SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રપકાલીન ગુજરાત (નોંધ : અહીં જે તે રાજા સાથે કૌંસમાં આપેલાં વર્ષ મૂળ અભિલેખોમાં આપેલાં વર્ષ છે. ઉપર્યુક્ત વંશાવળીઓ એકંદરે ૩૨ રાજાઓનાં નામ આપણને હાથવગાં કરી આપે છે. રા.ક્ષ. = રાજા ક્ષત્રપ અને રા.મક્ષ. = રાજા મહાક્ષત્રપ એમ સમજવું) સમયનિર્ણય ૭૮ આપણે અવલોક્યું કે આ શાસકોના સિક્કાઓના અને શિલાલેખોના આધારે એમનાં વિભિન્ન રાજકુલોનાં સાલવારી અને વંશાવળી તૈયાર કરી શકાઈ છે. આપણે એ પણ નોંધ્યું કે શરૂઆતના થોડાક રાજાઓના સિક્કાઓ હજી સુધી મિતિયુક્ત પ્રાપ્ત થયા નથી; પરંતુ તેમાંના ક્ષહરાત કુલના રાજા નહપાનના અને કાર્રમક કુલના રાજા ચાષ્ટ્રન-રુદ્રદામાના શિલાલેખો સાંપડ્યા છે. પરિણામે ક્ષત્રપ રાજકુલોના શાસનકાળની આરંભની અને અંતની (કહો કે ઉપલી અને નીચલી) મર્યાદા નિર્ણીત કરવામાં ખાસ મુશ્કેલી જણાઈ નથી. આ રાજાઓના સિક્કાલેખોમાં તથા શિલાલેખોમાં તેના નિર્માણસમયની વર્ષસંખ્યા આપેલી છે. આમાંથી સંપ્રાપ્ત થતો સર્વાંગક્રમ એ વર્ષો કોઈ અમુક સંવતનાં હોવાનું સૂચિત કરે છે. પશ્ચિમી ક્ષત્રપોના સાતમા રાજા અને કાર્દમકકુલના પાંચમા રાજા રુદ્રસિંહ ૧લાના સમયથી વર્ષની સંખ્યા સૂચવતા સિક્કાઓ ઉપલબ્ધ થયા છે. એટલે અગાઉના છ રાજાઓના સિક્કાઓ મિતિનિર્દેશ વિનાના છે. રુદ્રસિંહ ૧લાના સિક્કા ઉપર નોંધાયેલી વર્ષ સંખ્યા ૧૦૧ છે અને છેલ્લા જ્ઞાત રાજા રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપર અભિવ્યક્ત વર્ષ સૂચવતી સંખ્યા ૩૩૭ છે૩. વર્ષ ૧૦૧ એ સાતમા રાજાનું છે. તેથી કાર્દમકકુલના પહેલપ્રથમ રાજાનું રાજ્ય લગભગ એ સંવતના આરંભથી શરૂ થયું ગણાય. આમ વર્ષસૂચક આ બે સંખ્યાઓ ક્ષત્રપશાનની ઉપલી અને નીચલી જ્ઞાત મર્યાદા સૂચવે છે. આ રાજાઓના શિલાલેખોમાં વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૧૧ છે, જે કાર્દમકવંશના પહેલા રાજા ચાષ્ટ્રનના સમયનું છે. ચાષ્ટન પૂર્વેય નહપાને અને તેની પૂર્વે ભૂમકે સત્તા સંભાળી હોવાના પુરાવા ઉપલબ્ધ છે૫. આથી ચાષ્ટનના સમયના વર્ષ ૬ પૂર્વે આ બંને રાજાઓ સત્તાધીશ હોવાનું સમર્થ અનુમાન થઈ શકે છે. નહપાનના શિલાલેખોમાં ઉલ્લિખિત વર્ષે રાજકાલનાં છે. એનાં જ્ઞાત વર્ષ ૪૧થી ૪૬ છે. આથી સૂચિત થાય છે કે એણે ઠીક ઠીક લાંબા સમય સુધી સત્તા ધારણ કરી હોય. ચાષ્ટ્રનના સમયના શિલાલેખોમાંથી પ્રાપ્ય વર્ષ ૧૧ શક સંવતનું છે એ હકીકત ધ્યાનમાં લેતાં નહપાનનો રાજ્યામલ શક સંવતના પ્રારંભ પહેલાંનાં વર્ષોમાં થયો હોય. ભૂમક નહપાનનો પુરોગામી હોઈ એનું રાજ્ય ઈશુની પ્રથમ સદીના પ્રથમ ચરણના છેવટનાં વર્ષોમાં શરૂ થયું હોવાનું સૂચવી શકાય. હાલ આપણે જે અર્થમાં ‘સંવત’ શબ્દ પ્રયોજીએ છીએ તે અર્થમાં પહેલાં સામાન્યતઃ જાત શબ્દ વપરાતો હતો. સંવત એ વસ્તુતઃ સંવત્સરનું સંક્ષિપ્ત રૂપ છે, જેનો મૂળ અર્થ છે વર્ષ. ક્ષત્રપોના લેખોમાં વર્ષની સંખ્યાની આગળ વર્ષ શબ્દ જ આવે છે. એની અગાઉ શાત જેવા કોઈ કાલ(સંવત)નો સંબંધ દર્શાવવામાં આવતો નથી, પરંતુ વર્ષ શબ્દની પહેલાં એ સમયે રાજ્ય કરતા રાજાનું નામ ઉપસાવેલું હોય છે. રાજાનામ અને વર્ષ વચ્ચે રહેલો વ્યાકરણીય સંબંધ તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy