SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રપકાલીન ગુજરાત આપણે અવલોક્યું તેમ ભિન્ન ભિન્ન સમયે શક લોકોનાં વિભિન્ન જૂથો આપણી ભૂમિમાં આવ્યાં હોવાનું જણાય છે. આ શક પ્રજાએ આપણા દેશમાં સ્વતંત્ર સત્તાઓ સ્થાપી હતી, જેમાં (૧) સિંધ પ્રદેશનું શક રાજ, જે હિંદી શકસ્થાનથી ખ્યાત હતું, (૨) પંજાબનું શક શાસન, (૩) મથુરાનું શક રાજ્ય અને (૪) પશ્ચિમ ભારતનું શક રાજ્ય, જેમાં ઉજ્જનનો સમાવેશ થતો હતો. ૫૮ સિંધ પ્રદેશનું શક રાજ્ય (?) આપણે નોંધ્યું કે કેટલાક વિદ્વાનોના મત મુજબ શક લોકોએ સહુ પ્રથમ સિંધુ નદીના કાંઠાળા વિસ્તારમાં વસવાટ કર્યો અને મિનનગરને રાજધાની બનાવી. વસ્તુતઃ મીનનગરના શક શાસકો વિશે કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. અહીંના રાજ્યના એક રાજાનું નામ મોઅ હતું એવું કેટલાક વિદ્વાનો માને છે. પશ્ચિમ પંજાબમાં આવેલા જેલમ જિલ્લાના મૈર (કે મૈરા) ગામના કૂવામાંથી જે લેખ હાથ લાગ્યો છે તેમાં અને તક્ષશિલાના પતિકના લેખમાં૧ મોઅનો ઉલ્લેખ જોવા મળે છે; પણ તેથી તે મીનનગરનો રાજા હતો એવું સહજભાવે સ્વીકારી શકાતું નથી. વળી તેના સિક્કાઓ પણ મુખ્યત્વે પંજાબમાંથી મળી આવ્યા છે. પેરિપ્લસમાં પણ બે જગ્યાએ મીનનગરનો ઉલ્લેખ જોવો પ્રાપ્ત થાય છે. પરંતુ ત્યાંય શક સત્તાનો સ્પષ્ટતઃ નિર્દેશ નથી. પંજાબનું શક શાસન આપણી ભૂમિ ઉપર શક લોકોની પ્રારંભિક રાજકીય કારકિર્દીનું એક મુખ્ય મથક પંજાબમાં હતું. અહીંથી પ્રાપ્ત થયેલા શક રાજાઓના સિક્કા તેમના ત્યાં. પ્રવર્તેલા શાસનનું સૂચન કરે છે. માર્શલે તક્ષશિલામાં કરેલા ઉત્ખનનકાર્યથી જાણવું પ્રાપ્ત થયું કે મોઅ અહીં રાજ્ય કરનાર પહેલો શક શાસક હતો ૩. પંજાબમાં આવેલા જેલમ જિલ્લાના મૈર ગામેથી પ્રાપ્ય લેખમાં મોઅનો સંભવિત નિર્દેશ હોવાનો મત છે”. આ લેખમાંનું સંભવિત વર્ષ ૫૮ હોવાનું જણાય છે૫. પતિકના તક્ષશિલાના વર્ષ ૭૮ના તામ્રપત્રમાં મોગનો નિર્દેશ છે. આપણે જાણીએ છીએ કે રેપ્સન મોગ અને મોઅને એક જ વ્યક્તિનાં બે નામ હોવાનું સૂચવે છે. વળી તેના સિક્કાઓ પંજાબ અને ખાસ કરીને તક્ષશિલા જેની રાજધાની હતી તે પ્રદેશના પશ્ચિમ પ્રદેશમાંથી હાથ લાગ્યા છે. આથી રાયચૌધરી માને છે કે ગંધાર ઉપર મોઅનું આધિપત્ય હતું. અર્થાત્ મોઅ ગંધારનો રાજા હતો. સિક્કાઓનાં પ્રાપ્તિસ્થાન ઉપર રેપ્સન એવું સૂચવે છે કે મોઅની સત્તા કાપિશ, પુષ્કલાવતી અને તક્ષશિલા ઉપર પ્રવર્તતી હતી. ત્યારે કાપિશ અને પુષ્કલાવતીમાંથી મોઅનો એકેય સિક્કો મળ્યો નથી એવું સુધાકર ચટ્ટોપાધ્યાય નોંધે છે. અને તરત વિરોધાભાસી વિધાન કરે છે કે સિરકપ (તક્ષશિલા)માંથી મોઅના ૧૦૭ જેટલા સિક્કાઓ મળ્યા છે૧. આથી સુધાકરનું મંતવ્ય સંદિગ્ધ રહે છે. તક્ષશિલા અને તેની આસપાસના પ્રદેશમાંના પ્રચલિત સિક્કાઓની વિવિધ આકૃતિઓનું અનુકરણ મોઅના સિક્કા ઉપર જોવા મળે છે. પ્રસ્તુત હકીકતોથી પુરવાર થાય છે કે મોઅએ પંજાબમાં રાજ્ય કર્યું હતું અને તક્ષશિલા તેના રાજ્યની રાજધાની હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy