SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ પાદનોંધ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. પારસકુલ વિશે ઇતિહાસમાં, ખાસ કરીને જૈનાનુશ્રુતિઓમાં, મતભેદ છે. સંસ્કૃતપ્રાકૃતમાં લખાયેલી જુદી જુદી જૈન પ્રતોમાં આ સ્થળનાં ભિન્ન ભિન્ન નામો જોવા મળે છે, જેમ કે શકકુલ, શાખી દેશ, પશ્ચિમ પાર્શ્વકૂલ, પારસકૂલ, સગકુલ વગેરે......સાથે સાથે ‘કુલ' શબ્દ કાજેય મતભેદ છે. ‘ફૂલ'નો અર્થ છે કિનારો-કાંઠો. આથી દેશવાચક શબ્દ સાથે ‘ફૂલ' વધારે બંધ બેસે છે (દા.ત. પારસફૂલ). જ્યારે વ્યક્તિવાચક શબ્દ સાથે ‘કુળ' શબ્દ પ્રયોગવો વધુ યોગ્ય છે (દા.ત. સાહીકુલ, શકકુળ વગેરે). જુઓ (વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામા, પૃષ્ઠ ૨૧-૨૨). કલ્યાણવિજયજી, દ્વિવૈદી અભિનંદન ગ્રંથ, ૧૯૩૪, પૃષ્ઠ ૯૮. (१) उत्तीर्यं सिंधुकटकं सुराष्ट्रदेशे समागत्य सुखेन तस्थौ । (૨) .... सम्भूय सा स्वयः सद्य: सिंधुतीरे समागमन् ||३७|| आचार्यदर्शितपथः साखीशः सोऽपि सत्वरम् । प्रयाणैरनवच्छिनने रूपसिंधु समासद्यत ||३८|| तेऽथ सिंधु समुत्तीर्य, साधयन्तोऽखिलान्नृपान् । સુરાષ્ટ્રવિષયં પ્રાપુસ્તત્ર પ્રાતૃડુપયુષી રૂ॥ (જિનદેવ, કાલિકાચાર્ય કથા). ક્ષત્રપકાલીન ગુજરાત (૨) વશ્વા હિન્દુારેસે....... નાવ ઉત્તરિતુ સિંધુ પત્તા સોરઠમવંતં તાવ । (બ્રાઉન, સ્ટોરી ઑવ કાલક, પૃષ્ઠ ૯૪). (૪) ૩ત્તરિä સિન્ધુનરૂ મેળ સારેતમાંને પત્તા ।(એજન, પૃષ્ઠ ૭૪) પ્રત્યેક કાલકકથા, કથાવલી અને નિશીથચૂર્ણિમાં એવું નોંધવામાં આવ્યું છે કે સાહીઓ (એટલે શકો) સાથે કાલક સૌરાષ્ટ્રમાં આવ્યાં (જુઓ : કલ્યાણવિજયજી, દ્વિવૈદી અભિનંદન ગ્રંથ, પૃષ્ઠ ૧૧૦, પાદનોંધ ૬). : જુઓ ઉપર્યુક્ત પાદનોંધ ૩માં રૂ અને ૪. વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામા, પૃષ્ઠ ૨૩-૨૪. આપણા રાષ્ટ્રના ઇતિહાસનાં અવગાહન કરવાથી સ્પષ્ટ થાય છે કે આપણી ભૂમિ ઉપર યુગે યુગે કે સમયે સમયે થયેલાં વિદેશી લોકોનાં આક્રમણો મુખ્યત્વે આ દિશામાંથી જ થયાં છે. આપણા દેશની ભૌગોલિક લાક્ષણિક્તાને લીધે તેની ઉત્તર સરહદેથી કે દક્ષિણ બાજુએથી આક્રમણકારોને પ્રવેશવું બહુ સરળ ન હતું. રેપ્સન, ક્રેહિઇ., પુ.૧, પૃષ્ટ ૫૬૩થી; સ્ટેન કોનો, કૉઇઇ., પુ.૨, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૧; સુધાકર, પૃષ્ઠ ૧૪. મથુરાના સિંહસ્તંભમાં નિર્દિષ્ટ વાક્ય ‘સર્વક્ષ શસ્તાનસનુષ્ય'; પેરિપ્લસમાં ઉલ્લિખિત મીનનગર (શકનગર); ઈરાનમાં આવેલી કર્દમા નદી; વામન-એ ઈરાની ભાષાઓ શબ્દ - આ બધા મુદ્દાઓ ધ્યાનમાં લઈને સુધાકર ચટ્ટોપાધ્યાય સૂચવે છે કે શકો પૂર્વ ઈરાનથી આ રસ્તેથી આપણા દેશમાં આવ્યા હોય. (જુઓ સુધાકર, પૃષ્ઠ ૧૩-૧૪). ૯. સુધાકર, પૃષ્ઠ ૧૩. ૧૦. ટોમસ, જરૉએસો., ૧૯૧૩, પૃષ્ઠ ૬૩૫, પાદનોંધ નંબર ૧ અને ૨; રેપ્સન, ક્રેહિઇ., પૃષ્ઠ ૫૬૩૬૪; ટાર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૭-૭૮. પરંતુ ફલીટના મત મુજબ કુષાણો આ માર્ગેથી જ આપણે ત્યાં આવ્યા હતા (જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૩૩૪). આથી આ ત્રણ વિદ્વાનોનો મત સ્વીકાર્ય જણાતો નથી. ૧૧. જરાએસો., ૧૯૪૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy