SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ક્ષત્રપકાલીન ગુજરાત ૧૧. વ્યાકરણની રીતે મા. જોઈએ પણ છંદની દૃષ્ટિએ મદ. જરૂરી છે. ૧૩. જેઓ : જઓઈ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૭૪-૭૫ અને વિશ્વેશ્વરાનંદ ઈન્ડોલૉજિકલ રીસર્ચ જર્નલ, પુસ્તક - ૩, ભાગ ૧, પૃષ્ઠ ૧૦૧-૦૪. ૧૪. (૧) રાજા મહાક્ષત્રપ રુદ્રસિંહ ૧લાનો પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રસેન ૧લો (શક સંવત ૧૨૨થી ૧૪૪ = ઈસ્વી સન ૨૦૦થી ૨૨૨); (૨) રાજા ક્ષત્રપ વીરદામાનો પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રસેન રજો (શક સંવત ૧૭૭થી ૧૯૯ = ઈસ્વીસન ૨૫૫થી ૨૭૭); (૩) રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રદામા રજાનો પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસેન ૩જો (શક સંવત ૨૭૦થી ૩૦૨ = ઈસ્વીસન ૩૪૮થી ૩૮૦) અને (૪) રાજા મહાક્ષત્રપ સ્વામી સિંહસેનનો પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસેન ૪થો (શક સંવત ૩૦થી ૩૦૮ = ઈસ્વીસન ૩૮૪થી ૩૮૬ની વચ્ચે કોક સમયે). ૧૫. અને તે ગઢા (જિ. રાજકોટ)નો છે. જુઓ : ઇએ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૩૨ થી, ૧૮૭૩ અને એઇ., પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૩૮થી. ૧૬. જઓઇ., પુસ્તક ૧૨, નંબર ૨, પૃષ્ઠ ૧૭૩-૭૬. આ લેખકયે આ લેખ સાથે અસ્થિપાત્રનો ફોટોગ્રાફ પાંચ ટુકડે પ્રકાશિત કર્યો છે; જેના આધારે પછીથી આ વિષયના વિદ્વાન અધ્યેતાઓએ કથિક નૃપો અને રાજા રુદ્રસેન વિશે વિધવિધ અને વિભિન્ન મંતવ્યો પ્રસ્તુત કર્યા છે. ૧૭. જઓઈ., પુસ્તક ૧૪, નંબર ૩-૪, પૃષ્ઠ ૪૧૦ ઉપર ર.ના.મહેતાએ આ મુજબ નોંધ કરી ચૌધરીના લેખનો (એજન, પુસ્તક ૯, પૃષ્ઠ ૪૫૧-૫૯) સંદર્ભ આપ્યો છે. પરંતુ ચૌધરીના લેખમાં તેઓ ઈસુની ત્રીજી સદીના પૂર્વાર્ધનો સમય સૂચિત કરે છે (એજન, પૃષ્ઠ ૪પ૯). પરંતુ ચૌધરીના લેખનો સર્વાગિણ અભ્યાસ કરતાં અને એમણે વિભિન્ન સાધનોને આધારે જે ઉપસંહાર પ્રસ્તુત કર્યો છે તે ધ્યાનમાં લેતાં તેમણે સૂચિત કરેલો સમય શરતચૂકથી થયો હોવાનું જણાય છે. તેમને સંભવતઃ ચોથી સદીના પૂર્વાર્ધનો સમય અભિપ્રેત હોય એમ દેખાય છે અને તેથી મહેતાની નોંધ યથાર્થ જણાય છે. ૧૮. આ રાજાનો અદ્યાપિ એક જ સિક્કો પ્રાપ્ત થયો છે. આ સિક્કા ઉપરના લખાણમાં આ રાજાના નામનું પૂર્વપદ દ્ર સુવાચ્ય નથી; છતાં શેષ લખાણના સંદર્ભમાં આ સિક્કો તેનો હોવાની બાબત રેપ્સન સ્વીકારે છે (કેટલૉગ, પ્રસ્તાવના ફકરો ૧૨૭). તેનો આ સિક્કો મહાક્ષત્રપ તરીકનો છે. તારીખ અવાચ્ય છે, તેથી તેના રાજય અમલનો સમય નિર્ણિત થઈ શક્તો નથી. એના પિતાના સિક્કાઓ ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૩૦૬ છે અને અનુગામી રાજા, સત્યસિંહના પુત્ર, રુદ્રસિંહ ૩જાના અમલના આરંભનું જ્ઞાત વર્ષ ૩૧૦ છે. આથી રુદ્રસેન ૪થાનો સમય પ્રસ્તુત બે મિતિ વચ્ચેના ગાળાના પૂર્વભાગમાં મૂકી શકાય; કેમ કે આ ગાળાના ઉત્તરભાગમાં સ્વામી સત્યસિંહનો અમલ શરૂ થઈ ગયો હેય છે. ૧૯. જુઓ : એઇ., પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૩થી. ૨૦. જો કે આને અપવાદ ગણાવી શકાય; કેમ કે આ પહેલાંના નહપાનના સમયના શિલાલેખોમાં અને તે પછીના અન્ય ક્ષત્રપ શિલાલેખોમાં આ બિરુદ પ્રયોજાયાં છે. ૨૧. મહાવિહાર અને મહાતૂપમાંથી બધા મળી ૬૯ સિક્કા મળ્યાં છે, જેમાં ૫૯ સિક્કા તો માત્ર ક્ષત્રપોના છે (જુઓ : દેવની મોરી., પૃષ્ઠ ૧૦૪). ૨૨. જો આ રુદ્રસેન કથિક વંશનો હોય અને કથિક નૃપોની સત્તા ત્યારે અહીં પ્રવર્તતી હોય તો કથિક રાજાઓનાં નામનિર્દેશવાળા સિક્કાઓ મળવા જોઈએ જે હજી સુધી ન કેવળ ગુજરાતમાંથી પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy