________________
૩૩૪
ક્ષત્રપકાલીન ગુજરાત હાથવાળી આ મૂર્તિના ઘડની ઊંચાઈ ૨૧ સેંટીમીટર અને પહોળાઈ ૨૦ સેંટીમીટર છે.
અહીંથી, ભીલકન્યાના સ્વરૂપે પાર્વતીની એક પ્રતિમા મળી છે, જે પણ વડોદરામાં છે ૪૧ સેંટીમીટર ઊંચી અને ૮ સેંટીમીટર પહોળાઈની આ પ્રતિમા લગભગ અખંડિત છે અને ઊભેલી અવસ્થામાં છે. જો કે ડાબો હાથ છેકથી એટલે ખભામાંથી નાશ પામેલો છે. જમણો હાથ કટિ અવલંબિત છે. પ્રતિમાનો ઊભા રહેવાનો મરોડ ભંગ મુદ્રાનો છે. કેશગુંફન આકર્ષક છે. કટિ નીચેનું વસ્ત્ર કરચલીયુક્ત છે. પ્રતિમાના પગમાં ઝાંઝર છે. આંખ અને મુખના ભાવ આકર્ષક છે. સમગ્ર પ્રતિમા ખૂબ સુંદર છે. ચોથી સદીના અંતમાં આ પ્રતિમા નિર્માઈ હોવી જોઈએ.
શામળાજીમાંથી આ ઉપરાંત સપ્તમાતૃકાઓ પૈકીની બે માતૃકાની પ્રતિમા ઉપલબ્ધ થઈ છે; આમાં એક માહેશ્વરની છે અને બીજી આગ્નેયીની છે. આ બંને પ્રતિમા વડોદરાના સંગ્રહાલયમાં સુરક્ષિત-પ્રદર્શિત છે. માહેશ્વરની પ્રતિમા પ૬ સેંટીમીટર ઊંચી અને ૩૮ સેંટીમીટર પહોળી છે. આ પ્રતિમાનું ઉત્તરાંગ નાશ પામ્યું છે. ડાબા હાથનો નીચેનો ભાગ નાના બાળકને આલિંગતો રહેલો જણાય છે. પ્રતિમાની જમણી પડખે અલંકૃત વૃષભ આવેલો છે. આગ્નેયીની પ્રતિમા ૪૭ સેંટીમીટર ઊંચી અને ૩૬ સેંટીમીટર પહોળી છે. આ મૂર્તિનો કટિ ઉપરનો ભાગ વિનાશ પામેલો છે. આ પ્રતિમાની પાછળ બકરો ઊભેલો છે. તે અગ્નિનું વાહન હોઈ આ પ્રતિમા આગ્નેયી કહેવાય છે. પગની આંટી અને શરીરનો વળાંક નોંધપાત્ર છે. આ બંને પ્રતિમા ઈસુની ચોથી સદીના અંતભાગની છે.
ઉપર્યુક્ત પ્રતિમાનાં વસ્ત્રોની સર્પાકાર કરચલીઓ અને તેમનું ઝૂલતાપણું ગ્રીસ-રોમનાં શિલ્પોનાં આ પ્રકારનાં વસ્ત્રો સાથે ઘણું સામ્ય ધરાવે છે. આ વિદેશી અસર આપણા દેશમાં ગ્રીક-પલ્લવ-શક-શાસકો સાથે આવી હોવી જોઈએ. આ શિલ્પોનાં આલેખન અને વસ્ત્રોની વૈવિધ્યપૂર્ણ કરચલીઓ ઉપરથી તે ક્ષત્રપકાલનાં ૫, ખાસ કરીને ચોથી સદીના ચોથા ચરણનાં હોવાનું સંભવે છે.
અંખડિત અને ઊભી અવસ્થામાં રહેલી ચામુંડાની એક પ્રતિમા પણ શામળાજીમાંથી હાથ લાગી છે અને વડોદરાના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. પારેવા પથ્થરમાંથી ઘડાયેલી આ મૂર્તિની બેઠક સાથેની ઊંચાઈ ૧.૨ મીટરની છે, અને પહોળાઈ ૪૧ સેંટીમીટરની છે. આ પ્રતિમા ચતુર્ભુજાયુક્ત છે. એક જમણા હાથમાં ત્રિશૂળ સ્પષ્ટ દેખાય છે. પણ બીજા જમણા હાથમાંની વસ્તુ સ્પષ્ટ રીતે ઓળખાતી નથી. એના એક ડાબા હાથમાં મસ્તક જોવું પ્રાપ્ત થાય છે. તો બીજા ડાબા હાથમાં ડમરું ધારણ કરેલું છે. આખાય શરીરના અંગભંગ વિશિષ્ટ છે. મૂર્તિના મસ્તક ઉપરના અને પગમાંના અલંકાર ધ્યાનયોગ્ય છે. આ પ્રતિમાનો સમય ચોથી સદીના અંતનો છે.
શામળાજીના પરિસરમાંથી પ્રાપ્ત થયેલું શિવનું ઉત્તરાંગ અને શિવની ઊભી મૂર્તિનું કટિ હેઠળનું શિલ્પ એક જ પ્રતિમાના બે ભાગ હોવાનું સૂચવાય છે. આ બંને ભાગને સાંધીને બનાવેલું સંપૂર્ણ શિલ્પ હાલ વડોદરાના સંગ્રહમાં છે. સમગ્ર પ્રતિમાની સંપૂર્ણ ઊંચાઈ ૧.૧૨ મીટર જેટલી અને પહોળાઈ ૪૯ સેંટીમીટરની છે. આ મૂર્તિનો જમણો હાથ નથી. એના ડાબા હાથનો કોણી સુધીનો ભાગ સુરક્ષિત છે, જેના ઉપર બાજુબંધ પ્રકારનું ઘરેણું દેખાય છે. કંઠનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org