________________
પ્રકરણ દશ
૧૮૩
– તો ઐતિહાસિક છે જ°. ગ્રીક સફરનો અહેવાલ
આ અહેવાલ “ધ પેરિપ્લસ ઑવ ધ ઇરિશિયન સી' નામથી ખ્યાત છે. સંક્ષેપમાં તેનું હૂલામણું નામ છે “પેરિપ્લસ'. ગ્રીસના એક અજ્ઞાત મુસાફરે પોતાની દરિયાઈ સફરનું આ ગ્રંથમાં વિગતથી વર્ણન કર્યું છે જેમાં ગુજરાતના સમુદ્રકાંઠા વિશે અને વહાણવટા વિશે સારી માહિતી આપી છે. અગાઉ અવલોકિત જૈન ગાથામાંની હકીકતોને બીજા એક સાહિત્યિક પુરાવાનું સમર્થન સાંપડે છે. આ ગ્રીકગ્રંથમાં પણ સાતવાહન રાજાના હાથે નહપાનની હારનું વર્ણન છે. એમાં રાતા સમુદ્રથી હિન્દી મહાસાગર સુધીની દરિયાઈ સફરની માહિતી આપતાં લેખકે નહપાનના રાજયની સરહદોનું વર્ણન કરેલું છે, જેમાં તેણે ભરુચનો ઉલ્લેખ પણ કર્યો છે. નહપાન મોજીલો રાજા હતો એવું વર્ણન એમાં છે. નહપાન માટે મેસ્વરો નામનો નિર્દેશ છે. ઇતિહાસકારો આ માટે વિવિધ નામ પ્રયોજે છે : એમ્બનોસ, મેનબ્રુસ, મમ્બરસ, મેમ્બનેસ, નાબુનુસ ઇત્યાદિ.
પ્રસ્તુત બંને સાહિત્યિક નિર્દેશ ઉપરથી સૂચિત થાય છે કે સાતવાહન રાજાએ હરાત નહપાનને હરાવ્યો હતો અને એના વંશનો ઉચ્છેદ કર્યો હતો; તેમ જ નહપાનની રાજધાની ભરૂચ ઉપર કબજો જમાવ્યો હતો. આથી, સ્પષ્ટ થાય છે કે પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનો સમકાલીન અને પ્રતિસ્પર્ધી તેમ જ સામાજિક સંબંધોથી બદ્ધ હતા. પુલુમાવિનો નાસિકગુફાનો લેખ
વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના પ્રસ્તુત લેખમાં સ્પષ્ટ નોંધે છે કે સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ ક્ષણારત વંશને નિર્મૂળ કર્યો હતો. આ ગુફાલેખમાં૨ વરઘરાત શબ્દનો ઉલ્લેખ નહપાનના વંશ વાસ્તે થયો છે. આ વંશ હકીકતમાં ક્ષહરત વંશ તરીકે જાણીતો છે. આ અભિલેખિક પુરાવો સ્પષ્ટ રીતે અગાઉ અવલોકિત બંને સાહિત્યિક પુરાવાનું સમર્થન કરે છે. આ રીતે સાહિત્યિક લખાણોની ઐતિહાસિક્તા પુરવાર થાય છે. જોગલથમ્બીનો સિક્કાનિધિ
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના જોગલથપ્પી નામના સ્થળેથી (આજના નાસિક શહેરની નજીક) ચાંદીના સિક્કાનો એક મોટો નિધિ હાથ લાગ્યો હતો તે આપણે અવલોકી ગયા છીએ (જુઓ પરિશિષ્ટ ત્રણ). આમાંથી નહપાનના ૯૨૭) સિક્કા ઉપર ગૌતમીપુત્ર શાતકર્ણિએ પોતાની છાપ પડાવી હતી. આથી સ્પષ્ટ થાય છે કે ગૌતમીપુત્ર શાતકર્ણિએ નહપાનને હરાવ્યો હતો અને એના વંશને નિર્મૂળ કર્યો હતો.
આ રીતે, જોગલથમ્બીનો સિક્કાનિધિ૩ શાતકર્ણિના હાથે નહપાનની હાર અને સાતવાહન રાજયમાં ક્ષહરાત વિસ્તારોનો સમાવેશ જેવી અગાઉ વર્ણિત ઐતિહાસિક હકીકતોને શાહેદી બક્ષે છે. આથી, એટલું સૂચિત થાય છે કે સાતવાહનોએ ગુજરાતના દક્ષિણ વિસ્તારના ભૂભાગ ઉપર શાસન કર્યું હતું. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે સાતવાહન રાજા અને ક્ષહરાત શાસક વચ્ચે સમકાલીન શાહી સંબંધો હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org