SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ક્ષત્રપકાલીન ગુજરાત સિક્કા ઉપરથી એના પિતા સત્યસિંહની માહિતી પ્રાપ્ત થાય છે. પરંતુ રદ્રસેન ૪થા અને સત્યસિંહ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થતો નથી. સત્યસિંહના પોતાના સિક્કા પ્રાપ્ય ન હોઈ એના પિતાની કોઈ માહિતી મળતી નથી. રુદ્રસિંહ ૩જા પછી ક્ષત્રપ રાજાઓના સિક્કા મળતા નથી. આથી પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં સંભવતઃ એ છેલ્લો જ્ઞાત રાજા હોવાનું સ્પષ્ટ થાય છે. આમ, ચાખનવંશની સીધી સળંગ મળતી વંશાવળી પછી કુલ ચાર જગ્યાએ સંબંધ તૂટે છે, જેમાંના એકમાં કુલ ભિન્ન હોવાનું સ્પષ્ટ રીતે જણાય છે; શેષ ત્રણેય રાજકુલોના સંબંધ વિશે એકેય બાજુએ કશું ચોક્કસપણે કહી શકાય એવી કોઈ સામગ્રી કે એવા કોઈ પુરાવા કે જ્ઞાપકો પ્રાપ્ત થયા નથી, થતા નથી. ક્ષત્રપો કુષાણોના ઉપરાજ હતા ? અત્યાર સુધીના એકાધિક વિદ્વાન અધ્યેતાઓએ આ પ્રશ્નની વિગતથી છણાવટ કરી છે અને પોતપોતાનાં દૃષ્ટિબિંદુ અભિવ્યક્ત કર્યા છે. ઘણાબધા ઇતિવિદોનું માનવું છે કે પશ્ચિમી ક્ષત્રપો ઉપર કુષાણ રાજાઓનું આધિપત્ય હતું; અર્થાત્ કહો કે તેઓ કુષાણોના ઉપરાજ હતા. જયારે એકાદબે ઇતિહાસવિદોને આ પ્રચલિત મંતવ્ય સ્વીકાર્ય જણાતું નથી. પશ્ચિમી ક્ષત્રપોમાંના ક્ષહરાત વંશના રાજા નહપાનના સમયના નાસિક ગુફાના એક લેખમાં સુવર્ણનો ઉલ્લેખ છે જે ચોક્કસપણે સમકાલીન કુષાણોના સોનાના સિક્કા સંદર્ભે છે એવું રેપ્સનનું મંતવ્ય છે. અને તેથી તેઓ નહપાન કુષાણોનો અધીન રાજા હતો એમ સૂચવે છે*". પ્રસ્તુત લેખમાં નિર્દિષ્ટ કુશળમૂત્તે શબ્દ ઉપર ભાર મૂકી દે.રા.ભાંડારકર એવું સૂચવે છે કે નહપાનના ચાંદીના સિક્કા માટે આ નામ પ્રયોજાયું હોય, કેમ કે કુશણ ( કુષાણ) નામે ઓળખાતા એના અધિપતિ રાજા કફિશ(kadaphises) ૧લા માટે નહપાને આ નામના સિક્કા તૈયાર કરાવ્યા હતા. પશ્ચિમ ભારતના રાજયકર્તાઓનાં ક્ષેત્ર અને મહાક્ષત્રપનાં બિરુદોથી કેટલાક વિદ્વાનોએ એવું સૂચવ્યું કે આ રાજાઓ કુષાણ રાજાઓના ઉપરાજ હતા; કેમ કે પશ્ચિમી ક્ષત્રપોમાંના આરંભના રાજાઓ કુષાણ રાજાઓના, ખાસ કરીને કણિખના, સમકાલીન હતા, અને કણિક્કે એના વિશાળ સામ્રાજ્ય ઉપર ક્ષત્ર અને મહાક્ષત્રનો હોદો ધરાવતા અધીન રાજયકર્તાઓ દ્વારા સત્તા સંભાળી હતી જે બાબત એના શિલાલેખોથી સૂચિત થાય છે. આથી, સ્પષ્ટતઃ કહી શકાય નહીં કે ક્ષત્રપો કુષાણોના ઉપરાજ હતા. સુવઇ અને શનમૂને શબ્દોના કેવળ ઉલ્લેખથી ક્ષત્રપો ઉપર કુષાણોનું આધિપત્ય સાબિત થતું નથી. વળી સુવર્ણના ઉલ્લેખ માત્રથી કુષાણોના સિક્કાઓનો સંદર્ભ સૂચવાતો નથી; કેમ કે વેદયુગથી સિક્કા તરીકે સોનાનો ઉપયોગ થતો આવ્યો છે. તેથી રેપ્સનનું મંતવ્ય સ્વીકાર્ય બનતું નથી. કુશળમૂનેને કન્હેરી લેખોમાંના"૭ પડિ સાથે સરખાવી લેનાર્ત “વર્ષાકાલ પૂરતા અન્ન માટે મળતી માસિક વૃત્તિ –એવો એનો અર્થ કરે છે. આ રજૂઆત વાકયસમૂહના સંદર્ભમાં અવલોક્તાં વધારે યોગ્ય જણાય છે. આથી, દે.રા.ભાંડારકરનું અર્થઘટન પણ સ્વીકારી શકાતું નથી. બૈજનાથ પુરી ક્ષત્રપ અને મહાક્ષત્રપનો વિચાર જુદી રીતે કરે છે : ચાષ્ટનની જેમ નહપાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy