________________
૪૮
ક્ષત્રપકાલીન ગુજરાત આપણા દેશ ઉપર મધ્ય એશિયાના વિસ્તારમાંથી એમનાં જે આક્રમણો થયાં, ખાસ કરીને ઈસ્વીપૂર્વ ૧૪૦થી ૧૩૦ના સમયગાળામાં, તેમના માટે આપણા પૂર્વકાલના અધ્યેતાઓએ “શક' શબ્દ પ્રયોજેલો હોવાનું સૂચિત થાય છે.
ગ્રીક અને રોમીય લેખકો આ માટે “સીથિયન’ શબ્દનો પ્રયોગ કરે છે. ઈરાનીઓ તેમને “સક' નામથી ઓળખતા હતા. જયારે ચીની તવારીખકારોએ “સે' (se), “સઈ” (sai), ‘સેક' (sek) અથવા “સોક' (sok) કે “સુ' (su) એવાં વિવિધ નામોલ્લેખ કરેલા છે૮. શકોને મનુસ્મૃતિએ ‘દસ્ય' નામથી ઓળખાવ્યા છે૯.
શકોને આપણી ભૂમિમાં કયા કારણોથી આવવું પડ્યું તેની ભૂમિકારૂપે મધ્ય એશિયામાં થયેલી ઊથલપાથલની સમીક્ષા પ્રસ્તુત કરવી અહીં આવશ્યક છે. મધ્ય એશિયામાં ઊથલપાથલ૦
પૂર્વ સમયમાં તાતાર નામની જાતિ ચીનની ઉત્તરે રહેતી હતી, જેણે ઘણીવાર ચીન ઉપર આક્રમણ કરેલાં. આ જાતિને ચીનના તવારીખનશો ‘હિયંગનુ૨૧ નામથી ઓળખાવે છે. આપણે તેમને હૂણ' નામથી ઓળખીએ છીએ. આ હૂણ લોકોના વારંવારના હુમલાથી પરેશાન થયેલા ચીની લોકોએ ઈસ્વીપૂર્વ ૨૪૬થી ઈસ્વીપૂર્વ ૨૧૦ સુધીના સમયગાળામાં ચીનના ઉત્તર ભાગમાં-સમુદ્રકિનારાથી કાનસૂ પ્રાંત સુધી ૪-એક મહાકાય દીવાલ બાંધેલી. છતાંય હુમલા ચાલુ રહ્યા હતા, પણ હન રાજયના રાજા હવેઈ-તિ (Havel-Ti)ના સમયમાં (ઈસ્વીપૂર્વ ૧૯૪૧૭૯) તેમના હુમલા નિષ્ફળ જતાં, હૂણોને અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આથી તેઓ કાનસૂ પ્રાંતના વાયવ્ય પ્રદેશ તરફ પહોંચ્યા, જયાં ત્યારે ‘તાહિયા'૨૯ અને યુએચી૩૦ જાતિના લોકો રહેતા હતા. તાહિયા લોકો શાંતિચાહક હતા”, જ્યારે યુએચી પ્રજા લડાયક સ્વભાવની હતી.
શિ-કિ અને સીએન-હન-સુનના આધારે જાણવા મળે છે કે હૂણ રાજા ચિ-યુએ યુએચઓને હરાવ્યા, તેથી તેઓ સ્વપ્રદેશ છોડી, થી-આન-શાન પર્વતમાળાની દક્ષિણે આવેલા પ્રદેશમાં પશ્ચિમ તરફ વળ્યા, ઈસ્વીપૂર્વ ૧૭૬માં ૫. ઈસ્વીપૂર્વ ૧૬૫માં હૂણ સરદાર લાઓ-ચાંગૂએ ફરીથી યુએચી લોકો સાથે લડાઈ કરી, તેમને હરાવ્યા અને નસાડી મૂક્યા. તેથી યુએચઓ ઈલિ નદીના પ્રદેશમાં (જે હવે કુલજા ટેકરીઓ ઉપરથી કુલજા પ્રદેશના નામથી ઓળખાય છે) આવીને વસ્યા. આ પ્રદેશમાં ‘-સુન' નામની જાતિ રહેતી હતી. યુએચીઓએ આ લોકોને હરાવ્યા. આ અથડામણમાં વુસુન જાતિનો સરદાર માર્યો ગયો, પણ આ પ્રદેશ નાનો હોવાથી યુએચઓમાંથી થોડા અહીં સ્થાયી થયા અને બાકીના પશ્ચિમ બાજુએ ઈસ્સિકકુલ સરોવર તરફ આગળ વધ્યા.
અહીંથી યુએચી બે શાખામાં વિભાજિત થયા : (૧) નાના યુએચી અને (૨) મોટા યુએચી૩૯. નાના યુએસી લોકો દક્ષિણ તરફ ગયા અને તિબત્તની સરહદે વસ્યા. મોટા યુએચઓ પશ્ચિમ તરફ આગળ વધી સિરદરયા૧૧ નદીને કિનારે પહોંચ્યા. આ પ્રદેશમાં સઈ(શક) લોકો રહેતા હતા, જે દારયના શૈલલેખ અનુસાર સકા તિગ્રખૌદા નામથી જ્ઞાત હતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org