SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પાંચ જાણે એ વર્ષ તે રાજાના રાજ્યકાલનું હોય એવું સૂચવે છે. ચાષ્ટ્રનાદિ રાજકુલોના રાજાઓના લેખોમાં; અર્થાત્ સિક્કાલેખોમાં અને શિલાલેખોમાં, વર્ષ નિર્દિષ્ટ સંખ્યા સળંગ ક્રમે ઉત્તરોત્તર વધતી જાય છે, અને એ સંખ્યા ૬થી ૩૩૭ સુધીની હાથવગી થઈ છે. આથી આ વર્ષસંખ્યા જે તે રાજ્યકાલની નહીં, પણ કોઈ સળંગ સંવતની હોવા વિશે કોઈ શંકા રહેતી નથી. સમકાલીન રાજવંશો સાથેના સંબંધ ઉપરથી આ વર્ષો શક સંવતનાં ગણવાં જોઈએ એવું મોટાભાગના ઇતિહાસવિદો માને છે. આ શક સંવતનો આરંભ વિક્રમ સંવત પછી ૧૩૫ વર્ષે અને ઈસ્વીસન પછી ૭૮ વર્ષે થયો છે. આ બધી હકીકતોને ધ્યાનમાં લેતાં ચાષ્ટનાદિ ક્ષત્રપ રાજાઓ માટે અગાઉ અંદાજેલો વર્ષ ૬થી ૩૩૭નો સમય તે વિક્રમ સંવત ૧૪૨થી ૪૭૨નો અને ઈસ્વીસન ૮૪થી ૪૧૫નો ગણાય. ક્ષહરાત વંશના બે રાજાઓ ભૂમક અને નહપાને આશરે છ દાયકા સુધી રાજ્ય કર્યું હોય તે બાબત ધ્યાનમાં રાખતાં પશ્ચિમી ક્ષત્રપોના બધા રાજાઓના સત્તા અમલનો સમગ્ર સમય-વિસ્તાર આશરે ઈસ્વી ૧૮થી ૪૧૫ સુધીનો મૂકી શકાય. ૭૯ ક્ષહરાત વંશ પશ્ચિમી ક્ષત્રપ વંશોમાંના પહેલા વંશના રાજાઓના શિલાલેખોમાં એમને ક્ષહરાત ક્ષત્રપ૮ અને વહરાત જીતપર તરીકે ઓળખાવવામાં આવ્યા છે; જ્યારે એમના સિક્કાલેખોમાં તેઓને વહરવ(કે છરવ)ચત્રપ કે છત્રપ), ક્ષહરાત ક્ષત્રપ, રાજ્ઞો ક્ષહરાત, રો છત॰ વગેરે નામે સંબોધવામાં આવ્યા છે. દક્ષિણ ભારતના સાતવાહન રાજાઓના શિલાલેખોમાં જીવરાત૧ રૂપ પ્રયોજાયેલું જોવું પ્રાપ્ત થાય છે. ઉત્તર ભારતના ક્ષહરાત ક્ષત્રપ રાજાઓના શિલાલેખોમાં ક્ષહરાત ક્ષત્રપ રૂપ જોવા મળે છે”. આમ, ક્ષક્ષરાત સારુ જીવાત, વહરાત, છહરાત, રવ કે વહરવ તેમ જ ક્ષજ્ઞાત જેવાં વિવિધ રૂપ પ્રયોજાયેલાં પ્રાપ્ત થાય છે. આમાંનો ક્ષત્રપ શબ્દ આપણે અવલોકી ગયા તેમ વહીવટી હોદ્દો સૂચવે છે. પરંતુ ક્ષહરાતના અર્થ વાસ્તે વિદ્વાનોમાં વિભિન્ન મત પ્રવર્તેલા જોવા મળે છે. તક્ષશિલા અને મથુરાના ક્ષત્રપીય શિલાલેખોમાં ઉલ્લિખિત પ્રસ્તુત શબ્દની ચર્ચા કરતાં સ્ટેન કોનો ક્ષઇરાતને બિરુદના અર્થમાં ઘટાવે છે. બખલે પ્રાકૃત શબ્દ વોસ્તને (સંસ્કૃત વરવસ્ત, અંગ્રેજી Kharaostaમાંથી) ક્ષહરાત પ્રયોજાયેલો હોવાનું જણાવી એને કુલનામના અર્થમાં ઘટાવે છે. રેપ્સન આ અર્થનો વિરોધ કરતાં સૂચવે છે કે ઘરઞોસ્ત એ તો મથુરાના ક્ષત્રપ રાજા રાજુલના પુત્રનું નામ છેપ, એટલે વસ્ત પ્રાકૃતનું સંસ્કૃત રૂપ ક્ષહરાત છે એમ માનવું યોગ્ય નથી. કેટલાક ઇતિહાસકારો ક્ષહરાત એ અટક છે એમ જણાવી ક્ષહરાતોને તોલમાયની ભૂગોળમાં નિર્દિષ્ટ તારૂં (Karatai) નામની એક શક જાતિ સાથે સંબંધ હોવાનું સૂચવે છે. ગુપ્તે દક્ષિણ ભારતના ભરવાડોમાં ઘરત અટક પ્રચલિત હોવાનું જણાવી સૂચવે છે કે વ્રત એ વવરતનું સંક્ષિપ્ત રૂપ હોય. પરંતુ વાસિષ્ઠીપુત્ર પુછુમાવિના શિલાલેખમાં ‘શક-યવન-પહ્નવ’ તથા ‘સાતવાહનકુલ’ની જેમ ‘ક્ષહરાતવંશ’નો સ્પષ્ટ ઉલ્લેખ જોવો પ્રાપ્ત થાય છે. જે ઉપરથી આ શબ્દ વંશસૂચક હોવાનું નિશ્ચિત થાય છે. કાર્દકવંશ કે ચાષ્ટનવંશ ? પશ્ચિમી ક્ષત્રપોમાં ક્ષહરાતવંશ પછી કાર્દમકવંશના નામથી વિખ્યાત મોટું ક્ષત્રપકુલ આવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy