SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ક્ષત્રપકાલીન ગુજરાત અગાઉ આપણે અવલોકર્યું તેમ સંસ્કૃત અને અવેસ્તામાં ક્ષત્રપ શબ્દ સમાન અર્થમાં રાજાના પર્યાય તરીકે છે, એટલે આ સંદર્ભમાં પણ ક્ષત્રપો ખસૂસ સ્વતંત્રપણે રાજા હોવાની બાબત સ્પષ્ટ થાય છે. ભૂમિપાલના સંદર્ભમાં મૂમના શબ્દનો વિચાર કરવાનું અહીં સૂચક જણાય છે; જો ભૂમક એટલે ભૂમિનો ઘણી એવો અર્થ છે તે સ્વીકારીએ તો. આમ, પ્રસ્તુત ચર્ચા ઉપરથી ફલિત થાય છે કે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ કુષાણ રાજાઓના સૂબા કયારેય ન હતા. પરંતુ સ્વતંત્ર દરજ્જો ઘરાવતા રાજાઓ હતા; અર્થાત્ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ સ્વતંત્ર સત્તાધીશ હતા. આપણા આ અર્થઘટનને આ લેખકે હવે પછી સ્વતંત્ર પ્રકરણમાં કણિષ્કના સમય વિશે જે વિસ્તૃત ચર્ચા કરી છે તદનુસાર કણિક્કે પશ્ચિમી ક્ષત્રપ રાજા રુદ્રદામાના અમલના અંત પછી રાજ્ય કર્યું હોય તે વધારે સંભવિત ગણાય છે”. .. ૨. પાદનોંધ ૧. સંસ્કૃતમાં ક્ષત્રના અનેક અર્થ હાથવગા છે.: પ્રદેશ, સત્તા, બળ, ક્ષત્રિય, સૈનિક, હિંસા વગેરે (જુઓ મોનિયર વિલિયમ સંપાદિત સંસ્કૃત-ઇંગ્લીશ શબ્દકોશ, પૃષ્ઠ ૩૨ ૫). આમાંના પ્રથમ અર્થમાં એ શબ્દ ઉપરથી ક્ષત્રપતિ એવો શબ્દ પ્રયોગમાં હતો, જેનો વિનિયોગ સંહિતા જેવા પૂર્વકાલીન ગ્રંથમાં જોવા મળે છે (એજન). પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃત કે પ્રાકૃત સાહિત્યમાં આ શબ્દપ્રયોગ ક્યાંય જોવા મળતો નથી (જુઓ : રેપ્સન, કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૮૦; ભાંડારકર, ઇએ., પુસ્તક ૪૭, પૃષ્ઠ ૭૨). આપણા દેશમાંના શક રાજાઓના લેખોમાં શરૂઆતમાં ક્ષત્રપ શબ્દના ક્ષત્રવ, છત્રવ કે રવતા જેવાં પ્રાકૃત રૂપ પ્રયોજાયેલાં જોવા મળે છે (જુઓ : દિનેશચંદ્ર સરકાર, સીઇ, નંબર ૨૪, પૃષ્ઠ ૧૧૨ થી ૧૧૬; નંબર ૬૧-૬૨, પૃ ૧૬૫-૬૬ વગેરે). ૩. રેપ્સન, કેટલૉગ., ફકરો ૮૦; ભાંડારકર, ઈએ. પુસ્તક ૪૭, પૃષ્ઠ ૭૨; સ્ટેઈન કોનો, મોરિ., પુસ્તક ૨૯, પૃષ્ઠ ૪૬૪; જનાર્દન ભટ્ટ, બૌદ્ધકાલીન ભારત, ૧૯૨૫, પૃષ્ઠ ૨૮૫; નીલકંઠ શાસ્ત્રી, કૉહિઇ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૬૩; આર.એસ. ત્રિપાઠી, હિએ., પૃષ્ઠ ૨૧૪ અને પાદનોંધ ૧; દિનેશચંદ્ર સરકાર, સીઇ., પૃષ્ઠ ૧૧૨, પાદનોંધ ૨. ૪. મૂળ ઈરાની ભાષામાં “દારયવહુષ' એવું નામ ઉલ્લેખ પામેલું છે. આમાં “વહુષ' શબ્દ આપણી ગુજરાતી ભાષાની જેમ ‘ભાઈ'ના અર્થમાં પ્રયોજાયેલું છે. આથી આપણે સંક્ષિપ્તરૂપ દ્વારકે અહીં પ્રયોજ્યું છે. અંગ્રેજી Darius મૂળ ગ્રીક ઉપરથી પ્રચારમાં છે અને તેથી ગુજરાતીમાં ‘ડેરિયસ' શબ્દ પ્રચારાય છે જે યોગ્ય જણાતો નથી. મૂળ ‘દારયવહુષ' ઉપરથી ‘દારય' શબ્દનો વિનિયોગ યોગ્ય જણાય છે. મુંબઈના જમશીદ કાવસજી કાત્રકના ૧૯૬૩માં આ ગ્રંથલેખક પરના પત્રમાંની વિગતોને આધારે આ માહિતી પ્રસ્તુત છે. આ શબ્દનું મૂળ અવેસ્તામાં જોવું પ્રાપ્ત થાય છે. એમાં ક્ષઘાત (ક્ષશ્ર = રાજ્ય, ઉમરાવપણું અને પાત્ર = રક્ષક, પાલક) શબ્દનો ઉલ્લેખ છે. આ આધારે શત્રોપન એવું પલ્લવી રૂપ પ્રયોજાયું, જે રૂ૫ ફારસી “શેહેરબનનો પર્યાય છે. પહ્નવી એ ઈરાની ભાષાનું પૂર્વરૂપ છે. આમાંથી દારયના કયુનિફોર્મ લેખમાં ક્ષથપાવન શબ્દ વપરાયો. જ્યારે સિકંદરે દારયના સામ્રાજયને ગ્રીસ સાથે જોડી દીધું ત્યારે ક્ષવિનંનું સત્રપલ (Satrapes i.e. satrap) એવું ગ્રીક સંક્ષિપ્ત રૂપ પ્રચારમાં આવ્યું. (આ માહિતી આપવા સબબ આ લેખક જમશીદ કાવસજી કાત્રકના આભારી છે). ૭. એસ.જી.ડબલ્યુ. બેન્જામીન, પર્શિયા, પૃષ્ઠ ૧૦૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy