SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સોળ પ્રચલિત માધ્યમ સ્વરૂપ હતું એમ કહેવું જોઈએ. આથી, એવું અનુમાની શકાય કે ક્ષત્રપકાલ દરમ્યાન લોકાભાષા તરીકે સંસ્કૃતનું સ્થાન હતું અને વ્યવહારમાં તેનાં વિવિધ સ્વરૂપ પ્રચારમાં હશે. લિપિ-વિકાસનાં લક્ષણો આ સમયની ભાષા-પ્રક્રિયાની સરખામણીમાં લિપિનાં લક્ષણો સમજવામાં સરળતા રહે છે; કેમ કે ઉત્કીર્ણ લેખોમાં અને સિક્કા ઉપર ઉપસાવેલાં લખાણમાં તત્કાલીન લિપિના નમૂના જળવાઈ રહેલા મોજુદ છે. આરંભ કાળમાં થોડો સમય ખરોષ્ઠીર અને બ્રાહ્મી ઉભય લિપિ એક સાથે પ્રયોજાયેલી પ્રાપ્ત થઈ છે. પરંતુ પછી તરતTM કેવળ બ્રાહ્મી લિપિનો જ ઉપયોગ અને પ્રચાર પ્રવર્તેલા જોવા પ્રાપ્ત થાય છે. ક્ષત્રપકાલીન લિપિ અશોકકાલીન લિપિથી અને મૈત્રકકાલીન લિપિથી ઠીક ઠીક ભિન્ન જણાય છે. આથી, આ સમય દરમ્યાન પ્રયોજાયેલી લિપિને આપણે ક્ષત્રપાલીન લિપિ તરીકે ઓળખાવવી યોગ્ય ગણાશે. વર્ણ ૨૭૭ ક્ષત્રપકાલીન લેખોમાં બધા મળીને ૪૨ વર્ણ છે, જેમાં આઠ સ્વર (ગ, આ, રૂ, રૂં, ૩, ૠ, ર્ અને ો), બે આયોગવાહો (અનુસ્વાર અને વિસર્ગ), ચોવીસ સ્પર્શ વ્યંજન (, ઘ, ગ, ઘ, ચ, છ, ન, બ, ર, ૩, ૩, ૪, ૫, ત, થ, હૈં, ધ, ન, ૫, ૬, વ, મ, ન, ∞), ચાર અતંઃસ્થ વ્યંજન (ય, ર, લ, વ) અને ચાર ઉષ્મન્ વ્યંજન (શ, ષ, સ, હૈં)નો સમાવેશ થાય છે. (આ વર્ણોની સમજ માટે જુઓ આલેખ નંબર ૩). સ્વરૂપ ક્ષત્રપકાલીન લેખોમાં પ્રયોજિત વર્ણોને અશોકના જૂનાગઢી શૈલલેખમાં પ્રયોજાયેલા વર્ણના મરોડ સાથે સરખાવતાં કેટલીક ભિન્નતા સ્પષ્ટ થાય છે. ૬, ન, ટ, ૩, ૪, થ, ધ અને વ એ ક્ષત્રપકાલીન વર્ણનું સ્વરૂપ લગભગ અશોકના શૈલલેખના વર્ણ સાથે સામ્ય ધરાવે છે; જ્યારે શેષ વર્ણના મરોડમાં સારો એવો ફેરફાર જોવો પ્રાપ્ત થાય છે. ધની દિશા અશોકના શૈલલેખના વર્ણ કરતાં ક્ષત્રપકાલીન વર્ણ ઉલટી રીતે જોવા મળે છે. (જુઓ આલેખ નંબર ૧) શિરોરેખા ક્ષત્રપોના અભિલેખોમાંની લિપિના અક્ષરોમાં જેમનાં મથાળાં સીધાં ઊભી રેખાવાળાં છે તેમના માથે બિંદુ સ્વરૂપે શિરોરેખા મૂક્વી શરૂ થઈ જણાય છે; જેમ કે ગ, ગ, રૂં, , ૫, ૬, છ, જ્ઞ, ૩, ૪, ત, ૬, ૫, , મ, મ, ય, ર, લ, વ, ષ, સ, ૪ અને માં. આમાંના હૈં, ૫, ત્ર અને રૂ અક્ષરોમાં ડાબી બાજુની ઊભી રેખા ઉપર અને થમાં મધ્યની ઊભી રેખા ઉપર શિરોરેખા નિશ્ચિત થઈ ચૂકી છે. જ્યારે તેની જમણી બાજૂની ઊભી રેખાને મથાળે ક્યારેક શિરોરેખા મૂકાતી જોવા મળે છે. ક્ષત્રપકાલના આરંભમાં ૩ અને ૬ વર્ણને મથાળે શિરોરેખા બંધાયેલી જોવા મળતી નથી. પરંતુ પછીના કાળમાં તે જોવા મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy