SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પાંચ ત્યારે એવો નિર્દેશ છે". આથી પ્રસ્તુત રુદ્રસેન કથિક વંશનો હતો એવી અટકળ પ્રચારમાં રહી. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ચાષ્ટન કુલમાં રુદ્રસેન નામના ચાર રાજાઓ થયા જે પૈકીનો કોઈ એક રુદ્રસેન અને પ્રશ્નાર્થ રાજા રુદ્રસેન એક હોઈ શકે ? એમ હોય તો ચાખનકુલના રાજાઓ કથિક વંશના ગણાય, તો બીજો પ્રશ્ન એ થાય કે ઋાર્ટમવંશ અને થિwવંશ પણ ભિન્ન વંશો હોય કે એક જ ? હજી આ પ્રશ્નો વર્ણઊકલ્યા રહ્યા છે. આ ચર્ચાથી ચાષ્ટનવંશના રાજાઓ કથિક હોય કે ના હોય, પણ વર્તમ હતા એ મત વધારે સ્વીકાર્ય બને છે; પરંતુ કન્દરી લેખમાં ઉલ્લિખિત રાજા “રુદ્ર અને રુદ્રદામાં ૧લો હતો એમ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. અને ત્યાં સુધી એમાં નિર્દિષ્ટ વર્તમ નામ ચાન્ટન વંશના સંદર્ભમાં પ્રયોજવું ઉચિત જણાતું નથી. - સિતોપત્તિ ગ્રંથમાં ચાષ્ટનનો નિર્દેશ છે. ગ્રંથની મુદ્રિત આવૃત્તિમાં પ્રકૃUTTT એવો પાઠ છે, જે આપણે અગાઉ અવલોકી ગયા. જ્યારે રા.બ.હીરાલાલે મચ્છઠ્ઠાને બદલે "ત્યાન્ના(આશ્વભ્રયા) એવો પાઠ આપ્યો છે, જે સ્વીકાર્ય જણાતો નથી. સત્યશ્રાવ મચ્છઠ્ઠા એવો પાઠ સૂચવે છે. જ્યારે જયોતિપ્રસાદ જૈન મદ્રષ્ટિનાઃ એ પ્રકારનું સંસ્કૃતરૂપ પ્રયોજે છે. આ બંને રૂપ સ્વીકાર્ય બને છે. આ નામ અહીં બહુવચનમાં છે, તેથી એ વંશનું સૂચન કરે છે એમ કહી શકાય. આથી, ક્ષહરાત વંશ પછીના આ રાજાઓમાંના સહુ પ્રથમ રાજા ચાષ્ટનના નામ ઉપરથી એ રાજાઓને વાઈનવંશના શાસકો તરીકે ઓળખવા વધારે યોગ્ય જણાય છે. ઇતર ક્ષત્રપકુલો વંશાવળીનું અવલોકન સૂચિત કરે છે કે ચાષ્ટનવંશના છેલ્લા જ્ઞાત રાજા વિશ્વસેન પછી સ્વામી જીવદામાનું નામ જાણવા મળે છે. આ રાજાનો ઉલ્લેખ એના પુત્ર રુદ્રસિંહ રજાના સિક્કાલેખમાં જોવો પ્રાપ્ત થાય છે. જીવદામાનો પોતાનો એકેય અભિલેખ અદ્યાપિ ઉપલબ્ધ થયો ન હોઈ એના પિતાનું નામ જાણવા મળતું નથી. તેથી એના અને વિશ્વસેન વચ્ચે પૈતૃક સંબંધ હતો કે કેમ અને હતો તો કેવા પ્રકારનો હતો એ વિશે કોઈ જ માહિતી પ્રાપ્ત નથી. એમના કુલના નામ વિશે અનુમાન કરવા કોઈ સાધન હાથવગું નથી. જીવદામાના કુલમાં એના સિવાય માત્ર બીજા બે જ રાજાઓનો સળંગક્રમ દેખાય છે. એમાંના બીજા રાજા યશોદામા રજા પછી સિક્કાઓ ઉપરથી સ્વામી રુદ્રદામા રજાનું નામ જાણવા મળે છે. પરંતુ એ બંને રાજાઓ વચ્ચે કોઈ સગાઈ સંબંધ હતો કે કેમ તે બાબત બિલકુલ સ્પષ્ટ નથી. એના પછી રુદ્રસેન ૩જાએ ગાદી સંભાળી હતી. આ વંશમાં માત્ર બે જ રાજાઓની માહિતી મળે છે. આ કુલનું કોઈ વિશિષ્ટ નામ જાણવા મળતું નથી. રુદ્રસેન ૩જા પછી એની બહેનનો પુત્ર સ્વામી સિંહસેન રાજા થયેલો જણાય છે. આથી સિંહસેનનું કુલ રુદ્રસેન ૩જાના કુલથી ભિન્ન હોવાનું સ્પષ્ટ થાય છે. સિંહસેન પછી એનો પુત્ર રુદ્રસેન ૪થો સત્તાધીશ થાય છે. આ કુલમાંય પણ આ બે જ રાજાઓ થયા હોવાનું જણાય છે. એમનાં કુલનામ વિશેય કોઈ માહિતી ઉપલબ્ધ થઈ નથી. રુદ્રસેન ૪થા પછી રુદ્રસિંહ ૩જાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy