________________
૫૬
ક્ષત્રપકાલીન ગુજરાત લોકોની એક શાખા દક્ષિણ દિશામાં આગળ વધી બિપિનમાં સ્થિર થઈ. આપણે એ પણ નોંધ્યું કે ચીની વૃત્તાંતો મુજબ કિપિન એ કાશ્મીર છે એમ સુધાકર ચટ્ટોપાધ્યાયનો મત છે. આથી એમના મતે શક જાતિનું એક જૂથ કાશ્મીર માર્ગે આપણી ભૂમિમાં પ્રવેશ્ય અને કાશ્મીર-પંજાબમાં વસાહતી બન્યું. પરંતુ કેટલાક વિદ્વાનો આથી વિપરીત મત ધરાવે છે. તેમના મતાનુસાર કાશ્મીરના નિર્જન માર્ગે આપણે ત્યાં પ્રવેશવું શક્ય નથી”. હવે સર ઓરલ સ્ટેઈનનાં અન્વેષણોએ પુરવાર કર્યું છે કે આ પ્રદેશ છેક પૂર્વકાલથી ઈસ્વી છઠ્ઠી સદી સુધી વસતીયુક્ત હતો. આથી શક પ્રજા જેવી રખડતી-ભટકતી જાતિ સારુ કાશ્મીર માર્ગેથી પ્રવેશવું અશક્ય ન
હતું.
પ્રસ્તુત ચર્ચાથી એવું ફલિત થાય છે કે શક લોકો આપણા દેશના વાયવ્ય કે પશ્ચિમોત્તર સરહદેથી આપણી ભૂમિમાં દાખલ થયા હોવાનું અનુમાન થઈ શકે; પરંતુ આપણી એ તરફની લાંબી સરહદના કયા ભાગેથી પ્રવેશ્યા હશે એ વિશે કશા નિર્ણયાત્મક અનુમાને પહોંચવું મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં એવું સૂચિત થઈ શકે કે શક લોકો જુદે જુદે માર્ગેથી આપણી ભૂમિમાં પ્રવેશ્યા હોય. શક આક્રમણનો સમય
શક પ્રજાના આપણી ભૂમિમાં પ્રવેશના માર્ગ બાબતે જેમ વિવિધ મત પ્રર્વતે છે, તેમ તેમના આગમન અંગેના સમય વિશે છે. આપણે અગાઉ અવલોકી ગયા કે શક લોકોને તેમના દેશાંતરગમન દરમ્યાન યુએચીલોકોના દબાણને કારણે બાહ્નિક દેશ છોડીને, તેની પશ્ચિમે આવેલા પદ્વવ (પાર્થિઆ) દેશમાં જવું પડ્યું. ત્યાં તેમને પલંવ સામ્રાજ્યની સત્તા સાથે સંઘર્ષનો સામનો કરવો પડ્યો. શકો અને પલ્લવો વચ્ચેની પ્રસ્તુત અથડામણમાં ફ્રાવત ૨જો (ઈસ્વીપૂર્વ ૧૩૮૧૨૮) અને આર્તબાન ૧લો (ઈસ્વીપૂર્વ ૧૨૮-૧૨૩) એમ બે પલ્લવ રાજાઓ માર્યા ગયા. એટલે ઈસ્વીપૂર્વ ૧૨૩માં પલ્લવ રાજા મિશ્રદાત રજો ગાદીએ આવ્યો. આ શક્તિશાળી રાજાએ શકોને હરાવ્યા અને તેથી શક પ્રજાને તે દેશ છોડી હેરાત થઈ હાલના સીસ્તાનમાં આવવું પડ્યું. પરંતુ મિશ્રદાત રજાની સત્તા છેક સીસ્તાન સુધી પ્રસરેલી હોઈ અને આ પ્રદેશ તેના આધિપત્ય હેઠળ હોઈ શકોને આ પ્રદેશ પણ છોડવો પડ્યો. અહીંથી તેઓ પૂર્વ તરફ ખસતા ખસતા છેવટે આપણી ભૂમિમાં પ્રવેશ્યા. શકોના આક્રમણના સમય સંદર્ભે આટલી ભૂમિકા જરૂરી હોવાથી અહીં તેનો ઉલ્લેખ કર્યો છે.
મિશ્રદાત અને શકો વચ્ચેની અથડામણને ધ્યાનમાં રાખી કેટલાક વિદ્વાનો એવું અનુમાન કરવા પ્રેરાયા છે કે શકો કાં તો મિશ્રદાત રજાના રાજ્યકાલ (ઈસ્વીપૂર્વ ૧૨૩થી ઈસ્વીપૂર્વ ૮૮) દરમ્યાન કે તેના રાજય-અમલ પછી૧૪ આપણા દેશમાં આવ્યા હોય.
આપણાં સંસ્કૃત સાહિત્યમાં શક પ્રજા વિશેનો પહેલપ્રથમ નિર્દેશ મહાભારતના વિવિધ પર્વોમાં જોવા પ્રાપ્ત થાય છે. તદનુસાર શકોને, અંધો, યવનો, કંબોજો, પુલિન્દો, તુષારો, દાર્થો, ઋષિકો વગેરેની જેમ પ્લેચ્છ તરીકે ઓળખાવ્યા છે. આ પર્વોમાં સભાપર્વ પ્રથમ આવે અને એનો સમય ઈસ્વીપૂર્વ ૧૮૪ અને ઈસ્વીપૂર્વ ૧૪૮ની વચ્ચે નિશ્ચિત થયો છે. આ મુજબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org