક્ષત્રપ-સિક્કાઓના ત્રણ નિધિ હાથવગા થયા છે : સર્વાણિયા, સાંચી અને ગોંદરમૌ૩. આ નિધિઓમાં રુદ્રસેન ૩જા સુધીના સિક્કા પ્રાપ્ય છે અર્થાત્ એના અનુગામી ક્ષત્રપ શાસકોના સિક્કા ઉપલબ્ધ નથી. આથી એવું અનુમાન થયું કે શક વર્ષ ૨૭૩ (ઈસ્વી ૩૫૧) સુધીમાં૨૪ કે એ પછી માળવા અને રાજસ્થાન ઉપરનું રાજકીય પ્રભુત્વ ક્ષત્રપોએ ગુમાવેલું. પરંતુ સોનેપુર(મધ્યપ્રદેશ) નિધિમાં રુદ્રસેન ૩જાના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૩૦૧ (ઈસ્વી ૩૭૯) છે. એટલે વિંધ્યાચળની દક્ષિણે આવેલા પ્રદેશો ઉપરનું નિયંત્રણ ક્ષત્રપોએ ઈસ્વી ૩૭૯ પછી ગુમાવ્યું હોય. આથી, રાજસ્થાન અને માળવા ઉપરની ક્ષત્રપસત્તા આ વર્ષ (ઈસ્વી ૩૭૯) સુધી ચાલુ રહી હોવાનું સંભવે છે?".
આમ, ક્ષત્રપ સિક્કાઓના અગાઉ નિર્દિષ્ટ સિક્કાનિધિઓથી સ્પષ્ટ થાય છે કે ચંદ્રગુપ્તના આક્રમણ સમય પૂર્વે જ ક્ષત્રપોએ રાજસ્થાન અને માળવા ઉપરની રાજકીય પક્ક ગુમાવી દીધી હતી, એટલે ચંદ્રગુપ્ત ક્ષત્રપો પાસેથી માળવા જીતી લીધું હતું એવું સૂચન હવે સ્વીકાર્ય રહેતું
નથી.
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે ગુજરાત ઉપર ચડાઈ કરી હોવાનો કોઈ આભિલેખિક પુરાવો પ્રાપ્ત થયો નથી. સાહિત્ય કે અનુશ્રુતિમાં પણ આ બાબતે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. એના કે એના પુત્ર કુમારગુપ્તના કોઈ શિલાલેખ પણ અદ્યાપિ ગુજરાતમાંથી હાથ લાગ્યા નથી. માત્ર એના પૌત્ર સ્કંદગુપ્તનો એક લેખ, અશોકશૈલલેખથી ખ્યાત જૂનાગઢની ભાગોળે આવેલા ખડક ઉપર, ઉત્કીર્ણ થયેલો છે. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના ચાંદીના સિક્કા ગુજરાતમાંથી મળ્યા હોવાનું જાણમાં નથી. અળતેકર એના સિક્કા કેવળ પશ્ચિમ ભારતમાંથી મળ્યા હોવાનું નોંધે છે, પરંતુ કોઈ ચોક્કસ સ્થળવિશેષનો નિર્દેશ એમણે કર્યો નથી. તેથી તેના સિક્કા ગુજરાતમાંથી મળ્યા હોવાની બાબત શંકાસ્પદ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org