SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ક્ષત્રપકાલીન ગુજરાત છે. આ વંશનો પહેલો જ્ઞાત પુરુષ સામોતિક છે પણ તે રાજસત્તા પામ્યો ન હતો. અને આ વંશનો છેલ્લો જ્ઞાત પુરુષ વિશ્વસેન હોવાનું અત્યારના તબક્કે કહી શકાય. તે રાજસત્તાધીશ હતો. આ વંશમાં કુલ પાંચ કુળ હતાં જેમાં ચાષ્ટનથી શરૂ કરીને વિશ્વસેન સુધીનું કુળ ઘણું મોટું અને દીર્ઘકાલ સુધી સત્તાધીશ હતું. શેષ ચાર કુળ નાનાં અને અલ્પકાલીન સત્તાધીશ હતાં. મોટાભાગના ઐતિહાસિકો ચાખનાદિ રાજાઓ કાદમકકુલના હોવાનું મંતવ્ય કન્વેરી ગુફાલેખને આધારે અભિવ્યક્ત કરે છે. આ લેખમાં રુદ્ર(દામા)ની પુત્રી પોતાને ન વંશની હોવાનું જણાવે છે. આ કામ નામ મા નદી ઉપરથી પડ્યું હોવાની અટકળ વિદ્વાનોએ ગણપતિ શાસ્ત્રીની અર્થશાસ્ત્ર ઉપર ટીકાને આધારે કરી હોવાનું જણાય છે. આ બે હકીકતોને સાંકળીને વિદ્વાનોએ ઈરાનથી આવેલા શકો કમ નદીના રહેવાસી હોવાની અટકળ કરી એમના વંશને છાજવંશ તરીકે ઓળખાવ્યો છે. કલ્હણની રગતરં1િળીમાં áનરીનનો ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતના “વિરાટપર્વમાં મિત્ર નામનો સ્થળ નિર્દેશ છે. આ બે વીગતોને આધારે બૂહ્નર મરીઝ એ પશ્ચિમી ક્ષત્રપોનું બિરુદ હોવાનું સૂચવે છે. પરંતુ રાખતાળીમાંનું માન રૂપ એ તો વ્યક્તિગત નામ છે. તેથી એના આધારે વંશનું સૂચન થઈ શકે નહીં. સત્યશ્રાવના મતે ગુજરાતમાં હાલના સિધપુરની આસપાસ આવેલો પ્રદેશ પૂર્વકાલમાં સર્વ પ્રદેશથી ઓળખાતો હતો; કેમ કે અહીં કર્દમ ઋષિનો આશ્રમ હતો. તેથી મને એ પ્રદેશનું નામ છે, જ્યાં રુદ્રદામાના પૂર્વજો રાજ્ય કરતા હતા. પરંતુ એમની આ દલીલ સ્વીકાર્ય બનતી નથી; કેમ કે સિધપુરનું પૂર્વકાલીન નામ તો શ્રીસ્થત હતુંવળી સિધપુરમાંથી કે આસપાસમાંથી હજી સુધી ક્ષત્રપકાલના કોઈ અવશેષ મળ્યા હોવાનું જાણમાં નથી. રામાયણના ઉત્તરકાંડમાં એક રાજવંશને વર્તમેય કે ના નામે ઓળખાવ્યો છે. તેઓ કર્દમપ્રજાપતિના વંશજો હતા અને બાહ્નિક (અર્વાચીન બલ્બ) ઉપર રાજ્ય કરતા હતા. આ ઉલ્લેખોના સંદર્ભે રાયચૌધરી ઈરાનમાં આવેલી મા નદીને ‘ઝરફશાં” નદી સાથે સરખાવે છે, જે સમરક્ત પ્રદેશની મોટી નદી હોવાનું જણાય છે. પૂર્વકાલમાં આ નદી આમૂદરયા નદીની એક શાખા હતી, જે અનુકાલમાં કારાકુલ સરોવર પાસે રેતીમાં લુપ્ત થઈ ગઈ. તુર્કસ્તાનના નકશામાં આ નદીને ૪૦° અને ૪૧° પૂર્વ રેખાંશ તથા ૬૪ અને ૭૨° ઉત્તર અક્ષાંશ વિસ્તારમાં વહેતી દર્શાવી છે૫૪. ઝરફશાં નદીનું આ સ્થાન ધ્યાનમાં લેતાં અને મધ્ય એશિયામાં થયેલી ઊથલ-પાથલથી પપ સિરદરિયા અને આમૂદરયા નદીની વચ્ચે ભટકતી શક ટોળીઓને ત્યાંથી ખસવું પડેલું એ ધ્યાનમાં રાખતાં આ નદી એ કર્દમા નદી હોવાની રાયચૌધરીની અટકળને સમર્થન મળે છે, તાજેતરમાં એટલે કે વીસમી સદીના સાઠના દાયકામાં ઉત્પનન દ્વારા હાથ લાગેલા દેવની મોરીના બૌદ્ધ સ્તૂપના પેટાળમાંથી મળી આવેલા શૈલસમુગક પરના ઉત્કીર્ણ લેખમાંના ઐતિહાસિક ભાગવાળા લખાણમાં “કથિક નૃપોના ૧૨૭માં વર્ષે રાજા રુદ્રસેન રાજય કરતો હતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy