SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ચાર ૯૭ આપણા દેશના કોઈ ભૂભાગમાંથી મળ્યા હોવાની કોઈ જાણકારી હાથવગી નથી. જો કે કલ્પી શકાય કે અહીં કથિકોનું રાજકીય પ્રભુત્વ સામંત સ્વરૂપનું હોય અને તેથી તેમણે પોતાના અધિપતિના સિક્કાઓનું ચલણ ચાલુ રાખ્યું હોય. આ જો કે કલ્પનામાત્ર છે. ૨૩. વા.વિ.મિરાશી એવી એક અટકળ કરે છે કે આ રાજા રુદ્રસેન અને આભીર રાજા ઈશ્વરસેન ઉભયનાં નામાંત સેન હોઈ પ્રસ્તુત રુદ્રસેન આભીરવંશનો રાજા હોય (જુઓ : વિશ્વેશ્વરાનંદ ઇન્ડોલૉજિકલ રીસર્ચ . જર્નલ, પુસ્તક ૩, ભાગ ૧, પૃષ્ઠ ૧૦૪). પરંતુ અહીં તો રાજા રુદ્રસેનના રાજયને કથિકનૃપોનું કહ્યું છે ત્યારે મિરાશીએ કથિક એ આભીર જાતિનું એક કુળ હોય એમ સૂચવીને આ વિરોધાભાસનું સમર્થન કર્યું છે. ૨૪. જુઓ હવે પછી સમયાંકનની ચર્ચા આ જ પરિશિષ્ટના ઉત્તરાર્ધમાં. ૨૫. ઓઈ., પુસ્તક ૧૪, નંબર ૩-૪, પૃષ્ઠ ૩૩૬થી ૩૯. ૨૬. પાદનોંધ ૨૪ મુજબ. ૨૭. એસ. શંકરનારાયણનનું, જોઈ., અને કાફુ.સોમપરા, એજન, પૃષ્ઠ ૫૯થી ૬પ. ૨૮ અને ૨૯. એજન, પૃષ્ઠ ૭૧, પાદનોંધ ૩થી ઉપર. ૩૦. વિશ્વેશ્વરાનંદ ઈન્ડોલૉજિકલ રીસર્ચ જર્નલ, પુસ્તક ૩, નંબર ૧, પૃષ્ઠ ૧૦૪. ઉપરાંત જુઓ પાદનોંધ ૩૧. જઓઈ., પુસ્તક ૧૨, નંબર ૨, પૃષ્ઠ ૧૦૪. ઉપરાંત આ ગ્રંથમાં પ્રકરણ ૫. ૩૨. સોમપુરા કથિક વંશ એ બીજો કોઈ વંશ છે એમ સૂચવે છે (જુઓ : એજન, પુસ્તક ૧૫, નંબર ૧, | પૃષ્ઠ ૬૫થી). પરંતુ તે કયો રાજવંશ છે તે એમણે પુરવાર કર્યું નથી. ૩૩. જુઓ : જોઇ., પુસ્તક ૧૫, નંબર ૧, પૃષ્ઠ ૬૬થી. ૩૪. સૂ.ના. ચૌધરી, એજન, પુસ્તક ૯, નંબર ૪, પૃષ્ઠ ૪૫૮-૫૯. ૩૫. એજન, પુસ્તક ૧૫, નંબર ૧, પૃષ્ઠ ૬૬થી ૬૮. ૩૬. કાઁઈઇ., પુસ્તક ૩, પૃષ્ઠ ૨૯થી ૩૪, પ્લેટ ૩બી. ૩૭. એજન, પૃષ્ઠ પદથી ૬૫ અને પ્લેટ ૮. ૩૮. જઓઈ., પુસ્તક ૧૪, નંબર ૩-૪, પૃષ્ઠ ૩૪૮. ૩૯, દક્ષિણ ભારતમાં નાગાર્જુની કાંડનો દસ્તાવેજ સંપૂર્ણ પદ્યમાં છે અને ઈસુની ત્રીજી સદીનો છે (એઈ., પુસ્તક ૩૫, પૃષ્ઠ ૧૭-૧૮). આ હકીકત એમના ધ્યાનમાં છે, છતાં એ બાબતે તેઓ ઉજાગર થયા નથી. દક્ષિણ ભારતમાંથી ત્રીજી સદીનો પદ્યનો આભિલેખિક પુરાવો મળ્યો છે તેમ પશ્ચિમ ભારતમાંનો ચોથી સદીનો આ આભિલેખિક નમૂનો અસંભવિત નથી. ૪૦. ઓઈ., પુસ્તક ૧૫, નંબર ૧, પૃષ્ઠ ૭૨. ૪૧. એજન, પૃષ્ઠ ૬૬. ૪૨. મેવાસાના શિલાલેખમાં આભીરના નિર્દેશના આધારે બી. એન. મુખરજીએ તેમાં ઉલિખિત વર્ષને કલયુરિ સંવતનું હોવાનું કહ્યું છે (જરૉએસો., પૃષ્ઠ ૧૦૬થી ૧૪). પણ પ્રસ્તુત સમગ્ર લેખનો પાઠ અને એનો અર્થ સંદિગ્ધ હોઈ, મુખરજીનો આ તર્ક દ્રાકૃષ્ટ જણાય છે. (જુઓ : રસેશ જમીનદાર, ધ મેવાસા ઇસ્ક્રિપ્શનઃ એ રીએપ્રાયઝલ', પંચાલ, ખંડ ૭, ૧૯૯૪, પૃષ્ઠ ૧૧પથી ૧૧૭). બાકી. ક્ષત્રપોના બધા લેખ શક સંવતના હોઈ, માત્ર આભીરના ઉલ્લેખથી આવું અનુમાન તારવવું મુશ્કેલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy